'જેવા સાથે તેવા'ની નીતિ વ્યવહારમાં ચાલે, વ્યાપારમાં નહીં, પણ...!?

હુંતાશણી-ધૂળેટી પછી ગૃહિણીઓ ઘરમાં 'ઘઉં ભરવા' લાગશે, એટલે કે આખા વર્ષની જરૂરિયાતનો અંદાજ કરીને સારા ઘઉંની વાજબી ભાવે જથ્થાબંધ ખરીદી કરવા લાગશે. આ વર્ષે ઘઉંનું ઉત્પાદન વધવા જઈ રહ્યું છે હોવાથી ઘઉંના ભાવ ઘટશે, તેવી સંભાવનાઓ હતી, પરંતુ તેનાથી ઉલટું થયું છે, અને માર્કેટમાં ઘઉંના ભાવો વધવાના સંકેતો મળી રહ્યા છે.

ગુજરાતમાં ગયા વર્ષની સરખામણીમાં ઘઉંનું ઉત્પાદન સાડાચાર લાખ ટન જેટલું વધ્યું હોવા છતાં ભાવવધારાના સંકેતોએ ગૃહિણીઓની ચિંતા વધારી દીધી છે, તો માર્કેટમાં પણ અનિશ્ચિતતાઓનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં વિવિધ પ્રકારના ઘઉંનું ઉત્પાદન થાય છે, તેમાં પોપટિયા અથવા દેશી ઘઉંનો ભાવ વધુ હોય છે, જ્યારે રાજ્યમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ઘેર-ઘેર રોટલી બનાવવા માટે વપરાતા ટૂકડા ઘઉંના ભાવપર સૌની નજર વધુ રહેતી હોય છે. કૃષિ અને વ્યાપાર ક્ષેત્રના વર્તુળો મુજબ ગઈકાલે ટુકડા ઘઉંના ભાવ ૬૧ર થી ૭ર૬ વચ્ચે સૌરાષ્ટ્રમાં રહ્યા હતાં. આથી પ્રિ-સિઝન ભાવવધારો સામાન્ય પરિવારોની થાળી મોંઘી કરશે, તેની ચિંતા પણ વ્યક્ત થવા લાગી છે.

આજે ગુજરાતથી ગ્લોબ સુધી ભાવો અને ટેરિફની જ ચર્ચા ચાલી રહી છે. ગઈકાલે ડોનાલ્ડ ટ્રમ્પ અને પી.એમ. નરેન્દ્ર મોદી વચ્ચે થયેલી વાટાઘાટો પછી 'ક્યા ખોયા, ક્યા પાયા... અને કોને શું મળ્યું તથા ભારતને ક્યો ફાયદો થયો, તો કઈ બાબતે ટ્રમ્પે ભારત સહિત બ્રિક્સના દેશોને પુનઃ ચેતવણી આપી, તેનું પોસ્ટમોર્ટમ થઈ રહ્યું છે. ટ્રમ્પની 'અમેરિકા ફર્સ્ટ'ની સામે ભારત (મોદી) ના 'નેશન ફર્સ્ટ'ના સૂત્રની ટક્કર પણ જોવા મળી રહી છે, ખરૃંને?

ડોનાલ્ડ ટ્રમ્પે શક્તિવર્ધક સત્તાપ્રાપ્તિ કર્યા પછી અમેરિકા આક્રમક બન્યું છે અને એક પછી એક 'ટ્રમ્પકાર્ડ'નો ખેલ આખી દુનિયાને હચમચાવી રહ્યો છે, ત્યારે પ્રથમ સમયગાળાના ટ્રમ્પ કરતા બીજા તબક્કામાં ટ્રમ્પ કાંઈક અલગ જ જણાઈ રહ્યા છે, જ્યારે ત્રીજી વખત વડાપ્રધાન બનેલા મોદી થોડાક વધારે પડતા 'પ્રેક્ટિકલ' બની ગયા હોય, તેમ નથી લાગતું?

તાજેતરમાં રિસિપ્રોકલ ટેરિફની ચર્ચા વધુ થઈ રહી છે, અને આ શબ્દો ગ્લોબ ટોકનો વિષય પણ બન્યા છે. હકીકતે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અપનાવેલી રિસિ પ્રોકલ ટેરિકની અસરો દુનિયાભરની માર્કેટો તથા વિશ્વના મહત્તમ દેશો સુધી પહોંચી છે, અને ભારત સહિત તમામ દેશો સાથે જો અમેરિકા આ જ પ્રકારની નીતિ અપનાવવાનું હોય તો ટ્રમ્પ-મોદીની દોસ્તી તથા પર્સનલ કેમેસ્ટ્રીનો દેશને શું ફાયદો? તેવો વ્યંગ પણ થઈ રહ્યો છે.

દેશી ભાષામાં ટ્રમ્પની નવી અર્થનીતિને સમજવી હોય તો ગુજરાતી કહેવત 'જેવા સાથે તેવા' અથવા પ્રચલિત સંસ્કૃત સૂત્ર 'શઠમ્ પ્રતિ સાઠયમ્'ના ભાવાર્થ સાથે ટ્રમ્પનીતિને સરખાવી શકાય. ભાવતાલ અને કરવેરાના ક્ષેત્રે ટ્રમ્પની નીતિ એવી છે કે જે દેશ અમેરિકા સાથે જે પદ્ધતિથી વ્યાપાર-વ્યવહારો કરતો હોય, તેઓની સાથે તેવું જ વલણ અપનાવવું. જે દેશો આયાત પર વધુ ટેક્સ લેતો હોય, તે દેશોમાં નિકાસ અને તે દેશોમાંથી આયાત કરવામાં પણ તેવી જ નીતિ અપનાવવી, અને આયાત-નિકાસ વચ્ચેની દ્વિપક્ષીય ગણતરી કરીને ખાધ રહેતી હોય ત્યાં ટેક્સ અથવા ટેરિફ વધારવાની પોલિસી અપનાવવી, તે પ્રકારનો આ કોન્સેપ્ટ માત્ર ભારત નહીં, દુનિયાભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. કેટલાક લોકો એવું પણ માને છે કે, પી.એમ. મોદીનો પ્રભાવ પહેલા જેવો રહ્યો નથી અને ટ્રમ્પ બીજી ટર્મમાં વધુ મજબૂત જણાય છે, જ્યારે મોદી ત્રીજી ટર્મમાં પહેલી ટર્મ જેવા પ્રભાવી જણાઈ રહ્યા નથી, જ્યારે ઘણાં લોકો વિવિધ મુદ્દે મોદી પહેલા જેવા જ સ્પષ્ટ અને મક્કમ જણાયા હતાં. ખુદ ટ્રમ્પે અને મસ્કે પણ વડાપ્રધાન મોદીને ચતૂર નેગોશિએટર ગણાવ્યા હતાં, સાથે સાથે ભારતને બિઝનેસટફ પણ ગણાવી દીધું હતું.

ભારત-અમેરિકા વચ્ચે વર્ષ ર૦૩૦ સુધીમાં વેપાર બમણો કરવો, મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ તહવ્વુર રાણાના પ્રત્યાર્પણની જાહેરાત, ઈસ્લામિક આતંકવાદ સામે સહિયારી લડત, ઊર્જા કરાર, ભારતને યુદ્ધ વિમાનો એફ-૩પ આપવાની જાહેરાત, સંરક્ષણ ક્ષેત્રે સહયોગ, વેપારખાધ ઘટાડવાની રણનીતિ પર સહમતિ સહિતના થયેલા કરારોને વડાપ્રધાન મોદીની અમેરિકાની વર્તમાન મુલાકાતની ઉપ્લબ્ધિ પણ ગણાવવામાં આવે છે.

સામાન્ય અભિપ્રાય એવો છે કે 'જેવા સાથે તેવા'ની રણનીતિ વર્તમાનયુગની જરૂરિયાત છે, પરંતુ જ્યારે વૈશ્વિક નીતિમાં તથા ખાસ કરીને વ્યાપારિક-આર્થિક નીતિઓની વાત આવે, ત્યારે બાંધછોડની નીતિ પણ અપનાવવી જ પડતી હોય છે, અને આ સિદ્ધાંતને ધ્યાને રાખીને જ ટ્રમ્પે નવી ટેરિફ નીતિનો તથા રિસિપ્રોકલ ટેક્સની માત્ર જાહેરાતો જ કરી છે, અને તે તત્કાળ નહીં, પરંતુ દરેક દેશ માટે અલગ-અલગ વાટાઘાટો કરીને જ લાગુ થશે, તેવું સ્પષ્ટ કર્યું છે, કારણ કે ટ્રમ્પ પણ જાણે છે કે આવી નીતિ વ્યવહારમાં ચાલે, વ્યાપારમાં નહીં... જડતા તો ન જ ચાલે ને?

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ભ્રષ્ટાચારમાં કોણ આગળ કોણ પાછળ? ભારતમાં ભ્રષ્ટાચાર વધ્યો કે ઘટ્યો?

અન્ના આંદોલનમાંથી જન્મેલી આમ આદમી પાર્ટીની જેમજ દાયકાઓ પહેલા જયપ્રકાશ નારાયણની જનચળવળ પછી જનતાપાર્ટીનો જન્મ થયો હતો અને મોરારજી દેસાઈની સરકાર રચાઈ હતી. અત્યારે જે રીતે ભાજપ (મોદી) સામે વિપક્ષોએ લોકસભાની ચૂંટણીમાં 'ઈન્ડિયા' ગઠબંધન બનાવ્યું હતું, તેવી જ રીતે ઈમરજન્સી પછી (ઈન્દિરા ગાંધી) કોંગ્રેસ સામે વિપક્ષો એકજુથ થયા હતાં. તફાવત એટલો જ છે કે તે વખતે મહાગઠબંધન નહીં, પરંતુ મોટાભાગના મુખ્ય વિપક્ષોએ સાથે મળીને એક પાર્ટી રચી હતી, જેનું નામ જનતા પાર્ટી રખાયું હતું. આ જનતા પાર્ટીમાં કોંગ્રેસમાંથી છૂટી પડેલી સંસ્થા કોંગ્રેસ, ભારતીય લોકદળ, ભારતીય જનસંઘ સહિતના મોટાભાગના રાષ્ટ્રીય પક્ષો કોંગ્રેસને હરાવવા વિલિન થઈ ગયા હતાં.

મોરારજી દેસાઈ સરકાર લાંબી ચાલી નહીં, અને આંતરિક મનભેદો ઊભા થતા તેમાં જોડાયેલા રાજકીય પક્ષો ફરીથી છૂટા પડી ગયા હતાં અને કેટલાક રાજકીય પક્ષોએ પોતાનું મૂળ નામ યથાવત્ રાખ્યું હતું, જ્યારે કેટલાક પક્ષોએ નવું નામકરણ કર્યું હતું, જેમાં ભારતીય જનસંઘનો સમાવેશ થયો હતો, અને નવું નામ ભારતીય જનતા પાર્ટી રાખવામાં આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટીની રચના થયા પછી એક સમય એવો પણ હતો, જ્યારે લોકસભામાં ભાજપના માત્ર બે સાંસદો જ હતાં, જેનું જુદા જુદા સમયે વિવિધ કારણોસર વિસ્તૃતિકરણ થતું રહ્યું હતું અને આજે કેન્દ્રમાં સત્તા ભોગવી રહ્યું છે.

ભારતીય જનતા પક્ષ વર્ષ ર૦૧૪ માં તો તોતિંગ બહુમતી સાથે સત્તારૂઢ થયો, તેનું કારણ ભ્રષ્ટાચાર, વિરોધી ઊઠેલો જનાક્રોશ હતો અને આમ આદમી પાર્ટી વર્ષ ર૦૧પ માં દિલ્હીમાં સત્તા પર આવી, તેનું કારણ પણ ભ્રષ્ટાચાર સામેનો જનાક્રોશ જ હતો ને?

આ બન્ને પક્ષોએ ભ્રષ્ટાચારનો વિરોધ કરીને સત્તા મેળવી, પરંતુ તે પછી પણ દેશમાંથી ભ્રષ્ટાચાર નાબૂદ થયો નહીં, તો દિલ્હીમાં પોતાને કટ્ટર ઈમાનદાર ગણાવતા કેજરીવાલ સહિતના આમ આદમી પાર્ટીના મોટા નેતાઓ પર પણ શરાબ કૌભાંડ સહિતના ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા અને અત્યારે જામીન પર છે.

બીજી તરફ રાષ્ટ્રીય કક્ષાએ સુશાસન, પારદર્શક વહીવટ અને ભ્રષ્ટાચાર પર અંકુશનો દાવો થતો રહ્યો છે, અને તેને આંકડાઓ, વિવિધ માપદંડો તથા રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સર્વેક્ષણ કરતા એકમો, સંસ્થાઓ અને સંગઠનોના રિપોર્ટસને ટાંકીને આ દાવો સાચો હોવાનું પૂરવાર કરવાના પ્રયાસો પણ થતા રહે છે, પરંતુ તાજેતરમાં જ એક આંતરરાષ્ટ્રીય કક્ષાના રિપોર્ટે આ પ્રકારના દાવાઓની હવા જ કાઢી નાંખી છે. આ રિપોર્ટ આજે ટોક ઓફ ધ નેશન બની ગયો છે.

આજે દેશભરમાં ટ્રાન્સપેરેન્સી ઈન્ટરનેશનલના વર્ષ ર૦ર૪ ના કરપ્શન ઈન્ડેક્ષની ચર્ચા વૈશ્વિક કક્ષાએ તો થઈ જ રહી છે, પરંતુ ભારતમાં આ પક્ષોની સાથે તથ્યાત્મક તર્કો તથા દલીલો પણ થઈ રહી છે. આજે આ મુદ્દો ભારતમાં ટોક ઓફ ધ નેશન બન્યો, તેની પાછળ કેટલીક તથ્યાત્મક હકીકત પણ હશે જ ને?

ગઈકાલે જ આ ભ્રષ્ટાચાર વિરોધી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સીપીઆઈ-ર૦ર૪ એટલે કે વિશ્વના દેશોમાં વ્યાપેલા ભ્રષ્ટાચારના પ્રમાણ મુજબ સૌથી ઓછા ભ્રષ્ટાચારી દેશોથી લઈને સૌથી વધુ ભ્રષ્ટ દેશો દર્શાવતી ૧૮૦ દેશોની યાદી જાહેર કરી છે, જેમાં ભારત ત્રણ ક્રમાંક પાછળ ગયું છે, એટલે કે ભારતમાં ભ્રષ્ટાચાર વધ્યો છે. વર્ષ ર૦ર૩ માં વિશ્વના ઓછા ભ્રષ્ટ દેશોમાં ભારતનો ક્રમાંક ૯૩ મો હતો, જે હવે ૯૬ મો થયો છે. તેનો મતલબ એ થાય કે છેલ્લા એક વર્ષમાં ભારતમાં ભ્રષ્ટાચાર વધુ વધ્યો છે. આ ક્રમાંક છેલ્લા ૧૦ વર્ષમાં સૌથી પાછળ છે, જેને શરમજનક ગણાવાઈ રહ્યો છે.

આ આંતરરાષ્ટ્રીય સંસ્થા સૌથી વધુ ભ્રષ્ટ દેશને શૂન્યથી શરૂ કરીને ક્રમશઃ ઓછા ભ્રષ્ટચાર મુજબ સૌથી ઓછા ભ્રષ્ટ દેશને ૧૦૦ નંબર (ગુણાંક) આપે છે, એટલે કે ૧૦૦ ગુણાંક ધરાવતું ડેન્માર્ક ભ્રષ્ટાચારમૂક્ત દેશ ગણાવાયો છે. નિશ્ચિત માપદંડોના આધારે બિઝનેસ સાથે સંકળાયેલા લોકો તથા વિશેષજ્ઞો આ સારણી નક્કી કરતા હોવાનો દાવો કરવામાં આવે છે. આ માપદંડો મુજબ ભારતને ૧૦૦ માંથી ૩૮ ગુણાંક મળ્યા છે, જ્યારે વર્ષ ર૦ર૩ માં ૩૯ તથા વર્ષ ર૦ર૪ માં ૪૨ ગુણાંક હતાં. આ કારણે ભારત પાછળ ધકેલાયું છે, અને આ ઈન્ડેક્ષ મુજબ ભારતમાં ભ્રષ્ટાચાર વધ્યો છે.

જો કે, આ ઈન્ડેક્ષ આખા દેશના વિવિધ ક્ષેત્રો તથા નિર્ધારિત માપદંડો મુજબ તૈયાર થતો હોય છે અને તેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો તથા અન્ય સેક્ટરો પણ ધ્યાને લેવાતા જ હશે, જેથી આ ચિંતાજનક રિપોર્ટને સૌ કોઈએ ગંભીર ગણવો જ જોઈએ, ખરૃં કે નહીં?

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

એ.આઈ. અને પ્લાસ્ટિક 'ગ્લોબલ ટોક'ના મુદ્દા, મહાકુંભ મહા ટ્રાફિકજામ પણ ચર્ચામાં

આ વખતે પ્રચંડ બહુમતી મેળવીને અમેરિકાના રાષ્ટ્રપતિ બનેલ ટ્રમ્પે ધડાધડ નિર્ણયો લેવા માંડ્યા છે, અને આખી દુનિયામાં હલચલ મચાવી દીધી છે. ટ્રમ્પના આકરા નિર્ણયોની અસરો ભારત સહિત આખી દુનિયામાં થઈ રહી છે, ત્યારે ટ્રમ્પની નવી પ્લાસ્ટિક નીતિની ચર્ચા પણ 'ગ્લોબલ ટોક'નો વિષય બની ગઈ છે.

એવા અહેવાલો આવ્યા છે કે, પ્લાસ્ટિકથી થતું નુક્સાન અટકાવવા પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઈડને પ્લાસ્ટિકની સ્ટ્રો વાપરવા પર પ્રતિબંધ મૂક્યો હતો અને કાગળની સ્ટ્રો વાપરવાનો આદેશ કર્યો હતો, તેને રદ્ કરીને ટ્રમ્પે સરકારી તંત્રને કાગળની સ્ટ્રો પર પ્રતિબંધ મૂકીને ફરીથી પ્લાસ્ટિકની સ્ટ્રો વાપરવાની છૂટ આપવા સૂચના આપી છે.

ટ્રમ્પે અમેરિકાની ફેડરલ ખરીદ નીતિને પલટાવીને નવી પ્લાસ્ટિક નીતિ જાહેર કરી છે. હકીકતે બાઈડને જ્યારે કાગળની સ્ટ્રો વાપરવાની જાહેરાત કરી હતી, તે સમયે  વર્ષ ર૦૧૯ માં બાઈડન સરકારની સીંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાની પોલિસીનો વિરોધ કર્યો હતો અને રિયુઝેબલ બ્રાન્ડેડ સ્ટ્રોના પેકેટ પોતાના સમર્થકોમાં વહેંચ્યા હતાં. નિષ્ણાતોના અભિપ્રાયો મુજબ દર મિનિટે એક ગાર્બેજ ટ્રક ભરીને પ્લાસ્ટિકનો કચરો દરિયામાં ઠલવાય છે, જે માનવજિંદગી જ નહીં, જીવસૃષ્ટિ તથા પર્યાવરણ માટે પણ ખતરનાક છે.

જો કે, ટ્રમ્પ આ તમામ જોખમો તથા ખતરાઓની વાતને જ હવામાં ઊડાડીને પ્લાસ્ટિકના પ્રોડક્શન તથા ટ્રેડ સાથે સંકળાયેલા 'મોટામાથાઓ'નું હિત સાચવી રહ્યા હોવાના આક્ષેપો પણ દબાયેલા સ્વરે થવા લાગ્યા છે.

ભારત પણ સીંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશનો વિરોધ કરતું રહ્યું છે, અને આ કોન્સેપ્ટ હેઠળ ગયા વર્ષે દક્ષિણ કોરિયામાં પ્લાસ્ટિકના પ્રદૂષણના ઉકેલ માટે વૈશ્વિક સમજુતિ કરવા વિવિધ દેશોના નેતાઓ એકઠા પણ થયા હતાં. તે સમયના અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનની પ્લાસ્ટિક નીતિને અનુરૂપ સીંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ સામે વૈશ્વિક સમજુતિ સાધવામાં નિષ્ફળતા જ મળી, કારણ કે અમેરિકા, ચીન, જર્મની સહિતના પ્લાસ્ટિક ઉત્પાદક દેશોના મોટા માથાઓ આવી સમજુતિના વિરોધમાં હતાં. દર વર્ષે આટલો મિલિયન ટન પ્લાસ્ટિકનું ઉત્પાદન કરતા દેશોના ઉદ્યોગપતિઓનો પ્રભાવ પર્યાવરણવાદીઓની ઝુંબેશ પર ભારે પડ્યો હતો.

જો કે, વિશ્વમાં સીંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવવાના મુદ્દે ઘણાં દેશો સંમત થાય તેમ છે, અને માનવજિંદગીઓ, જીવસૃષ્ટિ તથા પર્યાવરણને નુક્સાન થતું જ હોય તેવા પ્લાસ્ટિક સામે કોઈ વિરોધ નથી, પરંતુ સીંગલ યુઝ પ્લાસ્ટિકના ઉત્પાદકો, વ્યાપારીઓ અને દલાલોનો પ્રભાવ એટલો છે કે દ. કોરિયામાં આ મુદ્દે જ એકઠા થયેલા દેશો પણ તમામ મુદ્દે સર્વસંમતિ સાધી શક્યા નહોતા.

ટ્રમ્પે આ નવો આદેશ આપવાની સાથે અમેરિકાની જનતાને પ્લાસ્ટિકની સ્ટ્રો તરફ પાછા વાળવાનું સૂત્ર આપ્યું હોવાના અહેવાલને જોતા એવું જણાય છે કે ડોનાલ્ડ ટ્રમ્પ જનહિતના બહાને હવે ધનહિત અથવા ધનપતિઓના હિતને જ પ્રાધાન્ય આપી રહ્યા છે.

ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાનો પ્રવાસ શરૂ કરે, અને ટ્રમ્પને તેઓ 'મિત્ર' ગણાવતા હોય તેની પહેલા જ અમેરિકામાં ગેરકાયદે વસવાટ કરતા ભારતીયોને અમેરિકાનું વિમાન ભારતમાં મૂકી જાય, જુદી જુદી ચીજવસ્તુઓ પણ ટ્રમ્પ 'ટેરિફ'ની જાહેરાત કરે અને સીંગલ યુઝ પ્લાસ્ટિકની વિરૂદ્ધનો કોન્સેપ્ટ ધરાવતા નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે હોય ત્યારે જ સીંગલ યુઝ પ્લાસ્ટિકની પરથી અમેરિકામાં પ્રતિબંધ હટાવવાની જાહેરાત થાય તે માત્ર યોગાનુયોગ ન જ હોઈ શકે ને?

હકીકતે ડોનાલ્ડ ટ્રમ્પના આ પહેલાના કાર્યકાળમાં ટ્રમ્પ-મોદીની ગાઢ દોસ્તી વિશ્વવિખ્યાત બની હતી, તે પછી રશિયા-યુક્રેન યુદ્ધના કારણે રશિયા પર અમેરિકાએ પ્રતિબંધો લગાવ્યા હતાં, તે સમયે ભારતે અમેરિકાના પ્રતિબંધોની ઐસીતૈસી કરીને રશિયા પાસેથી 'ભારત ફર્સ્ટ' એટલે કે દેશના હિતોને સર્વોપરિ ગણાવીને સસ્તુ ક્રૂડ-ઓઈલ ખરીદ્યુ હતું. કદાચ તેના જવાબમાં ટ્રમ્પ 'અમેરિકા ફર્સ્ટ'ની નીતિ હેઠળ આ પ્રકારના ભારતના હિતો પણ જોખમાય, તેવા કદમ ઊઠાવી રહ્યા હશે, તેમ ઘણાં વિશ્લેષકો માને છે, અને તે સમયે ભારતે અમેરિકા સામે ઝુક્યા વગર આઝાદી પછીથી ચાલી આવતી ભારતની બિનજુથવાદી વિદેશનીતિને મજબૂત બનાવાઈ હતી, તેવા તારણો પણ નીકળી રહ્યા છે.

અમેરિકા પછી હવે યુનાઈટેડ કિંગ્ડમમાં પણ ગેરકાયદે ઈન્ડિયન સામે કાર્યવાહી શરૂ થઈ છે, અને ત્યાંથી પણ ગેરકાયદે વસવાટ કરતા ભારતીયો તથા તેને કામ આપનાર કે સહયોગ આપનાર લોકો સામે પણ કાર્યવાહી શરૂ થઈ હોવાના અહેવાલો પછી વિપક્ષો હવે મોદી સરકાર સામે વધુ તીખા પ્રહારો કરશે, તે નક્કી છે.

અત્યારે ભારત જ નહીં, આખી દુનિયામાં ધૂની મગજના ટ્રમ્પના શ્રેણીબદ્ધ વિવાદાસ્પદ અથવા ચર્ચાસ્પદ નિર્ણયોના ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે. જો કે, આ વખતે મોટાભાગના નિર્ણયો કોઈ ધૂનમાં આવીને નહીં, પણ સમજી વિચારીને ટ્રમ્પ લઈ રહ્યા છે, અને તેમાં અમેરિકા ફર્સ્ટની સાથે સાથે ધનપતિઓ, ઉદ્યોગપતિઓ તથા મસ્ક જેવા મિત્રોના હિતો ફર્સ્ટની બેધડક નીતિ પણ ખુલ્લેઆમ અપનાવી રહ્યા છે.

આજે ટ્રમ્પના ચોંકાવનારા નિર્ણયો ઉપરાંત આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સની પણ ચર્ચા થઈ રહી છે. ફ્રાન્સની રાજધાની પેરિસમાં યોજાયેલી એ.આઈ. એક્શન સમિટમાં ભારતે સહ-અધ્યક્ષતા કરી અને એ.આઈ.ના કારણે નોકરીઓ પર કોઈ ખતરો નથી, અને નવી રોજગારીની તકો ઊભી થશે, તેવું વડાપ્રધાન મોદીએ મંતવ્ય વ્યક્ત કર્યું. તેના પણ મિશ્ર પ્રત્યાઘાતો પડી રહ્યા છે.

આ વખતે ફ્રાન્સ અને અમેરિકાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યાત્રા પર પણ અમેરિકા અને ભારતના ઘણાં મોટા માથાઓની નજરો મંડાયેલી છે અને આ બન્ને દેશોની મુલાકાત દરમિયાન ટ્રમ્પ-મોદીની મિત્રતા પણ કસોટીની એરણે ચડી છે, ત્યારે જોઈએ, હવેં શું થાય છે તે...

આજે એ.આઈ. અને સીંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધના મુદ્દા ઉપરાંત પ્રયાગરાજના મહાકુંભનો મહાટ્રાફિક જામ પણ વૈશ્વિક ચર્ચાનો મુદ્દો બન્યો છે...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

જીવલેણ ઘટનાઓનું જવાબદાર કોણ કોણ? ઢોરની ઢીંકથી બચવાની તરકીબો...!

જામનગરમાં એક વૃદ્ધાને ઢોરે ઢીંક મારતા તેણીએ જીવ ગુમાવ્યો હોવાના સમાચાર હોય કે કોઈને કોઈ માર્ગે માર્ગ અકસ્માતમાં કોઈએ જીવ ગુમાવ્યો હોય, કોઈ સ્થળે ડૂબી જવાથી સામૂહિક મૃત્યુની ગમખ્વાર ઘટના હોય કે આર્થિક ભીંસ અથવા વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યાના કિસ્સાઓ હોય, આ તમામ ઘટનાઓ માટે જવાબદાર કોણ કોણ હોઈ શકે, તેવા પ્રશ્નોના જવાબો મેળવવાનો સમય હવે પાકી ગયો છે, તેમ નથી લાગતું?

હંમેશાં આ પ્રકારની ઘટનાઓ માટે જવાબદાર કોણ? તેવો સવાલ પૂછાતો હોય છે, પરંતુ હવે આ તમામ ગમખ્વાર ઘટનાઓ માટે જવાબદાર કોણ કોણ? કેવો સવાલ પૂછવો પડે તેમ છે, કારણ કે કોઈ એક તંત્ર, શાસન કે સંસ્થા નહીં, પણ આ પ્રકારની ઘણી ઘટનાઓ પાછળ ઘણાં બધા પરિબળો પણ જવાબદાર હોય છે, ખરૃં કે નહીં?

રખડતા ઢોરની ઢીંકે કોઈપણ નાગરિકનું મૃત્યુ થાય, તો તે જવાબદારી સર્વપ્રથમ તો જે-તે ગામ, શહેર, વિસ્તારની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની છે, અને તેમાં સૌથી વધુ ભૂમિકા લાપરવાહ અને નપાવટ તંત્રોની ગણાય. તે ઉપરાંત પંચાયત, પાલિકા, મહાપાલિકાઓમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ પણ એટલા જવાબદાર ગણાય, ખરૃં કે નહીં?

રખડતા ઢોરનો પ્રશ્ન હવે રાજ્યવ્યાપી બન્યો છે, અને ગામો, શહેરો, જાહેર સ્થળો જ નહીં, સ્ટેટ અને નેશનલ ધોરીમાર્ગો પર પણ રખડતા ઢોર ગંભીર અને જીવલેણ અકસ્માતોનું કારણ બનવા લાગ્યા છે, તેથી આ રાજ્યવ્યાપી સમસ્યાની જવાબદારી માત્ર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એટલે કે પંચાયતો, પાલિકા-મહાપાલિકાઓ પર ઢોળી દેવાના બદલે રાજ્ય સરકારે પણ આ સળગતી સમસ્યાનો કોઈ રાજ્યવ્યાપી ઉકેલ લાવવો જોઈએ, તેમ નથી લાગતું? રાજ્ય સરકાર કેટલાક મુદ્દે તો રાતોરાત નિર્ણયો લઈને ગણતરીના દિવસોમાં જ કાયદો ઘડી કાઢે છે અને તત્કાળ લાગુ પણ કરી દેવાની ક્ષમતા ધરાવે છે, ત્યારે રખડતા ઢોરના મુદ્દે કોઈ નક્કર અને પરિણામલક્ષી કાયદો ઘડવો જોઈએ, ખરૃં કે નહીં?

રાજકીય પક્ષો અને સ્થાનિક નેતાગીરી પણ આ પ્રકારની ઘટનાઓ માટે જવાબદાર જ ગણાય, કેટલાક રાજકીય મુદ્દે અન્ય રાજ્યમાં કોઈ ઘટના બને કે ચૂંટણીમાં વિજય મળે, તો તેની ઉજવણી તરત જ જામનગર કે હાલારમાં થાય, કે પછી અન્ય રાજ્યમાં બનેલી ઘટનાને લઈને કે પછી રાષ્ટ્રીય કક્ષાના રાજકીય મુદ્દે વિપક્ષી રેલીઓ નીકળે જામનગર-હાલારમાં વિરોધ પ્રદર્શનો થાય, આવેદનપત્રો પણ અપાય, પરંતુ રખડતા ઢોર, આવારા કૂતરાઓના કારણે લોકો પર ઝળુંબતા જોખમના મુદ્દે સ્થાનિક નેતાગીરી અને શાસકો તથા વિપક્ષો પણ 'આંખ આડા કાન' કેમ કરતા હોય છે, તે 'ઓપન સિક્રેટ' જ છે ને? વોટબેંકની વેંતરણમાં રાજકીય પક્ષો તથા નેતાગીરીનું આ વલણ જોતા એમ નથી લાગતું કે આ મુદ્દે 'હમામ મેં સબ નંગે હૈ?'

આવી જ રીતે માર્ગ અકસ્માતો માટે તૂટેલા માર્ગો, ટ્રાફિક વ્યવસ્થાની ખામીઓ તથા ઓવરસ્પીડ પર અંકુશ રાખવાની નિષ્ફળતા પણ જવાબદાર છે. આ માટે પણ અહીં વર્ણવેલા તમામ પરિબળો પૂરેપૂરા જવાબદાર છે. આર્થિક ભીંસ કે વ્યાજખોરોના આતંકથી કોઈ આત્મહત્યા કરે તો તે સરકાર, સમાજ અને માનવતા માટે પણ કલંકરૂપ જ છે ને?

આ તમામ પરિબળો ઉપરાંત એક મહત્ત્વપૂર્ણ પરિબળ ભૂલાઈ રહ્યું છે. આ પરિબળની ભૂમિકા પણ આ પ્રકારના તમામ અનિચ્છનિય ઘટનાક્રમો માટે એટલી જ જવાબદાર છે જેટલા જવાબદાર અન્ય પરિબળોને ગણવામાં આવે છે, જો કે આપણે કદાચ આ 'મહત્ત્વપૂર્ણ' પરિબળને જવાબદાર ગણતા અચકાઈએ છીએ, અને તેથી પણ આ પ્રકારની ઘટનાઓ નિરંકુશ બની રહી છે.

આ પરિબળ 'આપણે પોતે' છીએ, જો કે સંપૂર્ણ નહીં, પણ આ પ્રકારની ઘટનાક્રમોમાં થોડીઘણી ભૂમિકા તો આપણી પણ છે જ ને?

માર્ગો પર થતા અકસ્માતોમાં વાહનોમાં ખામી ચલાવી લેવી, ઓવરસ્પીડમાં વાહન ચલાવવું, રોંગ સાઈડમાં વાહન ચલાવવું, ટ્રાફિકના નિયમોનો ઉલાળિયો કરવો તથા ઓવરટેક કરવા કે પાર્કિંગના મુદ્દે પણ જીવ સટોસટના ઝઘડાના કરવા વગેરે કારણો પણ ઘણી વખત જવાબદાર હોય જ છે ને?

ઘણાં લોકો ગાયને રોટલી કે રોટલો ખવડાવીને જ જમવાનું વ્રત ધરાવતા હોય છે, તો ઘણાં લોકો ગાયમાતાજીને નિયમિત ઘાસ નાખતા હોય છે. આ પ્રકારની ધાર્મિક વૃત્તિ પર કોઈ અંકુશ લાગી પણ શકતો નથી, પરંતુ ગાય કે અન્ય ઢોરની ઢીંકે ચડીને જીવ જતા હોય કે સડક કે હાઈ-વે પર કોઈ ઢોરને બચાવવા જતા જતા ગમખ્વાર અકસ્માતોમાં જિંદગીઓ હોમાઈ જતી હોય છે, અને ઘણાં લોકો જીવનભર દિવ્યાંગ પણ થઈ જતા હોય છે, તેથી આપણે બધાએ ઢોરની ઢીંકથી બચવાની તરકીબો અંગે વિચારવું જ પડશે અને ઉપાયો પણ શોધવા જ પડશે ને?

જામનગરમાં જાહેરમાં ઘાસ નાંખવા અને ઘાસના વેંચાણ પર પ્રતિબંધની જરૂર ઊભી થતા જ ઘાસના કેટલાક વિતરકો હવે ઘાસનું વેંચાણ કરીને પોતાની રિક્ષા કે વાહન દ્વારા સીધા ગૌશાળા-પાંજરાપોળમાં પહોંચાડી રહ્યા હોવાથી જાહેર રસ્તા પર ઘાસ નાંખનારાની સંખ્યા ઓછી થઈ રહી છે, (જો કે, સદંતર બંધ નથી થઈ), પરંતુ ઘણાં લોકો ગાયને રોટલા, રોટલી કે લાડુ બનાવીને જાહેર રોડ પર ખવડાવવા નીકળતા હોય છે, ત્યારે તેને ઝડપથી મેળવવા ગાયો કે અન્ય પશુઓ પાછળ દોડતા હોય છે, જેથી ગંભીર જોખમ ઊભું થાય છે.

આ પ્રકારે પુણ્ય કમાવા માટે ગાય, કૂતરા, પશુઓને જેવી રીતે ઘાસ કોઈ સ્થળે નીરી (નાખી) શકાય, તેવી જ રીતે ગાય કે પશુઓને રોટલા, રોટલી કે ભોજન કરાવવા માટે પણ કોઈ ચોક્કસ વ્યવસ્થા ઊભી ન કરી શકાય?

જામનગરમાં કેટલીક સોસાયટીઓમાં કેટલાક સેવાભાવી લોકો ગૌવંશ માટે આ પ્રકારનું રોટલી, રોટલા કે ભોજન આપવા માંગતા હોય તેની પાસે દરરોજ ઘેર-ઘેર ફરીને ડોર-ટુ-ડોર કલેક્શન કરીને લઈ જાય છે અને કોઈ અલાયદા સ્થળે રખાયેલી ગાયોને ખવડાવે છે. આ રીતે ગાયોને ખવડાવવાનું પુણ્ય પણ મળી જાય છે, અને કોઈ જોખમ પણ ઊભું થતું નથી.

આ રીતે આપણે બધા મળીને અન્ય ઢોરને કે ગાયોને માર્ગો પર રખડવું-ભટકવું જ ન પડે, તેવી જગ્યાઓ ઊભી કરીને તેવા ઉપાયો વિચારવા જોઈએ. આ સમસ્યાનું મૂળ શોધી કાઢી તેનું કાયમી નિરાકરણ થવાનું જ નથી, તેથી ચાલો, આપણે બધાં આ સમસ્યાના નિવારણની તરકીબો વિચારીએ, અને યોગ્ય જણાય તો તત્કાળ અમલમાં મૂકીએ...

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

'હમ'કી તો જૈસે તૈસે કટ જાયેગી, પર 'આપ' કા ક્યા હોગા, જનાબે આલી... આપ કા કહ્યા હોગા

દિલ્હીમાં ભાજપનો ભગવો લહેરાયો, તે પછી ભાજપ ગેલમાં છે અને કેજરીવાલ ફરીથી જેલમાં જશે,તો 'આપ' કા ક્યા હોગા'ની ચર્ચા પણ થઈ રહી છે. કોંગ્રેસ જાણે કેજરીવાલને કહી રહી હોય કે, 'અપની તો જૈસે તૈસે, થોડી ઐસે યા વૈસે, કટ જાયેગી... 'આપ' કા ક્યા હોગા, જનાબે આલી... આપકા ક્યા હોગા?'

અહીં આમ આદમી પાર્ટીની સાથે સાથે કેજરીવાલ, સિસાદિયા અને સત્યેન્દ્ર જૈનની ત્રિપૂટી માટે ફરીથી જેલયોગ સર્જાઈ રહ્યો હોવાની અટકળો વચ્ચે હવે 'કેગ'નો રિપોર્ટ આવ્યા પછી આમ આદમી પાર્ટીના બીજા કેટલા નેતાઓના તપેલા ચડી જશે, તેની કલ્પનાઓ પણ થવા લાગી છે. શિશમહેલ તથા સ્વાતી માલિવાલના પ્રકરણમાં તો ઝડપભેર 'તપાસ' અને કાર્યવાહી થશે જ, પરંતુ તે ઉપરાંત પણ ટેન્કર કૌભાંડ, કચરા કૌભાંડ, યમુના સફાઈના નામે થયેલો ખર્ચ તથા શિક્ષણ-આરોગ્ય ક્ષેત્રે પણ 'આપ'ના દસ વર્ષના શાસનમાં ગુપચુપ ઘણાં કૌભાંડો થયા હોવાના જે આક્ષેપો થઈ રહ્યા છે, તે સાચા હોય કે ખોટા હોય, તો પણ એસઆઈટી રચીને થનારી તપાસ, ઈન્વેસ્ટીગેશન, ઈન્કવાયરી અને કાનૂની કાર્યવાહીના સકંજામાં તો મોટાભાગના નેતાઓ સપડાઈ જ શકે છે, આ સંજોગોમાં જો મુખ્ય મુખ્ય નેતાઓ જેલમાં જાય કે જામીન પર રહે, તો પણ 'આમ આદમી પાર્ટી'નું ગાડું કેમ ગબડશે, તે અંગે દાવા-પ્રતિદાવાઓ થઈ રહ્યા છે.

સામાન્ય રીતે જે પાર્ટીનો પરાજય થાય, તેને અફસોસ થાય, આત્મચિંતન કરે અને બોડી, હાવભાવ અને પ્રત્યાઘાતોમાં નિરાશા, હતાશા કે આશંકાઓ દેખાવા જોઈએ, પરંતુ દિલ્હી વિધાનસભાની ચૂંટણી પછી કોંગ્રેસને ફરીથી કોઈપણ બેઠક નહીં મળી હોવા છતાં કોંગ્રેસના પ્રાદેશિક નેતાઓના હાવભાવ જોતા ત્યાં અફસોસ કે આશંકા નહીં, પરંતુ આમ આદમી પાર્ટીની દિલ્હીની સત્તામાંથી થયેલી હકાલપટ્ટીની ખુશી તથા સંતોષ ડોકાઈ રહ્યો હતો, અને તેમાંથી જ એક 'ગુપ્ત' સમજુતિની સંભાવનાઓની ચર્ચા પણ રાજકીય ગલિયારાઓમાં ગુંજવા લાગી છે, અને 'આપ'નું ઉઠમણું કરવા માટે કદાચ દેશની બે મુખ્ય રાષ્ટ્રીય કક્ષાની પાર્ટીએ હાથ મિલાવ્યા હોય તેવી શક્યતાઓને નકારી પણ શકાય તેમ નથી.

એવું કહેવાય છે કે, હવે પંજાબમાં ભગવંતસિંહ માન મહારાષ્ટ્રના એકનાથ શિંદેની જેમ બળવો કરશે અથવા તેની જ સામે અસંતુષ્ટ ધારાસભ્યો બળવો પોકારશે, તે ઉપરાંત ભાજપ કોંગ્રેસ વચ્ચે કાંઈક રચાયું હોવાની પણ ચર્ચા છે. રાજનીતિમાં કાંઈપણ અસંભવ નથી હોતું.

રાજનેતાઓ અને રાજકીય પક્ષો પ્રતિસ્પર્ધીઓ સાથે ચૂંટણીના મેદાનમાં, સંસદ-વિધાનગૃહોમાં, નિવેદનો અને રણનીતિઓમાં એકબીજા સામે પૂરી તાકાતથી લડી લેતા હોય છે, પરંતુ પરસ્પર અંગત સંબંધો મોટાભાગે સારા રાખતા હોય છે, અને રાજનીતિને બાજુ પર રાખીને એકબીજાના વ્યક્તિગત કામો પણ કરી આપતા હોય છે, કારણ કે આજે સત્તામાં હોય, તેને લોકતંત્રમાં કાલે વિપક્ષમાં પણ બેસવું પડતું હોય છે, તેથી જ એકબીજાનું વ્યક્તિગત રીતે ધ્યાન પણ રાખતા હોય છે, અને એવો અભિગમ તંદુરસ્ત લોકતંત્રની વિશેષતા પણ ગણાય ને?

એવી જ રીતે કેટલાક ચોક્કસ મુદ્દાઓ પર ઘોર વિરોધી રાજકીય પક્ષો અને નેતાઓ વચ્ચે 'ગુપ્ત' સમજુતિઓ પણ થતી જ હોય છે, અને જાહેરમાં એકબીજાની તીવ્ર આલોચના કરતા હોવા છતાં  ચોક્કસ મુદ્દા પર થયેલી સમજુતિનું પ્રામાણિક્તાપૂર્વક 'અનુસરણ' પણ થતું જ હોય છે.

એવું કહેવાય છે કે, દિલ્હીમાંથી 'આપ'નો સફાયો કરવા માટે ભાજપ અને કોંગ્રેસે દિલ્હી વિધાનસભાની ચૂંટણી પૂરતી ગુપ્ત સમજુતિ કરી હોય, તેવું બની શકે છે. હરિયાણા, પંજાબ, દિલ્હીના રાજકીય વિશ્લેષકો પણ આ પ્રકારની કોઈ ગોપનીય રણનીતિ ઘડાઈ હોવાની ચર્ચા કરી રહ્યા છે.

એક તરફ એવું કહેવાય છે કે કેજરીવાલ હવે દિલ્હી છોડીને માદરે વતન હરિયાણાની રાજનીતિ કરશે, અથવા પંજાબના મુખ્યમંત્રી ભગવંતસિંહ માન રાજકીય બલિદાન આપીને પંજાબનું મુખ્યમંત્રીપદ કેજરીવાલને આપશે, અને કોઈ સિક્યોર બેઠક પરથી ધારાસભ્ય તરીકે ૬ મહિનાની અંદર કેજરીવાલને જીતાડી દેશે.

બીજી તરફ 'આપ'ને પછાડવા ભાજપને કોંગ્રેસે દિલ્હીમાં ત્રિપાંખિયો જંગ ખેલીને વીસેક બેઠકો પર 'આપ'ને હરાવીને ભાજપનો વિજય નિશ્ચિત કર્યો. ગુપ્ત સમજુતિ મુજબ હવે પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ તમામ બેઠકો પર સક્રિયતાથી લડીને અને કોઈ અન્ય પક્ષ સાથે જોડાણ નહીં કરીને કોંગ્રેસને જીતાડી દેશે અથવા ભગવંતસિંહની વર્તમાન સરકારને જ તોડીને ત્યાં કોંગ્રેસની સરકાર માટે 'બેકડોર' મદદ કરશે! આ બધા અનુમાનો છે, પણ રાજકારણમાં કાંઈપણ થઈ શકે છે, થોભો અને રાહ જુઓ...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

દિલ્હીના મતદારોનો જનાદેશ સત્તા પ્રાપ્તિ સાથે જવાબદારી વધી મફત રેવડી ચાલુ જ રહેશે?

આજે દિલ્હી વિધાનસભાની ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે અને આજની આ મતગણતરી પર આખા દેશની નજર રહેલી છે. આ વખતે માત્ર આમ આદમી પાર્ટી કે કેજરીવાલની જ નહીં, પરંતુ મતદાન પછી બહાર પડેલા એક્ઝિટ પોલ્સની પણ કસોટી જ હતી ને?

એક ડઝનથી વધુ એક્ઝિટ પોલ્સમાંથી મોટાભાગના એક્ઝિટ પોલ્સમાં આમ આદમી પાર્ટીની હાર અને ભાજપની બહુમતિ દર્શાવાઈ રહી હતી અને તેના પર ગઈકાલે આખો દિવસ ચર્ચા પણ થતી રહી હતી. તે ઉપરાંત ગઈકાલે 'ઓપરેશન લોટ્સ' હેઠળ આમ આદમી પાર્ટીના ઉમેદવારોને ભાજપમાં સામેલ થવા માટે ૧પ કરોડની ઓફર થઈ રહી હોવાના આક્ષેપો પછી એસીબીની તપાસ તથા આક્ષેપો-પ્રતિઆક્ષેપોનું નાટક પણ ગઈકાલે આખો દિવસ ચાલ્યું હતું, હજે આજે જે કાંઈ પરિણામો સામે આવી રહ્યા છે, તે આપણી સામે જ છે. આ વખતે એક્ઝીટ પોલ્સ સાચા પડી રહેલા જણાય છે.

આજે સવારે પ્રારંભમાં આમ આદમી પાર્ટી આગળ હતી, પરંતુ જેમ જેમ મતગણતરી આગળ વધતી ગઈ તેમ તેમ ભાજપની સરસાઈ વધવા લાગી હતી, પરંતુ સાંકડી બહુમતીથી ઘણા ઉમેદવારો આગળ હોવાથી વારંવાર સ્થિતિ બદલતી રહી હતી. તે પછી આમ આદમી પાર્ટીના દિગ્ગજો પહેલા પાછળ જણાતા હતાં અને તે પછી સાંકડી લીડ સાથે આગળ-પાછળ થતા રહ્યા હતાં. આ વખતે દિલ્હીની જનતાએ જાણે કે પહેલેથી મન બનાવી લીધું હોય, તેમ જણાય છે. બપોર સુધી રોમાંચક રીતે સ્થિતિ બદલતી રહી હતી અને કેટલીક બેઠકો પર ઘણી જ રસાકસી પણ જોવા મળી રહી હતી. જ્યારે કેજરીવાલ અને સિસોદીયા પોતે જ હારી ગયા હોવાના અહેવાલો પછી અન્ના હજારેના પ્રત્યાઘાતો પણ ચર્ચાઈ રહ્યા છે.

દિલ્હીમાં કોંગ્રેસને ભલે બેઠકો મળી નહીં હોય, પરંતુ ભાજપને કોંગ્રેસની સક્રિયતાએ જ સીધો ફાયદો થયો છે, તે સ્પષ્ટ થઈ ગયું છે. ભાજપની વિરૂદ્ધના મતો કોંગ્રેસ અન આમ આદમી પાર્ટી વચ્ચે વહેંચાયા હોવાથી ભાજપને ફાયદો થયો હોવાથી આમ આદમી પાર્ટીને એકલા હાથે લડવું નુક્સાનકારક નિવડ્યું હોવાનું પૂરવાર થાય છે.

આ કારણે જ નેશનલ કોન્ફરન્સના નેતા અને જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કટાક્ષ કર્યો છે કે 'હજુ અંદરોઅંદર લડતા રહો!'

આ પહેલા ઓમર અબ્દુલ્લાએ જ્યારે ઈન્ડિયા ગઠબંધન તોડીને કેજરીવાલે એકલા હાથે ચૂંટણી લડવાનું અને કોંગ્રેસે પણ ત્રિપાંખિયો જંગ ખેલવાનું સ્વીકારી લીધું, ત્યારે કહ્યું હતું કે કોંગ્રેસ અને આપ બન્ને મેદાનમાં ઉતરશે તો તેનો ફાયદો ભાજપને થશે.

બપોર સુધીમાં તો ભારતીય જનતા પાર્ટીને મજબૂત સરસાઈ જણાતી હોવાથી દિલ્હીના નવા મુખ્યમંત્રી કોણ હશે? કૌન બનેગા મુખ્યમંત્રી? શું ચૂંટાયેલા ધારાસભ્યોમાંથી જ મુખ્યમંત્રી મૂકાશે કે 'ઉપર'થી કોઈ મજબૂત નેતાને મુખ્યમંત્રીની જવાબદારી સુપ્રત કરાશે, તેવી ચર્ચા પણ થવા લાગી હતી.

દિલ્હીમાં નવી સરકાર માટે પણ પડકારો ઓછા નથી. જો મફત વીજળી-પાણી વગેરે મફત રેવડીઓ ચાલુ રાખવામાં આવશે તો ભાજપ સામે સવાલો ઊભા થશે, કારણ કે રાષ્ટ્રીય કક્ષાએ ભાજપ મફત રેવડીઓની પદ્ધતિનું વિરોધી રહ્યું છે, જો કે મફત રેવડીઓ બંધ નહીં થાય, તેવી ચોખવટ ચૂંટણી પ્રચાર દરમિયાન કરાઈ હોવાથી હાલ તુરત નવી કોઈપણ સરકાર આવે, તે અત્યારની મફત રેવડી તો બંધ નહીં જ કરે, પરંતુ આ કારણે દિલ્હીની સરકારી તિજોરી પરનું ભારણ સરભર કરવા જો કેન્દ્ર મદદ કરશે, તો 'રેવડીવિરોધી' પોલિસીમાં યૂ-ટર્ન લેવો પડશે, જે ભાજપ માટે બૂમરેંગ પૂરવાર થશે, તેમ નથી લાગતું?

દિલ્હીમાં સત્તાપ્રાપ્તિ પછી સરકારની જવાબદારી વધી જશે, કારણ કે એમસીડીમાં 'આપ'ની સત્તા હોવાથી પહેલાની જેમ જ કેન્દ્ર-રાજ્ય અને એમસીડી વચ્ચેની ખેંચતાણ વધશે, તો બીજી તરફ કેજરીવાલ સામેના ચાલી રહેલા કેસોની સીધી અસર પણ દિલ્હીની રાજનીતિ પર થવાની છે. કેજરીવાલે પોતે ઈમાનદાર છે કે નહીં, તેનું સર્ટીફિકેટ દિલ્હીની જનતા પાસે માંગ્યું હતું, તે વ્યક્તિગત હતું કે પાર્ટી માટે હતું, તે પ્રકારના કટાક્ષો પણ સંભળાવા લાગ્યા છે. તે ઉપરાંત હવે કેજરીવાલ રાજનીતિ છોડી દેશે? તેવો સવાલ પણ ઉઠી રહ્યો છે.

એવા તારણો પણ નીકળી રહ્યા છે કે જો ભાજપ દ્વારા દિલ્હીની વર્તમાન સમસ્યાઓ હલ નહીં થાય અને કેજરીવાલ એન્ડ કાું. સામેના કેસોમાં સકંજો કસાશે, તો હવે દિલ્હીની પબ્લિક પાસે આગામી વિકલ્પ કોંગ્રેસનો જ રહેશે!!

એવી કહેવત છે કે બધા લોકોને કાયમ માટે મૂર્ખ બનાવી શકાતા નથી. આ કહેવતો તથા આજના પરિણામો તમામ રાજકીય પક્ષો તથા પ્રખર વક્તાઓ અને કેજરીવાલ જેવા ચાલાક નેતાઓ માટે બોધપાઠરૂપ તો છે જ ને?

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

હાલાર સહિત મહત્તમ ગુજરાતમાં ભૂગર્ભ જળ બન્યું ભયાનક...હવે શું?

