Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દુબઈ અને અબુધાબીની શાક માર્કેટમાં ધાર્મિક સ્થળ જેટલી સ્વચ્છતા હોય છે
ભારતમાં જૂતાં ચપ્પલ શોરૂમમાં વેંચાય છે અને લીલા શાકભાજી ફૂટપાથ ઉપર વેચાય રહૃાા છે! આઝાદીના અમૃત મહોત્સવ વર્ષમાં પણ લીલા શાકભાજી ગંદી જગ્યાઓએ અને અસ્તવ્યસ્ત હાલતમાં મળે છે. જામનગર શહેરમાં એકવાર જથ્થાબંધ અને છૂટક શાક માર્કેટ 'સુભાષ શાકમાર્કેટ'ની અવદશા નિહાળો તો દયા અને ગુસ્સો આવે તેવું છે. રજવાડા દ્વારા બાંધવામાં આવેલી શાક માર્કેટ હવે પડીને પાદર થઈ ગઈ છે. તેને પાડીને ટૂંક સમયમાં નવું રૂપ ધારણ કરશે. સજુબા ગર્લ્સ હાઇસ્કૂલથી લઈને દરબારગઢ સુધી પાથરણા અને લારીઓમાં વર્ષોથી બજાર ભરાય છે! ગાય-કૂતરાની ગંદકી વચ્ચે કેટલા આરોગ્યપ્રદ શાકભાજી મળતા હશે તે મોટો અને ગંભીર સવાલ છે! અહી તોલમાપ, ફૂડ સેફટી સ્ટાન્ડર્ડ સહિતના અનેક કાયદાનો અમલ થતો નથી. જામનગરની શાક બજાર ખરેખર રામ ભરોસે ધમધમી રહી છે. મહાનગરપાલિકાના નવા શાસકો સુભાષ શાક માર્કેટને આધુનિક રીતે નિર્માણ કરે તેવી નગરજનોની ઈચ્છા છે.
કરૂણતા
એન્જિયોગ્રાફીના લેખક મોટાભાગે શાક બકાલું લેવા જતા નથી, પરંતુ આ લેખ લખવા માટે થોડા મહિના પહેલા સુભાષ શાકમાર્કેટની મુલાકાત લીધી. અતિશય ગંદકી, રખડતાં ઢોર અને કૂતરા વચ્ચેથી બચતા બચતા નિરીક્ષણ કર્યું. બીજી ખાસ વાત એ છે કે, ૧૦ મે એ, જે દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાતવાસો કરવા જામનગર પધારવાના હતા તે દિવસે આખું વહીવટી તંત્ર શહેરની સ્વચ્છતા અને સુંદર વ્યવસ્થામાં ગળાડૂબ હતું તે દિવસે જ સુભાષ માર્કેટ વિસ્તાર ગંદકી અને ટ્રાફિકથી ત્રસ્ત હતો! જ્યાંથી મોટાભાગનું શહેર પેટપૂજા માટે શાકભાજી ખરીદે છે ત્યાં વડાપ્રધાનના આગમમની કોઈ કાર્યવાહી કે અસર થઈ નહોતી. વડાપ્રધાન આવતા હોય અને જે સ્થળને નજર અંદાઝ કરવામાં આવતું હોય ત્યાં, સામાન્ય દિવસોમાં શું પરિસ્થિતિ હશે?
શું આપણી સંવેદના મરી પરવારી છે? શાસકો અને પ્રજા બન્ને આ પરિસ્થિતિ માટે જવાબદાર છે. જામનગર શહેરમાં ૨૦૦ કરોડનો જંગી ઓવરબ્રિજ બની શકે છે તો, ૨૫-૫૦ કરોડની નમૂનેદાર શાકમાર્કેટ કેમ બનતી નથી? જામનગર શહેર હવે ૧૨૫ કિલોમીટર પરિઘમાં વિસ્તરી ચૂક્યું છે ત્યારે ઓછામાં ઓછી ૩ મોટી આધુનિક શાકમાર્કેટ બનાવવી જરૂરી છે. મહાનગરપાલિકા પાસે દૃષ્ટિ કે ઈરાદા નથી. વિવિધ કામો ઉપર અબજોના ખર્ચ પછી પણ શહેરની મુખ્ય શાકમાર્કેટ ખંડેર હાલતમાં બંધ છે. અહી ચોમાસામાં શું હાલત થતી હશે તે રામ જાણે.
હવે જાગો
મારી જાણકારી મુજબ આખા ગુજરાતમાં ક્યાંય નમૂનેદાર આધુનિક શાકમાર્કેટ બની નથી. રાજ્ય અને કેન્દ્ર સરકારને મોટા મોટા માર્ગો નિર્માણ કરવાના જ વિચાર આવે છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા કે જૂનાગઢમાં ૨૧ મી સદીમાં પણ શાકભાજી રોડ કે ફૂટપાથ ઉપર જ વેચાઈ રહૃાું છે! નરેન્દ્ર મોદી સરકારે હવે બીજા બધા નિર્માણ કાર્યો પડતા મૂકીને આધુનિક અને નમૂનેદાર શાક માર્કેટ નિર્માણ કાર્ય શરૂ કરવાની જરૂર છે. જામનગર શહેરમાં અનેક નવા નિર્માણ કાર્યો ધમધમી રહૃાા છે. પરંતુ સજુબા ગર્લ્સ હાઇસ્કૂલથી દરબારગઢ સુધી ખુલ્લામાં બિન આરોગ્યપ્રદ રીતે વેચતા શાકભાજીના ઉદ્ધાર માટે તંત્ર કુંભકર્ણ નિદ્રામાં વ્યસ્ત છે. આપણા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અનેકવાર વિદેશ યાત્રાઓ કરે છે, પરંતુ ત્યાંના અભ્યાસનો અહી અમલ કરતાં જ નથી!
સરકાર
ગુજરાત સરકાર દોઢ દાયકાથી ડબલ એન્જિન સરકાર છે. દુનિયામાં મોટી ઊપજ ધરાવે છે. પરંતુ શાક-બકાલા ક્ષેત્રે તેમનો મૃદુ અને મુલાયમ વહીવટ સામાન્ય લોકોને ગળે ઊતરતો નથી. ભૂપેન્દ્ર પટેલની સરકાર ગંદા અને બિન આરોગ્યપ્રદ સ્થળો ઉપર વેચતા શાકભાજી બાબતે 'ઝીરો ટોલરન્સ નીતિ' અમલમાં મૂકવામાં કેમ નબળી પડે છે તે મોટો સવાલ છે. ૩૦ વર્ષ સુધી મોટા અને વિશાળ માર્ગો બનવ્યા, હજારો ઓવરબ્રિજ અને અંડરબ્રિજ બનાવ્યા, હવે તેને આરામ આપી ભવ્ય શાક માર્કેટો બનાવો. વિદેશી પ્રતિનિધિ મંડળો જોવા આવે તેવી ડિઝાઇન બનાવો. ભાજપ સરકારે ગિફ્ટ સિટી બનાવવા માટે જેટલો રસ લીધો અને જેટલા નાણા ફાળવ્યા તેના પ્રમાણમાં શુદ્ધ અને સલામત શાકભાજી નાગરિકોને મળે તે માટે નથી લીધો તે લોકો બહુ સારી રીતે જાણે છે. ગુજરાતના મંત્રી મંડળે એકવાર જામનગરમાં સજુબા ગર્લ્સ હાઇસ્કૂલથી દરબારગઢ સુધી પદયાત્રા કરી વાસ્તવિકતા જાણવાની જરૂર છે. થોડા વર્ષો પહેલા જામનગરના બેડીગેઈટ-કડીયાવડમાં નાની શાક માર્કેટ ભરાતી હતી, ત્યાં આ વિસ્તારનું મોટુ શૌચાલય ખદબદતું હતું. તે હવે કડીયાવાડમાં ભરાય છે.
ગુજરાત સરકારે રાજ્યના તમામ જિલ્લાઓ અને તાલુકા મથકોએ નવી શાક બજાર બનાવવાની જરૂર છે. મે દુબઈ અને અબુધાબીની શાક માર્કેટ જોઈ છે. ધર્મ સ્થાનો જેટલી સ્વચ્છતા હોય છે. અમેરિકાની સૌથી મોટી રીટેલ ચેઇન 'વોલમાર્ટ'માં વેજીટેબલ ગુણવત્તા ચકાસવા માટે અલાયદો વિભાગ છે. શાકભાજીની સાથે તેના વિક્રેતાઓના આરોગ્યની પણ તપાસ કરવામાં આવે છે. ગુજરાતમાં આ વેપાર સાથે સંકળાયેલા લોકોના આરોગ્યની ચકાસણી કરવાની કોઈ પદ્ધતિ નથી. નાની-મોટી બીમારીથી પીડાતા લોકો આ ધંધો કરી શકવા ન જોઈએ! કારણ કે, તેનાથી બીમારી ફેલાવાનો ભય રહે છે.
ગુજરાતમાં મોટી શાકમાર્કેટ ઉપરાંત ગલી મહોલ્લામાં પણ ફેરિયા બકાલાનો ધંધો કરે છે. આવા હજારો ફેરિયા યોગ્ય વજનમાં માલ આપે છે કેમ તેના વજન કાંટા પણ તપાસવા જોઈએ. ૧૦ કિલોગ્રામના કેરીના બોક્સમાં પુરતા વજનમાં માલ હોય છે? કેરીને કાર્બન અથવા કેમિકલથી પકવવામાં આવે છે? લીલા શાકભાજીમાં રસાયણોનું પ્રમાણ કેટલું છે? તે ચકાસવા માટે વ્યવસ્થા છે?
મારા મતે શાકભાજી અને ફળો બાબતે સંપૂર્ણ લાલિયાવાડી ચાલે છે. આ જીવન જરૂરી અને દૈનિક વપરાશની વસ્તુઓ છે. તે તંદુરસ્તી અને માંદગી સાથે સીધી રીતે સંકળાયેલી છે. ગુજરાતના ખેતીવાડી મંત્રીઓએ આ ક્ષેત્રની નોંધ જ લીધી નથી.
ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળે તેમ ગ્રાહકોને પણ પોષણયુક્ત શાકભાજી મળે તે જરૂરી છે.
ગ્રાહકો સંગઠિત નથી તેથી તેનો કોઈ અવાજ નથી. ગુજરાતના ગંદા ગોબરા શાકમાર્કેટ શા માટે ચલાવી લેવા જોઈએ. જામનગરની સુભાષ માર્કેટ, જૂનાગઢની ડબા ગલી કે પાંચ હાટડી, અમદાવાદનું જમાલપુર શાક માર્કેટ કે રાજકોટનું લાખાજીરાજ શાકમાર્કેટ નમૂનેદાર શા માટે ના બને? રાજકોટમાં આ શાક માર્કેટની મરામત એક વર્ષથી અદ્ધરતાલ છે, કારણ કે, શાક બકાલાના વેપારીઓને વૈકલ્પિક જગ્યા ફાળવવામાં નથી આવી!
રાજકોટમાં મહાનગરપાલિકા દ્વારા બે વર્ષમાં નવી શાક બજાર બની જશે તેવો અંદાજ છે અને અંદાજિત ખર્ચ ૨૯ કરોડનો છે. અહી આધુનિક મોલ જેવી વ્યવસ્થાઓ હોવાનો તંત્ર દ્વારા દાવો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે હોસ્પિટલોની જેમ શાકબજાર માટે પણ એસ.ઑ.પી. તૈયાર કરવી જોઈએ. ખાલી વેપાર માટેના થડા બાંધી દેવાથી કામ પતાવવું ન જોઈએ. દુનિયાની આધુનિક છૂટક શાક વિતરણ વ્યવસ્થાનો અભ્યાસ થવો જોઈએ.
નવી હવા
ગુજરાતમાં તાલુકા, જિલ્લા અને મહાનગરોમાં નવા પદાધિકારીઓ નિયુક્ત થઈ ગયા છે. હવે ભાજપે 'આધુનિક શાક માર્કેટ નિર્માણ અભિયાન' શરૂ કરવાનો સમય પાકી ગયો છે. મહાનગરો ઉપરાંત તાલુકા મથકોએ પણ શાકભાજીની વિતરણ વ્યવસ્થા બહુ કંગાળ હાલતમાં છે. સરકાર પાસે રોડ-રસ્તા અને ભવનો બાંધવા માટે અબજો રૂપિયા છે, પરંતુ સ્વસ્થ ગુજરાતના નારા ગજવતી સરકાર પાસે આધુનિક શાકમાર્કેટ બાંધવાની દૃષ્ટિ, ઈરાદા કે નાણા નથી. એશિયાડ અને ઓલમ્પિક ખેલ માટે અત્યારથી તિજોરી ખૂલી મૂકી દીધી છે, પરંતુ નાગરિકોને શુદ્ધ ખોરાક મળે તેની ચિંતા નથી. ભેળસેળ કરતા લોકોને કડક સજા કરવાના કાયદા ઘડવાનો સમય નથી. ભેળસેળ પકડવા માટે પૂરતો સ્ટાફ કે આધુનિક લેબ પણ નથી! કૃષિ મંત્રી અને પુરવઠા મંત્રી શું કરે છે તે નાગરિકોને ખબર નથી.
ઈચ્છા
ગૌરવવંતા ગુજરાતીઓ રાજ્યમાં ભેળસેળ મુક્ત અને પ્રદૂષણ રહિત ખોરાક માંગે છે. રાજ્યમાં શાકભાજીની છૂટક વિતરણ વ્યવસ્થા મજબૂત અને સ્વચ્છ બને તે જરૂરી છે. શાક બકાલું વેંચતા ધંધાર્થીઓની નિયમિત આરોગ્ય ચકાસણી થવી જોઈએ. મહાનગરપાલિકાઓમાં જેમ એસ્ટેટ વિભાગ હોય છે તેમ ખોરાક વ્યવસ્થાપન વિભાગ પણ હોવો જોઈએ. જામનગરની સુભાષ માર્કેટમાં જો કાનૂની વિવાદ કે અડચણ હોય તો તાત્કાલિક તેનો ઉકેલ લાવવો જોઈએ. રાજ્યમાં આ ક્ષેત્ર માટે તાત્કાલિક ઉચ્ચ કક્ષાની સમિતિની રચના કરવી જોઈએ. બુધવારની કેબિનેટની બેઠકમાં ચર્ચા કરવી જોઈએ. સરકારે આ બાબતેની પ્રગતિનો અહેવાલ કમિશનરો પાસે મંગાવો જોઈએ. સાથે મેયર, જિલ્લા અને તાલુકા પંચાયત પ્રમુખો પાસે પણ રિપોર્ટ માંગવો જોઈએ. જિલ્લા કક્ષાએ મળતી સંકલન સમિતિની બેઠકોમાં પણ નવી અને આધુનિક શાકમાર્કેટ બાબતે સાંસદ અને ધારાસભ્યોએ સક્રિય થવું જોઈએ. સ્વચ્છ શાક માર્કેટ માટેની હરીફાઈ રાખવી જોઈએ.
મોટા શહેરોમાં અનેક વિસ્તારોમાં છૂટક વેચાણ કરવામાં આવે છે. મહાનગરપાલિકા હસ્તક જમીનના પ્લોટ હોય, શોપિંગ સેન્ટર હોય ત્યાં શાકભાજી માટે દુકાનો, જગ્યા અનામત રાખવી જોઈએ. ખાનગી શોપિંગ સેન્ટરોમાં જેમ પાર્કિંગની જગ્યા ફરજિયાત હોય છે તેમ એક કે બે દુકાનો શાકભાજી માટે અનામત રાખવાનો નિયમ બનાવવો જોઈએ. જો કોઈ ખાનગી બિલ્ડર માત્ર શાકભાજી માટે બિલ્ડિંગ બનાવે તો, નિયમોમાં છૂટછાટ આપવી જોઈએ. બેન્કોએ પણ ધિરાણમાં ખાસ રાહત આપવી જોઈએ.
સરકારી ફંડ
વાજબી ભાવે શુદ્ધ ખોરાક મેળવવો તે નાગરિકનો અધિકાર છે અને સરકારની ફરજ છે. અશુદ્ધ ખોરાકને કારણે કેન્સર, હદય રોગ જેવા અનેક રોગો સમાજમાં વધી રહૃાા છે. સરકારે જે કરવાનું છે તે, નાગરિકોના કરવેરાની આવકમાંથી જ કરવાનું છે. પ્રજાના પ્રતિનિધિઓએ પણ હવે સક્રિય થવાની જરૂર છે. સરકાર સાંસદ, ધારાસભ્ય અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પદાધિકારીઓને વિકાસ કામો માટે ખાસ ફંડ આપે છે. તેમણે પણ શાકમાર્કેટ નિર્માણ માટે આ ફંડ ફાળવવું જોઈએ.
નાગરિકો
નાગરિકોની લાપરવાહી અને નિષ્ક્રિયતા પણ આ માટે જવાબદાર છે. સોશિયલ મીડિયા ઉપર આવી બાબતો લખવી જોઈએ. પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓને સંદેશા મોકલી જાગૃત કરવા જોઈએ, માંગણી કરવી જોઈએ. આવી માંગ કોઈ સરકાર વિરોધી પ્રવૃત્તિ નથી, આપણો મૂળભૂત અધિકાર છે.
'નોબત'ના વાચકો અને ચાહકો આ લેખ વાંચી પદાધિકારીઓ અને અધિકારીઓને સંદેશ પાઠવી માંગ કરે તેવી હાર્દિક વિનંતી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
અમેરિકામાં બંદૂક ધારણ કરવી તે નાગરિકોનો બંધારણીય અધિકાર છે
મહાસત્તા અમેરિકાના યુદ્ધખોર માનસ ધરાવતા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ બે વાર ગો ળીઓના નિશાન ઉપર આવી ગયા. અમેરિકાની શાળા-કોલેજોમાં અવારનવાર જીવલેણ હુમલાઓ કરવામાં આવી રહૃાા છે. અંધાધૂંધ ગોળીબારમાં અસંખ્ય અમેરિકાનો જીવ ગુમાવી રહૃાા છે. મોટી મોટી ઘટનાઓ જ આપણાં સુધી પહોંચે છે, બીજી હજારો ગોળીબારની ઘટનાઓ ત્યાં જ ધરબાય જાય છે. અમેરિકામાં અંધાધૂંધી ફેલાવતા 'ગન કલ્ચર' પ્રત્યે સરકાર કેમ મૌન અને નિષ્ક્રિય છે. અમેરિકામાં બિયર કરતાં વધુ સરળતાથી બંદુકો મળતી રહે તે બહુ દુઃખદ અને આશ્ચર્યની બાબત છે.
અમેરિકા
વિકસિત દેશોમાં અમેરિકામાં જે બંદૂક સંસ્કૃતિ છે તે બહુ ચર્ચાસ્પદ અને વિવાદાસ્પદ છે. અંદાજિત ૪૦૦ મિલિયન હથિયારો સાથે, યુ.એસ.માં પ્રતિ ૧૦૦ રહેવાસીઓ દીઠ લગભગ ૧૨૦ બંદૂકો છે. અમેરિકામાં બંદુકો રાખવા માટેના મુખ્ય કારણોમાં શિકાર કરવો, વિવિધ રમતો, સ્વ-બચાવ છે, જે ''ગન કલ્ચર'' બનાવે છે. અહીની 'ગન લોબી' સરકાર ઉપર કાબૂ ધરાવે છે. બંદૂકોના ખાનગી વેચાણ ઉપર પ્રતિબંધ કે અંકુશ મૂકવો અશક્ય છે.
અમેરિકામાં નાગરિક દ્વારા મોટી માત્રમાં નાના હથિયારોની ખરીદી કરવામાં આવે છે, આ દેશ વૈશ્વિક કુલ હથિયારોના આશરે ૪૭% હિસ્સો ધરાવે છે. ૨૦૨૪ માં, આશરે ૧૭ મિલિયન હથિયારો વેચાયા હતા, જેમાં ૭૦% થી વધુ માલિકોએ હથિયાર ખરીદતા સમયે રક્ષણને મુખ્ય કારણ ગણાવ્યું હતું.
અમેરિકામાં બંદૂક ધારણ કરવી તે બંધારણીય અધિકાર છે. બંદૂકોના વ્યાપક વ્યાપના વિષય ઉપર ઉગ્ર અને વિવાદાસ્પદ ચર્ચા થઈ રહી છે. અભ્યાસો સૂચવે છે કે, અહી હથિયારો બાબતે બે મત પ્રવર્તે છે. ઘણાં લોકો બંદૂકોને રક્ષણ તરીકે જુએ છે, ત્યારે અન્ય લોકો તેને સામૂહિક જાહેર સલામતી માટે ખતરા તરીકે પણ જુએ છે. અહી મોટી અને મોંઘી બંદૂક રાખવાને સ્ટેટસ સિમ્બોલ પણ માનવામાં આવી રહૃાું છે. ગન લોબી દલીલ કરે છે કે, બંદૂકોની સંખ્યાના પ્રમાણમાં નગણ્ય હિંસા થઈ રહી છે. છૂટાછવાયા બનાવોને મોટા બનાવી ચગવવામાં આવી રહૃાા છે.
ગત વર્ષે ૪૨૫ ગોળીબારની ઘટનાઓમાં કુલ ૪૫૦ લોકો માર્યા ગયા અને બે હજાર લોકો ઘાયલ થયા. યુ.એસ.માં ૨૦૨૫ માં સામૂહિક હત્યાકાંડ (ચાર કે તેથી વધુ મૃ ત્યુ સાથેની ઘટનાઓ) ૨૦ વર્ષના નીચલા સ્તરે જોવા મળ્યા, ડિસેમ્બર ૨૦૨૫ સુધીમાં ફક્ત ૧૮ ઘટનાઓ નોંધાઈ છે. 'અમેરિકન ક્રાઇમ એન્ડ ડોમેસ્ટિક વાયોલન્સ સ્ટડી સેન્ટર'ના અભ્યાસ અનુસાર અમેરિકામાં બંદુકો દ્વારા વ્યક્તિગત કે સામૂહિક હુમલાઓમાં ક્રમશઃ ઘટાડો થઈ રહૃાો છે.
ઉદ્યોગ
યુનાઇટેડ સ્ટેટ્સ મોટા ઔદ્યોગિક પ્લાન્ટથી લઈને હજારો નાના પાયે વિશિષ્ટ કારખાના સુધીના હથિયારોના ઉત્પાદન સુવિધાઓના વિશાળ નેટવર્ક ધરાવે છે. ઉત્પાદનમાં મોટાભાગે કેટલાક મુખ્ય ખેલાડીઓ પ્રભુત્વ ધરાવે છે જેઓ ઘણાં રાજ્યોમાં, ખાસ કરીને દક્ષિણ અને પશ્ચિમ જેવા વ્યવસાયપૂર્ણ વાતાવરણ ધરાવતા પ્રદેશોમાં બહુવિધ ફેક્ટરીઓ ચલાવે છે. યુ.એસ.માં ૧૯ હજારથી વધુ લાઇસન્સ પ્રાપ્ત હથિયાર ઉત્પાદકો છે, પરંતુ ઉત્પાદનમાં કેટલાક મુખ્ય ખેલાડીઓનું વર્ચસ્વ છે. ૨૦૨૪ ના ડેટા દર્શાવે છે કે મોટા ઉદ્યોગ દ્વારા સ્થાનિક સ્તરે ૧૦ મિલિયનથી વધુ હથિયારોનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું, જેમાં સ્મિથ અને વેસન, રૂગર અને સિગ સોઅર જેવા ટોચના ૧૦ ઉત્પાદકો કુલ ઉત્પાદનના આશરે ૭૦% હિસ્સો ધરાવે છે.
અમેરિકામાં 'હયાત ગન્સ' સૌથી મોટી છૂટક બંદુકો વેંચતી રિટેલ ચેઇન છે. હૈયાતમાં દરરોજ ૭૫૦૦ થી વધુ બંદૂકોનો સ્ટોક હોય છે. ૧૯૫૮માં તે શરૂ થયો. આ એક પારિવારિક વ્યવસાય છે, જેમાં હયાત પરિવારની ત્રણ પેઢીઓ દરરોજ અહીં કામ કરે છે. અહી નવી બંદુકો ઉપરાંત રી-સેલમાં પણ મળે છે. 'હયાત નાઇવ્સ'એ શાર્લોટનો એકમાત્ર છરીઓનો ખાસ સ્ટોર છે જ્યાં ધરેલું ઉપરાંત સલા મતી માટેની છરીઓની વ્યાપક શ્રેણી જોવા મળે છે.
કાયદો
ફેડરલ કાયદા હેઠળ, લાંબી બંદૂક ખરીદવા માટે વ્યક્તિઓની ઉંમર ૧૮ વર્ષ કે તેથી વધુ અને હેન્ડગન ખરીદવા માટે ૨૧ વર્ષ કે તે ઉપરની હોવી આવશ્યક છે. પોલીસ કેસ ધરાવતી કે અન્ય કોઈ સજા પામનાર વ્યક્તિ બંદૂક ખરીદી શકતી નથી. અહી મિત્રો કે સગા સંબંધીને બંદૂક ભેટમાં આપી શકાય છે. એક કરતાં વધુ આવા હથિયારો રાખી શકાય છે. અમેરિકામાં વર્તમાન કાયદા હેઠળ ૬ ઈંચથી લઈને ૨૪ ઇંચ લંબાઈ ધરાવતી બંદુકો ખરીદી શકાય છે. આ માપ બહુ જુના છે તેથી હવે ૨૪ ઈંચથી ઓછી લંબાઈના ઓટોમેટિક શસ્ત્રો મળવા લાગ્યા છે. અ મેરિકાની સરકારે શસ્ત્રોના કાયદામાં વ્યાપક ફેરફાર કરવાની જરૂર છે.
શ્રેષ્ઠ ઉત્પાદન
અમેરિકા જે કઈં કરે તેમાં હંમેશાં શ્રેષ્ઠતા જ મેળવે છે. અહી ઘરેલુ બંદૂકોના ઉત્પ ાદન પહેલા ખૂબ ઊંડું સંશોધન કરવામાં આવે છે. વ્યક્તિગત હથિયાર વજનમાં હલકું હોય અને કિમતમાં વાજબી હોવાનું બહુ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. ૨૦૨૪ માં યુ.એસ.માં સંશોધન અને વિકાસ ૯૫૦ બિલિયન સુધી પહોંચ્યો હતો. અમેરિકામાં લશ્કરી હથિયારોના ધંધામાં વ્યાપક અવકાશ રહેલો છે. જોન ડગ્લાસ પેડરસન (૨૧ મે, ૧૮૮૧-૨૩ મે, ૧૯૫૧) એક કુશળ શસ્ત્ર ડિઝાઇનર હતા જેમણે રેમિંગ્ટન આર્મ્સ માટે અને પછી યુનાઇટેડ સ્ટેટ્સ સરકાર માટે કામ કર્યું. પ્રખ્યાત બંદૂક ડિઝાઇનર જોન મોસેસ બ્રાઉનિંગ પણ પ્રસિદ્ધ ડિઝાઇનર હતા. લશ્કરી હથિયારો નિર્માણ અને સંશોધનો કરતાં અધિકારીઓ નિવૃત્તિ પછી ઘરેલું હથિયાર ઉત્પાદન અને વિતરણ ક્ષેત્રે જોડાઈને આજીવિકા મેળવે છે. અહી ત્રણ પ્રકારની બંદુકો બને છે (૧) આત્મરક્ષણ માટે (૨) શિકાર માટે અને (૩) મનોરંજન માટે.
મંજૂરી
બ્યુરો ઓફ આલ્કોહોલ, ટોબેકો, ફાયર આર્મ્સ એન્ડ એક્સપ્લોઝિવ્સ (એટીએફ) એક માત્ર ફેડરલ ઓથોરિટી છે જે ફેડરલ ફાયરઆર્મ્સ લાઇસન્સ (એફએફએલ) જારી કરે છે. ત્યારબાદ ત્યાં રાજ્યો અનુસાર પરવાના આપવાની સત્તા આપતા અધિકારીઓ નિયુક્ત કરવામાં આવ્યા છે. જે પ્રક્રિયા હાથ ધરે છે. અહી મોટા કારખાના અને ઉદ્યોગ માટે ખાનગી સલામતી દળ માટે મંજૂરી અને હથિયારો બાબતેના નિયમો અલગ અને કડક છે.
ખરીદી માટે પરવાનગી માટેના નિયમો બહુ સરળ છે. ફક્ત થોડા રાજ્યો (જેમ કે ઇલિનોઇસ, મેસેચ્યુસેટ્સ અને ન્યુ જર્સી)ને ફક્ત હથિયાર રાખવા અથવા ખરીદવા માટે લાયસન્સની જરૂર હોય છે. આ સામાન્ય રીતે રાજ્ય પોલીસ અથવા સ્થાનિક પોલીસ વિભાગો દ્વારા જારી કરવામાં આવે છે. હાલમાં, ૨૯ રાજ્યો ''પરમિટલેસ વહન''ની મંજૂરી આપે છે, જેનો અર્થ છે કે પાત્ર નાગરિકોને હથિયાર રાખવા માટે લાયસન્સની જરૂર નથી.
ભારત
ભારતમાં ખાનગી બંદૂક માલિકી ૧૯૫૯ના આર્મ્સ એક્ટ અને આર્મ્સ રૂલ્સ ૨૦૧૬ હેઠળ ખૂબ જ નિયંત્રિત છે. કડક લાઇસન્સિંગ પ્રક્રિયાની જરૂર પડે છે. નાગરિક હથિયારો ૩૨ રિવોલ્વર/પિસ્તોલ અને ૧૨-બોર શોટગન જેવા બિન-પ્રતિબંધિત બોર (એનપીબી) શસ્ત્રો સુધી મર્યાદિત છે. મોટાભાગના ભારતીય હથિયારો ઓર્ડનન્સ ફેક્ટરી દ્વારા બનાવવામાં આવે છે. જિલ્લા કક્ષાએ કલેકટર/જિલ્લા મેજિસ્ટ્રેટને લાઇસન્સ આપવાની સત્તાઓ આપવામાં આવેલી છે. ચૂંટણી સહિતના અનેક કાર્યો સમયે ખાનગી હથિયારધારી લોકોએ હથિયાર સરકારમાં જમા કરાવવા પડે છે.
દેશમાં બંદૂક ધરવા માટેના માન્ય કારણોમાં સ્વ-બચાવ (જીવન માટે સક્રિય ખતરો), રમતગમત શૂટિંગ (ચકાસાયેલ ક્લબ સભ્યપદ) અથવા પાક સંરક્ષણ જેવી વાસ્તવિક જરૂરિયાત દર્શાવવી આવશ્યક છે. ઓછામાં ઓછી ૨૧ વર્ષની ઉંમર હોવી જોઈએ અને ગુનાહિત રેકોર્ડ ન હોવો જોઈએ પણ સ્વચ્છ રેકોર્ડ હોવો જરૂરી છે. આ પ્રક્રિયામાં સખત પોલીસ પૃષ્ઠભૂમિ તપાસ, માનસિક સ્વાસ્થ્ય મૂલ્યાંકન અને સુરક્ષિત ઘર સંગ્રહ (બંદૂકની તિજોરી જેવી)ની ચકાસણીનો સમાવેશ થાય છે. મોટાભાગના નાગરિકોને વધુમાં વધુ બે હથિયારો રાખવાની પરવાનગી છે.
