close

Mar 27, 2025
અમેરિકામાં થતા કારોના પ્રોડકશનને મુકતીઃ બીજી એપ્રિલથી થશે અમલઃ અનેક દેશોને ફટકોઃ વૈશ્વિક પડઘાઃ ભારતને પણ થશે અસર વોશિંગ્ટન તા. ૨૭: ટ્રમ્પે અમેરિકામાં આયાત થનારી તમામ વિદેશીકારો પર ૨૫% ટેક્ષ ઝીંકયો છે. ટ્રમ્પના આ નિર્ણયથી સમગ્ર વિશ્વના ઓટો સેકટરમાં ખળભળાટ મચ્યો છે. જાપાન-કેનેડા-જર્મની-દ.કોરિયા-યુરોપને ફટકો પડયો છે. ભારતને પણ અસર થઈ શકે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ટેરીફ મામલે સતત સક્રિય જોવા મળી રહૃાા છે, એવામાં ટ્રમ્પે અચાનક એક ચોંકાવનારો ... વધુ વાંચો »

Mar 27, 2025
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીનો દાવો પેરિસ તા. ૨૭: રશિયાના રાષ્ટ્રપતિ પુતિનનું સ્વાસ્થ્ય ખરાબ હોઈ તે ટૂંક સમયમાં મોતને ભેટશે, તેવો દાવો યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ કર્યો છે. યુક્રેનના રાષ્ટ્ર પ્રમુખ વ્લાદિમીર ઝેલેન્સ્કીએ રશિયાને લઈને તીખી ટિપ્પણી કરી છે. એક મીડિયા રિપોર્ટને ટાંકીને તેમણે કહૃાું કે, 'વ્લાદિમીર પુતિનનું જલ્દી મોત થશે અને આ હકીકત છે. પુતિનનું સ્વાસ્થ્ય ખરાબ છે.' એક તસવીર શેર કરતાં પશ્ચિમી મીડિયાએ દાવો કર્યો છે કે, વ્લાદિમીર પુતિનનું સ્વાસ્થ્ય ... વધુ વાંચો »

Mar 27, 2025
ઉત્તર પ્રદેશની હૈયુ હચમચાવે તેવી ઘટના લખનૌ તા. ૨૭: ઉત્તરપ્રદેશના શાહજહાંપુરમાં ૪ બાળકોના ગળા કાપી પિતાએ ખુદ ગળેફાંસો ખાધો હોવાની ઘટનાએ અરેરાટી ફેલાવી છે. ઉત્તર પ્રદેશના શાહજહાંપુરથી હૈયુ હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. ચાર બાળકોની હત્યા કરીને પિતાએ આપઘાત કરી લીધો છે. આ ઘટના પારિવારિક ઝઘડાના લીધે થઇ છે. પોલીસ સહિત ફોરેન્સિક ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે. મૃતકોની ઉંમર ૧૦ વર્ષ, ૮ વર્ષની બાળકી, ૭ અને ... વધુ વાંચો »

Mar 27, 2025
કેન્દ્ર સરકાર નવા નિયમો લાવવાની તૈયારીમાં નવીદિલ્હી તા. ૨૭: કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં બધી હોસ્પિટલો માટે પ્રમાણિત બિલ ફોર્મેટ રજૂ કરશે, જેમાં સારવાર ખર્ચની સ્પષ્ટ અને વિગતવાર વિગતો આપવી ફરજિયાત રહેશે. આ કવાયતનો હેતુ હોસ્પિટલોના બિલિંગમાં થતી અનિયમિતતા અને મનસ્વીતાને રોકવાનો હોવાનું જણાવાયું છે. કેન્દ્ર સરકાર દેશભરની હોસ્પિટલો, ર્નસિંગ હોમ અને પરીક્ષણ કેન્દ્રોમાં બિલિંગ પ્રક્રિયાને પારદર્શક અને સમાન બનાવવાની તૈયારી કરી રહી છે. આ માટે, સરકાર ટૂંક સમયમાં તમામ આરોગ્ય સંસ્થાઓ માટે એક પ્રમાણિત બિલિંગ ફોર્મેટ રજૂ કરશે. આમાં સારવાર ખર્ચની સ્પષ્ટ ... વધુ વાંચો »

Mar 27, 2025
ઉબેર, ઓલા જેવી કંપનીઓએ ટેક્સી ડ્રાઈવરોનો નફો ઘટાડી દેતા નવી દિલ્હી તા. ર૭: ઓલા, ઉબેર જેવી કંપનીઓ માટે ખતરાની ઘંટડી વાગી છે. સહકારી રણે ટેક્સી સેવા શરૂ કરવાનો સરકારનો પ્લાન કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે જાહેર કર્યો છે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, 'સરકારના પ્રયાસોથી ટૂંક સમયમાં સહકારી ટેક્સી સેવા શરૂ કરવામાં આવશે. આ અંતર્ગત કાર, ઓટો અને બાઈક ટેક્સી ચલાવતા લોકો નોંધણી કરાવી ... વધુ વાંચો »

Mar 27, 2025
વિધાનસભામાં સુધારા બિલ રજૂ ગાંધીનગર તા. ર૭: 'ધ ગુજરાત સ્ટેમ્પ એમેન્ડમેન્ટ બિલ-ર૦રપ' રજૂ થયું છે. આ અધિનિયમના ભંગ બદલ દંડની રકમ ર૦૦ રૂપિયાથી વધારીને ૧ લાખ કરાઈ છે. ગુજરાત વિધાનસભામાં 'ધ ગુજરાત સ્ટેમ્પ એમેન્ડમેન્ટ બિલ ૨૦૨૫' રજૂ કરવામાં આવ્યું હતું. જે અનુસાર, ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ ૧૯૫૮ની કલમ ૬૨-ક (૩) સાથે કલમ ૯-એની જોગવાઈનું પાલન ન કરનાર અથવા સ્ટેમ્પ ડ્યૂટી વસૂલીને સરકારમાં જમા કરાવવામાં નિષ્ફળ જનાર કે સ્ટેમ્પ ડ્યૂટી સંદર્ભે ખોટી માહિતી આપનારની દંડની રકમમાં અકલ્પનિય વધારો કરવામાં આવ્યો છે. જેમાં દંડની રકમ ... વધુ વાંચો »

Mar 27, 2025
મહાનગરપાલિકા દ્વારા મોટી સાઈઝનો ગઝીબો પણ લગાવાશે જામનગર તા. ૨૭: જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના લાખોટા લેક તેમજ એમ્યુઝમેન્ટ પાર્કમાં રૂપિયા દોઢ કરોડના ખર્ચે સોલાર ટ્રી લગાવવાનું આયોજન હાથ ધરાયુ છે. રણમલ તળાવમાં ૫૦ કિલો વોટના ચાર સોલાર ટ્રી લગાવાયા છે. જ્યારે એમ્યુઝમેન્ટ પાર્કમાં ૩૦ કિલો વોટના બે ટ્રી લગાવાયા છે.  રણમલ તળાવ તેમજ એમ્યુઝમેન્ટ પાર્કમાં મોટી સાઇઝના સોલારના ગઝીબો લગાવવાની પણ કાર્યવાહી હાથ ધરી છે. એપ્રિલ માસમાં કાર્યરત થાય તેવી   સંભાવના છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા રણમલ તળાવ અને એમયૂઝમેન્ટ પાર્ક કે જેમાં ... વધુ વાંચો »

Mar 27, 2025
કેન્સર હોસ્પિટલમાં જરૂરી તમામ અતિ આધુનિક સાધનો, નિષ્ણાત તબીબોની ટીમ, સંલગ્ન તમામ સુવિધાઓ ઉપલબ્ધ જામનગર તા. ર૭: જામનગમાં સમર્પણ હોસ્પિટલના પરિસરમાં વિશાળ બિલ્ડીંગમાં તા. છઠ્ઠી એપ્રિલથી સમગ્ર હાલાર પંથકની સૌથી મોટી અને સંપૂર્ણ સાધન-સુવિધાથી સજ્જ આયુષ કેન્સર હોસ્પિટલનો આરંભ થઈ રહ્યો છે. એક કેન્સર હોસ્પિટલમાં જે જે સાધન સુવિધા, સ્ટાફ જોઈએ તે તમામ બાબતોની ચીવટ સાથે આયુષ કેન્સર હોસ્પિટલ કેન્સરના દર્દીઓના નિદાન-સારવાર માટે સજ્જ છે. આ હોસ્પિટલમાં ... વધુ વાંચો »

Mar 27, 2025
મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની કાર્યવાહીઃ જામનગર તા. ર૭: જામનગરમાં ગુરુદ્વારા વિસ્તારમાં તાજેતરમાં એક જુની ઈમારતનો જર્જરિત હિસ્સો તાજેતરમાં તૂટી પડ્યો હતો. આથી આજે મહાનગરપાલિકા દ્વારા આ ઈમારતનો જોખમી હિસ્સો આજે તોડી પાડવામાં આવ્યો હતો. જામનગર શહેરમાં ગુરુદ્વારા ચોકડી પાસેની એક ઈમારતમાંથી તાજેતરમાં પોપડા પડ્યા હતાં અને કેટલોક જર્જરિત ભાગ તૂટી પડ્યો હતો. આથી આ જર્જરિત ઈમારતનો જોખમી હિસ્સો તોડી પાડવા માટે આજે મહાનગરપાલિકા દ્વારા પાડતોડ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ... વધુ વાંચો »

Mar 27, 2025
તાપમાનમાં ૧.૪ ડીગ્રીનો ઘટાડો થતા ગરમીમાં રાહતઃ જામનગર તા. ર૭: જામનગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૩૦ થી ૩પ કિ.મી.ની રહેવા પામી હતી. ઝપાટાબંધરીતે ફૂંકાતા વેગીલા વાયરાઓના પગલે તાપમાનમાં પણ સતત ઘટાડો થઈ રહ્યો છે. ગત્ બે દિવસમાં મહત્તમ તાપમાનમાં ૪.૧ ડીગ્રીનો ઘટાડો થયો છે. છેલ્લા ચોવીસ કલાકની વાત કરીએ તો ૧.૪ ડીગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૩૩.૬ ડીગ્રી નોંધાયું હતું. ગતિમાન પવન અને તાપમાનમાં થયેલા ઘટાડાના પગલે ગત્ બે દિવસથી ... વધુ વાંચો »

Mar 27, 2025
સ્વામિનારાયણ સંપ્રદાયના એક સ્વામી દ્વારા પુસ્તકમાં કરાયેલી દ્વારકા તા. ર૭: રાજ્યસભાના સાંસદ અને દ્વારકા દેવસ્થાન સમિતિના પૂર્વ ઉપાધ્યક્ષ પરિમલભાઈ નથવાણી આજે દ્વારકાની મુલાકાતે પધાર્યા હતાં. જગદ્ગુરુ શંકરાચાર્યજીની પાદૂકાનું પૂજન કર્યું હતું તેમજ દ્વારકાધીશ મંદિરમાં શ્રીકૃષ્ણ ભગવાનના દર્શન-પૂજા કર્યા હતાં. તેમની સાથે રિલાયન્સ પરિવારના મનોજભાઈ મોદી પણ ઉપસ્થિત રહ્યા હતાં. આ પ્રસંગે પત્રકારો સમક્ષ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીએ પુસ્તકમાં ભગવાન દ્વારકાધીશ અંગે કરેલી ટિપ્પણીઓ અંગે ઉગ્ર પ્રતિક્રિયા વ્યક્ત કરતા ... વધુ વાંચો »

Mar 27, 2025
રાજકોટ, ખંભાળિયાના બે આસામીને રૂ.૪૮ લાખમાં નવડાવી નાખ્યાઃ કેટલીક નંબર પ્લેટ, શિલ્ડ કરાયા કબજેઃ ખંભાળિયા તા.૨૭ : ખંભાળિયામાંથી એડી. કલેક્ટર અને એસડીએમ લખેલી એક મોટર ઝડપાયા પછી તે મોટરમાં જઈ રહેલા ધર્મના ભાઈ-બહેન ની પોલીસે પૂછપરછ શરૂ કરી હતી. તેમાં મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. રિમાન્ડ પર રહેલા શખ્સે રાજકોટ તથા ખંભાળિયાના બે આસામીને તબીબી ક્ષેતામાં એડમીશન તેમજ પીઆઈ તરીકેની નિમણૂક અપાવવાનં ુ કહી રૂ.૪૮ લાખ ઉપરાંતની છેતરપિંડી કર્યાનું બહાર આવયું છે. આ શખ્સ સામે આજે સવારે વધુ સાત ગુન્હા નોંધાયા ... વધુ વાંચો »

Mar 27, 2025
પરિવારના જ બે મહિલાએ ઢીકાપાટુથી માર માર્યાે: જામનગર તા.ર૭ : જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેતા એક મહિલા એડવોકેટ પર તેમના પરિવારના બે મહિલાએ મારા રૂમના દરવાજામાં સ્ટોપર કેમ મારી તેમ કહી મંગળવારે રાત્રે ગાળો ભાંડી ઢીકાપાટુથી માર મારવા ઉપરાંત પતાવી દેવાની ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.૧૭માં રહેતા મીરાબેન શાંતિલાલ અઘેડા નામના એડવોકેટ મંગળ વારે રાત્રે દસેક વાગ્યે પોતાના ઘરે હતા ત્યારે તેમના ... વધુ વાંચો »

Mar 27, 2025
દેશી દારૂ પકડવા પોલીસના દરોડાઃ જામનગર તા.૨૭ : જામનગરના નાગનાથના નાકા પાસે એક મકાનમાંથી પોલીસે દારૂની બોટલ કબજે કરી છે. લાલપુરમાંથી ખૂલી બોટલ હાથમાં લઈને જતો શખ્સ ઝડપાયો છે. વુલન મીલ પાસે બાવરીવાસમાંથી દેશી દારૂની ભઠ્ઠીઓ પકડી લેવામાં આવી છે. કાલાવડના ગ્રામ્ય પંથકમાંથી પણ આથો કબજે કરાયો છે. જામનગરના નાગનાથ નાકા પાસે આવેલા નરેન્દ્રસિંહ ભૂપતસિંહ રાઠોડ નામના શખ્સના મકાનમાં ગઈકાલે સાંજે સિટી એ ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફે દરોડો પાડી ઈંગ્લીશ દારૂની એક બોટલ કબજે કરી છે. દરોડા પહેલાં આરોપી નાસી ગયો હતો. લાલપુર શહેરમાં ... વધુ વાંચો »

Mar 27, 2025
વાલીઓને બોલાવી ટ્રાફિક પોલીસે આપી કડક સૂચનાઃ ત્રણેય ટાબરિયા સામે કાર્યવાહીઃ જામનગર તા.૨૭ : જામનગરના લાલપુર બાયપાસથી ઠેબા બાયપાસ વચ્ચે મંગળવારની રાત્રે એક મોટરસાયકલ તથા બે સ્કૂટર પર જોખમી સ્ટંટ કરી રહેલા ત્રણ ટાબરીયાને ટ્રાફિક શાખાએ શોધી કાઢી ત્રણેય વાહન ડીટેઈન કર્યા છે અને ત્રણેયના વાલીઓને બોલાવી કડક સૂચના આપી છે. ધોરીમાર્ગ પર ફૂલસ્પીડમાં ચલાવાતા આ વાહનોનો વીડિયો એક મોટરચાલકે ઉતારી લઈ વાયરલ કર્યા પછી પોલીસ હરકતમાં આવી હતી. જામનગરના ... વધુ વાંચો »

Mar 27, 2025
આદિપુરમાંથી દબોચાયોઃ જામનગર તા.૨૭ : જામનગરમાં ત્રણ વર્ષ પહેલાં નોંેંધાયેલા દારૂબંધી ભંગના એક ગુન્હામાં સંડોવાયા પછી નાસી ગયેલા શખ્સને કચ્છના આદીપુરમાંથી પકડી પાડવામાં આવ્યો છે. જામનગરના સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૨૨માં દારૂબંધી ભંગનો એક ગુન્હો નોંધાયો હતો. જેમાં બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જેરડા ગામના વતની અને હાલમાં કચ્છના આદિપુર રહેતા લાલા કાળાજી માજીરાણા નામના શખ્સનું નામ ખૂલ્યું હતું. ત્યારપછી આ શખ્સ નાસતો ફરતો હતો. ઉપરોક્ત ... વધુ વાંચો »

