Advertisement
Author: નોબત સમાચાર

જામનગર સહિત દેશના ૧૬ એરપોર્ટ ત્રણ દિ' માટે બંધ

ભારતીય સેનાએ આતંકી હુમલાનો બદલો લેવા કરેલ એરસ્ટ્રાઈક પછી

                                                                                                                                                                                                      

જામનગર તા. ૭: પાકિસ્તાનના આતંકી સ્થાનો ઉપર ભારતીય જવાનોએ પ્રહાર કર્યો છે. બીજી તરફ જામનગરનું એરપોર્ટ ત્રણ દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યું છે. સાથે જ દેશના ૧૬ એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યા છે. પાકિસ્તાનના આતંકવાદીના ત્રણ તાલીમ કેન્દ્રો ઉપર ભારતીય સેનાએ હવાઈ મીસાઈલહુમલા    કર્યા છે.

બીજી તરફ જામનગર એરપોર્ટ સહિના દેશના ૧૬ એરપોર્ટને હાલ પૂરતા ત્રણ દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છેે.

જામનગરનું એરપોર્ટ ૭, ૮ અને ૯ મે ર૦રપ એમ ત્રણ દિવસ માટે બંધ રાખવા આદેશ કરાયો છે. હાલ જામનગર-મુંબઈ વચ્ચે ફ્લાઈટ સેવા મળે છે જે આજથી ત્રણ દિવસ માટે બંધ રહેશે.સાથે દેશભરના કુલ ૧૬ એરપોર્ટને હાલ કોમર્શિયલ હેતુ માટે બંધ કરાયા છે. જેમાં લેહ, પોલ્સ, શ્રીનગર, જમ્મુ, અમૃતસર, પઠાણકોટ, ચંદીગઢ, જોધપુર, જેસલમેર, જામનગર, ભટીંડા, ભૂજ, ધર્મશાળા, શિમલા, રાજકોટ, પોરબંદરનો સમાવેશ થાય છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

 

 



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh