અધકચરા કામો અને તેની આડઅસરો... ગુંગળાવતો વિકાસ...

આજથી જામનગરમાં બસ ડેપો કામ ચલાઉ ધોરણે પ્રદર્શન ગ્રાઉન્ડમાં ખસેડાયો છે અને હાલના બસડેપોના સ્થળે અદ્યતન બસપોર્ટ બનવાનું છે, તે ઉપરાંત હાલના વર્કશોપના સ્થાને નવું આધુનિક વર્કશોપ પણ બનવાનું છે, તેથી સ્વાભાવિક રીતે જ કેટલીક પ્રારંભિક મુશ્કેલીઓ એસ.ટી. તંત્ર અને મુસાફરોને પણ થવાની છે. એટલું જ નહીં, કેટલીક આડઅસરો અન્ય ટ્રાફિક તથા ટ્રાન્સપોર્ટેશનને પણ થવાની છે. કાંઈક મેળવવા માટે કાંઈક ગુમાવવું પડે, તે કહેવત મુજબ લોકો પાસે હવે બીજો કોઈ વિકલ્પ પણ નથી અને એસ.ટી. તંત્ર સામે પણ આ પડકાર ઝીલી લેવા સિવાય બીજો કોઈ માર્ગ નથી. તેથી હવે બધાએ વ્યવહારૂ અભિગમ તો અપનાવવો જ પડે તેમ છે.

જો કે, આ પ્રકારના ફેરફારો થાય, ત્યારે મુસાફરો, નગરજનો તથા અન્ય ટ્રાફિકને ઓછામાં ઓછી તકલીફ થાય, તેની જવાબદારી માત્ર એસ.ટી. તંત્રની જ નહીં, પરંતુ સમગ્ર વહીવટીતંત્રની પણ છે. એસ.ટી.ની સેવાઓ પણ સરળ અને સુવિધાજક રીતે ચાલતી રહે અને પ્રવર્તમાન સુવિધાઓમાં પણ કોઈ વધુ તકલીફો ઊભી ન થાય, તે જોવાની જવાબદારી સ્થાનિક નેતાગીરીની પણ ગણાય જને?

ઘણી વખત વધારે પડતો સ્નેહ કે પ્રેમ ગુંગળાવનારો હોય છે, તેવી જ રીતે વિચારોનો વંટોળ પણ અકળાવનારો બની જતો હોય છે. નવા નવા કોન્સેપ્ટ રજૂ થાય, અમલી બને અને ઢગલાબંધ વિકાસના કામો સંપન્ન થાય, તે તો આવકારદાયક જ છે, અને વિકાસ પ્રક્રિયા ચાલતી હોય, ત્યારે થોડી-ઘણી તકલીફો પડે તો પણ નાગરિકોએ તેનો સામનો કરીને પણ વિકાસ તંત્રોને સહયોગ આપવો જોઈએ, તે પણ હકીકત છે, પરંતુ લાંબુ વિચાર્યા વગર કે વૈકલ્પિક પૂરતી વ્યવસ્થા કર્યા વગર જ્યારે અનેક પ્રકારના વિકાસના કામો એકીસાથે ચારે તરફ શરૂ કરી દેવામાં આવે, અને તે દિવસો કે અઠવાડિયાઓ નહી, પરંતુ મહિનાઓ સુધી ચાલ્યા કરે, અને રોજીંદુ જનજીવન ખોરવાઈ જાય, તો તે પણ યોગ્ય ન જ ગણાય ને?

હવે નવું બસપોર્ટ બને, ત્યારે ખરૃં, પરંતુ જે કામચલાઉ બસડેપો અથવા બસસ્ટેશન ઊભું કરાયું છે, તેમાં મુસાફરોને પૂરેપૂરી સુવિધા મળી રહે, અને ઓછામાં ઓછી તકલીફો પડે, તે જોવાની જવાબદારી તંત્રો અને નેતાગીરી નિભાવી શકશે ખરી? તેવા પ્રશ્નો ઊઠે, તે પણ અસ્થાને નથી.

નગરમાં જે ઓવરબ્રીજ બની રહ્યો છે, તેને લાંબો સમય થયો છે, અને તે ફેબ્રુઆરી-ર૦રપ માં સંપન્ન થઈ જશે, તેવી તારીખ પછી હવે જૂન મહિનાની વાતો ઊડવા લાગી છે, જો કે બે-ત્રણ મહિનામાં ફ્લાયઓવર બ્રીજનું કામ સંપૂર્ણપણે સંપન્ન થઈ જાય, અને તેના પરથી વાહનો દોડતા થઈ જાય, તેવું લાગતું તો નથી, પરંતુ આ કામને ટૂંકાવીને કેટલીક કાપકૂપ કરીને તથા કેટલાક કામો અધુરા રાખીને અધકચરો ફ્લાયઓવરબ્રીજ ચાલુ થઈ જાય, તેવું બની શકે છે, પરંતુ તેનો કોઈ અર્થ ખરો?

નગરમાં વધુ ટ્રાફિક સમસ્યા થતી હતી, તે અંબર ચોકડી, ગુરુદ્વારા ચોકડી વગેરેને લક્ષ્યમાં લઈને પહેલા તો ટૂંકો ફ્લાયઓવરબ્રીજ બનવાનો હતો, પરંતુ તેમાં વિસ્તૃતિકરણ કરીને વિક્ટોરિયા બ્રીજથી સાત રસ્તા સુધીનો ફ્લાયઓવરબ્રીજ મંજુર થયો, તે દરમિયાન રંગમતી-નાગમતી નદીઓમાં ઘણાં પાણી વહી ગયા છે. મૂળ એસ્ટીમેન્ટથી વર્તમાન ખર્ચ કદાચ સવાયો કે દોઢો થઈ જશે. એટલું જ નહીં, અંબર ચોકડી પાસે જે ડિઝાઈનથી માર્ગો બનવાના હતાં, તેમાં ફેરફાર કરીને સળંગ ફ્લાયઓવરબ્રીજ નિર્માણ કરવાનો નિર્ણય લેવાયા પછી નગરમાં જે ચર્ચા ચાલી રહી છે, તે સૌ કોઈ જાણે છે.

આ ફ્લાયઓવરબ્રીજ બની જાય, તે પછી પણ નીચેની સડકો પરથી સ્થાનિક ટ્રાફિક બહું ઘટવાનો નથી, અને એસ.ટી. બસો, અન્ય ટ્રાવેલ્સની બસો, સ્થાનિક ટ્રાન્સપોર્ટસના વાહનો, રિક્ષાઓ, રિક્ષાછકડાઓ, ટેક્સીઓ તથા દ્વિચક્રી વાહનોનો ટ્રાફિક તો નીચેની સડકો પરથી જ વધુ રહેવાનો હોય, તો આટલા જંગી ખર્ચે નિર્માણ થઈ રહેલા ફ્લાયઓવરબ્રીજનો અર્થ શું? તેવા સવાલો પણ ઊઠી રહ્યા છે. જોઈએ હવે આ 'નગરચર્ચા' ક્યાં સુધી પહોંચે છે તે...

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

હૂતાશણી પર્વે પ્રગટ થઈ વરવી વાસ્તવિક્તા... કડક કાનૂન ઘડાશે ખરો?

હૂતાશણીનું પર્વ ઉમંગપૂર્વક ઉજવાઈ ગયું અને બોર્ડની પરીક્ષાઓ પણ સંપન્ન થઈ ગઈ, બીજી તરફ બળબળતા ઉનાળની આગાહીઓ થવા લાગી અને આખું વર્ષ કેવું નિવડશે, તેના અનુમાનો પણ થવા લાગ્યા, તો આગાહીઓ, અનુમાનો તથા ભવિષ્યવાણીઓની યથાર્થતા અંગે એક જ પ્રકારની ચર્ચા થવા લાગી.

હૂતાશણી પર્વે ધૂળેટીના દિવસે રંગ ઊડાડતા ઊડાડતા અથવા મંદિરોમાં દર્શન કર્યા પછી દેશના વિવિધ રાજ્યોમાં કેટલાક નેતાઓએ કરેલા નિવેદનો પછી દેશમાં રાજકીય, આર્થિક, સામાજિક અને સંવેદનશીલ વિષયો પણ ચર્ચાના ચાકડે ચડ્યા છે, અને આ સમયમાં ગુજરાતમાં થયેલા રોડ-એક્સિડન્ટ્સની ચર્ચા પણ અલગથી થઈ રહી છે. રાજ્યમાં એકંદરે હર્ષોલ્લાસ સાથે હૂતાશણી પર્વ મનાવાયું, તો કેટલાક સ્થળે નાની-મોટી તકરારો અને મારામારી થઈ હોવાના અહેવાલો પણ આવ્યા.

આપણે ત્યાં હૂતાશણીનં પર્વ ખૂબ જ ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવાય છે, અને કેટલાક સ્થળે ઉત્સાહ પણ જોવા મળતો હોય છે. યાત્રાધામ દ્વારકામાં તો ફૂલડોલ ઉત્સવ માટે ભાવિકોનો જાણે મહાસાગર ઘુઘવાતો હોય તેવા દૃશ્યો ઊભા થયા હતાં, અને લાખો ભાવિકો પદયાત્રાઓ કરીને દ્વારકા પહોચ્યા હતાં. દ્વારકામાં ભાતીગળ હોલિકાત્સવની રૂડી ભાત જોવા મળી હતી, તો દેશ-વિદેશથી દ્વારકા પહોંચેલા દર્શનાર્થીઓની બહુ રંગી આભા પણ પ્રગટતી જોવા મળી. એકંદરે હોલિકાદહ્ન, રંગોત્સવની સાથે સાથે સ્પર્ધાત્મક મનોરંજનો સાથે હોળી-ધૂળેટીનો ઉત્સવ રંગેચંગે સંપન્ન થયો.

ભારતીય જનતા પક્ષના દિગ્ગજ પ્રાદેશિક નેતા અને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટમાં ઘરઆંગણે હૂતાશણી પર્વ ઉજવ્યું અને રંગોત્સવની મજા માણી. આ સમયે મીડિયા સાથેની વાતચીતમાં તેમણે આપેલા નિવેદનના પડઘા કદાચ દિલ્હી સુધી પડવાના છે, અને નવા પ્રદેશ પ્રમુખ નિમવાની દ્વિધાજનક સ્થિતિ વચ્ચે ભાજપની પ્રાદેશિક નેતાગીરીમાં પણ તેની ચર્ચા થવા જ લાગી હશે, કારણકે 'વિજયવાણી' ઘણી જ સૂચક, સમજી વિચારીને પ્રગટ થનારી તથા ઘણી વખત સ્ફોટક પણ હોય છે.

વિજયભાઈએ જે કાંઈ કહ્યું, તેનો સારાંશ એવો છે કે ભારતીય જનતા પક્ષે સત્તા માટે થઈને કોંગ્રેસીઓ સાથે સમજુતિ ન કરવી જોઈએ. પરોક્ષ રીતે આ નિવેદન ભાજપના ભરતી મેળાના સંદર્ભે અપાયેલી વોર્નિંગ ગણવામાં આવે છે, તો ઘણાં લોકો ભાજપના મૂળ અને વફાદાર, નિષ્ઠાવાન કાર્યકર્તાઓના અસંતોષને વાચા અપાઈ હોવાનો મત પણ વ્યક્ત કરે છે. કેટલાક લોકો આને વ્યક્તિગત અસંતોષની અભિવ્યક્તિ ગણાવે છે, તો ઘણાં લોકો વાસ્તવિક્તાનું પ્રગટીકરણ ગણાવે છે. જે હોય તે ખરૂં, પરંતુ આગ લાગી હોય ત્યાં ધૂમાડો તો દેખાવાનો જ છે ને??

કેટલાક નેતાઓ પરંપરાગત રીતે હૂતાશણી પર્વની ઉજવણી વિશેષ ઢબે કરતા હોય છે. વિજયભાઈ રૂપાણીએ હૂતાશણીનું પર્વ પરિવાર તથા અડોશ-પડોશના બાળકો સાથે રંગોત્સવ સાથે ઉજવ્યું, તો જામનગરમાં ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી લીમડાલેનના વૃદ્ધાશ્રમ અને અનાથાશ્રમમાં પરિવાર તથા ગ્રુપના સભ્યો સાથે રંગોત્સવ ઉજવવા પહોંચ્યા હતાં. તેઓએ ત્યાંના વડીલો તથા અન્ય આશ્રિતોને શુકનવંતો રંગ લગાવીને શુભકામનાઓ વ્યક્ત કરી અને આત્મિયતા દર્શાવી. આ પ્રકારના દૃશ્યો આપણાં સમાજની સિક્કાની બીજી બાજુ તથા વરવી વાસ્તવિક્તા પણ રજૂ કરે છે.

પૂર્વ મંત્રી અને જામનગરના દિગ્ગજ નેતા હકુભા જાડેજા પણ દર વર્ષે હોળી-ધૂળેટી પર્વે વૃદ્ધાશ્રમમાં જઈને વડીલો સાથે 'તિલકહોળી' દ્વારા ઉજવણી કરે છે.

નેતાઓ વૃદ્ધાશ્રમોમાં વાર-તહેવારે જઈને હૂતાશણી-દીપોત્સવી જેવા તહેવારોની ઉજવણી કરીને ત્યાં રહેતા લોકોને તેના પરિવાર જેવી હૂંફ આપતા હોય છે, અને કેટલાક વડીલોના પરિવરજનો પણ ત્યાં જતા હોય છે, જો કે આ પ્રકારના વૃદ્ધાશ્રમો વધી રહ્યા છે. તેના પડઘા મહારાષ્ટ્રની વિધાનસભા સહિત વિવિધ ધારાગૃહોમાં પણ પડઘાતા હોય છે. અસદુદીન ઓવૈસીની પાર્ટીના એક ધારાસભ્યે પણ આ પ્રકારના વૃદ્ધાશ્રમો વધી રહ્યા છે, અને સંતાનો વૃદ્ધ માતા-પિતા કે વડીલોને કચરાની જેમ કચરાટોપલીમાં ફેંકવા હોય, તેવી માનસિક્તાથી વૃદ્ધાશ્રમોમાં (તરછોડીને) છોડી જતા હોય છે, તે સારી બાબત નથી. તેમણે સવાલ ઊઠાવ્યો છે કે શું આ પ્રકારના વૃદ્ધાશ્રમોને લઈને આપણા દેશમાં કોઈ નક્કર કાયદા છે ખરા? શું વૃદ્ધોને તરછોડનાર સંતાનોને દંડાત્મક કે શિક્ષાત્મક કડક કાયદાઓ હેઠળ આવરી લેવા ન જોઈએ? શું આવા કડક કાયદા ન બનાવી શકાય?

જે માતા-પિતાએ ઉછેરીને મોટા કર્યા હોય, ભણાવી-ગણાવીને હોશિયાર કર્યા હોય, તેને જ આવી રીતે તરછોડવા કે ઘરમાં અપમાનજનક રીતે રાખીને ત્રાસ ગુજારતા સંતાનોની શાન ઠેકાણે લાવવાના કડકકાનૂનની જરૂર જણાતા તેમણે એક પૂર્વ જજ (નિવૃત્ત જજ) પણ વૃદ્ધાશ્રમમાં મળ્યા હોવાનો દાવો પણ કર્યો હતો.

હૂતાશણીમાં આ પ્રકારની સેવા-ભાવનાઓના પ્રગટિકરણની સાથે સાથે વૃદ્ધ માતા-પિતાને તરછોડનાર સંતાનો સામે કોઈ નક્કર કાયદાની સાથે સાથે સામાજિક જાગૃતિની જરૂર પણ છે જ ને??

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

દેર આયે... દુરસ્ત આયે... ન્યાયસંગત માંગણીઓ સમયસર સ્વીકારી લેવામાં વાંધો શું?...?...?

ગઈકાલે જામનગર મહાનગરપાલિકામાં પોઝિટિવ એનર્જી સર્જાઈ હોય, તેવા દૃશ્યો ખડા થયા હતાં અને શિક્ષણ સમિતિ હેઠળના કેટલાક કર્મચારીઓને પાર્ટટાઈમમાંથી કાયમી કરવાના અદાલતી હુકમ પછી બાકીના સમકક્ષ કર્મચારીઓને પણ કાયમી કરવાની દરખાસ્તને સર્વાનુમત્તે મંજુરી અપાતા ૩પ જેટલા પરિવારોમાં પણ આનંદ ફેલાયો હતો. 'શેરડી સાથે એરડીને પણ પિયત મળી જાય' તેવી ગામઠી કહેવતની જેમ જ સ્પેશ્યલ જનરલ બોર્ડમાં બીજી બે-ત્રણ દરખાસ્તો પણ મૂકાઈ, અને એકાદ દરખાસ્ત વિરોધ પક્ષના વાંધા સાથે બહુમતિથી પણ પસાર થઈ ગઈ. મનપામાં ખાલી જગ્યાઓ પર ભરતી થાય, ત્યારે અડધી જગ્યાઓ મનપામાં જ દસ-વીસ વર્ષથી ફરજ બજાવતા હોય, તેને પ્રાયોરિટી આપવાની દરખાસ્તને પણ વિપક્ષનું શરતી સમર્થન મળ્યું હોવાની ચર્ચા છે. આ દરખાસ્તને વિપક્ષે આવકારી અને ભરતી થાય, ત્યારે વિપક્ષને પણ સાથે રાખવાની વાત કરી, તે એડવાઈઝીંગ સ્કીલની 'ફૂદડી'વાળી 'શરતો લાગુ' જેવી કન્ડીશનલ સહમતિ તો નહોતી ને? તેવી ચર્ચા પણ થવા લાગી હતી. જે હોય તે ખરૂ, પરંતુ મનપા માટે કોન્ટ્રાક્ટ બેઇઝ હેઠળ ઘણાં બધા વર્ષો આપ્યા હોય, તેને પ્રાધાન્ય અપાય અને મેરિટ પણ જળવાય, તો તે આવકારદાયક છે.

તે પહેલા સ્ટેન્ડીંગ કમિટીએ તાજેતરમાં રૂ.  પપર કરોડથી વધુની જોગવાઈઓ હેઠળ વિવિધ વિકાસકામો તથા ખર્ચ-દરખાસ્તોને મંજુરી આપી, તે સંદર્ભે પણ લોકચર્ચા સાંભળવા મળી હતી. આ મંજુર થયેલી દરખાસ્તોમાં મોટાભાગના ઈન્ફ્રાસ્ટરક્ચરના કામો હતાં, જેમાં હાપા વિસ્તારમાં મલ્ટીપર્પઝ કલ્ચરલ કોમ્પ્લેક્ષના નિર્માણની દરખાસ્ત ધ્યાન ખેંચનારી હતી.

ઘણાં લોકો તો સૂચિત મલ્ટી પર્પઝ કલ્ચરલ કોમ્પ્લેક્ષ અથવા ઓડીટોરિયમના સૂચિત ખર્ચને તાજેતરમાં જેનું કામ સંપન્ન થયું છે, તે નગરના ટાઉનહોલના રીપેરીંગ અથવા નવીનિકરણ માટે થયેલા ખર્ચની સરખામણી પણ કરવા લાગ્યા હતાં.

આ પ્રકારની ચર્ચાઓ થતી રહે છે, પરંતુ તેના પર બહુ લક્ષ્ય અપાતું હોતું નથી, પરંતુ કબીરજીનો દોહરો યાદ રાખવા જેવો છે કે 'નિંદક સાયરે સખીયે, આંગન કૂટિ છવાઈ, બિન સાબુ-પાની બિના... પાપ તુમ્હારા ધોવાય...'!

લોકતંત્રમાં આલોચના થવી, વિરોધ દર્શાવવાો, સૂચનો કરવા, એ નાગરિકોનો હક્ક પણ છે, અને ફરજ પણ છે, અને તે સાંભળવાની શાસકોની ફરજ પણ છે, અને જવાબદારી પણ છે. આ પ્રકારની ટિકા-ટિપ્પણીઓમાંથી ઘણી વખત ઉપયોગી માર્ગદર્શન પણ મળી રહેતું હોય છે. આ પ્રકારના સૂચનો ઘણી વખત અભ્યાસુઓના પોઝિટિવ થિન્કીંગમાંથી નીકળતા હોય છે, તો ઘણી વખત માત્ર શ્રેષ્ઠ જ્ઞાન કે હોંશિયારી દેખાડવા માટે પણ થતા હોય છે. આ બધા વચ્ચે સમતુલન, ધૈર્ય અને હકારાત્મક અભિગમ સાથે નિર્ણયો લેવા જોઈએ. આજની અદ્યતન ટેકનોલોજીના દરરોજ બદલતા યુગમાં પણ ૧૮ મી સદીની માનસિક્તા ધરાવતા લોકો એક સીમિત વર્તુળમાંથી બહાર આવતા હોતા નથી, પરંતુ તેવા પોથીના પંડિતોને આદરપૂર્વક 'ઈગ્નોર' કરીને પારદર્શક જનલક્ષી અને સર્વજન હિતાય... સર્વજન સુખાય... નિર્ણયો લેવાય, તે અત્યંત જરૂરી છે, અને આ લોકતંત્રનો સિદ્ધાંત તમામ ક્ષેત્રોમાં ટોપ-ટુ-બોટમ લાગુ પડે છે. ધડમાથા વગરના વિચારોનો કોઈ મતલબ જ નથી.

લોકતંત્રમાં સોલીડ બહુમતી હોય, તો પણ વિપક્ષના માધ્યમથી પ્રગટ થતો જનતાનો અવાજ પરખીને જ યોગ્ય નિર્ણયો લેવાય, તો તે શ્રેષ્ઠ લોકતાંત્રિક શાસન ગણાય. તેવી જ રીતે તર્કવિહીન કે વેસ્ટેડ ઈન્ટ્રેસથી થતા સૂચનો કે લેવાતા નિર્ણયોને હવે જનતા પારખવા લાગી છે, જે ભૂલવું ન જોઈએ.

પંચાયતો હોય કે પાલિકા-મહાપાલિકાઓ હોય, રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય કે પછી બોર્ડ-નિગમો કે અન્ય બંધારણીય સંસ્થાઓ હોય, એ વાત યાદ રાખવાની જરૂર છે કે લોકોને કાયમ માટે ભ્રમિત રાખી શકાતા નથી. આનું તાજુ ઉદાહરણ દિલ્હીમાં થયેલું સત્તા પરિવર્તન છે.

જ્યારે કોઈ સારા નિર્ણયો લેવાતા હોય અને તેને વિપક્ષ આવકારે, તે લોકતંત્રની ખૂબસૂરતી ગણાય, અને તેવા આવકારનેે શાસકો સાથે ઈલૂ-ઈલૂ કરવાના આક્ષેપો કરવા કે મિલીભગતના આક્ષેપો કરવા યોગ્ય નથી. તેવી જ રીતે વિપક્ષોની સાચી વાત, તથ્યાપક અને લોકોની લાગણીઓ સાથેનો અવાજ અવગણવો એ પણ યોગ્ય નથી.

જામનગરની મહાનગરપાલિકાએ તાજેતરમાં કચરાની ગાડીઓના વજન આધારિત બીલો બનાવવાના બદલે ફેરા આધારિત બીલો બનાવવાની તૈયારી બતાવી હોવાના અહેવાલો આવ્યા, તેને આવકારવા જ જોઈએ. આ પ્રકારની વિપક્ષની લાગણી અને માગણીમાં જનતાના સમર્થનનું બળ પણ હતું. એવી જ રીતે ડોર-ટુ-ડોર કચરો એકત્રિત કરતા વાહનોની પાછળ કે સાઈડોમાં કોથળા ટીંગાળવાથી ઊભી થતી પરેશાનીઓ તથા કેટલાક સ્થળે આ કોથળામાંથી ખરતા જતા કચરાથી (ઘટવાના બદલે) વધતી ગંદકીની રાવ ઊઠ્યા પછી કેટલીક કચરાગાડીઓએ સાઈડમાં કોથળા લટકાવવાનું ટાળ્યું હોય તેમ જણાય છે, પરંતુ હજુ પણ પાછળના ભાગે તો ગંદા દૃશ્યો ઊભા કરતા કચરાઓથી ભરેલા કોથળાઓ લટકાવાય છે. જોઈએ, હવે જનતાનો આ અવાજ કોના કોના સુધી પહોંચે છે તે...

ઘણી વખત લાંબી લાંબી કાનૂની કાર્યવાહીઓ કરીને ઘણો બધો સમય વેડફવાની સાથે સાથે તેની પાછળ જંગી ખર્ચાઓ કર્યા પછી નિર્ણયો લેવાના બદલે ન્યાયસંગત વાત હોય, એ પહેલેથી જ સ્વીકારી લેવામાં વાંધો શું???

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

કાંઈ 'મફત' થતું નથી... પહેલા ટેવ પાડો, પછી ખંખેરો... હવે ડિજિટલ પેમેન્ટ થશે ચાર્જેબલ...

આપણાં દેશમાં ડિજિટલ પેમેન્ટનો વ્યાપ વધ્યો છે અને હવે તો શ્રમિકથી લઈને શ્રીમંત સુધી, ટ્યુશનથી પ્રાઈમ મિનિસ્ટર સુધી અને ગામડાથી લઈને ગ્લોબલ વ્યવહારોમાં લોકો ઓનલાઈન ડિજિટલ પેમેન્ટ કરવા લાગ્યા છે. લારી-ગલ્લા-પથારાવાળા પણ હવે મોબાઈલ સેલફોનના માધ્યમથી ડિજિટલ પેમેન્ટ સ્વીકારવા લાગ્યા છે. એટલું જ નહીં, શાકમાર્કેટથી લઈને શેરમાર્કેટ સુધી તથા સોનીબજારથી લઈને ગ્રેઈન માર્કેટ સુધી ડિજિટલ પેમેન્ટ દ્વારા નાણાકીય વ્યવહારો થઈ રહ્યા છે. દેશમાં ડિજિટલ પેમેન્ટનો કોન્સેપ્ટ દસેક વર્ષ પહેલા વ્યાપક બનાવાયો અને કોરોનાકાળમાં તેને નોંધપાત્ર ઉત્તેજન પણ મળ્યું, તે પછી આપણાં દેશમાં ડિજિટલ પેમેન્ટ વધુને વધુ લોકપ્રિય બનવા લાગ્યું છે, અને તેનો સરળતાથી ઉપયોગ પણ થઈ રહ્યો છે.

હવે એવા અહેવાલો આવ્યા છે કે, યુપીઆઈ અને રૂપે દ્વારા થતા નાણાકીય વ્યવહારો પર એમડીઆર ફરીથી લાગુ કરવાની તૈયારી થઈ રહી છે. દેશમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન તરફ લોકોનો ઝુકાવ વધી રહ્યો છે, ત્યારે આ પ્રકારની તૈયારી થઈ રહી હોય તો દેશના લોકો સાથે બિઝનેસમેન્સની જેમ સરકારે પહેલા ટેવ પાડીને પછી ખિસ્સા ખંખેરવાની નીતિ-રીતિ અપનાવી હોય તેમ નથી લાગતું?

મીડિયા અહેવાલો મુજબ કેશલેશ ટ્રાન્ઝેક્શન પર એમડીઆર લાગુ કરવાની તૈયારી ચાલી રહી છે. એમડીઆરનું ફૂલફોર્મ જ વ્યાપારિક અર્થ દર્શાવે છે. મર્ચન્ટ ડિસ્કાઉન્ટ ફેર એટલે એમડીઆર... જો હવે સરકાર ફરીથી આ પ્રકારનો રેટ (કમિશન અથવા ચાર્જ) લાગુ કરવાની નીતિ અપનાવીને ફી માફી એટલે કે એમડીઆરમાંથી આપેલી મુક્તિ પાછી ખેંચી લેવાનો નિર્ણય લેવા જઈ રહી હોય તો એવો સવાલ સ્વાભાવિક રીતે જ ઊઠે કે, શું સરકાર વેપારી છે?... ડિજિટલ પેમેન્ટની પહેલા ટેવ પાડીને પછી તેના પર અપાયેલી છૂટ પાછી ખેંચી લેવી, તે પ્રજા સાથેનો વિશ્વાસઘાત ન ગણાય?... જરા વિચારો...

અહેવાલો મુજબ બેન્કીંગ સેક્ટર તરફથી કેન્દ્ર સરકારને એક દરખાસ્ત મોકલવામાં આવી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે જેનું વાર્ષિક ટર્નઓવર ૪૦ લાખથી વધુ હોય, તેવા બિઝનેસમેન પર એનડીઆર લગાવવામાં આવે.

જો કે, આ દરખાસ્ત હજુ સરકારે મંજુર કરી દીધી નથી, પરંતુ સરકારની સક્રિય વિચારણા હેઠળ હોવાનું પણ જણાવાઈ રહ્યું છે. સરકાર કદાચ ૪૦ લાખના ટર્નઓવરની મર્યાદા વધારીને એક કરોડ કે તેથી વધુની કરીશકે, મતલબ કે સરકાર નાના અને મધ્ય વર્ગિય વેપારી વર્ગને મુક્તિ આપીને જાયન્ટ બિઝનેસમેન પાસેથી જ એમડીઆર વસૂલવાની મંજુરી આપી શકે છે.

બેન્કીંગ સેક્ટરની દલીલ એવી છે કે જો બિઝનેસમેનો ક્રેડિટકાર્ડ, વિઝાકાર્ડ અને માસ્ટરકાર્ડ પર એમડીઆર ચૂકવી રહ્યા હોય, તો યુપીઆઈ અને રૂપે પર કેમ ન ચૂકવે?

સરકારે જ્યારે ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહિત કરવા માટે એમડીઆર નાબૂદ કરી દીધો હતો, ત્યારે ઠીક હતું, પરંતુ જ્યારે કેટલાક ડિજિટલ નાણાકીય વ્યવહારો પર એમડીઆર લેવામાં આવી રહ્યો હોય તો યુપીઆઈ અને રૂપે પર પણ હવે એમડીઆર ફરીથી લાગુ કરવો જોઈએ, કારણ કે બેંકો અને અન્ય પેમેન્ટ કંપનીઓને આ સુવિધાઓ આપવા પાછળ માળખાકીય (ઈન્ફ્રાસ્ટ્રક્ચર)નો ખર્ચ કરવો પડતો હોય છે, જેની ભરપાઈ થઈ શકે.

આ અહેવાલો પછી એવા કટાક્ષો પણ થઈ રહ્યા છે કે, સરકારે ખાનગિકરણની નીતિ હેઠળ ઘણી સેવાઓ ચાર્જેબલ કરી દીધી છે, અને હવે ખુદ સરકાર પણ વ્યાપારિક નીતિ અપનાવી રહી છે, તેથી ભારતના નાગરિકો સરકાર માટે સિટીઝન્સ નહીં, પણ 'કસ્ટમર' બની રહ્યા છે!

સરકારી હોસ્પિટલોમાં તબીબી સેવાઓ મફત હોય છે અને કેટલીક સેવાઓ માટે ટોકન ચાર્જ લેવાતો હશે, જ્યારે ખાનગી હોસ્પિટલો આ જ પ્રકારની સેવા-સુવિધાઓ કે લેબ ટેસ્ટીંગ માટે ચાર્જ વસૂલતી હોય છે. હવે સરકારી હોસ્પિટલો પણ એવો દાવો કરે કે ખાનગી હોસ્પિટલોને લોકો આ બધા ચાર્જ ચૂકવે છે, તો સરકારી હોસ્પિટલોમાં કેમ ન ચૂકવે?... તેવા પ્રકારના વ્યંગાત્મક સવાલો પણ ઊઠવા લાગ્યા છે, ત્યારે હવે સરકાર અંતે શું નિર્ણય લ્યે છે, તે જોવાનું રહે છે.

લોકોએ પણ એ સમજી લેવું પડશે કે કાંઈ તદ્ન 'મફત' મળતું નથી. તાજેતરમાં 'એપ'નું જોડાણ થયું છે, જેમાં ક્રિકેટ મેચ, ટીવી સિરિયલો વગેરે મોબાઈલ સેલફોન દ્વારા 'મફત' બતાવાશે. આ પહેલા પણ પહેલા લોકોને નિઃશુલ્ક 'ટેવો' પાડીને પછીથી તેના પર ચાર્જ લગાવીને ખિસ્સા ખંખેરવાની ખાનગી ક્ષેત્રોની બિઝનેસ પોલિસીના રવાડે ચડીને સરકાર પણ એવું જ કરશે, તો લોકોનો વિશ્વાસ વધુ ગુમાવશે, જો કે સરકાર 'મફત' આપશે, તેની વસૂલાત પણ આપણી પાસેથી જ કરશે. સરકારી ખજાનો પણ ટેક્સપેયરો જ ભરે છે ને?

ગુજરાતીમાં એક કહેવત છે કે 'વાવમાં ઉતારીને વરત કાપવું'... એટલે કે કોઈ વ્યક્તિને કોઈપણ બહાને તેમની સુરક્ષા અને પરત બહાર લાવી શકાય, તે માટે દોરડાથી કૂવામાં ઉતારવામાં આવે, અને પછી વિશ્વાસઘાત કરીને દોરડું કાપી નાંખવામાં આવે, જેથી કૂવામાં ઉતરેલી વ્યક્તિ તેમાં ડૂબી જાય, અને જીવ ગુમાવે.

બીજા અર્થમાં વરત એટલે ક્રોસ ખેંચવાનું દોરડું... વાવમાં કોસને ઉતારીને દોરડું કાપવાથી કોસ ડૂબી જાય. કૂવામાંથી પાણી ખેંચવા માટે જુના જમાનામાં કોસ ચાલતા, જેને ખેંચતા દોરડાને 'વરત' કહેવામાં આવતું. આ 'વરત'ને પકડીને જુના જમાનામાં કૂવામાં ઉતરેલા વ્યક્તિ સાથે દગાબાજી થતી, તેવું જ કાંઈક હાલમાં થઈ રહ્યું હોય તેવું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

સંસદમાં બજેટ પર ચર્ચા... મતદારયાદીઓમાં ગરબડનો મુદ્દો લોકસભામાં પડઘાયો...

ગઈકાલે લોકસભામાં હોબાળો થતો રહ્યો. નવી શિક્ષણ નીતિ સામે વિપક્ષના સાંસદોની તડાફડી અને મતદારયાદીઓમાં ગરબડના મુદ્દે પણ સંસદમાં પડેલા પડઘા પછી આ મુદ્દો પ્રેસ-મીડિયા અને સોશ્યલ મીડિયાથી આગળ વધીને સરકારી ગલિયારાઓ સુધી ગૂંજી રહ્યો છે. આ બન્ને મુદ્દાઓ આજે 'ટોક ઓફ ધ નેશન' બની ગયા છે. ગઈકાલે આ બન્ને મુદ્દાઓ અંગે સંસદમાં કેટલીક રકઝક, કેટલાક કટાક્ષો અને કેટલીક રમૂજો પણ થતી જોવા મળી. હકીકતે આ બન્ને મુદ્દે ગંભીરતાથી ચર્ચા થવી જોઈએ તેવા પ્રત્યાઘાતો પણ પડ્યા છે.

ગઈકાલે લોકસભામાં રાહુલ ગાંધીએ આ મુદ્દો ઊઠાવ્યો. લોકસભાના અધ્યક્ષે ટકોર કરી કે મતદારયાદીઓ સરકાર થોડી જ બનાવે છે?... તેના જવાબમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ તમામ વિપક્ષો વતી કેન્દ્ર સરકારને આ મુદ્દે ચર્ચા કરાવવાની અપીલ કરતા કહ્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા મતદાર યાદીઓ તૈયાર કરાતી નથી, તે તેને ખબર છે, પરંતુ વિપક્ષો જો આ મુદ્દે લોકસભામાં ચર્ચા કરવા માંગતા હોય, અને સરકાર તેના પર સંસદમાં ચર્ચા કરવા ન ઈચ્છતી હોય, તેવા સંજોગોમાં અધ્યક્ષ દ્વારા તો લોકસભામાં ચર્ચાની મંજુરી તો મળવી જ જોઈએ ને?

રાહુલ ગાંધીએ કહ્યું કે, જ્યારે આખા દેશમાં મતદાર યાદીમાં ગરબડો અંગે સવાલો ઊઠી રહ્યા છે અને વિપક્ષોની સરકારો છે, ત્યાંથી આ પ્રકારની વધુ ફરિયાદો આવી રહી છે, ત્યારે વિપક્ષ માત્ર આ મુદ્દે સંસદમાં ચર્ચા જ ઈચ્છે છે, જેથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય.

રાહુલ ગાંધીએ 'એક્સ' પર પોસ્ટ મૂકીને, 'મહારાષ્ટ્રની મતદાર યાદીઓમાં ગરબડોને લઈને તેમણે (રાહુલ ગાંધીએ) કરેલી પ્રેસ કોન્ફરન્સને એક મહિનાથી વધુ સમય થઈ ગયો છે. ટ્રાન્સપરન્સીને લઈને ચૂંટણીપંચ સમક્ષ કોંગ્રેસે જેે માંગણીઓ કરી હતી, તે હજુ સુધી પૂરી થઈ નથી.'

ગઈકાલે કેન્દ્ર સરકાર ત્યારે ક્ષોભજનક સ્થિતિમાં મૂકાઈ હતી, જ્યારે કેન્દ્રિયમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને પોતાનું એક નિવેદન પાછું ખેંચવું પડ્યું હતું.

હકીકતે તામિલનાડુ સરકાર વિદ્યાર્થીઓનું અહિત કરી રહી છે ને રાજકીય લાભ લેવા હિન્દી ભાષાનો વિરોધ કરે છે, તેવું કહેતા કહેતા મંત્રી મહોદયે ડીએમકેના સાંસદોને અપ્રામાણિક (બેઈમાન) ગણાવી દેતા ગૃહમાં ભારે હોબાળો થયો હતો. તે પછી અધ્યક્ષે એ મંત્રી મહોદ્યના કેટલાક શબ્દો રેકર્ડમાંથી કાઢી નાખવાની સૂચના આપી, અને મંત્રી મહોદયે ગૃહમાં પોતાના વિવાદાસ્પદ શબ્દો પાછા ખેંચવા પડ્યા હતાં, તો બીજી તરફ ડીએમકેના સાંસદો વોકઆઉટ કરી ગયા હતાં.

બજેટ સત્રના બીજા તબક્કામાં અત્યારે સંસદમાં મતદારયાદીમાં ગરબડ અને કેન્દ્રની નવી શિક્ષણનીતિના મુદ્દે વિપક્ષો એકજુથ થઈને સરકારને ઘેરી રહ્યા છે, અને સરકાર બેકફૂટ પર હોય, તેમ જણાઈ રહ્યું છે.

વાસ્તવમાં કેન્દ્ર સરકારે નવી શિક્ષણ નીતિમાં ત્રિભાષીય શિક્ષણની જે જોગવાઈ કરી છે, તેનો દક્ષિણ ભારતમાં કેટલાક સાંસદો વિરોધ કરી રહ્યા છે. અને ખાસ કરીને તામિલનાડુના ટીએમકેના સાંસદો વધુ આક્રમક ઢબે વિરોધ દર્શાવી રહ્યા છે, જેના સંદર્ભે ગઈકાલે સંસદમાં હોબાળા થયા હતાં.

ડીએમકેનો આક્ષેપ એવો છે કે મોદી સરકાર તેમના (તામીલનાડુ) પર હિન્દી ભાષા ધરાર ઠોકી બેસાડવા માગે છે.

કેન્દ્ર સરકારની નવી શિક્ષણ નીતિમાં એક સ્થાનિક ભાષા, હિન્દી અને અંગ્રેજીમાં શિક્ષણ આપવાની જોગવાઈ કરી છે, જેથી ભાષા વિવાદ ખતમ થઈ જાય, તેવો સરકારનો દાવો છે, જ્યારે ડીએમકેના સાંસદો કહે છે કે મોદી સરકાર આવું કરીને તામિલનાડુ પર હિન્દી ભાષા લાદવા માગે છે. આ મુદ્દે થયેલા રાજકીય ધમાસાણ વચ્ચે પ્રજાના મૂળભૂત પ્રશ્નો, સમસ્યાઓ તથા મોંઘવારી, બેરોજગારીના મુદ્દાઓ હવાહવાઈ થઈ ગયા હોય તેવા સંજોગોમાં રાહુલ ગાંધીએ ઊઠાવેલો મતદાર યાદીઓનો મુદ્દો પણ ક્યાંક હોબાળાઓમાં અટવાઈ જશે, એવું કહેવાય છે ને કે, રાજનીતિમાં જે દેખાય તેવું જ બધું હોતું નથી, અને જે હોય છે, તે દેખાતું હોતું નથી. ઘણી વખત આ પ્રકારના હોબાળાઓ અસલ મુદ્દાઓ છાવરવા માટે પણ સર્જાતા હોય છે, તો ઘણી વખત લોકોનું ધ્યાન મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પરથી હટાવવા માટે પણ વિશેષ પ્રકારની રણનીતિઓ અપનાવતી હોય છે. વિપક્ષોનો સવાલ છે કે સરકાર મતદાર યાદીમાં ગરબડના મુદ્દે ચર્ચા કરવા કેમ તૈયાર નથી? ત્રિભાષિય શિક્ષણનીતિના મુદ્દે સરકાર કેમ ફીફાં ખાંડે છે?

વિપક્ષો તરફથી ઊઠાવાતા આ પ્રકારના સવાલો ઘણાં લોકોને ગમતા હોતા નથી અને આ પ્રશ્નાર્થોના જવાબો ન મળે ત્યારે પ્રક્રિયાત્મક કે પરંપરાગત રીતે તેની પ્રશ્નાર્થો સામે જ પ્રશ્નો ઊઠાવીને તેને ડાયવર્ટ કરવાનો પ્રયાસ થતો હોય છે. રાજકીય પક્ષો જ્યારે સત્તામાં હોય, ત્યારે તેઓને પ્રશ્ન ચિન્હો ગમતા હોતા નથી, પરંતુ જ્યારે વિપક્ષમાં હોય, ત્યારે એ જ પ્રશ્ન ચિન્હોનો સહારો લેવો પડતો હોય છે. લોકતંત્રની આ જ ખૂબી અને ખૂબસૂરતી છે,. તો બીજી તરફ ઉભય પક્ષે જડતા અને સંકુચિતતાઓ પણ ભૂંડી ભૂમિકા ભજવતી હોય છે. હમામ મેં સબ નંગે હૈ...!!

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

'મીની' ઓડીઆઈ વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયા ચેમ્પિયન... અભિનંદનની વર્ષા પણ...

ગઈકાલે ટીમ ઈન્ડિયાએ ચેમ્પિયન ટ્રોફીની ફાયનલમાં ન્યુઝીલેન્ડને પછડાટ આપીને નવા કીર્તિમાન રચી દીધો અને દેશભરમાં ક્રિકેટરસિયાઓ જ નહીં, પરંતુ દેશપ્રેમી નાગરિકો પણ ખુશીથી જુમી ઊઠ્યા હતાં. ટીમ ઈન્ડિયા ચેમ્પિયન બની અને વન-ડે એટલે કે ઓડીઆઈના 'મીની' વર્લ્ડકપ તરીકે પ્રચલિત આ ક્રિકેટ શ્રેણી જીતીને ભારતે ચેમ્પિયન ટ્રોફી અંકે કરી. હવે ક્રિકેટ રસિયાઓ ધમાકેદાર ટકાટક ક્રિકેટ ટુર્નામેનટ આઈપીએલ પર નજર માંડીને બેઠા છે.

ચેમ્પિયન શ્રેણીની વિશેષતા એ રહી કે ભારતની વિજયકૂચ અણનમ રહી અને લીગ મેચો, સેમિફાયનલ તથા ફાયનલ સુધી શ્રેષ્ઠ દેખાવ કર્યો. આપણા દેશમાં હવે ક્રિકેટ ક્ષેત્રે દૂર, અંતરિયાળ, વિસ્તારોના નાના-નાના કેન્દ્રો, દુર્ગમ સ્થાનો તથા પહાડી વિસ્તારોમાંથી વિશ્વ વિક્રમ સર્જી શકે તેવા ક્રિકેટરત્નો મળી રહ્યા છે. આપણા બેટધરો વૈશ્વિક ઉચ્ચ કક્ષાની હરોળમાં રહે છે, અને હાલની આપણી ભારતીય ક્રિકેટ ટીમ (પુરુષ) માં ઓપનરો તેજરીતે છે, મીડલ ઓર્ડર પણ મજબૂત છે અને ઓલારાઉન્ડરોની ભરમાર છે. તો બીજી તરફ બોલરો પણ વિશ્વકક્ષાની ઝળહળતી સફળ મેળવી ચૂક્યા હોય તેવા છે, અને દેશભરના વિવિધ વિસ્તારોમાંથી શોધી કાઢ્યા છે. હવે તો ફિલ્ડીંગ પણ ઘણી જ મજબૂત થતી રહે છે.

આ પહેલા વર્ષ ર૦૧૩ માં ભારતે બીજી વખત ચેમ્પિયન ટ્રોફી જીતી હતી. ટીમ ઈન્ડિયાએ ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વાધિક રનનો વિક્રમ પણ સર્જ્યો છે. આ પહેલા વર્ષ ર૦૦૦ માં પણ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ફાયનલ મુકાબલો થયો હતો, પરંતુ તેમાં ન્યુઝીલેન્ડે ભારતને હરાવી દીધું હતું. તે વખતના ભારતીય કપ્તાન ગાંગુલીના ૧૧૭ રન પણ એળે ગયા હતાં. ગઈકાલની મેચમાં વિરાટ કોહલી તદ્ન સસ્તામાં આઉટ થવા છતાં અન્ય બેટ્સમેનોએ રોહિત શર્માની ૭૬ રનની તોફાની ઈનિંગ પછી નોંધપાત્ર રન કર્યા હતાં, જો કે સમયાંતરે ભારતની વિકેટો પડતી હોવાથી ફાયનલ મેચ ઘણો રોમાંચક રહ્યો જ હતો.

આ વિજય થયા પછી રોહિત શર્માએ એવી ચોખવટ પણ કરી દીધી કે તે હાલ તુરત વન-ડે માંથી રિટાયરમેન્ટ લેવાનું વિચારી રહ્યો નથી, અને આ પ્રકારની ચાલતી વાતો માત્ર અફવા છે.

ભારતીય ટીમના વિજયના દેશભરમાં ધમાકેદાર ઉજ્જણી થઈ અને ફટાકડા ફૂટ્યા. માત્ર શહેરોમાં જ નહીં, કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં પણ લોકોએ ઢોલ-નગારા સાથે એકબીજાના મીઠા મોઢા કરાવીને ભવ્ય ઉજવણી કરી. જામનગર સહિતના રાજ્યના શહેરી વિસ્તારમાં લોકોએ આતશબાજી તથા નૃત્ય કરીને ટીમ ઈન્ડિયાના આ વિજયને વધાવી લીધો, ધોની પછી બારવર્ષે રોહિત શર્માએ મેળવેલી ચેમ્પિયન્સ ટ્રોફીની ધૂમ દેશભરમાં સવારોસવાર ગૂંજતી રહી.

દેશના દિગ્ગજ ક્રિકેટરો, વિવિધ ક્ષેત્રોના માંધાતાઓ ઉપરાંત રાજકીય ક્ષેત્રના નેતાઓએ પણ ટીમ ઈન્ડિયાને અભિનંદન આપ્યા. આજે પણ સવારથી જ દેશભરમાં ચોરે ને ચૌટે ભારતે ચેમ્પિયન્સ ટ્રોફીમાં મેળવેલી શાનદાર જીતની જ ચર્ચા થઈ રહી છે, અને પ્રેસ-મીડિયામાં પણ વિજયના વધામણા સાથે વિવિધ વિશ્લેષણો થઈ રહ્યા છે. ગઈકાલે રાત્રે દેશમાં જાણે દીપોત્સવી ઉજવાઈ રહી હોય તેવો માહોલ હતો.

આ મેચમાં રાબેતામુજબ અપાતા પ્લેયર ઓફ ધ મેચ, ઓવર ઓફ ધ સિરિઝ વગેરે સન્માનો ઉપરાંત ન્યુઝીલેન્ડની ટીમના ભારતીય મૂળના ક્રિકેટર રચિન રવિન્દ્રને ગોલ્ડન બેટ એવોર્ડ મેળવ્યો. તેમને આ એવોર્ડ ચાર મેચમાં ર૬૩ રન બનાવ્યા, અને આખી ટુર્નામેન્ટમાં બે વખત સદી ફટકારીને રોહિતની સિદ્ધિઓ બદલ અપાયું હતું, જ્યારે પ્લેયર ઓફ ટુર્નામેન્ટ પણ રચિન રવિન્દ્ર જ બન્યો હતો. આ ઉપરાંત ભારતીય ટીમના શ્રેયસ ઐય્યર, ઈંન્ગલેન્ડના બેટ્સમેન બેન ડકેટ, ઈંગ્લેન્ડના જો રૂટ અને વિરાટ કોહલી આ ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનારની શ્રેણી ટોપ-ફાઈવમાં રમ્યા છે.

આજે રાજકીય ક્ષેત્રે ગુજરાતમાં કોંગ્રેસના સંદર્ભે રાહુલ ગાંધી અને તેના અનુસંધાન કોંગી નેતા દિગ્વિજયસિંહજીના નિવેદનો, મહાકુંભમાં ગંગાસ્નાન અંગે રાજ ઠાકરેનું વિવાદાસ્પદ નિવેદન, અંબાલાલની નવી આગાહી, શરૂ થનારૂ સંસદીય સત્ર, પહેલી એપ્રિલથી થનારા મોટા ફેરફારો, સનાતન ધર્મ અને મોરારીબાપુનું નિવેદન, જલાબાપા અંગે એક સ્વામી સંતની બદજુબાની પછી વીરપુરમાં માફી માંગ્યા પછી રઘુવંશીઓ દ્વારા આ પ્રકરણ પર ફૂલસ્ટોપ મૂકવાની જાહેરાતને દરિયાદિલી તથા મિશ્ર ઋતુની ચોતરફ ચર્ચા થઈ રહી છે.

ભારતીય ક્રિકેટ આજે વિશ્વમાં અગ્રીમ હરોળમાં છે અને ભારતમાં રમાતી આઈપીએલ ટુર્નામેન્ટોના કારણે વિશ્વભરની ટીમો જાણે ભારતીય ક્રિકેટનો જ એક મહત્ત્વપૂર્ણ હિસ્સો હોય તેવી અદ્ભુત એકાત્મતા ઊભી થઈ રહી છે અને ખેલભાવના વિકસી રહી છે, તે સારી વાત છે, પરંતુ ક્રિકેટ પર ગેરકાનૂની રીતે ચોરેને ચૌટે જાહેરમાં રમાતો જુગાર, એ આવનારી પેઢીના વિકાસમાં રૂકાવટ તથા ઘણાં વર્તમાન પરિવારની બરબાદીનું કારણ બની રહ્યો છે, ત્યારે આ વિષય માત્ર કાનૂની નથી, પરંતુ વિવિધ સમાજો તથા ખાસ કરીને ભદ્ર સમાજના લોકોએ આ માટે જાગૃતિ ઝુંબેશો ચલાવવી જોઈએ, તેમ નથી લાગતું...?

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

નારી શક્તિ મહાન... નારી તું નારાયણી... સિક્કાની બીજી બાજુ...

ભારતીય સંસ્કૃતિમાં પ્રાચીનકાળથી જ નારીશક્તિ પૂજાય છે, અને દુનિયાનો સૌથી લાંબો, મોટો અને અજાયબી સ્વરૂપ મનાતો નવરાત્રિ મહોત્સવ માતા આદ્યશક્તિના વિવિધ સ્વરૂપો પ્રત્યેની માતૃભક્તિનો જ મહોત્સવ છે. આપણી સંસ્કૃતિમાં માતા-પિતાને પૂજનિય ગણાવામાં આવે છે, અને મહિલાઓ પ્રત્યેનું સન્માન આપણી પ્રાચીન સંસ્કૃતિની મૂળભૂત ધરી છે. આપણા દેશમાં ઘણાં નારીરત્નો પાક્યા છે, અને અધર્મ, આસુરી શક્તિઓ અને અન્યાય સામેની લડતથી માંડીને દેશના સ્વાતંત્ર્ય સંગ્રામ અને આઝાદી પછી પણ મહિલા અધિકારો તથા માનવતા માટે સમર્પિત મહિલાશક્તિઓના અનેક ઉદાહરણો આપણી સંસ્કૃતિની તવારીખમાં ભરેલા પડ્યા છે. આપણે નારીશક્તિને મહાન માનીએ છીએ અને નારીને નારાયણીનો દરજ્જો આપીએ છીએ. તેમ છતાં કેટલાક વિકૃત માનસિક્તા ધરાવતા લોકોની બીભત્સ હરકતોના કારણે આપણા જ દેશમાં દૂષ્કર્મોની ઘટનાઓ બનતી રહે છે. હજુ પણ પુત્રવધૂ અને દીકરી વચ્ચે ઘણાં સ્થળે ભેદભાવ રખાય છે. હજુ પણ સાસરિયામાં ત્રાસ અપાત હોવાની ફરિયાદો ઊઠતી રહે છે. એટલું જ નહીં, હજુ પણ બાળલગ્નો કરીને કુમળીવયની કન્યાઓનું બાળપણ અને શિક્ષણ છીનવી લેવાની ઘટનાઓ પણ બનતી રહે છે, તે આપણી પ્રાચીન સંસ્કૃતિની શક્તિ ઉપાસનાની ભાવના પર કલંક સ્વરૂપ નથી? આજે મહિલા દિને મહિલાનું મહિમાગાન કરવાની સાથે સાથે સિક્કાની બીજી બાજુ તરફ પણ દૃષ્ટિપાત કરીને એક સામાજિક આંદોલન આદરવું જોઈએ, તેમ નથી લાગતું?

