ચંદા કા ધંધા.... એક હાથ દો, દુસરે હાથ લો.. હમામ મે સબ નંગે હૈ...!

'હમામ મે સબ નંગે હૈ..' જેવી જ ગુજરાતીમાં તળપદી કહેવત છે, 'આવ ભાઈ હરખા, આપણે બેય સરખા' અથવા 'કાચના ઘરમાં રહેનારા બીજા પર પથ્થર ન ફેંકે'...

અત્યારે કાંઈક આવું જ દેશ અને દુનિયાની રાજનીતિમાં બની રહ્યું છે. રશિયામાં ચૂંટણી થાય છે, રાષ્ટ્રપતિ પુતિનનો વિજય થાય છે, તેને અમેરિકા ડ્રામેબાજી ગણાવે છે. રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ સમાપ્ત થવાનું નામ જ  લઈ રહ્યું નથી. ચીનની અવળચંડાઈ અને પાકિસ્તાનની અકડાઈની અસરો દક્ષિણ એશિયાના દેશો પર વિપરીત રીતે પડી રહી છે, આ વૈશ્વિક અસમંજસની સ્થિતિ વચ્ચે કેટલાક દેશોમાં ચૂંટણીઓ થતાં સત્તા પરિવર્તનો કે પછી સત્તા પુનરાવર્તનોની સંભવિત અસરો પણ વૈશ્વિક રાજકરણ પર પડવાની જ છે, આ કારણે જ પાકિસ્તાનમાં ગઠજોડ કરીને રચાયેલી શાહબાજ સરકાર પણ અનેક પડકારોનો સામનો કરી રહી છે.

ભારતમાં તો હવે ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે અને પ્રચાર-યુદ્ધના મંડાણ થઈ ચુક્યા છે, ત્યારે દેશમાં કોઈપણ ક્ષેત્રે કોઈપણ ઘટના ઘટે, તો તેની રાજનૈતિક અસરો પણ થવાની જ છે અને ચૂંટણી પ્રચારના સમયગાળામાં મુદ્દાઓ પણ રોજ-બ-રોજ ફરતા જ રહેવાના છે, નેતાઓની બયાનબાજી પણ હવે મહત્ત્વપૂર્ણ બનવાની છે, અને એકાદ શબ્દપ્રયોગ કે વાક્યને પકડીને સમગ્ર ચૂંટણીસંગ્રામ તેના આધારે લડાયો હોય, તેવા અનેક દૃષ્ટાંતો આપણા લોકતાંત્રિક ઈતિહાસમાં મોજુદ છે, જેથી રાજનેતાઓ તથા તેના પ્રવકતાઓએ અને ખાસ કરીને સ્ટારપ્રચારકોએ ઘણું જ સમજી વિચારીને બોલવાની ટેવ પાડવી પડશે. અને ચૂંટણીના સમયગાળા દરમિયાન આચાર-વિચાર-વ્યવહાર અને રોજીંદી પ્રચાર શૈલીમાં પણ સાવધાની રાખવી પડશે.

અત્યારે પહેલેથી જ ઘણી બાબતો જુદા જુદા ન્યાયલયોમાં પેન્ડીંગ હશે, અને પીઆઈએલના માધ્યમથી કેટલીક અરજીઓ પણ વિચારાધિન હશે, કે પછી આગામી સમયમાં થશે. આ તમામ અરજીઓ, કેસો વગેરેની સુનાવણી અદાલતોમાં ચાલશે, અને જે કાંઈ નિર્ણયો આવશે, દલીલો થશે કે ટિપ્પણીઓ કે ઓફિડેવીટ થશે, તેની સીધી અસર રાજનીતિ પર પણ પડવાની છે, અને રાજકીય પક્ષો તેના આધારે પોતાના પ્રચારની રણનીતિ બદલતા રહેવાના છે, તે પણ નક્કી જણાય છે.

દૃષ્ટાંત તરીકે સુપ્રિમ કોર્ટની સૂચના મુજબ એસબીઆઈએ ચૂંટણીપંચને ઈલેકટોરલ બોન્ડ અથવા ચૂંટણી બોન્ડની વિગતો તો આપી, પણ અધુરી આપી, તેથી સુપ્રિમ કોર્ટે તેને ફટકાર લગાવી, હવે ફરીથી ચૂંટણીપંચને વિગતો આપવાની સાથે સાથે સર્વોચ્ચ અદાલતમાં એવું એફિડેવીટ પણ કરવું પડશે કે ચૂંટણીબોન્ડને લગતી કોઈ જ માહિતી આપવાની હવે બાકી રહી જતી નથી. એસબીઆઈ ગુરૃવાર સુધીમાં તમામ માહિતી પૂરી પાડે, તે પછી ચૂંટણીપંચ તે માહિતી વેબસાઈટ પર મૂકશે, તે પછી સ્પષ્ટ થશે કે કઈ પાર્ટીને કેટલું ફંડ મળ્યુ છે, અને કયારે મળ્યુ છે. આ માહિતી એટલી વિસ્ફોટક હશે કે ભારતીય રાજનીતિની બુનિયાદ હલાવી દેશે, તેવા દાવા પણ થઈ રહ્યા છે.

કેન્દ્ર અને રાજ્યોમાં સત્તામાં રહેલા રાજકીય પક્ષોને ચૂંટણી બોન્ડ દ્વારા ફંડ મળ્યુ છે અને એકાદ-બે અપવાદ સિવાય તમામ મુખ્ય મુખ્ય પક્ષોને આ પદ્ધતિ હેઠળ ફંડ  મળ્યુ છે, તેને લઈને મીડિયામાં 'ચંદા કા ધંધા' ની થીમ હેઠળ ચર્ચા પણ શરૃ થઈ ગઈ છે.

એવી ચર્ચા થઈ રહી છે કે કેન્દ્ર અને રાજ્યોની તપાસ અને અન્ય એજન્સીઓના વ્યાપક દરોડા પડ્યા હોય, અને તે પછીના સમયમાં તરત જ જેને ત્યાં દરોડા પડ્યા હોય, તે કંપનીઓ, વ્યક્તિઓ કે સંસ્થાઓ ઈલેકટોરલ બોન્ડના માધ્યમથી જંગી ચૂંટણી ફંડ જમા કરાવે, તો તેને શું સમજવું ?

જો ચૂંટણીબોન્ડ દ્વારા મોટી રકમ કોઈ રાજકીય પક્ષને દાનમાં આપી હોય અને તે પછી તેને જાયન્ટ કોન્ટ્રાકટ મળ્યા હોય તો તેને શું સમજવું ?

આ પ્રકારની ઘટનાઓ દરેક વખતે યોગાનુયોગ ન હોઈ શકે, અને તેમાં રાજ્યો અને કેન્દ્ર સરકારમાં સત્તામાં રહેલા રાજકીય પક્ષોનું કોઈ દબાણ કે પ્રભાવ બીલકુલ હોય જ નહીં, તેવું બની શકે ખરું ?

દેશવ્યાપી ચર્ચાઓ દરમિયાન એક એવો વેધક સવાલ પણ ઉઠી રહ્યો છે કે જો રાજકીય પક્ષો એટલા બધા ચોખ્ખાચણક હોય તો પોતે જ તેઓને મળેલા ફંડની વિગતો જાહેર કરી દેવાની પહેલ કેમ નથી કરી રહ્યા ? તમામ રાજકીય પક્ષોને પોતાને ચૂંટણીફંડ દ્વારા કોના તરફથી કેટલું ફંડ કયારે મળ્યુ તે તો ખબર જ હશે ને ? પરંતુ હમામ મેં સબ નંગે હૈ...

આ પહેલા એસબીઆઈએ જે કાંઈ માહિતી આપી છે, તેના આધારે પણ વિવિધ રાજ્યોમાં કેન્દ્રીય અને રાજ્યોની એજન્સીઓ દ્વારા પડેલા દરોડા પછી થયેલું ફંડીંગ, અપાયેલા કોન્ટ્રાકટરો, અન્ય લાભો તેમજ રાજકીય ક્ષેત્રે થયેલી ઉથલપાથલોને સાંકળીને જે અનુમાનો થઈ રહ્યા છે, તે જોતા એમ ચોક્કસ કહી શકાય કે એસબીઆઈ દ્વારા અપાયેલી સંપૂર્ણ માહિતી ચૂંટણીપંચ જાહેર કરે, તે પછી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે, પરંતુ યક્ષપ્રશ્ન એ પણ છે કે તે પછી શું થશે ?

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

એનડીએ વિરૂદ્ધ આઈએનડીઆઈએ ફરી ગુંજ્યો ઈવીએમનો મુદ્દો... અબકી બાર, ચારસો કે પાર ની સામે અબકી બાર-બીજેપી તડીપાર

ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ અને આદર્શ આસારસંહિતા લાગુ થઈ ગઈ, તેની સાથે જ ગઈકાલે મુંબઈ, મહારાષ્ટ્રમાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રાના સમાપન પ્રસંગે વિપક્ષી ગઠબંધન ઈન્ડિયાનું જાણે શક્તિ પ્રદર્શન થયું અને જુદા જુદા પક્ષોના દિગ્ગજ નેતાઓએ કેન્દ્રમાંથી એનડીએની સરકાર હટાવવાનું આહ્વાન કર્યું. નારાઓ ગુંજ્યા કે, 'અબકી બાર... બીજેપી તડીપાર'...

હકીકતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે નારો 'અબકી બાર ચારસો કે પાર' નો નારો આપ્યો છે, તેની સામે આ નારો ગુંજતો થયો છે. વિપક્ષી નેતાઓએ આ રેલીમાં જે શક્તિ પ્રદર્શન કર્યું, તે પછી દેશમાં લોકસભાની ચૂંટણીનો વિપક્ષ તરફથી પણ મજૂત રણટંકાર થઈ ગયો છે, અને એનડીએ તો પહેલેથી જ 'ચારસો પાર'ના નારા સાથે મેદાનમાં જ છે.

વાસ્તવમાં ઈન્ડિયા ગઠબંધનની મુંબઈમાં જે એકજૂથતા દેખાઈ, તેમાં કોણ સાથે છે અને કોણ નથી,  તેના પણ પારખા થઈ ગયા હકીકતે તો રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રાનું સમાપન મહારાષ્ટ્રમાં થયું તે પ્રસંગે વિપક્ષી ગઠબંધનના દિગ્ગજોને મુંબઈમાં બોલાવાયા હતાં.

આ રેલીમાં કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, કોંગ્રેસના અન્ય દિગ્ગજ નેતાઓની સાથે ગઠબંધનના અન્ય રાજકીય પક્ષોના દિગ્ગ્જો પણ જોવા મળ્યા હતાં, જેમાં ઉદ્ધવ ઠાકરે, મહેબુબા મૂફતી, શરદ પવાર, એમ.કે. સ્ટાલિન, તેજસ્વી યાદવ, પ્રકાશ આંબેડકર સહિતના ઘણાં દિગ્ગજ વિપક્ષી નેતાઓ જોડાયા હતાં. આ રેલીમાં નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારૂક અબ્દુલ્લહે જે નિવેદન આપ્યું તે રાજકીય વર્તુળોમાં ઘણું જ ચર્ચાસ્પદ બન્યું છે. તેમણે ઈવીએમને લઈને જે શબ્દપ્રયોગો કર્યા તે ચર્ચામાં છે.

બેલેટપેપરથી મતદાનની જરૂર જણાવતા ફારૂક અબ્દુલ્લાહે કહ્યું કે દેશની જનતા જો ઈન્ડિયા ગઠબંધનને જનાદેશ આપશે, અને કેન્દ્રમાં અમારી (ઈન્ડિયા ગઠબંધનની) સરકાર આવશે, તો ઈવીએમ હટી જશે, અને ચૂંટણીપંચ સ્વતંત્ર હશે, તેમણે આ લડત દેશવાસીઓ, બંધારણ અને દેશને બચાવવાની હોવાથી વિપક્ષી એકતાની મજબૂતી અંગે આશાવાદ વ્યકત કર્યો હતો.

રાહુલ ગાંધીએ તો સૌથી વધુ ભ્રષ્ટાચાર ઈલેકટોરલ બોેન્ડને ગણાવીને તીખા તમતમતા સવાલો ઉઠાવ્યા છે, રાજાનો અવાજ ઈવીએમ, સીબીઆઈ, ઈડી અને આઈટીમાં છે, તેવો નામ લીધા વગર કરવામાં આવેલો કટાક્ષ પણ ગઈકાલથી ચર્ચામાં છે, રાહુલ ગાંધીના મંતવ્ય મુજબ વિપક્ષી નેતાઓને ડરાવીને પક્ષાંતર કરાવાઈ રહ્યું છે તેમણે તો એક નવો વિવાદ પણ ઊભો કરી દીધો છે અને વડાપ્રધાનની કાર્યશૈલીની ટીકા કરી અને તેઓને મહોરું ગણાવ્યા, તે પછી તેના સંદર્ભે ભારતીય જનતા પક્ષના નેતાઓ પણ તેમનો જવાબ આપી રહેલા જણાયા હતાં એકંદરે ચૂંટણીના સંગ્રામમાં નિવેદનબાજી, આક્ષેપો-પ્રતિઆક્ષેપો અને પોષ્ટર યુદ્ધના મંડાણ હવે થઈ ચૂક્યા છે.

તેજસ્વી યાદવે કહ્યું કે અમારી લડાઈ મોદીજીને હરાવવાની નથી, પણ વિચારધારાની છે, અમે વિભાજનકારી વિચારધારાની વિરૂદ્ધમાં છીએ. બેરોજગારીઓ અને મોંઘવારીના મુદ્દે અમો લડી રહ્યા છીએ.

ઈવીએમ સામે આમ તો પહેલેથી જ સવાલો ઉઠતા રહ્યા છે, અને તેના જવાબો પણ અપાતા રહ્યા છે, પરંતુ ચંદીગઢના મેયરની ચૂંટણીમાં જે ગરબડ થઈ, તે પછી ફરીથી ઈવીએમનો મુદ્દો ઉછળ્યો છે, પરંતુ કેટલાક રાજ્યોમાં ભાજપને પછાડીને વિપક્ષોએ સત્તા મેળવી હતી, તેમાં ઈવીએમ સાચા અને ભાજપ જીતે ત્યાં ખોટા ? તેવા પ્રતિસવાલોનો સ્પષ્ટ જવાબ પણ મળી રહ્યો અને અદાલતની અટારીએ પણ આ મુદ્દો ફરી હજુ પહોંચ્યો નથી તેથી આ વિવાદ હવે માત્ર પ્રચારના મુદ્દોઓ પૈકીનો જ એક મુદ્દો બની ગયો હોય, તેમ જણાય છે.

વિરોધપક્ષો ઈવીએમ ઉપરાંત અન્ય કેટલાક મુદ્દે એનડીએને ઘેરી રહ્યા છે, તો એનડીએ બે ટર્મની સિદ્ધિઓ વર્ણવીને વિપક્ષ પર પરિવારવાદ, ભ્રષ્ટાચાર અને તુષ્ટિકરણની રાજનીતિના આરોપો લગાવી રહ્યું છે ત્યારે હવે જનતાએ નક્કી કરવાનું છે કે આમા સાચું કેટલું અને ખોટું કેટલું ?

ચૂંટણીપંચે ડેટા જાહેર કર્યા તે પછી ઈલેકટોરલ બોન્ડનો મુદ્દો પણ ચૂંટણીમાં પ્રચારનો મુદ્દો બન્યો છે. આ તમામ માહિતીનું હજુ ઉંડુ અધ્યયન થઈ રહ્યું છે, અને સૌથી વધુ ઈલેકટોરલ બોન્ડથી ભાજપને ફંડ મળ્યું છે, તેવી જ રીતે તૃણમુલ કે કોંગ્રેસ, સમાજવાદી સહિત અન્ય રાજકીય પક્ષોને પણ કેટલું ફંડ આ રીતે મળ્યું છે તેનું અધ્યયન થઈ રહ્યું છે, જોઈએ હવે શું થાય છે તે...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

આવી ગયો ડેમોક્રેસી ફેસ્ટીવલ.... આદર્શ આચાર સંહિતાનો અમલ... રાજકીય ક્ષેત્રે વધી ગઈ હલચલ... જાગૃત મતદાર, દેશનું ભાવિ ઉજજવળ

લોકતંત્રનો મહોત્સવ આવી ગયો, હવે ડેમોક્રેસી ફેસ્ટીવલની ઉજવણી દેશના તમામ લોકોએ સાથે મળીને કરવાની છે, એટલું જ નહીં, કોઈપણ લોભ, લાલચ, ડર, પ્રલોભન કે આળસ વગર દરેક મતદારે મતદાન અવશ્ય કરવાનું છે, કારણ કે જેટલો મતદાર જાગૃત હશે, જેટલું વધુ મતદાન થશે અને જેટલી પારદર્શક, તટસ્થ, ન્યાયી અને મૂકત વાતાવરણમાં ચૂંટણી થશે, તેટલી લોકતાંત્રિક મૂલ્યોની સફળતા ગણાશે, તથા દેશનું ઉજજવળ ભાવિ નક્કી કરી શકાશે.

લોકસભાની ચૂંટણીની સાથે સાથે કેટલાક રાજ્યોની વિધાનસભાઓ તથા ગુજરાત સહિત કેટલાક રાજ્યોમાં પેટાચૂંટણીઓ પણ થવાની છે, ત્યારે મતદારો પાસે પોતાનું જ ઉજજવળ ભવિષ્ય અને મનપસંદ શાસન સ્થાપિત કરવાની સોનેરી તક મળવાની છે, જે કોઈપણ સંજોગોમાં મતદાન કરીને ઝડપી લેવાની જ છે, તેવો નિર્ધાર આજથી જ કરી લેવો જોઈએ, ખરું કે નહીં ?

આદર્શ આચાર સંહિતાનો અમલ થાય, તે પહેલાં જ છેલ્લા એક મહિનાથી ઘણી બધી જાહેરાતો થઈ, ઉપરાછાપરી બેઠકો યોજીને ધડાધડ વિવિધ પ્રકારની મંજુરી અપાઈ, લોકર્પણો અને ખાતમુહૂર્તો થયા, હવે તંત્રો ચૂંટણીના કામે લાગી જશે અને રાજકીય પક્ષોનો ધૂંવાધાર પ્રચાર શરૂ થઈ જશે. મતદારોને રીઝવવા અનેક પ્રકારની રીતરસમો ઉપરાંત મીડિયા, સોશ્યલ મીડિયાના માધ્યમથી પણ જોરદાર પ્રચાર થશે. હવે અખબારો, ન્યૂઝચેનલો અને સોશ્યલ મીડિયાના વિવિધ માધ્યમો દ્વારા ચૂંટણીપંચ દ્વારા થતી કામગીરી અને રાજકીય ગતિવિધિઓના અહેવાલો લોકો સુધી પહોંચશે, જેથી દેશમાં ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ જશે.

લોકસભા ઉપરાંત કેટલીક વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ તથા કેટલાક રાજ્યોમાં પેટાચૂંટણી થવાની હોવાથી મતદારોએ રાજ્ય અને કેન્દ્ર માટે અલગ-અલગ પસંદગી કરવાની થશે, જેથી મતદારોએ પણ મતદાનનો દિવસ રિઝર્વ રાખીને પોતાનું તથા પોતાના પરિવારનું મતદાન સુનિશ્ચિત કરવાની માનસિકતા અત્યારથી જ કેળવવી પડશે, કારણ કે, અત્યંત અનિવાર્ય કારણો હોય,  તે સિવાય મતદાન અહીં કરનારને તે પછીથી કોઈપણ ફરિયાદ કરવાનો 'નૈતિક' અધિકાર નથી અને હોવો પણ ન જોઈએ, ખરું કે નહીં ?

આજે ચૂંંટણીની તારીખ જાહેર થવાની છે, તેવું ગઈકાલે જાહેર થયા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ઉદ્દેશીને જે પત્ર લખ્યો છે, તેના પણ મિશ્ર પ્રત્યાઘાતો પડી રહ્યા છે. તદ્દપરાંત આજથી આદર્શ સંહિતા લાગુ થયા પછી જાહેર સહકારી કાર્યક્રમો, લોકાર્પણો, ખાતમુહૂર્તોનું સ્થાન હવે જંગી ચૂંટણી સભાઓ, રોડ-શો, રેલીઓ, યાત્રાઓ વગેરે લેશે, જો કે, તેની રાજકીય પક્ષ ઉમેદવારના ખર્ચમાં ચૂંટણીપંચ દ્વારા નોંધ અને નિગરાની પણ થશે.

આદર્શ આચાર સંહિતા લાગુ થયા પછી જિલ્લા મેજીસ્ટ્રેટો જિલ્લા ચૂંટણી અધિકારી બની જતા હોય છે અને તેની પાસે વ્યાપક સત્તાઓ આવી જતી હોય છે. આ સંજોગોમાં નાના-મોટા તમામ ચૂંટણી અધિકારીઓએ કોઈપણ રાજકીય પક્ષ, નેતા કે અન્ય પરીબળોના પ્રભાવમાં આવ્યા વગર મૂકત, ન્યાયી અને સુરક્ષિત ચૂંટણી પ્રક્રિયા કરાવવા માટે સજજ થવું પડતું હોય છે, અને તે માટે અલાયદી તાલીમ પણ વખતોવખત અને તબક્કાવાર અપાતી હોય છે. જિલ્લા ચૂંટણી અધિકારીઓની સત્તા એટલી વધી જતી હોય છે કે ચૂંટણીની સભાઓ, રોડ-શો કે રેલીઓ વગેરે માટે વડાપ્રધાન કે મુખ્યમંત્રી આવનાર હોય, તો પણ આયોજકોએ જિલ્લા ચૂંટણી અધિકારીની જ મંજુરી લેવી પડતી હોય છે. લોકસભાની ચૂંટણી સંપન્ન થયા પછી વિજેતા ઉમેદવારને ચૂંટાયેલા જાહેર કર્યા પછી સંસદસભ્ય તરીકે ચૂંટાયા હોવાનું ચૂંટણી પંચનું સર્ટિફીકેટ પણ જિલ્લા કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી જ આપતા હોય છે, આમ આજથી જિલ્લા કલેકટરોની જિલ્લા ચૂંટણી અધિકારી તરીકેની સત્તાઓની સામે જવાબદારીઓ પણ વધી જવાની છે.

ગત ચૂંટણીમાં જામનગર લોકસભાની બેઠક પરથી પૂનમબેન માડમ ર.૩૬ લાખથી વધુ મતોના માર્જીનથી જીત્યા હતા, તે સમયે પૂનમબેન સામે હારેલા ઉમેદવાર મૂળુભાઈ કંડોરિયા અત્યારે ભાજપમાં સામેલ થઈ ગયા છે, અને વિપક્ષમાંથી કોણ ફાઈટ આપશે તેની ચર્ચા થઈ રહી છે, ત્યારે હવે ચૂંટણીનો પ્રચાર આજથી જ વેગીલો બની જશે, એટલું જ નહીં, નેતાઓ તથા કાર્યકરો પણ ચૂંટણી પ્રચારની નવી નવી રીતરસમો આજમાવતા જોવા મળશે, રાજકીય પક્ષો ચૂંટણીપ્રચાર માટે અદ્યતન ટેકનોલોજી અને ઈન્ટરનેટ આધારીત માધ્યમોનો પણ ભરપૂર ઉપયોગ કરતા હોવાથી આદર્શ આચાર સંહિતા હેઠળ નિરીક્ષણ માટે એમ.સી.સી.,એમ.સી.એમ.સી. અને ફલાઈંગ સ્કવોર્ડની સામે નવા પડકારો ઊભા થવાના છે, તે નક્કી છે.

આવો, આપણે બધા આજથી જ પોતપોતાના મતદાન ઉપરાંત પરિવાર અને અડોશી-પડોશી પણ પોતાની ઈચ્છા અને અંતરાત્માના અવાજ મુજબ સ્વસ્થ મતદાન કરે, તે માટે સજજ થઈને લોકતંત્રના આ મહોત્સવને ઉમંગભેર ઉજવવાનો નિર્ધાર કરી લઈએ....

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ગુજરાતમાં એડવોકેટ પ્રોટેકશન એકટ હવે કયારે....?

ગયા વર્ષે રાજસ્થાન સરકારે વકીલોની સુરક્ષા માટે એક કાયદો બનાવ્યો હતો. એ પહેલાં રાજસ્થાનના વકીલોએ આ માંગણીને લઈને કાનૂની કાર્યવાહીનો બહિષ્કાર કરવા સહિતની લડત આપી હતી. ગયા વર્ષે ર૧મી માર્ચે રાજસ્થાનના વકીલોએ આ સંદર્ભે ધન્યવાદ દિવસ પણ મનાવ્યો હતો. એવો દાવો પણ કરવામાં આવ્યો હતો કે આ પ્રકારનો કાયદો ઘડનાર રાજસ્થાન દેશનું પ્રથમ રાજ્ય બની ગયું છે. આ કાયદાનું વિહંગાવ લોકન કરતા જણાય છે કે વકીલો તેમની ફરજ નિડરતાથી બજાવી શકે અને વકીલાતની ફરજો સંદર્ભે તેની સાથે કોઈપણ પ્રકારની તકરાર, હૂમલો, મારપીટ, બળપ્રયોગ, અપહરણ કે અવમાનના થાય તો તેની સામે કડક સજાઓની જોગવાઈઓ કરવામાં આવી છે, અને આરોપીને ૭ વર્ષની જેલ ઉપરાંત દંડની જોગવાઈ પણ થઈ છે. જો વકીલની સંપત્તિને નુકસાન પહોંચાડવામાં આવે તો તેનું વળતર આરોપી દ્વારા અપાવાય તેવી વ્યવસ્થા પણ એ કાયદામાં કરાઈ હોય તેમ જણાય છે. આ પ્રકારની જોગવાઈમાં આખા રાજ્યમાં લાગુ કરવાના અહેવાલો પણ જે-તે સમયે દેશવ્યાપી ચર્ચાનો મુદ્દો બન્યા હતા, અને તેની અસરો હેઠળ અન્ય રાજ્યોમાં પણ આ જ પ્રકારનો કડક કાયદો વકીલોની સુરક્ષા માટે ઘડવાની માંગણી ઉઠવા લાગી હતી. રાજસ્થાન સરકારે આ પ્રકારના પહેલાના કાયદામાં આ ઉપરાંત પણ કેટલાક સુધારા-વધારા કર્યા હોવાના અહેવાલો પણ આવ્યા હતાં.

ઉત્તર પ્રદેશમાં પણ એડવોકેટ પ્રોટેકશન એકટ લાગુ કરવાની વકીલોની માંગણીને લઈને ત્રણ સભ્યોની એક કમિટી બનાવી હતી, જ્યારે કેન્દ્ર સરકારે પણ વર્ષ ૧૮૭૯ ના લીગલ પ્રેકટીશનરો એકટ રદ કરવા અને વર્ષ ૧૯૬૧ ના એડવોકેટ એકટમાં સુધારા વધારા માટે સંસદમાં પહેલ કરી હતી.

એડવોકેટ એકટ ૧૯૬૧ હેઠળ બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયા, સ્ટેટ બાર કાઉન્સીલની વ્યાખ્યા, સ્થાપના અને તેની કાર્યપદ્ધતિ તથા વકીલની વ્યાખ્યા વગેરેની ચર્ચા થઈ હતી, અને તદ્દનુસાર નિયમો બન્યા હોવાનું કહેવાય છે તે ઉપરાંત વર્ષ-ર૦ર૧ મા બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયા દ્વારા એડવોકેટ પ્રોટેકશન અંગે તૈયાર કરાયેલો મુસદે પણ દેશના કાનૂની અને ન્યાય ક્ષેત્રમાં ચર્ચાયો હતો, અને આ માટે નિમાયેલી સમિતિની ભલામણોની વ્યાપક ચર્ચા થઈ હતી, અને વકીલોને કાનૂની, સામાજિક અને વ્યક્તિગત સુરક્ષાની જોગવાઈઓ સૂચવાઈ હતી.

સંયુકત રાષ્ટ્રસંઘની માનવાધિકાર પરિષદે પણ વર્ષ-ર૦૧૭ માં ન્યાયવિદ્દો, વકીલો, પક્ષકારો અને માનવાધિકારો સાથે સંલગ્ન અન્ય લોકો તથા સંબંધિત અધિકારીઓની સાર્વત્રિક સુરક્ષા માટે એક પ્રસ્તાવ મુકાયો હતો, જેમાં સભ્યદેશોને તદ્દવિષયક પ્રબન્ધો કરવાનું સૂચવાયું હોવાની વ્યાપક ચર્ચા થઈ હતી. અને તેના સંદર્ભે કેટલાક દેશોમાં પ્રક્રિયા શરૂ થઈ હોવાની સાથે સાથે મત-મતાંતરો પણ ચર્ચામાં આવ્યા હતાં.

જામનગરમાં વકીલ કિરીટ જોશીની સરાજાહેર હત્યા થયા પછી ભારે ઉહાપોહ થયો હતો, અને તે સમયે ગુજરાતમાં કડક એડવોકેટ પ્રોટેકશન એકટની જરૂર જણાવાઈ હતી અને ઉચ્ચસ્તરે રજૂઆતો પણ થઈ હતી. તે પછી હવે સિનિયર એડવોકેટ હારૂન પલેજાની હત્યા પછી તો માત્ર જામનગર કે હાલાર જ નહીં, પરંતુ રાજ્યભરના વકીલો તથા બાર એસોસિએશનોમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે, અને જબરદસ્ત આક્રોશ જોવા મળી રહ્યો છે. રાજસ્થાનની જેમ ગુજરાત સરકાર પણ જરૂરી સુધારા-વધારા સાથે કડક કાયદો ઘડે અને બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયાનો વર્ષ ર૦ર૧ નો ડ્રાફટ, રાજસ્થાને ગયા વર્ષે ઘડેલો કાયદો તથા દેશ-દુનિયામાં આ પ્રકારના અસ્તિત્વમાં રહેલા કાયદાઓનો ઉંડો અભ્યાસ કરીને એડવોકેટ પ્રોટેકશન એકટ, ગુજરાત-ર૦ર૪ તત્કાલ વિધાનસભાના સત્રમાં રજૂ કરે, અને આ માટે જરૂર પડ્યે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવીને વકીલોની સુરક્ષા સુનિશ્ચિત કરે, તેવી લાગણી સમગ્ર રાજ્યમાં પ્રવર્તી રહી હોય, એ સ્વાભાવિક છે.

છેલ્લા ચાર-પાંચ વર્ષોથી દેશના જુદા જુદા રાજ્યોમાં વકીલો પર થઈ રહેલા હુમલાઓને લઈને દેશની ન્યાયપ્રણાલિ અને સિસ્ટમ સામે પણ પડકારો ઊભા થયા છે. આગ્રા, ગુજરાતના કચ્છ અને જામનગર, તેલંગાણાના પેડ્ડાપલ્લ, મધ્યપ્રદેશના જબલપુર સહિતના વિવિધ રાજ્યોના વકીલો પર હૂમલાઓ તથા હત્યાના બનાવો પછી જેવી રીતે પોલીસતંત્ર-સુરક્ષા ક્ષેત્રના અધિકારીઓના સુરક્ષાના વિશેષ પ્રબન્ધો અને કાનૂનો છે, તેવી જ રીતે એડવોકેટ પ્રોટેકશન એકટની પણ દરેક રાજ્યોમાં તથા કેન્દ્રીયસ્તરે પણ સતત માંગ ઉઠતી રહી છે, ત્યારે હવે ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર ઉપરાંત જે રાજ્યોમાં આ પ્રકારની માંગણી ઉઠી છે, તે રાજ્યો સહિત દેશવ્યાપી કડક કાયદાઓ ઘડાય અને એડવોકેટ પ્રોટેકશન એકટના છત્ર હેઠળ વકીલોને સુરક્ષા મળે તે અત્યંત જરૂરી છે, ખરું કે નહીં ?