ભારતમાં અનેક જ્ઞાતિઓમાં બંદૂક રાખવી એક સ્વાભાવિક અને શોર્યની બાબત છે. ભારતમાં દર ૧૦૦ વ્યક્તિએ માત્ર ૬ લોકો જ ખાનગી બંદુકો ધરાવે છે.
કટ્ટા
બિહાર, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશમાં કાયદેસર હથિયારો કરતાં ગેરકાયદે હથિયારોનો બહુ મોટો ધંધો છે. અહીના શાર્પ શૂટરો પણ કુખ્યાત છે. આ રાજ્યો માં બંદૂક અને રિવોલવરનું ગેરકાયદે ઉત્પાદન પણ ઘણું થાય છે. ગુણવત્તા અને ગેરંટી વગરના હથિયારો માટે કુખ્યાત છે. દેશી રીતે, ઘરઘરાઉ બનાવવામાં આવેલી દેશી પિસ્તોલને 'કટ્ટા'ના નામે ઓળખવામાં આવે છે. 'સોપારી કીલર' લોકો મોટાભાગે હત્યા કે હુમલા માટે 'કટ્ટા' વાપરે છે! કાયદેસર પિસ્તોલ કરતાં કિમતમાં પણ બહુ સસ્તા હોય છે.
ભારતમાં કાયદેસર હથિયારોનું ઉત્પાદન પણ મોટી માત્રામાં કરવામાં આવે છે, જેમાં સરકારી, અર્ધ સરકારી અને ખાનગી એકમોનો સમાવેશ થાય છે. આ ઉત્પાદન એકમો સીધા છૂટક ગ્રાહકોને હથિયાર વેંચી શકતા નથી. માન્યતા પ્રાપ્ત દુકાનદારોને તે પુરવઠો આપે છે.
ભારતમાં કાયદેસર હથિયાર માટે લાઇસન્સ મેળવા માટે પણ લાંચ પ્રથા ચાલી રહી છે. અનેક અધિકારીઓ તેમાં પકડાયા પણ છે.
રાજકોટના સતડા ગામ પાસે ખાનગી કંપની સ્વદેશી નાના શસ્ત્રો ઉત્પાદન સુવિધા મેક ઇન ઇન્ડિયા માર્ગદર્શિકા હેઠળ નાના શસ્ત્રો અને ગોળીઓનું ઉત્પાદન કરે છે. ધોલેરામાં રાજ્યએ સહાયક ખાનગી સંરક્ષણ ઉત્પાદન એકમોને એકત્ર કરવા માટે એરોસ્પેસ અને સંરક્ષણ ક્લસ્ટરની સ્થાપના કરી છે.
સારાંશ
કોઈપણ વિસ્ફોટક હથિયાર શાંત અને સંસ્કૃત સમાજ માટે કલંક સમાન છે. કરૂણતા એ વાતની છે કે, હથિયારોની દૌડ વધુ ગંભીર બની રહી છે. દુનિયામાં શસ્ત્રોનો વેપાર ચરમસીમા ઉપર છે. દુનિયામાં ક્રૂડ ઓઇલ અને શસ્ત્રો એમ બે સૌથી મોટા નફાવાળા વેપાર છે. ગાંધીજીએ કહૃાું હતું કે, નબળો માણસ શાંતિની વાતો કરે, શક્તિશાળી લોકો કદી શાંતિ વાર્તા કરતા નથી!
'નોબત'ના વાચકો અને ચાહકો ખૂબ શાંતિ પ્રિય અને સુસંસ્કૃત છે. ગન કલ્ચર ઉપર તેમને સલાહ આપવી અયોગ્ય ગણાય. આમ છતાં શાંતિ દૂત બને તેવી અભ્યર્થના.
- પરેશ છાયા
નરેન્દ્ર મોદીની ચિંતા યુદ્ધ પૂરતી જ નહીં, કાયમ માટે યથાર્થ છે!
ઈરાન અને અમેરિકા વચ્ચેના યુદ્ધની આગ હવે આપણા સુધી પહોંચી હોય તેમ લાગી રહૃાું છે. દેશની સમસ્યાઓ ઉપર ભાગ્યેજ બોલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અખાતના યુદ્ધથી હવે બચવું હશે તો ઈંધણ અને આર્થિક બચતો કરવા ભાર દઈને અપીલ કરી છે. તેમાં મહત્ત્વની બાબતોમાં પેટ્રોલ, ડિઝલની બચત કરવી, એક વર્ષ સુધી સોનાની ખરીદી ટાળવા અને વિદેશ પ્રવાસ ન કરવા જણાવ્યું છે. આ બધાનું મુખ્ય કારણ વિદેશી મુદ્રા ભંડાર બચાવવાની કવાયત છે. સામાન્ય માનવી જે માનતો હોય તે, પરંતુ દુનિયામાં ક્રૂડ અને શસ્ત્રો બે સૌથી મોટા વેપાર છે. ભારત બન્નેમાં મહાશક્તિઓ ઉપર નિર્ભર છે. દેશનું હૂંડિયામણ ક્રૂડ અને શસ્ત્રોની આયાતમાં તળિયે પહોંચી જાય છે. શસ્ત્રોના બે મુખ્ય સપ્લાયર દેશ રશિયા અને અમેરિકા બન્ને અત્યારે યુદ્ધમાં વ્યસ્ત છે. દુનિયામાં ક્રૂડ પૂરૃં પાડતા આરબ દેશો ઈરાનને કારણે તકલીફમાં છે. આમ બન્ને મોટા વેપાર અત્યારે અસ્તવ્યસ્ત છે. બંનેના ભાવ ભડકે બળી રહૃાા છે. ક્રૂડ (કાળા સોના) અને સોના (પીળું સોનું) દુર્લભ ભૂમિગત સંપત્તિ છે, જે સીમિત માત્રામાં છે. તેના ઉપયોગ માટે દેશભક્ત નાગરિક તરીકે પ્રમાણભાન કેળવવું પડશે.
ભારત
ભારત વિશ્વનો બીજા નંબરની વસ્તી ધરાવતો દેશ છે તેથી તેની માંગ અને જરૂરિયાતો પણ પણ જંગી રહેવાની તે સ્વાભાવિક છે! મોટા ભાગની ઈંધણ, ટેકનોલોજી અને શસ્ત્રોની આયાત આપણી સદ્ધરતાને ખાઇ જાય છે. આપણું વિદેશી હૂંડિયામણ તાણી જાય છે. આપણે દેખાદેખી અને રીતિ રિવાજોમાં દેવું થઈ જાય તેટલો ખર્ચ કરીએ છીએ.
ઈંધણ
ભારત ૮૫ ટકા ક્રૂડ આયાત કરે છે. તેની બધી ચુકવણી ડોલરમાં કરવી પડે છે. ગુજરાતી ભાષામાં કહેવું હોય તો પેટ્રોલ ડિઝલ આપણને સોનાના ભાવે પડે છે! અને.. આપણે તેને પાણીની જેમ વાપરી રહૃાા છીએ. મધ્યમ વર્ગના લોકો પણ જામનગરથી ખંભાળિયા કાર લઈને જમવા જાય! જામનગરથી ધ્રોલ કાર લઈને ભેળ ખાવા જાય! રાજકોટવાળા ચોટીલા જમવા જાય, અડધી રાત્રે ગોંડલ ગાંઠિયા ખાવા જાય છે. આવા ગાંડા શોખમાં દેશનું મહામૂલું હૂંડિયામણ ખર્ચ થાય છે તે ભૂલી જઈએ છીએ. ભારત અમેરિકા, જાપાન, ચીન, રશિયા જેટલો સદ્ધર દેશ નથી. અહી ૮૦ કરોડ લોકોને મફત અનાજ આપવું પડે છે!
નરેન્દ્ર મોદીની ચિંતા માત્ર અખાતના યુદ્ધ પૂરતી સીમિત ન હોવી જોઈએ. શાંતિના સમયમાં પણ આપણે 'ઈંધણ શિસ્ત' રાખવી પડશે.
શુદ્ધ ગુજરાતીમાં કહેવું હોય તો, સોઈ ઝાટકીને કહી શકાય કે, આપણે બેજવાબદાર પ્રજા છીએ. ફળ ખાવાને બદલે સીધા મૂળ જ ખાવા લાગ્યા છીએ! 'કરકસર બીજી આવક છે' તેવી કહેવાતમાં પણ કડવું સત્ય છે. આપણે પેટ્રોલ અને ડિઝલના વપરાશમાં હવે પેટે પાટા બાંધવા જ પડશે.
ભારત હાલમાં માર્ચ ૨૦૨૬ સુધીમાં તેની ક્રૂડ ઓઇલની જરૂરિયાતના ૮૮.૬ % આયાત કરે છે, જે ૨૦૧૪ માં ૭૮% હતી. વિશ્વના ત્રીજા સૌથી મોટા તેલ ગ્રાહક તરીકે, ભારત આંતરરાષ્ટ્રીય બજારો પર ખૂબ આધાર રાખે છે, ભારત દરરોજ આશરે ૫.૫ મિલિયન બેરલનો ક્રૂડનો વપરાશ કરે છે. ભારતે તેના આયાત બાબતે ભારે વૈવિધ્યીકરણ કર્યું છે, હવે આપણે ૪૦ થી વધુ દેશોમાંથી આયાત કરી રહૃાા છીએ.
સામૂહિક પરિવહન
ભારતમાં સામૂહિક પરિવહન બહુ ખરાબ હાલતમાં છે. દેશના ગણ્યા ગાંઠિયા શહેરોમાં સામૂહિક પરિવહન અસરકારક છે. મુંબઈ, કોલકાતા, અમદાવાદ જેવા શહેરોમાં લોકો ટ્રેન કે બસ દ્વારા આંતરિક અવરજવર કરે છે. જામનગર શહેરમાં સિટી બસ સેવા જર્જરિત હાલતમાં દોડે છે. રાજકોટમાં કઈક માત્રામાં સિટી બસ અસરકારક છે. જામનગરમાં રેલવે સ્ટેશન ઉપર સિટી બસ નથી. સરૂ સેકશન રોડ પણ સામૂહિક પરિવહન વિહીન છે. અહી રિક્ષાઓ જ ચાલે છે.
ગુજરાતમાં હવે સામૂહિક પરિવહન ક્ષીણ થતું જાય છે. ૭૫ ટકા લોકો ટુ વ્હીલર વાહનો જ વાપરે છે. અહી ટ્રાફિક સમસ્યા પણ વકરી રહી છે. જૂના શહેરમાં રસ્તા સાંકડા હોવાથી સિટી બસ ચાલવી શક્ય નથી. સામૂહિક પરિવહન કંગાળ હોવાને કારણે વ્યક્તિગત વાહનોની સંખ્યા ઝડપથી વધે છે.
સોનું
નરેન્દ્ર મોદીએ સોનાના વપરાશમાં ઘટાડો કરવા પણ સૂચવ્યું છે. એક વર્ષ સુધી નવું સોનું ન ખરીદવા અનુરોધ કર્યો છે. જૂની કહેવત અનુસાર 'જર, જમીન અને જોરૂ, કજિયાના છોરૃં' હતા, જર એટલે દાગીના. ભારતીય સંસ્કૃતિમાં સોનું બહુ મહત્ત્વનું રહૃાું છે. આજે પણ કેટલીક જ્ઞાતિઓમાં કિલોના હિસાબે સોનું ધારણ કરવામાં આવે છે. દીકરીના લગ્નપ્રસંગે પણ મોટી માત્રામાં સોનું આપવાનો રિવાજ છે. મધ્ય પ્રદેશના ઈન્દોરમાં રાત્રિના સરાફા બજારમાં કુલફી વેંચતા બે ભાઈઓ અંદાજે પાંચ કરોડનું સોનું પહેરી ધંધો કરે છે. તે આ રાત્રિ બજારનું એક આકર્ષણ પણ છે!
સોનાનો મુખ્ય પ્રશ્ન શું છે? શું લગ્નપ્રસંગે ખરીદવામાં આવતું સોનું સમસ્યા છે? ના.. દેશમાં પ્રસંગોએ ખરીદ થતા સોનાની સમસ્યા નડતી નથી. નરેન્દ્ર મોદી જવાબદાર વ્યક્તિ હોવાથી ખૂલીને ન બોલી શકે તે સ્વાભાવિક છે.
ભારતમાં કાળા નાણાનું સર્જક સોનું છે. ભારતમાં બચત કરવા માટે પણ સોનું સલામત સાધન છે. દેશમાં ૫૦ ટકાથી વધુ કાળું નાણું સાચવવા માટે લોકો સોનાની ખરીદી કરી રહૃાા છે! જમીન અને મકાન ખરીદ કરવામાં આવે તો અનેક સમસ્યાઓ નડે છે. વેંચતી વખતે શું ભાવ મળશે તે ચિંતા પણ સતાવે છે. મકાન ખરીદ કરવામાં આવે તો તે મરામત, કરવેરા પણ ખર્ચ કરાવે છે. વધુમાં લોકોની નજરે ચડી જવાય છે.
સોનામાં તેવી કોઈ સમસ્યા નથી. કરોડો રૂપિયાનું સોનું ખરીદી લોકરમાં રાખી દો .. નિશ્ચિંત રહો. સોનાનું રોકાણ 'મેન્ટેનન્સ ફ્રી' છે. કરચોર લોકો મોટી માત્રામાં સોનું ખરીદી રહૃાા છે, તે આ દેશની સમસ્યા છે. ગેરકાયદે કામોની લાંચ પણ હવે મોટા ભાગે સોનાની લગાડીમાં જ લેવામાં આવે છે. કાળું નાણું સાચવવા માટે સોનાનો થતો ઉપયોગ દેશની સમસ્યા છે!
વડાપ્રધાન મોદીએ જનતાને એક વર્ષ સુધી સોનું ન ખરીદવા અપીલ કરી છે. તેનું કારણ ડેટા પરથી સમજાય છેઃ હાલમાં, આપણો કુલ વિદેશી હૂંડિયામણ ભંડાર આશરે ૭૦૦ બિલિયન, આશરે ૬૫ લાખ કરોડ છે. ૨૦૨૫-૨૬માં, આશરે ૭૨ બિલિયન, આશરે ૬.૫ લાખ કરોડનું સોનું આયાત કરવામાં આવ્યું હતું. દેશ વાર્ષિક આશરે ૭૦૦ થી ૮૦૦ ટન સોનાની આયાત કરે છે. ૨૦૨૫ માં આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં આશરે ૬૫ ટકાનો વધારો થયો હતો, અને દસ ગ્રામ સોનાના ભાવ આજે રૂ. ૧,૬૬,૦૦૦ની આજુબાજુ છે, જ્યારે ચાંદીના એક કિલોગ્રામના ભાવ ત્રણ લાખ રૂપિયા જેટલા છે. ભારતનું મોટાભાગનું સોનું સ્વિટ્ઝર્લેન્ડ અને યુએઈમાંથી આવે છે જેની કિમત આપણે આપણે ડોલરમાં ચૂકવવી પડે છે. સાદી ભાષામાં કહીએ તો, જો સોનાની આયાત ઘટશે, તો દેશનું આયાત બિલ ઘટશે. આનાથી ચાલુ ખાતા પર દબાણ ઘટશે, વિદેશી હૂંડિયામણ ભંડાર પર દબાણ ઘટશે અને રૂપિયાને ઝડપથી ઘટતો અટકાવશે.
જોકે, રૂપિયાનું મૂલ્ય ફક્ત સોના દ્વારા જ નહીં, પરંતુ તેલના ભાવ, વિદેશી રોકાણ, નિકાસ અને વિશ્વની પરિસ્થિતિઓ દ્વારા પણ નક્કી થાય છે.
સોનાના દાગીના કરતાં સોનાની લગડી, બિસ્કિટ કાળા નાણાનું મોટું માધ્યમ છે. કાચી ચિટ્ઠી ઉપર અબજો રૂપિયાના સોનાના ખરીદ વેચાણ થાય છે. ભારતમાં ચાંદીનો વપરાશ ઘરેલુ કરતાં ધંધાદારી ઉત્પાદનોમાં વ્યાપક છે.
સોનાનો ગેરકાયદે વેપાર બંધ થાય કે ઓછો થાય તો પણ દેશને મોટો ફાયદો થઈ શકે છે.
વિદેશ પ્રવાસ
નરેન્દ્ર મોદીએ વિદેશ પ્રવાસ પણ ન્યુનત્તમ કરવા માટે અનુરોધ કર્યો છે. હવાઈ જહાજના ઈંધણમાં બહુ મોટો વધારો થયો છે. હવાઈ યાત્રા મોંઘી બને તે સ્વાભાવિક છે. ૨૦૨૫ ની શરૂઆતમાં ભારતનો એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (એટીએફ) વપરાશ રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યો હતો. જાન્યુઆરી ૨૦૨૬ માં ૮ લાખ ૨૫ ટન હતો, જે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ટ્રાફિકમાં તેજીને કારણે થયો હતો. ઈંધણ ખર્ચ ઓપરેટિંગ ખર્ચના ૫૫ થી ૬૦% નું હોય છે. ઈંધણના ઊંચા ભાવ અને એરસ્પેસ પ્રતિબંધોને કારણે લાંબા રૂટનો સમાવેશ થાય છે, જેના કારણે એરલાઇન્સ પર આર્થિક દબાણ આવે છે. હવાઈ કંપનીઓએ સરકારને કહૃાું છે કે, ભારતીય પ્રવાસીઓ હવે વધુ ઊંચા ભાડાં ખમી શકે તેમ નથી, આથી ઊડ્ડયનો ઓછા કરવા પડશે કે સંપૂર્ણ બંધ કરવા પડશે. હવાઈ કંપનીઓ સરકાર પાસે ઉગારવા માટે મોટું આર્થિક પેકેજ માંગી રહી છે. લોકો હવાઈ મુસાફરી ઓછી કરશે તો, અંતે તો આ ક્ષેત્રની કંપનીઓને જ નુકશાન છે!
યુદ્ધ
અમેરિકા-ઈરાન અને રશિયા-યુક્રેન યુદ્ધે દુનિયાના અર્થતંત્રોને હચમચાવી મૂક્યા છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન જેવા દેવાદાર દેશો લગભગ કંગાળ બની ચૂક્યા છે. દુનિયાની અડધી વસ્તીને ખોરાક અને આરોગ્ય સુવિધાઓ મળતી નથી. આફ્રિકાના અનેક દેશોમાં ભૂખમરો ચરમસીમા ઉપર છે. ગાઝામાં લાખો બાળકો મરવા વાંકે જીવી રહૃાા છે. આપણે આવી તંગ અસ્થિરતામાંથી બચવું હશે અને ભવિષ્યને સુખમય બનાવવું હશે તો જવાબદાર નાગરિક બનવું જ પડશે.
ભારતની ૧૪૦ કરોડની પ્રજામાં માત્ર ૮-૧૦ કરોડ લોકો જ આવકવેરો ભરે તે બહુ ગંભીર કહેવાય. આપણે આર્થિક શિસ્ત વધારવી જ જોઈએ. ખાન-પાન માટે ગાડીઓ લઈને દોડાદોડી કરવી કે કાળું નાણું સાચવવા માટે સોનાની ખરીદી કરવી હિતાવહ નથી!
નરેન્દ્ર મોદીની સલાહ અને ચિંતા લાંબાગાળાની છે.
'નોબત'ના વાચકો અને ચાહકો પેટ્રોલ ડિઝલની બચત કરે, કાળું નાણું સાચવવા માટે સોનાના બિસ્કિટ ન ખરીદે તેવી અપેક્ષા છે!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
૭૫ વર્ષની વયે સતત દોડધામ કરવી તે શારીરિક રીતે બહુ કષ્ટદાયક અને શ્રમિક કાર્ય છે
સુદૃઢ બાંધો, ચપળ ચાલ, ચાણક્ય બુદ્ધિ, લાવણ્યમય દેખાવ, સ્ફૂર્તિથી ભરપૂર વર્તન, પ્રભાવક ભાષા, નીરોગી કાયા, સર્વમાન્ય નેતાગીરી જેવા ૩૨ લક્ષણા પુરૂષમાં હોય તે તમામ લક્ષણો વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ધરાવે છે! ૭૫ વર્ષની વયે ભાગ્યે જ કોઈ પુરૂષ એક સાથે આટલી બધી ગુણવત્તા ધરાવતા હોય છે. નરેન્દ્ર મોદીની આ ખૂબીઓ ૧૪૦ કરોડ દેશવાસીઓ માટે આશ્ચર્યજનક અને વિસ્મયકારી છે!
ભારત દેશના સૌથી વ્યસ્ત અને સૌથી તંદુરસ્ત વ્યક્તિનું બિરૂદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપી શકાય! દેશમાં નરેન્દ્ર મોદીની ફિટનેસ નજીક હાલમાં તો કોઈ નેતા કે અભિનેતા આવી શકે તેમ નથી. નરેન્દ્ર મોદી દેશના સૌથી સફળ, પ્રતિભાશાળી, સક્રિય અને લોકપ્રિય નેતા છે. તે સતત ૨૪ કલાક કોઈને કોઈ ક્ષેત્ર માટે કાર્યરત હોય છે. દેશમાં કરોડો લોકો માટે ચાલતી હજારો યોજનાઓ, ભાજપના નેતાથી માંડીને કરોડો કાર્યકરો, નાની-મોટી સેંકડો ચૂંટણી, રાજકીય પક્ષોના આટાપાટા, વિદેશ નીતિ, આંતરરાષ્ટ્રીય યુદ્ધો, તેની દેશ ઉપર અસર, તણાવભર્યા માહોલમાં તેના ઉપર સતત નજર રાખવી, તેમાં સફળ ભૂમિકા ભજવવી, દેશમાં હજારો માઈલનો જુદા જુદા વાતાવરણમાં સતત પ્રવાસ કરવો અને તેમ છતાં ૨૪ કલાક ફ્રેશ અને સ્ફૂર્તિલા દેખાવું તે બહુ કપરૃં કાર્ય છે. ટૂંકમાં દેશના વડાપ્રધાન તરીકે ૭૫ વર્ષની વયે દોડધામ કરવી તે શારીરિક રીતે બહુ કષ્ટદાયક અને શ્રમિક કાર્ય છે. આમ છતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અડીખમ અને નીરોગી છે! નરેન્દ્ર મોદીની ચાલ 'રજવાડી' કક્ષામાં આવે.
દોડધામ
હવે ૨૨ રાજ્યોમાં સત્તા ધરાવતા ભાજપ માટે તાજેતરમાં મોદીજીએ બંગાળમાં ૧૯ જંગી રેલીઓ કરી. આસામ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરીમાં વિધાનસભાની ચૂંટણીઓ દરમિયાન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સઘન પ્રચાર કર્યો હતો. જ્યારે પાંચેય પ્રદેશમાં કુલ રેલીઓનો એક પણ ચોક્કસ આંકડો સત્તાવાર રીતે એક આંકડામાં એકત્રિત કરવામાં આવ્યો નથી, અહેવાલો સૂચવે છે કે તેમણે ઉચ્ચ-પ્રાથમિકતાવાળા યુદ્ધના મેદાનોમાં ખાસ કરીને કેન્દ્રિત ડઝનેક રેલીઓ અને જાહેર કાર્યક્રમોને સંબોધિત કર્યા હતા. નરેન્દ્ર મોદી દરેક કાર્ય 'યુદ્ધ આયોજન' કક્ષાએ ગંભીરતાથી કરે છે. આપણે જેને 'હોમ વર્ક' કહીએ છીએ તેમાં તે અતિ ગંભીર અને ઊંડા ઉતરી જહેમત ઉઠાવે છે. થકવી દેનાર ચૂંટણી પ્રવાસ પછી દેશના વિવિધ આયોજનો અને યોજનાઓ ઉપર તે સતત અભ્યાસ અને મનોમંથન કરે છે. નાની નાની બાબતો ઉપર પણ ગણતરીપૂર્વક ગહન ચિંતન કરે છે. ૭૫ વર્ષની વયના વ્યક્તિ માટે આ બહુ કપરૃં અને થકાવટ ભરી પ્રવૃત્તિ કહી શકાય!
પશ્ચિમ બંગાળ પ્રધાનમંત્રી માટે સૌથી વધુ લક્ષ્યાંકિત રાજ્ય હતું. તેમણે અનેક જિલ્લાઓમાં અસંખ્ય રેલીઓ અને રોડ શોને સંબોધિત કર્યા, જેમાં બેરકપુર, કૂચ બિહાર, આસનસોલ, હલ્દિયા અને જાંગીપુરમાં મુખ્ય કાર્યક્રમોનો સમાવેશ થાય છે. મતદાનના અંતિમ તબક્કા પહેલા બેરકપુરમાં તેમના પ્રચારનો અંત એક વિશાળ રોડ શો અને રેલીમાં થયો. અહી તેમણે એડી ચોટીનું જોર લગાવી દીધું. આસામમાં ઓછામાં ઓછી ૬ થી ૮ મોટી રેલીઓને સંબોધિત કરી. મુખ્ય આકર્ષણોમાં ગોગામુખમાં એક વિશાળ શરૂઆત રેલી અને ભવાનીપુર-સોરભોગ, હોજાઈ અને દિબ્રુગઢને આવરી લેતી એક ઉચ્ચ-પ્રભાવશાળી ટ્રીપલ-રેલીનો સમાવેશ થાય છે. તેમણે બારપેટામાં એક મુખ્ય રોડ શો પણ કર્યો.
સરકારી ડેટા અને સત્તાવાર અહેવાલો અનુસાર ૨૦૧૪માં વડાપ્રધાન બન્યા પછી, તેમણે ૭૯ થી વધુ દેશોની લગભગ ૧૦૦ આંતરરાષ્ટ્રીય યાત્રાઓ કરી છે. સરેરાશ, તેઓ દર વર્ષે ૯ થી ૧૦ વિદેશી મુલાકાતો કરે છે, જોકે ૨૦૧૫ માં આ સંખ્યા ૨૮ દેશોની મુલાકાતો સાથે ટોચ પર પહોંચી હતી. ફક્ત ૨૦૨૪ માં, તેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે આશરે ૬૩,૭૦૦ કિમી પૃથ્વીના પરિઘ કરતાં લગભગ ૧.૫ ગણી મુસાફરી કરવાનો અંદાજ હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતમાં નોંધપાત્ર રીતે વધુ સક્રિય છે. છેલ્લા ચાર વર્ષના સમયગાળા દરમિયાન, તેમણે વિદેશમાં ૧૬૪ દિવસની સરખામણીમાં ૩૧૩ દિવસ સ્થાનિક યાત્રામાં વિતાવ્યા. તીવ્ર ચૂંટણી સમયગાળા દરમિયાન, તેમનું સમયપત્રક ભરેલું હોય છે. ઉદાહરણ તરીકે, ૨૦૨૪ની શરૂઆતમાં, તેમણે માત્ર ૪૨ દિવસમાં ૧૮ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોને આવરી લીધા.
તેમના નામે એક વિક્રમ પણ નોંધાયેલો છે, જેમાં ૨૦૨૩ માં, ૩૬ કલાક દરમિયાન, તેમણે ૭ શહેરોમાં ૮ કાર્યક્રમોમાં હાજરી આપવા માટે ૫,૩૦૦ કિમીથી વધુ હવાઈ મુસાફરી કરી હતી. સમગ્ર વર્ષ દરમિયાન તે સતત વ્યસ્ત રહે છે અને શારીરિક શ્રમ પણ સહન કરી તજામાજા દેખાય છે.
વૃદ્ધ
સામાન્ય બોલચાલની ભાષામાં ૭૫ વર્ષની વ્યક્તિને 'વૃદ્ધ' કહેવામાં આવે છે. 'સિનિયર સિટિઝન' લોકોને શારીરિક કાર્યોમાં ખાસ રાહત આપવામાં આવે છે. નરેન્દ્ર મોદી ૬૪ વર્ષના વૃદ્ધત્વ દરમિયાન વડાપ્રધાન બન્યા. ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ યુવાનોને શરમાવે તે ગતીએ કામ અને આયોજનો કરતાં હતા. સામાન્ય ભારતીય લોકોને ૪૫ વર્ષની વયે ડાયાબિટીસ કે રક્તચાપ જેવા રોગો કાયમી પ્રવેશ કરી જાય છે. ૫૦ વર્ષની વયને 'વન પ્રવેશ' કહેવામાં આવે છે. આ ઉમરને 'રોગ પ્રવેશ' પણ કહી શકાય છે. બ્રિટીશરોએ પણ ૫૮ વર્ષને 'વય નિવૃત્તિ' ગણી હતી. નરેન્દ્ર મોદી ૫૧ વર્ષની વયે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારથી દોડધામ અને ચિંતા તેમને વળગેલાં રહૃાા છે. આ તેમનો શોખ પણ છે. તેઓ ૬૩ વર્ષની વયે વડાપ્રધાન બન્યા! ઉમર વધતી ગઈ તેમ તેમ દોડધામ અને ચિંતાઓ વધતી ગઈ. સાથે સાથે તેમની આકર્ષક પ્રતિભા વધુને વધુ યુવાન અને તાજી બનતી ગઈ. વૃદ્ધો જ નહીં, યુવાનો પણ શરમાય તેવી તેમની દિન ચર્યા હોય છે. તેમનું નીરોગીપણું તેમની પ્રતિભામાં ચાર ચાંદ લગાવે છે.
અનુભવ
એન્જીઓગ્રાફીના લેખકને તેમના માહિતી ખાતાના કાર્યકાળ દરમિયાન નરેન્દ્ર મોદીને નજીકથી અનુભવવાનો લાભ મળ્યો છે. ભાણવડના ઈન્દ્રેશ્વર મહાદેવમાં પત્રકારો અને આગેવાનો સાથે ભોજન કાર્યક્રમમાં હું પણ હાજર હતો. તેમણે રોટલી, પૂરી, શાક, લાડુ, દાળ-ભાત પ્રેમથી જમ્યા હતા. જમ્યા બાદ વરિષ્ઠ પત્રકાર બીપીનભાઈ સુખપરિયાને આગ્રહ કરતાં કહૃાું હતું કે, 'બીપીનલાલ, લાડુ બરોબર ખાધાને?'
નરેન્દ્રભાઇ પોતે ખાવાના બહુ શોખીન. ગાંધીનગરના નિવાસસ્થાને કાર્યમાં બહુ વ્યસ્ત હોય ત્યારે કૂક તેને મેનૂ પૂછવા આવે તો કહે, જગદીશ (ઠક્કર)ને પૂછો. તેમને ખીચડી બહુ ભાવે. કચ્છના ધોરડોની ચિંતન શિબિર સમયે હું તેમની સાથે હતો. વહેલી સવારે એકલા ચાલવા નીકળી જાય. ખૂબ ચાલે. પછી યોગની શિબિરમાં સામેલ થાય. ૨૪ કલાક માંથી લગભગ ૨૦ કલાક પ્રવૃત્ત રહેતા મેં તેમને જોયા છે. તેમનું શરીર 'શક્તિનું પાવર હાઉસ' હોય તેમ લાગે!