Mar 27, 2025
ચેક પરતના કેસમાં થઈ છે એક વર્ષની સજાઃ જામનગર તા. ર૭: જામનગર મહાનગરપાલિકાની સિક્યુરિટી શાખાના એક કર્મીને રૂ.૪ લાખના ચેક પરતના કેસમાં સજા થતાં તેની ધરપકડ કરી જેલહવાલે કરાયા પછી આ કર્મચારીએ સારી વર્તણૂક અંગે નિયમોનો ભંગ કર્યાે હોય મ્યુનિ કમિશનરે આ શખ્સને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યાે છે. જામનગર મહાનગર પાલિકાની સિક્યુરિટી શાખામાં ચોકીદાર તરીકે ફરજ બજાવતા ઈદ્રીશ મામદભાઈ માંઢાત સામે વર્ષ ૨૦૨૧માં રૂ.૪ લાખના ચેક પરતની ફરિયાદ નોંધાઈ હતી. તે કેસમાં આરોપીને ... વધુ વાંચો »

Mar 27, 2025
રૂ.૩૪,૨૦૦ રોકડા કબજે કરી લેવાયાઃ જામનગર તા.ર૭ : ખંભાળિયાના વિંજલપર ગામમાં આવેલી એગ્રોની એક દુકાનમાં ગયા શુક્રવારની રાત્રે ચોરી થઈ હતી. તેનો ભેદ ઉકેલી પોલીસે વિંજલપર ગામના જ એક શખ્સની ધરપકડ કરી છે. ખંભાળિયા તાલુકાના વિંજલ૫ર ગામમાં બસ સ્ટેન્ડ પાસે આવેલી માધવ એગ્રો નામની દુકાનમાં ગયા શુક્રવારે રાત્રિથી શનિવારની સવાર સુધીમાં ચોરી થઈ હતી. તે દુકાનનો પાછળનો દરવાજો ખોલી ઘૂસી ગયેલા કોઈ તસ્કરે ખાંખાખોળા કરી દુકાનના કાઉન્ટરના ... વધુ વાંચો »

Mar 27, 2025
રૂ.૩૦ લાખ ઉપરાંતની પકડાઈ વીજચોરીઃ ખંભાળિયા તા.૨૭ : દેવભૂમિ દ્વારકામાં તમામ પોલીસ મથક દ્વારા અસામાજિક તત્ત્વો સામે પગલાં ભરવાની શરૂઆત કરાયા પછી વીજ ચેકીંગ ટૂકડીને સાથે રાખી કરાયેલી ચકાસણીમાં રૂ.૩૦ લાખ ઉપરાંતનો દંડ ફટકારાયો હતો. રાજ્યના મુખ્ય પોલીસવડા તથા ગૃહમંત્રીએ ૧૦૦ કલાકમાં નામચીન તત્ત્વોની યાદી તૈયાર કરવા આપેલી સૂચનાના પગલે કાર્યવાહીમાં ભાણવડમાં ત્રણ રાઉન્ડમાં સંખ્યાબંધ અસામાજિક તત્વોને પકડી લેવા ઉપરાંત વીજ ટીમને સાથે રાખી કરાયેલા ચેકીંગમાં રૂ.૮ લાખ ઉપરાંત વીજચોરી પકડી લેવામાં આવી હતી. સલાયા પોલીસ દ્વારા રૂ.૪.૮૦ લાખની વીજચોરી  સાથે ૧૧ તત્ત્વો ... વધુ વાંચો »

Mar 27, 2025
તસ્કરે સીસીટીવી કેમેરો તોડી નાખ્યોઃ જામનગર તા.ર૭ : જામનગરના પવનચક્કીના ઢાળીયા સામે આવેલી એક દુકાનની બહાર ઈલેકટ્રીકના વેપારીએ રાખેલા કોપર વાયરમાંથી કોઈ શખ્સ ૩૦ મીટર કોપર વાયર કાપી ગયો છે અને સીસીટીવી કેમેરો તેણે તોડી નાખ્યો છે. જામનગરના ૫વનચક્કી રોડ પર આવેલી વેજુમા વાડી સામે ન્યુ ગાયત્રી ઈલેકટ્રીક નામની દુકાનની બહાર વેપારી સુભાષભાઈ હીરાલાલ શાહ દ્વારા કોપરનો વાયર રાખવામાં આવ્યો હતો. તે વાયરના જથ્થામાંથી મંગળવારની રાત્રે કોઈ ... વધુ વાંચો »

Mar 27, 2025
જામનગર તા.ર૭ : જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.પ૮માંથી નિવૃત્ત એસટી ડ્રાઈવરને પોલીસે વર્લીના આંકડા લખતા પકડી પાડ્યા છે. જ્યારે જામજોધપુર તેમજ ખીજડીયા બાયપાસ પાસેથી પણ ત્રણ વર્લીબાજ મળી આવ્યા છે. જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.૫૮માં આવેલી હોટલ પાસેથી ગઈકાલે સાંજે વર્લીના આંકડા લખતા દામજીભાઈ જેઠાભાઈ ભદ્રા નામના વૃદ્ધને પોલીસે વર્લીના આંકડા લખેલી ચિઠ્ઠી તથા રોકડ સાથે પકડી પાડ્યા છે. આ આરોપી એસટીના નિવૃત્ત ડ્રાઈવર છે. જામજોધપુર શહેરના ગાય ... વધુ વાંચો »

Mar 27, 2025
વિદ્યાર્થી-આંગણવાડીના કાર્યકરોને અપાયું માર્ગદર્શનઃ જામનગરના કામદાર નંદઘર (આંગણવાડીમાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા સાયબર ક્રાઈમ અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ૨૫૦ વિદ્યાર્થી અને ૧૫ કાર્યકરોને સાયબર ક્રાઈમથી બચવા માટે માર્ગદર્શન પૂરૂ પાડવામાં આવ્યું હતું. આયોજનમાં પીએસઆઈ એચ.કે. ઝાલા, સ્ટાફના દિપ્તીબેન કુંભારાણા, વિક્કી ઝાલા સાથે રહ્યા હતા.   જો આપને આ પોસ્ટ  વધુ વાંચો »

Mar 27, 2025
રિક્ષાચાલકને ઈજાઃ બંને વાહનમાં થઈ નુકસાનીઃ જામનગરના લાલબંગલા સર્કલ પાસે આજે સવારે પસાર થતી જીજે-૧૦-બીઆર ૧૩૦૪ નંબરની મોટર ચાલકે કોઈ કારણથી સ્ટીયરીંગ પરનો કાબૂ ગૂમાવતા આ મોટર આગળ જતી જીજે-૧૦-ટીડબલ્યુ ૫૪૩૨ નંબરની રિક્ષાના ઠાઠામાં ટકરાઈ પડી હતી. વધી ગયેલી સ્પીડ સાથે રિક્ષા ત્યાં આવેલા સિગ્નલના થાંભલામાં ટકરાઈ પડી હતી. આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ ન હતી. રિક્ષાચાલકને ઈજા થઈ છે અને બંને વાહનમાં નુકસાન થયું છે.   જો  વધુ વાંચો »

Mar 27, 2025
સદ્ગતને તેમના જિલ્લામાં અપાયું ગાર્ડ ઓફ ઓનરઃ ખંભાળિયા તા.૨૭ : દ્વારકા જિલ્લાની ટ્રાફિક શાખા માં ફરજ બજાવતા અધિકારીનું તાજેતરમાં ઉંઘની હાલતમાં જ અવસાન થયું હતું. તેમના પરિવારને દ્વારકા પોલીસ વિભાગ દ્વારા સાંત્વના પાઠવવામાં આવી હતી. તાજેતરમાં દ્વારકામાં ટ્રાફિક પો.સ.ઈ. તરીકે લાંબો સમય ફરજ બજાવનાર એન.ડી. કલોતરાનું ઉંઘમાં જ મૃત્યુ નિપજ્યું હતું. તેમનું વતન સુરેન્દ્રનગર જિલ્લો હોય ત્યાં તેમના ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ સંસ્કાર થયા હતા. દ્વારકા ... વધુ વાંચો »

Mar 27, 2025
હાઈકોર્ટમાં કરાઈ હતી અપીલઃ જામનગર તા. ૨૭: જામનગરના એક આસામીને અકસ્માતમાં થયેલી ઈજા બદલ વધુ વળતર ચૂકવવા ટ્રિબ્યુનલે આદેશ કર્યાે છે. જામનગરમાં વૃદ્ધાશ્રમ પાસે રહેતા જીજ્ઞેશભાઈ ચંદ્રકાંત રાજાણી નામના યુવાન ગઈ તા.૧૧-૮-ર૦૦રના દિને વડોદરામાં ચાલીને જતા હતા ત્યારે તેઓને એક મોટરે ઠોકર મારી દીધી હતી. ઈજા પામેલા આ યુવાને વળતર મેળવવા અરજી કરી હતી. તે અરજી અન્વયે મંજૂર કરાયેલા વળતરમાં વધારા માટે હાઈકોર્ટમાં જીજ્ઞેશ રાજાણીએ અપીલ કરી ... વધુ વાંચો »

Mar 27, 2025
વાદીએ કરેલો દાવો અંશતઃ રખાયો મંજૂરઃ જામનગર તા. ૨૭: કલ્યાણપુરના ખીરસરા ગામ સ્થિત ખેતીની જમીનમાં આવવા-જવાના રસ્તા અંગેના દાવાને અંશતઃ મંજૂર કરાયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ખીરસરા ગામના જૂના રે.સ.નં.૧૨૩ તથા નવા ૪૩વાળી ખેતીની જમીનમાં આવવા-જવા માટે ગાડામાર્ગ ખીરસરા ગામમાંથી નીકળતો હોય અને ખેતીની જમીનના શેઢા પરથી થઈ ઉપરોક્ત ખેતીની જમીનમાં અવરજવર કરવામાં આવે છે. આ રસ્તો ખીમા અરજણ કદાવલાએ ખેતી નાખી બંધ કરતા મનસુખભાઈ કદાવલાએ મામલતદાર સમક્ષ દાવો કર્યાે હતો. મામલતદારે તે દાવો નામંજૂર કરતા મનસુખભાઈએ નાયબ કલેક્ટર સમક્ષ કેસ ... વધુ વાંચો »

Mar 27, 2025
એક લાતીમાં કરાઈ હતી વીજ ચેકીંગ કાર્યવાહીઃ જામનગર તા. ૨૭: જામનગરના એક આસામીએ વીજ કંપની દ્વારા આપવામાં આવેલા પુરવણી બીલની ચૂકવણી વાંધા સાથે કર્યા પછી તે રકમ પરત મેળવવા દાવો કર્યાે હતો. તે અંતર્ગતની અપીલમાં અદાલતે ઉપરોક્ત રકમ પરત આપવા વીજ કંપનીને હુકમ કર્યાે છે. જામનગરના ખોડિયાર કોલોની વિસ્તાર સામે આવેલી નિલકમલ સોસાયટીમાં લાકડાની લાતીમાં વીજ કંપનીની ટીમે ચકાસણી કરતા વીજચોરી થતી હોવાનો આક્ષેપ કરી રૂ.૫૪,૧૬૫નું બીલ આપ્યું હતું. વધુ વાંચો »

Mar 27, 2025
રંગભૂમિના કલાકારો ગૃહમાં ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આવતીકાલે પૂર્ણ થઈ રહ્યું છે, ત્યારે આજે ગુજરાતના રંગભૂમિના જાણીતા કલાકારો વિધાનસભા ગૃહમાં આવ્યા હતાં અને પ્રેક્ષક ગેલેરીમાં સ્થાન લીધુ હતું. રાજ્ય મંત્રી કુબેર ડીંડોરે વિશ્વ રંગભૂમિ દિવસના સૌને અભિનંદન શુભેચ્છા પાઠવ્યા હતાં. નેનો યુરિયા ધારાસભ્ય હેમંતભાઈ ખવાના પ્રશ્નના ઉત્તરમાં કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે ચોખવટ કરી જણાવ્યું હતું કે, નેનો યુરિયા ખાતર ખેડૂતો માટે લાભાકારક છે. રસ-પૂરીનું જમણ વધુ વાંચો »

Mar 27, 2025
એસ્ટેટ શાખા દ્વારા છેલ્લા આઠ દિવસથી કવાયતઃ જામનગર તા. ર૭: જામનગર શહેરમાં ગેરકાયદે રીતે જાહેરમાં ઘાસચારાનું વેંચાણ કરતા વિક્રેતાઓ સામે કેટલ પોલિસી અનુસાર આજે પણ જપ્તિકરણની કાર્યવાહી અવિરત ચાલુ રાખવામાં આવી હતી, અને પ૦૦ કિલો જેટલો ઘાસનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે. જામનગર મહાનગર પાલિકાની એસ્ટેટ શાખા દ્વારા છેલ્લા આઠ દિવસથી કવાયત કરવામાં આવી રહી છે અન કેટલ પોલિસીનો કડક હાથે અમલ કરાવવામાં આવે છે. ઉપરાંત અદાલતના હુકમનું પાલન કરવા માટે શહેરને રસ્તે ... વધુ વાંચો »

Mar 27, 2025
નિ રીપ્લેસમેન્ટ સર્જરી કરાવી હોવાથી જામનગર તા. ર૭: જામનગરની સુપ્રસિદ્ધ આણદાબાવા સેવા સંસ્થાના મહંત શ્રી પૂ. દેવપ્રસાદજી મહારાજે 'નિ રિપ્લેસમેન્ટ'નું ઓપરેશન કરાવેલ હોવાથી અને ડોક્ટરો દ્વારા આરામ કરવાની સલાહ આપી હોય આથી તેઓ ૧૦ દિવસ માટે કોઈને મળી શકશે નહીં. પૂ. શ્રી દેવપ્રસાદજી મહારાજ પાસે નગરજનો કાયમી દર્શન-સેવા-આશીર્વાદ-માર્ગદર્શન લેવા પધરાતા હોય છે અને પૂ. બાપુશ્રી પણ દરેક લોકોને પ્રેમથી મળતા હોય છે. તાજેતરમાં પૂ. બાપુશ્રીએ અમદાવાદમાં 'નિ રિપ્લેસમેન્ટ સર્જરી' કરાવેલ ... વધુ વાંચો »

Mar 27, 2025
અન્ય બે અધિકારીને એસ્ટેટ શાખામાં મૂકાયા જામનગર તા. ર૭: જામનગર મહાનગર પાલિકાના એસ્ટેટ અધિકારીની સિવિલ શાખામાં બદલી કરવામાં આવી છે. જ્યારે એસ્ટેટ શાખામાં અન્ય બે અધિકારીને નિમણૂક આપવામાં આવી છે. જામનગર મહાનગર પાલિકાના કમિશનર ડી.એન. મોદી દ્વારા બદલીના આદેશ કરવામાં આવ્યા છે. જેમાં એસ્ટેટ શાખાના અધિકારી એન.આર. દિક્ષીતને સિવિલ શાખામાં મૂકવામાં આવ્યા છે. જ્યારે તાજેતરમાં નાયબ ઈજનેર તરીકે બઢતી મેળવનાર હરેશ વાણિયા અને મુકેશ ગોસાઈને એસ્ટેટ શાખામાં ... વધુ વાંચો »

Mar 27, 2025
હરીપર તાલુકા શાળામાં આંતરરાષ્ટ્રીય વન દિવસ-૨૦૨૫ની ઉજવણી કરવામાં આવી હતી. રેન્જ ફોરેસ્ટ ઓફિસર જી.કે. ડાંગર તેમજ તેમની ટીમ અને હરીપર તાલુકા શાળાના આચાર્ય કાળુભાઈ ગોજીયા સાથે શાળા પરિવારે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરી બાળકોને માહિતગાર કર્યા હતા. પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર મેળવનાર વિદ્યાર્થીઓને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં.   જો આપને આ પોસ્ટ ગમી વધુ વાંચો »