જામનગરમાં હારૂન પલેજાની હત્યા પછી બારકાઉન્સીલ ઓફ ગુજરાત એન્ડ ઈન્ડિયાના સભ્ય મનોજભાઈ અનડકટ તથા જામનગર બાર એસોસિએશનના પ્રમુખ ભરતભાઈ સુવાએ આ મુદ્દે જે આકરા પ્રત્યાઘાતો આપ્યા, તે પછી તેના ગાંધીનગર અને દિલ્હી સુધી પડઘા પડ્યા જ હશે, હવે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા કડક જોગવાઈઓ સાથેના એડવોકેટ પ્રોટેકશન એકટને લઈને કેવા કદમ ઉઠાવે છે, તે જોવાનું રહ્યું....

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

વધુ જવાબદાર કોણ ? પરીક્ષા ચોરી કરનાર, કરાવનાર કે આંખ આડા કાન કરનાર ?

''વાડ ચીભડા ગળી જાય, ત્યારે કોઈ શું કરે ?'તેવી એક કહેવત છે, જે બોર્ડની પરીક્ષાઓમાં થતી ગરબડો તથા પરીક્ષાચોરીની ઘટનાઓને આબેહુબ લાગુ પડે છે, હવે તો ધોરણ ૧૦ અને ધોરણ ૧ર ના પરીક્ષાર્થીઓના ઘણાં બધા વાલીઓ તથા પરિવારજનો પણ પોતાના સંતાનો કે ભાઈ-બહેનોને પૂરેપૂરી તૈયારી અને મહેનત કરીને પરીક્ષા અપાવવા કરતાં યે વધુ તેને પરીક્ષાચોરી કરવાની સગવડ મળી જાય, તે માટે વધુ પ્રયાસો કરતા હોય છે જે ખરેખર ખૂબ જ શરમજનક અને દુર્ભાગ્યપૂર્ણ છે.

ગઈકાલે કરમસદ અને તારાપુરમાં સામૂહિક પરીક્ષાચોરીની જે ઘટના બની, તેની શાહી હજુ સુકાઈ નહોતી ત્યાં બપોર પછી પણ પરીક્ષા ચોરી પકડાઈ હોવાના અહેવાલો આવવા લાગ્યા અને જામનગરમાં પણ કોપીકેસ (પરીક્ષાચોરીનો કેસ) થયો હોવાના અહેવાલો પછી છોટીકાશી અને હાલારમાં પણ એ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો અને જામનગરના શિક્ષણ જગતને પણ કાળી ટીલી લાગી ગઈ.

કરમસદમાં તો ભૂગોળની પરીક્ષા ચાલી રહી હતી, ત્યારે પરીક્ષા કેન્દ્રની મુલાકાતે ત્યાંના જિલ્લા શિક્ષણાધિકારી પહોંચ્યા ત્યારે તેમણે જ 'લાઈવ' પરીક્ષાચોરી ઝડપી લીધી હતી. તેઓ પહોંચ્યા ત્યારે તેણીએ જોયુ કે કોઈ શખ્સ બારીમાંથી પ્રશ્ન પેપરના જવાબો લખાવી રહ્યો હતો. અધિકારી મેડમે તેને જોઈ લીધો, તેની ભનક પડતા જ તે શખ્સ ભાગી છુટ્યો. આ વર્ગમાં મોટાભાગના વિદ્યાર્થીઓ કાં તો રિપિટર હતા અથવા તો બાહ્ય (એકસ્ટનલ) પરીક્ષાર્થીઓ હતા, અને ત્યાં આ રીતે પરીક્ષાચોરી કરાઈ (કરાવાઈ) રહી હતી. એ ઉપરાંત તારાપુરના પરીક્ષા કેન્દ્રમાં પણ આ જ પદ્ધતિથી અનધિકૃત વ્યક્તિ દ્વારા ચોરી કરાવાઈ રહી હોવાની વાતો વહેતી થતાં ગઈકાલે આ મુદ્દો રાજ્યભરમાં ચર્ચાનો મુદ્દો બન્યો હતો.

જો કે, ખુદ શિક્ષણાધિકારી દ્વારા આ ચોરી ઝડપાઈ હતી, તેથી ત્વરિત કેટલાક કદમ પણ ઉઠાવાયા અને કેટલાક સ્ટાફને તત્કાળ બદલી નખાયો હતો, અને પોલીસ બંદોબસ્ત પણ વધારી દેવાયો હતો, પરંતુ આ બધું ઘોડા ભાગી ગયા પછી તબેલાને તાળા મારવા જેવા પુરવાર થયું હતું.

એ પછી 'ટોક ઓફ ધ સ્ટેટ' બનેલા આ મુદ્દે અનેક પ્રકારના સવાલો પણ ઉઠ્યા હતાં. પરીક્ષા કેન્દ્રમાં કોઈ અજાણ્યો કે બહારનો વ્યક્તિ પ્રવેશી શક્યો જ કેવી રીતે ? શું અહીં કોઈ સુરક્ષા વ્યવસ્થા જ નહોતી કે પછી તેમાં ગાબડું પાડવામાં આવ્યું હતું ?

આ ચોરી કરાવાઈ રહી હતી, ત્યારે પરીક્ષાખંડમાં નિરીક્ષક શિક્ષકો શું કરી રહ્યા હતાં ? શું તેઓ પણ આ હરકતમાં સંડોવાયેલા હતાં. એવા સવાલો પણ ઉઠી રહ્યા છે કે પરીક્ષા કેન્દ્રના ઈન્ચાર્જ, ઈન્સ્ટ્રકટર, સ્ટાફ દ્વારા આંખ આડા કાન શા માટે કરવામાં આવ્યા હતા ? પરીક્ષા કેન્દ્રના આચાર્ય, અન્ય સ્ટાફ, શિક્ષકોનું ધ્યાન નહોતું ગયું કે પછી પરીક્ષા કેન્દ્રનું પરિણામ સુધારવા માટે બધાએ સાથે મળીને પરીક્ષાચોરીનો માસ્ટર પ્લાન ઘડીને અમલમાં મૂક્યો હતો? આ પ્રકારે પરીક્ષાચોરી પરીક્ષા લેનાર શિક્ષકોની મદદ વગર સંભવ બને ખરી ?

હવે આ તમામ બાબતે શિક્ષણ વિભાગ તપાસ કરીને કડકમાં કડક શિક્ષાત્મક પગલાં લેવાશે, તેવા દાવા કરી રહ્યો છે અને ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ દ્વારા પણ કેટલીક માહિતી અપાઈ હતી, પરંતુ આ પ્રકારનું પરીક્ષાચોરીનું કલ્ચર વિસ્તરી રહ્યું હોય અને પરીક્ષા ચોરી થતી અટકાવવા નિમાયેલા પહેરેદારોની મીઠી નજર હેઠળ જ જો પરીક્ષાચોરી કરાવાઈ રહી હોય તો તે ગુજરાત  માટે લાંછનરૃપ છે, અને ભાવિ પેઢીની કારકીર્દિ સાથે પણ ચેડાં જ ગણાય, પરીક્ષાચોરી કરમસદ-તારાપુર-આણંદની હોય, જામનગરની હોય કે અન્ય કોઈપણ સ્થળની હોય, તેની જવાબદારી તો સંબંધિત તંત્રો, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણબોર્ડ અને રાજ્ય સરકારના શિક્ષણ વિભાગની જ ગણાય ને ? આ મુદ્દે રાજ્યના શિક્ષણમંત્રી પણ ભવિષ્યમાં અને વર્તમાનમાં પણ આ પ્રકારની સામૂહિક કે વ્યક્તિગત ચોરી સદંતર થશે જ નહીં, તેવી 'ગેરંટી' આપી શકશે ખરા ?

ગુજરાતમાં આ બધું શું થઈ રહ્યું છે ? કયાંક પરીક્ષાચોરીનું કૌભાંડ થઈ રહ્યું છે, તો કયાંક ભરતીમાં ગરબડની રાવ ઉઠી રહી છે. જામનગરમાં ફરીથી એક વકીલની સરાજાહેર હત્યા થઈ છે તો પોરબંદર જિલ્લાનું સરકારી અનાજનું કૌભાંડ ચર્ચામાં છે. કયાંક 'નકલી' ના કારસા ઘડાયા છે તો રાજ્યમાં કયાંક લાખો રૃપિયાના ફ્રોડ થઈ રહ્યા છો.

પરીક્ષા ચોરીના મુદ્દે કોંગ્રેસના પ્રવકતા મનિષ દોશીએ પણ કહ્યું છે કે સ્ટાફની બદલી કરીને સંતોષ માનવાના બદલે સીસીટીવીના આધારે કડક પગલા લેવાય, ઉંડી તપાસ થાય અને આ પ્રકારની ગરબડો થતી અટકે, તે માટે સરકારે ઝડપી અને પારદર્શક પગલાં લેવા જોઈએ.

લોકો પણ આ અંગે ધારદાર અને અણીયાણા સવાલો વિવિધ માધ્યમો દ્વારા પુછી રહ્યા છે. લોકો પુછે છે કે પરીક્ષચોરી માટે જવાબદાર કોણ અને સૌથી વધુ જવાબદાર કોણ..પરીક્ષા ચોરી કરનાર, માથે રહીને પરીક્ષા ચોરી કરાવનાર, પરીક્ષાચોરી થતી હોય ત્યારે આંખ આડા કાન કરનાર કે પછી પકડાયા પછી 'ચોર' અને 'ચોરોના મદદગારો' ને છાવરનાર ? ... છે કોઈની પાસે કોઈપણ સવાલનો સાચો જવાબ ?

હકીકતે ગુજરાતમાં તંત્રો જાણે નિરંકૂશ થઈ રહ્યા છે... કાવતરાખોરો પેધી ગયા છે અને કર્મચારીઓ આંદોલનના મૂડમાં છે, નેતાઓ લોકસભાની ચૂંટણીની તૈયારીઓમાં વ્યસ્ત છે.... કોણ જાણે શું થશે ગરવા ગુજરાતનું હવે?

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

વોટર કનેકટેડ એક્ટિવિટી માટે નક્કર પોલિસી નક્કી થશે કે પછી કુલડીમાં ગોળ ? અખબારો-મીડિયા-સોશ્યલ મીડિયાના અભિપ્રાયો ધ્યાને લેવાશે ખરા...?

ગુજરાત સરકાર હવે બોટીંગ, અંડરવોટર એક્ટિવિટીઝ એડવેન્ચર્સ, રોપ-વે, એડવેન્ચર સ્પોર્ટસ, તરણસ્પર્ધાઓ, હોડી સ્પર્ધાઓ તથા ફેરી બોટ સર્વિસીઝ, ફીશીંગ વગેરે તમામ પ્રકારની વોટર કનેકટેડ એક્ટિવિટીઝને સાંકળીને નવી એડવેન્ચર એન્ડ વોટર કનેકટેડ સર્વિસિઝ - પોલિસી બનાવવાની તૈયારીમાં હોવાના સંકેતો મળી રહ્યા છે, જે વ્યક્તિગત અને રાષ્ટ્રીય સુરક્ષા તથા જનજિદગીઓ સાથે સંકળાયેલું અત્યંત મહત્ત્વપૂર્ણ અને અનિવાર્ય કદમ હશે.

હરણી તળાવની દુર્ઘટના પછી આ ક્ષેત્રે જે પોલંપોલ બહાર આવી અને જે લોલંલોલ ચાલી રહ્યું હતું, તે પછી સરકારી તંત્રો, પાલિકા-મહાપાલિકાઓના તંત્રો સાથે લેભાગુ ઈજારેદારો વચ્ચે કેવી સાઠગાંઠ હોય છે, અને તેમાંથી કેવી રીતે કરૂણાંતિકાઓ સર્જાઈ શકતી હોય છે, અને માનવજિંદગીઓ સાથે ખિલવાડ થતો હોય છે, તેનો પર્દાફાશ થઈ ગયો છે.

એ દુર્ઘટના પછી સરકાર સફાળી જાગી અને શિવરાજપુર સહિતના તમામ બીચ, દરિયાકાંઠાના વિસ્તારો, જળાશયો, નદીઓ અને સરોવરોમાં બોટીંગ, અંડરવોટર એક્ટિવિટીઝ અને વોટર કનેકટેડ એડવેન્ચર્સ પર અંકુશો મૂકયા, પરંતુ તેની સામે ગૂપચૂપ રીતે ખૂબ જ વગદાર અને ઉપર સુધીની પહોંચ ધરાવતી આ પ્રકારની જળ-એક્ટિવિટીઝ સાથે સંકળાયેલી સ્થાપિત હિતોની ટોળકીઓ એક્વિટ થઈ ગઈ અને હવે આ એક્ટિવિટીઝને કાનૂની સ્વરૂપનો માર્ગ શોધી કાઢવામાં આવ્યો હોવાની આશંકાઓ પણ જનમાનસમાં પ્રગટવા લાગી છે.

દ્વારકામાં વડાપ્રધાને ડૂબકી મારીને ડૂબેલી દ્વારકાના દર્શન કર્યા, અને તાજેતરમાં અમદાવાદમાં ગાંધીઆશ્રમના નવીનીકરણનો પ્રોજેકટ, રેલવે સુવિધાઓના પ્રોજેકટો તથા ૧૦ નવી વંદેભારત ટ્રેનોને લીલીઝંડી આપવાના પ્રસંગે વર્ચ્યુલ સંબોધનમાં ફરીથી તેનો ઉલ્લેખ કર્યો છે તે પછી દ્વારકાના દરિયાકિનારે ડૂબેલી દ્વારકા નિહાળવાનું એડવેન્ચર કરવાની તાલાવેલી ઘણાં લોકોને જાગી હશે, તેથી આ પ્રકારના સ્કૂબા ડાઈવીંગની પ્રવૃત્તિ માટે સરકાર સ્વયં જ પ્રવાસન નિગમ, કેન્દ્રીય ટુરિઝમ ડિપાર્ટમેન્ટ, ભારતીય નૌકાદળ અને મરીન એન્વાયર્મેન્ટ ડિપાર્ટમેન્ટ્સ વચ્ચે સંકલન કરાવીને કોઈ સુરક્ષિત યોજના બનાવે, અથવા સબમરીન દ્વારા ડૂબેલી દ્વારકાના દર્શનની સુરક્ષિત યોજના બનાવે, તેવી આકાંક્ષાઓ પણ લોકોમાં ઉઠી રહી છે.

ગુજરાત સરકાર જ્યારે આ પ્રકારની એક્ટિવિટીઝ માટે નવી પોલિસી નક્કી કરવા જઈ રહી છે, ત્યારે અંડરવોટર એડવેન્ચર્સ અને સ્કૂબા ડાઈવીંગ જેવી પ્રવૃત્તિઓ માટે પણ એવી નક્કર પોલિસી ઘડો કે જેથી આ પ્રકારની એક્ટિવિટી કે એડવેન્ચર કે પછી ડૂબેલી દ્વારકાના દર્શન કરવા જાય, તેની સુરક્ષા પણ જળવાઈ રહે, દુર્ઘટનાની કોઈ સંભાવના જ ન રહે અને આ પ્રકારની એક્ટિવિટી કરવા ઈચ્છતા તમામ લોકોને નફાખોરી, શોષણ કે મોનોપોલી કે જોહૂકમી, ઉઘાડી લૂંટ નો ભોગ બનવું ન પડે, સર્વસામાન્ય અભિપ્રાય એવો છે કે આ માટે સરકાર સ્વયં જ કોઈ અનુભવી અને પર્યાપ્ત સુવિધાઓ ધરાવતી જાયન્ટ અંડરવોટર ઓથોરિટી ઊભી કરીને અંડરવોટર દ્વારકા દર્શન તથા સ્કૂબા ડાઈવીંગ જેવી અંડરવોટર એક્ટિવિટીઝ ચલાવે.

હરણી તળાવ જેવી દુર્ઘટનાઓ ટાળવા માટે હવે સંબંધિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ તથા રાજ્ય-કેન્દ્ર સરકારના સંબંધિત વિભાગોએ પોતે જ હવે આગળ આવવું પડશે અને જવાબદારી ઉઠાવવી પડશે. માત્ર પ્રાઈવેટ ઈજારેદારોને પરવાના (લાયસન્સ) આપીને છુટી જવાના બદલે સંબંધિતોએ સ્વયં સામેલ થવું પડશે અને પીપીપી મોડેલથી કે સરકાર અથવા પંચાયત-પાલિકા-મહાપાલિકા દ્વારા જ આ પ્રકારની પ્રવૃત્તિઓ ચલાવાય, અને કોઈપણ ક્ષતિ, કચાશ કે દુર્ઘટના માટે સામૂહિક અને વ્યક્તિગત રીતે તંત્રો તથા સંબંધિત શાસકો-બોડીની જવાબદારી પણ નક્કી કરવી જોઈએ, તેમ નથી લાગતું ?

રાજ્ય સરકારે આ માટે ૧૩ સભ્યોની કમિટી બનાવી છે, જે ઈનલેન્ડ વોટર, અંડરવોટર એક્ટિવિટીઝ, બોટીંગ સહિતની જુદી જુદી પ્રવૃત્તિઓ માટે કાનૂની પ્રક્રિયા એટલે કે લીગલ ફ્રેમ વર્ક, નોંધણી, સર્ટિફિકેશન, એન્ફોર્સમેન્ટ, સંચાલન, જવાબદારીઓ અને શરતો-નિયમો તથા ખાસ કરીને નફાખોરી, શોષણ કે ઉઘાડી લૂંટ સામે ચોક્કસ કડક નિયમો, નિષ્ણાતો અને જવાબદારીઓની જોગવાઈઓ કરશે, તેવી આશા રાખવામાં આવી રહી છે અને જો એવું નહીં થાય, તો આ સઘળી પ્રક્રિયા એક પૂર્વઆયોજીત ડ્રામેબાજી જ પુરવાર થશે, તે પણ ભુલવું ન જોઈએ.

હરણી દુર્ઘટના પછી તત્કાળ તો જે પગલાં લેવાયા હોય, તે ખરા, પરંતુ રાજ્યના તમામ જળાશયોમાં ચાલતા બોટીંગસહિતની જળસંબંધિત પ્રવૃત્તિઓનું ફરીથી ઈન્સ્પેકશન કરાઈ રહ્યું છે, તે સારી વાત છે એવું પણ બહાર આવ્યું છે કે અત્યાર સુધીમાં ર૭ જળાશયોમાં ચાલતું બોટીંગ બંધ કરાવાયું છે. આ ઉપરાંત હવે દરિયાકિનારે, કચ્છના અખાતમાં, મરીન નેશનલ પાર્કના વિસ્તારોમાં, બીચ પર કે ચોપાટીઓ, ટાપુઓ નજીક કોઈપણ સ્થળે વોટર કનેકટેડ પ્રવૃત્તિઓ ચાલતી હોય, તો તે પણ અંકુશમાં લેવી અત્યંત જરૂરી છે તેમ નથી લાગતું ?

જો કે, રાજ્ય સરકારે આ સઘળી માહિતી હાઈકોર્ટને આપી, ત્યારે ખબર પડી કે સરકાર આ પ્રકારની કોઈ નક્કર પોલિસી અને ચોક્કસ કાયદો ઘડવા જઈ રહી છે. હાઈકોર્ટે પણ સરકારને ટકોર કરી છે કે જે કાંઈ નીતિ-નિયમો ઘડાય, તે જનરલ નહીં, પરંતુ ચોક્કસ હેતુ ધરાવતા, નક્કર, પરિણામલક્ષી અને સ્પષ્ટ હોવા જોઈએ, મતલબ કે તેવા સ્થાપિત હિતોના હિતાર્થે કોઈ છટકબારી ન હોવી જોઈએ. આ તમામ મુદ્દાઓને લઈને એપ્રિલમાં થનારી સુનાવણી દરમિયાન અદાલત સમક્ષ આ સમિતિએ પણ કુલડીમાં ગોળ ભાંગવાના બદલે રાજ્યભરમાં ઠેર-ઠેર લોક-સુનાવણી જેવા કાર્યક્રમો યોજીને, ઈ-મેઈલ, પત્રો દ્વારા, સોશ્યલ મીડિયા દ્વારા ઓનલાઈન અભિપ્રાયો મેળવવા ખાસ મિકેનિઝમ ઊભું કરવું જોઈએ, અને નાના-મોટા તમામ અખબારો તથા ન્યુઝ ચેનલોના માધ્યમથી વ્યકત થતા વિચારો-અભિપ્રાયોની ખાસ નોંધ લેવી જોઈએ, ખરું ને ?

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

લોકસભાની ચૂંટણી ટાણે શાસક-વિપક્ષના ગઠબંધનો અને તેની સામેના પડકારો...

'કહીં કી ઈંટ ઔર કહીં કા રોડા, ભાનુમતીને કૂનબા જોડા' તેવો કટાક્ષ કરતા રાજકીય પક્ષોએ હવે કેન્દ્રીય કક્ષાએ લોકસભાની ચૂંટણીને લઈને પોતપોતાના ગઠબંધનો વિસ્તાર્યા છે. એનડીએ અને આઈએનડીઆઈએ (ઈન્ડિયા) ગઠબંધનોમાં જે પક્ષો સામેલ નથી થયા, તેઓ ત્રીજા છુટછવાયા ગઠબંધનોની ભૂમિકામાં હશે. બન્ને મુખ્ય ગઠબંધનોમાં હજુ સીટ શેરીંગની પ્રક્રિયા સંપન્ન થઈ નથી, પરંતુ જેમ જેમ ઉમેદવારોનું લિસ્ટ જાહેર થતું જાય છે, તેમ તેમ છુપો અસંતોષ બહાર આવતા કેટલાક દિગ્ગજ નેતાઓ વિદ્રોહ કરી રહેલા પણ જણાય છે.

એક તરફ ભાજપનો ભરતી મેળો ચાલી રહ્યો છે, તો બીજી તરફ ભાજપના કેટલાક દિગ્ગજ નેતાઓ પણ પાર્ટી સાથે છેડો ફાડીને પક્ષાંતર કરી રહ્યા છે. રાજસ્થાનના ચુરૂ મત વિસ્તારમાં બે ટર્મથી ભાજપના સાંસદ રહેલા રાહુલ કસ્વા અને હરિયાણાના હિસારના ભાજપના સાંસદ બૃજેન્દ્રસિંહ ચૌધરીએ ભાજપને રામરામ કરીને કોંગ્રેસનો ખેસ ધારણ કરી લેતા ભારતીય જનતા પક્ષ અને એનડીએને બન્ને રાજ્યોમાં જબરો ફટકો પડ્યો છે અને તેની અસરો આજુબાજુની અન્ય લોકસભા બેઠકો તથા પડોશી રાજ્યોમાં પણ થવાની છે. હજુ જેમ જેમ ઉમેદવારોની યાદી જાહેર થતી જશે, અને નવા આગંતુકોને એટલે કે અન્ય પક્ષમાંથી તાજેતરમાં જ પક્ષપલટો કરીને આવેલા નેતાઓને ભાજપ ટિકિટ આપશે અથવા ભાજપના સાંસદ તરીકે કે પક્ષના કાર્યકર્તા કે નેતા તરીકે વર્ષોથી પ્રામાણિકતાથી નિષ્ઠાપૂર્વક કામ કરનારની અવગણના થશે, તો હજુ પણ ભાજપમાંથી અન્ય પક્ષમાં જોડાનાર શાસક પક્ષના નેતાઓની સંખ્યા વધશે, તેમ જણાય છે.

આ બન્ને નેતાઓએ પોતાની ટિકિટ કપાયા પછી જે વેદના વ્યકત કરી છે, અને ભાજપ સામે સવાલો ઉઠાવ્યા છે, તેનો સારાંશ એ જ નીકળે છે કે તેઓની ટિકિટ કપાઈ જતાં તેઓએ પક્ષપલટો કર્યો છે, અને તેની સેવાઓની યોગ્ય કદર થઈ નહીં હોવાનો તેઓને વસવસો છે.

બીજી તરફ કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષો, તટસ્થ પક્ષો અને એનડીએની સાથે રહેલા પક્ષોમાંથી ભાજપમાં પણ ઘણાં બધા નેતાઓ પક્ષાંતર કરી રહ્યા છે, અને તેઓનો પોતાની પાર્ટી પ્રત્યેનો અસંતોષ પણ આવી જ રીતે પ્રગટ થઈ રહ્યો છે.

બીજી તરફ વડાપ્રધાન મોદી વિવિધ વર્ચ્યુલ કાર્યક્રમો તથા જનસભાઓ દરમિયાન લોકો સાથે સીધો સંવાદ કરવાની રણનીતિ અપનાવી રહ્યા છે અને પરોક્ષ રીતે એનડીએનો પ્રચાર થઈ રહ્યો હોવાના કટાક્ષો પણ થઈ રહ્યા છે, ત્યારે સોશ્યલ મીડિયામાં મિકસ માર્શલ આર્ટ ખેલાડી (એમએમએ ફાઈટર) ચૂંગરેંગ કોરેન વડાપ્રધાનને ઉદ્દેશીને કરેલ અપીલ પણ વાયરલ થઈ રહી છે, અને આ અપીલને વિપક્ષના નેતાઓ શેર અને ટેગ કરીને મોદી સરકાર પર વાક્યપ્રહારો પણ કરી રહ્યા છે, જેમાંથી એક નવી જ ચર્ચા જન્મી છે.

હકીકતે ચંુગરેંગે વડાપ્રધાનને એક વખત મણીપુરની મુલાકાત લેવાની દર્દભરી અપીલ કરતા કહ્યું હતું કે, મણીપુરમાં છેલ્લા એક વર્ષથી હિંસા થઈ રહી છે, લોકો મરી રહ્યા છે, બાળકો યોગ્ય રીતે અભ્યાસ પણ કરી શકતા નથી. મોદીજી, તમે એક વખત મણીપુર આવીને અમારી મદદ કરો, રાહત શિબિરોમાં ભોજન પાણીની પણ અછત છે, ઝડપથી મદદ કરો, પ્લીઝ !

એકસ પર આ વીડિયોને શેર કરીને વિપક્ષી નેતાઓએ ભાજપ અને વડાપ્રધાન પર નિશાન સાધ્યું છે, તો કોંગ્રેસ આ વીડિયો સંદર્ભે કહ્યું કે તેઓ મણીપુરનું દુઃખ સમજી જ શકયા નથી. આમ આદમી પાર્ટીએ પણ વડાપ્રધાનને મણીપુરની મુલાકાત લઈને કહ્યું કે ખેલ સ્પર્ધામાં વિજય મેળવીને મેડલ મેળવનાર ખેલાડીઓ પણ આ મુદ્દે રડી રહ્યા છે, આખા દેશની મોદીજીએ આવી જ હાલત કરી નાંખી છે, વગેરે.'

આ આક્ષેપો તથા ભાજપની નેતાઓના પક્ષાંતરના મુદ્દે એનડીએ તથા ભાજપના નેતાઓ વળતા પ્રહારો કરી રહ્યા છે, અને ટિકિટ નહીં મળતા કોંગ્રેસમાં જોડાનાર નેતાઓને મહત્વાકાંક્ષી ગણાવીને વધુ કાંઈ કહી રહ્યા નથી, જે ઘણું જ સૂચક છે.

કેન્દ્ર સરકારે સીએએના અમલીકરણ માટે નોટિફિકેશન બહાર પાડ્યું, તેનો શાસક અને વિપક્ષી ગઠબંધનોને કેટલો ફાયદો થશે, અને કેટલું નુકસાન થશે, તેની ચર્ચા પણ જોરશોરથી થઈ રહી છે.

ગઈકાલે સુપ્રિમ કોર્ટે આપેલા આદેશ મુજબ એસબીઆઈએ આજે સાંજ સુધીમાં ઈલેકટ્રોરલ બોન્ડની તમામ વિગતો રજુ કરવા આદેશ આપ્યો અને તે પછી ચૂંટણીપંચને તમામ વિગતો વેબસાઈટ પર મૂકવા આદેશ આપ્યો, તેથી આ બોન્ડ દ્વારા કયા રાજકીય પક્ષને કોના તરફથી કેટલું ફંડ મળ્યું, તે વિગતો જાહેર થઈ જશે. આ ભરેલા નાળિયેર જેવી સ્થિતિમાં સૌથી વધુ ચિન્તા શાસક પક્ષોના ગઠબંધનને હશે, કારણ કે સૌથી વધુ ફંડ શાસક પક્ષના ગઠબંધનને અને તેમાં પણ સૌથી વધુ ફંડ ભારતીય જનતા પક્ષને જ મળ્યું હોવાનું તો પહેલેથી જ જાહેર થઈ ગયું છે, હવે આ ફંડ કોણે આપ્યુ તેના પર સૌ કોઈની નજર મંડાયેલી હશે, જોઈએ હવે શું થાય છે તે....

યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશને ભારત સાથે મહત્ત્વપૂર્ણ કરારો કર્યા, તેને પણ વિશ્લેષકો મોદી સરકારની મોટી સિદ્ધિ ગણાવી રહ્યા છે, કારણ કે સામાન્ય ચૂંટણીઓ પહેલા આ પ્રકારના કરારો થાય, તેનો મતલબ એવો થાય કે વર્તમાન સરકાર જ ફરીથી સત્તામાં આવશે, તેવો કરાર કરનાર ફોરેન કન્ટ્રીઝ અથવા વિદેશી જૂથોને પ્રબળ વિશ્વાસ હોય....! જોઈએ, હવે શું થાય છે તે....

વિપક્ષી ગઠબંધન ઈન્ડિયા સામે પણ પડકારો વધી રહ્યા છે. ગુજરાત જેવા રાજ્યમાં તો કોંગ્રેસના દિગ્ગજ નેતાઓના પક્ષાંતર પછી રાજકીય અસ્તિત્વ ઉપરાંત વિશ્વસનિયતાનો પડકાર પણ કોંગ્રેસ સામે ઊભો થયો છે, તો કાર્યકરો પણ મોટી સંખ્યામાં પક્ષાંતર કરી રહ્યા હોવાથી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી માટે લોકસભાની ચૂંટણી માટે ગ્રાસરૂટ લેવલ સુધી પ્રચાર અને પરિણામો સુધીનું નેટવર્ક નવેસરથી ઊભું કરવાનો પડકાર પણ ઉભો થયો છે. દેશના અન્ય કેટલાક રાજ્યોમાંથી પણ કોંગ્રેસના કાંગરા ખડી રહ્યા છે, ઈન્ડિયા ગઠબંધનને મમતા બેનર્જીએ ફટકો આપ્યા પછી અન્ય કેટલાક રાજ્યોમાં પણ સીટ શેરીંગ અટકી પડ્યું હોવાની સ્થિતિમાં એનડીએ સામે એકજૂથ થઈને એક જ સંયુકત ઉમેદવાર ઊભો કરવાનું લક્ષ્ય સિદ્ધ થશે કે કેમ, તેમાં પણ શંકા ઊભી થઈ છે, ત્યારે જોઈએ, શું થાય છે તે .....

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

સમય સમય બલવાન હૈ... વિદ્યાર્થીઓ પછી કોની કસોટી ? પરીક્ષાર્થીઓને શુભકામનાઓ...

જામનગરના પૂર્વ રાજવી જામ વિભાજીએ વર્ષ ૧૮૮૦ માં રાજકોટમાં બંધાવેલો જામટાવર અદ્યતન બનશે અને તેનું મૂળસ્વરૃપ જાળવી રાખીને ફરીથી ડંકા વગાડશે તેવા અહેવાલો પછી જામનગરના તમામ ટાવરો પણ સાચો ટાઈમ બતાવશે અને આપણી રાજવીકુળની ભવ્ય સંસ્કૃતિને પ્રજજવલિત કરતા આ ટાવરોના ડંકા ફરીથી ગુંજતા થશે, તેવી આશા નગરજનોને જાગી જ હશે, અને વખતોવખત ઐતિહાસિક અને પૌરાણિક, પ્રાચીન સ્થળોનું નવીનીકરણ કરીને ભવ્ય કલાત્મક વારસો જાળવી રાખવાની યોજનાઓમાં આ પ્રકારની ઘડિયાલો સાથેના ટાવર્સનો પણ સમાવેશ થશે, તેવા સંકેતો જોતા માત્ર જૂની સમયદર્શક ઘડિયાલો ધરાવતા ટાવર્સ જ નહીં, પરંતુ નગરો-મહાનગરોના નાના-મોટા તમામ હેરિટેજ સ્થળોના નવીનીકરણ અને મૂળસ્વરૃપ જાળવી રાખીને તેનું આધુનિકરણ કરવાની દિશામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ તથા સરકાર આગળ વધશે તેમ જણાય છે.