બે દિવસથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી ગુજરાતમાં છે. વડાપ્રધાને ગઈકાલે દક્ષિણ ગુજરાતમાં કેટલીક મિટિંગો-સભાઓ કરી, લોકાર્પણો કર્યા અને રોડ-શો કર્યો, અને આજે જી-મૈત્રી, જી-સફલ જેવી મહિલા અને ગ્રામ્ય લક્ષી યોજનાઓનું નવસારી જિલ્લાના વાંસી-બોરસી ગામેથી લોન્ચીંગ કર્યું, એ ઉપરાંત સ્વસહાય જુથોની અઢી લાખથી વધુ મહિલાઓને સાડાચારસો કરોડથી વધુ સહાય પહોંચતી કરાઈ હોવાનો સરકારે દાવો કર્યો છે, અને લખપતિ દીદીઓનું સન્માન કરવાનો કાર્યક્રમ યોજાયો છે. બીજી તરફ ગુજરાતમાં આગામી આઠમી એપ્રિલની આસપાસ યોજાનારા કોંગ્રેસ અધિવેશનની પૂર્વતૈયારી માટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તૈયારી કરી રહી છે, ત્યારે પ્રદેશ કોંગ્રેસની જવાબદારીઓ વધી ગઈ છે. કોંગ્રેસના સંગઠનને મજબૂત બનાવવાના પ્રયાસો વચ્ચે કોંગ્રેસમાં પ્રિયંકા ગાંધી વાડ્રાને આગામી કોંગી અધિવેશન દરમિયાન કોઈ મહત્ત્વપૂર્ણ જવાબદારી સોંપાશે, અને ગુજરાતની પ્રાદેશિક નેતાગીરીથી લઈને ગ્રામ્ય-શહેરોની કક્ષા સુધીના તમામ સ્તરે મહિલા નેતાઓ-કાર્યકરોની સહભાગિતા વધારવાની રણનીતિ ઘડાઈ રહી હોય, તો તે પણ આંતરરાષ્ટ્રીય મહિલા દિનની સાંકળનો એક આવકારદાયક યોગાનુયોગ જ ગણાય ને?

આજે મહિલાઓ પુરુષ સમોવડી તો બની જ ગઈ છે, પરંતુ તેનાથી પણ આગળ નીકળી રહી છે, તેવો નોબતના લેખિકા દિપાબેન સોનીનો અભિપ્રાય તાદ્શ્ય થતો હોય, તેમ આજે પ્રેસ-મીડિયામાં વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓની સિદ્ધિઓ અને પ્રગતિની વાહવાહી થઈ રહી છે. પોલીસ તંત્રમાં મહિલા અધિકારીઓ-મહિલા પોલીસકર્મીઓનો સપાટો, મહિલા કન્ક્ટરોની સાહસિક તથા નિષ્ઠાપૂર્વકની ફરજો, શિક્ષિકાઓ અને મહિલા પ્રાધ્યાપકો, બેન્કીંગ સેક્ટર, વ્યાપાર-ઉદ્યોગ ક્ષેત્ર અને દરિયાઈ સાહસોથી માંડીને ભારતીય સેનાની ત્રણેય પાંખો સુધી પહોંચી રહેલી નારીશક્તિ તથા સ્પેસમાં પહોંચેલી સુનિતા વિલિયમ્સ સહિતના ગૌરવભેર ગુણગાન ગવાઈ રહ્યા છે. જે દેશ-દુનિયામાં પાતાળથી અંતરીક્ષ સુધી વધી રહેલા નારીક્તિની ગૌરવ ગાથાઓ જ છે ને?

રાજકીય ક્ષેત્ર પણ મહિલાઓની સહભાગિતા વધી રહી છે. હાલાર સહિત ગુજરાતમાં ઘણી ગ્રામપંચાયતોમાં મહિલા સરપંચો છે, તાલુકા-જિલ્લા પંચાયતમાં સભ્યો છે. હાલારમાંથી સંસદમાં પૂનમબેન માડમ અને ધારાસભામાં રિવાબા જાડેજા જનપ્રતિનિધિત્વ કરી રહ્યા છે. લોકસભાની વર્ષ ર૦ર૪ ની ચૂંટણીમાં લોકસભામાં ગુજરાતમાંથી કોંગ્રેસના એક માત્ર સંસદસભ્ય ચૂંટાયા, તે પણ મહિલા સાંસદ ગનીબેન ઠાકોર છે. મહાનગરોનગરો-શહેરોમાં મહિલા કોર્પોરેટરો તથા ગ્રામ પંચાયતોમાં મહિલા સભ્યો પણ હવે પોતેજ સક્રિયતાથી વિકાસ પ્રક્રિયાના સહભાગી બની રહ્યા છે. કેટલીક આખેઆખી ગ્રામપંચાયતો પણ મહિલાઓ ચલાવી રહી છે. સખીમંડળો-સ્વસહાય જુથોના માધ્યમથી ગ્રામ્ય અર્થતંત્રને ઉત્તેજન આપવામાં પણ નારીશક્તિને અદ્ભુત સફળતાઓ મળી રહી છે. સુરક્ષાદળોથી લઈને ગુપ્તચર સંસ્થાઓ સુધી મહિલાઓ સક્રિય કે પરોક્ષ અને મહત્ત્વપૂર્ણ ભૂમિકાઓ નિભાવી રહી છે. ઘણી મહિલાઓ ઘર પણ સારી રીતે ચલાવે છે, અને ઉચ્ચ હોદ્દો, ઉદ્યોગ-વ્યાપાર કે વ્યવસાય પણ સારી રીતે સફળતાપૂર્વક નિભાવે છે, તે ગૌરવપૂર્ણ છે.

મહિલાઓના પતિઓએ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં કોઈ જગ્યાએ શપથ લીધા હોવાની ઘટનાના અહેવાલો વાયરલ થયા પછી સરપંચપતિ (એસ.પી.) ની ચર્ચા ફરીથી થવા લાગી છે અને ચૂંટાયેલા મહિલા સરપંચો, સભ્યો, કોર્પોરેટરો, તાલુકા-જિલ્લા પંચાયતના સભ્યોના બદલે મિટિંગ, કાર્યક્રમો અને ઓફિસના વહીવટમાં પણ તે મહિલા જનપ્રતિનિધિના પતિ (ક્યારેક ભાઈ, પિતા કે પુત્ર કે અન્ય પરિવારજન) હાજર રહેતા હોય કે હસ્તક્ષેપ કરતા હોય તેવા દૃષ્ટાંતો બહાર આવી રહ્યા છે, તો બીજી તરફ કેટલાક ચૂંટાયેલા મહિલા જનપ્રતિનિધિઓ તેના કોઈપણ પરિવારજનોને આવો હસ્તક્ષેપ કરવા દેતા હોતા નથી, તેવું પણ બને છે.

આપણા દેશના રાષ્ટ્રપતિ અત્યારે એક આદિવાસી મહિલા છે. આપણા દેશના સર્વોચ્ચ બંધારણીય પદો, જેવા કે રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, લોકસભા-રાજ્યસભાના સભાપતિ અને મુખ્યમંત્રી તથા ગવર્નર-લેફ્ટનન્ટ ગવર્નર જેવા હોદ્દાઓ પર મહિલાઓએ નિભાવેલી ગરિમાપૂર્ણ જવાબદારીઓ પણ આજે યાદ કરવી જ પડે...

આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિને એ પણ સ્વીકારવું પડે કે એક તરફ અનેક મહિલાઓ સિદ્ધિઓની ઊંચી ઊડાન ભરી રહી છે, તો બીજી તરફ ઘણી મહિલાઓનું શોષણ પણ થઈ રહ્યું છે, દુષ્કર્મ થઈ રહ્યા છે, બાળવિવાહ થઈ રહ્યા છે, ચાઈલ્ડ ટ્રાફિકિંગથી લઈને દેહવ્યાપાર સુધીની બદીઓમાં કુમળી કન્યાઓથી લઈને ઘણી મજબૂર મહિલાઓ પિસાઈ રહી છે. આ અસમતુલાને સમાપ્ત કરવી પડશે. આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિને નારીશક્તિને કોટી કોટી વંદન...

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ટોપ ટુ બોટમ, રાજકીય હલચલ તેજ... ગુજરાતમાં કાંઈ નવું થવાનું છે?... નવા હોદ્દેદારોને શુભકામનાઓ...

જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે વિનુભાઈ ભંડેરી અને શહેર ભાજપ પ્રમુખ તરીકે બીનાબેન કોઠારીની નિમણૂક થઈ, અને દેવભૂમિ દ્વારકા જિલલાના ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી રિપિટ થયા છે, જેની ભાજપ દ્વારા ઉજવણી થઈ રહી છે. પ્રેસ મીડિયા દ્વારા વિવિધ વિશ્લેષણો સાથે ટિપ્પણીઓ થઈ રહી છે, તો વિપક્ષી વર્તુળોમાં કટાક્ષવાણી સંભળાઈ રહી હોય, તે સ્વાભાવિક છે.

આવતીકાલે મહિલા દિનની ઉજવણી થનાર છે, ત્યારે તે પહેલા જ જામનગરના શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી બન્યા, તેને નગર તથા મહિલાઓના ગૌરવ તરીકે ગણાવાઈ રહ્યું છે.

જામનગર શહેર ભાજપ પ્રમુખ તરીકે વિનુભાઈ ભંડેરીની નિમણૂક પછી એવી ટકોર પણ થઈ રહી છે કે હવે 'નગરની મનની વાત' પણ 'ઉચ્ચકક્ષા' સુધી સરળતાથી પહોંચી શકશે... ખરૃં ને?... સમજદાર કો ઈશારા બહોત!!

એક તરફ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં નવા હોદ્દેદારોની ઉજવણી ભાજપ દ્વારા થઈ રહી છે, તો બીજી તરફ રાષ્ટ્રીય નેતાગીરી પણ ગુજરાત તરફ આવી રહેતી હોવાથી ગુજરાતમાં નેશનલ પોલિટિક્સ પણ ચર્ચાની એરણે ચડ્યું છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપનું પલડું ભારે રહ્યા પછી ભારતીય જનતા પક્ષના નેતાઓ તથા કાર્યકર્તાઓમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, બીજી તરફ વિરોધ પક્ષો પણ પરાજય પછી વધુ સક્રિય થઈને સંગઠનને મજબૂત બનાવવા વધુ સક્રિય થઈ રહેલા જણાય છે.

આજે કોંગી નેતા રાહુલ ગાંધી પણ ગુજરાતની મુલાકાતે છે અને હવે રાજીવ ગાંધી ભવનમાં મેરેથોન બેઠકો યોજીને કોંગ્રેસના નેતાઓ તથા કાર્યકર્તાઓનો જુસ્સો વધારવો, અને સંગઠનની બુનિયાદ વધુ મજબૂત બનાવવાના પ્રયાસો કરશે, તેવા મીડિયા અહેવાલો છે.

બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક જ અઠવાડિયામાં બીજી વખત આજથી ગુજરાતની મુલકાતે છે. નવસારી અને સુરત જિલ્લાઓમાં યોજાનારા શ્રેણીબદ્ધ કાર્યક્રમો દરમિયાન વડાપ્રધાન કોઈ મોટી જાહેરાત કરશે, તેવા અનુમાનો લગાવાઈ રહ્યા છે.

ભાજપના બીજા દિગ્ગજ નેતા અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઈ શાહ પણ આ વીક-એન્ડમાં ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, અને ગુજરાત બારકાઉન્સિલના એક મેગા પ્રોગ્રામ સહિત વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે.

આમ, રાષ્ટ્રીય કક્ષાના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં વારંવાર આવી રહ્યા છે, ત્યારે રાજ્યમાં નજીકમાં કોઈ ચૂંટણી નહીં હોવા છતાં કાંઈક મોટું રાજકીય ગણિત મંડાઈ રહ્યું હોય, તેવી અટકળો થઈ રહી છે. ગુજરાતમાં વિધાનસભા પછી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પણ ધોવાણ થયા પછી કોંગ્રેસનું સંગઠન ધરમૂળથી બદલીને મજબૂત કરવાના ફીડબેક પણ કોંગ્રેસની હાઈકમાન્ડ સુધી પહોંચ્યા પછી કદાચ રાહુલ ગાંધીનો આ પ્રવાસ ગોઠવાયો હશે, તેવી અટકળો વચ્ચે આજે સાંજ સુધીમાં કોંગ્રેસ તરફથી અથવા ખુદ રાહુલ ગાંધી તરફથી શું કહેવામાં આવે છે, કેવા નિવેદનો આવે છે અથવા વિશેષ પ્રેસકોન્ફરન્સ યોજીને પ્રેસ-મીડિયાને શું જણાવવામાં આવે છે, તેના પરથી કોંગ્રેસની ગુજરાતને લઈને આગામી રણનીતિ તથા વ્યૂહરચનાનો અંદાજ આવી શકે છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીના રકાસ પછી હવે કોંગ્રેસને નવેસરથી સમિકરણો રચવા પડી રહ્યા હોય તેમ જણાય છે.

જો કે, ભાજપમાં પણ બધું બરાબર નથી. કેટલીક વિધાનસભાની ચૂંટણીઓ પછી રાષ્ટ્રીય કક્ષાએ નવા પરિપ્રેક્ષ્યમાં ભાજપ મજબૂત થયું, પરંતુ જાણે કે ભરતી મેળા યોજ્યા હોય, તેમ વિરોધપક્ષના નેતાઓને ભાજપમાં સામેલ કર્યા પછી ભાજપમાં આંતરિક જુથવાદ વધુ ને વધુ વધી રહ્યો છે, તે પણ ઓપન સિક્રેટ જ છે ને?

સુરેન્દ્રનગરના થાનમાં ફરીથી મગફળીનું ગોડાઉન સળગી ઊઠ્યું અને ટેકાના ભાવે ખરીદેલી મગફળીનો વિપુલ જથ્થો ખાખ થઈ ગયો, તે દુર્ઘટનાએ ભૂતકાળના અગ્નિકાંડોની યાદ તાજી કરાવી દીધી છે. મગફળીના કૌભાંડોને ઢાંકવા આ આગ લગાડાઈ છે કે અગ્નિકાંડ જ એક કૌભાંડ છે, તેવા પ્રશ્નો ઊઠી રહ્યા છે.અધિકારીઓ-કૌભાંડિયાઓની મિલીભગત છે, ખરેખર કોઈ શુદ્ધબુદ્ધિપૂર્વકની ભૂલ થઈ ગઈ છે કે પછી ટોપ ટુ બોટમ સુધી સડો પેશી ગયો છે, તે તો તટસ્થ તપાસ પછી જ ખબર પડશે ને?

આવતીકાલે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી થનાર છે, ત્યારે દિલ્હીની ભાજપ સરકારે ચૂંટણીના વાયદા મુજબ મહિલાઓના ખાતામાં રૂ. અઢી હજાર જમા કરાવવાની પ્રક્રિયા અંગે અપનાવેલી રણનીતિ તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરતની મુલાકાત અને રોડ-શો વગેરે કાર્યક્રમોની સાથે સાથે ભારતીય જનતા પક્ષની આંતરિક રણનીતિ તથા વ્યૂહરચના માટે થઈ રહેલી હલચલની અટકળ વચ્ચે કાંઈક નવું થાય, અથવા કાંઈક મોટું કદમ ઊઠાવાય, કે મોટા ફેરફારો થાય, તેવી પ્રબળ સંભાવનાઓ દર્શાવાઈ રહી છે.

હાલારમાં નગરપાલિકાઓના નવા હોદ્દેદારો તથા તે પછી ભાજપના નવા હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવીએ અને પ્રજાની અપેક્ષાઓમાં ખરા ઉતરે, તેવું ઈચ્છીએ...

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ગુજરાતમાં શૈક્ષણિક સુવિધાઓનું સત્ય... દલા તરવાડીની વાડી જેવું તો નથી ને?

ગઈકાલે વિધાનસભામાં અપાયેલી માહિતી મુજબ ગુજરાતમાં શૈક્ષણિક સુવિધાઓની ઘટ અંગે રાજ્યમાં ચર્ચા થઈ રહી છે, અને રાજ્યમાં અદ્યતન શિક્ષણની હાંકવામાં આવતી ગુલબાંગોની ટીકા સાથે સરકારની જ આંકડાકીય વિગતોનું પોસ્ટમોર્ટમ થઈ રહ્યું છે.

અહેવાલો તો એવા છે કે, હાલારમાં સરકારી સ્કૂલોમાં ૬ર૮ વર્ગખંડોની ઘટ, જેમાં જામનગરની દોઢસો જેટલી સ્કૂલમાં ૩ર૩ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની ૧૧૦ સરકારી સ્કૂલોમાં ૩૦પ વર્ગખંડોની અછત છે. કેટલાક જિલ્લાઓમાં તો સેંકડો ઓરડાઓ એટલા જર્જરિત છે કે બાળકો કદાચ જીવના જોખમે શિક્ષણ મેળવવા મજબૂર બન્યા હશે.

સંખ્યાબંધ શાળાઓમાં ઓરડાઓ ઘટે છે, તો ઘણી સ્કૂલોમાં જર્જરિત વર્ગખંડો છે, તેવી આંકડાકીય માહિતી ઉપરાંત રાજ્યમાં શિક્ષકોની પણ ઘટ હોવાનું ખુદ સરકારે વિધાનસભામાં સ્વીકારવું પડ્યું છે. સરકાર એવી દલીલ કરે છે કે શિક્ષકોની ખાલી જગ્યાઓની સામે જ્ઞાનસહાયકોની ભરતી કરીને શિક્ષણને બહેતર બનાવાઈ રહ્યું છે, અને કેટલીક સરકારી શાળાઓ તો એટલું સુંદર કામ કરી રહી છે કે ખાનગી સ્કૂલમાંથી સદ્ધર પરિવારોના બાળકો પણ સરકારી સ્કૂલો તરફ આકર્ષાઈ રહ્યા છે.

બીજી તરફ એવી વિગતો પણ બહાર આવી રહી છે કે હાલારમાં બે હજારથી વધુ શિક્ષકોની ઘટ છે. દ્વારકા જિલ્લામાં ૧ર૦૦ થી વધુ અને જામનગર જિલ્લામાં ૮૦૦ થી વધુ શિક્ષકોની ઘટ છે. એવી જ રીતે ગીરસોમનાથમાં પણ ર૦૦ થી વધુ શિક્ષકો ઘટે છે.

શિક્ષણ જગતના વર્તુળોમાં થતી ચર્ચા મુજબ હાલારમાં બે હજારથી વધુ શિક્ષકોની ઘટ છે, તેની સામે માત્ર પ૦૦ જેટલા જ્ઞાનસહાયકોની જ ભરતી કરવામાં આવે છે, જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તો પૂરા સવાસો જ્ઞાન સહાયકો પણ નિમાયા નથી. આ આંકડાઓ સરકારના વિવિધ દાવાઓની પોલ ખોલી નાંખે છે, તેમ નથી લાગતું?

વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે શિક્ષણમંત્રીને પ્રશ્ન પૂછ્યો, જેના જવાબમાં જણાવાયું કે ૩૧ મી ડિસેમ્બરની સ્થિતિમાં રાજ્યમાં ૩૩૭ ગવર્મેન્ટ પ્રાયમરી સ્કૂલ્સમાં માત્ર એક જ ઓરડો છે. સરકારી જવાબ મુજબ કેટલીક શાળાઓમાં બાળકોની સંખ્યા ઓછી છે, અને કેટલીક શાળાઓમાં વધુ ઓરડાઓ બાંધવાની જમીન ઉપલબ્ધ નથી. કેટલીક એવી સ્કૂલો પણ છે, જ્યાં શિક્ષકો ઓછા છે. આ ખૂટતી કડીઓ માટે સરકાર ઝડપભેર કાર્યવાહી કરી રહી હોવાનો દાવો કરાયો હતો.

કોંગ્રેસ જ નહીં, સત્તાધારીપક્ષના ધારાસભ્યો પણ વિધાનસભામાં શિક્ષણ ક્ષેત્રે પોતાના વિસ્તારની સુવિધાઓ સહિતના રાજ્યવ્યાપી પ્રશ્નો કરી રહ્યા છે. એક ભાજપી ધારાસભ્યના પ્રશ્નના જવાબમાં સરકારી જવાબ ચોંકાવનારો હતો. સરકારે સ્વયં સ્વીકાર્યું કે છોટા ઉદેપુર જિલ્લામાં બસ્સોથી વધુ સ્કૂલ્સમાં ફોલ્ડીંગ વર્ગખંડો છે. જર્જરિત ઓરડાઓની ફરિયાદ કરીને ત્યાંની સ્કૂલ મેનેજમેન્ટ કમિટીએ નવા ઓરડાઓની પ્રપોઝલ જ કરી નથી!

વિપક્ષી ધારાસભ્યોનો આક્ષેપ એવો છે કે સરકાર શિક્ષણ ક્ષેત્રે ઝડપભેર કામોની મંજુરી આપતી હોતી નથી, જ્યારે જનપ્રતિનિધિઓ માટે વાહનો ખરીદવા હોય, ભથ્થા વધારવા હોય કે તેઓના નિવાસ કે સુખ-સગવડતાની સુવિધાઓ કે અદ્યતન સાધન-સામગ્રી ખરીદવી હોય, ત્યારે ફટાફટ મંજુરીઓ મળી જતી હોય છે. આવું શા માટે?

એ પણ હકીકત છે કે બે-ત્રણ દાયકાઓ પહેલા સરકારી સ્કૂલો તથા શિક્ષણની જે સ્થિતિ હતી, તેમાં ઉત્તરોત્તર સુધારા-વધારા થતા રહ્યા છે, પરંતુ તેમાં કેટલાક જાગૃત ધારાસભ્યો તથા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપરાંત સરપંચોની જાગૃતિનો સિંહફાળો રહ્યો છે. જે વિસ્તારની નેતાગીરી શિક્ષણ પ્રત્યે સંવેદનશીલ અને જાગૃત રહે છે ત્યાં સરકારી સ્કૂલો સહિતની મૂળભૂત જરૂરિયાતોના કામોની મંજુરી પણ ઝડપથી મળતી હોય છે, અને કામોનું નિર્માણ પણ સમયસર અને ગુણવત્તાસભર થતું હોય છે, ખરૃં કે નહીં?

એક કહેવત છે કે 'આગેવાન આંધળો, તેનું કટક કૂવામાં, કે જ્યાં નેતાગીરી નબળી હોય, ત્યાંના લોકોને મનોવાંચ્છિત સુખ-સુવિધાઓ તો નથી મળતી, ઉલટાના પરેશાનીના પહાડ નીચે દબાઈ જવું પડતું હોય છે. જે વિસ્તારમાં શિક્ષણ ક્ષેત્રની સુવિધાઓ પર્યાપ્ત કે સંતોષજનક ન હોય, તે વિસ્તારના જનપ્રતિનિધિઓને ઢંઢોળવાની જરૂર છે, પછી ભલે તે કોઈપણ રાજકીય પક્ષના હોય કે અપક્ષ હોય, ખરૃં કે ખોટું?

ગુજરાતમાં 'નકલી'નો રાફડો ફાટ્યો છે, ત્યારે હવે નકલી અથવા ડમી વિદ્યાર્થીઓનો મુદ્દો પણ એક વખત ફરીથી ચર્ચાસ્પદ બન્યો છે. કેન્દ્રિય માધ્યમિક શિક્ષણ બોર્ડ એટલે કે એસબીએસઈ દ્વારા ઓચિંતી તપાસ કરીને ૧૪ સ્કૂલોમાં ડમી વિદ્યાર્થીઓ પકડાતા તેની માન્યતા રદ્ થઈ ગઈ હોવાની ઘટના જ રાજ્યમાં ચાલતા લોલંલોલની પોલ ખોલે છે. કેન્દ્રિય સ્કૂલોમાં અપાતા શિક્ષણ તથા તેની દેખરેખની જેની જવાબદારી હોય છે, તે જિલ્લા શિક્ષણ ખાતાને જાણ કર્યા વિના જ કેન્દ્રિય ટીમે રેડ પાડી હોવાનો ઘટનાક્રમ જ એવું પૂરવાર કરે છે કે, એસબીએસઈને રાજ્યના શિક્ષણતંત્ર પર વિશ્વાસ જ નથી અને ડમી વિદ્યાર્થીઓ પકડાયા, તે તેનો પુરાવો પણ છે ને?

એવું કહેવાય છે કે રાજ્યના શાળા સંચાલકો તરફથી પણ ડમી સ્કૂલો તથા ડમી વિદ્યાર્થીઓ અંગે રાજ્ય સરકારના તંત્રોને ચેતવવામાં આવ્યા હતાં, પરંતુ કોઈએ ધ્યાન જ આપ્યું નથી. શું આ લાપરવાહી છે, આંખ આડા કાન કરવાની મનોવૃત્તિ છે કે પછી મિલીભગત છે, તે તો ઊંડી તપાસ થાય તો જ ખબર પડે ને... દલા તરવાડીની વાર્તા જેવું બની રહ્યું હોય તેમ લાગે છે નહીં?

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ઈન્ડિયા ઈન ફાયનલ... અમેરિકા ઈઝ બેક... ટોક ઓફ ગ્લોબ...

ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે બીજી વખત જનાદેશ સાથે ચૂંટાયેલા હોવાથી તેની અને અમેરિકાની તાકાત વધી છે અને આજે તેમણે અમેરિકન કોંગ્રેસને સંયુક્ત સંબોધન કરતા જુસ્સાપૂર્વક 'અમેરિકા ઈઝ બેક' જેવા શબ્દો સાથે કહ્યું કે, હવે અમેરિકા સાચી દિશામાં જઈ રહ્યું છે, અને દેશનો સૂવર્ણકાળ શરૂ થયો છે. તેમણે રાષ્ટ્રપતિપદે શપથગ્રહણ કર્યા પછી તરત જ ૧૦૦ જેટલા વહીવટી આદેશો પર હસ્તાક્ષર કર્યા તેનો ઉલ્લેખ કરીને કહ્યું કે, હવે અમેરિકામાં 'ફી સ્પીચ' એટલે કે અભિવ્યક્તિની આઝાદીની વાપસી થશે.

ટ્રમ્પના આજના ભાષણ પર આખી દુનિયાની નજરો મંડાયેલી હતી. જેવી રીતે ભારતમાં વડાપ્રધાન પદે નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત શપથવિધિ પછી સંસદને પ્રથમ સંબોધન કર્યું તેવા જ અંદાજથી ડોનાલ્ડ ટ્રમ્પ પણ અમેરિકન સંસદને સંબોધી રહેલા જણાયા હતાં, અને કહ્યું હતું કે હવે પછીનો મારો પ્રત્યેક દિવસ અમેરિકન માટે છે. તેમણે પણ પૂર્વની વિપક્ષની સરકારની ટીકા કરી અને પોતાની સરકારના ભરપૂર વખાણ કર્યા.

આજના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભાષણ પર માત્ર અમેરિકા જ નહીં, પરંતુ આખી દુનિયાની નજર હતી. ટ્રમ્પના આજના ભાષણ પરથી જ અમેરિકાની વૈશ્વિક રણનીતિ, યુદ્ધો તથા ટેરિફના કડક નિર્ણયો પછીના ટ્રમ્પની કેવી અર્થનીતિ તથા સંરણનીતિ હશે, તેના પર પણ આખી દુનિયાની નજર હતી. યુક્રેનની મદદ બંધ કરી અને ત્રણ દેશોના ટેરિફ વધાર્યા પછી હવે ટ્રમ્પ ભારત સહિતના મિત્રદેશો સાથે કેવું વલણ અપનાવશે, તેના સંકેતો પણ ટ્રમ્પના આજના ભાષણમાંથી મળવાના હતાં.

એક દાયકા પહેલા જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ પહેલી વખત રાષ્ટ્રપતિ બન્યા, ત્યારે તેને જે જનાદેશ મળ્યો હતો, તેના કરતા આ વખતે પ્રચંડ જનાદેશ મળ્યો હોવાથી તેનો જુસ્સો વધ્યો છે. વર્ષ ર૦૧૪ પછી વર્ષ ર૦૧૯ ની ચૂંટણીમાં ભારતમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ જ પ્રકારનો પ્રચંડ જનાદેશ મળ્યો હતો, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વખત પીએમ એનડીએની બહુમતિ પર બન્યા છે, જ્યારે ભાજપની બેઠકો બહુમતી સુધી પહોંચી શકી નથી, તેનો ઉલ્લેખ કરીને ઘણાં લોકો ટ્રમ્પ અને મોદીની કાર્યપદ્ધતિ, લોકપ્રિયતા અને મક્કમતાની સરખામણી પણ કરવા લાગ્યા છે અને હવે તે પ્રકારના વિશ્લેષણો પણ પ્રેસ-મીડિયા અને સોશિયલ મીડિયાના માધ્યમથી જોવા મળશે.

ટ્રમ્પે તેમના ભાષણમાં પૂર્વ રાષ્ટ્રપતિ બાઈડેનની આકરી ટીકા કરી અને ઈલોન મસ્કની ભરપૂર પ્રશંસા કરી. તેમણે ડિમોક્રેટ્સની નીતિઓની આલોચના કરી અને પોતાના પક્ષના સ્વાભાવિક રીતે જ પેટ ભરીને વખાણ કર્યા.

ટ્રમ્પના ભાષણમાંથી તેમની હવે પછીની રણનીતિ તો ઝલક જ હતી, પરંતુ કેટલાક તદ્ન નવા અભિગમોનો અણસાર પણ જોવા મળ્યો હતો. તેમણે વિશ્વ આરોગ્ય સંસ્થાને ભ્રષ્ટ ગણાવી, યુનોના માનવાધિકાર પંચ તથા પેરિસ ક્લાઈમેટ કરાર, ગ્રીન ન્યુ સ્કેમ તથા ઈ.વી. વાહનોને લગતી અમેરિકન પોલિસી હેઠળના નિયમો વગેરે અંગે જે કાંઈ નિર્ણયો લીધા તેની વૈશ્વિક અસરો પડવાની છે. એટલું જ નહીં, અમેરિકા તરફથી કેટલાક ગરીબ દેશોને મળતી વિવિધ પ્રકારની સહાય બંધ થઈ જશે, તેની પણ આંતરરાષ્ટ્રીય ઘેરી અસરો પડવાની છે, અને રાજકીય સમીકરણો પણ તદ્ન બદલી જશે, તે નક્કી છે.

જેવી રીતે ભારતની સંસદમાં પી.એમ. મોદીએ વિકસિત ભારતની પરિકલ્પના રજૂ કરી હતી, તેવી જ સ્ટાઈલથી ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, હવે અમેરિકાનો સૂવર્ણયુગ શરૂ થયો છે, અને અમેરિકનોના સપના હવે સાકાર થવા જઈ રહ્યા છે. અમેરિકા હવે નવી સફળતાઓની ઊડાન ભરશે, અને અમેરિકા ફર્સ્ટની નીતિઓને જ અનુસરશે, તેમ જણાવીને ટ્રમ્પે અમેરિકામાં હવે બે જેન્ડર જ રહેશે, તેવી જે વાત કરી, તેના સંદર્ભે પણ એક નવી જ ચર્ચા શરૂ થઈ ગઈ છે.

જો કે, વ્હાઈટ હાઉસે પણ સત્તાવાર રીતે જાહેર કર્યું હતું કે, આજે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સંબંધોનનો વિષય 'અમેરિકન સપનાઓનું નવીનિકરણ' છે. એનો મતલબ એવો થાય કે આ સંબોધન 'સ્ટેટ ઓફ ધ યુનિયન' હેઠળ નહીં ગણાય, પરંતુ અમેરિકન કોંગ્રેસ (સંસદ) માં કરેલું સામાન્ય સંબોધન (જનરલ સ્પીચ) જ ગણાશે.

ભારતમાં આમ તો આજે સૌથી વધુ ચર્ચા ચેમ્પિયન ટ્રોફીમાં ભારતીય ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયાને રસાકસીભરી સેમિફાઈનલ મેચમાં હરાવીને ફાયનલમાં પ્રવેશ મેળવ્યો, તેની થઈ રહી છે, પરંતુ આજે ટ્રમ્પના ભાષણ પછી તેની ભારત પર કેવી, કેટલી અને ક્યારથી અસરો પડશે, તેમજ ભારત-અમેરિકા વચ્ચેના મૈત્રિપૂર્ણ સંબંધો પર નવી ટ્રમ્પ નીતિની અસરો અંગે પણ અનુમાનો થવા લાગ્યા છે અને દરે ભારત-અમેરિકા સંબંધો ઉપરાંત બદલી રહેલા વૈશ્વિક સમિકરણો વચ્ચે ભારતની ભૂમિકા કેવી હશે, અને ટ્રમ્પની ભારત પ્રત્યેની નીતિરીતિ પ્રથમ કાર્યકાળની સરખામણીમાં કેટલી બદલી ગઈ છે, તેની ચર્ચા પણ થઈ રહી છે.

ટ્રમ્પે ઘૂસપેઠિયાઓ ક્રાઈમ કરે છે, તેવું કહીંને ભારતીયો સહિત વિવિધ દેશોના ગેરકાયદે અમેરિકામાં રહેતા લોકોને કડક સંદેશ આપ્યો છે, તેની સાથે જ અમેરિકામાં ગેરકાનૂની રીતે લાંબા સમયથી રહેતા હોય તેવા લોકોને તો ચિંતા થવાની જ છે, તેની સાથે સાથે સંબંધિત દેશો સાથેના સંબંધો તથા વૈશ્વિક રાજનીતિની દૃષ્ટિએ પણ ઘૂસપેઠ અટકાવવા અંગે ટ્રમ્પનીતિની દૂરગામી તથા તત્કાલિન અસરો પણ થવાની છે.

ટ્રમ્પે કેટલાક નિર્ણયો ભારતની કોપી કરીને લીધા હોવાના તારણો પણ કેટલાક વિશ્લેષકો કાઢી રહ્યા છે, તો ચીન અને ભારત સહિત અન્ય દેશો જે ટેરિફ અમેરિકાથી થતી આયાત પર લગાવે છે, તેટલો જ ટેરિફ અમેરિકા તે દેશો પર લગાવશે, તેવી ટ્રમ્પનીતિમાં કોઈ બદલાવ થયો હોય તેમ જણાતું નથી. જોઈએ... હવે શું થાય છે તે...''

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

સ્કૂલ્સમાં સ્માર્ટ ફોન અને સોશિયલ મીડિયા... ટેકનોસેવી બનો, સેલફોન એડિક્ટ નહીં...

ટેકનોલોજિકલ ઈવોલ્યુએશન એટલે કે તકનિકી ક્રાંતિના કારણે માનવજીવનમાં ઘણાં બદલાવ આવ્યા છે અને અનેક પ્રકારની સુવિધાઓ વધી છે. એક સમય એવો હતો, જ્યારે બેન્કીંગ સુવિધાઓ માટે બેંકોમાં જઈને લાંબી કતારમાં બેસવું પડતું અથવા ઊભવું પડતું અને નાણા જમા કરાવવા, ઉપાડવા કે ડ્રાફ્ટ કઢાવવા માટે વારો આવે, તેની રાહ જોવી પડતી. આજે આ લાઈનો ઘટી રહી છે અને નેટબેન્કીંગ વધી રહ્યું છે. તેનું કારણ કોમ્પ્યુટરાઈઝ ઓનલાઈન બેન્કીંગ સુવિધાઓ પછી હવે ઝડપભેર વિસ્તરી રહેલી સ્માર્ટ ફોન ઓનલાઈન બેન્કીંગ સુવિધાઓ છે.

નેટબેન્કીંગમાં સાયબર ફ્રોડથી સાવચેત પણ રહેવું પડે અને અધુરા જ્ઞાનના કારણે કદાચ અટવાવું પડે, પરંતુ જો પૂરેપૂરા સેફગાર્ડઝ સાથેની નેટબેન્કીંગ ટેકનિનો ઉપયોગ કરવામાં આવે, તો નેટબેન્કીંગ ઘણું જ સરળ થવા લાગ્યું છે. ફોન દ્વારા નેટબેન્કીંગ અત્યારે ઘેર-ઘેર પહોંચ્યું છે અને ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ હવે બિઝનેસ તથા અન્ય ચૂકવણીઓથી આગળ વધીને તમામ પ્રકારના ઘરેલુ નાણાકીય વ્યવહારો માટે પણ થવા લાગ્યો છે. હવે તો ગૃહિણીઓ પણ ફટાફટ ઓનલાઈન શોપીંગ અને ખાવા-પીવાની ચીજવસ્તુઓની હોમ-ડિલિવરી મેળવી રહી છે.

સ્માર્ટ ફોનને સાંકળતો દિલ્હી હાઈકોર્ટનો એક ચૂકાદો આજે ચર્ચાનો વિષય બન્યો છે. મીડિયા અહેવાલો મુજબ દિલ્હીની હાઈકોર્ટે શાળાઓમાં સ્માર્ટ ફોન લઈ જવા પર સ્થાયી પ્રતિબંધ મૂકવાને અયોગ્ય કદમ ગણાવ્યું છે, અને સ્કૂલો માટે ગાઈડલાઈન્સ આપી છે.

દિલ્હી હાઈકોર્ટે સ્કૂલોમાં સ્માર્ટફોન પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો ઈન્કાર કરતા જણાવ્યું છે કે આ વલણ અવ્યવહારૂ અને અનિચ્છનિય છે. મોબાઈલ સ્માર્ટ ફોન પર પ્રતિબંધ મૂકવાના બદલે અદાલતે બાળકો દ્વારા સ્માર્ટ ફોનનો નિયંત્રિત ઉપયોગ થાય તે અંગે દિશાનિર્દેશો આપ્યા છે. દિલ્હી હાઈકોર્ટની આ ગાઈડલાઈન્સ માત્ર મર્યાદિત વિસ્તાર કે કેસ રિલેટેડ સ્કૂલ માટે નહીં, પરંતુ દેશવ્યાપી અનુસરણને પાત્ર છે.

અદાલતે કહ્યું કે, આજના યુગમાં અદ્યતન ટેકનોલોજી શિક્ષણનું અભિન્ન અંગ બની ગઈ છે, ત્યારે સ્માર્ટફોન પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો એ સુસંગત નથી, પરંતુ અવાસ્તવિક કદમ છે. બાળકો સ્માર્ટફોનથી પોતાના માતા-પિતાના સતત સંપર્કમાં રહી શકે છે, જરૂર પડ્યે કોઈની હેલ્પ માંગી શકે છે અને પોતાનું લોકેશન બતાવી શકે છે. તેથી તેની સિક્યુરિટી (સુરક્ષા અને સલામતી) સુનિશ્ચિત રહે છે.

અદાલતે એમ પણ કહ્યું છે કે સ્માર્ટ ફોન સાથે રાખવાની છૂટનો અર્થ એવો પણ નથી કે સતત સોશિયલ મીડિયા કે મનોરંજનમાં વ્યસ્ત રહેવું.

સ્ક્રીન પરથી નજરો હટાવી જ નહીં, અને આજુબાજુની દુનિયાને ભૂલી જઈને મોબાઈલ ફોનમાં ખોવાયેલું રહેવું કે પછી સતત ગેઈમ રમ્યા કરવી, વગેરે કૂટેવો સામે બાળકો અને વાલીઓને સાવધ કરતા કોર્ટે કહ્યું કે શક્ય હોય તો શાળામાં શિક્ષણના સમયે વિદ્યાર્થીએ પોતાના ફોન સ્કૂલ દ્વારા કરેલી વ્યવસ્થા મુજબ જમા કરાવી દેવા જોઈએ. વર્ગખંડ, પ્રાર્થના હોલ કે શાળાના વાહનોમાં સ્માર્ટ ફોનનો ઉપયોગ અટકાવવા આ પ્રકારની સ્થાયી વ્યવસ્થાઓ થઈ શકે છે.

અદાલતે સ્કૂલ સંચાલકો, શિક્ષણ વિભાગ તથા સરકારને ઉદ્દેશીને જણાવ્યું કે બાળકોએ ઓનલાઈન વર્તણૂંક, ડિજિટલ મેનર્સ અને સેલફોનના લિમિટેડ યુજ અંગે કમ્પલ્સરી એજ્યુકેશન પૂરૃં પાડવાની ખાસ જરૂર છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ મનોરંજન માટે જ સ્માર્ટફોનનો ઉપયોગ ન કરે, તેની વિશેષ કાળજી રાખવી જોઈએ. વિદ્યાર્થીઓ-બાળકો ટેકનોસેવી બને તે જરૂરી છે, પરંતુ તેઓ સેલફોન એડિક્ટ ન બની જાય, તેનો ખાસ ખ્યાલ સ્કૂલો, વાલીઓ તથા સહયોગીઓએ રાખવો જ જોઈએ.

આપણે બાળક હજુ ફીડીંગ કરતું હોય, ત્યાં તેની સામે સેલફોન ધરી દઈએ છીએ અને બાળકને ભોજન કરાવવા, રડતું છાનુ રાખવા કે પોતાના કામકાજમાં ખલેલ ન પહોંચે, તે માટે બાળકને સેલફોનમાં વ્યસ્ત રાખવા માટે સ્માર્ટફોનનો એક પૂરક સહાયકની જેમ ઉપયોગ કરીએ છીએ, તે જ બાળકને સ્માર્ટફોન એડિક્ટ બનાવી દ્યે છે અને બાળક મોટું થતા સોશિયલ મીડિયા એડિક્ટ પણ થઈ જાય છે, જેના કેટલા ખતરનાક વિપરીત પરિણામો આવતા હોય છે, જેના ઘણાં દૃષ્ટાંતો રોજ-બ-રોજ આપણી સામે આવતા હોય છે, તેમ છતાં આપણે જાગૃત થતા નથી, તે પણ હકીકત જ છે ને?

સોશિયલ મીડિયાનો વ્યાપક સદુપયોગ પણ થઈ રહ્યો છે અને જનજાગૃતિનું આ મહત્ત્વપૂર્ણ માધ્યમ બન્યું છે, પરંતુ આ જ માધ્યમનો કેટલી ભયાનક રીતે દુરૂપયોગ પણ થઈ રહ્યો છે, તેથી જ બાળકોને શિશુકાળથી જ ટેકનોસેવી બનાવીએ, પરંતુ ફોન એડિક્ટ ન થવા દઈએ તે અત્યંત જરૂરી છે, તેમ નથી લાગતું?

ખાસ કરીને નાના બાળકોના વર્ગખંડો, ટ્યુશન ક્લાસીસમાં શિક્ષકોએ અને ઘરે માતા-પિતા-પરિવારે પણ તેઓની સામે જ સ્માર્ટફોન-સોશિયલ મીડિયાના માધ્યમથી ભદુ મનોરંજન માણવાથી દૂર રહેવું જોઈએ. ટૂંકમાં બાળકોને તદ્ન પ્રતિબંધિત કરીને નહીં, પરંતુ સતત પ્રશિક્ષિત કરીને જ સ્માર્ટફોનનો સદુપયોગ કરતા શિખવી શકાય અને સ્માર્ટફોન-અયોગ્ય સોશિયલ મીડિયાની લત લાગવાથી બચાવી શકાય... રાઈટ?

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

અવ્યવસ્થા-અફડાતફડી અટકાવવા, પરમેનેન્ટ વીઆઈપી-વીવીઆઈપી વિઝિટ પ્રોટોકોલ પ્રોફાઈલ ઘડો...

પાકિસ્તાન સામે વિજય મેળવ્યા પછી ગઈકાલે ટીમ ઈન્ડિયાએ ન્યુઝીલેન્ડ સામે ચેમ્પિન્સ ટ્રોફીની વન-ડેમાં વિજય મેળવ્યો, તેથી ગ્રુપ 'એ'માં ટીમ ઈન્ડિયા ટોપ પર પહોંચી અને હવે આવતીકાલે ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઈન્ડિયા સેમિફાઈનલ રમશે. ન્યુઝીલેન્ડ સામેનો વિજય ટીમ ઈન્ડિયાનો જુસ્સો વધારશે, તેની સાથે સાથે ક્રિકેટ રસિયાઓનો રોમાંચ પણ પરાકાષ્ટાએ પહોંચશે તે નક્કી છે.

છેલ્લા બે-ત્રણ દિવસથી છોટીકાશીમાં તંત્રોની દોડધામ મચી રહી હતી અને ક્રિકેટના રોમાંચની જેમ નગરમાં વડાપ્રધાનનું આગમન થવાનું હોવાથી લોકોમાં કુતૂહલ અને ભારતીય જનતા પક્ષના કાર્યકર્તાઓમાં જુસ્સો પણ વધી રહ્યો હતો. શાનિવારે સાંજે વડાપ્રધાને નગરમાં રાત્રિ મૂકામ કર્યો અને તે પહેલા એરપોર્ટથી સરકીટ હાઉસના માર્ગે દિગ્જામ સર્કલથી પાઈલોટ બંગલા સુધી નગરજનોનું અભિવાદન પણ ઝીલ્યું, તે પછી ગઈકાલે વડાપ્રધાને વનતારાની મુલાકાત લીધી અને સોમનાથ તરફ ગઈકાલે પ્રયાણ કર્યું.

એક તરફ ક્રિકેટ રસિયાઓ ક્રિકેટની મોજ માણી રહ્યા હતાં, અને બીજી તરફ ગઈકાલે પી.એમ. પ્રોગ્રામ પછી તંત્રોએ સંતોષજનક રાહતનો શ્વાસ લીધો હશે. એકંદરે વડાપ્રધાનની જામનગરની મુલાકાત સંતોષજનક રીતે સંપન્ન થઈ ગઈ. તંત્રો-મીડિયા અને નેતાઓ-કાર્યકર્તાઓ વ્યસ્ત રહ્યા હતાં, અને આયોજન સમુસુતર પાર ઉતરી ગયું તેનો સંતોષ પણ વર્તાઈ રહ્યો હતો.

બીજી તરફ વડાપ્રધાનની જામનગરની મુલાકાત દરમિયાન સુરક્ષા અને સુવિધાને લક્ષ્યમાં લઈને નગરના કેટલાક માર્ગો કામચલાઉ ધોરણે બંધ કરાયા હતાં, અને તેના વિકલ્પે અન્ય માર્ગો સૂચવાયા હતાં, તેથી એરપોર્ટ અને એરફોર્સ તરફથી સાત રસ્તા થઈને ટાઉનહોલ તરફ જતા તથા આ સર્કલોને જોડતા અન્ય માર્ગોના તમામ ટ્રાફિક વૈકલ્પિક માર્ગે વાળવામાં આવ્યો, તે પછી ઠેર ઠેર ટ્રાફિક જામના જે દૃશ્યો સર્જાયા, તેમાંથી એક નવી જ ચર્ચા શરૂ થઈ ગઈ છે. વીવીઆઈપીની સુરક્ષા માટે ચૂસ્ત બંદોબસ્ત અનિવાર્ય હોય છે, પરંતુ પબ્લિકનું ધ્યાન પણ  રાખવું તો જોઈએ ને? તેવા જનપ્રતિભાવો છે.

શનિવારે વડાપ્રધાનના આગમન પહેલા જ અગાઉથી જાહેર થયેલા જાહેરનામા મુજબના નગરના માર્ગો બંધ કરી દેવાયા હતાં, અને તે પછી આ ચોવીસેય કલાક ટ્રાફિકથી ધમધમતા રહેતા મુખ્ય માર્ગોને ટ્રાફિક જાહેરનામામાં સૂચવેલા મોટાભાગના વૈકલ્પિક માર્ગો તરફ વાળવામાં આવતા ટ્રાફિક જામ તથા અફડાતફડીની સમસ્યા સર્જાઈ ગઈ હતી. વૈકલ્પિક માર્ગો પર ટ્રાફિક નિયમન કરવાની કે વાહનોને યોગ્ય દિશામાં વાળવા માટે માર્ગદર્શનની વધારાની યોગ્ય વ્યવસ્થા ઊભી કરવામાં નહીં આવતા નગરજનો જ નહીં, બહારથી આવતા લોકો તથા વાહનો પણ હાલાકીમાં મૂકાયા હતાં અને લબડધક્કે ચડ્યા હતાં. તંત્રે સ્થાનિક વૈકલ્પિક માર્ગો તરીકે ઉપયોગમાં લેવાતી કેટલીક શોર્ટકટ શેરીઓમાં પાર્ક કરેલા વાહનો એક દિવસ પૂરતા હટાવ્યા હતાં, તો પણ થોડી રાહત થઈ હોત, ખરૃં કે નહીં?

આ સ્થિતિ કાંઈ નવી નથી, અને જ્યારે જ્યારે પી.એમ., રાષ્ટ્રપતિ, ગવર્નર, મુખ્યમંત્રી કે વિદેશી સત્તાવાર મહેમાનો હાલારની મુલાકાતે આવે છે, ત્યારે ત્યારે આ પ્રકારની સ્થિતિ સર્જાતી હોય છે, કારણકે આખું વહીવટીતંત્ર વીવીઆઈપી રૂટો પર જ ગોઠવાઈ જતું હોય છે, અને જે માર્ગો-વિસ્તારો કે સંકુલો લોકોની અવર-જવર માટે બંધ કરાયા હોય, તેના વૈકલ્પિક માર્ગો પર ડબલ ટ્રાફિક થાય, કે અન્ય કોઈ સમસ્યા ઊભી થાય તો તેના નિવારણ માટે વધારાની વ્યવસ્થાઓ તો ઊભી કરાતી જ નથી, પરંતુ ઘણી વખત રોજીંદી વ્યવસ્થાઓને પણ પાંખી કરી નાંખવામાં આવતી હોય છે, તેથી અસંતોષ પણ થતો હોય છે કે મહાનુભાવો આવે, ત્યારે જનતા ગૌણ બની જતી હોય છે, અને લોકોને તંત્રો રામભરોસે છોડી દેતા હોય છે!

આથી જામનગર સહિતના મેટ્રોપોલિટન શહેરો તથા દ્વારકા જેવા યાત્રાધામોમાં, જ્યાં અવારનવાર વીવીઆઈપી મહાનુભાવોની અવર-જવર રહેતી હોય, તેવા સ્થળો માટે કોઈ કાયમી વીઆઈપી-વીવીઆઈપી પ્રોટોકોલ પોલિસી જિલ્લા તંત્રે કાયમી ધોરણે ઘડી રાખવી જોઈએ, તેમ નથી લાગતું?

નગરની મુલાકાતે આવનાર વીઆઈપી કે વીવીઆઈપીને મળેલી સુરક્ષા વ્યવસ્થાની શ્રેણી, રૂટ, રોકાણ, કાર્યક્રમોનો પ્રકાર, (રોડ-શો, સભા કે મિટિંગ, રાત્રી મૂકામ વગેરે), આવનાર મહાનુભાવો તથા સ્થાનિક મહાનુભાવોની સંખ્યા, હાજર રહેનાર પબ્લિકની અંદાજીત સંખ્યા, સંભવિત રોકાણ અને આકસ્મિક રોકાણ કે કાર્યક્રમમાં સંભવિત ફેરફાર વગેરે તમામ પાસાઓ તથા તેમાં બંદોબસ્ત માટે માનવબળ તથા સાધનોનું માઈક્રોપ્લાનિંગ કરીને તેના સંદર્ભે સ્થાનિક પરિવહન, નગરજનો કે પ્રજાજનો તથા બીમાર વ્યક્તિઓને લઈ જતા વાહનો (માત્ર એમ્બ્યુલન્સ નહીં, તમામ પ્રકારના દર્દીવાહક વાહનો), સ્મશાન યાત્રાઓ, મંગલ પ્રસંગો, વરઘોડાઓ તથા કેટલાક ખાસ દિવસોમાં નિયમિત રીતે પરંપરાગત્ ધાર્મિક-સામાજિક યાત્રાઓ વગેરેને અડચણ ઊભી ન થાય, તેવી રીતે વીઆઈપી-વીવીઆઈપી વિઝિટ સમયે પૂર્વ-નિર્ધારિત માર્ગો (રૂટ) નક્કી કરવા જોઈએ, અને પ્રતિબંધ મૂક્યા પછી લોકોને ઓછામાં ઓછી પછીના વૈકલ્પિક માર્ગો પર પૂરેપૂરી ટ્રાફિક નિયમન, સુરક્ષા, સુવિધા, તથા માર્ગદર્શનની વિવેકપૂર્ણ વ્યવસ્થાઓ થઈ શકે, તેવું કાયમી સ્થિતિસ્થાપક પ્લાનિંગ તૈયાર રાખવું જોઈએ, અને વૈકલ્પિક વ્યવસ્થાઓનું માઈક્રોપ્લાનિંગ વીવીઆઈપી કે વીઆઈપી માટે થતા પ્લાનિંગની સમકક્ષ અને તેટલી જ ગંભીરતાથી થવું જોઈએ, ખરૃં કે નહીં?

આ પ્રકારે ઘડાયેલા કાયમી વીઆઈપી-વીવીઆઈપી વિઝિટ પરમેનન્ટ પ્રોટોકોલથી તંત્રોને પણ જે-તે સમયે દોડધામ ઓછી થઈ શકે છે.

પબ્લિકને અસહ્ય પરેશાની થાય ત્યારે લોકોનો અણગમો, અસંતોષ કે આક્રોશ તો જે-તે વીઆઈપી-વીવીઆઈપી મહાનુભાવો પ્રત્યે જ પ્રગટતો હોય છે, તેની નોંધ લઈને સ્થાનિક સંબંધિત નેતાઓ-આગેવાનો અને આયોજકોએ પણ આ પ્રકારના કાર્યક્રમો સમયે નગર કે સંબંધિત વિસ્તારની આમજનતા સમાન મહત્ત્વ આપીને કાયમી આયોજન ઘડી રાખવું જોઈએ, ખરૃં કે નહીં?

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

જામનગરના આંગણે વડાપ્રધાનનું આગમન... ગુજરાતમાં રાજનીતિનો ત્રિવેણી સંગમ?

આજે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગરની મુલાકાતે આવી રહ્યા છે, અને બે દિવસના સૌરાષ્ટ્રના પ્રવાસ પછી તેઓ ફરીથી સાત-આઠ માર્ચે ગુજરાતના પ્રવાસે આવવાના છે, જ્યારે બીજી તરફ લગભગ ૬ દાયકા પછી કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન પણ ગુજરાતમાં યોજાવા જઈ રહ્યું છે. આજે અને કાલે કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઈ શાહ પણ ગુજરાતમાં છે. તેઓ તાજેતરમાં જ ગુજરાતની મુલાકાતે હતાં. ગૃહમંત્રીની ગુજરાતના વધી રહેલા પ્રવાસો તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક અઠવાડિયા જેટલા સમયમાં ગુજરાતની બે દિવસની મુલાકાત ઘણી જ સૂચક છે, અને ગુજરાતમાં કાંઈક 'મોટું' થવા જઈ રહ્યું હોય તેવા સંકેતો મળી રહ્યા છે.