ખોરાક
નરેન્દ્ર મોદી સંપૂર્ણ શાકાહારી છે. સામાન્ય રીતે હળવો નાસ્તો આરોગે છે. સામાન્ય નાસ્તામાં પોહા, ઉપમા, થેપલા અથવા ઢોકળા જેવા ગુજરાતી મુખ્ય વાનગીઓનો સમાવેશ થાય છે. બપોરના ભોજનમાં ઘણીવાર દાળ, લીલા શાકભાજી (સબઝી), રોટલી અને દહીં ધરાવતી સાદી ગુજરાતી થાળીનો સમાવેશ થાય છે. રાત્રિભોજનમાં તે સામાન્ય રીતે ખીચડી (એક વાસણમાં ભાત અને દાળની વાનગી) પસંદ કરે છે, જેને તે તેનો સર્વકાલીન પ્રિય આરામદાયક ખોરાક તરીકે વર્ણવે છે. સુપરફૂડ્સઃ તે વારંવાર મોરિંગા (ડ્રમસ્ટિક) પરાઠા અને મખાના (શિયાળ નટ્સ) ને તેમના ઉચ્ચ પોષણ મૂલ્ય માટે તેમના આહારમાં શામેલ કરે છે. વિદેશ પ્રવાસમાં પણ સાદું ભોજન લે છે.
નરેન્દ્ર મોદીના ખોરાક અંગે અનેક લોકવાયકાઓ પણ ફરે છે. તે હિમાલયમાં ઊગતી વનસ્પતિઓ અને જડીબુટ્ટીઓનું સેવન કરે છે. સંપૂર્ણ ઓર્ગેનિક ખોરાક માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે. પરંતુ આવી બાબતોને ક્યાંયથી સમર્થન મળતું નથી.
તંદુરસ્તી
નરેન્દ્ર મોદીની દિનચર્યા, ભોજન બાબતે જે હોય તે, પરતું તેમની તંદુરસ્તી નજર લાગે તેવી લાલ ગલગોટા જેવી છે. તેમનું દેહ શ્રોષ્ઠવ ઈર્ષા જન્માવે તેવું છે. નિરોગીપણું પણ અદ્ભુત છે.
લાગણી
મારા જેવા કરોડો નાગરિકોની હદયથી લાગણી અને માંગણી છે કે, નરેન્દ્ર મોદીએ રાજકારણને બાજુમાં રાખીને તેની તંદુરસ્તી અને સ્ફૂર્તિ માટે 'માન કી બાત'ના ચારથી પાંચ એપિસોડસ કરવા જોઈએ. તેમનું ભોજન પણ તંદુરસ્તીનું મોટું કારણ છે. મોદીજીએ તેમની સ્ફૂર્તિ અને યુવાનીને દેશ હિતમાં જાહેર કરવી જોઈએ. ૭૫ વર્ષે ચિંતા અને દોડધામ કરવી તે નાની બાબત કે ઘટના નથી. દેશમાં લાખો લોકો આ ઉમરે નીરોગી હશે, પરંતુ મોદીજી જેવી જિંદગી સાથે નીરોગી અને સ્ફુરતીલા રહેવું તે અલભ્ય ઘટના છે.
ભારતમાં ૫૦ વર્ષથી ઉપરના ૯૫ ટકા લોકો નાના-મોટા રોગથી પીડાઈ રહૃાા છે. દવાઓ અને ઓપરેશનોના સહારે જીવે છે. ૭૫ વર્ષ ઉપરના કરોડો લોકો 'મરવા વાંકે' જીવે છે. આવી પરિસ્થતિમાં નરેન્દ્ર મોદી સમગ્ર દેશ માટે 'રોલ મોડેલ' છે.
જરૂરી
સામાન્ય વ્યક્તિને ટેન્શન મારી નાખે છે. સામાજિક, પારિવારિક કે આર્થિક તકલીફ જ શારીરિક અને માનસિક રીતે ઘસી નાખે છે. ટેન્શન જ મોટાભાગના રોગોનું મૂળ છે. ચિંતા જ જીવતા માણસની ચિતા સમાન છે, જીવતે જીવ બાળી નાખે છે. કરવું પણ શું? સમસ્યાઓ થી બચવું કેમ, ભગવું કેમ? નરેન્દ્ર મોદીને પણ અનેક પારાવાર સમસ્યાઓ ડગલેને પગલે આવતી હશે. મારા મતે 'સ્થિત પ્રજ્ઞાનતા' બહુ જરૂરી છે. સારી ભાષામાં તેને 'જલ કમલ વત' કહેવામાં આવે છે. પરંતુ નરેન્દ્ર મોદી જેવી બહુમુખી પ્રતિભા ધરાવતી વ્યક્તિ સત્તા કે રાજકારણમાં સ્થિતપ્રજ્ઞ રહી શકે તેમ નથી! તે ગળાડૂબ રાજકારણી છે. આપણે સામાન્ય માણસો છીએ અને મોદીજી અસામાન્ય માણસ છે!
'નોબત'ના વાચકો અને ચાહકો સ્થિતપ્રજ્ઞ બને, અસામાન્ય બને, સંજોગોને પચાવતા શીખે, કમ સે કમ પરિવાર માટે 'રોલ મોડેલ' બને, સંતોષી બને, ઈર્ષા કે દેખાદેખી વગરનું જીવન જીવી નીરોગી રહે તેવી અભ્યર્થના.
પરેશ છાંયા
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગુજરાતમાં જ્ઞાતિવાદને બદલી જ્ઞાનવાદ વધે તે બહુ જરૂરી છે
આજે ગુજરાત રાજ્યનો ૬૬ મો સ્થાપના દિન છે. ગુજરાતીઓની માતૃભૂમિ એટલે આપણું ગુજરાત! આઝાદીની લડાઈમાં ગુજરાતીઓનું યોગદાન બાબતે લખવામાં કે વિચારવામાં આવે તો મોહનદાસ કરમચંદ ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલના નામો પહેલા નજરે ચડે. ગુજરાત સનાતન સંસ્કૃતિ સાથે પણ અભિન્ન અંગ તરીકે જોડાયેલું છે. ભગવાન શ્રી કૃષ્ણની રાજધાની પણ અહી દ્વારકામાં હતી. ભગવાન કૃષ્ણ મહાભારતના યુદ્ધથી ત્રસ્ત થઈ ગયા ત્યારે મથુરા છોડી અહીં આવ્યા. તે કુલ ૧૨૫ વર્ષ જીવ્યા, તેમના ૧૦૦ વર્ષ દ્વારકામાં પસાર કર્યા હતા. તેમનો દેહ ત્યાગ પણ સોમનાથમાં થયો. આમ ગુજરાતનો પ્રાચીન ઇતિહાસ કૃષ્ણથી લઈ અને ગાંધી-સરદાર સુધી અને અર્વાચીન ઇતિહાસ નરેન્દ્ર મોદી અને અમિત શાહ સુધી વિસ્તરેલો છે.
કારણ
અહી ગુજરાતના ઇતિહાસની એન્જીઓગ્રાફી કરવાનું કારણ એ છે કે, આજે વન પ્રવેશ ઉમરે પહોંચેલા લોકો પણ આ ઇતિહાસ જાણાતા નથી. નવી યુવા પેઢીને આ જાણવામાં બહુ ઓછો રસ છે. આજે કોલેજ સુધી પહોંચેલા યુવાનો ઈતિહાસથી લગભગ અલિપ્ત જ રહે છે. તેમણે વર્તમાન અને ભવિષ્યમાં જ રસ છે. મારા જેવા ધોળા વાળ અને ટાલ ધરાવતા લોકો જ ઇતિહાસ વાગોળી 'મેરા ભારત મહાન' ના નારા લગાવે છે. ફાસ્ટ ફૂડ અને ઓનલાઈન ડિલિવરીની માનસિકતા વધુ દૃઢ બની રહી છે. પીઝા-પાસ્તા અને 'કિમચી' ખાતા યુવાનોને થેપલા અને છૂંદામાં રસ નથી.
પરંતુ, મારા જેવા ૬૦ ના મોડેલ તો પોતાની પીપૂડી વગાડવા માટે હંમેશાં તત્પર રહે છે. મારી અને ગુજરાતની ઉમર પણ સરખી છે તેથી, હમઉમ્ર પ્રત્યે લગાવ હોય તે સ્વાભાવિક છે. મારી લાગણી છે કે, ગુજરાતના સ્થાપના દિવસે પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં આખો દિવસ 'ગુજરાત કથા' કરવામાં આવે. વિદ્યાર્થીઓને આપણી ધરોહર અને પ્રગતિની ઝાંખી કરાવવામાં આવે. કોલેજ કેન્ટીનોમાં ખમણ, થેપલા, રોટલા, ઊંધિયું જેવા સંપૂર્ણ પ્રાદેશિક ભોજન રાંધવામાં આવે. ગુજરાતની અસ્મિતા જાળવવી હશે તો આપણો પારંપરિક ભોજનને સાચવવું પડશે. આજે 'શુદ્ધ ગુજરાતી' બોર્ડ મારેલી મોટા ભાગની હોટલોમાં પણ 'શુદ્ધ ગુજરાતી' ભાણું મળતું નથી. લગ્ન સમારંભોમાં પણ ગુજરાતી, સાઉથ ઈન્ડિયન, કોંટિનેંટલ, ઇટાલિયન, કોરિયન જેવા ફૂડ કાઉન્ટર સ્વાદ સુગંધની ગુન્હાહિત કલમો લાગે તેટલી ભેળસેળ કરી નાખે છે. રસોઈયા પ્રેમાળને બદલે ક્રૂર લાગતા હોય છે. ગુજરાતમાં ખોરાકમાં જીવલેણ ભેળસેળ બેફામ બની છે. ૬૫ વર્ષ પછી પણ ભેળસેળ પકડવા માટે પૂરતું તંત્ર કે આધુનિક સાધનો નથી. રાજ્ય સરકાર પણ આ માટે ગંભીર નથી. 'વાઇબ્રન્ટ ગુજરાત' અભિયાનની અસરો પણ બિલોરી કાચ લઈ તપાસવી જોઈએ.
નક્કી કરવું પડશે કે, આવું ગુજરાત કોણે બનાવ્યું?..
૧ મે, ૧૯૬૦ માં ગુજરાતની રચના થઈ. ત્યારે બહુ અન્યાય થયો. 'મહારાષ્ટ્ર' થયું, પરંતુ 'મહા ગુજરાત' ન થયું! તે સમયે મહારાષ્ટ્ર લોબી વધુ શક્તિશાળી હતી તેથી ભાગ બટાઈમાં તેનો હાથ ઉપર રહૃાો. 'મુંબઈ રાજ્ય' ના ભાષાના આધારે બે ભાગ પડ્યા. ગુજરાતીઓને 'ગુજરાત' મળ્યું.
સ્થાપના
સ્વતંત્રતા બાદ વર્તમાન ગુજરાત અને મહારાષ્ટ્રના વિસ્તારોને સમાવીને દ્વિભાષી બૃહદ મુંબઈ રાજ્યની રચના થયેલી. જેમાં ગુજરાતી, મરાઠી અને કોંકણી ભાષા બોલતા લોકો હતા. ૧૯૫૬ માં સૌરાષ્ટ્ર અને કચ્છનો વિસ્તાર પણ મુંબઈ રાજ્યમાં ઉમેરવામાં આવ્યો. પહેલાં બન્ને અલગ રાજ્યો હતા.
૧૯૫૬ માં આંધ્રપ્રદેશને ભાષાકીય ધોરણે અલગ રાજ્યનો દરજ્જો મળતા ગુજરાતી અને મરાઠી ભાષી લોકોને અલગ રાજ્ય મળવાની માંગણી બળવત્તર બની.
ગુજરાતમાં ઈંદુલાલ યાજ્ઞિકની અધ્યક્ષતામાં 'મહાગુજરાત આંદોલન' થયું એવી જ રીતે મહારાષ્ટ્રમાં આ દરમિયાન મરાઠી ભાષી વિસ્તારોમાં 'સંયુક્ત મહારાષ્ટ્ર ચળવળ' શરૂ થઈ ચૂકી હતી. તેમની પણ મરાઠી ભાષી વિસ્તારો માટે અલગ મહારાષ્ટ્રની માંગણી હતી.
સમગ્ર ગુજરાતમાં ગામેગામ, નગરોમાં આંદોલનની ઉગ્રતા જોઈ ૬ ડિસેમ્બર, ૧૯૫૯ના દિલ્હીમાં વિભાજનના પ્રશ્નના નિકાલ માટે કોંગ્રેસ હાઇકમાન્ડની સમિતિ મળી, જેમાં મુંબઈ રાજ્યના વિભાજન માટેની દરખાસ્તને મંજૂરી આપી દેવાઈ અને ૧ મે ૧૯૬૦ ના દિવસે અલગ ગુજરાત તથા મહારાષ્ટ્ર રાજ્યની રચના થઈ.
મૂકસેવક પૂ. રવિશંકર મહારાજના હસ્તે અમદાવાદના સાબરમતી આશ્રમમાં નવા 'ગુજરાત' રાજ્યની સ્થાપના થઈ.
વર્તમાન
ગુજરાતમાં તાજી તાજી ચૂંટણી સંપન્ન થઈ છે ત્યારે તેની ચર્ચા કરવી જોઈએ. લોકશાહી આપણાં જીવનનું અભિન્ન અંગ છે. ગુજરાતમાંથી વિપક્ષ લગભગ અથવા સંપૂર્ણ નાબૂદ થઈ ગયો. તંદુરસ્ત લોકશાહી માટે આ યોગ્ય નથી. આમ આદમી પાર્ટી હજુ અધૂરા મહિને જન્મેલા બાળકની જેમ 'પેટીમાં' છે. બીજી તરફ આશાનું કિરણ એ છે કે, ગુજરાતમાં ત્રીજો પક્ષ જીવતો નથી તેવી માન્યતા આપે ઝાંખી કરી નાખી છે. ભાજપને સત્તા સ્થાને બેસાડનાર કેશુભાઈ પટેલે પોતે 'લોક જનશક્તિ પાર્ટી' કરી ત્યારે ભૂંડી રીતે હારી ગયા, શંકરસિંહ વાઘેલા હજુ સત્તા વગર તરફડિયા મારે છે! ૬૫ વર્ષ પછી આપણી લોકશાહી કે ચૂંટણી કાર્યવાહી હજુ પુખ્ત થઈ નથી અને બાલ્યાવસ્થામાં જ આળોટતી હોય તેમ લાગી રહૃાું છે. એન્ફોર્સમેન્ટ વિભાગ (ઈ.ડી.) અને આવક વેરા વિભાગની ધાક વાગે છે. જે ધનિકને ત્યાં ત્રાટકે કે તુરંત કેસરીયો ખેસ ધારણ કરી લે! તાજેતરમાં લવલી પ્રોફેશન યુનિવર્સિટીના અશોક મિત્તલને ત્યાં આ બન્ને ગયા તો ગણતરીના દિવસોમાં આમ આદમી પાર્ટીના લોકસભાના ૧૧ માંથી ૭ સભ્યો ભાજપના ઘરમાં ઘૂસી ગયા!
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તો રાજકીય અપરિપકવતા ચરમ સીમા ઉપર રહી. ગુજરાતમાં ભાજપનું ૩૦ વર્ષથી શાસન છે છતાં તેમના નેતાઓના ભાષણમાં પરિપક્વતા, પીઢતા, સચોટતા, સ્થિરતા, ઊંડાણ, અનુભવ કે દીર્ઘદૃષ્ટિ આવ્યા નથી. તેનું કારણ એ લાગે છે કે, ભાજપમાં દરેક નેતાને લકી ડ્રો દ્વારા પસંદ થાય છે અને એક કે બે ટર્મ પછી તક મળતી નથી, દરેક નાની મોટી ચૂંટણીમાં 'નવી ઘોડી, નવો દાવ' જેવું હોય છે. કોંગ્રેસના મોટા ભાગના ધંધાદારી નેતાઓ ભાજપ ભેગા થઈ ગયા છે. ભાજપમાં પ્રવેશ માટેની પ્રથમ શરત એ છે કે, વિપક્ષમાં રહી જીતી બતાવો!
આ એ ગુજરાત છે, જેણે કેશુભાઈને ભાજપના નેતા તરીકે જંગી રીતે વિજેતા બનાવ્યા, કેશુભાઈ ભાજપથી અલગ થયા તો ખરાબ રીતે હરાવ્યા પણ ખરા! વર્તમાન સમયમાં ભાજપ કે કોંગ્રેસ પાસે દૂરદૃષ્ટા કે મોટા ગજનો નેતા નથી. છેલ્લે આનંદીબેન પટેલ જ ચમકી શક્યા. ક્રિકેટની ભાષામાં કહીએ તો, હવે તો પૂછડિયા ખેલાડીઓ રમતા હોય તેમ લાગે છે.
વેપાર-ધંધા
આપણાં લોહીમાં વેપાર-ધંધા વણાયેલા છે. અમદાવાદની કાપડ મિલોના શેઠ લોકોનો દબદબો હતો. આ કારણે અમદાવાદ 'પૂર્વનું માન્ચેસ્ટર' પણ કહેવાતું હતું. કસ્તુરભાઈ લાલભાઈ અપોઇન્ટમેન્ટ વગર વડાપ્રધાનને મળી શકતા હતા. બ્રિટીશના મોટા મોટા અધિકારીઓના ઉતારા લાલભાઈ શેઠને ત્યાં રહેતા. આઝાદીની ચળવળમાં અમદાવાદના ધનિકોનો આર્થિક સહયોગ ઘણો મોટો રહૃાો.
પછી સુરતનો હીરા ઉદ્યોગ ચમક્યો. આજે સુરતને દેશનું 'એન્ટવર્પ' પણ ગણવામાં આવે છે. ધીરે ધીરે ગુજરાતીઓ દેશ દેશવારમાં ફેલાયા. પોરબંદરના નાનજી કાલિદાસ મહેતા આફ્રિકા ગયા અને ત્યાં સામ્રાજ્ય ફેલાવ્યું. આજે દુનિયાના મોટાભાગના દેશોમાં ગુજરાતીઓ વેપાર-ધંધા કરે છે.
ઉદ્યોગની વાત કરવી હોય તો નરેન્દ્ર મોદીના માનસ સંતાન સમાન 'વાઇબ્રન્ટ ગુજરાત'ને યાદ કરવું પડે. તેના નાવીન્ય સભર વિચારો અને પ્રતિભાથી વિદેશમાંથી મોટા રોકાણોનો પ્રવાહ શરૂ થયો. જો કે, કોંગ્રેસના કાળમાં ઓઇલ ક્ષેત્રની બે મહાકાય કંપનીઓ ઑ.એન.જી.સી. અને રિલાયન્સ આવ્યા અને રાજ્યે નવો રાહ કંડાર્યો.
નરેન્દ્ર મોદીના ગુજરાત છોડ્યા પછી વાઇબ્રન્ટ ગુજરાતને શિથિલતા આવી ગઈ છે. માત્ર જામનગરની વાત કરીએ તો, છેલ્લા કેટલાક દશકાઓથી અહી વાઇબ્રન્ટ ગુજરાતને નામે મોટી મોટી વાતો થાય છે, પરંતુ જમીન ઉપર કઈ દેખાતું નથી. હાલારમાં નવા કેટલા આધુનિક ઉદ્યોગો આવ્યા, કેટલું મૂડી રોકાણ આવ્યું, કેટલા સ્થાનિક લોકોને રોજગારી મળી? આ બધું આધરતાલ છે.
જામનગર
છોટીકાશી અને પેરિસની ઉપમા પામેલા આપણા નવાનગરનું ગુજરાતની સ્થાપના પછી શું થયું? નામ મોટું થયું, પરંતુ આપણી ઊપજ ઓછી થઈ ગઈ. સાદા શબ્દોમાં કહીએ તો, વૈશ્વિક ઓળખાણના દાવા કરતું આપણું શહેર મોરબી, મહેસાણા, હિંમતનગર કે વડોદરા, સુરતની કક્ષાએ નથી પહોંચી શક્યું! કેમ? લોક જાગૃતિનો મોટો અભાવ છે. શહેરનું રેલવે સ્ટેશન હજુ અવિકસિત છે. દ્વારકા જુદું પડ્યા પછી જામનગર પાસે બહારના પ્રવસીઓને આકર્ષી શકે તેવા સ્થળો નથી. જામનગર જિલ્લાનું પ્રવાસન લગભગ મૃતપ્રાય અવસ્થામાં છે. શહેરમાં બ્રાસપાર્ટ ઉદ્યોગ પણ હવે સીમિત થઈ ગયો છે. મેડિકલ ભાષામાં કહીએ તો, એક સમયે ધબકતા જામનગરની એન્જીઓગ્રાફી કરતાં જણાય રહૃાું છે કે, હૃદયમાં પમ્પિંગ ધીમું છે, ધબકારા અનિયમિત અને અપૂરતા છે! ૬૫ વર્ષ પછી પણ મહાનગરપાલિકા ઢોર પકડવા ટ્રેક્ટરો લઈ દોડે છે, લારી ગલ્લા ઉપાડવા ઉધામા કરે છે! મતદારો હિસાબ માંગતા નથી અને નેતાઓ હિસાબ આપતા નથી!
વર્તમાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો અભ્યાસ કરતાં જણાય છે કે, મતદાર સુધારણા અભિયાન પછી પણ મતદાનની ટકાવારીમાં મોટો વધારો થયો નથી. ૪૫ થી ૪૭ ટકા નાગરિકો મતદાન કરવા ગયા જ નથી.
મને એ પ્રશ્ન સતાવે છે કે મારૃં નવાનગર ફરી પેરિસ ક્યારે બનશે?
શુભકામના
ગુજરાતની સ્થાપના દિવસે ૭ કરોડ નાગરિકોને હાર્દિક શુભકામના. રાજ્યમાં સંતોષકારક આવક આપતા રોજગાર વધે, જ્ઞાતિવાદને બદલી જ્ઞાનવાદ વધે તે બહુ જરૂરી છે. જીભ કરતાં મગજ વધુ ચાલે. રાજકારણમાં લોકો સેવા કરવા માટે આવે, ધંધો કરવા માટે નહીં.
ભગવાન શ્રીકૃષ્ણ, મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલનું ગુજરાત સાચા અર્થમાં 'મહા ગુજરાત' બને તેવી અભ્યર્થના.
'નોબત'ના વાચકો અને ચાહકોને ગુજરાત સ્થાપના દિવસની હાર્દિક શુભકામના.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
મોબાઈલ સતત ચૂંથવાની કે ઘસવાની ટેવ હોય તો ચેતી જજો
શું તમને પણ કારણ વગર સતત મોબાઈલ ચૂંથવાની કે ઘસવાની કુટેવ છે? ચેતી જજો. કારણ કે.. સમાજ અને પરિવારોમાં વિખવાદનું પ્રથમ મોટું કારણ સંપત્તિ કે રૂપિયા હોય છે, હવે બીજા ક્રમે મોબાઈલ પણ આવે છે. ૨૧ મી સદીની સુવિધા મોટી દુવિધા બની રહી છે. આપણાં સાંસ્કૃતિક અને પારિવારિક તાણાવાણા બહુ ઝડપથી વીખાઇ રહ્યા છે. મોબાઈલનો વધુ પડતો ઉપયોગ મગજ સુધી પંહોચી ગયો છે. વિચારો ભ્રષ્ટ થઈ રહ્યા છે. યુવા વર્ગને ડ્રગ્સ કરતાં પણ વધુ મોબાઈલનો નશો બરબાદ કરી રહ્યો છે. મોબાઇલના ઉપયોગને જો કંટ્રોલમાં કરવામાં નહીં આવે તો મુઘલ અને અંગ્રેજોના આક્રમણ કરતા પણ વધુ ગંભીર પરિણામો ભોગવવા પડશે. મોબાઈલ તો આ બન્નેની સયુંકત વિલનગીરીના લક્ષણો ધરાવે છે.
મુઘલોએ આપણી ધરોહર, સંસ્કૃતિને લૂંટી અને નાશ કર્યો. આ પ્રક્રિયા સદીઓ સુધી ચાલી. ભારતમાં આજે પણ મુઘલોના આક્રમણના નિશાનો જોવા મળે છે. અંગ્રેજો આવ્યા અને ૨૦૦ વર્ષ સુધી આપણને ગુલામો બનાવી ચૂસે રાખ્યા. અંગ્રેજોએ આપણાં વિચારો અને માનસિકતાને ગરીબ બનાવી દીધી હતી. આજે પણ આપણી માનસિક હાલત અસ્તવ્યસ્ત છે. મોબાઈલ સુવિધા મટી દુવિધા બની રહ્યો છે. મોબાઈલ ફોન મુઘલ અને અંગ્રેજો, બન્નેના અપલક્ષણો ધરાવે છે.
દુવિધા
કરોડો લોકો લગભગ આખી કે પોણી રાત પથારીમાં મોબાઈલ ઘસતા સ્ટેટસમાં જોવા મળે છે. લાસ્ટ સીન માનસિક બીમારીનું પણ મીટર કહી શકાય! રાત્રે દોઢ, બે કે અઢી વાગે મોબાઈલ શા માટે ખંખોળો છો? અંબાણી, અદાણી, મોદી, કેટરીના કે આલિયાના મેસેજ આવે છે? નથી આવતા, તો પછી ગોદડું ઓઢીને મીઠી નિંદર માણો! જુના જમાનામાં પડખું ઘસવું બહુ પ્રચલીત શબ્દ હતો. હવે મોબાઈલ ઘસે છે! મધ્ય રાત્રિએ મોબાઈલ ઘસુઓ જ માનસિક બીમાર હોય તેવું નથી, ધોળે દિવસે પણ પાંચ ઈંચના સ્ક્રીન ઉપર આળોટતા લોકો પણ લગભગ ગાંડા જ કહેવાય. વારંવાર મોબાઈલ ખોલી જોવાની માનસિકતાને બીમારની વ્યાખ્યામાં મૂકવામાં આવે છે. એક મોટા અધિકારી મળ વિસર્જન સમયે પણ મોબાઈલમય હોય તેવા દૃશ્યો મેં જોયા છે. કારણ કે, આવે સમયે પણ તે સતત ઓનલાઈન જ દેખાતા હોય! યુવાન પુત્ર કે પુત્રી ખૂણામાં કે એકાંતમાં મોબાઈલ પકડી બેઠાં હોય તો માં બાપને ચિંતા થાય. મોબાઈલને કારણે સીધા સંબંધો ક્યારે આડા સંબંધો થઈ જાય તે ખબર પડતી નથી.
વર્તમાન સમયની મોટી દુવિધા એ છે કે, આ નાનકડો રાક્ષસ બહુ ઝડપથી આપણું બાળપણ, યુવાની અને નિર્દોષતા ગ્રસી રહ્યો છે. એક જમાનામાં કુંડાળામાં પગ પડી જવો તેવી ઉક્તિ હતી, હવે મોબાઇલમાં જો પગ પડી જાય તો જિંદગી બરબાદ થઈ જાય છે. આ નર રાક્ષસ આપણો કિમતી સમય અને સંપતિ બન્ને ગળી જાય છે. શાળા કોલેજમાં ભણતાં વિદ્યાર્થીઓ દોઢ કે બે લાખના મોબાઈલ શા માટે વાપરતા હશે? માં બાપ પણ તેના માટે જવાબદાર છે. આપણે વર્તમાન સમયમાં જવાબદાર બનવાને બદલે બેફામ બની રહ્યા છીએ. નજીકના ભવિષ્યમાં કોઈ સદબુદ્ધિ આવે તેવું લાગતું નથી.
પરિવાર
મોબાઈલ નામનો રાવણ પરિવારની સીતા સમાન શાંતિને હણી લે છે. આજે તો જાકે કે અહીં આખું અયોધ્યા મોબાઈલમય થયું હોય તેવી સ્થિતિ છે ત્યારે રાવણ દહન કોણ કરે તે મોટી સમસ્યા છે. માતા, પિતા, ભાઈ, બહેન, વહુ, ભાભી, નણંદ, સાસુ, સસરા સૌ મોબાઇલમાં વ્યસ્ત રહે, પછી બાળક બિચારું શું કરે? તે પણ પોગો અને ડોનાલ્ડ ડક માટે સ્ક્રીન ફંફોળે. ૧૫ થી ૨૦ વર્ષની વય લપસી જવા માટે બહુ જોખમી હોય છે. મોબાઈલ આવ્યા પછી તો કોઈ પણ ઉમરના લોકો લપસીને હાડકા ભાંગે છે. ડિજિટલ દુનિયામાં પ્રેમ, જુગાર અને સેક્સ મફતમાં, સરળતાથી, વિપુલ પ્રમાણમાં અને ૨૪ કલાક મળે છે.
પરિવારોમાં વિખવાદનું કારણ મોબાઈલ બની રહ્યો છે. મોબાઈલ ટ્રેકર કે જીપીએસ દ્વારા સભ્યોની જાસૂસી પણ કરવામાં આવે છે.
ડિજિટલ ડિટોક્સ
નવી પેઢી હવે ડિજિટલ ડિટોક્સના રવાડે ચડી છે. સારી વાત છે. નિશ્ચિત સમયે કે દિવસે મોબાઈલથી દૂર રહેવાની ક્રિયાને ૨૧ મી સદીમાં ડિજિટલ ડિટોક્સ કહેવામાં આવે છે. મોબાઇલમાં ઇન્ટરનેટ બંધ રાખવું અથવા ફોન જ સ્વિચ ઓફ રાખવો તે ઉપવાસ જ કહી શકાય. અમેરિકા કે બ્રિટન જેવા આધુનિક દેશમાં પાંચ દિવસનું સપ્તાહ હોય છે. શનિવાર અને રવિવારે કર્મચારીઓ કે બોસ કોઈ, કોઈને ફોન કે મેસેજ કરતાં નથી. કામના સ્થળે પણ મોબાઈલ લોકરમાં જમા કરાવવો પડે છે. આ લેખકને અનુભવ છે કે, બોસ રજાના દિવસે રાત્રે ૯ વાગે ફોન કરી આડી અવળી વાતો કરી આડકતરી રીતે જાણે કે, કર્મચારી રજાના દિવસે ફોન ઉપાડે છે કે નહીં? ફોન ન ઉપાડે તો.. ખખડાવે!
ભારતના લોકોએ હવે મોબાઈલ એટિકેટ શીખવાનો સમય આવી ગયો છે. ગુજરાતીમાં તેને મોબાઇલ શિષ્ટાચાર કહી શકાય છે. કારણ વગર લાંબી વાતો ન કરવી, મુદ્દાસર વાત કરવી, સમય અનુસાર ફોન કરવો, મોટે અવાજે ન બોલવું, માન સન્માન પૂર્વક બોલવું તે પણ ડિજિટલ ડિટોક્સ જ છે. અમારા એક મિત્ર કારણ વગર લાંબી.. લાંબી વાતો કરે. આ પણ એક પ્રકારની અસભ્યતા જ છે.