આ ટાવર્સ ત્યારે ઊભા કરાયા હતાં, જ્યારે દેશના પ્રત્યેક પરિવાર પાસે સમયદર્શક ઘડિયાલો નહોતી અને સમયની ગણતરી વૃક્ષોના પડછાયા, સૂર્ય-ચંદ્રના પ્રકાશ અને ઘરના છાંયડાના આધારે થતી હતી. એ સમયમાં આ પ્રકારની ઘડિયાલો સામૂહિક સમય દર્શાવતી હતી, હવે સમય પણ બદલાયો છેઘ ઘડિયાલો પણ બદલાઈ છે અને લગભગ પ્રત્યેક વ્યક્તિના હાથમાં રહેલા મોબાઈલ સેલફોનમાં સમય નિહાળવવામાં આવી રહ્યો છે.. અને આજના સ્પર્ધાત્મક યુગમાં નવી પેઢીની કારકીર્દિની બુનિયાદ સમી ધોરણ-૧૦ અને ધોરણ-૧ર ની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી પરીક્ષાઓ પણ આજથી જ શરૃ થઈ રહી છે, ત્યારે આ પરીક્ષાઓમાં બેસનાર તમામ પરીક્ષાર્થીઓને હૃદયપૂર્વક સફળતાની શુભેચ્છાઓ પાઠવીએ, અને પરીક્ષાઓ બિનજરૃરી હાઉ રાખ્યા વિના પરીક્ષા આપીને પરીક્ષાર્થીનો સફળતાપૂર્વક પોતાની ભાવી કારકીર્દિમાં આગળ વધે, તેવા અંતઃકરણપૂર્વકના આશીર્વાદ આપીએ.

અત્યારે બોર્ડની પરીક્ષાઓની સાથે સાથે રાજકીય પક્ષો અને નેતાઓ માટે પણ આકરી કસોટીનો સમય શરૃ થયો હોય, તેમ જણાય છે. ખાસ કરીને વિપક્ષી ગઠબંધન ઈન્ડિયા ગઠબંધનમાં બધું બરાબર જણાતું નથી અને બીજી તરફ ભાજપમાં ભરતીય મેળો જામ્યો હોય તેમ વિપક્ષના દિગ્ગજ નેતાઓ સહિતના નેતાઓ-કાર્યકરો કેસરિયા કરી રહ્યા છે, ત્યારે ઘણાં લોકો એવો કટાક્ષ પણ કરી રહ્યા છે કે હવે ભાજપનું કોંગ્રેસીકરણ થઈ રહ્યું છે.... જોઈએ હવે શું થાય છે તે... કારણ કે સમય સમય બલવાન હૈ... નહીં પુરૃષ બલવાન...

રાજ્યમાં ૧પ લાખથી વધુ પરીક્ષાર્થીઓના ભાવિનું આજે ઘડતર થવાનું છે, અને તેની સાથે જ જાણે કે સપનાંઓનું વાવેતર પણ થઈ રહ્યું છે, ત્યારે અત્યારે માત્ર પરીક્ષા પર જ લક્ષ્ય કેન્દ્રીત કરીને એકાગ્રતાથી પેપર આપવાના છે, અને એક પેપર આપ્યા પછી તેમાં કેટલા માર્કસ આવી શકે છે, તેની અટકળો કરવાના બદલે પછીના પેપરની તૈયારી કરવામાં લાગી જવું જ હિતાવહ વે, કારણ કે બધા પેપર પૂરા થઈ જાય, તે પછી પણ આ પ્રકારનો અંદાજ તો લગાવી જ શકાય છે ને ?

બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થતાં જ તમામ સરકારી તંત્રો લોકસભાની ચૂંટણીઓની તૈયારીમાં લાગી જશે અને ચૂંટણી પ્રચારની આંધી ફૂંકાઈ રહી હશે, તેવા માહોલમાં આ પરીક્ષાઓના પરિણામો આવશે, અને ભવિષ્યની યોજનાઓ પરીક્ષાર્થીઓએ પણ ઘડવી પડશે. બીજી રીતે કહીએ તો પહેલા બોર્ડની પરીક્ષાઓમાં  પરીક્ષાર્થીઓનું ભાવિ નક્કી થવાનું છે, તેવી જ રીતે તે પછી જનતાની કસોટીએ ચડીને નેતાઓનું ભાવિ પણ નક્કી થવાનું છે. મતદારો માટે પણ ચૂંટણીમાં મતદાન કરવું, એ એક પ્રકારનો અવસર પણ હોય છે અને બીજી દૃષ્ટિએ યોગ્ય ઉમેદવાર અને યોગ્ય રાજકીય પક્ષની પસંદગી કરવાની કસોટી પણ હોય છે. તફાવત એટલો હોય છે કે બોર્ડની પરીક્ષાના પરીક્ષાર્થીઓ પોતાનું ભાવિ ઘડતા હોય છે, જ્યારે મતદારો લોકસભાની ચૂંટણીમાં આખા દેશનું ભાવી ઘડતા હોય છે તેની સાથે સાથે પોતાના પરિવારનું ભાવિ પણ ઘડતા હોય છે, તેથી જેવી રીતે પ્રશ્નપેપરમાં પુછાયેલા પ્રશ્નોના જવાબ વિદ્યાર્થીભાઈ-બહેનોએ સમજી વિચારીને આપવા પડે, તેવી જ રીતે તમામ મતદારોએ પણ પોતાનો અમુલ્ય મત સમજી વિચારીને યોગ્ય પક્ષ અને યોગ્ય ઉમેદવારને જ આપવો જોઈએ, ખરું કે નહીં ?

જો કે, પરીક્ષાર્થીઓ પરીક્ષાના પરિણામો પછી ચોક્કસ નિયમોને આધિન રહીને પેપર ખોલાવી શકે છે, જ્યારે એક વખત જનાદેશ આપી દીધા પછી પોતાની આશાઓ પર ખરા નહીં ઉતરનાર કે પછી જનાદેશને ઠુકરાવીને અયોગ્ય નિર્ણય લેનાર ચૂંટાયેલા જન-પ્રતિનિધિને એ જ મતદારો હટાવી શકતા નથી, તેથી જ કદાચ દેશમાં 'રાઈટ ફોર રિકોલ' એટલે કે ચૂંટાયેલા પ્રતિનિધિને પાછો બોલાવવાનો મતદારોને અધિકાર આપવાની માંગણી બળવત્તર બની રહી હશે, તેમ નથી લાગતું ?

જે હોય તે ખરું, અત્યારે જે પરીક્ષાર્થીઓ બોર્ડની પરીક્ષાઓ આપી રહ્યા છે, તેઓને રાજકીય ઘોંઘાટ ડિસ્ટર્બ ન કરે, અને તમામ પરીક્ષાર્થીઓ પૂરેપૂરી તૈયારી સાથે પરીક્ષા આપીને ઉજજવળ કારકીર્દિની દિશા પકડે, તેવું પ્રાર્થીએ. ....

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ઓપરશેન ડિમોલીશન.... નમો લક્ષ્મી, નમો સરસ્વતી... પ્રબળ ઈચ્છા શક્તિની જરૂર...

હવામાન ખાતાએ આગાહી કરી છે કે ઠંડી ઘટશે અને ગરમી વધશે, જ્યારે દેશમાં ચૂંટણીલક્ષી રાજકીય ક્ષેત્રમાં પણ માહોલ ગરમાઈ રહ્યો છે, જામનગરમાં મેગા દબાણહટાવ ઝુંબેશની ગરમાગરમ ચર્ચા થઈ રહી છે અને મહાશિવરાત્રિ પછી હવે લોકો હુતાશણી પર્વે હોળી પ્રગટાવીને હોલિકાદહન કર્યા પછી ધૂળેટીનો કલરફૂલ ઉત્સવ ઉજવવા સમગ્ર રાજ્ય થનગની રહ્યું છે.

બેડી વિસ્તારમાં એસ.પી. ના નેતૃત્વમાં ગોઠવાયેલા બંદોબસ્ત હેઠળ જે ડિમોલીશન થયું, તેની હકારાત્મક પ્રતિક્રિયાઓ પણ લોકો વ્યક્ત કરી રહ્યા છે, અને મુખ્યમંત્રી-ગૃહમંત્રીની સૂચના મુજબ જિલ્લામાં કોઈપણ ગેંગ કલ્ચરને પનપવા નહીં દેવાય અને આ પ્રકારના દબાણો દૂર કરવાની ઝુંબેશ ચાલતી રહેશે તેવી એસ.પી. ની ખાતરી પછી નાના-મોટા ગૂન્હા કરતા અપરાધીઓથી માંડીને જંગી ગેરકાયદે બાંધકામો સહિતનો ગુનાખોરીનું માનસ ધરાવતા લોકોમાં પણ ફફડાટ ફેલાયો હશે. આ પ્રકારની કડકાઈ કાયમી ધોરણે જળવાઈ રહે તો જ નવા ગેરકાનૂની કૃત્યો તથા દબાણો થતાં અટકી શકે, તે પણ હકીકત છે.

આ પ્રકારના દબાણો હટાવાય, ત્યારે હંમેશાં એવો પ્રશ્ન પણ ઉઠતો હોય છે કે જ્યારે સરકારી ખરાબાઓ કે જાહેર સ્થળોમાં આ પ્રકારના ગેરકાયદે કૃત્યો કે દબાણો થતાં હોય ત્યારે સંબંધિત તંત્રો શું ઊંઘતા હતા ? આટલા મોટા તોતીંગ બાંધકામો કાંઈ રાતોરાત તો નહીં જ ઊભા થયા હોય ને ? કોઈપણ પ્રકારના દબાણો ગેરકાયદે જ ગણાય, પછી ભલે તે સરકારી જમીન પર હોય, ટ્રસ્ટો કે સંસ્થાઓની જગ્યામાં થાય કે પછી ખાનગી પ્લોટો કે ખેતર-વાડીઓમાં પેશકદમી થતી હોય, તે તમામ પ્રકારની દાદાગીરીને ખતમ કરવા પ્રિવેન્ટીવ એપ્રોચ અપનાવવો અત્યંત જરૂરી હોય છે, કારણ કે જંગી દબાણો થઈ ગયા પછી હટાવાય, તે તોતીંગ વૃક્ષની માત્ર ડાળીઓ તોડવા જેવું જ ગણાય,અને તેના જમીનની અંદર રહી ગયેલા મૂળિયામાંથી ફરીથી તે જ સ્થળે દબાણો ઊભા થઈ જતાં હોય છે, અને એવું ઘણાં સ્થળે થતું હોય છે, તે આપણે સૌ જાણીએ જ છીએ ને ?

આ પ્રકારના દબાણો હટાવ્યા પછી તે જ સ્થળે તેનું સ્વરૂપ બદલીને, ગમે-તેમ કરીને કાચી-પાકી મંજુરીઓ મેળવીને કે પછી પુનઃ તંત્રને (જાગતી આંખે) અંધારામાં રાખીને ફરીથી દબાણો ઊભા થઈ ન જાય, તે માટે વિશેષ કાળજી રાખવી જરૂરી હોય છે, અને એવું થાય, તો જે-તે વિસ્તારના સંબંધિત તમામ તંત્રોના અધિકારી-કર્મચારીઓને જવાબદાર ઠેરવીને તેની સામે પણ કડક પગલાં લેવાની કાર્યવાહી સરકારે કોઈપણ ભેદભાવ વગર  કરવી જોઈએ, તેવા જન-પ્રતિભાવોમાં પણ તથ્ય છે અને આ માટે પણ મુખ્યમંત્રી તથા ગૃહમંત્રીએ યોગ્ય કદમ ઉઠાવવા જોઈએ, તેમ નથી લાગતું ?

બીજી તરફ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જે 'નમો લક્ષ્મી' અને 'નમો સરસ્વતી' યોજનાઓની જાહેરાત કરી છે, તેને અનુલક્ષીને પણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે અને કન્યા કેળવણીને લઈને રાજ્ય સરકારના અભિગમના હકારાત્મક પ્રતિભાવો પણ સાંપડી રહ્યા છે. આ યોજનાનો લાભ તમામ દીકરીઓને સાંપડશે, તેવી મુખ્યમંત્રીએ જાહેરાત કરી હને બજેટમાં શિક્ષણના ક્ષેત્રે જંગી જોગવાઈ કરી હોવાનો દાવો પણ કર્યો, ત્યારે રાજ્યમાં શિક્ષણની ગુણવત્તા સુધરશે, તેવી આશા રાખી શકાય ખરી.

શૈક્ષણિક સુવિધાઓ અદ્યતન બને, મોટા શૈક્ષણિક સંકુલો ઊભા થાય, નવી નવી યોજનાઓ જાહેર થાય અને ઝુંબેશો ચાલે, તે આવકાર્ય છે, પરંતુ સાથે સાથે શાળાઓમાં ગુણવત્તાલક્ષી અને સંસ્કારો સાથેનું શિક્ષણ મળે, પૂરતા પ્રમાણમાં શિક્ષકો હોય અને તમામ શાળાઓમાં નિયમિતતા જળવાઈ રહે તે પણ એટલું જ જરૂરી છે, ખરું ને ?

શિક્ષણ હોય કે સરકારી સેવાઓ હોય, કન્યા કેળવણી ઝુંબેશ હોય કે સર્વશિક્ષા અભિયાન હોય, ગુંડાગીરી નાબૂદ કરવાનું અભિયાન હોય રખડતા ઢોર પકડવાની ઝુંબેશ હોય, ટ્રાફિકની ડ્રાઈંવ હોય કે દબાણો હટાવવાના ડિમોલીશન ઓપરેશનો હોય, આ તમામ ક્ષેત્રે સરકારની પ્રબળ ઈચ્છા શક્તિ અને તેમાં જન વિશ્વાસ તથા સાર્વત્રિક જનસહયોગનો સમન્વય થવો પણ એટલો જ જરૂરી હોય છે. અન્યથા આ પ્રકારના અભિયાનો, ઝુંબેશો તથા ઓપરેશનો એકંદરે નિરર્થક અને માત્ર ફોર્ર્માલિટી જેવા જ બની રહેતા હોય છે, અથવા તેના પર પબ્લિસિટી સ્ટંટનો ધબ્બો લાગી જતો હોય છે.

બૂટલેગરો, ગેંગસ્ટરો અને નામચીન ગુનાખોરોની પાંખો કાપવા માટે તેના આ પ્રકારના ગેરકાયદે દબાણો હટાવીને તેની ગેરકાનૂની પ્રવૃત્તિઓ પર પ્રહાર કરીને અનુચિત આવકના માર્ગો બંધ કરીને અને નેટવર્કને ભેદીને જ કાયમી ધોરણે શાંતિ અને સૌહાર્દની સ્થિરતા જળવાતી હોય છે, સાચી વાત છે ને ?

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

તહેવારોનો ત્રિવેણી સંગમ... હર હર મહાદેવ હર.... કેન્દ્ર-રાજ્યના મહત્ત્વપૂર્ણ નિર્ણયો 'ડોડા'ની મંજુરીના પ્રતિભાવો...

ગઈકાલે કેન્દ્ર અને રાજ્ય સરકારે લીધેલા કેટલાક નિર્ણયોની ચર્ચા વચ્ચે આજે ધાર્મિક રાષ્ટ્રીય અને સામાજિક ક્ષેત્રોને સાંકળતો ત્રિવેણી સંગમ સર્જાયો છે. આજે મહાશિવરાત્રિ છે, જેથી સવારથી જ હરહર મહાદેવની ગુંજથી શિવાલયોમાં ભાવિકોની ભીડ જોવા મળી રહી છે. આજે ૮ મી માર્ચ હોવાથી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પણ ઉજવાઈ રહ્યો છે. તે ઉપરાંત ગાંધીજીની સ્વાતંત્ર્ય ચળવળની સ્મૃતિઓને સાંકળતો રાષ્ટ્રીય ભાવના અને દેશભક્તિના સંયોજન સાથે દેશમાં ત્રિવિધ વિશેષતાઓ સાથે ઉજવણીઓ થઈ રહી છે. આ ઉપરાંત ગઈકાલે રાજ્ય સરકારે દ્વારકા-ઓખા પંથકને સાંકળીને 'ડોડા' વિકાસ મંડળની રચના માટે નિર્ણય લીધો છે, તથા કેન્દ્ર સરકારે કર્મચારીઓનું ચાર ટકા મોંઘવારી ભથ્થુ મંજુર કરવા સહિતના કેટલાક નિર્ણયો લીધા છે, તેના પ્રતિભાવો પણ આવી રહ્યા છે, અત્યારે જૂનાગઢના ગીરનારમાં ભક્તિમેળો જામ્યો છે અને સોમનાથ દ્વારકાના નાગેશ્વર, ભડકેશ્વર સહિતના યાત્રાધામોમાં પણ મહાશિવરાત્રિનો ભક્તિમેળો જામ્યો છે.

આજે મહાશિવરાત્રિની ઉજવણીનો રંગ દેશભરમાં જામ્યો છે આજે મહાશિવરાત્રિનું મહાત્મય સમજાવાઈ રહ્યુ છે અને દ્વારકા જયોતિર્લીંગ સહિત દેશભરના શિવાલયોમાં શિવપૂજન થઈ રહ્યું છે. મહાશિવરાત્રિને સાંકળતી ઘણી કથાઓ પ્રચલીત છે. આમ તો દર મહિને વદ ચૌદશના દિવસે શિવરાત્રિ હોય છે, પરંતુ મહાવદ ચૌદશને મહાશિવરાત્રિ તરીકે ઉજવવામાં આવે છે. અને કહેવાય છે કે જે દિવસે સૃષ્ટિનું સર્જન થયું છે, આ દિવસે શિવ-પાર્વતીના વિવાહ થયા હતા, તેવી માન્યતામાં મતમતાંતરો છે. તે ઉપરાંત સમુદ્ર મંથન પછી ભગવાન શિવશંકરે હળાહળ વિષ કંઠમાં ધારણ કર્યું અને નિલકંઠ કહેવાયા તે કથા સાથે પણ મહાશિવરાત્રિને સાંકળવામાં આવે છે. આ ઉપરાંત ચિત્રભાનુ નામના શિકારી સાથે પણ મહાશિવત્રિને સાંકળવામાં આવે છે. મહાશિવરાત્રી ભારત ઉપરાંત નેપાળ, બાંગ્લાદેશ સહિતના વિવિધ દેશોમાં પણ ઉજવાય છે.

આજે આઠમી માર્ચ હોવાથી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પણ મનાવાઈ રહ્યો છે. વર્ષ-ર૦ર૪ ની આ ઉજવણીની થીમ છે. 'મહિલાઓ માટે નિવેશઃ પ્રગતિ વેગીલી બનાવીએ' એ પ્રકારની રાખવામાં આવી છે. આંતર રાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી વર્ષ ૧૯૧૦ માં કોપનહેગનમાં એક મહિલા સંમેલન દરમિયાન શરૃ થઈ હોવાનું મનાય છે, પરંતુ આ ઉજવણીની બુનિયાદ વર્ષ ૧૯૦૮ માં ન્યૂયોર્કમાં મહિલાઓની કૂચ દરમિયાન પડી હતી અને વર્ષ ૧૯૦૯ મા સોશ્યાલિસ્ટ પાર્ટી ઓફ અમેરિકા દ્વારા ર૮ ફેબ્રુઆરીના મનાવ્યા પછી જુદા જુદા દિવસે થતી ઉજવણીને એકરૃપતા આપવા આ ઉજવણી વર્ષ-૧૯૧૦ માં ચર્ચાઓ થઈ, અને વર્ષ ૧૯૧૧ માં ૧૯ મી માર્ચે આ ઉજવણી થઈ, તે પછી જુદા જુદા દિવસોએ થતી આ વૈશ્વિક ઉજવણી ગ્રેગોરિયન કેલેન્ડર મુજબ આઠમી માર્ચે ઉજવવાનું નક્કી થયું, જેને વર્ષ ૧૯૭પ માં સંયુકત રાષ્ટ્રસંઘે માન્યતા આપી હતી, અને વર્ષ ૧૯૯૬ થી મહિલા કલ્યાણ, મહિલા જાગૃતિ અને મહિલાઓના અધિકારોના વિષયોને સાંકળતી વિવિધ થીમ આધારિત ઉજવણીઓને વેગ મળ્યો. અત્યારે આપણા દેશમાં જ્યારે મહિલા કલ્યાણ, મહિલા સુરક્ષા અને મહિલા જાગૃતિના ક્ષેત્રે ઘણી ચર્ચાઓ પણ થઈ રહી છે અને ઘણું કામ પણ થઈ રહ્યું છે. આખો માર્ચ મહિનો વિશ્વમાં મહિલા ઈતિહાસ મહિનો અથવા મહિલા ઉત્કર્ષ માસ તરીકે પણ ઉજવાય છે.

આઠમી માર્ચ-૧૯૩૦ થી જ મહાત્મા ગાંધીજીએ અંગ્રેજો સામે સવિનય કાનૂની ભંગની ઘોષણા કરી હતી, અને ૧ર મી માર્ચથી ૬ઠ્ઠી એપ્રિલ સુધી દાંડીયાત્રા કાઢી હતી અને મીઠા સત્યાગ્રહ તરીકે ઓળખાતી આ અહિંસક ચળવળે બ્રિટિશ સલતનતના પાયા હચમચાવી નાખ્યા હતા, તેથી આજના દિવસે એક રાષ્ટ્રય તવારીખ પણ નોંધાયેલી છે. આમ આજે તહેવારોનો ત્રિવેણી સંગમ પણ કહી શકાય ખરો....

યાત્રાધામ દ્વારકાના વિકાસ માટે વિવિધ પરિયોજનાઓ જાહેર થઈ છે અને કેટલીક ધમધમી રહી છે, તેમાં હવે દ્વારકા-ઓખા શહેરી વિસ્તાર વિકાસ સત્તામંડળ (ડોડા)ને રાજ્ય સરકારે મંજુરી આપતા સુદર્શન બ્રીજથી જોડાયેલા બેટ દ્વારકા, ઓખા, સુરજકરાડી, શિવરાજપુર, વરવાળાના દસ હજાર હેકટરથી વધુ વિસ્તારનો વિકાસ વેગીલો બનશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકારના આ નિર્ણયને પ્રારંભિક આવકાર મળી રહ્યો છે, અને આ જાહેરાતના વિગતવાર અહેવાલનો અભ્યાસ કર્યા પછી કેટલીક બાબતો વધુ સ્પષ્ટ થઈ જશે, તેવી આશા સેવાઈ રહી છે. અત્યારે પ્રારંભિક તબક્કે આ મુદ્દે મિશ્ર પ્રતિભાવો વ્યકત થઈ રહ્યા છે. આ સાથે સુદર્શન બ્રીજના નિર્માણ પછી ફેરી બોટ સર્વિસ દ્વારા બેટ-દ્વારકા-વચ્ચે મુસાફરોને લાવવા-મૂકવાના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને વૈકલ્પિક રોજગારીની ઉઠી રહેલી માંગ સંદર્ભે પણ કોઈ ચોક્કસ યોજના અંગે વિચારણા થશે, તેવી આશા સેવાઈ રહી છે.

ગઈકાલે મોદી સરકારની વર્તમાન ટર્મની કદાચ છેલ્લી કેબિનેટ હતી, કારણ કે હવે ગણતરીના દિવસોમાં લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થતાં જ આદર્શ આચારસંહિતા લાગુ પડી જવાની છે, ત્યારે છેલ્લે કેબિનેટે મહત્ત્વપૂર્ણ નિર્ણયો લીધા છે, જેને ચૂંટણીલક્ષી ગણાવાઈ રહ્યા છે.

આજે જ વડાપ્રધાને એલપીજીમા સિલિન્ડર દીઠ મહિલા દિવસને સાંકળીને રૃા. ૧૦૦ ના ઘટાડાની જાહેર કરી છે. તે પહેલા કેબિનેટમાં પણ સબસિડી ચાલુ રાખવાનું નક્કી કરાયું છે, અને આ સબસિડી વધુ એક વર્ષ સુધી મળતી રહેશે તેમ પણ જાહેર થયું છે.

તે ઉપરાંત કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થુ ૪૬ ટકાથી વધારીને પ૦ ટકા કરાયુ, ઈન્ડિયા, એ.આઈ. મિશન માટે ૧૦ હજાર કરોડથી વધુના ફંડની ફાળવણી, શણના  ટેકાના ભાવોમાં વધારો, કોસ્ટગાર્ડ માટે ૩૪ નવા ધ્રુવ હેલિકોપ્ટર તથા ઉત્તર-પૂર્વના ક્ષેત્રોમાં ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટો માટે પણ રૃા. ૧૦ હજાર કરોડથી વધુના પ્રોજેકટોને મંજુરીના નિર્ણયો પણ કેન્દ્રીય કેબિનેટે લીધા છે. બીજી તરફ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રાને લઈને પણ ગુજરાતમાં ભારે ઉત્કંઠા છે, ત્યારે જોઈએ, શું થાય છે તે....

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

જનતાની આશા... યાત્રિકોની આકાંક્ષા.... બસ, આટલી 'ગેરંટી' આપો....

બેટ દ્વારકાને જોડતો સુદર્શન સેતુ ખુલ્લો મુકાયા પછી દ્વારકાના યાત્રાધામો તરફ યાત્રાળુઓનો પ્રવાહ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. દ્વારકાના જગત મંદિર પર દરરોજના ૬ ધ્વજારોહણ, બેટ દ્વારકામાં ધ્વજારોહણ, મહાશિવરાત્રિને લઈને નાગેશ્વર તરફ વધનારો ભાવિકોનો પ્રવાહ અને નાતાલના મીની વેકેશનમાં પર્યટકોની સંખ્યામાં થનારા સંભવિત વધારાને લક્ષ્યમાં લઈને આજથી જ જામનગર, રાજકોટ, પોરબંદરથી દ્વારકા તથા બેટ દ્વારકા માટે ખાસ વધારાની એસ.ટી. બસો તો દોડાવવી જ જોઈએ, પરંતુ સાથે સાથે રાજ્યભરમાંથી લાંબી અંતરની બસ સેવા વધારવાની પણ તાતિ જરૃર જણાય છે. આ માટે કોર્પોરેશનો રાજકોટ ડિવિઝનને પણ ૧૦૦ થી વધુ નવી બસો ફાળવવી જોઈએ, તેમ નથી લાગતું ?

અત્યારે દ્વારકા તરફ જતા તમામ પ્રાઈવેટ ટ્રાવેલ્સની બસો પણ મોટાભાગે હાઉસફૂલ જાય છે, તે ઉપરાંત સૌરાષ્ટ્રના યાત્રાધામો અને હરવા-ફરવાના સ્થળોને પરસ્પર જોડતી વાહન-વ્યવસ્થાની ખાનગી ટ્રાવેલ્સની બસો તથા ટેકસીઓ પણ ભરપૂર હોય છે, ત્યારે યાત્રિકો-પ્રવાસીઓને સુખ-સગવડ-સુવિધા સાથે રાજ્ય સરકારના એસ.ટી. કોર્પોરેશનની વધુમાં વધુ બસો મળે, તેવી અપેક્ષા પણ ૧પ૬ બેઠકો આપનારા ગુજરાતીઓ જ નહીં, પરંતુ દ્વારકાની મુલાકાતે આવતા તમામ પ્રવાસીઓ રાખી રહ્યા છે. ઘણાં લોકો યાત્રાધામોમાં સ્થાનિક પરિવહનમાં થતી નફાખોરીને નિયંત્રિત કરવાની જરૃર પણ જણાવતા હોય છે, આ દિશામાં રાજ્ય સરકાર તથા એસ.ટી. કોર્પોરેશન જ નહીં, પરંતુ સ્થાનિક વહીવટીતંત્રો અને દ્વારકા-બેટ દ્વારકાના સંચાલક મંડળો, દેવસ્થાન સમિતિઓએ પણ સક્રિય રહેવું જોઈએ તેમ નથી લાગતું ?

એસ.ટી. બસોની જેમ જ રેલવે તંત્રે પણ રાજકોટથી દ્વારકા અને પોરબંદર વચ્ચે વધુમાં વધુ ટ્રેનો દોડે, જરૃરિયાત મુજબ અવાર-નવાર સ્પેશ્યલ ટ્રેનો પણ દોડાવાય અને લાંબા અંતરની વધુમાં વધુ ટ્રેનો શરૃ થાય તે માટે ફૂલપ્રૂફ અને સમયબદ્ધ આયોજન કરીને અમલી બનાવવું જરૃરી છે, કારણ કે વડાપ્રધાને સુદર્શન સેતુ ખુલ્લો મુક્યો, સ્કૂબા ડાઈવીંગ કર્યુ અને હવે જે રીતે આ યાત્રાસ્થળોની કાયાપલટ થઈ રહી છે, તે જોઈને દેશભરમાંથી વધુમાં વધુ યાત્રિકો, પ્રવાસીઓ, અભ્યાસુઓ ઉમટી પડવાના છે, જેને પહોંચી વળવા રેલવે-બસ સેવા જ નહીં, પણ તમામ સંબંધિત તંત્રોએ પણ અત્યારથી જ તૈયારી રાખવી પડશે તેમ નથી લાગતું ?

દ્વારકા, નાગેશ્વર, બેટ દ્વારકા, હર્ષદ, પોરબંદર અને સોમનાથની રિલિજિયસ ટુરિઝમની શ્રૃંખલા હવે ગ્લોબલ મેપ પર અગ્રીમ હરોળમાં મુકાઈ ગઈ હોવાથી હવે વિશ્વભરમાંથી માત્ર ભારતીયો જ નહીં, પરંતુ વિદેશી પર્યટકો, દર્શનાર્થીઓ, ભાવિકો અને અભ્યાસુઓ પણ દિન-પ્રતિદિન વધવાના જ છે, આ સંભવિત વૈશ્વિક ધસારાને ધ્યાને રાખીને હવે દ્વારકાને આંતરરાષ્ટ્રીય અને ડોબેશિયલ વિમાનોની સુવિધાઓ સાથે તત્કાળ સાંકળીને ઈન્ટરનેશનલ કક્ષાનું એરપોર્ટ ઝડપથી મળે, તે પણ સમયની માંગ છે, હવે હવાઈ યાત્રા સુગમ, સરળ બની છે, અને થોડી વધુ સસ્તી થઈ જાય, તો સામાન્ય નાગરિકો પણ હવાઈ યાત્રા કરી શકે તેમ છે, ત્યારે તે દિશામાં પણ રાજ્ય અને કેન્દ્ર સરકારના સંબંધિત તંત્રો તત્કાળ કોઈ આયોજન સુનિશ્ચિત કરે તે જરૃરી છે.

અત્યારે લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે, અને એનડીએ વિરૃદ્ધ ઈન્ડિયાનો સંગ્રામ ખેલાવા જઈ રહ્યો છે, ત્યારે ગુજરાતમાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા  તથા ભાજપ તરફથી 'મોદી કી ગેરંટી'ની જોરદાર ચર્ચા થઈ રહી છે. રાજકીય પક્ષો ચૂંટણી જાહેર થયા પહેલાં જ ઉમેદવારોના નામો જાહેર કરવા લાગ્યા છે, અને જામનગરની બેઠક પરથી પૂનમબેન માડમ રિપિટ થયા છે, તે આપણે સૌ જાણીએ જ છીએ, અને હવે તેની સામે વિપક્ષના કયા નેતા મેદાનમાં ઉતરશે તેની અટકળો થઈ રહી છે.