Mar 27, 2025
જામનગર મહાનગરપાલિકાની કામગીરી જામનગર તા. ર૭: જામનગરના ગુલાબનગર વિસ્તારના ડમ્પીંગ પોઈન્ટ સંગ્રહ કરાયેલ ૧ લાખ ૩૦ હજાર ટન કચરામાંથી ૯૧ હજાર ટન કચરાનો નિકાલ થઈ ચૂક્યો છે. આગામી બે માસમાં ડમ્પીંગ પોઈન્ટ સંપૂર્ણપણે ખાલી થઈ જવાની ધારણા છે. જામનગર મહાનગર પાલિકાના ગુલાબનગર ડમ્પીંગ પોઈન્ટમાં ૧ લાખ ૩૦ ટન કચરાના ઢગલામાંથી ૯૧ હજાર ટન કચરો પ્રોસેસ કરીને ત્યાંથી ઉપાડી લેવામાં આવ્યો છે. અહીં અવારનવાર કચરામાં આગ લાગતી હતી. ઉપરાંત ભયંકર પ્રદૂષણ ... વધુ વાંચો »

Mar 27, 2025
જામનગર તા. ર૭: ધ્રોળ નગરપાલિકાની સામાનય ચૂંટણી સંપન્ન થયા પછી હવે આગામી તા. ૧લી એપ્રિલના પ્રમુખ-ઉપપ્રમુખ પદ માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ધ્રોળ નગરપાલિકામાં તાજેતરમાં સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપને ૧૯, કોંગ્રેસને ૮ અને અપક્ષને એક બેઠક મળી હતી. આમ ભાજપનું શાસન સ્થપાયું છે. હવે પ્રમુખ-ઉપપ્રમુખ પદ માટેની ચૂંટણી તા. ૧-૪-ર૦રપ ના સાંજે ૪ વાગ્યે યોજવામાં આવી છે. પ્રમુખ પદ પ્રથમ અઢી વર્ષ માટે અનુ.જાતિ માટે અનામત છે, ... વધુ વાંચો »

Mar 27, 2025
સાંસદ પરિમલભાઈ નથવાણીનું ટવીટઃ દ્વારકા તા. ૨૭: લોકસભાના સાંસદ અને દ્વારકાધીશ દેવસ્થાન સમિતિના પૂર્વ ઉપાધ્યક્ષ પરિમલ નથવાણીએ ટ્વીટ કરી તાજેતરમાં દ્વારકાધીશ વિશે કરવામાં આવેલ વિવાદિત ટિપ્પણીઓનો સખ્ત શબ્દોમાં વિરોધ વ્યકત કર્યો છે. તેમના ટ્વીટમાં પરિમલભાઈએ લખ્યુ છે કે ફરી એકવાર સુરતના સ્વામિનારાયણ ગુરૂકુળના સાધુએ ભગવાન દ્વારકાધીશ વિશે ખોટી અને પાયાવિહોણી ટિપ્પણી કરી છે. પોતાના સંપ્રદાયનું ગુલાબી ચિત્ર દોરવા સનાતન દેવી-દેવતાઓ કરતા તેમના સંપ્રદાયના ભગવાન અને સંતોને દોરતા આ સંપ્રદાયના નિવેદનો પર નિવેદનો કષ્ટદાયક ... વધુ વાંચો »

Mar 27, 2025
ખંભાળીયા તા. ર૬: ખંભાળીયા નગરપાલિકા દ્વારા શહેરમાં અનેક રસ્તાઓ પરના ખાડા-ગાબડાં પુરવાનું કામ શરૂ થતા લોકોમાં રાહતની લાગણી ફેલાઈ છે. શહેરના પોર ગેઈટ, એસ.એન.ડી.ટી. શાળા પાસે, રામનાથ શો, સોસાયટીમાં મેઈન રોડ, જોધપુર ગેઈટથી તાલુકા પંચાયત રોડ, સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં ડામર સાથેનું પાકું પેચવર્ક કરીને ખાડા પુરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. પાલિકા પ્રમુખ શ્રીમતી રચનાબેન મોટાણી તથા ચીફ ઓફિસર ચેતનભાઈ ડુડીયાના માર્ગદર્શનમાં રસ્તા રીપેરીંગની કામગીરી થઈ હતી. વધુ વાંચો »

Mar 27, 2025
એસ્મા લગાડવા છતાં જામનગર તા. ર૭: ગુજરાત રાજ્યમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓની ચાલતી હડતાલમાં સરકારે આકરા પગલાં લેવાનું શરૂ કર્યું છે અને એસ્મા લાગુ કર્યા છે. આમ છતાં જામનગરના ૧૦૩ તમામ કર્મચારીઓની હડતાલ યથાવત્ છે. ગઈકાલે જામનગરના કર્મપારીઓએ દેખાવો કરી સૂત્રોચાર કર્યા હતાં. ગુજરાતના આરોગ્ય કર્મચારીઓ પોતાની પડતર માંગણીને વાચા આપવા માટે છેલ્લા દસેક દિવસથી અચોક્કસ મુદ્તની હડતાલ ઉપર ઉતરી ગયા છે. બીજી તરફ સરકારે એસ્મા લાગુ કર્યા ... વધુ વાંચો »

Mar 27, 2025
ઘણાં શહેરો તથા ગામડાઓ માત્ર નર્મદા પર નિર્ભર છે ત્યારે ખંભાળિયા તા. ર૭: વર્ષો જુની સૌરાષ્ટ્રની નર્મદા લાઈન એપ્રિલ માસમાં રીપેરીંગ માટે બંધ થવા સંભાવના હોવાથી સંખ્યાબંધ ગામો અને કેટલાક શહેરોમાં પીવાના પાણીની મુશ્કેલી વધી શકે છે. ગુજરાતમાં અનેક સ્થળો પર વરસાદ તો પડે છે, પણ કેટલાયે સ્થળે પીવાના પાણીની સ્થિતિ માટે નર્મદાના પાણી પર આધાર રાખવાનો થતો હોય, નર્મદાના પાણી ચોમાસા પહેલાના સમયમાં ભારે ઉપયોગી સાબિત થાય છે, તો ... વધુ વાંચો »

Mar 27, 2025
શ્રી વીરદાદા જશરાજ રઘુવંશી ફાઉન્ડેશનના ઉપક્રમે આયોજનઃ રઘુવંશીઓ ઉમટયાઃ જામનગર તા. ૨૭: શ્રી વીરદાદા જશરાજ રઘુવંશી યુવા ફાઉન્ડેશન દ્વારા પૂ.પા. ૧૦૮ ગોપેશલાલજી મહારાજશ્રીના મંગલ સાંનિધ્યમાં ફૂલફાગ હોલી રસિયા ઉત્સવ ઉજવાયો હતો. જેમાં રઘુવંશી શ્રેષ્ઠીઓ સહિત સમાજની વિશાળ ઉપસ્થિતિ રહી હતી. શ્રી વીરદાદા જશરાજ રઘુવંશી યુવા ફાઉન્ડેશન, જામનગર દ્વારા તા. ૯-૩-૨૦૨૫ના ફૂલફાગ હોલી રસિયા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટ તેમજ કાલાવડ સ્થિત હવેલીના પૂ.પા.ગો. ૧૦૮ શ્રી ગોપેશલાલજી મહારાજશ્રીએ શ્રીમુખેથી ... વધુ વાંચો »

Mar 27, 2025
દ્વારકા જિલ્લાના હડતાલી કર્મચારીઓ પહોંચ્યા ગાંધીનગરઃ ખંભાળિયા તા. ર૭: દ્વારકા જિલ્લામાં આરોગ્ય કર્મીની હડતાલ અગિયારમા દિવસમાં પ્રવેશી છે. ગુજરાત રાજ્યમાં આરોગ્ય કર્મીઓની ગત્ તા. ૧૭/૩ થી શરૂ થયેલી અચોક્કસ મુદ્તની હડતાલ આજે ૧૧ મા દિવસમાં પ્રવેશી છે. દ્વારકા જિલ્લા આરોગ્ય અધિકારી ડો. સી.બી. પોબીયાએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, ગત્ તા. ૧૭/૩ થી દ્વારકા જિલ્લામાં હેલ્થવર્કરો કર્મચારીઓની હડતાલ શરૂ થઈ હતી. કુલ ર૮ર જેટલા કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા હતાં જેમાંથી ... વધુ વાંચો »

Mar 27, 2025
કલેક્ટર શ્રી રાજેશ તન્નાના અધ્યક્ષસ્થાને ખંભાળીયા તા. ૨૭: દેવભૂમિ દ્વારકા જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર રાજેશ તન્નાની અધ્યક્ષતામાં જિલ્લા સેવા સદન, ખંભાળીયામાં યોજાઈ હતી. આ બેઠકમાં વર્ષ-ર૦ર૩ અને ર૦ર૪ દરમિયાન જિલ્લામાં થયેલ માર્ગ અકસ્માતોની સંખ્યા અને તેની ગંભીરતા અને કારણ મુજબનું વર્ગીકરણ પ્રસ્તૂત કરવામાં આવ્યું હતું. જેને આધારે રોડ સેફટીની પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. અકસ્માત નિવારી શકાય તેવા વિવિધ સ્થળે સંબંધિત અધિકારીઓની સંયુક્ત મુલાકાત કરીને પગલા લેવા સૂચના આપવામાં આવી ... વધુ વાંચો »

Mar 27, 2025
આઈ.સી.ડી.એસ. શાખા દ્વારા પોષણ ઉત્સવ અંતર્ગત આયોજનઃ જામનગર તા. ૨૭: જામનગર આઈ.સી.ડી.એસ. શાખા દ્વારા પોષણ ઉત્સવ અંતર્ગત જિલ્લા કક્ષાની પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન કુંવરબાઈ જૈન ધર્મશાળામાં કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં જામનગર જિલ્લાના ૬ તાલુકાના ૭ ઘટક કક્ષાએ ટેક હોમ રાશનમાંથી, મિલેટ અને  સરગવામાંથી બનતી વાનગીમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવેલ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ભાગ લેનાર આંગણવાડી કાર્યકર અને લાભાર્થીઓ દ્વારા વિવિધ ૪૨ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવી હતી. મિલેટ અને ટીએચઆર માંથી ૧ થી ૩ નંબર મેળવેલ સ્પર્ધકોને ... વધુ વાંચો »

Mar 27, 2025
બે મહિનામાં હાપા રેલવે ઓવરબ્રીજનું કામ પૂર્ણ થતા જ જામનગર તા. ર૭: જામનગરના હાપા માર્ગે રેલવે ફાટક ઉપર બની રહેલા ઓવરબ્રીજનું કામ આગામી બે માસમાં પૂર્ણ થશે, સાથે જ ફલાયઓવરબ્રીજનું કામ પણ પૂર્ણ થવામાં હોય, બન્ને પ્રોજેક્ટનું લોકાર્પણ સાથે થવાની શક્યતા છે. હાપા માર્કેટ યાર્ડ માર્ગે રેલવે ફાટક ઉપર ઓવરબ્રીજના નિર્માણની કામગીરી ચાલી રહી છે. સવાસાતસો મીટરથી વધુ લંબાઈના આ ઓવરબ્રીજનું કામ રૂ. ૪૧.૮૯ કરોડના ખર્ચે થઈ રહ્યું છે, જો ... વધુ વાંચો »

Mar 27, 2025
સાણંદમાં શહીદોના પરિવારજનોની ઉપસ્થિતિમાં જામનગર તા. ૨૭: ગત ૨૩મી માર્ચ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂના શહીદ દિન નિમિત્તે સાણંદમાં ક્રાંતિવીરોનો સર્વપ્રથમ મલ્ટીમીડિયા શો વીરાંજલી ૨.૦ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભગતસિંહના નાનાભાઈ કુલરતાર સિંઘના પુત્ર કિરણજીતસિંહ હાજર રહ્યા હતાં. સમગ્ર કાર્યક્રમ જોઈને તેમણે કહ્યું કે, મેં ભારત દેશમાં આવો કાર્યક્રમ કયાંય જોયો નથી. સુખદેવજીના પરિવારમાંથી અનુજ થાપર, રાજ્યગુરૂજીના પરિવારમાંથી સત્યશીલ રાજ્યગુરૂ તથા દુર્ગાભાભીના પરિવારમાંથી જગદીશ ભટ્ટે દીપ પ્રાગટય કર્યું હતું. આ શહીદોના સ્વજનો સર્વપ્રથમવાર ગુજરાતમાં પધાર્યા હતા. વીરાંજલિ સમિતિએ તેમનું સ્વાગત કર્યું હતું. પ્રદિપસિંહ વાઘેલાની ... વધુ વાંચો »

Mar 27, 2025
સ્પોર્ટસ ઓથોરિટીને સંચાલન સુપ્રત કરીને ખંભાળિયા તા. ર૭: સ્પોર્ટસ ઓથોરીટીને સંચાલન સોંપીને ખંભાળિયામાં લાંબા સમયથી બંધ પાલિકાના સ્વીમીંગ પુલને ચાલુ કરવા પ્રયત્નો શરૂ થયા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડા મથક ખંભાળિયા શહેરમાં એક પણ સ્વીમીંગ પુલ ના હોય, પાલિકા બગીચામાં ર૦ર૩-ર૪ ની સાલમાં અદ્યતન સુવિધા તથા નહાવા અને કપડા બદલવાની ઓરડીઓ સાથેની સુવિધાવાળો સ્વીમીંગ પુલ ૮૦ લાખના ખર્ચે તૈયાર થયો હતો જે હજુ પણ બંધ રહેતા લોકોને ઉનાળામાં આ સગવડતા ... વધુ વાંચો »

Mar 27, 2025
દ્વારકા જિલ્લા કલેકટર અને સાધુ-સંતોની ઉપસ્થિતિમાં ખંભાળિયા તા. ૨૭: ખંભાળિયાના હર્ષદપુરના હા૫ીવાડી વિસ્તારમાં ફુલેલીયા હનુમાનના મહંતશ્રી ભાસ્કરાનંદ બાપુ તથા અગ્રણી વિજયસિંહ જાડેજા દ્વારા નિરાધાર ગાયો તથા નંદી અને બીમાર ગાયોના માટે બનાવેલ ખાસ એકલવ્ય ગૌશાળાનો પ્રારંભ પંપ અગ્નિ અખાડાના પ્રમુખ જુનાગઢના સંત મુકતાનંદ બાપુએ કરાવ્યો હતો. પૂ. મુકતાનંદ બાપુ દ્વારા ગૌ સેવાના આ કાર્યની પ્રશંસા કરીને ગૌ માતાનું દૂધ વૃદ્ધિવર્ધક તથા અગાઉ રાજા રજવાડા પણ ઉપયોગ કરતા હોવાનું જણાવીને ... વધુ વાંચો »

Mar 27, 2025
પોલીસ અધિકારીઓના હસ્તે 'ઉલ્લાસ-ર૦રપ'નું ઉદ્ઘાટનઃ જામજોધપુર તા. ર૭: તાજેતરમાં જામજોધપુરમાં મધર ટેરેસા સ્કૂલમાં 'ઉલ્લાસ ર૦રપ' નામે આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિક પોલીસ ઈન્સ્પેક્ટર એ.એસ. રબારી તથા સબ ઈન્સ્પેક્ટર એમ.એલ. ઓડેદરા દ્વારા મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. મેળામાં વિદ્યાર્થીઓ દ્વારા ગણિત-વિજ્ઞાનના પ્રયોગો, ગ્રામ્ય સંસ્કૃતિ, ફૂડ ઝોન, ગેમઝોન, થ્રીડી શો, પુસ્તક મેળો, રમકડા, તરૂ મિત્રતા (રોપા વિતરણ) વગેરે પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. સ્પોર્ટસ ઝોન અને સર્જનાત્મક સામગ્રીઓનો પણ અલગ વિભાગ ... વધુ વાંચો »