મફત
હવે ન્યુનત્તમ ભાવમાં આઉટગોઈગ કોલ થઈ શકે છે. આપણે ગુજરાતીઓ તેને મફત કહીએ છીએ. કોલ મફત છે, પરંતુ તે કોલ તમારી જિંદગીની અમૂલ્ય ક્ષણો ખાઇ જાય છે તે આપણે ભૂલી જઈએ છીએ. મોબાઇલમાં કોલ, વૉટ્સએપ, ફેસબુક, ઇંસ્ટા, રીલ આપણને મફત લાગે છે, પરંતુ આપણી શાંતિને હણી લે છે. આપણને આ લત એટલી હદે લાગી છે કે, એક મોટા રાજકારણીના મૃત્યુ બાદ તેના પરિવારના લોકો મૃત નેતાનો ફોન અને તેનું જ સોશિયલ મીડિયા વાપરી રહ્યા છે! મૃત વ્યક્તિ કેવી રીતે મેસેજ કરી શકે? આ આપણી માનસિક બીમારી છે. મફતમાં માનસિક પ્રદૂષણ મળી રહ્યું છે.
ભારતમાં ૧૪૦ કરોડની વસ્તીમાં ૯૦ કરોડ સીમ ધારકો છે. જેમાના ૯૯ ટકા લોકો ૯૯ ટકા અર્થ વગરના સંદેશા અને કોલ કરી રહ્યા છે! કારણ કે મફત છે અથવા અતિશય સસ્તા છે. મારી વાત કરૃં તો ૯૦ના દશકમાં હું આખા મહિના દરમિયાન એક અથવા દોઢ જીબી ઇન્ટરનેટ વપરતો હતો, આજે ટીવીમાં એક હજાર જીબી અને મોબાઇલમાં ૪૫ જીબી નેટ વાપરી રહ્યો છું!!
કમાણી
ભારતમાં જે મોબાઈલ ગાંડપણ છે, તેમાંથી કોણ કમાઈ રહ્યું છે? ૯૯ ટકા રકમ વિદેશીઓ કમાય છે. મોબાઈલ હેન્ડસેટ, સીમ કાર્ડ, ચિપ, મોબાઈલ ટાવરના કોમ્યુનિકેશન સાધનો.. બધું અમેરિકા, ચીન અને કોરિયા બનાવે છે. ૧૦ હજારની પડતર કિમતનો મોબાઈલ ૨૫, ૫૦ હજાર કે લાખ રૂપિયામાં આપણને વેચે છે! એક એન્ડ્રોઇડ મોબાઈલ ઓપરેટિંગ સીસ્ટમ એક ડોલર કરતાં પણ ઓછા ભાવમાં પડે છે, તે આપણને ૧૨ થી ૧૫ ડોલરમાં વળગાડવામાં આવે છે. ગુજરાતીમાં કહીએ તો ૧૦૦ રૂપિયાની વસ્તુ ૧૨૦૦ થી ૧૫૦૦ રૂપિયામાં ખરીદીએ છીએ! વૉટ્સએપ, ફેસબુક કે ઇંસ્ટા જેવી એપ જે આપણે મફત ગણીને વાપરીએ છીએ તેના નાણા ફોન ખરીદતે સમયે કિમત સાથે જ વસૂલ કરી લેવામાં આવે છે. તેથી તે વાસ્તવમાં મફત નથી. ચીન, અમેરિકા અને કોરિયાના ઉત્પાદકો આપણાં ગાંડપણથી મબલખ રૂપિયા રળી રહ્યા છે.
સોફ્ટવેર અને હાર્ડવેરમાં આપણે સંપૂર્ણ ગુલામ છીએ. મુઘલ અને અંગ્રેજો કરતાં પણ ભયંકર લૂંટ ચાલી રહી છે. ઇન્ડિયા સેલ્યુલર એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એસોસિએશન (આઈસીઈએ) માર્ચ ૨૦૨૬ સુધીમાં કુલ મોબાઇલ ફોન ઉત્પાદન ઇં૭૫ બિલિયન સુધી પહોંચવાનો અંદાજ ધરાવે છે. ભારતમાં ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન વધીને રૂ।. ૧૧.૩ લાખ કરોડ (૧૩૩ બિલિયન ડોલર) થયું, જેમાં મોબાઇલ ફોનનો હિસ્સો આશરે રૂ।. ૫.૪૫ લાખ કરોડનો મોટો હિસ્સો છે. ભારત સરકાર કહે છે કે, હવે ૯૫ ટકા હેન્ડસેટ ભારતમાં જ બને છે, પરંતુ નક્કર વાસ્તવિકતા એ છે કે, તે તમામ વિદેશી કંપનીઓ છે. ઓપો, વિવો, વન પ્લસ, એપલનો આઈ ફોન, સેમસંગ જેવી કંપનીઓ ભારતમાં ધાણી-મમરાની જેમ ફોન વેચે છે! ભારતમાં ક્રૂડ, ઑટોમોબાઇલ પછી ત્રીજા ક્રમે મોબાઈલને કારણે આપણું કિમતી વિદેશી હૂંડિયામણ વિદેશ તરફ વહી રહ્યું છે.
મનોરોગી
મોબાઇલના ગાંડપણ ભર્યા વળગણને કારણે પ્રચ્છન્ન મનોરોગીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. બહારથી સ્વસ્થ દેખાતા લોકો માનસિક રીતે ચિતભ્રમ હોય છે. કારણ વગર ગુસ્સે થવું, અનિંદ્રાનો ભોગ બનવું, કાલ્પનિક વિચારોમાં મગ્ન રહેવું, દિશાહીન બનવું, છેતરાઈ જવું, લાલચમાં ફસાઈ જવું, દેખાદેખીનું પ્રમાણ વધી જવું, આર્થિક જોખમો વધી જવા, ગાંડપણ જેવા રોગોનો સમાવેશ થાય છે. આ રોગ સીધી રીતે દેખાતા નથી, પરંતુ શારીરિક અને માનસિક રીતે કંગાળ બનાવી દે છે. ભારતમાં માનોચિકિસ્તક તબીબોની સલાહ કે સારવાર લેવાનું ચલણ હજુ બહુ છે નહીં. ભવિષ્યમાં આ તબીબોને તડાકો પડશે તે નક્કી છે.
ઉકેલ
મોબાઈલ એક ઇમરજન્સી સાધન છે. બહુ મહત્વની બાબત હોય ત્યારે જ ઉપયોગ કરો. બિનજરૂરી ફોન કે મેસેજ ના કરવા. બહુ ટૂંકમાં વાતો કરવી. પારિવારિક કે સામાજિક કૂથલી કરવા માટે કલાકો સુધી ફોન ઉપર ચોટયાં ન રહેવું. મોડી રાત્રિ સુધી ફોનને વળગ્યા ન રહેવું. સમય પસાર કરવાની સમસ્યા હોય તો ફોન સિવાઈની પ્રવૃત્તિ શોધી લેવી. રજાના દિવસોમાં નીચેના કર્મચારીઓને મોટા કારણ વગર ફોન ન કરવા. શનિવાર અને રવિવારે શક્ય હોય તો ઇન્ટરનેટ બંધ રાખવું. નવી પેઢી હવે સપ્તાહમાં એક દિવસ ડિજિટલ ડિટોક્સ કરે છે. એટલે કે, ફોન, ટેબ, લેપટોપ, ટીવી સંપૂર્ણ બંધ રાખે છે.
'નોબત'ના વાચકો અને ચાહકોને મોબાઈલનો લઘુતમ ઉપયોગ કરવા અને વધુ પડતો ઉપયોગ કરતા હોય તેના ફોન કે મેસેજનો પ્રત્યુત્તર ન આપવા હાર્દિક અનુરોધ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
નરેન્દ્ર મોદી હજુ સુધી બંગાળમાં મમતા દીદીનું વર્ચસ્વ તોડી શક્યા નથી
દુનિયામાં યુદ્ધ ચાલે છે અને ભારતમાં ચૂંટણી ચાલે છે. જો કે, બન્ને એક પ્રકારના યુદ્ધ જ છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી બન્નેની આબરૂ દાવ ઉપર લાગી છે. ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરા ઉપર યુદ્ધનો તણાવ જણાય છે પરંતુ નરેન્દ્ર મોદી તેના કાયમી સ્વભાવની જેમ સંપૂર્ણ નિશ્ચિંત દેખાય છે. કેરળ, પુડુચેરી અને આસામની ચૂટણીઓનું મતદાન પતી ગયું. હવે બંગાળમાં ૨૩ અને ૨૯ એપ્રિલે, તમિલનાડુમાં ૨૩ એપ્રિલે મતદાન થશે. બીજી તરફ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. ગુજરાતનું વહીવટી અને રાજકીય તંત્ર ચૂંટણીની કામગીરીમાં વ્યસ્ત છે. ભારતમાં ૩૬૫ દિવસ ક્યાંકને ક્યાંક નાની મોટી ચૂંટણી ચાલતી હોય છે. દેશમાં બધી ચૂંટણી એક દિવસે કરવાનો સમય પાકી ગયો છે.
મોટી ચૂંટણીની વાત કરીએ તો બંગાળ અને તમિલનાડુમાં રાજકીય પક્ષો ખાંડાં ખખડવી રહૃાા છે. બન્ને રાજ્યોની સામાજિક, રાજકીય, આર્થિક, સાંસ્કૃતિક અને તળપદી પરિસ્થિતિ આખા દેશથી અલગ અને ભાતીગળ છે. બંગાળના મમતા દીદીને આખો દેશ ઓળખે છે. તેને રાષ્ટ્રીય કક્ષાની કોઈ તમન્ના નથી. મમતા દીદીને પોતે ભલા અને પોતાનું બંગાળ ભલું! તેનો રાજકીય ગજર બહુ મોટો છે. નરેન્દ્ર મોદી કોંગ્રેસને ભોંય ભેગી કરી શક્યા છે, પરંતુ મમતા દીદીના ગઢના કાંગરા ખેરવી શક્યા નથી. અહી કોંગ્રેસનો ગજ પણ વાગતો નથી.
બંગાળ
૨૦૨૧ની વિધાનસભા ચૂંટણીમાં ટી.એમ.સી.ને ૨૯૪ બેઠકમાંથી ૨૧૩ મળી હતી. ભાજપને ૭૭ અને અન્ય પક્ષોને ૪ બેઠક મળી હતી. કોંગ્રેસનું તો ખાતું પણ ખૂલી શક્યું ન હતું! અહી કૂલ ૬.૪૪ કરોડ મતદારો બે તબક્કામાં મતદાન કરશે. પશ્ચિમ બંગાળ વિધાનસભાનો કાર્યકાળ ૭ મે ના રોજ સમાપ્ત થવાનો છે. અગાઉની વિધાનસભા ચૂંટણીઓ માર્ચ-એપ્રિલ ૨૦૨૧માં યોજાઈ હતી. ચૂંટણી પછી, વર્તમાન તૃણમૂલ કોંગ્રેસે વિધાનસભાની બહુમતી બેઠકો જીતીને ફરીથી રાજ્ય સરકારની રચના કરી, જેમાં મમતા બેનર્જીએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.
બંગાળમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોનો સળગતો મુદ્દો છે. ભાજપનો આક્ષેપ છે કે, મમતા બેનર્જીએ પોતાના રાજકીય લાભ માટે આ ઘૂસણખોરો પ્રત્યે કૂણું વલણ દાખવ્યું છે અને તેના પરિણામે બંગાળના મૂળ લોકોને બહુ અન્યાય થઈ રહૃાો છે. ભાજપ સત્તામાં આવશે તો ઘૂસણખોરોને તગેડી મુકાશે. ભાજપ હવે અહી નૈતિકતા, સલામતી, હિન્દુત્વ અને ભારતીય નાગરિકોને પ્રથમ તક આપવાનું વચન આપે છે.
નાગરિકતા સુધારો અધિનિયમ (સીએએ) અને મતદાર યાદીઓના વિશેષ સઘન સુધારા (એસઆઈઆર)ની આસપાસ ચાલી રહેલા ચર્ચાઓએ ૨૦૨૬ની ચૂંટણીઓ પહેલા એક નવું રાજકીય વાતાવરણ બનાવ્યું છે. મુસ્લિમ સમુદાય અને લઘુમતીઓ એસઆઈઆરના અમલીકરણ અંગે ચિંતા અને ભય દર્શાવે છે અને ભારતીય જનતા પાર્ટી (બીજેપી) દ્વારા વર્તમાન ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ (એઆઈટીસી) સરકારના બદલાવ અંગે ચિંતા વ્યક્ત કરી છે જે આખરે પશ્ચિમ બંગાળમાં સીએએ લાગુ કરશે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સીએએના મુસ્લિમ સમુદાય સામેના પક્ષપાત અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. ગૃહમંત્રી અમિત શાહે સ્પષ્ટતા કરી છે કે પાકિસ્તાન, અફઘાનિસ્તાન, મ્યાનમાર અને બાંગ્લાદેશના લઘુમતીઓ
ખાસ કરીને હિન્દુ, શીખ, જૈન અને બૌદ્ધ સમુદાયોના લોકો, જેઓ ભારતમાં રહે છે, તેમને કાયદાની જોગવાઈઓ હેઠળ રક્ષણ પૂરૃં પાડવામાં આવશે.
રાજધાની કોલકાતા આગવી ઓળખ, ઈતિહાસ અને સંસ્કૃતિ ધરાવે છે. સાહિત્ય અને કલા ક્ષેત્રે મહત્ત્વનું પ્રદાન છે. દોઢ કરોડની વસ્તી ધરાવતું આ શહેર ભારતની ''સાંસ્કૃતિક રાજધાની'' અને ''આનંદનું શહેર'' તરીકે જાણીતું છે.
કોલકાતા ભારતનું ત્રીજા ક્રમે આવતું સૌથી મોટું શહેર છે. સંયુક્ત રાષ્ટ્ર (યુનાઇટેડ નેશન્સ) દ્વારા વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતા શહેરોની યાદીમાં ૭માં ક્રમે મૂકવામાં આવ્યું છે. બ્રિટિશ રાજ દરમ્યાન ઇ.સ. ૧૯૧૧ સુધી કોલકાતા ભારતની રાજધાની રહૃાું. એક સમયે આધુનિક શિક્ષણ, ઉદ્યોગો, વિજ્ઞાન, સંસ્કૃતિ અને રાજકારણનું કેન્દ્ર રહી ચૂકેલું કોલકાતા ૧૯૫૪થી લાંબાગાળા સુધી તીવ્ર રાજકારણીય હિંસા, સંઘર્ષ અને મંદ અર્થતંત્ર વિગેરેનું મુક સાક્ષી બની રહૃાું. વર્ષ ૨૦૦૦ પછી ફરીથી બેઠાં થયેલાં અર્થતંત્રને કારણે શહેરનો વિકાસ ફરી એક વખત વધવા માંડ્યો છે. ભારતનાં અન્ય મહાનગરોની જેમજ કોલકાતા પણ ગરીબી, પ્રદુષણ અને વાહનોની ભીડ જેવી શહેરીકરણની સમસ્યાઓનો સતત સામનો કરી રહૃાું છે. કોલકાતાનું નામ આઝાદીના સંગ્રામ સહિતના ઈતિહાસમાં વિવિધ આંદોલનોને કારણે આલેખાયેલું છે. બંગાળીઓ હજુ પણ પોતાની અસ્મિતા જાળવી રાખવા કટિબદ્ધ છે અને મમતા દીદીને નેતા માને છે.
ભારતીય જનતા પક્ષને ચૂંટણી જીતવા માટે લોઢાના ચણા ચાવવા પડે છે. કોઈ ચમત્કાર થાય તો જ અહી શાસન ધુરા હાથમાં આવી શકે તેમ છે. બીજી રીતે કહીએ તો ભાજપ અહી તૃણમૂલ કોંગ્રેસને ટક્કર આપી રહૃાો છે, જે ભૂતકાળમાં કોઈ રાજકીય પક્ષ આપી શક્યો નથી. આમ મમતા દીદી માટે ખતરાની ઘંટડી વાગી ચૂકી છે.
મમતા બેનરજી
બંગાળની વાત કરીએ અને મમતા બેનરજીનો ઉલ્લેખ ન કરીએ તો મીઠા વગરની રસોઈ જેવુ લાગે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (૧)થી અલગ થયા પછી તેમણે ૧૯૯૮ માં એઆઈટીસીની સ્થાપના કરી, અને ૨૦૦૧ માં તેના બીજા પ્રમુખ બન્યા. તેઓ પોતાને દીદી (બંગાળીમાં જેનો અર્થ થાય છે, મોટી બહેન) તરીકે ઓળખાવે છે. તેમણે સુપ્રિમ કોર્ટમાં વકીલ તરીકે દલીલ કરનાર ભારતના પ્રથમ વર્તમાન મુખ્યમંત્રી તરીકે ઈતિહાસ રચ્યો. બેનર્જી અગાઉ બે વાર રેલવે મંત્રી તરીકે સેવા આપી હતી, જે આવું કરનારી પ્રથમ મહિલા બન્યા. તેઓ ભારત સરકારના મંત્રીમંડળમાં કોલસા મંત્રી અને માનવ સંસાધન વિકાસ, યુવા બાબતો અને રમતગમત, મહિલા અને બાળ વિકાસ મંત્રી પણ રહૃાા. કૃષિકારો અને ખેડૂતોના ભોગે પશ્ચિમ બંગાળમાં ડાબેરી મોરચાની આગેવાની હેઠળની સરકારના ઔદ્યોગિકીકરણ માટે જમીન સંપાદન નીતિઓનો વિરોધ કર્યા પછી તેઓ પ્રસિદ્ધિ પામ્યા. ૨૦૧૧માં બેનર્જીએ પશ્ચિમ બંગાળમાં એઆઈટીસી ગઠબંધન માટે જંગી વિજય મેળવ્યો, ૩૪ વર્ષ જૂની ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી)ની આગેવાની હેઠળની ડાબેરી મોરચાની સરકારને હરાવી. કિસાનોના હિત માટે રતન ટાટાના ડ્રીમ પ્રોજેક્ટ 'નેનો કાર' માટે શિંગુરમાં જમીન આપવાનો ઇનકાર કરી દીધો હતો.
૨૦૨૬ની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી કદાચ દીદીની નજીક આવી શકશે, પરંતુ આગળ નીકળી શકે તેવા સંજોગો બહુ ઓછા છે!
તમિલનાડુ
દક્ષિણનું આ બહુ મહત્ત્વનું રાજ્ય છે જ્યાં ૨૨૩ બેઠક માટે ૨૩ એપ્રિલે ૫.૬૭ કરોડ મતદારો મતદાન કરશે. અહી ૬ દાયકાથી ડી.એમ.કે. અને એ.આઈ.ડી.એમ.કે. વચ્ચે સત્તા માટે હરીફાઈ ચાલે છે. ૨૦૨૧ની ચૂંટણીમાં ડી.એમ.કે. પાસે ૧૩૩, એ.આઈ.ડી.એમ.કે. પાસે ૬૬ કોંગ્રેસ પાસે ૧૮ અને અન્ય પક્ષો પાસે ૧૭ બેઠક છે. અહી પણ ભાજપ માટે દ્રાક્ષ ખાટી છે. તમિલનાડુ દક્ષિણ-ભારતના ચાર રાજ્યમાંનું એક રાજ્ય છે. તમિલનાડુ ભારત દેશનું બીજું સૌથી વધુ ઔદ્યોગિકૃત રાજ્ય છે. તેનું પાટનગર ચેન્નઈ ભારતનું ચોથું સૌથી મોટું શહેર છે.
તમિલનાડુમાં કોંગ્રેસના યુગ દરમિયાન રાજ્ય અને દેશના કે. કામરાજ સૌથી પ્રભાવશાળી નેતા હતા. વર્તમાન સમયમાં શ્રી એમ. કે. સ્ટાલિન મુખ્યમંત્રી પદે બિરાજે છે.
વર્તમાન વિધાનસભા ચૂંટણી માટે ભાજપ તમિલનાડુમાં પોતાનો પ્રભાવ વધારવા માટે સક્રિયપણે પ્રયાસ કરી રહૃાું છે, જેનું નેતૃત્વ નૈનાર નાગેન્થ્રન જેવા રાજ્ય નેતાઓ કરી રહૃાા છે. પાર્ટી મુખ્ય બેઠકો પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે અને તેના પાયાના સંગઠનને મજબૂત બનાવી રહી છે. મુખ્ય પ્રયાસોમાં એઆઈએડીએમકે સાથે સંભવિત જોડાણ અને સમર્થન મેળવવા માટેના મુદ્દાઓને પ્રકાશિત કરવાનો સમાવેશ થાય છે. જોકે નરેન્દ્ર મોદી કે અમિત શાહ હજુ સુધી મતદારોના હૃદય સુધી પહોંચી શક્યા નથી. લોકસભામાં પણ બીજેપીનો દેખાવ નીરસ રહૃાો હતો.
જય લલિતા
બંગાળમાં જેમ મમતા દીદીની આણ પ્રવર્તે છે તેમ એક સમયે તમિલનાડુમાં જય લલીતા વન એન્ડ ઓન્લી હતા. જયરામ જયલલિતા, જે અમ્મા તરીકે જાણીતા હતા તે, એક ભારતીય અભિનેત્રી, રાજકારણી અને પરોપકારી હતા જેમણે ૧૯૯૧ થી ૨૦૧૬ દરમિયાન ૬ ટર્મ માટે ચૌદ વર્ષથી વધુ સમય સુધી તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે રહૃાા.
સારાંશ
બંગાળ અને તમિલનાડુમાં સત્તા હાંસલ કરવા માટે ભાજપે લોઢાના ચણા ચાવવા પડે તેમ છે. બન્ને રાજ્યમાં 'રેવડી' વિતરણના વાયદાઓ કરવામાં આવી રહૃાા છે. મમતા દીદી ભાજપ સામે મજબૂત રીતે બાથ ભીડી રહૃાા છે. અહી મહારાષ્ટ્રની જેમ પક્ષ પલટો અને સ્વાર્થનું રાજકારણ હજુ ફેલાયું નથી. ધારાસભ્યો હાઈજેક થતા નથી. બહુ જહેમત પછી પણ ૨૦૨૧ પછી થોડી ઘણી બેઠકો વધે તેમાં મોદી અને શાહે સંતોષ માનવો પડશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
એક સમયે આરોગ્યપ્રદ ગણાતા અથાણા આજે જોખમી માનવામાં આવે છે
ઉનાળાના આગમન સાથે રસદાર, ચટપટા, સ્વાદિષ્ટ અને પોષક અથાણાની મૌસમ ઢૂકડી આવી. હજુ અથાણાની કાચી કેરી બજારમાં બહુ દેખાતી નથી. પરંતુ તમે આ લેખ વાચતા હશો ત્યારે લારી ગલ્લા લીલાછમ્મ થવા લાગ્યા હશે. બીજી કરૂણ વાસ્તવિકતા એ પણ છે કે, નવી પેઢી એટલે કે, જેન ઝી અથાણા બનાવવાની કડાકૂટમાં બહુ પાડતા નથી! દુકાનો અને મેગા મોલમાં આખું વર્ષ 'રેડી ટુ ઈટ' અથાણા બહુ સરળતાથી મળે છે. વર્ષના મધ્ય ભાગમાં આ લેખક પણ તૈયાર અથાણાના ચટકા માણી લે છે. જીવ્યા કરતા ખાધું ભલું.
બજાર
ભારતમાં ખાવા માટે તૈયાર એટલે કે 'રેડી ટુ ઈટ' અથાણાનું બજાર સમૃદ્ધ અને વ્યાપક છે, જેનું મૂલ્ય ૨૦૨૫ માં રૂ।. ૬ હજાર કરોડનું ગણવામાં આવ્યું હતું અને ૨૦૩૫ સુધીમાં લગભગ બમણું થવાનો અંદાજ છે. સ્વચ્છ, અનુકૂળ અને પરંપરાગત સ્વાદની માંગને કારણે, બજાર ઝડપથી વિસ્તરી રહૃાું છે, જેમાં મિશ્ર શાકભાજી, કેરી અને મરચાં જેવા પરંપરાગત મનપસંદ અથાણાનો સમાવેશ થાય છે.
તૈયાર અથાણાની લોકપ્રિયતાનું મુખ્ય કારણ શહેરીકરણમાં વધારો, સ્વચ્છતા, પેક્ડ ઉત્પાદનોની માંગ અને બદલાતી જીવનશૈલીને કારણે ઘરે બનાવેલા અથાણા કરતાં પેકેજ્ડ, તૈયાર અથાણા તરફ લોકોનું વલણ વધી રહૃાું છે. બીજી તરફ યુવા મહિલાઓ વ્યવસાયમાં વધુ વ્યસ્ત થઈ રહી હોવાથી અથાણાની કડાકૂટમાં બહુ પડતી નથી. બીજી અથાણા બનાવવામાં સુકવણી પણ મુખ્ય છે. પૂરતો તડકો મળે તો જ અથાણા પાકે. શહેરીકરણ વધવાને કારણે, બહુમાળી મકાનો વધી જતાં તડકો દુર્લભ બન્યો છે.
તૈયાર અથાણા બજારમાં પ્રભુત્વ ધરાવતી મુખ્ય બ્રાન્ડ્સમાં મધર્સ રેસીપી, પ્રિયા ફૂડ્સ, નિલોન્સ, આચી ફૂડ્સ તથા કેટલીક સ્થાનિક બ્રાન્ડ્સનો સમાવેશ પણ થાય છે. અથાણા બનાવવા માટેનો ગૃહ ઉધ્યોગ બીજા ક્રમે આવે. હજારો મહિલાઓ ઓર્ડર અનુસાર અથાણા બનાવી આપે છે.
નામશેષ
પ્રાચીન અથાણાની અનેક જાતિઓ અર્વાચીન સમયમાં લુપ્ત થઈ ગઈ છે. તેમાં એક ડાળા છે. ડાળાનું અથાણું હવે ભાગ્યેજ જોવા મળે છે અથવા ઘરે બનાવવામાં આવે છે. ડાળા-ગરમરની જોડી રામ સીતા જેવી હતી. ૪ દાયકા પહેલા ડાળા-ગરમરનું અથાણું, આજની ભાષામાં કહીએ તો 'ટ્રેન્ડિંગ' હતું. આ બન્નેની જોડી કંદમૂળ કક્ષામાં આવે. જમીનની અંદર મૂળિયા રૂપે હોય. આ અથાણામાં હળદર અને મીઠું મુખ્ય મેળવણી હોય. બન્નેને આથવા પડે! જો યોગ્ય પ્રક્રિયા કરવામાં ન આવે તો બન્ને પોચા પડી જય અને ખાવાની મજા ન આવે. બીજું આવું અથાણું એટલે.. કેરડાનું અથાણું. નાના બોર જેવડા ફળ હોય. તેને પણ આથવા પડે. કેરડા પેટ અને પાચનક્રિયા માટે બહુ મહત્ત્વના ગુણ ઘરાવે. કેરડાનું અથાણું પાકે તેની સાથે તેની અંદર રહેલા ઝીણા બીજ પણ પાકે અને તેનો અલાયદો સ્વાદ બહુ મજા આપે.
અથાણાની દુનિયામાં બહુ મોટું અને મહત્ત્વનું સ્થાન ધરાવતો વધુ એક શબ્દ નામશેષ થઈ ગયો. એ છે અથાણા ભરવાનો.. જીલો! આ એક બરણી હતી.સુરેન્દ્રનગરના થાનમાં બનતી ચાઈના માટીની બરણી કે જે અથાણા માટે જ વપરાતી તેને 'જીલો' કહેવામાં આવતી હતી. અલગ અલગ કદમાં મળતી. સફેદ બરણીનું મથાળું ભૂખરૃં હોય, તે તેની આગવી ઓળખ. હવે તો માટીના જીલાનું સ્થાન કાચની બરણીઓએ લઈ લીધું છે.
અથાણાની દુનિયામાંથી 'સુકવણી' શબ્દ પણ ભૂંસાઈ ગયો છે. કાચી કેરીને હળદર અને મીઠામાં મેરીનેટિગ કરવામાં આવે અને ત્યારબાદ આકાર તાપમાં સુકાવવામાં આવે. ત્યારબાદ અન્ય તેલ અને મસાલામાં ભેળવવામાં આવે. હવે સુકવણી કરવાની જગ્યા પણ નથી અને સમય પણ નથી! અથાણાનું હદય કહેવાય તેવો 'કાંદો' શબ્દ પણ હવે ચલણમાં રહૃાો નથી. જો કે, કાંદા વગર ખાટા અથાણા બને નથી. પંજાબી સબજીમાં જે મહત્ત્વ 'કરી'નું છે તેવું મહત્ત્વ લાલ ચટક કાંદાનું છે. મીઠું, મરચું, તેલ, હિંગ, હળદર, રાઈ અને મેથીના કુરિયા, મીઠું ભેળવીને બને તે 'કાંદો'. મીઠું અથાણું હોય તો ધાણાના કુરિયા, ગોળ, તેજાના સહિત અનેક વસ્તુઓ ભેળવવામાં આવે. તીખો કાંદો ઠંડા ભાત અને ખીચડીમાં મીક્સ કરીને ખાવાથી બહુ સ્વાદિષ્ટ લાગે. અમે માધ્યમિક શાળામાં ભણતાં ત્યાં સુધી કાંદા ભાત અને કાંદા ખીચડીનો લાહવો માણ્યો. કાંદો એટલો લોકપ્રિય હતો કે ક્યારેક અથાણામાં ૫૦ ટકા કાંદો હોય. વારે તહેવારે જ કેરીના કટકા કાઢવામાં આવે!
ઇન્સ્ટન્ટ અથાણા
ઇન્સ્ટન્ટ અથાણા ૨૧ મી સદીમાં જ આવ્યા, તેવું નથી. પરદાદીના જમાનામાં પણ બનતા અને આજે પણ અનેક ઘરોમાં બને છે. તેમાં પ્રથમ ક્રમે ગાજરનું અથાણું છે. આજે બનાવો અને આજે જ ખાઓ. જો કે, ગાજરનું અથાણું લાંબો સમય ટકતું નથી, તેથી થોડી માત્રમાં જ બનાવવામાં આવે છે. રાઈ અને મેથીના કુરિયા, મરચું, હિંગ અને તેલ તેના મહત્ત્વના મસાલા છે. હવે મોર્ડન મહિલાઓ તેમાં પેપ્રીકાનું સિઝલીંગ પણ કરે છે. લીંબુનું અથાણું પણ આ કેટેગરીમાં આવે. હળદર અને મીઠું તેના મુખ્ય મસાલા કહી શકાય. કેટલાક લોકો થોડી ખાંડ પણ નાખે. બે-ચાર દિવસો પછી ખાવા માટે તૈયાર. જૂના જમાનામાં લીંબુને પાંચ કે છ માસ સુધી, બ્રાઉન થાય ત્યાં સુધી આથવામાં આવતા. દાદી કહેતા કે, લીંબુનું જૂનું અથાણું બહુ ગુણકારી હોય. મહેમાનોને તે ખાસ પીરસવામાં આવતું હતું.