આ બધા ઘટનાક્રમો વચ્ચે દ્વારકા-બેટદ્વારકાને સડક, રેલવે અને હવાઈ માર્ગે વધુને વધુ સુખ-સુવિધા સાથે પરિવહનની સેવાઓ મળે, બસો અને ટ્રેનોમાં કોઈ પણ યાત્રિકને ઊભા ઊભા મુસાફરી કરવી ન પડે, સિટી બસો સહિતની સ્થાનિક દર્શન બસ સેવાઓ વધે તથા રિક્ષા-ટેકસી જેવા સ્થાનિક પરિવહનમાં બેફામ નફાખોરી ન થાય, તેવા પ્રબંધો કરવાની 'ગેરંટી' પણ ચૂંટણી પ્રચાર દરમ્યાન મળશે, તેવી આશા રાજકીય પક્ષો અને નેતાઓ પાસેથી લોકો રાખી રહ્યા હશે, રાઈટ?

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

 

ચૂંટણી ટાણે જ 'અંતરાત્મા' જાગે ? નેતાઓના તીખા-તમતમતા નિવેદનો

માવઠાની આગાહીઓ, હિમાલયના પ્રદેશોમાં હિમવર્ષા અને બદલાતા ઋતુચક્ર વચ્ચે એક તરફ તો વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાઓની તૈયારીઓ કરી રહ્યા છે, તો બીજી તરફ માર્ચના અંતિમ સપ્તાહ સુધીમાં કદાચ લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ જાય, તેવી સંભાવનાઓના કારણે ટોપ ટુ બોટમ રાજનેતાઓ અને કાર્યકરો પણ હડિયાપટ્ટી કરવા લાગ્યા છે.

દેશમાં રાજકીય ચહલ-પહલ પણ વધી ગઈ છે, અને કેટલાક નેતાઓનો ચૂંટણી ટાણે જ અચાનક જ આશ્ચર્યજનક રીતે 'અંતરાત્મા' જાગૃત થતા પક્ષપલટો કરી રહ્યા છે, તમે બીજી તરફ રાજકીય પક્ષોની વિવિધ રાજકીય ગતિ વિધિઓની સાથે સાથે ઉભય પક્ષે નેતાઓના તીખાતમતમતા નિવેદનો તથા આરોપ-પ્રત્યારોપોનો સીલસીલો પણ વધી રહ્યો છે.

થોડા મહિનાઓ પહેલાના સમયગાળા સુધી ગુજરાતની વિધાનસભામાં કોંગ્રેસ તરફથી સરકારને અણીયાળા સવાલો પુછતા અને દાયકાઓથી કોંગ્રેસને વફાદાર રહેલા પોરબંદરના ધારાસભ્ય ભાજપમાં જોડાતા જ બદલાયેલા સ્વરૂપમાં જોવા મળી રહ્યા છે. અર્જુનભાઈ મોઢવાડિયાએ કહ્યું કે જ્યારે કોંગ્રેસે રામમંદિરમાં રામલલ્લાની પ્રતિષ્ઠાનું આમંત્રણ ઠુકરાવ્યુ, ત્યારપછી મેં તેના સંદર્ભે મારો સંદેશ (હાઈકમાન્ડ સુધી) પહોંચાડવાની કોશિશ કરી હતી, પરંતુ તેમાં સફળતા નહીં મળતા પક્ષાંતર કરવું પડી રહ્યું છે.

આ મુદ્દે મીડિયામાં જોરદાર ચર્ચા થઈ રહી છે. મીડિયા અહેવાલો મુજબ મોઢવાડિયાએ છેક આઝાદી મળી ત્યારે મહાત્મા ગાંધીએ જે સામાજિક અને આર્થિક આઝાદી મળવાની બાકી હોવાની વાત કરી હતી, તેને ટાંકીને કહ્યું કે નરેન્દ્રભાઈ અને અમિતભાઈ ગાંધીજી અને સરદાર પટેલની જેમ દિવસ રાત જોયા વગર દેશ માટે કામ કરી રહ્યા છે અને વિકસિત ભારતનું સપનું લઈને નેતૃત્વ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે તેઓ ભગવાન શ્રીરામની ખિસકોલોની જેમ કામ કરવા ભાજપમાં જોડાયા છે !

આમ તો અર્જુનભાઈએ ઘણી બધી વાતો કરી, અને કોંગ્રેસ છોડવાના કારણો પણ વર્ણવ્યા, પરંતુ વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહમંત્રી દેશ માટે મહેનત કરી રહ્યા છે, તે સમજતા અર્જુનભાઈને આટલા બધા વર્ષો કેમ લાગી ગયા? પક્ષાંતર ના અસલ કારણો શું છે ? વગેરે સવાલો પણ લોકોમાં ઉઠવા લાગ્યા છે. આ મીડિયા-સોશ્યલ મીડિયામાં ચર્ચાઓ પણ શરૂ થઈ ગઈ છે.

અર્જુનભાઈ મોઢવાડિયાની સાથે રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર ભાજપમાં જોડાયા, તે તો અપેક્ષિત જ હતું અને ઘણાં સમયથી તે પ્રકારની અટકળો પણ થઈ રહી હતી, પરંતુ ગત ચૂંટણીમાં લોકસભાની જામનગરની બેઠક પરથી પૂનમબેન માડમની સામે ચૂંટણી લડીને પરાજીત થયેલા કોંગ્રેસના હાલારના દિગ્ગજ નેતા અને કલ્યાણપુર તાલુકાના આહિર સમાજના અગ્રણી મૂળુભાઈ કંડોરિયાએ પણ કેસરિયા કર્યા હોવાથી હવે હાલારમાં કોંગ્રેસના તમામ સમીકરણો પણ બદલી ગયા છે, અને કોંગ્રેસ સામે લોકસભાની જામનગરની બેઠક માટે મજબૂત ઉમેદવાર ઊભો કરવાનો પડકાર ઊભો થઈ ગયો છે. હજુ તો ચૂંટણી જાહેર પણ થઈ નથી, ત્યાં કોંગ્રેસના કાંગરાઓ ખરવા લાગ્યા છે ત્યારે ડેમેજ કંટ્રોલ માટે કોંગ્રેસની હાઈકમાન્ડ પણ કોઈ નક્કર પગલાં લેશે, તેવો આશાવાદ કોંગ્રેસના વર્તુળોમાં વર્તાઈ રહ્યો છે, જ્યારે ઘણાં લોકો પાંચ લાખની લીડ ભાજપનો લક્ષ્યાંક હવે સરળ થઈ જશે, તેવા અનુમાનો પણ કરવા લાગ્યા છે.

રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાયયાત્રા દરમિયાન પેપરલીકનો મુદ્દો ઉઠાવીને ભાજપ સરકારને ઘેરી છે. તેમણે કહ્યું કે પેપરલીક માત્ર ઉત્તરપ્રદેશ જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે અભિશાપરૂપ છે. છેલ્લા ૭ વર્ષમાં ૭૦ થી વધુ પેપરલીકની ઘટનાઓએ બે કરોડથી વધુ વિદ્યાર્થીઓના સપના તોડી નાંખ્યા છે અને તેઓના પરિવારો માનસિક અને આર્થિક બોજ અનુભવી રહ્યા છે.

રાહુલ ગાંધીએ આ મુદ્દે એવું સૂચન પણ કર્યું હતું કે ભ્રષ્ટ, બેદરકાર અધિકારીઓ, નકલ કરનારા માફિયાઓ તથા પ્રિન્ટીગ પ્રેસ વચ્ચેની સાઠગાંઠ ખતમ કરીને દરેક કક્ષાએ (ટોપ ટુ બોટમ) જવાબદારી નક્કી કરવાની જરૂર છે. તેમણે ગૌણ પસંદગી સેવા મંડળ તથા સરકાર પણ આ માટે જવાબદાર હોવાનો અભિપ્રાય વ્યકત કરીને કહ્યું કે કોંગ્રેસ લોકોના સૂચનો, તરફથી નિષ્ણાતોના અભિપ્રાયો તથા બનેલી ઘટનાઓના અભ્યાસના આધારે એક ફુલપ્રૂફ પ્લાન તૈયાર કરી રહી છે, અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ખિલવાડ ન થાય તથા મહેનતુ અને પ્રામાણિક વિદ્યાર્થીઓને અન્યાય ન થાય તેવી પદ્ધતિ અમલમાં મૂકવાનું વિઝન ટૂંક સમયમાં રજુ કરવાની તેમણે પ્રતિબદ્ધતા દર્શાવી, તેના મિશ્ર પ્રત્યાઘાતો પડી રહ્યા છે.

ગુજરાતમાં રાહુલ ગાંધીના આગમન પહેલાં જ જે રીતે કોંગ્રેસના દિગ્ગજોના રાજીનામા પડી રહ્યા છે, અને ભાજપમાં જોડાઈ રહ્યા છે, તે પ્રિ-પ્લાનેડ હોય અને વિપક્ષને નામશેષ કરવાની દિશામાં શાસક ગઠબંધન આગળ વધી રહ્યું હોય તેવી આશંકાઓ પણ વ્યકત થઈ રહી છે. કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન અત્યારે પક્ષાંતર કરી રહેલા નેતાઓને સ્વાર્થી ગણાવ્યા અને કહ્યું હતું કે પોતાના ધંધા-રોજગાર સાચવવા, કોઈ ડર થી કે પ્રલોભનથી અત્યારે કોંગ્રેસ છોડી રહેલા આ જ નેતાઓ જ્યારે કોંગ્રેસનું પલડું ભવિષ્યમાં ભારે હશે ત્યારે તેઓ પણ આ તરફ ફરીથી આવશે. અમિત ચાવડાએ કહ્યું કે ભાજપ પાસે શક્તિશાળી નેતાઓ કે કાર્યકરો નહીં હોવાથી તે વિપક્ષને તોડી રહી છે, પરંતુ કોંગ્રેસ પાસે વફાદાર કાર્યકરો અને નેતાઓની ફોજ છે !

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

સુપ્રિમ કોર્ટના દૂરગામી ચુકાદા પછી પણ 'સ્વચ્છ રાજનીતિ'ની આશા રાખી શકાય ખરી ?

સુપ્રિમ કોર્ટે વર્ષ-૧૯૯૮ નો પોતાનો જ એક ફેંસલો પલટાવીને ગઈકાલે એ પ્રતિપાદિત કર્યુ છે કે લોકતંત્રમાં હંમેશાં જનહિત અને સમાનતા ને પ્રાધાન્ય અપાતું હોય છે અને પરિવર્તનો થતા રહેતા હોય છે. ભૂતકાળમાં કોઈ અલગ પરિપ્રેક્ષ્ય કે સંજોગોમાં અપાયેલા ચુકાદા વર્તમાન સમયને સુંસંગત ન હોય કે પછી ભૂતકાળમાં કોઈ ક્ષતિ રહી ગઈ હોય, તો તે જાહેર હિત, જનહિત અને લોકતંત્રની સુરક્ષા માટે સુધારી શકાતી હોય જ છે, પછી ભલે સરકાર હોય, અદાલત હોય કે સંસદ હોય.... પરિવર્તન તો કુદરતનો પણ નિયમ છે, ખરું ને ?

ચૂંટાયેલા ધારાસભ્યો અને સંસદસભ્યોને કેટલાક વિશેષાધિકારો મળેલા છે, જ્યારે કેટલીક બાબતોમાં પ્રજાના ચૂંટાયેલા જનસેવકોને કાયદાની દૃષ્ટિએ સામાન્ય નાગરિકની જેમ જ સમાન ગણવામાં આવ્યા છે. બંધારણની જુદી જુદી કલમો હેઠળ આ તમામ વિશેષાધિકારો અને તેની મર્યાદાઓ સ્પષ્ટ રીતે વર્ણવવામાં આવી જ છે, અને તેનું અર્થઘટન દેશના ન્યાયતંત્ર દ્વારા થતું રહેતું હોય છે. આ માટે સુપ્રિમ કોર્ટમાં બંધારણીય બેન્ચની વ્યવસ્થા છે, અને એક લાર્જર બેન્ચનો ગઈકાલે આવેલો એક નિર્ણય આજે દેશભરમાં વ્યાપક સ્વરૃપમાં ચર્ચાઈ રહ્યો છે. લગભગ  અઢી-ત્રણ વર્ષ પહેલા દેશની અને અદાલતોમાં સંસદમાં જે કાંઈ થયેલંુ અને તે પછી જે પ્રક્રિયા થઈ અને કાનૂની જંગ ખેલાયો, તેની સ્મૃતિઓ પણ તાજી થઈ ગઈ, એટલું જ નહીં, દેશની સર્વોચ્ચ અદાલતે પોતાનો જ ભૂતકાળનો એક ફેંસલો પલટાવીને એક ઉમદા દૃષ્ટાંત પણ બેસાડ્યું છે. હવે આ ફેંસલાની દેશના રાજકરણ પર પણ દીર્ધકાલિન અસરો થવાની છે.

આ ચુકાદો આપતા દેશના ચીફ જસ્ટીસ ડી.વાય. ચંદ્રચુડે કહ્યું કે ભ્રષ્ટાચાર અને લાંચ-રૃશ્વત ભારતીય સંસદીય લોકશાહીની પ્રક્રિયા અને મૂળ ભાવનાને નષ્ટ કરે છે, સુપ્રિમ કોર્ટની સાત જજોની બેન્ચે આ ઐતિહાસિક અને દૂરગામી ચુકાદો આપતા કહ્યું છે કે સંસદસભ્યો કે ધારાસભ્યો ગૃહમાં મતદાન માટે લાંચ લઈને બચી શકે નહીં, તેઓને કાનૂની કે બંધારણીય રક્ષણ મળી શકે નહીં, લાંચ-રૃશ્વત-ભ્રષ્ટાચારના કેસમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓને કોઈ વિશેષ છૂટ આપી શકાય નહીં, તેવા અર્થઘટનો આ ચુકાદાના નીકળી રહ્યા છે.

સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીશ ડી.વાય.ચંદ્રચુડની સાત સભ્યોની બેન્ચે સર્વાનુમતે નિર્ણય આપતા કહ્યું કે ધારાસભ્ય કે સંસદસભ્ય દ્વારા ભ્રષ્ટાચાર થાય કે લાંચ-રૃશ્વત સ્વીકારાય તો તેથી ઈમાનદારી (ઓનેસ્ટી)નો છેદ ઉડી જાય છે. લાંચ, રૃશ્વત કે ભ્રષ્ટાચારને સંસદીય વિશેષધિકાર હેઠળ સુરક્ષા આપી શકાય નહીં.

વર્ષ-૧૯૯૮ માં ઝારખંડ મૂક્તિ મોરયા લાંચ કેસમાં સુપ્રિમ કોર્ટની પાંચ જજોની બંધારણીય બેન્ચે ૩ વિરૃદ્ધ ર ની બહુમતીથી એવો નિર્ણય લીધો હતો કે 'નોટ ફોર વોટ'ના કિસ્સામાં ધારાસભ્ય કે સંસદસભ્ય સામે કેસ દાખલ થઈ શકે નહીં, કારણ કે તેઓને વિશેષાધિકારો મળેલા છે. ગઈકાલે એક ઐતિહાસિક નિર્ણય લઈને સુપ્રિમ કોર્ટની સાત જજોની બેન્ચે ૩ વિરૃદ્ધ ર ની બહુમતીથી આપેલો ચુકાદો સર્વાનુમતિથી પલટાવી દીધો હતો. હવે જો કોઈ સંસદસભ્ય કે ધારાસભ્ય 'વોટ ફોર નોટ' જેવું કોઈપણ કૃત્યુ કરે અને તે પુરવાર થાય, તો તેને કોઈ કાનૂની રક્ષણ કે વિશેષાધિકાર મળશે નહીં.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ નિર્ણયને આવકાર્યો અને સોશ્યલ-મીડિયાના માધ્યમથી સુપ્રિમ કોર્ટની બેન્ચના ચુકાદાને 'મહાન' ગણાવીને કહ્યું કે આથી સ્વચ્છ રાજનીતિ સુનિશ્ચિત થશે અને લોકોને સિસ્ટમમાં વધુ ઉંડો વિશ્વાસ મળશે. તે પછી વિપક્ષી વર્તુળોમાંથી કેટલાંક દૃષ્ટાંતો સાથે કટાક્ષો પણ થઈ રહ્યા છે.

આ ચુકાદાને આમ તો સાર્વત્રિક આવકાર મળી રહ્યો છે, પરંતુ દેશભરમાં મોટાપાયે થઈ રહેલા પક્ષાંતરોને સાંકળીને લોકો એવો કટાક્ષ કરી રહ્યા છે કે જ્યાં સુધી 'આયારામ....ગયારામ'ની રાજનીતિને છુપું પ્રોત્સાહન મળતું બંધ નહીં થાય, ત્યાં સુધી 'સ્વચ્છ રાજનીતિ'ની  આશા રાખવી નકામી છે અને લોકોને 'સિસ્ટમ'માં કેટલો વિશ્વાસ બચ્યો છે, તે તો હવે 'ઓપન સિક્રેટ' જ છે ને ?

રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રા ગુજરાતમાં પ્રવેશે, તે પહેલાં જ એકાદ-બે કોંગીનેતાઓએ રાજીનામા આપ્યા, તેને કેન્દ્રમાં રાખીને જે માહોલ ઊભો કરાઈ રહ્યો છે, તે આપણી સામે જ છે... એક તરફ વિપક્ષી નેતાઓ ભાજપમાં જઈ રહ્યા છે, તો બીજી તરફ દાયકાઓથી ભાજપ સાથે જોડાયેલા કેટલાક સિનિયર નેતાઓ નિવૃત્તિ જાહેર કરવા લાગ્યા છે અથવા તો ચૂંટણી લડવાનો ઈન્કાર કરી રહ્યા છે, તે જોતાં એમ જણાય છે કે, આ તમામ ઘટનાક્રમો પાછળ કોઈ ચોક્કસ રણનીતિ કામ કરી રહી હોવી જોઈએ.... જોઈએ... ચૂંટણી આવતા સુધીમાં કેવા કેવા નવા નવા ખેલ રચાય છે તે...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

વ્યસન મુક્તિ ઝુંબેશ કેટલી સફળ...? કેફી દ્રવ્યોની બદી કેમ નિરંકુશ છે...? કોઈની પાસે છે કોઈ જવાબ...?

પટણામાં જનવિશ્વાસ સંમેલનમાં વિરાટ જનમેદની જોઈને અને વિપક્ષી દિગ્ગજોના જુસ્સેદાર ભાષણો પછી દેશમાં લોકસભાની ચૂંટણી એક તરફી બની રહી હોવાનો ભ્રમ તૂટી ગયો હોવાના દાવાઓ થવા લાગ્યા છે, તો બીજી તરફ ભાજપની પ્રથમ યાદી બહાર પડ્યા પછી અને બીજી યાદી બહાર પડે તે પહેલાં ભાજપના કેટલાક દિગ્ગજો તથા વર્તમાન સાંસદોએ રાજનીતિમાંથી નિવૃત્તિ જાહેર કરી અને ગુજરાતમાં નીતિનભાઈ પટેલે દાવેદારી પાછી ખેંચી, તેને ટાંકીને અટકળો ઉપરાંત કટાક્ષો પણ થવા લાગ્યા છે. આ બધા ઘટનાક્રમો વચ્ચે રાજનીતિથી અલગ ગણી શકાય તેવું કેન્દ્રીય ગૃહમંત્રી શાહનું એક નિવેદન પણ ધ્યાનાકાર્ષક બન્યું છે.

અમિતભાઈએ ગઈકાલે એવો દાવો કર્યો હતો કે કેન્દ્ર સરકારે નાર્કોના નેટવર્ક અને શરાબના માર્કેટને ભેદવા અસરકારક કદમ ઉઠાવ્યા છે. જેથી સંખ્યાબંધ પેડલર્સ ઝડપાયા છે, અને ડ્રગ્સ, માદક દ્રવ્યો અને નશીલા પદાર્થોનો જંગી જથ્થો ઝડપાઈ રહ્યો છે. આ માટે ઝુંબેશ ચાલી રહી છે.

અમિતભાઈના આ દાવાની ચર્ચા ભલે રાજકીય રીતે મુલવાઈ રહી હોય, પણ કેન્દ્રના સ્ટેટેસ્ટિક્સ અને યોજનાકીય ઈમ્પ્લીમેશન વિભાગ (એનએસએસઓ) દ્વારા પ્રસિદ્ધ થયેલા આંકડાઓ મુજબ પાન, તમાકુ, નશીલા દ્રવ્યો અને નશાકારક ચીજવસ્તુઓ પર લોકોનો એવેરજ ખર્ચ શિક્ષણ પર થતા ખર્ચ કરતા પણ વધી ગયો છે. આ આંકડા ઘણાં જ ચોંકાવનારા અને ચિંતાજનક છે, અને એટલે જ આ વિષયને માત્ર રાજકીય રીતે મુલવી શકાય તેમ નથી.

વર્ષ-ર૦રર થી વર્ષ-ર૦ર૩ દરમિયાન ઓગસ્ટથી એક વર્ષના સમયગાળા માટે એક સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. અને તેમાં ઘરવપરાશ માટે થતો ખર્ચ (એચસીઈએસ) અને પરિવાર દીઠ માસિક માથાદીઠ વપરાશ ખર્ચ (એમપીઈસી) વિષે ઝીણવટપૂર્વક વિગતો એકત્રિત કરવામાં આવી હતી. આ સર્વે હેઠળ દેશના ગ્રામ્ય વિસ્તારો, શહેરી વિસ્તારો, રાજ્યો - કેન્દ્રશાસિત પ્રદેશો તથા દેશના વિવિધ આર્થિક અને સામાજિક જૂથોના જીવનધોરણનો કયાસ કાઢવા અને વલણો નક્કી કરવાનો પ્રયાસ કરવામાં આવતો હોય છે.

આ સર્વે મુજબ દેશમાં પાન, તમાકુ, ધુમ્રપાન અને માદક દ્રવ્યો તથા નશાકારક પદાર્થો (ડ્રગ્સ વિગેરે) પર લોકોનો ખર્ચ ઉત્તરોતર વધી રહ્યો છે. છેલ્લા દસ વર્ષમાં માત્ર શેહરી વિસ્તારો જ નહીં, પરંતુ દેશના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ પ્રકારનો ખર્ચ વધ્યો છે.

આ સર્વે મુજબ દેશના ગ્રામ્ય વિસ્તારોમાં વર્ષ-ર૦૧૧-૧ર માં આ પ્રકારનો ખર્ચ એવરેજ ૩.ર૧ ટકા હતો, જે વર્ષ-ર૦રર-ર૩ માં ૩.૭૯ ટકા થયો હતો. તેવી જ રીતે શહેરી વિસ્તારોમાં આ ખર્ચ-ર૦૧૧-૧ર માં ૧.૬૧ ટકા હતો જે વર્ષ-ર૦રર-ર૩ માં વધીને ર.૪૩ ટકા થયો હતો.

બીજી તરફ શહેરી વિસ્તારોમાં શિક્ષણ પર થતા ખર્ચનું સરેરાશ પ્રમાણ આ સમયગાળામાં વર્ષ-ર૦૧૧-૧ર માં ૬.૯૦ ટકા હતુ, જે વર્ષ-ર૦રર-ર૩ માં ઘટીને પ.૭૮ ટકા થયું હતું. ગ્રામ્ય વિસ્તારોમાં આ ખર્ચનું પ્રમાણ વર્ષ-ર૦૧૧-૧ર માં ૩.૪૭ ટકા હતું. જે વર્ષ-ર૦રર-ર૩ માં ૩.૩૦ ટકા થઈ ગયું હતું.

એક અન્ય ઉપયોગી વિગતો પણ આ સર્વે દરમિયાન સપાટી પર આવી છે. આ ડીપ સર્વે મુજબ શહેરી વિસ્તારોમાં પીણાં અને પ્રોસેસ્ડ ફૂડ પરનો ખર્ચ-ર૦૧૧-૧ર માં ૮.૯૮ ટકા હતો, જે વર્ષ-ર૦રર-ર૩ માં વધીને ૧૦.૬૪ ટકા થયો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં આ ફિગર્સ મુજબ વર્ષ-ર૦૧૧-૧ર માં ૭.૯૦ ટકા હતો, જે વર્ષ-ર૦રર-ર૩ માં વધીને ૯.૬ર ટકા થઈ ગયો હતો. આ તમામ આંકડાઓ ચિંતાજનક છે.

જો વ્યસનો અને બીનજરૃરી પીણાંઓ તથા ફાસ્ટફૂડનો ખર્ચ અંકુશમાં આવી જાય તો લોકોની માથાદીઠ આવકનો સારો એવો હિસ્સો બચી જાય, જેથી લોકોની આર્થિક સ્થિતિ તો પહેલાની સરખામણીમાં મજબૂત બને જ, પરંતુ સાથોસાથ સામાજિક સ્થિતિ, પ્રતિષ્ઠા અને જીવનધોરણમાં પણ મોટો હકારાત્મક તફાવત આવી જાય તેમ છે. આ દૃષ્ટિએ માત્ર સરકારે જ નહીં, પરંતુ સમાજે પણ વિચારવું પડે તેમ છે, અને બિનજરૃરી ખર્ચાઓ તથા વ્યસનો સાથે જનજાગૃતિ ઝુંબેશ ચાલતી રહેવી જોઈએ, તેમ નથી લાગતું...?

આ સંદર્ભે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે કરેલી વ્યસનમુક્તિની વાત સુસંગત છે, અને અનેક જિંદગીઓને બરબાદ કરતા તથા સ્વાસ્થ્યનું નિકંદન કાઢીને દર્દભર્યુ મોત આપતા વ્યસનોથી સમાજ મુક્ત થાય, તે દિશામાં સાર્વત્રિક પ્રયાસો જરૃરી પણ છે, પરંતુ ડ્રગ્સ અને અન્ય નશાકારક દ્રવ્યો કરતાં પણ વધુ ખતરનાક કટ્ટરતા, નફરત અને સત્તા કે સંપત્તિનો નશો પણ જનજીવનને બરબાદ કરનારો હોય છે, અને તેનો ભોગ બની ન જવાય, તે માટે પણ સૌ કોઈએ જાગૃત રહેવું જોઈએ, ખરૃં કે નહીં...?

અત્યારે લોકસભાની ચૂંટણીઓના પ્રચારની આંધી વચ્ચે કેટલાક મહત્ત્વના મુદ્દાઓ પણ ઉડી જાય તેમ છે. હકીકતે સરકારી વ્યસનમુક્તિ ઝુંબેશ અને અનેક સંગઠનો, સંસ્થાઓ, સમાજો અને જાગૃત નાગરિકોના તદ્દવિષયક અભિયાનો કેટલા સફળ થાય છે...? આટલા બધા પ્રયાસો છતાં વ્યસનો નાબુદ કેમ થતા નથી...? કેફી દ્રવ્યોનો વેપલો કેમ વધી રહ્યો છે...? ગુજરાત જેવા રાજ્યોમાં પણ દારૃબંધી તદ્દન નિષ્ફળ કેમ થઈ રહી છે...? તેવા સવાલોના જવાબ પણ મેળવવા જ પડે તેમ છે... પણ તેમાં કોઈની પ્રબળ ઈચ્છાશક્તિ કેમ જોવા મળતી નથી...? છે કોઈ જવાબ...?

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

હાલાર બન્યુ ગ્લોબલ.... નગરનું ભાવિ ઉજ્જવળ... નેતાઓની હડિયાપટ્ટી, તંત્રોની કસોટી...

ગુજરાતનું મંત્રીમંડળ આજે અયોધ્યામાં રામલલ્લાના દર્શને જશે, તેની ચર્ચા ગઈકાલથી જ થઈ રહી હતી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના ગઈકાલના જામનગરના કાર્યક્રમો દરમિયાન પણ આ પ્રકારના સંકેતો મળી રહ્યા હતાં.

હમણાંથી હાલાર ગ્લોબલ લેવલે ઝળકી રહ્યું છે અને 'છોટીકાશી' તરીકે ઓળખાતું રજવાડી નગર જામનગર, વિશ્વકક્ષાનું હિન્દુઓનું યાત્રાધામ દ્વારકા, વિવિધ ધર્મસ્થળો, ટુરીઝમ ડેસ્ટિનેશન સમુ બેટ દ્વારકા અને બન્ને જિલ્લાઓના પ્રવાસ-પર્યટન સ્થળોને સાંકળીને હાલાર વિકાસની હરણફાળ ભરી રહ્યું હોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે, જ્યારે જામનગરના ઉજ્જવળ ભવિષ્યની કામનાઓ પણ કરવામાં આવી રહી છે.

બીજી તરફ બન્ને જિલ્લાઓનું વહીવટીતંત્ર અત્યારે કસોટીની એરણે ચડયું હોય તેમ વિવિધ પ્રકારની તૈયારીઓ તથા ફરજોમાં વ્યસ્ત છે. માર્ચ મહિનામાં બોર્ડની પરીક્ષાઓ ઉપરાંત શાળા-કોલેજોની અન્ય પરીક્ષાઓને લઈને તમામ પ્રકારની કાળજી સાથે તૈયારીઓ થઈ રહી છે અને ઉત્તરપ્રદેશની જેમ 'પેપરલીક' થઈ ન જાય, તે માટેની કાળજી સાથે ચૂસ્ત બંદોબસ્ત અને પર્યટન વ્યવસ્થાઓ ઊભી કરવાની કવાયત કરવામાં આવી રહી છે. કેટલીક શાળાઓ તથા સંસ્થાઓ વિદ્યાર્થી ભાઈ-બહેનોને પરીક્ષાનો 'હાઉ' નહીં રાખવા અને પરીક્ષાઓ દરમિયાન કેવી રીતે તૈયારી કરી શકાય તેનું માર્ગદર્શન આપવાની સાથે સાથે પ્રયોગાત્મક પરીક્ષાઓ યોજીને વિદ્યાર્થીઓને પરીક્ષાઓની પૂર્વ તૈયારીઓ પણ કરાવી રહી છે.

બીજી તરફ ચૂંટણીપંચ દ્વારા લોકસભાની ચૂંટણીઓને લઈને પણ જિલ્લાતંત્રોને વિવિધ સૂચનાઓ મળી રહી છે. ચૂંટણી પંચે રાજકીય પક્ષોને પણ ચૂંટણીપ્રચાર દરમિયાન કઈ કઈ કાળજી રાખવી અને કઈ કઈ મર્યાદાઓ રાખવી તેની એડવાઈઝરી જાહેર કરી દીધી છે. ચૂંટણીની આચારસંહિતા લાગુ થઈ જાય, તેને ગણત્રીના દિવસો જ બાકી રહ્યા હોવાથી દેશભરમાં ફટાફટ વિકાસકામોના લોકાર્પણો અને ખાતમુહૂર્તો થઈ રહ્યા છે, અને ગુજરાતમાં પણ રાજ્યભરમાં મંત્રી મહોદયો (ચૂંટણીલક્ષી) સરકારી પ્રવાસો કરી રહ્યા હોય, તેમ ઉદ્ઘાટનો, શિલાન્યાસો સાથે નવા નવા વાયદાઓ કરી રહેલા સંભળાય છે. આ કારણે હાલારના બન્ને જિલ્લાઓમાં પણ વીઆઈપી અને વીવીઆઈપીની અવર-જવર વધી રહી છે, જેના બંદોબસ્ત, વ્યવસ્થાઓ અને આગતા-સ્વાગતા-સરભરાની સાથે સાથે વિશેષ ઢબે સફાઈ-દવા છંટકાવ અને ક્ષતિઓ ઢાંકવાની ગતિવિધિઓ-પ્રવૃત્તિઓ વધી જતાં તમામ તંત્રોને હડિયાપટ્ટી કરવી પડી રહી છે, લોકો સાફ-સુથરા માર્ગો અને રોડના કાંઠે પાથરેલી ડીડીટી પાવડર દવાઓ જોઈને સમજી જાય છે કે કોઈક મોટંુ માથું આવવાનું લાગે છે !