Mar 27, 2025
રાજયના બજેટમાં ૨૦ ટકાનો વધારોઃ બરડાના માલધારીઓ માટે જોગવાઈ ખંભાળિયા તા. ૨૭: ગુજરાતમાં વન બહારના વિસ્તારોમાં ૧૧૪૩ ચો.કી.મી.ના વધારા સાથે ગુજરાત દેશનું પ્રથમ રાજય બન્યુ હોવાની માહિતી કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરાએ આપી છે. તાજેતરમાં ગુજરાત વિધાનસભામાં રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મૂળુભાઈ બેરા દ્વારા તેમના વિભાગની માંગણીઓની ચર્ચામાં મહત્વની વિગતો જણાવાઈ હતી. ગુજરાત રાજ્યમાં વન બહાર વિસ્તારોમાં વન આવરણનો વધારો કરવામાં આવતા ૧૧૪૩.૨૯ ચો.કિ.મી.ના વધારા સાથે ... વધુ વાંચો »

Mar 27, 2025
કિશોર ચેરી. ટ્રસ્ટ દ્વારા આગામી રવિવારે ભાટિયા તા. ર૭: કિશોર ચેરીટેબલ ટ્રસ્ટ-ભાટિયાના આર્થિક હયોગથી તથા રણછોડદાસજી બાપુ ચેરીટેબલ (આંખની) હોસ્પિટલ-રાજકોટના નિષ્ણાત ડોક્ટરોની ટીમ દ્વારા ૧૧૬ મો નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યો છે. આ નિઃશુલ્ક કેમ્પ તા. ૩૦/૩ ને રવિવારે સવારે ૯ થી ૧૧ સરકારી દવાખાનું, ભાટિયામાં રાખવામાં આવ્યો છે. કેમ્પમાં દર્દીઓને તપાસી દવા-ટીપાં આપવામાં આવશે. મોતિયાના ઓપરેશન માટે દર્દીઓને રણછોડદાસ બાપુ હોસ્પિટલ-રાજકોટ બસ દ્વારા લઈ જવામાં આવશે. જ્યાં દર્દીઓને આવવા-જવા, રહેવા-જમવાની વ્યવસ્થા, ચા-નાસ્તો, ... વધુ વાંચો »

Mar 27, 2025
દેવભૂમિ દ્વારકા જિલ્લાના યુવાનો ખંભાળિયા તા. ૨૭: ભારતીય લશ્કરમાં અગ્નિવીર તરીકે ગૌરવશીલ કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટે વર્ષ ૨૦૨૫-૨૬ના લશ્કરી ભરતી મેળામાં અગ્નિવીર જનરલ ડ્યુટી, અગ્નિવીર ટેકનીકલ, અગ્નિવીર ક્લાર્ક, સ્ટોર કીપર, અગ્નિવીર ટ્રેડમેનની જેવી જગ્યાઓ પર ભરતી યોજાવાની છે. આ માટે એસ.એસ.સી, એચ.એસ.સી., ૮ પાસ અને ૧૭.૫ થી ૨૧ વર્ષની ઉમર ધરવતા અપરણિત ઉમેદવારોએ રંંૅ://ુુુ. ર્દ્ઘૈહૈહઙ્ઘૈટ્ઠહટ્ઠદ્બિઅ.હૈષ્ઠ. ૈહ વેબસાઈટ પર તા.૧૦-૦૪-૨૦૨૫ સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. જે ઉમેદવારોએ ઓનલાઈન ... વધુ વાંચો »

Mar 27, 2025
આગામી તા. ૩૧-૩-ર૦રપ ના સોમવારે દ્વારકા તા. ર૭: દ્વારકાની ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી, શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ ટ્રસ્ટ હોસ્પિટલ (રાજકોટ) તથા માતુશ્રી મોંઘીબેન હ.વિ.ગો.મે. ચેરી.ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આગામી તા. ૩૧-૩-ર૦રપ, સોમવારના ૧૧૪ માં નિઃશુલ્ક નેત્રયજ્ઞનું આયોજન સવારે ૯.૩૦ થી ૧૧ વાગ્યા દરમિયાન કચ્છી સમાજ ભવન, ગોમતી રોડ, દ્વારકામાં કરવામાં આવ્યું છે. આ નેત્રયજ્ઞમાં રણછોડદાસજી બાપુ હોસ્પિટલ, રાજકોટના આંખના ડોક્ટરોની ટીમ સેવા આપશે તથા જરૂરિયાતમંદ દર્દીઓને દવાઓ આપવામાં આવશે. મોતીયાના ઓપરેશનની જરૂરિયાતવાળા ... વધુ વાંચો »

Mar 27, 2025
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતો જોગઃ ખંભાળિયા તા. ૨૭: ખેડૂતોને તેઓના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવિ માર્કેટીંગ સિઝન ૨૦૨૫-૨૬માં ઘઉંના લઘુતમ ટેકાના ભાવ રૂ. ૨,૪૨૫ પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યા છે. ઘઉંની ખરીદી માટે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિ. મારફતે કરવામાં આવનાર છે. જેમાં નોંધણીની મુદત વધારીને તા.૦૫ એપ્રિલ સુધીની કરવામાં આવી છે. લઘુતમ ટેકાના ભાવે ઘઉંનું વેચાણ કરવા ઇચ્છતા ખેડૂતોની ઓનલાઇન નોંધણી સમગ્ર રાજ્યમાં સ્થાનિક ગ્રામ્ય ... વધુ વાંચો »

Mar 27, 2025
સ્થાનિક /    વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો.... ગુરૂવારે વૈશ્વિક બજારોની સાથે સાથે ભારતીય શેરબજારમાં નિફ્ટી અને સેન્સેક્સ ઉછાળા પર ખુલ્યા હતા.સેન્સેક્સ ૨૨૦ પોઈન્ટના ઉછાળા સાથે ૭૭૫૦૧ના સ્તરે હતો જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૫૧ પોઈન્ટના ઉછાળા સાથે ૨૩૫૭૦ના સ્તરે કામકાજ કરી રહ્યો હતો,જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૧૮૦ પોઈન્ટની ઉછાળા સાથે ૫૧૪૫૦ના સ્તરે કામકાજ કરી રહ્યો હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર એનર્જી, ફાઈનાન્સિયલ સર્વિસીસ, ઓઈલ એન્ડ ગેસ, સર્વિસીસ અને બેન્કેકસ શેરોમાં ખરીદી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે ટ્રેડ રહ્યા હતા. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ૨,એપ્રિલથી અનેક દેશો પર રેસિપ્રોકલ ટેરિફ લાદવા મક્કમ ... વધુ વાંચો »

Mar 27, 2025
જામનગરમાં વીઆઈપી કે રાષ્ટ્રીય કક્ષાના વીવીઆઈપી આવે, ત્યારે એરપોર્ટ અથવા એરફોર્સમાં તેઓનું વિમાન કે હેલિકોપ્ટર ઉતરાણ કરે, અને તે પછી કાર્યક્રમના સ્થળે જાય, સરકીટ હાઉસમાં જાય છે. આ સમયે એરપોર્ટ કે એરફોર્સથી લાલબંગલા સુધીના માર્ગો તથા જે-તે મહાનુભાવોના કાર્યક્રમના સ્થળ સુધીના માર્ગો તદ્દન સાફ-સુથરા થઈ જાય, દવા છંટકાવ થઈ જાય, રખડતા ઢોર, અને આવારા શ્વાન હટી જાય અને જ્યાં પોલ ખુલી જાય, તેવા આજુબાજુના સ્થળો છુપાવવા બન્ને સાઈડમાં કામચલાઉ પાર્ટીશન ઊભા કરીને પડદા લાગી જાય, તે જામનગરની જનતાએ અવાર-નવાર જોયું જ હશે. ઘણી વખત ગવર્નર કે નેવીના સર્વોચ્ચ સત્તાધીશો આવે અને આઈએઅએસ વાલસુરા તરફ જાય, ત્યારે ... વધુ વાંચો »

Mar 27, 2025
મહાનગરપાલિકા દ્વારા મોટી સાઈઝનો ગઝીબો પણ લગાવાશે જામનગર તા. ૨૭: જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના લાખોટા લેક તેમજ એમ્યુઝમેન્ટ પાર્કમાં રૂપિયા દોઢ કરોડના ખર્ચે સોલાર ટ્રી લગાવવાનું આયોજન હાથ ધરાયુ છે. રણમલ તળાવમાં ૫૦ કિલો વોટના ચાર સોલાર ટ્રી લગાવાયા છે. જ્યારે એમ્યુઝમેન્ટ પાર્કમાં ૩૦ કિલો વોટના બે ટ્રી લગાવાયા છે.  રણમલ તળાવ તેમજ એમ્યુઝમેન્ટ પાર્કમાં મોટી સાઇઝના સોલારના ગઝીબો લગાવવાની પણ કાર્યવાહી હાથ ધરી છે. એપ્રિલ માસમાં કાર્યરત થાય તેવી   સંભાવના છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા રણમલ તળાવ અને એમયૂઝમેન્ટ પાર્ક કે જેમાં સુશોભન થઈ શકે તે રીતે, તેમજ ઉર્જા પણ મળી રહે તે માટેના સોલાર ટ્રી લગાવવાનું આયોજન કરવામાં આવ્યું છે, અને ... વધુ વાંચો »

Mar 27, 2025
કેન્સર હોસ્પિટલમાં જરૂરી તમામ અતિ આધુનિક સાધનો, નિષ્ણાત તબીબોની ટીમ, સંલગ્ન તમામ સુવિધાઓ ઉપલબ્ધ જામનગર તા. ર૭: જામનગમાં સમર્પણ હોસ્પિટલના પરિસરમાં વિશાળ બિલ્ડીંગમાં તા. છઠ્ઠી એપ્રિલથી સમગ્ર હાલાર પંથકની સૌથી મોટી અને સંપૂર્ણ સાધન-સુવિધાથી સજ્જ આયુષ કેન્સર હોસ્પિટલનો આરંભ થઈ રહ્યો છે. એક કેન્સર હોસ્પિટલમાં જે જે સાધન સુવિધા, સ્ટાફ જોઈએ તે તમામ બાબતોની ચીવટ સાથે આયુષ કેન્સર હોસ્પિટલ કેન્સરના દર્દીઓના નિદાન-સારવાર માટે સજ્જ છે. આ હોસ્પિટલમાં મોઢા-ગળાના કેન્સર, સ્તનનાકેન્સર, ગર્ભાશયના મુખના કેન્સર, ફેંફસાના કેન્સર સહિત અન્ય અંગોમાં થતા કેન્સરનું સચોટ નિદાન કરવાની તથા તેની અતિ આધુનિક ... વધુ વાંચો »

Mar 27, 2025
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીનો દાવો પેરિસ તા. ૨૭: રશિયાના રાષ્ટ્રપતિ પુતિનનું સ્વાસ્થ્ય ખરાબ હોઈ તે ટૂંક સમયમાં મોતને ભેટશે, તેવો દાવો યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ કર્યો છે. યુક્રેનના રાષ્ટ્ર પ્રમુખ વ્લાદિમીર ઝેલેન્સ્કીએ રશિયાને લઈને તીખી ટિપ્પણી કરી છે. એક મીડિયા રિપોર્ટને ટાંકીને તેમણે કહૃાું કે, 'વ્લાદિમીર પુતિનનું જલ્દી મોત થશે અને આ હકીકત છે. પુતિનનું સ્વાસ્થ્ય ખરાબ છે.' એક તસવીર શેર કરતાં પશ્ચિમી મીડિયાએ દાવો કર્યો છે કે, વ્લાદિમીર પુતિનનું સ્વાસ્થ્ય બરાબર નથી. આ તસવીરમાં દેખાય છે કે, પુતિને ટેબલને એક હાથે ખૂબ જ મજબૂતાઈથી પકડ્યું છે. આ જ આધારે તેમની ... વધુ વાંચો »

Mar 27, 2025
દ્વારકા જિલ્લા કલેકટર અને સાધુ-સંતોની ઉપસ્થિતિમાં ખંભાળિયા તા. ૨૭: ખંભાળિયાના હર્ષદપુરના હા૫ીવાડી વિસ્તારમાં ફુલેલીયા હનુમાનના મહંતશ્રી ભાસ્કરાનંદ બાપુ તથા અગ્રણી વિજયસિંહ જાડેજા દ્વારા નિરાધાર ગાયો તથા નંદી અને બીમાર ગાયોના માટે બનાવેલ ખાસ એકલવ્ય ગૌશાળાનો પ્રારંભ પંપ અગ્નિ અખાડાના પ્રમુખ જુનાગઢના સંત મુકતાનંદ બાપુએ કરાવ્યો હતો. પૂ. મુકતાનંદ બાપુ દ્વારા ગૌ સેવાના આ કાર્યની પ્રશંસા કરીને ગૌ માતાનું દૂધ વૃદ્ધિવર્ધક તથા અગાઉ રાજા રજવાડા પણ ઉપયોગ કરતા હોવાનું જણાવીને આ ગૌ સેવામાં ફાળો આપનાર મહંત ભાસ્કરાનંદજી તથા વિજયસિંહ જાડેજાનું તેમને સન્માન કર્યું હતું. મુકતાનંદ બાપુ સાથે દ્વારકા જિલ્લા કલેકટર ... વધુ વાંચો »

Mar 27, 2025
ઉત્તર પ્રદેશની હૈયુ હચમચાવે તેવી ઘટના લખનૌ તા. ૨૭: ઉત્તરપ્રદેશના શાહજહાંપુરમાં ૪ બાળકોના ગળા કાપી પિતાએ ખુદ ગળેફાંસો ખાધો હોવાની ઘટનાએ અરેરાટી ફેલાવી છે. ઉત્તર પ્રદેશના શાહજહાંપુરથી હૈયુ હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. ચાર બાળકોની હત્યા કરીને પિતાએ આપઘાત કરી લીધો છે. આ ઘટના પારિવારિક ઝઘડાના લીધે થઇ છે. પોલીસ સહિત ફોરેન્સિક ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે. મૃતકોની ઉંમર ૧૦ વર્ષ, ૮ વર્ષની બાળકી, ૭ અને ૫ વર્ષનો છોકરો સામેલ છે. પ્રાપ્ત માહિતી અનુસાર પિતાએ પોતાના ચારેય માસૂમ બાળકોનું ગળું કાપીને હત્યા ... વધુ વાંચો »

Mar 27, 2025
રૂ.૩૦ લાખ ઉપરાંતની પકડાઈ વીજચોરીઃ ખંભાળિયા તા.૨૭ : દેવભૂમિ દ્વારકામાં તમામ પોલીસ મથક દ્વારા અસામાજિક તત્ત્વો સામે પગલાં ભરવાની શરૂઆત કરાયા પછી વીજ ચેકીંગ ટૂકડીને સાથે રાખી કરાયેલી ચકાસણીમાં રૂ.૩૦ લાખ ઉપરાંતનો દંડ ફટકારાયો હતો. રાજ્યના મુખ્ય પોલીસવડા તથા ગૃહમંત્રીએ ૧૦૦ કલાકમાં નામચીન તત્ત્વોની યાદી તૈયાર કરવા આપેલી સૂચનાના પગલે કાર્યવાહીમાં ભાણવડમાં ત્રણ રાઉન્ડમાં સંખ્યાબંધ અસામાજિક તત્વોને પકડી લેવા ઉપરાંત વીજ ટીમને સાથે રાખી કરાયેલા ચેકીંગમાં રૂ.૮ લાખ ઉપરાંત વીજચોરી પકડી લેવામાં આવી હતી. સલાયા પોલીસ દ્વારા રૂ.૪.૮૦ લાખની વીજચોરી  સાથે ૧૧ તત્ત્વો સામે કાર્યવાહી થઈ હતી. વાડીનાર પોલીસ દ્વારા રૂ.૩ લાખ વીજ દંડ તથા નવ શખ્સ સામે કાર્યવાહી થઈ હતી. કલ્યાણપુર પોલીસ ... વધુ વાંચો »