ગુજરાત પ્રદેશ ભાજપમાં તો ટૂંક સમયમાં ધરમૂળથી ફેરફાર થવાના છે તે નક્કી જ છે, પરંતુ રાષ્ટ્રીય કક્ષાની સર્વોચ્ચ નેતાગીરીના ગુજરાતના પ્રવાસો અચાનક વધી રહ્યા છે, તે જોતા તો એવી અટકળો થવા લાગી છે કે માત્ર રાજ્યમાં ભાજપના સંગઠનમાં જ નહીં, પરંતુ સરકારમાં પણ કાંઈક નવાજુની થઈ શકે છે. ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર તો ઠીક-ઠીક કામ કરી રહેલી જણાય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સંગઠનમાં છૂપો અસંતોષ તથા સરકાર સામે ધીમી ગતિએ ઊભી થઈ રહેલી એન્ટી-ઈન્કમબન્સીના ફીડબેક મળ્યા હશે, અને તેથી જ વડાપ્રધાન અને કેન્દ્રિય ગૃહમંત્રીએ પોતાના હોમસ્ટેટ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હશે, તેવી ગુસપુસ પણ રાજકીય ગલિયારાઓમાં થઈ રહી હોવાનું ચર્ચાય છે.

પ્રયાગરાજમાં કુંભમેળો સંપન્ન થયો કે તરત જ ગુજરાતમાં શરૃ થયેલી હલચલ જોતા ટૂંક સમયમાં રાજ્યમાં રાજનીતિનો કુંભમેળો ભરાશે, તેમ જણાય છે. અત્યારે ગુજરાતમાં કેન્દ્રિય મંત્રીઓના પ્રવાસો તો વધી જ રહ્યા છે, અને ભાજપની સર્વોચ્ચ નેતાગીરી ઉપરાંત સંઘના કેટલાક પ્રચારકો પણ સક્રિય થયા હોવાની વાતો વચ્ચે કાંઈક તો નવું થવાનું છે તેવા અંદાજો થઈ રહ્યા છે.

ગુજરાતની ચૂંટણીને તો વાર છે, પરંતુ બિહારમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે શું બિહારની ચૂંટણીનું બ્યુગલ ગુજરાતથી ફૂંકાવાનું છે કે પછી ભાજપના 'ગુજરાત મોડલ' પર બિહારમાં વધુમાં વધુ બેઠકો જીતીને બિહારમાં પણ ધમાકેદાર સીંગલ પાર્ટી સરકાર રચવાની રણનીતિ ઘડાઈ રહી છે? તેવા અનુમાનિત સવાલો પણ પૂછાઈ રહ્યા છે.

પ્રયાગરાજમાં ગંગા, યમુના તથા 'ગુપ્ત' સરસ્વતીના સંગમ સ્થાને પવિત્ર મહાકુંભ યોજાઈ ગયો, અને હવે ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસ અને 'લૂપ્ત' થતી જતી આમ આદમી પાર્ટીના રાજકીય ત્રિવેણી સંગમ રચાઈ રહ્યો હોય, તેમ નથી લાગતું?

તાજેતરમાં દિલ્હીમાં આમ આદમી પાર્ટીને ફટકો પડ્યો, પરંતુ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કેટલાક સ્થળે આમ આદમી પાર્ટીએ નોંધપાત્ર ફતેહ મેળવી, તેથી 'આપ'નું ફોકસ પણ હવે દિલ્હીથી સિફ્ટ થઈને પંજાબ તથા ગુજરાત પર કેન્દ્રિત રહેશે, તેવા કેટલાક વિશ્લેષકો માને છે.

એવું કહેવાય છે કે કોંગ્રેસનું ગુજરાતમાં મજબૂત શાસન હતું, તે સમયે ભાવનગરમાં વર્ષ ૧૯૬૧ માં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાયું હતું, પરંતુ તે પછીથી કોઈએ ગુજરાત પર બહું ધ્યાન આપ્યું નહીં, તેથી ૧૯૯૦ થી ર૦૦૦ ના દાયકા દરમિયાન ગુજરાત કોંગ્રેસના હાથમાંથી સરકી ગયું, અને હજુ સુધી કોંગ્રેસ વાપસી તો કરી શકી નથી, પરંતુ વર્ષ-પ્રતિવર્ષ ધોવાણ થતું રહ્યું છે. તેથી હવે કોંગ્રેસે ગુજરાતમાં રાષ્ટ્રીય અધિવેશન યોજીને મોદી-શાહની જોડીને તેઓની હોમપીચ પરથી જ પડકારવાની રણનીતિ બનાવી છે. કોંગ્રેસના અંતરંગ વર્તુળોમાં એવી ચર્ચા થઈ રહી છે કે ગુજરાતમાં રાષ્ટ્રીય અધિવેશનની સાથે જ કોંગ્રેસ વર્ષ ર૦ર૭ ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓની તૈયારી પણ શરૃ કરી દેશે, અને ત્રણ-ત્રણ દાયકાથી ગુજરાતમાં સત્તાથી વિમુખ થઈને સતત ઘસાતી રહેતી કોંગ્રેસની સત્તામાં વાપસી થાય, તેવા પ્રયાસો સઘન બનાવશે અને કોંગ્રેસ ગુજરાતમાં જ વર્ષ ર૦ર૭ માં ભાજપને હરાવી શકે, તો વર્ષ ર૦ર૯ માં લોકસભાની ચૂંટણીમાં સફળતા મેળવવાનો રસ્તો પણ સાફ થઈ જાય, તેવું કોંગ્રેસ માને છે. તેવા વિશ્લેષણોની સાથે સાથે વિશ્લેષકો આને 'ઈફ એન્ડ બટ' વચ્ચેની કાલ્પનિક સંભવનાઓ પણ ગણાવે છે.!!

ગુજરાત અને બિહારમાંથી ભૂતકાળમાં પણ એવા જન-આંદોલનો પ્રગટ્યા છે, જેમણે દેશની રાજનીતિમાં ક્રાંતિ લાવી દીધી હતી. ગાંધીજી, સરદાર પટેલ, આંબેડકર, જયપ્રકાશ નારાયણ, કર્પુરી ઠાકુર જેવા રિવોલ્યુશનરી જનનેતાઓ ગુજરાત અને બિહાર જેવા રાજ્યો સાથે સંકળાયેલા હતાં, તો વર્તમાન સદીમાં અન્ના હજારેના આંદોલને પણ રાજનીતિની દશા અને દિશા બદલી નાંખી છે, જેઓ મહારાષ્ટ્ર સાથે સંકળાયેલા ગાંધીવાદી નેતા છે.

જે હોય તે ખરું, આજે દેશના વડાપ્રધાન જામનગરમાં પધારી રહ્યા છે, ત્યારે તેઓનું હરખભેર સ્વાગત થાય, તે પણ સ્વાભાવિક જ છે ને? વેલકમ પ્રધાનમંત્રીજી... છોટીકાશીમાં આપનું સ્વાગત છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

દુષ્કર્મી ભેડિયાઓ સામે ન્યાયતંત્રની લાલ આંખ... હવે સમાજ અને સરકાર જાગે...

મહારાષ્ટ્રના પૂણેમાં ફરી એક નિર્ભયા કાંડ થયો અને ઉહાપોહ પછી હવે ત્યાંનું તંત્ર હરકતમાં આવ્યું હોય, તેમ લાગે છે. આ સંદર્ભે દેશના પૂર્વ ચીફ જસ્ટીસ ડી.વાય. ચંદ્રચુડે જે કાંઈ કહ્યું છે, તેની તથા પોક્સો કેસોમાં ગુજરાતમાં આવેલા અદાલતી ફેંસલાની ચર્ચા આજે માત્ર અદાલતી કે કાનૂની ક્ષેત્રો જ નહીં, પરંતુ મહિલા સુરક્ષા, સામાજિક સદ્ભાવ તથા ફેલાઈ રહેલી માનસિક વિકૃતિઓના સંદર્ભમાં પણ ટોક ઓફ ધ નેશન બની ગઈ છે.

ગઈકાલે એવા અહેવાલો આવ્યા હતાં કે ગુજરાતની વિવિધ અદાલતોમાં એક જ દિવસમાં પોક્સો કેસોમાં રાજકોટ, અમરેલી અને વડોદરાની ૭ પીડિતાઓને ન્યાય મળ્યો છે. અદાલતોએ અપરાધીઓ પ્રત્યે ઘણું  કડક વલણ અપનાવ્યું છે, અને આ કેસો ઝડપથી ચલાવીને ઊંડાણપૂર્વકના અભ્યાસ તથા કેસના તમામ પાસાઓને ધ્યાને લઈને આ ફેંસલાઓ સંભળાવ્યા છે.

છેલ્લા ત્રણ વર્ષમાં અદાલતે ૯૪૭ ચૂકાદાઓ પોક્સોના કેસોની સુનાવણી પછી આપ્યા છે, જેમાં અપરાધીઓ પ્રત્યે કાનૂનની મર્યાદામાં રહીને પણ ઘણું જ કડક વલણ અપનાવાયું છે અને ત્રણ વર્ષમાં પોક્સો કેસોમાં અપાયેલા ચૂકાદાઓમાં પ૭૪ અપરાધીઓને આજીવન કેદની સજા ફટકારાઈ છે, તે ઉપરાંત આ જઘન્ય ગુન્હા બદલ ૧૧ અપરાધીઓને ફાંસીએ લટકાવવાના ચૂકાદાઓ પણ આવ્યા છે. આ ચૂકાદાઓ આવ્યા, તેમાં પોલીસતંત્ર, સરકારી વકીલો તથા પોલિટિકલ સર્વસંમત ઈચ્છાશક્તિની પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી છે. આમ પણ કુમળી કન્યાઓ કે  મહિલાઓને પીખી નાખતા ભેડિયાઓને અત્યંત કડક સજા થવી જ જેમાં બધા જ સહમત છે, અને આ મુદ્દો પોલિટિકલ છે જ નહીં, અને આ પ્રકારની નિંદનિય ઘટનાઓ દિન-પ્રતિદિન વધતી જ રહે છે, તેથી એ પણ પૂરવાર થાય છે કે અપરાધીઓને કાનૂનનો ડર નથી અને અત્યંત કડક સજાઓ થવા છતાં આ પ્રકારની ઘટનાઓમાં ઘટાડો રહ્યો નથી, તેથી આ સમગ્ર ઈશ્યુ હવે નવેસરથી જ વિચારવો પડે તેમ છે, ખરૃં કે નહીં?

જો કે, ગુજરાતમાં રપ મી ફેબ્રુઆરીના દિવસે ત્રણ જિલ્લાઓની અદાલતોએ ફટાફટ સાત મહત્ત્વપૂર્ણ ફેંસલાઓ સંભળાવ્યા અને સાતેય બળાત્કારીઓને આજીવન કેદની સજા સંભળાવી, તેથી પીડિતાઓમાં હિંમત વધશે અને આગળ આવીને બુરી નજર કે છેડતી કરનારાઓ સામે તત્કાલ અવાજ ઊઠાવવામાં પાછીપાની નહીં કરે. એટલું જ નહીં, તંત્રો પણ હવે આ પ્રકારના કિસ્સાઓમાં જરાયે ઢીલાસ નહીં રાખે, તેવો આશાવાદ જરૂર જાગ્યો છે. આ જ પ્રકારની ઝડપ અને કડક કાર્યવાહી થતી રહેશે, તો મહિલાઓ-કન્યાઓમાં પણ હિંમત વધશે, અને અધમ કૃત્યો કરતા પરિબળોને પ્રારંભથી જ પાઠ ભણાવશે, આ કડક અભિગમમાં ન્યાયવિદે, વકીલો તથા પોલીસતંત્રની સાથે સાથે સાક્ષીઓ, પંચો તથા રિપોર્ટીંગ તથા તબીબી ક્ષેત્રની ઓથોરિટીઝનો પણ સહયોગ ભૂલી કેમ શકાય?

ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી એવો દાવો કરી રહ્યા છે કે, મુખ્યમંત્રીની સૂચનાથી રાજ્યમાં મહિલાઓ અને બાળકો પર અત્યાચાર, દુષ્કર્મ અને શોષણ સામે કડક અભિગમ અપનાવાઈ રહ્યો છે તથા આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવા નક્કર પુરાવાઓ સાથે કેસ મજબૂત બનાવીને રજૂ કરવામાં આવે છે. સરકાર પોતાની પીઠ ભલે થાબડે, અને પ્રબળ પોલિટિકલ પીઠબળની ભૂમિકા પણ મહત્ત્વપૂર્ણ હોય જ છે, પરંતુ વહીવટી તંત્ર, ન્યાયતંત્ર અને હિંમતભર્યો જનસહયોગ આ પ્રકારના કેસોમાં કડક સજા આપી શકાય, તેમાં ન્યાયિક ચૂકાદાઓમાં સહભાગી હોય છે, તે પણ હકીકત જ છે ને?

આ જ રીતે અત્યંત કડક અભિગમ અપનાવીને અને ઝડપી કાનૂની પ્રક્રિયા નિપટાવીને કડક સજાઓ સતત થતી રહેશે, તો જ અપરાધીને કડક સજાઓ સતત થતી રહેશે, તો જ અપરાધીઓમાં થોડો ઘણો કાનૂનનો ડર બેસશે, ખરૃં ને?

દેશના તાજેતરમાં જ નિવૃત્ત ચીફ જસ્ટિસ ડી.વાઈ. ચંદ્રચુડે પૂણેમાં એક બસમાં મહિલા સાથે થયેલા દુષ્કર્મ સંદર્ભે કહ્યું હતું કે નિર્ભયા કાંડ પછી કડક કાયદો બનાવાયો અને કેટલાક બદલાવ કરાયા, પરંતુ માત્ર કડક કાનૂન બનાવી દેવાથી સ્થિતિ નહીં સુધરે. ચંદ્રચુડે પણ આ કિસ્સામાં કડક અને ઝડપી સજા થાય, તેના પર ભાર મૂક્યો હતો.

નિર્ભયાકાંડ બન્યો તેને બાર-તેર વર્ષ થઈ ગયા. સરકાર બદલી, કાયદા બદલ્યા, દેશવ્યાપી આંદોલનો થયા, તેમ છતાં હજુ પણ જો દુષ્કર્મની ઘટનાઓ વધતી જ રહેતી હોય, તો આ મનોવૃત્તિને માત્ર કાનૂન નહીં, પરંતુ સામાજિક અને નૈતિક અને મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ પણ પરખવી પડશે અને તત્કાળ અંકુશમાં લેવી પડશે, તેમ નથી લાગતું?

નાગરિકોને મળેલા બંધારણીય અધિકારો હેઠળ નીચલી અદાલતોમાં અપાતા ચૂકાદાઓ સામે અપીલ કરવાનો અધિકાર મળે છે અને પોક્સો જેવા કેસોમાં અપીલોની પણ ઝડપભેર સુનાવણી થાય અને દુષ્કર્મ કરનારા ભેડિયાઓને અત્યંત કડક સજાનો અમલ પણ નિયમાનુસાર પણ ઝડપથી થાય, તે ઉપરાંત સમાજમાં ફેલાઈ રહેલી બેખોફ વિકૃતિઓના કારણોના મૂળમાં જઈને સમાંતર લોકજાગૃતિ તથા યુવાવર્ગને ગુનાખોરી તથા વિકૃત માનસિક્તા તરફ ધકેલાતો અટકાવવાના ઉપાયો કરવા માટે હવે સમાજ, સરકાર, સંસ્થાઓ તથા ન્યાયક્ષેત્રે સહિયારા પ્રયાસો વધારવા જ પડે તેમ છે, ખરૃં ને?

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

મહાકુંભ, મહાશિવરાત્રિ અને પરીક્ષાઓનો ત્રિવેણી સંગમ... પરીક્ષાર્થીઓને સુગમ અને સરળ પરિવહન પૂરૂ પાડો...

પ્રયાગરાજમાં મહાકુંભ સંપન્ન થયો, અને રેકોર્ડબ્રેક શ્રદ્ધાળુઓએ આ મહાકુંભમાં ત્રિવેણી સ્નાન કર્યું, તેના વિસ્તૃત આંકડાઓ આવી રહ્યા છે, અને દેશભરમાં ગઈકાલે મહાશિવરાત્રિ ધામધૂમથી ઉજવાઈ ગઈ. આજથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ ૧૦ અને ધોરણ ૧ર ની પરીક્ષાઓનો પ્રારંભ પણ થયો છે. આ ત્રણેય ઘટનાક્રમોનો અદ્ભુત ત્રિવેણી સંગમ રચાયો છે, અને ગંગા-યમુનાના સ્મરણ સાથે માતા સરસ્વતીની આરાધના પણ થઈ રહી છે. આજે સમાપન પછી મહાકુંભમાં સ્નાન કરનારા ભાવિકો, કરાયેલી વ્યવસ્થાઓ તથા મહાકુંભના કારણે રોજગારી તથા વ્યાપાર, આર્થિક પ્રગતિ તથા સ્થાનિકોને થયેલા ફાયદાની વિગતો આંકડાઓ સાથે રજૂ થઈ રહી છે. મહાકુંભની સાથે સાથે હરિદ્વાર, કાશી, અયોધ્યા, ઉજ્જૈન સહિતના યાત્રાધામોમાં પણ બહોળી સંખ્યામાં યાત્રિકો પહોંચ્યા તેથી આ મહાકુંભ બહુહેતુક પૂરવાર થયો અને 'વસુધૈવ કુટુમ્બકમ્'ની  આપણી સંસ્કૃતિના પ્રતીક સમો બની ગયો, ખરૃં કે નહીં?

ત્રિવેણી સંગમમાં સ્નાનની સાથે સાથે ગઈકાલે દેશભરમાં મહાશિવરાત્રિ પર્વે કરોડો લોકોએ મહાશિવરાત્રિ ઉજવી, તેથી આખો દેશ શિવમય થયેલો જોવા મળ્યો હતો.

પ્રયાગરાજ મહાકુંભ પછી ગુજરાતમાં હવે શિક્ષણનો પરીક્ષા કુંભ શરૂ થયો છે, અને આજથી બોર્ડની પરીક્ષાઓમાં કુલ ૧૪ લાખથી વધુ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે, તેવા આંકડાઓ પણ જાહેર થયા છે.

બોર્ડની પરીક્ષાઓ માટે ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડે ૮૭ વિભાગ પાડીને સાડાસોળ હજારથી વધુ પરીક્ષા કેન્દ્રો ઊભા કર્યા છે, અને આ માટે શાળાસંકુલોની પાંચ હજારથી વધુ બિલ્ડીંગમાં પ૦ હજારથી વધુ વર્ગખંડોમાં પરીક્ષાર્થીઓની બેઠક વ્યવસ્થા ગોઠાવવામાં આવી છે, અને એવું કહેવાય છે કે બોર્ડે આ માટે ૮૦ હજારથી વધુનો સ્ટાફ ગોઠવ્યો છે. કેટલાક કેદીઓ તથા સાડાછ હજારથી વધુ દિવ્યાંગો પણ આ પરીક્ષા આપી રહ્યા છે.

બોર્ડની પરીક્ષાઓનો 'હાઉ' દૂર કરવા અને વિદ્યાર્થી ભાઈ-બહેનો મુક્તમને તથા પ્રસન્નતાપૂર્વક પરીક્ષાઓ આપી શકે તેવો માહોલ ઊભો કરીને આજે પહેલા દિવસે પરીક્ષાર્થીઓને પરીક્ષાકેન્દ્રો પર આવકાર પણ અપાઈ રહ્યો છે, જો કે થોડા વર્ષો પહેલા આ પરંપરા ઊભી કરાઈ, તે સમયગાળાની સરખામણીમાં હવે આ એક રાબેતામુજબની ફોર્માલિટી બની ગઈ હોય, તેવું ઘણી જગ્યાએ પ્રતિત થતું હોય છે. એકંદરે પ્રસન્નતાવાળા માહોલમાં હસતા હસતા પરીક્ષાનો પ્રારંભ થાય તેની પરીક્ષાર્થીઓના માનસ પર પોઝિટિવ અસરો પડતી હોય છે. તેથી આ અભિગમ ખોટો નથી, પરંતુ જે કાંઈ થવું જોઈએ તે 'દિલ'થી થવું જઈએ, ખરૃં કે નહીં?

આજે સવારે ધોરણ ૧૦ ના ભાષાના પેપરો હતાં અને અત્યારે બપોરે ધોરણ ૧ર ના સામાન્ય પ્રવાહનું એકાઉન્ટનું તથા સાયન્સ પ્રવાહમાં ફિઝિક્સનું પેપર લેવાઈ રહ્યું છે. આંકડાઓ મુજબ આજે હાલારમાં ધો. ૧૦ ના ર૬ હજારથી વધુ વિદ્યાર્થીઓ અને ધોરણ ૧રના બન્ને પ્રવાહના મળીને ૧૪ હજારથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયેલા હતાં, તે પૈકી મોટાભાગના વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે.

વિદ્યાર્થીઓના રિસ્પોન્સ, કાઉન્સિલીંગ તથા પેપર આપતી વખતે યોગ્ય સુવિધાઓની વ્યવસ્થાઓ કરવામાં આવી છે, જો કે પરીક્ષાર્થીઓને લોકલ પરિવહનની કેટલીક મુશ્કેલીઓ પણ પડી રહી છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોના પરીક્ષાર્થીઓ માટે એસ.ટી. હજુ વધુ કાળજીપૂર્વકની વ્યવસ્થાઓ થાય તથા એક ઊડતી સમીક્ષા કરીને કેટલાક ચોક્કસ પોઈન્ટથી પરીક્ષા કેન્દ્રો સુધીની બસ પરીક્ષાર્થીઓને મળી રહે, તેવી વ્યવસ્થા તો થઈ જ શકે છે ને?

જામનગરમાં પણ કેટલાક આંતરિક દૂરના વિસ્તારો-સોસાયટીઓને જોડતી સિટીબસ સેવા બોર્ડની પરીક્ષાઓ દરમિયાન એવી રીતે તત્કાળ અસરથી શરૂ કરવી જોઈએ, જે પરીક્ષાના પેપરોના પ્રારંભ તથા પૂર્ણ થવાના સમયપત્રકને અનુરૂપ દોડે. આ પ્રકારની 'નિઃશુલ્ક' સુવિધા સંબંધિત સ્કૂલો, કેન્દ્રો તથા શિક્ષણક્ષેત્ર અને વિદ્યાર્થી સંગઠનો સાથે પરામર્શ કરીને મહાનગરપાલિકા સાથે, તો સોનામાં સુગંધ ભળે, ખરૃં કે નહીં?

આમ પણ, જામનગરમાં સિટીબસનું સંચાલન એવી રીતે થાય છે કે ઈજારેદારને મીનીમમ રોજીંદુ બસભાડું તથા અન્ય ચૂકવણીઓ તો (કરેલા કરાર મુજબ) કરવી જ પડતી હશે ને? જો આ જ રીતે પરીક્ષાર્થીઓને જ્યાં જરૂરિયાત જણાય ત્યાં અથવા કોઈ શિડ્યુલ નક્કી કરીને નિઃશુલ્ક લાવવા-લઈ જવાની વ્યવસ્થા વિસ્તારાય, તો તેમાં કાંઈ હરકત જેવું પણ નથી.

આજે જે પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપવાનું શરૂ કર્યું છે, તેઓ તથા આ વર્ષે બોર્ડની પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થી ભાઈ-બહેનોને ઉજ્જવળ પરિણામોની 'નોબત' પરિવાર અને 'માધવાણી પરિવાર' શુભેચ્છાઓ પાઠવે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

મહાશિવરાત્રિ અને મહાકુંભ હર હર મહાદેવ, હર હર ગંગે ત્રીજું નેત્ર ખોલીને મુસીબતોને ભસ્મ કરો શંભુ...

આજે મહાશિવરાત્રિનું પર્વ છે અને આ સાથે જ પ્રયાગરાજમાં મહાકુંભનું સમાપન થવા જઈ રહ્યું છે. દેશભરમાં હરહર મહાદેવ, હર હર ગંગે, બમ્ બમ્ ભોલે અને જય ભોલેનાથનો નાદ્ ગૂંજી રહ્યો છે. ભોળાનાથ શિવશંભુ પણ જાણે કે કરોડો શિવભક્તો પર પ્રસન્ન થયા હોય, તેવો મંગલમય પવિત્ર માહોલ આજે શિવાલયો અને મંદિરોમાં જ નહીં, પરંતુ દેશભરમાં ઘેર-ઘેર એક અલગ જ અનુભૂતિ કરાવી રહ્યો ઠેર-ઠેર શોભાયાત્રાઓ નીકળી રહી છે અને ગામો તથા શહેરો શિવમય બની રહ્યા છે. છોટીકાશી પણ આજે ભગવાન શિવજીની ભક્તિમાં તરબોળ જોવા મળી રહી છે.

આ વખતે મહાકુંભમાં કરોડો લોકો ઉમટ્યા અને દોઢ મહિના સુધી પ્રયાગરાજમાં ગંગાસ્નાન થતું રહ્યું, જેમાં જામનગર સહિત હાલારમાંથી પણ ઘણાં લોકો આસ્થાની ડૂબકી લગાવીને પણ આવ્યા, અને ધન્યતા અનુભવી.

દર બાર વર્ષે આવતા મહાકુંભ બાર વખત યોજાયા, એટલે તેનું અલભ્ય મહાત્મય હોય છે અને તેનો લાભ આ વર્ષે મહાકુંભમાં કરોડો લોકોએ લીધો છે, તેને સમગ્ર વિશ્વ અચંબિત બનીને નિહાળી રહ્યું છે, તો બીજી તરફ કેટલીક ટીકા-ટિપ્પણીઓ પણ થઈ રહી છે. વિવિધ મંતવ્યો અપાઈ રહ્યા છે, અને આક્ષેપો-પ્રતિઆક્ષેપો થઈ રહ્યા છે, પરંતુ ભગવાન શિવજી પ્રત્યેની શ્રદ્ધામાં સૌ કોઈ એકમત છે, અને આજે સૌ કોઈ શિવભક્તિમાં ડૂબેલા છે, તે તેનો પ્રત્યક્ષ પુરાવો જ છે ને?

પ્રથમ દ્વાદશ જ્યોતિર્લીંગ સોમનાથમાં આજે શિવભક્તોનો મહેરામણ હિલોળા મારી રહ્યો છે, ગીરનારની તળેટીમાં ભવનાથના મેળામાં પણ બહોળા પ્રમાણમાં ભાવિકો ઉમટી રહ્યા છે. સુવર્ણરેખા નદીના કિનારે મહાવદ એકાદશીથી શરૂ થતો આ મેળો અમાસના દિવસે સંપન્ન થાય છે. આ દરમિયાન મહાશિવરાત્રિની ભવ્ય ઉજવણી થાય છે. ભગવાન ભવનાથની પૂજા કરવા મોટી સંખ્યામાં નાગાસાધુઓ પણ આવે છે. ભવનાથનો મેળો પણ કુંભમેળાની જેમ એક વિશેષ મહત્ત્વ ધરાવે છે.

તેવી દ્વાદશ જ્યોતિર્લીંગમાં ગણાતું નાગેશ્વર પણ આજે શિવભક્તોથી ઉભરાઈ રહ્યું છે, તો દ્વારકામાં દરિયાની અંદર એક ટેકરી પર આવેલા ભડકેશ્વર મહાદેવના મંદિરે પણ દેશભરના શિવભક્તો તથા સ્થાનિક ભાવિકોની ભીડ જામી છે.

દ્વારકામાં સિદ્ધનાથનું મંદિર પણ પ્રખ્યાત છે. જામનગરમાં પણ ભીડભંજન, કશીવિશ્વનાથ, રામેશ્વર મહાદેવ, સિદ્ધનાથ મહાદેવ, સિદ્ધેશ્વર મહાદેવ, રામેશ્વર મહાદેવ, નર્મદેશ્વર, ભાવેશ્વર, અંકલેશ્વર, નિલકંઠ, સોમનાથ મહાદેવ સહિતના સંખ્યાબંધ શિવાલયો તથા મંદિરોમાં આજે ભાવિકોનો પ્રવાહ ઉમટી રહ્યો છે, જે આપણી સંસ્કૃતિની સોનેરી ઝલકના દર્શન જ કરાવે છે ને?

આજે મહાશિવરાત્રિનું પર્વ ધામધૂમથી ઉજવાઈ રહ્યું છે, ત્યારે પ્રયાગરાજના મહાકુંભમાં પણ આસ્થાનો મહાસાગર આજે પરાકાષ્ટાએ પહોંચ્યો હોય, તેમ ભાવિકોથી ઘુઘવી રહ્યો છે. હર હર ગંગે અને હર હર મહાદેવનો નાદ્ ગગનમાં ગૂંજી રહ્યો છે. જેને આખી દુનિયા દંગ બનીને નિહાળી રહી છે.

ગઈકાલ સુધી જ મહાકુંભમાં ૬પ કરોડ લોકોએ ગંગાસ્નાન કર્યું હોવાના અહેવાલો હતાં, અને આજે પણ મહાકુંભમાં લાખો લોકો ગંગાસ્નાન કરી રહ્યા છે. આજે મહાકુંભનું સમાપન થશે, અને ઈતિહાસના સુવર્ણ પૃષ્ઠ પર નોંધાઈ જશે, તે હકીકત છે.

આ મહાકુંભ દરમિયાન ભાગદોડ, આગ-અકસ્માતો તથા જીવલેણ ઘટનાઓ પણ બની, વિક્રમજનક ટ્રાફિકજામ પણ સર્જાયા અને ઉત્તરપ્રદેશમાં રાજનીતિ પણ ઉફાણે ચડી હતી, અને આ દરમિયાન બદલતી ઋતુ તથા પરિવહનની સમસ્યાઓ અને કેટલાક સ્થળે ઉઘાડી લૂંટ ચલાવાઈ તેમ છતાં આખો મહિનો મહાકુંભમાં લાખો લોકોએ ગંગાસ્નાન કર્યું, તે હકીકતને વિશ્લેષકો આસ્થાની તાકાત ગણાવી રહ્યા છે, અને ભાવિકો શિવજીની કૃપા ગણાવી રહયા છે.

આજે મહાશિવરાત્રિના દિવસે આપણે પણ શિવજીને પ્રાર્થીએ કે હે શિવ શંભુ... શિવભક્તો પર આશીર્વાદ વરસાવો, આપની અસીમ કૃપાની વૃષ્ટિ કરો, જન-જનમાં માનવતા, દયા, સહાધ્યતા અને નિર્મળ સ્નેહ ઉભરાય, સમાજમાં સમાનતા, સંપ અને સૌજન્યતાનો ત્રિવેણી સંગમ કાયમી બને અને જીવસૃષ્ટિ પરના તમામ જોખમો ખતમ થાય, તેવું વરદાન સંસારના પ્રત્યેક માનવીને આપો, અને આપના પ્રત્યેક સાચા ભક્તની સામાજિક સુરક્ષા અને શુદ્ધ પ્રેમની સાથે સારૃં સ્વાસ્થ્ય અને સુખ-શાંતિ-સમૃદ્ધિ પણ પ્રાપ્ત થાય તેવી પ્રાર્થનાઓ સ્વીકારો... સૌ કોઈનું ભલુ કરો... અને હવે ત્રીજુ નેત્ર પણ ખોલો... શિવજી...

દુષ્ટો, દુર્જનો અને મુસીબતોને બાળીને ભસ્મ કરવા આપનું ત્રીજુ નેત્ર ખોલો... જન જનની અસુવિધાઓ, તકલીફો અને રોજીંદી સમસ્યાઓનો ખાત્મો થાય, ઠગો, દગાબાજો અને પાપીઓનો પ્રભાવ બળીને ભષ્મ થઈ જાય, ભોળી જનતાનું સફેદ પોશ ભેડિયાઓથી રક્ષણ , અને જનભાવનાઓને ખોટી રીતે ઉત્તેજન આપીને પોતાનો ઉલ્લુ સીધો કરવા માંગતા નાટકિયા ડ્રામેબાજોની ડ્રામેબાજી નિષ્ફળ થઈ જાય, તે માટે આપના ત્રીજા નેત્રનો પ્રહાર કરો પ્રભુ...

ભાવનાઓની આડમાં રાજરમત કરતા અને જુઠ્ઠાણાઓની આડમાં આસ્થાઓ પર પ્રહાર કરતા પ્રપંચીઓ ક્યારેય સફળ ન થાય અને સત્યનો હંમેશાં જય થાય, તેવી આપની ત્રિનેત્ર દૃષ્ટિ વરસાવો, હર હર મહાદેવ, જય ભોળેનાથ... હર હર ગંગે... સત્ય મેવ જયતે... સત્ય મેવ જયતે...

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

સેવાના નામે મેવા... સેવા પરમો ધર્મ પણ...!!

રાજકોટમાં સમૂહલગ્નના નામે નાણા ઉઘરાવીને આયોજકો ભાગી ગયા અને તંત્રો, મીડિયા અને જનસહયોગથી આ કાર્યક્રમ સંપન્ન થયો, તેવા અહેવાલો પછી એવી ચર્ચા થઈ રહી છે કે 'સેવાના નામે મેવા'ના કારસા રચતા પરિબળો કેટલી હદે નફ્ફટાઈ કરી શકે છે, અને સર્વજ્ઞાતિય સમૂહલગ્નો જ નહીં, પરંતુ 'સેવાના નામે મેવા'ના કાયમી કૌભાંડો થવા લાગ્યા છે, ત્યારે આ પ્રકારના કૌભાંડિયાઓને ઓળખવા કેવી રીતે?

અત્યારે ઘણાં લોકો શોર્ટકટમાં કમાણી કરવાના કારસા રચવામાં જ રચ્યા પચ્યા રહેતા હોય છે, અને તે માટે કોઈપણ પ્રકારનું ગેરકાનૂની, અનૈતિક, અપરાધિક, અયોગ્ય કે અનિચ્છનિય કૃત્ય કરવા પણ તૈયાર થઈ જતા હોય છે. આ પ્રકારના કૃત્યો કરનાર પરિબળોની કોઈ ચોક્કસ જ્ઞાતિ-જાતિ કે સમાજ હોતો નથી, અને હવે તો ભણેલા ગણેલા અને પ્રતિષ્ઠિત શ્રેણીઓમાં ગણાતા લોકો પણ સેવાના નામે નાણા ઉઘરાવીને તેમાંથી પોતાનો ફાયદો કાઢવાના નુસ્ખા જોવા મળવા લાગ્યા છે. તેથી જ કન્ફ્યુઝન ઊભું થતું હોય છે કે ભરોસો કરવો તો કોનો કરવો? કૌન સચ્ચા, કૌન જૂઠ્ઠા?

વિદેશમાં વસવાટ કરતા ઘણાં ભારતીય પરિવારો પોતાના વતનમાં ઘણી વખત વિકાસના કાર્યો કે લોકકલ્યાણની પ્રવૃત્તિઓ માટે છૂટા હાથે દાનની સરવાણી વહેડાવતા હોય છે, અને તેના કારણે આપણા દેશમાં અને  સૌરાષ્ટ્ર-ગુજરાતમાં પણ સંખ્યાબંધ સેવાપ્રવૃત્તિઓ ધમધમતી રહે છે, અને તેનો લાભ લાખો જરૂરિયાતોને પહોંચતો હોય છે. લગભગ દરરોજ ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ સેવાયજ્ઞો ચાલતા જ હોય છે. વિવિધ પ્રકારના રોગનિદાન-સારવાર કેમ્પો, રક્તદાન કેમ્પો, થેલેસેમિયા પરીક્ષણ કેમ્પો, દિવ્યાંગ સહાયતા કેમ્પો, નેત્રયજ્ઞો, સમૂહલગ્નો, સમૂહ યજ્ઞોપવિત, વેવિશાળ કેમ્પો, જ્ઞાતિભોજન તથા અન્ય ધાર્મિક-સામાજિક કાર્યક્રમો તથા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાતા રહે છે, અને તેમાં દેશ-વિદેશના દાનની સરવાણી વહેવાતા હોય છે. આ પ્રકારના આયોજનોમાં ધનની સરવાણી વહેવડાવતા ઉદારદિલ દાનવીરો તથા તેના દાનમાંથી સેવાકાર્યો સંપન્ન કરતા સેવાભાવી લોકો, આયોજકો, સ્વયંસેવકો તથા સહયોગીઓને બીરદાવવા જ જોઈએ, અને તન-મન-ધનથી થતી સંયોજિત સેવાઓ થકી સંપન્ન થતા આ સેવાકાર્યોના કારણે અનેક જરૂરતમંદોની મુંઝવણો દૂર થતી હોય છે. એટલું જ નહીં, સામાજિક સ્વાસ્થ્ય સંપ, અને સૌહાર્દ પણ જળવાતું હોય છે. સૌરાષ્ટ્ર જેવી રીતે સંતો-મહંતો અને ભક્તોની ભૂમિ છે, તેવી જ રીતે દાનવીરો તથા સેવાભાવીઓની પણ ભૂમિ છે, અને તેથી જ સૌરાષ્ટ્રના સેવાભાવીઓ તથા સખાવતીઓની સુવાસ દેશના સીમાડા ઓળંગીને સાત સમંદર પાર પહોંચી રહી છે, અને તેનું આપણે બધાએ ગૌરવ લેવું જ જોઈએ, ખરૃં કે નહીં?

આપણે ઘણી વખત વાર-તહેવારો કે મંગલ પ્રસંગો-સમારોહોમાં થતી સામાન્ય ચર્ચાઓ દરમિયાન એવું સાંભળતા પણ હોઈએ છીએ કે વિદેશમાંથી આવતી દાન-સરવાણીમાંથી સેવાકાર્યોના આયોજનોમાં કેટલાક પરિબળો મલાઈ તારવી લેવાના પ્રયાસ કરતા હોય છે, અથવા કેટલાક લોકો માટે તો આ પ્રકારની પ્રવૃત્તિઓ જ પોતાના પરિવારનું ગુજરાન ચલાવવાનું માધ્યમ બની જતી હોય છે. આ પ્રકારના કેટલાક અપવાદોના કારણે શ્રમસેવા, ધનસેવા કે અન્ય રીતે મદદરૂપ થતા અને નિસ્વાર્થે માત્ર સેવાભાવનાથી રાત-દિવસ સેવા આપતા બહોળા સેવાભાવી સમુદાય પર પણ સોનાની થાળીમાં લોઢાની મેખ હોય, તેવું કલંક લાગતું હોય છે, તે પણ હકીકત જ છે ને?

સિક્કાની બીજી બાજુ એવી પણ છે કે આ જ પ્રકારના સેવાકાર્યોના નામે હવે છલબાજી, છેતરપિંડી અને હવે તો કોમર્શિયલ એક્ટિવિટીઝ પણ થવા લાગી છે. આ પ્રકારની દંભી લોબી હવે ઝડપભેર વિસ્તરી રહી હોવાથી સમાજે ખાસ કરીને સામાન્ય, ભોળા, સધી-સાદી જનતાને આ લોબીથી બચાવવા આગળ આવવું જ પડે તેમ છે. એટલું જ નહીં, સાર્વજનિક લાભોની આંબલી-પીપળી દેખાડીને કે કોઈ સરકારી કામો કરાવી આપવા કે ઝડપભેર મોટું નાણાકીય વળતર આપવાના પ્રલોભનો આપીને છેતરપિંડી કરતા ખતરનાક પરિબળોથી સામાન્ય જનતાને બચાવવા સંબંધિત સરકારી તંત્રો તથા સામાજિક-સ્વૈચ્છિક સંસ્થાઓ અને દરેક જ્ઞાતિ-સમાજના ભણેલા-ગણેલા તથા લબ્ધ પ્રતિષ્ઠિત અગ્રગણ્ય નાગરિકોએ પણ આગળ આવવાની જરૂર છે, તેમ નથી લાગતું?

વિદેશમાંથી સામાજિક, ધાર્મિક કે જનસેવાની પ્રવૃત્તિઓ માટે મળતા દાનનો દુરૂપયોગ થતો હોવાની ઘણી ચર્ચા થતી રહેતી હોય છે અને તેમાંથી રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને પણ પરોક્ષ રીતે મદદ પહોંચાડવામાં આવતી હોવાના આક્ષેપો પણ થતા રહેતા હોય છે, અને તે પ્રકારના કેટલાક કિસ્સાઓ તો અદાલતની અટારીએ પહોંચી જતા હોય છે. તે આપણે બધા જાણીએ જ છીએ ને?

પબ્લિક-ટુ-પબ્લિક સખાવત જ નહીં, પરંતુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની સંસ્થાઓ પણ અન્ય દેશોને મદદરૂપ થવા માટે ફંડીંગ કરતી હોય છે, જે પૈકી કેટલીક કુદરતી આફતો, મોટા અકસ્માતો, યુદ્ધ, મહામારી જેવા સમયે લોકોને મદદરૂપ થવા માટે અપાતી હોય છે, જ્યારે કેટલીક યુનો સંચાલિત, યુનો સમર્થિત કે વૈશ્વિક દેશોના જુદા જુદા સંગઠનો, ફોરમ કે પ્લેટફોર્મ્સ પરથી સહાય પહોંચાડાતી હોય છે, જ્યારે અમેરિકા જેવા શક્તિશાળી દેશો વિદેશોમાં માનવિય સેવા કે પર્યાવરણ, આરોગ્ય, શિક્ષણ માટે પણ ફંડીંગ કરતા હોય છે. અમેરિકા આ પ્રકારનું ફંડ યુ.એસ. એઈડ મારફત આપે છે, જેનો ઉદ્દેશ્ય સેવાકીય હોવો જોઈએ, તેના બદલે છેલ્લા બે-ત્રણ દાયકાથી પોતાને અનુકૂળ ન હોય તેવી અન્ય દેશોની સરકારોને ઉથલાવા માટે થયો હોવાના ઘટસ્ફોટ પછી એટલું જરૂર કહી શકાય કે સૌરાષ્ટ્ર હોય કે ગુજરાત, દેશ હોય કે દુનિયા અને વ્યક્તિ હોય, સંગઠન હોય, સંસ્થા હોય કે દેશ હોય, તેની સેવાકીય પ્રવૃત્તિઓમાં યોગદાન આપતા પહેલા તેને પૂરેપૂરી પરખવીજ પડે તેમ છે, ખરૃં કે નહીં?

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

દશેરાના દિવસે ઘોડું દોડ્યું ખરૃં... ભારતીય ટીમના વિજયના વધામણાં...

આજે વિવિધ ક્ષેત્રોની ઘણી વાતો ચર્ચાઈ રહી છે, પરંતુ સૌથી વધુ ચર્ચા તો પાકિસ્તાન સામે ચેમ્પિયનશીપ ટુર્નામેન્ટમાં ભારતની ટીમે મેળવેલા શાનદાર વિજયની જ થઈ રહી છે. કોઈપણ ઈન્ટરનેશનલ ટુર્નામેન્ટ હોય કે વર્લ્ડકપ હોય, તેમાં ફાયનલ મેચ કરતા પણ વધુ રોમાંચ ભારત-પાકિસ્તાન સામસામે ટકરાય, તેમાં ફાયનલ મેચ કરતા પણ વધુ રોમાંચ ભારત-પાકિસ્તાન સામસામે ટકરાય, તેમાં જ હોય છે, આ કારણે જ જે ટુર્નામેન્ટ કે વર્લ્ડકપમાં ભારત-પાકિસ્તાન સામેલ હોય અને તેની પરસ્પર મેચ હોય, ત્યારે તેની અલગ ઢબે જ ચર્ચા થતી હોય છે. પાકિસ્તાન હવે ભાગ્યે જ ચેમ્પિયન્સ ટ્રોફીની સ્પર્ધામાં ટકી શકે તેમ હોવાથી તેની હવે પછીની મેચ માત્ર ફાર્મોલિટી બની રહેશે, તેમ કહેવાય છે. વિશ્લેષકો વર્ષ ર૦૧૭ ની ચેમ્પિયન ટ્રોફીનો બદલો ૬ વિકેટે જીતીને ટીમ ઈન્ડિયાએ લઈ લીધો હોવાના અભિપ્રાયો આપી રહ્યા છે, અને આજે ન્યુઝીલેન્ડ જીતે તો પાકિસ્તાન આ સ્પર્ધામાંથી બહાર થઈ જશે, તેવા તારણો કાઢવામાં આવી રહ્યા છે. ખાસ કરીને ગઈકાલે વિરાટ કોહલી મૂળ ફોર્મમાં આવી ગયો અને ટીમ ઈન્ડિયાનો વિજય વધુ નિશ્ચિત બનાવી દીધો, તેની સૌથી વધુ પ્રશંસા થઈ રહી છે, તો બીજી તરફ હાર્દિક પંડ્યાની કિંમતી રિસ્ટ વોચ પણ ક્રિકેટ રસિયાઓના ચર્ચાનો વિષય છે!

જામનગરમાં પણ પાકિસ્તાન સામે ભારતીય ટીમના વિજયની ઉજવણી થઈ અને ફટાકડા ફૂટ્યા તો રાજકોટ, અમદાવાદ, સુરત, ભરૂચ, ભૂજ, જૂનાગઢ, ઉપરાંત રાજ્યભરના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ ક્રિકેટ રસિયાઓ જ નહીં, પરંતુ અન્ય લોકોએ પણ જુદી જુદી રીતે ઉજવ્યો.

ટીમ ઈન્ડિયાના વિજયને નેતાઓએ પણ રાજકરણને બાજુ પર મૂકીને એક સૂરે વધાવ્યો અને રાહુલ ગાંધી, અમિત શાહ, મલ્લિકાર્જુન ખડગે, મમતાબેનર્જી પુષ્કરસિંહ ધામી સહિતના નેતાઓએ પણ ટીમ ઈન્ડિયાના વિજયને વધાવીને અભિનંદન વરસાવ્યા છે. આજે સોશિયલ મીડિયામાં તો ટીમ ઈન્ડિયા અને ગઈકાલની મેચના વિજયમાં સહભાગી થયેલી આખી ટીમ પર અભિનંદનની વર્ષા થઈ રહી છે. ખાસ કરીને 'વિરાટ' સદીની મૂકતકંઠે પ્રશંસા થઈ રહી છે.

આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીનું એક અલગ જ મહત્ત્વ પણ છે, જો કે વર્ષ ર૦૧૮ થી ર૦રપ દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે જુદી જુદી આંતરરાષ્ટ્રીય કક્ષાની ૬ વન-ડે ક્રિકેટ મેચ રમાઈ, તેમાં ક્યારેય પાકિસ્તાનની ટીમ જીતી શકી નથી.

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) દ્વારા યોજાતી આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીને ક્રિકેટના વર્લ્ડકપ પછીની સૌથી મોટી વૈશ્વિક ક્રિકેટ સ્પર્ધાત્મક શ્રેણી ગણવામાં આવે છે, જેથી તેને મીની વિશ્વકપ પણ ગણવામાં આવે છે.

આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં વર્ષ ૧૯૯૮ થી અત્યાર સુધીમાં દ. આફ્રિકા, ન્યુઝીલેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન અને ભારત ચેમ્પિયન બન્યા છે, જ્યારે વર્ષ ર૦૦ર માં આ ટ્રોફી તે સમયના સંજોગો મુજબ ભારત અને શ્રીલંકાને સંયુક્ત રીતે મળી હતી. આ ઉપરાંત ભારત બે વખત રનર્સ-અપ એટલે કે દ્વિતીય ક્રમે પણ રહી હતી. દર બે વર્ષે યોજાતી આ સ્પર્ધાત્મક ટુર્નામેન્ટ દર બે વર્ષે યોજાય છે અને પ્રત્યેક સ્પર્ધાત્મક શ્રેણીની યજમાની અલગ-અલગ દેશ કરે છે. આ વખતે પાકિસ્તાન યજમાન છે, જો કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચો યુએ (દુબઈ) માં યોજાતી હોય છે. ગઈકાલની વન-ડે ક્રિકેટ મેચ પણ દુબઈમાં યોજાઈ હતી. આજે બોલિવૂડ, ગોલિવૂડના દિગ્ગજો, ક્રિકેટ ઉપરાંત અન્ય ક્ષેત્રના ગોલ્ડમેડલિસ્ટો, સહિતના ખ્યાતનામ ખેલાડીઓ, સેલિબ્રિટીઝ અને ઉદ્યોગ-વ્યાપાર ક્ષેત્રના દિગ્ગજો દ્વારા પણ ભારતીય ટીમને અભિનંદન અપાઈ રહ્યા છે, જે ભારત-પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચમાં ભારતીયોનો જુસ્સો અને માત્ર ક્રિકેટરસિયા જ નહીં, અન્ય દેશવાસીઓની જનભાવનાઓ પણ દર્શાવે છે.

વર્ષ ર૦૧૭ માં આઈસીસી ચેમ્પીયન્સ ટ્રોફીની ફાયનલ મેચમાં ભારત અને પાકિસ્તાન ટકરાયા હતાં, ત્યારે ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો હતો. પાકિસ્તાને ચાર વિકેટે ૩૩૮ રન બનાવ્યા હતાં, જેની સામે ટીમ ઈન્ડિયા માત્ર ૩૦.૩ ઓવરમાં ૧પ૮ રને સમેટાઈ ગઈ હતી, અને પાકિસ્તાન ૧૮૦ રને જીત્યું હતું. તે સમયે સમગ્ર દેશના ક્રિકેટપ્રેમીઓમાં હતાશા ફેલાઈ ગઈ અને આક્રોશ વ્યક્ત થઈ રહ્યો હતો. તે પછી પાકિસ્તાન જુદી જુદી ટુર્નામેન્ટોમાં અડધો ડઝન જેટલી વન-ડે ક્રિકેટ મેચમાં ભારતીય ટીમે પાકિસ્તાનને હરાવ્યું હતું, પરંતુ આ વખતે ચેમ્પિયન્સ ટ્રોફીમાં જ પાકિસ્તાનને ૬ વિકેટે માત્ર ૪૩ ઓવરમાં જ હરાવીને ભારતે વિજય મેળવ્યો, તેથી વર્ષ ર૦૧૭ ની કારમી હારનું સાટુ વળી ગયું છે, ખરૃં કે નહીં?

હાર જીત કોઈપણ રમતનો એક ભાગ હોય છે, અને તેનો સહર્ષ સ્વીકાર કરવો જ પડે, પરંતુ ભારત અને પાકિસ્તાનનો બ્રિટિશ ઈન્ડિયા વખતે જે ટીમ હતી, તેમાંથી જ નીકળેલી સહોદર ટીમો છે, તે ઉપરાંત ભારત-પાકિસ્તાન વચ્ચેની સ્પર્ધાઓમાં રાષ્ટ્રીય ભાવનાઓ ભળી જતી હોવાથી હંમેશાં રોમાંચક બની રહેતી હોય છે, જો કે આ બન્ને પ્રતિસ્પર્ધી ટીમોના ખેલાડીઓ વચ્ચેના સંબંધો હંમેશાં મોટાભાગે ઉષ્માભર્યા જ રહ્યા છે. આવો, આપણે ટીમ ઈન્ડિયાના વિજયને વધાવીએ... પાકિસ્તાન સામેની શાનદાર જીત બદલ ભારતીય ક્રિકેટ ટીમને તથા સમયસર સદી ફટકારવા બદલ વિરાટ કોહલીને ખૂબ ખૂબ અભિનંદન... દશેરાના દિવસે ઘોડું દોડ્યું ખરૃં...!!

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

સ્માર્ટ સરકારની સ્માર્ટ વીજમીટર યોજનાના રાજ્યવ્યાપી ઘેરા પ્રત્યાઘાતો... ગુજરાતમાં 'ફ્રી' વીજળીનો નનૈયો...!!!

ગઈકાલે ગુજરાતના ઊર્જા મંત્રીએ વિધાનસભામાં સ્માર્ટ વીજમીટરો ફરજિયાત હોવા અંગે ચોખવટકર્યા પછી તેના રાજ્યવ્યાપી પ્રત્યાઘાતો પડી રહ્યા છે, તો ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ દિલ્હીની જેમ ગુજરાતમાં પણ ૩૦૦ યુનિટ સુધી ફ્રી વીજળી આપવા અંગે થઈ રહેલી ચર્ચાઓના સંદર્ભે સ્પષ્ટ કહી દીધું છે કે ગુજરાતમાં ફ્રી વીજળી આપવાની કોઈ જ યોજના નથી, જો કે તેમણે કહ્યું કે સૂર્યઘર યોજના હેઠળ સોલાર ઊર્જાનો વપરાશ કરીને વીજળીનું બીલ જરૂર બચાવી શકાય છે.

દિલ્હીમાં સત્તા પરિવર્તન પછી કેજરીવાલે શરૂ કરેલી 'ફ્રી'ની યોજનાઓ હવે કેટલો સમય ચાલુ રહેશે, તે અંગે પણ અટકળો થવા લાગી છે. ભાજપ સરકારની પહેલી જ કેબિનેટમાં મહિલાઓને રૂ. રપ૦૦ ચૂકવવાનો ઠરાવ ન થયો, તેને લઈને પણ ટીકા થવા લાગી છે. 'આપ'ના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી આતિશીએ આ અંગે સવાલો પણ ઊઠાવ્યા છે.

ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોઈ યોજના બંધ નહીં થાય' તેવી વાતો કરી હતી. તેના કારણે હાલ તુરત તો 'ફ્રી'ની યોજનાઓ ચાલતી રહેશે, પરંતુ સમય જતાં તેમાં ફેરફાર થાય, તો નવાઈ જેવું નહી હોય. દિલ્હીમાં પણ હવે સૂર્યઘર યોજનાનો વ્યાપ વધારીને ફ્રી વીજળી ઉપરાંત વધારાની વીજળી વેંચીને આવક ઊભી કરવાની તકો અંગે ત્યાંની જનતાને વિશ્વાસમાં લઈને ધીમે ધીમે ફ્રી વીજળીની યોજના પર પૂર્ણવિરામ મૂકી દેવાની રણનીતિ ઘડાઈ રહી હોવાના સંકેતો રાજકીય અંતરંગ વર્તુળોના માધ્યમથી મળી રહ્યા હોવાનું પણ ચર્ચાય છે. ત્યારે જોઈએ, આગળ શું થાય છે તે...

ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં ઊર્જામંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું કે, રાજ્યમાં વીજળીનું સ્માર્ટ મીટર લગાવવું ફરજિયાત છે. મોબાઈલ ફોનની જેમ જરૂરિયાત મુજબ રિચાર્જ કરાવીને વીજળીનો વપરાશ થઈ શકે અને ઊર્જા બચત થઈ શકે. એટલું જ નહીં, ઠેર-ઠેર જુદી જુદી તરકીબો અજમાવીને થતી વીજચોરી અટકાવવા તથા બાકી બીલોની વસૂલાતની પ્રક્રિયા તથા તેના સંદર્ભે લાંબી ચાલતી કાનૂની કાર્યવાહીઓથી બચી શકાશે, તેવો દાવો પણ સરકારે કર્યો છે, જેની સામે વિપક્ષના નેતાઓએ સવાલો ઊઠાવ્યા છે.

ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે આરોપ લગાવ્યો હતો કે સાદા મીટરથી લોકોને ફાયદો હતો, પરંતુ સ્માર્ટ મીટર લગાવાશે, તો લોકોને વીજળીનું બીલ વધુ ભરવું પડશે. તેમણે એવો આરોપ પણ લગાવ્યો છે કે સરકારે વગરવિચાર્યે અને કોઈપણ પૂર્વ આયોજન વગર કરોડો રૂપિયાના સ્માર્ટ મીટર ઉતાવળે ખરીદી લીધા છે, તેથી હવે સરકાર ઘરવપરાશની વીજળી માટેના વર્તમાન મીટરો બદલાવીને 'ધરાર' નવા સ્માર્ટ મીટરો લગાવવાની જીદ પકડી રહી છે.

જો કે, ઊર્જા વિભાગના વર્તુળો તથા ટેકનિકલ જાણકારો સ્માર્ટ મીટર વીજકંપની તથા ગ્રાહકો-બન્નેને લાભકર્તા હોવાનો અભિપ્રાય વ્યક્ત કરી રહ્યા છે. વીજળીના બીલો ભરવા કતારોમાં ઊભવું પડે અને તેના માટે વધારાનો ટાઈમ કાઢવો પડે, તે ઝંઝટમાંથી પણ ગ્રાહકોને મુક્તિ મળશે. સરકારને પણ એડવાન્સ મીટરિંગ સિસ્ટમના કારણે વીજપુરવઠાની માંગને અનુરૂપ પુરવઠો જાળવવાનું આયોજન કરવામાં સરળતા રહેશે, અને એક તરફ વીજકંપનીની આવક વધશે, તો બીજી તરફ ગ્રાહકોને પણ ફાયદો થશે, તેમ જણાવાઈ રહ્યું છે.

સ્માર્ટ મીટર ફરજિયાત હોવાના ઊર્જા મંત્રીના નિવેદન પછી જામનગર સહિતના કેટલાક શહેરોમાં વિરોધ થઈ રહ્યો હતો, ત્યાં આ મુદ્દે કોઈ આંદોલન થાય કે સામૂહિક રજૂઆતો થાય કે પછી અદાલતના દ્વાર ખખડાવાય, તેવી સંભાવનાઓ ઉપરાંત જ્યાં અત્યાર સુધી વિરોધ થઈ રહ્યો નહોતો, તેવા શહેરો તથા ગ્રામ્ય વિસ્તારોમાં પણ ગણગણાટ શરૂ થઈ ગયો હોવાના અહેવાલો પણ હવે આવવા લાગ્યા છે. એકંદરે રાજ્ય સરકારે કાં તો સ્માર્ટ મીટર મરજિયાત રાખવા જોઈએ, અથવા લોકોની શંકાઓ દૂર કરવી જોઈએ, ખરૃં ને?

ગુજરાતમાં વીજલાઈનો બિછાવાઈ, તે સમયે તો દેશી મીટરો હતાં. લાંબો સમય ચકરડીવાળા વીજમીટરો વપરાયા, અને તેમાં ચેડા કરીને વીજચોરીની બદી વધવા લાગી, તે પછી ડિજિટલ મીટરો આવ્યા. છેલ્લા બે-અઢી દાયકાથી ડિજિટલ મીટરો વપરાય છે, પરંતુ તે પણ તદ્ન ફૂલપ્રૂફ પૂરવાર થયા નથી, અને તેમાં પણ ચેડાં કરીને અવનવી તરકીબો દ્વારા વીજચોરી થતી જ રહી છે, તે ઓપન સિક્રેટ છે. તેથી હવે નવા સ્માર્ટ વીજમીટરો તદ્ન ફૂલપ્રૂફ હશે અને તેના સંપૂર્ણ અમલ પછી પણ વીજચોરો કોઈ નવી તરકીબ શોધી નહીં કાઢે, તેની કોઈ ગેરંટી ખરી? તે ઉપરાંત 'લંગારિયા' નાંખીને વીજળીનું 'અપહરણ' કરી લેતા વીજચોરોને તો કોઈપણ પ્રકારનું મીટર ક્યાં નડવાનું છે?

વિધાનસભામાંથી શરૂ થયેલી વીજસ્માર્ટ મીટરોની ચર્ચા હવે જ્યારે રાજ્યવ્યાપી બની રહી છે, ત્યારે આ મુદ્દે સરકાર કેવું વલણ અપનાવે છે, તે જોવું રહ્યું, ખરૃં કે નહીં ?...

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ગુજરાતનું બજેટ નિરાશાજનક? હાલાર-સૌરાષ્ટ્રને શું મળ્યું? માતૃભાષા દિને જ કોણે કર્યા ધરણાં?

 ગઈકાલે ગુજરાતનું વર્ષ ર૦રપ-ર૬ નું જે બજેટ રજૂ થયું, તેના મિશ્ર પ્રત્યાઘાતો પડી રહ્યા છે. શાસક પક્ષ બજેટના વખાણ કરે અને વિપક્ષ ખામીઓ વર્ણવે, તે તો સ્વાભાવિક ગણાય, પરંતુ તટસ્થ વિવેચકો, વિશ્લેષકો તથા જુદા જુદા ક્ષેત્રોના તજજ્ઞો-તદ્વિષયક નિષ્ણાતો દ્વારા તર્કબદ્ધ રીતે બજેટની ખૂબીઓ અને ખામીઓ વર્ણવવામાં આવે, તે વધુ વિશ્વસનિય તથા વિચારપાત્ર ગણાય, ખરૃં કે નહીં.?

રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગઈકાલે રૂ. ૩.૭૦ લાખ કરોડનું બજેટ રજૂ કર્યું, તેમાં રાજ્યની જનતાને શું લાભ થયો અને વ્યાપાર-ઉદ્યોગને આ બજેટની કેવી અસરો થશે તે અંગે પડી રહેલા મુખ્ય પ્રત્યાઘાતો જોઈએ તો નાણામંત્રીએ ઉદ્યોગ-વ્યાપાર કે આમ જનતાને સીધો ફાયદો થાય, તેવી બહુ જોગવાઈઓ કરી નથી, પરંતુ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારો તથા સ્ટેમ્પ ડ્યુટીમાં સુધારા-વધારા અને કેટલીક નગરપાલિકાના અપગ્રેડેશનની જાહેરાતોને આવકાર પણ મળી રહ્યો છે.

આમ તો જીએસટી અમલી બન્યા પછી રાજ્ય સરકારો (કેન્દ્ર સરકાર) પાસે કરવેરાના ધારાધોરણો નક્કી કરવાના મહત્તમ વિષયો રહ્યા જ નહીં, પરંતુ જીએસટીમાં સમાવિષ્ટ ન થયા હોય, તેવા કરવેરા તથા ચાર્જીસ ઉપરાંત લોક-સુવિધાના કામો, જનકલ્યાણની યોજનાઓ અને નીતિવિષયક બાબતોમાં રાજ્યના બજેટની જનજીવન તથા માર્કેટ પર પ્રત્યક્ષ તથા પરોક્ષ અસરો પડતી જ હોય છે, તે ઉપરાંત રાજ્ય સરકારનું બજેટ ઘણી વખત રાજકીય રીતે શાસક પક્ષને પણ લાભદાયક બનતું હોય છે, તે ઓપન સિક્રેટ જ છે ને?

સામાન્ય રીતે બજેટ આખા રાજ્યનો સમતોલ વિકાસ થાય, તમામ વર્ગો, પ્રદેશો તથા વયજુથોને સમાન ધોરણે ફાયદો થાય તથા ખૂટતી સુવિધાઓની પૂર્તિ થાય અને વિકાસની ગતિ વધુ વેગીલી બને તેવા કોન્સેપ્ટ સાથે રજૂ થતું હોય છે, પરંતુ ઘણી વખત આગામી ચૂંટણીઓમાં લાભ થાય, તે પ્રકારના ગણિત માંડીને પણ બજેટમાં કેટલીક જોગવાઈઓ થતી હોય છે, ખરૃં કે નહીં?

બજેટ રજૂ થાય, એટલે આપણાં વિસ્તારને તેમાંથી શું શું મળ્યું છે, તેની ચર્ચા પણ થતી જ હોય છે. કનુભાઈ દેસાઈએ રજૂ કરેલા બજેટમાં રાજ્યની ૬૯ નગરપાલિકાઓના અપગ્રેડેશનની જોગવાઈ કરવામાં આવી છે, તેમાં ખંભાળિયા અને દ્વારકા નગરપાલિકાઓનો સમાવેશ કરાયો છે. બજેટમાં રૂ. ૯૩ હજાર કરોડથી વધુના ખર્ચે ૧૧૧૦ કિલોમીટરના જે નવા એક્સ્પ્રેસ-વે બનવાની જોગવાઈ છે, તેમાં ર૧૦ કિલોમીટરના રાજકોટ-દ્વારકા લીંક એક્સપ્રેસ-વે માટે રૂ. ૧૭ હજાર કરોડથી વધુની મહત્તમ જોગવાઈ કરવામાં આવી છે. તે ઉપરાંત ટુરિઝમ તથા કૃષિ-સિંચાઈને લગતી કેટલીક જોગવાઈઓ તથા નાના અને મધ્યમ કદના ઉદ્યોગો માટે ૩૪૦૦ કરોડની જોગવાઈનો પરોક્ષ ફાયદો હાલાર સહિત સમગ્ર સૌરાષ્ટ્રને થવાનો છે. તે ઉપરાંત મત્સ્યોદ્યોગ વિકાસના ક્ષેત્રે રૂ. ૧૬રર કરોડની જોગવાઈનો ફાયદો પણ જે માછીમારોને થશે, જેમાં મહત્તમ માછીમારો હાલાર સહિત સૌરાષ્ટ્રના હશે.

જો કે, વિપક્ષોએ ગુજરાતના બજેટથી સામાન્ય જનતા કે ઉદ્યોગ-વ્યાપારને કોઈ લાભ થવાનો નથી, તેમ જણાવીને કનુભાઈ દેસાઈના બજેટને દિશાહીન અને નિરાશાજનક ગણાવ્યું છે. એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે ચૂંટણીલક્ષી ગણતરીઓ રાખીને આ વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાની સરકારે તત્પરતા દેખાડી છે, અને શહેરી વિસ્તારો માટે ૪૦ ટકા વધુ ફાળવણી કરાઈ છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારોને અન્યાય કરાયો છે. મોટી મોટી વાતો કર્યા પછી સ્ટાર્ટ-અપ માટે અપેક્ષા મુજબની જોગવાઈ કરાઈ નથી. સેમિકન્ડક્ટરના સેમિનારો યોજાય, તેમાં મોટા મોટા ભાષણો અને દાવાઓ કરવામાં આવે, પરંતુ બજેટમાં સેમિકન્ડક્ટરને રાજ્ય કક્ષાએ પ્રોત્સાહન મળે તેવી કોઈ જોગવાઈ કરાઈ નથી. ટેક્સટાઈલ ઉદ્યોગ અને ફાર્મા સેક્ટરને પણ આ બજેટમાંથી નિરાશા જ હાથ લાગી છે, વગેરે...

જો કે, કેટલીક જોગવાઈઓને લોકોનો આવકાર પણ મળી રહ્યો છે. જેમાં પ્રાકૃતિક ખેતી માટે રૂ. ૪૦૦ કરોડ, આવાસ યોજનાના લાભાર્થીને રૂ. પ૦ હજાર જેટલી વધુ સહાયની જોગવાઈ, કૃષિ યંત્રો માટે રૂ. ૧પ૦૦ કરોડની જોગવાઈ, નવી સખી સહાય યોજના, ચાર ડિવિઝનમાં એ.આઈ હબ, બાળપોષણની જોગવાઈમાં વધારો, ગુજરાત વહીવટી સુધારણા પંચની રચના, રૂ. પ૦ હજાર કરોડનું 'વિકસિત ગુજરાત' ફંડ, પાંચ રિજિયોનલ ગ્રોથ હબ, બે નવા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ-વે તથા ડઝનેક હાઈ-સ્પીડ કોરિડોર તથા કેટલાક ટુરિઝમ ડેવલ્પમેન્ટ પ્રોજેક્ટોની જાહેરાતોને લઈને એકંદરે પોઝિટિવ પ્રત્યાઘાતો સામે આવી રહ્યા છે.

બીજી તરફ માતૃભાષા દિનની ઉજવણીની સાથે સાથે ગુજરાત હાઈકોર્ટમાં અંગ્રેજી ઉપરાંત ગુજરાતી ભાષાના ઉપયોગને લઈને માંગણી વધુ તીવ્ર બની રહી છે, અને વકીલો દ્વારા ધરણાં જેવા કાર્યક્રમો અપાઈ રહ્યા છે, ત્યારે આ જટિલ મુદ્દે ઉભય પક્ષે વ્યવહારૂ ઉકેલ લાવવાના પ્રયાસો થાય, તેવું ઈચ્છીએ...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

નગરના બજેટમાં કરબોજ વધ્યો, આજે સ્ટેટ બજેટ પર નજર, ગવર્નર સ્પીચ સાથે સત્રનો પ્રારંભ, હવે શું?

આજે ગુજરાત વિધાનસભામાં રાજ્યનું વર્ષ ર૦રપ-ર૬ નું અંદાજપત્ર રજૂ થયું. તે પહેલા ગઈકાલે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના પ્રવચન સાથે બજેટ સત્રનો પ્રારંભ થયો હતો, અને તે સમયે કોંગ્રેસના ધારાસભ્યોએ પરિસરમાં જ સરકાર વિરોધી દેખાવો કર્યા હતાં. આજે રાજ્ય સરકારના બજેટના પ્રત્યાઘાતો આવવાના શરૂ થાય, તે પહેલા જ કેટલાક અંદાજો તથા ધારણાઓ પણ બહાર આવી હતી, 'હવે શું?'

આ પહેલા ગઈકાલે જામનગર મહાનગરપાલિકાનું બજેટ મંજુર થયું અને તેમાં જામનગરની જનતા પર લગભગ સાડાચાર કરોડ જેવો કરબોજ વધારી દેવામાં આવ્યો, તેના પણ ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે.

જામ્યુકોના વર્ષ ર૦રપ-ર૬ ના રૂ. ૧૮૧૯ કરોડ જેટલી રકમના બજેટમાં રૂ. ૧પર૬ કરોડનો ખર્ચ સૂચવાયો છે, અને વોટર ચાર્જ, કચરા કલેક્શન કર તથા ટાઉનહોલના ભાડામાં વધારો કરીને નગરજનો પર રૂપિયા સવાસાત કરોડનો નવો કરબોજ લાદી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત જનરલ બોર્ડમાં નવું સ્મશાન, સુભાષ માર્કેટ મરામત, શ્વાનનું ખસિકરણ, રખડતા ઢોર, વરસાદી પાણીના વોંકળા, રમતગમતનું મેદાન, જન્મ-મરણના દાખલા, એનિમલ હોસ્પિટલ, તળાવ-બગીચાઓમાં ફ્રી એન્ટ્રી વગેરે મુદ્દે વિપક્ષના કોર્પોરેટરોએ તડાપીટ બોલાવી હતી, અને મનપાના તંત્ર દ્વારા કેટલાક જવાબો અપાયા હતાં, પણ 'હવે શું?'

આજે ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જે બજેટ રજૂ કર્યું છે, તેના પર વિધાનસભામાં વ્યાપક ચર્ચા-પરામર્શ થશે. વિધાનસભામાં રાજ્યપાલના સંબોધન પર પણ ચર્ચા થશે, અને બજેટની પૂરક માંગણીઓ માટે પણ વિધાનસભાની બે બેઠકો યોજાશે. બજેટ સત્રની ૧ર બેઠકોમાં બજેટ પર ચર્ચા અને મતદાન પછી વર્ષ ર૦રપ-ર૬ ના બજેટને આખરી ઓપ મળશે, અને આ અંદાજપત્ર વર્ષ ર૦રપ-ર૬ ના પ્રારંભે પહેલી એપ્રિલ ર૦રપ થી લાગુ થશે. આજે રજૂ થયેલું અંદાજપત્ર આપણી સામે જ છે. વર્ષ ર૦ર૪-રપ માં રૂ. ૩.૩ર લાખ કરોડનું બજેટ રજૂ થયું અને કોઈ નવા કરવેરા નાંખ્યા નહોતાં. આજે બજેટ રજૂ થયા પછી પણ એવો સવાલ ગૂંજી રહ્યો હતો કે 'હવે શું?'

ગઈકાલે વિધાનસભાના બજેટસત્રને સંબોધતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાબેતામુજબ રાજ્ય સરકારની પ્રશંસા કરી અને સિદ્ધિઓ વર્ણવી. ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિના ઉત્કર્ષ માટેના 'જ્ઞાન' સૂત્રનો ઉલ્લેખ કરીને રાજ્યપાલે વર્ષ ર૦ર૭ સુધીમાં વિકસિત ગુજરાતનો રોડમેપ રજૂ કર્યો હતો. તે ઉપરાંત રાજ્યમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટાસ્કફોર્સની રચના, વિકાસ પ્રોજેક્ટો, સુશાસન દિવસ, ટેકનોલોજી ડ્રિવન ગવર્નન્સ અને સામાજિક-આર્થિક વિકાસની ગતિશીલતા માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી.

સામાન્ય રીતે રાજ્યપાલની સ્પીચ રાજ્ય સરકારના તંત્ર દ્વારા તૈયાર થતી હોય, કે તંત્રે આપેલા ડેટા આધારિત હોવાથી તેમાં રાજ્યનું ફૂલગુલાબી ચિત્ર રજૂ થાય, તે સ્વાભાવિક છે અને તેમાં ઓફિશ્યલ ડેટાનો આધાર લેવાતો હોવાથી કેટલીક તથ્યપૂર્ણ હકીકતો પણ સામેલ હોય છે, પરંતુ કેન્દ્રિય નીતિ આયોગના તાજેતરના એક રિપોર્ટે કેટલીક બાબતોમાં થયેલા મોટા મોટા દાવાઓની પોલ પણ ખોલી નાંખી છે.

કેન્દ્રિય નીતિ આયોગે વર્ષ ર૦ર૩ ના ડેટા પર આધારિત તાજેતરમાં જ જાહેર કરેલા ફિસ્કલ હેલ્થ ઈન્ડેક્સ-ર૦ર૪ ના રિપોર્ટ મુજબ ગુજરાત એક અંક પાછળ ધકેલાયું છે, અને નાણાકીય વ્યવસ્થાપનની દૃષ્ટિએ ગુજરાતનો સ્કોર બે ટકા જેટલો ઘટ્યો છે, અને ગુજરાત દેશના ૧૮ મોટા રાજ્યોમાં પાંચમા નંબરે હતું, તેમાંથી છઠ્ઠા ક્રમે ધકેલાયું છે. બજેટ ટાણે જ બહાર આવેલી આ હકીકત રાજ્યની કથળેલી અર્થવ્યવસ્થા દર્શાવે છે. વર્ષ ર૦૧૪-૧પ થી વર્ષ ર૦૧૮-૧૯ ના સમયગાળાની તુલનામાં વર્ષ ર૦૧૪-૧પ થી વર્ષ ર૦ર૧-રર ના સમયગાળામાં ગુજરાતનો રેન્ક ઘટ્યો હતો, પરંતુ વર્ષ ર૦રર માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી પછીનો તુલનાત્મક રેન્ક હવે વર્ષ ર૦ર૬-ર૭ માં નક્કી થશે, પરંતુ અત્યારે ગુજરાતની પીછેહઠ દર્શાવાઈ રહી હોવાથી એવો સવાલ ઊઠે છે કે હવે શું?

કેન્દ્ર સરકારે રજૂ કરેલા બજેટમાં મધ્યમવર્ગ તથા નોકરિયાતોને ફાયદો થયો, પરંતુ ટ્રમ્પે રોન કાઢી અને કહી દીધું કે ભારત પૈસાવાળું છે, તેને સહાયની જરૂર જ નથી. તેમણે ટેરિફ તથા ગેરકાયદે રહેતા ભારતીયોની અપમાનજનક હકાલપટ્ટીના મુદ્દે પણ ભારત માટે કોઈ પ્રકારનું કુણુ વલણ અપનાવ્યું નથી, તેથી સવાલો ઊઠ્યા છે અને ભારતની વિદેશનીતિની આલોચના પણ થવા લાગી છે, તેથી સવાલ ઊઠે છે કે, હવે શું?

દિલ્હીની જનતાએ તો ભાજપને જનાદેશ આપ્યો, પરંતુ મુખ્યમંત્રી નક્કી કરતા ભાજપને વાર લાગી અને તેની ટીકા પણ થઈ. હવે દિલ્હીના મુખ્યમંત્રી તરીકે રેખા ગુપ્તાએ શપથ લીધા પછી તેની સામે પડકારો વધવાના છે, તો બીજી તરફ આમ આદમી પાર્ટીમાં હતાશા છે, અને કોંગ્રેસ પણ કેજરીવાલની વિદાયથી ખુશ છે, પરંતુ દિલ્હી ભાજપમાં બધું બરાબર નહીં હોવાના અહેવાલો વચ્ચે દિલ્હીમાં એલ.જી. (લેફટનન્ટ ગવર્નર) ની મનમાની ચાલશે કે નહીં તેવા સવાલો ઊઠ્યા છે, તેથી દિલ્હીમાં ત્રિપાંખિયો જંગ ખેલેલા ત્રણેય રાજકીય પક્ષોમાં પણ 'હવે શું થશે?' એવો સવાલ જ ગૂંજી રહ્યો છે. ટૂંકમાં દ્વારકાથી દિલ્હી સુધી અને નગરથી નેશન સુધી રાજકીય હલચલ વચ્ચે બજેટની મોસમ છે, ત્યારે જ ચોતરફ એક જ સવાલ ગૂંજી રહ્યો છે કે, 'હવે શું?...'

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

પરિણામોનું પોસ્ટમોર્ટમ... સોનાની થાળીમાં, લોઢાની મેખ...

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં રાજ્યભરમાં ભારતીય જનતા પક્ષનો સપાટો બોલ્યો અને હાલારની ૬ માંથી પ નગરપાલિકા ભાજપે જીતી લીધી, તેથી સ્વાભાવિક રીતે જ ભાજપમાં ઉત્સાહનો માહોલ છે, તો બીજી તરફ આટલી ઝળહળતી સફળતા મળ્યા પછી રાષ્ટ્રીય નેતાગીરીએ પણ ગુજરાતની જનતાનો આભાર માન્યો છે. આ ઘટનાક્રમની સાથે જ પ્રદેશ ભાજપ પ્રમુખ અને કેન્દ્રિય મંત્રી સી.આર. પાટીલે જે સંકેતો આપ્યા છે, તે જોતા ટૂંક સમયમાં તેના સ્થાને ગુજરાતના નવા પ્રદેશ પ્રમુખ નિમાશે, તે નક્કી છે, પરંતુ તે કોણ હશે? તે અંગે તો માત્ર અટકળો જ કરવી રહી.

'સોનાની થાળીમાં લોઢાની મેખ'ની કહેવતની જેમ ભાજપ માટે દેવભૂમિ દ્વારકા જિલ્લાની સલાયા અને પોરબંદર જિલ્લાની કુતિયાણા-રાણાવાવ નગરપાલિકાઓમાં ભારતીય જનતા પક્ષને જબરો ઝટકો પણ લાગ્યો છે. સલાયામાં કોંગ્રેસનો પંજો પડ્યો, અને વિપક્ષમાં પણ આમ આદમી પાર્ટીને જનાદેશ મળ્યો. એટલું જ નહીં, ભાજપને એક પણ બેઠક મળી નહીં, તેથી હાલારમાં અન્યત્ર ભાજપને થયેલી સફળતા ઝંખવાઈ ગઈ અને ચંદ્રમામાં દેખાતા ડાઘની જેમ આ નગરપાલિકા રાજ્યવ્યાપી ચર્ચાનું કેન્દ્ર બની ગઈ, તેના કારણો પણ 'ઓપન સિક્રેટ' જ છે ને? કેટલાક સ્થળે વિપક્ષની આ સફળતાની ઉજવણી બુલડોઝર અને જેસીબીમાં (જોખમી ઢબે) ચડીને કરાઈ, તે શું સૂચવે છે?... સમજદાર કો ઈશારા બહોત...

આ વખતે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં કેટલીક બેઠકો બસપાને પણ મળી છે, જ્યારે દિલ્હીમાં પછડાટ પછી ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મળેલી કેટલીક બેઠકોના કારણે થોડી રાહત તે પાર્ટીને પણ થઈ જ હશે, પરંતુ ભાજપ અને કોંગ્રેસની લડાઈમાં ફાવી ગયેલા પ્રાદેશિક પક્ષોના કારણે વિપક્ષની હાજરી તો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં રહેશે, તેવું માનીને ઘણાં લોકો મન પણ મનાવી રહ્યા છે.

જો કે, સૌરાષ્ટ્રમાં સાયકલ દોડી અને કુતિયાણા-રાણાવાવમાં સમાજવાદી પાર્ટીને સત્તા મળી, તેથી કોંગ્રેસ પણ ખુશ હશે. સલાયા અને કુતિયાણા-રાણાવાવમાં ભાજપને લાગેલો જબરો ઝટકો આજે સૌથી વધુ ચર્ચામાં છે, અને આ સફળતાઓની પાછળ કાંધલ જાડેજા તથા વિક્રમભાઈ માડમની રણનીતિ કામ કરી ગઈ હોવાની ચર્ચા પણ ન્યૂઝ ચેનલો તથા મીડિયામાં થઈ રહી છે.

એવું કહેવાય છે કે કુતિયાણા અને રાણાવાવની સફળતા માટે કાનાભાઈ જાડેજાએ પોતાના મોટાભાઈ કાંધલ જાડેજાને યશ આપ્યો છે, તે નક્કર હકીકત છે. અખિલેશ યાદવ કે સમાજવાદી પાર્ટીને નહીં પણ આ નગરોમાં વ્યક્તિગત રીતે કાંધલ જાડેજા જ જીત્યા છે, અને તેની આ લોકપ્રિયતાના કારણો પણ અલગથી ચર્ચાઈ રહ્યા છે, અને આ સફળતાને કેટલાક વિશ્લેષકો ભાજપની લાંબાગાળાની ચતૂરાઈભરી રણનીતિ પણ ગણાવી રહ્યા છે.

સૌરાષ્ટ્રમાં ભાજપે ૩૦ માંથી ર૬ નગરપાલિકામાં વિજયનો વાવટો ફરકાવ્યો, પરંતુ જ્યાં પરાજય થયો, ત્યાં હારી જવાના કારણોનું ભાજપ પોસ્ટમોર્ટમ કરશે, એવું પણ બની શકે કે કોંગ્રેસે કેટલાક સ્થળે સબળ અપક્ષો તથા સાથીદાર વિપક્ષના ઉમેદવારોને જીતાડ્યા. ગુપ્ત સમજુતિ કરી હોય, તેવી જ રીતે ભાજપે પણ કુતિયાણા-રાણાવાવમાં લાંબાગાળાની રણનીતિના ભાગરૂપે 'મોટું મન' રાખ્યું હોય!

કેટલાક જમીની તજજ્ઞો-વિચારકોના મંતવ્યો એવા પણ છે કે પોરબંદરની લોકસભા બેઠક મટે ભાજપ પાસે કોઈ સ્થાનિક સક્ષમ નેતા નહીં હોવાથી પડોશી જિલ્લાઓ કે અન્ય સ્થળેથી આયાતી ઉમેદવારો મૂકવા પડે છે. આ સમસ્યા દૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂર કરવા સ્થાનિક કક્ષાએ 'દિગ્ગજ' અને લોકપ્રિય ચહેરો સ્થાપિત કરવાના આશયથી ભાજપના ચાણક્ય નેતાએ કોઈ ઊંડી રણનીતિ ઘડી હોય, આવું તારણ કાઢવા પાછળનો તર્ક એવો રજૂ થઈ રહ્યો છે કે કાંધલ જાડેજાએ એનસીપીના ધારાસભ્ય હોવા છતાં ભાજપ તરફી ઝોક રાખ્યો છે, તેથી સમાજવાદી પાર્ટીના નિશાન પર કાંધલ જાડેજાને સપોર્ટ કરીને તથા તેના ભાઈને સુધરાઈ કક્ષાનું પ્લેટફોર્મ આપીને ભાજપે બાબુભાઈ બોખિરિયા તથા અર્જુનભાઈ મોઢવાડિયા જેવા દિગ્ગજ નેતાઓને પરોક્ષ રીતે કોઈ 'સંદેશ' પણ આપ્યો હોઈ શકે છે. ગઈકાલે પરિણામો પછી કાંધલ જાડેજાનું કથિત ભાજપ તરફી નિવેદન પણ ચર્ચામાં જ છે ને?

સમગ્ર સૌરાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપનો પ્રચંડ વિજય થયો હોવા છતાં સૌથી વધુ ચર્ચા સલાયા, રાણાવાવ અને કુતિયાણાની થઈ રહી છે, જ્યારે જામજોધપુરમાં ત્રિપાંખિયા જંગમાં આમ આદમી પાર્ટીને ફાયદો થશે, તેવી અટકળો પણ ખોટી પડી છે. એકંદરે આ તે વખતે જનતાએ ક્યાં કોને જીતાડવા, ક્યાં કોને હરાવવા અને ક્યાં કોને પછાડવા (અને એક પણ બેઠક ન જીતવા દેવી) તે અંગે પહેલેથી જ મન બનાવી લીધું હતું, તેમ નથી લાગતું?

હવે વિજયના મદમાં કે સત્તાના ઘમંડમાં રાચવા બદલે મળેલા જનાદેશ મુજબ જ્યાં જેને જનાદેશ મળ્યો છે, તે પક્ષો અને ઉમેદવારોએ સક્રિય અને લોકલક્ષી અભિગમ સાથે લાગી જવું જ પડશે, કારણ કે જો છેતરાયા હોવાની અનુભૂતિ થશે, તો મતદારો આગામી વિધાનસભાની ચૂંટણીમાં 'મન' અને 'મત'  બન્ને બદલી નાંખશે... સાવધાન!!

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ફીર વોહી રફ્તાર...!! સ્થાનિક સ્વરાજ્યમાં ભાજપને જનાદેશઃ સલાયા સહિતના કેટલાક અપવાદઃ કોંગ્રેસનું ધોવાણ...

આજે હાલાર સહિત રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે અને ચિત્ર સ્પષ્ટ થવા લાગ્યું છે. સ્વાભાવિક રીતે જ જેનો વિજય થાય, તે ખુશ થાય અને તેના સમર્થકો-કાર્યકરો દ્વારા વિજયના વધામણા થાય અને જેનો પરાજય થયો હોય ત્યાં થોડી નિરાશા વ્યાપે, પરંતુ આપણે ત્યાં લોકશાહી એટલી પૂખ્ત થઈ છે કે પરાજય પછી હારેલા ઉમેદવારો (મોટાભાગે) વિજયી બનેલા ઉમેદવારોને અભિનંદન આપે અને પોતે જનસેવા કરતા રહેશે તેવા પ્રતિભાવો આપે. કેટલીક વખત અપવાદરૂપ આક્ષેપો-પ્રતિઆક્ષેપોનો દોર પણ ચાલતો હોય છે.

મતદાન પૂર્ણ થયા પછી ઘણી બધી અટકળો થઈ હતી, અંદાજો કરાયા હતાં અને ગણિત મંડાયા હતાં. આજે પરિણામો આવ્યા પછી નવેસરથી ગણિત મંડાશે અને નવા સમિકરણો પણ કેટલાક સ્થળે રચાશે. મુખ્યત્વે દ્વિપક્ષિય મુકાબલો હોવા છતાં કેટલાક સ્થળે સબળ અપક્ષ ઉમેદવારો તથા અન્ય રાજકીય પક્ષોએ પણ ઝંપલાવ્યું હોવાથી ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ ઘણી જ મહેનત પણ કરવી પડી હતી, અને આજે આવી રહેલા પરિણામો આપણી સામે જ છે ને?

આજે વિજય મેળવ્યા પછી હવે વિજેતા ઉમેદવારોએ પહેલેથી જ સક્રિયતાથી કામે લાગી જવું પડશે અને ચૂંટણીપ્રચાર દરમિયાન કરેલા વાયદાઓ પૂરા કરવામાં લાગી જવું પડશે. જો આ વખતે મતદારોને છેતરાયા હોવાનો અહેસાસ થશે, તો બે વર્ષ પછી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેના પડઘા પડશે અને ગુજરાત લેવા જતા હવેલી ખોવા જેવો ઘાટ સર્જાશે, તેથી બી કેર ફૂલ...

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મોટાભાગે સ્થાનિક મુદ્વાઓ પ્રભાવી રહેતા હોય છે, અને સ્થાનિક કક્ષાની એન્ટી-ઈન્કમબન્સી કે પ્રો-ઈનકમ્બન્સીની પણ અસર થતી હોય છે, તે ઉપરાંત રાજકીય પક્ષોની આંતરિક ખેંચતાણ તથા ભાઈ-ભત્રીજાવાદ તથા ઘણી વખત સ્થાપિત હિતો પણ ભૂમિકા ભજવતા હોય છે, તેથી આ ચૂંટણીઓ વિધાનસભા અને લોકસભની ચૂંટણીઓથી થોડી ભિન્ન હોય છે, જો કે 'ત્રિપલ એન્જિનની સરકાર'વાળો નારો સૌથી વધુ કામ કરી ગયો હોય, તેમ જણાય છે.

આજે પરિણામો આવ્યા પછી પંચાયત-પાલિકાઓમાં જેને સત્તા મળે, તેની જવાબદારી એટલા માટે પણ વધી જવાની છે કે જનાદેશ મળ્યા પછી નગરો-ગ્રામ્ય વિસ્તારોમાં સ્થાયી સમસ્યા ઉપરાંત કેટલીક નવી ઊભી થયેલી સમસ્યાઓ તથા લોકોમાં ઊભી થયેલી નવી આકાંક્ષાઓની પૂર્તિ માટે પણ નવા પડકારો ઊભા થવાના છે. એટલું જ નહીં, ચૂંણી સમયે લોકોને આપેલા વચનો પૂરા કરવા માટે મહેનત પણ કરવી જ પડશે, ખરૃં કે નહીં?

આજે હાલારની ૬ નગરપાલિકાની ચૂંટણીનું પણ પરિણામ આવ્યું છે. કેટલીક બેઠકો પર બિનહરિફ પણ જાહેર થઈ હતી. આજે જામજોધપુર, ધ્રોળ, કાલાવડ, દ્વારકા, ભાણવડ અને સલાયા નગરપાલિકાઓ તથા કેટલીક તાલુકા પંચાયતની ખાલી બેઠકોની મતગણતરી પણ થઈ રહી છે. આજે સવારે નવેક વાગ્યાથી મતગણતરી શરૂ થઈ હતી અને બપોર થતા સુધીમાં તો ચિત્ર સ્પષ્ટ પણ થવા લાગ્યું હતું.

આજે મગણતરી શરૂ થઈ ત્યારથી જ પાલિકા-પંચાયતો તથા જૂનાગઢ મહાનગરપાલિકા ઉપરાંત પેટાચૂંટણીઓમાં પણ મહદ્અંશે ભાજપની જ લીડ જોવા મળી રહી હતી, અને કેટલાક સ્થળે કોંગ્રેસ પણ હાજરી નોંધાવી રહી હતી, પરંતુ અત્ર-તત્ર-સર્વત્ર કમળ સોળે કળાએ ખિલી રહ્યું હતું. મતદારોએ ભાજપને ખોબલે-ખોબલે મતો આપ્યા છે, અને જ્યાં ઓછું મતદાન થયું, ત્યાં પણ ભાજપને જ ફાયદો થઈ રહેલો જણાય છે. કેટલાક સ્થળે સપા, બસપા, આપ તથા અન્ય પક્ષોના ઉમેદવારો પણ જીત્યા છે.

જો કે, ભાજપને સલાયા નગરપાલિકા સહિતના કેટલાક સ્થળે ઝટકો પણ લાગ્યો છે. કેટલીક નગરપાલિકાઓમાં કોંગ્રેસને પણ જનાદેશ મળ્યો છે, પરંતુ એકંદરે જોઈએ તો કોંગ્રેસ માટે આ પરિણામો ચિંતાજનક જ નહીં, પરંતુ આત્મચિંતનનો સંકેત આપનારા પણ ગણાય, ખરૃં ને?

કેટલાક સ્થળે ભાજપને લાંબા સમયે જનાદેશ મળ્યો છે, તો ઘણાં સ્થળે અપસેટ અને અપવાદો પણ સર્જાયા છે, પરંતુ એકંદરે સાર્વત્રિક ભાજપનો જ દબદબો રહ્યો છે, જેને વિશ્લેષકો પ્રો-ઈન્કમ્બન્સી નહીં, પરંતુ વિપક્ષોની કમજોરી તથા ગુજરાતમાં જળવાઈ રહેલી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાની ફલશ્રૂતિ ગણાવે છે, જો કે કેટલીક નગરપાલિકાઓમાં બસપા, સમાજવાદી પાર્ટી, આપ અને કોંગ્રેસને મળેલી સરસાઈ તેમાં અપવાદ છે.

હાલારમાં પહેલેથી જ અનુમાનો થઈ રહ્યા હતાં, તે મુજબના પરિણામો આવી રહ્યા છે. જામનગર જિલ્લાની ત્રણ નગરપાલિકા તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાની બે નગરપાલિકાઓમાં ભાજપની વિજયકૂચના પહેલેથી જ અનુમાનો થઈ રહ્યા હતાં, અને સલાયાની સંભાવનાઓ પણ પહેલેથી જ જગજાહેર થઈ ચૂકી હતી.

હવે ટોપ ટુ બોટમ ભાજપનો દબદબો અને 'ત્રિપલ એન્જિનની સરકાર' પર જનતાએ આટલો બધો ભરોસો મૂક્યો છે, ત્યારે ભાજપની જવાબદારી પણ ઘણી વધી ગઈ છે, જો જો... ભરોસાની લાજ રાખજો...હો...

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ફરી એક જીવલેણ દુર્ઘટના... કોંગ્રેસે માંગ્યું રેલવે મંત્રીનું રાજીનામું... હવે શું...?

આજે બહોળા પ્રમાણમાં લોકો ગંગાસ્નાન માટે ત્રિવેણી સંગમ-પ્રયાગરાજ તરફ જઈ રહ્યા છે, અને મહાશિવરાત્રિ સુધીમાં કરોડો લોકો ચારે તરફથી પ્રયાગરાજ તરફ જતા માર્ગો પર જોવા મળવાના છે, ત્યારે માત્ર પ્રયાગરાજ કે ઉત્તરપ્રદેશ સરકાર જ નહીં, પરંતુ પ્રયાગરાજ તરફ જતા દેશભરના મુખ્ય માર્ગો પર તમામ સંબંધિત રાજ્ય સરકારોએ પણ ટ્રાફિક તથા જરૂર પડ્યે તબીબી સુવિધાઓને લઈને પણ વિશેષ પ્રબન્ધો કરવા પડે તેમ છે. એટલું જ નહીં, વાહનચાલકો તથા સ્વયં યાત્રિકોએ પણ વિશેષ સતર્કતા રાખવી જ પડે તેમ છે.

જેમ જેમ મહાશિવરાત્રિ નજીક આવશે, તેમ તેમ માત્ર સડકો, હાઈ-વે, નેશનલ હાઈ-વેઝ જ નહીં, પરંતુ રેલવે તથા હવાઈ માર્ગે પણ ભાવિકો-યાત્રિકો તથા સંલગ્ન સેવાઓ તથા વ્યવસાયોને લગતો ટ્રાફિક ઘણો જ વધવાનો છે, તેને લક્ષ્યમાં લઈને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, રાજ્ય-કેન્દ્ર સરકારો તથા એનજીઓ-સ્થાનિક તંત્રોએ સુદૃઢ સંકલન સાથે સંપૂર્ણ સક્રિયતા સાથે સાવચેતી તથા સુવિધાઓના તમામ કદમ સમયોચિત રીતે તત્કાળ ઊઠાવવા જોઈએ, તેમ નથી લાગતું?

જ્યારે ભીડ ઉભરવા લાગે તેમ હોય, કે મોટી સંખ્યામાં બુકીંગ થતું હોય, ત્યારે ટ્રાવેલ્સ સંચાલકો, સ્ટેટ બસ સર્વિસો, રેલવે તથા એરપોર્ટસ ઓથોરિટીયે પણ સતત સતર્ક રહીને સંચાલન કરવું જોઈએ, અને જરૂર પડ્યે બુકીંગ અટકાવી કે ઘટાડીને પણ જાહેર સલામતી અને સુરક્ષાને પ્રાધાન્ય આપવું જોઈએ.

પ્રયાગરાજના સંગમ ઘાટ તરફ વધુ પ્રવાહ હોવાથી એકાદ-બે દુર્ઘટના સર્જાઈ હતી અને ભાગદોડમાં ઘણાં લોકોના જીવ ગયા હતંુ. જુદા જુદા સમયે નાની-મોટી આગ દુર્ઘટનાઓ પણ થઈ હતી. તે ઉપરાંત રેલવે સ્ટેશનો તથા બસમથકો પર અભૂતપૂર્વ ધસારો વધી રહ્યો હતો, તેમાંથી બોધપાઠ નહીં લેતા દિલ્હીના એક રેલવે સ્ટેશન પર સર્જાયેલી ભાગદોડની ઘટનામાં ૧૮ લોકોના જીવ ગયા, તેનું જવાબદાર કોણ? તેવા પ્રશ્નો ઊઠી રહ્યા છે.

નવી દિલ્હીના રેલવે સ્ટેશન પર થયેલી ભાગદોડની દુર્ઘટનામાં ઘણાં લોકો ઘાયલ પણ થયા છે. રેલવે તંત્રે દુર્ઘટના પછી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ખાલી કરાવીને જે રીતે તત્કાળ 'સફાઈ' કરી અને ભાગદોડ પછી મુસાફરોના વિખરાયેલા સામાન તથા બૂટ-ચંપલને હટાવવા તથા લાંબા સમય સુધી અધિકૃત રીતે તંત્ર કે રેલવે મંત્રી તરફથી કોઈ માહિતી જ અપાઈ નહીં, તેથી લોકોમાં આશંકાઓ પણ વધી હતી અને ગભરાટ પણ વધુ ફેલાયો હતો. રેલવે તંત્રે પોતાની ભૂલ છૂપાવવા કરેલા પ્રયાસોના કારણે સ્થિતિ સામાન્ય થવામાં વાર લાગી હોવાના આક્ષેપો પણ થયા છે.

વિપક્ષોએ પણ હવે આ મુદ્દે મોદી સરકાર પર તડાપીટ બોલાવી છે. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ તો સરકારને આડેહાથ લીધી હતી અને કહ્યું હતું કે મોદી સરકાર સત્ય હકીકતો છૂપાવવાનો પ્રયાસ કરી રહી છે. દિલ્હી રેલવે સ્ટેશન પર ઘણાં લોકોના જીવ ગયા તે દુઃખદ છે. રેલવે સ્ટેશનની આ ઘટનાના વાયરલ થઈ રહેલા વીડિયો જોતા એમ લાગે છે કે સરકાર સાચા આંકડા જાહેર કરી રહી નથી. ઘાયલોની દશા ખરાબ હોવા તથા તેઓને સમયસર સારવાર મળી નહીં હોવાના આક્ષેપો પણ ગઈકાલે થયા હતાં.

એવા તારણો નીકળી રહ્યા છે કે, દિલ્હી રેલવે સ્ટેશને થયેલી ભાગદોડમાં રેલવેના સત્તાધીશોની ઘોર બેદરકારી તથા મિસમેનેજમેન્ટજ જવાબદાર છે. રેલવે સ્ટેશનમાં સંબંધિત પ્લેટફોર્મમાં ક્યાંય પણ પગ મૂકવાની જગ્યા ન હોય, તેમ છતાં જનરલ કોચની સંખ્યાબંધ ટિકિટો આપવી, એ કોઈપણ રીતે તર્કસંગત નહોતું તથા બેકીંગ ઓથોરિટી, રેલવે પોલીસ તથા ટ્રાફિક કંટ્રોલ ઓથોરિટી વચ્ચે કોઈ પ્રકારનું સંકલન જોવા મળ્યું નહોતું. ટ્રેનો મોડી થવી, રદ્ થવી અને પ્રયાગરાજની સ્પેશ્યલ ટ્રેનની જાહેરાત થવી વગેરે મુદ્દે ઊંડી તપાસની જરૂર છે, પરંતુ રેલવેની જ હાઈપાવર કમિટી તટસ્થ તપાસ કરશે ખરી?

ઘોડા છૂટી જાય, તે પછી તબેલાને તાળા મારવાની જેમ આજે પ્રયાગરાજની સ્પેશ્યલ ટ્રેનો ક્યા પ્લેટફોર્મ પરથી ક્યારે ઉપડશે અને મુસાફરોએ ક્યા રસ્તે જવું તેની જાહેરાત (એનાઉન્સીંગ) થઈ રહ્યું છે, પરંતુ આવી જ વ્યવસ્થા પહેલેથી થઈ હોત તો કદાચ ૧૮ જીવ બચી ગયા હોત. રેલવેએ સંબંધિત સ્ટેશનો પર દિવાળી તથા છઠ્ઠના પર્વે જે વિશેષ પ્રબન્ધો થાય છે, તેને અનુસરવાની જરૂર છે, તેમ નથી લાગતું?

હવે કોંગ્રેસે રેલવેમંત્રીનું રાજીનામું માંગ્યું છે અને દિલ્હી દુર્ઘટનાની ઉચ્ચ ન્યાયિક તપાસની માંગણી કરી છે, ત્યારે જોઈએ, હવે શું થાય છે તે...

મહાશિવરાત્રિ સુધી હવે કોઈ દુર્ઘટના ન સર્જાય અને તમામ પરિવહન-સંચાલન અને સંચાલન યોગ્ય રીતે સંપન્ન થાય, તેવું ઈચ્છીએ...

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

કાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન... છેલ્લી ઘડીના મંડાતા ગણિત...

ગુજરાતમાં આવતીકાલે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એટલે કે પાલિકા-પંચાયતોની ચૂંટણી માટે મતદાન થશે, જેમાં જે નગરપાલિકાઓ, તાલુકા-જિલ્લા પંચાયત માટે ચૂંટણી-પેટાચૂંટણી થવાની છે, ત્યાં પ્રચાર-પડઘમ શાંત થયા પછી ડોર-ટુ-ડોર સંપર્ક ઉપરાંત ખાનગી બેઠકોનો દોર પણ ચાલી રહ્યો છે, અને છેલ્લી ઘડીના ગણિત મંડાઈ રહ્યા છે. આ વખતે ચૂંટણીઓમાં કેટલાક સ્થળોને બાદ કરતા બહુ ઉત્સાહ કે રસાકસી જોવા મળતી નથી, તો કેટલીક એવી બેઠકો પણ છે, જ્યાં પ્રતિષ્ઠાનો જંગ હોઈ, રાજ્ય-કેન્દ્રિય કક્ષાના નેતાઓ પણ પ્રચાર પછી ગોઠવણો કરતા જોવા મળ્યા છે.

આવતીકાલે ચાર હજારથી વધુ મતદાન મથકો પર મતદાન થવાનું છે, અને ચૂંટણીતંત્ર સજ્જ છે, અને ચૂસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાઈ રહ્યો છે, ત્યારે ઘણાં સ્થળે એક જ ઉમેદવાર હોવાથી કેટલીક બેઠકો બિનહરિફ પણ જાહેર થઈ છે, એટલે કે ત્યાંના એકમાત્ર ઉમેદવાર બિનહરિફ વિજેતા થયેલા ગણાશે. રાજ્યની ર૬ પાલિકાઓની ૧૬૭ બેઠકો બિનહરિફ જાહેર થેલી છે, અને તેમાં ૧૬ર નિર્વિરોધ ચૂંટાયેલા ઉમેદવારો ભાજપના છે, એક કોંગ્રેસના ઉમેદવાર પણ બિનહરિફ થયા છે, તો ચાર અપક્ષો પણ નિર્વિરોધ ચૂંટાશે. આ બિનહરિફ થતી બેઠકો માટે પણ મતદાન પહેલાની ઘણી જ રસપ્રદ રીત-રસમો અજમાવતી હોય છે, જે ઓપન સિક્રેટ જ છે ને?

વાતાવરણમાં હવે ક્રમશઃ ઠંડી ઘટી રહી છે, અને બપોરે ઉનાળાનો અહેસાસ કરાવે, તેવી ઉષ્ણતા ધીમે ધીમે વધી રહી છે, તો વહેલી સવારે ઝાંકળ પડે છે. ઠેર-ઠેર છવાયેલા ધૂમ્મસના કારણે વાહન-વ્યવહાર તથા રોજીંદુ જનજીવન પ્રભાવિત થાય છે. સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં પણ પ્રારંભમાં ઠંડી (સુસ્તી) પછી છેલ્લા કેટલાક દિવસોથી ગરમી દેખાણી હતી અને હવે મતદાન તથા પરિણામો અંગે અટકળોનું ધુમ્મસ છવાયું છે. આવતીકાલે સૂરજ ઉગશે, મતદાન શરૂ થશે અને ધીમે ધીમે ધુમ્મસ હટી જશે. તા. ૧૮ ફેબ્રુઆરીના મતગણતરી શરૂ થયા પછી ધુમ્મસ તદ્ન હટી જશે અને ચિત્ર સ્પષ્ટ થઈ જશે ખરૃં ને?

આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મોસમનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છ, અને એકંદરે પ્રચાર કાર્ય શાંતિપૂર્વક સંપન્ન થઈ ગયું છે, જો કે પરીક્ષાઓનો માહોલ છે, તે ઉપરાંત ઘણાં લોકો મહાકુંભસ્નાન કરવા પ્રયાગરાજ ગયા છે, મતદાન પર કેટલી અસર પડશે, તે અભ્યાસનો વિષય છે.

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો જંગ જામ્યો છે, અને મતદારોને રિઝવવાના ઉમેદવારોના પ્રયાસ છેલ્લી ઘડી સુધી ચાલી રહ્યા છે, પરંતુ ઘણી બેઠકો પર કાં તો મતદારોમાં ઉત્સાહ જણાતો નથી, અથવા તો એકપક્ષિય મુકાબલો હોય તેમ જણાય છે. કેટલીક નગરપાલિકાઓમાં તો અત્યારથી જ એકપક્ષિય મતદાન થવાનું હોય, તેમ પ્રચારયુદ્ધ બહું થયું નથી, ત્યારે કેટલીક નગરપાલિકાઓમાં ખરાખરીનો જંગ જામવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.

દ્વારકા જિલ્લામાં સલાયા-ભાણવડ ને દ્વારકા નગરપાલિકાઓમાં ખરાખરીનો જંગ છે, જ્યારે સલાયામાં તો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે મુખ્ય સ્પર્ધા હોવાનું કહેવાય છે, જો કે જીતનો દાવો બધા પક્ષો કરતા હોય, તે સ્વાભાવિક છે, પરંતુ આ સ્થાનિક મુદ્દાઓ ઉપરાંત પણ કેટલાક રાજકીય, રાષ્ટ્રીય તથા સંવેદનશીલ મુદ્દાઓ પણ કામ કરી રહ્યા હોય, તેમ જણાય છે. સલાયામાં તો એઆઈએમઆઈએમ એટલે કે ઓવૈસીની પાર્ટીએ પણ ઉમેદવારો ઊભા રાખ્યા છે. સલાયામાં પહેલા કોંગ્રેસનું શાસન હતું, અને પછી વહીવટદારનું શાસન હતું, જેમાં રોડ, પાણી, ગટર, સ્ટ્રીટલાઈટ જેવી સ્થાનિક સ્વરાજ્યોના મુદ્દે પ્રવર્તતો અસંતોષ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે, છતાં બહુપાંખિયો જંગ હોવાનું મનાય છે.

ભાણવડમાં પણ ખરાખરીનો જંગ જામવાનો છે,અને અહીં કેબિનેટમંત્રી મૂળુભાઈ બેરા તથા સાંસદ પૂનમબેન માડમના કાર્યકર જુથો પણ સક્રિય છે. તદુપરાંત મતદારોનો મિજાજ અને ઈન્કમ્બન્સીની ભૂમિકા પણ રહેવાની છે.

દ્વારકાની નગરપાલિકાની ચૂંટણી તો ખુલ્લી કિતાબ જેવી હોય છે, અને ત્યાં ધારાસભ્ય પબુભા માણેક તથા અન્ય સ્થાનિક નેતાગીરીનો પ્રભાવ હંમેશાં દ્વારકા નગરપાલિકા તથા તાલુકા-જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં રહેતો આવ્યો છે.

આમ, સલાયા, ભાણવડ અને દ્વારકા નગરપાલિકાની ચૂંટણીઓમાં બહુપાંખિયો જંગ રહેવાનો છે, પરંતુ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મુખ્ય મુકાબલો છે, જ્યારે સલાયામાં 'આપ' અને ઓવૈસીની પાર્ટીની ભૂમિકા પણ મહત્ત્વપૂર્ણ રહેવાની છે. તમામ સ્થળે એન્ટી-ઈન્કમ્બન્સી કે પ્રો-ઈન્કમ્બન્સીની અસર પણ રહેશે, તેમ જણાય છે.