આખી દુનિયામાં વાતાવરણ બદલાઈ રહ્યું છે. હવે રણ પ્રદેશોમાં પૂર આવે તેવા વરસાદ થાય છે, તો જ્યાં હંમેશાં અતિવૃષ્ટિ થતી હતી, ત્યાં દુષ્કાળ પડવા લાગ્યા છે, ઋતુચક્ર બદલાઈ રહ્યું હોય તેમ જ્યારે કડકડતી ઠંડી પડી રહી હોય, ત્યારે કમોસમી વરસાદ થાય તથા બપોરે ગરમી અનુભવાય ત્યારે એક જ દિવસમાં ત્રણેય ઋતુની અનુભૂતિ થતી હોય છે. ગ્લોબલ વોર્મીંગ અને ક્લાઈમેટ ચેઈન્જ જેવી સમસ્યાઓ હવે વૈશ્વિક ચિંતાનો વિષય બની છે, ત્યારે હવે ભૂગર્ભજળ પણ બગડી રહ્યું હોવાના અહેવાલોએ પ્રશ્નસર્જક ચિંતાઓ વધારી દીધી છે. આપણે ઋતુચક્રમાં જીવતા હોવાથી ચોમાસામાં જ વરસાદ થાય, તેના આધારે જ બાકીનું આખું વર્ષ જીવવું પડતું હોવાથી આપણાં જનજીવન અને જીવસૃષ્ટિનો બધો જ આધાર ભૂગર્ભ જળ તથા જમીનની સપાટી પર કરાતા જળસંગ્રહ પર રહેતો હોય છે. હવે ભૂગર્ભ જળ જ ભયાનક રીતે પ્રદૂષિત થવા લાગે ત્યારે સ્વાભાવિક રીતે જ તેની પ્રથમ સીધી અસરો માનવજીવન પર થાય છે, અને તેના પ્રત્યે દુનિયાની મોટાભાગની સરકારો દુર્લક્ષ્ય સેવી રહી હોવાથી આ મુદ્દો પણ હવે ગ્લોબલ વોર્મીંગ અને ક્લાઈમેટ ચેઈન્જ જેવો ખતરનાક બનવા જઈ રહ્યો છે.

આપણાં શાસ્ત્રોમાં બ્રહ્માંડ, આકાશલોક, પાતાળલોક, ગૌલોક, વૈકુંઠ વગેરે શબ્દો ઘણાં જ પ્રચલિત છે, અને આ જ ભાવાર્થ ધરાવતા કેટલાક શબ્દો ખગોળશાસ્ત્ર, સાયન્સ અને ભૂગોળમાં પણ વપરાય છે. એકંદરે આપણે પ્રાચીનકાળથી જ ભૂલોક એટલે પૃથ્વી, પાતાળલોક એટલે ભૂગર્ભ અને ડીપ સી (ઊંડો સમુદ્ર) તથા વિવિધ લોક એટલે બ્રહ્માંડ અથવા સ્પેસને લઈને માહિતગાર અને સતર્ક હતાં, પરંતુ ૧૮ મી સદી પછી વિકાસની દોટ તથા ભૌતિક સુખ-સુવિધાઓની સ્પર્ધાના કારણે આપણે (સમગ્ર દુનિયાના લોકો) આકાશ, પાતાળ અને પૃથ્વીને પ્રદૂષિત કરવાા લાગ્યા, અને તેના દુષ્પરિણામો પણ હવે સામે આવી રહ્યા છે, તેમ નાથી લાગતું?

વિશ્વમાં કેટલાક દેશોમાં વસતિ વધારો એક સમસ્યા છે, જ્યારે કેટલાક દેશોમાં ઘટી રહેલી વસતિની સમસ્યા છે. ભારત અને ચીન જેવા દેશોમાં વસતિ વિસ્ફોટમાં વિકાસના ફળો પાંગરતા નથી, જ્યારે રશિયા જેવા દેશોમાં ઓછી વસતિ હોવા છતાં વિશ્વસત્તા બનવાની ઘેલછામાં વિકાસના ફળો સડી જાય છે. આ વિષમતાની સાથે સાથે હવે ભૂગર્ભજળની બરબાદી, ભગર્ભજળમાં ઘટાડો તથ હવે ભૂગર્ભજળમાં ફેલાઈ રહેલા ભયંકર પ્રદૂષણની સમસ્યાએ એક એવી ચિંતાજનક સંભાવના ઉભી કરી દીધી છે, જેની સામે જો વિશ્વસમુદાય સહિયારી અને સમયોચિત જાગૃતિ નહીં દર્શાવે, તો તેના ગંભીર અને માઠા પરિણામો આપણે અથવા આપણી આગામી પેઢીને જ ભોગાવવા પડે તેમ છે.

આખી દુનિયાની 'પંચાત' કરતા પહેલા આપણે આપણા 'ઘરઆંગણે' ઊભી થઈ રહેલી પરિસ્થિતિ સામે જાગૃત થવું પડે તેમ છે. ભારત સરકારના જ એક અહેવાલમાં દર્શાવેલી ખતરનાક સંભાવનાઓ સામે આપણે તરત જ જાગવું પડે તેમ છે.

ભારત સરકારના જળશક્તિ મંત્રાલયે જાહેર કરેલા ભૂગર્ભજળને લગતા એક રિપોર્ટમાં ગુજરાતના ર૩ જિલ્લાઓમાં ભૂગર્ભજળમાં નાઈટ્રેટ કન્ટેઈન્મેન્ટનું પ્રમાણ વધારે હોવાથી આ પાણી પીવાથી હાઈ બી.પી., ગેસ્ટિક કેન્સર, ફેંફસાની બીમારીઓ તથા હૃદયરોગ થવાની ભયાનક સંભાવનાઓ હોવાનું, જાહેર થયું છે, જેમાં મહત્તમ ગુજરાતના વિસ્તારો તથા વસતિને માઠી અસર પડે તેવી શક્યતાઓ પણ દર્શાવાઈ છે.

રિપોર્ટ મુજબ ગુજરાતમાં નાઈટ્રેટ, નાઈટ્રેટ એનઓ-૩નું લિટરદીઠ ૪પ મિલિગ્રામથી વધુ પ્રમાણે ધરાવતા જિલ્લાઓ વધી રહ્યા છે, અને હાલમાં આ પ્રકારના જોખમી ર૩ જિલ્લાઓ છે. આ ર૩ જિલ્લાઓમાં હાલારના બન્ને જિલ્લા એટલે કે જામનગર અને દ્વારકા જિલ્લ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છના મોટાભાગના જિલ્લાઓનો સમાવેશ થઈ જતો હોવાથી રાજ્ય સરકાર ઉપરાંત તમામ જિલ્લાતંત્રો, જનપ્રતિનિધિઓ તથા કૃષિ-ઉદ્યોગ ક્ષેત્રો તથા ખાસ કરીને હેલ્થ સેક્ટરની જાગૃતિ જરૂરી છે. રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ પ્રજાનું પ્રતિનિધિત્વ કરતા ચૂંટાયેલા નેતાઓએ પણ આ મુદ્દે સજાગ રહીને સક્રિય થવાની જરૂર છે, તેમ નથી લાગતું?

જો કે, ગુજરાત સરકાર ભૂગર્ભજળની ગુણવત્તા સુધરે તે માટે કેટલીક યોજનાઓ ચલાવી રહી હોવાનો દાવો પણ થાય છે અને તે કરોડો રૂપિયા પણ ખર્ચાય છે, તેમ છતાં પ્રતિલીટર ૪પ મિલિગ્રામથી વધુ એનઓ૩ ધરાવતા જિલ્લાઓ વધી રહ્યા છે, તેથી ક્યાં કચાશ છે, તે શોધીને આ મુદ્દે વધુ ગંભીરતા દાખવીને પ્રો-એક્ટિવ કદમ ઊઠાવવા જ પડે, ખરૃં કે નહીં?

રાજ્યમાં જળસંગ્રહ અભિયાન, જળસંચય અભિયાનો હેઠળ પૃથ્વીની સપાટીની ઉપર તથા ભૂગર્ભમાં જળબચતની ઘણી યોજનાઓ તો હાલના વડાપ્રધાન જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતાં, ત્યારથી શરૂ થયેલી છે, અને ભૂગર્ભ જળ રિચાર્જ માટે તો દાયકાઓથ્ર્ી અભિયાનો ચાલી રહ્યા છે, તેમ છતાં ભૂગર્ભજળ વેડફાઈ રહ્યું હોય, બગડી રહ્યું હોય, અને બરબાદ થઈને જ્યારે જીવસૃષ્ટિ પર જોખમ તથા જાહેર આરોગ્ય માટે ખતરો બની રહ્યું હોય, ત્યારે માત્ર સરકાર જ નહીં, વિપક્ષો તથા તદ્વિષયક એનજીઓના સંચાલકોએ પણ જાગૃત થવાની જરૂર છે, ખરૃં ને?

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

એક્ઝિટ પોલ્સ એટલે માત્ર અંદાજ ચાર દિન કી ચાંદની, ફીર અંધેરી રાત? કઈ પાર્ટીને આત્મમંથન કરવું પડશે? જસ્ટ વેઈટ એન્ડ વોચ...

દિલ્હીની વિધાનસભાની ચૂંટણી માટે મતદાન ગઈકાલે સંપન્ન થયું અને તે પછી બહાર આવેલા એક્ઝિટ પોલ્સની ચર્ચા જ આજની હેડલાઈન્સમાં છે અને દિલ્હી વિધાનસભાની ચૂંટણીઓમાં વર્ષ ર૦૧૩ પછી વર્ષ ર૦૧પ, ર૦ર૦ અને લોકસભાની વર્ષ ર૦૧૯ તા. વર્ષ ર૦ર૪ ની ચૂંટણીઓના એક્ઝિટ પોલ્સ તથા વાસ્તવિક પરિણામોની સરખામણી કરીને આ વખતે એક્ઝિટ પોલ્સ કેટલા સાચા પડશે અને કેટલા ખોટા પડશે, તેના અનુમાનો પણ થઈ રહ્યા છે.

રાજકીય પક્ષો તો પોતપોતાની અનુકૂળતા પ્રમાણે આ એક્ઝિટ પોલ્સના અર્થઘટનો કરતા હોય છે, પરંતુ આ વખતે મોટા મોટા રાજકીય પંડિતો પણ માથુ ખંજવાળી રહ્યા હશે, કારણ કે દિલ્હીની જનતા હંમેશાં વિધાનસભા તથા લોકસભા માટે વિરોધાભાસી જનાદેશ આપતી રહી છે.

હકીકતે વર્ષ ર૦૧૪ માં કેન્દ્રમાં ભાજપને જનાદેશ મળ્યો, તે પહેલા વર્ષ ર૦૧૩ માં અન્ના આંદોલન થયું હતું અને તે સમયની યુપીએ સરકારના કેટલાક મંત્રીઓ સામે ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા હતાં. તે પછી વર્ષ ર૦૧૩ માં દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં તત્કાલિન મુખ્યમંત્રી શીલા દિક્ષીત સામે ગંભીર આક્ષેપો લગાવીને અને આમ આદમી પાર્ટીની રચના કરીને કેજરીવાલે દિલ્હી વિધાનસભાની ચૂંટણી લડી હતી, જેમાં કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાયો હતો, અને કોઈપણ પક્ષને બહુમતી નહીં મળતા ભાજપને દિલ્હીમાં સત્તાથી દૂર રાખવા કોંગ્રેસે આમ આદમી પાર્ટીને ટેકો આપ્યો હતો અને કેજરીવાલ મુખ્યમંત્રી બન્યા હતાં, જો કે તે સરકાર અલ્પજીવી નિવડી હતી અને કેજરીવાલે રાજીનામું આપી દેતા દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન આવ્યું હતું. બીજી તરફ વર્ષ ર૦૧૪ માં કેન્દ્રમાં ભાજપના નેતૃત્વમાં એનડીએની સરકાર રચાઈ હતી, અને નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા હતાં. તે પછી વર્ષ ર૦૧પ માં દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ૭૦ માંથી ૬૮ બેઠકો જીતીને બમ્પર વિજય સાથે દિલ્હીમાં સરકાર રચી હતી, અને અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી બન્યા હતાં.

તે પછી યમુનામાં ઘણાં પાણી વહી ગયા છે. વર્ષ ર૦૧પ પછી વર્ષ ર૦૧૯ ની લોકસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને લોકસભાની દિલ્હીની એક પણ બેઠક મળી નહીં, પરંતુ વર્ષ ર૦ર૦ માં દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને ફરીથી બમ્પર જનાદેશ મળ્યો અને ૭૦ માંથી ૬ર બેઠકો મેળવીને કેજરીવાલ ફરીથી મુખ્યમંત્રી બન્યા હતાં. આ તમામ હિસ્ટ્રી એ પૂરવાર કરે છે કે દિલ્હીની જનતાએ કેન્દ્ર માટે ભાજપ (મોદી) અને દિલ્હી રાજ્ય માટે આમ આદમી પાર્ટી (કેજરીવાલ) ને છેલ્લા એક દાયકાથી પસંદ કર્યા છે, અને દિલ્હીના મતદારો લોકસભા અને વિધાનસભા માટે અલગ અલગ જનાદેશ આપે છે. આમ આદમી પાર્ટીને વિશ્વાસ છે કે આ વખતે પણ દિલ્હીના મતદારો જબ્બર જનાદેશ આપશે. બીજીતરફ ભાજપ પણ આ વખતે બહુમતીનો દાવો કરી રહ્યું છે.

કેન્દ્રમાં ભાજપને હરાવવા વર્ષ ર૦ર૪ ની લોકસભાની ચૂંટણીમાં ઈન્ડિયા ગઠબંધન બન્યું, પરંતુ તે પછી અત્યારની દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સામે ભાજપ ઉપરાંત કોંગ્રેસ પણ લડી રહી છે. તેથી ત્રિપાંખિયો જંગ છે. તે ઉપરાંત છેલ્લા પાંચ વર્ષમાં કેજરીવાલે ઘણાં રંગ બદલ્યા, શરાબ કૌભાંડના માત્ર આક્ષેપો નહીં, કાનૂની કાર્યવાહી થઈ અને વર્ષ ર૦૧૩ થી વર્ષ ર૦રપ વચ્ચે ઘણાં દિગ્ગજો 'આપ' પાર્ટીને છોડી ચૂક્યા છે, અને ભ્રષ્ટાચાર ઉપરાંત મહિલાઓ વિરોધી નીતિરીતિના અક્ષેપો તથા સ્વાતિ માલીવાન પ્રકરણ સુધીના ઘટનાક્રમોના કારણે પણ આમ આદમી પાર્ટીને પહેલા જેવો બમ્પર જનાદેશ નહીં મળે, તેવું તો બધા સ્વીકારે છે, પરંતુ તેની સરકાર જ નહીં બને, તેવા અભિપ્રાયો સર્વસ્વીકૃત નથી. ઘણાં લોકો માને છે કે દિલ્હીમાં કેજરીવાલ સરકારની લોકપ્રિયતા હજુ એટલી નામશેષ થઈ ગઈ નથી કે તેને સત્તા ગુમાવી પડે. ઘણાં લોકો ભાજપની સરકાર રચાશે, તેવું માને છે, તો એક વર્ગ એવો પણ છે કે જે માને છે કે ચોંકાવનારા પરિણામો આવશે, અને બે બિલાડીની લડાઈમાં વાંદરો ફાવી જાય, તે કહેવત જેવું કાંઈક પરિણામ આવશે.

આ તમામ ઘટનાક્રમો વચ્ચે ગઈકાલે દસ-બાર એક્ઝિટ પોલ્સ આવ્યા તેમાં પણ મતમતાંતરો છે, અને અડધોઅડધ એક્ઝિટ પોલ્સ 'આપ'ને પુનઃ સત્તા મળશે, પરંતુ વર્ષ ર૦૧પ અને વર્ષ ર૦ર૦ જેટલી બેઠકો નહીં મળે, તેવા તારણો આપે છે, જ્યારે એટલા જ બીજા એક્ઝિટ પોલ્સ આ વખતે ભાજપને જનાદેશ મળશે, તેવા અનુમાનો આપે છે.

આ એક્ઝિટ પોલ્સને સાંકળીને આ પહેલા દિલ્હીની વિધાનસભાની ચૂંટણીઓમાં થયેલા એક્ઝિટ પોલ્સ કેટલા સાચા પડ્યા હતાં અને કેટલા ખોટા પડ્યા હતાં, તેની સરખામણી પણ થઈ રહી છે, અને દિલ્હી વિધાનસભાની ચૂંટણીઓને લઈને થતા અનુમાનો આ પહેલા પણ સચોટ ઠર્યા નહોતા, તેથી સાચી ખબર તો આઠમી ફેબ્રુઆરીના જ પડશે, જો કે મોટાભાગના એક્ઝિટ પોલ્સ ભાજપ અને આમ આદમી પાર્ટીનેે મળનારી બેઠકો વચ્ચેનો સાંકડો તફાવત દેખાડે છે અને ભાજપ તરફ ઝોકદર્શાવે છે, તેથી ચોક્કસ કાંઈ કહી શકાય નહીં.

આ એક્ઝિટ પોલ્સમાં કોંગ્રેસનું વિજયનું સપનું સાકાર થવું, તો દૂર રહ્યું, પરંતુ માત્ર એકાદ-બે બેઠકો મળતી દર્શાવે છે, જેથી આ એક્ઝિટ પોલ્સ મુજબનું પરિણામ આવે, તો કોંગ્રેસે વર્ષ ર૦૧૩ માં 'આપ'ને ટેકો આપ્યો, અને તે પછી વર્ષ ર૦ર૪ માં અન્ય પક્ષો માટે પોતાની બેઠકો ઘટાડીને સેક્રીફાઈસ કર્યું તેને ભૂલી ગણીને આત્મમંથન કરવું પડે તેમ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

દ્વારકાથી દિલ્હી સુધી ચૂંટણીનો માહોલ, કૌન જીતેગા?... કૌન હારેગા?

આજે દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો નથી અને વસતિ-વિસ્તારની દૃષ્ટિએ નાનકડુ સ્ટેટ છે, પરંતુ દેશની રાજધાની હોવાથી વિધાનસભાની ચૂંટણીનું મહત્ત્વ વધી જાય છે. તે ઉપરાંત છેલ્લી બે ટર્મથી 'વટ'થી અને જંગી બહુમતીથી જીતી રહેલી આમ આદમી પાર્ટી વિશ્વની સૌથી મોટી ગણાવાતી ભારતીય જનતા પાર્ટીને હંફાવી રહી છે, તે કારણે દિલ્હી વિધાનસભાની ચૂંટણી અન્ય રાજ્યોની સરખામણીમાં કાંઈક અલગ જ પ્રકારની રાજનીતિ અને રસાકસી ઊભી કરતી હોય છે. તેમાં પણ આ વખતે કોંગ્રેસે સક્રિયતાથી ચૂંટણીમાં ઝંપલાવતા આ ચૂંટણી વધુ રસપ્રદ અને રસાકસી ઉપરાંત ચોંકાવનારા પરિણામો લાવનારી પણ બની શકે છે.

ચૂંટણી માટે મતદાનના દિવસ પહેલા જ ભાજપને જબ્બર ઝટકો લાગ્યો અને દિલ્હીમાં દાયકાઓથી ભાજપ માટે દિવસ-રાત એક કરીને કામ કર્યું હોવાના દાવા સાથે ભાજપના દિગ્ગજ ગણાતા એક નેતાએ રાજીનામું આપી દીધું અને આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા. દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાની ઉસ્થિતિમાં તેમણે જે કાંઈ કહ્યું છે, તેનો સારાંશ એવો નીકળે છે કે ભારતીય જનતા પક્ષે એક એવા ઉમેદવારને દિલ્હીની વિધાનસભામાં ટિકિટ આપી છે, જે કાર્યકરની ક્ષમતા પણ ધરાવતો નથી. ટૂંકમાં ભાજપમાં નિષ્ઠાપૂર્વક વફાદારીપૂર્વક વર્ષોથી કામ કરનારાઓની કદર થતી નથી, અને અન્યાય થાય છે, તેવા મતલબની આ નારાજગી કદાચ ભાજપમાં ટોપ ટુ બોટમ સુધી પ્રગટી રહી છે અને તેની અવગણના થઈ રહી છે, તેવા તારણો પણ નીકળી રહ્યા છે. દિલ્હીના એ નેતા જેવી જ વાતો છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં પણ થઈ રહી છે, અને તેની અસરો રાજ્યની વર્તમાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પર થઈ શકે છે. ગુજરાતમાં પણ ભાજપના જુના અને નિષ્ઠાવાન-વફાદાર કાર્યકર્તાઓની અવગણના થઈ રહી હોવાની રાવ ઊઠી રહી છે અને કેટલાક જિલ્લાઓમાં તો આ આંતરિક અસંતોષ એટલી હદે સપાટી પર આવી ગયો છે કે ખુલ્લેઆમ આક્ષેપો-પ્રતિઆક્ષેપો થઈ રહ્યા છે, અને પત્રિકાયુદ્ધ તથા સોશ્યલ મીડિયાના માધ્યમથી એકબીજા પર કાદવ ઉછાળવામાં આવી રહ્યો છે. આગામી સમયમાં આ છૂટોછવાયો અસંતોષ, નારાજગી અને અગણના વિદ્રોહમાં ફેરવાઈ જાય તે પહેલા ડેમેજે કંટ્રોલ કરવાની દિશામાં હવે દિલ્હીની ચૂંટણી સંપન્ન થયા પછી હવે હાઈકમાન્ડ ધ્યાન આપશે, તેવો આશાવાદ પણ સેવાઈ રહ્યો હોય તેમ જણાય છે.

આજે દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે અને તે દરમિયાન જે કાંઈ બની રહ્યું છે, તે આપણી નજર સામે જ છે. આક્ષેપો-પ્રતિઆક્ષેપો, ફરિયાદો તથા કાવાદાવા વચ્ચે છેલ્લી ઘડીના દાવપેચ અજમાવાઈ રહ્યા હોય તેમ નાથી લાગતું?

દિલ્હીમાં ભાજપની જેમ આંતરિંક સંતોષ આમ આદમી પાર્ટીમાં પણ છે, પરંતુ તે સપાટી પર અવી રહ્યો નથી. આ બન્ને પક્ષોની સરખામણીમાં આ વખતે કોંગ્રેસ એકજુથ થઈને લડી રહી હોય, તેમ જણાય છે, જો કે કોંગ્રેસને ગુમાવવા જેવું કાંઈ નથી, પરંતુ ભાજપ-આમ આદમી પાર્ટીથી વિમુખ થયેલા મતદારોનું સમર્થન મળી જાય તો દિલ્હીમાં કોંગ્રેસ માટે આ વખતે રિવાઈવલ (પુનઃ મજબૂત) થવાની ઉજળી તકો છે, તેમ નથી લાગતું?

ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ મુખ્ય મુકાબલો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે. કેટલાક સ્થળે અન્ય પક્ષોના ઉમેદવારો ઉપરાંત કેટલાક મજબૂત અપક્ષ ઉમેદવારો પણ મેદાનમાં છે, ત્યારે ૧૬ મી ફેબ્રુઆરી સુધીમાં થનારા પ્રચાર પર સૌની નજર મંડાયેલી છે.

જામનગર જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું ચિત્ર પણ સ્પષ્ટ થઈ ગયું છે, અને આ નગરપાલિકાાઓમાં કેટલીક બેઠકો બિનહરિફ પણ થઈ છે. જિલ્લાની જામજોધપુર, ધ્રોળ અને કાલાવડ નગરપાલિકાની ચૂંટણીઓમાં ફોર્મ ચકાસણી અને ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની મુદ્ત પૂરી થયા પછી કુલ ર૩ર ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત બહુજનસમાજની પાર્ટી અને આમ આદમી પાર્ટી તથા કેટલાક સ્થળે અપક્ષ ઉમેદવારો પણ ફાઈટ આપી રહ્યા હોવાથી ત્રણેય નગરપાલિકાઓની ચૂંટણી રસપ્રદ બનવાનીછે. બીજી તરફ દ્વારકા-ભાણવડ-સલાયા નગરપાલિકાઓની ચૂંટણીઓનું ચિત્ર સ્પષ્ટ થયા પછી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ ચૂંટણી પ્રચાર ધમધમવા લાગ્યો છે. ત્રણ નગરપાલિકાઓ પૈકી સલાયામાં સૌથી વધુ ઉમેદવારો મેદાનમાં હોવાની પણ ચર્ચા છે.

હાલારમાં ત્રણ નગરપાલિકાઓ ઉપરાંત તાલુકા-જિલ્લા પંચાયતની ચૂંટણી-પેટાચૂંટણીઓમાં ઉતાર-ચઢાવ થતા રહ્યા છે. રાજ્યમાં ત્રણ દાયકાથી સત્તારૂઢ ભારતીય જનતા પક્ષનું પ્રભૂત્વ હોવા છતાં પાટીદાર આંદોલન પછી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપનું ધોવાણ થયું અને ભારે પછડાટ લાગી હતી, પરંતુ તે પછી ભાજપે જોરદાર કમબેક કર્યું અને ફરીથી મોટાભાગની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભગવો લહેરાયો હતો. જોઈએ, આ વખતે મતદારોનો જનાદેશ કોને મળે છે તે...

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ભય, ભૂખ, ભ્રષ્ટાચાર નાબૂદી અને 'ઈમાનદારી'નું સૂત્ર ભૂલાયું? જાયે તો જાયે કર્હાં...?

ભય, ભૂખ અને ભ્રષ્ટાચારની નાબૂદીના સૂત્ર સાથે ત્રણ દાયકા પહેલા ગુજરાતમાં સત્તારૃઢ થયેલી ભારતીય જનતા પાર્ટીમાં એક તરફ આંતરિક અસંતોષનો ચરૃ ઉકળી રહ્યો છે, તો બીજી તરફ પ્રાદેશિક અને રાષ્ટ્રીય કક્ષાએ પણ પક્ષની કાર્ય પદ્ધતિ, શિસ્ત અને ચૂંટણીમાં ટિકિટોની ફાળવણીને લઈને અંદરથી જ સવાલો ઉઠવા લાગ્યા છે... અમરેલીમાં આંતરિક ખેંચતાણ એટલી વધી ગઈ છે કે રાષ્ટ્રીય કક્ષાના એક દિગ્ગજ નેતાએ તો પોતાના સહિત કેટલાક નેતાઓના નાર્કો ટેસ્ટ કરવાની વાત કરી છે, તો ડો. ભરત કાનાબારે તો જાહેરમાં એવી વાત વહેતી મૂકી છે કે ભાજપમાં માત્ર જીતી શકે તેવા અને જ્ઞાતિના સમિકરણોને ધ્યાને લઈને પસંદ કરાયેલા દાવેદારોને જ ચૂંટણીઓમાં ટિકિટ ફાળવાય છે, અને સિનિયોરિટી, નિષ્ઠા કે વફાદારીનો કોઈ ભાવ જ પૂછાતો નથી વગેરે...વગેરે...

એક તરફ ડો. ભરત કાનાબારે સોશ્યલ મીડિયાના માધ્યમથી વહેતી ચૂકેલી આ વાતોની ચર્ચા થઈ રહી છે, તો બીજી તરફ તાજેતરમાં જ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે 'ભાજપમાં દલાલો વધી ગયા છે' તેવું જે નિવેદન આપ્યું છે, તે પણ ચર્ચાના કેન્દ્રમાં છે.

બીજી તરફ દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીઓમાં મતદારોમાં ભય ફેલાવીને તથા મતદારયાદીમાં ગરબડ તથા નાણાના જોરે ચૂંટણી જીતવાનો પ્રયાસ કરી રહ્યું હોવાના અરવિંદ કેજરીવાલે પણ આક્ષેપો લગાવ્યા છે. આમ, ભય ફેલાવીને સત્તાની ભૂખ સંતોષવાના પ્રયાસો થઈ રહ્યા હોવાના કટાક્ષ સાથે ભાજપને ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર નાબૂદીનું સૂત્ર યાદ કરાવાઈ રહ્યું છે.

જો કે, ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર સામે લડવાના બદલે ભાજપ અને આમ આદમી પાર્ટી બન્ને ચૂંટણી જીતવા અવનવી તરકીબો અજમાવી રહ્યા છે તેવા આક્ષેપો કોંગ્રેસે દિલ્હીમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કરતા ત્યાં ત્રિપાંખિયો જંગ વધુ રોમાંચક અને રસાકસીભર્યો બન્યો છે.

ગાંધીનગર એસીબીએ તાજેતરમાં જમિયતપુરા નજીક આવેલા ડ્રાય પાર્ટના ઈનલેન્ડ કન્ટેનર ડિપોમાં કામ કરતા ત્રણ કસ્ટમ કર્મીઓની ધરપકડ કરી તેની પૂછપરછ દરમિયાન ભયંકર ભ્રષ્ટાચારની ચોંકાવનારી વિગતો બહાર આવી અને ભ્રષ્ટાચારની નિયત કરેલી રકમનું પ્રાઈસ લિસ્ટ અને તેના ઉઘરાણા માટે ભ્રષ્ટ અધિકારી-કર્મચારીઓએ સમાંતર તંત્ર ઊભું કર્યું છે. એટલું જ નહીં કન્ટેનર દીઠ નક્કી કરેલી રકમ ઉઘરાવવા (અંગત રીતે) માણસો પણ રોક્યા છે. કન્ટેનર કલીયરન્સ માટે નક્કી થયેલા ભાવો મુજબ ઉઘરાણી કરતી આ સમાંતર 'સિસ્ટમ' રોકડાનું સોનાના સ્વરૃપમાં (ગોલ્ડ પેમેન્ટ!!) સ્વીકારતી (ઉઘરાવતી) હોવાના તથા જે વેપારી લાંચ-રૃશ્વતની રકમ ન ચૂકવે તેના કન્ટેનરના ક્લીયરન્સને અટકાવી દેવાના ચોંકાવનારા ખુલાસા પણ થયા છે. આથી સ્વાભાવિક રીતે જ સામાન્ય લોકોને એવું લાગે છે કે ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર હટાવવાનું સૂત્ર હવે વિસરાઈ ગયું છે અને આ 'સડો' જ પાર્ટીમાં આંતરિક અસંતોષ કરાવી રહ્યો હોઈ શકે છે.

આમ તો, આ રીતે ભ્રષ્ટાચારના ભાવબાંધણા થતા હોય અને ઉઘરાણા થતા હોય, તે કોઈ નવી વાત નથી. કેટલાક અધિકારી-કર્મચારીઓ તો પોતે નિવૃત્ત થઈ ગયા પછી પણ પોતે નિવૃત્તિ પહેલા જ્યાં ફરજ પર હતાં, ત્યાંના 'ભાવબાંધણા' મુજબ હપ્તા કે ભ્રષ્ટાચારના 'બાકી' રહી ગયેલા નાણા વસૂલવા ઉઘરાણી કરતા હોવાની ગુસપુસ પણ ઘણી વખત સંભળાતી હોય છે, તેથી હવે ભ્રષ્ટાચારને એક પ્રકારે 'શિષ્ટાચાર' જ થઈ ગયો હોય તેમ નથી લાગતું?

જો દિલ્હીમાં કેજરીવાલ એન્ડ કાું. પર શરાબકાંડના લાગેલા આક્ષેપોમાં થોડુંક પણ તથ્ય હોય, તો એમ કહી શકાય કે હમામ મેં સબ નંગે હૈ... કોઈનો ભરોસો થાય તેમ નથી... યુપીએ સરકાર સામે ભ્રષ્ટાચારના જોરદાર આક્ષેપો કરીને પ્રથમ વખત એ જ યુપીએના મુખ્ય પક્ષ કોંગ્રેસના ટેકાથી સરકાર રચનાર કેજરીવાલ એ જ કોંગ્રેસ સામે, એક વખત ફરીથી દિલ્હીમાં ચૂંટણી લડી રહી છે, જોઈએ, હવે શું થાય છે તે...

ગઈકાલે સંસદમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ જે સટાસટી બોલવી ત પછી રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચાના વડાપ્રધાનના આજના જવાબ પર સૌની નજર મંડાયેલી હતી અને આ તમામ સંસદીય પ્રક્રિયાઓ, પ્રવૃત્તિઓ તથા પ્રવચનોની અસર દિલ્હીની વિધાનસભાની ચૂંટણીઓ પર કેટલી થશે, તે તો આવનારો સમય જ કહેશે, પરંતુ એક સમયે કોંગ્રેસનો સૂરજ સોળેકળાએ તપતો હતો, ત્યારે તેની સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કરીને સત્તામાં કેન્દ્રમાં આવેલા ભાજપ અને દિલ્હીમાં સત્તામાં આવેલ આમ આદમી પાર્ટી સામે પૂરી તાકાતથી મેદાનમાં ઉતરેલી કોંગ્રેસ પાર્ટી માટે પણ દિલ્હી વિધાનસભાની આ ચૂંટણી પ્રતિષ્ઠાનો જંગ છે.

ટૂંકમાં, રાજકીય પક્ષો ચૂંટણી ટાણે વાયદાઓ કરે, સૂત્રો વહેતા કરે કે મોટી મોટી વાતો કરે, અને ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર નાબૂદી, ગરીબી નાબૂદી, ગુંડાગીરી નાબૂદી, બેરોજગારી નાબૂદીના વચનો આપે, પરંતુ સત્તા પર આવ્યા પછી બધું ભૂલી જતા હોય છે. આથી જનતાએ કોનો ભરોસો કરવો? તેવો સવાલ ઊઠે ત્યારે ઓછા ભ્રષ્ટ, ઓછા નપાવટ અને ઓછા ખોટાબોલા નેતાઓની પસંદગીનો વિકલ્પ જ રહેને...?

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

મહિને લાખ રૂપિયા કમાવનારને ફાયદો, પણ બેરોજગારનું શું? કેન્દ્રિય બજેટનું પૃથક્કરણ...

શનિવારે કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમણે વર્ષ ર૦રપ-ર૬ નું બજેટ રજૂ કર્યું અને તે પછી તેનું પૃથકકરણ શરૂ થયું હોય તેમ વિવિધ પ્રત્યાઘાતો બે દિવસથી સામે આવી રહ્યા છે. જામનગર અને હાલાર સહિત રાજ્યના વિવિધ ક્ષેત્રો અને વર્ગોમાંથી પણ બજેટના મિશ્ર પ્રતિભાવો આવી રહ્યા છે, અને રાષ્ટ્રીય કક્ષાએ બજેટને લઈને રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે. નવાઈની વાત તો એ છે કે શનિવારે હજુ તો નાણામંત્રી બજેટ રજૂ કરી રહ્યા હતાં અને તેનું સમાપન પણ થયું નહોતુ, ત્યાં કેટલાક લોકો આ બજેટની વાહવાહી કે ટીકા કરવા લાગ્યા હતાં. હકીકતે બજેટ રજૂ થયા પછી તેનો થોડો-ઘણો પણ અભ્યાસ કરીને તેના પ્રતિભાવો અપાય કે પ્રત્યાઘાતો પડે, તો તેમાં વધુ તથ્ય તથા લોજીક હોય છે, પરંતુ બજેટ રજૂ થતા જ તેના પ્રત્યાઘાતોમાં વધારે પડતા વખાણ થવા લાગે કે તીવ્ર આલોચલના થવા લાગે, ત્યારે તેની પાછળની રાજકીય ગણતરીઓ ખુલ્લી પડી જતી હોય છે, ખરૃં કે નહીં?

જો કે બજેટ રજૂ થયા પછી આજે સડકથી સંસદ સુધી જે ટીકા-ટિપ્પણીઓ થઈ રહી છે અને તર્કો-અભિપ્રાયો રજૂ થઈ રહ્યા છે, તે જોતા આ તમામ કવાયતની ફલશ્રૂતિમાં બજેટનું પૃથકકરણ પરિણામદર્શી તથા સંસદમાં બજેટ પર થનારી લાંબી ચર્ચા માટે ઘણું જ ઉપયોગી નિવડશે, તેમ જણાય છે.

મોટાભાગે પાર્ટી લાઈનથી કાંઈક અલગ અને વાસ્તવલક્ષી નિવેદનો કરનાર કોંગી નેતા અને સંસદસભ્ય શશિ થરૂરે ગઈકાલે ખૂબ જ સચોટ પ્રત્યાઘાત આપ્યો હતો. એનડીએ સરકારે શનિવારે રજૂ થયેલા વર્ષ ર૦રપ-ર૬ ના બજેટના વખાણમાં લપેટીને તેમણે એક સણસણતો સવાલ પૂછ્યો, જે આજે સંસદના ગલિયારાઓ સુધી પડઘાયો છે.

દર વર્ષે ૧ર લાખ સુધીની આવક મેળવતા નાગરિકોને ઈન્કમટેક્સ ભરવો નહીં પડે, એટલે કે દર મહિને એક લાખ સુધીની આવક કે પગાર મેળવતા લોકોને ઘણી જ મોટી રાહત નાણામંત્રીએ આપી છે, અને આ કારણે પ્રામાણિકતાથી નોકરી-ધંધો કરીને ઈન્કમટેક્સ ભરતા મધ્યમ વર્ગ તથા નોકરિયાતોને ફાયદો થશે, તે અંતે પ્રશંસાત્મક સૂરમાં પ્રત્યાઘાત આપતા શશિ થરૂરે પૂછ્યું હતું કે આ કરરાહત આવકાર્ય છે, પરંતુ તે વર્ષે ૧ર લાખ સુધી કમાતા ધંધો-નોકરી કરતા લોકો માટે ફાયદાકારક છે, જ્યારે તેનાથી પણ વધુ જરૂર બેરોજગારોને નોકરી-ધંધો-રોજગારની છે, અને તેમના માટે બજેટમાં શું છે?

તેમણે કહ્યું કે, મધ્યમ વર્ગ માટે ટેક્સમાં ઘટાડો થાય તે સારી બાબત હોઈ શકે છે, અને જેની પાસે સારો ધંધો કે ઊંચા પગારની નોકરી છે, તેને હવેથી ટેક્સ નહીં ચૂકવવો પડે, અથવા ઓછો ચૂકવવો પડશે, પરંતુ મહત્ત્વનો પ્રશ્ન એ છે કે જેની પાસે નોકરી જ ન હોય, પગાર જ ન હોય, તો તેનું શું થશે, તેની કોઈ સ્પષ્ટતા જણાતી નથી. આ બજેટ સ્પીચમાં નાણામંત્રીના મોઢેથી બેરોજગારી કે મોંઘવારી દર જેવા શબ્દો જ સાંભળવા મળ્યા નથી, તેમ જણાવીને શશિ થરૂરે પછેડીમાં બાંધીને પાંચશેરી મારી હોય તેમ જણાય છે.

શશિ થરૂરે કેન્દ્રિય નાણામંત્રી પર બજેટમાં ભેદભાવભરી ફાળવણી કરી હોવાનો આક્ષેપ કરતા કહ્યું હતું કે, નાણામંત્રીએ ચૂંટણીઓમાં ભાજપ-એનડીએને ફાયદો થાય તે રીતે નાણાકીય ફાળવણી કરી છે. એનડીએના સાથીદાર પક્ષોનું શાસન હોય, તેવા બિહાર જેવા રાજ્યને વધુ ફાળવણી થઈ છે, જે આગામી વિધાનસભાની ચૂંટણીમાં ફાયદો કરાવી શકે છે.

એકંદરે સ્ટાન્ડર્ડ ડિડકશન સહિત હવે રૂ. ૧ર.૭પ લાખ એટલે કે ૧ર લાખ ૭પ હજારની વાર્ષિક આવક પર નોકરિયાતને ઈન્કમટેક્સ નહીં લાગે.

જો કે, નવો ઈન્કમટેક્સ કાયદો આવ્યા પછી આ મર્યાદાથી વધુ આવક મેળવનારને તો કરવેરો સમયોચિત રીતે ચૂકવવો જ પડશે, તેવું કહેવાય છે, પરંતુ તજજ્ઞોના અભિપ્રાયો મુજબ કેન્દ્ર સરકાર નવો કાયદો સંસદમાં રજૂ કરે, ત્યારે જ તેની પાછળના ઉદ્દેશ્યની ખબર પડશે, જસ્ટ વેઈટ એન્ડ વોચ...

અન્ય એક પૃથકકરણ મુજબ જો બાર લાખથી થોડીક આવક વધી જાય તો, ૬૧,પ૦૦ રૂપિયાનો ટેક્સ ચૂકવવો પડે તેવી સ્થિતિમાં ઈન્કમટેક્સ એક્ટની કલમ-(૭૮એ) હેઠળ રિબેટ બંધ થઈ જાય છે. એવું કહેવાય છે કે આવી સ્થિતિમાં માર્જિનલ રિલિફ લાગુ થશે, તેથી ૧ર લાખથી ૧ર લાખ ૭પ હજારની આવક સુધી રૂ. ૧૦ હજારથી ૭૧,રપ૦ રૂપિયા સુધીનો ટેક્સ લાગુ પડી શકે છે. આ બધી બાબતો વધુ સ્પષ્ટતાઓ માંગે છે, જેની ચર્ચા સંસદમાં થવાની જ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

કેન્દ્ર સરકારનું બજેટ...કહાં ખુશી કહાં ગમ? કહાં પે નિગાહે... કહાં પે નિશાના?

આજે સંસદમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ વર્ષ ર૦રપ-ર૬ નું બજેટ રજૂ કરી રહ્યા છે. ગઈકાલ સુધી કેન્દ્રિય બજેટમાં કેવી જોગવાઈઓ થશે, તેની અનેકવિધ અટકળો થઈ રહી હતી, તે પૈકી કેટલી અટકળો સાચી પડી અને કેટલી અટકળો યથાર્થ ઠરી નથી, તે પણ આપણી સામે આવી રહ્યું છે. આજે બપોર પછી આ બજેટના પ્રત્યાઘાતો પણ સામે આવી જશે.

ગઈકાલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના અભિભાષણમાં મોદી સરકારની ઉપલબ્ધિઓ ઉપરાંત ભવિષ્યની યોજનાઓ અંગે કેટલોક ઉલ્લેખ થયો હતો, જે આજના બજેટમાં પ્રતિબિંબિત થશે, તેવી ધારણા હતી તે ઉપરાંત ગઈકાલે રજૂ થયેલા આર્થિક સર્વેક્ષણમાં પણ વર્ષ ર૦રપ-ર૬ ને લઈને કરેલી ધારણાઓ આજે ચર્ચામાં છે.

ગઈકાલે કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમણે વર્ષ ર૦ર૪-રપ નો ઈકોનોમિક સર્વે સંસદના બન્ને ગૃહોમાં રજૂ કર્યો હતો. આ સર્વેક્ષણ મુજબ નાણાકીય વર્ષ ર૦રપ-ર૬ માં ૬.૩ થી ૬.૮ ટકાના દરે જીડીપીનું અનુમાન કરાયું છે. આ અનુમાન અંગે મિશ્ર પ્રત્યાઘાતો પડી રહ્યા છે અને આ ગતિ દુનિયાની ત્રીજી અર્થવ્યવસ્થાના સપનાને સાકાર કરવા માટે પર્યાપ્ત નથી, તેવા તારણો પણ નીકળી રહ્યા છે.

ઈકોનોમિક સર્વેમાં એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે, ઈકોનોમિક પ્લાનીંગ તથા સ્ટેબલ એક્સ્પેન્ડીચરના કારણે ભારતીય અર્થવ્યવસ્થાની બુનિયાદ વધુ મજબૂત બની છે, જેથી જાહેર ક્ષેત્રમાં મૂડીખર્ચ તથા દેશમાં ઔદ્યોગિક વિકાસની અપેક્ષાઓમાં સુધારો થતા ઈન્વેસ્ટમેન્ટ વધશે.

ઈકોનોમિક સર્વેમાં કેન્દ્ર સરકારે ઈકોનોમીની સ્થિરતા તથા પ્રોગ્રેસને ધ્યાને રાખીને ગત્ વર્ષે ઊઠાવેલા મહત્ત્વપૂર્ણ કદમનું વિવરણ પણ રજૂ કર્યું છે, જેમાં ઋતુચક્ર મુજબ ખાદ્ય પદાર્થોના બફરસ્ટોકમાં વધારો, શાકભાજીના ભાવોમાં ઘટાડો, ઓપન માર્કેટમાં ખાદ્ય ચીજોનો પુરવઠો વધારવા આયાતમાં ઢીલ આપવા જેવા પગલાંને સમયોચિત અને પરિણામલક્ષી ગણાવાયા છે, જો કે એવો અણસાર પણ અપાયો છેકે વેપાર (ટ્રેડ) માં અનિશ્ચિતતાઓ અને જીઓ-પોલિટિકલ પરિસ્થિતિઓના ઉતાર-ચઢાવ આર્થિક વિકાસ માટે અવરોધક બન્યો હતો.

આ અનુભવોને ધ્યાને લઈને આગામી નાણાકીય વર્ષ (ર૦રપ-ર૬) માટે ભારતીય અર્થતંત્રને મજબૂત બનાવા અને ઈકોનોમિકલ પોટેન્શિયલ (આર્થિક સંભાવનાઓ) ને સંતુલન રાખવા માટે લેવાયેલા કેટલાક પગલાંની વિગતો પણ રજૂ થઈ છે.

આ ઈકોનોમિક સર્વેમાં પણ દેશમાં છેક છેવાડાના વર્ગો તથા વિસ્તારો સુધી વૈશ્વિક પ્રતિસ્પર્ધાત્મક્તા તથા સંરચનાત્મક રિફોર્મ્સની જરૂર પણ જણાવાઈ છે, જે ઘણી જ સૂચક છે.

મોંઘવારી અટકાવવા વિકસતી અર્થવ્યવસ્થા ધરાવતા દેશોમાં ખાદ્ય ઉપજમાં બદલવા લાવીને ભાવવધારા પર અંકુશ લાવવાના વૈશ્વિક પ્રયાસોનો અડક્તરો ઉલ્લેખ કરીને આગામી નાણાકીય વર્ષમાં ભૌગોલિક, પોલિટિકલ અને સંયોગાત્મક તણાવના જોખમો પણ આ સર્વેમાં વર્ણાવાયા છે, અને જીવનજરૂરીચીજોના ભાવો પહેલેથી જ ઊંચા હોવાથી હવે ભાવવધારાનું રિસ્ક ઘટી રહ્યું હોવાનો કટાક્ષ પણ થઈ રહ્યો છે.

આ ઈકોનોમિક સર્વેમાં દેશમાં આઈ.ટી. ક્ષેત્રે મળેલી સફળતા તથા સ્વચ્છ ભારત અભિયાન જેવા કાર્યક્રમો થકી મૂળભૂત સુવિધાઓમાં થયેલા સુધારા તથા કૃષિસુધારનો ઉલ્લેખ કરીને ઋતુચક્ર મુજબ ખેત-ઉત્પાદનો વધારીને અને ખાસ કરીને ડુંગળી, દાળ, ટમેટા જેવી કાયમી જરૂરિયાતોના ઉત્પાદનોમાં જંગી વધારો કરવાની જરૂર પણ જણાવાઈ છે.

આર્થિક સર્વેક્ષણમાં જીએસટી કલેક્શનમાં ૧૧ ટકાના વધારાનો અંદાજ સૂચવાયો, તે ચાલુ વર્ષના બજટમાં કેટલો પ્રતિબિંબિત થાય છે, અને વર્ષાંતે વાસ્તવમાં જીએસટીના માધ્યમથી કેન્દ્ર તથા રાજ્ય સરકારોને કેટલી આવક થઈ, તેના અંદાજો પર આધારિતા ખર્ચના અંદાજો પણ રખાયા હશે. આ વખતે બજેટમાં રજૂ થઈ રહેલા મહત્ત્વપૂર્ણ ફેરફારોનું પણ વિશ્લેષણ થવા લાગ્યું છે.

આર્થિક સર્વેક્ષણોના અંદાજોને અનુરૂપ વૈશ્વિક તથા રાષ્ટ્રીય કક્ષાની સંસ્થાઓના જીડીપી ગ્રોથના અંદાજો વચ્ચે પણ મેન્યુફેક્ચરીંગ સેક્ટરની નબળાઈનો ઉલ્લેખ થઈ રહ્યો છે, જો કે ગત્ વર્ષે સર્વિસ સેક્ટરનો ગ્રોથ ૭.૧ ટકા નોંધાયો હતો. નિકાસમાં પ.૬ ટકાનો છમાસિક વધારો અને આયાતમાં ૭.૭ ટકાનો વધારો પણ આર્થિક ક્ષેત્રના નિષ્ણાતો તથા નાણાવિભાગ માટે મહત્ત્વપૂર્ણ છે.

એકંદરે આર્થિક સર્વેક્ષણનો રિપોર્ટ ભલે મુખ્યત્વે દેશની આર્થિક પ્રગતિ અને આવતા વર્ષની ઉજળી સંભાવનાઓનું ચિત્ર રજૂ કરતો હોય, પરંતુ આ જ અહેવાલમાં કેટલીક નબળાઈઓ, કેટલાક પડકારો તથા જોખમોને પણ પરોક્ષ રીતે દર્શાવી દેવામાં આવ્યા છે, જેને વિપક્ષો દ્વારા વર્તમાન સરકારની નિષ્ફળતા તથા અણઆવડત ગણાવી રહ્યા છે.

આજે સંસદમાં રજૂ થઈ રહેલું કેન્દ્રિય બજેટ લોકોની અપેક્ષાઓ, વિવિધ ક્ષેત્રોની આકાંક્ષાઓ તથા ખાસ કરીને ગરીબ-મધ્યમ વર્ગની જરૂરિયાતોને લઈને કેટલું ખરૃં ઉતર્યું છે, તેનું આજે પૂરેપૂરા બજેટનો અભ્યાસ કર્યા પછી વાસ્તવિક વિશ્લેષણ થશે, પરંતુ મુખ્ય મુખ્ય જોગવાઈઓ તથા પ્રસ્તાવોના અહેવાલો આવવા લાગ્યા છે. જેથી ક્યાં ખુશી છવાઈ અને ક્યાં થોડી નિરાશા અથવા ગમનો માહોલ છે, તેની ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે. નાણામંત્રી દ્વારા રજૂ થયેલા બજેટમાં થયેલી જોગવાઈઓ દિલ્હી વિધાનસભા ઉપરાંત નજીકના સમયમાં આવી રહેલી ચૂંટણીઓને કેટલી પરોક્ષ અસરો કરશે, તેની ચર્ચા પણ થવા લાગી છે. તેથી એવો કટાક્ષ પણ થઈ રહ્યો છે કે 'કહાં પે નિગાહ કહાં પે નિશાના?'

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

મનપાનું ડ્રાફ્ટ બજેટ કે ડ્રામેટિકલ બજેટ? સંસદના બજેટ સત્રમાં શું થશે? રાષ્ટ્રીય ચર્ચામાં બજેટ મોખરે?

મહાકુંભમાં કરોડો લોકોના સ્નાનના અહેવાલોની સાથે સાથે ત્યાંની વ્યવસ્થાઓ તથા અદાલતની અટારી તથા ન્યાયિક તપાસ સુધી પહોંચેલો તાજેતરની ભાગદોડનો મુદ્દો પણ આજથી શરૂ થઈ રહેલા સંસદીય સત્રમાં ચર્ચાનો મહત્ત્વનો મુદ્દો બની જશે, તેવા એંધાણ પહેલેથી જ વર્તાઈ રહ્યા છે.

બીજી તરફ અમેરિકાના જંગી બહુમતથી ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જે ધડાધડ નિર્ણયો લઈ રહ્યા છે, તેની ભારત તથા ભારતીયોને કેટલીક અસરો થશે, તેની ચર્ચા વચ્ચે અમેરિકાની નેશનલ ઓશનિક એન્ડ એટમોસફિયરિક એડમિનિસ્ટ્રેશન નામની સરકારી એજન્સીએ પણ ભારત સહિત સમગ્ર વિશ્વમાં હલચલ મચાવી દીધી છે.

આ તદ્ન તાજી વોર્નિંગ મુજબ સૂર્યનારાયણ જાણે કોપાયમાન થયા હોય તેમ સૂર્યની સપાટી તથા બાહ્ય કિનારાઓ (કોરોના) માં વિરાટ કોરોનલ હોલ સર્જાયો છે. સૂર્યના બાહ્ય વાતાવરણની વચ્ચે વિશાળ કદનું કાળુ ધાબુ સર્જાયું છે, તેને કોરોનલ હોલ કહે છે. સૂર્યના બાહ્ય વાતાવરણમાં પાંચ લાખ માઈલ એટલે કે લગભગ ૮૦ હજાર કિલોમીટરનો આ કોરોનલ હોલ સર્જાતા તેની ભયાનક અસરો ગ્રહમંડળને થઈ શકે છે, અને પૃથ્વી પર સૌર તોફાનોનું સંકટ સર્જાઈ શકે છે તેવી સંભાવનાઓ પછી પૃથ્વી પર આજે રેડિયો બ્લેક આઉટ સાથે વાતાવરણને ગંભીર અસરો પહોંચી શકે છે. આ કારણે વીજ ઉપકરણો તથા સંદેશા વ્યવહારને માઠી અસર પહોંચે તેવી ચેતવણી અપાતા પૃથ્વી પર તંત્રો સાબદા થયા છે. બીજીતરફ કેટલીક સેટેલાઈટ (ઉપગ્રહો) ને ક્ષતી પહોંચે કે સળગી ઊઠે તેવી સંભાવનાઓ દર્શાવાઈ હોવાથી વૈજ્ઞાનિકો, ખગોળશાસ્ત્રીઓ તથા સંબંધિત સરકારી તંત્રો આજે આકાશ તરફ મીટ માંડીને ગહન નિરીક્ષણ કરી રહ્યા છે, તો ભારતમાં દેશવાસીઓની નજર દિલ્હી                      તરફ મંડાયેલી છે.

દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ગરમાગરમી વચ્ચે મહાકુંભમાં ઉમટતા કરોડો લોકો તથા તાજેતરની ભાગદોડના અહેવાલો તો છવાયેલા જ છે, પરંતુ તેની સાથે સાથે આજથી શરૂ થઈ રહેલા સંસદીય સત્ર પર પણ દેશવાસીઓની નજર મંડાયેલી છે. આવતીકાલે સંસદમાં કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમણ કેવું બજેટ રજૂ કરશે, ક્યા વર્ગને રાહતો મળશે, કઈ કઈ નવી યોજનાઓ લોન્ચ થશે, તથા આ બજેટ સત્રમાં સરકાર ક્યા ક્યા બિલો પસાર કરાવવાનો પ્રયાસ કરશે, તેની ચર્ચા પણ 'ટોક ઓફ ધ નેશન' બની છે.

આજની એન.ડી.એ.ની બેઠક, સર્વપક્ષિય બેઠક, રાષ્ટ્રપતિનું અભિભાષણ અને તેના પર થનારી ચર્ચા તથા મોંઘવારી, બેરોજગારી, ગરીબી અને ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓ અંગે રાજકીય પક્ષોની રણનીતિને લઈને પણ દેશભરમાં ટીકા-ટિપ્પણીઓ થઈ રહી છે. મહાકુંભ મેળામાં ભાગદોડના મુદ્દે શોર-બકોર હોબાળા વચ્ચે અન્ય મહત્ત્વના મુદ્દાઓ હાંસિયામાં ધકેલાઈ જશે તથા રાબેતામુજબ સરકાર હોકારા, પડકારા, દેકારા, હંગામા વચ્ચે પણ કેટલાક મહત્ત્વપૂર્ણ બિલો બન્ને ગૃહોમાં રજૂ કરી દેશે, અને તે પૈકી સિલેકટેડ પ્રસ્તાવો કે બિલો પસાર પણ કરાવી લેશે, તેવા અનુમાનો પણ થઈ રહ્યા છે. ખાસ કરીને જેપીસીએ મંજુર કરી દીધેલું વકફ (સુધારેલુ) બિલ સંસદમાં પાસ કરાવવાનો પણ સરકારનો ભરપૂર પ્રયાસ હશે, તેવા સંકેતો જોતા આખું બજેટસત્ર હંગામેદાર રહેવાની સંભાવના છે.

ગયા સત્રમાં પેન્ડીંગ રહી ગયેલા ૧૦ બિલો, ફાયનાન્સ બિલ-ર૦રપ અને ઈમીગેશન એન્ડ ફોરેનર્સ બિલ પણ આ સત્રમાં મૂકાશે, તે ઉપરાંત ધ પ્રોટેક્શન ઓફ ઈન્ટરેસ્ટ્સ ઈન એરક્રાફ્ટ ઓબ્જેક્ટ્સ બિલ, ત્રિભુવન સહકારી બિલ સહિતના અન્ય કેટલાક નવા બિલો પણ આ સત્ર દરમિયાન રજૂ થઈ શકે છે.

એવા અહેવાલો આવ્યા છે કે, સુરક્ષા બાબતોની કેબિનેટ કમિટીએ એરિયા ડિનાયલ મ્યુનિશન તથા પિનાકા રોકેટ વિગેરે ઉપકરણો સહિત રૂ. દસ હજાર કરોડથી વધુ કિંમતનો દારૂગોળો સ્વદેશી હથિયારોની પ્રણાલીને વેગ આપવાના ઉદ્દેશ્યથી ખરીદવાની મંજુરી આપી દીધી છે. આ મંજુરી મુજબ પિનાકા રોકેટની ૧ર૦ કિ.મી.નું મારક ક્ષમતાનું પ્રથમ પરીક્ષણ થયા પછી પડોશી દેશોની સરહદો પરથી આક્રમક તથા પરિણામલક્ષી પ્રહાર કરવાની ક્ષમતા મળી જશે.

ગયા બુધવારે મળેલી કેન્દ્રિય કબિનેટની બેઠકમાં મંજુર કરાયેલા રોકેટની મારક ક્ષમતા પણ ૪પ કિલોમીટર જેટલી છે, જેથી તે પણ પડોશી બન્ને દુશ્મનદેશો પર જરૂર પડ્યે ઘાતક પ્રહારો કરી શકે છે. પિનાકાના અંતિમ પરીક્ષણ પછી ભારતીય સેનાને વધુ મજબૂતી મળશે અને સૈન્ય સામગ્રી અને ઉચ્ચ-મધ્યમ ક્ષમતાના દારૂગોળાનું જંગી નિર્માણ જોતા આ વખતે સંરક્ષણ બજેટમાં પણ નોંધપાત્ર વધારો થાય, તેવા એંધાણ દેખાય છે.

અત્યારે બજેટની મોસમ શરૂ થઈ છે, ત્યારે ગઈકાલે જ જામનગર મહાનગરપાલિકાનું ડ્રાફ્ટ બજેટ રજુ થયું છે. બજેટ પ્રક્રિયાની જાણકારી અને સમજદારી ધરાવતા લોકો જાણે જ છે કે આ ડ્રાફ્ટ બજેટ મહાનગરપાલિકાના તંત્રે તૈયાર કર્યું હોય છે, અને મ્યુનિસિપલ કમિશનર આ બજેટ સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેનને સોંપે છે. સ્ટેન્ડીંગ કમિટી દ્વારા બજેટના સમગ્ર પ્રસ્તાવો પર મુદ્વાવાર ચર્ચા થાય છે, અને મૂળ ડ્રાફ્ટમાં સ્ટેન્ડીંગ કમિટી સુધારા-વધારા સૂચવે છે. આ સુધારા-વધારા-ઘટાડા સાથે બજેટ છેવટે જનરલ બોર્ડમાં મૂકાય છે, જ્યાં તેના પર ચર્ચા થાય છે, અને ચર્ચાના અંતે જનરલ બોર્ડમાં રજૂ થયેલા તથા સ્ટેન્ડીંગ કમિટીએ સૂચવેલા સુધારા-વધારા-ઘટાડા અંગે અંતિમ નિર્ણય લેવાય છે.

છેવટે જનરલ બોર્ડમાં અંતિમ બજેટ પાસ થાય છે, તેથી અત્યારે ડ્રાફ્ટ બજેટમાં સૂચવેલા નવા કરવેરા, પ્રસ્તાવો-દરખાસ્તોમાં ફેરફારને અવકાશ રહે છે, અને મોટા ભાગે સ્ટેન્ડીંગ કમિટી કેટલાક કરવધારાની તંત્રની દરખાસ્તોમાં કાપ મૂકે રદ કરે, તેવું બનતું હોય છે, તેથી મનપાની અંતિમ બજેટની જ રાહ જોવી રહી... તેથી જ હવે તો ડ્રાફ્ટ બજેટને લોકો ડ્રામેટિકલ બજેટ પણ કહેવા લાગ્યા છે!

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ફરી એકવાર, 'જૈસે થે'ના મુદ્દે ગુજરાત હાઈકોર્ટની ફટકાર... જામ્યુકો જાગશે? કોઈ અવાજ ઊઠાવશે?

સરકારી અને અર્ધસરકારી તંત્રોના ઘણાં કામો તાકીદના હોય છે તો ઘણાં કામો રોજીંદા હોય છે. ભારતના બંધારણ મુજબ  દેશના નાગરિકોનું હિત ટોચ અગ્રતાનું હોવું જોઈએ, પણ આજે દેશનો નાગરિક જુદી જુદી કચેરીઓ, બેંકો, રાશનની દુકાનો  કે પછી રેલવે- સ્ટેશનોની ભીડ વચ્ચે કતારોમાં ઊભવું પડી રહ્યું છે અને એક ધક્કે કામ ભાગ્યે જ પતે છે. નાના સરખા કામ  માટે પણ ધરમધક્કા ખાવા પડી રહ્યા છે, તો અમીરો-લાગવગિયા લોકોના કામો ઘેરબેઠા થઈ જતા હોય છે, અને  શાસન-પ્રશાસનના બેવડા ચહેરાઓ જનસેવકોના નકાબ પહેરીને ભોળી જનતાને છેતરતા રહે છે.

ગાંધીજીએ ગામડું, ગરીબ અને નિરક્ષર લોકોને અગ્રીમ હરોળમાં લાવવા માટે ગ્રામસ્વરાજ તથા અંત્યોદયના સપનાઓ  જોયા હશે, પરંતુ તેનો વારસો કોઈએ નિભાવ્યો નથી, અને આઝાદી પછી આ સપનાઓ સાકાર થયા નથી અને આજે પણ  મહત્તમ નાગરિકોને કતારોમાં રહીને તથા હાથ ફેલાવીને ભટકવું પડી રહ્યું છે. અમીરો વધુ અમીર બની રહ્યા છે, તે પણ  હકીકત જ છે ને?

જામનગર સહિત હાલારના ઘણાં સ્થળોએ છેલ્લા કેટલાક મહિનાઓથી 'દબાણ હટાવ ઝુંબેશ' ચાલી રહી છે, અને વિશાળ  અને કિંમતી જમીનો મુક્ત કરાવાઈ રહી છે. બીજી તરફ એ પ્રકારના દબાણ હટાવ ઝુંબેશો પણ ચાલી રહી છે, જે કદાચ  તંત્રોએ મને-કમને કરવી પડી રહી હોય કે પછી ફોર્માલિટી ખાતર કરવી પડતી હોય તેવું લાગે, તો કેટલીક દબાણ હટાવ  ઝુંબેશોમાં તો ચોખ્ખી ડ્રામેબાજી થઈ રહી હોય, તેવું જણાય. તંત્રના બેવડા ચહેરાઓની પાછળ ઘણાં બહુરૂપિયા પરિબળો તથા ભ્રષ્ટ  રીતિનીતિ સાથેની ગુપ્ત રાજનીતિ કામ કરી રહી હોય તેમ નાથી લાગતું?

તાજેતરમાં કેટલાક યાત્રા સ્થળો સહિત દરિયાકાંઠાના ગામો-નગરો-ટાપુઓ પર જે દબાણો હટાવાયા, તેની સામાન્ય  જનતામાં પ્રશંસા થઈ રહી છે, અને કેટલાક સ્થળે તો દબાણો હટાવ્યા પછી ફરીથી તે જ સ્થળે ફરીથી દબાણો ન થઈ જાય, તેવા નક્કર કદમ ઊઠાવાયા, અથવા ત્યાં સાર્વજનિક પ્રવૃત્તિઓ, કોઈ સેવાભાવી પ્રવૃત્તિઓ શરૂ થઈ જાય અથવા સરકારી કે  કાયદો વ્યવસ્થા સંબંધિત કચેરીઓ કે ચોકીઓ ઊભી કરવામાં આવે, તેવો અભિગમ અપનાવાઈ રહ્યો છે, તેની સારી છાપ  પડી રહી છે તથા તંત્રોમાં લોકોની વિશ્વસનિયતા વધી રહી હોય તેમ જણાય છે.

એવી આશંકાઓ પણ જાગી રહી છે કે, આ વિશ્વસનિયતા ક્યાંક આભાસી તો નથી ને? થોડો સમય વિત્યા પછી કે થોડા  મહિનાઓમાં જ ક્યાંક મુક્ત થયેલી જમીનો પર ફરીથી દબાણો તો ખડકાઈ નહીં જાય ને?

આ પ્રકારની આંશકાઓ ઊઠે તેની પાછળ મજબૂત કારણ પણ છે. જામનગરમાં કેટલીક જગ્યાએથી રેંકડી-પાથરણાવાળાઓને હટાવાયા હોય, તે જ સ્થળે ફરીથી 'જૈસે થે' જેવી સ્થિતિ સર્જાવા લાગતા મોટા ઉપાડે દબાણ હટાવ ઝુંબેશ પછી  તેનો 'જશ' ખાટી રહેલા તંત્રવાહકો માટે શરમજનક સ્થિતિ ઊભી થઈ રહી છે.

ગુજરાત હાઈકોર્ટમાં પણ અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં જાહેર માર્ગો પર લારી-ગલ્લા, ગેરકાયદે વાહન પાર્કિંગ  રખડતા ઢોર અને બિસ્માર માર્ગોનો મુદ્દો ચર્ચાયો અને અદાલતે એક વખત ફરીથી તંત્રોને તતડાવ્યા, તે અહેવાલો પણ  આજે હેડલાઈન્સમાં છે.

ગુજરાત હાઈકોર્ટમાં એક એડવોકેટે ફૂટપાથ પર થતા ગેરકાયદે પાર્કિંગના મુદ્દે કન્ટેમ્પ્ટ પિટિશન કરી હતી, જેની સુનાવણી  થતા ગુજરાત હાઈકોર્ટના બે જસ્ટિસોએ આ મુદ્દે પોલીસતંત્ર, મ્યુનિ. તંત્ર તથા સંબંધિત સરકારી તંત્રો પ્રત્યે ગંભીર  નારાજગી પણ વ્યક્ત કરી હોવાના અહેવાલો છે. આ મુદ્દે વધુ સુનાવણી ૬ઠ્ઠી ફેબ્રુઆરીના થવાની છે. અદાલતે કહ્યું કે આ  મુદ્દે સત્તાવાળાઓ ગંભીર નથી, અને હળવાશથી રૂટીન પ્રક્રિયા સમજીને આ તમામ બાબતોની તંત્રો અવગણના કરી રહ્યા  છે. જાહેર રસ્તાઓ લારી-ગલ્લા-પાથરણાવાળાઓ તથા કાયમી સ્વરૂપના દબાણોએ કબજે કરી લીધા છે. ફુટપાથો પણ  દબાઈ ગઈ છે, તેથી વાહનો ચલાવવા માટે પણ પૂરતી જગ્યા રહેતી. પોલીસતંત્ર તથા મ્યુનિસિપલ તંત્રોની ઝાટકણી કાઢતા  હાઈકોર્ટે સ્પષ્ટ સૂચના આપી કે એક વખત દબાણ હટાવ્યા હોય, ત્યાં ફરીથી દબાણ થાય, તો તેની સામે આકરી અને  પરિણામલક્ષી કડક કામગીરી કરવી જોઈએ.

અરજદાર વકીલની દલીલ એવી હતી કે આ મુદ્દે અત્યાર સુધીમાં હાઈકોર્ટમાં ૧૦૦ થી વધુ સુનાવણી થઈ અને અદાલતે  ૬૦ થી વધુ આદેશો કર્યા, છતાં સત્તાવાળાઓ દ્વારા તેનું અસરકારક પાલન કરાવાતું નથી, અને હાઈકોર્ટના આદેશોનું  ખુલ્લેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે. અરજદાર વકીલે માર્ગો-ફૂટપાથો પર દબાણો સહિતના ટ્રાફિકને અવરોધતા તમામ મુદ્દે  કસૂરવાર તંત્રો સામે ચાર્જફ્રેમ કરવાની માંગણી કરી છે. હવે ૬ઠ્ઠી ફેબ્રુઆરીના તંત્રોની દલીલો સાંભળ્યા પછી હાઈકોર્ટ કેવું  વલણ અપનાવે છે, તે અંગે પણ અનુમાનો થઈ રહ્યા છે. જો હાઈકોર્ટ અદાલતની અવગણના (કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ) નો ચાર્જ  ફ્રેમ કરશે, તો સંબંધિત તંત્રોના ચોક્કસ જવાબદાર અધિકારીઓ તો કાનૂની સકંજામાં આવી જ જશે, પરંતુ શાસકો (પોલિટિકલ  બોડી) માટે પણ એ ક્ષોભજનક હશે.

હાઈકોર્ટમાં આ સુનાવણી દરમિયાન બેન્ચના એક ન્યાયાધિશે તો પોતાને જ થયેલા કટૂ અનુભવો વર્ણવ્યા અને ટ્રાફિક  પોલીસની બેદરકારી પ્રત્યે અણગમો વ્યક્ત કર્યો હતો. તે ઉપરાંત અદાલતે કહેલું કે હાઈકોર્ટની જુદી જુદી બેન્ચો સમક્ષ  સુનાવણી નીકળે તે સમયે થોડા દિવસો માટે કોર્ટને બતાવવા માટે કામગીરી દેખાડાય છે, અને પછી જેમ હતું તેમ ('જૈસે  થે') થઈ જાય છે. માર્ગો-ફૂટપાથોના દબાણો, રોંગસાઈડમાં વાહન ચલાવવા, ગેરકાયદે આડેધડ પાર્કિંગ, રખડતા ઢોર,  આવારા કૂતરા વગેરે સમસ્યાઓથી ત્રાહિમામ્ જનતાને તેમાંથી છૂટકારો અપાવા ગુજરાત હાઈકોર્ટે કરેલી ટકોરો એએમસી  ઉપરાંત રાજ્યની તમામ પાલિકા-મહાપાલિકાઓના તંત્રો, પોલીસ તંત્ર તથા સરકારને પણ લાગુ પડે છે. આ તમામ મુદ્દે  જામનગરમાંથી કોઈ નાગરિક, વકીલ, સંસ્થા કે વિપક્ષી નેતા આ સુનાવણીનો સંદર્ભ લઈને હાઈકોર્ટમાં ધા નાખે, તે પહેલા  જામ્યુકો તથા સ્થાનિક તમામ અન્ય તંત્રો સમજી જાય તો સારૂ છે ખરૃં ને?

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

સંયમની શરૂઆત સ્વયંથી કરવી જોઈએ... મહાકુંભમાં ભાગદોડ પછી મળ્યો બોધપાઠ...?

દરરોજ કરોડો લોકો જ્યાં સ્નાન કરી રહ્યા છે, તે પ્રયાગરાજના કુંભમેળામાં મોડી રાત્રે થયેલી ભાગદોડમાં કેટલાક લોકોના મૃત્યુ થયા, અને કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા છે, તે સમાચારો મળ્યા પછી આ કુંભમેળામાં સ્નાનાર્થે ગયેલા શ્રદ્ધાળુઓના સગા-સંબંધીઓમાં તો ચિંતા પ્રસરી જ છે, પરંતુ હવે પછી જેણે આ મહાકુંભમાં જવાનું આયોજન કર્યું છે, તેઓ પણ દ્વિધામાં મૂકાયા છે, જો કે ઉત્તરપ્રદેશ સરકાર તરફથી ખૂબ જ સારી વ્યવસ્થા કરવામાં આવી છતાં ભાગદોડ કેવી રીતે થઈ અને તેને અંકુશમાં લેવા કેવા પગલાં લેવાયા, તેના અહેવાલો ટેલિવિઝન ચેનલોના માધ્યમથી આવી જ રહ્યા છે. બીજી તરફ સંગમઘાટ તરફ જ ધસારો વધી ગયો, તેથી આ સ્થિતિ સર્જાઈ હોવાથી લોકોને પણ પ્રશાસન તરફથી મળતી સૂચનાઓનો અમલ કરવાનો અનુરોધ કરવામાં આવી રહ્યો છે. શ્રદ્ધાળુઓ તથા સાધુ-સંતોના અખાડાઓના કુંભસ્નાનનું મેનેજમેન્ટ કરવાનો મોટો પડકાર ઊભો થયો છે. પહેલા સંતોનું આજનું અમૃતસ્નાન રદ્ કરાયું હોવાના અહેવાલો આવ્યા પછી તેમાં ફેરફાર થયો અને હવે શોભાયાત્રા મોકુફ રાખીને સંતોનું આજનું અમૃતસ્નાન યથાવત્ રહેશે, તેવા અહેવાલો જોતા કદાચ આજે સ્થિતિ સંપૂર્ણપણે અંકુશમાં આવી જાય, તેવા આશાવાદ વચ્ચે સંતો-મહંતો અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લોકોને પોતે જે ઘાટથી નજીક હોય, ત્યાં જ સ્નાન કરે અને તંત્રના નિર્દેશોનું પાલન કરે તેવી જે અપીલ કરી છે, તે પછી આજે ભીડ નિયંત્રણમાં આવી જશે, તેમ જણાય છે. એક મહામંડલેશ્વરે તો રડતાં રડતાં કહ્યું કે, આ મહાકુંભની વ્યવસ્થા સેનાને સોંપવાની જ જરૃર હતી!

આ પ્રકારના વિરાટ આયોજનોમાં જેટલી પૂર્વ તૈયારી આયોજકો-તંત્રો-સંસ્થાઓની હોય તેટલી જ જરૃર જનસહયોગની પણ રહેતી હોય છે, અને તંત્રો-આયોજકોએ પણ સતત મોનીટરીંગ કરતા રહીને તથા અદ્યતન ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરીને દૈનિક ત્રણ-ચાર વખત સમીક્ષા કરીને વ્યવસ્થાઓ અપડેટ કરતા રહેવી જોઈએ. આ ઉપરાંત અફવાઓથી દૂર રહેવાની પણ ખૂબ જ જરૃર હોય છે. લોકોને સોશ્યલ મીડિયામાં ફેલાતી અપુષ્ટ ખબરોને અધિકૃત રીતે અપાતા સમાચારો, ન્યૂઝ ચેનલો તથા સ્થાનિક તંત્રો દ્વારા પી.એ. સિસ્ટમથી અપાતી સૂચનાઓનું જ પાલન કરવું જોઈએ.

જે લોકો કુંભમેળામાં ગયા હોય, ત્યાં ઘાટ તરફ માનવપ્રવાહ હોય છે, અને જેઓની પાસે ટેલિવિઝન નથી હોતું, તેથી મોબાઈલ સેલફોનમાં અપાતા સમાચારોનો સહારો લેતા હોય છે, ત્યારે મોબાઈલ સેલફોન દ્વારા પણ વિશ્વસનિય ન્યૂઝ ચેનલોનો જ વિશ્વાસ કરે અને સોશ્યલ મીડિયા મારફત અપાતી અનધિકૃત ખબરો પર વિશ્વાસ કરે, તે જરૃરી હોય છે. કુંભમેળામાં પહોંચી ચૂકેલા અને સ્નાન ઘાટો તરફ આગળ વધી રહેલા શ્રદ્ધાળુઓ પોતાના સગા-સંબંધીઓ સાથે ટેલિફોનિક સંપર્કમાં રહીને ટેલિવિઝન ચેનલોમાં આવતા સમાચારોની સતત માહિતી મેળવતા રહે, તે પણ અત્યંત જરૃરી છે. આવુ કરવાથી જે લોકો કુંભમેળામાં પહોંચી ગયા છે, તેને સાચી માહિતી મળતી રહેશે અને તેઓના સગા-સંબંધી-પરિવારજનોની ચિંતા પણ ઓછી થશે. એટલું જ નહીં, દેશભરમાં અફવાઓ ફેલાતી પણ અટકશે.

આજે અખાડા પરિષદે આ મુદ્દે તદ્ન હકારાત્મક અને સંજોગોને અનુરૃપ સંયમ દાખવ્યો અને શોભાયાત્રા કે તામ-જામ વિના સામાન્ય શ્રદ્ધાળુઓની જેમ જ બપોર પછી અમૃતસ્નાન કરાશે, તેવી જે જાહેરાત કરી, તે પછી પ્રયાગરાજ મહાકુંભના સ્થળે ભીડની વ્યવસ્થા જાળવવાની દિશામાં તંત્રોને થોડી સુગમતા થઈ, આમ છતાં આજે મોડીરાતની ઘટના પછી હવે પછીના દિવસોમાં આ વ્યવસ્થાઓની પુનઃ સમીક્ષા કરીને સુધારા-વધારા કરવાની તજવીજ થાય, તે પણ જરૃરી છે.

મહાકુંભની મુલાકાતે ગયેલા શ્રદ્ધાળુઓ પણ ત્યાં થયેલી વ્યવસ્થાઓની પ્રશંસા કરતા સંભળાય છે, અને સ્થિતિ કંટ્રોલમાં હોવાના અહેવાલો વચ્ચે વ્યવસ્થાઓમાં જરૃરી ફેરફારો થઈ રહ્યા છે, અને લોકો (શ્રદ્ધાળુઓ) પણ સહયોગ આપી રહ્યા છે, તેથી મહાકુંભમાં જવા નીકળેલા અને હવે પછી જવાના હોય તેઓને પણ રાહત થઈ હશે.

એવા અભિપ્રાયો પણ આવી રહ્યા છે કે કેન્દ્ર-રાજ્ય સરકારોના મંત્રી-મહોદયો, સાંસદો, ધારાસભ્યો, ઉચ્ચ અધિકારીઓ વગેરે વીઆઈપી અને વીવીઆઈપી લોકો પણ પરિવારો સાથે ગંગાસ્નાન માટે આવી રહ્યા છે, તેઓ માટે સુરક્ષાની દૃષ્ટિએ વિશેષ વ્યવસ્થાઓ કરવી પડતી હોય છે તેથી સંગમઘાટ નજીકના કોઈ ઘાટ પર તેઓને પણ ડાયવર્ટ કરવા જોઈએ, અને લોકોને માત્ર સંગમઘાટ તરફ જ ધસારો કરતા અટકાવવાની શરૃઆત વીવીઆઈપી મહાનુભાવોથી જ થવી જોઈએ, તેવા પ્રત્યાઘાતો સાથે કેટલાક વી.આઈ.પી. મહાનુભાવો અન્ય ઘાટ પર સ્નાન કરી રહ્યા હોવાના અહેવાલો પણ છે.

પ્રયાગરાજ મહાકુંભના આયોજન અને આ પહેલા થયેલી ભાગદોડની કરૃણાંતિકાઓને સાંકળીને શાસન-પ્રશાસને કેટલાક બોધપાઠ લેવાની પણ જરૃર છે. આ પ્રકારના દાયકાઓ કે સદી-દોઢ સદી પછી આવતા ધાર્મિક પ્રસંગોમાં હવે ટ્રાન્સપોર્ટેશન તથા ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારા-વધારા સાથે મળતી આધુનિક સુવિધાઓના કારણે શ્રદ્ધાળુઓની સંખ્યાનું અનુમાન કરવામાં થાપ ખાઈ જવાય, તો પણ તે મોટી અવ્યવસ્થા, અસુરક્ષા કે ભાગદોડનું કારણ બની શકે છે. આથી પ્રયાગરાજમાં જે લોકો છે, તેઓ જે ઘાટ નજીક હોય ત્યાં સ્નાન કરીને તરત જ પરત આવી જાય, તેવી સૂચના તથા કોઈપણ ઘાટ પર સ્નાન કરશે, તો પણ મહાકુંભનું પૂરેપૂરૃં પુણ્ય મળશે, તેવી સમજણ અપાઈ રહી છે, તેથી હવે આ પ્રકારની ભાગદોડ નહીં સર્જાય, તેવી આશા રાખીએ... હર હર ગંગે... હર હર મહાદેવ હર...

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ચીનના બે ચહેરા... સ્થાનિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રવાહો... ઠંડીમાં વધઘટ... માર્કેટમાં ઉતાર-ચઢાવ

આપણે પ્રજાસત્તાક પર્વની ગૌરવપૂર્ણ ઉજવણી કરી અને જામનગરમાં યોજાયેલા કાર્યક્રમો દરમિયાન એરફોર્સના શક્તિ પ્રદર્શને આકર્ષણ જમાવ્યું હતું, જ્યારે જામનગર જિલ્લાના પીરોટન, ચાકડી, જિંદડા અને સેજા જેવા ટાપુઓ પર ભારત આઝાદ થયા પછી સર્વપ્રથમ પ્રજાસત્તાક પર્વ ઉજવાયું અને ધ્વજવંદન સાથે તિરંગો લહેરાયો, તેથી આ વખતે હાલાર માટે પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો ઉમંગ બેવડાયો હતો અને જાણે કે સોનામાં સુગંધ ભળી હોય તેમ જામનગરના એરપોર્ટ નજીક યોજાયેલા વિશેષ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં નગરજનો ઉમટ્યા હતાં. હાલારમાં ઠેર-ઠેર પ્રજાસાત્તક પર્વની ગરિમામય ઉજવણીથી દેશભક્તિનો માહોલ છવાઈ ગયો હતો.

દેશની રાજધાની દિલ્હીમાં પણ પ્રજાસત્તાક પર્વ આન-બાન અને શાનથી ઉજવાઈ ગયું. આ વખતે દુર્લભ મહાકુંભ પ્રયાગરાજમાં ઉજવાઈ રહ્યો છે, જેથી ધર્મ-આધ્યાત્મ અને દેશભક્તિનો અદ્ભુત ત્રિરંગો સંગમ પણ સર્જાયો હતો.

દિલ્હી વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર પણ પરાકાષ્ટાએ પહોંચ્યો છે અને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ખેલાઈ રહેલો ત્રિપાંખિયો જંગ પણ રાજનીતિની તિરંગી તસ્વીર ઊભી કરી રહ્યો છે. આજે તમામ મુખ્ય રાજકીય પક્ષોના દિગ્ગજો દિલ્હીના મતદારોને રિઝવવા શ્રેણીબદ્ધ રેલીઓ, રોડ-શો ને ચૂંટણીસભાઓ યોજી રહ્યા છે, ત્યારે કોંગ્રેસે ડો. આંબેડકરના જન્મસ્થળ મઉમાં કાર્યક્રમ યોજીને વ્યૂહાત્મક રણનીતિ અખત્યાર કરી છે, જેની સીધી અસરો દિલ્હીની ચૂંટણીના પ્રચારને પણ થઈ જ હશે ને?

બીજી તરફ હવામાન વિભાગે ગુજરાતમાં હજુ પણ વધુ ઠંડી પડશે, તેવી આગાહી કરી છે, અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હટી જતા ઠંડી વધી હોવાના અહેવાલો છે,  તો આજે રાજકોટમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટી-ર૦ ક્રિકેટ મેચ યોજાવાની હોવાથી રાજકોટમાં સર્વત્ર ક્રિકેટ ફીવર છવાયો હોય તેમ ક્રિકેટ રસિયાઓમાં રોમાંચ જોવા મળી રહ્યો છે. જો આજે સાંજે ભારતની ટીમ જીતી જાય તો પાંચ ટી-ર૦ ની શ્રેણીમાં ભારત શ્રેણીનો વિજય પણ મેળવી શકે છે, કારણ કે આ પહેલાની બન્ને ટી-ર૦ મેચો ભારતે જીતી લીધી હતી. રાજકોટ જ નહીં, સમગ્ર સૌરાષ્ટ્રમાં આ ટી-ર૦ ને લઈને ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

જામનગર અને રાજકોટથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મહાકુંભમાં સ્નાન કરીને પુણ્યનું ભાથું બાંધવા જઈ રહ્યા છે, અને તમામ ટ્રેનો હાઉસફૂલ થયા પછી એસ.ટી. દ્વારા વોલ્વો બસોની જે વ્યવસ્થા થઈ છે, તે અમદાવાદથી જ શરૂ થઈ છે, જેને વિસ્તારીને દરેક જિલ્લા મથકે તથા યાત્રાધામો-મોટા શહેરોમાંથી પણ શરૂ થાય, તો હજુુુુુુુુુુુુુુુુુુ ટ્રાફિક વધે તેમ છે, અને ત્યાં પહોંચ્યા પછી કેવી સગવડો હોય છે, તથા પગપાળા કેટલું ચાલવું પડે તેમ છે, તેની વિસ્તૃત માહિતી જો રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ તથા માહિતી ખાતા મારફત પ્રેસ-મીડિયાના માધ્યમથી અપાશે, તો આ અલભ્ય અવસરે હજુ પણ મહાકુંભ જવાની ઈચ્છા ધરાવતા લોકોને ખૂબ જ ઉપયોગી થશે, તેવા જન-પ્રતિભાવો આવી રહ્યા છે.

શ્રદ્ધાળુઓ માટે એક બીજા સારા સમાચાર પણ આવ્યા છે. અહેવાલો મુજબ ચીન અને ભારત વચ્ચે સમજુતિ પુનઃ અમલી બનતા ટૂંક સમયમાં એટલે કે ઉનાળામાં માનસરોવરની યાત્રા શરૂ થશે. ભારતના વિદેશ સચિવે ભારતના પ્રજાસત્તાક પર્વે જ આ અંગે ચીનની મુલાકાત લીધા પછી આ પ્રકારના સંકેતો આપ્યા હતાં અને હવે તેની પુષ્ટિ પણ થઈ ગઈ છે. અહેવાલો મુજબ વિદેશ મંત્રાલયે આ જાહેરાત કરવાની સાથે સાથે બન્ને દેશોમાંથી વહેતી બ્રહ્મપુત્રા સહિતની નદીઓનો ડેટા પણ શેર કરવામાં આવી હોવાની જાણકારી આપી છે, જે ઘણું જ મહત્ત્વપૂર્ણ છે. તે ઉપરાંત ભારત અને ચીન વચ્ચે સીધી હવાઈસેવા સુદૃઢ બનાવવા માટે પણ સૈદ્ધાંતિક સહમતી સધાઈ હોવાના અહેવાલો ભારત અને ચીન વચ્ચે તંગદિલી ઘટી રહી હોવાના સંકેતો આપે છે. કૈલાસ માનસરોવર યાત્રા પુનઃ શરૂ થશે, તેવા અહેવાલોએ ભારતીય પ્રવાસીઓ જ નહીં, દુનિયાભરના શ્રદ્ધાળુઓમાં આનંદની લાગણી વ્યક્ત થઈ રહી છે.

બીજી તરફ ચીને એ.આઈ. ક્ષેત્રે મોટો ધડાકો કર્યો છે. સસ્તુ એ.આઈ. (ડીપસીક) એન્જિન રજૂ કરતા ઈન્ફર્મેશન ટેકનોલોજી ક્ષેત્રોમાં હલચલ મચી ગઈ છે અને શેરબજારોમાં કડાકો બોલ્યો છે. ચીનના સ્ટાર્ટઅપ ડીપસીકે બાવન કરોડ રૂપિયાના મૂડીરોકાણ સાથે લર્નીંગ એ.આઈ. એન્જિન લોન્ચ કરતા વૈશ્વિક શેરબજારોમાં નવો ભૂકંપ આવ્યો હોય, તેવી વિપરીત અસરો થઈ હતી. જેનાથી ભારતીય શેરબજાર પણ અલિપ્ત રહી શક્યું નહોતું, જો કે સોશ્યલ મીડિયામાં એવી કોમેન્ટો પણ થઈ રહી છે કે ચીનની સસ્તી વસ્તુઓ તકલાદી નિવડતી હોવાથી તેને વિશ્વસનિય ગણી શકાય નહીં. બીજી તરફ આ અહેવાલો પછી અમેરિકન એ.આઈ. સેક્ટરને ઝટકો લાગ્યો હોવા છતાં ટૂંક સમયમાં આ સેક્ટર રિકવર થઈ જશે, તેવો આશાવાદ પણ વ્યક્ત થઈ રહ્યો છે.

ટૂંકમાં કૈલાસ માનસરોવર યાત્રા શરૂ થવાના પોઝિટિવ તથા સસ્તા ડીપસીક એ.આઈ. એન્જિ નેગેટીવ અહેવાલોના કારણે ચીન અત્યારે વૈશ્વિક ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.

ભારતીય શેરબજાર તો હવે દરિયાઈ ભરતી-ઓટ જેવું બની ગયું છે, અને વૈશ્વિક પ્રવાહોની અસરો, સ્થાનિક પરિબળો તથા રાષ્ટ્રીય તથા રાજકીય પ્રવાહો ઉપરાંત ઋતુચક્ર અને દેશભરમાં ચાલતી બહુવિધ પ્રવૃત્તિઓની અસરો શેરબજાર પર પડતી હોય છે, તેથી ચીનમાં આ ધડાકાની અસરો લાંબો સમય નહીં રહે અને ટૂંક સમયમાં જ માર્કેટ રિકવરી મેળવી લેશે તેવા આશાવાદ વચ્ચે ઋતુપરિવર્તન સાથે દિલ્હીમાં સત્તા પરિવર્તન થશે કે કેજરીવાલને વધુ એક વખત જનાદેશ મળશે? તેવા સવાલો સાથેની ગરમાગરમ રાજકીય ચર્ચાઓ ઠંડીમાં પણ ગરમીનો અહેસાસ કરાવી રહી છે, ખરૃં કે નહીં?

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

નાગરિક ધર્મ-રાજધર્મ અને આધ્યાત્મ ધર્મનો ત્રિવેણી સંગમ, સારે જહાઁ સે અચ્છા, હિન્દુસ્તાં હમારા...

આવતીકાલે પ્રજાસત્તાક પર્વ છે, અને આઝાદીના ૭પ વર્ષ પૂરાં થતા ઉજવાઈ રહેલા અમૃત મહોત્સવના ગૌરવ સાથે આપણા દેશમાં જાણે નાગરિક ધર્મ, રાજધર્મ અને આધ્યાત્મ ધર્મ અથવા એમ પણ કહી શકાય કે, કર્તવ્ય, ભક્તિ અને દેશભક્તિનો ત્રિવેણી સંગમ સર્જાયો છે.

વર્ષ-૧૯પ૦ ની ર૬મી જાન્યુઆરીના દિવસે આપણો દેશ પ્રજાસત્તાક બન્યો..., અને પ્રજાએ ચૂંટેલા પ્રતિનિધિઓએ લોકો માટે, લોકો દ્વારા અને લોકોનું શાસન સંભાળી લીધુ અને રાજધર્મનું પાલન કર્યુ. રાજધર્મ એટલે કોઈપણ ભેદભાવ વગર દેશ અને દેશવાસીઓ માટે પૂરેપૂરી કર્તવ્યનિષ્ઠા અને પ્રામાણિકતાથી શાસન ચલાવવું, એવો સાર પણ કાઢી શકાય.

પ્રયાગરાજમાં દર ૧૪૪ વર્ષે આવતો મહાકુંભ ચાલી રહ્યો છે, જ્યાં આગામી મહાશિવરાત્રિ સુધી દેશ-દુનિયાના શ્રદ્ધાળુઓ ગંગા મૈયા, યમુનાજી અને સરસ્વતીજીના ત્રિવેણી સંગમમાં ડુબકી લગાવીને પુણ્ય કમાવા આવી રહ્યાં છે. કરોડો દેવી-દેવતાઓ અને ભગવાનના વિવિધ સ્વરૂપો તથા અનેક સંપ્રદાયોને સમાવતા સનાતન હિન્દુધર્મનો આ મહાકુંભ આધ્યાત્મ અને આત્મકથાનું દુર્લભ પર્વ છે. ગુજરાતમાંથી પ્રયાગરાજ તરફ જતી તમામ ટ્રેનોમાં બુકીંગ થઈ ગયું છે, ત્યારે ગુજરાત સરકાર અને પ્રવાસન નિગમે સસ્તા ભાડામાં પ્રયાગરાજની યાત્રા માટે વોલ્વો બસોનું જે આયોજન જાહેર કર્યુ છે, તેમાં પણ વધારો કરવો પડશે અને દરરોજની એક બસ પૂરી નહીં પડે, તેમ જણાય છે. જો કે, આ પ્રયોગ સફળ રહ્યો તો ગુજરાતનું એસ.ટી. કોર્પોરેશન ભવિષ્યમાં પણ જુદા-જુદા મોટા પ્રસંગોમાં આંતરરાજ્ય ટૂર પેકેજનું પ્રવાસન નિગમ સાથે મળીને આયોજન કરશે, અને તેના કારણે રાજ્યના આંતરરાજ્ય પ્રવાસન (ટુરીઝમ) ને વેગ મળશે અને રાજ્યના પ્રવાસીઓ, યાત્રિકોને પણ ઘર આંગણેથી સુવિધા મળી રહેશે. પ્રયાગરાજ જવા માટે જો એસ.ટી. દ્વારા રિટર્ન બુકીંગ આધારિત બસો પ્રત્યેક જિલ્લા મથકેથી પણ અર્ધ સાપ્તાહિક કે દૈનિક ધોરણે શરૂ કરશે, તો મહાકુંભ ચાલે છે, ત્યાં સુધી તેમાં પણ ભરપૂર ટ્રાફિક મળી રહે, તેવી સંભાવના છે.

આવતીકાલે નાગરિક ધર્મ બજાવવાનું પર્વ પણ છે. આપણો દેશ વર્ષ-૧૯૪૭ માં આઝાદ ગયો, અને લોકોના હાથમાં વાસ્તવિક સત્તા ભલે વર્ષ-૧૯પર ની પ્રથમ સંસદીય ચૂંટણીઓ પછી આવી હોય, પરંતુ વિધિવત રીતે લેખિત બંધારણ સ્વીકારીને ભારત જે રિપબ્લિક નેશન એટલે કે, પ્રજાસત્તાક રાષ્ટ્ર વર્ષ-૧૯પ૦ ની ર૬મી જાન્યુઆરીના દિવસે જ જાહેર કરી દેવાયું હતું, તેથી ર૬મી જાન્યુઆરીથી સત્તા મળવાની સાથે-સાથે આપણા શિરે નાગરિક ધર્મ બજાવવાની જવાબદારી પણ આવી હતી. જે આજપર્યંત આપણે નિભાવતા રહ્યાં છીએ. આપણો દેશ આઝાદ થયો, ત્યારથી આજ સુધી અનેક આફતો આવી, યુદ્ધો થયા, કુદરતી આફતો તથા કૃત્રિમ મુશ્કેલીઓ, દુર્ઘટનાઓ તથા હિંસક તોફાનોથી લઈને આંતકવાદી હૂમલાઓ સુધીના પડકારો આવ્યા. લોકતાંત્રિક ઢબે સત્તા પરિવર્તનો થયા, મહામારીઓ, મંદી અને મોંઘવારીની વિષમ સ્થિતિમાં સર્જાઈ અને ઘણાં વૈશ્વિક અને આંતરિક દબાણોનો સામનો કરવો પડ્યો, તેમ છતાં આપણો દેશ એક ગૌરવપૂર્ણ મોટી લોકતાંત્રિક સાર્વભૌત્વ સત્તા તરીકે દુનિયામાં ડંકો વગાડી રહ્યો છે, અને આજે આખી દુનિયા ભારતીય પ્રાચીન વારસા તથા સંસ્કૃતિ તરફ આકર્ષિત થઈ રહી છે, તેમાં આપણા આ અનોખા ત્રિવેણી સંગમનો સિંહફાળો છે. નાગરિક ધર્મ, રાજધર્મ અને આધ્યાત્મના ત્રિવેણી સંગમ સમુ આ પર્વ પણ ઈતિહાસના પાને સુવર્ણ અક્ષરે લખાવાનું છે.

પ્રજાસત્તાક પર્વને આપણે ગણતંત્ર દિવસ અને રિપબ્લિક ડે તરીકે ઉજવીએ છીએ અને પરંપરાગત રીતે આ ઉજવણી દર વર્ષે થાય છે. આપણો દેશ પ્રજાસત્તાક જાહેર થયો ત્યારે પણ ઘણાં પડકારો હતાં અને આજે પણ બદલતા વૈશ્વિક પ્રવાહો, બદલતી આબોહવા અને આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ સુધીની અદ્યતન ટેકનોલોજીના યુગમાં નવા પડકારો ઊભા થતા રહે છે, તેમ છતાં ભારત આજે વિશ્વમાં સૌથી મોટો સફળ લોકતંત્ર, મજબૂત અર્થતંત્ર અને વિરાટ જનસંખ્યા છતાં વિકાસશીલમાંથી વિકસિત રાષ્ટ્ર તરફ જવાના લક્ષ્ય સાથે આગળ વધી રહ્યું છે, તેમાં આઝાદી પછીની તમામ સરકારો તથા દેશની પરિપકવ જનતાના સક્રિય યોગદાનનો સિંહફાળો છે.

આ ગૌરવ લેવાની સાથે-સાથે આપણે થોડું આત્મમંથન કરવાની જરૂર પણ છે. એક નાગરિક તરીકેના પૂરેપૂરા કર્તવ્યો આપણે બજાવી રહ્યાં છીએ ખરા...! આઝાદીકાળમાં જે પ્રકારની દેશભક્તિની ભાવનાઓ હતી અને દેશ માટે કૂરબાન થઈ જવાની તાલાવેલી પ્રત્યેક ભારતીયોને હતી, તે આપણી અને આવનારી પેઢીઓને યાદ રહેશે ખરી...? આપણે દેશ પ્રત્યેની કર્તવ્યભાવનાઓ વિસરી તો ગયા નથી ને...? આપણા સમૃદ્ધ અને સુસંસ્કૃત દેશને કોઈ નવા સ્વરૂપના છર્ર્દ્મવેશી આક્રાંતાઓ ફરીથી લૂંટવા અને પરોક્ષ રીતે ગુલામ બનાવવાના પ્રયાસો તો કરી રહ્યાં નથી ને...?

નવા માર્કેટીંગ યુગમાં આપણાં મૂલ્યો અને સિદ્ધાંતોના પણ મુલ-ભાવ થઈ રહ્યાં નથી ને...? તેવા પ્રશ્નોના જવાબ (સાચા) શોધવાની જરૂર નથી લાગતી...?

આજે મતદાતા જાગૃતિ દિવસ પણ ઉજવાઈ રહ્યો છે, આખી દુનિયા આપણાં દેશના મહાકુંભમાં ડુબકી લગાવતા કરોડો લોકોને આશ્ચર્યાચકિત થઈને નિહાળી રહી છે. દુનિયાભરના વિચારકો અને વિશ્લેષકો આપણાં દેશની તંદુરસ્ત લોકશાહી અને પ્રાચીન સભ્યતાથી લઈને અર્વાચીન ભારતની ઉપસ્થિતિઓના ગુણગાન ગાઈ રહ્યાં છે, અને ખૂબીઓની સાથે-સાથે આપણાં દેશમાં પ્રવર્તતી કેટલીક કૂપ્રથાઓ તથા અંધશ્રદ્ધાનો ઉલ્લેખ પણ થઈ રહ્યો છે, ત્યારે આપણે કેટલીક "ઊણપો" ને હટાવીને દેશને ફરીથી આપણા ભવ્ય ભારતીય વારસાને અનુરૂપ પ્રગતિના પંથે લઈ જવાનો સંકલ્પ લેવો પડશે.

લોકતંત્રના પર્વ સમી દિલ્હીની ચૂંટણીઓએ જેવી રીતે સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું છે, તેમજ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે. મહાકુંભના ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવવાની જેમ જ આપણે લોકતંત્રના મહાપર્વમાં ડૂબકી લગાવવા માટે જ્યારે-જ્યારે ચૂંટણી આવે ત્યારે-ત્યારે મતદાન કરવાનું ભૂલી ન જઈએ, આજે મતદાન જાગૃતિનો સંદેશ પણ ફેલાવીએ...

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

મેલેરિયા મુક્ત ભારત ક્યારે? મચ્છરમુક્ત હાલાર ક્યારે? રખડુ શ્વાનથી મુક્તિ ક્યારે?

વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા કોઈપણ દેશમાં સતત ત્રણ વર્ષથી એક પણ કેસ ન નોંધાયો હોય,તેને મેલેરિયમુક્ત દેશ જાહેર કરવામાં આવે છે. ગઈકાલે ડબલ્યુએચઓએ મેલેરિયામુક્ત જાહેર કરેલો જોર્જિયા વિશ્વનો ૪પ મો અુછલ દેશ બન્યો છે, જેને આ સર્ટીફિકેટ મળ્યું હોય.

વિશ્વ આરોગ્ય સંસ્થાના મુખ્યમંત્રી જીનીવાથી જાહેર થયેલા અહેવાલો મુજબ જ્યોર્જિયામાં મેલેરિયા નાબૂદીની ઝુંબેશ વર્ષ ૧૯૦૦ થી ચાલતી હતી. જે ત્રણ પ્રકારના મેલેરિયાના વાયરસ જ્યોર્જિયામાં ફેલાયેલા હતાં, તે જ વયરસ આજે ભારતમાં ફેલાયેલા છે. ભારતમાં પણ મેલેરિયા નાબૂદીની ઝુંબેશ ચાલી રહી છે. ભારતમાં મેલેરિયા નાબૂદ તો હજુ થઈ શક્યો નથી, પરંતુ તેમાં ઘટાડો થઈ રહ્યો હોવાના આંકડા બહાર આવ્યા છે.

સરકારી આંકડાઓ મુજબ આઝાદીના સમયગાળામાં ભારતમાં સાડાસાત કરોડ જેટલા મેલેરિયાના વાર્ષિક કેસ નોંધાયા હતાં, તે હવે ર૦ લાખ થઈ ગયા છે, અને ગુજરાતમાં દસેક વર્ષ પહેલા ૧૧.૭૦ લાખ હતાં, તે વર્ષ ર૦ર૩ માં ઘટીને સવાબે લાખ અને ચાલુ વર્ષે અત્યાર સુધીમાં ૩૬૩૩ કેસો નોંધાયા છે. ભારતના પડોશી દેશ માલદીવ્ઝ, શ્રીલંકા, ચીન ઉપરાંત સિંગાપુર, મોરોક્કો, યુ.એ.ઈ. ઈટાલી, ઓસ્ટ્રેલિયા સહિત ૪પ દેશો મેલેરિયામુક્ત જાહેર થયા છે. ભારતે પણ વર્ષ ર૦૩૦ સુધીમાં મેલેરિયા મુક્તિનું સર્ટીફિકેટ મેળવવાનું લક્ષ્ય રાખ્યું છે, એટલે કે ભારતમાં જો વર્ષ ર૦ર૭, ર૦ર૮ અને વર્ષ ર૦ર૯ માં મેલેરિયાનો એક પણ કેસ ન નોંધાય તો વર્ષ ર૦૩૦ માં વિશ્વઆરોગ્ય સંસ્થા આ પ્રકારનું પ્રમાણપત્ર આપે, અને ભારત પણ મેલેરિયામુક્ત જાહેર થઈ શકે, જો કે આ લક્ષ્ય એકલી સરકાર કે તેના તંત્રો પૂરા કરી શકે તેમ નથી, અને તેમાં પ્રચંડ જનસહયોગ, જનજાગૃતિ અને ખાસ કરીને લોજેસ્ટિક સપોર્ટની જરૃર પડે, અને તે માટે પ્રત્યેક ભારતીય નાગરિકો તથા વિદેશથી અવરજવર કરતા કે પ્રવાસે આવતા હોય, તેવા તમામ લોકોએ કારોનાફેઈમ જાગૃતિ રાખવી પડે, ખરૃં ને?

મેલેરિયા, ડેન્ગ્યૂ વગેરે મચ્છરજન્ય રોગોથી મુક્તિ મેળવ્યા પહેલા તો મચ્છર નાબૂદી થવી જઈએ, અને મચ્છર નાબૂદી માટે માત્ર ગંદકી નાબૂદી જ નહીં, પરંતુ ચોખ્ખા પાણીમાં ઉત્પન્ન થતા મચ્છરોથી બચવાના ઉપાયો પણ ખૂબજ ગંભીરતાથી કરવા જ પડે. પંચાયત, પાલિકા કે મહાપાલિકા દ્વારા ફોગીંગ થાય કે ઘેર-ઘેર દવા છંટકાવ થાય, તેની રાહ જોવાના બદલે આપણે ઘર, દુકાન, ઓફિસ, સંકુલ, ફાર્મ કે ફેક્ટરીમાં એક પણ મચ્છર ન રહે, તેવા ઉપાયો આપણે બધાએ જ કરવા પડે ને?

જામનગર હોય કે યાત્રાધામ દ્વારકા હોય, સમગ્ર હાલારમાં મચ્છરનો ઉપદ્રવ એટલો બધો છે કે તમને ધોળે દિવસે પણ મચ્છરોનો ગણગણાટ સાંભળવા મળે અને હવે તો ઘરમા જ નહીં, વાહનો તથા ઘણી સરકારી કચેરીઓમાં પણ મચ્છરો ડંખ મારી જતા અનુભવાય, પરંતુ આપણે આ બધી રોજીંદી સમસ્યાઓથી એટલા ટેવાઈ ગયા છીએ કે તેને ગંભીરતાથી વિચારતા જ નથી, અને તેથી જ મચ્છરજન્ય બીમારીઓ વધી રહી હોય તેમ નથી લાગતું?

એવું નથી લાગતું કે 'મચ્છરમુક્ત હાલાર'ની ઝુંબેશ સમગ્ર હાલારમાં શરૃ થવી જોઈએ, અને તેનો હાલારવ્યાપી પ્રારંભ સંસદીય કક્ષાના જનપ્રતિનિધિઓ કરાવે અને તેમાં બન્ને જિલ્લાના કલેક્ટરોના નેતૃત્વમાં તમામ સરકારી-અર્ધસરકારી, બોર્ડ-નિગમ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, શાળા-કોલેજો તથા એનજીઓઝ જોડાય. એટલું જ નહીં, તાલુકા-જિલ્લાવાર સતત આ પ્રકારની ઝુંબેશ ચાલતી રહે અને તેનો તબક્કાવાર પ્રારંભ રાજ્ય-જિલ્લા-તાલુકા કક્ષાના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, અન્ય નેતાઓ, કાર્યકરોને સાંકળીને થાય તો? મચ્છર નાબૂદી અભિયાનને સફળ બનાવવા માટે આવી ઝુંબેશ ચલાવી જ શકાય, અને તેમાં શાસક પણ-વિપક્ષો તથા હેલ્થ સેક્ટરના આગેવાનો, સંસ્થાઓ, હોસ્પિટલો, તબીબો અને બુદ્ધિજીવીઓ જોડાતા રહે, તો જ વર્ષ ર૦ર૭ સુધીના રાષ્ટ્રીય નિર્ધારિત લક્ષ્ય સાથે હાલાર કદમ મિલાવી શકશે. ખરૃં કે નહીં? જાગો...જનતા...જાગો... તંત્રો-નેતાઓ ઢંઢોળો... જાગ્યા ત્યારથી સવાર...