હાલારમાં યાત્રાધામ દ્વારકામાં પણ વડાપ્રધાન સુદર્શન બ્રીજનું ઉદ્ઘાટન અને સ્કૂબા ડાઈવીંગ કરી ગયા પછી ત્યાં એક તરફ યાત્રિકો-પ્રવાસીઓનો પ્રવાહ વધી રહ્યો છે, તો બીજી તરફ ઓખાથી બેટ દ્વારકા વચ્ચે પેસેન્જર બોટ ચલાવીને ગુજરાન ચલાવતા હજાર-બારસો શ્રમિકો-સંચાલકોની રોજગારીનો પ્રશ્ન પણ ઊભો થયો છે. જો કે, બેટદ્વારકા જમીન માર્ગે જોડાઈ ગયા પછી હવે ત્યાં પૂરક વ્યવસાયો, ધંધા-રોજગારની વિપુલ તકો હોવાથી આ લોકોને ત્યાં ડાઈવર્ટ કરી શકાશે, પરંતુ તે માટે સરકારી તંત્રોએ હસ્તક્ષેપ કરવો પડે તેમ જણાય છે, ખરું કે નહીં ?

આમ તો, જામનગર ભારતીય સેનાની ત્રણેય પાંખો છે, જામસાહેબના વારસા સમુ રજવાડી નગર લાખોટાતળાવ, ભુજીયો કોઠો, મ્યુઝીયમ અને વિશ્વકક્ષાના ધાર્મિક સ્થળો-મંદિરો ધરાવે છે, તેમ જ બાંધણી, કંકુ-સુરમો-કાજલ, સુડી જેવી ચીજવસ્તુઓ તથા બ્રાસ ઉદ્યોગ જેવી વિશેષતાઓના કારણે વૈશ્વિક કક્ષાએ પહેલેથી જ ઝળકી રહ્યું છે, અને યાત્રાધામ દ્વારકા પણ ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ અને બેટદ્વારકા ભગવાન શ્રીકૃષ્ણના નિવાસસ્થાન તરીકે ગ્લોબલ મેપમાં જ હતું, અને હવે તેમાં સુદર્શન બ્રીજ, શિવરાજપુર, ઓખામઢી, ડન્ની પોઈન્ટ અને હર્ષદ જેવા વિવિધ બીચ તથા રિલિજિયસ અને ઈકો ટુરિઝમના સંયોજનના કારણે હવે આખું હાલાર ગ્લોબલ ઈમ્પોરટન્ટ ડેસ્ટિનેશન્સની અગ્રીમ હરોળમાં આવી ગયું છે.

બીજી તરફ અંબાણી પરિવારના આંગણે અનંતના લગ્નોત્સવના કારણે લગભગ આખી દુનિયા જાણે જામનગર તરફ આવી રહી હોય તેમ જણાય છે, અને બોલીવુડ, હોલીવુડ, ખેલજગતના સેલિબ્રિટીઝ જ નહીં પરંતુ વિવિધ રાષ્ટ્રોના વડાઓ, પૂર્વવડાઓ, રાજ્ય કેન્દ્ર-સરકારના પ્રતિનિધિઓ-મહાનુભાવો, સંતો-મહંતો, ઉદ્યોગ-વ્યાપાર, સાયન્સ, ટેકનોલોજી-કોર્પોરેટ સહિત વિવિધ ક્ષેત્રોના ગ્લોબલ લીડર્સ, દિગ્ગજો અને વૈશ્વિક ખ્યાતનામ હસ્તીઓ પણ અંબાણી પરિવારના પ્રિ-વેડીંગ સેરેમનીમાં પહોંચી રહ્યા છે, આ જ નેશનલ હાઈવે પર ડબ્લ્યુ.એચ.ઓ.નું ગ્લોબલ મેડિસિન સેન્ટર પણ આકાર લઈ રહ્યું છે, આ બધાના કારણે કહી શકાય કે હાલાર 'ગ્લોબલ' બની રહ્યું છે. ગુજરાતનું ગૌરવ વધી રહ્યું છે... ભારતની ગરિમા વધી રહી છે....

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ગ્લોબલ વોર્મીંગ, કલાઈમેટ ચેઈન્જ રિન્યુએબલ એનર્જી સ્કીમ્સ... દાવાઓ અને હકીકતો....

રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓનું ૪ ટકા મોંઘવારી ભથ્થુ ચૂકવવાનો નિર્ણય કર્યો છે, માવઠાની આગાહી સાથે કેટલાક સ્થળે કમોસમી વરસાદ થયો છે. કોમર્શિયલ એલપીજીમાં ભાવવધારો કરાયો છે અને ઉનાળાના પ્રારંભે જ દેશના કેટલાક વિસ્તારોમાં જળસંકટના એંધાણ વર્તાયા છે, તેવા અહેવાલો વચ્ચે દેશની આબોહવા પર ગ્લોબલ વોર્મીંગ વિષે થયેલા નવા અભ્યાસના ચોંકાવનારા તારણો આવ્યા છે.

ભારતનું સરેરાશ તાપમાન જો ત્રણ ડિગ્રી સેલ્સિયસ જેટલું વધી જશે, તો હિમાચલની મહત્તમ નદીઓ, ઝરણાં, જળસ્ત્રોતો સુકાઈ જતા આ પહાડી વિસ્તારોમાં પણ દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાશે. કલાઈમેટ ચેઈન્જ જર્નલમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલને ટાંકીને આવી રહેલા અહેવાલો મુજબ જે પેરિસ સમજૂતિ મુજબ દોઢ ડિગ્રી સેલ્સિયસથી વધતું નહીં અટકાવાય તો દેશમાં ભયંકર દુષ્કાળ પડવાની સંભાવના છે. આ સ્થિતિનું નિર્માણ ગ્લોબલ વોર્મીંગના કારણે થઈ શકે છે, ત્યારે કલીન ઉર્જાના નિર્માણને પ્રોત્સાહિત કરીને ગ્લોબલ વોર્મીંગ અને કલાઈમેટ ચેઈન્જના ક્ષેત્રે રાહત મળી શકે છે.

ભારતમાં કલીન ઉર્જાનું નિર્માણ કરીને ગ્લોબલ વોર્મીંગ અટકાવવા કે ઘટાડવા માટે રિન્યુએબલ એનર્જીની પોલિસી અપનાવાઈ રહી છે, અને કેન્દ્ર સરકારે આ માટે એક નવી યોજના બનાવી છે. ગઈકાલે કેન્દ્રીય કેબિનેટ પીએમ સૂર્યઘર મફત વીજળી યોજનાને મંજુરી આપી દીધી છે, જે અંતર્ગત દેશના એક કરોડ ઘરો પર સોલાર પ્રોજેકટ સ્થાપીને એક કરોડ પરિવારોને ૩૦૦ યુનિટ સુધી મફત વીજળી મળશે, તેવો દાવો કરવામાં આવ્યો છે, આ યોજનાનું લોન્ચીંગ ૧૩ મી ફેબ્રુઆરીના થયુ હતું અને તે માટે રૂ. ૭પ હજાર કરોડથી વધુ રકમની જોગવાઈની માહિતી કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આપી હતી. આ યોજના અંતર્ગત એક કિલોવોટની સ્કીમ માટે રૂ. ૩૦ હજાર અને બે કિલોવોટની સ્કીમ માટે રૂ. ૬૦ હજાર તથા ૩ કિલોવોટની સ્કીમ માટે રૂ. ૭૮ હજારની સબસીડીની મંજુરી ૧.૭ લાખ લોકોને રોજગારીની તકો મળશે, તેઓ દાવો પણ કરવામાં આવી રહ્યો છે. આ રૂફટોપ યોજનાનો લાભ લેવા માટે પોર્ટલ દ્વારા કેવી રીતે ઓનલાઈન અરજી કરી શકાય છે, તે અંગે પણ માર્ગદર્શન અપાઈ રહ્યું છે. બિન પરંપરાગત અને કલીન ઉર્જાના ક્ષેત્રે આ યોજના એક વિરાટ મહત્ત્વપૂર્ણ કદમ હોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે.

કેટલાક રાજ્યોએ પણ રિન્યુએબલ એનર્જી નો અભિગમ અપનાવ્યો છે. ગુજરાતના બજેટમાં વર્ષ ર૦ર૪-રપમાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે કુલ રૂ. ૮૭૩૮ કરોડની જોગવાઈ થઈ છે, જેમાં કિસાન સર્વોદય યોજના માટે રૂ. ૧પ૭૦ કરોડ તથા કૃષિવિષયક વીજ જોડાણો વધારવા માટે રૂ. ૧૦૧૦ કરોડનો સમાવેશ થાય છે. આ યોજના ઉપરાંત વીજકંપનીના સબસ્ટેશનોની આજુબાજુની સરકારી ફાજલ જમીન પર રપ૦૦ મેગાવોટની ક્ષમતાના સોલાર પી.વી. પ્રોજેકટની જોગવાઈ પણ થઈ છે, જે બિનપરંપરાગત ઉર્જાના ક્ષેત્રે મહત્ત્વપૂર્ણ કદમ હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે.

ગુજરાત સરકારની નવી રિન્યુએબલ એનર્જી પોલિસી-ર૦ર૩ હેઠળ પણ સોલાર, વિન્ડ તથા હાઈબ્રીડ ટેકનોલોજી આધારિત રિન્યુએબલ એનર્જી પ્રોજેકટસની સ્થાપનાને ઉત્તેજન આપવાના દાવાઓ થયા હતાં અને આ પોલિસી હેઠળ ગ્રાઉન્ડ માઉન્ટેડ સોલાર, રૂફટોપ સોલાર, ફલોટીંગ સોલાર, રૂફટોપ વિન્ડ તથા વિન્ડ-સોલાર હાઈબ્રીડ પ્રોજેકટસને આવરી લેવાયા હોવાની જાહેરાત કરવામાં આવી હતી એ તેનો ઓપરેશનલ સમયગાળો વર્ષ-ર૦ર૮ સુધીનો રાખવામાં આવ્યો છે.

જો કે, વિપક્ષી નેતાઓ કેન્દ્ર-રાજય સરકારની ઉર્જાનીતિ સહિતના દાવાઓ સામે સવાલો ઉઠાવી રહ્યા છે, અને ભાજપ સરકારના ખાવાના અને દેખાડવાના દાંત જુદા જુદા હોવાનો કટાક્ષ થઈ રહ્યો છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયાએ રાજ્ય સરકાર નાણાકીય વ્યવસ્થાપનમાં સદંતર નિષ્ફળ ગઈ હોવાનો ગંભીર આક્ષેપ કર્યો અને ચાલુ નાણાકીય વર્ષના અંતે ગુજરાત પર રૂ. સવા ચાર લાખ કરોડને દેવુ આંબી જશે, તેમ જણાવી સવાલ ઉઠાવ્યો હતો કે જ્યારે રાજ્યની આવકના ૪પ ટકા નાણા દેવા પર વ્યાજ, કર્મચારીઓના પગાર અને પેન્શન પર ખર્ચાઈ જાય છે, ત્યારે રાજ્ય સરકાર આવક વધારવાના પ્રયાસો કરવાના બદલે ખોટ જાય, તેવા કદમ કેમ ઉઠાવી રહી છે.

રિન્યુએબલ એનર્જીના મુદ્દે મોઢવાડિયાએ આકરી ટીકા કરતા કહ્યું કે ગુજરાત સરકાર પાવર પ્લાન્ટસના આધુનિકરણ અને લિગ્નાઈટ વગેરે પાવર પ્લાન્ટ્સના તકનીકી અપગ્રેડેશનના બદલે તેને બંધ કરીને ખાનગી કંપનીઓ પાસેથી મોંઘીદાટ વીજળી ખરીદી રહી હોવાથી સરકારી તિજોરીને કરોડોની ખોટ જાય છે, જે પબ્લિક મની છે. લિગ્નાઈટ પ્લાન્ટની પ્રોડકશન કેપેસિટી ૧ર૦૦ મેગાવોટ હતી, તે ઘટાડીને ૭૦૦ મેગાવોટની આજુબાજુ કરીને તેની પૂર્તતા ખાનગી કંપનીઓની મોંઘી વીજળી દ્વારા કરવાના કારણે સરકાર પર બોજ વધ્યો છે. મોઢવાડિયાએ વિધાનસભામાં કેટલીક જાણીતી ઔદ્યોગિક કંપનીઓને હાઈડ્રોજન પ્રોજેકટ માટે બે લાખ હેકટર જમીન ફાળવી હોવા છતાં એક પણ કામ શરૂ થયું નહીં હોવાનો સણસણતો આક્ષેપ પણ કર્યો હતો.

આમ, કેન્દ્રની યોજનાઓ અને રાજ્ય સરકારે ઉર્જાક્ષેત્રે જે કાર્યપદ્ધતિ અપનાવી છે, તેના મિશ્ર પ્રત્યાઘાતો પડી રહ્યા છે. ઘણાં લોકો પી.એમ. સુર્યઘર યોજનાને લોકસભાની ચૂંટણીમાં રાજકીય લાભ લેવાનો કારસો ગણાવી રહ્યા છે, જ્યારે ઘણાં લોકો આ યોજનાને દૂરગામી સારા ફળો આપનારી ગ્લોબલ વોર્મીંગ ઘટાડનારી, પર્યાવરણની રક્ષક, કલાયમેટ ચેઈન્જમાં રાહત આપનારી અને મધ્યમવર્ગ માટે લાભકારી ગણાવી રહ્યા છે, બીજી તરફ અર્જુનભાઈ મોઢવાડિયા જેવા વિપક્ષી દિગ્ગજ નેતાઓ દ્વારા જે અંગૂલીનિર્દેશ કર્યો હોય, તેને લક્ષ્યમાં લઈને પણ સરકારે પોલિસીમાં જરૂરી સુધારા-વધારા કરવા જોઈએ અને ગુજરાતની જનતાના ગજવા પરથી ભાર ઓછો થાય, તેવા પારદર્શક કદમ ઉઠાવવા જોઈએ, તેમ નથી લાગતું? 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ટોક ઓફ ધ ટાઉન... ટોક ઓફ ધ હાલાર... ટોક ઓફ ધ નેશન... મોરારજીભાઈને સ્મરણાંજલિ...

આવતીકાલે જામનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે મીલેટ્સ એકસ્પોનો ઉદ્ઘાટન ઉપરાંત લગભગ ત્રણ અબજના વિકાસકામોના લોકાર્પણ, ખાતમુહૂર્તો થશે,, સ્પોર્ટકોમ્પ્લેક્ષનું ખાતમુહૂર્ત અને પોલીસ હેડકવાર્ટરમાં સ્પોર્ટસ - ક્રિકેટ ગ્રાઉન્ડના લોકાર્પણ પછી શહેરની રમત-ગમત પ્રવૃત્તિઓને વેગ મળશે. આ પ્રકારના વિકાસના કામોના નિર્માણ પછી તેના સંચાલન નિભાવ, દેખરેખ અને વખતોવખત નવીનીકરણ-આધુનિકરણ વ્યવસ્થાઓ પણ અત્યારથી જ સંપૂર્ણપણે સુનિશ્ચિત કરી લેવામાં આવી હોય તો તે સમયોચિત કદમ ગણાશે, કારણ કે ઘણી વખત આ પ્રકારની દૂરંદેશીમાં ત્રુટિ રહી જાય, તો કેટલીક સુવિધાઓનો મૂળ ઉદ્દેશ્ય જ માર્યો જતો હોય છે.

જામનગર સહિત હાલારમાં અત્યારે ખાવડી પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં અંબાણી પરિવાર દ્વારા પારિવારિક પ્રસંગની ઉજવણીના ભાગરૃપે ગ્રામ્ય વિસ્તારો તથા ગ્રામજનોને સાંકળીને યોજાઈ રહેલા કાર્યક્રમો, ભોજન સમારંભો અને ઈત્તરપ્રવૃત્તિઓની જબરદસ્ત ચર્ચા થઈ રહી છે. એવું કહેવાય છે કે જામનગરની મુલાકાતે આવી રહેલા મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી પણ અનંત અંબાણીના પ્રિ-વેડીંગ સેરેમનીમાં જવાના છે. અંબાણી પરિવાર દ્વારા આ પ્રસંગને સાંકળીને કેટલીક સેવા પ્રવૃત્તિઓ થઈ રહી છે, અને સંખ્યાબંધ સેલિબ્રિટીઝ આવી રહ્યા છે અને દિગ્ગજ ઉદ્યોગપતિઓ તથા મોટા નેતાઓ આવી રહ્યા હોવાથી આ પારિવારિક પ્રસંગે સમગ્ર દેશનું પણ ધ્યાન ખેંચ્યું છે, તો આ ઈવેન્ટ્સ 'ટોક ઓફ ધ હાલાર' પણ બન્યા છે.

જામનગરમાં તા. પહેલી માર્ચથી ત્રણ દિવસ માટે એમ્યુઝમેન્ટ પાર્ક પાસે ખેતીવાડી ખાતા દ્વારા મીલેટ્સ એકસ્પો યોજાનાર છે, તેમાં સાંસ્કૃતિક, લોક-સાહિત્યના કાર્યક્રમોની રંગત સાથે ૪૦ જેટલા વિવિધ સ્ટોલ્સના માધ્યમથી પ્રાકૃતિક ખેતી, મીલેટ્ દ્વારા લાઈવફૂડ અને મીલેટ પાકના કીટ્સ, હસ્તકલા વગેરેનો લાભ લોકો લઈ શકશે, અને અહીં આયુર્વેદ અંગે પણ માર્ગદર્શન અપાશે, તેમ જાહેર થયું છે, ત્યારે તંત્રો હડિયાપટ્ટી કરી રહ્યા છે, આ પ્રકારના કાર્યક્રમો માત્ર સિમ્બોલિક ન બની જાય, અને વધુમાં વધુ લક્ષિત લોકો વાસ્તવિક રીતે આ પ્રકારના કાર્યક્રમો-એકસ્પો-વર્કશોપ્સ વગેરેનો લાભ લે, તે અત્યંત જરૃરી છે, અને કાર્યક્રમો પૂરા થયા પછીના દિવસોમાં તેની થયેલી અસરોનું ફોલોઅપ અને ફિડબેક મેળવવાનું નેટવર્ક વિસ્તારવું જોઈએ, તેમ નથી લાગતું ? જો કે, આ નવતર સુવિધાઓનો મુદ્દો 'ટોક ધ ટાઉન' જરૃર બન્યો છે.

આજે ગુજરાતના પનોતાપુત્ર અને ભૂતપૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈની જયંતી ઉજવાઈ રહી છે, અને દર ચાર વર્ષે આવતી ર૯ મી ફેબ્રુઆરીના દિવસે જન્મેલા ગાંધીવાદી નેતા મોરારજીભાઈને શ્રદ્ધાંજલિઓ અપાઈ રહી છે, ત્યારે તેઓના સિદ્ધાંતો, આદર્શો અને જીવનશૈલીને લઈને પણ દેશવ્યાપી ચર્ચાઓ થઈ રહી છે, અને ખાસ કરીને તેઓના 'શિવામ્બુ'ના કોન્સેપ્ટની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે. મોરારજીભાઈ દેસાઈની વિશેષતાઓ અને નાણામંત્રી તરીકેની તે સમયેની તેમની પોલિસીઓની ચર્ચા પણ વ્યાપક રીતે થઈ રહી છે, અને સાથે સાથે નોટબંધીના કદમને પણ યાદ કરવામાં આવી રહ્યું છે.

આજે જેવી રીતે દેશમાં રાજકીય ઘટનાક્રમો સર્જાઈ રહ્યા છે અને પક્ષાંતરો થઈ રહ્યા છે, તે વર્ષ ૧૯૭૦ ના દાયકાની યાદ અપાવી રહ્યા છે. ઈન્ડિકેટ અને સિન્ડકેટે નામના જૂથો અને શાસક અને સંસ્થા કોંગ્રેસના સ્વરૃપમાં થયેલા પાર્ટીના વિભાજન પછી મોરારજીભાઈ દેસાઈએ વિપક્ષી નેતા તરીકે શરૃ કરેલી યાત્રા અને વર્ષ -૧૯૭૭માં જનતાપાર્ટીની સરકારમાં વડાપ્રધાન બન્યા, ત્યાં સુધીની તેઓની પ્રગતિયાત્રાના ઘટનાક્રમો આજે તેઓની જયંતીના પર્વે વર્ણવાઈ રહ્યા છે, તેઓએ વર્ષ ૧૯૮૦માં જનતાપાર્ટીના પતન પછી સ્વીકારેલો રાજકીય સંન્યાસ પણ જે-તે સમયે ચર્ચામાં રહ્યા હતો. આજે તેઓની જન્મજયંતી પ્રસંગે તેઓને સ્મરણાંજલિઓ અપાઈ રહી છે.

આજે જ્યારે સત્તા મેળવવા કે ટકાવવા માટે સિદ્ધાંતોને નેવે મૂકી દેવાની માનસિકતા વધી રહી છે, ત્યારે મોરારજી દેસાઈ જેવા અનેક ગાંધીવાદી નેતાઓની યાદ તાજી થઈ જાય, જેઓ સત્તા માટે સિદ્ધાંતો સાથે જરાયે બાંધછોડ કરવા તૈયાર નહોતા...

અત્યારે દેશમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલો અને લોકસભાની ચૂંટણીઓના વ્યૂહાત્મક પ્રચારના ઝંઝાવાતના કારણે માહોલ ગરમાયો છે, અને સિદ્ધાંતો, આદર્શો, નીતિનિયમોનું સ્થાન હવે 'વિનેબિલિટી' ફેકટરે લીધું છે, તેના વિશ્લેષણો પણ 'ટોક ઓફ ધ નેશન' બન્યા છે.

ગુજરાત માટે ગૌરવ લેવા જેવી બાબત એ છે કે વિવિધ ક્ષેત્રોમાં ટોચના શિખરે પહોંચેલા અનેક મહાનુભાવો ગુજરાતી મૂળના છે અને તેમાંથી ઘણાં પોતાની જન્મભૂમિ, માતૃભૂમિ અને કર્મભૂમિને ભૂલ્યા નથી. મોરારજીભાઈ અને મુનશીથી લઈને મોદી સુધીના રાજનેતાઓ, ઉપરાંત સાયન્સ, વ્યાપાર-ઉદ્યોગ અને કૃષિ-સિંચાઈ-ગ્રામિવકાસના ક્ષેત્રે ઉત્તમ યોગદાન આપનાર સંખ્યાબંધ વૈજ્ઞાનિકો, ઉદ્યોગપતિઓ, બિઝનેસમેનો, શિક્ષણવિદે, ઈતિહાસકારો અને બ્યુરાક્રેટ્સ પણ ગુજરાતી મૂળના છે. અમેરિકા, બ્રિટન, આફ્રિકા, કેનેડા, જાપાન, ઓસ્ટ્રેલિયા સહિતના અનેક દેશોમાં પણ રાજકીય વ્યાપાર ઉદ્યોગ અને સાંસ્કૃતિક ક્ષેત્રે ઉચ્ચ કક્ષાએ પહોંચેલા મૂળ ગુજરાતીઓ ભારત માતાનું ગૌરવ પણ વધારી રહ્યા છે... જય, જય, ગરવી ગુજરાત...

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

પૂરબ સે પશ્ચિમ... ઉત્તર સે દક્ષિણ... 'ખેલા' હોતા રહેગા ? જસ્ટ, વેઈટ એન્ડ વોચ...

ગઈકાલે રાજ્યસભાની ચૂંટણી થઈ, જેમાં જબરદસ્ત 'ખેલા' હો ગયા, અને હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની સરકાર હોવા છતાં તેના ઉમેદવાર હિમાચલની એકમાત્ર રાજયસભાની બેઠકની ચૂંટણીમાં હારી ગયા. જો કે, સૌજન્યતાથી અને સભ્યતાથી કોંગી ઉમેદવાર અભિષેક મનુ સિંઘલએ હાર સ્વીકારી, અને વીજયી પ્રતિસ્પર્ધીને અભિનંદન આપ્યા, સાથે સાથે ભાજપની રાજનીતિની ટીકા કરી, તેથી સૌ કોઈ પ્રભાવિત થયા હશે.

હિમાચલમાં ભારતીય જનતા પક્ષના રપ અને કોંગ્રેસના ૪૩ ધારાસભ્યોના મતો હોવા છતાં ક્રોસ વોટીંગ થતાં ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોને સરખા ૩૪-૩૪ મતો મળ્યા, પરંતુ લક્કી ડ્રોમાં ભાગ્યે ભાજપનો સાથ આપ્યો અને કોંગ્રેસના ઉમેદવાર હારી ગયા. હવે હિમાચલ પ્રદેશની કોંગી સરકાર પર ખતરો તોળાઈ રહ્યો છે.

ઉત્તરપ્રદેશમાં પણ ભાજપના ૭ જ ઉમેદવારો જીતે તેમ હોવા છતાં ભાજપે આઠમો ઉમેદવાર મેદાનમાં ઉતાર્યો અને સમાજવાદી પાર્ટીના ૬ તથા કોંગી સમર્થિત ૩ અપક્ષ ધારાસભ્યોએ ક્રોસ વોટીંગ કરતા ભાજપનો આઠમો ઉમેદવાર જીતી ગયો અને સમાજવાદી પાર્ટીને બે જ બેઠકો પર વિજય મળ્યો. આમ હિમાચલ પ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં જબરદસ્ત ઉલટફેર થયો અને રાજકરણની દુનિયાની વ્યંગ્યવણીમાં અવાજ ઉઠ્યો છે, 'ખેલા હો ગયા...' ખેલા હો ગયા...'

ઉત્તર ભારતમાં ગઈકાલે ભાજપની બલ્લે બલ્લે થઈ રહી હતી ત્યારે દક્ષિણ ભારતની કર્ણાટક વિધાનસભા દ્વારા કોંગ્રેસના ૩ અને ભાજપના ૧ ઉમેદવારનો વિજય થયો, અને ત્યાં પણ ભાજપના એક ઉમેદવારે કોંગ્રેસ તરફી ક્રોસ વોટીંગ કર્યું.

ઉત્તરથી દક્ષિણ ભારત તરફ રાજકીય માહોલ ગતિશીલ બન્યો છે, રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપે પંદરમાંથી દસ બેઠકો મેળવ્યા પછી હવે તમામ ગતિવિધિઓ લોકસભાની ચૂંટણીઓને કેન્દ્રમાં રાખીને જ થવાની છે. કોંગ્રેસની દક્ષિણ ભારતમાં કર્ણાટક અને તેલંગાણામાં સરકારો છે, અને રાહુલ ગાંધી વયડનના સંસદસભ્ય છે. ડી.એમ.કે સાથે કોંગ્રેસનું ગઠબંધન છે, તેથી કોંગ્રેસે દક્ષિણ ભારત પર વધુ ધ્યાન કેન્દ્રીત કરવું પડે તેમ છે.

બીજી તરફ ભારતીય જનતા પક્ષે પણ દક્ષિણ ભારતમાં પગપેસારો કરીને લોકસભાની ચૂંટણી દરમિયાન દક્ષિણ ભારતમાંથી પણ શકય તેટલી વધુ બેઠકો જીતવાની રણનીતિ અપનાવી હોય તેમ જણાય છે, અને તેથી જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપના દિગ્ગજોએ છેલ્લા કેટલાક મહિનાઓથી દક્ષિણ ભારતનો પ્રવાસ વધારી દીધો છે અને સંખ્યાબંધ સરકારી કાર્યક્રમો પણ યોજ્યા છે. ભાજપનો ઉત્તર ભારતમાં મજબૂત જનાધાર જણાય છે અને તાજેતરની વિધાનસભાની ચૂંટણીઓ પછી પશ્ચિમ ભારતમાં પણ ભાજપ વધુ મજબૂત બન્યો છે, અને એક મંત્રીએ રાજીનામું આપી દીધું ત્યારે જો હિમાચલ પ્રદેશની સરકાર ગબડે, તો ઉત્તર ભારતમાં પંજાબ અને દિલ્હી, ઉપરાંત ઝારખંડ (ગઠબંધન સરકાર) અને પ.બંગાળમાં મમતા બેનર્જીની સરકાર સિવાયના રાજ્યોમાં ભાજપ મજબૂતીથી ચૂંટણી લડી શકે તેમ છે. ઓડિસામાં ભાજપ અને બીજેડી વચ્ચે પણ ફ્રેન્ડલી ફાઈટ થવાની છે, આમ, ભાજપ ઉત્તરથી માંડીને દક્ષિણ ભારત સુધી પાર્ટીનો પ્રભાવ, મોદી મેજીક અને ભાવનાત્મક મુદ્દાઓ સાથે આક્રમક પ્રચાર કરીને છવાઈ જવાની રણનીતિ અપનાવી રહ્યો છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ મણીપુરથી આદરેલી ભારત જોડો ન્યાય યાત્રા પશ્ચિમ તરફ આગળ વધી રહી છે, અને તેમાં ઉત્તર ભારતના કેટલાક રાજ્યોને આવરી લીધા છે, અને માર્ચ મહિના સુધીમાં ગુજરાત સહિત પશ્ચિમ ભારત રાજ્યોને પણ આવરી લેશે. કોંગ્રેસે પણ વ્યાપક અને પ્રભાવી ચૂંટણી પ્રચારની રણનીતિ અપનાવી છે, તથા કેટલાક રાજ્યોમાં ઈન્ડિયા ગઠબંધનના સાથી પક્ષો વચ્ચે સીટ શેરીંગ સુનિશ્ચિત થઈ ગયું છે, તેથી એમ કહી શકાય કે કોંગ્રેસે રાહુલ ગાંધીના માધ્યમથી પૂરબ સે પશ્ચિમ અને મલ્લિકાર્જુન ખડગેના માધ્યમથી દક્ષિણ ભારતમાં પણ વ્યૂહાત્મક ઢબે ચૂંટણી લડવાનું મન બનાવ્યું છે. ઉત્તરભારતમાં પણ બે-ત્રણ રાજ્યોમાં 'આપ' નો પ્રભાવ હોવાથી તેના માટે કોંગ્રેસ ઉદારનીતિ અપનાવશે, તેમ જણાય છે, જો કે, ગુજરાતમાં ભરૂચની બેઠક પરથી આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાને લઈને કોંગ્રેસમાં આંતરિક ઘૂંઘવાટ શરૂ થયાના અહેવાલો પછી એમ કહેવાય છે કે ચૈતર વસાવા કોંગ્રેસ તરફથી પણ ચૂંટણી લડવા તૈયાર છે.

હિમાચલ પછી હજુ પણ ઝારખંડ, કર્ણાટક અને વિપક્ષી ગઠબંધનની અન્ય રાજ્ય સરકારોમાં પણ ભાંગફોડ થાય અને 'ખેલા હો જાય' તેવી સંભાવનાઓ નકારી શકાય તેમ નથી.

ભાજપે ભરતી મેળો શરૂ કર્યા પછી ગુજરાત સહિત જુદા જુદા રાજ્યોમાંથી કદાવર વિપક્ષી નેતાઓ પણ ભાજપમાં જઈ રહ્યા છે, ત્યારે વિપક્ષો કહે છે કે ભાજપે નીતિમત્તાને નેવે મૂકી દીધી છે,અને સામ, દામ, દંડ, ભેદ, કેન્દ્રીય એજન્સીઓનો દુરૂપયોગ તથા મનીપાવર દ્વારા ગમે તેમ કરીને વિપક્ષોને નબળા પાડવાનો જે પ્રયત્ન કર્યો છે, તે લોકતંત્રના આત્મા પર હૂમલા સમાન છે, અને આ બધું ગુપચૂપ નિહાળી રહેલી જનતા વખત આવ્યે જવાબ પણ આપી દેશે. આ પ્રકારના નિવેદનોના જવાબમાં એનડીએના પ્રવકતાઓ કહે છે કે પહેલાં આત્મ નિરીક્ષણ કરો...

આ ખેલ હવે લોકસભાની ચૂંટણી સુધી ચાલ્યા જ કરવાનો છે.... એન્જોય....!

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

જોઈએ, હવે શું થાય છે તે....