લીલા અને લાલ મરચાનું અથાણું પણ આ ક્ક્ષામાં આવે. આથેલા મરચા બહુ સ્વાદિષ્ટ હોય. આજે પણ અનેક ઘરોમાં લગભગ બારે માસ લાલ-લીલા મરચાનું અથાણું બને. મોર્ડન યુવા વર્ગ જે બહોળા પ્રમાણમાં 'એલેપીનો' ખાઈ છે, તે આપણાં લીલા મરચાનું અથાણું. ઈટાલીમાં તેને આ નામે ઓળખવામાં આવે છે. 'એલેપીનો' મોટા ભાગે પીઝામાં વપરાય છે!
આરોગ્ય
અથાણા વર્તમાન સમયમાં ઓછા ખવાય છે તેનું એક મોટું કારણ 'આરોગ્ય પ્રત્યે જાગૃતિ' પણ છે. એક સમયે આરોગ્યપ્રદ ગણાતો આ ખોરાક આજે જોખમી માનવામાં આવે છે. રક્તચાપ, મધુપ્રમેહ કે કોલેસ્ટ્રોલ હોય તેને અથાણા ખાવા બાધિત હોય છે. નવી મોર્ડન પેઢી મીઠું, મરચું. તેલ અને ખાંડથી દૂર રહે છે. જે અથાણાના મુખ્ય તત્ત્વો છે. ચાર દાયકા પહેલાં અમારા ઘરમાં ૧૨ થી ૧૫ કિલો અથાણા બનાવવામાં આવતા હતા તે આજે માત્ર ૨ કે ૩ કિલો જ બને છે! કારણ કે તબીબોએ મનાઈ કરી દીધી છે.
જો કે આ કથા દરેક ઘરની બની ગઈ છે. દાદીનો જમાનો હોય તો તબીબોએ અથાણા ખાવા ઉપર પ્રતિબંધ મૂક્યો છે અને ઘરમાં આલ્ફા ઝેન પેઢી હોય તો તે અથાણા બનાવતી નથી! હોટલોમાં પીરસવામાં આવતા અથાણાની ગુણવત્તા શંકાસ્પદ રહે છે. વધુ પડતું વિનેગર, મીઠું અને મરચું કોઈ રીતે હેલ્ધી નથી. દાદીના જમાનામાં વીનેગારનો ઉપયોગ હતો જ નહીં.
ચટાકેદાર અથાણા વાસ્તવમાં તો આરોગ્યપ્રદ જ છે, આપણી લાઈફ સ્ટાઇલએ તેને જોખમી બનાવી દીધાં છે. અથાણામાં 'હેલ્થી વર્ઝન' બનતું હોવાનું ક્યાંય સાંભળ્યું નથી.
અથાણા ઘણાં સ્વાસ્થ્ય લાભ પ્રદાન કરે છે, જેમાં આવશ્યક વિટામિન્સ (કે, એ, સી) પૂરા પાડવા, ઓછી કેલરીવાળા નાસ્તા તરીકે કામ કરવા અને આથો આવે ત્યારે પાચનમાં મદદ કરવા સહિતનો સમાવેશ થાય છે. તે બીટા-કેરોટીન જેવા એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર છે, બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે અને સ્નાયુઓના ખેંચાણમાં રાહત આપે છે. જોકે, તેમાં સોડિયમનું પ્રમાણ વધુ હોવાથી તેનું મધ્યમ સેવન જરૂરી છે. આજે તો અથાણા દવાની જેમ તબીબની સલાહ અનુસાર જ ખાવામાં આવે છે!
ઇતિહાસ
અથાણા મારા કે તમારા પરદાદી કે દાદી જ બનાવતા હતા તેવું નથી. તેનો ઇતિહાસ પણ રોચક છે. અથાણાનો ઇતિહાસ પાંચ હજાર વર્ષનો છે જે પ્રાચીન મેસોપોટેમીયામાં ઉદભવ્યો હતો, જે ખારા પાણીનો ઉપયોગ કરીને ખોરાકને સાચવવાની પદ્ધતિ તરીકે હતો. ભારતમાં કાકડીઓમાંથી ઉદ્ભવતા, તે મધ્ય પૂર્વ, ઇજિપ્ત અને યુરોપમાં ફેલાયા, ક્લિયોપેટ્રા અને એરિસ્ટોટલ જેવા વ્યક્તિઓ દ્વારા મૂલ્યવાન બન્યા. તેઓ લાંબા દરિયાઈ સફર માટે, સ્કર્વી સામે લડવા માટે જરૂરી હતા અને વૈશ્વિક સ્તરે એક મુખ્ય ખોરાક બન્યા. અથાણા મુખ્યત્ત્વે દરિયાઈ મુસાફરી માટે બહુ વ્યાપક પ્રમાણમાં ઉપયોગમાં લેવાતા હતા. લાંબી મુસાફરી દરમિયામાન તે બગાડતા નહીં તેથી લોકપ્રિય બન્યા. રણ પ્રદેશના લોકો પણ બરણીઓ ભરી અથાણા બનાવતા હતા. અને ભારત ઉપર આક્રમણ કર્તાઓ તેની સાથે અથાણા લાવ્યાનું કહેવાય છે. બિન આધારભૂત જાણકારી અનુસાર સૌ પ્રથમ કાકડીનું અથાણું સર્વ સામાન્ય હતું. હાલમાં જે ડાળા ગરમર અને કેરડાનું અથાણું બને છે તે બીજા ક્રમનું સૌથી જૂનું પ્રાચીન અથાણું કહેવાય છે. આ બન્ને જંગલી ઉત્પાદનો છે.
વર્તમાન સમયમાં જે 'રેડી ટુ ઈટ' અથાણાનું ચલણ વ્યાપક બન્યું છે તેનું શ્રેય અમેરિકાને જાય છે. ૧૮૯૩ના શિકાગો વર્લ્ડ ફેરમાં હેઇન્ઝે કાકડીના આધુનિક બોટલ બંધ અથાણાને લોકપ્રિય બનાવ્યું, જેનાથી અમેરિકન ભોજનમાં તેનું સ્થાન મજબૂત બન્યું. આ કંપની વર્તમાન સમયમાં બોટલ બંધ ખોરાક વેચાણમાં ભારતમાં મોખરાનું સ્થાન ધરાવે છે.
જલ્સા કરો
ઉનાળો આવે એટલે ગુજરાતીઓની જીભ લસરવા લાગે. તબીબોની ભલામણોના ઉલાળિયા કરી થાળીમાં રોટલી ડૂબી જાય તેટલું લાલ ચટ્ટાક તેલ ધરાવતું અથાણાનો ઢગલો કરે. જૂના જમાનામાં તો તેલ અને કાંદાથી લસબસતા અથાણા ડોયાથી તાંસળીમાં પીરસતા હતા. આજે તો ચમચીનું માપ આવી ગયું છે. રક્તચાપ અને મધુ પ્રમેહ થી પીડાતા લોકો પણ ઉનાળામાં ચટાકાના જલ્સા કરી લે છે.
'નોબત'ના વાચકો અને ચાહકોને પણ લાલ ચટ્ટાક સ્વાદના જલ્સા મુબારક.
૫રેશ છાંયા
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આસામમાં ભાજપ વિજયની હેટ્રીક તરફ આગેકૂચ કરી રહૃાું છે
દેશના ત્રણ રાજ્યમાં વિધાનસભા ચૂંટણીના નગારા ચરમસીમા ઉપર વાગી રહૃાા છે. કેરલમ, આસામ અને પુડુચેરી માં ૯ એપ્રિલના મતદાન થશે. આ ત્રણેય રાજ્ય ગુજરાત સાથે સીધી રીતે જોડાયેલા કે સંકળાયેલા નથી. હા, ગુજરાત ભાજપનો ગઢ ગણાય છે ત્યારે નરેન્દ્ર મોદીની શાખ દાવ ઉપર લાગી છે તેથી આપણે મંથન કરવું પડે. આ ત્રણેય રાજ્યમાં ૨૦૨૧માં વિધાનસભાની ચૂંટણી થઈ હતી, તેમાં કેરલમ અને પુડુચેરીમાં ભાજપનો ગજ વાગ્યો ન હતો. આસામમાં સત્તા હાંસલ કરી હતી. કેરલમ પરંપરાગત રીતે કોંગ્રેસનો ગઢ મનાય છે. ગાંધી પરિવાર પણ આ રાજ્યને પોતાનો ગઢ માને છે.
કેરલમમાં સી.પી.આઈ. (એમ) પાસે હાલમાં સૌથી વધુ ૬૨ બેઠક છે. કોંગ્રેસ-૨૧, સીપીઆઇ-૧૭ અને અન્ય પાસે ૪૦ બેઠક છે.
આસામમાં ભાજપ ૬૦ બેઠક સાથે બહુમતીમાં છે. જ્યારે કોંગ્રેસ-૨૯, એ.આઈ.યુ.ડી.એફ. પાસે ૧૬ અને અન્ય પક્ષ પાસે ૨૧ બેઠકો છે.
પુડુચેરીમાં એ.આઈ.એન. આર.સી. પાસે ૧૦, ડીએમકે પાસે ૬, ભાજપ પાસે ૬ અને અન્ય પક્ષ પાસે ૮ બેઠક છે.
અહીની ચૂંટણી મોટાભાગે સ્થાનિક મુદ્દાઓ ઉપર જ લડાય છે. ભાષા બંધનને કારણે પણ આ ત્રણ રાજ્ય સામાન્ય પ્રવાહથી અલિપ્ત રહે છે. સંસ્કૃતિ ભાતીગળ છે, ઉદ્યોગ અલ્પ અવસ્થામાં છે. કેરળ સંપૂર્ણ રીતે પ્રવાસન ઉપર નિર્ભર છે. આસામનું રાજકારણ પ્રવાહી છે.
કેરલમ
હમણાં દેશમાં નામ બદલવાનો રાજકીય પવન ફૂંકાયો છે. કેરળનું નામ બદલીને તેને 'કેરલમ' કરવામાં આવ્યું છે. અહીં વિધાનસભાના ૧૪૦ સભ્યને ચૂંટવા માટે ૯ એપ્રિલ ૨૦૨૬ ના વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. અને પરિણામો ૪ મે ૨૦૨૬ ના જાહેર કરવામાં આવશે. વિધાનસભાનો કાર્યકાળ ૨૩ મે ૨૦૨૬ ના સમાપ્ત થશે. અગાઉની વિધાનસભા ચૂંટણીઓ એપ્રિલ ૨૦૨૧માં યોજાઈ હતી. ચૂંટણી પછી, વર્તમાન ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી)ના નેતૃત્વ હેઠળના ડાબેરી ડેમોક્રેટિક ફ્રન્ટે વિધાનસભાની ૧૪૦ માંથી ૯૯ બેઠક જીતીને ફરીથી રાજ્ય સરકારની રચના કરી, જેમાં પિનરાયી વિજયન મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. કેરલમમાં વિધાનસભા ચૂંટણીમાં ૨૬,૯૫૩,૬૪૪ મતદારો મતદાન કરવા માટે લાયક હતા. જેમાં ૧૩,૧૨૬,૦૪૮ પુરૂષ, ૧૩,૮૨૭,૩૧૯ મહિલાનો સમાવેશ થતો હતો. વર્તમાન ચૂંટણીમાં ૨.૭૦ કરોડ મતદારો નોંધાયા છે, જેમાં ૪.૨૪ લાખ યુવા મતદારો પ્રથમવાર મતદાન કરશે.
કુદરતી સૌંદર્ય સભર ઠંડા રાજ્યના રાજકીય વાતાવરણમાં રાજકીય ઉકળાટ છે કારણ કે શાસક ડાબેરી ડેમોક્રેટિક ફ્રન્ટ (એલડીએફ) સતત ત્રીજી વખત સત્તામાં રહેવા માટે પ્રયાસ કરે છે. કોંગ્રેસના નેતૃત્વ હેઠળ અને એક દાયકાથી સત્તાથી બહાર રહેલા યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (યુડીએફ) ૨૦૨૫ ની સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં મજબૂત પ્રદર્શનથી ઉત્સાહિત છે. ભારતીય જનતા પાર્ટી ના નેતૃત્વ હેઠળ રાષ્ટ્રીય લોકશાહી જોડાણ (એનડીએ) તેના પગપેસારાને મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહૃાું છે. મુસ્લિમ મતોનું બાહુલ્ય ભાજપને નડી રહૃાું છે.
ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપરના ફોજદારી કેસોની સંખ્યા વધી રહી છે તે તમામ પક્ષોને નડે છે. ૨૦૦૬માં ૬૯ ચૂંટાયેલા પ્રતિનિધિઓએ તેમની સામે નોંધાયેલા ફોજદારી કેસોની વિગતો જાહેર કરી હતી, જેમાંથી ૨૦૨૧માં આવા કેસોનો સામનો કરી રહેલા ધારાસભ્યોની કુલ સંખ્યા ૯૨ થઈ ગઈ હતી. કેરળ વિધાનસભામાં ધારાસભ્યો સાથે સંકળાયેલા ફોજદારી કેસોની સંખ્યામાં છેલ્લા બે દાયકામાં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે.
ભાજપના નવા પક્ષ પ્રમુખ નીતિન નબીન માટે પ્રમુખ તરીકે આ પ્રથમ કસોટી કહી શકાય. જો કે, તેનો કોઈ વ્યક્તિગત પ્રભાવ ન હોવાને કારણે ચૂંટણી નરેન્દ્ર મોદીની પ્રતિભા ઉપર લડાશે.
કેરળમાં રોજગારી અને આવકનું મુખ્ય સાધન પ્રવાસન જ છે. લોકો પણ ઠડાં દિમાગના અને નિષ્ઠાવાન છે. કેરળમાં સાક્ષરતા દર દેશમાં સૌથી વધુ છે પરંતુ તે હવે ત્રીજા ક્રમે ગબડી ગયું છે. ખેતી રોજગારનું મુખ્ય સાધન છે. અહીંના લોકો ગુજરાત કે મહારાષ્ટ્ર જેટલા પ્રગતિશીલ કે મોર્ડન નથી. દક્ષિણના ફિલ્મ ઉદ્યોગમાં કેરળનું મહત્ત્વનું યોગદાન છે.
વર્તમાન ચૂંટણીમાં ડાબેરી લોકશાહી પક્ષ (એલડીએફ), યુનાઈટેડ ડેમોક્રેટિક પાર્ટી અને ભાજપના ગઠબંધન વાળો એનડીએ તમામ ૧૪૦ બેઠકો ઉપર ચૂંટણી લડે છે. જેમાં કોંગ્રેસ ૯૨ બેઠકો જ્યારે ભાજપ ૯૮ બેઠકો ઉપર જંગ લડી રહૃાું છે.
કેરળની ચૂંટણીમાં ભાજપ માટે કપરાં ચઢાણ છે, જ્યારે કોંગ્રેસ મુખ્યમંત્રી પદ માંગી શકે તેટલી બેઠકો જીતે છે કે કેમ તેના ઉપર આખા દેશની નજર છે.
આસામ
વિધાનસભાની ૧૨૬ બેઠકો માટે અહીં ચૂંટણી જંગ ચરમસીમા ઉપર છે. હાલમાં ભાજપ પાસે ૬૦ અને કોંગ્રેસ પાસે ૨૧ બેઠક છે. એનડીએ પાસે બહુમત કરતા ૧૧ બેઠકો વધુ છે અને ભાજપના હેમંત બિસ્વા સરમાની મુખ્યમંત્રી છે.
આસામમાં વિધાનસભા ચૂંટણીમાં ૨,૪૯,૫૮,૧૩૯ મતદારો છે, જેમાં ૧,૨૪,૮૨,૨૧૩ પુરૂષ, ૧,૨૪,૭૫,૫૮૩ મહિલા છે. કોંગ્રેસે ગત ચૂંટણીમાં કરેલું જોડાણ અહીં હવે અસ્તિત્વમાં નથી. જો ભાજપ અહી જીતશે તો તેની વિજયની હેટ્રીક થશે. કેન્દ્રના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે અહીં ૯૦ બેઠક જીતવાનો આશાવાદ વ્યક્ત કર્યો છે.
એનડીએ આસામની તમામ ૧૨૬ બેઠક પર ચૂંટણી લડી રહૃાું છે. ભાજપે ૯૦ બેઠક પર, આસોમ ગણ પરિષદ (એએસપી)એ ૨૬ બેઠક પર અને બોડોલેન્ડ પીપલ્સ ફ્રન્ટે ૧૧ બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે. સિબસાગર બેઠક પર ભાજપ અને એજીપી વચ્ચે મૈત્રીપૂર્ણ મુકાબલો થશે.
આસામમાં ઘણાં સામાજિક પરિવર્તનો આવ્યા છે. આર્થિક ફેરફારો થયા છે. ઉગ્રવાદી જૂથો સાથે શાંતિ કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આજે, રાજ્યમાં કોઈ બળવાખોરી કે ઉગ્રવાદ નથી, અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંતોષકારક છે તેવો ભાજપ સતત દાવો કરી રહૃાું છે.
મુખ્યમંત્રી શર્માએ રાજ્યમાં સમાન નાગરિક સંહિતા અને બે લાખ નોકરીઓનું વચન આપ્યું છે.
ભાજપ કહે છે કે, અમે છઠ્ઠી અનુસૂચિ, અનુસૂચિત એસટી વિસ્તારોને બાદ કરતાં સમગ્ર આસામમાં યુસીસી લાગુ કરીશું. અમે લવ જેહાદ સામે કડક પગલાં લઈશું. આસામને વિકસિત રાજ્ય બનાવવાનો પ્રયાસ કરીશું. પહેલા બે વર્ષમાં, અમે ૧૮,૦૦૦ કરોડ ખર્ચ કરીશું. આગામી ૫ વર્ષમાં બે લાખ નોકરીઓ પૂરી પાડીશું. એક જિલ્લો, એક મેડિકલ કોલેજ, એક યુનિવર્સિટી, એક એન્જિનિયરિંગ કોલેજ બનાવવા માંગીએ છીએ,.
કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ રવિવારે આગામી આસામ વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીનો ઢંઢેરો બહાર પાડ્યો, જેમાં મહિલાઓ માટે રોકડ સહાય, આરોગ્ય વીમો અને જમીન અધિકારો સહિત પાંચ ગેરંટીઓનો ઉલ્લેખ કર્યો છે. ઉત્તર લખીમપુર જિલ્લાના નાઓબોઇચામાં એક રેલીને સંબોધતા તેમણે કહૃાું કે, જો પાર્ટી સત્તામાં આવશે તો મહિલાઓને બિનશરતી માસિક રોકડ ટ્રાન્સફર અને વ્યવસાય શરૂ કરવા માટે ૫૦ હજારનું પ્રોત્સાહન મળશે. ''અમે રોકડ ટ્રાન્સફરને બિનશરતી કહી રહૃાા છીએ કારણ કે ભાજપ હવે મહિલાઓને જે પૈસા આપી રહૃાું છે તે શરતી છે. લાભાર્થી બનવા માટે, વ્યક્તિએ ભાજપનો સભ્ય બનવું પડશે, પરંતુ અમે આવા નિયંત્રણો લાદીશું નહીં અને દરેકને રોકડ લાભ આપવામાં આવશે.''
પુડુચેરી
દક્ષિણ ભારતમાં એક મનોહર કેન્દ્રશાસિત પ્રદેશ, પુડુચેરી (અગાઉ પોંડિચેરી) તેના વસાહતી સ્થાપત્ય, શાંત દરિયાકિનારા અને અનન્ય ફ્રાન્કો-તમિલ સંસ્કૃતિ માટે ''પૂર્વના ફ્રેન્ચ રિવેરા'' તરીકે ઓળખાય છે. ૧૯૫૪ સુધી અગાઉ ફ્રેન્ચ વસાહત હતું, તે ઓરોવિલ, શ્રી અરબિંદો આશ્રમ, પ્રોમેનેડ બીચ અને તમિલ-ફ્રેન્ચ ભોજન માટે પ્રખ્યાત છે. કેન્દ્ર શાસિત હોવા છતાં અહીં વિધાનસભા અને ધારાસભ્યો છે. પુડુચેરી ભૌગોલિક રીતે તમિલનાડુનો જ ભાગ છે અને સામાજિક અને આર્થિક રીતે તેની સાથે જોડાયેલ છે.
આ રાજ્યનો રાષ્ટ્રીય રાજકારણ ઉપર બહુ પ્રભાવ ન હોવાથી ત્યાંની ખાસ નોંધ લેવામાં આવતી નથી. એક સંસ્કારી નગરી તરીકે માન મળે છે. અહી માત્ર ૯.૪૪ લાખ મતદારો જ છે, જેમાં ૨૩ હજાર પ્રથમ વખત મતદાન અધિકાર ભોગવશે. અહીં લોકસભાની એક બેઠક છે જે કોંગ્રેસ પાસે છે.
સારાંશ
આ ત્રણ વિધાનસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધી પાસે આબરૂ બચાવવાનો અવસર છે. કેરળ અને પુડુચેરીમાં સારો દેખાવ કરે તો કેરિયરનો ગ્રાફ ક્ષુલ્લક રીતે વધી શકે તેમ છે. આસામમાં બહુ મોટી અપેક્ષા રાખી શકે તેવી હાલત નથી. ભાજપ કેરલમમાં સારો દેખાવ કરવા માટે કમરકસી દોડી રહૃાું છે. તેના માટે તો જે મળે તે નફો જ છે.
ગુજરાતમાં પણ ચૂંટણીનું બ્યૂગલ વાગી ચૂક્યું છે. ૧૮૨ વિધાનસભા બેઠકમાંથી ૧૮૦ બેઠક ઉપર આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અસરકર્તા રહેશે. ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને મતદારો.. એમ ચારેયને લોકશાહી પર્વની હાર્દિક શુભેચ્છા.
ભારતમાં કહેવાય છે કે, ભગવાન અને મતદારોને કળી શકતા નથી. ક્યારે શું કરશે નક્કી નથી હોતું.
જે હોય તે, લોકશાહી જીતશે તે નક્કી છે!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
મહિલાની 'કન્સેન્ટ'ના મુદ્દાને ઉજાગર કરતી વેબ શ્રેણી 'ચિરૈયા' દર્શકોને જકડી રાખે છે
દ્રૌપદીના વસ્ત્રાહરણ માટે વડીલો, પાંડવો, કૌરવો અને આખી ધૂત સભા જવાબદાર હતી. સાથે સાથે દ્રૌપદી પોતે પણ જવાબદાર હતી.
કેમ?
આ બહુ ગહન સવાલનો જવાબ હોટ સ્ટાર ઓટીટી એપ ઉપર પ્રસારિત થયેલી વેબ સીરિઝ 'ચિરૈયા' માં મળે છે. શયન કક્ષમાં સૈયા સુખ માટે સ્ત્રીની મંજૂરી જરૂરી છે? આ શ્રેણીમાં બહુ સરસ રીતે 'કન્સેન્ટ' શબ્દ વાપરવામાં આવ્યો છે. નવા યુગના નવા વિચારો ધરાવતી મોડર્ન કન્યા જ્યારે રૂઢિચુસ્ત પરિવારમાં લગ્ન કરી આવે છે ત્યારે વિચાર ભેદને કારણે પીડાય છે. ત્રણ પુત્રમાંથી બે પરણિત છે અને નાના પુત્ર માટે કન્યાની શોધ શરૂ કરવામાં આવે છે. આ શ્રેણીના મુખ્ય પાત્ર એવી મોટા દીકરાની વહુ કમલેશ પરિવાર ઉપર આધિપત્ય ધરાવે છે. તે કહે છે કે, જે છોકરી કડકડાટ ગીતાના પાઠ બોલી શકશે તેને હું મારા દેર અરૂણ માટે પસંદ કરીશ. અરૂણ માટે પૂજા (મુખ્ય પાત્ર)ના માગા આવે છે. મોર્ડન પૂજા લો કટ બ્લાઉસ પહેરી અંગ્રેજી ગીત લલકારે છે ત્યારે કમલેશને તે નથી ગમતું. પરિવારના બધા સભ્યો વહુ કમલેશને સમજાવી સગાઈ માટે રાજી કરે છે. રિંગ સેરેમની પણ થઈ જાય છે. થોડા દિવસો પછી કમલેશ રિક્ષામાં જતી હોય ત્યારે, આગળ સૂત્રોચ્ચાર થતો જોઈ ટોળામાં પ્રવેશે છે ત્યારે ખબર પડે છે કે તેમાં નવી વહુ પૂજા પણ સામેલ હોય છે. કમલેશ પૂજાને પૂછે છે કે, આ દેખાવો શા માટે છે? ત્યારે પૂજા કહે છે કે, અમે એલ.જી.ટી. આંદોલન ચલાવીએ છીએ અને તેના સમર્થનમાં તેને સમાજમાં ન્યાય મળે તે માટે કાર્ય કરીએ છીએ. કમલેશ નિર્દોષ ભાવે એલ.જી.ટી. નો મતલબ પૂછે છે. પૂજા કહે, 'લેસ્બિયન, ગે અને ટ્રાન્સજેન્ડર'. રૂઢિચુસ્ત કમલેશને બહુ આઘાત લાગે છે.
કમલેશના દિયર અરૂણ અને મોર્ડન પૂજાના લગ્ન સંપન્ન થાય છે. પ્રથમ રાત્રે અરૂણ પૂજાની ઈચ્છા વિરૂદ્ધ શરીર સંબંધ બાંધે છે તેથી સંબંધો વણસે છે. પૂજા લગ્નના બીજા દિવસે જ પિયર જતી હોય ત્યારે મોટી વહુ કમલેશ રડતી પૂજાને કારણ પૂછે છે. પૂજા રડતાં રડતાં કહે છે કે, અરૂણે મારી ઉપર રેપ કર્યો! કમલેશ સમજાવી કહે છે કે, પતિ રેપ ન કરે, તેનો અધિકાર છે. ત્યારે પૂજા કહે છે કે, 'કન્સેન્ટ (મંજૂરી, સહમતી) વગરનો સેક્સ બળાત્કાર જ કહેવાય!
વેબ સીરિઝ 'ચિરૈયા'માં સ્ત્રીની કન્સેન્ટનો મુદ્દો બહુ સરસ રીતે ઉઠાવવામાં આવ્યો છે. પસંદ ન હોય તેવી પ્રવૃત્તિ સામે સ્ત્રીએ વિરોધ કરવો જોઈએ. સ્ત્રીને પણ 'ના' કહેવાનો અધિકાર છે. દ્રૌપદીએ વસ્ત્રાહરણ સમયે યોગ્ય માત્રામાં અવાજ ઉઠાવી વિરોધ કરવો જોઈએ, સ્ત્રી જો સબળા બનશે તો જ ન્યાય મળશે.
'ચિરૈયા'માં અરૂણ, પૂજા અને કમલેશનો અભિનય આવકાર્ય છે. ઓછું ભણેલી કમલેશ વારંવાર કહે છે કે, તે હંમેશાં સત્યનો સાથ આપે છે. નવી વહુ પ્રથમવાર જ્યારે 'રેપ' શબ્દ બોલે છે ત્યારે ગુસ્સામાં થપ્પડ મારી દે છે. પરંતુ જ્યારે તેને 'કન્સેન્ટ' શબ્દનો અર્થ અને મર્મ સમજાય છે ત્યારે અરૂણનો વિરોધ કરી પૂજાનો સાથ આપે છે.
આ વાર્તામાં અરૂણ અને પૂજા બન્નેનો વાંક છે. બંનેના સ્વભાવને કારણે આખો પરિવાર સંતાપ ભોગવે છે. જો કે, સંતાપનું કારણ પણ આખો પરિવાર પણ હોય છે. આ શ્રેણીમાં એક ડાયલોગ બહુ માર્મિક રીતે કહેવાયો છે કે, 'ઉંબરા અંદરના યુદ્ધ માટે બધા જવાબદાર હોય છે'.
સામાજિક સંદેશ આપતી જીઓ હોટસ્ટાર ઉપરની આ વેબ 'ચિરૈયા' એટલે કે, ચીડિયાં' ખાસ જોવી. જાણવા અને શીખવા મળશે. ૬ એપિસોડની સામાજિક શ્રેણી, ચિરૈયા (૨૦૨૬)માં દિવ્યા દત્તા કમલેશ તરીકે અને સંજય મિશ્રા મુખ્ય ભૂમિકામાં છે, જે વૈવાહિક બળાત્કાર અને પિતૃસત્તાના વિષયોનું અન્વેષણ કરે છે. શશાંત શાહ દ્વારા દિગ્દર્શિત, કલાકારોમાં પ્રસન્ના બિષ્ટ (પૂજા), સિદ્ધાર્થ શો (અરૂણ), ફૈઝલ રશીદ, તિનુ આનંદ અને સરિતા જોશી પણ છે. અમુક સંવાદો બહુ માર્મિક રીતે લખાયા છે.
રૂપર્ટ મરડોક
દુનિયા તેને મીડિયા મોગલ તરીકે પણ ઓળખે છે. સમાચારની દુનિયાના તે બેતાજ બાદશાહ હતા. અત્યારે દારૂના બે-ચાર ચપટા પણ પકડાય તો 'બ્રેકિંગ ન્યૂઝ' બને છે. આ 'બ્રેકિંગ ન્યૂઝ'ના જન્મ દાતા ઓસ્ટ્રેલિયન રૂપર્ટ મરડોક હતા. ૯૦ ના દશકામાં સમાચારો બહુ શુષ્ક અને નિજીર્વ રીતે પ્રસારિત થતા. રૂપર્ટે જ્યારે પ્રથમવાર અમેરિકન સમાચાર ચેનલ 'ફોક્સ ન્યૂઝ'નો વહીવટ સંભાળ્યો ત્યારે 'શુષ્ક સમાચારો'થી કંટાળી જતા હતા. ઘણાં ચોંકાવનારા સમાચારો ૮-૧૦ કલાક પછી સામાન્ય સમાચારો સાથે પ્રસારીત થતા જોયા. તેમણે આવા 'મોટા સમાચારો'ને બ્રેકિંગ ન્યૂઝ તરીકે ચમકાવવા શરૂ કર્યા અને ફોક્સ ન્યૂઝનો દર્શક વર્ગ વધવા લાગ્યો.
રૂપર્ટની જીવનકથા કહેતી ચાર એપિસોડની વેબ શ્રેણી નેટફલીક્ષ ઉપર પ્રસારિત થાય છે. એક સમયે અમેરિકામાં ત્રણ પરિવાર જ સેલિબ્રિટીનું સ્ટેટસ ધરાવતા હતા. ફોર્ડ (મોટર કાર), વોલ્ટન (વોલમાર્ટ) અને ત્રીજા તે મરડોક પરિવાર! અમેરિકાના રાજકારણ અને અર્થ વ્યવસ્થા ઉપર આ ત્રણ પરિવારોનો મોટો પ્રભાવ હતો.
૧૯૭૨ માં મરડોક ઓસ્ટ્રેલિયા છોડી અમેરિકા આવ્યા ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ તેના સારા મિત્ર બની ગયા, બન્નેનો આર્થિક અને રાજકીય સલાહકાર પણ એક જ વ્યક્તિ હતો.