આપણે મચ્છરમુક્ત હાલારની ઝુંબેશ ઉપાડશું, અને તેમાં સફળ થઈશું તો તેના ઘણાં જ 'સાઈડ બેનિફિટ્સ' થવાના છે. આ કારણે જાહેર આરોગ્ય તો સુધરશે જ, પરંતુ તેની સાથે સાથે લોકોની કાર્યક્ષમતા સુધરતા એકંદરે આર્થિક રીતે લાંબાગાળાના ફાયદા પણ થશે.

જામનગરની એક ટાઉનશીપના ગ્રુપે સોશ્યલ મીડિયામાં એક વીડિયો મૂક્યો હતો, જે ઘણો જ વાયરલ થયો હતો. આ વીડિયોમાં એક મહિલાને ઘેરીને રખડુ કૂતરાઓએ પજવણી કરી, જેની સામે રક્ષણ મેળવવા લાચાર મહિલાએ અથાગ પ્રયત્નો કર્યા, પરંતુ અંતે પડી ગઈ અને એ ખતરનાક કૂતરાઓ તેને ઢસડીને એક શેરીમાં લઈ ગયા. વહેલી સવારની ઘટના હોય, તેવો જણાતો આ વીડિયો જામનગરમાં ખતરનાક રખડુ શ્વાનની સમસ્યાને ઉજાગર તો કરે જ છે, પરંતુ તેમાં લોકોને વહેલી સવારે કે મોડી રાત્રે એકલા બહાર નીકળવાનું થાય, તો લાકડી જેવી કાંઈક રક્ષણાત્મક વસ્તુ જરૃર સાથે રાખવી જોઈએ, તેવો બોધપાઠ પણ આપે છે.

જામનગરને શ્વાનથી મુક્ત કરવાની ઝુંબેશ પણ જામનગર મહાનગરપાલિકાની કક્ષાએથી શરૃ કરવી જોઈએ, અને આ પ્રકારના રખડુ શ્વાનોને નગરના ગલી-મહોલ્લા અને માર્ગો પરથી હટાવીને કોઈ અલાયદા ડોગ હાઉસ (ઢોરના ડબ્બાની જેમ) માં જીવદયાના ધારાધોરણો મુજબ રાખવાની વ્યવસ્થા સુદૃઢ બનાવી જોઈએ, તેવી માંગણી ઊઠી રહી છે. મનપાના તંત્રો માત્ર ખસિકરણ કરીને કૂતરાઓની જનસંખ્યા નાથવાની કામગીરી વર્ણવીને છૂટી જાય છે અને રખડુ કૂતરાઓને રખડુ ઢોરની જેમ સ્થળાંતરિત કરવામાં અસમર્થતા બતાવાઈ રહી હોય, તો હવે પછી શું કરવાનું છે, તે જનતાએ જ વિચારવાનું છે, અને મોટાભાગે ચૂપકીદી સેવી રહેલા વિક્ષના નેતાઓએ પણ વિચારવાનું છે, ખરૃં કે નહીં?

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

'રાજકીય ભૂમિ' પર દબાણ? ભાંગજડ-ડેમેજ કંટ્રોલ? 'ગુજરીબજાર'નો મુદ્દો ઉકેલાયો?

એવું લાગતું હતું કે, શિયાળો વિદાય લઈ રહ્યો છે, અને ઠંડી ઘટી રહી છે, પરંતુ ફરીથી ઠંડી વધી અને નવી આગાહીઓ થઈ છે. ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે પણ ગરમાવો આવી જાય, તેવા આક્ષેપો-પ્રતિઆક્ષેપો અને ધગધગતા નિવેદનો થઈ રહ્યા છે. એક તરફ ગેરકાયદે બાંધકામોને હટાવવાની ઝુંબેશ ચાલી રહી છે, તો બીજી તરફ ટ્રાફિકને અડચણરૂપ કામચલાઉ દબાણો પણ હટાવાઈ રહ્યા છે. આ સીલસીલો ઘણાં વર્ષોથી ચાલી રહ્યો છે. ઝુંબેશો ચાલે ત્યારે 'સાફસુફી' થાય અને થોડા મહિનાઓ (કે દિવસો) માં જ 'જૈસે થે' થઈ જાય. તેથી એવું કહી શકાય કે કાં તો આ બધી કવાયત માત્ર ડ્રામેબાજી છે, અથવા તો તંત્ર અને સ્થાનિક શાસકોની કોઈ 'મજબુરી' હશે, જેથી જે-તે સમયે ફરી ફરીને કાયમી અને હંગામી દબાણોનો સીલસીલો ચાલતો રહ્યો છે, ખરૃં ને?

રાજકીય ક્ષેત્રોમાં પણ એકબીજાની રાજકીય ભૂમિ છીનવવાના, પચાવી પાડવાના તથા હવે તો ત્યાં પણ 'ગેરકાયદે દબાણો'સર્જવાના ઘટનાક્રમો સર્જાવા લાગ્યા છે. ભારતીય જનતા પક્ષને જબરદસ્ત જનાદેશ મળ્યા પછી હવે ત્યાં મૂળ વફાદાર નેતાઓ-કાર્યકરોની જમીન પક્ષ પલટો કરીને નવા આવેલા નેતાઓ-કાર્યકરો છીનવી રહ્યા હોવાની અનુભૂતિ પ્રગટી રહી હોય તેમ કેટલાક જિલ્લાઓમાં છૂપો અસંતોષ પ્રસરી રહ્યો છે, તો કેટલાક જિલ્લાઓમાં ફૂંફાડા પણ મારી રહ્યો છે.

એવી ટીકા થવા લાગી છે કે ભાજપના આયાતી નેતાઓએ પોત-પોતાના વિસ્તારોમાં રાજકીય ભૂમિ (વર્ચસ્વ) વધારવા પક્ષના મૂળ વફાદાર સ્થાનિક નેતાઓ-કાર્યકર્તાઓને સાઈડમાં ધકેલવાના પ્રયાસો શરૂ કર્યા, અને તેના કારણે ઉભય પક્ષોથી થતા તેજાબી નિવેદનોના કારણે શિસ્તબદ્ધ પાર્ટીની આબરૂના ધજાગરા ઊડી જાય, તેવા ઘટનાક્રમો સર્જાઈ રહ્યા છે, તેનો તોડ કાઢવામાં પ્રદેશની નેતાગીરી કદાચ ટૂંકી પડી રહી છે. એવું કહેવાય છે કે, હમણાંથી અમિતભાઈ શાહની ગુજરાતની મુલાકાતો વધી રહી છે, તેની પાછળ પણ ભાજપમાં પ્રવેશી ગયેલી યાદવાસ્થળી (આંતરવિગ્રહ) જ જવાબદાર છે. વિશ્લેષકો ટીકા કરી રહ્યા છે કે ભાજપે ચૂંટણી ટાણે કરેલા 'ભરતીમેળાઓ'નું આ ભુંડુ પરિણામ છે.!

જો કે, નિર્જન અને વસ્તી ધરાવતા ટાપુઓ પરથી દબાણો હટાવાયા અને ગેરકાયદે બાંધકામો તોડી પડાયા, તેને આમ જનતામાંથી આવકાર મળી રહ્યો છે. હવે એવી માંગણી પણ ઊઠી રહી છે કે જ્યાં અવર-જવર પર પણ પ્રતિબંધ હોય અને આંતરરાષ્ટ્રીય દરિયાઈ સરહદોની દૃષ્ટિએ સંવેદનશીલ હોય, તેવા ટાપુઓ પર મોટા પાયે દબાણો કેમ થઈ ગયા? તેની ઊંડી તપાસ કરીને જો તંત્રના પરિબળો કે રાજકીય પરિબળોની સંડોવણી જણાય, તો તેની સામે પણ હિચકિચાટ વગર કડક કદમ ઊઠાવવા જોઈએ, કારણ કે આ મુદ્દો રાષ્ટ્રીય સુરક્ષા અને સરહદોની સલામતિ સાથે સંકળાયેલો હોવાથી તેમાં બાંધછોડ કરવી એ રાષ્ટ્રદ્રોહ જ ગણાય, ખરૃં ને?

જેવી રીતે ખરાબાની સરકારી, ગૌચરની જમીનો પરના દબાણો હટાવાઈ રહ્યા છે, તેવી જ રીતે 'રાજકીય ભૂમિ' પર થયેલા 'દબાણો' હટાવા પણ કદાચ હાઈકમાન્ડ દ્વારા 'ડ્રાઈવ' યોજાય, અને ટોપ ટુ બોટમ ધરખમ ફેરફારો થાય, તેવી શક્યતાઓ પણ અંતરંગ વર્તુળોમાં ચર્ચાઈ રહી છે.

બીજી તરફ એવો આક્ષેપ થઈ રહ્યો છે કે, ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં પણ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને ઈરાદાપૂર્વક ધીમી ગતિએ ટેકાના ભાવે મગફળીની ખરીદીની પ્રક્રિયા થઈ રહી છે, જેથી નણાની ખેંચ અનુભવતા ખેડૂતોએ ના છૂટકે બજારભાવે મગફળી વેચવી પડી રહી છે. આ પ્રકારની આક્ષેપબાજી પછી અમરેલી વિસ્તારમાં ભાજપમાં ભડકો થયો હોય તેમ જણાય છે.

ભાજપના જ એક ધારાસભ્ય દ્વારા ગુજકોમાસોલ દ્વારા થતી મગફળી ખરીદીમાં 'મલ્લાઈ' કોણ ખાઈ ગયું? તેવા સવાલો ઊઠાવાયા અને ગુજકોમાસોલના સર્વેસર્વા અને પી.એમ. સુધીની પહોંચ ધરાવતા ભાજપના દિગ્ગજ નેતા દ્વરા માનહાનિનો દાવો કરવાની ચીમકી અપાઈ, તે પ્રકરણના પડઘા છેક દિલ્હી સુધી પડ્યા છે. તેથી ગુજરાતમાં સરકાર અને સંગઠનની કક્ષાએ કાંઈક નવાજુની થાય, કે ધરખમ ફેરફારો થાય, તેવી શક્યતાઓ પણ જણાવાઈ રહી છે. બીજી તરફ કોંગ્રેસ પણ વહેતી નદીમાં હાથ પલાળીને ડાંગર સહિતની ખરીદીઓમાં ચાલતા ભ્રષ્ટાચાર તથા ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિરીતિના આક્ષેપો કર્યા, જો કે આ બધી હુંસાતુંસીથી હાલાર અલિપ્ત થઈ રહ્યું હોય, તેમ જણાય છે. બાકી આંતરિક કે ગુપ્ત રીતે કાંઈ હલચલ થતી હોય તો ભગવાન જાણે!

જામનગર મનપાની સ્ટેન્ડીંગ કમિટી દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં ભરાતી ગુજરીબજારો કાયમી ધોરણે નદીના પટમાં યોજવા દેવાનો ઠરાવ કરાયો તેના મિશ્ર પ્રત્યાઘાતો પડી રહ્યા છે, અને આ નિર્ણયના કારણે શહેરમાં ટ્રાફિક સમસ્યા હળવી થશે અને બજારો ચોખ્ખી રહેશે. તેનેઆવકાર મળી રહ્યો છે, પરંતુ કાયમી ધોરણે નદીના પટમા ગુજરીબજાર ભરાય, તો તેની સંભવિત આડઅસરો હંગામી કે કાયમી દબાણોની શક્યતા, વર્ષાઋતુ, માવઠું કે પૂર જેવી સ્થિતિમાં વિકલ્પ અને ખાસ કરીને નદીના પટમાં કાયમી ગંદકી ન ફેલાય, તથા પર્યાવરણીય સુરક્ષા જળવાય, તેની તકેદારી વગેરે અંગે પણ અત્યારથી જ વિચારી લેવું પડે... આમાં 'હોતી હૈ, ચલતી હૈ...' નહીં ચાલે!

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

હાલાર સહિત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી... કોંગ્રેસે ઊઠાવ્યા સવાલ, ભાજપ કહે 'અમે તૈયાર'...હજારો ગ્રામપંચાયતોનું શું થશે?...

ગઈકાલે ગુજરાત રાજ્ય ચૂંટણીપંચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત કરી દીધી, જેની અટકળો છેલ્લા એક અઠવાડિયાથી થઈ રહી હતી. આ ચૂંટણીઓમાં રસાકસી થશે, ત્રિપાંખિયો જંગ થશે કે એકતરફ હશે, તે અંગેની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે, તો બીજી તરફ બોર્ડની પરીક્ષાઓ ટાણે જ ચૂંટણીઓ જાહેર થઈ, તેને સાંકળીને પણ કેટલાક સવાલો ઊઠી રહ્યા છે, અને તેના સંદર્ભે ચોખવટો પણ થઈ રહી છે.

પ્રારંભિક પ્રત્યાઘાતો આપતા કોંગ્રેસે કહ્યું કે ભાજપના શાસનમાં ભયમુક્ત ભ્રષ્ટાચાર અને ભેદભાવનો દબદબો છે, અને ભ્રષ્ટ ભોરીંગોએ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને પ્રભાવિત કરી છે. કોંગ્રેસ પ્રવક્તાએ એક ડિબેટીંગ દરમિયાન કહ્યું કે રાજ્યમાં ઘણી નગરપાલિકાઓની તિજોરીના તળિયા દેખાઈ ગયા છે, અને વીજબીલ ભરવાના નાણા નથી, તો ક્યાંક ક્યાંક તો કર્મચારીઓને પગાર ચૂકવવાના પણ ફાંફા પડી રહ્યા છે. હાલારની જામજોધપુર, કાલાવડ, ધ્રોળ, સલાયા, ભાણવડ, દ્વારકા વગેરે નગરપાલિકાઓની ચૂંટણીઓમાં કેટલાક સ્થળે આ વખતે ત્રિપાંખિયો જંગ જામી શકે છે, કારણ કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંતભાઈ ખવા અને અન્ય હોદ્દેદારો આ ચૂંટણીમાં 'આપ'ના ઉમેદવારોને ઉતારીને જોરદાર પ્રચાર કરશે, તો ત્રિપાંખિયો જંગ જામશે, જેથી ભાજપ માટે પણ આ વખતે કપરા ચઢાણ હશે, તેવા તારણો નીકળી રહ્યા છે.

ધાનેરા સહિત કેટલીક નગરપાલિકાની ચૂંટણી જાહેર નહીં થતાં વિવાદનો વંટોળ ઊઠ્યો છે, અને ભાજપ દ્વારા રાજ્ય ચૂંટણી પંચને પ્રભાવિત કરવામાં આવી રહ્યું હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે, અને આ પ્રશ્ને રાજ્ય ચૂંટણી પંચ તરફથી અપાઈ રહેલા કથિત જવાબની ચર્ચા પણ પ્રેસ-મીડિયા અને રાજકીય વર્તુળોમાં જોરશોરથી થઈ રહી છે.

બીજી તરફ કોંગ્રેસ આ વખતે પૂરી તાકાતથી ચૂંટણીજંગ લડશે, તેવા એંધાણ પણ વર્તાઈ રહ્યા છે, અને ભાજપ શાસિત નગરપાલિકાઓના વહીવટથી કંટાળેલા મતદારો આ વખતે કોંગ્રેસ પર પસંદગીનો કળશ ઢોળશે અને મોટાભાગની નગરપાલિકાઓ કોંગ્રેસ જીતશે, તેવો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે, જો કે આમ આદમી પાર્ટી તરફથી કોંગ્રેસ જેવો રણકાર હજુ સંભળાઈ રહ્યો નથી, પરંતુ ગુપચુપ તૈયારીઓ થઈ રહી હશે, તેવા અનુમાનો લગાવાઈ રહ્યા છે.

ભારતીય જનતા પક્ષના પ્રવક્તાઓ તથા નેતાઓ પણ છાતી ઠોકીને દાવો કરી રહ્યા છે કે વિકાસની રાજનીતિ તથા મોદી-પટેલના ડબલ નેતૃત્વને કારણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ ભાજપનો ભવ્ય વિજય થશે અને કોંગ્રેસના વાવટા વિંટાઈ જશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ર૬ ટકા અનામતનો ઉલ્લેખ કરીને ભાજપના નેતાઓ-પ્રવક્તાઓ ફરીથી પ્રચંડ જીતનો દાવો કરી રહ્યા છે, તો એ જ મુદ્દો આ વખતે વિપક્ષોને ફાયદો કરાવશે અને કોંગ્રેસ-આમ આમ આદમી પાર્ટીને ભાજપ શાસિત પંચાયત-પાલિકાઓમાં એન્ટી ઈન્કમ્બન્સી એટલે કે પ્રજાના અસંતોષનો પણ ફાયદો મળશે, તેવા તારણો નીકળી રહ્યા છે, તો તટસ્થ વિશ્લેષણો થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહ્યા છે.

હાલારની નગરપાલિકાઓની વાત કરીએ તો હજુ કાંઈપણ કહેવું વહેલું ગણાશે. જામજોધપુરમાં તો આમ આદમી પાર્ટી માટે ઉજળી સંભાવનાઓ છે, પરંતુ કાલાવડ અને ધ્રોળમાં જો ત્રિપાંખિયો જંગ થાય, તો કોને ફાયદો થાય, તે અત્યારથી કહેવું મુશ્કેલ છે અને ઉમેદવારીપત્રો ભરાય, ત્યાર પછી જ સાચા તારણો નીકળી શકે તેમ છે, જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાજપ માટે વિજય સરળ જણાતો હોવા છતાં આંતરિક ખેંચતાણ તથા એન્ટી ઈન્કમ્બન્સી ઉપરાંત તાજેતરની સમસ્યાઓ-અસંતોષનો ફાયદો વિપક્ષના ઉમેદવારોને પણ થઈ શકે છે. દ્વારકા અને ભાણવડ નગરપાલિકાઓની ચૂંટણીમાં કેવા સમિકરણો રચાય છે, અને કોને કોને ટિકિટ મળે છે, તેના પર બધો આધાર રહેવાનો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થયા પછી કોંગ્રેસના એક પ્રવક્તાએ તો ચૂંટણી પંચનો આભાર માનતા કહ્યું કે કમ-સે-કમ હવે વહીવટદારોના કુશાસનમાંથી તો જનતાને મુક્તિ મળશે. જ્યાં જ્યાં વહીવટદારોનું શાસન છે, ત્યાં ત્યાં એકાદ અપવાદ સિવાય લોકો ત્રાસી ગયા છે. સલાયામાં પણ આ વખતે રસાકસી જામશે, તેવા આશાવાદ સાથે કોંગ્રેસ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ઝંપલાવવાની હોવાથી હાલારમાં હલચલ તેજ બની ગઈ છે. ભાજપ અને કોંગ્રેસની તો આ માટે તૈયારીઓ પહેલેથી જ હશે, પરંતુ આ વખતે આમ આદમી પાર્ટી ચૂંટણીઓમાં કેટલું જોર બતાવે છે, તે જોવાનું રસપ્રદ રહેવાનું છે.

જો કે, રાજ્ય ચૂંટણી પંચ અને રાજ્ય સરકાર હજારો ગ્રામ પંચાયતોને વહીવટદારોના કુશાસનમાંથી ક્યારે છોડાવશે, તેવા અણિયાળા સવાલો પણ ઊઠવા લાગ્યા છે. જ્યારે હજારો ગ્રામ પંચાયતોમાં લોકોનું પ્રતિનિધિત્વ જ ન હોય અને વહીવટદારો દ્વારા કામ ચલાવાતું હોય, ત્યારે સ્વાભાવિક રીતે જ લોકોની મૂળભૂત સમસ્યાઓ, જરૂરિયાતો અને રજૂઆતોને વાચા મળે નહીં, અને અમલદારશાહીમાં જનતા અટવાયા અને અકળાયા કરે, લાંબા સમય સુધી હજારો ગ્રામ પંચાયતોને જનપ્રતિનિધિત્વ મળે નહીં, ત્યારે એવું પણ કહી શકાય કે ગાંધીજીના ગ્રામ સ્વરાજનું સ્વપ્ન રોળાઈ ગયું છે, અને 'અસલ' ગાંધવાદીઓનું હવે કોઈ સાંભળનારા નથી, ખરૃં ને?

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

મોંઘવારીનો મુદ્દો વિશ્વવ્યાપી છે... ટ્રમ્પે પણ કરી કબુલાત

ગઈકાલે અમેરિકાના રાષ્ટ્રપતિપદે શપથવિધિ સાથે જ નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જે શ્રેણીબદ્ધ જાહેરાતો કરી તેમાં દક્ષિણ અમેરિકાની સરહદે કટોકટી જાહેર કરી, તથા મોંઘવારીને અંકુશમાં લેવાનો વાયદો કર્યો છે. તે જોતા ડોનાલ્ડ ટ્રમ્પ આ વખતે ફ્રન્ટફૂટથી બેટીંગ કરશે, અને અમેરિકા ફર્સ્ટની નીતિ અપનાવીને 'શાંતિદૂત'ની જેમ વિશ્વના યુદ્ધોને ખતમ કરવાના પ્રયાસો કરશે તેમ જણાય છે.

જ્યાં સુધી ભારતને લાગે-વળગે છે, ત્યાં સુધી ટ્રમ્પની નીતિ કેવી રહેશે, તેની ખબર હવે પછી તે કેવો અભિગમ દાખવે છે, તેના પરથી પડશે, પરંતુ આતંકવાદના વિરોધમાં તેની નીતિ ભારતીય નીતિને અનુરૂપ રહેશે તથા બીજા દેશોના યુદ્ધમાં વિનાકારણ કૂદી પડવાની એટલે કે જગતના જમાદાર થવાની અમેરિકન પોલિસીમાં બદલાવ આવશે, તેમ જણાય છે, અને તેથી જ ભારત-પાક-ચીનના વિવાદો ઠારીને ટ્રમ્પ હવે નવા જ વૈશ્વિક સમીકરણો ઊભા કરવા જઈ રહેલા જણાય છે.

બીજી ભારતને સીધી અસર થાય તેવી બાબત ટ્રમ્પે બ્રિક્સના દેશોને આપેલી ચેતવણીની છે. ટ્રમ્પે બ્રિક્સ દેશોને પડકાર કરતા કહ્યું છે કે અમેરિકા જેવા સાથે તેવાની નીતિ અપનાવશે અને જરૂર પડ્યે ૧૦૦ (સો) ટકા ટેરિફ લાદતા અચકાશે નહીં. એક તરફ ચીનની ટિકટોકને રાહતના સંકેતો આપ્યા તો બીજી તરફ અમેરિકન સામાન પર અન્ય દેશો જે રીતે કરવેરા લાદશે તે જ રીતે અમેરિકા પણ વર્તશે, તેવા મતલબની ચેતવણી તથા બ્રિક્સ સંગઠનને લઈને ટ્રમ્પનું વલણ ભારત માટે અમેરિકાની બદલાઈ રહેલી નીતિનો સંકેત હોવાની ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે.

ભૂતકાળમાં એક વડાપ્રધાને ભ્રષ્ટાચાર વિશ્વવ્યાપી છે અને તેને સદંતર નિર્મૂળબ કરવો અઘરો છે, તે પ્રકારના નિવેદનો આપ્યા હતાં, તેવી જ રીતે ટ્રમ્પે મોંઘવારીને લઈને ચિંતા વ્યક્ત કરતા એવું કહી શકાય કે મોંઘવારી હવે કોઈ એક દેશની સમસ્યા રહી નથી, પરંતુ એક વૈશ્વિક સમસ્યા (ગ્લોબલ ઈશ્યુ) બની ગઈ છે. તેવી ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે અને આજે સામે આવી રહેલા વૈશ્વિક પ્રત્યાઘાતોમાં પણ મોંઘવારી અને ટેરિફના મુદ્દાઓ અગ્રીમ હરોળમાં ચર્ચાઈ રહ્યા છે.

ઈમિગ્રેશન પોલિસીને લઈને ડોનાલ્ડ ટ્રમ્પે કરેલા નવા નિર્ણયો પણ ભારતીયોને સીધા સ્પર્શે તેવા છે, અને તેને લઈને વિશ્વ પ્રત્યાઘાતો સામે આવી રહ્યા છે. કોઈ કહે છે કે ટ્રમ્પની નવી નીતિઓ ભારતના લોકો કે અમેરિકન ભારતીયો કે ભારતીય અમેરિકનોને બહુ અસર કરશે નહીં. કેટલાક લોકો એવું પણ માને છે કે ટ્રમ્પ ભારતને લઈને ઈમિગ્રેશન પોલિસીમાં બહુ ફેરફાર કરશે નહીં, અને જો ફેરફાર કરશે, તો પણ તે ભારત કે ભારતીયોના હિતોને હાનિકર્તા નહી હોય, આગે આગે દેખતે હૈ... હોતા હૈ ક્યા?

અમેરિકાએ વિશ્વઆરોગ્ય સંસ્થા તથા ક્લાઈમેટ ચેઈન્જ એગ્રીમેન્ટને તિલાંજલિ આપવાનો જે નિર્ણય લીધો છે, તેની પણ વૈશ્વિક અસરો પડવાની છે. કોરોના દરમિયાન થયેલા અનુભવો તથા અમેરિકામાં ટ્રમ્પકાળ દરમિયાન વૈશ્વિક રોગચાળામાં થયેલી સામૂહિક જાનહાની પછી ટ્રમ્પનું વલણ જોતા એવું લાગતું જ હતું કે વિશ્વ આરોગ્ય સંસ્થા સામે જબરદસ્ત નારાજગી છે. આ કારણે જ કદાચ ટ્રમ્પે વિશ્વ આરોગ્ય સંસ્થામાંથી અમેરિકાએ હટી જવાનું મન બનાવ્યું હશે.

ટ્રમ્પે સૌથી મોટી જાહેરાત યુક્રેન-હમાસ વગેરે સામેના યુદ્ધોની સમાપ્તિ તથા ત્રીજા વિશ્વયુદ્ધ નિવારવાની કરી છે. આ બન્ને જાહેરાતો સાથે તેમણે વિશ્વશાંતિ માટે કામ કરવા અને બીજા દેશોના યુદ્ધોમાં કૂદી પડવા પર અંકુશ લાવવાના નિર્ણયો જાહેર કર્યા છે, તે ઘણાં જ સૂચક અને અમેરિકાની જગતના જમાદાર તરીકેની મૂળ પોલિસીની વિરૂદ્ધમાં હોય તેમ જણાય છે, જો કે કેટલાક નિર્ણયો વિરોધાભાષી જણાતા હોવાથી હવે પછી શું થાય છે અને સંજોગોને અનુકૂળ ટ્રમ્પ પોતાની નીતિઓ બદલે છે કે કેમ? તેના પર બધો આધાર રહેવાનો છે.

ટ્રમ્પે મોંઘવારીની સમસ્યા કબુલી છે, અને દક્ષિણ સરહદે ઈમરજન્સી ઘોષિત કરી છે, તેવી જ રીતે રાષ્ટ્રીય ઊર્જા કટોકટી જાહેર કરીને અમેરિકામાં ઊર્જાની સમસ્યા વધુ ઘેરી બની રહી હોવાની માન્યતાઓને પુષ્ટિ પણ આપી છે, અને વાસ્તવિક્તા સ્વીકારી છે, તેવા અભિપ્રાયો પણ બહાર આવી રહ્યા છે.

અત્યારે તો ભારતને લઈને ટ્રમ્પ કેવી નીતિ અપનાવશે, તે સ્પષ્ટપણે કહી શકાય તેમ નહીં હોવાથી 'વેઈટ એન્ડ વોચ'ની નીતિ ભારત અપનાવી રહ્યું હોય તેમ જણાય છે. ટ્રમ્પની શપથવિધિમાં મોદીને આમંત્રણ નહીં અપાયું હોવાના અહેવાલો તથા શપથવિધિ સંપન્ન થયા પછી ટ્રમ્પ સૌ પ્રથમ ભારત અને ચીનની મુલાકાત લેશે, તેવા અહેવાલોનો વિરોધાભાસ જોતા એમ જણાય છે કે ભારતે ટ્રમ્પના પહેલા કાર્યકાળ જેવી અપેક્ષાઓ રાખવાના બદલે 'થોભો અને રાહ જુઓ'ની નીતિ જ અપનાવવી જોઈએ. આ વખતે ટ્રમ્પ ચૂંટણીમાં મજબૂતીથી જીત્યા હોવાથી હવે 'અમેરિકા ફર્સ્ટ'ની નીતિ અપનાવીને ફરી એક વખત 'ગ્રેઈટ અમેરિકા'ના સંકલનને દોહરાવી રહ્યા છે, તે ભારત માટે પણ ઘણું સૂચક છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

વ્હાઈટ ટી-શર્ટ અભિયાન કેટલું સફળ થશે...? ભાજપ-કોંગ્રેસમાં સખળ-ડખળ?

દિલ્હીની વિધાનસભા માટે મતદાનને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે કોંગી નેતા રાહુલ ગાંધીએ 'વ્હાઈટ ટી-શર્ટ મૂવ મેન્ટ' શરૂ કરી છે, અને તેના પાંચ સૂત્રો પણ વર્ણવ્યા છે. આ અભિયમાનમાં મોટા પ્રમાણમાં યુવાનોને જોડીને કોંગ્રેસમાં  દેશવ્યાપી જુસ્સો ભરવાની સાથે સાથે મોદી સરકાર સામે જનઆંદોલનના મંડાણ કરી દીધા હોય તેમ જણાય છે, બીજી તરફ  ગુજરાતમાં આવતા અઠવાડિયે જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની પ્રક્રિયા શરૂ થઈ જાય, તેવા અહેવાલો પછી તેના જે  પ્રત્યાઘાતો પડી રહ્યા છે, તે પણ ઘણાં જ સૂચક અને રસપ્રદ છે, ખરૃં કે નહીં?

રાહુલ ગાંધીએ ફરી એક વખત મોદી સરકાર પર અમીરોની તરફદારી અને ગરીબોની અવગણના કરવાનો આક્ષેપ  લગાવ્યો છે, અને વ્હાઈટ ટી-શર્ટ અભિયાનના માધ્યમથી યુવાનોને જોડીને એવા લોકો માટે સમર્થન માંગ્યું છે, જેઓ  દેશની સુરક્ષા, અર્થતંત્ર અને નાગરિકોના સન્માન સાથે નિષ્પક્ષતાને મજબૂત કરવા મેદાને પડેલા હોય.

રાહુલ ગાંધીએ સોશ્યલ મીડિયાના માધ્યમથી લખ્યું છે, તે તેમના જ શબ્દોમાં જોઈએ તો, 'આજે કેન્દ્ર સરકારે ગરીબો તથા  મહેનતુ વર્ગોને અવગણ્યા છે, અને તેઓને તેમના હાલ પર છોડી દેવાયા છે. સરકારનું સંપૂર્ણ ધ્યાન માત્રે ગણ્યાગાંઠ્યા  ધનવાનોને સમૃદ્ધ કરવા પર જ  છે. આ કારણે અસમાનતા વધી રહી છે. પોતાના પરસેવાથી દેશને પોષણ આપનાર શ્રમિકોની સ્થિતિ વધુ ખરાબ બની રહી છે, તેઓ વિવિધ પ્રકારના અન્યાય અને અત્યાચાર સહન કરવા મજબૂર છે. તેવામાં  આપણાં બધાની જવાબદારી બને છે કે તેમને ન્યાય અને અધિકારો અપાવવા માટે જોરદાર અવાજ ઊઠાવીએ. આ વિચારને  ધ્યાનમાં રાખીને અમે 'વ્હાઈટ શર્ટ મૂવમેન્ટ' શરૂ કરી રહ્યા છીએ હું મારા યુવા અને શ્રમજીવી મિત્રોને આ ચળવળમાં  મોટી સંખ્યામાં ભાગ લેવા અપીલ કરૃં છું.

એક તરફ રાહુલ ગાંધીએ આ નવું અભિયાન આદરીને મોદી સરકાર, ભાજપ અને સંઘને લલકાર કર્યો છે, તો બીજી તરફ  રાહુલ ગાંધીના એક નિવેદનને લઈને પણ વિવાદનો વંટોળિયો ઊઠ્યો છે. રાહુલ ગાંધીએ એ નિવેદનમાં કંઈક એવું કહ્યું હતું  કે, તેઓ માત્ર આરએસએસ અને ભાજપ સામે જ નહીં, પરંતુ ઈન્ડિયન સ્ટેટ સામે લડી રહ્યા છે. રાહુલ ગાંધીનો કહેવાનો  મતલબ ઈન્ડિયન ગવર્નમેન્ટ સામે એટલે કે અત્યારની ભારત સરકાર સામે લડવાનો હશે, પરંતુ તેમના આ નિવેદન પછી  ઊઠેલો વિરોધ હવે અદાલતોની અટાળીએ પહોંચે તેમ જણાય છે. કારણકે દેશમાં તેનો વિરોધ થયા પછી તેની સામે  એફઆઈઆર પણ નોંધાવાઈ રહી છે.

તાજેતરમાં જ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને રાજ્યના પ્રભારીએ જામનગરની મુલાકાત લીધી હતી, અને ગુજરાતમાં પણ  કોંગ્રેસનું સંગઠન મજબૂત બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે, ત્યારે જામનગર સહિત ગુજરાતમાં પણ રાહુલ ગાંધીના  આહ્વાન પર 'વ્હાઈટ ટી-શર્ટ (શર્ટ) મૂવમેન્ટ' જોવા મળશે, તે નક્કી જ છે ને?

જામનગર અને હાલારમાં પણ કોંગ્રેસનું સંગઠન મજબૂત કરવાના પ્રયાસો ઘણાં સમયથી થઈ રહ્યા છે, પરંતુ ગત્  વિધાનસભાની ચૂંટણીઓ પછી લોકસભામાં થયેલા પરાજય પછી વ્યાપેલી નિરાશા તથા આંતરિક મતભેદોની સામે લડવા  માટે નેતાઓ-કાર્યકરોને ઢંઢોળવા તથા નવો જુસ્સો ભરવાની જરૂર જણાવાઈ રહી હોવાથી જ પ્રદેશ કક્ષા તથા રાષ્ટ્રીય  સ્તરના નેતાઓની મુલાકાતો તથા કાર્યક્રમો હાલારમાં વધવા લાગ્યા હોય, તેમ જણાય છે, તો બીજી તરફ ભારતીય જનતા  પક્ષમાં પણ જિલ્લા સ્તરે બધું બરાબર હોય તેમ જણાતું નથી.

જિલ્લા કક્ષાએ ભારતીય જનતા પક્ષની આંતરિક ખેંચતાણ પ્રદેશ ભાજપ માટે પડકારરૂપ બની હોય, તેમ જણાય છે. અમરેલી જિલ્લાનો તાજેતરનો આખો ઘટનાક્રમ ભાજપની આંતરિક જુથવાદની પરાકાષ્ટાનું દૃષ્ટાંત છે. હાલારમાં દ્વારકા જિલ્લામાં હજુ પણ સંગઠન જળવાયું છે, પરંતુ જામનગર જિલ્લા તથા નગર-મહાનગરની કક્ષાએથી આંતરિક જુથવાદ કે  મતભેદોની સુગબુગાહટ ઘણી વખત જોવા મળે છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાને કેન્દ્રિયમંત્રી બનાવાયા, અને  ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલને પણ કેન્દ્રિય મંત્રી બનાવાયા પછી તેના સ્થાનો ભરવાની ગડમથલ  ચાલી રહી હોય ત્યારે જિલ્લા કક્ષાની સંગઠનાત્મક બાબતોનું કોણ ધ્યાન રાખે? વાવમાં હોય તો અવેડામાં આવે ને?

ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ રાજકીય સ્પર્ધા છે, અને ત્રીજા પક્ષને સ્થાન મળતું નથી. તેથી આમ આદમી પાર્ટી  ગત્ વિધાનસભા ચૂંટણીમાં ધોવાઈ ગઈ. જામજોધપુરમાં હેમતભાઈ ખવા તો સ્વબળે જ ચૂંટણી જીત્યા છે, ત્યારે હવે  પછીની એન્ટી ઈન્કમબન્સીનો ફાયદો લઈને કોંગ્રેસ મજબૂત બની શકે છે, પણ...?!

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

પ્રેસ-મીડિયા લોકતાંત્રિક વ્યવસ્થાનો ચોથો સ્તંભ ગણાય... લોકોના સૂચનો લક્ષ્યમાં લેવા જ પડે... અભિવ્યક્તિની આઝાદી... મૂળભૂત અધિકાર...

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને કોંગ્રેસના ગુજરાત પ્રભારી મુકુલ વાસનિક ગઈકાલે જામનગરની મુલાકાત લઈ ગયા, અને ભાજપ સરકાર પર પ્રહારો કરવાની સાથે સાથે કોંગ્રેસના સંગઠનને મજબૂત બનાવવાનો કોંગીજનોને સંદેશ પણ આપી ગયા. કોંગી નેતાઓએ કેટલાક ચોક્કસ મુદ્દાઓ ઊઠાવીને સ્થાનિક નેતાઓ-કાર્યકરોમાં જુસ્સો ભરવાનો પણ પ્રયાસો કર્યા.

બીજી તરફ રાજ્ય કક્ષાએ શિક્ષકો દ્વારા એકમ કસોટીનો જબરદસ્ત વિરોધ ઊઠતા રાજ્યવ્યાપી આંદોલનના પડઘમ પણ વાગવા લાગ્યા છે. એકમ કસોટી વિદ્યાર્થીઓ માટે તો ફળદાયી છે, પરંતુ એકમ કસોટીના કારણે રાજ્યના ત્રણ લાખ શિક્ષકો પર વધેલા ભારણના કારણે શિક્ષણ પર જ વિપરીત અસરો થશે તેવી તર્કબદ્ધ દલીલો સાથે શિક્ષક સમુદાયમાં ઘોર નિરાશા વ્યાપી ગઈ હોવાના પ્રત્યાઘાતો પણ પડી રહ્યા છે.

આગામી ૩૧ મી જાન્યુઆરીથી સંસદનું બજેટ સત્ર શરૂ થશે, અને કેન્દ્રિય બજેટ પહેલી ફેબ્રુઆરીના રજૂ થશે, તેવી જાહેરાત થઈ છે. હવે બજેટની મોસમ આવશે, અને કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો તથા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એટલે કે ગ્રામ પંચાયતો નગરપાલિકાઓ, તાલુકા પંચાયતો, મહાનગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને બોર્ડ-નિગમ-કોર્પોરેશનો દ્વારા વાર્ષિક બજેટો ઘડાશે, ચર્ચાશે અને મંજુર થશે. બજેટની આ પ્રક્રિયા આખો ફેબ્રુઆરી મહિનો ચાલશે, અને બજેટ સત્ર દરમિયાન સંસદ ગૂંજતી રહેશે.

વડોદરાની મહાનગરપાલિકાએ બજેટનો મુસદે તૈયાર કરતા પહેલા ત્યાંના નગરજનોના સૂચનો માંગ્યા છે, અને એક ઈ-મેઈલ આઈડી જાહેર કર્યું છે, અને તેના સ્થાનિક કક્ષાએ મિશ્ર પ્રત્યાઘાતો પણ પડી રહ્યા છે, પરંતુ આ અભિગમનું અનુકરણ જામનગર સહિતની અન્ય મહાનગરપાલિકાઓ પણ કરી શકે છે, તે પ્રકારનો જનમત પણ ઘડાઈ રહ્યો છે. કેટલીક મહાનગરપાલિકાઓને વ્હોટ્સ એપ દ્વારા ફરિયાદ નિવારણની પહેલ કરવા જેવા ઊઠાવેલા કદમના અનુભવે જ નગરજનોના સૂચનો મંગાવવા જોઈએ, અને પ્રત્યેક ઈ-મેઈલનો વ્યક્તિગત વિગતવાર (સરકારી ધોરણે નહીં) જવાબ પણ ઈ-મેઈલ દ્વારા જ નાગરિકોને આપવો જોઈએ, તેમ નથી લાગતું?

સામાન્ય રીતે આ પ્રકારના સરકારી અભિયાનો પછી લોકોએ મોકલેલા સૂચનો ડસ્ટબીનમાં જતા હોય છે, અને તેની નોંધ પણ લેવાતી નથી, તેવી લોકોમાં મજબૂત માન્યતા (કલંક) છે, જેથી આ પ્રકારના સૂચનોને કેવો પ્રતિભાવ આપવો, કેટલી નોંધ લેવી તથા કેટલો ઉપયોગ કરવો તેનો એકાધિકારી આ સૂચનો મંગાવનારાઓ પાસે જ રહેવાના બદલે કોઈ પારદર્શક તટસ્થ પ્લેટફોર્મ તૈયાર કરવું જોઈએ, અને સૂચનો કરનાર પ્રત્યેક નાગરિકે કરેલા સૂચનો તેના નામ સાથે તે જ સમયે જાહેર થવા જોઈએ. આવું જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી મેલી મથરાવટી ધરાવતા તંત્રો પર કોઈ ભરોસો કરવાનું નથી, ખરૃં કે નહીં?

કેન્દ્રિય બજેટ પહેલા નાણામંત્રી અને તેના મંત્રાલય દ્વારા વિવિધ ક્ષેત્રોના પ્રતિનિધિઓ સાથે તબક્કાવાર ચર્ચા-પરામર્શ કરવાની પરંપરા તો પહેલેથી જ છે, પરંતુ બજેટ પૂર્વે મેળવાયેલા આ અભિપ્રાયો-સૂચનો અને માંગણીઓનો કેટલો સ્વીકાર કરવો, અને કટલાક બજેટમાં સમાવવા, તેનો એકાધિકાર પણ સરકાર પાસે જ રહે છે, પરંતુ બજેટસત્રમાં ચર્ચા થયા પછી અંતિમ મંજુરી પહેલા તેમાં સુધારા વધારાને અવકાશ પણ રહેતો હોય છે.

આ વખતે કેન્દ્રિય બજેટમાં મધ્યમ વર્ગને ખુશ કરવા કદાચ ઈન્કમ ટેક્ષમાં રાહતો અપાય, અને સુક્ષ્મ,                      ,મધ્યમ ઉદ્યોગો, એ.આઈ. અને મેન્યુફેક્ચરીંગ સેક્ટરને લઈને કોઈ મહત્ત્વપૂર્ણ જાહેરાતો થાય, તેવી સંભાવનાઓ જણાવાઈ રહી છે. એટલું જ નહીં, રક્ષામંત્રી રાજનાથસિંહે તાજેતરમાં પીઓકેને લઈને કરેલું સૂચક નિવેદન, ચીનના જ્હાજોએ ભારતીય જ્હાજનો પીછો કર્યો હોવાના અહેવાલ તથા ભારતીય સેનાની વ્યૂહાત્મક જરૂરિયાતોને ધ્યાને રાખીને દેશના સંરક્ષણ બજેટમાં વધુ ફાળવણી કરવામાં આવશે, તેમ જણાય છે. જો એવું થશે, તો ક્યા ક્ષેત્રમાં કાપ આવશે, તે અંગે પણ અટકળો થઈ રહી છે. એટલું જ નહીં, કદાચ આગામી વર્ષે કેટલાક સરકારી ખર્ચાઓ પર કાપ આવે અને સરકાર કરકસરના પગલાં જાહેર કરે, તેવી શક્યતાઓ પણ જણાવાઈ રહી છે. એકંદરે આગામી બજેટ 'કહીં ખુશી, કહીં ગમ' જેવી સ્થિતિનું નિર્માણ કરશે અને દેશની સુરક્ષા, એ.આઈ. સેક્ટર, આઈટી સેક્ટર તથા મિડલકક્ષાના સંબંધિત બાબતોને પ્રાધાન્ય અપાશે, તેવા અનુમાનો થઈ રહ્યા છે.

દેશની રાજધાનીમાં ચૂંટણીલક્ષી માહોલ હોવાથી અવારનવાર પ્રેસ કોન્ફરન્સો યોજાઈ રહી છે અને રાજકીય આક્ષેપો-પ્રતિઆક્ષેપો થઈ રહ્યા છે. હવે તો સરકાર પર મીડિયા મેનેજમેન્ટ તથા પ્રોપાગન્ડાના આક્ષેપો સાથે 'ગોદી મીડિયા'ના આક્ષેપો થઈ રહ્યા છે, તો નગરથી નેશન સુધી કોંગ્રેસની પત્રકાર પરિષદો પણ ચર્ચામાં છે. કોંગ્રેસે ટોપ-ટુ-બોટમ સંગઠનને મજબૂત કરવાના પ્રયાસો શરૂ કર્યા છે.

બીજી તરફ કેન્દ્રિય એજન્સીઓના દુરૂપયોગની સાથે સાથે હવે પ્રેસ-મીડિયાને પ્રભાવિત કરવાના પ્રયાસો પણ થઈ રહ્યા છે. તેવા વિક્ષેપો-આક્ષેપોની વચ્ચે હવે તો જાહેર તથા ખાનગી ક્ષેત્રો દ્વારા પ્રેસ-મીડિયાને પ્રભાવિત કરવા તથા દબાવવાની રીત-રસમો હવે છાપેલા કાટલા જેવા અપરાધીઓ પણ અપનાવવા લાગ્યા હોય, ત્યારે મીડિયા જગતે પણ જાગૃત અને એકજુથ થવાની જરૂર હોવાના પ્રત્યાઘાતો પણ સામે આવવા લાગ્યા છે.

જ્યારે દેશમાં કોઈ રાજ્યમાં ચૂંટણી હોય, અને તે જ સમયગાળામાં બજેટની મોસમ શરૂ થતી હોય, ત્યારે બન્ને એકબીજાને પ્રભાવિત કરે તે સ્વાભાવિક છે, પરંતુ અભિવ્યક્તિની આઝાદી જેવા મૂળભૂત અધિકારો ધરાવતા દેશમાં લોકતાંત્રિક વ્યવસ્થાના ચોથા સ્તંભસમા પ્રેસ-મીડિયાને પ્રભાવિત કરવાના પ્રયાસો પગ પર કૂહાડી મારવા જેવા વાહિયાત ગણાય, તેમ નથી લાગતું?

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

હવે 'બુલા'ને લઈને ઊભી થઈ બબાલ... ઠંડા માહોલમાં કૃત્રિમ ગરમી... 'હમેં' ભી સુનો...!!!

કેન્દ્ર સરકારે આઠમા પગારપંચની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા, તો આ જાહેરાત દિલ્હીની ચૂંટણી ટાણે જ થઈ હોવાથી તેને લક્ષ્યમાં લઈને કેટલીક ટીકા-ટિપ્પણીઓ પણ થઈ રહી છે જો કે, આ જાહેરાત દેશ વ્યાપી હોવાથી આદર્શ આચાર સંહિતાનો ભંગ તો થતો નથી, પરંતુ દેશની રાજધાનીમાં કેન્દ્રીય કર્મચારીઓની મોટી સંખ્યા હોવાથી આ જાહેરાતનો ફાયદો કેન્દ્રીય સત્તાધારી ગઠબંધનને રાજકીય રીતે થાય, તે ઓપન સિક્રેટ ગણાય. આ જાહેરાતને કર્મચારી-પેન્શનરોના વર્તુળોમાં આવકાર મળી રહ્યો હોવા છતાં તેનો સીધો પ્રભાવ આગામી ચૂંટણીઓના મતદારો પર કેટલો પડે છે, તે કહી શકાય તેમ નથી.

દેશની રાજધાની સહિત દેશમાં ઠંડી યથાવત છે અને મકરસંક્રાંતિ પછી ગુજરાતમાં પણ કેટલાક શહેરોમાં દસ ડિગ્રીથી નીચે તાપમાન રહ્યું અને ઠંડાગાર પવનો ફૂંકાયા, જેની જનજીવન પર અસર પડી છે, ત્યારે હુતાશણી સુધીમાં ઠંડી ઘટશે અને ગરમીના દિવસો શરૂ થશે, તેવી આગાહીઓ પણ થવા લાગી છે.

હાલારમાં પણ હાડ થીજવતી ઠંડી પછી હવે ધીમે-ધીમે રાહત થતી જણાય છે, આવી કડકડતી ઠંડીમાં પણ યાત્રાધામો અને પ્રવાસન સ્થળોમાં પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટયા હતાં, હવે લગ્નગાળો શરૂ થતાં ગામડાઓ તથા શહેરોમાં અલગ જ પ્રકારનો ખુશહાલ માહોલ સર્જાઈ રહ્યો છે.

આટલા ઠંડીના માહોલ વચ્ચે પણ કેટલાક મુદ્દે ગરમા ગરમ જનાક્રોશ પણ દેશના વિવિધ રાજ્યોમાં જોવા મળી રહ્યો છે, જેમાં રાજનીતિની ગરમા ગરમી સિવાયના કેટલાક વિષયો પણ ચર્ચાઈ રહ્યા છે, અને ધગધગતા નિવેદનો પણ થઈ રહ્યા છે.

કેન્દ્રીય બજેટ રજૂ થાય, તેમાં લોકોને રાહતરૂપ જોગવાઈઓ થાય અને પ્રામાણિક ટેક્સ પેયરને પ્રોત્સાહન મળે, તેવા આશાવાદ વચ્ચે કેન્દ્ર સરકારે આઠમા પગારપંચની જાહેરાત તો કરી દીધી છે, પરંતુ તેની અમલવારી કરવામાં વર્ષાે નીકળી જશે, અને આ જ મુદ્દો આગામી ચૂંટણીઓમાં ફળદાયી બની શકે, તેવી રીતે આઠમા પગાર પંચનો વાસ્તવિક ફાયદો વર્ષ ર૦ર૭-ર૮ના વર્ષ સુધીમાં જ અપાશે, તેવો વ્યંગ પણ થઈ જ રહ્યો છે ને ?

સૌથી વધુ ચર્ચા તો નવા સૂચિત (પ્રસ્તાવિત) કાયદા 'બુલા'ને લઈને થઈ રહી છે, 'બુલા' બેનીંગ ઓફ અન રેગ્યુલાઈઝડ લેન્ડીંગ એક્ટિવિટીઝ એક્ટનું શોર્ટફોર્મ છે. બુલાના કાયદાનો પ્રસ્તાવ મૂકીને સરકારે સૂચનો માંગ્યા છે, પરંતુ તેના સંદર્ભે અપાઈ રહેલા પ્રચંડ આક્રોશ અને આશંકાઓ દર્શાવતા પ્રતિભાવો અને પ્રત્યાઘાતો નગરથી નેશન સુધી પડી રહ્યા છે.

આ કાયદા હેઠળ અનિયમિત નાણાકીય લેવડ-દેવડ પર અંકુશ મુકવાનો પ્રસ્તાવ છે જેમાં યોગ્ય અને કાનૂની પ્રક્રિયા વિના થતી નાણાકીય લેવડ-દેવડની પ્રવૃત્તિ કરનારને સજા કરવા સહિતની કેટલીક જોગવાઈનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે અને એકંદરે મિશ્ર પ્રતિભાવો સામે આવી રહ્યા છે.

આ મુદ્દે રાજકીય વર્તુળોમાંથી પણ મિશ્ર પ્રત્યાઘાતો પડી રહ્યા છે. કોંગ્રેસની વિચારસરણી ધરાવતા ઉદ્યોગ-વ્યાપાર ક્ષેત્રના પ્રત્યાઘાતો મુજબ આ પ્રકારની જોગવાઈઓ ફાયદાને બદલે લોકોને નુકસાન વધુ કરશે, અને દેશની અર્થવ્યવસ્થાને અસ્ત વ્યસ્ત કરી નાંખશે, પોલીસતંત્રને અમર્યાદ સત્તાઓ આપ્યા પછી પણ આ કાયદાનો દુરૂપયોગ થશે અને રોજીંદા વ્યવહારો જાળવવા પરસ્પર વિશ્વાસથી નાણા ઉછીના લેવા પર પણ અંકુશ આવશે, તો નાના, સુક્ષ્મ, મધ્યમ ઉદ્યોગો, ગૃહ ઉદ્યોગો અને રિટેઈલ વ્યાપારીઓ-પરચૂરણ વ્યવસાય કરીને ગુજરાન ચલાવતા નાના વેપારીઓને પણ ઘણી જ મુશ્કેલી પડશે, આથી એમએસએમઈનું ગળું જ ઘોંટાઈ જશે, તેવા પ્રત્યાઘાતો પડી રહ્યા છે. કોંગ્રેસ ઉપરાંત અન્ય વિપક્ષો પણ આ સૂચિત અધિનિયમનો વિરોધ કરી રહેલા જણાય છે.

જામનગર સહિત રાજ્યની ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ જેવી વ્યાપાર-ઉદ્યોગ ક્ષેત્રની સંસ્થાઓ, વેપારી મંડળો, ઔદ્યોગિક સંગઠનો તથા આ ક્ષેત્રના તજજ્ઞો-અગ્રણીઓએ પણ તીખા-તમતમતા પ્રતિભાવો આપ્યા છે.