Mar 27, 2025
અમેરિકામાં થતા કારોના પ્રોડકશનને મુકતીઃ બીજી એપ્રિલથી થશે અમલઃ અનેક દેશોને ફટકોઃ વૈશ્વિક પડઘાઃ ભારતને પણ થશે અસર વોશિંગ્ટન તા. ૨૭: ટ્રમ્પે અમેરિકામાં આયાત થનારી તમામ વિદેશીકારો પર ૨૫% ટેક્ષ ઝીંકયો છે. ટ્રમ્પના આ નિર્ણયથી સમગ્ર વિશ્વના ઓટો સેકટરમાં ખળભળાટ મચ્યો છે. જાપાન-કેનેડા-જર્મની-દ.કોરિયા-યુરોપને ફટકો પડયો છે. ભારતને પણ અસર થઈ શકે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ટેરીફ મામલે સતત સક્રિય જોવા મળી રહૃાા છે, એવામાં ટ્રમ્પે અચાનક એક ચોંકાવનારો નિર્ણય લીધો છે. ટ્રમ્પે અમેરિકામાં આયાત થતી તમામ વિદેશી કારો પર ૨૫ ટકા ડ્યુટી લગાવવાની જાહેરાત કરી છે. તેમણે કહૃાું ... વધુ વાંચો »

Mar 27, 2025
રાજકોટ, ખંભાળિયાના બે આસામીને રૂ.૪૮ લાખમાં નવડાવી નાખ્યાઃ કેટલીક નંબર પ્લેટ, શિલ્ડ કરાયા કબજેઃ ખંભાળિયા તા.૨૭ : ખંભાળિયામાંથી એડી. કલેક્ટર અને એસડીએમ લખેલી એક મોટર ઝડપાયા પછી તે મોટરમાં જઈ રહેલા ધર્મના ભાઈ-બહેન ની પોલીસે પૂછપરછ શરૂ કરી હતી. તેમાં મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. રિમાન્ડ પર રહેલા શખ્સે રાજકોટ તથા ખંભાળિયાના બે આસામીને તબીબી ક્ષેતામાં એડમીશન તેમજ પીઆઈ તરીકેની નિમણૂક અપાવવાનં ુ કહી રૂ.૪૮ લાખ ઉપરાંતની છેતરપિંડી કર્યાનું બહાર આવયું છે. આ શખ્સ સામે આજે સવારે વધુ સાત ગુન્હા નોંધાયા છે. પોલીસે તેના કબજામાંથી વધુ એક મોટર અને કેટલીક નંબર પ્લેટ, શિલ્ડ અને સરકારના લેટરપેડ કબજે કરી તપાસ આગળ ધપાવી ... વધુ વાંચો »

Mar 27, 2025
તાપમાનમાં ૧.૪ ડીગ્રીનો ઘટાડો થતા ગરમીમાં રાહતઃ જામનગર તા. ર૭: જામનગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૩૦ થી ૩પ કિ.મી.ની રહેવા પામી હતી. ઝપાટાબંધરીતે ફૂંકાતા વેગીલા વાયરાઓના પગલે તાપમાનમાં પણ સતત ઘટાડો થઈ રહ્યો છે. ગત્ બે દિવસમાં મહત્તમ તાપમાનમાં ૪.૧ ડીગ્રીનો ઘટાડો થયો છે. છેલ્લા ચોવીસ કલાકની વાત કરીએ તો ૧.૪ ડીગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૩૩.૬ ડીગ્રી નોંધાયું હતું. ગતિમાન પવન અને તાપમાનમાં થયેલા ઘટાડાના પગલે ગત્ બે દિવસથી પ્રજાજનોને ખાસ કરીને બપોરે અનુભવાતા આકરા તાપમાંથી રાહત મળી રહી છે. ઉલ્લેખનિય છે કે તેજીલા વાયરાઓના પગલે સાંજથી સમગ્ર વાતાવરણમાં ... વધુ વાંચો »

Mar 27, 2025
કેન્દ્ર સરકાર નવા નિયમો લાવવાની તૈયારીમાં નવીદિલ્હી તા. ૨૭: કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં બધી હોસ્પિટલો માટે પ્રમાણિત બિલ ફોર્મેટ રજૂ કરશે, જેમાં સારવાર ખર્ચની સ્પષ્ટ અને વિગતવાર વિગતો આપવી ફરજિયાત રહેશે. આ કવાયતનો હેતુ હોસ્પિટલોના બિલિંગમાં થતી અનિયમિતતા અને મનસ્વીતાને રોકવાનો હોવાનું જણાવાયું છે. કેન્દ્ર સરકાર દેશભરની હોસ્પિટલો, ર્નસિંગ હોમ અને પરીક્ષણ કેન્દ્રોમાં બિલિંગ પ્રક્રિયાને પારદર્શક અને સમાન બનાવવાની તૈયારી કરી રહી છે. આ માટે, સરકાર ટૂંક સમયમાં તમામ આરોગ્ય સંસ્થાઓ માટે એક પ્રમાણિત બિલિંગ ફોર્મેટ રજૂ કરશે. આમાં સારવાર ખર્ચની સ્પષ્ટ અને વિગતવાર વિગતો આપવી ફરજિયાત રહેશે. આ કવાયતનો હેતુ હોસ્પિટલોના બિલિંગમાં થતી અનિયમિતતા અને મનસ્વીતાને રોકવાનો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ... વધુ વાંચો »

Mar 27, 2025
વાલીઓને બોલાવી ટ્રાફિક પોલીસે આપી કડક સૂચનાઃ ત્રણેય ટાબરિયા સામે કાર્યવાહીઃ જામનગર તા.૨૭ : જામનગરના લાલપુર બાયપાસથી ઠેબા બાયપાસ વચ્ચે મંગળવારની રાત્રે એક મોટરસાયકલ તથા બે સ્કૂટર પર જોખમી સ્ટંટ કરી રહેલા ત્રણ ટાબરીયાને ટ્રાફિક શાખાએ શોધી કાઢી ત્રણેય વાહન ડીટેઈન કર્યા છે અને ત્રણેયના વાલીઓને બોલાવી કડક સૂચના આપી છે. ધોરીમાર્ગ પર ફૂલસ્પીડમાં ચલાવાતા આ વાહનોનો વીડિયો એક મોટરચાલકે ઉતારી લઈ વાયરલ કર્યા પછી પોલીસ હરકતમાં આવી હતી. જામનગરના લાલપુર બાયપાસથી ઠેબા બાયપાસ વચ્ચેના રોડ પર મંગળવારે રાત્રે ત્રણેક વાગ્યે એક સ્પ્લેન્ડર મોટરસાયકલ તથા બે એક્સેસ સ્કૂટર પુરપાટ ઝડપે ... વધુ વાંચો »

Mar 27, 2025
રાજયના બજેટમાં ૨૦ ટકાનો વધારોઃ બરડાના માલધારીઓ માટે જોગવાઈ ખંભાળિયા તા. ૨૭: ગુજરાતમાં વન બહારના વિસ્તારોમાં ૧૧૪૩ ચો.કી.મી.ના વધારા સાથે ગુજરાત દેશનું પ્રથમ રાજય બન્યુ હોવાની માહિતી કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરાએ આપી છે. તાજેતરમાં ગુજરાત વિધાનસભામાં રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મૂળુભાઈ બેરા દ્વારા તેમના વિભાગની માંગણીઓની ચર્ચામાં મહત્વની વિગતો જણાવાઈ હતી. ગુજરાત રાજ્યમાં વન બહાર વિસ્તારોમાં વન આવરણનો વધારો કરવામાં આવતા ૧૧૪૩.૨૯ ચો.કિ.મી.ના વધારા સાથે દેશનું આવું પ્રથમ રાજય બન્યું છે જે સામાજિક વનીકરણથી શકય થયું છે. રાજયના વન અને પર્યાવરણ વિભાગનું વાર્ષિક બજેટ પણ ... વધુ વાંચો »

Mar 27, 2025
દેશી દારૂ પકડવા પોલીસના દરોડાઃ જામનગર તા.૨૭ : જામનગરના નાગનાથના નાકા પાસે એક મકાનમાંથી પોલીસે દારૂની બોટલ કબજે કરી છે. લાલપુરમાંથી ખૂલી બોટલ હાથમાં લઈને જતો શખ્સ ઝડપાયો છે. વુલન મીલ પાસે બાવરીવાસમાંથી દેશી દારૂની ભઠ્ઠીઓ પકડી લેવામાં આવી છે. કાલાવડના ગ્રામ્ય પંથકમાંથી પણ આથો કબજે કરાયો છે. જામનગરના નાગનાથ નાકા પાસે આવેલા નરેન્દ્રસિંહ ભૂપતસિંહ રાઠોડ નામના શખ્સના મકાનમાં ગઈકાલે સાંજે સિટી એ ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફે દરોડો પાડી ઈંગ્લીશ દારૂની એક બોટલ કબજે કરી છે. દરોડા પહેલાં આરોપી નાસી ગયો હતો. લાલપુર શહેરમાં ચાર થાંભલા પાસે રહેતા કરીમ સીદીક જોખીયા નામના શખ્સને ગઈરાત્રે પોલીસે દારૂની ખૂલેલી બોટલ સાથે પકડી લીધો છે. જામનગરના દિગ્જામ વુલન ... વધુ વાંચો »

Mar 27, 2025
સ્વામિનારાયણ સંપ્રદાયના એક સ્વામી દ્વારા પુસ્તકમાં કરાયેલી દ્વારકા તા. ર૭: રાજ્યસભાના સાંસદ અને દ્વારકા દેવસ્થાન સમિતિના પૂર્વ ઉપાધ્યક્ષ પરિમલભાઈ નથવાણી આજે દ્વારકાની મુલાકાતે પધાર્યા હતાં. જગદ્ગુરુ શંકરાચાર્યજીની પાદૂકાનું પૂજન કર્યું હતું તેમજ દ્વારકાધીશ મંદિરમાં શ્રીકૃષ્ણ ભગવાનના દર્શન-પૂજા કર્યા હતાં. તેમની સાથે રિલાયન્સ પરિવારના મનોજભાઈ મોદી પણ ઉપસ્થિત રહ્યા હતાં. આ પ્રસંગે પત્રકારો સમક્ષ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીએ પુસ્તકમાં ભગવાન દ્વારકાધીશ અંગે કરેલી ટિપ્પણીઓ અંગે ઉગ્ર પ્રતિક્રિયા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ભગવાન દ્વારકાધીશ અંગે આ પ્રકારની ટિપ્પણીઓ ખૂબ જ દુઃખદ છે. જેને હું સખ્ત શબ્દોમાં વખોડી કાઢું છું. વધુ વાંચો »

Mar 27, 2025
પરિવારના જ બે મહિલાએ ઢીકાપાટુથી માર માર્યાે: જામનગર તા.ર૭ : જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેતા એક મહિલા એડવોકેટ પર તેમના પરિવારના બે મહિલાએ મારા રૂમના દરવાજામાં સ્ટોપર કેમ મારી તેમ કહી મંગળવારે રાત્રે ગાળો ભાંડી ઢીકાપાટુથી માર મારવા ઉપરાંત પતાવી દેવાની ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.૧૭માં રહેતા મીરાબેન શાંતિલાલ અઘેડા નામના એડવોકેટ મંગળ વારે રાત્રે દસેક વાગ્યે પોતાના ઘરે હતા ત્યારે તેમના ઓરડાનો દરવાજો નિશા જગદીશભાઈ અઘેડા તથા ભાવના જગદીશભાઈ અઘેડાએ ખખડાવ્યો હતો. બારણું ખોલવામાં આવતા નિશાબેને તે મારા ઓરડામાં સ્ટોપર કેમ ... વધુ વાંચો »

Mar 27, 2025
બે મહિનામાં હાપા રેલવે ઓવરબ્રીજનું કામ પૂર્ણ થતા જ જામનગર તા. ર૭: જામનગરના હાપા માર્ગે રેલવે ફાટક ઉપર બની રહેલા ઓવરબ્રીજનું કામ આગામી બે માસમાં પૂર્ણ થશે, સાથે જ ફલાયઓવરબ્રીજનું કામ પણ પૂર્ણ થવામાં હોય, બન્ને પ્રોજેક્ટનું લોકાર્પણ સાથે થવાની શક્યતા છે. હાપા માર્કેટ યાર્ડ માર્ગે રેલવે ફાટક ઉપર ઓવરબ્રીજના નિર્માણની કામગીરી ચાલી રહી છે. સવાસાતસો મીટરથી વધુ લંબાઈના આ ઓવરબ્રીજનું કામ રૂ. ૪૧.૮૯ કરોડના ખર્ચે થઈ રહ્યું છે, જો કે, મળતી માહિતી મુજબ આયોજન કરતા પણ ઓછો ખર્ચ થવાની શક્યતા છે, અને આ ઓવરબ્રીજના કારણે માર્કેટયાર્ડમાં આવતા-જતા વેપારીઓ અને ... વધુ વાંચો »

Mar 27, 2025
ઉબેર, ઓલા જેવી કંપનીઓએ ટેક્સી ડ્રાઈવરોનો નફો ઘટાડી દેતા નવી દિલ્હી તા. ર૭: ઓલા, ઉબેર જેવી કંપનીઓ માટે ખતરાની ઘંટડી વાગી છે. સહકારી રણે ટેક્સી સેવા શરૂ કરવાનો સરકારનો પ્લાન કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે જાહેર કર્યો છે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, 'સરકારના પ્રયાસોથી ટૂંક સમયમાં સહકારી ટેક્સી સેવા શરૂ કરવામાં આવશે. આ અંતર્ગત કાર, ઓટો અને બાઈક ટેક્સી ચલાવતા લોકો નોંધણી કરાવી શકશે. આનાથી થનારો સંપૂર્ણ નફો સીધો ડ્રાઈવરને જશે અને તેની પાસેથી કોઈ કમિશન લેવામાં આવશે નહીં.' નોંધીય ... વધુ વાંચો »

Mar 27, 2025
હાઈકોર્ટમાં કરાઈ હતી અપીલઃ જામનગર તા. ૨૭: જામનગરના એક આસામીને અકસ્માતમાં થયેલી ઈજા બદલ વધુ વળતર ચૂકવવા ટ્રિબ્યુનલે આદેશ કર્યાે છે. જામનગરમાં વૃદ્ધાશ્રમ પાસે રહેતા જીજ્ઞેશભાઈ ચંદ્રકાંત રાજાણી નામના યુવાન ગઈ તા.૧૧-૮-ર૦૦રના દિને વડોદરામાં ચાલીને જતા હતા ત્યારે તેઓને એક મોટરે ઠોકર મારી દીધી હતી. ઈજા પામેલા આ યુવાને વળતર મેળવવા અરજી કરી હતી. તે અરજી અન્વયે મંજૂર કરાયેલા વળતરમાં વધારા માટે હાઈકોર્ટમાં જીજ્ઞેશ રાજાણીએ અપીલ કરી હતી. હાઈકોર્ટે જામનગર ક્લેઈમ ટ્રિબ્યુનલને વિશેષ સુનાવણી માટે આદેશ કર્યાે હતો. તે સુનાવણી થયા પછી ટ્રિબ્યુનલે રૂ.૯૫૩૪૩ની રકમ ૯ ટકાના ... વધુ વાંચો »

Mar 27, 2025
વિધાનસભામાં સુધારા બિલ રજૂ ગાંધીનગર તા. ર૭: 'ધ ગુજરાત સ્ટેમ્પ એમેન્ડમેન્ટ બિલ-ર૦રપ' રજૂ થયું છે. આ અધિનિયમના ભંગ બદલ દંડની રકમ ર૦૦ રૂપિયાથી વધારીને ૧ લાખ કરાઈ છે. ગુજરાત વિધાનસભામાં 'ધ ગુજરાત સ્ટેમ્પ એમેન્ડમેન્ટ બિલ ૨૦૨૫' રજૂ કરવામાં આવ્યું હતું. જે અનુસાર, ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ ૧૯૫૮ની કલમ ૬૨-ક (૩) સાથે કલમ ૯-એની જોગવાઈનું પાલન ન કરનાર અથવા સ્ટેમ્પ ડ્યૂટી વસૂલીને સરકારમાં જમા કરાવવામાં નિષ્ફળ જનાર કે સ્ટેમ્પ ડ્યૂટી સંદર્ભે ખોટી માહિતી આપનારની દંડની રકમમાં અકલ્પનિય વધારો કરવામાં આવ્યો છે. જેમાં દંડની રકમ હાલના ૨૦૦ થી વધારીને ૧ લાખ કરવામાં આવી છે. આ રીતે કરવામાં આવતો દંડ ઓછામાં ઓછો ૧૦ હજાર રૂપિયા તો ... વધુ વાંચો »