'ડાયનેસ્ટીઃ ધ મર્ડોક્સ' એ ચાર ભાગની દસ્તાવેજી શ્રેણી રૂપર્ટ મર્ડોકના મીડિયા સામ્રાજ્યની વાત કરે છે, જેના નિયંત્રણ માટે તેમના બાળકો વચ્ચે તીવ્ર ખેચતાણ છે. રૂપર્ટને ચાર સંતાન હોય છે તેમાં પ્રુડેન્સ, એલિઝાબેથ, લાચલાન અને જેમ્સનો સમાવેશ થાય છે.
રૂપર્ટના મોટા પુત્ર લાચલાનને ફોક્સ ટીવીના સંચાલનમાં વાંધો પડ્યો તેથી તે અમેરિકા છોડી હોંગકોંગ આવી ગયા અને ત્યાં પોતાનું નવું 'સ્ટાર નેટવર્ક' શરૂ કર્યું. તેનો મુખ્ય ઉદ્દેશ પિતાના સમાચાર સામ્રાજ્યને ટક્કર આપવાનો હતો. તેમણે જોયું કે એશિયામાં ભારતમાં બહુ મોટી તક છે. પરંતુ ભારતમાં સમાચાર માટે એક માત્ર દૂરદર્શનને જ સરકરી મંજૂરી હતી. ભારત સરકારને કોઈ વિદેશી સમાચાર ક્ષેત્રમાં પ્રવેશ કરે તે મંજૂર ન હતું. લાચલાન પણ પિતાની જેમ જક્કી સ્વભાવના હતા. લાચલાનની તત્પરતા જોઈ ભારત સરકારે પ્રથમ સુભાષચંદ્રને ખાનગી મનોરંજન લાઇસન્સ આપી દીધું. તેમણે ભારતની પ્રથમ ખાનગી ટીવી ચેનલ 'ઝી' શરૂ કરી. ત્યારબાદ લાચલાન મુરડોકે ભારતમાં મનોરંજન ક્રાંતિ લાવનાર 'સ્ટાર પ્લસ' શરૂ કર્યું. અમેરિકામાં બાહુબલી ગણાતા રૂપર્ટ મરડોકના 'ન્યૂઝ કોર્પોરેશન' ના દબાણમાં ભારત સરકારે પણ સ્ટાર ચેનલને સાંજના સમયે હિન્દી અને અંગ્રેજી સમાચાર પ્રસારિત કરવાની છૂટ આપી. આમ ભારતમાં ખાનગી સમાચારની શરૂઆત કરવાનું શ્રેય રૂપર્ટ મરડોક પરિવારને જાય છે. ત્યારબાદ લાચલાને 'સ્ટાર ન્યૂઝ' (૧૯૯૮) નામથી સતત ૨૪ કલાક સમાચાર પ્રસારિત કરતી સમાચાર ચેનલ પણ શરૂ કરી હતી. કાળક્રમે ભારત સરકારે વિદેશી લોકોને સમાચાર ચેનલ ચલવવા ઉપર પ્રતિબંધ મૂકી દીધો તેથી સ્ટાર ન્યૂઝ હવે 'એબીપી ન્યૂઝ'ના નામે આનંદ બઝાર પત્રિકા ગ્રુપ ચલાવે છે.
રૂપર્ટે ચાર વયસ્ક સંતાનો હોવા છતાં ચાઇનીઝ મહિલા સાથે બીજા લગ્ન કર્યા. આ મહિલા રૂપર્ટની ચાઇનીઝ સમાચાર ચેનલમાં બહુ નાના હોદ્દા ઉપર કામ કરતી હતી. તેને બે પુત્રી પણ જન્મી.
રૂપર્ટ મર્ડોક (૯૫) એક ઓસ્ટ્રેલિયન અને અમેરિકન પૂર્વ બિઝનેસ મેગ્નેટ, રોકાણકાર અને મીડિયા મોગલ છે. તેમની કંપની ન્યૂઝ કોર્પ દ્વારા, તેઓ બ્રિટનમાં (ધ સન અને ધ ટાઇમ્સ), ઓસ્ટ્રેલિયા (ધ ડેઇલી ટેલિગ્રાફ, હેરાલ્ડ સન અને ધ ઓસ્ટ્રેલિયન), અમેરિકામાં (ધ વોલ સ્ટ્રીટ જર્નલ અને ન્યૂ યોર્ક પોસ્ટ), પુસ્તક પ્રકાશક હાર્પરકોલિન્સ અને ટેલિવિઝન પ્રસારણ ચેનલો સ્કાય ન્યૂઝ, ઓસ્ટ્રેલિયા અને ફોક્સ ન્યૂઝ (ફોક્સ કોર્પોરેશન દ્વારા) સહિત વિશ્વભરમાં સેંકડો સ્થાનિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રકાશન આઉટલેટ્સના માલિક છે. તેઓ સ્કાય (૨૦૧૮ સુધી), ૨૧મી સદી ફોક્સ (૨૦૧૯ સુધી) અને હવે બંધ થઈ ગયેલા ન્યૂઝ ઓફ ધ વર્લ્ડના પણ માલિક હતા. ૨ માર્ચ ૨૦૨૨ સુધીમાં ૨૧.૭ બિલિયન યુએસ ડોલરની કુલ સંપત્તિ સાથે, ફોર્બ્સ મેગેઝિન અનુસાર, મર્ડોક યુનાઇટેડ સ્ટેટ્સમાં ૩૧મા સૌથી ધનિક વ્યક્તિ અને વિશ્વના ૭૧મા સૌથી ધનિક વ્યક્તિ છે. તેમની વ્યાપક સંપત્તિ અને મીડિયા અને રાજકારણ પરના પ્રભાવને કારણે, મર્ડોકને એક અલીગાર્ક તરીકે વર્ણવવામાં આવ્યા છે.
નેટફલીક્ષ ઉપર આ અબજોપતિ પત્રકારની જીવન ગાથા જોવા લાયક છે.
મનોરંજન
નાના પડદા ઉપરની બે મોટી ઘટનાઓની પણ નોંધ લઈએ. ગુજરાતી મનોરંજન ચેનલ 'કલર્સ, ગુજરાતી' ઉપર 'ધ રસોઈ શો' એ તાજેતરમાં ૭ હજાર એપિસોડસ પૂરા કર્યા. ગુજરાતી શો માટે આ બહુ મોટી સફળતા કહેવાય. સમગ્ર એશિયામાં સૌથી લાંબો સમય ચાલતો વેજીટેરિયન કૂકિંગ શો છે. દરરોજ બપોરે ૨ થી ૩ વાગ્યા સુધી પ્રસારિત થાય છે. મોટા મોટા સેલિબ્રિટી અભિનેતાઓના શો પણ આંકડા સુધી પંહોચી શક્યા નથી.
આવતીકાલથી દુનિયાની બીજા ક્રમની સૌથી મોટી રમત સ્પર્ધા આઈ.પી.એલ. શરૂ થાય છે. પ્રથમ નંબરે અમેરિકાની ફૂટબોલ સ્પર્ધા એન.બી.એલ. છે. આઈ.પી.એલ. દુનિયામાં સૌથી વધુ જોવાતી સ્પર્ધા છે. લગભગ ૫૦ થી ૬૦ કરોડ દર્શકો તેને ટીવી અથવા મોબાઈલમાં જુવે છે. આઈપીએલની ટીઆરપી સૌથી ઊંચી રહે છે. તેના પ્રસારણ કરતા સ્ટાર નેટવર્ક અને જીઓ તેની કુલ કમાણીના ૫૦ ટકા રકમ આ સ્પર્ધમાંથી મેળવે છે.
આઈ.પી.એલ.ના સમય દરમિયાન મોટી બિગ બજેટ ફિલ્મો પણ રજૂ થતી નથી.
ઓટીટી ઉપર બોર્ડર-૨, લાલો-કૃષ્ણ સદા સહાયતે, પીકી બાઈન્ડર્સ-૪, તસ્કરી પણ જોઈ શકશો.
ઉનાળાના વેકેશનમાં ઘેર બેઠાં મનોરંજનના મહાસાગરમાં ડૂબકી લગાવો.
'નોબત'ના વાચકો અને ચાહકોને મનોરંજન મુબારક.
પરેશ છાંયા
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન ૬ મહિનાથી યુદ્ધની તૈયારી કરતા હતા!
ઈરાન સામે યુદ્ધ લડવા માટે અમેરિકા અને ઈઝરાયલ એ લગભગ ૬ મહિના સુધી ઘનિષ્ઠ તૈયારીઓ કરી. ભૂમધ્ય સાગરમાં જંગી જહાજો ખડક્યા, ઈરાનની ઘેરબંધી કરવા માટે આસપાસના દેશોમાં સેનાની જંગી જમાવટ કરી. અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન યુદ્ધના આમ તો એક વર્ષથી નગારા વાગી રહૃાા હતા. ભારત જેવા મહાસત્તા થવા થનગનતા દેશે આ યુદ્ધની તૈયારીને કેમ ગંભીરતાથી લીધી નહીં? ઈરાન અને તેની હોર્મુઝ જળ ખાંચો ક્રૂડ અને ગેસના પરિવહન માટે બહુ મહત્ત્વનું સ્થાન છે. ઈરાન યુદ્ધ થાય તો આપણને શું અસરો થાય તેનો અભ્યાસ કર્યો નથી. આપણું વિદેશ વિભાગ લગભગ અંધારામાં રહૃાું હોય તેમ ગેસની અછત ઉપરથી લાગી રહૃાું છે. હવે સરકાર અંધારામાં ગોળીબાર કરી બચવાના ફાંફાં મારે છે.
નબળા માણસને નાનામાં નાના રોગો વળગે. રોગ પ્રતિકારક હોય તેવી તંદુરસ્તી હોવી જોઈએ. વર્તમાન ઈરાન યુદ્ધમાં આપણને 'ગેસ ટ્રબલ' થઈ ગઈ. હજારો કિલોમીટર દૂર લડાતું યુદ્ધ આપણાં રસોડામાં બહુ જલદી અને ગંભીર રીતે ઘૂસી ગયું. વ્યક્તિને જેમ ઓક્સિજન જીવિત રાખે છે તેમ પેટ્રોલ, ડીઝલ, રાંધણ અને વાહન ગેસ સમાજ અને દેશને ધમધમતો અને દોડતો રાખે છે. ઈરાન યુદ્ધને કારણે બાટલા તકલીફ ઊભી થઈ તે ઘટનાને હવે આપણે બહુ ગંભીરતાથી લેવી જોઈએ.
ઈરાન યુદ્ધથી એક મોટી શીખ લેવી જોઈએ. અમેરિકાએ પચાસ વર્ષમાં વસ્તી અને વાહન વધારો થવા છતાં નવી ઓઇલ રિફાઈનરી નાખી નથી. તો પણ આજે ત્યાં રાંધણ ગેસની સમસ્યા ઊભી થયાના અહેવાલો નથી! હા, ગેસોલીનના ભાવ જે બે ડોલર હતા તે વધીને પોણા ચાર ડોલર થઈ ગયા છે. જી-૨૦ જૂથના ૧૬ દેશોમાં ઈંધણના ભાવો યુદ્ધને કારણે વધ્યા છે, જ્યારે ભારત સહિત ૪ દેશોમાં પેટ્રોલ ડિઝલના ભાવ જેમના તેમ છે. અમેરિકામાં તંગી નથી પડી ત્યારે એવું ધારી શકાય કે, ઈરાન સાથે યુદ્ધની તૈયારી સમયે કદાચ ત્યાં આ બાબતે પૂર્વ આયોજન થયું હોવું જોઈએ. અમેરિકા ઈંધણની મોટા ભાગની જરૂરિયાત આયાત દ્વારા પૂરી કરે છે ત્યારે તેને ઓઇલના મોટા ઉત્પાદકો એવા રશિયા, વેનેઝુએલા અને ઈરાન સાથે બારમો ચંદ્રમા છે. આમ છતાં ત્યાં સમસ્યા નથી થઈ તે મોટું આશ્ચર્ય છે. ભારત તો આમાં ક્યાંય પિક્ચરમાં નથી તોય, રાંધણ ગેસની સમસ્યા વકરી અને આ લેખ છપાશે ત્યારે શું હાલત હશે તે નક્કી નથી!
જામનગરમાં છેલ્લા થોડા સમયમાં દેશની બહુ મોટી સુરક્ષા એજન્સીઓ દ્વારા બે મોક ડ્રિલ કરવામાં આવી. ત્રાસવાદી હુમલા સમયે ઊભી થતી આપત્તિને નિવારવા માટે શું શું પગલાં લેવા જોઈએ અને લઈ શકાય તેનું ગહન મનોમંથન થયું. બહુ સારી વાત છે. વિશ્વમાં સર્જાતી ઘટનાઓ બાબતે પણ સમયાંતરે મોકડ્રીલ થવી જોઈએ.
વિચારો
હવે પગપાળા હુમલા કે ઘાતનો સમય ભૂલી જવો જોઈએ. નવી યુદ્ધ નીતિમાં હવાઈ હુમલા કે સાયબર હુમલા મહત્ત્વના મનાય છે. અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઇરાનના ટ્રાફિક કેમેરા હેક કરી સુપ્રીમ લીડર ઉપર મિસાઇલ મારો કરવામાં આવ્યો. ખેલ ખલ્લાસ!
ઉડતા હવાઈ જહાજ ઉપર સાયબર એટેક કરવામાં આવે અને આંધળું વિમાન ભર આકાશેથી ભોંય ભેગું થઈ જાય. અસંખ્ય લોકો ભોગ બને. ખેલ ખલ્લાસ!
ઓઇલ રિફાઇનરીઓ ઉપર સાયબર એટેક કરવામાં આવે અને ઓપરેશન ઠપ્પ કરી દેવામાં આવે તો ખેલ ખલ્લાસ!
દેશને ઈંધણ પૂરા પાડતા મહત્ત્વના સ્થળો ઉપર ડ્રોન હુમલાઓ કરવામાં આવે અને દેશ ગુંગળાઈ મરે તેવા અતિ આધુનિક યુદ્ધના દિવસો દૂર નથી.
મોકડ્રીલ તો દુર્ઘટના આસપાસના સ્થળોને અસર કરે છે. પરંતુ આખા દેશમાં થનાર અસરો માટે શું આપણે વિચાર્યું છે ખરૃં?
યુક્રેન અને ઈરાન યુદ્ધ દ્વારા એ પ્રસ્થાપિત થઈ ગયું કે, હવે જમીની યુદ્ધ કે પાયદળ યુદ્ધના જમાના ગયા. હવે આકાશી આફતોની જ તૈયારી કરવી પડે. ભારતના સરક્ષણ સંશોધન સંસ્થા અને ઇસરો હવાઈ આક્રમણ બાબતે ઊંડા સંશોધન કરી રહૃાા છે. નવા યુદ્ધમાં તો રિફાઇનરી કે મોટા બંધો ઉપર હુમલા કરવાની જરૂર નથી રહી. આકાશમાં તરતા ઉપગ્રહોનો નાશ કરી અરાજકતા ફેલાવી શકાય છે. ઇન્ટરનેટ ઠપ્પ, એટલે જનજીવન ઠપ્પ!
આપણે ત્યાં સુધી વિચારવું નથી. આપણે તો યુદ્ધના સંજોગોમાં પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસની કટોકટી સર્જાય તો શું કરવું? તેની એન્જિયોગ્રાફી કરવી છે.
પુરવઠા વિભાગ
વર્તમાન સમયમાં રાંધણ ગેસની સાચી પરિસ્થિતિ શું છે તે ખબર નથી પડતી. સરકાર અને વહીવટી તંત્ર સબ સલામતના દાવા કરે છે અને ગેસ વિતરણ કેન્દ્રો ઉપર લાંબી કતારોના સમાચારો અને ફોટા જોવા મળે છે. ગુજરાતમાં રાંધણ ગેસ અને વાહન ઈંધણ માટે 'પુરવઠા વિભાગ' કામ કરે છે. નાગરિકોને શુદ્ધ, પૂરતું અને સમયસર ઈંધણ મળે તેની દેખરેખ રાખે છે. જિલ્લા કલેકટર તેના વડા અધિકારી છે અને તેના હાથ હેઠળ જિલ્લા પુરવઠા અધિકારી હોય છે.
જનસંખ્યા વધવા સાથે આ વિભાગ વધ્યો નથી તે હકીકત છે. ટાંચા સાધનો અને ઓછા સ્ટાફ સાથે તે કામ કરતો હોવાથી અસરકારકતા ઘટી છે.
વર્તમાન સંજોગોમાં રાંધણ ગેસ અછતને આપણે બહુ ગંભીરતાથી લેવી જોઈએ.
શું પુરવઠા વિભાગ પાસે આકસ્મિક કટોકટીને પંહોચી વળવા 'ડિઝાજસ્ટર પ્લાન' છે ખરો? ઈંધણ પુરવઠો ઓછો થાય ત્યારે શું કરવું? હવે રિફાઇનરીઓ, પોલીસ હેડક્વાર્ટર કે કલેકટર કચેરી સુધી મોકડ્રીલ સીમિત રાખવી યોગ્ય નથી. હથિયારોથી હુમલા થશે તેવું માનવું અયોગ્ય છે. હુમલા સમયે હોસ્પિટલમાં પથારીઓ કેમ પાથરવી તેના આયોજન સાથે 'તંગી નિવારણ આયોજન' કરવાનો સમય પાકી ગયો છે.
કેન્દ્ર અને રાજ્ય સરકારે ઈંધણ પુરવઠાની મોકડ્રીલ પણ હવે કરવી જોઈએ.
વર્તમાન સમસ્યા
એક તરફ મુખ્યમંત્રી સહિત ટોચના વહીવટી અધિકારીઓ વારંવાર કહે છે કે, રાંધણ ગેસની અછત નથી. પુરવઠો પૂરતો છે. બીજી તરફ લોકોની કાગારોળ મચી છે. અંગ્રેજીમાં અને 'પેનિક બાઈંગ' અને ગુજરાતીમાં સંગ્રહખોરી કહેવાય. રાંધણ ગેસની બીજી બાજુ પણ છે. આપણે ત્યાં ઘરેલુ બાટલાની કિંમત સસ્તી છે અને કોમર્શિયલ ગેસ સિલિન્ડર મોંઘા છે. એટલે અનેક ધંધાદારી એકમો યેનકેન પ્રકારે ઘરેલુ બાટલાથી ધંધો કરે છે, જેનો વપરાશ બહુ વધુ અને ઝડપી છે. ગુજરાતમાં સ્ટ્રીટ ફૂડનો ધંધો પણ બહુ મોટો છે. આ લારી ગલ્લાઓ મોટા ભાગે ધંધા માટે સસ્તો ઘરેલુ ગેસ વાપરે છે. જે સંપૂર્ણ ગેરકાયદે છે. પુરવઠા તંત્ર આ મહાકાય બજારને પંહોચી વળવા સક્ષમ નથી અથવા નિષ્ક્રિય છે.
હાલમાં ગેસ વિતરણ એજન્સીઓ ઉપર જે મોટી લાઈનો અને અવ્યવસ્થા જાણવા, જોવા મળે છે તેમાં મોટા ભાગના આવા ગેરકાયદે બાટલા વાપરતા લોકો છે. જેને મહિને ૩૦ થી ૪૫ બોટલોની જરૂર પડે છે. સોના, ચાંદી જેવા કામોમાં પણ ગેસની જરૂર પડે છે, તે પણ ઇકડમ તિકડમ કરી સસ્તા બાટલા વાપરે છે.
વિતરણ વ્યવસ્થા ઉપર આવા લોકોનું ભારણ તંગી સમયે વધી જાય તે સ્વાભાવિક છે. પરિણામે અંધાધૂંધી સર્જાય છે.
માનસિકતા
આપણી સામાન્ય દિવસોમાં પણ માનસિકતા બહુ નબળી રહે છે. ઈંધણ સોના કરતા પણ મોંઘી અને દુર્લભ ચીજ છે. આપણે પેટ્રોલ કે ડિઝલ બાળીને ભેળ ખાવા ધ્રોલ જઈએ. રાજ્કોટવાળા જમવા માટે ચોટીલા દોડે, દ્વારકાવાળા ખંભાળિયા ઉપડે! આપણે આવી ઉડાવ માનસિકતા હવે છોડવી પડશે. ધંધાના કામે સસ્તું ઘરેલુ સિલિન્ડર ન વાપરીએ. આફતના સમયે આપણે હવે તંદુરસ્ત માનસિકતા વિકસાવવી પડશે. બાળકને પરીક્ષા હોય ત્યારે આખું ઘર શિસ્તબદ્ધ બની જાય છે. તેમ અફતના સમયે પણ આવી માનસિકતા રાખવી જોઈએ. આપણો દેશપ્રેમ પણ ક્ષણિક અને ફટાકિયો હોય છે. ચીનનો બહિષ્કાર કેટલો ટક્યો તે આપણને ખબર છે. ઈરાન સાથે અમેરિકાએ સિંગડા ભરાવ્યા તેથી ક્રૂડ ઓઇલ પુરવઠો ઘટ્યો. ગેસ માટે લાંબી લાઈનો લાગવા લાગી. આવા સમયે પેનિક બાઈંગ ન થવું જોઈએ. ગેસનો વપરાશ ઘટાડવો જોઈએ. મોટી તકલીફ એ છે કે, મુશ્કેલીમાં અફરાતફરી સર્જાય છે. લાઈનો લાગે, કાળા બજાર થાય, અફવાઓ ફેલાય.
જે બાબતની આફત આવે તે બાબતે શાંતિ રાખવી, અફવાઓથી દૂર રહેવું, અન્યને મદદ કરવી, કરકસર કરવી, જરૂરીયાતો ઘટાડવી તે પ્રાથમિક ફરજ છે. આવી માનસિક તંદુરસ્તી બાબતે શાળા અને મહાશાળામાં બાળકોને જાગૃત કરવા જોઈએ. 'આફતમાં અનુશાસન' શિક્ષણનો એક ભાગ હોવો જોઈએ.
લાંબુ વિચારો
આપણને લાંબુ અને મહત્ત્વનું વિચારવાની આદત નથી. દુનિયાને હવે 'ગ્લોબલ વિલેજ' તરીકે ઓળખવામાં આવે છે ત્યારે નવી વિચારધારા શરૂ કરવી જોઈએ. આપણે પાકિસ્તાન અને અફઘનિસ્તાન યુદ્ધને ગંભીરતાથી લેતા નથી તે પણ ખોટું છે. ૧૫-૨૦ વર્ષમાં અમેરિકન દાદા પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, શ્રીલંકા ઉપર નજર બગાડે તો આપણી શું હાલત થાય? ચીન સામે બાથ ભીડવા માટે અમેરિકાને ભારતીય ઉપખંડમાં પગદંડો જમાવવો પડે તેમ છે. તેથી આ પાડોશી દેશોમાં ત્રાટકી શકે છે.
પેટ્રોલ, ડિઝલ અને ગેસ બાબતે આપણે બહુ અંધારામાં હોઈએ તેમ લાગે છે. અમેરિકાની ઘેરાબંધીથી ગુયાના નામનો દેશ હાલમાં ભિખારી બની ગયો છે. ત્યાં ત્રણ સપ્તાહથી અંધારપટ છે. ઈંધણના અભાવે અર્થવ્યવસ્થા ભાંગી પડી છે. દુનિયા ગુયાના અને તેના પાટનગર હવાના બાબતે સંપૂર્ણ અંધારામાં જ છે. ભારતે હવે વિદેશ અભ્યાસ વધુ સતર્ક અને ગહન કરવાની જરૂર છે.
ઇરાને હાલમાં તે યુદ્ધમાં દુશ્મનોને સમર્થન ન આપતા દેશોને ઈંધણ વહન કરવાની છૂટ આપી છે. જેમાં ભારતનો સમાવેશ થાય છે.
'નોબત'ના વાચકો અને ચાહકો આ સંકટમાં શાંતિ અને સ્વસ્થતા રાખે તેવી વિનંતી.
પરેશ છાંયા
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
વસંત અને પાનખરના ભેદને સમજતા અને પચવતા આવડે તો જીવન ધન્ય બને!
વર્લ્ડ વોર કરતાં વર્ડ વોર (શબ્દ યુદ્ધ) વધુ હિંસક, ખતરનાક, લોહિયાળ અને જીવલેણ નિવડે છે. વર્તમાન સમયમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો વાણી વિલાસ જગ વિખ્યાત બન્યો છે. માણસે પોતાની પ્રતિભા, હોદ્દો અને સંસ્કાર મુજબ વાણી, વર્તન અને વિચારોનો અમલ કરવો જોઈએ. બોલવું જેમ કલા છે તેમ સાંભળવું પણ એક કલા જ છે. મોરારિબાપુ કહે છે કે, વક્તા કરતા શ્રોતા મહાન છે. દાંત કરતા ઉદર મહાન છે. જે પચાવે છે તે કાયમ મહાન જ રહે છે. લેખિત શબ્દ કરતાં ઉચ્ચારાયેલ શબ્દ વધુ પડઘાય છે. બાળક ગણતરીના મહિનાઓમાં સમજણપૂર્વક બોલતા શીખી જાય છે, પરંતુ કદાચ એવું બને કે, વ્યક્તિ આખી જિંદગી નીકળી જાય તો પણ સમજણપૂર્વક સાંભળતા ન શીખ્યા હોય! વર્ગમાં વિદ્યાર્થીઓને સમાજ શાસ્ત્ર ભણાવતા શિક્ષકના ઘરમાં ગજગ્રાહ ચાલતો હોય તેવું બની શકે. બીજી તરફ આખી દુનિયામાં ઉચાટ અને યુદ્ધનો ઉન્માદ જગાવતા ડોનાલ્ડ ટ્રમ્પના જીવનમાં પ્રેમ, શાંતિ અને સમજણ હોય શકે છે. મગજના પ્રોસેસરમાં સિક્કાની બે બાજુ હોય શકે છે. પડદા ઉપર ત્રાસ ફેલાવતા શક્તિ કપૂર જેવા ફિલ્મી વિલનના ઘરમાં પદ્મિની જેવી સંસ્કારી પત્ની, શ્રદ્ધા જેવી સુશીલ પુત્રી હોય શકે છે. પરંતુ મુખ્ય શરત એ છે કે, પડદાની જિંદગી સ્ટેજ ઉપર છોડીને ઘરમાં પ્રવેશ કરવો પડે. ક્યાં સ્ટેજ છે અને ક્યાં ઘર છે તે ખબર પડે ત્યારે જીવન ધન્ય બને. ઘરમાં નાટક કરનાર ક્યારેય સારા પાત્ર બની નથી શકતા.
મહાભારત સંઘર્ષનો પ્રારંભ શબ્દ યુદ્ધથી જ થયો હતો. દુનિયાની પ્રાચીન અને અર્વાચીન તંગદિલીનો અભ્યાસ કરવામાં આવે તો જણાશે કે, શરૂઆત બોલચાલીથી જ થઈ હશે. ગુજરાતી ભાષામાં તેને 'માથાકૂટ' કહેવામાં આવે છે. કાન અને જીભનો સોફ્ટવેર નિયમિત અપડેટ્સ કરતાં રહેવું જોઈએ. શું બોલવું તેના કરતા શું ન બોલવું તેની જાણકારી મહત્ત્વની છે.
અપડેટ્સ
માણસ ગેજેટ્સને જેટલું મહત્ત્વ આપે છે તેટલું જીવનને મહત્ત્વ નથી આપતો. જીવનમાં પણ ડગલેને પગલે સોફ્ટવેરને અપડેટ્સ કરતા રહેવું જોઈએ. યુવાનીમાં પ્રવેશ થાય એટલે બાળપણને ત્યજી દેવું જોઈએ. પ્રોઢ થયા ત્યારે યુવાની ત્યજી દેવી. વૃદ્ધ થઈએ ત્યારે લવચીકતા અપનાવી લેવી જોઈએ. વસંત અને પાનખરનો ભેદ પરખતાં આવડે ત્યારે જીવન ધન્ય બને. વસંત અને પાનખરને પચાવતા આવડે ત્યારે જીવન સરળ બને. કરોડો લોકો અને લાખો સંજોગોને કારણે જીવનમાં હજારો વાઇરસો ત્રાટકતા રહે છે, તેને ખાળવા માટે આચરણ અને વિચારોના સોફ્ટવેરને અપડેટ્સ કરતા રહેવા જોઈએ. બિલગેટ્સ કે લેરી પેજના સોફ્ટવેરને તો આપણે અપડેટ્સ કરતા રહીએ છીએ, પરંતુ પ્રભુના સોફ્ટવેરને સુધારતા જ નથી!
એક સામાન્ય ક્લિકથી કે થોડી ક્ષણોમાં ગેજેટ્સના સોફ્ટવેરને અપડેટ કરી શકાય છે, પરંતુ મગજમાં લોડ થયેલા સોફ્ટવેરને કદાચ એવું બને કે દાયકાઓ સુધી અપડેટ્સ નથી કરી શકતા. વિચારોના નોટિફિકેશનને મ્યુટ કરવાને બદલે ઓન રાખવા જોઈએ.
જીવનના સોફ્ટવેરને અપડેટ્સ કરવામાં દુરાગ્રહ, પૂર્વગ્રહ, જડતા, અભિમાન, અજ્ઞાનતા અને લાગણીઓ અને શંકા નડે છે.
ધરતી ઉપરની જીવ શ્રૃસ્ટીમાં જીવ તો બધા જીવોમાં છે, પરંતુ લાગણી અને ચેતના માત્ર માણસમાં જ છે. પશુ પક્ષીઓ મોટા ભાગે જડ જેવુ જીવન જીવે છે. જ્યારે માણસ સુશિક્ષિત અને વિચારશીલ પ્રાણી છે. આટલો આધુનિક સોફ્ટવેર અને મોટી હાર્ડ ડ્રાઈવ આપી હોય અને આપણે તેનો યથાર્થ ઉપયોગ ન કરીએ તે આપણામાં અને પશુઓમાં શું ફરક?
આકલન
જીવનને સંજોગો અનુસાર ઢાળતા શીખો. ઉમર અનુસાર પાકટ બનો. વિચારોમાં પરિવર્તનશીલ બનો. ભૂલ થાય તો સુધારો. આપણા અને સામેની વ્યક્તિના દરેક વર્તનનું આકલન કરો. વડીલો, મહારથીઓ, ગુરૂ અને પરિવારના દરેક સભ્યોનું માન સન્માન જાળવો. સંજોગવસાત જ્યારે પણ ભૂલ થાય ત્યારે માફી માંગો. ભૂલનું પુનરાવર્તન ન થાય તેની કાળજી રાખો. રાત્રે સૂતા સમયે પાંચ મિનિટ માટે આખા દિવસના તમારા વર્તન બાબતે વિચરો. તેની અસરો બાબતે મનોમંથન કરો. સારી ઘટનાઓનું વધુ પ્રમાણમાં પુનરાવર્તન થાય તેવું કરો. નિરાશાજનક બાબતો ફરી બને નહીં તેવો અભિગમ અપનાવો.