આજે દેશના ૩ રાજ્યોમાં રાજ્યસભાની ૧પ બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે અને સાંજ સુધીમાં પરિણામો આવી જશે. ક્રોસ વોટિંગ અને બદલતા સમિકરણો વચ્ચે આ ચૂંટણીજંગ એટલા માટે રસપ્રદ બન્યો છે કે, ઉત્તરપ્રદેશમાં 'ખેલા હોગા' ની અટકળો વચ્ચે કેટલાક ધારાસભ્યો 'ગાયબ' એટલે કે સંપર્ક વિહોણા થઈ ગયા હતા. જો કે, આજે સાંજ સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે. ભારતીય જનતા પક્ષે મહત્તમ બેઠકો જીતવા માટે એડીચોટીનું જોર લગાવી દીધું છે. ગુજરાત સહિત કેટલીક રાજયસભાની બેઠકો પર નિર્વિરોધ ચૂંટાયેલા સાંસદો સહિત આજની ચૂંટણી પછી રાજ્યસભામાં કયા પક્ષની કેટલી બેઠકો વધશે, તેની ચર્ચા પણ થઈ રહી છે અત્યારે તો એનડીએનું પલડુ ભારે હોય તેમ જણાય છે. કારણ કે ક્રોસ વોટિંગની સંભાવનાઓ પહેલેથી જ જણાવાઈ રહી હતી. જોઈએ, હવે શું થાય છે તે...

બીજી તરફ ભારતીય જનતા પક્ષ દ્વારા હાલાર સહિત ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે સેન્સ લેવાની કવાયત શરૃ થઈ ગઈ છે અને જામનગર બેઠક માટે નવેક નેતાઓએ ઉમેદવારી માટે દાવેદારી નોંધાવી છે, તેમ કહેવાય છે હવે હાલાર સહિત રાજ્યમાં સેન્સપ્રક્રિયા સંપન્ન થયા પછી કોને કોને ટિકિટ મળશે, તે જોવાનું રહ્યું. કેટલાક ઉમેદવારોની ટિકિટ પાક્કી થઈ ગઈ હોવાની અટકળોની સાથે સાથે નો રિપિટ થિયરી અપનાવાય તો તેમાં પણ કેટલાક અપવાદો હશે, તેમ કહેવાય છે. જો કે ભાજપમાં સર્વોચ્ચ નેતાગીરી જ અંતિમ નિર્ણય લેતી હોવાથી જ્યારે ફાઈનલ યાદી બહાર પડે.. ત્યાં સુધી બધાએ રાહ જ જોવી રહી, બીજી તરફ વિપક્ષી ગઠબંધન ઈન્ડિયામાંથી ભરૃચ અને ભાવનગર બેઠકો પરથી 'આપ' ના ઉમેદવારો ચૂંટણી લડશે, તેવી આમ આદમી પાર્ટીની જાહેરાત પછી જે કાંઈ હલચલ અને હિલચાલ થઈ રહી છે, તે આપણી સામે જ છે, પરંતુ મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, ગુજરાત તથા દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોમાં ઈન્ડિયા ગઠબંધન વચ્ચે સીટ શેરીંગ ફાઈનલ થઈ ગયા પછી હવે ધીમે ધીમે ઈન્ડિયા ગઠબંધનનું ચિત્ર પણ સ્પષ્ટ થવા લાગ્યું છે. જો કે, પં.બંગાળમાં કોંગ્રેસની રાષ્ટ્રીય નેતાગીરી ટીએમસી સાથે ગઠબંધન કરવાની પેરવી કરી રહ્યું છે. ત્યારે જ પં.બંગાળના કોંગી નેતા અધીરરંજન ચૌધરીએ પોતાની રીતે જ ડાબેરીઓ સાથે એક પક્ષીય રીતે સીટ શેરીંગની વાત કરતા મામલો ગુંચવાયો છે. એ પછી હવે પં.બંગાળમાં મમતા બેનર્જી સાથે કોંગ્રેસ ગઠબંધન નહીં કરે, કે પછી અધીર રંજન ચૌધરીના વલણને લઈને આંતરિક નિર્ણય લેવાશે, તે અંગે પણ અનુમાનો થવા લાગ્યા છે. જોઈએ, હવે શું થાય છે તે...

ભારતીય જનતા પક્ષ તરફથી ગુજરાતની તમામ ર૬ લોકસભા બેઠકો પર વિજય મેળવવાનું તો લક્ષ્ય હતું જ, હવે એવો દાવો કરાઈ રહ્યો છે કે મહત્તમ બેઠકો પાંચલાખ થી વધુ મતોના માર્જીનથી જીતવાનું લક્ષ્યાંક પણ રખાશે. ભાજપ દ્વારા જે રીતે સેન્સ લેવાઈ રહી છે અને પ્રિ-ઈલેકશન પ્રક્રિયાત્મક  મેરેથોન મિટિંગોનો ધમધમાટ ચાલી રહ્યો છે, તો જોતા એમ જણાય છે કે માર્ચ મહિનામાં જ કદાચ લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. બોર્ડની પરીક્ષાઓ તથા અન્ય મહત્ત્વની પરીક્ષાઓ પૂર્ણ થતાં જ આચારસંહિતા લાગુ થઈ જાય, તેમ હોવાથી જયાં જેનું શાસન છે, ત્યાં તે પક્ષ દ્વારા ઝડપભેર વિકાસના કામો થઈ રહ્યા છે, અને વડાપ્રધાન તોે દેશભરમાં ફરી ફરીને જંગી રકમના શ્રેણીબદ્ધ-અસંખ્ય પ્રોજેકટોના શિલાન્યાસ અને લોકાર્પણો કરી રહ્યા છે. અને આગામી જૂન મહિનામાં ફરીથી એનડીએની સરકાર રચાશે, તેવો દાવો પણ ગઈકાલે એક ટીવી ચેનલના કાર્યક્રમમાં તેઓએ કરી દીધો છે, ત્યારે જોઈએ, હવે શું થાય છે તે...

ગઈકાલે એવા અહેવાલો પણ આવ્યા હતાં કે દ્વારકા સહિત ગુજરાતના ૧૧ સ્થળો પર એરસ્ટ્રીપ બનાવવાનું આયોજન છે, દ્વારકા માટે જે જમીન નક્કી કરાઈ છે, તેનો પ્રિ-ફિઝિબિલિટી અંગે એરપોર્ટ ઓથોરિટી કક્ષાએ પ્રક્રિયા ચાલી રહી હોવાનું પણ કહેવાય છે. દ્વારકા પાસે એરસ્ટ્રીપના મુદ્દે હજુ ફાઈનલ નિર્ણય લેવાયો નહીં હોવાની અટકળો પણ છે. આ વિસ્તારમાંથી નહીં, પણ દેશ-વિદેશના પ્રવાસીઓ દ્વારા પણ દ્વારકામાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું એરપોર્ટ બને, તેવી આકાંક્ષા ઘણાં સમયથી રાખવામાં આવી રહી છે, જોઈએ, હવે શું થાય છે તે....

ભાજપ 'અબ કી બાર, ચારસો કે પાર' ના સુત્ર સાથે 'મોદી કી ગેરંટી'નો વ્યાપક પ્રચાર કરી રહ્યા છે, તો કોંગ્રેસ મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર, આપખુદશાહી અને મહિલા સુરક્ષા સહિતના મુદ્દાઓની સાથે સાથે ચીન-પાકિસ્તાનની સરહદોને લગતા મુદ્દાઓ ઉઠાવી રહી છે અને ઓબીસી ઉત્થાન માટે નવા વાયદાઓ કરી રહી છે આમ આદમી પાર્ટી કેન્દ્રીય એજન્સીઓના દુરૃપયોગ અને વિપક્ષી રાજ્ય સરકારોને અસ્થિર કરવાના પ્રયાસો થઈ રહ્યા હોવાની કાગારોળ મચાવી રહી છે, જ્યારે સમાજવાદી પાર્ટી, ડાબેરીઓ, એનસીપી (શરદ પવાર) શિવસેના ઉદ્ધવ, ડીએમકે સહિતના પ્રાદેશિક પક્ષો મોદી સરકાર પર વિવિધ મુદ્દે તડાપીટ બોલાવી રહ્યા છે, ત્યારે આગામી લોકસભાની ચૂંટણી પણ ઘણી જ રસપ્રદ થવાની છે, તેવા સંકેતો મળી રહ્યા છે, જોઈએ હવે શું થાય છે તે...

સૌરાષ્ટ્રની કઈ લોકસભા બેઠકો માટે કોણે ઉમેદવારી નો દાવો કર્યો અને કોને ટિકિટ મળશે, તેની અટકળો વચ્ચે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વમંત્રી નારણભાઈ રાઠવા કોંગ્રેસ છોડીને ભાજપમાં જઈ રહ્યા હોવાની ચર્ચાઓ ગઈકાલથી જ થઈ રહી હતી, જ્યારે ઉત્તરપ્રદેશના સમાજવાદી નેતા અખિલેશ યાદવે ચૂંટણીપ્રક્રિયા પર જ સંદેહ વ્યકત કરતા કહ્યું હતું કે રાજ્યસભાની ચૂંટણીમાં તેમની પાર્ટીના ઉમેદવારો જીતે તેમ છે, પરંતુ ચૂંટણી જીતવા કોઈ પણ હદે જઈ શકતો ભાજપ ' ચંદીગઢ' ફેઈમ ગરબડ ન કરે તો સારું, તેમ જણાવી અખિલેશે પરોક્ષ રીતે તો ચૂંટણી પ્રક્રિયા સામે જ આશંકા ઊભી કરી દીધી, જોઈએ હવે શું થાય છે તે...

રાજકારણમાં જેવી રીતે દિવસે દિવસે માહોલ બદલી રહ્યો છે, તેવી જ રીતે કુદરતી ઋતુચક્ર પણ બદલાઈ રહ્યું હોય તેમ અત્યારે કમોસમી વરસાદની શકયતાઓ વચ્ચે ગરમી-ઠંડીના સંયોજનના કારણે અને પલટાતા રહેતા હવામાનના કારણે વાયરલ બીમારીઓ પણ વધી રહી છે અને સરકારી આરોગ્ય કેન્દ્રો તથા હોસ્પિટલો ટૂંકા પડી રહ્યા છે... જોઈએ, હવે શું થાય છે તે...

અત્યારે તો દેશભરમાં લોકસભાની ચૂંટણીને લઈને પ્રચાર-પ્રસારની આંધી શરૃ થવા જઈ રહી છે અને દેશવ્યાપી રાજકીય રણનીતિઓ બદલાઈ રહી છે, ત્યારે ચૂંટણી આવતા સુધીમાં કાંઈ પણ થઈ શકે છે, જોઈએ, હવે શું થાય છે તે....

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

દ્વારકા મંડળનો દબદબો.... ઝળકી ઉઠી કૃષ્ણની કર્મભૂમિ... હાલાર બન્યુ ગ્લોબલ.... પણ .... હવે?

દ્વારકામંડળનો પશ્ચિમી દરિયાઈ સરહદે દબદબો વધી રહ્યો છે, અને દ્વારકાનો દાયકો જ નહીં પણ પુનઃ સુવર્ણ યુગ શરૃ થયો છે.

ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિની સુવર્ણાક્ષરે નવી તવારીખ ઝળહળી રહી હોય, તેમ ભગવાન દ્વારકાધીશની રાજધાની અને નિવાસસ્થાન-રાણીવાસીને જોડતા સુદર્શન સેતુના લોકાપંર્ણની સાથે જ બેટદ્વારકા વૈશ્વિક રિલિજ્યસ ટૂરિઝમ ઉપરાંત બહુલક્ષી આયામો સાથેનું ગ્લોબલ ડેસ્ટિનેશન બની ગયુ છે. આ ઉપરાંત દ્વારકા અને બેટદ્વારકાના દરિયાના પેટાળમાં પ્રાચીન સુવર્ણનગરી દ્વારકાના દર્શનની ભવ્યતા નિહાળવાની દિશાઓ પણ ખુલી ગઈ છે. આ સાથે વૈવિધ્યપૂર્ણ પ્રાચીન સંસ્કૃતિ, ઈતિહાસ અને પૌરાણિક ભવ્યતા સાથે પશ્ચિમ ભારતની સરહદે આવેલું હાલાર હવે ગ્લોબલ મેપની અગ્રીમ હરોળમાં પ્રસ્થાપિત થઈ ચુકયું છે તેથી હાલારીઓને ગૌરવ સાથે આત્મસંતોષની અનુભૂતિ થાય, તે સ્વાભાવિક જ છે ને ?

હવે દ્વારકા સહિત સૌરાષ્ટ્રમાં વૈશ્વિક પ્રવાસીઓ સહિત દેશભરમાંથી મોટી સંખ્યામાં યાત્રિકો ઉમટશે ત્યારે આપણા સૌરાષ્ટ્રની પ્રાચીન ગરિમા કાઠીયાવાડી દરિયાદિલી, પરાણાગત 'અતિથિદેવો ભવઃ' ની આપણી ભવ્ય પરંપરા ચૂસ્તપણે જાળવી રાખવાની છે. આપણાં યાત્રા-પ્રવાસ-પર્યટન સ્થળોમાં દર્શન કરવા, હરવા-ફરવા કે અભ્યાસ-સંશોધન અર્થે આવતા કોઈપણ મુલાકાતીઓને જરાયે તકલીફ પડે નહીં, મહિલાઓ-બાળકો, વયોવૃદ્ધ અને દિવ્યાંગ, અશકત યાત્રિકો પ્રત્યે સહાનુભૂતિ સાથે મદદ કરીને તેઓની ગરિમા જળવાઈ રહે અને ખાસ કરીને નફાખોરી કે અસુરક્ષાની અનુભૂતિ કોઈપણ મુલાકાતીને કોઈપણ સમયે ન થાય, તેની કાળજી પણ આપણે સૌએ સાથે મળીને રાખવાની છે, એટલું જ નહીં, મુખ્ય મંદિરોમાં શકય તેટલું વીઆઈપી કલ્ચર ઘટાડીને તમામ યાત્રિકો-પ્રવાસીઓને સમાન ધોરણે દર્શન-પૂજનની તકો પ્રાપ્ત થાય, તેવી વ્યવસ્થાઓ પણ વિકસાવવી પડશે અને આ માટે તંત્રો અને સ્થાનિક નેતાઓએ પણ વધુ ધ્યાન આપવું પડશે, ખરું કે નહીં ?

પીએમ મોદીએ આજે ભારત મંડપમ્માંથી ટેકસ્ટાઈલ ક્ષેત્રે જે કાર્યક્રમોનો પ્રારંભ કરાવ્યો છે અને પીએલઆઈના માધ્યમથી અઢીલાખ નવી નોકરીઓની સંભાવનાઓ જાહેર થઈ છે, તેના સંદર્ભે ગુજરાતના નાના શહેરોમાં પણ ટેકસ્ટાઈલ ક્ષેત્રને પ્રોત્સાહન મળશે અને જામનગર-પોરબંદર પંથકની ભૂતકાળમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત  કાપડમીલો ધમધમતી હતી, તે પુનઃ ગરિમામય સ્થાન પ્રાપ્ત કરશે તેવી આશા રાખીએ. એ પહેલાના ત્રણ-ચાર દિવસ સુધી વડાપ્રધાને ગુજરાતમાં જે લોકાર્પણો -શિલાન્યાસ ખાતમુહૂર્તો કર્યા અને શ્રેણીબદ્ધ કાર્યક્રમો યોજયા, તેને લોકસભાની ચૂંટણી સાથે સાંકળીને કેટલો રાજકીય ફાયદો થશે તેની ચર્ચાઓ ભલે શરૃ થઈ ગઈ હોય, પરંતુ સામાન્ય લોકોમાં વડાપ્રધાન મોદીના આ પ્રવાસની આડઅસરોની ચર્ચા પણ એટલી જ થઈ રહી છે, અને જ્યારે જ્યારે વીઆઈપી કે વીવીઆઈપીનો કાર્યક્રમ હોય, ત્યારે ત્યારે જે-તે વિસ્તારના માર્ગોની મરામત, સાફસફાઈ અને રંગરોગાન-સુશોભન રાતોરાત થઈ જતા હોવાથી ઘણાં લોકો એવું કહેતા પણ સંભળાયા છે કે ખૂબ મહત્ત્વપૂર્ણ મહાનુભાવો (વીવીઆઈપી) વારંવાર મુલાકાત લેતા રહેતા હોય તો કેવું સારું !?

જો કે, ચૂસ્ત વ્યવસ્થાઓ છતાં કયાંક થોડી ઘણી ગંદકી દેખાઈ જાય, કયાંક આવારા આખલાથી બચવા કોઈ વીઆઈપીને પણ મથામણ કરવી પડે કે કયાંક વ્યવસ્થાઓ કે સુરક્ષામાં ચૂક રહી જાય, ત્યારે ઘણાં લોકો એવું પણ કહેતા સંભળાય છે કે સચ્ચાઈ છુપ નહીં શકતી, બનાવટ કે હુસુલોસે, ખૂશ્બૂ આ નહીં શકતી, કભી કાગઝ કે ફૂલો સે...!!!

સત્ય ભલે કડવું લાગે, પરંતુ તે આત્મીય સ્વાસ્થ્યને લાભદાયક હોય છે, એ સત્ય છે કે વીઆઈપી મૂવમેન્ટથી લોકોને થોડી તકલીફ પડે, પરંતુ એ પણ હકીકત હોય છે કે આ પ્રકારના પ્રવાસો પછી જો જનસામાન્યની સુવિધાઓ ભવિષ્યમાં વાસ્તવમાં વધતી હોય, જનકલ્યાણની દિશાઓ ખુલતી હોય કે દેશાપ્રદેશ કે સ્થાનિક સ્થળોનો વિકાસ વેગ પડકતો હોય તો શું વાંધો ? કુછ પાને કે લીયે કુછ ખોના ભી પડતા હૈ...?!

હવે ફેબ્રુઆરી પૂરો થવા આવ્યો છે અને લોકસભાની ચૂંટણી માટે આચારસંહિતા જાહેર થઈ જાય, તેને બહુ જાજા મહિના બચ્યા નથી, ત્યારે ફટાફટ લોકાર્પણો અને ખાતમુહૂર્તો થાય, રાજ્ય-કેન્દ્ર સરકારો નવી યોજનાઓ જાહેર કરે અને જુના વાયદાઓ પૂરા કર્યા હોવાના દાવાઓ થાય, કે નવી મુદ્દત અપાય, એ તો સ્વાભાવિક છે, પરંતુ રાજનેતાઓમાં ઉત્કંઠા, ઉત્તેજના અને ઉચાટ પણ વધી જાય, ખાસ કરીને વિવિધ પક્ષોના વર્તમાન લોકસભાના સાંસદો પોતાને ફરીથી ચાન્સ મળશે કેમ ? તેની મથામણ અનુભવતા હોય અને ખાસ કરીને શાસક પક્ષમાં 'નો રિપિટ' થિયરીની વાતો વિશ્વસનિય ઢબે વહેતી થવા લાગે, ત્યારે આ પ્રકારનો માહોલ સર્જાય, તે પણ સ્વાભાવિક જ છે ને ?

વિધાનસભાઓની છેલ્લી ચૂંટણીઓ પછી નવા ચહેરાઓને સ્થાન મળવા લાગ્યુ અને વર્તમાન ગુજરાત પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી જે રીતે 'જૂના જોગીઓ' ને મુકત મને મળ્યા, તે જોતાં 'નો રિપિટ' થીયરી પછી કાર્યદક્ષ નેતાઓ નારાજ ન થાય, તે માટે પાણી પહેલા પાળ બાંધી હશે, તેવા અભિપ્રાયો પણ ચર્ચાવા લાગ્યા છે. આ પ્રકારની રાજકીય પરામર્શોમાં ઘણી વખત ઉંડા તથ્યો પણ છુપાયેલા હોય છે, જોઈએ... શું થાય છે તે.....

એકંદરે પીએમનો છેલ્લો ગુજરાત પ્રવાસ રાજ્ય માટે વાસ્તવમાં ફળદાયી નિવડે અને વિકાસયાત્રા વેગ પકડે... વધુ વેગીલી બને તેવું ઈચ્છીએ..

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

સુદર્શન સેતુ... બેટ શંખોદ્ધાર માટે સુવર્ણ યુગના મંડાણ... પણ...

ભગવાન શ્રીકૃષ્ણની રાજધાની દ્વારકા હતી અને નિવાસસ્થાન અથવા રાણીવાસ બેટ દ્વારકામાં હતો, અને ભૂતકાળમાં બેટદ્વારકા જમીન માર્ગે જોડાયેલું હતું તથા ભગવાન શ્રીકૃષ્ણ તથા દ્વારકાવાસીઓ જમીનમાર્ગે રથ મારફતે પગપાળા અવર-જવર કરતા હોવાની કથાઓ પ્રચલીત છે. આ બેટ દ્વારકાને જોડતા સુદર્શન સેતુના લોકાર્પણ સાથે જ બેટ દ્વારકામાં લોકો હળવા વાહનો દ્વારા પહોંચી શકશે, જેથી પ્રવાસીઓ તથા દર્શનાર્થીઓની સંખ્યા પણ વધશે અને આ યાત્રા-પર્યટન સ્થળનું મહત્ત્વ પણ વધશે અને આ કારણે નહીં ટુરિઝમ ડેવલપમેન્ટની સાથે સાથે આર્થિક, સામાજિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક વિકાસ પણ વેગ પકડશે, તેમાં સંદેહ નથી.

બેટ-શંખોદ્ધાર ભગવાન શ્રીકૃષ્ણના નિવાસસ્થાન તરીકે તો વિખ્યાત છે જ, પરંતુ આ ટાપુ પર ગુરૂ ગોવિંદસિંહના પંજપ્યારે પૈકીના એક ભાઈ મોહકમસિંહજીનું જન્મસ્થાન પણ છે, જેની પાસે ભવ્ય ગુરૂદ્વારા છે, ભગવાન શ્રીકૃષ્ણને સાંકળતા ઘણાં મંદિરો, પુષ્ટિ સંપ્રદાયના બેઠકજી, ચોર્યાંસી ધૂણા, વિશ્વવિખ્યાત હનુમાન દાંડી, શંખ નામના અસુરનો ઉદ્ધાર થયો, તેના પરથી ઓળખાતું શંખતળાવ, ભવ્ય મંદિરો, રમણીય બીચ, ડન્ની પોઈંટ, હાજી કિરમાણીની દરગાહ તથા અંગ્રેજોના સમયગાળા સાથે સંકળાયેલી કેટલીક સ્મૃતિઓના કારણે આ ટાપુમાં અનેક વિશેષતાઓ છે. ચારે તરફથી દરિયાથી ઘેરાયેલા આ ટાપુ પર આઠ-દસ હજારની વસતિ ઉપરાંત દરરોજ સેંકડો પ્રવાસીઓની અવર-જવરના કારણે ફલોટીંગ પોપ્યુલેશન પણ રહે છે, પરંતુ તેની સરખામણીમાં અહીં અદ્યતન સુવિધાઓનો થવો જોઈએ તેવો વિકાસ થયો નહોતો, કારણ કે અહીં યાંત્રિક હોડીઓ સિવાય આવગમન કે પરિવહનનો કોઈ વિકાસ જ ઉપલબ્ધ નહોતો.

હવે જ્યારે જમીન માર્ગે આ સુદર્શન સેતુના માધ્યમથી પરિવહનની સુવિધ મળી છે, ત્યારે આ ઐતિહાસિક, પૌરાણિક, ધાર્મિક, ભૌગોલિક અને નૈસર્ગિંક મહત્ત્વ ધરાવતા પર્યટન સહ-યાત્રાસ્થળે ખૂબ જ મોટી સંખ્યામાં પ્રવાસીઓની સંખ્યા વધશે, જેની ખૂબ જ મોટી અસર સ્થાનિક રોજગારી, વ્યાપાર-ધંધા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના ક્ષેત્રે થશે, જે એકંદરે બેટદ્વારકા જેવા છેવાડાના ટાપુ માટે વિકાસની હરણફાળ સમાન હશે, આ ઉપરાંત રાષ્ટ્રીય સુરક્ષાની દૃષ્ટિએ પણ મહત્ત્વપૂર્ણ એવા આ સુદર્શન સેતુના નિર્માણ પછી બેટ દ્વારકા બારેય માસ ધમધમતું રહેનાર હોવાથી અહીં અભેદ્ય સુરક્ષા કવચ ઊભું થશે. જેથી ફરિયાઈ સુરક્ષા વધુ મજબૂત બનશે. અહીં ટુરિઝમ ડેવલમપેન્ટની સાથે સાથે હોટલ-મોલ, રિસોર્ટ ઉદ્યોગ અને દરિયાઈ પ્રવાસન (મરીન ટુરીઝમ)ની સંભાવનાઓ પણ વધશે.

એક રીતે આ સુદર્શન સેતુ બેટ દ્વારકા માટે નવા સુવર્ણયુગની શરૂઆત થશે, તેમ કહેવું અસ્થાને નથી, પરંતુ આ સુદર્શન સેતુના નિર્માણ પછી કેટલીક સાવચેતીઓ, નિયમનો અને નિયંત્રણોની પણ જરૂર રહેશે અને ખાસ કરીને દરિયા વચ્ચે આવેલા ટાપુને સ્વચ્છ-સુઘડ અને બીચને રમણીય રાખવા માટે પ્રવાસીઓ તથા સ્થાનિક લોકો દ્વારા સ્વયં શિસ્તની પણ જરૂર પડશે.

જો બેટદ્વારકામાં આંતરિક પરિવહન માટેની સાર્વજનિક સુવિધાઓ વધશે અને ઓખા નગરપાલિકા દ્વારા બેટ દ્વારકામાં આંતરિક દર્શનીય અને પર્યટન સ્થળોને સાંકળતી સાર્વજનિક સ્થાનિક પરિવહનની સુવિધા અપાશે, તો યાત્રિકોને સમૂહમાં બેટ દ્વારકાનો પ્રવાસ મર્યાદિત સમયમાં અને કિફાયતી ભાડામાં કરવાની સુવિધા મળી રહેશે. આ માટે ઈલેકટ્રીક રિક્ષા, ઈલેકટ્રીક કાર કે મીની બસ જેવા વાહનોની સુવિધા આપી શકાય, જેથી પર્યાવરણીય દૃષ્ટિએ સુરક્ષિત, સુવિધાજનક અને ઈઝી અવેલેબલ લોકલ ટ્રાવેલીંગની સગવડ ઉપલબ્ધ થઈ શકે.

બેટ દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણના નિવાસસ્થાન રાણીવાવ ઉપરાંત શંખતળાવ, બેઠકજી, ગુરુદ્વારા, ચોર્યાસીધૂણા, હનુમાનદાંડી, ડન્ની પોઈન્ટ, બીચ વગેરે સ્થળોએ સ્થાનિક પરિવહન માટે હાલમાં પણ કેટલીક સુવિધાઓ વિસ્તરી રહી છે, જેને ઈલેકટ્રીક વાહનો અને દ્વારકાથી ઓખા વચ્ચે ચાલતી દ્વારકા નગરપાલિકા સંચાલિત દ્વારકાદર્શન બસ સેવા સાથે સાંકળીને પણ યાત્રાળુઓ-પ્રવાસીઓને વધુ સુવિધાઓ આપી શકાય તેમ હોવાના સૂચનો ધ્યાને લેવા જેવા ખરા...

આ સુદર્શન સેતુ ખુલ્લો મુકાયા પછી દરિયાઈ અને ટાપુની જમીની સ્વચ્છતા જળવાઈ રહે, ગંદકી જરાયે ન થાય અને લોકોને જરૂરી રોજીંદી સુવિધાઓ ઉપરાંત બેટદ્વારકાના તમામ દર્શનીય અને પર્યટન તમામ સ્થળોની નજીક શુદ્ધ પીવાનું પાણી અને સેનીટેશનની લેડીઝ અને જેન્ટસ માટે પૂરતી સુવિધાઓ મળી રહે, તેવી વધુ વ્યવસ્થાઓ પણ જરૂરી છે.

એકંદરે વિશ્વભરના શ્રદ્ધાળુઓ-ભાવિકોનું સપનું જ્યારે પૂરૃં થવા જઈ રહ્યું છે અને બેટદ્વારકા એક વખત ફરીથી જમીન માર્ગે જોડાવાનું છે, ત્યારે આ બ્રિજ વાસ્તવમાં સમગ્ર દેશ માટે શુક્રનિયાળ નિવડે અને દ્વારકામંડળનો સુવર્ણયુગ દશેય દિશાઓમાં ઝળહળતો રહે તેવી શુભેચ્છાઓ અર્પીએ.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ત્રિસ્તરિય પંચાયતી વ્યવસ્થામાં ભ્રષ્ટાચારનો ભોરીંગ... પ્રામાણિક પદાધિકારીઓ કેટલા ?

ગામના મુખી, ગામના પટેલ અને ગ્રામપ્રધાન તરીકે સરપંચની પ્રથા અને પરંપરા પ્રાચીન કાળથી આપણાં દેશમાં ચાલતી રહી છે અને દેશ આઝાદ થયા પછી ગુજરાત સહિત કેટલાક રાજ્યોએ ત્રિસ્તરિય પંચાયતી રાજની પદ્ધતિ અપનાવી છે. આ ત્રિસ્તરિય શાસન વ્યવસ્થા લોકો દ્વારા જ તેના ગામોને વિકાસ અને સુખ-સુવિધાઓના અધિકારો આપે છે. આ વ્યવસ્થાને પણ ભ્રષ્ટાચારનો ભયંકર ભોરીંગે ભરડો લીધો હોવાના દૃષ્ટાંતો વધવા લાગતા ચર્ચા જાગી છે કે શું ગ્રામ પંચાયતો, તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતોમાં પણ ભ્રષ્ટાચારનો ભોરીંગ એટલો પ્રભાવશાળી બની ગયો છે કે, પૈસા વિના લોકોના કોઈ કામ જ થતાં નથી ? શું ગ્રામપંચાયતોમાં મંજુરી લેવા માટેના લાંચ-રૃશ્વતના ચોક્કસ ભાવો નિર્ધારિત થયેલા હોય છે ? શું પંચાયત ક્ષેત્રે પણ ચૂંટાયેલા કેટલાક પ્રતિનિધિઓ કરપ્ટ બ્યુરોક્રેટ્સ જેવા જ થઈ ગયા છે ?

રાજ્યના કોઈ ગામના સરપંચ કે ઉપસરપંચ કોઈ કામે લાંચ લેતા ઝડપાય કે એસીબી કેસ કરે ત્યારે સ્વાભાવિક રીતે જ લોકોને દુઃખ થાય, કારણ કે પોતાના જ ગામના ચૂંટાયેલા હોદ્દેદારો દ્વારા જ્યારે લાંચ-રૃશ્વત માંગવામાં આવે, ત્યારે એવો પ્રશ્ન ઉઠે કે શું આ દિવસો જોવા માટે જ આપણાં વડવાઓએ સ્વાતંત્ર્ય ચળવળ ચલાવી હતી ?  શું આ સ્થિતિ જોઈને હયાત અને દિવંગત થઈ ગયેલા સ્વાતંત્ર્ય સેનાનીઓને અફસોસ થતો હશે ? તેઓ દુઃખથી એવું વિચારતા હશે કે આપણે લોકતંત્રને લાયક જ નથી, અને ગુલામીને જ લાયક હતા ?

એન્ટી કરપ્શન બ્યુરો, વિજિલન્સ, સીબીઆઈ જેવી સંસ્થાઓ તંત્રોમાં વ્યાપક ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે કાર્યરત છે, અને ઉચ્ચકક્ષાના ભ્રષ્ટાચારને ડામવા કેન્દ્રીય તપાસ એજન્સીઓ ઉપરાંત લોકપાલ જેવી વ્યવસ્થાઓ છે. રમત-ગમતના ક્ષેત્રે ભ્રષ્ટાચારની તપાસ માટે પણ વિશેષ વ્યવસ્થાઓ છે, પરંતુ તે પરિણામલક્ષી કેમ બની શકતી નથી,તે મોટો પ્રશ્ન છે.