જામનગર જિલ્લાની ધ્રોળ-કાલાવડ અને જામજોધપુર નગરપાલિકાઓમાં પણ મુખ્ય રાષ્ટ્રીય પક્ષો ઉપરાંત કેટલાક સ્થાનિક પરિબળો તથા પ્રાદેશિક પક્ષો અને અપક્ષોની ભૂમિકા મહત્ત્વપૂર્ણ રહેવાની છે. ધ્રોળ, કાલાવડ અને જામજોધપુર નગરપાલિકાઓમાં પણ કેટલાક પ્રાદેશિક અને રાષ્ટ્રીય કક્ષાની નેતાગીરી પણ સીધો કે પરોક્ષ રીતે રસ લઈ રહી છે. ધ્રોળ નગરપાલિકા માટે પણ કેબિનેટમંત્રી રાઘવજીભાઈ પટેલ તથા સ્થાનિક ધારાસભ્યોના કાર્યકરજુથો સક્રિય છે, જ્યારે કોંગ્રેસ, આપ, સપા-બસપા વિગેરે પાર્ટીઓની નેતાગીરી પણ સક્રિય જણાય છે. જામજોધપુરમાં ધારાસભ્ય હેમતભાઈ ખવાના કાર્યકર જુથો પ્રતિસ્પર્ધી ઉમેદવારોને પરાજીત કરવા પ્રયાસો કરે, તેમાં કેટલી સફળતા મળે, તેના પર ચૂંટણીની ગણતરીઓ મંડાઈ રહી છે. કાલાવડમાં આ વખતે સ્થાનિક મુદ્દાઓને લઈને જ વધુ ચૂંટણી પ્રચાર થયો હતો. અહીં ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાનું ગ્રુપ પણ સક્રિય હશે જ ને?

ટૂંકમાં આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ભરેલા નાળિયેર જેવી છે અને અટકળોનું બજાર ગરમ છે. કેટલાક સ્થળે તીવ્ર રસાકસીના પણ એંધાણ છે, તો કેટલાક સ્થળે ઉમેદવારોને પોતાના વિજયનો વિશ્વાસ દૃઢ છે. જોઈએ હવે...

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ફિફાએ ૮ વર્ષમાં ત્રીજીવાર પાકિસ્તાન ફૂટબોલ ફેડરેશન પર પ્રતિબંધ મૂક્યો.

'જેવા સાથે તેવા'ની નીતિ વ્યવહારમાં ચાલે, વ્યાપારમાં નહીં, પણ...!?

હુંતાશણી-ધૂળેટી પછી ગૃહિણીઓ ઘરમાં 'ઘઉં ભરવા' લાગશે, એટલે કે આખા વર્ષની જરૂરિયાતનો અંદાજ કરીને સારા ઘઉંની વાજબી ભાવે જથ્થાબંધ ખરીદી કરવા લાગશે. આ વર્ષે ઘઉંનું ઉત્પાદન વધવા જઈ રહ્યું છે હોવાથી ઘઉંના ભાવ ઘટશે, તેવી સંભાવનાઓ હતી, પરંતુ તેનાથી ઉલટું થયું છે, અને માર્કેટમાં ઘઉંના ભાવો વધવાના સંકેતો મળી રહ્યા છે.

ગુજરાતમાં ગયા વર્ષની સરખામણીમાં ઘઉંનું ઉત્પાદન સાડાચાર લાખ ટન જેટલું વધ્યું હોવા છતાં ભાવવધારાના સંકેતોએ ગૃહિણીઓની ચિંતા વધારી દીધી છે, તો માર્કેટમાં પણ અનિશ્ચિતતાઓનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં વિવિધ પ્રકારના ઘઉંનું ઉત્પાદન થાય છે, તેમાં પોપટિયા અથવા દેશી ઘઉંનો ભાવ વધુ હોય છે, જ્યારે રાજ્યમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ઘેર-ઘેર રોટલી બનાવવા માટે વપરાતા ટૂકડા ઘઉંના ભાવપર સૌની નજર વધુ રહેતી હોય છે. કૃષિ અને વ્યાપાર ક્ષેત્રના વર્તુળો મુજબ ગઈકાલે ટુકડા ઘઉંના ભાવ ૬૧ર થી ૭ર૬ વચ્ચે સૌરાષ્ટ્રમાં રહ્યા હતાં. આથી પ્રિ-સિઝન ભાવવધારો સામાન્ય પરિવારોની થાળી મોંઘી કરશે, તેની ચિંતા પણ વ્યક્ત થવા લાગી છે.

આજે ગુજરાતથી ગ્લોબ સુધી ભાવો અને ટેરિફની જ ચર્ચા ચાલી રહી છે. ગઈકાલે ડોનાલ્ડ ટ્રમ્પ અને પી.એમ. નરેન્દ્ર મોદી વચ્ચે થયેલી વાટાઘાટો પછી 'ક્યા ખોયા, ક્યા પાયા... અને કોને શું મળ્યું તથા ભારતને ક્યો ફાયદો થયો, તો કઈ બાબતે ટ્રમ્પે ભારત સહિત બ્રિક્સના દેશોને પુનઃ ચેતવણી આપી, તેનું પોસ્ટમોર્ટમ થઈ રહ્યું છે. ટ્રમ્પની 'અમેરિકા ફર્સ્ટ'ની સામે ભારત (મોદી) ના 'નેશન ફર્સ્ટ'ના સૂત્રની ટક્કર પણ જોવા મળી રહી છે, ખરૃંને?

ડોનાલ્ડ ટ્રમ્પે શક્તિવર્ધક સત્તાપ્રાપ્તિ કર્યા પછી અમેરિકા આક્રમક બન્યું છે અને એક પછી એક 'ટ્રમ્પકાર્ડ'નો ખેલ આખી દુનિયાને હચમચાવી રહ્યો છે, ત્યારે પ્રથમ સમયગાળાના ટ્રમ્પ કરતા બીજા તબક્કામાં ટ્રમ્પ કાંઈક અલગ જ જણાઈ રહ્યા છે, જ્યારે ત્રીજી વખત વડાપ્રધાન બનેલા મોદી થોડાક વધારે પડતા 'પ્રેક્ટિકલ' બની ગયા હોય, તેમ નથી લાગતું?

તાજેતરમાં રિસિપ્રોકલ ટેરિફની ચર્ચા વધુ થઈ રહી છે, અને આ શબ્દો ગ્લોબ ટોકનો વિષય પણ બન્યા છે. હકીકતે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અપનાવેલી રિસિ પ્રોકલ ટેરિકની અસરો દુનિયાભરની માર્કેટો તથા વિશ્વના મહત્તમ દેશો સુધી પહોંચી છે, અને ભારત સહિત તમામ દેશો સાથે જો અમેરિકા આ જ પ્રકારની નીતિ અપનાવવાનું હોય તો ટ્રમ્પ-મોદીની દોસ્તી તથા પર્સનલ કેમેસ્ટ્રીનો દેશને શું ફાયદો? તેવો વ્યંગ પણ થઈ રહ્યો છે.

દેશી ભાષામાં ટ્રમ્પની નવી અર્થનીતિને સમજવી હોય તો ગુજરાતી કહેવત 'જેવા સાથે તેવા' અથવા પ્રચલિત સંસ્કૃત સૂત્ર 'શઠમ્ પ્રતિ સાઠયમ્'ના ભાવાર્થ સાથે ટ્રમ્પનીતિને સરખાવી શકાય. ભાવતાલ અને કરવેરાના ક્ષેત્રે ટ્રમ્પની નીતિ એવી છે કે જે દેશ અમેરિકા સાથે જે પદ્ધતિથી વ્યાપાર-વ્યવહારો કરતો હોય, તેઓની સાથે તેવું જ વલણ અપનાવવું. જે દેશો આયાત પર વધુ ટેક્સ લેતો હોય, તે દેશોમાં નિકાસ અને તે દેશોમાંથી આયાત કરવામાં પણ તેવી જ નીતિ અપનાવવી, અને આયાત-નિકાસ વચ્ચેની દ્વિપક્ષીય ગણતરી કરીને ખાધ રહેતી હોય ત્યાં ટેક્સ અથવા ટેરિફ વધારવાની પોલિસી અપનાવવી, તે પ્રકારનો આ કોન્સેપ્ટ માત્ર ભારત નહીં, દુનિયાભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. કેટલાક લોકો એવું પણ માને છે કે, પી.એમ. મોદીનો પ્રભાવ પહેલા જેવો રહ્યો નથી અને ટ્રમ્પ બીજી ટર્મમાં વધુ મજબૂત જણાય છે, જ્યારે મોદી ત્રીજી ટર્મમાં પહેલી ટર્મ જેવા પ્રભાવી જણાઈ રહ્યા નથી, જ્યારે ઘણાં લોકો વિવિધ મુદ્દે મોદી પહેલા જેવા જ સ્પષ્ટ અને મક્કમ જણાયા હતાં. ખુદ ટ્રમ્પે અને મસ્કે પણ વડાપ્રધાન મોદીને ચતૂર નેગોશિએટર ગણાવ્યા હતાં, સાથે સાથે ભારતને બિઝનેસટફ પણ ગણાવી દીધું હતું.

ભારત-અમેરિકા વચ્ચે વર્ષ ર૦૩૦ સુધીમાં વેપાર બમણો કરવો, મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ તહવ્વુર રાણાના પ્રત્યાર્પણની જાહેરાત, ઈસ્લામિક આતંકવાદ સામે સહિયારી લડત, ઊર્જા કરાર, ભારતને યુદ્ધ વિમાનો એફ-૩પ આપવાની જાહેરાત, સંરક્ષણ ક્ષેત્રે સહયોગ, વેપારખાધ ઘટાડવાની રણનીતિ પર સહમતિ સહિતના થયેલા કરારોને વડાપ્રધાન મોદીની અમેરિકાની વર્તમાન મુલાકાતની ઉપ્લબ્ધિ પણ ગણાવવામાં આવે છે.

સામાન્ય અભિપ્રાય એવો છે કે 'જેવા સાથે તેવા'ની રણનીતિ વર્તમાનયુગની જરૂરિયાત છે, પરંતુ જ્યારે વૈશ્વિક નીતિમાં તથા ખાસ કરીને વ્યાપારિક-આર્થિક નીતિઓની વાત આવે, ત્યારે બાંધછોડની નીતિ પણ અપનાવવી જ પડતી હોય છે, અને આ સિદ્ધાંતને ધ્યાને રાખીને જ ટ્રમ્પે નવી ટેરિફ નીતિનો તથા રિસિપ્રોકલ ટેક્સની માત્ર જાહેરાતો જ કરી છે, અને તે તત્કાળ નહીં, પરંતુ દરેક દેશ માટે અલગ-અલગ વાટાઘાટો કરીને જ લાગુ થશે, તેવું સ્પષ્ટ કર્યું છે, કારણ કે ટ્રમ્પ પણ જાણે છે કે આવી નીતિ વ્યવહારમાં ચાલે, વ્યાપારમાં નહીં... જડતા તો ન જ ચાલે ને?

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ભ્રષ્ટાચારમાં કોણ આગળ કોણ પાછળ? ભારતમાં ભ્રષ્ટાચાર વધ્યો કે ઘટ્યો?

અન્ના આંદોલનમાંથી જન્મેલી આમ આદમી પાર્ટીની જેમજ દાયકાઓ પહેલા જયપ્રકાશ નારાયણની જનચળવળ પછી જનતાપાર્ટીનો જન્મ થયો હતો અને મોરારજી દેસાઈની સરકાર રચાઈ હતી. અત્યારે જે રીતે ભાજપ (મોદી) સામે વિપક્ષોએ લોકસભાની ચૂંટણીમાં 'ઈન્ડિયા' ગઠબંધન બનાવ્યું હતું, તેવી જ રીતે ઈમરજન્સી પછી (ઈન્દિરા ગાંધી) કોંગ્રેસ સામે વિપક્ષો એકજુથ થયા હતાં. તફાવત એટલો જ છે કે તે વખતે મહાગઠબંધન નહીં, પરંતુ મોટાભાગના મુખ્ય વિપક્ષોએ સાથે મળીને એક પાર્ટી રચી હતી, જેનું નામ જનતા પાર્ટી રખાયું હતું. આ જનતા પાર્ટીમાં કોંગ્રેસમાંથી છૂટી પડેલી સંસ્થા કોંગ્રેસ, ભારતીય લોકદળ, ભારતીય જનસંઘ સહિતના મોટાભાગના રાષ્ટ્રીય પક્ષો કોંગ્રેસને હરાવવા વિલિન થઈ ગયા હતાં.

મોરારજી દેસાઈ સરકાર લાંબી ચાલી નહીં, અને આંતરિક મનભેદો ઊભા થતા તેમાં જોડાયેલા રાજકીય પક્ષો ફરીથી છૂટા પડી ગયા હતાં અને કેટલાક રાજકીય પક્ષોએ પોતાનું મૂળ નામ યથાવત્ રાખ્યું હતું, જ્યારે કેટલાક પક્ષોએ નવું નામકરણ કર્યું હતું, જેમાં ભારતીય જનસંઘનો સમાવેશ થયો હતો, અને નવું નામ ભારતીય જનતા પાર્ટી રાખવામાં આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટીની રચના થયા પછી એક સમય એવો પણ હતો, જ્યારે લોકસભામાં ભાજપના માત્ર બે સાંસદો જ હતાં, જેનું જુદા જુદા સમયે વિવિધ કારણોસર વિસ્તૃતિકરણ થતું રહ્યું હતું અને આજે કેન્દ્રમાં સત્તા ભોગવી રહ્યું છે.

ભારતીય જનતા પક્ષ વર્ષ ર૦૧૪ માં તો તોતિંગ બહુમતી સાથે સત્તારૂઢ થયો, તેનું કારણ ભ્રષ્ટાચાર, વિરોધી ઊઠેલો જનાક્રોશ હતો અને આમ આદમી પાર્ટી વર્ષ ર૦૧પ માં દિલ્હીમાં સત્તા પર આવી, તેનું કારણ પણ ભ્રષ્ટાચાર સામેનો જનાક્રોશ જ હતો ને?

આ બન્ને પક્ષોએ ભ્રષ્ટાચારનો વિરોધ કરીને સત્તા મેળવી, પરંતુ તે પછી પણ દેશમાંથી ભ્રષ્ટાચાર નાબૂદ થયો નહીં, તો દિલ્હીમાં પોતાને કટ્ટર ઈમાનદાર ગણાવતા કેજરીવાલ સહિતના આમ આદમી પાર્ટીના મોટા નેતાઓ પર પણ શરાબ કૌભાંડ સહિતના ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા અને અત્યારે જામીન પર છે.

બીજી તરફ રાષ્ટ્રીય કક્ષાએ સુશાસન, પારદર્શક વહીવટ અને ભ્રષ્ટાચાર પર અંકુશનો દાવો થતો રહ્યો છે, અને તેને આંકડાઓ, વિવિધ માપદંડો તથા રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સર્વેક્ષણ કરતા એકમો, સંસ્થાઓ અને સંગઠનોના રિપોર્ટસને ટાંકીને આ દાવો સાચો હોવાનું પૂરવાર કરવાના પ્રયાસો પણ થતા રહે છે, પરંતુ તાજેતરમાં જ એક આંતરરાષ્ટ્રીય કક્ષાના રિપોર્ટે આ પ્રકારના દાવાઓની હવા જ કાઢી નાંખી છે. આ રિપોર્ટ આજે ટોક ઓફ ધ નેશન બની ગયો છે.

આજે દેશભરમાં ટ્રાન્સપેરેન્સી ઈન્ટરનેશનલના વર્ષ ર૦ર૪ ના કરપ્શન ઈન્ડેક્ષની ચર્ચા વૈશ્વિક કક્ષાએ તો થઈ જ રહી છે, પરંતુ ભારતમાં આ પક્ષોની સાથે તથ્યાત્મક તર્કો તથા દલીલો પણ થઈ રહી છે. આજે આ મુદ્દો ભારતમાં ટોક ઓફ ધ નેશન બન્યો, તેની પાછળ કેટલીક તથ્યાત્મક હકીકત પણ હશે જ ને?

ગઈકાલે જ આ ભ્રષ્ટાચાર વિરોધી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સીપીઆઈ-ર૦ર૪ એટલે કે વિશ્વના દેશોમાં વ્યાપેલા ભ્રષ્ટાચારના પ્રમાણ મુજબ સૌથી ઓછા ભ્રષ્ટાચારી દેશોથી લઈને સૌથી વધુ ભ્રષ્ટ દેશો દર્શાવતી ૧૮૦ દેશોની યાદી જાહેર કરી છે, જેમાં ભારત ત્રણ ક્રમાંક પાછળ ગયું છે, એટલે કે ભારતમાં ભ્રષ્ટાચાર વધ્યો છે. વર્ષ ર૦ર૩ માં વિશ્વના ઓછા ભ્રષ્ટ દેશોમાં ભારતનો ક્રમાંક ૯૩ મો હતો, જે હવે ૯૬ મો થયો છે. તેનો મતલબ એ થાય કે છેલ્લા એક વર્ષમાં ભારતમાં ભ્રષ્ટાચાર વધુ વધ્યો છે. આ ક્રમાંક છેલ્લા ૧૦ વર્ષમાં સૌથી પાછળ છે, જેને શરમજનક ગણાવાઈ રહ્યો છે.

આ આંતરરાષ્ટ્રીય સંસ્થા સૌથી વધુ ભ્રષ્ટ દેશને શૂન્યથી શરૂ કરીને ક્રમશઃ ઓછા ભ્રષ્ટચાર મુજબ સૌથી ઓછા ભ્રષ્ટ દેશને ૧૦૦ નંબર (ગુણાંક) આપે છે, એટલે કે ૧૦૦ ગુણાંક ધરાવતું ડેન્માર્ક ભ્રષ્ટાચારમૂક્ત દેશ ગણાવાયો છે. નિશ્ચિત માપદંડોના આધારે બિઝનેસ સાથે સંકળાયેલા લોકો તથા વિશેષજ્ઞો આ સારણી નક્કી કરતા હોવાનો દાવો કરવામાં આવે છે. આ માપદંડો મુજબ ભારતને ૧૦૦ માંથી ૩૮ ગુણાંક મળ્યા છે, જ્યારે વર્ષ ર૦ર૩ માં ૩૯ તથા વર્ષ ર૦ર૪ માં ૪૨ ગુણાંક હતાં. આ કારણે ભારત પાછળ ધકેલાયું છે, અને આ ઈન્ડેક્ષ મુજબ ભારતમાં ભ્રષ્ટાચાર વધ્યો છે.

જો કે, આ ઈન્ડેક્ષ આખા દેશના વિવિધ ક્ષેત્રો તથા નિર્ધારિત માપદંડો મુજબ તૈયાર થતો હોય છે અને તેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો તથા અન્ય સેક્ટરો પણ ધ્યાને લેવાતા જ હશે, જેથી આ ચિંતાજનક રિપોર્ટને સૌ કોઈએ ગંભીર ગણવો જ જોઈએ, ખરૃં કે નહીં?

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

એ.આઈ. અને પ્લાસ્ટિક 'ગ્લોબલ ટોક'ના મુદ્દા, મહાકુંભ મહા ટ્રાફિકજામ પણ ચર્ચામાં

આ વખતે પ્રચંડ બહુમતી મેળવીને અમેરિકાના રાષ્ટ્રપતિ બનેલ ટ્રમ્પે ધડાધડ નિર્ણયો લેવા માંડ્યા છે, અને આખી દુનિયામાં હલચલ મચાવી દીધી છે. ટ્રમ્પના આકરા નિર્ણયોની અસરો ભારત સહિત આખી દુનિયામાં થઈ રહી છે, ત્યારે ટ્રમ્પની નવી પ્લાસ્ટિક નીતિની ચર્ચા પણ 'ગ્લોબલ ટોક'નો વિષય બની ગઈ છે.

એવા અહેવાલો આવ્યા છે કે, પ્લાસ્ટિકથી થતું નુક્સાન અટકાવવા પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઈડને પ્લાસ્ટિકની સ્ટ્રો વાપરવા પર પ્રતિબંધ મૂક્યો હતો અને કાગળની સ્ટ્રો વાપરવાનો આદેશ કર્યો હતો, તેને રદ્ કરીને ટ્રમ્પે સરકારી તંત્રને કાગળની સ્ટ્રો પર પ્રતિબંધ મૂકીને ફરીથી પ્લાસ્ટિકની સ્ટ્રો વાપરવાની છૂટ આપવા સૂચના આપી છે.

ટ્રમ્પે અમેરિકાની ફેડરલ ખરીદ નીતિને પલટાવીને નવી પ્લાસ્ટિક નીતિ જાહેર કરી છે. હકીકતે બાઈડને જ્યારે કાગળની સ્ટ્રો વાપરવાની જાહેરાત કરી હતી, તે સમયે  વર્ષ ર૦૧૯ માં બાઈડન સરકારની સીંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાની પોલિસીનો વિરોધ કર્યો હતો અને રિયુઝેબલ બ્રાન્ડેડ સ્ટ્રોના પેકેટ પોતાના સમર્થકોમાં વહેંચ્યા હતાં. નિષ્ણાતોના અભિપ્રાયો મુજબ દર મિનિટે એક ગાર્બેજ ટ્રક ભરીને પ્લાસ્ટિકનો કચરો દરિયામાં ઠલવાય છે, જે માનવજિંદગી જ નહીં, જીવસૃષ્ટિ તથા પર્યાવરણ માટે પણ ખતરનાક છે.

જો કે, ટ્રમ્પ આ તમામ જોખમો તથા ખતરાઓની વાતને જ હવામાં ઊડાડીને પ્લાસ્ટિકના પ્રોડક્શન તથા ટ્રેડ સાથે સંકળાયેલા 'મોટામાથાઓ'નું હિત સાચવી રહ્યા હોવાના આક્ષેપો પણ દબાયેલા સ્વરે થવા લાગ્યા છે.

ભારત પણ સીંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશનો વિરોધ કરતું રહ્યું છે, અને આ કોન્સેપ્ટ હેઠળ ગયા વર્ષે દક્ષિણ કોરિયામાં પ્લાસ્ટિકના પ્રદૂષણના ઉકેલ માટે વૈશ્વિક સમજુતિ કરવા વિવિધ દેશોના નેતાઓ એકઠા પણ થયા હતાં. તે સમયના અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનની પ્લાસ્ટિક નીતિને અનુરૂપ સીંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ સામે વૈશ્વિક સમજુતિ સાધવામાં નિષ્ફળતા જ મળી, કારણ કે અમેરિકા, ચીન, જર્મની સહિતના પ્લાસ્ટિક ઉત્પાદક દેશોના મોટા માથાઓ આવી સમજુતિના વિરોધમાં હતાં. દર વર્ષે આટલો મિલિયન ટન પ્લાસ્ટિકનું ઉત્પાદન કરતા દેશોના ઉદ્યોગપતિઓનો પ્રભાવ પર્યાવરણવાદીઓની ઝુંબેશ પર ભારે પડ્યો હતો.

જો કે, વિશ્વમાં સીંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવવાના મુદ્દે ઘણાં દેશો સંમત થાય તેમ છે, અને માનવજિંદગીઓ, જીવસૃષ્ટિ તથા પર્યાવરણને નુક્સાન થતું જ હોય તેવા પ્લાસ્ટિક સામે કોઈ વિરોધ નથી, પરંતુ સીંગલ યુઝ પ્લાસ્ટિકના ઉત્પાદકો, વ્યાપારીઓ અને દલાલોનો પ્રભાવ એટલો છે કે દ. કોરિયામાં આ મુદ્દે જ એકઠા થયેલા દેશો પણ તમામ મુદ્દે સર્વસંમતિ સાધી શક્યા નહોતા.

ટ્રમ્પે આ નવો આદેશ આપવાની સાથે અમેરિકાની જનતાને પ્લાસ્ટિકની સ્ટ્રો તરફ પાછા વાળવાનું સૂત્ર આપ્યું હોવાના અહેવાલને જોતા એવું જણાય છે કે ડોનાલ્ડ ટ્રમ્પ જનહિતના બહાને હવે ધનહિત અથવા ધનપતિઓના હિતને જ પ્રાધાન્ય આપી રહ્યા છે.

ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાનો પ્રવાસ શરૂ કરે, અને ટ્રમ્પને તેઓ 'મિત્ર' ગણાવતા હોય તેની પહેલા જ અમેરિકામાં ગેરકાયદે વસવાટ કરતા ભારતીયોને અમેરિકાનું વિમાન ભારતમાં મૂકી જાય, જુદી જુદી ચીજવસ્તુઓ પણ ટ્રમ્પ 'ટેરિફ'ની જાહેરાત કરે અને સીંગલ યુઝ પ્લાસ્ટિકની વિરૂદ્ધનો કોન્સેપ્ટ ધરાવતા નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે હોય ત્યારે જ સીંગલ યુઝ પ્લાસ્ટિકની પરથી અમેરિકામાં પ્રતિબંધ હટાવવાની જાહેરાત થાય તે માત્ર યોગાનુયોગ ન જ હોઈ શકે ને?

હકીકતે ડોનાલ્ડ ટ્રમ્પના આ પહેલાના કાર્યકાળમાં ટ્રમ્પ-મોદીની ગાઢ દોસ્તી વિશ્વવિખ્યાત બની હતી, તે પછી રશિયા-યુક્રેન યુદ્ધના કારણે રશિયા પર અમેરિકાએ પ્રતિબંધો લગાવ્યા હતાં, તે સમયે ભારતે અમેરિકાના પ્રતિબંધોની ઐસીતૈસી કરીને રશિયા પાસેથી 'ભારત ફર્સ્ટ' એટલે કે દેશના હિતોને સર્વોપરિ ગણાવીને સસ્તુ ક્રૂડ-ઓઈલ ખરીદ્યુ હતું. કદાચ તેના જવાબમાં ટ્રમ્પ 'અમેરિકા ફર્સ્ટ'ની નીતિ હેઠળ આ પ્રકારના ભારતના હિતો પણ જોખમાય, તેવા કદમ ઊઠાવી રહ્યા હશે, તેમ ઘણાં વિશ્લેષકો માને છે, અને તે સમયે ભારતે અમેરિકા સામે ઝુક્યા વગર આઝાદી પછીથી ચાલી આવતી ભારતની બિનજુથવાદી વિદેશનીતિને મજબૂત બનાવાઈ હતી, તેવા તારણો પણ નીકળી રહ્યા છે.

અમેરિકા પછી હવે યુનાઈટેડ કિંગ્ડમમાં પણ ગેરકાયદે ઈન્ડિયન સામે કાર્યવાહી શરૂ થઈ છે, અને ત્યાંથી પણ ગેરકાયદે વસવાટ કરતા ભારતીયો તથા તેને કામ આપનાર કે સહયોગ આપનાર લોકો સામે પણ કાર્યવાહી શરૂ થઈ હોવાના અહેવાલો પછી વિપક્ષો હવે મોદી સરકાર સામે વધુ તીખા પ્રહારો કરશે, તે નક્કી છે.

અત્યારે ભારત જ નહીં, આખી દુનિયામાં ધૂની મગજના ટ્રમ્પના શ્રેણીબદ્ધ વિવાદાસ્પદ અથવા ચર્ચાસ્પદ નિર્ણયોના ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે. જો કે, આ વખતે મોટાભાગના નિર્ણયો કોઈ ધૂનમાં આવીને નહીં, પણ સમજી વિચારીને ટ્રમ્પ લઈ રહ્યા છે, અને તેમાં અમેરિકા ફર્સ્ટની સાથે સાથે ધનપતિઓ, ઉદ્યોગપતિઓ તથા મસ્ક જેવા મિત્રોના હિતો ફર્સ્ટની બેધડક નીતિ પણ ખુલ્લેઆમ અપનાવી રહ્યા છે.

આજે ટ્રમ્પના ચોંકાવનારા નિર્ણયો ઉપરાંત આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સની પણ ચર્ચા થઈ રહી છે. ફ્રાન્સની રાજધાની પેરિસમાં યોજાયેલી એ.આઈ. એક્શન સમિટમાં ભારતે સહ-અધ્યક્ષતા કરી અને એ.આઈ.ના કારણે નોકરીઓ પર કોઈ ખતરો નથી, અને નવી રોજગારીની તકો ઊભી થશે, તેવું વડાપ્રધાન મોદીએ મંતવ્ય વ્યક્ત કર્યું. તેના પણ મિશ્ર પ્રત્યાઘાતો પડી રહ્યા છે.

આ વખતે ફ્રાન્સ અને અમેરિકાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યાત્રા પર પણ અમેરિકા અને ભારતના ઘણાં મોટા માથાઓની નજરો મંડાયેલી છે અને આ બન્ને દેશોની મુલાકાત દરમિયાન ટ્રમ્પ-મોદીની મિત્રતા પણ કસોટીની એરણે ચડી છે, ત્યારે જોઈએ, હવેં શું થાય છે તે...

આજે એ.આઈ. અને સીંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધના મુદ્દા ઉપરાંત પ્રયાગરાજના મહાકુંભનો મહાટ્રાફિક જામ પણ વૈશ્વિક ચર્ચાનો મુદ્દો બન્યો છે...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

જીવલેણ ઘટનાઓનું જવાબદાર કોણ કોણ? ઢોરની ઢીંકથી બચવાની તરકીબો...!

જામનગરમાં એક વૃદ્ધાને ઢોરે ઢીંક મારતા તેણીએ જીવ ગુમાવ્યો હોવાના સમાચાર હોય કે કોઈને કોઈ માર્ગે માર્ગ અકસ્માતમાં કોઈએ જીવ ગુમાવ્યો હોય, કોઈ સ્થળે ડૂબી જવાથી સામૂહિક મૃત્યુની ગમખ્વાર ઘટના હોય કે આર્થિક ભીંસ અથવા વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યાના કિસ્સાઓ હોય, આ તમામ ઘટનાઓ માટે જવાબદાર કોણ કોણ હોઈ શકે, તેવા પ્રશ્નોના જવાબો મેળવવાનો સમય હવે પાકી ગયો છે, તેમ નથી લાગતું?

હંમેશાં આ પ્રકારની ઘટનાઓ માટે જવાબદાર કોણ? તેવો સવાલ પૂછાતો હોય છે, પરંતુ હવે આ તમામ ગમખ્વાર ઘટનાઓ માટે જવાબદાર કોણ કોણ? કેવો સવાલ પૂછવો પડે તેમ છે, કારણ કે કોઈ એક તંત્ર, શાસન કે સંસ્થા નહીં, પણ આ પ્રકારની ઘણી ઘટનાઓ પાછળ ઘણાં બધા પરિબળો પણ જવાબદાર હોય છે, ખરૃં કે નહીં?

રખડતા ઢોરની ઢીંકે કોઈપણ નાગરિકનું મૃત્યુ થાય, તો તે જવાબદારી સર્વપ્રથમ તો જે-તે ગામ, શહેર, વિસ્તારની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની છે, અને તેમાં સૌથી વધુ ભૂમિકા લાપરવાહ અને નપાવટ તંત્રોની ગણાય. તે ઉપરાંત પંચાયત, પાલિકા, મહાપાલિકાઓમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ પણ એટલા જવાબદાર ગણાય, ખરૃં કે નહીં?

રખડતા ઢોરનો પ્રશ્ન હવે રાજ્યવ્યાપી બન્યો છે, અને ગામો, શહેરો, જાહેર સ્થળો જ નહીં, સ્ટેટ અને નેશનલ ધોરીમાર્ગો પર પણ રખડતા ઢોર ગંભીર અને જીવલેણ અકસ્માતોનું કારણ બનવા લાગ્યા છે, તેથી આ રાજ્યવ્યાપી સમસ્યાની જવાબદારી માત્ર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એટલે કે પંચાયતો, પાલિકા-મહાપાલિકાઓ પર ઢોળી દેવાના બદલે રાજ્ય સરકારે પણ આ સળગતી સમસ્યાનો કોઈ રાજ્યવ્યાપી ઉકેલ લાવવો જોઈએ, તેમ નથી લાગતું? રાજ્ય સરકાર કેટલાક મુદ્દે તો રાતોરાત નિર્ણયો લઈને ગણતરીના દિવસોમાં જ કાયદો ઘડી કાઢે છે અને તત્કાળ લાગુ પણ કરી દેવાની ક્ષમતા ધરાવે છે, ત્યારે રખડતા ઢોરના મુદ્દે કોઈ નક્કર અને પરિણામલક્ષી કાયદો ઘડવો જોઈએ, ખરૃં કે નહીં?

રાજકીય પક્ષો અને સ્થાનિક નેતાગીરી પણ આ પ્રકારની ઘટનાઓ માટે જવાબદાર જ ગણાય, કેટલાક રાજકીય મુદ્દે અન્ય રાજ્યમાં કોઈ ઘટના બને કે ચૂંટણીમાં વિજય મળે, તો તેની ઉજવણી તરત જ જામનગર કે હાલારમાં થાય, કે પછી અન્ય રાજ્યમાં બનેલી ઘટનાને લઈને કે પછી રાષ્ટ્રીય કક્ષાના રાજકીય મુદ્દે વિપક્ષી રેલીઓ નીકળે જામનગર-હાલારમાં વિરોધ પ્રદર્શનો થાય, આવેદનપત્રો પણ અપાય, પરંતુ રખડતા ઢોર, આવારા કૂતરાઓના કારણે લોકો પર ઝળુંબતા જોખમના મુદ્દે સ્થાનિક નેતાગીરી અને શાસકો તથા વિપક્ષો પણ 'આંખ આડા કાન' કેમ કરતા હોય છે, તે 'ઓપન સિક્રેટ' જ છે ને? વોટબેંકની વેંતરણમાં રાજકીય પક્ષો તથા નેતાગીરીનું આ વલણ જોતા એમ નથી લાગતું કે આ મુદ્દે 'હમામ મેં સબ નંગે હૈ?'

આવી જ રીતે માર્ગ અકસ્માતો માટે તૂટેલા માર્ગો, ટ્રાફિક વ્યવસ્થાની ખામીઓ તથા ઓવરસ્પીડ પર અંકુશ રાખવાની નિષ્ફળતા પણ જવાબદાર છે. આ માટે પણ અહીં વર્ણવેલા તમામ પરિબળો પૂરેપૂરા જવાબદાર છે. આર્થિક ભીંસ કે વ્યાજખોરોના આતંકથી કોઈ આત્મહત્યા કરે તો તે સરકાર, સમાજ અને માનવતા માટે પણ કલંકરૂપ જ છે ને?

આ તમામ પરિબળો ઉપરાંત એક મહત્ત્વપૂર્ણ પરિબળ ભૂલાઈ રહ્યું છે. આ પરિબળની ભૂમિકા પણ આ પ્રકારના તમામ અનિચ્છનિય ઘટનાક્રમો માટે એટલી જ જવાબદાર છે જેટલા જવાબદાર અન્ય પરિબળોને ગણવામાં આવે છે, જો કે આપણે કદાચ આ 'મહત્ત્વપૂર્ણ' પરિબળને જવાબદાર ગણતા અચકાઈએ છીએ, અને તેથી પણ આ પ્રકારની ઘટનાઓ નિરંકુશ બની રહી છે.

આ પરિબળ 'આપણે પોતે' છીએ, જો કે સંપૂર્ણ નહીં, પણ આ પ્રકારની ઘટનાક્રમોમાં થોડીઘણી ભૂમિકા તો આપણી પણ છે જ ને?

માર્ગો પર થતા અકસ્માતોમાં વાહનોમાં ખામી ચલાવી લેવી, ઓવરસ્પીડમાં વાહન ચલાવવું, રોંગ સાઈડમાં વાહન ચલાવવું, ટ્રાફિકના નિયમોનો ઉલાળિયો કરવો તથા ઓવરટેક કરવા કે પાર્કિંગના મુદ્દે પણ જીવ સટોસટના ઝઘડાના કરવા વગેરે કારણો પણ ઘણી વખત જવાબદાર હોય જ છે ને?

ઘણાં લોકો ગાયને રોટલી કે રોટલો ખવડાવીને જ જમવાનું વ્રત ધરાવતા હોય છે, તો ઘણાં લોકો ગાયમાતાજીને નિયમિત ઘાસ નાખતા હોય છે. આ પ્રકારની ધાર્મિક વૃત્તિ પર કોઈ અંકુશ લાગી પણ શકતો નથી, પરંતુ ગાય કે અન્ય ઢોરની ઢીંકે ચડીને જીવ જતા હોય કે સડક કે હાઈ-વે પર કોઈ ઢોરને બચાવવા જતા જતા ગમખ્વાર અકસ્માતોમાં જિંદગીઓ હોમાઈ જતી હોય છે, અને ઘણાં લોકો જીવનભર દિવ્યાંગ પણ થઈ જતા હોય છે, તેથી આપણે બધાએ ઢોરની ઢીંકથી બચવાની તરકીબો અંગે વિચારવું જ પડશે અને ઉપાયો પણ શોધવા જ પડશે ને?

જામનગરમાં જાહેરમાં ઘાસ નાંખવા અને ઘાસના વેંચાણ પર પ્રતિબંધની જરૂર ઊભી થતા જ ઘાસના કેટલાક વિતરકો હવે ઘાસનું વેંચાણ કરીને પોતાની રિક્ષા કે વાહન દ્વારા સીધા ગૌશાળા-પાંજરાપોળમાં પહોંચાડી રહ્યા હોવાથી જાહેર રસ્તા પર ઘાસ નાંખનારાની સંખ્યા ઓછી થઈ રહી છે, (જો કે, સદંતર બંધ નથી થઈ), પરંતુ ઘણાં લોકો ગાયને રોટલા, રોટલી કે લાડુ બનાવીને જાહેર રોડ પર ખવડાવવા નીકળતા હોય છે, ત્યારે તેને ઝડપથી મેળવવા ગાયો કે અન્ય પશુઓ પાછળ દોડતા હોય છે, જેથી ગંભીર જોખમ ઊભું થાય છે.

આ પ્રકારે પુણ્ય કમાવા માટે ગાય, કૂતરા, પશુઓને જેવી રીતે ઘાસ કોઈ સ્થળે નીરી (નાખી) શકાય, તેવી જ રીતે ગાય કે પશુઓને રોટલા, રોટલી કે ભોજન કરાવવા માટે પણ કોઈ ચોક્કસ વ્યવસ્થા ઊભી ન કરી શકાય?

જામનગરમાં કેટલીક સોસાયટીઓમાં કેટલાક સેવાભાવી લોકો ગૌવંશ માટે આ પ્રકારનું રોટલી, રોટલા કે ભોજન આપવા માંગતા હોય તેની પાસે દરરોજ ઘેર-ઘેર ફરીને ડોર-ટુ-ડોર કલેક્શન કરીને લઈ જાય છે અને કોઈ અલાયદા સ્થળે રખાયેલી ગાયોને ખવડાવે છે. આ રીતે ગાયોને ખવડાવવાનું પુણ્ય પણ મળી જાય છે, અને કોઈ જોખમ પણ ઊભું થતું નથી.

આ રીતે આપણે બધા મળીને અન્ય ઢોરને કે ગાયોને માર્ગો પર રખડવું-ભટકવું જ ન પડે, તેવી જગ્યાઓ ઊભી કરીને તેવા ઉપાયો વિચારવા જોઈએ. આ સમસ્યાનું મૂળ શોધી કાઢી તેનું કાયમી નિરાકરણ થવાનું જ નથી, તેથી ચાલો, આપણે બધાં આ સમસ્યાના નિવારણની તરકીબો વિચારીએ, અને યોગ્ય જણાય તો તત્કાળ અમલમાં મૂકીએ...

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

'હમ'કી તો જૈસે તૈસે કટ જાયેગી, પર 'આપ' કા ક્યા હોગા, જનાબે આલી... આપ કા કહ્યા હોગા

દિલ્હીમાં ભાજપનો ભગવો લહેરાયો, તે પછી ભાજપ ગેલમાં છે અને કેજરીવાલ ફરીથી જેલમાં જશે,તો 'આપ' કા ક્યા હોગા'ની ચર્ચા પણ થઈ રહી છે. કોંગ્રેસ જાણે કેજરીવાલને કહી રહી હોય કે, 'અપની તો જૈસે તૈસે, થોડી ઐસે યા વૈસે, કટ જાયેગી... 'આપ' કા ક્યા હોગા, જનાબે આલી... આપકા ક્યા હોગા?'

અહીં આમ આદમી પાર્ટીની સાથે સાથે કેજરીવાલ, સિસાદિયા અને સત્યેન્દ્ર જૈનની ત્રિપૂટી માટે ફરીથી જેલયોગ સર્જાઈ રહ્યો હોવાની અટકળો વચ્ચે હવે 'કેગ'નો રિપોર્ટ આવ્યા પછી આમ આદમી પાર્ટીના બીજા કેટલા નેતાઓના તપેલા ચડી જશે, તેની કલ્પનાઓ પણ થવા લાગી છે. શિશમહેલ તથા સ્વાતી માલિવાલના પ્રકરણમાં તો ઝડપભેર 'તપાસ' અને કાર્યવાહી થશે જ, પરંતુ તે ઉપરાંત પણ ટેન્કર કૌભાંડ, કચરા કૌભાંડ, યમુના સફાઈના નામે થયેલો ખર્ચ તથા શિક્ષણ-આરોગ્ય ક્ષેત્રે પણ 'આપ'ના દસ વર્ષના શાસનમાં ગુપચુપ ઘણાં કૌભાંડો થયા હોવાના જે આક્ષેપો થઈ રહ્યા છે, તે સાચા હોય કે ખોટા હોય, તો પણ એસઆઈટી રચીને થનારી તપાસ, ઈન્વેસ્ટીગેશન, ઈન્કવાયરી અને કાનૂની કાર્યવાહીના સકંજામાં તો મોટાભાગના નેતાઓ સપડાઈ જ શકે છે, આ સંજોગોમાં જો મુખ્ય મુખ્ય નેતાઓ જેલમાં જાય કે જામીન પર રહે, તો પણ 'આમ આદમી પાર્ટી'નું ગાડું કેમ ગબડશે, તે અંગે દાવા-પ્રતિદાવાઓ થઈ રહ્યા છે.

સામાન્ય રીતે જે પાર્ટીનો પરાજય થાય, તેને અફસોસ થાય, આત્મચિંતન કરે અને બોડી, હાવભાવ અને પ્રત્યાઘાતોમાં નિરાશા, હતાશા કે આશંકાઓ દેખાવા જોઈએ, પરંતુ દિલ્હી વિધાનસભાની ચૂંટણી પછી કોંગ્રેસને ફરીથી કોઈપણ બેઠક નહીં મળી હોવા છતાં કોંગ્રેસના પ્રાદેશિક નેતાઓના હાવભાવ જોતા ત્યાં અફસોસ કે આશંકા નહીં, પરંતુ આમ આદમી પાર્ટીની દિલ્હીની સત્તામાંથી થયેલી હકાલપટ્ટીની ખુશી તથા સંતોષ ડોકાઈ રહ્યો હતો, અને તેમાંથી જ એક 'ગુપ્ત' સમજુતિની સંભાવનાઓની ચર્ચા પણ રાજકીય ગલિયારાઓમાં ગુંજવા લાગી છે, અને 'આપ'નું ઉઠમણું કરવા માટે કદાચ દેશની બે મુખ્ય રાષ્ટ્રીય કક્ષાની પાર્ટીએ હાથ મિલાવ્યા હોય તેવી શક્યતાઓને નકારી પણ શકાય તેમ નથી.

એવું કહેવાય છે કે, હવે પંજાબમાં ભગવંતસિંહ માન મહારાષ્ટ્રના એકનાથ શિંદેની જેમ બળવો કરશે અથવા તેની જ સામે અસંતુષ્ટ ધારાસભ્યો બળવો પોકારશે, તે ઉપરાંત ભાજપ કોંગ્રેસ વચ્ચે કાંઈક રચાયું હોવાની પણ ચર્ચા છે. રાજનીતિમાં કાંઈપણ અસંભવ નથી હોતું.

રાજનેતાઓ અને રાજકીય પક્ષો પ્રતિસ્પર્ધીઓ સાથે ચૂંટણીના મેદાનમાં, સંસદ-વિધાનગૃહોમાં, નિવેદનો અને રણનીતિઓમાં એકબીજા સામે પૂરી તાકાતથી લડી લેતા હોય છે, પરંતુ પરસ્પર અંગત સંબંધો મોટાભાગે સારા રાખતા હોય છે, અને રાજનીતિને બાજુ પર રાખીને એકબીજાના વ્યક્તિગત કામો પણ કરી આપતા હોય છે, કારણ કે આજે સત્તામાં હોય, તેને લોકતંત્રમાં કાલે વિપક્ષમાં પણ બેસવું પડતું હોય છે, તેથી જ એકબીજાનું વ્યક્તિગત રીતે ધ્યાન પણ રાખતા હોય છે, અને એવો અભિગમ તંદુરસ્ત લોકતંત્રની વિશેષતા પણ ગણાય ને?

એવી જ રીતે કેટલાક ચોક્કસ મુદ્દાઓ પર ઘોર વિરોધી રાજકીય પક્ષો અને નેતાઓ વચ્ચે 'ગુપ્ત' સમજુતિઓ પણ થતી જ હોય છે, અને જાહેરમાં એકબીજાની તીવ્ર આલોચના કરતા હોવા છતાં  ચોક્કસ મુદ્દા પર થયેલી સમજુતિનું પ્રામાણિક્તાપૂર્વક 'અનુસરણ' પણ થતું જ હોય છે.

એવું કહેવાય છે કે, દિલ્હીમાંથી 'આપ'નો સફાયો કરવા માટે ભાજપ અને કોંગ્રેસે દિલ્હી વિધાનસભાની ચૂંટણી પૂરતી ગુપ્ત સમજુતિ કરી હોય, તેવું બની શકે છે. હરિયાણા, પંજાબ, દિલ્હીના રાજકીય વિશ્લેષકો પણ આ પ્રકારની કોઈ ગોપનીય રણનીતિ ઘડાઈ હોવાની ચર્ચા કરી રહ્યા છે.

એક તરફ એવું કહેવાય છે કે કેજરીવાલ હવે દિલ્હી છોડીને માદરે વતન હરિયાણાની રાજનીતિ કરશે, અથવા પંજાબના મુખ્યમંત્રી ભગવંતસિંહ માન રાજકીય બલિદાન આપીને પંજાબનું મુખ્યમંત્રીપદ કેજરીવાલને આપશે, અને કોઈ સિક્યોર બેઠક પરથી ધારાસભ્ય તરીકે ૬ મહિનાની અંદર કેજરીવાલને જીતાડી દેશે.

બીજી તરફ 'આપ'ને પછાડવા ભાજપને કોંગ્રેસે દિલ્હીમાં ત્રિપાંખિયો જંગ ખેલીને વીસેક બેઠકો પર 'આપ'ને હરાવીને ભાજપનો વિજય નિશ્ચિત કર્યો. ગુપ્ત સમજુતિ મુજબ હવે પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ તમામ બેઠકો પર સક્રિયતાથી લડીને અને કોઈ અન્ય પક્ષ સાથે જોડાણ નહીં કરીને કોંગ્રેસને જીતાડી દેશે અથવા ભગવંતસિંહની વર્તમાન સરકારને જ તોડીને ત્યાં કોંગ્રેસની સરકાર માટે 'બેકડોર' મદદ કરશે! આ બધા અનુમાનો છે, પણ રાજકારણમાં કાંઈપણ થઈ શકે છે, થોભો અને રાહ જુઓ...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

દિલ્હીના મતદારોનો જનાદેશ સત્તા પ્રાપ્તિ સાથે જવાબદારી વધી મફત રેવડી ચાલુ જ રહેશે?

આજે દિલ્હી વિધાનસભાની ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે અને આજની આ મતગણતરી પર આખા દેશની નજર રહેલી છે. આ વખતે માત્ર આમ આદમી પાર્ટી કે કેજરીવાલની જ નહીં, પરંતુ મતદાન પછી બહાર પડેલા એક્ઝિટ પોલ્સની પણ કસોટી જ હતી ને?

એક ડઝનથી વધુ એક્ઝિટ પોલ્સમાંથી મોટાભાગના એક્ઝિટ પોલ્સમાં આમ આદમી પાર્ટીની હાર અને ભાજપની બહુમતિ દર્શાવાઈ રહી હતી અને તેના પર ગઈકાલે આખો દિવસ ચર્ચા પણ થતી રહી હતી. તે ઉપરાંત ગઈકાલે 'ઓપરેશન લોટ્સ' હેઠળ આમ આદમી પાર્ટીના ઉમેદવારોને ભાજપમાં સામેલ થવા માટે ૧પ કરોડની ઓફર થઈ રહી હોવાના આક્ષેપો પછી એસીબીની તપાસ તથા આક્ષેપો-પ્રતિઆક્ષેપોનું નાટક પણ ગઈકાલે આખો દિવસ ચાલ્યું હતું, હજે આજે જે કાંઈ પરિણામો સામે આવી રહ્યા છે, તે આપણી સામે જ છે. આ વખતે એક્ઝીટ પોલ્સ સાચા પડી રહેલા જણાય છે.

આજે સવારે પ્રારંભમાં આમ આદમી પાર્ટી આગળ હતી, પરંતુ જેમ જેમ મતગણતરી આગળ વધતી ગઈ તેમ તેમ ભાજપની સરસાઈ વધવા લાગી હતી, પરંતુ સાંકડી બહુમતીથી ઘણા ઉમેદવારો આગળ હોવાથી વારંવાર સ્થિતિ બદલતી રહી હતી. તે પછી આમ આદમી પાર્ટીના દિગ્ગજો પહેલા પાછળ જણાતા હતાં અને તે પછી સાંકડી લીડ સાથે આગળ-પાછળ થતા રહ્યા હતાં. આ વખતે દિલ્હીની જનતાએ જાણે કે પહેલેથી મન બનાવી લીધું હોય, તેમ જણાય છે. બપોર સુધી રોમાંચક રીતે સ્થિતિ બદલતી રહી હતી અને કેટલીક બેઠકો પર ઘણી જ રસાકસી પણ જોવા મળી રહી હતી. જ્યારે કેજરીવાલ અને સિસોદીયા પોતે જ હારી ગયા હોવાના અહેવાલો પછી અન્ના હજારેના પ્રત્યાઘાતો પણ ચર્ચાઈ રહ્યા છે.

દિલ્હીમાં કોંગ્રેસને ભલે બેઠકો મળી નહીં હોય, પરંતુ ભાજપને કોંગ્રેસની સક્રિયતાએ જ સીધો ફાયદો થયો છે, તે સ્પષ્ટ થઈ ગયું છે. ભાજપની વિરૂદ્ધના મતો કોંગ્રેસ અન આમ આદમી પાર્ટી વચ્ચે વહેંચાયા હોવાથી ભાજપને ફાયદો થયો હોવાથી આમ આદમી પાર્ટીને એકલા હાથે લડવું નુક્સાનકારક નિવડ્યું હોવાનું પૂરવાર થાય છે.

આ કારણે જ નેશનલ કોન્ફરન્સના નેતા અને જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કટાક્ષ કર્યો છે કે 'હજુ અંદરોઅંદર લડતા રહો!'

આ પહેલા ઓમર અબ્દુલ્લાએ જ્યારે ઈન્ડિયા ગઠબંધન તોડીને કેજરીવાલે એકલા હાથે ચૂંટણી લડવાનું અને કોંગ્રેસે પણ ત્રિપાંખિયો જંગ ખેલવાનું સ્વીકારી લીધું, ત્યારે કહ્યું હતું કે કોંગ્રેસ અને આપ બન્ને મેદાનમાં ઉતરશે તો તેનો ફાયદો ભાજપને થશે.

બપોર સુધીમાં તો ભારતીય જનતા પાર્ટીને મજબૂત સરસાઈ જણાતી હોવાથી દિલ્હીના નવા મુખ્યમંત્રી કોણ હશે? કૌન બનેગા મુખ્યમંત્રી? શું ચૂંટાયેલા ધારાસભ્યોમાંથી જ મુખ્યમંત્રી મૂકાશે કે 'ઉપર'થી કોઈ મજબૂત નેતાને મુખ્યમંત્રીની જવાબદારી સુપ્રત કરાશે, તેવી ચર્ચા પણ થવા લાગી હતી.

દિલ્હીમાં નવી સરકાર માટે પણ પડકારો ઓછા નથી. જો મફત વીજળી-પાણી વગેરે મફત રેવડીઓ ચાલુ રાખવામાં આવશે તો ભાજપ સામે સવાલો ઊભા થશે, કારણ કે રાષ્ટ્રીય કક્ષાએ ભાજપ મફત રેવડીઓની પદ્ધતિનું વિરોધી રહ્યું છે, જો કે મફત રેવડીઓ બંધ નહીં થાય, તેવી ચોખવટ ચૂંટણી પ્રચાર દરમિયાન કરાઈ હોવાથી હાલ તુરત નવી કોઈપણ સરકાર આવે, તે અત્યારની મફત રેવડી તો બંધ નહીં જ કરે, પરંતુ આ કારણે દિલ્હીની સરકારી તિજોરી પરનું ભારણ સરભર કરવા જો કેન્દ્ર મદદ કરશે, તો 'રેવડીવિરોધી' પોલિસીમાં યૂ-ટર્ન લેવો પડશે, જે ભાજપ માટે બૂમરેંગ પૂરવાર થશે, તેમ નથી લાગતું?

દિલ્હીમાં સત્તાપ્રાપ્તિ પછી સરકારની જવાબદારી વધી જશે, કારણ કે એમસીડીમાં 'આપ'ની સત્તા હોવાથી પહેલાની જેમ જ કેન્દ્ર-રાજ્ય અને એમસીડી વચ્ચેની ખેંચતાણ વધશે, તો બીજી તરફ કેજરીવાલ સામેના ચાલી રહેલા કેસોની સીધી અસર પણ દિલ્હીની રાજનીતિ પર થવાની છે. કેજરીવાલે પોતે ઈમાનદાર છે કે નહીં, તેનું સર્ટીફિકેટ દિલ્હીની જનતા પાસે માંગ્યું હતું, તે વ્યક્તિગત હતું કે પાર્ટી માટે હતું, તે પ્રકારના કટાક્ષો પણ સંભળાવા લાગ્યા છે. તે ઉપરાંત હવે કેજરીવાલ રાજનીતિ છોડી દેશે? તેવો સવાલ પણ ઉઠી રહ્યો છે.

એવા તારણો પણ નીકળી રહ્યા છે કે જો ભાજપ દ્વારા દિલ્હીની વર્તમાન સમસ્યાઓ હલ નહીં થાય અને કેજરીવાલ એન્ડ કાું. સામેના કેસોમાં સકંજો કસાશે, તો હવે દિલ્હીની પબ્લિક પાસે આગામી વિકલ્પ કોંગ્રેસનો જ રહેશે!!