એકંદરે એવા પ્રતિભાવો છે કે આ સૂચિત કાયદાનો ઉદ્દેશ્ય વ્યાજંકવાદ અને કાળાનાણાની હેરાફેરી પર અંકુશ લાવવાનો હોય તો પણ પહેલાં આપણી પારંપારિક વ્યાપાર ઉદ્યોગક્ષેત્રની વ્યવહારિક વ્યવસ્થાઓને એકદમ ખોરવી નાંખતા પહેલાં તેની વૈકલ્પિક અને સરળ-સસ્તી ધિરાણ વ્યવસ્થાઓ ઊભી કરવી અત્યંત જરૂરી છે, રોજીંદા વ્યવહારો માટે તત્કાળ નાની-મોટી રકમ ઉછીના આપવા કે લેવાનો કોઈ વિકલ્પ હાલમાં છે ખરો...? તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે.

ખાસ કરીને પોલીસતંત્રને જો અમર્યાદ સત્તાઓ અપાય તો તે અલગ જ પ્રકારની સમસ્યાઓ ઉભી કરશે, અને લોકોના બંધારણે બક્ષેલા મૂળભૂત હક્કોનું ઉલ્લંઘન થશે, તેવી આશંકાઓ પણ વ્યક્ત થઈ રહી છે.

વ્યાજખોરો ઊંચા દરે વ્યાજે નાણાંની ધીરધાર કરતા હોય અને તેને જો પ્રવર્તમાન કડક કાયદોઓ નાથી શકયા ન હોય, તો રોજીંદી જરૂરિયાતો મુજબ લાખ-બે લાખ રૂપિયા ઉચ્ચક ઉછીના લેનાર કે આપનાર સામે કાયદાનો દંડો ઉગામવો, એ સરાસર અન્યાય જ ગણાય, તેવા પ્રત્યાઘાતો વચ્ચે આ કાયદાનો પ્રસ્તાવ (મુસદ્દો) તૈયાર કરતા પહેલાં જાહેર જનતાના સૂચના ધ્યાને લેવા જોઈએ, અને વ્યાપારિક-ઔદ્યોગિક-વ્યવસાયિક સંસ્થાઓ, રિટેઈલરોના સંગઠનો, વેપારી એસોસિએશનો સહિત સૌ કોઈ સંબંધ કર્તાઓને વિશ્વાસમાં લેવા જોઈએ એ તેમ નથી લાગતું...?

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

અમદાવાદઃ દુબઈથી આવેલા એક પેસેન્જર પાસેથી પ૩ લાખનું સોનું જપ્ત કરાયું.

પ્રજાના પ્રશ્નો આ રીતે ઉકેલાશે ખરા? લોકદરબારો, ડાક અદાલતો, પબ્લિક હિયરીંગ શું માત્ર ડ્રામેબાજી હોય છે?

આપણે ઘણી વખત જોઈએ છીએ કે જ્યાં 'નો પાર્કિંગ'નું મોટું બોર્ડ લગાવ્યું હોય, ત્યાં જ વાહનો આડેધડ પાર્ક કરેલા હોય છે. જામનગર સહિતના નગરોમાં કેટલાક સ્થળે સ્વચ્છતા અભિયાનમાં મોટા હોર્ડીંગ્ઝ લગાવેલા હોય, ત્યાં જ ભયંકર ગંદકી અને ઉકરડામાં રખડતા ઢોર ખોરાક શોધી રહ્યા હોય, ઘણાં લોકો વન-વેમાં 'વટ'થી ઘૂસી જતા હોય છે, અને આ પ્રકારે વન-વેમાં વટ મારતા લોકોમાં મોટાભાગે શ્રીમંત નબીરાઓ હોય છે, તો ઘણી વખત નેતાપુત્રો, પોતાને કાયદાથી પર માનતા અને વીઆઈપીનો વહેમ રાખતા વિવિધ ક્ષેત્રના પ્રતિનિધિઓ અને તંત્રવાહકો કે સરકારી વાહનો પણ હોય છે, તે ઓપન સિક્રેટ નથી?

સરકારી કામ હોય કે ભગવાનના દર્શન કરવાના હોય, મંદિર હોય કે સરકારી કચેરી હોય, હોસ્પિટલની કેસબારી હોય કે બેન્કીંગ કાઉન્ટર હોય, બસમાં ચડવાનું હોય કે ટ્રેનમાં જવાનું હોય, આપણે શિસ્તબદ્ધ રીતે કતારો લગાવીને ભાગ્યે જ આગળ વધીએ છીએ, અને ધક્કામૂક્કી કરવી, એ જન્મસિદ્ધ અધિકાર હોય, તેવું વર્તન કરતા હોઈએ છીએ. આમ, આપણી માનસિક્તા જ એવી થઈ ગઈ છે કે, આપણે લખેલી કે અપાતી સૂચનાઓ કે ઘડાયેલા નિયમોનું સતત ઉલ્લંઘન જ કરતા રહીએ છીએ.

જ્યારે એવા અહેવાલો અનેક ચાઈનીઝ દોરીથી કોઈનું ગળું કપાયું, અથવા ચાઈનીઝ દોરીઓ વીજવાયરોમાં ચોંટી જતા ખંભાળિયામાં કલાકો સુધી અંધારપટ છવાયો, ત્યારે એ વિચાર કેમ નથી આવતો કે પ્રતિબંધ હોવા છતાં ચાઈનીઝ દોરી આવી ક્યાંથી? ચાઈનીઝ દોરીથી કોઈનું ગળું કપાયું હોય, તે દોરી વાપરનારને પકડીને અને તેના વેંચનારને દબોચીને કડક કાનૂની કદમ લેવાની 'ડ્રાઈવ' કે 'પાઈલોટ પ્રોજેક્ટ' કેમ નથી અજમાવાતો?

ગુજરાતમાં દારૃબંધી હોવા છતાં દેશી કે વિદેશી, બિયર કે કોચ અને ંચલપું, હાફ કે હોલ, જેવો જોઈએ તેવો અને જેટલો જોઈએ તેટલો દારૃ મળે છે, તે ઓપન સિક્રેટ છે. દેશમાં ડ્રગ્સ અને માદક દ્રવ્યો પર પ્રતિબંધ હોવા છતાં નશીલી ડ્રગ્સ પકડાય જ છે ને ? આ ડ્રગ્સનો જથ્થો પકડનારાઓને બિરદાવવા જોઈએ, પરંતુ તેને મોકલનારના મુળિયા સુધી પહોંચીને સમગ્ર ચેઈનને નેસ્તનાબૂદ કેમ કરી શકાતી નથી? આ નશીલા દ્રવ્યો, ડ્રગ્સ, શરાબ વગેરેની કોઈને કોઈ રીતે હેરાફેરી તો થતી જ હશે ને? આ બધું કાંઈ આકાશમાંથી ટપકતું નથી હોતું ને? છે કોઈની પાસે કોઈ જવાબ?

વાસ્તવમાં જેનો પ્રતિબંધ હોય, તે કરવાની વૃત્તિને કાબેલિયત કે 'વટ' ગણવાની માનસિક્તા જ સર્વવ્યાપક અને સર્વસ્વીકૃત બની ગઈ છે, તેમ નથી લાગતું?

જાહેરમાં ધુમ્રપાન કરવાની મનાઈ હોય ત્યાં જ સિગારેટના કસ ખેંચતા ખેંચતા 'વટ'થી આંખ મારવી, નજીક જ જાહેર મૂતરડી હોવા છતાં જાહેરમાં યુરીન (પેશાબ) કરવું, ટ્રાફિકને અડચણરૃપ થાય તેવી રીતે વાહન પાર્ક કરવું કે રોંગ સાઈડમાં ધરાર વાહન ચલાવીને વણજોઈતી તકરારો કરવી, વગેરે માનસિક્તા ધરાવતા લોકો જ જ્યારે કોઈ મહત્ત્વપૂર્ણ હોદ્દા પર પહોંચે છે, ત્યારે તેઓ ત્યાં પણ આ જ પ્રકારની હરકતો કરવા લાગતા હોય છે, અને તેથી જ 'પ્રતિબંધાત્મક' આદેશોનો ઉલાળિયો કરનારાની બોલબાલા હોય છે, અને સિસ્તબદ્ધ અને પ્રામાણિક રહેનારા લોકો લાઈનોમાં લાગીને ધક્કા ખાતા હોય છે કે પછી રોંગસાઈડમાં આવીને અથડાનારને પણ 'દયાવાન' બનીને જવા દેતા હોય છે, તેવી જે જનધારણાઓ વ્યાપી રહી છે, તેને અટકાવવા સમાજે, સરકારે અને ખાસ કરીને નિયંત્રક તંત્રોએ કોઈ નવા અભિગમો અને અભિયાનો ચલાવવા જોઈએ, તેમ નથી લાગતું?

લોકોના પ્રશ્નોના ઉકેલના નામે પણ ઘણાં નાટકો ચાલે છે. લોકોને પોતાના પડતર પ્રશ્નો ઉકેલવા માટે પણ ચોક્કસ એક જ મુદ્દો, કાગળ પર લખીને ચોક્કસ સમયમર્યાદામાં સ્થળે પહોંચાડો, ત્યાં હાજર રહો અને તેમ છતાં પ્રશ્ન ઉકેલાઈ, તો ઉકેલાય, તેને પ્રજાલક્ષી અભિગમ ગણવો કે પ્રજાને મુરખ બનાવીને હાથ ઊંચા કરી દેવાની તરકીબ ગણવી- તે જનતાએ નક્કી કરવાનું છે.

એક તો આ પ્રકારના દરબારો, ફરિયાદ નિવારણ અભિયાનો કે ડાક અદાલતો-પબ્લિક હીયરીંગ જેવા કાર્યક્રમો યોજવા જ કેમ પડે? આટલા બધા પ્રશ્નો પડતર જ કેમ રહે? તોતિંગ પગાર ખાતા તંત્રો કરે છે શું? તેવા પ્રશ્નો વિપક્ષો પણ કદાચ એટલા માટે નહીં ઊઠાવતા હોય કે કદાચ તેઓ સત્તામો આવે, ત્યારે પોતાના જ પ્રશ્નો ગળાની ફાંસ બની જતા હોય છે, ખરૃં કે નહીં?

એક તાજુ દૃષ્ટાંત છે, તાજેતરમાં જ વિનાકારણે ટપાલ રિટર્ન કરી દેવાની માનસિક્તા બદલવા તથા પોષ્ટતંત્રની સેવાઓ સુધારવાનું સૂચન થયું હતું, તો ટપાલ વિભાગે શરતો સાથે ચોક્કસ ફરિયાદો માટે જ (નીતિવિષયક બાબતો સિવાય) અરજીઓ ચોક્કસ સમયમર્યાદામાં મંગાવીને 'ડાક અદાલત'ની જાહેરાત કરી દીધી, જેથી નવા સ્ટાફ, ટપાલીઓને તાલીમબદ્ધ કરવા અને પ્રો-પબ્લિક સેવાઓમાં સુધારણાના 'નીતિવિષયક' સૂચનોનો છેદ જ ઊડી જાય...!? હવે રાજ્ય કક્ષાએથી આ ઉપયોગી સૂચનોની નોંધ લેવાશે ખરી?

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ઋતુ અને રાજનીતિ પર છવાયું ગાઢ ધુમ્મસ... ઠંડી મેં ભી ગરમી કા અહેસાસ

શિયાળાની જમાવટ વચ્ચે છવાયેલા ધુમ્મસે માત્ર સડક પરિવહન જ નહીં, પરંતુ વહેલી સવારે રેલવે અને હવાઈ સેવાઓને પણ થંભાવી દીધી અને દિલ્હીમાં ગાઢ ધુમ્મસથી વિઝિબિલિટી ઝીરો થઈ ગઈ હતી. આજે દેશની રાજધાનીમાં કમોસમી વરસાદની આગાહી થતા જાહેર આરોગ્યની દૃષ્ટિએ જોખમી સ્થિતિ સર્જાવા પામી છે. આજે વહેલી સવારે ઉત્તર ભારતના ઘણાં માર્ગો પર ધુમ્મસનું આવરણ છવાયેલું જોવા મળ્યું, તો આબુમાં પણ બરફની ચાદર છવાઈ ગઈ હતી, અને કાશ્મીર જેવું બરફીલું વાતાવરણ જામતા આબુના પ્રવાસીઓ પણ મોજ માણી રહેલા જોવા તાં. આજે સિઝનની સૌથી વધુ ઝાંકળવર્ષા થઈ રહી હોવાના અહેવાલો પણ આવી રહ્યા છે. આજે છવાયેલું ધુમ્મસ બપોર થતાં થતાં ઘટી જશે અને બપોરે લઘુતમ તાપમાન દોઢું થઈ જશે, તેવી આગાહી આજે સવારે જ કરાઈ હતી.

જો કે, દિલ્હીમાં હળવું માવઠું થાય તો ધૂમ્મસ ઘટે અને સાથે સાથે પ્રદૂષણ પણ ઘટે તેમ હોવાથી કમોસમી વરસાદ પણ ઉપયોગી બને છે. સાથે સાથે ઠંડી પણ વધતી હોવાથી સિઝનલ બીમારીઓનો ખતરો વધી જતો હોવાથી લોકોને સતર્ક પણ કરવામાં આવી રહ્યા છે.

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભમાં એક તરફ કરોડો શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે, તો બીજી તરફ કડકડતી ઠંડીના કારણે બીમારીનો ખતરો પણ વધી રહ્યો છે. ગઈકાલે એક નેતા સહિત બે-ત્રણ લોકોના મૃત્યુ થયા તથા કેટલાક લોકો બીમાર પડી ગયા હોવાના અહેવાલો પછી શ્રદ્ધાળુઓને કેટલીક સાવધાનીઓ રાખવાની અપીલ પણ ત્યાંના સ્થાનિક તંત્રો દ્વારા કરવામાં આવી રહી છે, તો બીજી તરફ આજે માર્ગ-રેલવે અને હવાઈ પરિવહન ગાઢ ધુમ્મસની અસર થતાં ખોરવાઈ ગયું હતું, તેની વિપરીત અસરો મહાકુંભની વ્યવસ્થાઓ તથા પ્રવાસીઓ પર પણ પડી રહી છે, જો કે મૃતકોની ખોટી સંખ્યા દર્શાવીને અફવાઓ ફેલાવતા અને ભ્રમ ઊભો કરતા પરિબળો સામે એફઆઈઆર નોંધીને પોલીસે કડક કદમ ઊઠાવ્યા પછી સોશ્યલ મીડિયા દ્વારા ભ્રમ ફેલાવતી પોષ્ટ દૂર થવા લાગી હતી. લોકોને અફવાઓથી દૂર રહેવા અને સ્થાનિક તંત્રો દ્વારા અપાતા માર્ગદર્શન તથા સૂચનાઓ અનુસરવારની અપીલો પણ થઈ રહી છે.

મહાકુંભના કારણે દેશના અર્થતંત્રને ફાયદો થશે અને જીડીપીમાં એક ટકાનો વધારો થશે, તે પ્રકારના અહેવાલો તથા મહાકુંભના મહાત્મય તથા તેને સંલગ્ન માહિતીના માધ્યમથી આજે દેશભરમાં મહાકુંભનું મહિમાગાન થઈ રહ્યું છે, અને તેમાં વિદેશથી આવેલા કેટલાક મૂળ ભારતીય ન હોય, તેવા પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ, સંતોના પ્રતિભાવો પણ પ્રેસ-મીડિયા અને સોશ્યલ મીડિયામાં છવાયેલા છે.

કડકડતી ઠંડી વચ્ચેેેેેેેેેેેેેેેેેેેકેટલીક ઘટનાઓ ગરમાવો ઉત્પન્ન કરી રહી છે, અને આંતરરાષ્ટ્રીય અશાંતિના માહોલમાં હમાસે બંધકો છોડવાનો પ્રસ્તાવ સ્વીકાર્યો હોવાના અહેવાલો છતાં અવિશ્વાસ અને અજંપાનો માહોલ ખતમ થઈ રહ્યો નથી, તો ભારતમાં મહાકુંભ પછી સૌથી વધુ ચર્ચા દિલ્હી વિધાનસભાની ચૂંટણીને લઈને થઈ રહી છે.

દેશની રાજધાનીમાં છવાયેલું ધુમ્મસ જાણે ત્યાંની રાજનીતિ પર પણ જાણે ગાઢ ધુમ્મસ છવાયું હોય, તેમ આ વખતે થનારી હાર-જીતને લઈને કોઈ સ્પષ્ટ અનુમાનો ભલભલા રાજકીય પંડિતો પણ કરી શક્યા હોય, તેમ જણાતું નથી, કારણ કે હવે રાહુલ ગાંધીએ પોતે જ દિલ્હીની ચૂંટણીના પ્રચારમાં ઝંપલાવીને કેજરીવાલ પર પ્રહારો કર્યા છે, અને કોંગ્રેસે ભાજપ કરતા યે વધુ સક્રિય રીતે આ વખતે દિલ્હીની ચૂંટણીમાં ઝંપલાવ્યું હોવાથી ત્યાં સત્તામાં ટકી રહેવું આમ આદમી પાર્ટી માટે સરળ નહીં હોય, જ્યારે ભાજપનો પણ અઢી-ત્રણ દાયકાઓ પછી દિલ્હીની સત્તા પર આવવાનું સ્વપ્ન પણ રોળાઈ જવાનું છે, તેવી અટકળો વચ્ચે કોંગ્રેસની સક્રિયતા કોને ફાયદો કરાવશે, તે નક્કી થઈ શકતું નથી, જો કે રાજકીય પંડિતો ભાજપ કરતા આ વખતે કોંગ્રેસને વધુ ફાયદો થશે અને શીલા દિક્ષિતના પુત્ર સંદીપ દિક્ષિત પર દિલ્હીના મતદારો પસંદગીનો કળશ ઢોળી શકે છે, તેવી સંભાવનાઓને  નકારી રહ્યા નથી.

દિલ્હીના મતદારો મન કળવા દેતા નથી અને પોસ્ટોર તથા સોશ્યલ મીડિયામાં બીજેપી-આમ આદમી પાર્ટી વચ્ચેના પ્રચાર-યુદ્ધ વચ્ચે કોંગ્રેસ ગૂપચૂપ પોતાના ચોકઠાં ગોઠવી રહી હોવાના તારણો પણ નીકળી રહ્યા છે.

કોંગ્રેસને જનાદેશ મળે, તો સંદીપ દિક્ષિત મુખ્યમંત્રી બનશે, તે લગભગ નક્કી છે, જ્યારે આમ આદમી પાર્ટીનો ચહેરો તો કેજરીવાલ જ છે, અને તેમણે પોતે આ ચૂંટણીમાં વિજયને પોતાની ઈમાનદારીનું સર્ટીફિકેટ ગણવાની જાહેરાત કરી દીધી છે, તેથી આમ આદમી પાર્ટીનો મુખ્યમંત્રી પદ માટે કદાવર ચહેરો છે પરંતુ ભાજપ પાસે તો મુખ્યમંત્રીપદનો કોઈ ચહેરો જ નથી, તેથી આ વરરાજા વગરની જાન 'વિજયવધૂ' લઈને કેવી રીતે આવી શકે, તેવા કટાક્ષો પણ થઈ રહ્યા છે, તેથી રાજકીય ગરમાવો વધી ગયો છે.

કડકડતી ઠંડી વચ્ચે પણ કેટલાક ક્ષેત્રોમાં ગરમી વધી રહી છે અને પૃથ્વીના એક ક્ષેત્રમાં બરફવર્ષા તથા બીજા ક્ષેત્રમાં ગરમી તથા પ્રચંડ આગના પ્રકોપ વચ્ચે દિલ્હીથી વોશિંગ્ટન અને નગરથી નેશન સુધી ધૂંધળો માહોલ છવાઈ ગયો હોય તેમ જણાય છે, અને ઠંડીમાં પણ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે, તો બીજી તરફ ખેડૂત આંદોલનથી લઈને અમરેલી ફેઈમ આંદોલનો તથા વકીલ મંડળોથી લઈને સહકારી ક્ષેત્રોમાં થતી હલચલ, હિલચાલ અને ગરમાગરમી આગામી દિવસોમાં મોટી નવાજુનીના સંકેતો આપી રહ્યા છે, તેમ નથી લાગતું?

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

માંગલિક પ્રસંગો- તહેવારોના ત્રિવેણી સંગમ વચ્ચે બદલાયું ઋતુચક્ર... રાજનીતિમાં રકઝક... ઘર ફૂટે ઘર જાય...

દુનિયાનો સૌથી મોટો અને વિશાળ મેળો ગણાતો મહાકુંભ આજથી ગંગા, યમુના અને સરસ્વતીનો ત્રિવેણી સંગમ ધરાવતા પ્રયાગરાજં આજથી શરૂ થયો છે, અને તેને સંબંધિત વ્યવસ્થાઓ થા આ મુદ્દે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે થયેલી લાંબી વાતચીત પછી રાજકીય વર્તુળોમાં પણ અટકળોનું બજાર ગરમ છે, અને ભાજપમાં કાંઈક નવાજુની થશે, તેવા એંધાણ પણ વર્તાઈ રહ્યા છે.

બીજી તરફ મકસંક્રાંતિના તહેવારને ઉજવવાની તૈયારીઓ દેશભરમાં ચાલી રહી છે, અને દેશના જુદા જુદા રાજ્યોમાં વિવિધ નામે ઉજવાતા આ તહેવારમાં ગુજરાતના પતંગ મહોત્સવે કાંઈક અલગ જ આકર્ષણ જમાવ્યું છે. જામનગર સહિત હાલારમાં પણ પતંગબાજો આવતીકાલે મકસંક્રાંતિના પર્વે ખાણી-પીણી અને ગીત-સંગીત સાથે પતંગ ચગાવવા થનગની રહ્યા છે. દ્વારકામાં શિવરાજપુરમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના પતંગ મહોત્સવે પણ ગ્લોબલ એટ્રેક્શન ઊભું કર્યું છે અને ત્યાં તો રિલિજિયસ ટુરિઝમ, ઈકો-ટુરિઝમ અને કાઈટ ફેસ્ટીવલનો અનોખો ત્રિવેણી સંગમ ઊભો થયો છે.

ઉત્તરાયણ પછી ધનુર્માસ સમાપ્ત થતા જ લગ્નસરાની સિઝન પણ આવી રહી છે અને ૧૪ મી જાન્યુઆરી પછીના પખવાડિયામાં જ નવ જેટલા દિવસોએ શુભલગ્નના મુહૂર્ત હોવાથી લગ્નની તૈયારીઓમાં અનેક પરિવારો વ્યસ્ત છે. તે પછી ફેબ્રુઆરી મહિનામાં તો અડધોઅડધ દિવસોમાં એટલે કે લગભગ ૧પ જેટલા મુહૂર્ત હોવાથી આ વર્ષે ફેબ્રુઆરી મહિનો જાણે શુભલગ્ન મહિના તરીકે ઉજવાઈ રહ્યો હોય અને ઈતિહાસ દોહરાવાઈ રહ્યો હોય, તેમ જણાય છે.

એવું કહેવાય છે કે ઉત્તરાયણ અથવા મકસંક્રાંતિના આગળ-પાછળના કાંધા બહું ઠરે, તેથી ઠંડી વધુ પડે, અને પછી ધીમે ધીમે ઠંડીનો પ્રકોપ ઘટતો જાય, પરંતુ એવી માન્યતા પણ છે કે શિયાળો હોળી તાપીને વિદાય લ્યે, એટલે હૂતાસણી સુધી ઓછા-વત્તા પ્રમાણમાં ઠંડીનું અસ્તિત્વ અને તે પછી ઋતુચક્ર ફરવાથી ઋતુ બદલે.

દેશની રાજનીતિમાં પણ ઉત્તરાયણ પછી ઉથલપાથલની અટકળો થઈ રહી છે. મોદી-યોગીની લાંબી મુલાકાત રાષ્ટ્રીય કક્ષાએ ભાજપમાં નવાજુનીના સંકેત આપે છે, તેવી જ રીતે ઈન્ડિયા ગઠબંધનના ચક્રવ્યૂહમાંથી બહાર નીકળીને કોંગ્રેસ કદાચ નવો ધડાકો કરે અને ફરીથી 'એકલા ચલો રે'ની નીતિ જાહેર કરીને અત્યારથી જ આગામી લોકસભા તથા કેટલીક વિધાનસભાઓની ચૂંટણીઓની સ્વબળે તૈયારીઓ કરે, તેવી સંભાવનાઓ પણ જોવા મળી રહી છે. આવું એટલા માટે થઈ રહ્યું છે કે કેટલાક પ્રાદેશિક પક્ષો કેન્દ્રમાંથી મોદીની એનડીએ સરકારને હરાવવાનું લોકતાંત્રિક લક્ષ્ય સાધી ન શકાયુ, તે માટે કોંગ્રેસને જવાબદાર ઠેરવી રહ્યા છે, જ્યારે કોંગી નેતાઓ તથા કોંગ્રેસના રણનીતિકારોનું મંતવ્ય એવું છે કે ભાજપને લોકસભામાં એકલા હાથે બહુમતી ન મળી, એનડીએની પીછેહઠ થઈ, અને પ્રાદેશિક પક્ષો ફાવી ગયા, તેની પાછળ કોંગ્રેસે (સીટોનું) આપેલું બલિદાન કારણભૂત છે. જો કોંગ્રેસ એકલા હાથે લોકસભાની મહત્તમ સીટ લડી હોત અને ૪પ૦ થી પ૦૦ ઉમેદવારો ઊભા રાખ્યા હોત, તો કદાચ આ વખતે કોંગ્રેસને ૯૯ બેઠકો મળી છે, તેનાથી ઓછામાં ઓછી ડબલ સીટો તો મળી જ હોત!

મહારાષ્ટ્રના વારંવાર નિવેદનો બદલતા રહેતા નેતા સંજય રાઉતે લોકસભામાં નિષ્ફળતા પછી ઈન્ડિયા ગઠબંધનમાં તડા પડ્યા અને હવે વિખેરાવા લાગ્યું છે, તેના માટે કોંગ્રેસને જવાબદાર ઠેરવી છે, જ્યારે સમાજવાદી પાર્ટી, કેટલાક ડાબેરી પક્ષો તથા નેશનલ કોન્ફરન્સે પણ આ જ પ્રકારની વાતો કરી છે, ત્યારે કોંગ્રેસના રણનીતિકારો પણ કહે છે કે, 'હવે બહુ થયું, જાગ્યા ત્યારથી સવાર!!'

બીજી તરફ એનડીએમાં પણ બધું બરાબર નથી. મહારાષ્ટ્રમાં એક તરફ શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના ઈન્ડિયા ગઠબંધન છોડવાની તૈયારીઓ હોવાની સંભાવનાઓ જણાવાઈ રહી છે, ત્યારે બીજી તરફ અમિતભાઈ શાહે શરદ પવારને લઈને જાહેરમાં કરેલા તાજેતરના ઉચ્ચારણો જોતા એમ જણાય છે કે, શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેને તત્કાળ એનડીએમાં સમાવીને ભાજપ શિંદે જુથને નારાજ કરવા માંગતું નથી, કારણ કે મહારાષ્ટ્રની ફડણવીસ સરકાર પણ અજીત પવાર જુથ અને શિંદે જુથની કાંખઘોડી પર જ ટકેલી છે ને?

ગુજરાતમાં તો અમરેલીમાં ભાજપના આંતરિક જુથવાદે જ રાજ્યની પટેલ સરકારને 'ફિક્સ'માં મૂકી દીધી હોય તેમ જણાય છે, અને પાટીદાર મહિલાકર્મીની બેઈજ્જતીના મુદ્દે ભાજપના જ રૂપાલા સહિતના નેતાઓ સમર્થનમાં આવ્યા પછી અંતે સરકારે કેટલાક પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવા પડ્યા હોવાના અહેવાલો જોતા એ કહેવત યાદ આવી જાય છે કે, 'ઘર ફૂટે ઘર જાય...!'

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

પ્રયાગરાજમાં ૪પ દિવસ સુધી ચાલનારા મહાકુંભમેળાનો આજથી પ્રારંભ થયો.

આજના સમયની માંગ છે ટપાલ ખાતું યુગને અનુરૂપ સેવાઓ સુધારે... કર્મચારીઓ-ટપાલીઓને તાલીમ બદ્ધ કરે...

જામનગરમાં સાદી ટપાલો, પોષ્ટથી મોકલાતા મેગેઝિન્સ, અખબારો વગેરે કેટલાક વિસ્તારોમાં પહોંચાડાતા નથી, અથવા સમયસર પહોંચતા નથી, તે પ્રકારની ફરિયાદો ટપાલ કચેરીઓ સમક્ષ તો થતી જ હશે, પરંતુ કેટલીક ફરિયાદો તો અખબારોના પાને ચમકે છે અને સોશ્યલ મીડિયાના માધ્યમથી પણ આક્રોશ વ્યક્ત થતો હોય છે, અને આ ફરિયાદોમાં વજુદ પણ જણાય છે.

એક જમાનો હતો, જ્યારે લોકો ટપાલી (પોષ્ટમેન) ની રાહ જોઈને બેસતા હતાં અને પત્રો, મનીઓર્ડર તથા પોષ્ટ પાર્સલની સેવાઓ ઝડપી, ચોક્કસ, વિશ્વસનિય અને નિયમિત હતી. આજે પણ દુર્ગમ અને ગ્રામ્ય વિસ્તારોમાં ટપાલ વિભાગની સેવાઓ દ્વારા સંદેશા વ્યવહાર ચાલી જ રહ્યો છે, છતાં કથળતી જતી સેવાઓની ફરિયાદો પણ દિવસે દિવસે વધી રહી છે, જેનું નિવારણ પણ આ વિભાગોએ તત્કાળ સ્વયં જ લાવવું પડે તેમ છે.

દાયકાઓથી ટપાલ વિભાગ દ્વારા રજિસ્ટર્ડ પોષ્ટની સેવાઓ સમગ્ર દેશમાં વ્યાપેલી છે. વર્ષો સુધી રજિસ્ટર એ.ડી.થી મોકલાતી ટપાલો સાથે એક પોષ્ટકાર્ડ જેવું એકનોલોજમેન્ટ કાર્ડમાં ટપાલ સ્વીકારનારની સહી મેળવીનેે તે ચોક્કસપણે રજિસ્ટર એ.ડી. કરનારને પહોંચાડાતું હતું, અને તે સંબંધિત વ્યક્તિ, સંસ્થા, કચેરી, સરકાર કે સંગઠનને મળ્યું હોવાનું મહત્ત્વપૂર્ણ પ્રૂફ ગણાતું હતું, જે અદાલતોમાં પણ સ્વીકૃત રહેતું હતું.

હવે આ પ્રકારનું એકનોલોજમેન્ટ કાર્ડ ભાગ્યે જ રજિસ્ટર્ડ-ટપાલ મોકલનારને પરત પહોંચાડાય છે, અને આ કાર્ડ સાદી ટપાલની જેમ જ મોકલનાર સુધી પહોંચાડાતું હોવાથી તે પહોંચાડાયું છે કે નહીં, તેની કોઈ નોંધ પણ રહેતી નથી, તેથી મોટાભાગના લોકો હવે સ્પીડ પોષ્ટનો ઉપયોગ કરવા લાગ્યા છે, કારણ કે આ સ્પીડપોસ્ટને ઓનલાઈન ટ્રેક અને ટ્રેસ કરી શકાય છે, અને ટપાલ વિભાગ દ્વારા આ ટપાલ પહોચાડનાર ટપલી તથા ટાઈમીંગ સહિતની હિસ્ટ્રી પૂરી પાડે છે. એટલું જ નહીં, આ ટપાલ સ્વીકારનારની સહી મેળવીને જ તેની ડિલિવરી કરવામાં આવે છે. કોઈ ચોક્કસ કારણસર ટપાલ પહોંચાડી શકાય તેમ જ ન હોય, તો પણ એ ટપાલ સેન્ડર એટલે કે મોકલનારને તેના જણાવેલા સરનામે પરત પહોંચાડવામાં આવે છે, જેથી આ ટપાલની મૂવમેન્ટની તમામ હિસ્ટ્રી ઓનલાઈન જાણી શકાય અને સેન્ડર અને રિસિવર તેને ટ્રેક પણ કરી શકે.

જો કે, હવે સ્પીડપોષ્ટ પણ પંદર-પંદર દિવસ સુધી પહોંચતી નહીં હોવાના પૂરેપૂરૂ સરનામું અને મોબાઈલ ફોન નંબર લખેલા હોવા છતાં ગણતરીના કલાકોમાં જ 'ઈન્સફિશિયન્ટ એડ્રેસ' એટલે કે પૂરતું સરનામું નહીં હોવાનો શેરો મારીને સેન્ડર તરફ રવાના કરી દેવાના કિસ્સાઓ વધવા લાગ્યા છે. જામનગરમાંથી તો આ પ્રકારની ફરિયાદ તાજેતરમાં જ ઈ-મેઈલથી ચીફ પોસ્ટ માસ્ટર જનરલ ગુજરાત સુધી પહોંચી અને ત્યાંથી તાકીદની સૂચનાઓ પછી સેન્ડર સુધી ટપાલ પહોંચી, એટલું જ નહીં, ઈ-મેઈલથી કરાયેલી ફરિયાદ અંગે ઈન્કવાયરી પણ શરૂ થઈ હોવાનું કહેવાય છે.

જો આ પ્રકારની ફરિયાદો વધશે, તો લોકોનો વિશ્વાસ ટપાલ તંત્રમાંથી ઊઠી જશે, અને ટેલિગ્રામ ઓફિસોની જેમ ટપાલતંત્ર પણ વિંટાઈ જશે, તેમ નથી લાગતું?

હકીકતે ટપાલ કચેરીઓ અને ખાસ કરીને જિલ્લા કચેરીઓ, સબ-પોષ્ટ ઓફિસો તથા બ્રાન્ચ પોષ્ટ ઓફિસોમાં 'સાફસૂફી' કરીને ટપાલતંત્રને અદ્યતન યુગને અનુકૂળ કાર્યાન્વિત કરવું પડે તેમ છે. કેટલાક નવા નિમાયેલા પોષ્ટમેનો (ટપાલીઓ) તથા શોર્ટીંગ કરતા સ્ટાફને નવેસરથી પ્રશિક્ષિત કરીને તેઓને સમયાંતરે તાલીમ આપતી રહેવી પડે તેમ છે. તેઓ હકારાત્મક અભિગમ અપનાવીને તથા વ્યવહારૂ બનીને ટપાલો રિસિવર સુધી અવશ્ય પહોંચાડે, તેવી રીતે તાલીમબદ્ધ કરવાની જરૂર છે, તેમ નથી લાગતું?

અત્યારે ઈન્ટરનેટ યુગમાં જ્યારે સ્પીડપોષ્ટ તથા રજિસ્ટર્ડ પાર્સલ વગેરે કન્સાઈન્મેન્ટનું ટ્રેકીંગ થઈ શકે છે, ત્યારે અધુરૂ સરનામું હોય કે ઘર બંધ હોય ત્યારે ટપાલ તે જ દિવસે પરત મોકલી દેવાના બદલે પાંચ-સાત દિવસ જે-તે સંબંધિત બ્રાન્ચ પોષ્ટ ઓફિસમાં રહે, અને રિસિવરને જાણ કરાય, જેથી રિસિવર તે રૂબરૂ સંપર્ક સાધીને મેળવી શકે, તેવી વ્યવસ્થા સુદૃઢ કરવી અત્યંત જરૂરી છે. ખાસ કરીને જ્યારે ટપાલ પર મોબાઈલ કે ફોન નંબર લખ્યા હોય, ત્યારે ટપાલી દ્વારા તેને ફોન કરીને ટપાલ ફરજિયાત પહોંચાડે, તેવી વ્યવસ્થા અને તાલીમ આપવી જોઈએ, કારણ કે હવે બાબા આદમના વખતથી ચાલી આવતી વ્યવસ્થાઓ ચાલે તેમ નથી ખરૃં ને?

આ તો થઈ ટપાલો પહોંચાડવાની વાત, પરંતુ ટપાલ વિભાગ દ્વારા અમલી બનેલી કેન્દ્ર સરકારની કેટલીક યોજનાઓ, બચતયોજનાઓ તથા નવતર પોષ્ટ-બેન્કીંગ ેસેવાઓ માટે પણ ભારતીય ટપાલ વિભાગમાં ટોપ-ટુ-બોટમ ધરમૂળથી ફેરફારો કરવા જરૂરી બન્યા છે, તે નક્કર હકીકત જ છે ને?

હાલમાં ભારતીય ટપાલ વિભાગની રાજ્ય-ડિવિઝન કક્ષાની કચેરીઓ તથા અધિકારીઓ જેવી ફરજનિષ્ઠા હવે ઘણાં સ્થળે ગ્રાસરૂટના કર્મચારીઓ-કચેરીઓમાં દેખાતી નથી, તેથી નવી ભરતીના કર્મચારીઓ જુના ટપાલીઓ જેવી સંવેદનશીલતા અને નિષ્ઠા ધરાવતા થાય, સીધી પબ્લિક સાથે સંપર્કમાં આવતી ટપાલ કચેરીઓના નાના અધિકારીઓ, ક્લાર્કો, ટપાલીઓ વગેરે પ્રો-પબ્લિક અભિગમ અપનાવતા થાય, તે અત્યંત જરૂરી છે, કારણ કે કુરિયર સેવાઓ તથા ઓનલાઈન સંદેશાવ્યવહારના યુગમાં ટકી રહેવા માટે હવે લોલંલોલ કે બેદરકારી ચાલે તેમ જ નથી, તે પણ નક્કર વાસ્તવિક્તા જ છે ને?

અત્યારે પણ રાષ્ટ્રીયકૃત બેંકો, રાજ્ય-કેન્દ્ર સરકારની કચેરીઓ, સરકારી કામકાજ કરતી ખાનગી એજન્સીઓ, અદાલતો તથા અન્ય સરકારી અને બંધારણીય સંસ્થાઓ તમામ પત્રવ્યવહાર અને પબ્લિક સાથેનો પત્રાચાર માત્ર ટપાલ વિભાગ દ્વારા સંચાલિત સેવાઓ મારફત જ કરી રહી હોવાથી ટપાલ તંત્રની બેદરકારી કે વિલંબ ઘણી વખત ઘણા લોકો માટે મુશ્કેલી અને સમસ્યા વધારી શકે તેમ હોવાથી ટપાલ ખાતુ સવેળા જાગૃત બને, તે સમયની માંગ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

દુર્ઘટના સે દેર ભલી, મંદિર સંચાલકો સાવધાન ગતિમર્યાદા અને ભીડ નિયંત્રણ અનિવાર્ય હોમાતી જિંદગીઓનું જવાબદાર કોણ?

આ વખતે દિવાળીના તહેવારો, વેકેશન અને નાતાલના મીની વેકેશનમાં યાત્રાધામ દ્વારકામાં બેકાબૂ કહી શકાય, તેવી ભીડ જોવા મળી હતી. કેટલાક દિવસોમાં તો જગતમંદિરમાં પણ મેન્યુલ ટ્રાફિક જામ થઈ ગયો હોય, તેવા દૃશ્યો સર્જાયા હતાં. સુદર્શન બ્રીજ બન્યા પછી બેટદ્વારકાના મુખ્ય મંદિરમાં પણ યાત્રાળુઓનો પ્રવાહ અનેકગણો વધી રહ્યો છે, જ્યારે નાગેશ્વર, હર્ષદ માતાજી સહિતના અન્ય યાત્રાધામો અને શિવરાજપુર, ઓખામઢી બીચ જેવા પ્રવાસન સ્થળોમાં સહેલાણીઓ પણ વધી રહ્યા છે, અને એવી જ ભીડ દ્વારકાના ગોમતી કાંઠે તથા ચોપાટી ઉપરાંત પૂર્વદરવાજે તથા બજારોમાં પણ મોટાભાગે જોવા મળતી હોય છે. એમાં પણ ભીડ વચ્ચે જ્યારે રખડુ સાંઢ સામસામા શિંગળા ભરાવીને યુદ્ધે ચડે, ત્યારે થતી નાસભાગ પણ ખતરનાક હોય છે.

આ તો થઈ મંદિરોની વાત, પરંતુ ઘણાં ધાર્મિક, સામાજિક અને અન્ય કાર્યક્રમોમાં પણ ઘણી વખત અચાનક વધી જતો જનપ્રવાહ ધક્કામૂક્કી સર્જતો જોવા મળતો હોય છે, તે ઉપરાંત બીમારી-રોગચાળાનો વધારો થાય ત્યારે દવાખાના, હોસ્પિટલોમાં પણ ધક્કામૂક્કી જેવા દૃશ્યો સર્જાતા હોય છે. એટલું જ નહીં, રેશનકાર્ડ લીન્ક, આધાર કાર્ડ કેન્દ્રો, સરકારી સેવાઓ, પોસ્ટ ઓફિસો તથા બેંકોમાં પણ ઘણી વખત ભીડ વધી જતા ધક્કામૂક્કી અને નાની-મોટી તકરારો થતી જોવા મળે છે.

આ ધક્કામૂક્કીના મૂળમાં અપુરતી વ્યવસ્થાઓ, દૂરંદેશીનો અભાવ અને ખાસ કરીને માનવસહજ ઉતાવળ જવાબદાર હોય છે, પરંતુ આ જ પ્રકારની ધક્કામૂક્કીના કારણે તિરૂપતિની તાજેતરની ઘટનાની જેમ લોકોએ જીવ પણ ગુમાવવો પડતો હોવાથી સમગ્ર 'સિસ્ટમ' સુધારવી જરૂરી છે, ખરૃં કે નહીં?

દેશમાં ચોતરફ અત્યારે તિરૂપતિમાં ધક્કામૂક્કી થતા ભાવિકોના થયેલા મૃત્યુની ચર્ચા છે. તિરૂપતિમાં જે ધક્કામૂક્કીના દૃશ્યો સર્જાય, તેવા જ દૃશ્યો હાલાર સહિત ગુજરાત અને દેશના ઘણાં મંદિરો તથા ધાર્મિક આયોજનો દરમિયાન સર્જાતા હોય છે. મંદિરોના ટ્રસ્ટો, સમિતિઓ અને સંચાલકો-વ્યવસ્થાપકોએ હવે ચેતી જવાની જરૂર છે, કારણ કે દિવસે દિવસે મુલાકાતીઓ-દર્શનાર્થીઓનો પ્રવાહ તો વધતો જ રહેવાનો છે, તેથી પરાપૂર્વથી ચાલી આવતી વ્યવસ્થાઓ હવે ચાલે તેમ નથી, અને તેમાં સમયોચિત સુધારા-વધારા થવા જરૂરી છે. આ જ પ્રકારની સાવચેતી હોસ્પિટલો, બેંકો, સરકારી કચેરીઓ, પાલિકા-મહાપાલિકાઓ, આધાર કેન્દ્રો, સેવા કેમ્પો, મેડિકલ કેમ્પો, યજ્ઞો-નેત્રયજ્ઞો વગેરેનું આયોજન કરતા આયોજકો, પ્રાણપ્રતિષ્ઠા, સમૂહલગ્નો કે સહાય વિતરણ જેવી પ્રવૃત્તિઓ યોજતા આયોજકો અને ખાસ કરીને તદ્વિષયક સલામતી-સુરક્ષા માટે જવાબદાર સરકારી, અર્ધસરકારી સંસ્થાકીય અને ખાનગી તંત્રો-એજન્સીઓએ પણ રાખવી જ પડે તેમ છે. હવે લોલંલોલ ચાલે તેમ નથી, કારણ કે ઠેર-ઠેર 'તીસરી આંખ' અને પ્રેસ-મીડિયાના કેમેરા ઉપરાંત હવે તો સોશિયલ મીડિયામાં સતત સક્રિય રહેતા હોય તેવા જાગૃત નાગરિકોના મોબાઈલ સેલ ફોનની 'ચોથી આંખ' પણ અત્ર-તત્ર સર્વત્ર 'એક્ટિવ' હોય છે!

દેશના માર્ગ-વાહન વ્યવહાર મંત્રી ખુદ જ અકસ્માતોના કારણે હોમાતી જિંદગીઓના આંકડાઓ સાથે વાહનચાલકોને ગતિમર્યાદાના પાઠ શીખવતા જોવા મળે છે, અને હિંમતપૂર્વક વર્તમાન સમયની વાસ્તવિક્તા સ્વીકારતા પણ સંભળાય છે, પરંતુ આ તમામ કારણોસર સડકો પર હોમાતી જિંદગીઓનું જવાબદાર કોણ? તેનો જવાબ ક્યાંયથી મળતો નથી. નિંભર તંત્રો, બિસ્માર માર્ગો અને ટ્રાફિક વ્યવસ્થાઓના અભાવ ઉપરાંત લોકોમાં પણ આ અંગે લાપરવાહી, ટ્રાફિક સેન્સનો અભાવ, બેફામ ડ્રાઈવીંગ, તેજ ગતિથી અને ટ્રાફિકના નિયમોને નેવે મૂકીને વાહનો ચલાવવા, થોભાવવા કે પાર્ક કરવાની ભૂલ 'વટ'થી કરવાની માનસિક્તા પણ જીવલેણ દુર્ઘટનાઓ માટે એટલી જ જવાબદાર છે, જેટલી જવાબદાર સડેલી અને ભ્રષ્ટ થયેલી 'સિસ્ટમ' છે!

વાહન ચલાવીને કોઈ સ્થળે સમયસર કે ઝડપથી પહોંચવાની ઉતાવળ હોય કે પછી મંદિરોમાં દર્શન કરવાની ઉતાવળ હોય, સરકારી કામોની કંટાળાજનક લાઈનોમાં ઝડપથી વારો આવી જાય, તેવી તાલાવેલી હોય કે હોસ્પિટલ-કેમ્પોમાં તાકીદે વારો આવી જાય, તેની તત્પરતા હોય, એ યાદ રાખવું જોઈએ કે દુર્ઘટના સે દેર ભલી!!

ગતિમર્યાદાનો સિદ્ધાંત રોડ પર સડસડાટ દોડતા વાહનો હોય કે શેરી-મહોલ્લા-ગલીઓમાંથી પસાર થતા નાના-મોટા વાહનોના ચાલકો હોય, સરકારી વાહનો હોય કે (સરકારી તંત્રો પણ કદાચ જેનાથી ડરતા હોય) તેવા ખાનગી (કંપનીઓના) વાહનો હોય, વાહન દ્વિચક્રી, ત્રિચક્રી કે ફોર વ્હીલ હોય કે બસો અથવા તોતિંગ ખટારા હોય, છોટા હાથી હોય કે નબીરાઓની ગાડીઓ હોય... બધાએ ચૂસ્તપણે પાળવો જ પડે... કેટલાક અકસ્માતો તો 'વટ' મારવામાંથી જ ઉત્પન્ન થતા હોય છે ખરૃં કે નહીં?

ગતિમર્યાદા, પાર્કિંગ, વન-વે તથા ટ્રાફિકના નિયમોનું ચૂસ્ત પાલન કરે કોણ? પગની નીચે રેલો આવે, ત્યારે હડિયાપટ્ટી કરતા તંત્રો કાયમી ધોરણે ચપળ કેમ રહેતા નથી? સિસ્ટમને શિષ્ટાચારના સ્વરૂપમાં ભરખી રહેલા હપ્તાફેઈમ ભ્રષ્ટાચાર સ્વરૂપી ઉધઈ કોરીને ખાઈ રહી છે, પરંતુ તેને અટકાવવાવાળું કોઈ નથી, કારણ કે આ પ્રકારની ઉધઈઓના ઉદ્ભવસ્થાનો ક્યાં ક્યાં છે અને ક્યા ક્યા છે, તે ઓપન સિક્રેટ જ છે ને?

જામનગરને ફરતો રીંગરોડ ઘણાં વર્ષોથી કામો ચાલતા હોવા છતાં પૂરો થતો જ નથી. તેનું જવાબદાર કોણ? આ રીંગ રોડ પર સમર્પણ હોસ્પિટલ તરફથી દિગ્જામમીલ થઈને બેડીબંદર તરફ જતા માર્ગે રહેણાંક વિસ્તારોની વચ્ચેથી પૂરપાટ દોડતા ખટારા, બસો અને અન્ય વાહનોના કારણે ભયંકર અકસ્માતની સંભાવનાઓ વધી રહી છે, તેમ છતાં યાદવનગરથી લઈને દ્વારકાધીશ સોસાયટી સુધીના માર્ગે આડેધડ ખટારા-બસોનું પાર્કિંગ થતું હોવાથી ખતરનાક દુર્ઘટનાની વધુ શક્યતાઓ રહેતી હોવા છતાં લોકલ નેતાઓની ચૂપકીદી અને તંત્રોની 'મજબૂરી' લોકોને  નથી... આવી જ સ્થિતિ નગરના ઘણાં વિસ્તારોમાં છે, ખરૃં કે નહીં?

હવે ગતિમર્યાદા અને ભીડ નિયંત્રણ માટે નવી વ્યવસ્થાઓ કરવી પડે તેમ છે, અને 'સિસ્ટમ'ને જડમૂળથી બદલવી પડે તેમ છે. એટલું જ નહીં, લોકોએ એટલે કે (આપણે) પણ 'વટ' મારવાની માનસિક્તા બદલવી પડે તેમ છે. ટ્રાફિકના નિયમોનો ભંગ કરવામાં બહાદુરી નથી, બેફામ ડ્રાઈવીંગ એ કુશળતા નથી અને બિનજરૂરી ધક્કામૂક્કી કે તકરારોથી સમય વધુ બગડતો હોય છે, તેટલું સમજાય જાય તો ય ઘણું છે...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

જીસ કા કોઈ નહીં, ઉસકા તો, 'વોટર' હૈ યારોં... મગર...?!

ગઈકાલે સમાચાર આવ્યા કે દ્વારકા જિલ્લાની મતદારયાદીઓની આખરી પ્રસિદ્ધિ થઈ ગઈ છે અને ૬૯૦૦ નવા મતદારો ઉમેરાયા છે, તો ર૭૦૦ થી વધુ મતદારોના નામો કમી પણ કરાયા છે. નવા મતદારોને ટપાલ દ્વારા ઘેર બેઠા ઓળખપત્રો પહોંચાડાશે, વગેરે... વગેરે...

આ જ રીતે ગઈકાલે દિલ્હી વિધાનસભાની ચૂંટણીઓની તારીખો જાહેર કરતી વખતે દેશના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમારે પણ દિલ્હીની મતદારયાદીઓમાં ઉમેરાયેલા અને રદ્ કરાયેલ મતદારોની સંખ્યા અને તેને સંબંધિત આંકડાકીય વિગતો આપી. એટલું જ નહીં, મતદારયાદીઓમાંથી હજારો નામ ગાયબ કરી દેવાયા, તો કેટલાક વિસ્તારોમાં ઉમેરી દેવાયા હોવાના આક્ષેપોને મક્કમતાથી ફગાવી દઈને તમામ પ્રક્રિયાત્મક હકીકતો, ચોક્સાઈ અને ટ્રાન્સપરન્સી સમજાવી હતી. આ મુદ્દો તે પછી રાજકીય ક્ષેત્રે પણ ચર્ચાયો હતો, અને બેબુનિયાદ આક્ષેપો કરવાની માનસિક્તા તથા લૂલો બચાવ કરાતો હોવાની દલીલોનું દંગલ સર્જાયું હતું.

ચૂંટણ ભલે દિલ્હી વિધાનસભાની હોય, દ્વારકા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની હોય, રાષ્ટ્રીય કક્ષાની હોય, પ્રાદેશિક કક્ષાની હોય કે પછી સહકારી ક્ષેત્રોની હોય, તેનું મહત્ત્વ લોકતાંત્રિક પ્રક્રિયાની દૃષ્ટિએ સમાન જ ગણાય, અને ચૂંટણી પ્રક્રિયાઓમાં જો આશંકાઓ જાગે કે આક્ષેપો થાય, તો તેની સ્પષ્ટતા કરવાની ચૂંટણી પંચની ફરજ છે, જે મુખ્ય ચૂંટણી કમિશનરે બજાવી, પરંતુ તેમાંથી જે તારણો અને વિશ્લેષણો ઉત્પન્ન થયા છે, અને ચૂંટણી પંચની ગઈકાલની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાજનેતાઓના બેહુદા નિવેદનોને લઈને મુખ્ય ચૂંટણી કમિશનરે જે કડક ટિપ્પણીઓ કરી, તેના ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે, તે આપણી સામે જ છે ને?

ગઈકાલે દિલ્હીમાં ભાજપ પર આક્રોશિત આમ આદમી પાર્ટીના નેતાઓએ મીડિયાને સાથે રાખીને મુખ્યમંત્રીના આવાસ (શિશમહેલ) અને વડાપ્રધાનના નિવાસસ્થાન (રાજમહેલ) માં પ્રવેશવાનો પ્રયાસ કર્યો અને પોલીસે તેઓને અટકાવ્યા તો આક્ષેપ-પ્રતિઆક્ષેપો વચ્ચે આ તમાશો નિહાળી કોંગ્રેસે વહેતી ગંગામાં હાથ ધોવાનું ટાળ્યું!!

જો કે, દિલ્હી વિધાનસભાની ચૂંટણી ભારતીય જનતા પક્ષ અને કોંગ્રેસ માટે પોતાનો જનાધાર વધારવા અને મેળ આવી જાય તો સત્તારૂઢ થવાની તક છે, તો આ વખતે આમ આદમી પાર્ટી માટે કપરાં ચઢાણ ગણાવાઈ રહ્યા છે. હજુ ચૂંટણીની તારીખો જ જાહેર થઈ છે, ત્યારે પ્રારંભિક અનુમાનો પછી દબાતા અવાજે પણ એવા તારણો તો નીકળી જ રહ્યા છે કે, પહેલા જેવી પ્રચંડ બહુમતી નહીં મળે, તો પણ દિલ્હીમાં સરકાર તો 'આપ'ની જ રચાશે, સાથે સાથે એવી સંભાવના પણ દર્શાવાઈ રહી છે કે બહુપાંખિયો જંગ હોવાથી આ વખતે 'આપ'નું ધોવાણ પણ થઈ શકે છે!