તાજેતરમાં મોરબી જિલ્લાના એક ગામના સરપંચે એક ગેરકાયદે કામ માટે લાંચ માંગી હોવાનો ઓડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો અને તેના સંદર્ભે મીડિયામાં ડિબેટીંગ પણ શરૃ થયું હતું, એ પછી આ કિસ્સામાં ત્યાંથી પોલીસે પણ ફરિયાદ નોંધી હોવાની વાતો વહેતી થઈ હતી અને આ મુદ્દે તથ્યો તપાસીને જરૃર પડ્યે એન્ટી કરપ્શન બ્યુરોની તપાસ પછી રાજ્ય સરકારનો પંચાયત વિભાગ પણ અનુસંધાન લેશે, તેવી આશા વ્યકત કરાઈ હતી, એ ઓડિયોની પુષ્ટિ થઈ નથી, પરંતુ તેમાં ગેરકાયદે એક બાંધકામ દીઠ ચાલીસ હજાર રૃપિયાનો ભાવ ચાલતો હોવાની વાત સાંભળીને કોઈપણ પ્રામાણિક નાગરિકને આંચકો લાગી જાય. આ પછી એવો સવાલ પણ ઉઠે કે આ રીતે ગેરકાયદે  બાંધકામો થવા દેવા, તેને નહીં હટાવવા અને અંતે પાડતોડ કરવા, વ્યવસ્થિત કૌભાંડ છેક છેવાડાના ગામડાઓ સુધી પહોંચ્યું હશે ?

ગુજરાતમાં પંચાયતીરાજની શરૃઆત ગુજરાત પંચાયતસ એકટ-૧૯૬૧ થી થઈ અને તેમાં ૧૯૬૩માં સુધારા-વધારા થયા. તે પહેલાં રાજ્યમાં ગામના મુખી, ગામના પટેલ અને ગ્રામપ્રધાન જેવી વ્યવસ્થાઓ પણ હતી, પરંતુ બંધારણીય દિશાનિર્દેશો મુજબ આઝાદ ભારતમાં પંચાયતરાજનો અમલ થયા પછી ગુજરાત રાજ્ય નવું બન્યા પછી તેમાં ગુજરાત રાજ્ય માટે નવો પંચાયતી એકટ બન્યો, અને તેમાં વખતો વખત સુધારા વધારા થયા. વર્ષ-૧૯૯૩માં ધ ગુજરાત પંચાયતસ એકટ અમલમાં આવ્યો. તે પછી વર્ષ- ૧૯૯૭ માં પંચાયતી રાજના નિયમો બન્યા અને વર્ષ ૧૯૯૮ માં પંચાયત સેવા નિયમો ઘડાયા.

ગુજરાતમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત, એમ ત્રિસ્તરિય પંચાયતી શાસન વ્યવસ્થા અમલમાં છે. ગ્રામપંચાયતોને સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવાય છે અને તેમાંથી ગ્રામવિકાસ અને લોકકલ્યાણના કામો સરપંચ અને સભ્યો દ્વારા કરવામાં આવે છે આ માટે ગ્રામસભાનો કોન્સેપ્ટ પણ હવે અમલી બન્યો છે.

તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતોને પણ કેટલીક ગ્રાન્ટ સરકાર ફાળવે છે. તે ઉપરાંત ગ્રામપંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતોને સાંકળીને જિલ્લા આયોજન મંડળો દ્વારા પણ વિકાસ અને લોકસુખાકારીના સુવિધાઓ માટે આયોજનો થાય, તેવી વ્યવસ્થા અમલમાં છે.

ગ્રામ વિસ્તારો વિકાસથી વંચિત રહી ન જાય અને ગામડાઓના લોકો પોતાના ગામના વિકાસ અને ગ્રામજનોના કલ્યાણાર્થે પોતે જ આયોજન અને અમલ કરી શકે તેવા ઉમદા આશયથી ગ્રામ્ય, તાલુકા અને જિલ્લા કક્ષાએ સરકારી ગ્રાન્ટ, ફંડ ઉપરાંત કેટલીક સત્તાઓ પણ આપવામાં આવી છે, પરંતુ કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેનના મંતવ્ય મુજબ આ વિકાસના કામોમાં જો ગ્રામ્યકક્ષાએથી જ ૪૦ ટકા જેટલો એકંદરે કમિશનિયો ભ્રષ્ટાચાર થતો હોય, અને તેમાં તંત્ર સાથે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની પણ સાંઠગાંઠ રહેતી હોય તો ફરિયાદ કયાં કરવી ? વાડ જ ચીમડાં ગળી જાય તો કોને ફરિયાદ કરવી ?

એવું પણ નથી કે બધા જ સરપંચો અને પંચાયતી રાજના ક્ષેત્રે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ ભ્રષ્ટ હોય કે આ માટે જ જાહેર ક્ષેત્રમાં હોય, ઘણાં એવા સરપંચો અને જનપ્રતિનિધિઓ છે કે જેઓ પોતાના ખિસ્સાના ખર્ચે ગામની સેવા કરતા હોય, લોકફાળો સ્વયં ભરીને કેટલીક યોજનાઓને અમલી બનાવતા હોય, અને પોતે ઘસારો વેઠીને પણ ગામ અને ગ્રામજનોનું ભલું કરતા હોય, માત્ર કેટલાક ભ્રષ્ટ પદાધિકારીઓના કારણે જાહેર જીવનમાં રહેલા અને પંચાયતી કે સહકારી ક્ષેત્રે સેવારત હોય તેવા ઘણાં લોકો બદનામ થતા હોય છે.

હકીકતે ગ્રામ પંચાયત કક્ષાની ચૂંટણીમાં જ્યારે લાખ્ખો રૃપિયાનો ખર્ચો થતો હોય, ત્યારે સત્તામાં આવ્યા પછી તેને વસુલવાની મજબુરી રહેતી હશે તેવી પણ એક માન્યતા છે, જે હોય તે ખરું, પણ થાય છે ખોટું... બરાબરને ?

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ભારતનું ન્યાયતંત્ર એટલે નાગરિક અધિકારો અને લોકતાંત્રિક વ્યવસ્થાઓનું અભેદ્ય સુરક્ષાકવચ...

ભારતમાં ન્યાયતંત્ર તટસ્થ છે અને જ્યારે બંધારણ અને લોકતાંત્રિક વ્યવસ્થાઓનું ઉલ્લંઘન થાય, ત્યારે અદાલતો ગમે તેટલી મોટી શક્તિઓ કે સત્તા હોય, તેની શાન ઠેકાણે લાવીને બંધારણીય માર્ગે લોકતાંત્રિક વ્યવસ્થાઓનું પુનઃ સ્થાપન કરી શકે છે, તેના ઘણાં દૃષ્ટાંતો દેશની સર્વોચ્ચ અદાલત અને વિવિધ રાજ્યોની હાઈકોર્ટે તથા અન્ય અદાલતોએ આપેલા દૂરગામી ચુકાદાઓના સ્વરૃપે મળે છે, અને કેટલાક અદાલતી ચુકાદાઓ તો ઐતિહાસિક બની જાય છે, અને શાસકોના તાનાશાહી, મનસ્વી કે ગેર-બંધારણીય નિર્ણયોને પલટાવ્યા પછી કાયમી ધોરણે સ્થાપિત થઈ જતાં હોય છેે.

સામાન્ય રીતે અદાલતો કેન્દ્રીય ચૂંટણીપંચ, રાજ્યના ચૂંટણીપંચો કે સથાનિક સ્વરાજ્યની તથા સહકારી સંસ્થાઓની ચૂંટણી પ્રક્રિયામાં આક્ષેપ કરતી હોતી નથી કે રાજકીય પક્ષોની આંતરિક ચૂંટણી પ્રક્રિયામાં દખલ દેતી હોતી નથી, પરંતુ જ્યારે બંધારણીય, કાનૂની કે નીતિનિયમોનો ભંગ થાય, ત્યારે તે અદાલતો સમક્ષ રજૂ થતાં આ અદાલતો તત્કાળ હસ્તક્ષેપ કરીને યોગ્ય નિર્ણયો આપતી હોય છે, અને ન્યાયસંગત ચૂકાદા આપતી હોય છે, ઘણી વખત તો માત્ર જાહેર હિતની અરજીઓ જ નહીં પરંતુ સ્વયં અનુસંધાન (સુઓમોટો) લઈને પણ તાકીદની સુનાવણીઓ કરીને બંધારણ, કાનૂન અને નીતિનિયમોનું રક્ષણ કરતી હોય છે અને લોકતાંત્રિક નિર્ણયોનું પુનઃ સ્થાપન કરતી હોય છે. ભારત આઝાદ થયા પછી આ પ્રકારના અનેક દૃષ્ટાંતો મળે છે.

તાજેતરમાં જ ભાજપને ભોંઠપ અનુભવવી પડે, તેવો ચુકાદો દેશની સર્વોચ્ચ અદાલતે આપ્યો અને અસાધારણ રીતે અદાલત દ્વારા જ મતગણતરી પણ કરાવી, તે પછી ચૂંટણી પ્રક્રિયા સાથે છેડછાડ કેટલી ભારે પડી શકે છે. તે ઘણાંને સમજાઈ જ ગયું હશે.

ચંદીગઢના મેયરની થોડા દિવસો પહેલા ચૂંટણી થઈ હતી અને તેમાં કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટીના ગઠબંધનના મેયરની જીત પાકી હતી, પરંતુ તે ચૂંટણીમાં પરંપરા મુજબ બેલેટ પેપરથી મતદાન થયા પછી રિટર્નીંગ ઓફિસરે જે રીતે આઠ મત પર ચોકડી મારીને રદ કર્યા, અને તે હરકત સીસીટીવી સામે જોતા જોતા કરી, તે નિહાળીને જે-તે સમયે જ સાર્વત્રિક ભારે નારાજગી વ્યકત થઈ હતી અને તેને લોકતંત્રની હત્યા ગણાવાઈ હતી.

તે પછી આખો મામલો સુપ્રિમ કોર્ટમાં પહોંચ્યો અને ત્યાં રિટર્નીંગ ઓફિસર સામે કાનૂની કાર્યવાહી કરવાની સાથે સાથે મતગણરીની પ્રક્રિયા જ અદાલતે પોતાના તાબામાં લઈ લીધી, અને ફેર-મતગણતરીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારને મેયર તરીકે વિજેતા જાહેર કરાયા, જો કે, તે પહેલાં જ ભાજપના મેયરે બે-ત્રણ દિવસ પહેલાં રાજીનામું આપી દીધું હતું, પરંતુ આ ઘટના પછી આબરુંના કાંકરા થઈ ગયા, અને અન્ય ચૂંટણીઓમાં પણ કેટલી ગરબડ થતી હશે, તેના અંદાજો પણ નીકળવા લાગ્યા !

આવું જ બીજુ દૃષ્ટાંત પં. બંગાળનું છે, જ્યાં એક નામચીન શખ્સ સામે સંદેશખાલીની મહિલાઓએ ગંભીર ફરિયાદો કરી હતી. પં. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આ નેતાને છાવરવાની ઉઘાડે છોગ કોશિશ કરી, સંદેશખાલી વિસ્તારમાં કોઈને જવા નહીં દેવાનું વલણ અપનાવાયું, અને આ પ્રકારનો પ્રયત્ન કરનાર પત્રકારની ધરપકડ કરીને હાંકી કઢાયો. રાજકીય પક્ષો કોલકાતાની હાઈકોર્ટમાં ગયા અને હાઈકોર્ટે પં.બંગાળ સરકારની ઝાટકણી કાઢી નાંખી, તે પછી રાજકીય પક્ષોને સંદેશખાલી જવાની છૂટ મળી, અને ભાજપ તથા લેફટના નેતાઓ ત્યાંની મહિલાઓની વેદના સાંભળવા પહોંચ્યા. આ ઘટના પણ કોઈપણ શાસક મનમાની કરીને લોકતાંત્રિક વ્યવસ્થાઓનું ઉલ્લંઘન કરે કે નાગરિકોના હક્કોનું ઉલ્લંઘન કરે તો અદાલતો ત્વરીત હસ્તક્ષેપ કરીને બંધારણીય અધિકારોનું રક્ષણ કરે છે, તે પુરવાર કરે છે.

જો કે, પં.બંગાળના કોઈ પોલીસ ઓફિસરે પોતાને ખાલીસ્તાની તરીકે વર્ણવવાનો વળતો આક્ષેપ પણ કર્યો છે, તે વિવાદ અલગ છે, પરંતુ આ ઘટનાક્રમો એ પુરવાર કરે છે કે, દેશના નાગરિકોને અધિકારો અને લોકતાંત્રિક વ્યવસ્થાઓ માટે દેશનું ન્યાયતંત્ર સુદૃઢ સુરક્ષા કવચ છે, જે કયારેય ભેદી શકાય તેમ નથી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

સરકારનો પ્રસ્તાવ ફગાવી ખેડૂતોની દિલ્હી કૂચ... હવે શું ?

રવિવારે સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે થયેલી સકારાત્મક વાટાઘાટો પછી એવી આશા જાગી હતી કે કાંઈક વચલો રસ્તો નીકળશે અને ખેડૂતોની માંગણીઓ મહ્દઅંશ. સંતોષાઈ જશે. સરકારે દાળ, કપાસ, તુવેર, અડદ અને મકાઈના પાકો ટેકાના ભાવે ખરીદવાની ગેરંટી આપવનો પ્રસ્તાવ મૂકયો હતો.

આગામી પાંચ વર્ષ માટે નેશનલ કો.આપરેટીવ કન્ઝયુમર ફેડરેશન અથવા નેશનલ એગ્રીકલ્ચર માર્કેટીંગ ફેડરેશન જેવી સહકારી ક્ષેત્રની કેન્દ્રીય સોસાયટીઓ, આ પાંચ પાકો માટે કરાર કરે, અને તે મુજબ સરકારી એજન્સીઓ, ટેકાના ભાવે ખરીદી કરે, તેવી વ્યાવસ્થા ગોઠવાય, અને તેમાં ખરીદીની કોઈ મર્યાદા રાખવામાં ન આવે, તે પ્રકારના આ પ્રસ્તાવમાં આ હેતુથી એક પોર્ટલ બનાવવાની પણ વાત હતી.

કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું હતું કે સરકારના આ પ્રસ્તાવથી પંજાબની ખેતીની વૃદ્ધિની સાથે સાથે ભૂગર્ભ જળ સુધરશે, તથા વેરાન જમીન પણ નવસાધ્ય થશે. બેઠક દરમિયાન અપાયેલા પ્રસ્તાવમાં કયા પાક કઈ એજન્સી ખરીદશે, તે પણ સુનિશ્ચિત કરી દેવામાં આવ્યું હોવાનો દાવો કરાયો હતો.

જો કે, ખેડૂત નેતાઓએ સરકારનો આ પ્રસ્તાવ ફગાવી દીધો છે, તે પહેલા ખેડૂતોએ બે દિવસ માટે કૂચ સ્થગિત કરીને સરકારના પ્રસ્તાવ પર વિચાર કરવામાં આવશે, તેમ જાહેર કરાયુ હતું અને રવિવારની વાટાઘાટો સકારાત્મક માહોલમાં થઈ હોવાનું પણ જાહેર કરાયું હતું. જેથી આ અંદોલનને લઈને કોઈ નક્કર પરિણામ આવી જશે, તેવી આશા જાગી હતી., પરંતુ ખેડૂતોએ પરામર્શ કર્યા પછી સરકારના પ્રસ્તાવને ફગાવી દીધો હતો અને પાંચ પાકો માટે પાંચ વર્ષ સુધી એમએસપીની ગેરંટીના બદલે ર૩ જેટલા પાકો માટે એમએસપીની કાયમી ગેરંટી આપતો કાયદો ઘડવાની વાત કરી હતી.

હવે ખેડૂતોએ એમએસપી પર કાયદો ઘડીને ગેરંટી આપવા અને સ્વામીનાથન આયોગની ભલામણો લાગુ કરવાની માંગણી સાથે ફરીથી આંદોલન આગળ વધારવાના નિર્ધાર સાથે આવતીકાલથી દિલ્હીકૂચની જાહેરાત કરી દીધા પછી આજનો ઘટનાક્રમ આપણી સામે જ છે. કેન્દ્ર સરકાર માટે આ સ્થિતિ કદાચ સાપે છંછુદર ગળ્યા જેવી થઈ ગઈ છે.

હકીકતે કેન્દ્ર સરકારે જે સુત્રના આધારે એમએસપીનો પ્રસ્તાવ મૂક્યો હતો, જે ખેડૂતોએ ના મંજુર કરીને સી-ટૂ પ્લસ ફિફટીની ફોર્મ્યુલા મુજબની ટકાવારીથી એમએસપી નક્કી કરવાનો આગ્રહ રાખ્યો હતો, તેવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે. તેવું પણ કહેવાય છે કે સરકારે જે પાંચ પાકો માટે પાંચ વર્ષ સુધી એમએસપી આપવાનું નક્કી કર્યું હોવાનો પ્રસ્તાવ મૂક્યો, તેમાં કઈ ફોર્મ્યુલા અપનાવાશે, તેની સ્પષ્ટતા કરી નહોતી, અને કેન્દ્ર સરકારે એ-ટુ પ્લસ એફએલ પ્લસ ફિફટીની ટકાવારી મુજબની ફોર્મ્યુલાના આધારે અધ્યાદેશ (વટહૂકમ અથવા ઓર્ડિનેન્શ) ની તૈયારી કરી હતી, જે ખેડૂતોને મંજુર નથી.

ખેડૂતોએ એમએસપી ઉપરાંત બીજી કેટલીક માંગણીઓ પણ કેન્દ્ર સરકારના ત્રણ મંત્રીઓ સમક્ષ રજૂ કરી હતી, જેમાં દેવાઓ માફ કરવાનો મુદ્દો પણ હતો, તે ઉપરાંત વિદ્યુત કંપનીઓનું ખાનગીકરણ નહીં કરવા અને જાહેર ક્ષેત્રની પાક વીમા યોજના હેઠળ ૬૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતા ખેડૂતોને સમાન ધોરણે પેન્શન, આંદોલનકારી ખેડૂતો સામે થયેલા કેસો પાછા ખેંચવા અને લખમીપુર ખેરીના પીડિતોને ઝડપી ન્યાય આપીને કેન્દ્રીય મંત્રી ટેનીને ડીસમીસ કરવા સહિતની માંગણીઓ ખેડૂતોએ રજૂ કરી હતી., જેનો સરકાર તત્કાળ અમલ કરી શકે તેમ નથી, અને તેના માટે જરૃરી પ્રક્રિયા, વાટાઘાટો અને કાર્યવાહી કરવી પડે તેમ છે. આ નીતિવિષયક બાબતો અંગે તબક્કાવાર વિચારણા થઈ શકે છે, તેવો સરકારનો અભિગમ રહ્યા પછી હવે ખેડૂતોએ ફરીથી આંદોલન ચાલુ રાખીને જો હજુ પણ સરકાર યોગ્ય નિર્ણય નહીં લ્યે, તો આવતીકાલથી 'દિલ્હી કૂચ'નું એલાન કરી દેવામાં આવ્યું છે.

બીજી તરફ ખેડૂત આંદોલનના કારણે પંજાબ-હરિયાણા-દિલ્હીના માર્ગો એક પછી એેક સીલ કરવામાં આવી રહ્યા હોવાથી સામાન્ય જનતાને ભારે હાડમારી ભોગવવી પડી રહી છે, અને બાળકોના શિક્ષણ અને નોકરી-ધંધાથી માંડીને વ્યાપાર-ઉદ્યોગ અને ખેતીવાડીને પણ ભારે નુકસાન વેઠવું પડશે, તેવી સ્થિતિ ઊભી થઈ રહી છે.

ખેડૂતોના આંદોલનને કોંગ્રેસે ટેકો આપ્યો છે, અને આમ આદમી પાર્ટી તો પહેલેથી જ આ આંદોલનની પેરવી કરી રહી છે, અન્ય વિપક્ષી પાર્ટીઓનું પણ આ આંદોલનને સમર્થન મળી રહ્યું છે, તો બીજી તરફ આંદોલનકારી ખેડૂત નેતાઓએ આ આંદોલન તદ્દન બિન-રાજકીય હોવાનો દાવો કર્યો છે. મીડિયામાં ખેડૂતોની માંગણીઓ નહીં સ્વીકારાય તો સત્તાપરિવર્તનની જરૃર, મોદીનો ગ્રાફ ઘટાડવા અને કેન્દ્રમાંથી મોદી સરકારને હટાવવાના મુદ્દા આ આંદોલન સાથે સાંકળતા કેટલાક વીડિયો વાયરલ થઈ રહ્યા છે, તે જોતાં હવે 'દિલ્હી કૂચ'પછી આ આંદોલન કેવું સ્વરૃપ પકડશે, તે અંગે અટકળો થઈ રહી છે. એવા વિશ્લેષણો પણ, થઈ રહ્યા છે કે આ આંદોલન જો રાજકીય સ્વરૃપ ધારણ કરે તો તેથી સત્તાધારી એનડીએને કેટલો ફટકો પડે, અને વિપક્ષી ગઠબંધન ઈન્ડિયાને કેટલો ફાયદો થાય.

આ ખેડૂત આંદોલનની અસર હેઠળ સરકારે ડુંગળીની નિકાસબંધી હટાવી લેતાં જ ડુંગળીના ભાવોમાં મણદીઠ ચાલીસથી પચાસ રૃપિયાનો ઉછાળો આવ્યો હોવાના અહેવાલો પણ આવ્યા છે. એકંદરે, આ કિસાન આંદોલન હવે ટૂંક સમયમાં સમેટાઈ જાય, તેમ જણાતું નથી, જે મોદી સરકાર માટે પડકારરૃપ હશે, એટલું જ નહીં પંજાબ અને હરિયાણાની સરહદેથી હવે આ આંદોલન દેશની રાજધાની તરફ આગળ વધશે. જોઈએ, હવે શું થાય છે તે....

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

જોઈએ હવે, આગે આગે હોતા હૈ ક્યા...?

ભારતીય ક્રિકેટ ટીમે બીજી ટેસ્ટ મેચમાં ૪૩૪ રને ઈન્ગ્લેન્ડને હરાવીને ઝળહળતો વિજય મેળવ્યો અને બેડમિન્ટનમાં પણ ફાઈનલ જીતી એવા ખેલ જગતના અહેવલો સાથે ખેડૂત આંદોલનના ક્ષેત્રે પણ સરકાર અને આંદોલનકારી સંગઠનો વચ્ચે સકારાત્મક વાતચીત પછી કોઈ સમાધાન નીકળશે તેવી આશા જાગી છે. રાજકીય ક્ષેત્રે પણ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા અને કમલનાથને લઈને થઈ રહેલી અટકળોની ચર્ચા થઈ રહી હતી, તો ચંદીગઢના મેયર પદને લઈને સુપ્રિમકોર્ટની સુનાવણી શરૃ થાય, તે પહેલાં જ ત્યાંના ભાજપના મેયરે રાજીનામું આપી દેતા નવી જ સ્થિતી ઉભી થઈ ગઈ છે, અને ભાજપમાં કેટલાક વિપક્ષી કોર્પાેરેટરો જોડાયા હોવાના અહેવાલો પછી જોઈએ, હવે આગે આગે હોતા હૈ ક્યા...?

મધ્યપ્રદેશના દિગ્ગજ કોંગી નેતા દિલ્હી ગયા પછી અટકળોનું બજાર ગરમ રહ્યું હતું પરંતુ ગઈકાલે બપોર થી લઈને આજનો ઘટનાક્રમ આપણી સામે જ છે. બીજી તરફ કિસાન આંદોલન સ્થગિત કરવા અંગે આંદોલનકારી સંગઠન તરફથી આવેલા નિવેદનો ઘણાં જ સુચક છે.

સરકાર અને આંદોલનકારી ખેડૂતો વચ્ચે થયેલી ચોથા રાઉન્ડની વાટાઘાટો પછી પંજાબ કિસાન મજદૂર સંઘર્ષ સમિતિના મહાસચિવ સર્વનસિંહ પંઢેરે કહ્યું હતું કે સરકારી એમએલટી અંગે પ્રસ્તાવ આપ્યો છે તે ઉપરાંત મનરેગા સહિતના મુદ્દાઓ અંગે ચર્ચા કરવાની બાકી છે. અમે સરકારના પ્રસ્તાવ પર ચર્ચા-પરામર્શ કર્યા વગર જવાબ આપવા માંગતા નથી, તેથી સરકારે રજૂ કરેલા નવા પ્રસ્તાવ પર અમારા બન્ને ફોરમમાં પૂરેપૂરી ચર્ચા-વિચારણા કરીને તેના પછી સરકારને જવાબ આપીશું. અમે હાલ તુરંત દિલ્હી કૂચ અટકાવી દીધી છે. અમે આગામી બે દિવસ સુધી સરકારના પ્રસ્તાવ પર વિચાર-વિમર્સ કરીશું, તે પછી આગળની રણનીતિ જાહેર થશે, હવે જોઈએ, આ મુદ્દે આગે આગે હોતા હૈ ક્યાં...?

કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે સકારાત્મક વાતચિત થઈ છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખડૂતોની ચિન્તા છે અને દાળ સહિત પાંચ ખેતી પેદાશો માટે સરકાર પાંચ વર્ષ સુધી એમએસવીની ગેરંટી આપવા તૈયાર છે. હવે ખેડૂત સંગઠનોના જવાબની રાહ જોવાઈ રહી છે. એવું કહેવાય છે કે ચર્ચા-વિચારણા કરીને ખેડૂતો આજે કે આવતીકાલ સુધીમાં ખેડૂતોની આગામી રણનીતિ અંગે જવાબ આપી દેશે, તે પછી શું થાય છે તે જોવાનું રહેશે. જોઈએ, આગે આગે હોતા હૈ ક્યા...

એક તરફ ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે, તો બીજી તરફ સરકાર દ્વારા ખેડૂતોને રિઝવવાના ભરપૂર પ્રયાસો પણ કરી રહી છે. અત્યારે આ આંદોલન ભલે માત્ર પંજાબ પુરતુ મર્યાદિત જણાતું હોય, પરંતુ ત્રણ કૃષિ કાયદા રદ કરવાની માંગણી સાથે ખેડૂતોએ કરેલા આંદોલનની તર્જ પર જો આ આંદોલન લાંબુ ચાલે, તો લોકસભાની ચૂંટણીમાં શાસક એનડીએ ગઠબંધનને નુકશાન થાય, અને કેટલાક સાથીદાર પક્ષો પણ ભાજપથી વિમુખ થઈ જાય, તેવી શક્યતા હોવાથી કેન્દ્ર સરકારે પણ આ વખતે ખેડૂતો સાથે ગંભીરતાથી વાટાઘાટો શરૃ કરી હોય તેમ જણાય છે, અને ચોથા તબક્કાની વાતચીત પછી આશાવાદી સંકેતો સાંપડયા છે.

આંદોલન સિવાય પણ અન્ય ક્ષેત્રે કેન્દ્ર સરકાર ખેડૂતોને લાભકારી તથા રાહત થાય તેવા નિર્ણયો લઈ રહી છે, જેમાં ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ હટાવવાનું કદમ મહત્વપૂર્ણ ગણાય છે. દેશભરમાં આ મુદ્દે ભારે આક્રોશ હતો અને સ્થાનિક કક્ષાએ ડુંગળીના ભાવોને નિયંત્રણમાં રાખવા માટે સરકારે મુકેલા પ્રતિબંધનો દેશવ્યાપી વિરોધ થઈ રહ્યો હતો, હવે ખેડૂત આંદોલનના દબાણમાં આવીને ખેડૂતોને રાહત આપવાના હેતુથી સરકારે મોડા મોડા પણ આ નિર્ણય લીધો છે, તેથી ઘણાં લોકો કહે છે કે, દેર આયે દુરસ્ત આયે, તો ઘણા લોકો કહે છે કે, ઘોડા ભાગી ગયા પછી તબેલાને તાળા એટલે કે આ નિર્ણય વહેલો લેવાની જરૃર હતી, જોઈએ હવે આગે આગે હોતા હે ક્યા...

જો કે, કેટલાક ખેડૂતોના વર્ગાે દ્વારા સરકારના નિર્ણયને આવકારીને ખડૂતોને સમયસર ઉચિત ભાવો મળશે, તેવી આશા વ્યક્ત થઈ છે અને ગુજરાત સહિતના રાજયોમાં ડુંગળીનો પર્યાપ્ત જથ્થો હોવાથી સ્થાનિક સ્તરે ડુંગળીના ભાવોમાં જબરો ઉછાળો નહીં આવે, તેવા દાવા થઈ રહ્યા છે, તો બીજી તરફ ખેડૂત વર્ગમાંથી એવા પ્રતિભાવો પણ આવી રહ્યા છે કે મોટાભાગના ખેડૂતોએ ડુંગળી વેંચી દીધા પછી આ નિર્ણય લેવાયો હોવાથી હવે તો વચેટિયાઓને જ સર્વાધિક ફાયદો શથે. આ બધા પ્રત્યાઘાતો વચ્ચે ખેડૂતોને થયેલી આ રાહતની અસરો પંજાબના ખેડૂત આંદોલનને કેટલીક અસર કરશે, તે અંગે જોઈએ, આગે આગે હોતા હૈ ક્યા...

પંજાબનું ખેડૂત આંદોલન, ચંદીગઢના મેયરનું રાજીનામું, કમલનાથના પક્ષાંતરની અટકળો, ડુંગળીની નિકાસબંધી હટાવવાનો નિર્ણય અને રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાને પરસ્પર કોઈ સંબંધ નથી, અને તદ્દત અલગ-અલગ ઘટનાક્રમો છે, પરંતુ આ વર્ષે લોકસભાની ચૂંટણી હોવાથી આ તમામ ઘટનાક્રમોની પરસ્પર સાંકળ રચાઈ રહી હોય કે એકબીજા પર અસરો પડી રહી હોય તેમ રાજકીય પ્રત્યાઘાતો પણ આવી રહ્યા છે.

આ દરમિયાન એવા અહેવાલો આવી રહ્યા છે કે, રાહુલ ગાંધીએ કમલનાથને ચોખ્ખુ કહી દીધું છે કે, દિકરો ભાજપમાં જાય અને પિતા કોંગ્રેસમાં રહે તે નહીં ચાલે, જોઈએ, આગે આગે હોયતા હૈ ક્યા...

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

વિકાસના કામો માટે થતા ખોદકામો-તોડપાડ પછી શું...?

જામનગરની જી.જી. હોસ્પિટલમાં રૂા. પ૭પ કરોડના ખર્ચે નવી સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલનું સંકુલ બનશે, તેવા અહેવાલો પછી લોકોને નજીકના ભવિષ્યમાં આ સુવિધા સાંપડશે, તેવી આશા જાગી છે, સાથે-સાથે એવી ટકોર પણ થઈ રહી છે કે, વર્તમાન સેવાઓ અને સુવિધાઓમાં ખુટતી કડીઓ પર પ્રાયોરિટીમાં ધ્યાન આપીને ક્ષતિઓ દૂર કરવી પણ જરૂરી છે. પ્રવર્તમાન સેવાઓમાં જે ખામીઓ હોય તેનો સર્વે કરીને નવા સંકુલો તથા નિર્માણાધિન અર્બન હેલ્થ સેન્ટરોમાં તે પ્રકારની ખામીઓ પહેલેથી જ રહી ન જાય, તેની તકેદારી રાખવી જોઈએ, ખરૃં કે નહીં...?

અત્યારે જામનગરમાં ઠેર-ઠેર વિવિધ વિકાસના કાર્યો ચાલી રહ્યાં છે અને આ કામો માટે જરૂરી ખોદકામો પણ થઈ રહ્યાં છે.