Mar 27, 2025
જામનગર મહાનગરપાલિકાની કામગીરી જામનગર તા. ર૭: જામનગરના ગુલાબનગર વિસ્તારના ડમ્પીંગ પોઈન્ટ સંગ્રહ કરાયેલ ૧ લાખ ૩૦ હજાર ટન કચરામાંથી ૯૧ હજાર ટન કચરાનો નિકાલ થઈ ચૂક્યો છે. આગામી બે માસમાં ડમ્પીંગ પોઈન્ટ સંપૂર્ણપણે ખાલી થઈ જવાની ધારણા છે. જામનગર મહાનગર પાલિકાના ગુલાબનગર ડમ્પીંગ પોઈન્ટમાં ૧ લાખ ૩૦ ટન કચરાના ઢગલામાંથી ૯૧ હજાર ટન કચરો પ્રોસેસ કરીને ત્યાંથી ઉપાડી લેવામાં આવ્યો છે. અહીં અવારનવાર કચરામાં આગ લાગતી હતી. ઉપરાંત ભયંકર પ્રદૂષણ થતું હોવાની વ્યાપક ફરિયાદો ઊઠવા પામતી હતી. આ કચરાના ઢગલાથી ત્રસ્ત લોકો દ્વારા અવારનવાર રસ્તા રોકો આંદોલન પણ કરાયા હતાં. વધુ વાંચો »

Mar 27, 2025
સ્પોર્ટસ ઓથોરિટીને સંચાલન સુપ્રત કરીને ખંભાળિયા તા. ર૭: સ્પોર્ટસ ઓથોરીટીને સંચાલન સોંપીને ખંભાળિયામાં લાંબા સમયથી બંધ પાલિકાના સ્વીમીંગ પુલને ચાલુ કરવા પ્રયત્નો શરૂ થયા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડા મથક ખંભાળિયા શહેરમાં એક પણ સ્વીમીંગ પુલ ના હોય, પાલિકા બગીચામાં ર૦ર૩-ર૪ ની સાલમાં અદ્યતન સુવિધા તથા નહાવા અને કપડા બદલવાની ઓરડીઓ સાથેની સુવિધાવાળો સ્વીમીંગ પુલ ૮૦ લાખના ખર્ચે તૈયાર થયો હતો જે હજુ પણ બંધ રહેતા લોકોને ઉનાળામાં આ સગવડતા મળે તે માટે તંત્રએ પ્રયત્નો શરૂ કર્યા છે. પાલિકા ચીફ ઓફિસર ચેતનભાઈ ડુડિયાએ એક મુલાકાતમાં જણાવ્યું હતું ... વધુ વાંચો »

Mar 27, 2025
વાદીએ કરેલો દાવો અંશતઃ રખાયો મંજૂરઃ જામનગર તા. ૨૭: કલ્યાણપુરના ખીરસરા ગામ સ્થિત ખેતીની જમીનમાં આવવા-જવાના રસ્તા અંગેના દાવાને અંશતઃ મંજૂર કરાયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ખીરસરા ગામના જૂના રે.સ.નં.૧૨૩ તથા નવા ૪૩વાળી ખેતીની જમીનમાં આવવા-જવા માટે ગાડામાર્ગ ખીરસરા ગામમાંથી નીકળતો હોય અને ખેતીની જમીનના શેઢા પરથી થઈ ઉપરોક્ત ખેતીની જમીનમાં અવરજવર કરવામાં આવે છે. આ રસ્તો ખીમા અરજણ કદાવલાએ ખેતી નાખી બંધ કરતા મનસુખભાઈ કદાવલાએ મામલતદાર સમક્ષ દાવો કર્યાે હતો. મામલતદારે તે દાવો નામંજૂર કરતા મનસુખભાઈએ નાયબ કલેક્ટર સમક્ષ કેસ કરતા કલેક્ટરે તે કેસ  રિમાન્ડ કર્યાે હતો. ફરીથી તે કેસ ચાલી જતાં મામલતદારે આ દાવો અંશતઃ મંજૂર કર્યાે છે અને ... વધુ વાંચો »

Mar 27, 2025
એસ્ટેટ શાખા દ્વારા છેલ્લા આઠ દિવસથી કવાયતઃ જામનગર તા. ર૭: જામનગર શહેરમાં ગેરકાયદે રીતે જાહેરમાં ઘાસચારાનું વેંચાણ કરતા વિક્રેતાઓ સામે કેટલ પોલિસી અનુસાર આજે પણ જપ્તિકરણની કાર્યવાહી અવિરત ચાલુ રાખવામાં આવી હતી, અને પ૦૦ કિલો જેટલો ઘાસનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે. જામનગર મહાનગર પાલિકાની એસ્ટેટ શાખા દ્વારા છેલ્લા આઠ દિવસથી કવાયત કરવામાં આવી રહી છે અન કેટલ પોલિસીનો કડક હાથે અમલ કરાવવામાં આવે છે. ઉપરાંત અદાલતના હુકમનું પાલન કરવા માટે શહેરને રસ્તે રઝળતા ઢોરથી મુક્ત કરવા માટેની વિશેષ ઝુંબેશ ચલાવાઈ રહી છે, ત્યારે આથે માત્ર જાહેર રોડ પર ઘાસનું વેંચાણ કરનારા ૯ ... વધુ વાંચો »

Mar 27, 2025
અન્ય બે અધિકારીને એસ્ટેટ શાખામાં મૂકાયા જામનગર તા. ર૭: જામનગર મહાનગર પાલિકાના એસ્ટેટ અધિકારીની સિવિલ શાખામાં બદલી કરવામાં આવી છે. જ્યારે એસ્ટેટ શાખામાં અન્ય બે અધિકારીને નિમણૂક આપવામાં આવી છે. જામનગર મહાનગર પાલિકાના કમિશનર ડી.એન. મોદી દ્વારા બદલીના આદેશ કરવામાં આવ્યા છે. જેમાં એસ્ટેટ શાખાના અધિકારી એન.આર. દિક્ષીતને સિવિલ શાખામાં મૂકવામાં આવ્યા છે. જ્યારે તાજેતરમાં નાયબ ઈજનેર તરીકે બઢતી મેળવનાર હરેશ વાણિયા અને મુકેશ ગોસાઈને એસ્ટેટ શાખામાં મૂકવામાં આવ્યા છે. બીજી તરફ શહેરમાં એસ્ટેટ વિભાગની ગતિવિધિ તેજ બનાવાઈ છે.   જો  વધુ વાંચો »

Mar 27, 2025
મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની કાર્યવાહીઃ જામનગર તા. ર૭: જામનગરમાં ગુરુદ્વારા વિસ્તારમાં તાજેતરમાં એક જુની ઈમારતનો જર્જરિત હિસ્સો તાજેતરમાં તૂટી પડ્યો હતો. આથી આજે મહાનગરપાલિકા દ્વારા આ ઈમારતનો જોખમી હિસ્સો આજે તોડી પાડવામાં આવ્યો હતો. જામનગર શહેરમાં ગુરુદ્વારા ચોકડી પાસેની એક ઈમારતમાંથી તાજેતરમાં પોપડા પડ્યા હતાં અને કેટલોક જર્જરિત ભાગ તૂટી પડ્યો હતો. આથી આ જર્જરિત ઈમારતનો જોખમી હિસ્સો તોડી પાડવા માટે આજે મહાનગરપાલિકા દ્વારા પાડતોડ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સમયે અન્ય કોઈ વાહનચાલક-રાહદારીને ઈજા થાય નહીં તે માટે વાહનની આદશ ઊભી કરીને ત્યાંથી અવર-જવર બંધ કરવામાં આવી હતી. વધુ વાંચો »

Mar 27, 2025
ઘણાં શહેરો તથા ગામડાઓ માત્ર નર્મદા પર નિર્ભર છે ત્યારે ખંભાળિયા તા. ર૭: વર્ષો જુની સૌરાષ્ટ્રની નર્મદા લાઈન એપ્રિલ માસમાં રીપેરીંગ માટે બંધ થવા સંભાવના હોવાથી સંખ્યાબંધ ગામો અને કેટલાક શહેરોમાં પીવાના પાણીની મુશ્કેલી વધી શકે છે. ગુજરાતમાં અનેક સ્થળો પર વરસાદ તો પડે છે, પણ કેટલાયે સ્થળે પીવાના પાણીની સ્થિતિ માટે નર્મદાના પાણી પર આધાર રાખવાનો થતો હોય, નર્મદાના પાણી ચોમાસા પહેલાના સમયમાં ભારે ઉપયોગી સાબિત થાય છે, તો અનેક ગામો-શહેરોમાં છેલ્લે વરસાદના આગમન સમયે નર્મદાનું પાણી જ આધારરૂપ થાય છે. ત્યારે સરકાર દ્વારા વર્ષોથી સૌરાષ્ટ્ર વિસ્તારની નર્મદા લાઈનો ... વધુ વાંચો »

Mar 27, 2025
રૂ.૩૪,૨૦૦ રોકડા કબજે કરી લેવાયાઃ જામનગર તા.ર૭ : ખંભાળિયાના વિંજલપર ગામમાં આવેલી એગ્રોની એક દુકાનમાં ગયા શુક્રવારની રાત્રે ચોરી થઈ હતી. તેનો ભેદ ઉકેલી પોલીસે વિંજલપર ગામના જ એક શખ્સની ધરપકડ કરી છે. ખંભાળિયા તાલુકાના વિંજલ૫ર ગામમાં બસ સ્ટેન્ડ પાસે આવેલી માધવ એગ્રો નામની દુકાનમાં ગયા શુક્રવારે રાત્રિથી શનિવારની સવાર સુધીમાં ચોરી થઈ હતી. તે દુકાનનો પાછળનો દરવાજો ખોલી ઘૂસી ગયેલા કોઈ તસ્કરે ખાંખાખોળા કરી દુકાનના કાઉન્ટરના ખાનામાંથી રૂ.૪૪ હજાર રોકડા ચોરી કરી લીધા હતા. તેની ફરિયાદ થયા પછી ખંભાળિયાના પીઆઈ સી.એલ. દેસાઈની સૂચનાથી સ્ટાફે પીએસઆઈ આઈ.આઈ. ... વધુ વાંચો »

Mar 27, 2025
એસ્મા લગાડવા છતાં જામનગર તા. ર૭: ગુજરાત રાજ્યમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓની ચાલતી હડતાલમાં સરકારે આકરા પગલાં લેવાનું શરૂ કર્યું છે અને એસ્મા લાગુ કર્યા છે. આમ છતાં જામનગરના ૧૦૩ તમામ કર્મચારીઓની હડતાલ યથાવત્ છે. ગઈકાલે જામનગરના કર્મપારીઓએ દેખાવો કરી સૂત્રોચાર કર્યા હતાં. ગુજરાતના આરોગ્ય કર્મચારીઓ પોતાની પડતર માંગણીને વાચા આપવા માટે છેલ્લા દસેક દિવસથી અચોક્કસ મુદ્તની હડતાલ ઉપર ઉતરી ગયા છે. બીજી તરફ સરકારે એસ્મા લાગુ કર્યા છે, અને ૧૧૦૦ જેટલા કર્મચારીને નોકરીમાંથી ઘર ભેગા કરી દીધા છે, અને ૧૦ હજારથી વધુને નોટીસો પાઠવાઈ છે. જામનગર આરોગ્ય ... વધુ વાંચો »

Mar 27, 2025
નિ રીપ્લેસમેન્ટ સર્જરી કરાવી હોવાથી જામનગર તા. ર૭: જામનગરની સુપ્રસિદ્ધ આણદાબાવા સેવા સંસ્થાના મહંત શ્રી પૂ. દેવપ્રસાદજી મહારાજે 'નિ રિપ્લેસમેન્ટ'નું ઓપરેશન કરાવેલ હોવાથી અને ડોક્ટરો દ્વારા આરામ કરવાની સલાહ આપી હોય આથી તેઓ ૧૦ દિવસ માટે કોઈને મળી શકશે નહીં. પૂ. શ્રી દેવપ્રસાદજી મહારાજ પાસે નગરજનો કાયમી દર્શન-સેવા-આશીર્વાદ-માર્ગદર્શન લેવા પધરાતા હોય છે અને પૂ. બાપુશ્રી પણ દરેક લોકોને પ્રેમથી મળતા હોય છે. તાજેતરમાં પૂ. બાપુશ્રીએ અમદાવાદમાં 'નિ રિપ્લેસમેન્ટ સર્જરી' કરાવેલ છે અને પૂ. બાપુશ્રી પરત જામનગર પધારી ચૂકેલ છે. તેઓના સ્વાસ્થ્યમાં સંતોષજનક સુધારો ઝડપથી થઈ રહેલ છે. તેમ છતાં નિષ્ણાત ... વધુ વાંચો »

Mar 27, 2025
એક લાતીમાં કરાઈ હતી વીજ ચેકીંગ કાર્યવાહીઃ જામનગર તા. ૨૭: જામનગરના એક આસામીએ વીજ કંપની દ્વારા આપવામાં આવેલા પુરવણી બીલની ચૂકવણી વાંધા સાથે કર્યા પછી તે રકમ પરત મેળવવા દાવો કર્યાે હતો. તે અંતર્ગતની અપીલમાં અદાલતે ઉપરોક્ત રકમ પરત આપવા વીજ કંપનીને હુકમ કર્યાે છે. જામનગરના ખોડિયાર કોલોની વિસ્તાર સામે આવેલી નિલકમલ સોસાયટીમાં લાકડાની લાતીમાં વીજ કંપનીની ટીમે ચકાસણી કરતા વીજચોરી થતી હોવાનો આક્ષેપ કરી રૂ.૫૪,૧૬૫નું બીલ આપ્યું હતું. આ જગ્યામાં કનુભાઈ રામશીભાઈ વસરા લાતી ચલાવે છે અને તે જગ્યા તેમના સાળા રૂધાભાઈ બાબુભાઈના નામે આવેલી છે. ... વધુ વાંચો »

Mar 27, 2025
સાંસદ પરિમલભાઈ નથવાણીનું ટવીટઃ દ્વારકા તા. ૨૭: લોકસભાના સાંસદ અને દ્વારકાધીશ દેવસ્થાન સમિતિના પૂર્વ ઉપાધ્યક્ષ પરિમલ નથવાણીએ ટ્વીટ કરી તાજેતરમાં દ્વારકાધીશ વિશે કરવામાં આવેલ વિવાદિત ટિપ્પણીઓનો સખ્ત શબ્દોમાં વિરોધ વ્યકત કર્યો છે. તેમના ટ્વીટમાં પરિમલભાઈએ લખ્યુ છે કે ફરી એકવાર સુરતના સ્વામિનારાયણ ગુરૂકુળના સાધુએ ભગવાન દ્વારકાધીશ વિશે ખોટી અને પાયાવિહોણી ટિપ્પણી કરી છે. પોતાના સંપ્રદાયનું ગુલાબી ચિત્ર દોરવા સનાતન દેવી-દેવતાઓ કરતા તેમના સંપ્રદાયના ભગવાન અને સંતોને દોરતા આ સંપ્રદાયના નિવેદનો પર નિવેદનો કષ્ટદાયક અને નિંદનીય છે અને અસ્વીકાર્ય તથા અપ્રિય છે. આ પહેલાં પણ ભગવાન દ્વારકાધીશ વિશેની ટિપ્પણીઓને પરિમલભાઈએ સખ્ત શબ્દોમાં વખોડી કાઢી ... વધુ વાંચો »

Mar 27, 2025
ખંભાળીયા તા. ર૬: ખંભાળીયા નગરપાલિકા દ્વારા શહેરમાં અનેક રસ્તાઓ પરના ખાડા-ગાબડાં પુરવાનું કામ શરૂ થતા લોકોમાં રાહતની લાગણી ફેલાઈ છે. શહેરના પોર ગેઈટ, એસ.એન.ડી.ટી. શાળા પાસે, રામનાથ શો, સોસાયટીમાં મેઈન રોડ, જોધપુર ગેઈટથી તાલુકા પંચાયત રોડ, સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં ડામર સાથેનું પાકું પેચવર્ક કરીને ખાડા પુરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. પાલિકા પ્રમુખ શ્રીમતી રચનાબેન મોટાણી તથા ચીફ ઓફિસર ચેતનભાઈ ડુડીયાના માર્ગદર્શનમાં રસ્તા રીપેરીંગની કામગીરી થઈ હતી. થોડા સમયમાં બસસ્ટેશન જતા રોડ તથા રોકડીયા હનુમાન પાસેના વિસ્તારના રસ્તા પર ડામર રોડનું કામ કરવામાં આવશે.   જો વધુ વાંચો »