દિલ્હીમાં ચૂંટણીની તારીખો જાહેર થઈ તે પહેલા એવું જણાતું હતું કે મુખ્યમંત્રીપદ માટે કોંગ્રેસ કે ભાજપ પાસે કેજરીવાલ જેવો કદાવર ચહેરો પણ નથી અને પ્રચંડ જનાધાર ધરાવતો કોઈ મોટો નેતા પણ નથી, તેથી આમ આદમી પાર્ટી માટે ચૂંટણીઓ જીતવી સરળ હશે, પરંતુ કોંગ્રેસે ભાજપ કરતા પણ વધુ અક્રમક્તાથી દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવ્યા પછી ચિત્ર બદલાયું અને આમ આદમી પાર્ટીના નેતાઓ સોફ્ટ હિન્દુત્વનું વલણ અપનાવાતા જોવા મળ્યા. નવાઈની વાત એ છે કે દિલ્હીમાં ઉપર આભ અને નીચે ધરતી જેવી સ્થિતિમાં જીવન ગુજારતા હજારો પરિવારોની ચિંતા કરવાના બદલે મુખ્યમંત્રીના આવાસ માટે 'આપ' લડાઈ લડી રહી છે, અને ભાજપ પણ આ જ પ્રકારના રાજકીય મુદ્દાઓ ઊઠાવી રહી છે, અને તેમાંથી જ શિશમહલ અને રાજમહલ જેવા વિવાદો ઊભા થયા છે. આમ પણ આ 'મહેલો'ના વિવાદોમાં જ જનતાને સ્પર્શતા મૂળ મુદ્દાઓ દબાઈ જ જતા હોય છે ને?

દિલ્હીમાં જ્યારે માયાવતીએ બહુજન સમાજવાદી પાર્ટીના ઉમેદવારોને મેદાનમાં ઉતારવાની જાહેરાત કર્યા પછી ભાજપને રાજકીય ફાયદો થશે, તેમ જણાતું હતું, પરંતુ સમાજવાદી પાર્ટી અને તૃણમુલ કોંગ્રેસે આમ આદમી પાર્ટીને ખુલુ સમર્થન આપ્યા પછી ચિત્ર બદલાયું છે, અને કોંગ્રેસ એકલી અટુલી પડી ગઈ હોવાના અહેવાલો આવવા લાગ્યા, ત્યારે કોંગ્રેસે કહ્યું કે દિલ્હીમાં 'આપ' અને ભાજપને સત્તાથી દૂર રાખવા હવે મતદારો પાસે માત્ર કોંગ્રેસ જ એક વિકલ્પ રહ્યો છે. ટૂંકમાં કોંગ્રેસ કહે છે કે, 'જિસ કા કોઈ નહીં, ઉસકા તો 'વોટર' હૈ યારોં'...!!

જો કે, આ વખતે દિલ્હીના વોટર્સ પણ કદાચ કન્ફ્યુઝનમાં છે, તેથી આગામી ત્રણ અઠવાડિયામાં દિલ્હીના મતદારો ફરી એક વખત શીલા દિક્ષિતના પુત્ર સંદીપ દિક્ષિતના નેતૃત્વને સ્વીકારીને કોંગ્રેસને સત્તા સોંપશે, ભાજપને તક આપશે કે પછી ફરીથી કેજરીવાલમાં વિશ્વાસ મૂકશે, તે જાણવા માટે તો આઠમી ફેબ્રુઆરીની વાટ જ જોવી પડશે...!

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ચૂંટણીના માહોલ વચ્ચે કેન્દ્રિય બજેટના અનુમાનો, ઈન્ડિયન ઈકોનોમીને કેમ લાગ્યો ઝટકો...?

જામનગર સહિત જામનગર જિલ્લા તથા હાલારમાં ભાજપના પ્રમુખોની નિયુક્તિની પ્રક્રિયા હોય કે દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી માટે તારીખો જાહેર થયા પછી રાષ્ટ્રીય કક્ષાએ રાજનીતિમાં આવેલો ગરમાવો હોય,ં જામનગરમાં કામચલાઉ બસડેપો હોય કે આવી રહેલો પતંગોત્સવ હોય, પબ્લિકમાં આ મુદ્દાઓને લઈને જોરશોરથી ચર્ચાઓ થઈ રહી છે, અને સોશ્યલ મીડિયામાં પણ કોમેન્ટોના ઘોડાપૂર આવ્યા હોય તેમ જણાય છે. આ પ્રકારના પ્રચંડ પ્રચારના વાવાઝોડા વચ્ચે વ્યાપાર-ઉદ્યોગ ક્ષેત્રોથી લઈને નોકરિયાત વર્ગ તથા કૃષિકારોના વર્તુળોમાં પણ કેન્દ્રિય બજેટના અનુમાનો થવા લાગ્યા છે.

દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીઓ જોહર થઈ ગયા પછી કેન્દ્ર સરકારબ બજેટમાં તો દિલ્હી ક્ષેત્રને લઈને કોઈ વિશેષ જાહેરાત નહીં કરી શકે, પરંતુ સમગ્ર દેશની સાથે દિલ્હીની જનતાને પણ ફાયદો પહોંચે તેવી સર્વગ્રાહી જાહેરાતો બજેટમાં જરૂર થઈ શકે છે, અને તેમાં પણ ભાજપનાએક નેતા અને ઉમેદવારે બફાટ કર્યા પછી થયેલા પોલિટિકલ નુક્સાન પછી ડેમેજ કન્ટ્રોલ માટે કેન્દ્રિય નાણામંત્રી મહિલાઓને લઈને કોઈ દેશવ્યાપી પેકેજ કે સ્પેશ્યલ પેકેજની જાહેરાત પણ કરી શકે છે. આ પ્રકારના અંદાજો વચ્ચે કેન્દ્રિય નાણામંત્રી જ નહીં, પરંતુ દેશના અર્થતંત્ર માટે પણ ચિંતાજનક અહેવાલો આવ્યા છે, અને તેની ચિંતાની અસર પણ પ્રવર્તમાન રાજકીય પ્રવાહો પર પડ્યા વિના રહેવાની નથી.

અહેવાલો મુજબ નાણાકીય વર્ષ ર૦ર૪-રપ એટલે કે ચાલુ નાણાકીય વર્ષમાં દેશને ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ એટલે કે જીડીપીનો વૃદ્ધિ દર ૬.૪ ટકા જ રહેશે, તેવો અંદાજ મૂકાયો છે, જે મોદી સરકાર અને નાણામંત્રી માટે ઝટકારૂપ ગણાવાઈ રહ્યો છે.

ગયા વર્ષે ભારતનો જીડીપી ૮.ર ટકા રહ્યો હતો, અને હવે આ વર્ષે ૬.૪ ટકાનું આ વાર્ષિક અનુમાન ભારતીય અર્થતંત્ર માટે કેટલું ચિંતાજનક છે, અને તેની વિસ્તૃત ચર્ચાઓથી બચવા કેન્દ્રિય બજેટમાં કેવા ઉપાયો થશે, તેની અલગથી ચર્ચા શરૂ થઈ ગઈ છે.

વિવિધ આંકડાકીય માહિતી અને અધિકૃત ડેટા માટે કાર્યરત રહેતી નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (એનજીઓ) દ્વારા ગઈકાલે કરાયેલી જાહેરાત મુજબ ૬.૪ ટકાનો જીડીપી વૃદ્ધિ દર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ચાલુ વર્ષ માટે જાહેર કરેલા અંદાજ ૬.૬ ટકા કરતા પણ ઓછો હોવાથી એવું કહી શકાય કે કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સિતારમણ માટે એક તરફ કૂવો અને બીજી તરફ ખાઈ છે. એક તરફ દિલ્હીની ચૂંટણીઓ તથા આગામી વર્ષે થનારી વિવિધ અન્ય ચૂંટણીઓને લક્ષ્યમાં લઈને લોભામણું બજેટ રજૂ કરવાની જરૂર છે, તો બીજી તરફ ચાલુ વર્ષે જીડીપીને લાગનારા ઝટકાને સરભર કરવાના ઉપાયો પણ આગામી બજેટમાં જ કરવા પડે તેમ છે, ત્યારે જોઈએ, નાણામંત્રી કેવો રસ્તો અપનાવે છે તે...

ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપીમાં પણ શેરબજારની જેમ જ ઉતાર-ચઢાવ થતા રહ્યા  છે. ચાલુ નાણાકીય વર્ષ ર૦ર૪-રપ ના એપ્રિલથી જૂન સુધીના પ્રથમ ક્વાર્ટરમાં ભારતનો વિકાસદર (ક્વાર્ટર) ઘટીને પ.૪ ટકા જ રહી ગયો હતો. ત્રીજા ક્વાર્ટરમાં જીડીપી વધીને ૬.૬ ટકા થશે, તેવી આરબીઆઈની ધારણા પણ સાચી પડી રહી નથી અને ૬.૪ ટકાનું નવું અનુમાન સામે આવ્યું છે, ત્યારે કેન્દ્રિય નાણામંત્રી સાથે બજેટ પહેલા જ દ્વિધામાં મૂકાઈ જવું પડે, તેવા આ સંજોગો સર્જાતા છેલ્લા એકાદ-બે અઠવાડિયાથી કેન્દ્રિય બજેટને લઈને થઈ રહેલી અટકળોમાં પણ બદલાવ આવ્યો છે, અને નવા અનુમાનો થઈ રહ્યા છે. પહેલી ફેબ્રુઆરીના બજેટ રજૂ થવાનું છે, અને તે પછી દિલ્હી વિધાનસભાની ચૂંટણી થવાની છે, જે શાસક ગઠબંધન માટે પણ પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે, તો બીજી તરફ જીડીપીના નિર્ધારિત અનુમાનોમાં થતો ઘટાડો દેશની અર્થતંત્રની મબજબૂતી માટે ચિંતાજનક છે, તેથી આગામી કેન્દ્રિય બજેટ પર સૌ કોઈની નજરો મંડાયેલી રહેવાની છે.

એક તરફ મોદી સરકાર વિવિધ ક્ષેત્રે ઊંચા લક્ષ્યો સિદ્ધ કરવાના દાવા કરતી રહે છે, તો બીજી તરફ જીડીપીના અનુમાનો કાંઈક અલગ જ ચિત્ર રજૂ કરી રહ્યા છે, તેથી એવો સવાલ પણ ઊઠી રહ્યો છે કે ઈન્ડિયન ઈકોનોમીને ઝટકો કેમ લાગ્યો? તેવા પ્રશ્નનો ઉત્તર ક્યાંયથી મળી જ રહ્યો નથી.

ગઈકાલે દિલ્હીમાં પાંચમી ફેબ્રુઆરીના મતદાન અને આઠમી ફેબ્રુઆરીના મતગણતરીની જે જાહેરાત થઈ છે, તે પછી દિલ્હીમાં સ્વાભાવિક રીતે જ હલચલ તેજ થઈ ગઈ છે, પરંતુ મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમારે રાજનેતાઓ દ્વારા મહિલાઓને સાંકળીને જે ગંદી ટિપ્પણીઓ થાય છે, તેની સ્પષ્ટ શબ્દોમાં ટિકા કર્યા પછી રમેશ બિઘુડીના વિવાદાસ્પદ નિવેદનોને લઈને ફરીથી વિરોધનો વંટોળ ઊઠતા ભાજપ ભોંઠપ અનુભવી રહ્યું હશે... હવે જોઈએ, બિઘુડીનું શું થાય છે તે...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

દૂધનો દાઝયો છાશ ફૂંકી ફૂંકીને પીવે તે સારૂ કહેવાય... ક્યા ભાજપ નેતાએ કર્યાે સેલ્ફ ગોલ ?

અત્યારે નગરથી નેશન સુધી એચએમપીવી વાયરસની જ ચર્ચા ચાલી રહી છે. આ જૂનો વાયરસ નવા સ્વરૂપે પ્રગટ થતાં ચીનથી શરૂ થયેલી આ બીમારી હવે ભારતમાં પ્રવેશી ચૂકી છે અને ગુજરાતમાં પણ એચએમપીવીનો શંકાસ્પદ બાળદર્દી નોંધાયા પછી સમગ્ર રાજ્યમાં આરોગ્ય અને તબીબી તંત્રો સતર્ક થઈ ગયા છે. જી. જી. હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડ સહિતની વ્યવસ્થાઓ સાથે જરૂરી માર્ગદર્શન પણ અપાઈ રહ્યું છે. અખબારો અને ન્યૂઝ ચેનલોમાં આ વાયરસના લક્ષણો અને જરૂરી સાવચેતીઓ ઉપરાંત તેના ઉપચારને લઈને પણ ગહન ચર્ચાઓ ચાલી રહી છે.

જો કે, આ વાયરસ ઘણો જૂનો છે, અને કોવિડ-૧૯ જેવો ખતરનાક નથી, તેવા મતલબના તબીબી નિષ્ણાતોના અભિપ્રાયો ઉપરાંત ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલથી લઈને કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડા સુધીના અધિકૃત મંત્રીઓએ પણ આ વાયરસથી ડરવાની જરૂર નથી, પરંતુ બાળકો તથા ખૂબ જ વૃદ્ધોને આ વાયરસ વધુ અસર કરતો હોવાથી જરૂરી સાવધાની રાખવાની જરૂર હોવાની વાત કરી છે. એકંદરે આ વાયરસ ભલે કોવિડ-૧૯ જેટલો અત્યારે ખતરનાક ન ગ્ણાવાઈ રહ્યો હોય, તો પણ જરાયે બેદરકાર રહેવું પાલવે તેમ નથી, અને એ દૃષ્ટિએ જ નગરથી નેશન સુધીના તંત્રો સતર્ક અને સક્રિય થયા હશે ને ?

એક ગુજરાતી કહેવત છે કે દૂધનો દાઝયો છાશ ફૂંકી ફૂંકીને પીવે, અને હાલમાં કોવિડ-૧૯ના કડવા અનુભવો પછી આખી દુનિયા એચએમપીવીને હળવાશથી લઈ રહી નથી, તેથી એમ પણ કહી શકાય કે દૂધનો દાઝયો છાશને ફૂંકો ભલે ન મારે, પરંતુ છાશ બગડેલી તો નથી ને ? તેની ખાત્રી કરી લ્યે તે અત્યંત જરૂરી છે. કોઈપણ સંક્રમણને પ્રારંભમાં હળવાશથી લેવાના કેવા ગંભીર પરિણામો ભોગવવા પડે છે, તે કોરોના મહામારીએ દુનિયાને શિખવી જ દીધું છે. યોગાનુયોગ ચીનમાંથી જ્યારે કોવિડ-૧૯નું સંક્રમણ વિશ્વમાં ફેલાવવા લાગ્યુ અને ભારતમાં દસ્તક દીધી હતી ત્યારે દેશમાં રાજકીય માહોલ પણ ગરમ હતો. લોકસભામાં વિજય મેળવ્યા પછી એનડીએની સરકાર રચાઈ ચૂકી હતી, અને વડાપ્રધાન પદે નરેન્દ્ર મોદી રિપીટ થયા હતં. આ વખતે પણ લોકસભાની ચૂંટણી પછી એનડીએની સરકાર છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ છે. ફરક એટલો જ છે કે વર્ષ ૨૦૧૯ની ચૂંટણીમાં લોકસભામાં એકલા ભાજપની બહુમતી હતી, પરંતુ વર્ષ-ર૦ર૪ની લોકસભાની ચૂંટણી પછી ભાજપ બહુમતી થી ઘણું દૂર રહી જતાં એનડીએના સાથીદાર પક્ષો જેડીયુ અને ટીડીપી ની કાંખઘોડીના આધારે સરકાર રચવી પડી છે !

દેશની શાણી જનતાએ ભાજપના નેતાઓને ઘંડ છોડવા અને માપમાં રહેવા તથા વિપક્ષોને વધુ મહેનત કરવા અને વાસ્તવિક રીતે જનલક્ષી બનવાનો જનાદેશ આપ્યો હતો પરંતુ કેટલાક નેતાઓ મતદારોનો આ સંકેત સમજ્યા હોય, તેમ જણાતું નથી અને ઉભય પક્ષે વિવાદાસ્પદ નિવેદનો તથા અશોભનિય ટિપ્પણીઓ બંધ થઈ નથી...

દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે જ ભાજપના નેતા રમેશ બિઘુડીએ એવા નિવેદન કર્યા, જેથી ભારતીય જનતા પક્ષ બેકફૂટ પર તો આવી જ ગયો, સાથે સાથે ભૌઠપ પણ અનુભવવી પડે.

હકીકતે બિઘુડીએ દીલ્હીના કેટલાક બિસ્માર માર્ગાેને લઈને પ્રિયંકા ગાંધીને ટાંક્યા, અને દાયકાઓ પહેલા લાલુ પ્રસાદ યાદવે હેમા માલિનીને ટાંકીને જેવું નિવેદન કર્યું હતું, લગભગ તેવું જ વિવાદાસ્પદ નિવેદન કર્યું અને તેમણે દિલ્હીના વર્તમાન મહિલા મુખ્યમંત્રી આતિશી અને તેના પિતાને લઈને જે અભદ્ર ગણી શકાય, તેની ટિપ્પણી કર્યા પછી જબરદસ્ત વિરોધનો વંટોળ ઉઠયો અને ત્રિ પાંખિયા જંગમાં ભાજપની સામે પ્રતિસ્પર્ધી બન્ને પક્ષો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આ મુદ્દે એક થઈ ગયા , તે પછી બિઘૂડીએ ખેદ વ્યક્ત કર્યાે, અને તે પ્રકારની પોષ્ટ સોશ્યલ મિડીયામાં મૂકી, પરંતુ ઘણું મોડું થઈ ગયું હતું હવે ભાજપની નેતાગીરી આ બફાટને લઈને કડક કદમ નહીં ઉઠાવે તો દીલ્હીના મહિલા મતદારો એક જૂથ થઈને પાઠ ભણાવશે, તેવા અભિપ્રાયો પણ રાજકીય વિશ્લેષણો વ્યક્ત કરી રહ્યા છે.

આજે દિલ્હી વિધાનસભાની ચૂંટણીઓની જાહેરાત થવાની સાથે જ ત્યાં આચર સંહિતા લાગુ થઈ ગઈ છે અને હવે રિમોટ કંટ્રોલથી ચાલતી દિલ્હીની સરકાર કોઈ નવી જાહેરાતો કરી શકે તેમ નથી, તેથી હવે ચૂંટણીઓમાં રેવડી ફેઈમ વાયદાઓ કરવાની મોસમ પૂરજોશમાં ખીલી ઉઠશે તેમ જણાય છે. આ વખતે કોંગ્રેસ પક્ષ પોતાની તમામ તાકાત લગાવીને ભાજપ અને આમ આદમી પાર્ટીને પછાડીને દિલ્હીમાં સત્તા મેળવીને પોતાની રાષ્ટ્રીય મજબૂતી વધારવાના પ્રયાસો કરી રહી છે, ત્યારે દિલ્હીની જનતા (મતદારો) કેવો નિર્ણય લેશે, તે જોવાનું રહે છે. જો કે, દિલ્હીમાં 'આપ'ને પછાડવું સરળ નથી, પરંતુ કૌભાંડોના આક્ષેપો તથા કેટલીક અન્ય વાસ્તવિકતાઓ જાહેર થયા પછી 'આપ' માટે પણ તોતીંગ બહુમતી સરળ જણાતી નથી, જોઈએ શું થાય છે તે...

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

નૈસર્ગિક ઠંડક વચ્ચે રાજનીતિ ગરમ... કહીં ઠંડી કહીં ગર્મ..!

સૂર્યની ફરતે પ્રદક્ષિણા કરતી પૃથ્વી પોતાની ધરી પર પણ ગોળ-ગોળ ફરતી રહે છે, અને તેથી ઋતુ બદલાય છે, અને દિવસ-રાત થાય છે. આ કુદરતી ક્રમમાં હવે ગ્લોબલ વોર્મીંગ તથા ક્લાઈમેટ ચેઈન્જ જેવા પરિબળો ઉમેરાયા છે, જે ઋતુચક્રને પ્રભાવીત કરી રહ્યા હોવાની ચિંતા પણ હવે વિવિધ પ્રકારના ઈન્ટરનેશનલ પ્લેટફોર્મ્સ પરથી વ્યક્ત થવા લાગી છે. આ મુદ્દો હવે ગ્લોબલ ટોકીંગની પ્રથમ હરોળમાં છે, જેનો ઉકેલ લાવવામાં વિકસિત દેશોની આડોડાઈની ચર્ચા પણ થતી રહે છે.

અત્યારે પૃથ્વીના એક ભાગમાં જોરદાર હિમવર્ષા થઈ રહી છે, અને ઠેર-ઠેર બરફના તોફાને જન-જીવન અસ્તવ્યસ્ત કરી નાંખ્યું છે, તો બીજી તરફ ૪પ અંશે પહોંચેલા તાપમાનથી પ્રચંડ ગરમીનો પ્રકોપ પણ પૃથ્વીના બીજા ભાગોમાં તબાહી મચાવી રહ્યો છે, તેવી દહેશતે પણ કેટલાક વિશ્વના ભાગોમાં ભય ફેલાવ્યો છે.

એક તરફ ગ્લોબલ વોર્મીંગથી પૃથ્વીનું વાતવારણ પલટી રહ્યું છે, તો બીજી તરફ અશાંતિ, યુદ્ધો, ગૃહયુદ્ધો, વિવાદો અને આંતરિક ઉથલ-પાથલના કારણે ઘણાં દેશોમાં ઊભી થયેલ વિચિત્ર સ્થિતિના કારણે પૃથ્વી પરનો રાજકીય માહોલ પણ ગરમાઈ રહ્યો છે. અમેરિકામાં વિદાય લઈ રહેલા જો બાઈડનના અંતિમ કેટલાક નિર્ણયોને ટ્રમ્પને નારાજ કરી દીધા છે, તો બીજી તરફ પાકિસ્તાનમાં ભારતીય એજન્સીની 'રો' દ્વારા આતંકીઓની હત્યાઓ કરાવાઈ રહી હોવાના એક અમેરિકી અખબારે લગાવેલા સણસણતા આક્ષેપોએ ખળભળાટ મચાવી દીધો છે. રાજધાની દિલ્હીની વિધાનસભાની ચૂંટણીમાં કેજરીવાલ અત્યારે હોદ્દા પર નહીં હોવા છતાં ભાજપને હંફાવી રહ્યા છે, અને આ ચૂંટણીમાં રાજ્ય કક્ષાની (પ્રાદેશિક) નબળી નેતાગીરીના કારણે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી પ્રચારના મેદાનમાં ઉતરવું પડ્યું છે, તે આમ આદમી પાર્ટી અને ખાસ કરીને કેજરીવાલની રાજકીય તાકાત દેખાડે છે, તેવા અભિપ્રાયો સામે ભાજપ દ્વારા કેજરીવાલને ડ્રામેબાજ અને આમ આદમી પાર્ટીને દિલ્હીવાસીઓ માટે 'આપદા' ગણાવાઈ રહી છે. આ ચૂંટણીમાં આક્રમક રીતે ત્રીજો મોરચો માંડીને કોંગ્રેસે પણ આક્રમક રીતે ઝંપલાવ્યું છે, અને ભાજપ તથા આમ આદમી પાર્ટીને પ્રજાવિરોધી તથા ભ્રષ્ટ ગણાવીને દિલ્હીમાં સત્તા મેળવવાના પ્રયાસો કોંગ્રેસ કરી રહી છે, જેની સામે ('વોટરકટ' તરીકે?) માયાવતીએ બીએસપીના ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. આ ચતુર્મુખી ફાઈટમાં કોંગ્રેસ મેદાન મારી જશે તેવા તારણો સાથે 'બે બિલાડીની લડાઈમાં વાંદરો ફાવી ગયો' તે પ્રકારની કહેવતો પણ ટાંકવામાં આવી રહી છે. જોઈએ, હવે શું થાય છે તે...!!

રિસર્ચ એન્ડ એનાલિસિસ વિન્ડો નામની ભારતની ગુપ્તચર એજન્સી, જેને સંક્ષિપ્તમાં 'રો' તરીકે ઓળખવામાં આવે છે, તેના દ્વારા ભારત ભાડાના હત્યારાઓ દ્વારા આતંકીઓ તથા આતંકી સંગઠનો સાથે સંકળાયેલા લોકોની પોતાના ઘરમાં ઘૂસીને હત્યાઓ કરાવી રહ્યું હોવાના સણસણતા આક્ષેપો થયા છે. 'વોશિંગ્ટન પોસ્ટ' નામના અમેરિકાના આંતરરાષ્ટ્રીય કક્ષાના અખબારમાં થયેલા આ આક્ષેપો 'ટોક ઓફ ધ ગ્લોબ' બન્યા છે, અને તેના સંદર્ભે વિશ્વકક્ષાએથી વિવિધ પ્રતિભાવો સાથે ઘેરા પ્રત્યાઘાતો પણ પડી રહ્યા છે.

આ અહેવાલો મુજબ ભારતે રાષ્ટ્રવિરોધી એવા પ૮ શત્રુઓની યાદી બનાવી છે, જે વિદેશોમાં છૂપાયા હોય કે પછી પાકિસ્તાનમાં રહીને ભારત વિરોધી ષડ્યંત્રો રચાતા હોય, કે પછી આતંકી સંગઠનો સાથે સંકળાયેલા હોય, રિપોર્ટ મુજબ છેલ્લા ચાર વર્ષ એટલે કે વર્ષ ર૦ર૧ થી ર૦ર૪ દરમિયાન 'રો' દ્વારા પાકિસ્તાનમાં ૧૧ દુશ્મનોની હત્યા આ રીતે કરાવી નાંખવામાં આવી છે, અને હજુ ૪૭ દુશ્મનો સામે આ જ પ્રકારની પદ્ધતિથી કાર્યવાહી થઈ શકે છે.

આ અહેવાલો મુજબ વર્ષ ર૦રર માં તો આઈએસઆઈએ આ મુદ્દે સીઆઈએ (અમેરિકન જાસૂસી સંસ્થા) સમક્ષ રાવ (ફરિયાદ) પણ કરી હતી.

અત્યારે તો દિલ્હીની રાજનીતિ પણ ઉકળી રહી છે, તેમાં પણ ભાજપના એક નેતાએ દિલ્હીમાં અદ્યતન માર્ગો બનાવવાનો વાયદો કરતી વખતે ભાન ભૂલીને પ્રિયંકા ગાંધીને લઈને કરેલા નિવેદન પછી કથિત રીતે માફી માંગવી પડી, કેજરીવાલે મોદીને દિલ્હીની જનતાના વિરોધી ગણાવ્યા, તો મોદીએ આમ આદમી પાર્ટીને 'આપદા' ગણાવી તેની રાજકીય ચર્ચાએ કડકડતી ઠંડી વચ્ચે પણ માહોલ ગરમાવી દીધો છે. આ તરફ જામનગરમાં પણ કોઈ કાર્યક્રમ દરમિયાન વિવાદાસ્પદ ગીત (ગઝલ) ને લઈને કોંગી નેતાઓ સામે કથિત આક્ષેપો થયા પછી રાજકારણમાં ગરમી આવી હતી.

ઈઝરાયેલ પર ગાઝામાં નિઃસહાય અને નિર્દોષ લોકો પર બોમ્બવર્ષા અને ગોળીબાર કરવાના સણસણતા આક્ષેપો થઈ રહ્યા છે, તો પાક-અફઘાન, ભારત-પાકિસ્તાન તથા બાંગ્લાદેશ, ચીન-તાઈવાન, ઈરાન-ઈઝરાયેલ તથા રશિયા-યુક્રેન જેવી તંગદિલીઓ વચ્ચે ઈસરો અને નાસા દ્વારા કેટલીક અંતરીક્ષની સફળતાઓ અને કેટલાક વૈશ્વિક સફળ અભિયાનોની નોંધ પણ લેવાઈ રહી છે. અત્યારે સૌથી વધુ ચર્ચા તો ચીનમાં ઉદ્ભવેલા નવા ખતરનાક વાયરસની જ થઈ રહી છે!

અત્યારે નગરથી નેશન સુધી અને ગામડાથી ગ્લોબલ સ્તરે નૈસર્ગિક ટાઢોડા વચ્ચે રાજનીતિ ગરમ છે. પૃથ્વીના કેટલાક વિસ્તારોમાં હિમવર્ષાનો પ્રકોપ, તો કેટલાક દેશોમાં દુષ્કાળના ડાકલા સાથે પ્રચંડ ગરમી જોવા મળી રહી છે. મેરા ભારત મહાન... વસુધૈવ કુટુમ્બકમ્..

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ચીનનો વાયરસ અને વાયડાઈથી ચેતવું પડે... યે ક્યા હો રહા હૈ?

શિયાળો જમાવટ કરી રહ્યો છે, અને હિમાચલમાં થતી હિમવર્ષાની અસરો હેઠળ ફૂંકાતા ઠંડા પવનોની સાથે હવે ઋતુગત શિયાળાનું સંયોજન થયું છે, ત્યારે વર્ષ ર૦૧૯-ર૦ ના ડિસેમ્બર-જાન્યુઆરીથી શરૂ થયેલી કોવિડ-૧૯ ની મહામારીએ વેરેલા વિનાશની કડવી યાદ તાજી થઈ જાય, તેવા અહેવાલોએ ભારત સહિત આખી દુનિયાને ફરીથી ડરાવી દીધી છે.

ચીનમાં 'એચએમપીવી' નામનો વાયરસ ફેલાતા છેલ્લા કેટલાક દિવસોથી ચીનની હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે, અને સંખ્યાબંધ લોકોના જીવ જતા સ્મશાનો પણ પાર્થિવદેહોથી ભરપૂર થઈ ગયા છે, તે પ્રકારના અહેવાલો પછી કોવિડ-૧૯ ના પ્રારંભ સમયે જે સ્થિતિ ઊભી થઈ હતી, અને પ્રારંભમાં જે રીતે એ ખતરનાક વાયરસને ગંભીરતાથી લઈને વિશ્વના ઘણાં દેશોએ લાપરવાહી દાખવી હતી, તેને ટાંકીને એ ભૂલ ફરીથી ન થઈ જાય, અને એચએમપીવી વાયરસ સામે પણ અત્યારથી જ જરૂરી તમામ કદમ ઊઠાવાય,તેવી જરૂર પણ જણાવાઈ રહી છે.

તબીબી ક્ષેત્રના નિષ્ણાતોએ પણ મોટાભાગે આ જ પ્રકારના અભિપ્રાયો આપ્યા છે. તબીબી ક્ષેત્રના તજજ્ઞોને ટાંકીને એવા તારણો કાઢવામાં આવી રહ્યા છે કે આ વાયરસના સંક્રમણને અટકાવવા માટે તાકીદના પગલાં ભરવા જ પડે તેમ છે. લેબોરેટરી ક્ષેત્રના તજજ્ઞ ડો. ડેંગને ટાંકીને એવું કહેવામાં આવી રહ્યું છે કે હ્યુમન મેટાન્યૂમોવાયરસના એચએમપીવીનું સંક્રમણ ઝડપભેર વધીને તેનો પ્રકોપ બેકાબૂ બની રહ્યો છે, ત્યારે તેના લક્ષણો (સિમ્ટમ્સ) ની ઓળખ થવી જરૂરી છે. ગીચ વસતિ ધરાવતા વિસ્તારોમાં ઝડપથી ફેલાતો શ્વસનતંત્રના આ રોગ જો બેકાબૂ બની જાય, તો તે ભયાનક સ્વરૂપ ધારણ કરી શકે છે.

તબીબી ક્ષેત્રના ભારતીય નિષ્ણાતોના ભિન્ન ભિન્ન અભિપ્રાયો આવી રહ્યા છે. હેલ્થ સેક્ટરના ડાયરેક્ટર ડો. અતુલ ગોયલને ટાંકીને આ મહામારીના લક્ષણો વર્ણવાઈ રહ્યા છે, અને દેશવ્યાપી સર્વેક્ષણ કરીને આપણા દેશમાં શ્વાસ સંબંધિત બીમારી ધરાવતા દર્દીઓનો ડેટા એકઠો કરાઈ રહ્યો હોવાનું પણ જણાવાઈ રહ્યું છે. એચએમપીવી વાયરસની મહત્તમ અસરો બાળકો અને વૃદ્ધોને થતી હોવાથી વયજુથ મુજબના ડેટા વર્ગિકરણ કરીને તંત્રો દ્વારા તકેદારીના તમામ કદમ ઊઠાવાઈ રહ્યા હોવાના દાવાઓ પણ થઈ રહ્યા છે. શ્વાસને લગતા આ નવા વાયરસને લઈને ભારતભરમાં જરૂરી કદમ ઊઠાવાઈ રહ્યા છે, અને આ સંક્રમણ દીવાલો કે અન્ય સપાટીના સ્પર્શ કે સંક્રમિત વ્યક્તિની છીંક કે ઉધરસ દ્વારા ફેલાતો હોવાથી લોકોએ રાખવાની સાવચેતી અંગે પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે.

ચીનમાં આ નવા વાયરસને કારણે હેલ્થ ઈમરજન્સી જાહેર કરાઈ હોય, ત્યારે ભારત સરકારે પણ ગંભીરતાથી કદમ ઊઠાવીને આ મુદ્દે તત્કાળ કોઈ ગાઈડલાઈન્સ બહાર પાડવી જોઈએ, તેવી માંગ પણ ઊઠી રહી છે. ચીનમાં હેલ્થ ઈમરજન્સી જાહેર થયા પછી સમગ્ર વિશ્વમાં હડકંપ મચ્યો છે, ત્યારે વિશ્વ આરોગ્ય સંસ્થા પણ આ નવા વાયરસને કોવિડ-૧૯ ની જેમ મહામારી જાહેર કરીને કોઈ ગાઈડલાઈન જાહેર કરશે, તેવી ચર્ચાઓએ જોર પકડ્યા પછી આજે જે અપડેટ આવી રહ્યું છે તે આપણી સામે છે.

કોવિડ-૧૯ ના પ્રારંભે પણ ચીનમાં આવી સ્થિતિ હતી, જેની ગંભીરતા સમજાઈ નહોતી, અને રાજકીય ઘટનાક્રમોમાં વ્યસ્ત સરકારે પણ બહું ધ્યાન પ્રારંભમાં આપ્યું ન હતું, જેના દુષ્પરિણામો પણ આપણે ભોગવ્યા હતાં, જો કે તે સમયના કેન્દ્રિય આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધને પ્રારંભથી ઊઠાવેલા કેટલાક કદમ મહત્ત્વપૂર્ણ પૂરવાર થયા હતાં. આ નવી સંભવિત મહામારી સમયે પણ દેશના આરોગ્ય મંત્રી પોતે આગળ આવીને આ મુદ્દે સરકારની તૈયારીઓ તથા નવી બીમારીની ગંભીરતા અને અધિકૃત નિવેદન આપે, તેની રાહ જોવાઈ રહી છે.

ચીનમાંથી ફેલાતી મહામારીઓ આખી દુનિયામાં ઉથલ-પાથલ સર્જે છે, અને નરસંહાર સર્જે છે, તે જોતા આ પ્રકારની મહામારીઓ કુદરતી નહીં, પરંતુ માનવ સર્જિત તો નથી ને? તેવી આશંકા પણ હંમેશાં વ્યક્ત થતી રહે છે.

ચીનનો વાયરસ અને વાયડાઈની વ્યંગાત્મક ચર્ચા પણ આજે 'ટોક ઓફ ધ નેશન' બની ગઈ છે. એવા અહેવાલો આવ્યા છે કે ચીને એક તરફ તો ભારત સાથે સંબંધો સુધારવાનું નાટક શરૂ કર્યું છે, તો બીજી તરફ લદ્દાખમાં ચીને બે નવી કાઉન્ટી (ગામ) ના નિર્માણની જાહેરાત કરી છે, જો કે તેની સામે ભારતીય દિેશ મંત્રાલયે સખ્ત વિરોધ નોંધાવ્યો છે. ભારતે બ્રહ્મપુત્રા નદી પર બંધ બાંધવાની યોજનાનો પણ સત્તાવાર રીતે વિરોધ કર્યો છે, અને બ્રહ્મપુત્રા નદીના નિચાણવાળા ભારતીય પ્રદેશોના હિતો સુરક્ષિત રાખવાની તાકીદ પણ કરી છે. આમ, ચીનનો વાયરસ અને ચીનની વાયડાઈ આજે નેશનલ અને ઈન્ટરનેશનલ ચર્ચાના મુદ્દા બન્યા છે, ભારતે ચીનને પૂછ્યું છે કે, 'યે કયા હો રહા હૈ?

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ભેંસ પાસે ભાગવત વાચવાથી શું ફાયદો? સલાહ આપતા પહેલા સ્વયં સુધરો...

નવા વર્ષના પ્રારંભે જ અમેરિકા સહિત વિશ્વના કેટલાક દેશોમાં હિંસક અને આતંકી ઘટનાઓ બની, જીવલેણ અકસ્માતો થયા, ઘણાંના જીવ ગયા, ભારતનો રૂપિયો કંગાળ બન્યો અને આજે રોહિત શર્માની હકાલપટ્ટી પછી બુમરાહની કેપ્ટનશીપ હેઠળ ઓસ્ટ્રેલિયા સામે રમાઈ રહેલી પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચમાં પ્રારંભિક સેશનમાં જ ભારતીય ટીમની વિકેટો ટપોટપ પડવા લાગી, તે પ્રકારના અહેવાલો વચ્ચે સુરતની પોલીસે કુનેહપૂર્વક ઓરિસ્સાના દુષ્કર્મ અને હત્યાકેસના આરોપીઓને દબોચી લીધા, તેની વાહવાહી પણ થઈ રહી છે.

બીજી તરફ અમરેલીમાં ભાજપની કથિત આંતરિક ખેંચતાણ પ્રગટ કરતો જે 'લેટરકાંડ' થયો, અને તેમાં થયેલી ફરિયાદ પછી એક ટાઈપીસ્ટ યુવતીની થયેલી ધરપકડના પાટીદાર સમાજમાં ઘેરા પડઘા પડ્યા. આ પ્રકરણ પછી રાજ્યની ભાજપ સરકાર હચમચી ગઈ અને ડેમેજ કંટ્રોલ માટે હડિયાપટ્ટી શરૂ કરી, તો કોંગ્રેસે આ મુદ્દે પાટીદાર સમાજની ખ્યાતનામ સંસ્થાનો હસ્તક્ષેપ માંગ્યો, તે પછી આજે જે કાંઈ બની રહ્યું છે, તે આપણી સામે જ છે, અને 'લેટરબોંબ'નો વિવાદ એકબાજુ રહ્યો, અને હવે એક સામાજિક મુદ્દો ઉપસ્થિત થઈ રહ્યો છે, તેથી આ પ્રકારની રાજકીય ખેંચતાણમાં તંત્રની ભૂમિકાને લઈને પણ એક અલગ જ પ્રકારની ચર્ચા 'ટોક ઓફધ સ્ટેટ' બની ગઈ છે.

અમરેલીની પડોશમાં આવેલા જૂનાગઢ જિલ્લામાં પણ સ્ટેટ મોનીટરીંગ સેલના સ્ટાફે ગ્રામ્ય વિસ્તારમાં એક ગોડાઉનમાંથી દસ લાખ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો જપ્ત કરી ત્રણ બૂટલેગરો સામે ફરિયાદ દાખલ કરતા સ્થાનિક પોલીસ તંત્રમાં હડિયાપટ્ટી થઈ પડી અને ગોડાઉન સિમેન્ટ રાખવા માટે ભાડે આપનાર પૂછપરછ પણ થઈ, તે કિસ્સો ચર્ચાસ્પદ બન્યો છે. સ્થાનિક પોલીસતંત્રને જાણ કર્યા વગર સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા પાડવામાં આવેલા આ દરોડા પછી રાજ્યભરમાં સ્થાનિક પોલીસતંત્ર પણ સાબદા થઈ ગયા છે, અને થર્ટી ફર્સ્ટની ઉજવણી પૂરી થયા પછી 'ચેકીંગ' અને 'ઝુંબેશ'ની મંદ પડેલી ગતિ ફરીથી તેજ થઈ ગઈ હોવાનો વ્યંગ પણ કેટલાક જિલ્લાઓમાં થવા લાગ્યો છે. આ ઉપરાંત થર્ટી ફર્સ્ટ પહેલાના અઠવાડિયા જેવી જ 'ડ્રાઈવ' કાયમી ધોરણે થતી રહેવી જોઈએ, તેવી સલાહો પણ અપાઈ રહી છે!

જો કે, જૂનાગઢમાં સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા પછી ત્યાંના જ એક ઉચ્ચ પોલીસ અધિકારીનો પત્ર પણ સોશ્યલ મીડિયામાં વાયરલ થયો અને તેને પણ 'લેટરબોમ્બ' તરીકે વર્ણવીને તંત્રની વાસ્તવિક્તા પ્રગટ થઈ હોવાની ચર્ચા થઈ રહી છે. એવું કહેવાય છે કે, જિલ્લા કક્ષાના ઉચ્ચ પોલીસ અધિકારીએ ગત્ માર્ચ મહિનામાં જિલ્લાના પોલીસતંત્રના અધિકારીઓને પત્ર લખીને સ્થાનિક પોલીસની મીઠી નજર હેઠળ દારૂની પ્રવૃત્તિ ચાલી રહી હોવાનું જણાવીને ચેતવ્યા હતાં અને બહારની એજન્સીની કોઈ સફળ રેડનો ઉલ્લેખ તે વખતે પણ થયો હતો. એવો સવાલ પણ ઊઠી રહ્યો છે કે તે સમયે 'મીઠી નજર' હોવાના કથિત પોલીસકર્મીઓ-અધિકારીઓ સામે કડક પગલાં કેમ ન લેવાયા? જો તે સમયે જ કડક કદહ ઊઠાવ્યા હોત તો સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા હાલમાં પડાયેલા કથિત દરોડા પછી જે નામોશી સહન કરવી પડી રહી છે, તેવી સ્થિતિ ઊભી જ ન થઈ હોત!

અંગ્રેજીમાં કહેવત છે કે સખાવતની શરૂઆત પોતાના ઘરથી જ થવી જોઈએ, એટલે કે કોઈને સલાહ આપતા પહેલા સ્વયં સુધરવું પડે. આપણે ત્યાં એક સંતની ટૂંકી વાર્તા ઘણી જ પ્રચલિત છે,જેમાં એક બાળકને ગોળ નહીં ખાવાની સલાહ આપતા પહેલા તે સતે પોતે ગોળ ખાવાનું છોડી દીધું હતું. 'ચેરિટી બિગીન્સ હોમ' એટલે કે દાનની શરૂઆત પોતાના ઘરથી જ કરવી જોઈએ, તેવી કહેવતોની અસર કેટલી થશે, તેને લઈને પણ એક અલગ જ પ્રકારની ચર્ચા થઈ રહી છે!

આપણે ત્યાં એક એવી કહેવત છે કે, ભેંસ પાસે ભાગવત વાચવાથી શું ફાયદો? બીજી એક કહેવત છે કે 'લાતોં કે ભૂત બાતોં સે નહીં માન તે'. ત્રીજી કહેવત છે કે 'મન હોય તો માળવે જવાય, નાચવું ન હોય, તેનું આંગણું વાંકુ'... આ બધી જ કહેવતો ટૂંકામાં ઘણું બધું કહી જાય છે, પરંતુ નિંભર થઈ ગયેલા તંત્રો, સડી ગયેલી સિસ્ટમ, લાપરવાહ નેતાગીરી અને 'શિષ્ટાચાર'નું સ્વરૂપ લઈ ચૂકેલો હપ્તાખોર, ભ્રષ્ટાચાર એટલો વ્યાપક બન્યો છે કે તેની સામે તંત્રની જ અંદર રહેલા પ્રામાણિક ઉચ્ચ અધિકારીઓથી લઈને ગ્રાસરૂટ સુધીના નિષ્ઠાવાન કર્મચારીઓ પણ લાચાર થઈ જતા હશે!!!

ગઈકાલે જ અહીં બેડીબંદર તરફ જતા રીંગ રોડની વ્યથા સહિત જામનગર શહેરની ચોતરફ વિસ્તરી રહેલા રહેણાંક વિસ્તારો તથા તેને સંલગ્ન સમસ્યાઓ વર્ણવી હતી, તેના આગલા દિવસે પણ નગરની મૂળભૂત જરૂરિયાતોની વાત કરી હતી. જામનગરમાં નિર્માણ થઈ રહેલા વિકાસકામોની સાથે સાથે લોકોની રોજીંદી વ્યવસ્થાઓ પણ જળવાઈ રહે, અને બહું તકલીફ ન પડે, તેવો અભિગમ પણ ધીમે ધીમે આકાર લઈ રહેલો જણાય છે. ત્યારે નગરના તંત્રો સંકલન કરીને સંપૂર્ણ રીંગરોડ સહિતના વિસ્તારોનું અવલોકન કરે, લોકોના અભિપ્રાયો માંગે અને જરૂરી કદમ ઊઠાવે તે જરૂરી છે. નેતાઓ તથા કોર્પોરેટરો, જનપ્રતિનિધીઓ પણ આ મુદ્દે 'ચૂંટણી ફેઈમ' વોર્ડવાઈઝ મિટિંગો કે સભાઓ કરીને સમસ્યાઓ ઉકેલશે, તેવી આશા રાખીએ...

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

બેડી બંદર તરફ જતા ખટારા અને રખડતા ઢોર જીવલેણ અકસ્માતનો ઝળુંબતો ખતરો... તંત્રો કાંઈ કરશે? નેતાઓ ચૂપ કેમ?

જામનગરની મહાનગરપાલિકાને વિકાસના કામો માટે જંગી રકમની ફાળવણી મુખ્યમંત્રીએ કરી હોવાના અહેવાલો પછી જામનગરના માર્ગોનું નવીનિકરણ થશે અને જામનગરની ચોતરફ રીંગરોડના વિસ્તૃતિકરણ અને આધુનિકરણનું મંથર ગતિથી ચાલતું કામ હવે વેગ પકડશે, તેવી આશા તો નગરજનોને બંધાણી છે, પરંતુ આ યોજનાનો અમલ થાય, અને કામો સંપન્ન થાય, ત્યાં સુધી નગરજનોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે, તેવી રીતે વિકાસના કામો થવા જોઈએ અને સ્થાપિત હિતો તથા કેટલાક લાપરવાહ ધંધાર્થીઓ દ્વારા ઊભા થતા કૃત્રિમ અવરોધો હટાવીને લોકોની અવરજવર સલામત અને સરળ બનાવવા માટે મહાનગરપાલિકા, વહીવટી તંત્ર તથા પોલીસતંત્રે સંયુક્ત અભિયાન આદરવું અત્યંત જરૂરી છે.

જામનગરનું આધુનિક બસપોર્ટ બનાવવા માટે હંગામી ધોરણે બસડેપો પ્રદર્શન ગ્રાઉન્ડમાં આવશે, તેથી સાત રસ્તા પર ટ્રાફિક જામની સમસ્યા વધુ વકરે તે પહેલા જ વૈકલ્પિક વ્યવસ્થાઓ ઊભી કરવી તથા ફ્લાય ઓવર બ્રીજનું કામ વધુ ઝડપી બનાવીને તત્કાળ પૂરૃં કરવાની માંગ ઊઠી રહી છે, ત્યારે જેવી રીતે ગુરૂદ્વારા ચોકડીથી સાત રસ્તા વચ્ચેનો માર્ગ ખૂલ્લો મૂકાયો, તેવી જ રીતે અન્ય બંધ કે અંશતઃ માર્ગો તેમજ ડાયવર્ટ કરેલા માર્ગો પણ તબક્કાવાર ખુલી જાય, તેવી આશા નગરજનો રાખી રહ્યા છે.

નગરની ચોતરફ રીંગરોડનું આધુનિકરણ અને વિસ્તૃતિકરણ થઈ રહ્યું છે અને તેમાં સમાવિષ્ટ દિગ્જામ મીલથી બેડીબંદર રોડના કામના વિસ્તૃતિકરણ તથા આધુનિકરણનું કામ ખૂબ જ મંથર ગતિથી ચાલી રહ્યું છે. એટલું જ નહીં, આ માર્ગ પર કેટલાક ફેરિયા, લોકલ ધંધાર્થીઓ ટ્રાફિકને અવરોધરૂપ થાય, તેવી રીતે રોડ પર ચીજવસ્તુઓ કે બેઠક વ્યવસ્થાઓ ગોઠવી રહ્યા છે, તેથી રોડ સાંકડો થઈ જાય છે. તે ઉપરાંત લક્ષ્મીકાંટા સુધી બન્ને તરફ તોતિંગ ટ્રકો રાત્રિના સમયે પાર્ક થઈ જાય છે, તથા કેટલીક ખાનગી કંપનીઓની બસો તથા અન્ય વાહનો પણ આ રીંગરોડ પર પાર્ક થઈ જતા બન્ને તરફથી અવરજવર કરતા વાહનોને પસાર થવાની જગ્યા પણ રહેતી નથી. આ સાંકડા થયેલા માર્ગ પર રાત્રિના સમયે પણ રખડુ ઢોર અડીંગા જમાવે કે આખલા યુદ્ધ થાય, તેવા દૃશ્યો હવે કાયમી બની ગયા છે.

સમર્પણથી બેડીબંદર તરફ જતા તોતિંગ ખટારા, રખડતા ઢોર અને અન્ય કારણોસર મહાકાળી સર્કલથી બેડીબંદર સુધીનો રોડ સાંકડો થઈ જતા ત્યાં ક્યારેક કોઈનો જીવ જાય, કે ખતરનાક જીવલેણ અકસ્માત થાય, તે પહેલા સંબંધિત તંત્રો કદમ ઊઠાવશે ખરા? તેવા પ્રશ્નો નગરજનોમાં ઊઠી રહ્યા છે.

આ વિસ્તારના કોર્પોરેટરો તથા સ્થાનિક નેતાગીરી અંગત રસ લઈને અને મહાનગરપાલિકા, વહીવટી તંત્ર અને પોલીસતંત્ર દ્વારા સંકલન કરાવીને આ ભયજનક સંભાવનાઓ ટાળવા સમયોચિત કદમ નહીં ઊઠાવે તો અહીં સામૂહિક જીવલેણ વાહન અકસ્માતો ઉપરાંત ઢોરની ઢીંકથી મોત અથવા વણજોઈતી અનિચ્છિનિય તકરારો થવાનો ખતરો ઝળુંબતો જ રહેવાનો છે. લોકો એવો વેધક સવાલ પણ પૂછી રહ્યા છે કે આ મુદ્દે જનતાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ચૂપ કેમ છે? શું વોટબેંકની રાજનીતિ આડે આવી રહી છે કે પછી પક્ષીય રાજકરણનો ભોગ સ્થાનિક લોકો બની રહ્યા છે?

આ તો જામનગરની ચોતરફ વિસ્તરી રહેલી સોસાયટીઓને સાંકળતા રીંગરોડ અને શહેરની વચ્ચેથી પસાર થતા ફ્લાયઓવર બ્રીજના ચાલી રહેલા કામોની આડઅસરોના કારણે ઊભી થતી સમસ્યાઓ તથા જીવલેણ ખતરાઓના જ દૃષ્ટાંતો છે, પરંતુ આ જ પ્રકારના દૃષ્ટાંતો ખંભાળિયા બાયપાસથી ખોડિયાર કોલોની, લાલપુર બાયપાસને જોડતા આંતરિક માર્ગો, ત્રણ દરવાજા વિસ્તાર, કાલાવડ નાકા અને સુભાષ માર્કેટથી બર્ધનચોક તથા માંડવી ટાવરથી પવનચક્કી, દિગ્વિજય પ્લોટને જોડતા માર્ગો અને તળાવની પાળની ફરતે આવેલા માર્ગો પર પણ અવારનવાર જોવા મળતા હોય છે.

અત્યારે રોજ-બ-રોજ ગમખ્વાર, કરૂણ અને ભયંકર રોડ અકસ્માતોના સમાચાર રોજ-બ-રોજ ટી.વી. કે અખબારો દ્વારા પ્રકાશિત અને પ્રસારિત થઈ રહ્યા છે, પરંતુ જ્યાં સુધી આપણા શહેરમાં કોઈ ગંભીર અને ભયાનક જીવલેણ અકસ્માતમાં સંખ્યાબંધ લોકોના જીવ જાય, તેની રાહ જોવાઈ રહી છે? તે પ્રકારના લોકોનો વ્યંગાત્મક આક્રોશ પણ બહેરા કાને અથડાઈ રહ્યો હોય, ત્યારે નગરના જાગૃત, માનવતાવાદી નાગરિકો તથા ખાસ કરીને 'સેવાભાવી' નેતાગીરીએ આગળ આવીને ફ્રન્ટ ફૂટ પરથી આ સમસ્યા ઉકેલવી જોઈએ, તેમ નથી લાગતું?