વર્તન
મેલા કપડા જરૂર ધોવા જોઈએ, પરંતુ તેમાં પણ મર્યાદા રાખવી અને કેટલો બળ પ્રયોગ કરવો તેની જાણકારી હોવી જોઈએ. કપડાં ફાટી જાય તે હદ સુધી ધોવાં ન જોઈએ. કેટલાક ડાઘ ધીરે ધીરે અને લાંબા સમયે દૂર થાય છે. આપણું વર્તન પણ ધોબી જેવુ હોવું જોઈએ, વર્તનમાં પ્રમાણ ભાન બહુ મહત્ત્વનું છે. બહુબલી હો તો પણ શક્તિ પ્રયોગ વારંવાર થવો ન જોઈએ. નબળા લોકો ઉપર બળ પ્રયોગ ન કરવો, માફ કરી દેવું અથવા તેનાથી દૂર ખસી જવું. કલયુગમાં સ્વાર્થ અત્ર તત્ર સર્વત્ર છે. નાણું જ નાથાલાલ છે. તમારી આર્થિક પરિસ્થિતિને હાસ્યાસ્પદ બનવા ન દો. વધુ પડતા ધનથી તોછડાઈ આવે તેવું અનુભવે જણાયું છે. ધનને પચાવતા શીખો. દાન દક્ષિણા કરી પ્રસિદ્ધિ ન કરો. જો તમે ધનિકની વ્યાખ્યામાં આવતા હો તો રાત્રે સૂતા સમયે પાંચ મિનિટ મિલકત બાબતે વિચારો. ધન કાયમી નથી. સંબંધો આજીવન છે. જો કે, ધનિકો આવું બહુ વિચારતા નથી તે પણ વાસ્તવિકતા છે. ખિસ્સા ભરવા કરતાં દય ભરો. લાગણીઓનો સંગ્રહ કરો.
વિજ્ઞાન ક્ષેત્રમાં 'બિહેવીયર' માટે આખું અલગ શાસ્ત્ર છે. મનોવૈજ્ઞાનિક શાખા તે બાબતે બહુ ઊંડો અભ્યાસ કરે છે. ગુજરાતીમાં તેને 'વર્તન વિજ્ઞાન' કહેવામાં આવે છે. ફાટી જાય ત્યાં સુધી કપડાંને ધોકા મારનાર મનોવિજ્ઞાનની દૃષ્ટિએ બીમાર ગણવામાં આવે છે.
'પડી પટોળે ભાત, ફાટે પણ બદલે નહીં'.. એવી ગુજરાતી કહેવત છે. સ્વભાવનું પણ પટોળાની ભાત જેવું જ છે. 'સ્વભાવ સ્મશાન સુધી ભેગો આવે' તે પણ કહેવત છે.
પવિત્રતા
જીવનની મોટા ભાગની સમસ્યાઓ ખોટું બોલવાથી, વધુ પડતું બોલવાથી અને અડધું સાંભળવાથી આવે છે. માણસના મગજમાં વાણી અને વર્તન માટે પ્રોસેસર હોય છે, જે સતત જીભ અને કાનની કામગીરીનું વિશ્લેષણ કરે અને કમાન્ડ આપે. હવે ગરબડ એ છે કે, ધર્મના વિચારો કરતું મગજ ચોરી કરવી, ખોટું બોલવું, આક્રોશ કરવો, ભેદભાવ કરવાના કમાન્ડ કેમ આપે છે? કારણ કે, આપણા મગજમાં સ્વાર્થ અને લાલચ નામનો વાઇરસ ઘર કરી ગયો છે. દિવસની શરૂઆત ધર્મ ધ્યાનથી કરવામાં આવે અને પછી અધર્મનું આચરણ શરૂ થઈ જાય છે!
વાચા અને શ્રવણ પ્રભુનો પ્રસાદ છે. મૂક બધિર લોકોને આ બે ક્રિયાઓનું મહત્ત્વ પૂછજો. આપણે વાચા અને શ્રાવણને ભ્રષ્ટ કરી ચૂક્યા છીએ. ખોટું બોલવું તે પાપ છે. પૂરતું ન સંભાળવું તે પણ પાપ છે. સાંભળેલા શબ્દોનો યોગ્ય અર્થ કરવો તે પ્રાથમિક ફરજ છે. 'સંબંધોમાં અંતર' અને 'કિલોમીટરના અંતર'માં જમીન આસમાનનો તફાવત છે.
શબ્દ અને શ્રવણ તિર્થ સમાન છે તેવું ધર્મ ગ્રંથો કહે છે. જ્યારે પણ વિકટ કે અનિશ્ચિત સંજોગો હોય ત્યારે મૌન પાળો. સામાન્ય સંજોગો હોય ત્યારે પણ મૌન રહેવું જોઈએ. મૌન એ સમાધિ અવસ્થા પણ ગણી શકાય. એક કહેવત અનુસાર 'ડાહૃાા લોકો ઓછું બોલે છે.' બકબકની કોઈ કિંમત હોતી નથી.
સમસ્યા
કળયુગમાં મોટી સમસ્યા એ છે કે.. સાચું શું? માતા પિતાને સંતાનો ઉપર શંકા રહે, પડોશી પડોશી વચ્ચે શંકા રહે, નેતાઓ નેતાઓ વચ્ચે શંકા રહે, વેપારી અને ગ્રાહક વચ્ચે શંકા રહે, શેઠ અને નોકર વચ્ચે શંકા રહે, દેશ દેશ વચ્ચે શંકા રહે.. તો પછી વિશ્વાસ કોનો કરવો?
વાણી, વર્તન અને વિચારો અપડેટ્સ કરવા બાબતે આર્ટિફિસિયલ ઇન્ટેલિજન્સ માસ્ટર 'ગોર્ક' ને પૂછતાં તે પણ અટવાઈ જાય છે અને ગોળગોળ જવાબો આપે છે. તેને માત્ર 'સોફ્ટવેર અપડેટ્સ' બાબતે જ ગોખણપટ્ટી કરાવવામાં આવી છે. તેને સામાજિક જ્ઞાન બહુ ઓછું હોય તેમ લાગે છે. તેને લાગે છે કે, અપડેટ્સની માત્ર કોમ્પ્યુટર, મોબાઈલ કે આધુનિક ઇલેકટ્રોનીક સીસ્ટમને જ આવશ્યકતા છે, માણસ તો સર્વાંગ સંપૂર્ણ છે. પરતું આ એ. આઈ. ને ખબર નથી કે, યંત્રો તો સુપેરે ચાલે છે, માણસો જ ગોટે ચઢ્યા છે! યંત્રોને જેવો કમાન્ડ આપો તેમ ચાલે, ઘણા લોકો તો લાગણીઓના કમાન્ડ સમજતા જ નથી અને આડેધડ વર્તન કરે છે. વૃદ્ધાશ્રમ તેના ઉત્તમ ઉદાહરણ છે. માતા-પિતાએ ભૂખ તરસ વેઠી મોટા કર્યા હોય તે સંતાનો તેને તરસતા તરછોડી દે છે. લાગણીઓ તો વસંત જેવી હોવી જોઈએ, આપમેળે મહોરે! સંબંધો તો બારમાસી હોય, તેને વસંત કે પાનખર ન આવે. બાવળના વનને ઋતુઓ સ્પર્શ કરી શક્તિ નથી, તે તો કાયમ લીલા છમ્મ રહે છે.
ઉકેલ
જેમાં વાઇરસ ઘૂસી ગયો હોય તે સોફ્ટવેરને 'રન' કરવામાં બહુ મુશ્કેલી થાય છે. બહુ મોટો અટેક હોય તો હાર્ડ ડ્રાઈવ પણ ભૂંસી નાખે છે. મહત્ત્વનો ડેટા ડિલીટ થઈ જાય છે. માણસના મગજ અને હદયનું પણ આવું જ છે. આપણી લોક બોલીમાં કહીએ છીએ કે, 'મગજમાં ઘૂસી ગયું છે'. આ મગજમાં એન્ટિ વાઇરસ રાખવો જોઈએ. 'શાંતિ' બધી સમસ્યાઓનો રામબાણ ઈલાજ છે.
'નોબત'ના વાચકો અને ચાહકો શાંતિથી જીવે અને બધાને શાંતિથી જીવવા દે તેવો અનુરોધ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
યુદ્ધને કારણે લિબિયા, સિરીયા, લેબેનોન, ઈરાક, યુક્રેન, ગાઝા અને અફઘનિસ્તાન ભિખારી બની ગયા
મોસાદ.. નામ હી કાફી હૈ ! ઇરાનના સર્વોચ્ચ વડાને તેના ટોચના નેતાઓ સાથે તેના ઘરમાં જ ધોળે દિવસે ફૂંકી માર્યા! સૌરાષ્ટ્રથી નાનો પ્રદેશ ધરાવતા ઈઝરાયલ તેના લશ્કરી કારનામાઓ માટે કાયમ યાદ કરવામાં આવે છે. અમેરિકા ભારત અને પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ માત્ર ગણતરીના કલાકોમાં બંધ કરાવી શક્યું, પરંતુ ઇઝરાયેલને ગાઝા પટ્ટીમાંથી ખસી જવા કહેતું નથી. વધુમાં ઈરાન ઉપરના ભીષણ હુમલામાં તેનું સક્રિય સાથીદાર બને છે. મોસાદ અને કેજીબીએ ઈરાની વડાની તેના ઘરમાં ઘૂસીને જાસૂસી કરી. ટોચના કમાન્ડરો સાથે ખામેનેઈની ચાની ચૂસકીઓ મારતા હતા ત્યાં, કપમાં માખી પડે તેટલી સરળતાથી મિસાઈલો ત્રાટકી. મહેલના લોખંડ ઓગળી ગયા તેટલી તીવ્ર ગરમી ફેલાઈ અને અહી હાજર લગભગ ૧૫૦ જણા રાખ થઈ ગયા!
ભારત અહીં બહુ ટૂંકું પડે છે. પહલગામમાં ૨૮ ભારતીયોને ધોળે દિવસે સરાજાહેર કોણ મારી ગયું તે હજુ ખબર નથી પડી! જમ્મુ કાશ્મીર જેવા સંવેદનશીલ પ્રદેશના પ્રવાસન સ્થળો ઉપર સલામતી વ્યવસ્થા નથી અને સાદા સીસીટીવી કેમેરા પણ નથી! સલામતી દળો ડ્રોન દ્વારા હુમલાખોરોનો પીછો પણ નથી કરી શક્યા તે બહુ દુઃખદ અને ચોંકાવનારી ઘટના છે.
મોસાદ
વિશ્વની સૌથી ચાલાક અને ખુંખાર આ જાસૂસી સંસ્થા છે. તેનો ભૂતકાળ પણ બહુ ભવ્ય છે. દુનિયાના કોઈ પણ ખૂણે તેની હાજરી હોય છે. ઇરાનના ખામેનેઈના ભવ્ય અને અતિ ગુપ્ત આવાસમાં તેની હાજરી છે. કદાચ અમેરિકાના વ્હાઇટ હાઉસ અને દિલ્હીના સેવા તીર્થમાં પણ મોસાદ આંટાફેરા કરતું હોય તેવું બને!
મોસાદ (ઔપચારિક રીતે ઇન્ટેલિજન્સ એન્ડ સ્પેશિયલ ઓપરેશન્સ ઇન્સ્ટિટ્યૂટ) એ ઇઝરાયલની રાષ્ટ્રીય વિદેશી ગુપ્તચર એજન્સી છે, જે વિશ્વની સૌથી અસરકારક અને ગુપ્ત જાસૂસી સંસ્થાઓમાંની એક તરીકે પ્રખ્યાત છે જેની ૧૩ ડિસેમ્બર ૧૯૪૯ના સ્થાપના કરવામાં આવી હતી. તે ઇઝરાયલની સરહદોની બહાર ગુપ્ત માહિતી સંગ્રહ, ગુપ્ત કામગીરી અને આતંકવાદ વિરોધી કાર્યવાહી માટે જવાબદાર છે.
તેનું વાર્ષિક બજેટ આશરે ૧૫ બિલિયન ડોલર (યુએસ ૨.૭૩ બિલિયન) હોવાનો અંદાજ છે, અને એવો અંદાજ છે કે તે લગભગ ૧૦ હજાર લોકોને રોજગારી આપે છે. આ વિશ્વની સૌથી મોટી જાસૂસી એજન્સીઓમાંની એક છે. આ સંગઠને વિવિધ સ્થળોએ દેશ વિરોધી હોય તેવા ઘણાં હત્યાના કાવતરાઓ ઘડ્યા છે અને પાર પાડયા છે.
મોસાદ ઇઝરાયલના ત્રણ મુખ્ય ગુપ્તચર સંગઠનોમાંથી એક છે, એક અમન (લશ્કરી ગુપ્તચર) અને બીજું શિન બેટ (આંતરિક સુરક્ષા) છે. મોસાદ વિદેશી ગુપ્તચર માહિતી એકત્રિત કરવા, ગુપ્તચર વિશ્લેષણ અને ગુપ્ત કામગીરી કરે છે.
પ્રસિદ્ધિ
૫ સપ્ટેમ્બર, ૧૯૭૨ના વહેલી સવારના અંધારામાં, આઠ પેલેસ્ટિનિયન ફીદાયીન હુમલાખોરો ઓલિમ્પિક વિલેજમાં ઇઝરાયલી નિવાસસ્થાનમાં ઘૂસી ગયા, નવ ઇઝરાયલી ખેલાડીઓને બંધક બનાવ્યા અને બે ખેલાડીઓની હત્યા કરી. ઈઝરાયલ આ ઘટનાથી હચમચી ઉઠ્યું. મારા જેવા ૬૦ ઉપરના લોકો આ ઘટના ઉપરછલ્લી રીતે જાણે છે, જ્યારે આજના યુવાનો તો બિલકુલ અજાણ છે. તે સમયે ટાંચા સાધનો અને સંદેશા વ્યવહારની સીમિત સુવિધાઓ છતાં મોસાદે આ હુમલાખોરોને દુનિયામાં ફરી ફરીને શોધી કાઢ્યા હતા.
ફૂટબોલ ટીમ હત્યાકાંડ પછી મોસાદ દ્વારા હાથ ધરવામાં આવેલા 'ઓપરેશન બેયોનેટ'થી જગતમાં જાણીતું થયું. મોસાદ દ્વારા નિર્દેશિત આ એક ગુપ્ત ઓપરેશન હતું જે ૧૯૭૨ ના મ્યુનિક હત્યાકાંડમાં સામેલ હોવાનો આરોપ લગાવતા વ્યક્તિઓની હત્યા કરવા માટે કરવામાં આવ્યું હતું. આ ઓપરેશનનું લક્ષ્ય પેલેસ્ટિનિયન સશસ્ત્ર આતંકવાદી જૂથ બ્લેક સપ્ટેમ્બરના સભ્યો અને પેલેસ્ટાઇન લિબરેશન ઓર્ગેનાઇઝેશનના કાર્યકરો હતા. ૧૯૭૨ ના પાનખરમાં ઇઝરાયલી વડા પ્રધાન ગોલ્ડા મેર દ્વારા અધિકૃત, આ ઓપરેશન વીસ વર્ષથી વધુ સમય સુધી ચાલુ રહૃાું હોવાનું માનવામાં આવે છે. મોસાદે ઓપરેશન દરમિયાન ઘણાં અગ્રણી પેલેસ્ટિનિયનોની હત્યા કરી, ત્યારે તેઓ મ્યુનિક પાછળના માસ્ટરમાઇન્ડ, એટલે કે અબુ દાઉદને ક્યારેય મારવામાં સફળ રહૃાા નહીં.
આ ઓપરેશન ઉપરથી ટેલિવિઝન ફિલ્મ સ્વોર્ડ ઓફ ગિડીઓન (૧૯૮૬) અને સ્ટીવન સ્પીલબર્ગની ફિલ્મ મ્યુનિક (૨૦૦૫)નું નિર્માણ કરવામાં આવ્યું હતું.
મોસાદ તેના વિદેશી કામો માટે પ્રસિદ્ધ છે. ભારતના 'રો' ના એજન્ટોને પણ મોસાદ તાલીમ આપે છે.
તાજેતરમાં મોસાદની રજેરજની જાણકારીના આધારે ઈઝરાયલ અને અમેરિકાના હવાઈ દળે ઈરાન સાથે યુદ્ધ શરૂ થયાના ૧૮ કલાકમાં જ તેના ટોચના નેતાઓ અને અધિકારીઓને શોધી કાઢ્યા અને ઉડાવી દીધા.
ઈરાન
મધ્ય પૂર્વના આ દેશની વસ્તી માત્ર ૯.૫ કરોડ એટલે કે ગુજરાત જેટલી જ છે.
યુદ્ધનો ઉદ્દેશ્ય
અમેરિકા અને ઈઝરાયલ દ્વારા સુરક્ષા ચિંતાઓને કારણે ''ઓપરેશન એપિક ફ્યુરી'' તરીકે ઓળખાતી લશ્કરી કાર્યવાહી હાથ ધરી છે. અમેરિકા અને સાથી રાષ્ટ્રો તેના આક્રમણને શાંતિ અને વિકાસ માટે જરૂરી ગણાવે છે, પરંતુ વાસ્તવમાં તેવું પરિણામ આવતું નથી.
૧. પરમાણુ શસ્ત્રોનું નિવારણ
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ બંને દ્વારા આક્રમણ કરવાનું જણાવવામાં આવેલ મુખ્ય કારણ ઇરાનને પરમાણુ શસ્ત્ર પ્રાપ્ત કરતા અટકાવવાનું છે. રાજદ્વારી પ્રયાસો માટે ઓમાનમાં પરોક્ષ વાટાઘાટોના નિષ્ફળ ગયા પછી લશ્કરી કાર્યવાહી કરવામાં આવી. ઇઝરાયલે દાવો કર્યો કે, ઈરાન નવા ભૂગર્ભ બંકરો બનાવી રહૃાું છે જે તેના પરમાણુ અને મિસાઇલ કાર્યક્રમોને આગળ વધારવાના ચિન્હો છે. અમેરિકા ઇરાનમાં કાબૂ બહાર જઈ રહેલા સંજોગોને કારણે શાસન પરિવર્તન ઇચ્છી રહૃાું છે.
ઇરાનમાં જ્યારે સત્તા સામે વિરોધ પ્રદર્શનો થયા ત્યારે અમેરિકાએ તેને સમર્થન આપ્યું અને પ્રદર્શનકારો વિરૂદ્ધ કડક કાર્યવાહી ન કરવા સરકાર ઉપર દબાણ લાવ્યું હતું. રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ યુદ્ધને ''મુક્તિ'' તરીકે રજૂ કર્યું છે, જેમાં વર્ષોની આંતરિક અશાંતિ અને વિરોધ પ્રદર્શનો પછી ઈરાની નાગરિકોને શાસનને ઉથલાવી પાડવા માટે ''આ ક્ષણનો લાભ લેવા'' વિનંતી કરવામાં આવી છે.
૩. પ્રાદેશિક પ્રભાવ અને ''પ્રતિકારની ધરી''
ઈરાનને તેના સાથી આતંકવાદી જૂથોના નેટવર્કને કારણે પ્રાદેશિક સ્થિરતા માટે પ્રાથમિક ખતરા તરીકે જોવામાં આવે છે, જેને યુ.એસ. અને ઇઝરાયલ તોડી પાડવા માંગે છે. ઈરાન લેબનોનમાં હિઝબુલ્લાહ, ગાઝામાં હમાસ અને યમનમાં હૂતી જેવા જૂથોને ભંડોળ અને અદ્યતન શસ્ત્રો પૂરા પાડે છે. આ ત્રાસવાદી જૂથો પશ્ચિમના દેશોમાં અસ્થિરતા ફેલાવી રહૃાા છે. ઈરાનને નબળું પાડીને, યુ.એસ. અને ઇઝરાયલ ત્રાસવાદની આ ધમકીઓને નબળી પાડવા અને નાબૂદ કરી મધ્ય પૂર્વના નકશાને ફરીથી પોતાના હિતમાં આકાર આપવાનો હેતુ ધરાવે છે.
અમેરિકા
અમેરિકાએ જ્યારથી અફઘનિસ્તાનમાંથી પોતાનું લશ્કર પાછું ખેચી લેવાનો નિર્ણય કર્યો ત્યારથી લાગી રહૃાું હતું કે, તે નવા ટાર્ગેટ માટે હવે આગળ વધી રહૃાું છે. ઈઝરાયેલ ઉપર હમાસનો હુમલો થયો તેથી અમેરિકા અને ઈઝરાયલ ગાઝા પટ્ટીમાં વ્યસ્ત થઈ ગયા તેથી ઈરાનનો મુદ્દો ઊંચો મૂકાઇ ગયો. ગાઝા યુદ્ધ આ બન્ને દેશો માટે અચાનક આવી પડેલી આપત્તિ હતી. પેલેસ્ટાઇન અને ગાઝામાં કોની સામે લડવું તે ટાર્ગેટ નક્કી નહોતો. આથી ત્યાં નિર્દોષ લોકો વધુ મરાયા. હમાસ પણ બહુ મજબૂત અને ઊંડું નેટવર્ક ધરાવતું ત્રાસવાદી સંગઠન હોવાથી નાબૂદ કરવાનું મુશ્કેલ રહૃાું.
અમેરિકા અને ઈઝરાયલ બન્ને હવે અફઘાન યુદ્ધમાંથી નવરા થયા છે. ઈરાન સંગઠિત દેશ છે. સંચાલન માળખું અફઘનિસ્તાન જેવુ અસ્તવ્યસ્ત નથી. ધાર્મિક રીતે પણ ચુસ્ત છે. દુનિયામાં તે મહત્ત્વનું સ્થાન ધરાવે છે. સૌથી સબળ પાસું એ છે કે તે ઉચ્ચ ગુણવત્તા ધરાવતા ક્રૂડનો વિપુલ જથ્થો ધરાવે છે. અમેરિકા એ લગભગ ૧૫ વર્ષથી ઈરાન ઉપર વિવિધ પ્રતિબંધો મૂક્યા હોવા છતાં ઈરાનનું અર્થતંત્ર નબળું પડ્યું નથી. અમેરિકાને આ પણ પેટમાં દુખે છે.
વિરોધ
ઇરાનના માત્ર અમેરિકા અને ઈઝરાયલ એમ બે દેશો જ દુશ્મન નથી. યુનાઈટેડ આરબ અમીરાતના દેશોને પણ તે આંખના કણાની જેમ ખૂંચે છે. ઈરાન તેના ક્રૂડનો મોટો હરીફ દેશ છે. આ દેશોને તેલના પરિવહન માટે હર્મુઝના સમુદ્રમાંથી પસાર થવું પડે અને ઈરાન તેની કિમત વસૂલે. ઈરાનને જ્યારે વાંધો પડે ત્યારે આ સમુદ્ર માર્ગ બંધ કરી દે છે. અમેરિકા, ચીન, ભારત સહિતના મોટા ઓઇલ વપરાશકારો માટે ઈરાનનો દરિયો જીવન રેખા સમાન છે. આ દરિયામાં ચાંચિયાઓ પણ બેફામ છે. આવતા જતા જહાજોને લૂંટે છે. ભારત સહિત અનેક દેશોને પોતાના વ્યાપારી જહાજોની રક્ષા માટે અહી નૌસેના કાયમ રાખવી પડે છે. અન્ય એક મોટું કારણ ઈરાનની રશિયા સાથેની દોસ્તી પણ છે. અમેરિકાને રશિયા ગમતું નથી. આથી તે ઈરાન દ્વારા રાશિયાનું નાક દબાવવા પ્રયાસ કરે તે સ્વાભાવિક છે.
અહેવાલો અનુસાર અમેરિકા ઈરાન ઉપર બહુ જલદી લશ્કરી કાર્યવાહી કરવાના મૂડમાં નહોતું. પરંતુ સાઉદી અરેબિયાએ જેમ બને તેમ જલદી ખામેનેઈની ગેમ કરી નાખવા માટે અમેરિકાને મનાવી લીધું. ડોનાલ્ડ ટ્રમ્પ પોતે સ્વભાવગત વેપારી જીવ હોવાથી સાઉદી અરેબિયાને નારાજ કરવા નહોતા માંગતા. આથી નાટો સંગઠન તૈયાર થાય તે પહેલાં ઈરાન ઉપર ચઢી બેઠા.
ભારત
ઈરાન યુદ્ધ આપણા માટે 'નરોવા કુંજરોવા' જેવું છે. ભારત ઇરાનના ક્રૂડનું મોટું ગ્રાહક છે. ભારતની ઓઇલ રિફાઇનરીઓ અમેરિકાની મંજૂરી લઈને ઈરાન સાથે વેપાર કરી રહી છે. ઈરાન આપણું દુશ્મન રાષ્ટ્ર તો નથી જ! પાકિસ્તાન જ્યારે પણ તોફાને ચઢે ત્યારે ઇરાને તેની શાન ઠેકાણે લાવવામાં મદદ કરી છે.
ઈરાન એક સમયે ભારતનો બીજો સૌથી મોટો તેલ સપ્લાયર દેશ હતો, પરંતુ અમેરિકી પ્રતિબંધોને કારણે ૨૦૨૨ સુધીમાં આયાત લગભગ શૂન્ય થઈ ગઈ. ઈરાન દ્વારા હોર્મુઝ ખાડીના બંધ થવાથી આ ભારતના ૫૦% વેપારને અસર પહોંચી છે. ભારત ઈરાનમાં ચોખા, ચા, ખાંડ અને દવાઓનો મુખ્ય નિકાસકાર છે.
પરિણામ
યુદ્ધને કારણે લિબિયા, સિરીયા, લેબેનોન, ઈરાક, યુક્રેન, પેલેસ્ટાઇન, ગાઝા, આફ્રિકાના અનેક દેશો અને અફઘનિસ્તાન ભિખારી બની ગયા છે. જનજીવન માટે જરૂરી માળખું ધ્વસ્ત થઈ ગયું છે. નાગરિકો ખોરાક અને આરોગ્ય માટે વલખાં મારી રહૃાા છે. સત્તાની સાઠમારી જીવલેણ બની રહી છે.
આ લેખકની આગાહી છે કે, આ બન્ને બાધોડકા દેશો ૧૦-૧૫ વર્ષ પછી ભારતીય ઉપખંડમાં પણ નજર બગાડી શકે છે.
પરેશ છાંયા
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ડોનાલ્ડ ટ્રમ્પનું 'મેક અમેરિકા ગ્રેટ અગેઇન'નું સ્વપ્ન ટેરિફ અને સેનાના આધારે પૂરૃં નહીં થાય!
અમેરિકાના બીજીવાર પ્રમુખ બનેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ઉધામા હવે ઊંધા પડી રહૃાા હોય તેમ લાગી રહૃાું છે. વિશ્વના સમીકરણો રાતોરાત બદલી શકાતા નથી. ભૂતકાળમાં પણ કોઈ બદલી શક્યું નથી. અમેરિકા, રશિયા અને ચીનને મહાસત્તા બનવામાં એક સદી કરતાં વધુ સમય થયો. ભારત ૭૫ વર્ષમાં ઘણું પ્રગતિ કરી શક્યું છે. કોઈ પણ દેશ માટે પ્રગતિ કે અધોગતિનું પ્રથમ પરિણામ ૧૦૦ વર્ષે મળે છે. રાતોરાત ચમત્કાર થતાં નથી. પાકિસ્તાન. અફઘાનિસ્તાન, ઈરાક, વેનેઝુએલા, કોલંબિયા જેવા દેશો રાજકીય અવ્યવસ્થાને કારણે સતત પાછળ પડી રહૃાા છે. સેના અને રાજકીય સંઘર્ષને કારણે દુનિયાના અડધાથી વધુ દેશો પડતીના રસ્તે છે. ગરીબી, ભૂખમરો, ભ્રષ્ટાચાર ચરમસીમા ઉપર છે.
અમેરિકા અત્યાર સુધી આંતરીક રીતે શાંત અને સીધી લીટીમાં આગળ વધી રહૃાું હતું. મહાસત્તા બનવાના લોભમાં વિદેશની ધરતી ઉપર અનેક યુદ્ધો લડયું. ટેકનોલોજીમાં મહારત હાંસલ કરી દુનિયામાં પગદંડો જમાવ્યો છે. હવે પરિવર્તનનો પવન ફૂંકવાની લહૃાામાં વર્તમાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભૂરાંટા થયા છે. દુનિયા અમેરિકાનું શોષણ કરી રહી છે તેવું તે માને છે. હવે તે નવો 'વર્લ્ડ ઓર્ડર' લખવા માંગે છે.
કરવેરા
અમેરિકાની સર્વોચ્ચ અદાલતે એક ચુકાદામાં સ્પષ્ટ નિર્ણય આપ્યો કે અમેરિકાના પ્રમુખને કરવેરા વધારવાની સત્તા નથી. આથી ડોનાલ્ડ ટ્રમ્પે પીછે હઠ કરવી પડી. પરંતુ આ તો હવા ભરેલા દાદા છે.. સુપ્રિમ કોર્ટની ટકોર પછી પણ સોલર એનર્જી ઉપકરણો ઉપર ૧૨૬ %ટેરિફ ફટકારી દીધી. દિશાવિહીન નિર્ણયો અમેરિકાને ક્યાં લઈ જશે તે અમેરિકનો જાણતા નથી. વર્તમાન સમયમાં આખી દુનિયા અવઢવમાં છે કે, અમેરિકા સાથેના વેપારમાં તેણે કેટલો ટેક્સ લગાવવાનો છે? છેલ્લા સમાચાર મુજબ ૧૫ ટકા હોય તેવું લાગી રહૃાું છે. ડોનાલ્ડ ટ્રમ્પના નવા કર માળખાનો ત્યાંની સ્થાનિક અદાલતમાં પરાજય થયો છે. નવા આડેધડ કર લાદવાની સત્તા પ્રમુખને નથી, તેવો ચુકાદો અદાલતે આપ્યો ત્યારે સવાલ એ થાય કે, આ બાબતની પ્રમુખને ખબર નહીં હોય? પ્રમુખના સલાહકારોએ આ બાબતની જાણ ટ્રમ્પને નહીં કરી હોય? આ બધાની ઉપરવટ જઈ પ્રમુખે એકલા હાથે વિદેશો ઉપર આડેધડ રીતે જંગી કરવેરા લાદ્યા હોય તો તે, બહુ ગંભીર અને બેજવાબદાર ઘટના ગણી શકાય! બીજી ભાષામાં કહીએ તો, ડોનાલ્ડ ટ્રમ્પ શાંત પાણીમાં વારંવાર મોટા પથરા ફેકી રહૃાા છે.