Mar 27, 2025
આઈ.સી.ડી.એસ. શાખા દ્વારા પોષણ ઉત્સવ અંતર્ગત આયોજનઃ જામનગર તા. ૨૭: જામનગર આઈ.સી.ડી.એસ. શાખા દ્વારા પોષણ ઉત્સવ અંતર્ગત જિલ્લા કક્ષાની પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન કુંવરબાઈ જૈન ધર્મશાળામાં કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં જામનગર જિલ્લાના ૬ તાલુકાના ૭ ઘટક કક્ષાએ ટેક હોમ રાશનમાંથી, મિલેટ અને  સરગવામાંથી બનતી વાનગીમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવેલ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ભાગ લેનાર આંગણવાડી કાર્યકર અને લાભાર્થીઓ દ્વારા વિવિધ ૪૨ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવી હતી. મિલેટ અને ટીએચઆર માંથી ૧ થી ૩ નંબર મેળવેલ સ્પર્ધકોને ઈનામ અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. વધુમાં, જિલ્લા આયુર્વેદ શાખા દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત તમામને ઉકાળા વિતરણ કરવામાં આવ્યું ... વધુ વાંચો »

Mar 27, 2025
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતો જોગઃ ખંભાળિયા તા. ૨૭: ખેડૂતોને તેઓના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવિ માર્કેટીંગ સિઝન ૨૦૨૫-૨૬માં ઘઉંના લઘુતમ ટેકાના ભાવ રૂ. ૨,૪૨૫ પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યા છે. ઘઉંની ખરીદી માટે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિ. મારફતે કરવામાં આવનાર છે. જેમાં નોંધણીની મુદત વધારીને તા.૦૫ એપ્રિલ સુધીની કરવામાં આવી છે. લઘુતમ ટેકાના ભાવે ઘઉંનું વેચાણ કરવા ઇચ્છતા ખેડૂતોની ઓનલાઇન નોંધણી સમગ્ર રાજ્યમાં સ્થાનિક ગ્રામ્ય કક્ષાએ વી.સી.ઈ. મારફતે ગત તા.૦૧/૦૧/ ૨૦૨૫થી તા.૧૬/૦૩/ ૨૦૨૫ સુધી હાથ ધરવામાં આવી હતી, જેની સમયમર્યાદા વધારીને તા.૦૫ એપ્રિલ સુધીની કરવામાં ... વધુ વાંચો »

Mar 27, 2025
રિક્ષાચાલકને ઈજાઃ બંને વાહનમાં થઈ નુકસાનીઃ જામનગરના લાલબંગલા સર્કલ પાસે આજે સવારે પસાર થતી જીજે-૧૦-બીઆર ૧૩૦૪ નંબરની મોટર ચાલકે કોઈ કારણથી સ્ટીયરીંગ પરનો કાબૂ ગૂમાવતા આ મોટર આગળ જતી જીજે-૧૦-ટીડબલ્યુ ૫૪૩૨ નંબરની રિક્ષાના ઠાઠામાં ટકરાઈ પડી હતી. વધી ગયેલી સ્પીડ સાથે રિક્ષા ત્યાં આવેલા સિગ્નલના થાંભલામાં ટકરાઈ પડી હતી. આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ ન હતી. રિક્ષાચાલકને ઈજા થઈ છે અને બંને વાહનમાં નુકસાન થયું છે.   જો આપને આ પોસ્ટ ગમી વધુ વાંચો »

Mar 27, 2025
જામનગર તા.ર૭ : જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.પ૮માંથી નિવૃત્ત એસટી ડ્રાઈવરને પોલીસે વર્લીના આંકડા લખતા પકડી પાડ્યા છે. જ્યારે જામજોધપુર તેમજ ખીજડીયા બાયપાસ પાસેથી પણ ત્રણ વર્લીબાજ મળી આવ્યા છે. જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.૫૮માં આવેલી હોટલ પાસેથી ગઈકાલે સાંજે વર્લીના આંકડા લખતા દામજીભાઈ જેઠાભાઈ ભદ્રા નામના વૃદ્ધને પોલીસે વર્લીના આંકડા લખેલી ચિઠ્ઠી તથા રોકડ સાથે પકડી પાડ્યા છે. આ આરોપી એસટીના નિવૃત્ત ડ્રાઈવર છે. જામજોધપુર શહેરના ગાય સર્કલ પાસે વર્લીના આંકડા લખતા જયંતીભાઈ મગનભાઈ ઝીંઝુવાડીયા નામના શખ્સને પોલીસે વર્લીનું બેટીંગ લેતો પકડી લીધો છે. જામનગર-રાજકોટ રોડ પર ... વધુ વાંચો »

Mar 27, 2025
પોલીસ અધિકારીઓના હસ્તે 'ઉલ્લાસ-ર૦રપ'નું ઉદ્ઘાટનઃ જામજોધપુર તા. ર૭: તાજેતરમાં જામજોધપુરમાં મધર ટેરેસા સ્કૂલમાં 'ઉલ્લાસ ર૦રપ' નામે આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિક પોલીસ ઈન્સ્પેક્ટર એ.એસ. રબારી તથા સબ ઈન્સ્પેક્ટર એમ.એલ. ઓડેદરા દ્વારા મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. મેળામાં વિદ્યાર્થીઓ દ્વારા ગણિત-વિજ્ઞાનના પ્રયોગો, ગ્રામ્ય સંસ્કૃતિ, ફૂડ ઝોન, ગેમઝોન, થ્રીડી શો, પુસ્તક મેળો, રમકડા, તરૂ મિત્રતા (રોપા વિતરણ) વગેરે પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. સ્પોર્ટસ ઝોન અને સર્જનાત્મક સામગ્રીઓનો પણ અલગ વિભાગ હતો. સ્થાનિક મામલતદાર સહિતના મહાનુભાવો ઉપરાંત વાલીઓ અને બહોળી સંખ્યામાં નગરજનોએ આનંદ મેળાની મુલાકાત લીધી હતી.   વધુ વાંચો »

Mar 27, 2025
આદિપુરમાંથી દબોચાયોઃ જામનગર તા.૨૭ : જામનગરમાં ત્રણ વર્ષ પહેલાં નોંેંધાયેલા દારૂબંધી ભંગના એક ગુન્હામાં સંડોવાયા પછી નાસી ગયેલા શખ્સને કચ્છના આદીપુરમાંથી પકડી પાડવામાં આવ્યો છે. જામનગરના સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૨૨માં દારૂબંધી ભંગનો એક ગુન્હો નોંધાયો હતો. જેમાં બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જેરડા ગામના વતની અને હાલમાં કચ્છના આદિપુર રહેતા લાલા કાળાજી માજીરાણા નામના શખ્સનું નામ ખૂલ્યું હતું. ત્યારપછી આ શખ્સ નાસતો ફરતો હતો. ઉપરોક્ત આરોપી આદીપુરમાં આવ્યો હોવાની બાતમી મળતા ત્યાં ધસી ગયેલી પેરોલ ફર્લો સ્કવોડે લાલા કાળાજીની અટકાયત કરી જામનગર ખસેડ્યો છે.   વધુ વાંચો »

Mar 27, 2025
રંગભૂમિના કલાકારો ગૃહમાં ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આવતીકાલે પૂર્ણ થઈ રહ્યું છે, ત્યારે આજે ગુજરાતના રંગભૂમિના જાણીતા કલાકારો વિધાનસભા ગૃહમાં આવ્યા હતાં અને પ્રેક્ષક ગેલેરીમાં સ્થાન લીધુ હતું. રાજ્ય મંત્રી કુબેર ડીંડોરે વિશ્વ રંગભૂમિ દિવસના સૌને અભિનંદન શુભેચ્છા પાઠવ્યા હતાં. નેનો યુરિયા ધારાસભ્ય હેમંતભાઈ ખવાના પ્રશ્નના ઉત્તરમાં કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે ચોખવટ કરી જણાવ્યું હતું કે, નેનો યુરિયા ખાતર ખેડૂતો માટે લાભાકારક છે. રસ-પૂરીનું જમણ કોંગ્રેસના ૧ર જેટલા ધારાસભ્યોએ પત્રકારો તથા અન્ય કાર્યકરોને બપોરે રસ-પૂરીનું ભોજન કરાવ્યું હતું, જો કે બહુમતિ સાથેની ... વધુ વાંચો »

Mar 27, 2025
આગામી તા. ૩૧-૩-ર૦રપ ના સોમવારે દ્વારકા તા. ર૭: દ્વારકાની ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી, શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ ટ્રસ્ટ હોસ્પિટલ (રાજકોટ) તથા માતુશ્રી મોંઘીબેન હ.વિ.ગો.મે. ચેરી.ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આગામી તા. ૩૧-૩-ર૦રપ, સોમવારના ૧૧૪ માં નિઃશુલ્ક નેત્રયજ્ઞનું આયોજન સવારે ૯.૩૦ થી ૧૧ વાગ્યા દરમિયાન કચ્છી સમાજ ભવન, ગોમતી રોડ, દ્વારકામાં કરવામાં આવ્યું છે. આ નેત્રયજ્ઞમાં રણછોડદાસજી બાપુ હોસ્પિટલ, રાજકોટના આંખના ડોક્ટરોની ટીમ સેવા આપશે તથા જરૂરિયાતમંદ દર્દીઓને દવાઓ આપવામાં આવશે. મોતીયાના ઓપરેશનની જરૂરિયાતવાળા દર્દીઓને કેમ્પના દિવસે જ રાજકોટ લઈ જઈ આધુનિક ફેંકો મશીનથી વિનામૂલ્યે ઓપરેશન કરી નેત્રમણી બેસાડી પરત દ્વારકા લાવવામાં આવશે. દર્દીઓને ... વધુ વાંચો »

Mar 27, 2025
શ્રી વીરદાદા જશરાજ રઘુવંશી ફાઉન્ડેશનના ઉપક્રમે આયોજનઃ રઘુવંશીઓ ઉમટયાઃ જામનગર તા. ૨૭: શ્રી વીરદાદા જશરાજ રઘુવંશી યુવા ફાઉન્ડેશન દ્વારા પૂ.પા. ૧૦૮ ગોપેશલાલજી મહારાજશ્રીના મંગલ સાંનિધ્યમાં ફૂલફાગ હોલી રસિયા ઉત્સવ ઉજવાયો હતો. જેમાં રઘુવંશી શ્રેષ્ઠીઓ સહિત સમાજની વિશાળ ઉપસ્થિતિ રહી હતી. શ્રી વીરદાદા જશરાજ રઘુવંશી યુવા ફાઉન્ડેશન, જામનગર દ્વારા તા. ૯-૩-૨૦૨૫ના ફૂલફાગ હોલી રસિયા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટ તેમજ કાલાવડ સ્થિત હવેલીના પૂ.પા.ગો. ૧૦૮ શ્રી ગોપેશલાલજી મહારાજશ્રીએ શ્રીમુખેથી અલૌકિક રસિયા પદોનું ગાન દિવ્ય વાણીમાં ભાવ અને સ્નેહ સંગાથે આશિર્વચન પાઠવ્યા હતાં અને પુષ્ટિમાર્ગના વિચારો સિદ્ધાંતો અને અષ્ટસખાની વાણીની ... વધુ વાંચો »

Mar 27, 2025
હરીપર તાલુકા શાળામાં આંતરરાષ્ટ્રીય વન દિવસ-૨૦૨૫ની ઉજવણી કરવામાં આવી હતી. રેન્જ ફોરેસ્ટ ઓફિસર જી.કે. ડાંગર તેમજ તેમની ટીમ અને હરીપર તાલુકા શાળાના આચાર્ય કાળુભાઈ ગોજીયા સાથે શાળા પરિવારે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરી બાળકોને માહિતગાર કર્યા હતા. પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર મેળવનાર વિદ્યાર્થીઓને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં.   જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર વધુ વાંચો »

Mar 27, 2025
વિદ્યાર્થી-આંગણવાડીના કાર્યકરોને અપાયું માર્ગદર્શનઃ જામનગરના કામદાર નંદઘર (આંગણવાડીમાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા સાયબર ક્રાઈમ અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ૨૫૦ વિદ્યાર્થી અને ૧૫ કાર્યકરોને સાયબર ક્રાઈમથી બચવા માટે માર્ગદર્શન પૂરૂ પાડવામાં આવ્યું હતું. આયોજનમાં પીએસઆઈ એચ.કે. ઝાલા, સ્ટાફના દિપ્તીબેન કુંભારાણા, વિક્કી ઝાલા સાથે રહ્યા હતા.   જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર વધુ વાંચો »

Mar 27, 2025
સાણંદમાં શહીદોના પરિવારજનોની ઉપસ્થિતિમાં જામનગર તા. ૨૭: ગત ૨૩મી માર્ચ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂના શહીદ દિન નિમિત્તે સાણંદમાં ક્રાંતિવીરોનો સર્વપ્રથમ મલ્ટીમીડિયા શો વીરાંજલી ૨.૦ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભગતસિંહના નાનાભાઈ કુલરતાર સિંઘના પુત્ર કિરણજીતસિંહ હાજર રહ્યા હતાં. સમગ્ર કાર્યક્રમ જોઈને તેમણે કહ્યું કે, મેં ભારત દેશમાં આવો કાર્યક્રમ કયાંય જોયો નથી. સુખદેવજીના પરિવારમાંથી અનુજ થાપર, રાજ્યગુરૂજીના પરિવારમાંથી સત્યશીલ રાજ્યગુરૂ તથા દુર્ગાભાભીના પરિવારમાંથી જગદીશ ભટ્ટે દીપ પ્રાગટય કર્યું હતું. આ શહીદોના સ્વજનો સર્વપ્રથમવાર ગુજરાતમાં પધાર્યા હતા. વીરાંજલિ સમિતિએ તેમનું સ્વાગત કર્યું હતું. પ્રદિપસિંહ વાઘેલાની પ્રેરણાથી ૧૮ વર્ષથી યોજાતા આ કાર્યક્રમને આશરે ૫૦ હજાર લોકોએ ખૂબ માણ્યો હતો. આશરે ૧૦૦થી વધુ કલાકારોના કાફલા સાથે સાંઈરામ દવે ... વધુ વાંચો »

Mar 27, 2025
દેવભૂમિ દ્વારકા જિલ્લાના યુવાનો ખંભાળિયા તા. ૨૭: ભારતીય લશ્કરમાં અગ્નિવીર તરીકે ગૌરવશીલ કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટે વર્ષ ૨૦૨૫-૨૬ના લશ્કરી ભરતી મેળામાં અગ્નિવીર જનરલ ડ્યુટી, અગ્નિવીર ટેકનીકલ, અગ્નિવીર ક્લાર્ક, સ્ટોર કીપર, અગ્નિવીર ટ્રેડમેનની જેવી જગ્યાઓ પર ભરતી યોજાવાની છે. આ માટે એસ.એસ.સી, એચ.એસ.સી., ૮ પાસ અને ૧૭.૫ થી ૨૧ વર્ષની ઉમર ધરવતા અપરણિત ઉમેદવારોએ રંંૅ://ુુુ. ર્દ્ઘૈહૈહઙ્ઘૈટ્ઠહટ્ઠદ્બિઅ.હૈષ્ઠ. ૈહ વેબસાઈટ પર તા.૧૦-૦૪-૨૦૨૫ સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. જે ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરેલ હશે અને લશ્કરી ભરતી માટેની યોગ્ય લાયકાત ધરાવતા હશે, તેવા ઉમેદવારો પ્રથમ લેખિત પરીક્ષામાં બેસી શકશે.   વધુ વાંચો »