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

હેપ્પી ન્યૂ યર... નયે સાલ મેં લિખેંગે હમ મિલકર નઈ કહાની, હમ હાલારી... હમ ગુજરાતી... હમ હિન્દુસ્તાની...

ઈસ્વીસન મુજબ આજે ર૧ મી સદીનું રપમું વર્ષ શરૂ થયું છેઃ

ગત્ રાત્રે મહેફિલો અને નાચગાન સાથે નવા વર્ષના વધામણા થયા અને વર્ષ ર૦ર૪ ની સમાપ્તિ થઈ. છેલ્લા એકાદ અઠવાડિયાથી ગત્ વર્ષની સ્મૃતિઓ, સિદ્ધિઓ અને સંકટની ઘડીઓને વાગોળી રહ્યા હતાં. આજે જ્યારે વર્ષ ર૦રપ નો પ્રથમ દિવસ છે, ત્યારે નવી આશાઓ-ઉમ્મીદો, નવા લક્ષ્યો, નવા ઉમંગની સાથે સાથે પૂરા થયેલ વર્ષનું સરવૈયું નિહાળીને તેના અનુભવે નવી કેડી કંડારીએ...

જામનગર રજવાડી નગર છે. સંખ્યાબંધ મંદિરો-ધર્મસ્થળો ધરાવતું હોવાથી છોટીકાશી પણ કહેવાય છે. ભારતીય સેનાની ત્રણેય પાંખો અહીં આવેલી છે. બાંધણી, અત્તર અને બ્રાસપાર્ટ માટે વિખ્યાત જામનગર હવે વ્યાપાર-ઉદ્યોગ અને પ્રવાસનના ક્ષેત્રે પણ ગ્લોબલ મેપમાં ઝળકવા લાગ્યું છે.

એવી જ રીતે યાત્રધામ દ્વારકા, રિફાઈનરીઓ, ઉદ્યોગો, મત્સ્યોદ્યોગ, પ્રવાસન સ્થળો અને લાંબા દરિયાકાંઠાના કારણે સમગ્ર હાલારને પણ વિશ્વના નક્શામાં મહત્ત્વપૂર્ણ સ્થાન મળી ચૂક્યું છે. યાત્રાધામ દ્વારકા તો હવે બારમાસી ટુરીઝમ ડેસ્ટિનેશન બની જ ચૂક્યું છે, અને હવે અન્ય નાના-મોટા યાત્રા સ્થળો તથા હરવા-ફરવાના સ્થળો પણ વિકાસની પાંખે વિહરીને ધમધમવા લાગ્યા છે. હાલારીઓની હિંમત અને હાડવર્ક તો સૌ કોઈને પ્રેરણા આપે, તેવા જ હતાં, અને હવે તેમાં પોટેન્શિયલ સરક્યુમટેન્સીઝ એટલે કે ઉજળી સંભાવનાઓ ઉમેરાતા સમગ્ર હાલાર હવે વિકાસના નભમાં ઊંચી ઊડાન ભરશે, તે નક્કી છે.

ગુજરાતીઓ તો વિશ્વભરમાં સાહસ, શૌર્ય અને સખાવત માટે પ્રખ્યાત છે. ગુજરાત રાજ્ય પણ પ્રગતિ, પરંપરા અને વ્યાપાર-ઉદ્યોગના ક્ષેત્રે અગ્રેસર રહ્યુંછે. પ્રાચીનકાળથી અત્યાધુનિક વર્તમાન યુગ સુધીના ઈતિહાસમાં ગુજરાત તથા ગુજરાતીઓની અનેક પ્રેરક કથાઓ-ગાથાઓ અને બલિદાનો-સાફલ્યગાથાઓ સૂવર્ણ અક્ષરે લખાયેલી છે. ભગવાન શ્રીકૃષ્ણે પણ પોતાના જીવનનો મહત્તમ સમયગાળો ગુજરાતમાં જ વિતાવ્યો હતો ને?

દલાઈલામાથી લઈને શેખ હસીના સુધીની વૈશ્વિક કક્ષાની અનેક હસ્તીઓને ભારતે શરણ આપ્યું છે, તે પણ એક હકીકત છે, અને તેવી જ રીતે રાજા-રજવાડાના સમયમાં જામનગરના રાજવીએ પોલેન્ડના લોકોને આશરો આપ્યો, અને નવસારીમાં તે સમયના રજવાડાઓએ ઈરાનથી આવેલા પારસી શરણાર્થીઓને હરખભેર આવકારીને પોતાના કરી લીધા હતાં, તે ઘટનાઓ ગુજરાત સહિત આપણાં સમગ્ર દેશની ઉદારતા, દરિયાદિલી અને વસુધૈવ કુટુમ્બકમ્ના સંસ્કારોને પ્રજ્જવલિત કરે છે, ખરૂ ને?

આપણા દેશમાં પણ ગત્ વર્ષે લોકતંત્રના મહોત્સવ સમી ચૂંટણીઓ, કેટલાક ધાર્મિક અને સામાજિક મહોત્સવો ઉપરાંત જી-ર૦ સહિતના વૈશ્વિક કાર્યક્રમો યોજાઈ ગયા. દેશમાં વિકાસ, લોકકલ્યાણ તથા સામૂહિક ઉત્થાનના કાર્યક્રમો ઉપરાંત દેશના તેજસ્વી તારલાઓ તથા વિવિધ ક્ષેત્રના માધાંતાઓ કેટલીક રાષ્ટ્રીય અને વિશ્વકક્ષાની સિદ્ધિઓ પણ હાંસલ કરી. બીજી તરફ કેટલાક દુર્ભાગ્યપૂર્ણ વિવાદો પણ થયા અને હલચલ મચી જાય તેવી ઘટનાઓ પણ બની. એકંદરે પૂરૃં થયેલું વર્ષ પડકારરૂપ રહ્યું. હવે નવા વર્ષે મોંઘવારી, બેરોજગારી અને વિવાદો પર અંકુશો આવે તેવું ઈચ્છીએ.

આ બધા અનુભવોમાંથી બોધપાઠ લઈને નવા વર્ષે આગળ વધવાનું છે. આપણું નગર હોય કે જિલ્લો, હાલાર હોય કે સૌરાષ્ટ્ર, આપણું રાજ્ય હોય કે અન્ય રાજ્યો હોય, સૌએ સાથે મળીને આગળ વધવા માટે પહેલા તો કેટલીક સમસ્યાઓનું નિવારણ તથા સિસ્ટમોનો બદલાવ કરવો પડે તેમ છે.

જામનગરમાં કેટલીક સમસ્યાઓ ઘણાં વર્ષોથી યથાવત્ જ રહી છે. રખડતા ઢોર, આવારા કૂતરા, ટ્રાફિકજામ, ગંદકીની સમસ્યા દરેક ચૂંટણી સમયે ચર્ચાય છે અને પછી વિસરાઈ જાય છે. કરોડો રૂપિયાના ખર્ચાઓ પછી પણ નગરના માર્ગો નગરજનોને સંતોષ થાય, તેવા બની શક્યા નથી. વિકાસના કામોની આડઅસરો પણ તંગ કરનારી હોય છે.

નગરજનો એવી આશા રાખી રહ્યા છે કે વિક્ટોરિયા પુલથી સાત રસ્તા થઈને સમર્પણ સર્કલ તરફનો જે ફ્લાય ઓવરબ્રીજ બની રહ્યો છે, તેના કામની ઝડપ વધે, રાત-દિવસ કામ ચાલે અને આ ફ્લાયઓવર બ્રીજનું કામ ઝડપથી (ગુણવત્તાસભર નિર્માણ સાથે) સંપન્ન થાય અને વર્ષ ર૦રપ માં જ તેનું લોકાર્પણ થઈ જાય... આવું થશે, તો જ આ મેગા પ્રોજેક્ટથી નગરજનોને સમયોચિત સુવિધા મળશે. આ કામ જેટલું લાંબુ ચાલશે, તેટલી અસુવિધા પણ નગરજનોને થાય તેમ હોવાથી આ કામો પ્રાયોરિટીમાં સમયસર સંપન્ન થાય તે જરૂરી છે.

નગરના માર્ગો પર હજુ પણ સંખ્યાબંધ રખડુ ઢોર આંટા મારે છે અને અડીંગા જમાવે છે. સમગ્ર નગરમાં આવારા કૂતરાઓ ઘણાં લોકોને કરડે છે. એટલું જ નહીં, લોકોની અવર-જવરને અડચણો ઊભી થાય, તે રીતે લોકો તથા વાહનોની પાછળ દોડે છે. રખડતા ઢોર અને આવારા કૂતરાની સમસ્યાને શાસકો અને તંત્રો ગૌણ ગણાતા હશે, પરંતુ વાસ્તવમાં આ બન્ને સમસ્યાઓ ઘણી જ ગંભીર છે. આશા રાખીએ કે, વર્ષ ર૦રપ માં આ સમસ્યા અંકુશમાં આવી જાય!

નગરમાં ઠેર-ઠેર રેંકડી, પથારા, મોબાઈલ દુકાનો તથા ગુજરી બજારોના કારણે અવારનવાર દબાણ હટાવ ઝુંબેશોની ડ્રામેટિકલ તસ્વીરો તથા દૃશ્યો પ્રકાશિત અને પ્રસારિત થતા રહે છે, તો બીજી તરફ આ નાના ધંધાર્થીઓના પરિવારોના ગુજરાનની સંવેદનશીલ સમસ્યા પણ સંકળાયેલી છે, તેથી આ વર્ષે આ સમસ્યાના નિવારણ માટે દરેક વોર્ડ અને માર્કેટોમાં આ પ્રકારના નાના ધંધાર્થીઓ માટે કોઈ ચોક્કસ વ્યવસ્થા ઊભી કરીને ત્યાં લોજેસ્ટિક સુવિધાઓ અપાય, તેવું કોઈ નક્કર કદમ ઊઠાવાય, તેવી આશા રાખીએ.

તે ઉપરાંત નગરની તમામ ફૂટપાથો માત્ર પગપાળા અવરજવર માટે જ ખુલ્લી રહે, અને ફૂટપાથો, સર્કલો, સડકો કે જાહેર સ્થળોમાં દુકાનદારોનો સામાન, ખાણી-પીણીના સાધનો, ફર્નિચર અને ડિસ્પલે બોર્ડ વગેરે ન ખડકાય જાય, તે માટે પણ નક્કર કદમ આ વર્ષે ઊઠાવાય અને કાયમી ધોરણે જનલક્ષી વ્યવસ્થાઓ જળવાઈ રહે, તેવી આશા રાખીએ.

જામનગરથી બહારગામ જવા માટે એસ.ટી. તથા ખાનગી વાહનોના જ્યાં જ્યાં રિકવેસ્ટ સ્ટોપ કે પીક-અપ પલેસ છે, ત્યાં ત્યાં શૌચાલયો તથા મહિલાઓ, પુરુષો માટે અલગ અલગ નિઃશુલ્ક યુરીનલોની સુવિધા ઊભી થાય, તે અત્યંત જરૂરી છે. આ નાની વાત લાગે, પરંતુ સ્વાસ્થ્ય અને મહિલા સુરક્ષા તથા સૌજન્યની દૃષ્ટિએ અત્યંત જરૂરી અને મહત્ત્વપૂર્ણ છે. તેવી રીતે ગ્રામ્ય વિસ્તારો તથા શહેરોના પછાત વિસ્તારોમાં ઘેર-ઘેર શૌચાલયોનો કોન્સેપ્ટ છે, તેવી જ રીતે ચોકે-ચોકે યુરીનલ, શૌચાલયો ઊભા થાય અને તે કાયમી ધોરણે સ્વચ્છ રહે, તેવી નિઃશુલ્ક વ્યવસ્થાઓ કરવી પણ અત્યંત જરૂરી છે. આ માટે સ્થાનિક શાસકો જરૂર પડે તો આ 'કોન્સેપ્ટ' આપનાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું ગાઈડન્સ મેળવી શકે છે, ખરૃં કે નહીં?!

'નોબત'ના પ્રિયવાચકો, વીડિયો સમાચાર, યુટ્યુબ ન્યૂઝના દર્શકો, ઈ-પેપરના વાચકો, બ્રેકીંગ ન્યૂઝ ગ્રુપ સાથે જોડાયેલા લોકો, 'નોબત'ના સોશ્યલ મીડિયાના માધ્યમો સાથે જોડાયેલા ફોલોઅર્સ, વિજ્ઞાનપનદાતાઓ, વિતરકો, એજન્ટો, શુભેચ્છકો, પત્રકારો સહિત સૌ કોઈને અમારા જાજા કરીને અભિનંદન... હેપ્પી ન્યૂ યર...

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

થર્ટી ફર્સ્ટની રંગારંગ ઉજવણી વચ્ચે બિહારમાં હલચલ તેજ... ગુજરાત સહિતની હાંસિયામાં ધકેલાયેલી હસ્તીઓ યાદ આવી ગઈ!

આજે થર્ટી ફર્સ્ટની ઉજવણી થઈ રહી છે અને વર્ષ-ર૦ર૪ ને વિદાયની સાથે નવા વર્ષને ધમાકેદાર કાર્યક્રમો દ્વારા ઉજવવાની તૈયારીઓ થઈ રહી છે. આપણા દેશમાં પણ નાતાલ પછી ૩૧ મી ડિસેમ્બરે ઈસ્વીસન મુજબ કેલેન્ડર વર્ષ પૂરૂ થતા નવા વર્ષને આવકારવાની પરંપરા વધુને વધુ વિસ્તરી રહી છે, અને દુનિયા સાથે કદમ મિલાવીને મોટાભાગના દેશોમાં નવા વર્ષને આવકારવાના કાર્યક્રમો યોજાય છે. ભારતમાં પણ ઠેર ઠેર થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈને ગીત-સંગીત, ખાણી-પીણી, નૃત્ય અને મનોરંજક કાર્યક્રમોનો જલસો થાય છે.

ગુજરાત સહિત દેશભરમાં આજની રાત્રે મહેફિલો જામશે, અને રંગારંગ કાર્યક્રમો યોજાશે, પરંતુ ગુજરાતમાં દારૂબંધી હોવાથી પોલીસતંત્ર દ્વારા છેલ્લા એકાદ અઠવાડિયાથી વિદેશી દારૂના સંગ્રહ, હેરાફેરી અને વેંચાણ ઝડપી લેવાની ઝુંબેશ ચાલી છે, તો જામનગર સહિત રાજ્યભરમાં દેશી દારૂ બનાવવાની ઘણી ફેક્ટરીઓ ધ્વસ્ત કરીને દારૂના અડ્ડાઓ બંધ કરાવ્યા છે, જો કે આ બધું ગુજરાતમાં દારૂબંધીની શરૂઆત થઈ, ત્યારથી થતું આવ્યું છે, અને 'કડક' દારૂબંધીના દાવાઓ પછી પણ રાજ્યમાં દેશી દારૂ બનતો બંધ થયો નથી, દેશી અને વિદેશી દારૂની ગેરકાયદે હેરાફેરી, સંગ્રહ, વેંચાણ અને સેવન પર અંકુશ આવ્યો નથી, તે પણ હકીકત જ છે ને?

દારૂબંધી તો બિહારે પણ લાગુ કરી દીધી છે, અને ત્યાં પણ ગુજરાતની જેમ જ દેશી-વિદેશી દારૂના સેવન, સંગ્રહ, હેરાફેરી અને વેંચાણ પર અંકુશ માટે ઝુંબેશો ચલાવાય છે, તેમ છતાં ત્યાં પણ તંત્રોની કથિત મિલિભગત અને શાસકોની ઈચ્છાશક્તિના અભાવે શરાબની રેલમછેલ થઈ રહી હોવાના અહેવાલો પણ અવારનવાર આવતા રહે છે. 'ગુજરાત અને બિહારમાં દારૂબંધીની નિષ્ફળતા'ના વિષય પર પીએચ.ડી. કરવા જેવું છે, ખરૃં કે નહીં?

બિહારની ચર્ચા આજે થર્ટી ફર્સ્ટની ઉજવણી ઉપરાંત રાજકીય ક્ષેત્રે પણ વિશેષ ઢબે થઈ રહી છે, અને વિશ્લેષકો તથા કેટલાક રાજનેતાઓ આ નવી હિલચાલ તથા રાજનૈતિક હલચલને સાંકળીને 'કાચીંડા'ને પણ યાદ કરી રહ્યા છે!!!

રાજનીતિમાં કોઈ કાયમી દોસ્ત કે દુશ્મન હોતું નથી, અને રાજનૈતિક સંબંધો સગવડિયા હોય છે, પરંતુ જ્યારે કોઈ રાજનેતાને લઈને પલટુરામ, કાચીંડાની જેમ રંગ (પક્ષ) બદલતા નેતા કે આયારામ-ગયારામ જેવા વિશેષણો લાગવા માંડે, ત્યારે તેની વ્યક્તિગત અને રાજનૈતિક પ્રતિષ્ઠા પણ ઝંખવાતી હોય છે. બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર સાથે પણ હવે કાંઈક એવું જ થઈ રહ્યું હોય તેમ લાગે છે?

એમ કહેવાય છે કે અમિતભાઈ શાહના આંબેડકરને લઈને સંસદમાં અપાયેલા નિવેદનના વિરોધ તથા બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાના મુદ્દે નીતિશકુમારે એનડીએમાં રહીને વિરોધ કર્યો છે અને હવે એનડીએ સાથે ફરીથી છેડો ફાડવાના મૂડમાં છે!

એક તરફ પેપરલીક સહિતના મુદ્દે આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જને પ્રિયંકા ગાંધીએ એનડીએ સરકારનો 'અત્યાચાર' ગણાવ્યો છે, તો બીજી તરફ નીતિશકુમાર ખુરશી બચાવવામાં વ્યસ્ત છે!

વાસ્તવમાં એનડીએની બેઠકમાં ગેરહાજર રહ્યા પછી નીતિશકુમાર અચાનક દિલ્હી દોડ્યા, પરંતુ મોદી-શાહ-નડ્ડાએ તેને ભાવ આપ્યો નહીં, અને વીલા મોઢે પાછા ફરવું પડે, તેવી સ્થિતિમાં મૂકાયેલા નીતિશકુમારે ફરીથી એનડીએમાંથી છેડો ફાડીને 'કાંઈક નવું' કરવાનું મન બનાવ્યું હોવાના અહેવાલો વહેતા થયા પછી તક જોઈને કોંગી નેતા રાહુલ ગાંધીએ નીતિશકુમારને (જેડીયુને) ફરીથી ઈન્ડિયા ગઠબંધનમાં જોડાઈ જવાનું આમંત્રણ આપ્યું હોવાની ચર્ચા જોરશોરથી થઈ રહી છે, અને તેના સંદર્ભે જ કેટલાક 'વિશેષણો' પણ ચર્ચાસ્પદ બન્યા છે. આ અહેવાલોની વચ્ચે કેટલાક જેડીયુ નેતાઓએ કરેલા નિવેદનો પણ 'કાંઈક તો ગરબડ છે'ની આશંકાને દૃઢ કરે, તેવા છે.

જો કે, તેજસ્વી યાદવે એવો પ્રત્યાઘાત આપ્યો છે કે હવે વિપક્ષી ગઠબંધનમાં નીતિશકુમાર માટે દરવાજા બંધ થઈ ગયા છે, જેથી ઈન્ડિયા ગઠબંધન પણ નીતિશકુમારને લઈને અવઢવમાં જણાય છે.

આ પહેલા જ્યારે કર્પુરી ઠાકુરને ભારતરત્ન અપાયા પછી નીતિશકુમારે પાટલી બદલી, તે પહેલા ભાજપની ટોચની નેતાગીરી પણ નીતિશકુમાર માટે એનડીએના દરવાજા બંધ હોવાની જોરશોરથી વાતો કરતા હતાં, પરંતુ લોકસભાની ચૂંટણીઓ આવતા જ નીતિશકુમારની પાર્ટીની બેઠકો ભાજપ કરતા ઓછી હોય તો પણ નીતિશકુમાર જ મુખ્યમંત્રી રહેશે, તેવી શરત સાથે જેડીયુને એનડીએમાં સામેલ કરી લીધું હતું. તેથી જ કહેવાય છે કે 'પ્યાર ઔર જંગ મેં હી નહીં, રાજનીતિ મેં ભી સબકુછ જાયઝ હે...'

મહારાષ્ટ્રમાં શિવસેના પછી એકનાથ શિંદે, પંજાબમાં અકાલીદળ, બિહારમાં રામવિલાસ પાસવાનની પાર્ટી, ગુજરાતમાં શંકરસિંહ, કાંશીરામ રાણા, કેશુબાપા, રજસ્થાનમાં વસુંધરારાજે સિંધિયા સહિત ઘણાં એવા દૃષ્ટાંતો છે, જેમાં એનડીએ દ્વારા પોતાના જ સાથીદાર પક્ષો (અને નેતાઓ) સાઈડલાઈન કરીને તેને કદ પ્રમાણે વેંતરી નંખાયા હોય, કદાચ આ દૃષ્ટાંતોને ધ્યાને લઈને જ કદાચ નીતિશકુમાર ફરીથી પલટી મારવાનું વિચારતા હોઈ શકે છે, જો કે હવે તેઓ જે કાંઈ કરશે, તેના પર જ તેનું રાજકીય ભવિષ્ય ટકેલું હશે, તે નક્કી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

બજેટમાં પેટ્રોલ-ડીઝલના ભાવો ઘટાડવાની કોણે કરી ભલામણ? ઈંધણ અને દુર્ઘટનાઓની વૈંશ્વિક વિટંબણા

આપણા દેશમાં માર્ગ-અકસ્મતો વધી રહ્યા હોવાની અવારનવાર ચર્ચા થાય છે, અને તેના કારણે થતા મૃત્યુના આંકડાઓ પણ જાહેર થતા હોય છે.દુનિયામાં હવે તો હવાઈ દુર્ઘટનાઓ પણ વધી રહી છે, અને તેના કારણે થતા મૃત્યુનો આંકડો પણ નાનો-સુનો હોતો નથી. સાઉથ કોરિયા, ઓસ્લો અને કેનેડાની વિમાની દુર્ઘટનાઓ તથા કાઠમંડુમાં પક્ષી અથડાતા ઈમરજન્સી લેન્ડીંગ કર્યું, તેવા અહેવાલો ચિંતાજનક છે. જો હવાઈ દુર્ઘટનાઓ આ રીતે વધવા લાગશે, તો હવાઈ મુસાફરી કરવી, એ ખતરારૂપ બનશે, જેથી તેની સીધી અસર ટુરીઝમ, બિઝનેસ અને ઈન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી જ નહી, પરંતુ સાંસ્કૃતિક, સામાજિક અને સાંસ્કૃતિક-પારિવારિક પ્રવાસો પર પણ પડશે, જેનો આર્થિક ફટકો પણ ઝટકારૂપ હશે. આકાશી દુર્ઘટનાઓ વધી રહી હોવાથી હવે તે દિશામાં પણ સલામતિના સહિયારા કદમ દુનિયાના દેશોએ ઉઠાવવા જ પડશે, ખરૃં ને?

માર્ગ અકસ્માતો, રેલવે દુર્ઘટનાઓની વાત આવે, એટલે તેના કારણો અંગે તારણો નીકળવા લાગે અને તેને નિવારવા માટેના ઉપાયોની ચર્ચા પણ થવા લાગે, હવાઈ દુર્ઘટનાઓ પછી પણ આ પ્રકારની ચર્ચા થાય, પરંતુ તેની વ્યાપક્તા ઘણી ઓછી હોય છે, અને માર્ગ-રેલવે દુર્ઘટનાઓ કરતા હવાઈ દુર્ઘટનાઓના કારણો તદ્ન અલગ જ હોય છે, જેથી હવાઈ દુર્ઘટનાઓના મુદ્દે રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય અને ખાસ કરીને એરલાઈન્સની કક્ષાએ આ મુદ્દે ગંભીરતાથી વિચારીને હવાઈ દુર્ઘટનાઓ ઘટાડવા કોઈ વૈશ્વિક પ્લેટફોર્મ પર નવી સમજુતિઓ થાય, કે નવા આંતરરાષ્ટ્રીય નિયમો ઘડાય, તે જરૂરી છે, તેમ નથી લાગતું?

કોઈપણ પ્રકારનું પરિવહન બળતણ (ઈંધણ) વિનાથઈ શકતું નથી. વિમાનો-હેલિકોપ્ટરો વગેરે ઊડાડવા માટે પણ ખાસ પ્રકારનું ઈંધણ વપરાય છે, જ્યારે જ્યારે આપણા દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવોમાં વધઘટ થાય છે, ત્યારે ત્યારે વિમાનોમાં વપરાતા ઈંધણના ભાવો પર પણ તેની અસરો થતી હોય છે, તેથી પેટ્રોલિયમ પેદાશોની માર્કેટના પ્રવાહોની પરોક્ષ કે પ્રત્યક્ષ અસરો પણ વૈશ્વિક અને ડોમેસ્ટિક હવાઈ પરિવહન પર થતી હોય છે.

પેટ્રોલ-ડીઝલ સહિત પેટ્રોલિયમ પદાર્થોના ભાવ નક્કી કરવા આપણા દેશમાં રાષ્ટ્રીય કક્ષાએ એક સિસ્ટમ કાર્યરત છે, જેને લઈને ઘણી વખત ચર્ચાઓ થતી રહે છે. આ સિસ્ટમ મુજબ આંતરરાષ્ટ્રીય કક્ષાએ કાચાતેલ (ક્રૂડ) ના ભાવો ઘટે, ત્યારે આપણા દેશમાં ભાવો ઘટતા નથી અથવા ક્રૂડના ભાવોમાં થયેલા ઘટાડા અને નહીંવત્ ઘટાડો કરાતો હોય છે, તેવી ટીકા અવારનવાર થતી રહી છે. હવે કન્ફેડરેશન ઓફ ઈન્ડિયા ઈન્ડસ્ટ્રી (સીઆઈઆઈ) દ્વારા આગામી નાણાકીય બજેટ (વર્ષ ર૦રપ-ર૬) માટે કરાયેલા સૂચનોમાં કરેલું એક મહત્ત્વપૂર્ણ સૂચન પણ વિશ્વભરમાં 'ટોક ઓફ ધ માર્કેટ' બન્યું છે, અને આ સૂચન અન્ય દેશોમાં પણ જોરશોરથી પડઘાશે, તેવા સંકેતો મળી રહ્યા છે.

સીઆઈઆઈએ બજેટને લઈને કેટલાક અન્ય મહત્ત્વપૂર્ણ સૂચનો પણ કર્યા છે, પરંતુ ઈંધણ એટલે કે પેટ્રોલ-ડીઝલ જેવા મહત્તમ પબ્લિક અને પ્રાઈવેટ પરિવહન તથા ઊર્જા ક્ષેત્રને આવરી લેતા પદાર્થોના મુદ્દે સીઆઈઆઈએ કેન્દ્ર સરકારને કરેલી ભલામણો ઘણી જ મહત્ત્વપૂર્ણ ગણાય.

સીઈઆઈઆઈએ કેન્દ્ર સરકારને આગામી બજેટમાં ઈંધણ (પેટ્રોલિયમ ઉત્પાદનો-પેદાશો-પદાર્થો સહિત)ની એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાની ભલામણ ભારપૂર્વક કરી છે, જેને વિવિધ માધ્યમો દ્વારા જોરદાર સમર્થન પણ સાંપડી રહ્યું છે.

આ ઔદ્યોગિક ઓર્ગેનાઈઝેશન (સંગઠન) દ્વારા સરકારને જણાવાયું છે કે, એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો થવો જોઈએ, કારણ કે ઈંધણના ભાવો વધે કે સ્થિર રહે, તે મુજબ ફૂગાવો વધે કે યથાવત્ રહે  છે, જેથી ફૂગાવો ઘટાડવા માટે ઈધણના ભાવો ઘટાડીને ફુગવા પર અંકુશ મેળવી શકાય છે, અને તેના દ્વારા જ બેકાબૂ બની રહેલી મોંઘવારીને પણ કાબૂમાં રાખી શકાય છે.

આ સંગઠને સરકારને વાર્ષિક ર૦ લાખ રૂપિયાની વ્યક્તિગત આવક માટે માર્જિનલ ટેક્સ ઘટાડવાની ભલામણ પણ ભારપૂર્વક કરી છે, અને કહ્યું છે કે, બજેટમાં આ પ્રકારની રાહત મળશે, તો ઉચ્ચ ટેક્સ, આવક અને વેગીલા વિકાસની સાયકલ પણ વધુ ઝડપ પકડશે.

સીઆઈઆઈએ વ્યક્તિગત માર્જિન રૂ. ૪ર.૭૪ ટકા અને સામાન્ય કોર્પોરેટર ટેક્સના રપ.૧૭ ના રેટની વચ્ચે મોટું અંતર વધુ હોવાથી ફૂગાવો વધતા લોકોની ખરીદશક્તિ ઘટી છે. લોકોની ખરીદ શક્તિ વધારવા માટે પણ પેટ્રોલ-ડીઝલના ભાવો ઘટવા અત્યંત જરૂરી છે, કારણ કે પેટ્રોલ-ડીઝલ-ઓઈલના ભાવો ઘટશે, તો ટ્રાન્સપોર્ટેશન, ટ્રાવેલીંગ તથા ઊર્જા વપરાશને પણ તેની હકારાત્મક અસરો થશે, જેનો સીધો ફાયદો દેશની સામાન્ય જનતાને મળશે.

સીઆઈઆઈને ટાંકીને જણાવવામાં આવી રહ્યું છે કે, પેટ્રોલના રિટેઈલ ભાવોમાં ર૧ ટકા જેવી એક્સાઈઝ ડ્યુટી સામેલ હોય છે, જ્યારે ડીઝલ પર પણ ૧૮ ટકા જેવી એક્સાઈઝ ડ્યુટી વસૂલાય છે, જ્યારે વૈશ્વિક કક્ષાએ ક્રૂડના ભાવોમાં ૪૦ ટકા ઘટાડો થયો હોય, ત્યારે પણ તેને અનુરૂપ પેટ્રોલ-ડીઝલના ભાવો ઘટે નહીં, તે યોગ્ય નથી.

સંગઠને તર્ક આપ્યો છે કે આ એક્સાઈઝ ડ્યુટી ઘટશે, તો ફૂગાવો પણ ઘટશે અને ફૂગાવો ઘટશે તો મોંઘવારી ઓછી થશે, જેના કારણે લોકોની ખરીદશક્તિ વધશે, અને ડિમાન્ડ વધતા એકંદરે માર્કેટને ફાયદો થશે, જેનો લાભ સામાન્ય જનતાને પણ મળશે.

ઓછી આવક ધરાવતા જુથોને લક્ષ્યમાં રાખીને કન્ઝ્પ્શન વાઉચર શરૂ કરવાનું ઉપયોગી સૂચન પણ કર્યું છ ે, જેથી આ સમયગાળામાં કેટલાક સેવા સેક્ટર તથા ચોક્કસ પ્રકારની ડિમાન્ડને પ્રોત્સાહિત કરી શકાય. વિશિષ્ટ સેવાઓ તથા વસ્તુઓ માટે ૬ થી ૯ મહિનાના સમયગાળા માટે આ વિશિષ્ટ પ્રકારના કન્ઝપ્શન વાઉચરનું આ સૂચન વિચારવા જેવું ખરૃં...

'મનરેગા'ના શ્રમિકોનું ન્યુનત્તમ વેતન ર૬૭ રૂપિયા વધારીને ૩૭પ રૂપિયા કરવાની ભલામણ પણ કરી છે, અને પીએમ કિસાન યોજના હેઠળ વાર્ષિક ૬૦૦૦ ના બદલે આઠ હજાર ચૂકવવાની ભલામણોને કારણે સરકાર પર બન્ને મળીને ૬૦ હજાર કરોડથી વધુ રકમનો બોજ પડશે, પરંતુ આ કારણે લોકોની ખરીદશક્તિ વધતા તેની અસર હેઠળ વિવિધ પ્રોડક્શન સેક્ટરો તથા માર્કેટમાં તેજી આવશે, જે સામાન્ય જનતા માટે રાહતરૂપ નિવડશે, તેવા અભિપ્રાયો પણ વ્યક્ત થઈ રહ્યા છે.

આજે હવાઈ અકસ્માતો, બજેટને લઈને સૂચનો, ફૂગાવો, મોંઘવારી, ઈંધણના ભાવો તથા પહેલી જાન્યુઆરીથી વિવિધ ક્ષેત્રે થનારા ફેરફારોની નેગેટીવ-પોઝિટિવ અસરોની ચર્ચા વચ્ચે પેટ્રોલ-ડીઝલના ભાવોમાં ઘટાડાની સંભાવનાએ આશાનું નવું કિરણ જગાવ્યું છે. જોઈએ હવે શું થાય છે તે?

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

પૂર્વ પી.એમ. મનમોહનસિંહનું સ્મારક ક્યાં સ્થપાશે?... કેન્દ્રિય-રાજ્યોના બજેટની તૈયારી...

આજે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહની અંતિમયાત્રા હતી. હજુ તો તેઓનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન પણ થયો નહોતો અને અંતિમ દર્શન સાથે શ્રદ્ધાંજલિઓ અપાઈ રહી હતી, ત્યાં જ સદ્ગતના સ્મારકના મુદ્દે કેન્દ્ર સરકાર અને કોંગ્રેસ વચ્ચે તનાતની શરૂ થઈ ગઈ હતી. કેન્દ્ર સરકારે નિગમ બોધ ઘાટ પર અંતિમ સંસ્કાર અને થોડા સમય (દિવસો કે મહિનાઓ?) પછી તેઓના સ્મારક અંગે નિર્ણય લેવાશે, તેવું જાહેર કર્યું, જ્યારે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ સદ્ગતના અંતિમ સંસ્કાર તેઓનું સન્માન જળવાય, તેવા સ્થળે કરીને ત્યાં જ તેઓનું સ્મારક બને, તેવી માંગણી સરકાર સમક્ષ કરી, અને તે પછી જે કાંઈ વાદ-વિવાદ તથા આક્ષેપો-પ્રતિઆક્ષેપો થઈ રહ્યા છે, તે જોઈને કદાચ સદ્ગત મનમોહનસિંહનો આત્મા પણ દુભાતો હશે, ખરૃં કે નહીં?

રાજનીતિની તાસીર જ અલગ હોય છે. હજુ તો ગઈકાલે જ સદ્ગત મનમોહનસિંહની મુક્તકંઠે પ્રશંસા થઈ રહી હતી, તેના સ્મારક સ્થળનો વિવાદ હજુ તેના અંતિમ સંસ્કાર પણ ન થયા હોય, ત્યાં જ ઊભો થયો , તેની પાછળના રાજકીય ઉદ્દેશ્યો જે હોય તે ખરા, પરંતુ કોંગ્રેસ પછી અકાલી દળના નેતાઓએ પણ ટીકા-ટીપ્પણીઓ કરી અને શાસક પક્ષ દ્વારા વિપક્ષ પર રાજનીતિ રમવાનો આક્ષેપ કર્યો, તે ઘણો જ દુર્ભાગ્યપૂર્ણ તથા દેશની છબિને ખરાબ કરનારો ગણાય, તેવી આલોચના પણ થવા લાગી છે, જો કે આજે અંતિમ સંસ્કાર થાય, તે પછી ઉભય પક્ષે ખુલ્લા મને ચર્ચા-પરામર્શ કરીને આ મુદ્દે સર્વમાન્ય નિર્ણય લેવાશે, તેવી અપેક્ષા રાખીએ. આ અંગે કમિટીની રચનાની જાહેરાત થતા આવી આશા પ્રબળ બની છે.

આજે પ્રેસ-મીડિયા અને સોશિયલ મીડિયામાં દિવંગત મનમોહનસિંહની સાથે સંકળાયેલા સંસ્મરણો, ઘટનાક્રમો તથા તેઓની સાદગી તથા દેશપ્રેમની જે પ્રશંસા થઈ રહી છે, અને તેઓના શાસનકાળમાં કથિત કૌભાંડો છતાં તેઓ નિર્દોષ રહ્યા, તેની નોંધ પણ લેવાઈ રહી છે, અને 'રેઈનકોટ પહેરીને બાથરૂમમાં સ્નાન કરવાની કળા ડોક્ટર સાહેબ જાણે  છે' તેવા પ્રચલિત નિવેદનને ટાંકીને ડો. મનમોહનસિંહની પ્રામાણિક્તાના મુક્તકંઠે વખાણ પણ થઈ રહ્ય છે.

આજે સૌથી વધુ ચર્ચા ડો. મનમોહનસિંહની છેલ્લી પ્રેસ કોન્ફરન્સની થઈ રહી છે, જેમાં તેઓએ પોતાના વડાપ્રધાનપદની શાસનકાળની છેલ્લી ચર્ચા પ્રેસ મીડિયા સાથે કરી હતી. તેઓની આ પ્રેસ કોન્ફરન્સ તે સમયે પણ ઘણી જ ચર્ચામાં આવી હતી. આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી તેઓએ ટીકાકારોને સ્પષ્ટ અને સચોટ જવાબો આપ્યા હતાં.

ડો. મનમોહનસિંહના નિધન પછી દેશમાં અત્યારે સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરાયો હોવાથી તમામ સરકારી કાર્યક્રમો તથા કોંગ્રેસના જાહેર કરાયેલા તમામ આયોજનો તો રદ્ થઈ ગયા છે, પરંતુ પંચાયત-પાલિકાઓથી લઈને રાજ્ય અને કેન્દ્ર સરકારના તંત્રો અત્યારે આર્થિક બજેટની તૈયારી કરી રહ્યા છે, અને તેના સંદર્ભે અટકળો, અંદાજો અને અભિપ્રાયો પણ સામે આવી રહ્યા છે.

કેન્દ્રિય બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ પહેલી ફેબ્રુઆરીના દિવસે રાહતો આપશે કે કડવો ડોઝ આપશે, તેની ચર્ચા થઈ રહી છે. ગયા બજેટમાં તો મધ્યમવર્ગને બહું મોટી નોંધપાત્ર રાહતો મળી નહી, પરંતુ આ વખતે નાણામંત્રી ટેક્સના ક્ષેત્રે મોટી જાહેરાતો કરી શકે છે અને આવકવેરાના સ્લેબમાં મધ્યવર્ગને રાહત મળે, તેવા બદલાવ કરી શકે છે. એવું મનાય છે કે વાર્ષિક ૧પ (પંદર) લાખની આવક હોય તેવા મધ્યમવર્ગિય કરદાતાઓને લઈને નાણામંત્રી કોઈ રાહત પેકેજ અથવા સીધી રાહતની જાહેરાત કરી શકે છે.

નિષ્ણાતોના મંતવ્યો મુજબ જો કેન્દ્ર સરકાર બજેટમાં સીધો કરવેરો (ડાયરેક્ટ ટેક્સ) ભરતા મધ્યમ વર્ગિય કરદાતાઓને રાહત આપશે, તો તેથી લોકોની ખર્ચ શક્તિ વધશે, અને તેના કારણે અર્થતંત્રને વેગ મળશે, જે ભવિષ્યમાં મોંઘવારીનો સામનો કરવા માટે સરકારને પણ મદદરૂપ બનશે.

અત્યારે કરદાતાઓ જુની ટેક્સ સિસ્ટમ મુજબ વિવિધ પ્રકારની કરમુક્તિઓ અને છૂટછાટોનો ફાયદો મેળવી શકે છે, અથવા મોટાભાગની છૂટછાટો-કરમુક્તિ વિનાની ઓછા કરવેરાની નવી સ્કીમ મુજબ આવકવેરો ભરી શકે છે. નાણામંત્રી ૩ થી ૧પ લાખ સુધીની આવક ધરાવતા આ પ્રકારના કરદાતાઓને કોઈ નોંધપાત્ર રાહત આપશે, તેવો આશાવાદ સેવાઈ રહ્યો છે.

અત્યારે મોટાભાગના પરોક્ષ કરવેરા જીએસટી હેઠળ આવરી લેવાયેલા હોવાથી તેમાં વધ-ઘટના નિર્ણયો જીએસટી કાઉન્સિલ લેતી હોવાથી કેન્દ્રિય બજેટ પછી ચીજવસ્તુઓના ભાવો પર બહુ મોટી અસર થતી નહીં હોવા છતાં કેન્દ્રિય બજેટ પર આધારિત અર્થતંત્રના પ્રવાહો બદલી શકે તેમ હોવાથી માર્કેટ અને શેરબજારને પણ બજેટમાં કેવી જોગવાઈઓ થશે, તેનો ઈન્તેજાર હોય છે.

જીએસટી સિસ્ટમના કારણે રાજ્યોના બજેટના કારણે પણ માર્કેટ કે ભાવો પર બહુ અસર થતી નથી હોતી, પરંતુ હજુ પણ પેટ્રોલિયમ પદાર્થોને જીએસટી હેઠળ આવરી લેવાયા નથી અને રાજ્યોની આવકમાં 'વેટ'ની બહુ મોટી ભૂમિકા હોય છે, ત્યારે રાજ્યો દ્વારા રજૂ થતા બજેટમાં જો વેટ ઘટાડાશે, તો પેટ્રોલ-ડીઝલ-ઓઈલ વગેરે સસ્તા થઈ શકે છે. જોઈએ, હવે શું થાય છે તે...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહની અંતિમ વિદાય... દેશમાં શોકનો માહોલ

પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહે ૯ર વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા અને તેઓ અનંતયાત્રાએ નીકળી ગયા, તેથી દેશભરમાં શોકનો માહોલ છવાયો છે. ડૉ. મનમોહનસિંહે વડાપ્રધાનપદે તો દસ વર્ષ સુધી સેવાઓ આપી, પરંતુ તે પહેલા તેઓએ બ્યુરોક્રેટ અને નાણામંત્રી તરીકે પણ દેશને સેવાઓઆપી હતી.

ડૉ. મનમોહનસિંહના યોગદાન અને જીવન ઝરમર આજે પ્રેસ-મીડિયમાં છવાયેલી છે અને સરકારે સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, મંત્રીમંડળ, રાજકીય પક્ષોના નેતાઓ ઉપરાંત વિવિધ ક્ષેત્રના દિગ્ગજો અને વિશ્વકક્ષાના અર્થશાસ્ત્રીઓએ દુઃખ વ્યક્ત કર્યું છે અને કોંગ્રેસના નેતાઓ ડૉ. મનમોહનસિંહના નિવાસસ્થાને દોડી ગયા છે, અને હવે ડૉ. મનમોહનસિંહના પાર્થિવ દેહના અંતિમ દર્શને વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, કોંગી નેતાઓ, કાર્યકરો તથા લોકો પહોંચી રહ્યા છે.

ડૉ. મનમોહનસિંહે ૯ર વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા, ત્યાં સુધી દેશભક્તિનો પરિચય આપ્યો અને કેટલાક સમયથી બીમાર હોવા છતાં મહત્ત્વના પ્રસંગે તેઓ વ્હીલચેરમાં બેસીને પણ હાજરી આપતા હતાં, તે તેઓની કર્તવ્યનિષ્ઠા દર્શાવે છે.

ડૉ. મનમોહનસિંહ વર્ષ ૧૯૭૧ માં બ્યુરોક્રેસીમાં જોડાયા હતાં, અને વાણિજ્ય મંત્રાલયમાં આર્થિક એડવાઈઝર તરીકે તેઓની નિમણૂક થઈ હતી. સેક્રેટરીએટમાં તેઓની અર્થશાસ્ત્રી તરીકેની નિપૂણતા પ્રગટ થઈ હતી અને તે પછી વર્ષ ૧૯૯૧ માં નરસિંહરાવના મંત્રીમંડળમાં તેઓ નાણામંત્રી બન્યા હતાં. તેપછી આર્થિક ઉદારીકરણની નીતિએ દેશનું અર્થતંત્ર વેગીલુ બનાવી દીધું હતું.

દેશમાં ધંધા-ઉદ્યોગ-બિઝનેસને અમલદારશાહી તથા લાયસન્સરાજમાંથી મુક્તિ અપાવીને અર્થતંત્રને પૂરપાટ દોડતું કરનાર નાણામંત્રી ડૉ. મનમોહનસિંહ તે સમયે એક ઉચ્ચકોટિના અર્થશાસ્ત્રી તરીકે પણ ઉભરી આવ્યા હતાં, અને તબક્કાવાર આર્થિક ઉદારીકરણના શ્રેણીબદ્ધ કદમ ઊઠાવ્યા હતાં.

ડૉ. મનમોહસિંહે કેટલાક ક્રાંતિકારી કદમ ઊઠાવ્યા હતાં, જેની કેટલાક લોકોએ તે સમયે ટીકા પણ કરી હતી, પરંતુ એકંદરે તેઓએ બધાને સાથે લઈને કેટલાક મુદ્દે સર્વસંમતિ મેળવવામાં સફળતા મેળવી હતી. નાણામંત્રી તરીકે તેમણે રૂપિયાનું અવમૂલ્યન,, ટેક્સીઝમાં કાપ અને ફોરેન ઈન્વેસ્ટમેન્ટને પ્રોત્સાહન આપવા જેવા તે સમયે ક્રાંતિકારી અને સાહસિક ગણાતા એવા કદમ ઊઠાવ્યા હતાં. જેથી આપણો દેશ અન્ય વિકસિત તથા વિકાસશીલ દેશો સાથે આર્થિક ક્ષેત્રે સ્પર્ધા કરી શકે, તેવો સક્ષમ બન્યો હતો.

વર્ષ ૧૯૯૯ થી ર૦૦૪ સુધી દેશમાં જ્યારે એનડીએનું શાસન હતું અને વાજપેયી વડાપ્રધાન હતાં, ત્યારે પણ આર્થિક ઉદારીકરણની નીતિ યથાવત્ રહી હતી, અને વર્ષ ર૦૦૪ માં જ્યારે યુપીએની સરકારમાં ડૉ. મનમોહસિંહ વડાપ્રધાન બન્યા, ત્યારે તેઓએ આર્થિક ઉદારીકરણની નીતિને વધુ વેગીલી બનાવી હતી. ડાબેરીઓના સમર્થનથી ચાલતી ગઠબંધન સરકારના વડાપ્રધાન તરીકે પણ તેમણે આર્થિક ઉદારીકરણની નીતિ તથા દેશને વિશ્વકક્ષાએ આર્થિક રીતે સક્ષમ અને સ્પર્ધક બનાવવાની નીતિ છોડી નહોતી, જે તેઓની અનોખી સિદ્ધિ ગણાય.

આજે ડૉ. મનમોહનસિંહની અંતિમ વિદાય પછી તેઓની સિદ્ધિઓ વર્ણવાઈ રહી છ ે, અને યુપીએના દસ વર્ષના શાસનકાળ દરમિયાન અર્થતંત્રમાં ૭.૭ ટકા જેવી વૃદ્ધિ થઈ હતી, તેવો દાવો થઈ રહ્યો છે, ત્યારે મોંઘવારી, કૌભાંડો તથા ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે પણ સૌને સાથે રાખીને પોતાની ફરજો બજાવી અને વ્યક્તિગત કોઈ કલંક લાગવા દીધું નહીં. તેની પણ આજે ચર્ચા થઈ રહી છે. ભારતને વિશ્વમાં આર્થિક શક્તિ તથા સર્વક્ષેત્રી સામર્થ્ય ધરાવતા દેશ તરીકેની ઓળખ આપવામાં ડૉ. મનમોહનસિંહના બ્રયુરોક્રેટ, નાણામંત્રી તથા વડાપ્રધાન તરીકે સિંહફાળો રહ્યો છે તેમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી.

ડૉ. મનમોહનસિંહના કાર્યક્રમમાં મનરેગા જેવી રોજગારલક્ષી યોજનાઓને વેગ મળ્યો હતો. માહિતી અધિકારના કાયદા માટે પણ તેઓની ભૂમિકા નોંધપાત્ર હતી. દેશવાસીઓની સુખાકારી અને દેશની આર્થિક સ્થિતિ મજબૂત રાખવાના બન્ને ક્ષેત્રે તેઓએ નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી હતી. વડાપ્રધાન તરીકે તથા અર્થશાસ્ત્રી તરીકે ડૉ. મનમોહનસિંહને અનેક રાષ્ટ્રીય તથા વિશ્વકક્ષાના સન્માનો પણ મળ્યા છે.

આજે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, કોંગી પ્રમુખ ખડગે, રાહુલ ગાંધી, વિવિધ પક્ષોના વડાઓ સદ્ગત મનમોહનસિંહના પાર્થિવ દેહના અંતિમ દર્શને પહોંચ્યા, ત્યારે જે ભાવવાહી દૃશ્યો સર્જાયા હતાં, તે જ સ્વ. મનમોહનસિંહ પ્રત્યે દેશવાસીઓના સન્માનનું દ્યોતક છે. પૂર્વ પી.એમ. તથા મહાન અર્થશાસ્ત્રી ડૉ. મનમોહનસિંહને કોટિ કોટિ વંદન, સાથે શ્રદ્ધાંજલિ...

 

સરકારો બદલી, પક્ષો બદલ્યા, નેતાઓ બદલ્યા, નિર્ણયો બદલ્યા, પણ શું ન બદલાયું?

જામનગર મહાનગરપાલિકા દ્વારા થતા કેટલાક ખર્ચાઓની ચર્ચાઓ ટોક ઓફ ધ ટાઉન બની છે, અને મેગા પ્રોજેક્ટોથી લઈને માંડવાઓ સુધીના મુદ્દાઓની ગરમાગરમ ચર્ચા થઈ રહી છે. બીજી તરફ વધી રહેલી ઠંડી વચ્ચે પણ આ પ્રકારે ટોપ ટુ બોટમ તથા સડકથી સંસદ સુધી થતી ચર્ચાઓ ગરમી વધારી રહી છે.

જામનગરમાં પ્રદર્શન ગ્રાઉન્ડમાં ટૂંક સમયમાં એસ.ટી. ડેપો ખસેડીને હાલના બસડેપોના સ્થળે અદ્યતન બસપોર્ટ ઊભું થશે, તેવા અહેવાલો પછી લોકો પ્રદર્શન ગ્રાઉન્ડમાં એસ.ટી. ડેપો કામચલાઉ ધોરણે શરૂ થાય, તે પહેલા સાત રસ્તા પર ફ્લાય ઓવર બ્રીજનું કામ પૂરૃં થઈ જાય અને આડસો દૂર કરીને રસ્તાઓ ખુલ્લા થઈ જાય, તેવું ઈચ્છી રહ્યા છે, કારણ કે અત્યારે જ અહીં ટ્રાફિક જામની સમસ્યા ઘેરી બની ગઈ છે, ત્યારે જો પ્રદર્શન ગ્રાઉન્ડમાં એસ.ટી. ડેપો કામચલાઉ ધોરણે શરૂ થાય, અને ફ્લાય ઓવર બ્રીજનું કામ ચાલતું હોય, તો ટ્રાફિક જામ ઉપરાંત વાહનો તથા લોકોની સુરક્ષા તથા સલામતિ જાળવવાનું અઘરૂ થઈ પડે તેમ છે. આ અંગે જિલ્લા તંત્ર સતર્ક હશે ને?

બીજી તરફ મહાનગરપાલિકા દ્વારા થતા કેટલાક જરૂરી અને કેટલાક બિનજરૂરી ખર્ચાઓ અંગે પણ બે દિવસથી ચર્ચાઓ થઈ રહી છે. તેમાં પણ શ્રાવણી મેળામાં માત્ર એક પખવાડિયા માટે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ઊભા કરાયેલા મંડપનું ભાડુ જ જો ૩૪ લાખ ચૂકવાયું હોય, તો તેના સંદર્ભે સવાલો ઊઠે એ સ્વાભાવિક જ છે ને?

આમ પણ ટાઉનહોલનું ઉદ્ઘાટન એક નાટકનું મંચન કરીને થયા પછી ટાઉનહોલની મરામતની આખી પ્રક્રિયા જ ચર્ચાની એરણે ચડી છે, અને લાંબા સમય સુધી ટાઉનહોલ બંધ રાખીને તેનું રિનોવેશન જે જંગી ખર્ચે થયું, તે પણ ચર્ચાનો મુદ્દો બન્યો છે. ઘણાં લોકો કહે છે કે, શ્રાવણી મેળા માટે જે મંડપ ખર્ચ થયો, તેટલા ખર્ચમાં તો કોઈ જ્ઞાતિ-સમાજના સમૂહલગ્ન થઈ જાય, અને જે જંગી ખર્ચે ટાઉનહોલનું રિનોવેશન કરાયું, તેટલા ખર્ચે તો એક નવો અદ્યતન ટાઉનહોલ જ ઊભો થઈ જાય, જે હોય તે ખરૃં, પણ આ ચર્ચા તદ્ન અસ્થાને તો નથી જ ને? એક કહેવત છે કે જો આગ લાગી હોય તો જ ધૂમાડો થાય ને? આગને ગૂપચૂપ બુઝાવી શકાય, પરંતુ તેના કારણે ઊડતા ધૂમાડો જ ઘણુ બધું કહી જતો હોય છે, ખરૃં કે નહીં?

જો કે, ઘણાં લોકો અત્યારની મહામોંઘવારીને ટાંકીને આ પ્રકારના જંગી ખર્ચાઓને જસ્ટીફાય કરતા હોય છે, પરંતુ આ પ્રકારના જસ્ટીફિકેશનો જ પ્રવર્તમાન શાસનમાં મોંઘવારીનો માર વધ્યો હોવાની હકીકતને પણ ઉજાગર કરે છે, ખરૃં ને?