ભૂગર્ભ ગટર, પાણી પુરવઠો, ગેસ કે અન્ય સેવાઓના વિસ્તૃતીકરણ, નવીનીકરણ કે નવનિર્માણ માટે થતા ખોદકામના કારણે આ કામોના કારણે સ્થાનિક રહેવાસીઓની મિલકતોને કોઈ નુકસાન કે તોડફોડ થઈ જાય, તો તેની મરામત કરીને પૂર્વવત કરી દેવાની જવાબદારી જે-તે કોન્ટ્રાક્ટરોની અથવા ડિપાર્ટમેન્ટની હોવી જોઈએ અને આ પ્રકારની મરામતો કોન્ટ્રાક્ટર પાસે કરાવવાની જવાબદારી જામનગર મહાનગરપાલિકા અથવા જે વિકાસનું કામ થઈ રહ્યું હોય, તે ઓથોરિટિઝ, રાજય કે કેન્દ્ર સરકારના સંબંધિત વિભાગોની હોવી જોઈએ, તેમ નથી લાગતું...!

અત્યારે ઘણાં સ્થળે ભૂગર્ભ ગટર, ફલાયઓવર બ્રીજ તથા વખતોવખત પાણી પુરવઠાને સંબંધિત કામો ચાલી રહ્યાં છે, અને તેના કારણે ઠેર-ઠેર ઉંડા ખાડાઓ ખોદવા પડે છે અને પછી પાઈપો નાંખીને કે કામ પૂરૂ થયા પછી બુરવા પડતા હોય છે. આ રીતે ખોદકામ કરાયા પછી ખાડા બુરી દીધા પછી તેને સમતળ કરવાની જવાબદારી કોની...? જે-તે કોન્ટ્રાક્ટરની કે પછી મહાનગરપાલિકાની...? "પહેલાં ઈંડુ કે પહેલા મરઘી...!" જેવા કોયડામાં નગરજનોને ઉલઝાવવાના બદલે આ મુદ્દે સ્પષ્ટતા થવી જોઈએ અને જે-તે કામો પૂરા થયા પછી સ્થિતિ પૂર્વવત કરવાના કામો પણ ઝડપભેર કરવા જોઈએ. ખાસ કરીને સ્થાનિક રહેવાસીઓના ઓટલા, ઢાળીયા કે વંડી તૂટ્યા હોય, પાણી, ગટરના કનેકશનો આ કામોના કારણે તૂટ્યા હોય, અને પાણી લીકેજ થતું હોય કે પછી બીજા કોઈપણ પ્રકારનું નુકસાન થયું હોય તો તેનું મરામત  કામ પણ ચાલુ હોય, ત્યારે જ થઈ જાય, તે અત્યંત જરૂરી હોય છે, કારણ કે, થોડો સમય વીતી જાય તે પછી કોઈ જવાબ દેતું નથી, તેવી રાવ ઉઠતી હોય છે.

નગરમાં ફ્લાયઓવર બ્રીજ માટે વિવિધ સંકુલો પર પતરાં લગાવીને કામો ચાલી રહ્યાં છે અને કામના વિસ્તૃતિકરણની સાથે-સાથે આ પતરાંઓની આડસોની સ્થિતિ પણ રોજબરોજ ફરતી હોય છે. આ સંજોગોમાં પરિવહન માટેના રસ્તા-સાંકડા થઈ જતા હોય છે, ત્યારે જેટલો માર્ગ પરિવહન માટે મળ્યો હોય, તેમાં કોઈપણ ખાડો કે ચિરોડો રહી ન જાય તેની ખાસ તકેદારી પણ રાખવી અત્યંત જરૂરી છે. કારણ કે સાંકડા માર્ગ અને ટૂંકી ગોલાઈઓમાંથી આ પ્રકારના ખાડા-ચિરોડા તારવવા જતા ઘણાં વાહનો પરસ્પર અથડાઈ પડતા નાના-મોટા અકસ્માતો રોજબરોજ સર્જાતા હોય છે, જે તંત્રના ચોપડે નોંધાતા હોતા નથી, પરંતુ આ જ સ્થળો પર ગંભીર કે ગમખ્વાર અકસ્માત થવાની શક્યતા પણ રહેતી હોવાથી આ પ્રકારના સ્થળો પર ખાડા-ચિરોડા બુરવાની કાર્યવાહી કાયમી ધોરણે અને સતત થતી રહેવી જરૂરી છે, ખરૃં ને...?

જામનગરની ફરતે રીંગરોડ પર પણ વિવિધ કામોને લઈને ખોદકામો થઈ રહ્યાં છે, કેટલાક આજુબાજુના કામો માટે તો નવે નવી સડકો તોડવામાં આવી હોવાની રાવ પણ ઉઠી રહી છે, ત્યારે હવે ભૂગર્ભ ગટર તથા અન્ય કામો માટે અત્યારે વ્યાપક પ્રમાણમાં ખોદકામો થયા છે, ત્યારે બીજા કોઈ સંભવિત કામો માટે મનપા, રાજય, કેન્દ્ર સરકારો, બોર્ડ-નિગમો કે કોઈપણ ઓથોરિટી દ્વારા સંભવિત પ્રોજેક્ટો હોય, મંજૂરીઓ મળતી હોય, તો તેઓના કામો પણ અત્યારે જ શરૂ કરાવી દેવા જોઈએ, જેથી વારંવાર માર્ગોની તોડફોડ કરવી ન પડે, તેવા લોકોના મંતવ્યો પણ ધ્યાને લેવા જરૂરી છે, તેમ નથી લાગતું...?

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ખેડૂતો સાથે વાટાઘાટો નિષ્ફળ... ચૂંટણી બોન્ડ ઠર્યા ગેરબંધારણીય, હવે શું?

ગઈકાલે સુપ્રિમ કોર્ટે રાજકીય પક્ષોને મોટો ઝટકો આપ્યો છે અને ખાસ કરીને કેન્દ્ર સરકારે લાગુ કરેલી આ યોજનાને લઈને આવી રહેલા પ્રત્યાઘાતો જોતા આ મુદ્દો હવે એનડીએ સરકાર માટે તો ફટકા સમાન છે જ, સાથે સાથે ચૂંટણી પ્રચારમાં પણ આ મુદ્દો ગૂંજતો રહેવાનો છે. તેનો અણસાર કેટલાક વિપક્ષી નેતાઓના નિવેદનોના માધ્યમથી મળી રહ્યો છે.

એક તરફ કેન્દ્ર સરકાર ખેડૂત આંદોલનની વધી રહેલી ચિંતાઓથી ઘેરાયેલી છે અને ખેડૂત સંગઠનોએ આજે જે ભારત બંધનું એલાન આપ્યું છે, અને તેને હરિયાણામાં જે પ્રતિસાદ મળતો જોવા મળી રહ્યો છે, તેથી સરકાર સામે પડકાર વધ્યો છે, તો બીજી તરફ ગઈકાલે મોડી રાત્રિ સુધી ખેડૂત અગ્રણીઓ તથા કેન્દ્ર સરકારના મંત્રીઓ વચ્ચે થયેલી વાટાઘાટો એક વખત ફરીથી નિષ્ફળ ગઈ હોવાના અહેવાલો છે, જેથી આ ખેડૂત આંદોલનની આક્રમક્તા વધી રહી છે અને ખેડૂતોની દિલ્હી કૂચની ઘોષણા પછી આજે શંભુ બોર્ડર પર તથા અન્ય ધોરીમાર્ગો પર જે કાંઈ થઈ રહ્યું છે, તે આપણી સામે જ છે. આજે સવારથી જ પોલીસ પર પથ્થરમારામાં સંખ્યાબંધ પોલીસવાળા ઘાયલ થયા હોવાના અહેવાલો પછી હવે આ પથ્થરમારો કરનારા કોણ છે, તે અંગેના સવાલો પણ ઊઠી રહ્યા છે, કારણ કે આંદોલનકારી ખેડૂત અગ્રણીઓ તો શાંતિપૂર્ણ આંદોલનની વારંવાર જાહેરાત કરી ચૂક્યા છે.

ખેડૂત આંદોલન અને લોકસભાની ચૂંટણીને સીધો કોઈ સંબંધ તો નથી, પરંતુ આ પ્રકારની બાબતોનો પ્રભાવ ચૂંટણી પર જરૃર પડતો જ હોય છે. તેથી આ આંદોલન પાછળ રાજનીતિ હોય કે ન હોય, તો પણ આ માહોલ નિશ્ચિતપણે ભારતીય જનતા પક્ષ અને એનડીએ માટે રાજકીય રીતે નુક્સાનકર્તા તો નિવડી જ રહ્યો છે. ઘણાં લોકો એવું માને છે કે, ત્રણ કૃષિકાનૂન પાછા ખેંચવામાં વિલંબ કરીને સરકારે જે હિસ્ટોરિકલ બ્લન્ડર (રાજકીય ભૂલ) કરી હતી, તે દોહરાવવી ન જોઈએ, અને એમએસપીની ગેરંટી આપી દેવી જોઈએ.

જો કે, હજુ ચોથા રાઉન્ડની વાતચીત થશે, તેવી વાતો વહેતી થઈ છે, પરંતુ ગયા વખતે જે ખેડૂત આંદોલન થયું હતું, તે સમયે પણ ઘણાં રાઉન્ડની વાતચિત થઈ હતી, પરંતુ ખેડૂતો ત્રણ કૃષિ કાનૂન રદ્ કરવાની માંગણી પર અડગ રહ્યા હતાં, અને અંતે સરકારે પીછેહઠ કરવી પડી હતી, અને ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદા પાછા ખેંચવા પડ્યા હતાં. આ વખતે પણ લગભગ તેવો જ માહોલ સર્જાઈ રહ્યો છે, ત્યારે સવાલ ઊઠી રહ્યો છે કે, 'હવે શું?'

આગામી ચૂંટણીઓમાં ખેડૂત આંદોલન જેટલો જ મહત્ત્વપૂર્ણ મુદ્દો ઈલેક્ટોરલ બોન્ડનો છે, જેને વિપક્ષોએ અત્યારથી જ ઝડપી લીધો છે. ગઈકાલે સુપ્રિમ કોર્ટે જે ચૂકાદો આપ્યો છે, તે દૂરગામી અસરો તો કરશે જ, પરંતુ અત્યારે તો ચૂંટણી પ્રચારનો મહત્ત્વનો મુદ્દો બની રહ્યો છે, અને વિપક્ષોના હાથમાં મોદી સરકાર પર પ્રહાર કરવાનું એક મજબૂત ઓજાર હાથ લાગ્યું હોય, તેવા નિવેદનો આવી રહ્યા છે.

કોંગેસ નેતા રાહુલ ગાંધીએ તત્કાળ એવું નિવેદન આપ્યું કે, તે પછી આરોપ-પ્રત્યારોપોનો સીલસીલો ચાલુ થઈ ગયો. રાહુલ ગાંધીએ 'એક્સ' પર જે લખ્યું તે મોદી સરકાર પર મોટો પ્રહાર છે. તેણે લખ્યું કે, 'નરેન્દ્ર મોદીની ભ્રષ્ટ નીતિઓનો એક વધુ પુરાવો તમારી સામે છે. ભાજપાએ ઈલેક્ટોરલ બોન્ડને રિશ્વત અને કમિશન લેવાનું માધ્યમ બનાવી દીધું હતું. આજે તેના પર મહોર લાગી ગઈ છે.'

'એક્સ' પ્લેટફોર્મ પર કોંગ્રેસ નેતા જયરામ રમેશે લખ્યું કે, 'સુપ્રિમ કોર્ટે મોદી સરકારની બહુપ્રચારિત ચૂંટણી બોન્ડ સ્કીમને સંસદ દ્વારા પસાર કરેલા કાયદાની સાથે સાથે ભારતના બંધારણનું પણ ઉલ્લંઘન ગણાવ્યું છે. લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી, તેવા મુદ્દે આ જજમેન્ટ આવકારદાયક છે. આ ચૂકાદો નોટ સામે વોટની તાકાતને મજબૂત કરશે. મોદી સરકાર ડોનેશન આપનારાઓને વિશેષાધિકાર આપી રહી છે, અને અન્નદાતાઓ પર અત્યાચાર કરી રહી છે.'

કોંગ્રેસે એમ પણ કહ્યું છે કે, વીવીપેટના મુદ્દે પણ સુપ્રિમ કોર્ટ હવે ઉચિત ચૂકાદો આપશે. જયરામ રમેશે કહ્યું કે, 'અમને આશા છે કે સુપ્રિમ કોર્ટ એ બાબત પર લક્ષ્ય આપશે કે ચૂંટણી આયોગ સતત વોટર વેરિફિયેબલ પેપર ઓડિટ ટ્રેલ (વીવીપેટ) ના મુદ્દે રાજકીય પક્ષો સાથે મુલાકાતનો ઈનકાર કરી રહ્યું છે. જો મતદાન પ્રક્રિયા પારદર્શક જ હોય તો આટલી જીદ્ શા માટે?'

રણદીપ સુરજેવાલાએ દાવો કર્યો કે, કોંગ્રેસ પહેલેથી જ ચૂંટણી બોન્ડની વિરોધી હતી. પવન ખેડાએ કહ્યું કે, ભાજપને મળેલા પર૦૦ કરોડના દાનના બદલામાં સરકારે કંપનીઓને શું આપ્યું? કિષ્ના અલ્લાવરૃએ એવો દાવો કર્યો કે, જે-તે સમયે ચૂંટણીપંચ, કાયદા મંત્રાલય અને નાણા મંત્રાલયના અધિકારીઓ આ વ્યવસ્થા સાથે સહમત ન હોય છતાં આ સ્કીમ દેશ પર લાદવામાં આવી હતી. આ મુદ્દામાં સીધા પ્રધાનમંત્રી સંકળાયેલા છે, વિગેરે...

આ તમામ મંતવ્યો વચ્ચે સરકાર તરફી પ્રત્યાઘાતો પણ આવી રહ્યા છે અને બન્ને મુદ્દે તાર્કિક દલીલો થઈ રહી છે, ત્યારે જોવાનું એ રહે છે કે ઈલેક્ટોરલ બોન્ડમાં શાસક અને વિપક્ષોને જંગી દાન આપનારાઓની પૂરેપૂરી વિગતો બહાર આવે, ત્યારે શું થશે? કાગડા બધે ય કાળા?!

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ક્યા ક્યા મુદ્દાઓ બન્યા છે, ટોક ઓફ ધ નેશન...?

આજથી રાજકોટમાં શરૃ થયેલી ક્રિકેટ ટેસ્ટ મેચ તથા જય શાહે ટી-ર૦ વર્લ્ડકપ માટે કેપ્ટનના નામનો આપેલો સંકેત ચર્ચામાં છે, ત્યારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તા. રરમી ફેબ્રુઆરીનો સૂચિત કાર્યક્રમ પણ તેઓના હાલાર સહિતના અન્ય વિસ્તારોના સંભવિત પ્રવાસને સાંકળીને ચર્ચાઈ રહ્યો છે. ગઈકાલે અબુધાબીમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા વિધિ અને લોકાર્પણની સાથે જ આ તમામ કાર્યક્રમોની આગામી લોકસભાની ચૂંટણી પર કેવી અને કેટલી અસરો થશે, તેના વિશ્લેષણો થવા લાગ્યા છે, એટલું જ નહીં મોદી સરકાર સામે પૂરેપૂરી તૈયારી સાથે અને વિવિધ માંગણીઓને લઈને શરૃ થયેલું કિસાન આંદોલન પણ અગ્રતાક્રમે ચર્ચાય રહ્યું છે. હવે આજે સાંજે કેન્દ્ર સરકાર અને ખેડૂત સંગઠનોની બેઠક પર સૌ કોઈની નજર મંડાયેલી છે. ખેડૂતોના આંદોલનને દેશવ્યાપી અને વિપક્ષોનું સમર્થન મળી રહ્યું છે, તો બીજી તરફ તેમાં એમએસપીના મુદ્દે સર્જાયેલી મડાગાંઠ ઉકેલવાના પ્રયાસો થઈ રહ્યાં છે.

ગઈકાલે આ બધા ઘટનાક્રમો વચ્ચે રાજયસભાની ચૂંટણીને લઈને હલચલ તેજ થઈ ગઈ હતી અને વિવિધ પક્ષોએ પોતાના ઉમદવારોની જાહેરાત કરી દીધા પછી ઉમેદવારો ફોર્મ ભરવા પહોંચ્યા હતાં. સોનિયા ગાંધીએ આ વખતે લોકસભાના બદલે રાજસ્થાનમાંથી રાજયસભા માટે ઉમેદવારી નોંધાવતા રાયબરેલીની બેઠક પરથી હવે પ્રિયંકા ગાંધી - વડેરા લોકસભાની ચૂંટણી લડશે, તેવા સંકેતો પણ મળી રહ્યાં છે. આ પ્રકારની સંભાવનાઓ રાષ્ટ્રીય ચર્ચાનો મુદો બની રહી છે.

કેટલાક મીડિયાના અહેવાલો મુજબ કોંગ્રેસે ઉત્તરપ્રદેશના બદલે હવે દક્ષિણ-પશ્ચિમના રાજ્યો તરફ નજર દોડાવી છે અને વાયનાડમાંથી વિજય થયેલા રાહુલ ગાંધી ફરીથી ત્યાંથી જ લોકસભા માટે ઉમેદવારી નોંધાવે છે કે, કર્ણાટકની કોઈ બેઠક પસંદ કરવા અંગેની અટકળો થઈ રહી છે. આ તમામ પ્રકારની અટકળો વચ્ચે આજે ગુજરાતમાંથી રાજયસભા માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાની ઉમેદવારીએ બધાને ચોંકાવી દીધા છે, કારણ કે, પરસોત્તમ રૃપાલા અને મનસુખ માંડવિયાનું કેન્દ્રીય મંત્રીઓ તરીકે પરફોર્મન્સ જોતા તેઓને ગુજરાતની ટિકિટ મળશે, તેવું મનાતું હતું, પરંતુ તેવું થયું નથી. જો કે, આ બન્નેને હવે લોકસભા લડાવાશે તેમ જણાય છે.

જો કે, ગઈકાલથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી મીડિયામાં છવાયેલા છે, અને અબુધાબી મંદિરના લોકાર્પણને અયોધ્યાના રામ મંદિર સાથે સાંકળતો ઉલ્લેખ કરીને સનાતનના સદ્ગુણો દર્શાવાઈ રહ્યાં છે, તથા ભારતની વસુધૈવ કુટુમ્બકમ્ની ભાવનાને ઉજાગર કરવામાં આવી રહી છે. તે ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાલારની સૂચિત યાત્રા દરમિયાન યાત્રાધામ દ્વારકા અને રાજકોટમાં યોજાનારા વિવિધ કાર્યક્રમોને લઈને થઈ રહેલી તૈયારીઓના અહેવાલો પણ સાર્વત્રિક રીતે છવાયેલા છે, તે ઉપરાંત રાજયસભા, લોકસભાની ચૂંટણી સંદર્ભે પણ પી.એમ.ને સાંકળીને વિવિધ વિવેચનાઓ પ્રસારિત અને પ્રકાશિત થઈ રહી છે.

આ જ શ્રેણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને દિગ્ગજ કોંગીનેતા, જેઓ હવે ભાજપમાં આવી ગયા છે, અને ભાજપની ટિકિટ પર જ રાજયસભાની ચૂંટણી લડવાના છે, તેના વિષે ભૂતકાળમાં કેવા શબ્દપ્રયોગો કર્યા હતા અને કોંગ્રેસ પર કેવા ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતાં તેના જુના વીડિયો પ્રસારિત થઈ રહ્યાં છે. આ તમામ રેકોર્ડીંગ અને તેને સંલગ્ન ટીકા-ટિપ્પણીઓ સોશ્યલ મીડિયાના માધ્યમથી પણ વાયરલ થઈ રહી હોવાથી આ મુદ્દો હવે "ટોક ઓફ ધી નેશન" બની ગયો છે, કારણ કે, ભૂતકાળમાં અશોક ચૌહાણ પર આદર્શ ગોટાળાથી જાહેર થયેલા કૌભાંડ હેઠળ શહીદોના આવાસો છીનવવાના સંદર્ભે ગંભીર આક્ષેેપો થયા હતાં.

રાજકોટની મેચમાં ટોસ જીતીને ભારતીય ટીમે જેવી રીતે બેટીંગ પસંદ કર્યુ છે, તેવી જ રીતે રાજકીય ક્ષેત્રે સર્જાયેલા ઘટનાક્રમો દરમિયાન લોકસભાની ચૂંટણી માટેના પ્રચારની પીચ પર જોરદાર બોલીંગ બેટીંગ થશે, તે નક્કી છે. જો કે, ક્રિકેટ ખેલદિલીથી રમાતો આંતરરાષ્ટ્રીય ખેલ છે, જ્યારે રાજનીતિમાં પણ ખેલદિલી હોવી જ જોઈએ, પરંતુ ચૂંટણી જીતવા કોઈપણ હદ્દે જતા પરિબળો આ સિદ્ધાંત વિસરી જતા હોય છે, તેમ નથી લાગતું...?

એવા અહેવાલો આવ્યા છે કે, આજે સાંજે સરકાર અને આંદોલનકારી ખેડૂતો વચ્ચે વાટાઘાટો થવાની છે અને સકારાત્મક વાટાઘાટો થાય તો કિસાન સંગઠનો આંદોલન થંભાવે કે થોડા સમય માટે સ્થગિત કરે, તેવી આશંકાઓ પણ વ્યક્ત થઈ રહી હતી, તેવામાં આ મુદ્દે કોંગ્રેસ, આમઆદમી પાર્ટી, સમાજવાદી પાર્ટી સહિતના નેતાઓએ આ મુદ્દે ખેડૂતોની તરફેણ (સમર્થન) માં જે નિવેદનો આપ્યા છે, તેથી આ આંદોલન હવે રાજકીય બની જશે, તો શું થશે...? તેવા સવાલો પણ ઉઠવા લાગ્યા છે. જો પી.એમ. મોદી સ્વયં ખેડૂતો સાથે વાતચીત કરશે, તો નક્કર ઉપાય નીકળી શકે તેવા મંતવ્યો પણ આવી રહ્યાં છે. જોઈએ... હવે શું થાય છે તે, આ મુદ્દો પણ હવે "ટોક ઓફ ધી નેશન" બન્યો છે.

સૌથી વધુ રાષ્ટ્રીય રાજધાની તરફ કૂચ કરી રહેલા ખેડૂતો અને પોલીસતંત્ર વચ્ચેના ઘર્ષણની ચર્ચા સમગ્ર દેશમાં થઈ રહી છે, અને જો સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે સમાધાન નહીં થાય તો ખેડૂતો દિલ્હી કૂચ ચાલુ રાખશે તેવી ચીમકી મળતા જ કેન્દ્રીય મંત્રીઓ હવે સિરિયસલી ચર્ચા કરશે તેમ જણાય છે. આ મુદ્દો પણ "ટોક ઓફ ધી નેશન" બન્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

વસંત પંચમી, વેલેન્ટાઈન ડે અને વિવાહ પ્રસંગોનો ત્રિવેણી સંગમ

આજે વસંત પંચમી, વેલેન્ટાઈન ડે અને વિવાહ પ્રસંગોનો અદ્દભુત, આહ્લાદક અને અદ્વિતીય ત્રિવેણી સંગમ સર્જાયો છે. કાચબાની પીઠ પર જે શહેરની રચના થઈ હોવાનું મનાય છે, તે ભરૂચ શહેરનો આજે સ્થાપના દિન પણ છે અને દેશમાં કાશી પછી સૌથી પ્રાચીન શહેર મનાતા આ શહેર ભૃગુપુર તરીકે પણ ઓળખાતું હતું. આપણા દેશની વૈવિધ્યસભર વિશેષતાઓ તથા પ્રાચીન અને પશ્ચિમી સંસ્કૃતિઓના સમાગમ સમો આ સુભગસંયોગ લોકો ભરીને માણી રહ્યા છે.

બીજી તરફ રાજકોટમાં આવતીકાલથી ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે શરૂ થનારી ક્રિકેટ ટેસ્ટમેચની પૂર્વ સંધ્યાએ રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમનું 'નિરંજન શાહ સ્ટેડિયમ' નામકરણ પણ થવા જઈ રહ્યું છે, તેથી આજનો દિવસ ગુજરાતમાં પંચરંગી પ્રસંગોનો સાક્ષી પણ બન્યો છે. આજે ઘણાં બધા યુગલો પ્રભુતામાં પગલા માંડવા જઈ રહ્યા છે, તેઓને પણ આ ઐતિહાસિક પ્રસંગ જીવનભર યાદ રહેવાનો છે.

વસંત પંચમીને માતા સરસ્વતીજીના પ્રાગટ્યદિન તરીકે ઉજવવામાં આવે છે, અને વેલેન્ટાઈન ડે પણ સંત વેલેન્ટાઈન સાથે સંકળાયેલો છે, તેથી આ બન્ને દિવસોનું ધાર્મિક-આધ્યાત્મિક મહત્ત્વ છે. તે ઉપરાંત વસંતપંચમીની ઉજવણીમાં નૈસર્ગિક સાંૈદર્ય અને રોમાંચનું સંયોજન થતું હોવાથી આ બન્ને પ્રસંગો યુવા હૈયાઓ માટે પણ ઘણાં જ રોમાંચક બનતા હોય છે.

વસંતઋતુને ઋતુઓની રાણી કહેવામાં આવે છે, જે ઋતુચક્રની શ્રેષ્ઠ ઋતુ મનાય છે, જેનો પ્રારંભ મહાસુદ પાંચમથી થતો હોવાથી તેને વસંત પંચમી તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે જ દેશમાં સુફી બસંત તથા બસંત પતંગોત્સવ જેવી ઉજવણીઓ પણ થતી હોય છે.

માતા સરસ્વતીને વિદ્યા અને જ્ઞાનની દેવી માનવામાં આવે છે. એવું કહેવાય છે કે ભગવાન શ્રીકૃષ્ણે વસંત ઋતુના પ્રારંભે મહાસુદ-પાંચમના દિવસે સરસ્વતી પૂજન કર્યું હતું, ત્યારથી વસંતપંચમીની ઉજવણી અને સરસ્વતી પૂજન તથા નૈસર્ગિક આનંદની પરંપરા ચાલી આવે છે. મહર્ષિ વાલ્મિકીનો રચનાઓમાં કુંભકર્ણની કથામાં માતા સરસ્વતીની મહત્ત્વની ભૂમિકાનો ઉલ્લેખ થયો છે. ઋષિ યાજ્ઞ વલ્કપની નષ્ટ થયેલી વિદ્યા પણ માતા સરસ્વતીની કૃપાથી પરત મળી હોવાની કથા પ્રચલીત છે. ઋગ્વેદમાં પણ માતા સરસ્વતીનો ઉલ્લેખ છે.

વેલેન્ટાઈન ડે દર વર્ષે ૧૪ મી ફેબ્રુઆરીના દિવસે ઉજવાય છે. રોમના સમ્રાટ કલાઉડીયસના શાસનકાળમાં થઈ ગયેલા સંત વેલેન્ટાઈન સાથે આ ઉજવણી સંકળાયેલી છે. રોમના સમ્રાટે સેનામાં યુવાનોની પૂરતા પ્રમાણમાં ભરતી કવરાના હેતુથી લગ્ન પર પ્રતિબંધો મૂકયા અને સંત વેલેન્ટાઈને તેનો વિરોધ કરતા સમ્રાટે તેને ૧૪ ફેબ્રુઆરીના દિવસે ફાંસીએ ચડાવ્યા હોવાની પ્રચલીત કથા મુજબ પ્રેમી યુગલો માટે બલિદાન આપનાર સંત વેલેન્ટાઈનની સ્મૃતિમાં થતી આ ઉજવણી હવે સાર્વજનિક બની ગઈ છે અને હવે તો માર્કેટીંગ કૌશલ્યની પણ પૂરક ભૂમિકા વધી રહી હોવાના તારણો પણ નીકળી રહ્યા છે.

અત્યારે શુભપ્રસંગોની મોસમ પણ ખીલી ઉઠી છે અને વસંતપંચમી અને વેલેન્ટાઈન ડે ના સંયોજન સાથે શુભલગ્નોનો ત્રિવેણીસંગમ સર્જાતા સમગ્ર માહોલ ઘણો જ આનંદમય, આહ્લાદક, અવિસ્મરણીય બનીને અનોખી અનુભૂતિ કરાવી રહ્યો છે.

ફેબ્રુઆરી અને મહા મહિનાની સાથે આ વર્ષે થનારી લોકસભાની ચૂંટણીની તૈયારીઓનો પણ સંગમ રચાઈ રહેલો જણાય છે, તેથી વસંતપંચમી અને વેલેન્ટાઈન ડે ની ઉજવણી ઉપરાંત લગ્નપ્રસંગોમાં પણ ઘણાં સ્થળે ચૂંટણીલક્ષી પરોક્ષ પ્રવૃત્તિઓની છાંટ જોવા મળી રહી છે.

દાયકાઓથી જેની રાહ જોવાતી હતી તે બેટ દ્વારકાથી ઓખાને જોડતા સિગ્નેચર-બ્રિજનું ઉદ્ઘાટન કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. ર૪ અને રપ ના દિવસે દ્વારકા આવી રહ્યા હોવાના અહેવાલો પછી યાત્રાધામ દ્વારકામાં સ્વાભાવિક રીતે જ ચહલ-પહલ વધી ગઈ છે અને તૈયારીઓનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. યોગાનુયોગ તા.ર૪-રપ ફેબ્રુ.ના સમાન સમયે જ પૂર્ણિમા હોવાથી નિયમિત રીતે  પૂનમ ભરવા આવતા ભકતોની મોટી સંખ્યા હોવાથી અને તે જ દિવસે દ્વારકામાં ધ્વજારોહણો, મંગલ પ્રસંગો અને ધાર્મિક પ્રસંગો વધુ હોવાથી લોકોને, ભકતોને તથા પ્રસંગો ઉજવતા લોકોને તકલીફ ન પડે, તેવી રીતે વિવિધ વ્યવસ્થાઓ અને સુરક્ષા વ્યવસ્થા જાળવવી એ તંત્રો માટે પડકારરૂપ બનવાની છે. આ જ દિવસે દ્વારકામાં સંખ્યાબંધ લગ્ન પ્રસંગો પણ યોજાનાર છે, તેથી સુરક્ષા વ્યવસ્થા જાળવતા તંત્રોએ પણ વ્યવહારૂ અભિગમ સાથે વ્યવસ્થાઓ જાળવવી પડે તેમ છે. તેથી આ તમામ બાબતોને લક્ષ્યમાં લઈને જ તંત્રો સિક્યોરિટી પ્લાન ઘડી રહ્યા હશે, તે નક્કી છે.

ભગવાન શ્રીકૃષ્ણની રાજધાની દ્વારકા અને નિવાસ સ્થાન મનાતા બેટદ્વારકા વચ્ચે નિર્માણ થયેલો સિગ્નેચર બ્રિજ બહુહેતુક પુરવાર થવાનો છે, તેની સાથે સાથે બેટ દ્વારકામાં પણ આંતરિક તમામ વ્યવસ્થાઓના વિસ્તૃતિકરણ અને નવીનીકરણ-આધુનિકરણની જરૂર પડવાની જ છે, તેથી તદ્વિષયક પ્રિ-પ્લાનીંગ પણ સંબંધિત તંત્રો તથા સરકારે વિચાર્યું જ હશે, તે ઉપરાંત પાકિસ્તાનની દરિયાઈ સીમા નજીક હોવાથી રાષ્ટ્રીય સુરક્ષાની દૃષ્ટિએ પણ હવે વ્યૂહાત્મક પ્રબંધો કરવા પડવાના છે, ત્યારે આ તમામ મુદ્દે સરકારી તંત્રો સજાગ હશે તેમ માનીએ.

આજના ત્રિવેણી સંગમ સમા દિવસની તમામ વાચકો તથા નોબત સાથે સંકળાયેલા તમામ લોકો સહિત સૌ કોઈને ખૂબ ખૂબ શુભકામનાઓ....

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

close
Ank Bandh