Mar 27, 2025
દ્વારકા જિલ્લાના હડતાલી કર્મચારીઓ પહોંચ્યા ગાંધીનગરઃ ખંભાળિયા તા. ર૭: દ્વારકા જિલ્લામાં આરોગ્ય કર્મીની હડતાલ અગિયારમા દિવસમાં પ્રવેશી છે. ગુજરાત રાજ્યમાં આરોગ્ય કર્મીઓની ગત્ તા. ૧૭/૩ થી શરૂ થયેલી અચોક્કસ મુદ્તની હડતાલ આજે ૧૧ મા દિવસમાં પ્રવેશી છે. દ્વારકા જિલ્લા આરોગ્ય અધિકારી ડો. સી.બી. પોબીયાએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, ગત્ તા. ૧૭/૩ થી દ્વારકા જિલ્લામાં હેલ્થવર્કરો કર્મચારીઓની હડતાલ શરૂ થઈ હતી. કુલ ર૮ર જેટલા કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા હતાં જેમાંથી કડક પગલાં નોટીસોના પગલે ૧ર૮ જેટલા ફરજ પર આવી ગયા છે, જ્યારે હજુ પણ ૧પ૪ કર્મચારીઓ હડતાલ પર હોય, તેમને ... વધુ વાંચો »

Mar 27, 2025
જામનગર તા. ર૭: ધ્રોળ નગરપાલિકાની સામાનય ચૂંટણી સંપન્ન થયા પછી હવે આગામી તા. ૧લી એપ્રિલના પ્રમુખ-ઉપપ્રમુખ પદ માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ધ્રોળ નગરપાલિકામાં તાજેતરમાં સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપને ૧૯, કોંગ્રેસને ૮ અને અપક્ષને એક બેઠક મળી હતી. આમ ભાજપનું શાસન સ્થપાયું છે. હવે પ્રમુખ-ઉપપ્રમુખ પદ માટેની ચૂંટણી તા. ૧-૪-ર૦રપ ના સાંજે ૪ વાગ્યે યોજવામાં આવી છે. પ્રમુખ પદ પ્રથમ અઢી વર્ષ માટે અનુ.જાતિ માટે અનામત છે, જ્યારે ઉપપ્રમુખ પદે જનરલ કેટેગરીમાંથી નિમણૂક કરાશે. હવે પ્રમુખ પદ પુરુષ કે મહિલા કોને ફાળવાશે? તે ચર્ચાનો વિષય બન્યો છે.   વધુ વાંચો »

Mar 27, 2025
તસ્કરે સીસીટીવી કેમેરો તોડી નાખ્યોઃ જામનગર તા.ર૭ : જામનગરના પવનચક્કીના ઢાળીયા સામે આવેલી એક દુકાનની બહાર ઈલેકટ્રીકના વેપારીએ રાખેલા કોપર વાયરમાંથી કોઈ શખ્સ ૩૦ મીટર કોપર વાયર કાપી ગયો છે અને સીસીટીવી કેમેરો તેણે તોડી નાખ્યો છે. જામનગરના ૫વનચક્કી રોડ પર આવેલી વેજુમા વાડી સામે ન્યુ ગાયત્રી ઈલેકટ્રીક નામની દુકાનની બહાર વેપારી સુભાષભાઈ હીરાલાલ શાહ દ્વારા કોપરનો વાયર રાખવામાં આવ્યો હતો. તે વાયરના જથ્થામાંથી મંગળવારની રાત્રે કોઈ શખ્સ ૩૦ મીટર કોપર વાયર ચોરી કરી ગયો છે અને તે દુકાનની બહાર ફીટ કરવામાં આવેલા સીસીટીવી કેમેરા પણ તોડી ... વધુ વાંચો »

Mar 27, 2025
ચેક પરતના કેસમાં થઈ છે એક વર્ષની સજાઃ જામનગર તા. ર૭: જામનગર મહાનગરપાલિકાની સિક્યુરિટી શાખાના એક કર્મીને રૂ.૪ લાખના ચેક પરતના કેસમાં સજા થતાં તેની ધરપકડ કરી જેલહવાલે કરાયા પછી આ કર્મચારીએ સારી વર્તણૂક અંગે નિયમોનો ભંગ કર્યાે હોય મ્યુનિ કમિશનરે આ શખ્સને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યાે છે. જામનગર મહાનગર પાલિકાની સિક્યુરિટી શાખામાં ચોકીદાર તરીકે ફરજ બજાવતા ઈદ્રીશ મામદભાઈ માંઢાત સામે વર્ષ ૨૦૨૧માં રૂ.૪ લાખના ચેક પરતની ફરિયાદ નોંધાઈ હતી. તે કેસમાં આરોપીને એક વર્ષની કેદ અને ચેકની રકમનો દંડ ફટકાર્યાે હતો. તે પછી સજાની અમલવારી માટે વોરંટ કાઢવામાં આવતા ગઈ તા.ર૧ના દિને ... વધુ વાંચો »

Mar 27, 2025
સદ્ગતને તેમના જિલ્લામાં અપાયું ગાર્ડ ઓફ ઓનરઃ ખંભાળિયા તા.૨૭ : દ્વારકા જિલ્લાની ટ્રાફિક શાખા માં ફરજ બજાવતા અધિકારીનું તાજેતરમાં ઉંઘની હાલતમાં જ અવસાન થયું હતું. તેમના પરિવારને દ્વારકા પોલીસ વિભાગ દ્વારા સાંત્વના પાઠવવામાં આવી હતી. તાજેતરમાં દ્વારકામાં ટ્રાફિક પો.સ.ઈ. તરીકે લાંબો સમય ફરજ બજાવનાર એન.ડી. કલોતરાનું ઉંઘમાં જ મૃત્યુ નિપજ્યું હતું. તેમનું વતન સુરેન્દ્રનગર જિલ્લો હોય ત્યાં તેમના ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ સંસ્કાર થયા હતા. દ્વારકા જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેયના શોક સંદેશ સાથે ડીવાયએસપી વિસ્મય માનસેતા તથા સ્ટાફ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં મૃતક સ્વ. એન.ડી. કલોતરાના પરિવારને ... વધુ વાંચો »

Mar 27, 2025
કિશોર ચેરી. ટ્રસ્ટ દ્વારા આગામી રવિવારે ભાટિયા તા. ર૭: કિશોર ચેરીટેબલ ટ્રસ્ટ-ભાટિયાના આર્થિક હયોગથી તથા રણછોડદાસજી બાપુ ચેરીટેબલ (આંખની) હોસ્પિટલ-રાજકોટના નિષ્ણાત ડોક્ટરોની ટીમ દ્વારા ૧૧૬ મો નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યો છે. આ નિઃશુલ્ક કેમ્પ તા. ૩૦/૩ ને રવિવારે સવારે ૯ થી ૧૧ સરકારી દવાખાનું, ભાટિયામાં રાખવામાં આવ્યો છે. કેમ્પમાં દર્દીઓને તપાસી દવા-ટીપાં આપવામાં આવશે. મોતિયાના ઓપરેશન માટે દર્દીઓને રણછોડદાસ બાપુ હોસ્પિટલ-રાજકોટ બસ દ્વારા લઈ જવામાં આવશે. જ્યાં દર્દીઓને આવવા-જવા, રહેવા-જમવાની વ્યવસ્થા, ચા-નાસ્તો, ચશ્માા-ટીપાં નિઃશુલ્ક આપવામાં આવશે. કેમ્પમાં ચશ્માના નંબર કાઢી આપવામાં આવશે નહીં. તેમ કિશોર ચેરી. ટ્રસ્ટ-ભાટિયાના પ્રમુખ કિશોરભાઈ દત્તાણી દ્વારા જણાવાયું ... વધુ વાંચો »

Mar 27, 2025
કલેક્ટર શ્રી રાજેશ તન્નાના અધ્યક્ષસ્થાને ખંભાળીયા તા. ૨૭: દેવભૂમિ દ્વારકા જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર રાજેશ તન્નાની અધ્યક્ષતામાં જિલ્લા સેવા સદન, ખંભાળીયામાં યોજાઈ હતી. આ બેઠકમાં વર્ષ-ર૦ર૩ અને ર૦ર૪ દરમિયાન જિલ્લામાં થયેલ માર્ગ અકસ્માતોની સંખ્યા અને તેની ગંભીરતા અને કારણ મુજબનું વર્ગીકરણ પ્રસ્તૂત કરવામાં આવ્યું હતું. જેને આધારે રોડ સેફટીની પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. અકસ્માત નિવારી શકાય તેવા વિવિધ સ્થળે સંબંધિત અધિકારીઓની સંયુક્ત મુલાકાત કરીને પગલા લેવા સૂચના આપવામાં આવી હતી. આ બેઠકમાં પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડેય, નિવાસી અધિક કલેક્ટર ભૂપેશ જોટાણીયા તેમજ સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરીના અધિકારીઓ તેમજ ... વધુ વાંચો »

Mar 27, 2025
સ્થાનિક /    વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો.... ગુરૂવારે વૈશ્વિક બજારોની સાથે સાથે ભારતીય શેરબજારમાં નિફ્ટી અને સેન્સેક્સ ઉછાળા પર ખુલ્યા હતા.સેન્સેક્સ ૨૨૦ પોઈન્ટના ઉછાળા સાથે ૭૭૫૦૧ના સ્તરે હતો જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૫૧ પોઈન્ટના ઉછાળા સાથે ૨૩૫૭૦ના સ્તરે કામકાજ કરી રહ્યો હતો,જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૧૮૦ પોઈન્ટની ઉછાળા સાથે ૫૧૪૫૦ના સ્તરે કામકાજ કરી રહ્યો હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર એનર્જી, ફાઈનાન્સિયલ સર્વિસીસ, ઓઈલ એન્ડ ગેસ, સર્વિસીસ અને બેન્કેકસ શેરોમાં ખરીદી જોવા મળી હતી, જ્યારે અન્ય ... વધુ વાંચો »

અર્ક

  • જે વ્ય્કતિ સારૃં કામ કરે છે તે ક્યારેય આદરનો ભૂખ્યો નથી હોતો, તેનું કામકાજ તેને સન્માનને પાત્ર બનાવે છે.

વિક્લી ફિચર્સ

ફોટો સમાચાર

રાશિ પરથી ફળ

Aquarius (કુંભ: ગ-શ-સ)

તા. ૨૮-૦૩-ર૦૨૫, શુક્રવાર અને ફાગણ વદ-૧૪ : આપના કામમાં પુત્ર-પૌત્રાદિકનો સાથ-સહકાર મળી રહેતા રાહત રહે. વાણીની ... વધુ વાંચો »

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

તા. ૨૮-૦૩-ર૦૨૫, શુક્રવાર અને ફાગણ વદ-૧૪ : સીઝનલ ધંધામાં માલનો ભરાવો કરવો નહીં. રાજકીય-સરકારી કામ, ખાતાકીય ... વધુ વાંચો »

Aries (મેષ: અ-લ-ઈ)

તા. ૨૮-૦૩-ર૦૨૫, શુક્રવાર અને ફાગણ વદ-૧૪ : આપના કાર્યની સાથે જાહેરક્ષેત્ર, સંસ્થાકીય કામમાં વ્યસ્ત રહેવાનું બને. ... વધુ વાંચો »

Taurus (વૃષભ: બ-વ-ઉ)

તા. ૨૮-૦૩-ર૦૨૫, શુક્રવાર અને ફાગણ વદ-૧૪ : આપના કામમાં પ્રતિકૂળતા જણાય. નાણાકીય જવાબદારીવાળા કામમાં આપે સાવધાની ... વધુ વાંચો »

Gemini (મિથુન: ક-છ-ધ)

તા. ૨૮-૦૩-ર૦૨૫, શુક્રવાર અને ફાગણ વદ-૧૪ : નોકરી-ધંધાના કામ અંગે બહાર કે બહારગામ જવાનું બને. ધર્મકાર્ય-શુભકાર્યથી ... વધુ વાંચો »

Cancer (કર્ક: ડ-હ)

તા. ૨૮-૦૩-ર૦૨૫, શુક્રવાર અને ફાગણ વદ-૧૪ : દિવસ દરમિયાન આપના કામમાં વ્યસ્ત રહી શકો. સામાજિક-વ્યવહારિક કામ ... વધુ વાંચો »

Leo (સિંહ: મ-ટ)

તા. ૨૮-૦૩-ર૦૨૫, શુક્રવાર અને ફાગણ વદ-૧૪ : આપની બુદ્ધિ-અનુભવ-આવડત-મહેનતથી આપના કામનો ઉકેલ લાવી શકો. આપના કામની ... વધુ વાંચો »

Virgo (કન્યા: પ-ઠ-ણ)

તા. ૨૮-૦૩-ર૦૨૫, શુક્રવાર અને ફાગણ વદ-૧૪ : રાજકીય-સરકારી કામમાં, ખાતાકીય કામમાં, કોર્ટ-કચેરીના કામમાં કોઈ રૂકાવટ-મુશ્કેલી આવ્યા ... વધુ વાંચો »

Libra (તુલા: ર-ત)

તા. ૨૮-૦૩-ર૦૨૫, શુક્રવાર અને ફાગણ વદ-૧૪ : આપના ગણતરી-ધારણા પ્રમાણેનું કામકાજ થતા આનંદ અનુભવો. રાજકીય-સરકારી કામ ... વધુ વાંચો »

Scorpio (વૃશ્ચિક: ન-ય)

તા. ૨૮-૦૩-ર૦૨૫, શુક્રવાર અને ફાગણ વદ-૧૪ : નાણાકીય રોકાણ-વ્યવહારના કામમાં સાનુકૂળતા મળી રહે. સીઝનલ ધંધામાં આકસ્મિક ... વધુ વાંચો »

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

તા. ૨૮-૦૩-ર૦૨૫, શુક્રવાર અને ફાગણ વદ-૧૪ : આયાત-નિકાસના કામમાં, દેશ-પરદેશના કામમાં પ્રગતિ જણાય. સંયુક્ત ધંધામાં ભાઈ-ભાંડુંનો ... વધુ વાંચો »

Capricorn (મકર: ખ-જ)

તા. ૨૮-૦૩-ર૦૨૫, શુક્રવાર અને ફાગણ વદ-૧૪ : નોકરી-ધંધે જાવ તો ઘર-પરિવારની અને ઘરે રહો તો નોકરી-ધંધાની ... વધુ વાંચો »

Aries (મેષ: અ-લ-ઈ)

તમારા માટે આર્થિક લાભ સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન ... વધુ વાંચો »

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આપના માટે તફકા-છાયા જેવી પરિસ્થિતિ સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો ... વધુ વાંચો »

Gemini (મિથુન: ક-છ-ધ)

તમારા માટે ધારેલા તથા અધુરા કાર્યો પૂરા કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય ... વધુ વાંચો »

Cancer (કર્ક: ડ-હ)

આપના માટે સાવચેતીપૂર્વક વ્યવહાર કરવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો ... વધુ વાંચો »

Leo (સિંહ: મ-ટ)

તમારા માટે મિશ્ર પરિણામ સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન ... વધુ વાંચો »

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપના માટે નવીન તક સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન ... વધુ વાંચો »

Libra (તુલા: ર-ત)

તમારા માટે ધાર્મિક-સામાજિક કાર્યોમાં વ્યસ્ત રાખતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન ... વધુ વાંચો »

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપના માટે ભાગદોડ-દોડધામ કરાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન વ્યર્થ અથવા ... વધુ વાંચો »

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

તમારા માટે વ્યાપાર-ધંધામાં પ્રતિકૂળતા સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન ... વધુ વાંચો »

Capricorn (મકર: ખ-જ)

આપના માટે શુભ સમાચાર-શુભ સંકેત સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા ... વધુ વાંચો »

Aquarius (કુંભ: ગ-શ-સ)

તમારા માટે મનની શાંતિ અને સ્વસ્થતા લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો ... વધુ વાંચો »

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

આપના માટે ભાવનાત્મક સમયસૂચક સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપ સ્નેહી-પરિવારજનો ... વધુ વાંચો »

રાષ્ટ્રીય / આંતરરાષ્ટ્રીય

રાષ્ટ્રીય / આંતરરાષ્ટ્રીય

MARKET

શબ્દવ્યુહ

crossword

હવામાન

Jamnagar, Gujarat, India

વિક્લી ફિચર્સ

Advertisement
close
Ank Bandh