એવી કહેવત છે કે બધા લોકોને કાયમ માટે મૂર્ખ બનાવી શકાતા નથી. આ કહેવતો તથા આજના પરિણામો તમામ રાજકીય પક્ષો તથા પ્રખર વક્તાઓ અને કેજરીવાલ જેવા ચાલાક નેતાઓ માટે બોધપાઠરૂપ તો છે જ ને?

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

હાલાર સહિત મહત્તમ ગુજરાતમાં ભૂગર્ભ જળ બન્યું ભયાનક...હવે શું?

આખી દુનિયામાં વાતાવરણ બદલાઈ રહ્યું છે. હવે રણ પ્રદેશોમાં પૂર આવે તેવા વરસાદ થાય છે, તો જ્યાં હંમેશાં અતિવૃષ્ટિ થતી હતી, ત્યાં દુષ્કાળ પડવા લાગ્યા છે, ઋતુચક્ર બદલાઈ રહ્યું હોય તેમ જ્યારે કડકડતી ઠંડી પડી રહી હોય, ત્યારે કમોસમી વરસાદ થાય તથા બપોરે ગરમી અનુભવાય ત્યારે એક જ દિવસમાં ત્રણેય ઋતુની અનુભૂતિ થતી હોય છે. ગ્લોબલ વોર્મીંગ અને ક્લાઈમેટ ચેઈન્જ જેવી સમસ્યાઓ હવે વૈશ્વિક ચિંતાનો વિષય બની છે, ત્યારે હવે ભૂગર્ભજળ પણ બગડી રહ્યું હોવાના અહેવાલોએ પ્રશ્નસર્જક ચિંતાઓ વધારી દીધી છે. આપણે ઋતુચક્રમાં જીવતા હોવાથી ચોમાસામાં જ વરસાદ થાય, તેના આધારે જ બાકીનું આખું વર્ષ જીવવું પડતું હોવાથી આપણાં જનજીવન અને જીવસૃષ્ટિનો બધો જ આધાર ભૂગર્ભ જળ તથા જમીનની સપાટી પર કરાતા જળસંગ્રહ પર રહેતો હોય છે. હવે ભૂગર્ભ જળ જ ભયાનક રીતે પ્રદૂષિત થવા લાગે ત્યારે સ્વાભાવિક રીતે જ તેની પ્રથમ સીધી અસરો માનવજીવન પર થાય છે, અને તેના પ્રત્યે દુનિયાની મોટાભાગની સરકારો દુર્લક્ષ્ય સેવી રહી હોવાથી આ મુદ્દો પણ હવે ગ્લોબલ વોર્મીંગ અને ક્લાઈમેટ ચેઈન્જ જેવો ખતરનાક બનવા જઈ રહ્યો છે.

આપણાં શાસ્ત્રોમાં બ્રહ્માંડ, આકાશલોક, પાતાળલોક, ગૌલોક, વૈકુંઠ વગેરે શબ્દો ઘણાં જ પ્રચલિત છે, અને આ જ ભાવાર્થ ધરાવતા કેટલાક શબ્દો ખગોળશાસ્ત્ર, સાયન્સ અને ભૂગોળમાં પણ વપરાય છે. એકંદરે આપણે પ્રાચીનકાળથી જ ભૂલોક એટલે પૃથ્વી, પાતાળલોક એટલે ભૂગર્ભ અને ડીપ સી (ઊંડો સમુદ્ર) તથા વિવિધ લોક એટલે બ્રહ્માંડ અથવા સ્પેસને લઈને માહિતગાર અને સતર્ક હતાં, પરંતુ ૧૮ મી સદી પછી વિકાસની દોટ તથા ભૌતિક સુખ-સુવિધાઓની સ્પર્ધાના કારણે આપણે (સમગ્ર દુનિયાના લોકો) આકાશ, પાતાળ અને પૃથ્વીને પ્રદૂષિત કરવાા લાગ્યા, અને તેના દુષ્પરિણામો પણ હવે સામે આવી રહ્યા છે, તેમ નાથી લાગતું?

વિશ્વમાં કેટલાક દેશોમાં વસતિ વધારો એક સમસ્યા છે, જ્યારે કેટલાક દેશોમાં ઘટી રહેલી વસતિની સમસ્યા છે. ભારત અને ચીન જેવા દેશોમાં વસતિ વિસ્ફોટમાં વિકાસના ફળો પાંગરતા નથી, જ્યારે રશિયા જેવા દેશોમાં ઓછી વસતિ હોવા છતાં વિશ્વસત્તા બનવાની ઘેલછામાં વિકાસના ફળો સડી જાય છે. આ વિષમતાની સાથે સાથે હવે ભૂગર્ભજળની બરબાદી, ભગર્ભજળમાં ઘટાડો તથ હવે ભૂગર્ભજળમાં ફેલાઈ રહેલા ભયંકર પ્રદૂષણની સમસ્યાએ એક એવી ચિંતાજનક સંભાવના ઉભી કરી દીધી છે, જેની સામે જો વિશ્વસમુદાય સહિયારી અને સમયોચિત જાગૃતિ નહીં દર્શાવે, તો તેના ગંભીર અને માઠા પરિણામો આપણે અથવા આપણી આગામી પેઢીને જ ભોગાવવા પડે તેમ છે.

આખી દુનિયાની 'પંચાત' કરતા પહેલા આપણે આપણા 'ઘરઆંગણે' ઊભી થઈ રહેલી પરિસ્થિતિ સામે જાગૃત થવું પડે તેમ છે. ભારત સરકારના જ એક અહેવાલમાં દર્શાવેલી ખતરનાક સંભાવનાઓ સામે આપણે તરત જ જાગવું પડે તેમ છે.

ભારત સરકારના જળશક્તિ મંત્રાલયે જાહેર કરેલા ભૂગર્ભજળને લગતા એક રિપોર્ટમાં ગુજરાતના ર૩ જિલ્લાઓમાં ભૂગર્ભજળમાં નાઈટ્રેટ કન્ટેઈન્મેન્ટનું પ્રમાણ વધારે હોવાથી આ પાણી પીવાથી હાઈ બી.પી., ગેસ્ટિક કેન્સર, ફેંફસાની બીમારીઓ તથા હૃદયરોગ થવાની ભયાનક સંભાવનાઓ હોવાનું, જાહેર થયું છે, જેમાં મહત્તમ ગુજરાતના વિસ્તારો તથા વસતિને માઠી અસર પડે તેવી શક્યતાઓ પણ દર્શાવાઈ છે.

રિપોર્ટ મુજબ ગુજરાતમાં નાઈટ્રેટ, નાઈટ્રેટ એનઓ-૩નું લિટરદીઠ ૪પ મિલિગ્રામથી વધુ પ્રમાણે ધરાવતા જિલ્લાઓ વધી રહ્યા છે, અને હાલમાં આ પ્રકારના જોખમી ર૩ જિલ્લાઓ છે. આ ર૩ જિલ્લાઓમાં હાલારના બન્ને જિલ્લા એટલે કે જામનગર અને દ્વારકા જિલ્લ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છના મોટાભાગના જિલ્લાઓનો સમાવેશ થઈ જતો હોવાથી રાજ્ય સરકાર ઉપરાંત તમામ જિલ્લાતંત્રો, જનપ્રતિનિધિઓ તથા કૃષિ-ઉદ્યોગ ક્ષેત્રો તથા ખાસ કરીને હેલ્થ સેક્ટરની જાગૃતિ જરૂરી છે. રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ પ્રજાનું પ્રતિનિધિત્વ કરતા ચૂંટાયેલા નેતાઓએ પણ આ મુદ્દે સજાગ રહીને સક્રિય થવાની જરૂર છે, તેમ નથી લાગતું?

જો કે, ગુજરાત સરકાર ભૂગર્ભજળની ગુણવત્તા સુધરે તે માટે કેટલીક યોજનાઓ ચલાવી રહી હોવાનો દાવો પણ થાય છે અને તે કરોડો રૂપિયા પણ ખર્ચાય છે, તેમ છતાં પ્રતિલીટર ૪પ મિલિગ્રામથી વધુ એનઓ૩ ધરાવતા જિલ્લાઓ વધી રહ્યા છે, તેથી ક્યાં કચાશ છે, તે શોધીને આ મુદ્દે વધુ ગંભીરતા દાખવીને પ્રો-એક્ટિવ કદમ ઊઠાવવા જ પડે, ખરૃં કે નહીં?

રાજ્યમાં જળસંગ્રહ અભિયાન, જળસંચય અભિયાનો હેઠળ પૃથ્વીની સપાટીની ઉપર તથા ભૂગર્ભમાં જળબચતની ઘણી યોજનાઓ તો હાલના વડાપ્રધાન જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતાં, ત્યારથી શરૂ થયેલી છે, અને ભૂગર્ભ જળ રિચાર્જ માટે તો દાયકાઓથ્ર્ી અભિયાનો ચાલી રહ્યા છે, તેમ છતાં ભૂગર્ભજળ વેડફાઈ રહ્યું હોય, બગડી રહ્યું હોય, અને બરબાદ થઈને જ્યારે જીવસૃષ્ટિ પર જોખમ તથા જાહેર આરોગ્ય માટે ખતરો બની રહ્યું હોય, ત્યારે માત્ર સરકાર જ નહીં, વિપક્ષો તથા તદ્વિષયક એનજીઓના સંચાલકોએ પણ જાગૃત થવાની જરૂર છે, ખરૃં ને?

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

એક્ઝિટ પોલ્સ એટલે માત્ર અંદાજ ચાર દિન કી ચાંદની, ફીર અંધેરી રાત? કઈ પાર્ટીને આત્મમંથન કરવું પડશે? જસ્ટ વેઈટ એન્ડ વોચ...

દિલ્હીની વિધાનસભાની ચૂંટણી માટે મતદાન ગઈકાલે સંપન્ન થયું અને તે પછી બહાર આવેલા એક્ઝિટ પોલ્સની ચર્ચા જ આજની હેડલાઈન્સમાં છે અને દિલ્હી વિધાનસભાની ચૂંટણીઓમાં વર્ષ ર૦૧૩ પછી વર્ષ ર૦૧પ, ર૦ર૦ અને લોકસભાની વર્ષ ર૦૧૯ તા. વર્ષ ર૦ર૪ ની ચૂંટણીઓના એક્ઝિટ પોલ્સ તથા વાસ્તવિક પરિણામોની સરખામણી કરીને આ વખતે એક્ઝિટ પોલ્સ કેટલા સાચા પડશે અને કેટલા ખોટા પડશે, તેના અનુમાનો પણ થઈ રહ્યા છે.

રાજકીય પક્ષો તો પોતપોતાની અનુકૂળતા પ્રમાણે આ એક્ઝિટ પોલ્સના અર્થઘટનો કરતા હોય છે, પરંતુ આ વખતે મોટા મોટા રાજકીય પંડિતો પણ માથુ ખંજવાળી રહ્યા હશે, કારણ કે દિલ્હીની જનતા હંમેશાં વિધાનસભા તથા લોકસભા માટે વિરોધાભાસી જનાદેશ આપતી રહી છે.

હકીકતે વર્ષ ર૦૧૪ માં કેન્દ્રમાં ભાજપને જનાદેશ મળ્યો, તે પહેલા વર્ષ ર૦૧૩ માં અન્ના આંદોલન થયું હતું અને તે સમયની યુપીએ સરકારના કેટલાક મંત્રીઓ સામે ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા હતાં. તે પછી વર્ષ ર૦૧૩ માં દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં તત્કાલિન મુખ્યમંત્રી શીલા દિક્ષીત સામે ગંભીર આક્ષેપો લગાવીને અને આમ આદમી પાર્ટીની રચના કરીને કેજરીવાલે દિલ્હી વિધાનસભાની ચૂંટણી લડી હતી, જેમાં કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાયો હતો, અને કોઈપણ પક્ષને બહુમતી નહીં મળતા ભાજપને દિલ્હીમાં સત્તાથી દૂર રાખવા કોંગ્રેસે આમ આદમી પાર્ટીને ટેકો આપ્યો હતો અને કેજરીવાલ મુખ્યમંત્રી બન્યા હતાં, જો કે તે સરકાર અલ્પજીવી નિવડી હતી અને કેજરીવાલે રાજીનામું આપી દેતા દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન આવ્યું હતું. બીજી તરફ વર્ષ ર૦૧૪ માં કેન્દ્રમાં ભાજપના નેતૃત્વમાં એનડીએની સરકાર રચાઈ હતી, અને નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા હતાં. તે પછી વર્ષ ર૦૧પ માં દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ૭૦ માંથી ૬૮ બેઠકો જીતીને બમ્પર વિજય સાથે દિલ્હીમાં સરકાર રચી હતી, અને અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી બન્યા હતાં.

તે પછી યમુનામાં ઘણાં પાણી વહી ગયા છે. વર્ષ ર૦૧પ પછી વર્ષ ર૦૧૯ ની લોકસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને લોકસભાની દિલ્હીની એક પણ બેઠક મળી નહીં, પરંતુ વર્ષ ર૦ર૦ માં દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને ફરીથી બમ્પર જનાદેશ મળ્યો અને ૭૦ માંથી ૬ર બેઠકો મેળવીને કેજરીવાલ ફરીથી મુખ્યમંત્રી બન્યા હતાં. આ તમામ હિસ્ટ્રી એ પૂરવાર કરે છે કે દિલ્હીની જનતાએ કેન્દ્ર માટે ભાજપ (મોદી) અને દિલ્હી રાજ્ય માટે આમ આદમી પાર્ટી (કેજરીવાલ) ને છેલ્લા એક દાયકાથી પસંદ કર્યા છે, અને દિલ્હીના મતદારો લોકસભા અને વિધાનસભા માટે અલગ અલગ જનાદેશ આપે છે. આમ આદમી પાર્ટીને વિશ્વાસ છે કે આ વખતે પણ દિલ્હીના મતદારો જબ્બર જનાદેશ આપશે. બીજીતરફ ભાજપ પણ આ વખતે બહુમતીનો દાવો કરી રહ્યું છે.

કેન્દ્રમાં ભાજપને હરાવવા વર્ષ ર૦ર૪ ની લોકસભાની ચૂંટણીમાં ઈન્ડિયા ગઠબંધન બન્યું, પરંતુ તે પછી અત્યારની દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સામે ભાજપ ઉપરાંત કોંગ્રેસ પણ લડી રહી છે. તેથી ત્રિપાંખિયો જંગ છે. તે ઉપરાંત છેલ્લા પાંચ વર્ષમાં કેજરીવાલે ઘણાં રંગ બદલ્યા, શરાબ કૌભાંડના માત્ર આક્ષેપો નહીં, કાનૂની કાર્યવાહી થઈ અને વર્ષ ર૦૧૩ થી વર્ષ ર૦રપ વચ્ચે ઘણાં દિગ્ગજો 'આપ' પાર્ટીને છોડી ચૂક્યા છે, અને ભ્રષ્ટાચાર ઉપરાંત મહિલાઓ વિરોધી નીતિરીતિના અક્ષેપો તથા સ્વાતિ માલીવાન પ્રકરણ સુધીના ઘટનાક્રમોના કારણે પણ આમ આદમી પાર્ટીને પહેલા જેવો બમ્પર જનાદેશ નહીં મળે, તેવું તો બધા સ્વીકારે છે, પરંતુ તેની સરકાર જ નહીં બને, તેવા અભિપ્રાયો સર્વસ્વીકૃત નથી. ઘણાં લોકો માને છે કે દિલ્હીમાં કેજરીવાલ સરકારની લોકપ્રિયતા હજુ એટલી નામશેષ થઈ ગઈ નથી કે તેને સત્તા ગુમાવી પડે. ઘણાં લોકો ભાજપની સરકાર રચાશે, તેવું માને છે, તો એક વર્ગ એવો પણ છે કે જે માને છે કે ચોંકાવનારા પરિણામો આવશે, અને બે બિલાડીની લડાઈમાં વાંદરો ફાવી જાય, તે કહેવત જેવું કાંઈક પરિણામ આવશે.

આ તમામ ઘટનાક્રમો વચ્ચે ગઈકાલે દસ-બાર એક્ઝિટ પોલ્સ આવ્યા તેમાં પણ મતમતાંતરો છે, અને અડધોઅડધ એક્ઝિટ પોલ્સ 'આપ'ને પુનઃ સત્તા મળશે, પરંતુ વર્ષ ર૦૧પ અને વર્ષ ર૦ર૦ જેટલી બેઠકો નહીં મળે, તેવા તારણો આપે છે, જ્યારે એટલા જ બીજા એક્ઝિટ પોલ્સ આ વખતે ભાજપને જનાદેશ મળશે, તેવા અનુમાનો આપે છે.

આ એક્ઝિટ પોલ્સને સાંકળીને આ પહેલા દિલ્હીની વિધાનસભાની ચૂંટણીઓમાં થયેલા એક્ઝિટ પોલ્સ કેટલા સાચા પડ્યા હતાં અને કેટલા ખોટા પડ્યા હતાં, તેની સરખામણી પણ થઈ રહી છે, અને દિલ્હી વિધાનસભાની ચૂંટણીઓને લઈને થતા અનુમાનો આ પહેલા પણ સચોટ ઠર્યા નહોતા, તેથી સાચી ખબર તો આઠમી ફેબ્રુઆરીના જ પડશે, જો કે મોટાભાગના એક્ઝિટ પોલ્સ ભાજપ અને આમ આદમી પાર્ટીનેે મળનારી બેઠકો વચ્ચેનો સાંકડો તફાવત દેખાડે છે અને ભાજપ તરફ ઝોકદર્શાવે છે, તેથી ચોક્કસ કાંઈ કહી શકાય નહીં.

આ એક્ઝિટ પોલ્સમાં કોંગ્રેસનું વિજયનું સપનું સાકાર થવું, તો દૂર રહ્યું, પરંતુ માત્ર એકાદ-બે બેઠકો મળતી દર્શાવે છે, જેથી આ એક્ઝિટ પોલ્સ મુજબનું પરિણામ આવે, તો કોંગ્રેસે વર્ષ ર૦૧૩ માં 'આપ'ને ટેકો આપ્યો, અને તે પછી વર્ષ ર૦ર૪ માં અન્ય પક્ષો માટે પોતાની બેઠકો ઘટાડીને સેક્રીફાઈસ કર્યું તેને ભૂલી ગણીને આત્મમંથન કરવું પડે તેમ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

દ્વારકાથી દિલ્હી સુધી ચૂંટણીનો માહોલ, કૌન જીતેગા?... કૌન હારેગા?

આજે દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો નથી અને વસતિ-વિસ્તારની દૃષ્ટિએ નાનકડુ સ્ટેટ છે, પરંતુ દેશની રાજધાની હોવાથી વિધાનસભાની ચૂંટણીનું મહત્ત્વ વધી જાય છે. તે ઉપરાંત છેલ્લી બે ટર્મથી 'વટ'થી અને જંગી બહુમતીથી જીતી રહેલી આમ આદમી પાર્ટી વિશ્વની સૌથી મોટી ગણાવાતી ભારતીય જનતા પાર્ટીને હંફાવી રહી છે, તે કારણે દિલ્હી વિધાનસભાની ચૂંટણી અન્ય રાજ્યોની સરખામણીમાં કાંઈક અલગ જ પ્રકારની રાજનીતિ અને રસાકસી ઊભી કરતી હોય છે. તેમાં પણ આ વખતે કોંગ્રેસે સક્રિયતાથી ચૂંટણીમાં ઝંપલાવતા આ ચૂંટણી વધુ રસપ્રદ અને રસાકસી ઉપરાંત ચોંકાવનારા પરિણામો લાવનારી પણ બની શકે છે.

ચૂંટણી માટે મતદાનના દિવસ પહેલા જ ભાજપને જબ્બર ઝટકો લાગ્યો અને દિલ્હીમાં દાયકાઓથી ભાજપ માટે દિવસ-રાત એક કરીને કામ કર્યું હોવાના દાવા સાથે ભાજપના દિગ્ગજ ગણાતા એક નેતાએ રાજીનામું આપી દીધું અને આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા. દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાની ઉસ્થિતિમાં તેમણે જે કાંઈ કહ્યું છે, તેનો સારાંશ એવો નીકળે છે કે ભારતીય જનતા પક્ષે એક એવા ઉમેદવારને દિલ્હીની વિધાનસભામાં ટિકિટ આપી છે, જે કાર્યકરની ક્ષમતા પણ ધરાવતો નથી. ટૂંકમાં ભાજપમાં નિષ્ઠાપૂર્વક વફાદારીપૂર્વક વર્ષોથી કામ કરનારાઓની કદર થતી નથી, અને અન્યાય થાય છે, તેવા મતલબની આ નારાજગી કદાચ ભાજપમાં ટોપ ટુ બોટમ સુધી પ્રગટી રહી છે અને તેની અવગણના થઈ રહી છે, તેવા તારણો પણ નીકળી રહ્યા છે. દિલ્હીના એ નેતા જેવી જ વાતો છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં પણ થઈ રહી છે, અને તેની અસરો રાજ્યની વર્તમાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પર થઈ શકે છે. ગુજરાતમાં પણ ભાજપના જુના અને નિષ્ઠાવાન-વફાદાર કાર્યકર્તાઓની અવગણના થઈ રહી હોવાની રાવ ઊઠી રહી છે અને કેટલાક જિલ્લાઓમાં તો આ આંતરિક અસંતોષ એટલી હદે સપાટી પર આવી ગયો છે કે ખુલ્લેઆમ આક્ષેપો-પ્રતિઆક્ષેપો થઈ રહ્યા છે, અને પત્રિકાયુદ્ધ તથા સોશ્યલ મીડિયાના માધ્યમથી એકબીજા પર કાદવ ઉછાળવામાં આવી રહ્યો છે. આગામી સમયમાં આ છૂટોછવાયો અસંતોષ, નારાજગી અને અગણના વિદ્રોહમાં ફેરવાઈ જાય તે પહેલા ડેમેજે કંટ્રોલ કરવાની દિશામાં હવે દિલ્હીની ચૂંટણી સંપન્ન થયા પછી હવે હાઈકમાન્ડ ધ્યાન આપશે, તેવો આશાવાદ પણ સેવાઈ રહ્યો હોય તેમ જણાય છે.

આજે દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે અને તે દરમિયાન જે કાંઈ બની રહ્યું છે, તે આપણી નજર સામે જ છે. આક્ષેપો-પ્રતિઆક્ષેપો, ફરિયાદો તથા કાવાદાવા વચ્ચે છેલ્લી ઘડીના દાવપેચ અજમાવાઈ રહ્યા હોય તેમ નાથી લાગતું?

દિલ્હીમાં ભાજપની જેમ આંતરિંક સંતોષ આમ આદમી પાર્ટીમાં પણ છે, પરંતુ તે સપાટી પર અવી રહ્યો નથી. આ બન્ને પક્ષોની સરખામણીમાં આ વખતે કોંગ્રેસ એકજુથ થઈને લડી રહી હોય, તેમ જણાય છે, જો કે કોંગ્રેસને ગુમાવવા જેવું કાંઈ નથી, પરંતુ ભાજપ-આમ આદમી પાર્ટીથી વિમુખ થયેલા મતદારોનું સમર્થન મળી જાય તો દિલ્હીમાં કોંગ્રેસ માટે આ વખતે રિવાઈવલ (પુનઃ મજબૂત) થવાની ઉજળી તકો છે, તેમ નથી લાગતું?

ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ મુખ્ય મુકાબલો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે. કેટલાક સ્થળે અન્ય પક્ષોના ઉમેદવારો ઉપરાંત કેટલાક મજબૂત અપક્ષ ઉમેદવારો પણ મેદાનમાં છે, ત્યારે ૧૬ મી ફેબ્રુઆરી સુધીમાં થનારા પ્રચાર પર સૌની નજર મંડાયેલી છે.

જામનગર જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું ચિત્ર પણ સ્પષ્ટ થઈ ગયું છે, અને આ નગરપાલિકાાઓમાં કેટલીક બેઠકો બિનહરિફ પણ થઈ છે. જિલ્લાની જામજોધપુર, ધ્રોળ અને કાલાવડ નગરપાલિકાની ચૂંટણીઓમાં ફોર્મ ચકાસણી અને ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની મુદ્ત પૂરી થયા પછી કુલ ર૩ર ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત બહુજનસમાજની પાર્ટી અને આમ આદમી પાર્ટી તથા કેટલાક સ્થળે અપક્ષ ઉમેદવારો પણ ફાઈટ આપી રહ્યા હોવાથી ત્રણેય નગરપાલિકાઓની ચૂંટણી રસપ્રદ બનવાનીછે. બીજી તરફ દ્વારકા-ભાણવડ-સલાયા નગરપાલિકાઓની ચૂંટણીઓનું ચિત્ર સ્પષ્ટ થયા પછી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ ચૂંટણી પ્રચાર ધમધમવા લાગ્યો છે. ત્રણ નગરપાલિકાઓ પૈકી સલાયામાં સૌથી વધુ ઉમેદવારો મેદાનમાં હોવાની પણ ચર્ચા છે.

હાલારમાં ત્રણ નગરપાલિકાઓ ઉપરાંત તાલુકા-જિલ્લા પંચાયતની ચૂંટણી-પેટાચૂંટણીઓમાં ઉતાર-ચઢાવ થતા રહ્યા છે. રાજ્યમાં ત્રણ દાયકાથી સત્તારૂઢ ભારતીય જનતા પક્ષનું પ્રભૂત્વ હોવા છતાં પાટીદાર આંદોલન પછી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપનું ધોવાણ થયું અને ભારે પછડાટ લાગી હતી, પરંતુ તે પછી ભાજપે જોરદાર કમબેક કર્યું અને ફરીથી મોટાભાગની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભગવો લહેરાયો હતો. જોઈએ, આ વખતે મતદારોનો જનાદેશ કોને મળે છે તે...

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ભય, ભૂખ, ભ્રષ્ટાચાર નાબૂદી અને 'ઈમાનદારી'નું સૂત્ર ભૂલાયું? જાયે તો જાયે કર્હાં...?

ભય, ભૂખ અને ભ્રષ્ટાચારની નાબૂદીના સૂત્ર સાથે ત્રણ દાયકા પહેલા ગુજરાતમાં સત્તારૃઢ થયેલી ભારતીય જનતા પાર્ટીમાં એક તરફ આંતરિક અસંતોષનો ચરૃ ઉકળી રહ્યો છે, તો બીજી તરફ પ્રાદેશિક અને રાષ્ટ્રીય કક્ષાએ પણ પક્ષની કાર્ય પદ્ધતિ, શિસ્ત અને ચૂંટણીમાં ટિકિટોની ફાળવણીને લઈને અંદરથી જ સવાલો ઉઠવા લાગ્યા છે... અમરેલીમાં આંતરિક ખેંચતાણ એટલી વધી ગઈ છે કે રાષ્ટ્રીય કક્ષાના એક દિગ્ગજ નેતાએ તો પોતાના સહિત કેટલાક નેતાઓના નાર્કો ટેસ્ટ કરવાની વાત કરી છે, તો ડો. ભરત કાનાબારે તો જાહેરમાં એવી વાત વહેતી મૂકી છે કે ભાજપમાં માત્ર જીતી શકે તેવા અને જ્ઞાતિના સમિકરણોને ધ્યાને લઈને પસંદ કરાયેલા દાવેદારોને જ ચૂંટણીઓમાં ટિકિટ ફાળવાય છે, અને સિનિયોરિટી, નિષ્ઠા કે વફાદારીનો કોઈ ભાવ જ પૂછાતો નથી વગેરે...વગેરે...

એક તરફ ડો. ભરત કાનાબારે સોશ્યલ મીડિયાના માધ્યમથી વહેતી ચૂકેલી આ વાતોની ચર્ચા થઈ રહી છે, તો બીજી તરફ તાજેતરમાં જ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે 'ભાજપમાં દલાલો વધી ગયા છે' તેવું જે નિવેદન આપ્યું છે, તે પણ ચર્ચાના કેન્દ્રમાં છે.

બીજી તરફ દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીઓમાં મતદારોમાં ભય ફેલાવીને તથા મતદારયાદીમાં ગરબડ તથા નાણાના જોરે ચૂંટણી જીતવાનો પ્રયાસ કરી રહ્યું હોવાના અરવિંદ કેજરીવાલે પણ આક્ષેપો લગાવ્યા છે. આમ, ભય ફેલાવીને સત્તાની ભૂખ સંતોષવાના પ્રયાસો થઈ રહ્યા હોવાના કટાક્ષ સાથે ભાજપને ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર નાબૂદીનું સૂત્ર યાદ કરાવાઈ રહ્યું છે.

જો કે, ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર સામે લડવાના બદલે ભાજપ અને આમ આદમી પાર્ટી બન્ને ચૂંટણી જીતવા અવનવી તરકીબો અજમાવી રહ્યા છે તેવા આક્ષેપો કોંગ્રેસે દિલ્હીમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કરતા ત્યાં ત્રિપાંખિયો જંગ વધુ રોમાંચક અને રસાકસીભર્યો બન્યો છે.

ગાંધીનગર એસીબીએ તાજેતરમાં જમિયતપુરા નજીક આવેલા ડ્રાય પાર્ટના ઈનલેન્ડ કન્ટેનર ડિપોમાં કામ કરતા ત્રણ કસ્ટમ કર્મીઓની ધરપકડ કરી તેની પૂછપરછ દરમિયાન ભયંકર ભ્રષ્ટાચારની ચોંકાવનારી વિગતો બહાર આવી અને ભ્રષ્ટાચારની નિયત કરેલી રકમનું પ્રાઈસ લિસ્ટ અને તેના ઉઘરાણા માટે ભ્રષ્ટ અધિકારી-કર્મચારીઓએ સમાંતર તંત્ર ઊભું કર્યું છે. એટલું જ નહીં કન્ટેનર દીઠ નક્કી કરેલી રકમ ઉઘરાવવા (અંગત રીતે) માણસો પણ રોક્યા છે. કન્ટેનર કલીયરન્સ માટે નક્કી થયેલા ભાવો મુજબ ઉઘરાણી કરતી આ સમાંતર 'સિસ્ટમ' રોકડાનું સોનાના સ્વરૃપમાં (ગોલ્ડ પેમેન્ટ!!) સ્વીકારતી (ઉઘરાવતી) હોવાના તથા જે વેપારી લાંચ-રૃશ્વતની રકમ ન ચૂકવે તેના કન્ટેનરના ક્લીયરન્સને અટકાવી દેવાના ચોંકાવનારા ખુલાસા પણ થયા છે. આથી સ્વાભાવિક રીતે જ સામાન્ય લોકોને એવું લાગે છે કે ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર હટાવવાનું સૂત્ર હવે વિસરાઈ ગયું છે અને આ 'સડો' જ પાર્ટીમાં આંતરિક અસંતોષ કરાવી રહ્યો હોઈ શકે છે.

આમ તો, આ રીતે ભ્રષ્ટાચારના ભાવબાંધણા થતા હોય અને ઉઘરાણા થતા હોય, તે કોઈ નવી વાત નથી. કેટલાક અધિકારી-કર્મચારીઓ તો પોતે નિવૃત્ત થઈ ગયા પછી પણ પોતે નિવૃત્તિ પહેલા જ્યાં ફરજ પર હતાં, ત્યાંના 'ભાવબાંધણા' મુજબ હપ્તા કે ભ્રષ્ટાચારના 'બાકી' રહી ગયેલા નાણા વસૂલવા ઉઘરાણી કરતા હોવાની ગુસપુસ પણ ઘણી વખત સંભળાતી હોય છે, તેથી હવે ભ્રષ્ટાચારને એક પ્રકારે 'શિષ્ટાચાર' જ થઈ ગયો હોય તેમ નથી લાગતું?

જો દિલ્હીમાં કેજરીવાલ એન્ડ કાું. પર શરાબકાંડના લાગેલા આક્ષેપોમાં થોડુંક પણ તથ્ય હોય, તો એમ કહી શકાય કે હમામ મેં સબ નંગે હૈ... કોઈનો ભરોસો થાય તેમ નથી... યુપીએ સરકાર સામે ભ્રષ્ટાચારના જોરદાર આક્ષેપો કરીને પ્રથમ વખત એ જ યુપીએના મુખ્ય પક્ષ કોંગ્રેસના ટેકાથી સરકાર રચનાર કેજરીવાલ એ જ કોંગ્રેસ સામે, એક વખત ફરીથી દિલ્હીમાં ચૂંટણી લડી રહી છે, જોઈએ, હવે શું થાય છે તે...

ગઈકાલે સંસદમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ જે સટાસટી બોલવી ત પછી રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચાના વડાપ્રધાનના આજના જવાબ પર સૌની નજર મંડાયેલી હતી અને આ તમામ સંસદીય પ્રક્રિયાઓ, પ્રવૃત્તિઓ તથા પ્રવચનોની અસર દિલ્હીની વિધાનસભાની ચૂંટણીઓ પર કેટલી થશે, તે તો આવનારો સમય જ કહેશે, પરંતુ એક સમયે કોંગ્રેસનો સૂરજ સોળેકળાએ તપતો હતો, ત્યારે તેની સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કરીને સત્તામાં કેન્દ્રમાં આવેલા ભાજપ અને દિલ્હીમાં સત્તામાં આવેલ આમ આદમી પાર્ટી સામે પૂરી તાકાતથી મેદાનમાં ઉતરેલી કોંગ્રેસ પાર્ટી માટે પણ દિલ્હી વિધાનસભાની આ ચૂંટણી પ્રતિષ્ઠાનો જંગ છે.

ટૂંકમાં, રાજકીય પક્ષો ચૂંટણી ટાણે વાયદાઓ કરે, સૂત્રો વહેતા કરે કે મોટી મોટી વાતો કરે, અને ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર નાબૂદી, ગરીબી નાબૂદી, ગુંડાગીરી નાબૂદી, બેરોજગારી નાબૂદીના વચનો આપે, પરંતુ સત્તા પર આવ્યા પછી બધું ભૂલી જતા હોય છે. આથી જનતાએ કોનો ભરોસો કરવો? તેવો સવાલ ઊઠે ત્યારે ઓછા ભ્રષ્ટ, ઓછા નપાવટ અને ઓછા ખોટાબોલા નેતાઓની પસંદગીનો વિકલ્પ જ રહેને...?

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

મહિને લાખ રૂપિયા કમાવનારને ફાયદો, પણ બેરોજગારનું શું? કેન્દ્રિય બજેટનું પૃથક્કરણ...

શનિવારે કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમણે વર્ષ ર૦રપ-ર૬ નું બજેટ રજૂ કર્યું અને તે પછી તેનું પૃથકકરણ શરૂ થયું હોય તેમ વિવિધ પ્રત્યાઘાતો બે દિવસથી સામે આવી રહ્યા છે. જામનગર અને હાલાર સહિત રાજ્યના વિવિધ ક્ષેત્રો અને વર્ગોમાંથી પણ બજેટના મિશ્ર પ્રતિભાવો આવી રહ્યા છે, અને રાષ્ટ્રીય કક્ષાએ બજેટને લઈને રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે. નવાઈની વાત તો એ છે કે શનિવારે હજુ તો નાણામંત્રી બજેટ રજૂ કરી રહ્યા હતાં અને તેનું સમાપન પણ થયું નહોતુ, ત્યાં કેટલાક લોકો આ બજેટની વાહવાહી કે ટીકા કરવા લાગ્યા હતાં. હકીકતે બજેટ રજૂ થયા પછી તેનો થોડો-ઘણો પણ અભ્યાસ કરીને તેના પ્રતિભાવો અપાય કે પ્રત્યાઘાતો પડે, તો તેમાં વધુ તથ્ય તથા લોજીક હોય છે, પરંતુ બજેટ રજૂ થતા જ તેના પ્રત્યાઘાતોમાં વધારે પડતા વખાણ થવા લાગે કે તીવ્ર આલોચલના થવા લાગે, ત્યારે તેની પાછળની રાજકીય ગણતરીઓ ખુલ્લી પડી જતી હોય છે, ખરૃં કે નહીં?

જો કે બજેટ રજૂ થયા પછી આજે સડકથી સંસદ સુધી જે ટીકા-ટિપ્પણીઓ થઈ રહી છે અને તર્કો-અભિપ્રાયો રજૂ થઈ રહ્યા છે, તે જોતા આ તમામ કવાયતની ફલશ્રૂતિમાં બજેટનું પૃથકકરણ પરિણામદર્શી તથા સંસદમાં બજેટ પર થનારી લાંબી ચર્ચા માટે ઘણું જ ઉપયોગી નિવડશે, તેમ જણાય છે.

મોટાભાગે પાર્ટી લાઈનથી કાંઈક અલગ અને વાસ્તવલક્ષી નિવેદનો કરનાર કોંગી નેતા અને સંસદસભ્ય શશિ થરૂરે ગઈકાલે ખૂબ જ સચોટ પ્રત્યાઘાત આપ્યો હતો. એનડીએ સરકારે શનિવારે રજૂ થયેલા વર્ષ ર૦રપ-ર૬ ના બજેટના વખાણમાં લપેટીને તેમણે એક સણસણતો સવાલ પૂછ્યો, જે આજે સંસદના ગલિયારાઓ સુધી પડઘાયો છે.

દર વર્ષે ૧ર લાખ સુધીની આવક મેળવતા નાગરિકોને ઈન્કમટેક્સ ભરવો નહીં પડે, એટલે કે દર મહિને એક લાખ સુધીની આવક કે પગાર મેળવતા લોકોને ઘણી જ મોટી રાહત નાણામંત્રીએ આપી છે, અને આ કારણે પ્રામાણિકતાથી નોકરી-ધંધો કરીને ઈન્કમટેક્સ ભરતા મધ્યમ વર્ગ તથા નોકરિયાતોને ફાયદો થશે, તે અંતે પ્રશંસાત્મક સૂરમાં પ્રત્યાઘાત આપતા શશિ થરૂરે પૂછ્યું હતું કે આ કરરાહત આવકાર્ય છે, પરંતુ તે વર્ષે ૧ર લાખ સુધી કમાતા ધંધો-નોકરી કરતા લોકો માટે ફાયદાકારક છે, જ્યારે તેનાથી પણ વધુ જરૂર બેરોજગારોને નોકરી-ધંધો-રોજગારની છે, અને તેમના માટે બજેટમાં શું છે?

તેમણે કહ્યું કે, મધ્યમ વર્ગ માટે ટેક્સમાં ઘટાડો થાય તે સારી બાબત હોઈ શકે છે, અને જેની પાસે સારો ધંધો કે ઊંચા પગારની નોકરી છે, તેને હવેથી ટેક્સ નહીં ચૂકવવો પડે, અથવા ઓછો ચૂકવવો પડશે, પરંતુ મહત્ત્વનો પ્રશ્ન એ છે કે જેની પાસે નોકરી જ ન હોય, પગાર જ ન હોય, તો તેનું શું થશે, તેની કોઈ સ્પષ્ટતા જણાતી નથી. આ બજેટ સ્પીચમાં નાણામંત્રીના મોઢેથી બેરોજગારી કે મોંઘવારી દર જેવા શબ્દો જ સાંભળવા મળ્યા નથી, તેમ જણાવીને શશિ થરૂરે પછેડીમાં બાંધીને પાંચશેરી મારી હોય તેમ જણાય છે.

શશિ થરૂરે કેન્દ્રિય નાણામંત્રી પર બજેટમાં ભેદભાવભરી ફાળવણી કરી હોવાનો આક્ષેપ કરતા કહ્યું હતું કે, નાણામંત્રીએ ચૂંટણીઓમાં ભાજપ-એનડીએને ફાયદો થાય તે રીતે નાણાકીય ફાળવણી કરી છે. એનડીએના સાથીદાર પક્ષોનું શાસન હોય, તેવા બિહાર જેવા રાજ્યને વધુ ફાળવણી થઈ છે, જે આગામી વિધાનસભાની ચૂંટણીમાં ફાયદો કરાવી શકે છે.

એકંદરે સ્ટાન્ડર્ડ ડિડકશન સહિત હવે રૂ. ૧ર.૭પ લાખ એટલે કે ૧ર લાખ ૭પ હજારની વાર્ષિક આવક પર નોકરિયાતને ઈન્કમટેક્સ નહીં લાગે.

જો કે, નવો ઈન્કમટેક્સ કાયદો આવ્યા પછી આ મર્યાદાથી વધુ આવક મેળવનારને તો કરવેરો સમયોચિત રીતે ચૂકવવો જ પડશે, તેવું કહેવાય છે, પરંતુ તજજ્ઞોના અભિપ્રાયો મુજબ કેન્દ્ર સરકાર નવો કાયદો સંસદમાં રજૂ કરે, ત્યારે જ તેની પાછળના ઉદ્દેશ્યની ખબર પડશે, જસ્ટ વેઈટ એન્ડ વોચ...

અન્ય એક પૃથકકરણ મુજબ જો બાર લાખથી થોડીક આવક વધી જાય તો, ૬૧,પ૦૦ રૂપિયાનો ટેક્સ ચૂકવવો પડે તેવી સ્થિતિમાં ઈન્કમટેક્સ એક્ટની કલમ-(૭૮એ) હેઠળ રિબેટ બંધ થઈ જાય છે. એવું કહેવાય છે કે આવી સ્થિતિમાં માર્જિનલ રિલિફ લાગુ થશે, તેથી ૧ર લાખથી ૧ર લાખ ૭પ હજારની આવક સુધી રૂ. ૧૦ હજારથી ૭૧,રપ૦ રૂપિયા સુધીનો ટેક્સ લાગુ પડી શકે છે. આ બધી બાબતો વધુ સ્પષ્ટતાઓ માંગે છે, જેની ચર્ચા સંસદમાં થવાની જ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

કેન્દ્ર સરકારનું બજેટ...કહાં ખુશી કહાં ગમ? કહાં પે નિગાહે... કહાં પે નિશાના?

આજે સંસદમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ વર્ષ ર૦રપ-ર૬ નું બજેટ રજૂ કરી રહ્યા છે. ગઈકાલ સુધી કેન્દ્રિય બજેટમાં કેવી જોગવાઈઓ થશે, તેની અનેકવિધ અટકળો થઈ રહી હતી, તે પૈકી કેટલી અટકળો સાચી પડી અને કેટલી અટકળો યથાર્થ ઠરી નથી, તે પણ આપણી સામે આવી રહ્યું છે. આજે બપોર પછી આ બજેટના પ્રત્યાઘાતો પણ સામે આવી જશે.

ગઈકાલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના અભિભાષણમાં મોદી સરકારની ઉપલબ્ધિઓ ઉપરાંત ભવિષ્યની યોજનાઓ અંગે કેટલોક ઉલ્લેખ થયો હતો, જે આજના બજેટમાં પ્રતિબિંબિત થશે, તેવી ધારણા હતી તે ઉપરાંત ગઈકાલે રજૂ થયેલા આર્થિક સર્વેક્ષણમાં પણ વર્ષ ર૦રપ-ર૬ ને લઈને કરેલી ધારણાઓ આજે ચર્ચામાં છે.

ગઈકાલે કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમણે વર્ષ ર૦ર૪-રપ નો ઈકોનોમિક સર્વે સંસદના બન્ને ગૃહોમાં રજૂ કર્યો હતો. આ સર્વેક્ષણ મુજબ નાણાકીય વર્ષ ર૦રપ-ર૬ માં ૬.૩ થી ૬.૮ ટકાના દરે જીડીપીનું અનુમાન કરાયું છે. આ અનુમાન અંગે મિશ્ર પ્રત્યાઘાતો પડી રહ્યા છે અને આ ગતિ દુનિયાની ત્રીજી અર્થવ્યવસ્થાના સપનાને સાકાર કરવા માટે પર્યાપ્ત નથી, તેવા તારણો પણ નીકળી રહ્યા છે.

ઈકોનોમિક સર્વેમાં એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે, ઈકોનોમિક પ્લાનીંગ તથા સ્ટેબલ એક્સ્પેન્ડીચરના કારણે ભારતીય અર્થવ્યવસ્થાની બુનિયાદ વધુ મજબૂત બની છે, જેથી જાહેર ક્ષેત્રમાં મૂડીખર્ચ તથા દેશમાં ઔદ્યોગિક વિકાસની અપેક્ષાઓમાં સુધારો થતા ઈન્વેસ્ટમેન્ટ વધશે.

ઈકોનોમિક સર્વેમાં કેન્દ્ર સરકારે ઈકોનોમીની સ્થિરતા તથા પ્રોગ્રેસને ધ્યાને રાખીને ગત્ વર્ષે ઊઠાવેલા મહત્ત્વપૂર્ણ કદમનું વિવરણ પણ રજૂ કર્યું છે, જેમાં ઋતુચક્ર મુજબ ખાદ્ય પદાર્થોના બફરસ્ટોકમાં વધારો, શાકભાજીના ભાવોમાં ઘટાડો, ઓપન માર્કેટમાં ખાદ્ય ચીજોનો પુરવઠો વધારવા આયાતમાં ઢીલ આપવા જેવા પગલાંને સમયોચિત અને પરિણામલક્ષી ગણાવાયા છે, જો કે એવો અણસાર પણ અપાયો છેકે વેપાર (ટ્રેડ) માં અનિશ્ચિતતાઓ અને જીઓ-પોલિટિકલ પરિસ્થિતિઓના ઉતાર-ચઢાવ આર્થિક વિકાસ માટે અવરોધક બન્યો હતો.

આ અનુભવોને ધ્યાને લઈને આગામી નાણાકીય વર્ષ (ર૦રપ-ર૬) માટે ભારતીય અર્થતંત્રને મજબૂત બનાવા અને ઈકોનોમિકલ પોટેન્શિયલ (આર્થિક સંભાવનાઓ) ને સંતુલન રાખવા માટે લેવાયેલા કેટલાક પગલાંની વિગતો પણ રજૂ થઈ છે.

આ ઈકોનોમિક સર્વેમાં પણ દેશમાં છેક છેવાડાના વર્ગો તથા વિસ્તારો સુધી વૈશ્વિક પ્રતિસ્પર્ધાત્મક્તા તથા સંરચનાત્મક રિફોર્મ્સની જરૂર પણ જણાવાઈ છે, જે ઘણી જ સૂચક છે.

મોંઘવારી અટકાવવા વિકસતી અર્થવ્યવસ્થા ધરાવતા દેશોમાં ખાદ્ય ઉપજમાં બદલવા લાવીને ભાવવધારા પર અંકુશ લાવવાના વૈશ્વિક પ્રયાસોનો અડક્તરો ઉલ્લેખ કરીને આગામી નાણાકીય વર્ષમાં ભૌગોલિક, પોલિટિકલ અને સંયોગાત્મક તણાવના જોખમો પણ આ સર્વેમાં વર્ણાવાયા છે, અને જીવનજરૂરીચીજોના ભાવો પહેલેથી જ ઊંચા હોવાથી હવે ભાવવધારાનું રિસ્ક ઘટી રહ્યું હોવાનો કટાક્ષ પણ થઈ રહ્યો છે.

આ ઈકોનોમિક સર્વેમાં દેશમાં આઈ.ટી. ક્ષેત્રે મળેલી સફળતા તથા સ્વચ્છ ભારત અભિયાન જેવા કાર્યક્રમો થકી મૂળભૂત સુવિધાઓમાં થયેલા સુધારા તથા કૃષિસુધારનો ઉલ્લેખ કરીને ઋતુચક્ર મુજબ ખેત-ઉત્પાદનો વધારીને અને ખાસ કરીને ડુંગળી, દાળ, ટમેટા જેવી કાયમી જરૂરિયાતોના ઉત્પાદનોમાં જંગી વધારો કરવાની જરૂર પણ જણાવાઈ છે.

આર્થિક સર્વેક્ષણમાં જીએસટી કલેક્શનમાં ૧૧ ટકાના વધારાનો અંદાજ સૂચવાયો, તે ચાલુ વર્ષના બજટમાં કેટલો પ્રતિબિંબિત થાય છે, અને વર્ષાંતે વાસ્તવમાં જીએસટીના માધ્યમથી કેન્દ્ર તથા રાજ્ય સરકારોને કેટલી આવક થઈ, તેના અંદાજો પર આધારિતા ખર્ચના અંદાજો પણ રખાયા હશે. આ વખતે બજેટમાં રજૂ થઈ રહેલા મહત્ત્વપૂર્ણ ફેરફારોનું પણ વિશ્લેષણ થવા લાગ્યું છે.

આર્થિક સર્વેક્ષણોના અંદાજોને અનુરૂપ વૈશ્વિક તથા રાષ્ટ્રીય કક્ષાની સંસ્થાઓના જીડીપી ગ્રોથના અંદાજો વચ્ચે પણ મેન્યુફેક્ચરીંગ સેક્ટરની નબળાઈનો ઉલ્લેખ થઈ રહ્યો છે, જો કે ગત્ વર્ષે સર્વિસ સેક્ટરનો ગ્રોથ ૭.૧ ટકા નોંધાયો હતો. નિકાસમાં પ.૬ ટકાનો છમાસિક વધારો અને આયાતમાં ૭.૭ ટકાનો વધારો પણ આર્થિક ક્ષેત્રના નિષ્ણાતો તથા નાણાવિભાગ માટે મહત્ત્વપૂર્ણ છે.

એકંદરે આર્થિક સર્વેક્ષણનો રિપોર્ટ ભલે મુખ્યત્વે દેશની આર્થિક પ્રગતિ અને આવતા વર્ષની ઉજળી સંભાવનાઓનું ચિત્ર રજૂ કરતો હોય, પરંતુ આ જ અહેવાલમાં કેટલીક નબળાઈઓ, કેટલાક પડકારો તથા જોખમોને પણ પરોક્ષ રીતે દર્શાવી દેવામાં આવ્યા છે, જેને વિપક્ષો દ્વારા વર્તમાન સરકારની નિષ્ફળતા તથા અણઆવડત ગણાવી રહ્યા છે.

આજે સંસદમાં રજૂ થઈ રહેલું કેન્દ્રિય બજેટ લોકોની અપેક્ષાઓ, વિવિધ ક્ષેત્રોની આકાંક્ષાઓ તથા ખાસ કરીને ગરીબ-મધ્યમ વર્ગની જરૂરિયાતોને લઈને કેટલું ખરૃં ઉતર્યું છે, તેનું આજે પૂરેપૂરા બજેટનો અભ્યાસ કર્યા પછી વાસ્તવિક વિશ્લેષણ થશે, પરંતુ મુખ્ય મુખ્ય જોગવાઈઓ તથા પ્રસ્તાવોના અહેવાલો આવવા લાગ્યા છે. જેથી ક્યાં ખુશી છવાઈ અને ક્યાં થોડી નિરાશા અથવા ગમનો માહોલ છે, તેની ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે. નાણામંત્રી દ્વારા રજૂ થયેલા બજેટમાં થયેલી જોગવાઈઓ દિલ્હી વિધાનસભા ઉપરાંત નજીકના સમયમાં આવી રહેલી ચૂંટણીઓને કેટલી પરોક્ષ અસરો કરશે, તેની ચર્ચા પણ થવા લાગી છે. તેથી એવો કટાક્ષ પણ થઈ રહ્યો છે કે 'કહાં પે નિગાહ કહાં પે નિશાના?'

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

મનપાનું ડ્રાફ્ટ બજેટ કે ડ્રામેટિકલ બજેટ? સંસદના બજેટ સત્રમાં શું થશે? રાષ્ટ્રીય ચર્ચામાં બજેટ મોખરે?

મહાકુંભમાં કરોડો લોકોના સ્નાનના અહેવાલોની સાથે સાથે ત્યાંની વ્યવસ્થાઓ તથા અદાલતની અટારી તથા ન્યાયિક તપાસ સુધી પહોંચેલો તાજેતરની ભાગદોડનો મુદ્દો પણ આજથી શરૂ થઈ રહેલા સંસદીય સત્રમાં ચર્ચાનો મહત્ત્વનો મુદ્દો બની જશે, તેવા એંધાણ પહેલેથી જ વર્તાઈ રહ્યા છે.

બીજી તરફ અમેરિકાના જંગી બહુમતથી ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જે ધડાધડ નિર્ણયો લઈ રહ્યા છે, તેની ભારત તથા ભારતીયોને કેટલીક અસરો થશે, તેની ચર્ચા વચ્ચે અમેરિકાની નેશનલ ઓશનિક એન્ડ એટમોસફિયરિક એડમિનિસ્ટ્રેશન નામની સરકારી એજન્સીએ પણ ભારત સહિત સમગ્ર વિશ્વમાં હલચલ મચાવી દીધી છે.

આ તદ્ન તાજી વોર્નિંગ મુજબ સૂર્યનારાયણ જાણે કોપાયમાન થયા હોય તેમ સૂર્યની સપાટી તથા બાહ્ય કિનારાઓ (કોરોના) માં વિરાટ કોરોનલ હોલ સર્જાયો છે. સૂર્યના બાહ્ય વાતાવરણની વચ્ચે વિશાળ કદનું કાળુ ધાબુ સર્જાયું છે, તેને કોરોનલ હોલ કહે છે. સૂર્યના બાહ્ય વાતાવરણમાં પાંચ લાખ માઈલ એટલે કે લગભગ ૮૦ હજાર કિલોમીટરનો આ કોરોનલ હોલ સર્જાતા તેની ભયાનક અસરો ગ્રહમંડળને થઈ શકે છે, અને પૃથ્વી પર સૌર તોફાનોનું સંકટ સર્જાઈ શકે છે તેવી સંભાવનાઓ પછી પૃથ્વી પર આજે રેડિયો બ્લેક આઉટ સાથે વાતાવરણને ગંભીર અસરો પહોંચી શકે છે. આ કારણે વીજ ઉપકરણો તથા સંદેશા વ્યવહારને માઠી અસર પહોંચે તેવી ચેતવણી અપાતા પૃથ્વી પર તંત્રો સાબદા થયા છે. બીજીતરફ કેટલીક સેટેલાઈટ (ઉપગ્રહો) ને ક્ષતી પહોંચે કે સળગી ઊઠે તેવી સંભાવનાઓ દર્શાવાઈ હોવાથી વૈજ્ઞાનિકો, ખગોળશાસ્ત્રીઓ તથા સંબંધિત સરકારી તંત્રો આજે આકાશ તરફ મીટ માંડીને ગહન નિરીક્ષણ કરી રહ્યા છે, તો ભારતમાં દેશવાસીઓની નજર દિલ્હી                      તરફ મંડાયેલી છે.

દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ગરમાગરમી વચ્ચે મહાકુંભમાં ઉમટતા કરોડો લોકો તથા તાજેતરની ભાગદોડના અહેવાલો તો છવાયેલા જ છે, પરંતુ તેની સાથે સાથે આજથી શરૂ થઈ રહેલા સંસદીય સત્ર પર પણ દેશવાસીઓની નજર મંડાયેલી છે. આવતીકાલે સંસદમાં કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમણ કેવું બજેટ રજૂ કરશે, ક્યા વર્ગને રાહતો મળશે, કઈ કઈ નવી યોજનાઓ લોન્ચ થશે, તથા આ બજેટ સત્રમાં સરકાર ક્યા ક્યા બિલો પસાર કરાવવાનો પ્રયાસ કરશે, તેની ચર્ચા પણ 'ટોક ઓફ ધ નેશન' બની છે.

આજની એન.ડી.એ.ની બેઠક, સર્વપક્ષિય બેઠક, રાષ્ટ્રપતિનું અભિભાષણ અને તેના પર થનારી ચર્ચા તથા મોંઘવારી, બેરોજગારી, ગરીબી અને ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓ અંગે રાજકીય પક્ષોની રણનીતિને લઈને પણ દેશભરમાં ટીકા-ટિપ્પણીઓ થઈ રહી છે. મહાકુંભ મેળામાં ભાગદોડના મુદ્દે શોર-બકોર હોબાળા વચ્ચે અન્ય મહત્ત્વના મુદ્દાઓ હાંસિયામાં ધકેલાઈ જશે તથા રાબેતામુજબ સરકાર હોકારા, પડકારા, દેકારા, હંગામા વચ્ચે પણ કેટલાક મહત્ત્વપૂર્ણ બિલો બન્ને ગૃહોમાં રજૂ કરી દેશે, અને તે પૈકી સિલેકટેડ પ્રસ્તાવો કે બિલો પસાર પણ કરાવી લેશે, તેવા અનુમાનો પણ થઈ રહ્યા છે. ખાસ કરીને જેપીસીએ મંજુર કરી દીધેલું વકફ (સુધારેલુ) બિલ સંસદમાં પાસ કરાવવાનો પણ સરકારનો ભરપૂર પ્રયાસ હશે, તેવા સંકેતો જોતા આખું બજેટસત્ર હંગામેદાર રહેવાની સંભાવના છે.

ગયા સત્રમાં પેન્ડીંગ રહી ગયેલા ૧૦ બિલો, ફાયનાન્સ બિલ-ર૦રપ અને ઈમીગેશન એન્ડ ફોરેનર્સ બિલ પણ આ સત્રમાં મૂકાશે, તે ઉપરાંત ધ પ્રોટેક્શન ઓફ ઈન્ટરેસ્ટ્સ ઈન એરક્રાફ્ટ ઓબ્જેક્ટ્સ બિલ, ત્રિભુવન સહકારી બિલ સહિતના અન્ય કેટલાક નવા બિલો પણ આ સત્ર દરમિયાન રજૂ થઈ શકે છે.

એવા અહેવાલો આવ્યા છે કે, સુરક્ષા બાબતોની કેબિનેટ કમિટીએ એરિયા ડિનાયલ મ્યુનિશન તથા પિનાકા રોકેટ વિગેરે ઉપકરણો સહિત રૂ. દસ હજાર કરોડથી વધુ કિંમતનો દારૂગોળો સ્વદેશી હથિયારોની પ્રણાલીને વેગ આપવાના ઉદ્દેશ્યથી ખરીદવાની મંજુરી આપી દીધી છે. આ મંજુરી મુજબ પિનાકા રોકેટની ૧ર૦ કિ.મી.નું મારક ક્ષમતાનું પ્રથમ પરીક્ષણ થયા પછી પડોશી દેશોની સરહદો પરથી આક્રમક તથા પરિણામલક્ષી પ્રહાર કરવાની ક્ષમતા મળી જશે.

ગયા બુધવારે મળેલી કેન્દ્રિય કબિનેટની બેઠકમાં મંજુર કરાયેલા રોકેટની મારક ક્ષમતા પણ ૪પ કિલોમીટર જેટલી છે, જેથી તે પણ પડોશી બન્ને દુશ્મનદેશો પર જરૂર પડ્યે ઘાતક પ્રહારો કરી શકે છે. પિનાકાના અંતિમ પરીક્ષણ પછી ભારતીય સેનાને વધુ મજબૂતી મળશે અને સૈન્ય સામગ્રી અને ઉચ્ચ-મધ્યમ ક્ષમતાના દારૂગોળાનું જંગી નિર્માણ જોતા આ વખતે સંરક્ષણ બજેટમાં પણ નોંધપાત્ર વધારો થાય, તેવા એંધાણ દેખાય છે.

અત્યારે બજેટની મોસમ શરૂ થઈ છે, ત્યારે ગઈકાલે જ જામનગર મહાનગરપાલિકાનું ડ્રાફ્ટ બજેટ રજુ થયું છે. બજેટ પ્રક્રિયાની જાણકારી અને સમજદારી ધરાવતા લોકો જાણે જ છે કે આ ડ્રાફ્ટ બજેટ મહાનગરપાલિકાના તંત્રે તૈયાર કર્યું હોય છે, અને મ્યુનિસિપલ કમિશનર આ બજેટ સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેનને સોંપે છે. સ્ટેન્ડીંગ કમિટી દ્વારા બજેટના સમગ્ર પ્રસ્તાવો પર મુદ્વાવાર ચર્ચા થાય છે, અને મૂળ ડ્રાફ્ટમાં સ્ટેન્ડીંગ કમિટી સુધારા-વધારા સૂચવે છે. આ સુધારા-વધારા-ઘટાડા સાથે બજેટ છેવટે જનરલ બોર્ડમાં મૂકાય છે, જ્યાં તેના પર ચર્ચા થાય છે, અને ચર્ચાના અંતે જનરલ બોર્ડમાં રજૂ થયેલા તથા સ્ટેન્ડીંગ કમિટીએ સૂચવેલા સુધારા-વધારા-ઘટાડા અંગે અંતિમ નિર્ણય લેવાય છે.

છેવટે જનરલ બોર્ડમાં અંતિમ બજેટ પાસ થાય છે, તેથી અત્યારે ડ્રાફ્ટ બજેટમાં સૂચવેલા નવા કરવેરા, પ્રસ્તાવો-દરખાસ્તોમાં ફેરફારને અવકાશ રહે છે, અને મોટા ભાગે સ્ટેન્ડીંગ કમિટી કેટલાક કરવધારાની તંત્રની દરખાસ્તોમાં કાપ મૂકે રદ કરે, તેવું બનતું હોય છે, તેથી મનપાની અંતિમ બજેટની જ રાહ જોવી રહી... તેથી જ હવે તો ડ્રાફ્ટ બજેટને લોકો ડ્રામેટિકલ બજેટ પણ કહેવા લાગ્યા છે!

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ફરી એકવાર, 'જૈસે થે'ના મુદ્દે ગુજરાત હાઈકોર્ટની ફટકાર... જામ્યુકો જાગશે? કોઈ અવાજ ઊઠાવશે?

સરકારી અને અર્ધસરકારી તંત્રોના ઘણાં કામો તાકીદના હોય છે તો ઘણાં કામો રોજીંદા હોય છે. ભારતના બંધારણ મુજબ  દેશના નાગરિકોનું હિત ટોચ અગ્રતાનું હોવું જોઈએ, પણ આજે દેશનો નાગરિક જુદી જુદી કચેરીઓ, બેંકો, રાશનની દુકાનો  કે પછી રેલવે- સ્ટેશનોની ભીડ વચ્ચે કતારોમાં ઊભવું પડી રહ્યું છે અને એક ધક્કે કામ ભાગ્યે જ પતે છે. નાના સરખા કામ  માટે પણ ધરમધક્કા ખાવા પડી રહ્યા છે, તો અમીરો-લાગવગિયા લોકોના કામો ઘેરબેઠા થઈ જતા હોય છે, અને  શાસન-પ્રશાસનના બેવડા ચહેરાઓ જનસેવકોના નકાબ પહેરીને ભોળી જનતાને છેતરતા રહે છે.

ગાંધીજીએ ગામડું, ગરીબ અને નિરક્ષર લોકોને અગ્રીમ હરોળમાં લાવવા માટે ગ્રામસ્વરાજ તથા અંત્યોદયના સપનાઓ  જોયા હશે, પરંતુ તેનો વારસો કોઈએ નિભાવ્યો નથી, અને આઝાદી પછી આ સપનાઓ સાકાર થયા નથી અને આજે પણ  મહત્તમ નાગરિકોને કતારોમાં રહીને તથા હાથ ફેલાવીને ભટકવું પડી રહ્યું છે. અમીરો વધુ અમીર બની રહ્યા છે, તે પણ  હકીકત જ છે ને?

જામનગર સહિત હાલારના ઘણાં સ્થળોએ છેલ્લા કેટલાક મહિનાઓથી 'દબાણ હટાવ ઝુંબેશ' ચાલી રહી છે, અને વિશાળ  અને કિંમતી જમીનો મુક્ત કરાવાઈ રહી છે. બીજી તરફ એ પ્રકારના દબાણ હટાવ ઝુંબેશો પણ ચાલી રહી છે, જે કદાચ  તંત્રોએ મને-કમને કરવી પડી રહી હોય કે પછી ફોર્માલિટી ખાતર કરવી પડતી હોય તેવું લાગે, તો કેટલીક દબાણ હટાવ  ઝુંબેશોમાં તો ચોખ્ખી ડ્રામેબાજી થઈ રહી હોય, તેવું જણાય. તંત્રના બેવડા ચહેરાઓની પાછળ ઘણાં બહુરૂપિયા પરિબળો તથા ભ્રષ્ટ  રીતિનીતિ સાથેની ગુપ્ત રાજનીતિ કામ કરી રહી હોય તેમ નાથી લાગતું?

તાજેતરમાં કેટલાક યાત્રા સ્થળો સહિત દરિયાકાંઠાના ગામો-નગરો-ટાપુઓ પર જે દબાણો હટાવાયા, તેની સામાન્ય  જનતામાં પ્રશંસા થઈ રહી છે, અને કેટલાક સ્થળે તો દબાણો હટાવ્યા પછી ફરીથી તે જ સ્થળે ફરીથી દબાણો ન થઈ જાય, તેવા નક્કર કદમ ઊઠાવાયા, અથવા ત્યાં સાર્વજનિક પ્રવૃત્તિઓ, કોઈ સેવાભાવી પ્રવૃત્તિઓ શરૂ થઈ જાય અથવા સરકારી કે  કાયદો વ્યવસ્થા સંબંધિત કચેરીઓ કે ચોકીઓ ઊભી કરવામાં આવે, તેવો અભિગમ અપનાવાઈ રહ્યો છે, તેની સારી છાપ  પડી રહી છે તથા તંત્રોમાં લોકોની વિશ્વસનિયતા વધી રહી હોય તેમ જણાય છે.

એવી આશંકાઓ પણ જાગી રહી છે કે, આ વિશ્વસનિયતા ક્યાંક આભાસી તો નથી ને? થોડો સમય વિત્યા પછી કે થોડા  મહિનાઓમાં જ ક્યાંક મુક્ત થયેલી જમીનો પર ફરીથી દબાણો તો ખડકાઈ નહીં જાય ને?

આ પ્રકારની આંશકાઓ ઊઠે તેની પાછળ મજબૂત કારણ પણ છે. જામનગરમાં કેટલીક જગ્યાએથી રેંકડી-પાથરણાવાળાઓને હટાવાયા હોય, તે જ સ્થળે ફરીથી 'જૈસે થે' જેવી સ્થિતિ સર્જાવા લાગતા મોટા ઉપાડે દબાણ હટાવ ઝુંબેશ પછી  તેનો 'જશ' ખાટી રહેલા તંત્રવાહકો માટે શરમજનક સ્થિતિ ઊભી થઈ રહી છે.

ગુજરાત હાઈકોર્ટમાં પણ અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં જાહેર માર્ગો પર લારી-ગલ્લા, ગેરકાયદે વાહન પાર્કિંગ  રખડતા ઢોર અને બિસ્માર માર્ગોનો મુદ્દો ચર્ચાયો અને અદાલતે એક વખત ફરીથી તંત્રોને તતડાવ્યા, તે અહેવાલો પણ  આજે હેડલાઈન્સમાં છે.

ગુજરાત હાઈકોર્ટમાં એક એડવોકેટે ફૂટપાથ પર થતા ગેરકાયદે પાર્કિંગના મુદ્દે કન્ટેમ્પ્ટ પિટિશન કરી હતી, જેની સુનાવણી  થતા ગુજરાત હાઈકોર્ટના બે જસ્ટિસોએ આ મુદ્દે પોલીસતંત્ર, મ્યુનિ. તંત્ર તથા સંબંધિત સરકારી તંત્રો પ્રત્યે ગંભીર  નારાજગી પણ વ્યક્ત કરી હોવાના અહેવાલો છે. આ મુદ્દે વધુ સુનાવણી ૬ઠ્ઠી ફેબ્રુઆરીના થવાની છે. અદાલતે કહ્યું કે આ  મુદ્દે સત્તાવાળાઓ ગંભીર નથી, અને હળવાશથી રૂટીન પ્રક્રિયા સમજીને આ તમામ બાબતોની તંત્રો અવગણના કરી રહ્યા  છે. જાહેર રસ્તાઓ લારી-ગલ્લા-પાથરણાવાળાઓ તથા કાયમી સ્વરૂપના દબાણોએ કબજે કરી લીધા છે. ફુટપાથો પણ  દબાઈ ગઈ છે, તેથી વાહનો ચલાવવા માટે પણ પૂરતી જગ્યા રહેતી. પોલીસતંત્ર તથા મ્યુનિસિપલ તંત્રોની ઝાટકણી કાઢતા  હાઈકોર્ટે સ્પષ્ટ સૂચના આપી કે એક વખત દબાણ હટાવ્યા હોય, ત્યાં ફરીથી દબાણ થાય, તો તેની સામે આકરી અને  પરિણામલક્ષી કડક કામગીરી કરવી જોઈએ.

અરજદાર વકીલની દલીલ એવી હતી કે આ મુદ્દે અત્યાર સુધીમાં હાઈકોર્ટમાં ૧૦૦ થી વધુ સુનાવણી થઈ અને અદાલતે  ૬૦ થી વધુ આદેશો કર્યા, છતાં સત્તાવાળાઓ દ્વારા તેનું અસરકારક પાલન કરાવાતું નથી, અને હાઈકોર્ટના આદેશોનું  ખુલ્લેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે. અરજદાર વકીલે માર્ગો-ફૂટપાથો પર દબાણો સહિતના ટ્રાફિકને અવરોધતા તમામ મુદ્દે  કસૂરવાર તંત્રો સામે ચાર્જફ્રેમ કરવાની માંગણી કરી છે. હવે ૬ઠ્ઠી ફેબ્રુઆરીના તંત્રોની દલીલો સાંભળ્યા પછી હાઈકોર્ટ કેવું  વલણ અપનાવે છે, તે અંગે પણ અનુમાનો થઈ રહ્યા છે. જો હાઈકોર્ટ અદાલતની અવગણના (કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ) નો ચાર્જ  ફ્રેમ કરશે, તો સંબંધિત તંત્રોના ચોક્કસ જવાબદાર અધિકારીઓ તો કાનૂની સકંજામાં આવી જ જશે, પરંતુ શાસકો (પોલિટિકલ  બોડી) માટે પણ એ ક્ષોભજનક હશે.

હાઈકોર્ટમાં આ સુનાવણી દરમિયાન બેન્ચના એક ન્યાયાધિશે તો પોતાને જ થયેલા કટૂ અનુભવો વર્ણવ્યા અને ટ્રાફિક  પોલીસની બેદરકારી પ્રત્યે અણગમો વ્યક્ત કર્યો હતો. તે ઉપરાંત અદાલતે કહેલું કે હાઈકોર્ટની જુદી જુદી બેન્ચો સમક્ષ  સુનાવણી નીકળે તે સમયે થોડા દિવસો માટે કોર્ટને બતાવવા માટે કામગીરી દેખાડાય છે, અને પછી જેમ હતું તેમ ('જૈસે  થે') થઈ જાય છે. માર્ગો-ફૂટપાથોના દબાણો, રોંગસાઈડમાં વાહન ચલાવવા, ગેરકાયદે આડેધડ પાર્કિંગ, રખડતા ઢોર,  આવારા કૂતરા વગેરે સમસ્યાઓથી ત્રાહિમામ્ જનતાને તેમાંથી છૂટકારો અપાવા ગુજરાત હાઈકોર્ટે કરેલી ટકોરો એએમસી  ઉપરાંત રાજ્યની તમામ પાલિકા-મહાપાલિકાઓના તંત્રો, પોલીસ તંત્ર તથા સરકારને પણ લાગુ પડે છે. આ તમામ મુદ્દે  જામનગરમાંથી કોઈ નાગરિક, વકીલ, સંસ્થા કે વિપક્ષી નેતા આ સુનાવણીનો સંદર્ભ લઈને હાઈકોર્ટમાં ધા નાખે, તે પહેલા  જામ્યુકો તથા સ્થાનિક તમામ અન્ય તંત્રો સમજી જાય તો સારૂ છે ખરૃં ને?

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

સંયમની શરૂઆત સ્વયંથી કરવી જોઈએ... મહાકુંભમાં ભાગદોડ પછી મળ્યો બોધપાઠ...?

દરરોજ કરોડો લોકો જ્યાં સ્નાન કરી રહ્યા છે, તે પ્રયાગરાજના કુંભમેળામાં મોડી રાત્રે થયેલી ભાગદોડમાં કેટલાક લોકોના મૃત્યુ થયા, અને કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા છે, તે સમાચારો મળ્યા પછી આ કુંભમેળામાં સ્નાનાર્થે ગયેલા શ્રદ્ધાળુઓના સગા-સંબંધીઓમાં તો ચિંતા પ્રસરી જ છે, પરંતુ હવે પછી જેણે આ મહાકુંભમાં જવાનું આયોજન કર્યું છે, તેઓ પણ દ્વિધામાં મૂકાયા છે, જો કે ઉત્તરપ્રદેશ સરકાર તરફથી ખૂબ જ સારી વ્યવસ્થા કરવામાં આવી છતાં ભાગદોડ કેવી રીતે થઈ અને તેને અંકુશમાં લેવા કેવા પગલાં લેવાયા, તેના અહેવાલો ટેલિવિઝન ચેનલોના માધ્યમથી આવી જ રહ્યા છે. બીજી તરફ સંગમઘાટ તરફ જ ધસારો વધી ગયો, તેથી આ સ્થિતિ સર્જાઈ હોવાથી લોકોને પણ પ્રશાસન તરફથી મળતી સૂચનાઓનો અમલ કરવાનો અનુરોધ કરવામાં આવી રહ્યો છે. શ્રદ્ધાળુઓ તથા સાધુ-સંતોના અખાડાઓના કુંભસ્નાનનું મેનેજમેન્ટ કરવાનો મોટો પડકાર ઊભો થયો છે. પહેલા સંતોનું આજનું અમૃતસ્નાન રદ્ કરાયું હોવાના અહેવાલો આવ્યા પછી તેમાં ફેરફાર થયો અને હવે શોભાયાત્રા મોકુફ રાખીને સંતોનું આજનું અમૃતસ્નાન યથાવત્ રહેશે, તેવા અહેવાલો જોતા કદાચ આજે સ્થિતિ સંપૂર્ણપણે અંકુશમાં આવી જાય, તેવા આશાવાદ વચ્ચે સંતો-મહંતો અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લોકોને પોતે જે ઘાટથી નજીક હોય, ત્યાં જ સ્નાન કરે અને તંત્રના નિર્દેશોનું પાલન કરે તેવી જે અપીલ કરી છે, તે પછી આજે ભીડ નિયંત્રણમાં આવી જશે, તેમ જણાય છે. એક મહામંડલેશ્વરે તો રડતાં રડતાં કહ્યું કે, આ મહાકુંભની વ્યવસ્થા સેનાને સોંપવાની જ જરૃર હતી!

આ પ્રકારના વિરાટ આયોજનોમાં જેટલી પૂર્વ તૈયારી આયોજકો-તંત્રો-સંસ્થાઓની હોય તેટલી જ જરૃર જનસહયોગની પણ રહેતી હોય છે, અને તંત્રો-આયોજકોએ પણ સતત મોનીટરીંગ કરતા રહીને તથા અદ્યતન ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરીને દૈનિક ત્રણ-ચાર વખત સમીક્ષા કરીને વ્યવસ્થાઓ અપડેટ કરતા રહેવી જોઈએ. આ ઉપરાંત અફવાઓથી દૂર રહેવાની પણ ખૂબ જ જરૃર હોય છે. લોકોને સોશ્યલ મીડિયામાં ફેલાતી અપુષ્ટ ખબરોને અધિકૃત રીતે અપાતા સમાચારો, ન્યૂઝ ચેનલો તથા સ્થાનિક તંત્રો દ્વારા પી.એ. સિસ્ટમથી અપાતી સૂચનાઓનું જ પાલન કરવું જોઈએ.

જે લોકો કુંભમેળામાં ગયા હોય, ત્યાં ઘાટ તરફ માનવપ્રવાહ હોય છે, અને જેઓની પાસે ટેલિવિઝન નથી હોતું, તેથી મોબાઈલ સેલફોનમાં અપાતા સમાચારોનો સહારો લેતા હોય છે, ત્યારે મોબાઈલ સેલફોન દ્વારા પણ વિશ્વસનિય ન્યૂઝ ચેનલોનો જ વિશ્વાસ કરે અને સોશ્યલ મીડિયા મારફત અપાતી અનધિકૃત ખબરો પર વિશ્વાસ કરે, તે જરૃરી હોય છે. કુંભમેળામાં પહોંચી ચૂકેલા અને સ્નાન ઘાટો તરફ આગળ વધી રહેલા શ્રદ્ધાળુઓ પોતાના સગા-સંબંધીઓ સાથે ટેલિફોનિક સંપર્કમાં રહીને ટેલિવિઝન ચેનલોમાં આવતા સમાચારોની સતત માહિતી મેળવતા રહે, તે પણ અત્યંત જરૃરી છે. આવુ કરવાથી જે લોકો કુંભમેળામાં પહોંચી ગયા છે, તેને સાચી માહિતી મળતી રહેશે અને તેઓના સગા-સંબંધી-પરિવારજનોની ચિંતા પણ ઓછી થશે. એટલું જ નહીં, દેશભરમાં અફવાઓ ફેલાતી પણ અટકશે.

આજે અખાડા પરિષદે આ મુદ્દે તદ્ન હકારાત્મક અને સંજોગોને અનુરૃપ સંયમ દાખવ્યો અને શોભાયાત્રા કે તામ-જામ વિના સામાન્ય શ્રદ્ધાળુઓની જેમ જ બપોર પછી અમૃતસ્નાન કરાશે, તેવી જે જાહેરાત કરી, તે પછી પ્રયાગરાજ મહાકુંભના સ્થળે ભીડની વ્યવસ્થા જાળવવાની દિશામાં તંત્રોને થોડી સુગમતા થઈ, આમ છતાં આજે મોડીરાતની ઘટના પછી હવે પછીના દિવસોમાં આ વ્યવસ્થાઓની પુનઃ સમીક્ષા કરીને સુધારા-વધારા કરવાની તજવીજ થાય, તે પણ જરૃરી છે.

મહાકુંભની મુલાકાતે ગયેલા શ્રદ્ધાળુઓ પણ ત્યાં થયેલી વ્યવસ્થાઓની પ્રશંસા કરતા સંભળાય છે, અને સ્થિતિ કંટ્રોલમાં હોવાના અહેવાલો વચ્ચે વ્યવસ્થાઓમાં જરૃરી ફેરફારો થઈ રહ્યા છે, અને લોકો (શ્રદ્ધાળુઓ) પણ સહયોગ આપી રહ્યા છે, તેથી મહાકુંભમાં જવા નીકળેલા અને હવે પછી જવાના હોય તેઓને પણ રાહત થઈ હશે.

એવા અભિપ્રાયો પણ આવી રહ્યા છે કે કેન્દ્ર-રાજ્ય સરકારોના મંત્રી-મહોદયો, સાંસદો, ધારાસભ્યો, ઉચ્ચ અધિકારીઓ વગેરે વીઆઈપી અને વીવીઆઈપી લોકો પણ પરિવારો સાથે ગંગાસ્નાન માટે આવી રહ્યા છે, તેઓ માટે સુરક્ષાની દૃષ્ટિએ વિશેષ વ્યવસ્થાઓ કરવી પડતી હોય છે તેથી સંગમઘાટ નજીકના કોઈ ઘાટ પર તેઓને પણ ડાયવર્ટ કરવા જોઈએ, અને લોકોને માત્ર સંગમઘાટ તરફ જ ધસારો કરતા અટકાવવાની શરૃઆત વીવીઆઈપી મહાનુભાવોથી જ થવી જોઈએ, તેવા પ્રત્યાઘાતો સાથે કેટલાક વી.આઈ.પી. મહાનુભાવો અન્ય ઘાટ પર સ્નાન કરી રહ્યા હોવાના અહેવાલો પણ છે.

પ્રયાગરાજ મહાકુંભના આયોજન અને આ પહેલા થયેલી ભાગદોડની કરૃણાંતિકાઓને સાંકળીને શાસન-પ્રશાસને કેટલાક બોધપાઠ લેવાની પણ જરૃર છે. આ પ્રકારના દાયકાઓ કે સદી-દોઢ સદી પછી આવતા ધાર્મિક પ્રસંગોમાં હવે ટ્રાન્સપોર્ટેશન તથા ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારા-વધારા સાથે મળતી આધુનિક સુવિધાઓના કારણે શ્રદ્ધાળુઓની સંખ્યાનું અનુમાન કરવામાં થાપ ખાઈ જવાય, તો પણ તે મોટી અવ્યવસ્થા, અસુરક્ષા કે ભાગદોડનું કારણ બની શકે છે. આથી પ્રયાગરાજમાં જે લોકો છે, તેઓ જે ઘાટ નજીક હોય ત્યાં સ્નાન કરીને તરત જ પરત આવી જાય, તેવી સૂચના તથા કોઈપણ ઘાટ પર સ્નાન કરશે, તો પણ મહાકુંભનું પૂરેપૂરૃં પુણ્ય મળશે, તેવી સમજણ અપાઈ રહી છે, તેથી હવે આ પ્રકારની ભાગદોડ નહીં સર્જાય, તેવી આશા રાખીએ... હર હર ગંગે... હર હર મહાદેવ હર...

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ચીનના બે ચહેરા... સ્થાનિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રવાહો... ઠંડીમાં વધઘટ... માર્કેટમાં ઉતાર-ચઢાવ

આપણે પ્રજાસત્તાક પર્વની ગૌરવપૂર્ણ ઉજવણી કરી અને જામનગરમાં યોજાયેલા કાર્યક્રમો દરમિયાન એરફોર્સના શક્તિ પ્રદર્શને આકર્ષણ જમાવ્યું હતું, જ્યારે જામનગર જિલ્લાના પીરોટન, ચાકડી, જિંદડા અને સેજા જેવા ટાપુઓ પર ભારત આઝાદ થયા પછી સર્વપ્રથમ પ્રજાસત્તાક પર્વ ઉજવાયું અને ધ્વજવંદન સાથે તિરંગો લહેરાયો, તેથી આ વખતે હાલાર માટે પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો ઉમંગ બેવડાયો હતો અને જાણે કે સોનામાં સુગંધ ભળી હોય તેમ જામનગરના એરપોર્ટ નજીક યોજાયેલા વિશેષ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં નગરજનો ઉમટ્યા હતાં. હાલારમાં ઠેર-ઠેર પ્રજાસાત્તક પર્વની ગરિમામય ઉજવણીથી દેશભક્તિનો માહોલ છવાઈ ગયો હતો.

દેશની રાજધાની દિલ્હીમાં પણ પ્રજાસત્તાક પર્વ આન-બાન અને શાનથી ઉજવાઈ ગયું. આ વખતે દુર્લભ મહાકુંભ પ્રયાગરાજમાં ઉજવાઈ રહ્યો છે, જેથી ધર્મ-આધ્યાત્મ અને દેશભક્તિનો અદ્ભુત ત્રિરંગો સંગમ પણ સર્જાયો હતો.

દિલ્હી વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર પણ પરાકાષ્ટાએ પહોંચ્યો છે અને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ખેલાઈ રહેલો ત્રિપાંખિયો જંગ પણ રાજનીતિની તિરંગી તસ્વીર ઊભી કરી રહ્યો છે. આજે તમામ મુખ્ય રાજકીય પક્ષોના દિગ્ગજો દિલ્હીના મતદારોને રિઝવવા શ્રેણીબદ્ધ રેલીઓ, રોડ-શો ને ચૂંટણીસભાઓ યોજી રહ્યા છે, ત્યારે કોંગ્રેસે ડો. આંબેડકરના જન્મસ્થળ મઉમાં કાર્યક્રમ યોજીને વ્યૂહાત્મક રણનીતિ અખત્યાર કરી છે, જેની સીધી અસરો દિલ્હીની ચૂંટણીના પ્રચારને પણ થઈ જ હશે ને?

બીજી તરફ હવામાન વિભાગે ગુજરાતમાં હજુ પણ વધુ ઠંડી પડશે, તેવી આગાહી કરી છે, અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હટી જતા ઠંડી વધી હોવાના અહેવાલો છે,  તો આજે રાજકોટમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટી-ર૦ ક્રિકેટ મેચ યોજાવાની હોવાથી રાજકોટમાં સર્વત્ર ક્રિકેટ ફીવર છવાયો હોય તેમ ક્રિકેટ રસિયાઓમાં રોમાંચ જોવા મળી રહ્યો છે. જો આજે સાંજે ભારતની ટીમ જીતી જાય તો પાંચ ટી-ર૦ ની શ્રેણીમાં ભારત શ્રેણીનો વિજય પણ મેળવી શકે છે, કારણ કે આ પહેલાની બન્ને ટી-ર૦ મેચો ભારતે જીતી લીધી હતી. રાજકોટ જ નહીં, સમગ્ર સૌરાષ્ટ્રમાં આ ટી-ર૦ ને લઈને ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

જામનગર અને રાજકોટથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મહાકુંભમાં સ્નાન કરીને પુણ્યનું ભાથું બાંધવા જઈ રહ્યા છે, અને તમામ ટ્રેનો હાઉસફૂલ થયા પછી એસ.ટી. દ્વારા વોલ્વો બસોની જે વ્યવસ્થા થઈ છે, તે અમદાવાદથી જ શરૂ થઈ છે, જેને વિસ્તારીને દરેક જિલ્લા મથકે તથા યાત્રાધામો-મોટા શહેરોમાંથી પણ શરૂ થાય, તો હજુુુુુુુુુુુુુુુુુુ ટ્રાફિક વધે તેમ છે, અને ત્યાં પહોંચ્યા પછી કેવી સગવડો હોય છે, તથા પગપાળા કેટલું ચાલવું પડે તેમ છે, તેની વિસ્તૃત માહિતી જો રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ તથા માહિતી ખાતા મારફત પ્રેસ-મીડિયાના માધ્યમથી અપાશે, તો આ અલભ્ય અવસરે હજુ પણ મહાકુંભ જવાની ઈચ્છા ધરાવતા લોકોને ખૂબ જ ઉપયોગી થશે, તેવા જન-પ્રતિભાવો આવી રહ્યા છે.

શ્રદ્ધાળુઓ માટે એક બીજા સારા સમાચાર પણ આવ્યા છે. અહેવાલો મુજબ ચીન અને ભારત વચ્ચે સમજુતિ પુનઃ અમલી બનતા ટૂંક સમયમાં એટલે કે ઉનાળામાં માનસરોવરની યાત્રા શરૂ થશે. ભારતના વિદેશ સચિવે ભારતના પ્રજાસત્તાક પર્વે જ આ અંગે ચીનની મુલાકાત લીધા પછી આ પ્રકારના સંકેતો આપ્યા હતાં અને હવે તેની પુષ્ટિ પણ થઈ ગઈ છે. અહેવાલો મુજબ વિદેશ મંત્રાલયે આ જાહેરાત કરવાની સાથે સાથે બન્ને દેશોમાંથી વહેતી બ્રહ્મપુત્રા સહિતની નદીઓનો ડેટા પણ શેર કરવામાં આવી હોવાની જાણકારી આપી છે, જે ઘણું જ મહત્ત્વપૂર્ણ છે. તે ઉપરાંત ભારત અને ચીન વચ્ચે સીધી હવાઈસેવા સુદૃઢ બનાવવા માટે પણ સૈદ્ધાંતિક સહમતી સધાઈ હોવાના અહેવાલો ભારત અને ચીન વચ્ચે તંગદિલી ઘટી રહી હોવાના સંકેતો આપે છે. કૈલાસ માનસરોવર યાત્રા પુનઃ શરૂ થશે, તેવા અહેવાલોએ ભારતીય પ્રવાસીઓ જ નહીં, દુનિયાભરના શ્રદ્ધાળુઓમાં આનંદની લાગણી વ્યક્ત થઈ રહી છે.

બીજી તરફ ચીને એ.આઈ. ક્ષેત્રે મોટો ધડાકો કર્યો છે. સસ્તુ એ.આઈ. (ડીપસીક) એન્જિન રજૂ કરતા ઈન્ફર્મેશન ટેકનોલોજી ક્ષેત્રોમાં હલચલ મચી ગઈ છે અને શેરબજારોમાં કડાકો બોલ્યો છે. ચીનના સ્ટાર્ટઅપ ડીપસીકે બાવન કરોડ રૂપિયાના મૂડીરોકાણ સાથે લર્નીંગ એ.આઈ. એન્જિન લોન્ચ કરતા વૈશ્વિક શેરબજારોમાં નવો ભૂકંપ આવ્યો હોય, તેવી વિપરીત અસરો થઈ હતી. જેનાથી ભારતીય શેરબજાર પણ અલિપ્ત રહી શક્યું નહોતું, જો કે સોશ્યલ મીડિયામાં એવી કોમેન્ટો પણ થઈ રહી છે કે ચીનની સસ્તી વસ્તુઓ તકલાદી નિવડતી હોવાથી તેને વિશ્વસનિય ગણી શકાય નહીં. બીજી તરફ આ અહેવાલો પછી અમેરિકન એ.આઈ. સેક્ટરને ઝટકો લાગ્યો હોવા છતાં ટૂંક સમયમાં આ સેક્ટર રિકવર થઈ જશે, તેવો આશાવાદ પણ વ્યક્ત થઈ રહ્યો છે.

ટૂંકમાં કૈલાસ માનસરોવર યાત્રા શરૂ થવાના પોઝિટિવ તથા સસ્તા ડીપસીક એ.આઈ. એન્જિ નેગેટીવ અહેવાલોના કારણે ચીન અત્યારે વૈશ્વિક ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.

ભારતીય શેરબજાર તો હવે દરિયાઈ ભરતી-ઓટ જેવું બની ગયું છે, અને વૈશ્વિક પ્રવાહોની અસરો, સ્થાનિક પરિબળો તથા રાષ્ટ્રીય તથા રાજકીય પ્રવાહો ઉપરાંત ઋતુચક્ર અને દેશભરમાં ચાલતી બહુવિધ પ્રવૃત્તિઓની અસરો શેરબજાર પર પડતી હોય છે, તેથી ચીનમાં આ ધડાકાની અસરો લાંબો સમય નહીં રહે અને ટૂંક સમયમાં જ માર્કેટ રિકવરી મેળવી લેશે તેવા આશાવાદ વચ્ચે ઋતુપરિવર્તન સાથે દિલ્હીમાં સત્તા પરિવર્તન થશે કે કેજરીવાલને વધુ એક વખત જનાદેશ મળશે? તેવા સવાલો સાથેની ગરમાગરમ રાજકીય ચર્ચાઓ ઠંડીમાં પણ ગરમીનો અહેસાસ કરાવી રહી છે, ખરૃં કે નહીં?

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

નાગરિક ધર્મ-રાજધર્મ અને આધ્યાત્મ ધર્મનો ત્રિવેણી સંગમ, સારે જહાઁ સે અચ્છા, હિન્દુસ્તાં હમારા...

આવતીકાલે પ્રજાસત્તાક પર્વ છે, અને આઝાદીના ૭પ વર્ષ પૂરાં થતા ઉજવાઈ રહેલા અમૃત મહોત્સવના ગૌરવ સાથે આપણા દેશમાં જાણે નાગરિક ધર્મ, રાજધર્મ અને આધ્યાત્મ ધર્મ અથવા એમ પણ કહી શકાય કે, કર્તવ્ય, ભક્તિ અને દેશભક્તિનો ત્રિવેણી સંગમ સર્જાયો છે.

વર્ષ-૧૯પ૦ ની ર૬મી જાન્યુઆરીના દિવસે આપણો દેશ પ્રજાસત્તાક બન્યો..., અને પ્રજાએ ચૂંટેલા પ્રતિનિધિઓએ લોકો માટે, લોકો દ્વારા અને લોકોનું શાસન સંભાળી લીધુ અને રાજધર્મનું પાલન કર્યુ. રાજધર્મ એટલે કોઈપણ ભેદભાવ વગર દેશ અને દેશવાસીઓ માટે પૂરેપૂરી કર્તવ્યનિષ્ઠા અને પ્રામાણિકતાથી શાસન ચલાવવું, એવો સાર પણ કાઢી શકાય.

પ્રયાગરાજમાં દર ૧૪૪ વર્ષે આવતો મહાકુંભ ચાલી રહ્યો છે, જ્યાં આગામી મહાશિવરાત્રિ સુધી દેશ-દુનિયાના શ્રદ્ધાળુઓ ગંગા મૈયા, યમુનાજી અને સરસ્વતીજીના ત્રિવેણી સંગમમાં ડુબકી લગાવીને પુણ્ય કમાવા આવી રહ્યાં છે. કરોડો દેવી-દેવતાઓ અને ભગવાનના વિવિધ સ્વરૂપો તથા અનેક સંપ્રદાયોને સમાવતા સનાતન હિન્દુધર્મનો આ મહાકુંભ આધ્યાત્મ અને આત્મકથાનું દુર્લભ પર્વ છે. ગુજરાતમાંથી પ્રયાગરાજ તરફ જતી તમામ ટ્રેનોમાં બુકીંગ થઈ ગયું છે, ત્યારે ગુજરાત સરકાર અને પ્રવાસન નિગમે સસ્તા ભાડામાં પ્રયાગરાજની યાત્રા માટે વોલ્વો બસોનું જે આયોજન જાહેર કર્યુ છે, તેમાં પણ વધારો કરવો પડશે અને દરરોજની એક બસ પૂરી નહીં પડે, તેમ જણાય છે. જો કે, આ પ્રયોગ સફળ રહ્યો તો ગુજરાતનું એસ.ટી. કોર્પોરેશન ભવિષ્યમાં પણ જુદા-જુદા મોટા પ્રસંગોમાં આંતરરાજ્ય ટૂર પેકેજનું પ્રવાસન નિગમ સાથે મળીને આયોજન કરશે, અને તેના કારણે રાજ્યના આંતરરાજ્ય પ્રવાસન (ટુરીઝમ) ને વેગ મળશે અને રાજ્યના પ્રવાસીઓ, યાત્રિકોને પણ ઘર આંગણેથી સુવિધા મળી રહેશે. પ્રયાગરાજ જવા માટે જો એસ.ટી. દ્વારા રિટર્ન બુકીંગ આધારિત બસો પ્રત્યેક જિલ્લા મથકેથી પણ અર્ધ સાપ્તાહિક કે દૈનિક ધોરણે શરૂ કરશે, તો મહાકુંભ ચાલે છે, ત્યાં સુધી તેમાં પણ ભરપૂર ટ્રાફિક મળી રહે, તેવી સંભાવના છે.

આવતીકાલે નાગરિક ધર્મ બજાવવાનું પર્વ પણ છે. આપણો દેશ વર્ષ-૧૯૪૭ માં આઝાદ ગયો, અને લોકોના હાથમાં વાસ્તવિક સત્તા ભલે વર્ષ-૧૯પર ની પ્રથમ સંસદીય ચૂંટણીઓ પછી આવી હોય, પરંતુ વિધિવત રીતે લેખિત બંધારણ સ્વીકારીને ભારત જે રિપબ્લિક નેશન એટલે કે, પ્રજાસત્તાક રાષ્ટ્ર વર્ષ-૧૯પ૦ ની ર૬મી જાન્યુઆરીના દિવસે જ જાહેર કરી દેવાયું હતું, તેથી ર૬મી જાન્યુઆરીથી સત્તા મળવાની સાથે-સાથે આપણા શિરે નાગરિક ધર્મ બજાવવાની જવાબદારી પણ આવી હતી. જે આજપર્યંત આપણે નિભાવતા રહ્યાં છીએ. આપણો દેશ આઝાદ થયો, ત્યારથી આજ સુધી અનેક આફતો આવી, યુદ્ધો થયા, કુદરતી આફતો તથા કૃત્રિમ મુશ્કેલીઓ, દુર્ઘટનાઓ તથા હિંસક તોફાનોથી લઈને આંતકવાદી હૂમલાઓ સુધીના પડકારો આવ્યા. લોકતાંત્રિક ઢબે સત્તા પરિવર્તનો થયા, મહામારીઓ, મંદી અને મોંઘવારીની વિષમ સ્થિતિમાં સર્જાઈ અને ઘણાં વૈશ્વિક અને આંતરિક દબાણોનો સામનો કરવો પડ્યો, તેમ છતાં આપણો દેશ એક ગૌરવપૂર્ણ મોટી લોકતાંત્રિક સાર્વભૌત્વ સત્તા તરીકે દુનિયામાં ડંકો વગાડી રહ્યો છે, અને આજે આખી દુનિયા ભારતીય પ્રાચીન વારસા તથા સંસ્કૃતિ તરફ આકર્ષિત થઈ રહી છે, તેમાં આપણા આ અનોખા ત્રિવેણી સંગમનો સિંહફાળો છે. નાગરિક ધર્મ, રાજધર્મ અને આધ્યાત્મના ત્રિવેણી સંગમ સમુ આ પર્વ પણ ઈતિહાસના પાને સુવર્ણ અક્ષરે લખાવાનું છે.

પ્રજાસત્તાક પર્વને આપણે ગણતંત્ર દિવસ અને રિપબ્લિક ડે તરીકે ઉજવીએ છીએ અને પરંપરાગત રીતે આ ઉજવણી દર વર્ષે થાય છે. આપણો દેશ પ્રજાસત્તાક જાહેર થયો ત્યારે પણ ઘણાં પડકારો હતાં અને આજે પણ બદલતા વૈશ્વિક પ્રવાહો, બદલતી આબોહવા અને આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ સુધીની અદ્યતન ટેકનોલોજીના યુગમાં નવા પડકારો ઊભા થતા રહે છે, તેમ છતાં ભારત આજે વિશ્વમાં સૌથી મોટો સફળ લોકતંત્ર, મજબૂત અર્થતંત્ર અને વિરાટ જનસંખ્યા છતાં વિકાસશીલમાંથી વિકસિત રાષ્ટ્ર તરફ જવાના લક્ષ્ય સાથે આગળ વધી રહ્યું છે, તેમાં આઝાદી પછીની તમામ સરકારો તથા દેશની પરિપકવ જનતાના સક્રિય યોગદાનનો સિંહફાળો છે.

આ ગૌરવ લેવાની સાથે-સાથે આપણે થોડું આત્મમંથન કરવાની જરૂર પણ છે. એક નાગરિક તરીકેના પૂરેપૂરા કર્તવ્યો આપણે બજાવી રહ્યાં છીએ ખરા...! આઝાદીકાળમાં જે પ્રકારની દેશભક્તિની ભાવનાઓ હતી અને દેશ માટે કૂરબાન થઈ જવાની તાલાવેલી પ્રત્યેક ભારતીયોને હતી, તે આપણી અને આવનારી પેઢીઓને યાદ રહેશે ખરી...? આપણે દેશ પ્રત્યેની કર્તવ્યભાવનાઓ વિસરી તો ગયા નથી ને...? આપણા સમૃદ્ધ અને સુસંસ્કૃત દેશને કોઈ નવા સ્વરૂપના છર્ર્દ્મવેશી આક્રાંતાઓ ફરીથી લૂંટવા અને પરોક્ષ રીતે ગુલામ બનાવવાના પ્રયાસો તો કરી રહ્યાં નથી ને...?

નવા માર્કેટીંગ યુગમાં આપણાં મૂલ્યો અને સિદ્ધાંતોના પણ મુલ-ભાવ થઈ રહ્યાં નથી ને...? તેવા પ્રશ્નોના જવાબ (સાચા) શોધવાની જરૂર નથી લાગતી...?

આજે મતદાતા જાગૃતિ દિવસ પણ ઉજવાઈ રહ્યો છે, આખી દુનિયા આપણાં દેશના મહાકુંભમાં ડુબકી લગાવતા કરોડો લોકોને આશ્ચર્યાચકિત થઈને નિહાળી રહી છે. દુનિયાભરના વિચારકો અને વિશ્લેષકો આપણાં દેશની તંદુરસ્ત લોકશાહી અને પ્રાચીન સભ્યતાથી લઈને અર્વાચીન ભારતની ઉપસ્થિતિઓના ગુણગાન ગાઈ રહ્યાં છે, અને ખૂબીઓની સાથે-સાથે આપણાં દેશમાં પ્રવર્તતી કેટલીક કૂપ્રથાઓ તથા અંધશ્રદ્ધાનો ઉલ્લેખ પણ થઈ રહ્યો છે, ત્યારે આપણે કેટલીક "ઊણપો" ને હટાવીને દેશને ફરીથી આપણા ભવ્ય ભારતીય વારસાને અનુરૂપ પ્રગતિના પંથે લઈ જવાનો સંકલ્પ લેવો પડશે.

લોકતંત્રના પર્વ સમી દિલ્હીની ચૂંટણીઓએ જેવી રીતે સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું છે, તેમજ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે. મહાકુંભના ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવવાની જેમ જ આપણે લોકતંત્રના મહાપર્વમાં ડૂબકી લગાવવા માટે જ્યારે-જ્યારે ચૂંટણી આવે ત્યારે-ત્યારે મતદાન કરવાનું ભૂલી ન જઈએ, આજે મતદાન જાગૃતિનો સંદેશ પણ ફેલાવીએ...

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

મેલેરિયા મુક્ત ભારત ક્યારે? મચ્છરમુક્ત હાલાર ક્યારે? રખડુ શ્વાનથી મુક્તિ ક્યારે?

વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા કોઈપણ દેશમાં સતત ત્રણ વર્ષથી એક પણ કેસ ન નોંધાયો હોય,તેને મેલેરિયમુક્ત દેશ જાહેર કરવામાં આવે છે. ગઈકાલે ડબલ્યુએચઓએ મેલેરિયામુક્ત જાહેર કરેલો જોર્જિયા વિશ્વનો ૪પ મો અુછલ દેશ બન્યો છે, જેને આ સર્ટીફિકેટ મળ્યું હોય.

વિશ્વ આરોગ્ય સંસ્થાના મુખ્યમંત્રી જીનીવાથી જાહેર થયેલા અહેવાલો મુજબ જ્યોર્જિયામાં મેલેરિયા નાબૂદીની ઝુંબેશ વર્ષ ૧૯૦૦ થી ચાલતી હતી. જે ત્રણ પ્રકારના મેલેરિયાના વાયરસ જ્યોર્જિયામાં ફેલાયેલા હતાં, તે જ વયરસ આજે ભારતમાં ફેલાયેલા છે. ભારતમાં પણ મેલેરિયા નાબૂદીની ઝુંબેશ ચાલી રહી છે. ભારતમાં મેલેરિયા નાબૂદ તો હજુ થઈ શક્યો નથી, પરંતુ તેમાં ઘટાડો થઈ રહ્યો હોવાના આંકડા બહાર આવ્યા છે.

સરકારી આંકડાઓ મુજબ આઝાદીના સમયગાળામાં ભારતમાં સાડાસાત કરોડ જેટલા મેલેરિયાના વાર્ષિક કેસ નોંધાયા હતાં, તે હવે ર૦ લાખ થઈ ગયા છે, અને ગુજરાતમાં દસેક વર્ષ પહેલા ૧૧.૭૦ લાખ હતાં, તે વર્ષ ર૦ર૩ માં ઘટીને સવાબે લાખ અને ચાલુ વર્ષે અત્યાર સુધીમાં ૩૬૩૩ કેસો નોંધાયા છે. ભારતના પડોશી દેશ માલદીવ્ઝ, શ્રીલંકા, ચીન ઉપરાંત સિંગાપુર, મોરોક્કો, યુ.એ.ઈ. ઈટાલી, ઓસ્ટ્રેલિયા સહિત ૪પ દેશો મેલેરિયામુક્ત જાહેર થયા છે. ભારતે પણ વર્ષ ર૦૩૦ સુધીમાં મેલેરિયા મુક્તિનું સર્ટીફિકેટ મેળવવાનું લક્ષ્ય રાખ્યું છે, એટલે કે ભારતમાં જો વર્ષ ર૦ર૭, ર૦ર૮ અને વર્ષ ર૦ર૯ માં મેલેરિયાનો એક પણ કેસ ન નોંધાય તો વર્ષ ર૦૩૦ માં વિશ્વઆરોગ્ય સંસ્થા આ પ્રકારનું પ્રમાણપત્ર આપે, અને ભારત પણ મેલેરિયામુક્ત જાહેર થઈ શકે, જો કે આ લક્ષ્ય એકલી સરકાર કે તેના તંત્રો પૂરા કરી શકે તેમ નથી, અને તેમાં પ્રચંડ જનસહયોગ, જનજાગૃતિ અને ખાસ કરીને લોજેસ્ટિક સપોર્ટની જરૃર પડે, અને તે માટે પ્રત્યેક ભારતીય નાગરિકો તથા વિદેશથી અવરજવર કરતા કે પ્રવાસે આવતા હોય, તેવા તમામ લોકોએ કારોનાફેઈમ જાગૃતિ રાખવી પડે, ખરૃં ને?

મેલેરિયા, ડેન્ગ્યૂ વગેરે મચ્છરજન્ય રોગોથી મુક્તિ મેળવ્યા પહેલા તો મચ્છર નાબૂદી થવી જઈએ, અને મચ્છર નાબૂદી માટે માત્ર ગંદકી નાબૂદી જ નહીં, પરંતુ ચોખ્ખા પાણીમાં ઉત્પન્ન થતા મચ્છરોથી બચવાના ઉપાયો પણ ખૂબજ ગંભીરતાથી કરવા જ પડે. પંચાયત, પાલિકા કે મહાપાલિકા દ્વારા ફોગીંગ થાય કે ઘેર-ઘેર દવા છંટકાવ થાય, તેની રાહ જોવાના બદલે આપણે ઘર, દુકાન, ઓફિસ, સંકુલ, ફાર્મ કે ફેક્ટરીમાં એક પણ મચ્છર ન રહે, તેવા ઉપાયો આપણે બધાએ જ કરવા પડે ને?

જામનગર હોય કે યાત્રાધામ દ્વારકા હોય, સમગ્ર હાલારમાં મચ્છરનો ઉપદ્રવ એટલો બધો છે કે તમને ધોળે દિવસે પણ મચ્છરોનો ગણગણાટ સાંભળવા મળે અને હવે તો ઘરમા જ નહીં, વાહનો તથા ઘણી સરકારી કચેરીઓમાં પણ મચ્છરો ડંખ મારી જતા અનુભવાય, પરંતુ આપણે આ બધી રોજીંદી સમસ્યાઓથી એટલા ટેવાઈ ગયા છીએ કે તેને ગંભીરતાથી વિચારતા જ નથી, અને તેથી જ મચ્છરજન્ય બીમારીઓ વધી રહી હોય તેમ નથી લાગતું?

એવું નથી લાગતું કે 'મચ્છરમુક્ત હાલાર'ની ઝુંબેશ સમગ્ર હાલારમાં શરૃ થવી જોઈએ, અને તેનો હાલારવ્યાપી પ્રારંભ સંસદીય કક્ષાના જનપ્રતિનિધિઓ કરાવે અને તેમાં બન્ને જિલ્લાના કલેક્ટરોના નેતૃત્વમાં તમામ સરકારી-અર્ધસરકારી, બોર્ડ-નિગમ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, શાળા-કોલેજો તથા એનજીઓઝ જોડાય. એટલું જ નહીં, તાલુકા-જિલ્લાવાર સતત આ પ્રકારની ઝુંબેશ ચાલતી રહે અને તેનો તબક્કાવાર પ્રારંભ રાજ્ય-જિલ્લા-તાલુકા કક્ષાના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, અન્ય નેતાઓ, કાર્યકરોને સાંકળીને થાય તો? મચ્છર નાબૂદી અભિયાનને સફળ બનાવવા માટે આવી ઝુંબેશ ચલાવી જ શકાય, અને તેમાં શાસક પણ-વિપક્ષો તથા હેલ્થ સેક્ટરના આગેવાનો, સંસ્થાઓ, હોસ્પિટલો, તબીબો અને બુદ્ધિજીવીઓ જોડાતા રહે, તો જ વર્ષ ર૦ર૭ સુધીના રાષ્ટ્રીય નિર્ધારિત લક્ષ્ય સાથે હાલાર કદમ મિલાવી શકશે. ખરૃં કે નહીં? જાગો...જનતા...જાગો... તંત્રો-નેતાઓ ઢંઢોળો... જાગ્યા ત્યારથી સવાર...

આપણે મચ્છરમુક્ત હાલારની ઝુંબેશ ઉપાડશું, અને તેમાં સફળ થઈશું તો તેના ઘણાં જ 'સાઈડ બેનિફિટ્સ' થવાના છે. આ કારણે જાહેર આરોગ્ય તો સુધરશે જ, પરંતુ તેની સાથે સાથે લોકોની કાર્યક્ષમતા સુધરતા એકંદરે આર્થિક રીતે લાંબાગાળાના ફાયદા પણ થશે.