જામનગર જ નહીં, રાજ્ય અને દેશભરમાં જ્યાં જ્યાં વિકાસના માચડા ઊભા થઈ રહ્યા છે, ત્યાં ત્યાં આ જ પ્રકારના આક્ષેપો પણ થતા જ રહેતા હોય છે. હજુ એટલી જાગૃતિ નથી આવી કે ભ્રષ્ટાચારના આ આક્ષેપોને પૂરવાર કરતા પુરાવા લઈને લોકો લોકાયુક્તો, લોકપાલો કે અદાલતોમાં જાય... એવું થવા લાગશે, ત્યારે જ આક્ષેપો-પ્રતિઆક્ષેપોનો દોર અટકશે, કારણ કે આક્ષેપો નક્કર હોય, તો તે પૂરવાર થશે અને આક્ષેપોમાં દમ નહીં હોય, તો ખોટા આક્ષેપો કરનાર સામે કાનૂની કાર્યવાહી કરવાના દરવાજા પણ ખૂલી જશે, જો ક આવું થવું ઘણું જ મુશ્કેલ છે, કારણ કે સામાન્ય લોકોની પોતાના ઘર-પરિવાર અને ગુજરાન ચલાવવા તથા બે છેડા ભેગા કરવામાં જ જિંદગી નીકળી જાય છે, જ્યારે નેતાઓ પોતપોતાની 'કારકિર્દી'માં વ્યસ્ત હોય છે. બીજી દૃષ્ટિએ એમ પણ કહી શકાય કે 'હમામ મેં સબ નંગે હૈ...' 'તેરી બી ચૂપ ઔર મેરી બી ચૂપ...!'

ગુજરાતમાં તો હરણી, ટીઆરપી ગેમઝોન, વિવિધ જમીન કૌભાંડો, ખ્યાતિ કૌભાંડ, આયુષ્માન યોજનાનું કૌભાંડ, પોન્ઝીકાંડ, બોગસ ડીગ્રી, બોગસ ડોક્ટર, નસબંધીકાંડ, અંધાપાકાંડ, દુષ્કર્મકાંડો, 'નકલી' કાંડો તથા આરોગ્ય, શિક્ષણ તથા કૃષિક્ષેત્રે ચાલતા કૌભાંડોએ આખા દેશનું ધ્યાન ખેંચાય, તેવી સનસનાટી મચાવી છે. બીજી તરફ શાસકો 'સબ સલામત હૈ...' અને ગુજરાતને દેશનું 'મોડલ' સ્ટેટ ગણાવીને વિકાસના ગ્રોથ એન્જિનનું ગૌરવ પણ લઈ રહ્યા છે. આમાં સાચું કેટલું, ખોટું કેટલું અને સ્વીકૃત કેટલું, તે જનતાએ જ નક્કી કરવાનું છે ને?

દેશને આઝાદી મળી, તે પછી સરકારો બદલતી રહી, પક્ષો બદલતા રહ્યા, નેતાઓ બદલતા રહ્યા, નીતિઓ બદલતી રહી અને નિર્ણયો પણ બદલતા રહ્યા, પરંતુ ન બદલી શકાયું હોય તો તે છે ભ્રષ્ટ સિસ્ટમ... જે તંત્ર, રાજનીતિ અને હવે તો ઉચ્ચકક્ષા સુધી પહોંચી છે!

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ઈવી ઉદ્યોગ ઊડાન ભરશે કે થશે બાળમરણ...? સરકાર જાણે ને એનું કામ જાણે!!

આજે ભગવાન ઈશુ ખ્રિસ્તીનો જન્મ દિવસ છે, જેને આપણે નાતાલ તરીકે ઓળખીયે છીએ. ખ્રિસ્તીધર્મનો આ તહેવાર પણ હવે દિવાળીની જેમ જ સાર્વજનિક અને રોજગાર વૃદ્ધિનું માધ્યમ બની રહ્યો છે. નાતાલના મીની વેકેશનમાં પણ દિવાળી વેકેશનની જેમ જ યાત્રાધામ દ્વારકામાં યાત્રિકો અને પર્યટકો ઉભરાઈ રહ્યા છે, તેવી જ રીતે છોટીકાશી સહિત સૌરાષ્ટ્રના અન્ય યાત્રા-પર્યટન સ્થળોમાં પણ નાતાલના તહેવારોની ચહલ-પહલની સાથે સાથે પ્રવાસીઓની ભીડ પણ વધી રહેલી જોવા મળે છે. જામનગરના સ્થાનિક દર્શનીય અને હરવા-ફરવાના સ્થળો ઉપરાંત બરડા ડુંગર સહિતના નજીકના પૌરાણિક-ઐતિહાસિક અને પ્રાકૃતિક સ્થળોમાં પણ લોકો મોજ-મસ્તી સાથે યાત્રા-પર્યટનનો આનંદ ઊઠાવતા જોવા મળી રહ્યા છે.

સૌરાષ્ટ્રના યાત્રાધામો તથા નગરો-મહાનગરોમાં ઘણાં સ્થળે હવે ઈલેક્ટ્રીક-રિક્ષા ફરતી જોવા મળી રહી છે. તે ઉપરાંત એસ.ટી. તથા કેટલાક શહેરોની સિટીબસો પણ હવે ઈલેક્ટ્રીક સિસ્ટમથી ચાલે છે. પર્યાવરણની સુરક્ષા તથા વૈકલ્પિક ઈંધણને પ્રોત્સાહન આપવાના હેતુથી ભારતે દુનિયામાં જે પહેલ કરી છે, તેની ચર્ચા હવે ગ્લોબલ પ્લેટફોર્મ્સ પર પણ થવા લાગી છે.

આપણા દેશમાં અત્યારે રાજકીય ક્ષેત્રે પણ 'વૈકલ્પિક' ઊર્જાની જેમ જ મોદી પછીની 'વૈકલ્પિક' સંભવિત નેતાગીરીની ચર્ચા થતી રહે છે, અને તેમાં અમિત શાહ ઉપરાંત નીતિન ગડકરીનું નામ પણ અગ્રતાક્રમે ચર્ચાતું રહે છે. નીતિન ગડકરીના કારણે જ દેશમાં માર્ગો-ધોરીમાર્ગો તથા ફ્લાય ઓવર બ્રીજોનું અદ્યતન નેટવર્ક વિસ્તરીરહ્યું છે, અને ઈલેક્ટ્રીક વાહનોના ક્ષેત્રે ઈનોવેટિવ આઈડિયાઝ ધરાવતા ગડકરીએ ઈવી માર્કેટને પણ ટૂંકા સમયમાં ધમધમતું કર્યું છે, તે એક હકીકત છે. ગડકરી ચોખ્ખુંચણાક બોલનારા તથા પ્રયોગાત્મક દીર્ઘદૃષ્ટિ ધરાવતા હોવાથી કદાચ કોઈને ખાર (ઈર્ષ્યા) થાય, કે તેના વધી રહેલા કદના કારણે 'અણગમો' થાય, તો પણ સંઘનું પીઠબળ હોવાથી ગડકરીને કદ પ્રમાણે વેતરી શકાય નહીં, તેમ ઘણાં વિશ્લેષકો માને છે.

અત્યારે તો સંઘ સામે કેટલાક સંતોએ પણ આક્રોષ દાખવ્યો હોવાના અહેવાલો પછી એક અલગ જ પ્રકારની ચર્ચા શરૂ થઈ ગઈ છે, પરંતુ ગડકરીના ઈનોવેટિવ આઈડિયાઝ તથા યોગીની યુપી ફેઈમ રાજનીતિના અહેવાલો પણ અત્યારે પ્રથમ હરોળમાં ચમકી રહ્યા છે. ખાસ તરીકે ગડકરીની 'ઈલેક્ટ્રીકલ વ્હીકલ' અંગેની ફોર્મ્યુલા પર્યાવરણપ્રેમીઓને જ નહીં, માર્કેટના માધાંતાઓને પણ ગમવા લાગી હોય તેમ જણાય છે.

તેમણે એક કાર્યક્રમમાં પોતાના ભાષણ દરમિયાન જણાવ્યું કે ભારતમાં ઈ.વી. માર્કેટમાં દશગણો વધારો થવાનું પોટેન્શીયલ (શક્યતા) છે. ભારત ઈલેક્ટ્રીક વાહનોનું ઉત્પાદન ઝડપભેર વધારીને આગામી પાંચ વર્ષમાં વિશ્વમાં ઓટોમોબાઈલના ક્ષેત્રે નંબર વન ઉત્પાદક બની શકે છે. ગડકરીએ એવો સંકેત પણ આપ્યો કે કેન્દ્ર સરકારના આગામી બજેટમાં પણ ઈવી માર્કેટને પ્રોત્સાહન આપવાની વિશેષ જોગવાઈઓ થઈ શકે છે.

અત્યારે પણ આપણો દેશ ઓટો ઈન્ડસ્ટ્રીઝમાં વિશ્વમાં ત્રીજા ક્રમે છે અને જો ઈ.વી. માર્કેટને પ્રોત્સાહન મળે તો આ ક્ષેત્રે ટોપ પર ઝડપથી આવી શકે છે. વર્ષ ર૦૩૦ સુધીમાં ઈવી માર્કેટ અબજો રૂપિયાને આંબી જશે અને તેના થકી કરોડો નોકરીઓ ઊભી થશે, તેવો આશાવાદ પણ ગડકરીએ વ્યક્ત કર્યો છે.

આ ક્ષેત્રના નિષ્ણાતોના મંતવ્યો મુજબ મધ્યમ વર્ગનો રોજીંદો પેટ્રોલ-ડીઝલનો ખર્ચ બચાવતા ઈલેક્ટ્રીક વાહનો ઝડપભેર વ્યાપ વધારવાની આડે તેની ચાર્જીંગ વ્યવસ્થાની ઉણપ આવી રહી છે. ઈવીની વ્યાપક્તાની સાથે સાથે ચાર્જીંગ સ્ટેશનો પણ ઝડપભેર ઊભા થવા જોઈએ. એટલું જ નહીં, ઈવીમાં ઊભી થતી ઋતુગત તથા સિસ્ટોમેટિક ખરાબીઓની તત્કાળ મરામત વાજબી ખર્ચે થઈ શકે, તેવા સ્થળો (ગેરેજ) પણ ઠેર-ઠેર ઊભા થાય તે જરૂરી છે.

જ્યારે ગેસ આધારિત વ્હીકલો શરૂ થયા, ત્યારે પણ ફીલીંગ સ્ટેશનો ઓછા હતાં, પરંતુ વાહનોની સંખ્યા વધી તેમ તેમ આ પ્રકારના ફીલીંગ સ્ટેશનો પણ ડીઝલ-પેટ્રોલ પંપની જેમ જ ઠેર-ઠેર ઊભા થવા લાગ્યા, તેવી જ રીતે ઈલેકટ્રીક વ્હીકલ્સ માટે પણ ઠેર-ઠેર ચાર્જીંગ સ્ટેશનો ઊભા થાય, તો જ ઈલેક્ટ્રીક વાહનોનો વપરાશ વધે અને તેનું પ્રોડક્શન વધે, તે અત્યંત જરૂરી છે. એમ પણ કહી શકાય કે ઈલેક્ટ્રીક વાહનોની ઉપયોગિતા તથા માંગ વધારવા માટે ઠેર-ઠેર ચાર્જીંગ સ્ટેશનો તથા તેની નજીકમાં જ મરામતની સુવિધા ધરાવતા સરકારી કે પ્રાઈવેટ ગેરેજ જેવા સ્થળોની વ્યવસ્થા થવી અનિવાર્ય છે. અત્યારે ઈવી ઉદ્યોગની સૌથી મોટી અડચણ ચાર્જીંગ સ્ટેશનો તથા જરૂર પડ્યે તત્કાળ મરામતની વ્યવસ્થાઓનો અભાવ છે. જો આ અડચણો ઝડપભેર દૂર થઈ જશે, તો ઈલેક્ટ્રીક વાહનોની પાંખે જ ભારતનો ઈવી ઉદ્યોગ સિદ્ધિઓની ઊંચાઈઓ પ્રાપ્ત કરશે, પરંતુ જો આ અડચણો સમયસર દૂર નહીં થાય, તો ઈવી માર્કેટનું બાળમરણ થઈ જશે અને ગડકરીનું સ્વપ્ન રોળાઈ જશે, તેવી આશંકાઓ વ્યક્ત થાય, તો તેમાં પણ વજુદ છે. આ અંગે મોદી સરકાર તથા ઈવી ક્ષેત્રે કાર્યરત સરકારી મશીનરી (બ્યુરોક્રેસી) પણ સતર્ક હશે જ ને?

જો ભારતમાં ઉચ્ચ ગુણવત્તા ધરાવતા વાહનોનું ઉત્પાદન વધે, તેમાં સરકાર ગ્રાહકોને માતબર સીધી સબસીડી આપે અને લોકોમાં ઈવીના ઉદ્યોગથી થતા સાર્વજનિક અને વ્યક્તિગત ફાયદાઓની સમજ વધે, તો હવાઈ પ્રદૂષણ ઓછામાં ઓછું પ૦ ટકા ઘટી જાય (ઓછું થઈ જાય). તેવી સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. જે ઈલેક્ટ્રીક વાહનોની સંખ્યા વધે, તો દેશની પેટ્રોલિયમ પેદાશોની જરૂરિયાતો ઘટે, અને તેના કારણે દેશવાસીઓને તો ફાયદો થાય જ, પરંતુ દેશની આર્થિક મજબૂતી પણ વધી શકે છે. એક અંદાજ મુજબ આગામી પાંચ વર્ષમાં ભારતના ઈવી માર્કેટ ૧૧પ અબજ ડોલરની આસપાસ હશે, જે એક અનોખી સિદ્ધિ જ ગણાશે.

આપણા દેશમાં દ્વિચક્રીય તથા ત્રિચક્રીય ઈવી વાહનો (સ્કુટર, રિક્ષા વગેરે) ની સંખ્યા વધી રહી છે અને હવે ઈલેક્ટ્રીક કાર તથા ઈલેક્ટ્રીક બસોનો ઉપયોગ પણ વધી રહ્યો છે. ખાસ કરીને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, શાળા-કોલેજો તથા સરકારી, અર્ધસરકારી તંત્રો અને પબ્લિક પરિવહનમાં ઈવીનો ઉપયોગ વધારાઈ રહ્યો છે, તે આશાનું કિરણ છે.

'નોબત'ના પ્રિય વાચકો તથા 'નોબત' સાથે સંકળાયેલા સૌ કોઈને તથા ક્રિશ્ચિયન જનસમુદાયને 'નોબત' પરિવાર તથા માધવાણી પરિવાર નાતાલની હાર્દિક શુભેચ્છાઓ પાઠવે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ગુણવત્તામાં ગરબડ... દંડો ભલે ચલાવો, પણ પ્રિવેન્ટિવ અભિગમ અપનાવો...

એવા અહેવાલો છે કે યાત્રાધામ દ્વારકાના દ્વારકાધીશ મંદિરમાં બનતા પ્રસાદને 'વેરી ગુડ' રેટીંગ અપાયું છે. આ રૂટીંગ દ્વારકાના જગતમંદિરમાં બનતા પ્રસાદને અપાયું છે, જે મંદિરમાં ભેટ ધરાવનાર ભાવિકોને વિતરણ કરવામાં આવે છે. એવું કહેવાય છે કે, જામનગરની ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશનની ટીમે જગતમંદિરના પ્રસાદમાં વપરાતી સામગ્રીની પણ ચકાસણી કરી હતી, અને લોટ, મેંદો તથા અન્ય ચીજવસ્તુઓનું પણ પૃષ્ટિકરણ કરાયું હતું. હોદ્દાની રૂએ દ્વારકાધીશ મંદિર વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ અને કલેક્ટરને ટાંકીને આ જ પ્રકારની ઉચ્ચ ગુણવત્તાની સામગ્રીમાંથી તૈયાર થતો પ્રસાદ જ ભાવિકોને અપાશે,તેવો દાવો પણ કરવામાં આવ્યો છે.

થોડા મહિનાઓ પહેલા તિરૂપતિબાલાજીના મંદિરના પ્રસાદની ગુણવત્તાનો વિવાદ થયા પછી વિવિધ મંદિરોમાંથી વિતરીત થતા પ્રસાદ તથા તેની ગુણવત્તાની ચકાસણી થવા લાગી છે, અને મંદિરોના ટ્રસ્ટીઓ, વ્યવસ્થાપકો કે સમિતિઓ સ્વયં ચકાસણી કરાવવા લાગ્યા હોય, તો તે જનહિતમાં છે, અને જાહેર આરોગ્ય તથા ભાવનાત્મક દૃષ્ટિએ સુસંગત પણ છે.

આ તો થઈ મંદિરોમાં વિતરીત થતા પ્રસાદની ગુણવત્તાની વાત... પરંતુ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા અન્ય ક્ષેત્રોમાં પણ પબ્લિકને અપાતી કે વેચાણ કરાતી સામગ્રીની ચકાસણી થતી હોય છે અને તેનું કાર્યક્ષેત્ર સીધુ જાહેર આરોગ્ય સાથે સંકળાયેલું હોવાથી ઘણું જ વિશાળ તથા મહત્ત્વપૂર્ણ પણ છે.

સરકારના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની જેમ જ પાલિકા-મહાપાલિકાઓમાં પણ ફૂડશાખા હોય છે, જેનું કામ ખાદ્યપદાર્થો તથા પેય પદાર્થો (પાણી, પીણા, પ્રવાહી વિગેરે) ની સતત ચકાસણી કરીને જાહેર આરોગ્યને નુક્સાન થતું હોય તેવા પોદાર્થોનું વેંચાણ કે વિતરણ અટકાવવાનું તથા જાહેર આરોગ્ય સાથે ચેડાં કરનાર સામે કાનૂની રાહે પગલાં લેવાનું પણ છે.

અહેવાલો મુજબ જામનગર મહાપાલિકાની ફૂડ શાખાએ તાજા ફળ અને શાકભાજીના નમૂના લઈને પૃથ્થકરણ માટે લેબમાં મોકલ્યા છે. આ જ રીતે ફૂડ શાખા દ્વારા સતત ચેકીંગ કરીને ખાવા-પીવાની ચીજો તથા તેમાં વપરાતી સામગ્રીની ગુણવત્તા નબળી જણાય ત્યારે તેનો નાશ કરવા ઉપરાંત તેના નમૂના લઈને લેબોરેટરીમાં મોકલવામાં આવે છે.

આ પ્રકારની પ્રેસનોટો રોજ-બ-રોજ પ્રેસ-મીડિયાના માધ્યમથી પ્રકાશિત અને પ્રસારિત થતી રહે છે, પરંતુ જે નમૂનાઓ લેબોરેટરીમાં મોકલાયા હોય, તેમાંથી કેટલાની ગુણવત્તા ખરાબ હતી અને તેના સંદર્ભે કેટલા જવાબદારો સામે કાનૂની કાર્યવાહી થઈ અને કેટલાને સજા થઈ, તે અંગે બહુ કાંઈ પ્રકાશમાં આવતું હોતું નથી. એટલું જ નહીં, પાલિકા-મહાનગરપાલિકાઓની ફૂડ શાખાઓ તથા સરકારના સંબંધિત વિભાગો માત્ર વાર-તહેવારે જ આ પ્રકારનું ચેકીંગ (રેન્ડમલી) કરતા હોય  છે, અને કેટલાક નોટીસો આપીને તથા નમૂના મેળવીને પ્રેસનોટ પ્રસિદ્ધ કરવામાં આવે છે, પરંતુ ભેળસેળિયા તત્ત્વો, લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા અને હલકી ગુણવત્તાની સામગ્રી વેંચતા લોક સામે થતી કાનૂની કાર્યવાહી તથા થતી સજાની બહુ પ્રસિદ્ધિ થતી નહીં હોવાથી આખી પ્રક્રિયા જ શંકા-કુશંકાના ઘેરામાં આવી જતી હોય છે અને આને ડ્રામેબાજી કે નાટક ગણાવાતું હોય. એટલું જ નહીં, હપ્તાપદ્ધતિની અસર હેઠળ તંત્રો આંખ આડા કાન કરતા હોવાના આક્ષેપો પણ થતા હોય છે, તેથી આ પ્રકારની કામગીરી કર્યા પછી તેની ફલશ્રૂતિ અંગે પણ પ્રેસનોટો બહાર પાડવી જોઈએ, ખરૃં કે નહીં?

જામનગરની ફૂડ શાખાએ તાજેતરમાં સુભાષ માર્કેટ, મટન માર્કેટ, મચ્છી માર્કેટમાં કરેલી ચકાસણી પણ રાજ્ય સરકારના ફૂડ વિભાગે સૂચના આપ્યા પછી થઈ હોય, અને મહાનગરપાલિકાની ફૂડ શાખા વધુ સક્રિય થઈ હોય, તો એવું પણ કહી શકાય કે પાલિકા-મહાપાલિકાની ફૂડશાખાઓ સ્વયંભૂ રીતે જે રોજીંદી ચકાસણી કરતી રહે છે, તેની કોઈ અસર જ નહીં થતી હોય, કે પછી 'હોતી હૈ... ચલતી હૈ...'ની માનસિક્તા કામ કરતી હશે.

જો કે, રાજ્ય સરકારના ફૂડ વિભાગે સૂચવ્યા પછી જામનગરના ફૂડ સેફ્ટીના સ્ટાફે નગરના રેસ્ટોરન્ટો, હોટેલો, ફાસ્ટફૂડના સ્ટોલો, લારી-ગલ્લાના ચેકીંગ દરમિયાન ધંધાર્થીઓને કીચન, ફ્રીઝ, વાસણો તથા પીરસવાના સ્થળોમાં સ્વચ્છતા રાખવા, ખોરાક, પીણાઓ તથા પાણીની ગુણવત્તા જાળવવા અને ફૂડ સેફ્ટીના તમામ નિયમોનું પાલન કરવા તથા ચીમની કે ધૂમાડા દ્વારા પ્રદૂષણ ન ફેલાય તેવી  તકેદારી રાખવા સૂચનાઓ સાથે માર્ગદર્શન પણ આપ્યું હતું, તે પણ અત્યંત જરૂરી અને ઉપયોગી જણાયુ હોવાના પ્રતિભાવો છે.

ટૂંકમાં ગંદકી, ભેળસેળ અને હલકી ગુણવત્તાવાળી ચીજવસ્તુઓનું વેંચાણ કરનાર સામે કડકમાં કડક કાનૂની કદમ ઊઠાવવાની સાથે સાથે આવુુ થતું જ અટકે તે માટેની જાગૃતિ ફેલાવવા તથા ધંધાર્થીઓને પ્રેમપૂર્વક પ્રશિક્ષિત કરવાનો અભિગમ પણ આજના સમયની માંગ છે, દંડ કરો, કાનૂનનો દંડો ઉગામો પપણ સાથે સાથે જાગૃતિ પણ ફેલાવો...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

મુંબઈ-પૂણે એક્સપ્રેસ વે પર પારવડી ક્ષેત્રમાં ૪૦૦ કરોડના ખર્ચે તૈયાર દેશનું પહેલું ડિજિટલ મ્યુઝિયમ શરૂ.

જમીન અને રાજનીતિમાં ક્ષારો અને કટૂતાનો થતો વધારો... બી એલર્ટ...પ્લીઝ...

હાલાર સહિત ગુજરાતના દરિયાકિનારાના જિલ્લાઓ માટે ચિંતાજનક કહી શકાય, તેવી ચર્ચા થઈ રહી છે, અને મહામુલી ફળદ્રુપ જમીનોને ક્ષારો ધીમે ધીમે હડપી રહ્યા હોવાના કેટલાક તારણો બહાર આવ્યા પછી તેના મૂળભૂત કારણો તથા તેના નિવારણોના ઉપાયો અંગે પણ ગંભીરતાપૂર્વક વિચાર-વિમર્શ-પરામર્શની જરૃર જણાવાઈ રહી છે.

તાજેતરમાં પ્રકાશમાં આવેલો સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ-ર૦ર૩ મુજબ ગુજરાતમાં મોટાપાયે થતા વૃક્ષછેદનના કારણે ગ્રીન કવર સતત ઘટી રહ્યું છે, અને દરિયાકાંઠે ક્ષારોના ફેલાવાને અટકાવતું મેન્ગ્રુવ કવર દિવસે દિવસે પાતળુ (ઓછું) થઈ રહ્યું હોવાથી ફાળદ્રુપ જમીનો ખારી (ક્ષારયુક્ત) થવાની સમસ્યા વધુને વધુ વકરી રહી છે. ઓખા-બેટદ્વારકાથી પોરબંદર જિલ્લાને સ્પર્શતી હર્ષદ-મિયાંણી સુધીની દરિયાઈ પટ્ટીમાં ક્ષારો વધવાની ગતિમાં વધારો થતા ક્ષારયુક્ત ભૂગર્ભ જળમાં પણ વધારો થઈ રહ્યો હોવાની આશંકા વચ્ચે મેન્ગ્રુવના જંગલોમાં થયેલા ઘટાડાના આંકડાની ચર્ચા પણ થઈ રહી છે.

આ રિપોર્ટને ટાંકીને આવી રહેલા અહેવાલો મુજબ ભારતમાં એકંદરે જંગલો તથા વૃક્ષોનું આવરણ વધી રહ્યું છે, પરંતુ તે પૈકી દરિયાકિનારે મેન્ગ્રુવના કવરની ઘનતા ઘટી રહી છે. અણઘડ રીતે થતા વૃક્ષછેદન તથા પ્રવાસન વિકાસના નામે થતી કોમર્શિયલ તથા ઈન્ડસ્ટ્રીયલ પ્રવૃત્તિઓની આડઅસરોના કારણે આ પ્રકારની સ્થિતિ ઉત્પન્ન થઈ રહી હોવાના તારણો પણ નીકળી રહ્યા છે.

આ રિપોર્ટ મુજબ છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં ૩૬ ચોરસ કિલોમીટરથી વધુ મેન્ગ્રુવનું કવર ગુમાવ્યું હોય તો તે ચિંતાજનક ઉપરાંત ગુજરાતીઓ માટે ક્ષોભજનક પણ ગણાય, તેમ નથી લાગતું?

દ્વારકાથી હર્ષદ વચ્ચેના દરિયાકિનારેથી મેન્ગ્રુવના વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યું હોવાના અહેવાલો અવારનવાર આવતા રહે છે, તેવી જ રીતે જેતપુરમાં કેમિકલયુક્ત પાણી છોડાતું હોવાથી માછીમારીના વ્યવસાયને પણ ફટકો પડતો હોવાના આક્ષેપ સાથે પોરબંદરના સાગરખેડુઓ પણ ચળવળ ભણી આગળ વધી રહ્યા હોય, ત્યારે ગુજરાતના દરિયાઈ પર્યાવરણની જવાબદારી કોની? તેવા સવાલો પણ સ્વાભાવિક રીતે જ ઊઠી રહ્યા છે. દરિયાઈ સુરક્ષાની સાથે સાથે દરિયાઈ પર્યાવરણીય સુરક્ષાની પણ એટલી જ ચિંતા કેન્દ્ર-રાજ્ય સરકારો, તેના તંત્રો તથા સુરક્ષા એજન્સીઓએ કરવી જઈએ, ખરૃં કે નહીં?

છેલ્લા દોઢેક દાયકાથી પશ્ચિમથી દરિયા કિનારો આગળ વધી રહ્યો છે અને જમીનમાં ક્ષારો વધી રહ્યો છે, તેવા અહેવાલો અવારનવાર આવતા હોય છે અને દ્વારકાના દરિયાકિનારે છેલ્લા બે દાયકામાં દરિયો કેટલા સે.મી. આગળ વધ્યો, તેના આંકડા પણ ચર્ચામાં આવતા હોય છે, તેથી ગુજરાત સરકારે ક્ષારો વધુ પ્રસરતા અટકાવવા મેન્ગ્રુવના વૃક્ષોનું નિકંદન થતું અટકાવવા અસરકારક કદમ ઊઠાવવા જ જોઈએ ને?

જો કે, ભારતના નેટ ફોરેસ્ટ કવરમાં વર્ષ ર૦ર૧ થી વર્ષ ર૦ર૩ વચ્ચે ૧પ૬ ચો.કિ.મી. જેટલો વધારો નોંધાયો, અને ગ્રીન કવરમાં ૧૪૪પ ચો.કિ.મી.નો વધારો નોંધાયો, પરંતુ મેન્ગ્રુવનું કવર ઘટી રહ્યું હોય તો તે દરિયાકિનારાના વિસ્તારોને વધુ 'ખારા' કરશે. જમીનની ફળદ્રુપતા અને કિંમત ઘટશે, જેની એકંદરે વિપરીત અસર દરિયાકાંઠાના જિલ્લાઓમાં વસવાટ કરતા નાગરિકોને જ થવાની છે ને?

આશા રાખીએ કે રાજ્ય સરકાર મેન્ગ્રુવના કવરને ઘાટું, વિસ્તૃત અને સુરક્ષિત કરવાની દિશામાં નક્કર કદમ ઊઠાવે, અને હાલારના તંત્રો પણ આ દિશામાં આગળ વધે, સ્થાનિક તંત્રો 'આંખ આડા કાન કરવાની મનોવૃત્તિ તથા શાહમૃગી નીતિ-રીતિ નહીં રાખે, તો જ દરિયાકિનારાને સુરક્ષિત અને દરિયાકિનારાની જમીનોની ફળદ્રુપતા આરક્ષિત રહેશે. આ અંગે રાજ્ય અને કેન્દ્ર કક્ષાએથી સતત મોનીટરીંગ ઉપરાંત લોજેસ્ટિક સપોર્ટ પણ અત્યંત જરૃરી છે.

એક તરફ દરિયાકાંઠાના રાજ્યો તથા જિલ્લાઓમાં 'ખારાશ' વધી રહી છે, તો બીજી તરફ દેશમાં રાજકીય ક્ષેત્રે 'કડવાસ' પણ વધી રહી છે. રાજનીતિ હવે સંવાદના બદલે વિવાદ, સેવાના બદલે સંઘર્ષ અને ખેલદિલીના બદલે ખિલવાડથી પ્રદૂષિત થઈ રહી હોય, તેમ નથી લાગતું?

આઝાદી પછીના પ્રારંભિક દાયકાઓ દરમિયાન દેશની રાજનીતિ સૈદ્ધાંતિક વિરોધ, તર્કબદ્ધ આલોચના તથા વિચારો તથા અભિપ્રાયોમાં ભિન્નતા વચ્ચે પણ પરસ્પર આદર, ઔચિત્ય તથા હાવભાવ અને નિવેદનો-વક્તવ્યોમાં એકપ્રકારની શાલિનતા તથા મર્યાદા ધરાવતી હતી, પરંતુ જેમ-જેમ સમય વિતતો ગયો, તેમ તેમ વ્યક્તિગત આક્ષેપો, ગાલી-ગલોચ, ચારિત્ર્યહનન અને હવે તો ધક્કામૂક્કી તથા મારામારી સુધી વાત પહોંચી ગઈ છે. વિચારધારા કે સૈદ્ધાંતિક ભિન્નતા પહેલા મતભેદોમાં બદલાઈ, પછી મનભેદો સર્જાયા અને હવે તો કટૂતાના પ્રભાવ હેઠળ આ ભિન્નતા હવે શત્રુતામાં બદલાઈ રહી હોય તેમ જણાય છે. જે આપણી સમગ્ર લોકતાંત્રિક વ્યવસ્થાઓ તથા દેશપ્રેમની જનભાવનાઓ માટે ખતરાની ઘંટડી સમાન છે.

જેમ જમીનમાં ખારાશને આગળ વધતી અટકાવતા મેન્ગ્રુવના જંગલો દરિયાકિનારે ટકાવવા પડે, વધારવા પડે અને સુરક્ષિત કરવા પડે, મેંઢાક્રિક જેવી યોજનાઓ ઊભી કરીને દરિયાકાંઠે રેક્લેમેશન પાળાઓ ઊભા કરીને, તેમના કોસ્ટલ પ્રોટેક્શન વોલ્સના નિર્માતા દ્વારા દરિયાકાંઠે મીઠા પાણીનો સંગ્રહ કરીને ક્ષારોને આગળ વધતા અટકાવવા પડે તેવી જ રીતે રાજનીતિમાં વધી રહેલી કડવાશ નિવારવા માટે ખેલદિલી તથા દેશપ્રેમ આધારિત બંધારણીય ભાવનાઓને પુનર્જિવિત કરવી જ પડશે, અન્યથા આપણી રાજનીતિ ધક્કામૂક્કીના માર્ગે લોકતંત્રને કલંકિત કરશે, જુઠ્ઠાણાના ઝાડવા વાવીને એકબીજાને પછાડવાના પ્રપંચો કરતા નેતાઓની શાન ઠેકાણે નહીં આવે, તો આપણા લોકતંત્રની પણ પડોશી દેશો જેવી હાલત થતા વાર નહીં લાગે, તેથી બી એલર્ટ... પ્લીઝ...

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

'તારીખ પે તારીખ'નું કલંક ક્યારે હટશે? ન્યાયતંત્રને જ અન્યાય?

ગઈકાલે જામનગર બાર એસોસિએશનના કેટલાક હોદ્દેદારોની ચૂંટણી સંપન્ન થઈ અને સાંજે તેના પરિણામો પણ આવી ગયા. જામનગરની જેમજ કોડીનાર, રાજકોટ વગેરે અન્ય શહેરોમાં પણ વકીલ મંડળોની ચૂંટણી યોજાઈ ગઈ. જામનગરમાં આ વખતે બાર એસોસિએશનના પ્રમુખ, સેક્રેટરી, ખજાનચીપદો પહેલા જ બિનહરિફ જાહેર થઈ ગયા હતા. તેથી ઉપપ્રમુખપદ તેમજ કારોબારી સભ્યો સહિતના વિવિધ હોદ્દાઓ માટે ચૂંટણી યોજાઈ હતી. આ વખતે મહિલા અનામત પદ માટે પણ ચૂંટણી થઈ હતી.

વિવિધ શહેરોમાં નવા ચૂંટાયેલા તથા બિનહરિફ જાહેર થયેલા હોદ્દદારોએ વકીલોની મુખ્ય સુવિધાઓ વધારવા તથા ન્યાયિક પ્રક્રિયાઓને લઈને સંકલન વધારવાના જુદા જુદા વચનો આપ્યા હતાં અને કેટલીક સમસ્યાઓ તથા તદ્વિષયક વ્યવસ્થાઓ માટે સક્રિય પ્રયાસો કરવાની ખાતરી પણ ઉચ્ચારી હતી.

ગુજરાતમાં તો અદાલતોનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર તથા જરૂરી વ્યવસ્થાઓનું નવીનિકરણ થઈ રહ્યું છે, અને જામનગર સહિત કેટલાક સ્થળે નવા અદાલતી સંકુલોનું નિર્માણ થઈ રહ્યું છે, પરંતુ દેશના કેટલાક રાજ્યોમાં દાયકાઓ જુની ઈમારતોમાં કાર્યરત અદાલતી સંકુલોમાં આજે પણ પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવાની ફરિયાદો વારંવાર ઊઠતી રહેતી હોય છે, અને તે અંગે કેન્દ્રિય કાયદા વિભાગ તથા રાજ્ય સરકારોએ સાથે મળીને કોઈ મેગા યોજના (દેશવ્યાપી) ઘડવી જરૂરી છે, તેવી માંગણી પણ ઊઠતી રહેતી હોય છે.

આપણા દેશમાં ન્યાયિક પ્રક્રિયા ઘણી જ લાંબી ચાલે છે અને વિલંબિત ન્યાયના કારણે ઘણાં નિર્દોષોને પણ કેસ ચાલતા પહેલા જ લાંબા સમય સુધી જેલવાસ ભોગવવો પડતો હોવાની ચર્ચા પણ અવારનવાર ઊઠતી રહે છે, ત્યારે 'તારીખ પે તારીખ'નો ડાયલોગ વારંવાર વ્યંગાત્મક રીતે ઉચ્ચારાતો હોય છે અને તેમાં તથ્ય હોવાથી તેને જનસમર્થન પણ મળતું રહેતું હોય છે. આ કલંક નિવારવા શાસન-પ્રશાસન અને બાર કાઉન્સિલો, બાર એસોસિએશનો વચ્ચે સુદૃઢ સંકલન થાય, અને હકીકતમાં આ દિશામાં વાસ્તવિક પ્રયાસો થાય, તે અત્યંત જરૂરી છે.

રાજ્યસભાના સભ્ય પરિમલભાઈ નથવાણીએ દેશની અદાલતોમાં હાલમાં પેન્ડીંગ કેસો અંગેના પૂછેલા પ્રશ્નનો જવાબ કેન્દ્રિય કાયદામંત્રી અર્જુનરામ મેઘવાલે સંસદ ગૃહમાં રજૂ કર્યો હતો. તે મુજબ ગુજરાતની વડી અદાલત (હાઈકોર્ટ) માં અત્યારે ૧.૭૦ લાખથી વધુ કેસો પેન્ડીંગ છે, જ્યારે રાજ્યની નીચલી અદાલતો તથા જિલ્લા અદાલતોમાં તો ૧૭ લાખ જેટલા કેસો પડતર હોવાનું જણાવાયું છે.

કેન્દ્રિય કાયદામંત્રીએ રજૂ કરેલી વિસ્તૃત વિગતો મુજબ દેશની સર્વોચ્ચ અદાલત (સુપ્રિમ કોર્ટ)માં પણ ૮ર હજારથી વધુ કેસો પેન્ડીંગ છે, જ્યારે દેશભરની હાઈકોર્ટોમાં પડતર કેસોની સંખ્યા ૬૧.૮૦ લાખને પણ વટાવી ગઈ છે. આખા દેશની જિલ્લા અદાલતો તથા નીચલી અદાલતોમાં પડતર કેસોની સંખ્યાનો સરવાળો તો ૪ કરોડ ૬ર લાખ ૩૪ હજારને વટાવી ગયો છે, ત્યારે દરરોજ નવા ઉમેરાતા હજારો કેસોની ગણતરી કરીએ તો જ ન્યાયની પ્રક્રિયામાં કેટલી બધી ઝડપ લાવવી પડે તેમ છે, તેનો અંદાજ આવી શકે. જો પડતર કેસો વધતા જ રહેશે તો વિલંબિત ન્યાયની આ સ્થિતિ એક લોકતાંત્રિક દેશ માટે અણકલ્પ્ય પરિણામો લાવનારી બની શકે તેમ હોવાથી 'તારીખ પે તારીખ'ની સિસ્ટમના સ્થાને (કોઈને પણ ઉતાવળમાં અન્યાય ન થઈ જાય તેની તકેદારી સાથે) મિનિમમ ડેઈટ, મેક્સીમમ જજમેન્ટની ઝુંબેશ ઉપાડવી જરૂરી છે, તેમ નથી લાગતું? આ માટે બાર એસોસિએશનો, બાર કાઉન્સિલો તથા તમામ કક્ષાની અદાલતો વચ્ચે કાયમી સંકલિત મિકેનિઝમ પણ ઊભું કરવું જોઈએ, ખરૃં ને?

કેન્દ્રિય કાયદા મંત્રીએ આપેલા જવાબ મુજબ ગુજરાત હાઈકોર્ટમાં જજોની મંજુર કરેલી બાવનમાંથી ૩ર જગ્યાઓ જ ભરેલી છે, જ્યારે ર૦ જગ્યાઓ ખાલી છે. એવી જ રીતે રાજ્યની જિલ્લા અદાલતો તથા નીચલી અદાલતોમાં ૧૭ર૦ માંથી પ૩પ જગ્યાઓ ખાલી છે, આમાં ઝડપી ન્યાયની આશા ક્યાંથી રાખી શકાય?

દેશની વાત કરીએ તો દેશભરની હાઈકોર્ટ માટે ૧૭ર૦ જજોની જગ્યાઓ મંજુર થયેલી છે, જેમાંથી ૩૬૮ જગ્યા ખાલી છે. દેશભરની નીચલી અદાલતો તથા જિલ્લા અદાલતોમાં મંજુર થયેલી રપ,૭૦૦ થી વધુ જજોની જગ્યાઓમાંથી પર૬ર જગ્યાઓ ખાલી છે, જો કે સુપ્રિમ કોર્ટ માટે મંજુર થયેલી ૩૪ જજોની જગ્યાઓ પૈકી ૩૩ જગ્યાઓ ભરેલી છે, પરંતુ દેશભરમાાં જજોની ખાલી જગ્યાઓની સંખ્યા જોતા કેસોના ઝડપી નિકાલની આશા કેમ રાખી શકાય? આ તમામ જગ્યાઓ ઝડપભેર ભરવાને પ્રાથમિક્તા આપવાની સાથે સાથે પ્રવર્તમાન સમયમાં ઝડપભેર વધી રહેલા કેસો, લોકોમાં આવી રહેલી કાયદાકીય જાગૃતિ તથા સાઈબર-આર્થિક-આંતરરાષ્ટ્રીય ક્રાઈમની વધતી જતી સંખ્યાને ધ્યાને રાખીને તમામ કક્ષાએ જજોની ઘણી વધુ નવી જગ્યાઓ પણ મંજુર કરવી જોઈએ, તેમ નથી લાગતું?

આપણા દેશમાં લાખો વકીલો પ્રેક્ટીસ કરી રહ્યા છે અને હજારો અદાલતો છે, તેથી જો 'તારીખ પે તારીખ'ની સંસ્કૃતિ બદલવામાં આવશે, તો ઝડપી ન્યાય મળતો થશે, અને ન્યાયતંત્રમાં લોકોનો વિશ્વાસ વધશે. કેટલાક નિવૃત્ત ન્યાયાધિશોને ક્ષુલ્લક પેન્શન મળતું હોવાની ફરિયાદો ચર્ચાઈ રહી હોય અને કામના અત્યંત ભારણ છતાં ખાલી જગ્યાઓ ભરવા, ન્યાયતંત્રની વહીવટી પાંખની ખાલી જગ્યાઓ તથા ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવામાં વિલંબ થશે, તો તે ન્યાયતંત્રને જ અન્યાય થાય છે, તેવું ગણાશે... જાગો...જાગો..

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

આંબેડકરના મુદ્દે ભાજપ બેકફૂટ પર? લોકતંત્રના મંદિરમાં ધક્કામૂક્કી શોભે ખરી? કહીં પે નિગાહે... કહીેં પે નિશાના!!!

અત્યારે સોશિયલ મીડિયામાં રાષ્ટ્રીય કક્ષાએ સંસદ પરિસરમાં ધક્કામૂક્કી, અમિત શાહ પર આંબેડકરના અપમાનના આક્ષેપ સાથે વિપક્ષોનું હલ્લાબોલ, કોંગ્રેસનું દિશવ્યાપી વિરોધ પ્રદર્શન, ભાજપે રાહુલ ગાંધી સામે કરેલી એફઆઈઆર તથા ભાજપના બે સાંસદોને ધક્કામૂક્કીમાં થયેલી ઈજાના અહેવાલો વાયરલ થઈ રહ્યા છે. તે ઉપરાંત મલ્લિકાર્જુન ખડગેએ કરેલા પ્રતિઆક્ષેપો તથા કથિત પોલીસ ફરિયાદને સાંકળીને પણ સોશ્યલ મીડિયામાં કોમેન્ટોનો પ્રવાહ વહી રહ્યો છે.

બીજી તરફ સ્થાનિક કક્ષાએ જામનગરમાં ટ્રાફિક જામની સમસ્યા યથાવત્ રહી અને ગુજરાતમાં ગઈકાલે જુદી જુદી જગ્યાએ થયેલા જીવલેણ માર્ગ અકસ્માતોની ચર્ચા પણ સોશ્યલ મીડિયામાં થઈ રહી છે, પરંતુ સોશ્યલ મીડિયામાં સૌથી વધુ કોમેન્ટો સમાજસેવી ખજૂરભાઈ પર શુદ્ધ ઘાણીના તેલના મુદ્દે થયેલા આક્ષેપો સામે થઈ રહી છે અને જનભાવનાઓ પણ ઉભરાઈ રહી છે. તે ઉપરાંત જયપુરમાં સીએનજી-પીએનજી વાહનોના અકસ્માત પછી સંખ્યાબંધ વાહનો સળગી ઊઠ્યા, તેથી અરેરાટી પણ વ્યાપી રહી છ ે.

આ પ્રકારના તમામ ઘટનાક્રમોની અસરો પબ્લિક ઓપિનિયન (જનમત) પર થતી જ હોય છે, અને જ્યારે જ્યારે આક્ષેપો-પ્રતિઆક્ષેપોનો મારો વધવા લાગે, ત્યારે ત્યારે તેમાંથી જ સ્થાપિત હિતો અને રાજકીય લાભાલાભોની ગણતરીઓ મંડાવા લાગતી હોય છે. સંસદનો સાંપ્રત સંગ્રામ હોય કે ખજૂરભાઈને સાંકળતો કથિત વિવાદ હોય, તેની સોશ્યલ મીડિયામાં થતી ચર્ચા જોતા ચોક્કસ એમ જણાય કે 'કહીં પે નિગાહે... કહીં પે નિશાના...'

ગઈકાલે સંસદ પરિસરમાં જે કાંઈ થયું, તે શોભાસ્પદ કે સ્વીકાર્ય તો નહોતું જ, પરંતુ દેશની ૧૪૦ કરોડની જનસંખ્યાનું પ્રતિનિધિત્વ કરતા સાંસદો પાસેથી અપેક્ષિત પણ નહોતું. ધક્કામૂક્કી કેમ થઈ, સાંસદોને ઈજા કેટલી થઈ અને પોલીસ ફરિયાદો સુધી મામલો કેમ પહોંચ્યો, તેવા મહત્ત્વપૂર્ણ સવાલો ઉપરાંત એ પણ વિચારવા જેવું છે કે આ પ્રકારનો ઘટનાક્રમ સર્જાયો જ શા માટે? શું ઉભય પક્ષે વોટબેંકની રાજનીતિ રમાઈ રહી છે કે બીજો કોઈ ઉદ્દેશ્ય છે?

હકીકતે રાજકોટના સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા લોકસભાની ચૂંટણી પહેલા એક વિવાદાસ્પદ નિવેદનના વમળમાં ફસાઈ ગયા હતાં, તેવી જ રીતે અત્યારે અમિતભાઈ શાહ ફસાયા છે. કોંગ્રેસે બાબાસાહેબ આંબેડકરની અવગણના કરી અને નહેરૂકાળમાં તેઓને ચૂંટણીમાં પરાજીત કરવામાં કોની ભૂમિકા હતી, તેની વાત કરતા કરતા ગૃહમંત્રી અમિત શાહ કાંઈક એવું બોલી ગયા, જેને પકડીને કોંગ્રેસે ડો. બાબાસાહેબ આંબેડકરનું અપમાન થયું હોવાના આક્ષેપ સાથે કેન્દ્રિય ગૃહમંત્રીનું રાજીનામું માંગી લીધું અને ભાજપ બેકફૂટ પર અને બચાવની સ્થિતિમાં મૂકાઈ ગયો. હકીકતે ગૃહમંત્રી શું બોલ્યા હતા, તેની ચર્ચા જ વધુ થવા લાગી.

જો કે, ભાજપે ધક્કામૂક્કીમાં ભાજપના સાંસદોને ઈજા થઈ, તે માટે રાહુલ ગાંધીને જવાબદાર ઠેરવીને વળતો પ્રહાર કર્યો અને સામસામે ફરિયાદો માટે ભાજપ-કોંગ્રેસના નેતાઓ સંબંધિત પોલીસ સ્ટેશને પહોંચી ગયા, તેથી સમગ્ર વિવાદે વળાંક લઈ લીધો.

એ પછી બન્ને પક્ષો એકબીજા પર આક્ષેપો-પ્રતિઆક્ષેપો કરતા રહ્યા, પરંતુ ભાજપ બચાવની સ્થિતિમાં ડિફેન્સીવ અને કોંગ્રેસ આક્રમક મુદ્રામાં એટેક્ટિવ હોય, તેવી સ્થિતિ ઊભી થઈ ગઈ હતી. એ પછી તો સમગ્ર વિપક્ષ એકજુથ થઈ ગયો અને ભાજપ તથા ગૃહમંત્રીની રાજકીય ઘેરાબંધી કરી લીધી હતી, અને મોદી સરકાર બેકફૂટ પર આવી ગઈ.

આ ઘટનાક્રમોને પીઢ નેતાઓ, તટસ્થ વિશ્લેષકો અને વિવિધ ક્ષેત્રોના દિગ્ગજો પણ વખોડી રહ્યા છે, અને લોકતંત્રના મંદિરસમી સંસદના પરિસરમાં સાંસદો ધક્કામૂક્કી કરે અને કોઈને ઈજા પહોંચે, તેવી ઘટનાને પણ અશોભનિય ગણાવી રહ્યા છે. બીજી તરફ ભાજપના સાંસદો દંડા લઈને આવ્યા હતાં અને ખડગેના ઘૂંટણોમાં ઈજા થઈ હતી તેવા આક્ષેપો પછી આ મુદ્દો હવે સંસદમાંથી શેરીઓમાં પહોંચી ગયો છે.

કોંગ્રેસે આજે આ મુદ્દે ગૃહમંત્રી અમિત શાહે આંબેડકર વિષે આપેલા નિવેદનના વિરોધમાં જિલ્લે-જિલ્લે વિરોધ-પ્રદર્શનો યોજીને આ મુદ્દેાને દેશવ્યાપી સ્વરૂપ આપી દીધું છે, અને હવે આ મુદ્દો આગામી કેટલાક રાજ્યોની વિધાનસભાઓ તથા સ્થાનિક ચૂંટણીઓ સુધી ગૂંજતો રહેશે, તે નક્કી છે.

જો કે, સ્વયં અમિત શાહે પ્રેસકોન્ફરન્સમાં ચોખવટ કરી કે તેમણે તો આંબેડકરના કોંગ્રેસે ભૂતકાળમાં કરેલા અપમાન તથા અવગણનાનો પર્દાફાશ કર્યો હતો, પરંતુ તોડી-મરોડીને વિપક્ષો તેમની સામે ખોટા આક્ષેપો કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ એક પછી એક ત્રણ-ચાર ટ્વિટ કરીને અમિત શાહનો બચાવ કર્યો, પરંતુ હવે કોંગ્રેસે આ વિવાદને ઈને જિલ્લે-જિલ્લે દેખાવો યોજવાની રણનીતિ અપનાવતા ભાજપને રૂપાલા ફેઈમ સ્થિતિનું ડેમેજ કંટ્રોલ કરવું પડી રહ્યું હોય તેમ જણાય છે.

એવી કહેવત છે કે છૂટેલું તીર કે શબ્દો પાછા ખેંચી શકાતા નથી, તેથી થૂંકેલું ચાટીને માફામાફી કરવાનો વારો આવતો હોય છે, જો કે રાજકીય ક્ષેત્રોમાં આવું કરવું પડે, તે પણ તેને અયોગ્ય ગણવામાં આવતું નથી, કારણ કે વિવાદ ટાળવા માટે આ સરળ વિકલ્પ છે. ઘણી વખત બદનક્ષીના કેસો પર પૂર્ણવિરામ મૂકવા માટે પણ 'માફી' માંગી લેવાનો સરળ વિકલ્પ હોય છે, અને કેજરીવાલે આ સરળ વિકલ્પનો ભરપૂર ઉપયોગ પણ કર્યો છે, જો કે ગૃહમંત્રી અમિભાઈ શાહની મક્કમતા જોતા તેઓ માફી માંગે કે રાજીનામું આપે, તેવી શક્યતાઓ તો ઓછી જણાય છે, પરંતુ રાજનીતિમાં ઘણી વખત કાંઈ પણ કરવું પડે, તે માટે તૈયાર રહેવું પડતું જ હોય છે અને તેના ઘણાં દૃષ્ટાંતો પણ ઈતિહાસમાં ઉપલબ્ધ છે.

અખિલેશ યાદવે તો નીતિશકુમાર અને ચંદ્રબાબુ નાયડુને આંબેડકર કે અમિત શાહ વચ્ચે પસંદગી કરી લેવા જણાવ્યું છે, અને એનડીએમાં અન્ય કેટલાક સાથી પક્ષોના નેતાઓ પણ પોતાની વોટબેંક સાચવવા તલપાપડ છે, ત્યારે જો આ પક્ષો ટેકો પાછો ખેંચી લ્યે, તો મોદી સરકારને જ વિદાયા લેવી પડે તેમ હોવાથી એનડીએના નેતાઓ વચ્ચે સંકલન જાળવી રાખવા અને ડેમેજ કંટ્રોલ કરવાના ભરચક્ક બેકડોર પ્રયાસો પણ થઈ રહ્યા છે. જોઈએ, હવે શું થાય છે તે...

હકીકતે દલિત, પછાત, દબાયેલા, કચડાયેલા અને ગરીબોના ઉત્થાન માટે તત્પર હોવાનો દાવો શાસક પક્ષ અને વિપક્ષો કરી રહ્યા છે અને અખિલેશ યાદવે પીડીએ માટે આંબેડકરને ભગવાન હોવાનું નિવેદન કર્યું છે, તે જોતા હવે કદાચ રૂપાલાનો ઈતિહાસ દોહરાવાય અને મોડે મોડેથી પણ શાહ જાહેરમાં ખેદ વ્યક્ત કરે, તો નવાઈ જેવું નહીં હોય...

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

close
Ank Bandh