જામનગરની એક ટાઉનશીપના ગ્રુપે સોશ્યલ મીડિયામાં એક વીડિયો મૂક્યો હતો, જે ઘણો જ વાયરલ થયો હતો. આ વીડિયોમાં એક મહિલાને ઘેરીને રખડુ કૂતરાઓએ પજવણી કરી, જેની સામે રક્ષણ મેળવવા લાચાર મહિલાએ અથાગ પ્રયત્નો કર્યા, પરંતુ અંતે પડી ગઈ અને એ ખતરનાક કૂતરાઓ તેને ઢસડીને એક શેરીમાં લઈ ગયા. વહેલી સવારની ઘટના હોય, તેવો જણાતો આ વીડિયો જામનગરમાં ખતરનાક રખડુ શ્વાનની સમસ્યાને ઉજાગર તો કરે જ છે, પરંતુ તેમાં લોકોને વહેલી સવારે કે મોડી રાત્રે એકલા બહાર નીકળવાનું થાય, તો લાકડી જેવી કાંઈક રક્ષણાત્મક વસ્તુ જરૃર સાથે રાખવી જોઈએ, તેવો બોધપાઠ પણ આપે છે.

જામનગરને શ્વાનથી મુક્ત કરવાની ઝુંબેશ પણ જામનગર મહાનગરપાલિકાની કક્ષાએથી શરૃ કરવી જોઈએ, અને આ પ્રકારના રખડુ શ્વાનોને નગરના ગલી-મહોલ્લા અને માર્ગો પરથી હટાવીને કોઈ અલાયદા ડોગ હાઉસ (ઢોરના ડબ્બાની જેમ) માં જીવદયાના ધારાધોરણો મુજબ રાખવાની વ્યવસ્થા સુદૃઢ બનાવી જોઈએ, તેવી માંગણી ઊઠી રહી છે. મનપાના તંત્રો માત્ર ખસિકરણ કરીને કૂતરાઓની જનસંખ્યા નાથવાની કામગીરી વર્ણવીને છૂટી જાય છે અને રખડુ કૂતરાઓને રખડુ ઢોરની જેમ સ્થળાંતરિત કરવામાં અસમર્થતા બતાવાઈ રહી હોય, તો હવે પછી શું કરવાનું છે, તે જનતાએ જ વિચારવાનું છે, અને મોટાભાગે ચૂપકીદી સેવી રહેલા વિક્ષના નેતાઓએ પણ વિચારવાનું છે, ખરૃં કે નહીં?

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

'રાજકીય ભૂમિ' પર દબાણ? ભાંગજડ-ડેમેજ કંટ્રોલ? 'ગુજરીબજાર'નો મુદ્દો ઉકેલાયો?

એવું લાગતું હતું કે, શિયાળો વિદાય લઈ રહ્યો છે, અને ઠંડી ઘટી રહી છે, પરંતુ ફરીથી ઠંડી વધી અને નવી આગાહીઓ થઈ છે. ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે પણ ગરમાવો આવી જાય, તેવા આક્ષેપો-પ્રતિઆક્ષેપો અને ધગધગતા નિવેદનો થઈ રહ્યા છે. એક તરફ ગેરકાયદે બાંધકામોને હટાવવાની ઝુંબેશ ચાલી રહી છે, તો બીજી તરફ ટ્રાફિકને અડચણરૂપ કામચલાઉ દબાણો પણ હટાવાઈ રહ્યા છે. આ સીલસીલો ઘણાં વર્ષોથી ચાલી રહ્યો છે. ઝુંબેશો ચાલે ત્યારે 'સાફસુફી' થાય અને થોડા મહિનાઓ (કે દિવસો) માં જ 'જૈસે થે' થઈ જાય. તેથી એવું કહી શકાય કે કાં તો આ બધી કવાયત માત્ર ડ્રામેબાજી છે, અથવા તો તંત્ર અને સ્થાનિક શાસકોની કોઈ 'મજબુરી' હશે, જેથી જે-તે સમયે ફરી ફરીને કાયમી અને હંગામી દબાણોનો સીલસીલો ચાલતો રહ્યો છે, ખરૃં ને?

રાજકીય ક્ષેત્રોમાં પણ એકબીજાની રાજકીય ભૂમિ છીનવવાના, પચાવી પાડવાના તથા હવે તો ત્યાં પણ 'ગેરકાયદે દબાણો'સર્જવાના ઘટનાક્રમો સર્જાવા લાગ્યા છે. ભારતીય જનતા પક્ષને જબરદસ્ત જનાદેશ મળ્યા પછી હવે ત્યાં મૂળ વફાદાર નેતાઓ-કાર્યકરોની જમીન પક્ષ પલટો કરીને નવા આવેલા નેતાઓ-કાર્યકરો છીનવી રહ્યા હોવાની અનુભૂતિ પ્રગટી રહી હોય તેમ કેટલાક જિલ્લાઓમાં છૂપો અસંતોષ પ્રસરી રહ્યો છે, તો કેટલાક જિલ્લાઓમાં ફૂંફાડા પણ મારી રહ્યો છે.

એવી ટીકા થવા લાગી છે કે ભાજપના આયાતી નેતાઓએ પોત-પોતાના વિસ્તારોમાં રાજકીય ભૂમિ (વર્ચસ્વ) વધારવા પક્ષના મૂળ વફાદાર સ્થાનિક નેતાઓ-કાર્યકર્તાઓને સાઈડમાં ધકેલવાના પ્રયાસો શરૂ કર્યા, અને તેના કારણે ઉભય પક્ષોથી થતા તેજાબી નિવેદનોના કારણે શિસ્તબદ્ધ પાર્ટીની આબરૂના ધજાગરા ઊડી જાય, તેવા ઘટનાક્રમો સર્જાઈ રહ્યા છે, તેનો તોડ કાઢવામાં પ્રદેશની નેતાગીરી કદાચ ટૂંકી પડી રહી છે. એવું કહેવાય છે કે, હમણાંથી અમિતભાઈ શાહની ગુજરાતની મુલાકાતો વધી રહી છે, તેની પાછળ પણ ભાજપમાં પ્રવેશી ગયેલી યાદવાસ્થળી (આંતરવિગ્રહ) જ જવાબદાર છે. વિશ્લેષકો ટીકા કરી રહ્યા છે કે ભાજપે ચૂંટણી ટાણે કરેલા 'ભરતીમેળાઓ'નું આ ભુંડુ પરિણામ છે.!

જો કે, નિર્જન અને વસ્તી ધરાવતા ટાપુઓ પરથી દબાણો હટાવાયા અને ગેરકાયદે બાંધકામો તોડી પડાયા, તેને આમ જનતામાંથી આવકાર મળી રહ્યો છે. હવે એવી માંગણી પણ ઊઠી રહી છે કે જ્યાં અવર-જવર પર પણ પ્રતિબંધ હોય અને આંતરરાષ્ટ્રીય દરિયાઈ સરહદોની દૃષ્ટિએ સંવેદનશીલ હોય, તેવા ટાપુઓ પર મોટા પાયે દબાણો કેમ થઈ ગયા? તેની ઊંડી તપાસ કરીને જો તંત્રના પરિબળો કે રાજકીય પરિબળોની સંડોવણી જણાય, તો તેની સામે પણ હિચકિચાટ વગર કડક કદમ ઊઠાવવા જોઈએ, કારણ કે આ મુદ્દો રાષ્ટ્રીય સુરક્ષા અને સરહદોની સલામતિ સાથે સંકળાયેલો હોવાથી તેમાં બાંધછોડ કરવી એ રાષ્ટ્રદ્રોહ જ ગણાય, ખરૃં ને?

જેવી રીતે ખરાબાની સરકારી, ગૌચરની જમીનો પરના દબાણો હટાવાઈ રહ્યા છે, તેવી જ રીતે 'રાજકીય ભૂમિ' પર થયેલા 'દબાણો' હટાવા પણ કદાચ હાઈકમાન્ડ દ્વારા 'ડ્રાઈવ' યોજાય, અને ટોપ ટુ બોટમ ધરખમ ફેરફારો થાય, તેવી શક્યતાઓ પણ અંતરંગ વર્તુળોમાં ચર્ચાઈ રહી છે.

બીજી તરફ એવો આક્ષેપ થઈ રહ્યો છે કે, ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં પણ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને ઈરાદાપૂર્વક ધીમી ગતિએ ટેકાના ભાવે મગફળીની ખરીદીની પ્રક્રિયા થઈ રહી છે, જેથી નણાની ખેંચ અનુભવતા ખેડૂતોએ ના છૂટકે બજારભાવે મગફળી વેચવી પડી રહી છે. આ પ્રકારની આક્ષેપબાજી પછી અમરેલી વિસ્તારમાં ભાજપમાં ભડકો થયો હોય તેમ જણાય છે.

ભાજપના જ એક ધારાસભ્ય દ્વારા ગુજકોમાસોલ દ્વારા થતી મગફળી ખરીદીમાં 'મલ્લાઈ' કોણ ખાઈ ગયું? તેવા સવાલો ઊઠાવાયા અને ગુજકોમાસોલના સર્વેસર્વા અને પી.એમ. સુધીની પહોંચ ધરાવતા ભાજપના દિગ્ગજ નેતા દ્વરા માનહાનિનો દાવો કરવાની ચીમકી અપાઈ, તે પ્રકરણના પડઘા છેક દિલ્હી સુધી પડ્યા છે. તેથી ગુજરાતમાં સરકાર અને સંગઠનની કક્ષાએ કાંઈક નવાજુની થાય, કે ધરખમ ફેરફારો થાય, તેવી શક્યતાઓ પણ જણાવાઈ રહી છે. બીજી તરફ કોંગ્રેસ પણ વહેતી નદીમાં હાથ પલાળીને ડાંગર સહિતની ખરીદીઓમાં ચાલતા ભ્રષ્ટાચાર તથા ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિરીતિના આક્ષેપો કર્યા, જો કે આ બધી હુંસાતુંસીથી હાલાર અલિપ્ત થઈ રહ્યું હોય, તેમ જણાય છે. બાકી આંતરિક કે ગુપ્ત રીતે કાંઈ હલચલ થતી હોય તો ભગવાન જાણે!

જામનગર મનપાની સ્ટેન્ડીંગ કમિટી દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં ભરાતી ગુજરીબજારો કાયમી ધોરણે નદીના પટમાં યોજવા દેવાનો ઠરાવ કરાયો તેના મિશ્ર પ્રત્યાઘાતો પડી રહ્યા છે, અને આ નિર્ણયના કારણે શહેરમાં ટ્રાફિક સમસ્યા હળવી થશે અને બજારો ચોખ્ખી રહેશે. તેનેઆવકાર મળી રહ્યો છે, પરંતુ કાયમી ધોરણે નદીના પટમા ગુજરીબજાર ભરાય, તો તેની સંભવિત આડઅસરો હંગામી કે કાયમી દબાણોની શક્યતા, વર્ષાઋતુ, માવઠું કે પૂર જેવી સ્થિતિમાં વિકલ્પ અને ખાસ કરીને નદીના પટમાં કાયમી ગંદકી ન ફેલાય, તથા પર્યાવરણીય સુરક્ષા જળવાય, તેની તકેદારી વગેરે અંગે પણ અત્યારથી જ વિચારી લેવું પડે... આમાં 'હોતી હૈ, ચલતી હૈ...' નહીં ચાલે!

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

હાલાર સહિત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી... કોંગ્રેસે ઊઠાવ્યા સવાલ, ભાજપ કહે 'અમે તૈયાર'...હજારો ગ્રામપંચાયતોનું શું થશે?...

ગઈકાલે ગુજરાત રાજ્ય ચૂંટણીપંચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત કરી દીધી, જેની અટકળો છેલ્લા એક અઠવાડિયાથી થઈ રહી હતી. આ ચૂંટણીઓમાં રસાકસી થશે, ત્રિપાંખિયો જંગ થશે કે એકતરફ હશે, તે અંગેની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે, તો બીજી તરફ બોર્ડની પરીક્ષાઓ ટાણે જ ચૂંટણીઓ જાહેર થઈ, તેને સાંકળીને પણ કેટલાક સવાલો ઊઠી રહ્યા છે, અને તેના સંદર્ભે ચોખવટો પણ થઈ રહી છે.

પ્રારંભિક પ્રત્યાઘાતો આપતા કોંગ્રેસે કહ્યું કે ભાજપના શાસનમાં ભયમુક્ત ભ્રષ્ટાચાર અને ભેદભાવનો દબદબો છે, અને ભ્રષ્ટ ભોરીંગોએ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને પ્રભાવિત કરી છે. કોંગ્રેસ પ્રવક્તાએ એક ડિબેટીંગ દરમિયાન કહ્યું કે રાજ્યમાં ઘણી નગરપાલિકાઓની તિજોરીના તળિયા દેખાઈ ગયા છે, અને વીજબીલ ભરવાના નાણા નથી, તો ક્યાંક ક્યાંક તો કર્મચારીઓને પગાર ચૂકવવાના પણ ફાંફા પડી રહ્યા છે. હાલારની જામજોધપુર, કાલાવડ, ધ્રોળ, સલાયા, ભાણવડ, દ્વારકા વગેરે નગરપાલિકાઓની ચૂંટણીઓમાં કેટલાક સ્થળે આ વખતે ત્રિપાંખિયો જંગ જામી શકે છે, કારણ કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંતભાઈ ખવા અને અન્ય હોદ્દેદારો આ ચૂંટણીમાં 'આપ'ના ઉમેદવારોને ઉતારીને જોરદાર પ્રચાર કરશે, તો ત્રિપાંખિયો જંગ જામશે, જેથી ભાજપ માટે પણ આ વખતે કપરા ચઢાણ હશે, તેવા તારણો નીકળી રહ્યા છે.

ધાનેરા સહિત કેટલીક નગરપાલિકાની ચૂંટણી જાહેર નહીં થતાં વિવાદનો વંટોળ ઊઠ્યો છે, અને ભાજપ દ્વારા રાજ્ય ચૂંટણી પંચને પ્રભાવિત કરવામાં આવી રહ્યું હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે, અને આ પ્રશ્ને રાજ્ય ચૂંટણી પંચ તરફથી અપાઈ રહેલા કથિત જવાબની ચર્ચા પણ પ્રેસ-મીડિયા અને રાજકીય વર્તુળોમાં જોરશોરથી થઈ રહી છે.

બીજી તરફ કોંગ્રેસ આ વખતે પૂરી તાકાતથી ચૂંટણીજંગ લડશે, તેવા એંધાણ પણ વર્તાઈ રહ્યા છે, અને ભાજપ શાસિત નગરપાલિકાઓના વહીવટથી કંટાળેલા મતદારો આ વખતે કોંગ્રેસ પર પસંદગીનો કળશ ઢોળશે અને મોટાભાગની નગરપાલિકાઓ કોંગ્રેસ જીતશે, તેવો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે, જો કે આમ આદમી પાર્ટી તરફથી કોંગ્રેસ જેવો રણકાર હજુ સંભળાઈ રહ્યો નથી, પરંતુ ગુપચુપ તૈયારીઓ થઈ રહી હશે, તેવા અનુમાનો લગાવાઈ રહ્યા છે.

ભારતીય જનતા પક્ષના પ્રવક્તાઓ તથા નેતાઓ પણ છાતી ઠોકીને દાવો કરી રહ્યા છે કે વિકાસની રાજનીતિ તથા મોદી-પટેલના ડબલ નેતૃત્વને કારણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ ભાજપનો ભવ્ય વિજય થશે અને કોંગ્રેસના વાવટા વિંટાઈ જશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ર૬ ટકા અનામતનો ઉલ્લેખ કરીને ભાજપના નેતાઓ-પ્રવક્તાઓ ફરીથી પ્રચંડ જીતનો દાવો કરી રહ્યા છે, તો એ જ મુદ્દો આ વખતે વિપક્ષોને ફાયદો કરાવશે અને કોંગ્રેસ-આમ આમ આદમી પાર્ટીને ભાજપ શાસિત પંચાયત-પાલિકાઓમાં એન્ટી ઈન્કમ્બન્સી એટલે કે પ્રજાના અસંતોષનો પણ ફાયદો મળશે, તેવા તારણો નીકળી રહ્યા છે, તો તટસ્થ વિશ્લેષણો થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહ્યા છે.

હાલારની નગરપાલિકાઓની વાત કરીએ તો હજુ કાંઈપણ કહેવું વહેલું ગણાશે. જામજોધપુરમાં તો આમ આદમી પાર્ટી માટે ઉજળી સંભાવનાઓ છે, પરંતુ કાલાવડ અને ધ્રોળમાં જો ત્રિપાંખિયો જંગ થાય, તો કોને ફાયદો થાય, તે અત્યારથી કહેવું મુશ્કેલ છે અને ઉમેદવારીપત્રો ભરાય, ત્યાર પછી જ સાચા તારણો નીકળી શકે તેમ છે, જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાજપ માટે વિજય સરળ જણાતો હોવા છતાં આંતરિક ખેંચતાણ તથા એન્ટી ઈન્કમ્બન્સી ઉપરાંત તાજેતરની સમસ્યાઓ-અસંતોષનો ફાયદો વિપક્ષના ઉમેદવારોને પણ થઈ શકે છે. દ્વારકા અને ભાણવડ નગરપાલિકાઓની ચૂંટણીમાં કેવા સમિકરણો રચાય છે, અને કોને કોને ટિકિટ મળે છે, તેના પર બધો આધાર રહેવાનો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થયા પછી કોંગ્રેસના એક પ્રવક્તાએ તો ચૂંટણી પંચનો આભાર માનતા કહ્યું કે કમ-સે-કમ હવે વહીવટદારોના કુશાસનમાંથી તો જનતાને મુક્તિ મળશે. જ્યાં જ્યાં વહીવટદારોનું શાસન છે, ત્યાં ત્યાં એકાદ અપવાદ સિવાય લોકો ત્રાસી ગયા છે. સલાયામાં પણ આ વખતે રસાકસી જામશે, તેવા આશાવાદ સાથે કોંગ્રેસ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ઝંપલાવવાની હોવાથી હાલારમાં હલચલ તેજ બની ગઈ છે. ભાજપ અને કોંગ્રેસની તો આ માટે તૈયારીઓ પહેલેથી જ હશે, પરંતુ આ વખતે આમ આદમી પાર્ટી ચૂંટણીઓમાં કેટલું જોર બતાવે છે, તે જોવાનું રસપ્રદ રહેવાનું છે.

જો કે, રાજ્ય ચૂંટણી પંચ અને રાજ્ય સરકાર હજારો ગ્રામ પંચાયતોને વહીવટદારોના કુશાસનમાંથી ક્યારે છોડાવશે, તેવા અણિયાળા સવાલો પણ ઊઠવા લાગ્યા છે. જ્યારે હજારો ગ્રામ પંચાયતોમાં લોકોનું પ્રતિનિધિત્વ જ ન હોય અને વહીવટદારો દ્વારા કામ ચલાવાતું હોય, ત્યારે સ્વાભાવિક રીતે જ લોકોની મૂળભૂત સમસ્યાઓ, જરૂરિયાતો અને રજૂઆતોને વાચા મળે નહીં, અને અમલદારશાહીમાં જનતા અટવાયા અને અકળાયા કરે, લાંબા સમય સુધી હજારો ગ્રામ પંચાયતોને જનપ્રતિનિધિત્વ મળે નહીં, ત્યારે એવું પણ કહી શકાય કે ગાંધીજીના ગ્રામ સ્વરાજનું સ્વપ્ન રોળાઈ ગયું છે, અને 'અસલ' ગાંધવાદીઓનું હવે કોઈ સાંભળનારા નથી, ખરૃં ને?

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

મોંઘવારીનો મુદ્દો વિશ્વવ્યાપી છે... ટ્રમ્પે પણ કરી કબુલાત

ગઈકાલે અમેરિકાના રાષ્ટ્રપતિપદે શપથવિધિ સાથે જ નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જે શ્રેણીબદ્ધ જાહેરાતો કરી તેમાં દક્ષિણ અમેરિકાની સરહદે કટોકટી જાહેર કરી, તથા મોંઘવારીને અંકુશમાં લેવાનો વાયદો કર્યો છે. તે જોતા ડોનાલ્ડ ટ્રમ્પ આ વખતે ફ્રન્ટફૂટથી બેટીંગ કરશે, અને અમેરિકા ફર્સ્ટની નીતિ અપનાવીને 'શાંતિદૂત'ની જેમ વિશ્વના યુદ્ધોને ખતમ કરવાના પ્રયાસો કરશે તેમ જણાય છે.

જ્યાં સુધી ભારતને લાગે-વળગે છે, ત્યાં સુધી ટ્રમ્પની નીતિ કેવી રહેશે, તેની ખબર હવે પછી તે કેવો અભિગમ દાખવે છે, તેના પરથી પડશે, પરંતુ આતંકવાદના વિરોધમાં તેની નીતિ ભારતીય નીતિને અનુરૂપ રહેશે તથા બીજા દેશોના યુદ્ધમાં વિનાકારણ કૂદી પડવાની એટલે કે જગતના જમાદાર થવાની અમેરિકન પોલિસીમાં બદલાવ આવશે, તેમ જણાય છે, અને તેથી જ ભારત-પાક-ચીનના વિવાદો ઠારીને ટ્રમ્પ હવે નવા જ વૈશ્વિક સમીકરણો ઊભા કરવા જઈ રહેલા જણાય છે.

બીજી ભારતને સીધી અસર થાય તેવી બાબત ટ્રમ્પે બ્રિક્સના દેશોને આપેલી ચેતવણીની છે. ટ્રમ્પે બ્રિક્સ દેશોને પડકાર કરતા કહ્યું છે કે અમેરિકા જેવા સાથે તેવાની નીતિ અપનાવશે અને જરૂર પડ્યે ૧૦૦ (સો) ટકા ટેરિફ લાદતા અચકાશે નહીં. એક તરફ ચીનની ટિકટોકને રાહતના સંકેતો આપ્યા તો બીજી તરફ અમેરિકન સામાન પર અન્ય દેશો જે રીતે કરવેરા લાદશે તે જ રીતે અમેરિકા પણ વર્તશે, તેવા મતલબની ચેતવણી તથા બ્રિક્સ સંગઠનને લઈને ટ્રમ્પનું વલણ ભારત માટે અમેરિકાની બદલાઈ રહેલી નીતિનો સંકેત હોવાની ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે.

ભૂતકાળમાં એક વડાપ્રધાને ભ્રષ્ટાચાર વિશ્વવ્યાપી છે અને તેને સદંતર નિર્મૂળબ કરવો અઘરો છે, તે પ્રકારના નિવેદનો આપ્યા હતાં, તેવી જ રીતે ટ્રમ્પે મોંઘવારીને લઈને ચિંતા વ્યક્ત કરતા એવું કહી શકાય કે મોંઘવારી હવે કોઈ એક દેશની સમસ્યા રહી નથી, પરંતુ એક વૈશ્વિક સમસ્યા (ગ્લોબલ ઈશ્યુ) બની ગઈ છે. તેવી ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે અને આજે સામે આવી રહેલા વૈશ્વિક પ્રત્યાઘાતોમાં પણ મોંઘવારી અને ટેરિફના મુદ્દાઓ અગ્રીમ હરોળમાં ચર્ચાઈ રહ્યા છે.

ઈમિગ્રેશન પોલિસીને લઈને ડોનાલ્ડ ટ્રમ્પે કરેલા નવા નિર્ણયો પણ ભારતીયોને સીધા સ્પર્શે તેવા છે, અને તેને લઈને વિશ્વ પ્રત્યાઘાતો સામે આવી રહ્યા છે. કોઈ કહે છે કે ટ્રમ્પની નવી નીતિઓ ભારતના લોકો કે અમેરિકન ભારતીયો કે ભારતીય અમેરિકનોને બહુ અસર કરશે નહીં. કેટલાક લોકો એવું પણ માને છે કે ટ્રમ્પ ભારતને લઈને ઈમિગ્રેશન પોલિસીમાં બહુ ફેરફાર કરશે નહીં, અને જો ફેરફાર કરશે, તો પણ તે ભારત કે ભારતીયોના હિતોને હાનિકર્તા નહી હોય, આગે આગે દેખતે હૈ... હોતા હૈ ક્યા?

અમેરિકાએ વિશ્વઆરોગ્ય સંસ્થા તથા ક્લાઈમેટ ચેઈન્જ એગ્રીમેન્ટને તિલાંજલિ આપવાનો જે નિર્ણય લીધો છે, તેની પણ વૈશ્વિક અસરો પડવાની છે. કોરોના દરમિયાન થયેલા અનુભવો તથા અમેરિકામાં ટ્રમ્પકાળ દરમિયાન વૈશ્વિક રોગચાળામાં થયેલી સામૂહિક જાનહાની પછી ટ્રમ્પનું વલણ જોતા એવું લાગતું જ હતું કે વિશ્વ આરોગ્ય સંસ્થા સામે જબરદસ્ત નારાજગી છે. આ કારણે જ કદાચ ટ્રમ્પે વિશ્વ આરોગ્ય સંસ્થામાંથી અમેરિકાએ હટી જવાનું મન બનાવ્યું હશે.

ટ્રમ્પે સૌથી મોટી જાહેરાત યુક્રેન-હમાસ વગેરે સામેના યુદ્ધોની સમાપ્તિ તથા ત્રીજા વિશ્વયુદ્ધ નિવારવાની કરી છે. આ બન્ને જાહેરાતો સાથે તેમણે વિશ્વશાંતિ માટે કામ કરવા અને બીજા દેશોના યુદ્ધોમાં કૂદી પડવા પર અંકુશ લાવવાના નિર્ણયો જાહેર કર્યા છે, તે ઘણાં જ સૂચક અને અમેરિકાની જગતના જમાદાર તરીકેની મૂળ પોલિસીની વિરૂદ્ધમાં હોય તેમ જણાય છે, જો કે કેટલાક નિર્ણયો વિરોધાભાષી જણાતા હોવાથી હવે પછી શું થાય છે અને સંજોગોને અનુકૂળ ટ્રમ્પ પોતાની નીતિઓ બદલે છે કે કેમ? તેના પર બધો આધાર રહેવાનો છે.

ટ્રમ્પે મોંઘવારીની સમસ્યા કબુલી છે, અને દક્ષિણ સરહદે ઈમરજન્સી ઘોષિત કરી છે, તેવી જ રીતે રાષ્ટ્રીય ઊર્જા કટોકટી જાહેર કરીને અમેરિકામાં ઊર્જાની સમસ્યા વધુ ઘેરી બની રહી હોવાની માન્યતાઓને પુષ્ટિ પણ આપી છે, અને વાસ્તવિક્તા સ્વીકારી છે, તેવા અભિપ્રાયો પણ બહાર આવી રહ્યા છે.

અત્યારે તો ભારતને લઈને ટ્રમ્પ કેવી નીતિ અપનાવશે, તે સ્પષ્ટપણે કહી શકાય તેમ નહીં હોવાથી 'વેઈટ એન્ડ વોચ'ની નીતિ ભારત અપનાવી રહ્યું હોય તેમ જણાય છે. ટ્રમ્પની શપથવિધિમાં મોદીને આમંત્રણ નહીં અપાયું હોવાના અહેવાલો તથા શપથવિધિ સંપન્ન થયા પછી ટ્રમ્પ સૌ પ્રથમ ભારત અને ચીનની મુલાકાત લેશે, તેવા અહેવાલોનો વિરોધાભાસ જોતા એમ જણાય છે કે ભારતે ટ્રમ્પના પહેલા કાર્યકાળ જેવી અપેક્ષાઓ રાખવાના બદલે 'થોભો અને રાહ જુઓ'ની નીતિ જ અપનાવવી જોઈએ. આ વખતે ટ્રમ્પ ચૂંટણીમાં મજબૂતીથી જીત્યા હોવાથી હવે 'અમેરિકા ફર્સ્ટ'ની નીતિ અપનાવીને ફરી એક વખત 'ગ્રેઈટ અમેરિકા'ના સંકલનને દોહરાવી રહ્યા છે, તે ભારત માટે પણ ઘણું સૂચક છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

વ્હાઈટ ટી-શર્ટ અભિયાન કેટલું સફળ થશે...? ભાજપ-કોંગ્રેસમાં સખળ-ડખળ?

દિલ્હીની વિધાનસભા માટે મતદાનને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે કોંગી નેતા રાહુલ ગાંધીએ 'વ્હાઈટ ટી-શર્ટ મૂવ મેન્ટ' શરૂ કરી છે, અને તેના પાંચ સૂત્રો પણ વર્ણવ્યા છે. આ અભિયમાનમાં મોટા પ્રમાણમાં યુવાનોને જોડીને કોંગ્રેસમાં  દેશવ્યાપી જુસ્સો ભરવાની સાથે સાથે મોદી સરકાર સામે જનઆંદોલનના મંડાણ કરી દીધા હોય તેમ જણાય છે, બીજી તરફ  ગુજરાતમાં આવતા અઠવાડિયે જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની પ્રક્રિયા શરૂ થઈ જાય, તેવા અહેવાલો પછી તેના જે  પ્રત્યાઘાતો પડી રહ્યા છે, તે પણ ઘણાં જ સૂચક અને રસપ્રદ છે, ખરૃં કે નહીં?

રાહુલ ગાંધીએ ફરી એક વખત મોદી સરકાર પર અમીરોની તરફદારી અને ગરીબોની અવગણના કરવાનો આક્ષેપ  લગાવ્યો છે, અને વ્હાઈટ ટી-શર્ટ અભિયાનના માધ્યમથી યુવાનોને જોડીને એવા લોકો માટે સમર્થન માંગ્યું છે, જેઓ  દેશની સુરક્ષા, અર્થતંત્ર અને નાગરિકોના સન્માન સાથે નિષ્પક્ષતાને મજબૂત કરવા મેદાને પડેલા હોય.

રાહુલ ગાંધીએ સોશ્યલ મીડિયાના માધ્યમથી લખ્યું છે, તે તેમના જ શબ્દોમાં જોઈએ તો, 'આજે કેન્દ્ર સરકારે ગરીબો તથા  મહેનતુ વર્ગોને અવગણ્યા છે, અને તેઓને તેમના હાલ પર છોડી દેવાયા છે. સરકારનું સંપૂર્ણ ધ્યાન માત્રે ગણ્યાગાંઠ્યા  ધનવાનોને સમૃદ્ધ કરવા પર જ  છે. આ કારણે અસમાનતા વધી રહી છે. પોતાના પરસેવાથી દેશને પોષણ આપનાર શ્રમિકોની સ્થિતિ વધુ ખરાબ બની રહી છે, તેઓ વિવિધ પ્રકારના અન્યાય અને અત્યાચાર સહન કરવા મજબૂર છે. તેવામાં  આપણાં બધાની જવાબદારી બને છે કે તેમને ન્યાય અને અધિકારો અપાવવા માટે જોરદાર અવાજ ઊઠાવીએ. આ વિચારને  ધ્યાનમાં રાખીને અમે 'વ્હાઈટ શર્ટ મૂવમેન્ટ' શરૂ કરી રહ્યા છીએ હું મારા યુવા અને શ્રમજીવી મિત્રોને આ ચળવળમાં  મોટી સંખ્યામાં ભાગ લેવા અપીલ કરૃં છું.

એક તરફ રાહુલ ગાંધીએ આ નવું અભિયાન આદરીને મોદી સરકાર, ભાજપ અને સંઘને લલકાર કર્યો છે, તો બીજી તરફ  રાહુલ ગાંધીના એક નિવેદનને લઈને પણ વિવાદનો વંટોળિયો ઊઠ્યો છે. રાહુલ ગાંધીએ એ નિવેદનમાં કંઈક એવું કહ્યું હતું  કે, તેઓ માત્ર આરએસએસ અને ભાજપ સામે જ નહીં, પરંતુ ઈન્ડિયન સ્ટેટ સામે લડી રહ્યા છે. રાહુલ ગાંધીનો કહેવાનો  મતલબ ઈન્ડિયન ગવર્નમેન્ટ સામે એટલે કે અત્યારની ભારત સરકાર સામે લડવાનો હશે, પરંતુ તેમના આ નિવેદન પછી  ઊઠેલો વિરોધ હવે અદાલતોની અટાળીએ પહોંચે તેમ જણાય છે. કારણકે દેશમાં તેનો વિરોધ થયા પછી તેની સામે  એફઆઈઆર પણ નોંધાવાઈ રહી છે.

તાજેતરમાં જ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને રાજ્યના પ્રભારીએ જામનગરની મુલાકાત લીધી હતી, અને ગુજરાતમાં પણ  કોંગ્રેસનું સંગઠન મજબૂત બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે, ત્યારે જામનગર સહિત ગુજરાતમાં પણ રાહુલ ગાંધીના  આહ્વાન પર 'વ્હાઈટ ટી-શર્ટ (શર્ટ) મૂવમેન્ટ' જોવા મળશે, તે નક્કી જ છે ને?

જામનગર અને હાલારમાં પણ કોંગ્રેસનું સંગઠન મજબૂત કરવાના પ્રયાસો ઘણાં સમયથી થઈ રહ્યા છે, પરંતુ ગત્  વિધાનસભાની ચૂંટણીઓ પછી લોકસભામાં થયેલા પરાજય પછી વ્યાપેલી નિરાશા તથા આંતરિક મતભેદોની સામે લડવા  માટે નેતાઓ-કાર્યકરોને ઢંઢોળવા તથા નવો જુસ્સો ભરવાની જરૂર જણાવાઈ રહી હોવાથી જ પ્રદેશ કક્ષા તથા રાષ્ટ્રીય  સ્તરના નેતાઓની મુલાકાતો તથા કાર્યક્રમો હાલારમાં વધવા લાગ્યા હોય, તેમ જણાય છે, તો બીજી તરફ ભારતીય જનતા  પક્ષમાં પણ જિલ્લા સ્તરે બધું બરાબર હોય તેમ જણાતું નથી.

જિલ્લા કક્ષાએ ભારતીય જનતા પક્ષની આંતરિક ખેંચતાણ પ્રદેશ ભાજપ માટે પડકારરૂપ બની હોય, તેમ જણાય છે. અમરેલી જિલ્લાનો તાજેતરનો આખો ઘટનાક્રમ ભાજપની આંતરિક જુથવાદની પરાકાષ્ટાનું દૃષ્ટાંત છે. હાલારમાં દ્વારકા જિલ્લામાં હજુ પણ સંગઠન જળવાયું છે, પરંતુ જામનગર જિલ્લા તથા નગર-મહાનગરની કક્ષાએથી આંતરિક જુથવાદ કે  મતભેદોની સુગબુગાહટ ઘણી વખત જોવા મળે છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાને કેન્દ્રિયમંત્રી બનાવાયા, અને  ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલને પણ કેન્દ્રિય મંત્રી બનાવાયા પછી તેના સ્થાનો ભરવાની ગડમથલ  ચાલી રહી હોય ત્યારે જિલ્લા કક્ષાની સંગઠનાત્મક બાબતોનું કોણ ધ્યાન રાખે? વાવમાં હોય તો અવેડામાં આવે ને?

ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ રાજકીય સ્પર્ધા છે, અને ત્રીજા પક્ષને સ્થાન મળતું નથી. તેથી આમ આદમી પાર્ટી  ગત્ વિધાનસભા ચૂંટણીમાં ધોવાઈ ગઈ. જામજોધપુરમાં હેમતભાઈ ખવા તો સ્વબળે જ ચૂંટણી જીત્યા છે, ત્યારે હવે  પછીની એન્ટી ઈન્કમબન્સીનો ફાયદો લઈને કોંગ્રેસ મજબૂત બની શકે છે, પણ...?!

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

પ્રેસ-મીડિયા લોકતાંત્રિક વ્યવસ્થાનો ચોથો સ્તંભ ગણાય... લોકોના સૂચનો લક્ષ્યમાં લેવા જ પડે... અભિવ્યક્તિની આઝાદી... મૂળભૂત અધિકાર...

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને કોંગ્રેસના ગુજરાત પ્રભારી મુકુલ વાસનિક ગઈકાલે જામનગરની મુલાકાત લઈ ગયા, અને ભાજપ સરકાર પર પ્રહારો કરવાની સાથે સાથે કોંગ્રેસના સંગઠનને મજબૂત બનાવવાનો કોંગીજનોને સંદેશ પણ આપી ગયા. કોંગી નેતાઓએ કેટલાક ચોક્કસ મુદ્દાઓ ઊઠાવીને સ્થાનિક નેતાઓ-કાર્યકરોમાં જુસ્સો ભરવાનો પણ પ્રયાસો કર્યા.

બીજી તરફ રાજ્ય કક્ષાએ શિક્ષકો દ્વારા એકમ કસોટીનો જબરદસ્ત વિરોધ ઊઠતા રાજ્યવ્યાપી આંદોલનના પડઘમ પણ વાગવા લાગ્યા છે. એકમ કસોટી વિદ્યાર્થીઓ માટે તો ફળદાયી છે, પરંતુ એકમ કસોટીના કારણે રાજ્યના ત્રણ લાખ શિક્ષકો પર વધેલા ભારણના કારણે શિક્ષણ પર જ વિપરીત અસરો થશે તેવી તર્કબદ્ધ દલીલો સાથે શિક્ષક સમુદાયમાં ઘોર નિરાશા વ્યાપી ગઈ હોવાના પ્રત્યાઘાતો પણ પડી રહ્યા છે.

આગામી ૩૧ મી જાન્યુઆરીથી સંસદનું બજેટ સત્ર શરૂ થશે, અને કેન્દ્રિય બજેટ પહેલી ફેબ્રુઆરીના રજૂ થશે, તેવી જાહેરાત થઈ છે. હવે બજેટની મોસમ આવશે, અને કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો તથા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એટલે કે ગ્રામ પંચાયતો નગરપાલિકાઓ, તાલુકા પંચાયતો, મહાનગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને બોર્ડ-નિગમ-કોર્પોરેશનો દ્વારા વાર્ષિક બજેટો ઘડાશે, ચર્ચાશે અને મંજુર થશે. બજેટની આ પ્રક્રિયા આખો ફેબ્રુઆરી મહિનો ચાલશે, અને બજેટ સત્ર દરમિયાન સંસદ ગૂંજતી રહેશે.

વડોદરાની મહાનગરપાલિકાએ બજેટનો મુસદે તૈયાર કરતા પહેલા ત્યાંના નગરજનોના સૂચનો માંગ્યા છે, અને એક ઈ-મેઈલ આઈડી જાહેર કર્યું છે, અને તેના સ્થાનિક કક્ષાએ મિશ્ર પ્રત્યાઘાતો પણ પડી રહ્યા છે, પરંતુ આ અભિગમનું અનુકરણ જામનગર સહિતની અન્ય મહાનગરપાલિકાઓ પણ કરી શકે છે, તે પ્રકારનો જનમત પણ ઘડાઈ રહ્યો છે. કેટલીક મહાનગરપાલિકાઓને વ્હોટ્સ એપ દ્વારા ફરિયાદ નિવારણની પહેલ કરવા જેવા ઊઠાવેલા કદમના અનુભવે જ નગરજનોના સૂચનો મંગાવવા જોઈએ, અને પ્રત્યેક ઈ-મેઈલનો વ્યક્તિગત વિગતવાર (સરકારી ધોરણે નહીં) જવાબ પણ ઈ-મેઈલ દ્વારા જ નાગરિકોને આપવો જોઈએ, તેમ નથી લાગતું?

સામાન્ય રીતે આ પ્રકારના સરકારી અભિયાનો પછી લોકોએ મોકલેલા સૂચનો ડસ્ટબીનમાં જતા હોય છે, અને તેની નોંધ પણ લેવાતી નથી, તેવી લોકોમાં મજબૂત માન્યતા (કલંક) છે, જેથી આ પ્રકારના સૂચનોને કેવો પ્રતિભાવ આપવો, કેટલી નોંધ લેવી તથા કેટલો ઉપયોગ કરવો તેનો એકાધિકારી આ સૂચનો મંગાવનારાઓ પાસે જ રહેવાના બદલે કોઈ પારદર્શક તટસ્થ પ્લેટફોર્મ તૈયાર કરવું જોઈએ, અને સૂચનો કરનાર પ્રત્યેક નાગરિકે કરેલા સૂચનો તેના નામ સાથે તે જ સમયે જાહેર થવા જોઈએ. આવું જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી મેલી મથરાવટી ધરાવતા તંત્રો પર કોઈ ભરોસો કરવાનું નથી, ખરૃં કે નહીં?

કેન્દ્રિય બજેટ પહેલા નાણામંત્રી અને તેના મંત્રાલય દ્વારા વિવિધ ક્ષેત્રોના પ્રતિનિધિઓ સાથે તબક્કાવાર ચર્ચા-પરામર્શ કરવાની પરંપરા તો પહેલેથી જ છે, પરંતુ બજેટ પૂર્વે મેળવાયેલા આ અભિપ્રાયો-સૂચનો અને માંગણીઓનો કેટલો સ્વીકાર કરવો, અને કટલાક બજેટમાં સમાવવા, તેનો એકાધિકાર પણ સરકાર પાસે જ રહે છે, પરંતુ બજેટસત્રમાં ચર્ચા થયા પછી અંતિમ મંજુરી પહેલા તેમાં સુધારા વધારાને અવકાશ પણ રહેતો હોય છે.

આ વખતે કેન્દ્રિય બજેટમાં મધ્યમ વર્ગને ખુશ કરવા કદાચ ઈન્કમ ટેક્ષમાં રાહતો અપાય, અને સુક્ષ્મ,                      ,મધ્યમ ઉદ્યોગો, એ.આઈ. અને મેન્યુફેક્ચરીંગ સેક્ટરને લઈને કોઈ મહત્ત્વપૂર્ણ જાહેરાતો થાય, તેવી સંભાવનાઓ જણાવાઈ રહી છે. એટલું જ નહીં, રક્ષામંત્રી રાજનાથસિંહે તાજેતરમાં પીઓકેને લઈને કરેલું સૂચક નિવેદન, ચીનના જ્હાજોએ ભારતીય જ્હાજનો પીછો કર્યો હોવાના અહેવાલ તથા ભારતીય સેનાની વ્યૂહાત્મક જરૂરિયાતોને ધ્યાને રાખીને દેશના સંરક્ષણ બજેટમાં વધુ ફાળવણી કરવામાં આવશે, તેમ જણાય છે. જો એવું થશે, તો ક્યા ક્ષેત્રમાં કાપ આવશે, તે અંગે પણ અટકળો થઈ રહી છે. એટલું જ નહીં, કદાચ આગામી વર્ષે કેટલાક સરકારી ખર્ચાઓ પર કાપ આવે અને સરકાર કરકસરના પગલાં જાહેર કરે, તેવી શક્યતાઓ પણ જણાવાઈ રહી છે. એકંદરે આગામી બજેટ 'કહીં ખુશી, કહીં ગમ' જેવી સ્થિતિનું નિર્માણ કરશે અને દેશની સુરક્ષા, એ.આઈ. સેક્ટર, આઈટી સેક્ટર તથા મિડલકક્ષાના સંબંધિત બાબતોને પ્રાધાન્ય અપાશે, તેવા અનુમાનો થઈ રહ્યા છે.

દેશની રાજધાનીમાં ચૂંટણીલક્ષી માહોલ હોવાથી અવારનવાર પ્રેસ કોન્ફરન્સો યોજાઈ રહી છે અને રાજકીય આક્ષેપો-પ્રતિઆક્ષેપો થઈ રહ્યા છે. હવે તો સરકાર પર મીડિયા મેનેજમેન્ટ તથા પ્રોપાગન્ડાના આક્ષેપો સાથે 'ગોદી મીડિયા'ના આક્ષેપો થઈ રહ્યા છે, તો નગરથી નેશન સુધી કોંગ્રેસની પત્રકાર પરિષદો પણ ચર્ચામાં છે. કોંગ્રેસે ટોપ-ટુ-બોટમ સંગઠનને મજબૂત કરવાના પ્રયાસો શરૂ કર્યા છે.

બીજી તરફ કેન્દ્રિય એજન્સીઓના દુરૂપયોગની સાથે સાથે હવે પ્રેસ-મીડિયાને પ્રભાવિત કરવાના પ્રયાસો પણ થઈ રહ્યા છે. તેવા વિક્ષેપો-આક્ષેપોની વચ્ચે હવે તો જાહેર તથા ખાનગી ક્ષેત્રો દ્વારા પ્રેસ-મીડિયાને પ્રભાવિત કરવા તથા દબાવવાની રીત-રસમો હવે છાપેલા કાટલા જેવા અપરાધીઓ પણ અપનાવવા લાગ્યા હોય, ત્યારે મીડિયા જગતે પણ જાગૃત અને એકજુથ થવાની જરૂર હોવાના પ્રત્યાઘાતો પણ સામે આવવા લાગ્યા છે.

જ્યારે દેશમાં કોઈ રાજ્યમાં ચૂંટણી હોય, અને તે જ સમયગાળામાં બજેટની મોસમ શરૂ થતી હોય, ત્યારે બન્ને એકબીજાને પ્રભાવિત કરે તે સ્વાભાવિક છે, પરંતુ અભિવ્યક્તિની આઝાદી જેવા મૂળભૂત અધિકારો ધરાવતા દેશમાં લોકતાંત્રિક વ્યવસ્થાના ચોથા સ્તંભસમા પ્રેસ-મીડિયાને પ્રભાવિત કરવાના પ્રયાસો પગ પર કૂહાડી મારવા જેવા વાહિયાત ગણાય, તેમ નથી લાગતું?

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

હવે 'બુલા'ને લઈને ઊભી થઈ બબાલ... ઠંડા માહોલમાં કૃત્રિમ ગરમી... 'હમેં' ભી સુનો...!!!

કેન્દ્ર સરકારે આઠમા પગારપંચની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા, તો આ જાહેરાત દિલ્હીની ચૂંટણી ટાણે જ થઈ હોવાથી તેને લક્ષ્યમાં લઈને કેટલીક ટીકા-ટિપ્પણીઓ પણ થઈ રહી છે જો કે, આ જાહેરાત દેશ વ્યાપી હોવાથી આદર્શ આચાર સંહિતાનો ભંગ તો થતો નથી, પરંતુ દેશની રાજધાનીમાં કેન્દ્રીય કર્મચારીઓની મોટી સંખ્યા હોવાથી આ જાહેરાતનો ફાયદો કેન્દ્રીય સત્તાધારી ગઠબંધનને રાજકીય રીતે થાય, તે ઓપન સિક્રેટ ગણાય. આ જાહેરાતને કર્મચારી-પેન્શનરોના વર્તુળોમાં આવકાર મળી રહ્યો હોવા છતાં તેનો સીધો પ્રભાવ આગામી ચૂંટણીઓના મતદારો પર કેટલો પડે છે, તે કહી શકાય તેમ નથી.

દેશની રાજધાની સહિત દેશમાં ઠંડી યથાવત છે અને મકરસંક્રાંતિ પછી ગુજરાતમાં પણ કેટલાક શહેરોમાં દસ ડિગ્રીથી નીચે તાપમાન રહ્યું અને ઠંડાગાર પવનો ફૂંકાયા, જેની જનજીવન પર અસર પડી છે, ત્યારે હુતાશણી સુધીમાં ઠંડી ઘટશે અને ગરમીના દિવસો શરૂ થશે, તેવી આગાહીઓ પણ થવા લાગી છે.

હાલારમાં પણ હાડ થીજવતી ઠંડી પછી હવે ધીમે-ધીમે રાહત થતી જણાય છે, આવી કડકડતી ઠંડીમાં પણ યાત્રાધામો અને પ્રવાસન સ્થળોમાં પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટયા હતાં, હવે લગ્નગાળો શરૂ થતાં ગામડાઓ તથા શહેરોમાં અલગ જ પ્રકારનો ખુશહાલ માહોલ સર્જાઈ રહ્યો છે.

આટલા ઠંડીના માહોલ વચ્ચે પણ કેટલાક મુદ્દે ગરમા ગરમ જનાક્રોશ પણ દેશના વિવિધ રાજ્યોમાં જોવા મળી રહ્યો છે, જેમાં રાજનીતિની ગરમા ગરમી સિવાયના કેટલાક વિષયો પણ ચર્ચાઈ રહ્યા છે, અને ધગધગતા નિવેદનો પણ થઈ રહ્યા છે.

કેન્દ્રીય બજેટ રજૂ થાય, તેમાં લોકોને રાહતરૂપ જોગવાઈઓ થાય અને પ્રામાણિક ટેક્સ પેયરને પ્રોત્સાહન મળે, તેવા આશાવાદ વચ્ચે કેન્દ્ર સરકારે આઠમા પગારપંચની જાહેરાત તો કરી દીધી છે, પરંતુ તેની અમલવારી કરવામાં વર્ષાે નીકળી જશે, અને આ જ મુદ્દો આગામી ચૂંટણીઓમાં ફળદાયી બની શકે, તેવી રીતે આઠમા પગાર પંચનો વાસ્તવિક ફાયદો વર્ષ ર૦ર૭-ર૮ના વર્ષ સુધીમાં જ અપાશે, તેવો વ્યંગ પણ થઈ જ રહ્યો છે ને ?

સૌથી વધુ ચર્ચા તો નવા સૂચિત (પ્રસ્તાવિત) કાયદા 'બુલા'ને લઈને થઈ રહી છે, 'બુલા' બેનીંગ ઓફ અન રેગ્યુલાઈઝડ લેન્ડીંગ એક્ટિવિટીઝ એક્ટનું શોર્ટફોર્મ છે. બુલાના કાયદાનો પ્રસ્તાવ મૂકીને સરકારે સૂચનો માંગ્યા છે, પરંતુ તેના સંદર્ભે અપાઈ રહેલા પ્રચંડ આક્રોશ અને આશંકાઓ દર્શાવતા પ્રતિભાવો અને પ્રત્યાઘાતો નગરથી નેશન સુધી પડી રહ્યા છે.

આ કાયદા હેઠળ અનિયમિત નાણાકીય લેવડ-દેવડ પર અંકુશ મુકવાનો પ્રસ્તાવ છે જેમાં યોગ્ય અને કાનૂની પ્રક્રિયા વિના થતી નાણાકીય લેવડ-દેવડની પ્રવૃત્તિ કરનારને સજા કરવા સહિતની કેટલીક જોગવાઈનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે અને એકંદરે મિશ્ર પ્રતિભાવો સામે આવી રહ્યા છે.

આ મુદ્દે રાજકીય વર્તુળોમાંથી પણ મિશ્ર પ્રત્યાઘાતો પડી રહ્યા છે. કોંગ્રેસની વિચારસરણી ધરાવતા ઉદ્યોગ-વ્યાપાર ક્ષેત્રના પ્રત્યાઘાતો મુજબ આ પ્રકારની જોગવાઈઓ ફાયદાને બદલે લોકોને નુકસાન વધુ કરશે, અને દેશની અર્થવ્યવસ્થાને અસ્ત વ્યસ્ત કરી નાંખશે, પોલીસતંત્રને અમર્યાદ સત્તાઓ આપ્યા પછી પણ આ કાયદાનો દુરૂપયોગ થશે અને રોજીંદા વ્યવહારો જાળવવા પરસ્પર વિશ્વાસથી નાણા ઉછીના લેવા પર પણ અંકુશ આવશે, તો નાના, સુક્ષ્મ, મધ્યમ ઉદ્યોગો, ગૃહ ઉદ્યોગો અને રિટેઈલ વ્યાપારીઓ-પરચૂરણ વ્યવસાય કરીને ગુજરાન ચલાવતા નાના વેપારીઓને પણ ઘણી જ મુશ્કેલી પડશે, આથી એમએસએમઈનું ગળું જ ઘોંટાઈ જશે, તેવા પ્રત્યાઘાતો પડી રહ્યા છે. કોંગ્રેસ ઉપરાંત અન્ય વિપક્ષો પણ આ સૂચિત અધિનિયમનો વિરોધ કરી રહેલા જણાય છે.

જામનગર સહિત રાજ્યની ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ જેવી વ્યાપાર-ઉદ્યોગ ક્ષેત્રની સંસ્થાઓ, વેપારી મંડળો, ઔદ્યોગિક સંગઠનો તથા આ ક્ષેત્રના તજજ્ઞો-અગ્રણીઓએ પણ તીખા-તમતમતા પ્રતિભાવો આપ્યા છે.

એકંદરે એવા પ્રતિભાવો છે કે આ સૂચિત કાયદાનો ઉદ્દેશ્ય વ્યાજંકવાદ અને કાળાનાણાની હેરાફેરી પર અંકુશ લાવવાનો હોય તો પણ પહેલાં આપણી પારંપારિક વ્યાપાર ઉદ્યોગક્ષેત્રની વ્યવહારિક વ્યવસ્થાઓને એકદમ ખોરવી નાંખતા પહેલાં તેની વૈકલ્પિક અને સરળ-સસ્તી ધિરાણ વ્યવસ્થાઓ ઊભી કરવી અત્યંત જરૂરી છે, રોજીંદા વ્યવહારો માટે તત્કાળ નાની-મોટી રકમ ઉછીના આપવા કે લેવાનો કોઈ વિકલ્પ હાલમાં છે ખરો...? તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે.

ખાસ કરીને પોલીસતંત્રને જો અમર્યાદ સત્તાઓ અપાય તો તે અલગ જ પ્રકારની સમસ્યાઓ ઉભી કરશે, અને લોકોના બંધારણે બક્ષેલા મૂળભૂત હક્કોનું ઉલ્લંઘન થશે, તેવી આશંકાઓ પણ વ્યક્ત થઈ રહી છે.

વ્યાજખોરો ઊંચા દરે વ્યાજે નાણાંની ધીરધાર કરતા હોય અને તેને જો પ્રવર્તમાન કડક કાયદોઓ નાથી શકયા ન હોય, તો રોજીંદી જરૂરિયાતો મુજબ લાખ-બે લાખ રૂપિયા ઉચ્ચક ઉછીના લેનાર કે આપનાર સામે કાયદાનો દંડો ઉગામવો, એ સરાસર અન્યાય જ ગણાય, તેવા પ્રત્યાઘાતો વચ્ચે આ કાયદાનો પ્રસ્તાવ (મુસદ્દો) તૈયાર કરતા પહેલાં જાહેર જનતાના સૂચના ધ્યાને લેવા જોઈએ, અને વ્યાપારિક-ઔદ્યોગિક-વ્યવસાયિક સંસ્થાઓ, રિટેઈલરોના સંગઠનો, વેપારી એસોસિએશનો સહિત સૌ કોઈ સંબંધ કર્તાઓને વિશ્વાસમાં લેવા જોઈએ એ તેમ નથી લાગતું...?

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

close
Ank Bandh