ઈરાન
બીજી મોટી ઘટના, ઈરાન ઉપર આક્રમણ કરવાની તૈયારી છે. ઈરાન એ અફઘાનિસ્તાન, પેલેસ્ટાઇન, લિબિયા કે ઈરાક નથી. ઈરાન મજબૂત રાષ્ટ્ર છે. અમેરિકાએ લગભગ ૧૫ વર્ષથી ઈરાન ઉપર અનેક પ્રતિબંધો લાદ્યા પછી પણ તે નબળું પડ્યું નથી! ઈરાન ઉપર આક્રમણ કરવા માટેની તૈયારીમાં જ અમેરિકા ખર્ચના મોટા ખાડામાં ઉતરી ગયું છે. યુદ્ધ થાય તો અમેરિકાને પણ ગંભીર પરિણામો ભોગવવા પડે તેમ છે. ઈરાન સાથે રશિયા અને ચીન પણ ટેકામાં બેઠા છે.
છેલ્લા બે દશકામાં અનેક યુદ્ધો થયાં, કોઈ જીતી શક્યું નથી. અફઘાનિસ્તાનમાંથી અમેરિકા અને રશિયા બન્ને ઊભી પૂછડીએ ભાગ્ય હતા! યુક્રેન જેવા નાના દેશ ઉપર રશિયા જેવી મહાસત્તા ધુસરી નાખી શકતી નથી. ચાર વર્ષ પછી પણ યુક્રેન અજય છે. ઈરાન યુક્રેન કરતાં અનેકગણું શક્તિશાળી રાષ્ટ્ર છે. આવે સમયે અમેરિકાની હાલત ખરાબ થાય તેવા સંજોગો છે.
ઈરાન સામે ખાંડા ખખડાવતા ટ્રમ્પ હવે સુધરશે નહીં તો, તેના માઠાં પરિણામો અમેરિકન નાગરિકોએ જરૂર ભોગવવા પડશે!
ફાયદો
અમેરિકાએ કેલેન્ડર વર્ષ ૨૦૨૫ માં ૨૬૫ બિલિયનની ચોખ્ખી કસ્ટમ આવક એકત્રિત કરી, જે ૨૦૨૪ માં ૮૦ બિલિયનથી નોંધપાત્ર વધી છે. એટલે કે ૧૮૫ બિલિયન ડોલરનો જંગી વધારો દર્શાવે છે. આ વધારો ટ્રમ્પ વહીવટીતંત્રના વ્યાપક નવા ટેરિફને કારણે થયો હતો, જેમાં ''પારસ્પરિક'' ટેરિફ અને સ્ટીલ, એલ્યુમિનિયમ અને ઓટો જેવા માલ પર વધુ કરનો સમાવેશ થાય છે. જો કે સામે પક્ષે, અમેરિકાની અદાલતે આ નવા કર માળખાને અયોગ્ય જાહેર કર્યું છે તેથી તેની અર્થતંત્ર ઉપર કેવી અસરો પડશે તે ભવિષ્યમાં ખબર પડે.
નુકસાન
ડોનાલ્ડ ટ્રમ્પની અસ્પષ્ટ નીતિ અને યુદ્ધખોર વૃત્તિને કારણે આખી દુનિયાના વેપાર ધંધા અસ્તવ્યસ્ત થઈ ગયા છે. અમેરિકા સાથેના આયાત નિકાસ માટેના ચોક્કસ કારણો, સ્થાનિક જરૂરિયાતો, બજાર, માંગ અને ફેશન મુખ્ય પાયાની બાબતો છે. આ તમામ પરિબળોનો મુખ્ય પાયો કિંમતો અને નફો છે. અમેરિકામાં જ્યારે કરવેરા જ અસ્પસ્ટ હોય ત્યારે વેપારી કેવી રીતે ભાવતાલ નક્કી કરે અને નફાનું શું? આર્થિક અનિશ્ચિતતાઓના કારણે આયાત નિકાસ ઉપર બહુ ગંભીર અસર પડી છે. આ માત્ર ભારતની જ સમસ્યા નથી, આખી દુનિયાના વેપારીઓ માથે હાથ દઈને બેઠા છે.
દુનિયાનો મોટાભાગનો વેપાર દરિયા આધારિત છે. આયાત અને નિકાસ કરતા લોકો માટે આ સરળ અને સસ્તો રસ્તો છે. એક તરફ રશિયા અને યુક્રેન યુદ્ધ ચાલે છે, ઈઝરાયેલ પણ ગાઝામાં વિનાશ વેરી રહૃાું છે. અમેરિકા ગમે ત્યારે ઈરાન ઉપર હુમલો કરી શકે છે. આવે સમયે દરિયાઈ માર્ગ જોખમી બની ગયા છે. અમેરિકા, ચીન અને રશિયાના નૌકા કાફલા સમુદ્રમાં ધામા નાખી યુદ્ધ અભ્યાસ કરી રહૃાા છે. આફ્રિકન ચાંચિયા પણ જોખમ બની ગયા છે.
આર્થિક અનિશ્ચિતતા અને પરિવહન સમસ્યાને કારણે દુનિયાના વેપાર ધંધા મુશ્કેલીમાં મુકાયા છે.
ડોનાલ્ડ ટ્રમ્પની વ્યક્તિગત કારકિર્દીનું તો જે થવું હોય તે થશે, પરંતુ અમેરિકા માટે લાંબા ગાળા સુધી પ્રતિકૂળ અસરો મૂકી જશે તે નક્કી છે. લશ્કરી ખર્ચ અમેરિકાને ભારે પડી રહૃાો છે. ઈરાન સાથેના યુદ્ધ પછી શું? અમેરિકાએ વેનેઝુએલામાં દખલગીરી કરી અને તેના ક્રૂડ ઉપર કબજો કરી લીધો છે, આથી અમેરિકન લોકોને શું ફાયદો?
ડોનાલ્ડ ટ્રમ્પના તઘલખી શાસનને કારણે મોંઘવારી બહુ ઝડપથી વધી રહી છે.
ભારત
ડોનાલ્ડ ટ્રમ્પને કારણે ભારત પણ પીડિત છે. ભારતના વેપાર ધંધામાં મંદી છે. અમેરિકાએ વિઝા નિયમો કડક બનાવતા અનેક ભારતીયો અટવાઈ ગયા છે. અમેરિકામાં સ્થાઈ થયેલા ભારતીય લોકો વતન આવતા પહેલાં સો વાર વિચાર કરે છે. ઉચ્ચ નોકરિયાતો અને વિદ્યાર્થીઓ પણ મૂંઝવણભરી હાલતમાં છે. નવા વિઝા રિજેકશનનું પ્રમાણ બહુ મોટું થયું છે. પરિવારના પ્રસંગો અટવાઈ ગયા છે. અમેરિકામાં કમાણી કરી માતા પિતાને આર્થિક સહાય કરતા યુવાનો પણ હવે રૂપિયા મોકલતા પહેલાં સલાહ લઈ આગળ વધે છે. વિદ્યાર્થીઓને નવી નોકરી મળતી નથી, નોકરી મળે તો પૂરતો પગાર મળતો નથી. ભવિષ્યમાં કયા નિયમો હશે તેની ખબર નથી તેથી ભવિષ્ય પણ અંધકારમય બની ગયું છે. ગમે ત્યારે નોકરી જઈ શકે છે.
વર્ષ ૨૦૨૫ સુધીમાં, ૫.૧ થી ૫.૨ મિલિયનથી વધુ ભારતીય મૂળના લોકો અમેરિકામાં રહે છે, જે સૌથી ઝડપથી વિકસતા અને બીજા ક્રમના સૌથી મોટા એશિયન અમેરિકન જૂથોમાંના એક છે. પ્રથમ ક્રમે ચીન છે. ૨૦૦૦થી આ વસ્તીમાં ૧૭૦% થી વધુનો વધારો થયો છે, જેમાં લગભગ બે તૃતીયાંશ (૬૬%) ઇમિગ્રન્ટ્સ છે. મુખ્ય લાક્ષણિકતાઓમાં ઉચ્ચ આવક સ્તર અને કેલિફોર્નિયા, ટેક્સાસ, ન્યુ જર્સી અને ન્યુ યોર્ક જેવા રાજ્યોમાં ભારતીઓની બહુલતા છે. ભારતીયોની વસ્તી ત્યાં ખાસ કરીને ૧૯૮૦ ના દાયકા પછી ઝડપથી વધવા લાગી, અમેરિકાએ અત્યંત કુશળ અને શિક્ષિત ભારતીય ઇમિગ્રન્ટ્સને આકર્ષિત કરતી નવી નીતિ આ સમયે લાવી હતી હતી. જો કે આખી દુનિયાના લોકોએ અમેરિકા તરફ દોડ લગાવી હતી.
ભવિષ્ય
અમેરિકામાં અસ્થિરતા વધી રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓનો બહુ વિરોધ થઈ રહૃાો છે. સ્થાનિક લોકો મોંઘવારીનો ભોગ બની રહૃાા છે. નોકરીઓમાં અનિશ્ચિતતા વધી ગઈ છે. ફુગાવો વધી રહૃાો છે. ટ્રમ્પનું ચાર વર્ષનું શાસન કદાચ દાયકાઓ સુધી અસર કરશે અને આખી દુનિયા યાદ કરશે. તેમાં પણ જો ઈરાન સાથે યુદ્ધ કરશે તો આખી દુનિયામાં તેની બહુ વિપરીત અસરો પડશે તે નક્કી છે. ડોનાલ્ડ ટ્રમ્પની નજર માત્ર વેનેઝુએલા કે ઈરાન પૂરતી જ સીમિત નથી, તે શ્રીલંકા, બાંગલાદેશ, નેપાળ સુધી પગ ફેલાવવા માંગે છે. પાકિસ્તાન તો લગભગ તેની નજરમાં છે, પરંતુ પાડોશમાં ચીનની હાજરીથી હજુ ગજ વાગતો નથી.
અમેરિકા
'મેક અમેરિકા ગ્રેટ અગેઇન' (એમએજીએ) એ રિપબ્લિકન પાર્ટીનું એક પ્રચલિત અમેરિકન રાજકીય સૂત્ર અને ચળવળ છે જેને ડોનાલ્ડ ટ્રમ્પે ૨૦૧૬, ૨૦૨૦ અને ૨૦૨૪ના રાષ્ટ્રપતિ પ્રચાર દરમિયાન લોકપ્રિય બનાવ્યું. તે અમેરિકન સમૃદ્ધિ અને વિશ્વ નેતૃત્વને પુનઃસ્થાપિત કરવાની ઇચ્છા દર્શાવે છે. શરૂઆતમાં ૧૯૮૦ માં રોનાલ્ડ રીગન દ્વારા ઉપયોગમાં લેવાયું હતું, તે ટ્રમ્પના સમર્થકો માટે એક ટ્રેડમાર્ક સૂત્ર બની ગયું છે. ડેમોક્રેટિક પાર્ટીનું સૂત્ર 'અમેરિકા ફર્સ્ટ' છે. અમેરિકાની બન્ને પાર્ટીઓ મૂળભૂત રીતે યુદ્ધખોર માનસ ધરાવે છે તે સાબિત થઈ ચૂક્યું છે.
અસરો
ભારતમાં ડોનાલ્ડ ટ્રમ્પના તઘલખી શાસનની સામાન્ય, મધ્યમ વર્ગ ઉપર શું અસરો થશે તે હજી સ્પષ્ટ નથી. ચાર્ટર્ડ વિમાનોમાં ઉડવાવાળા લોકોના હસમુખા ચહેરાઓ જોઈને લાગે છે કે, તેમને કોઈ મોટી કે નિર્ણાયક અસરો થતી નથી અને થવાની નથી. આંતરરાષ્ટ્રીય રાજકારણ નિર્દય અને સત્તા લક્ષી છે.
'નોબત'ના વાચકો અને ચાહકોને હોળી અને ધૂળેટીની હાર્દિક શુભકામના.
પરેશ છાંયા
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
કયો રાજકીય પક્ષ સંપૂર્ણ ભેળસેળ નાબૂદીનું વચન આપી શકે તેમ છે?
પહેલું સુખ તે જાતે નર્યા..
પરંતુ ગુજરાતના નાગરિકોને તંદુરસ્તીનું પ્રથમ સુખ જ દિવાસ્વપ્ન જેવું લાગે છે! તાજેતરમાં એક બહુ ચોંકાવનારા સમાચાર જાણવા મળ્યા હતા કે જામનગર મહાનગરપાલિકામાં ૨૧ મી સદીના ૨૫ વર્ષ પછી પણ માત્ર પાણીની ગુણવત્તા ચકાસી શકાય તેટલી જ સુવિધા છે! મને લાગે છે કે, આજે પણ રાજ્યની ૮ કરોડની વસ્તી ભેળસેળિયા ભ્રષ્ટાચારીઓના ભરોસે જીવી રહી છે. ચૂંટાયેલા લોકો પણ સિમેન્ટ આધારિત વિકાસ કાર્યોમાં ૨૪ કલાક રચ્યાપચ્યા રહે છે. ભેળસેળ કરનારા લોકોને કડક સજાનો ભય નથી. ધર્મમાં શ્રદ્ધા ધરાવતા ઘણાં લોકો પણ પાપથી ડરતી નથી! ભગવાનના પ્રસાદમાં પણ ભેળસેળ કરી ઘણાં લોકો પાપના પોટલા બાંધે છે. ભૂખેથી મરી જવાય તે ભૂતકાળ બની ગયું છે, નવી વ્યાખ્યા અનુસાર ખાવાથી પણ મરી શકાય છે!
ખોરાકમાં ભેળસેળ પ્રત્યે સરકાર કેમ સાવ સંવેદનહીન છે? ઓલમ્પિક કે એશિયાડ રમતોસ્તવ પાછળ અબજો રૂપિયા ખર્ચીને ધામધૂમ કરવી છે, પરંતુ શુદ્ધ ખોરાક માટે ફદિયું પણ વાપરવું નથી. નવા બજેટમાં ક્યાંય શુદ્ધ ખોરાક માટેની કોઈ ચોક્કસ જોગવાઈ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું નથી.
ગુજરાતમાં આગામી સમયમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણી આવી રહી છે. કયો પક્ષ '૧૦૦ ટકા શુદ્ધ ખોરાક'નો વાયદો કરી શકે તેમ છે? ચૂંટણી ઢંઢેરામાં ૨૦૦-૪૦૦ વાયદાઓને બદલે માત્ર એક જ વાયદો કરે તો પણ યથાર્થ ગણાય. કરૂણતા એ બાબતની છે કે, નીતિકર્તા અધિકારીઓ અને પદાધિકારીઓ પણ અશુદ્ધ ખોરાક આરોગી માંદા પડે છે, તો પણ જાગતા નથી!
માંદા પડી તરફડતા મતદારો પણ રાજકીય સુસ્તી માટે જવાબદાર છે. રાજકીય લોકો પાસે હવે 'શુદ્ધ ખોરાક' બાબતે કડક હિસાબ માંગવાનો સમય આવી ગયો છે. ગુજરાતમાં ભારતીય જનતા પક્ષ પાસે ૩ દાયકાથી એકહથ્થુ શાસન છે છતાં કામગીરી નિરાશાજનક છે.
શું ગુજરાતમાં લોકશાહી સુષુપ્ત અવસ્થામાં મૂર્છિત થઈ ગઈ છે?
મતદારો જાગો
ગુજરાતમાં મતદારો પોતાના અધિકારો માટે જાગૃત નથી. ચૂંટણી આવે ત્યારે પાઈએ પાઈનો હિસાબ માંગવો જોઈએ. શું સિમેન્ટ કોન્ક્રીટના કામો જ વિકાસ છે? ૨૦૦ કરોડનો ઓવરબ્રિજ માત્ર સુખનું સાધન છે? મહાનગર પાલિકા હસ્તકની ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરી કેમ સાધનો વિહોણી છે? માત્ર જામનગરની જ આ સમસ્યા નથી, આખા ગુજરાતમાં આ પરિસ્થિતિ છે.
પ્રજા માટે કોણ બોલશે? કેમ કોઈ બોલતું નથી? કોનાથી ભય લાગે છે? સામાજિક અને વ્યાપારિક સંસ્થાઓ ધંધામાં મશગુલ છે. ચોકીદારો કેમ ચોકી કરતા નથી? ભેળસેળિયા તત્ત્વો શા માટે બેફામ છે?
આગામી ચૂંટણીમાં હવે 'શુદ્ધ ખોરાક' જ મુદ્દો હોવો જોઈએ. રોડ રસ્તા ભલે ત્રણ દાયકા સુધી બનાવ્યા, હવે શુદ્ધ ખોરાક માટે કામ કરો. રાજ્યનો કયો નેતા આ મુદ્દે ઝંડો ઉપાડવા તૈયાર છે? કયો પક્ષ ખોંખારો ખાઈને 'શૂન્ય ભેળસેળ'નું વચન આપી શકે તેમ છે?
સરળતા
રોજિંદા ખોરાકમાં ભેળસેળ એ એક સરળ પ્રક્રિયા છે કે જેમાં નુક્સાનકર્તા વિવિધ પદાર્થો ઉમેરી તેની કુદરતી ગુણવત્તામાં ઘટાડો કરવામાં આવે છે, વજન કે કદ વધારવામાં આવે છે અથવા તેમાંના મહત્ત્વપૂર્ણ પોષક તત્ત્વને દૂર કરવામાં આવે છે. ખોરાકમાં ઉમેરાતા આવા પદાર્થો સામાન્ય રીતે ઉતરતી ગુણવત્તા ધરાવે છે જે હાનિકારક છે. ખોરાકમાં ભેળસેળ દરમ્યાન મૂળભૂત રીતે ઓછી માત્રામાં બિન-પોષણદાયી પદાર્થો ઈરાદાપૂર્વક તેનો દેખાવ, બાંધો કે વજન વધારવા માટે ઉમેરવામાં આવે છે. જો ખોરાકમાં થોડા કે વધુ પ્રમાણમાં હલકા કે સસ્તા પદાર્થો ઉમેરી તેના કુદરતી બંધારણમાં ફેરફાર કરવામાં આવે ત્યારે તેવો ખોરાક ભેળસેળ યુક્ત કહેવાય છે અને તે દૂષિત બને છે. પરિણામે માનવ તંદુરસ્તીને હાનિકારક નીવડે છે.
ઈરાદા
ભેળસેળ નાબૂદીનું કામ આસમાનના તારા તોડવા જેટલું કઠીન નથી. હીરાની ખાણ ખોદવા જેટલું દુષ્કર પણ નથી. ભેળસેળ પકડવા માટે ઉચ્ચતમ ટેકનોલોજી સરળતાથી દુનિયામાં મળે છે. નરેન્દ્ર મોદી ઈચ્છે તો ૬ માસમાં આખા દેશમાં ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરી ઊભી થઈ શકે તેમ છે. એક વર્ષમાં ફૂડ ટેક્નિશિયનના ઢગલા થઈ શકે તેમ છે. ગુજરાતમાં હાલમાં એક જ સેન્ટ્રલ લેબ વડોદરામાં છે. જેના ઉપર કામનું ભારણ બહુ મોટું છે. મહિનાઓ સુધી પરિણામો આવતા નથી. મુખ્ય ચિંતા એ છે કે, ભેળસેળ નાબૂદી માટે સરકારના ઈરાદા પણ જણાતા નથી. રાજ્યમાં આખું વર્ષ જુદા જુદા મહોત્સવ બહુ ધામધૂમ અને ભવ્યતાથી ઉજવવામાં આવે છે. છેલ્લા ત્રણ દાયકામાં 'શુદ્ધ ખોરાક' માટે એક પણ અભિયાન કે ઉજવણી કરવામાં આવી હોવાનું જાણમાં નથી.
દરેક જિલ્લામાં એક આધુનિક ફૂટ ટેસ્ટિંગ લેબોરેટરી હોવી જોઈએ. ગુજરાતમાં એક સમયે અનેક મોબાઈલ ફૂટ ટેસ્ટિંગ વાન શરૂ કરવામાં આવી હતી, તે શું કરે છે? ક્યાં ફરે છે? કેટલા સેમ્પલ ચેક કર્યા? કોઈ જાણકારી નથી. ચૂંટાયેલા નેતાઓને પણ શુદ્ધ, ભેળસેળ રહિત ખોરાક માટે ચિંતા નથી. સીધુને સટ કહીએ તો ઈરાદા જ નથી.
કામગીરી
ગુજરાતમાં 'ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન (એફડીસીએ)' શુદ્ધ ખોરાક નિયમનની કામગીરી કરે છે. આ વિભાગની કામગીરી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જેવી જ મહત્ત્વની છે, આમ છતાં બન્ને વિભાગ બહુ બદનામ અને નિષ્ક્રિય લાગી રહૃાા છે. ખોરાક ઉપરાંત શુદ્ધ હવા પણ મળવી મુશ્કેલ છે. ગુજરાતમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ પણ મરવા પડ્યો છે. પેટ અને શ્વાસના રોગો વધી રહૃાા છે. ખોરાક અને હવા, બન્ને બાબતોમાં સરકારની કામગીરી સંપૂર્ણ નિરાશાજનક લાગી રહી છે.
મેડિકલ
સામાન્ય રોજિંદા ખોરાક ઉપરાંત કરોડો લોકો કોઈને કોઈ પ્રકારે એલોપથી અને આયુર્વેદની દવાઓ ખાય છે. આ દવાઓની શુદ્ધિ પણ શંકાસ્પદ રહે છે. અખબારી અહેવાલો અનુસાર સમયાંતરે અનેક દવાઓ 'હલકી ગુણવત્તાવાળી' જાહેર થાય છે. તેના નિર્માતાઓને શું સજા થઈ, કેટલી કડક સજા થઈ તે બાબત અધ્યાહાર રહે છે. કાયદો એટલો કડક હોવો જોઈએ કે, ગુન્હો કરતાં પણ ભય લાગે!
એલોપથી અને આયુર્વેદની દવાઓની ગુણવત્તા બાબતે 'ઝીરો ટોલરન્સ' નીતિ હોવી જોઈએ.
પ્રકાર
ખોરાકમાં ભેળસેળ કરવા માટે ખાસ જ્ઞાન કે અનુભવની જરૂર નથી. થોડા નાના અનુભવે ભેળસેળ કરી શકાય છે. આ ગોરખધંધામાં મોટા ભાગે અભણ લોકો જ વ્યસ્ત હોય છે. થોડા સમય પહેલા જાણવા મળ્યું હતું કે, પ્લાસ્ટિકના ચોખા બને છે! કેળના પાનમાંથી લીલા વટાણા બને છે! ઘોડાની લાદમાંથી જીરાનો પાવડર બને છે. દિવાળી જેવા તહેવારોમાં તે મીઠાઇ અને ફરસાણની ગુણવત્તા હંમેશાં શંકાસ્પદ જ રહે છે. તહેવારોમાં ઘી અને માવાની મીઠાઇ ખાવાથી દૂર રહેવું જોઈએ.ગુજરાતીઓ તેલમાં ગળાડૂબ રહે છે. તેલ જો ભેળસેળ યુક્ત હોય તો તેને કારણે અનેક રોગો થઈ શકે છે, હૃદયરોગને કારણે મૃત્યુ પણ શક્ય છે.
સામાન્ય ભેળસેળયુક્ત ખોરાક
(૧) દૂધઃ પાણી, યુરિયા, ડિટર્જન્ટ
(૨) મસાલા (મરચું/હળદર): ઈંટોનો ભૂકો, કૃત્રિમ રંગ (સુડાન રેડ), સ્ટાર્ચ
(૩) તેલઃ સસ્તા તેલ (આર્જેમોન તેલ)ની ભેળસેળ
(૪) અનાજ/દાળઃ કાંકરા, માટી, રંગીન પથ્થર
(૫) સ્વાસ્થ્ય પર અસરોઃ ફૂડ પોઈઝનિંગ, યકૃત અને કિડનીને નુકસાન, કેન્સર, અને લાંબા ગાળે ગંભીર બીમારીઓ થાય છે.
ફરી મૂળ મુદ્દો
મતદારોએ હવે શુદ્ધ હવા અને ખોરાક બાબતે મત આપતા પહેલાં હિસાબ માંગવાનો સમય આવી ગયો છે. રસ્તા અને પુલો તો ઘણાં બનાવ્યા, હવે હવા અને ખોરાક શુદ્ધ બનાવો! કેન્દ્ર સરકારે પણ જાગૃત થવાની અને 'શુદ્ધ ખોરાક યાત્રા' કાઢવાની જરૂર છે.
ખોરાકમાં ભેળસેળ પકડવાની પદ્ધતિ માટે કોઈ રોકેટ ટેકનોલોજીની જરૂર નથી. બહુ સામાન્ય પ્રક્રિયા છે.
વિપક્ષ
ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની નેતાગીરી મુખ્યમંત્રી બનવાના સપનાઓ જોઈ રહી છે, પરંતુ વિપક્ષની ભૂમિકા ભજવવામાં સદંતર નિષ્ફળ રહી છે. પ્રજાનો અસંતોષ અને પીડા આંદોલન રૂપે રજૂ કરવાને બદલે આવેદનપત્રો લખી હવામાં ઊડે છે. ખોરાકમાં ભેળસેળ મુદ્દે બન્ને પક્ષો ઘણી કામગીરી કરી શકે તેમ છે. આમ છતાં 'હલ્લા બોલ' કરી શકતા નથી! બન્ને પક્ષે પોતે પોતાની રીતે ફૂડ ચેકિંગ કામગીરી કરવી જોઈએ અને ખાનગી લેબમાં પરીક્ષણો કરાવી ભેળસેળ પકડવી જોઈએ. આ બહુ સામાન્ય અને સસ્તી કામગીરી છે, સાથે સાથે અતિ મહત્ત્વની બાબત પણ છે. વડોદરાની લેબોરેટરીમાં કેટલી અસુવિધા છે, કામગીરીમાં કેટલો વિલંબ થાય છે તે ઉજાગર કરવાની જરૂર છે. બન્ને પક્ષો ચોકીદારની ભૂમિકા ભજવી શકે તેમ છે.
ભારતીય જનતા પક્ષ આંદોલનો કરીને જ આગળ આવ્યો છે. હાલના બન્ને વિપક્ષો આગામી સ્થાનિક સ્વારાજયની ચૂંટણીમાં 'શુદ્ધ ખોરાક'નું વચન આપી શકે છે. વિપક્ષના નેતાઓ દારૂબંધીના ગાણા ગાય છે, પરંતુ ભેળસેળ બાબતે મૌન છે. 'ભેળસેળ બંધી' પણ મહત્ત્વની બાબત છે.
સારાંશ
ગુજરાતમાં ભૂ માફિયા, દારૂ માફિયા, ડ્રગ્સ માફિયા, કાળા બજારીયા, કરચોરો કરતાં પણ ભેળસેળ માફિયાઓ વધુ વ્યાપક અને ખૂંખાર લોકો છે. તે લોકોના જીવ જોખમમાં મૂકે છે. કરોડો લોકો અશુદ્ધ ખોરાકને કારણે અનેક લોકો માંદગીના શિકાર બને છે અને પીડાય છે. અબજો રૂપિયાની દવાઓ આરોગે છે. મોટી માંદગીને કારણે દેવામાં ડૂબી જાય છે. તેલ, મરચું, ઘી, દૂધ જેવી પ્રાથમિક જરૂરિયાતની ચીજો જો ભેળસેળ મૂક્ત અને શુદ્ધ બની જાય તો ૮ કરોડની પ્રજા તંદુરસ્ત બને. માંદગીમાંથી બહાર આવે, દવા અને સારવારનો જંગી ખર્ચ બચે. પરિણામે રાજ્ય સમૃદ્ધ અને પ્રગતિશીલ બને.
નજીકના ભવિષ્યમાં તો શુદ્ધ ખોરાક બાબતે કોઈ ક્રાંતિ થાય તેવી શક્યતા જણાતી નથી, કારણ કે વર્તમાન શાસકો સિમેન્ટ અને કોન્ક્રીટના વિકાસમાં મગ્ન છે અને વિપક્ષો પણ મૌન છે.
'નોબત'ના વાચકો અને ચાહકોનું જીવન નિરામય રહે તેવી શુભકામના.
પરેશ છાંયા
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
'બેબી બૂમર્સ' નેતાઓના ઉધામા આખી દુનિયામાં ઉથલ પાથલ કરી રહૃાા છે!
આવતીકાલે વેલેન્ટાઇન ડે છે. યુવાનો રંગે ચંગે ઉજવે છે. વેલેન્ટાઇન ડે પ્રેમનો સંદેશ આપલે કરવાનો બહુ સારો અને અર્થસભર દિવસ છે. સંત વેલેન્ટાઇનનો પ્રેમનો સંદેશ જેન ઝી માટે જ સર્જાયો હોય તેવી આપણી માન્યતા છે. યુવાન લોકો એક સપ્તાહ સુધી જુદા જુદા પ્રેમના પ્રતીક સમાન દિવસો ઉજવે અને અંતે ૧૪ ફેબ્રુઆરીએ વેલેન્ટાઇન ડે આવે.
શું પ્રેમનો સંદેશ માત્ર યુવાનો માટે જ આજના સમયે સમયોચિત છે? મારા જેવા ૬૦ પ્લસ જેવડા લોકો માટે 'પ્રેમ' ફિટ નથી? ૬૦ પ્લસ લોકોને 'બેબી બૂમર્સ' કહેવામાં આવે છે. આમ આજની યુવા પેઢી એટલે જેન ઝી અને મારા જેવા બાલ વગરની ટાલ વાળા એટલે 'બેબી બૂમર્સ'. મારૃં માનવું છે કે, પ્રેમનો સંદેશ યુવાનો કરતા વૃદ્ધો માટે બહુ જરૂરી અને મહત્ત્વનો છે. બધા વૃદ્ધો મારા તમારા જેવા સાદા સીધા અને ભજન કીર્તન કરતા લોકો નથી. આજે દુનિયાને કેટલાક બુઢા લોકોની માનસિકતા અને ઉધામા બહુ પજવે છે. આ આખા લેખ માટે ડોનાલ્ડ ટ્રમ્પ એક માત્ર નામનો ઉચ્ચાર કાફી છે. ડોનાલ્ડ દાદા ઠંડા પડે એટલે ચારે તરફ શાંતિ જ શાંતિ!!
યુવાન લોકો તો ખૂણે ખાંચરે પ્રિય પાત્ર સાથે ગોષ્ઠી કરી સંત વેલેન્ટાઇનના આત્માને શાંતિ મળે તેવા કાર્યો કરે અને લાગણીઓની આપલે કરે! પરતું બેબી બૂમર્સ વયના ડોનાલ્ડ દાદા, પુતીન દાદા, શી પિંગ દાદા, મદૂરો દાદા ખુલ્લેઆમ અશાંતિના ખેલ ખેલે છે. આ દાદાઓ જો શાંતિ પાળે તો ધરતી ઉપર સ્વર્ગ ઉતારી આવે. સંત વેલેન્ટાઇનના આત્માને ચીર શાંતિ મળે!
સંત વેલેન્ટાઇન
વેલેન્ટાઇન ડે, જેને સેન્ટ વેલેન્ટાઇન ડે અથવા સેન્ટ વેલેન્ટાઇનનો તહેવાર પણ કહેવામાં આવે છે, તે દર વર્ષે ૧૪ ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે. તેનો ઉદ્ભવ વેલેન્ટાઇન નામના શહીદના સન્માનમાં ખ્રિસ્તી તહેવાર તરીકે થયો હતો, અને પછીની લોક પરંપરાઓ દ્વારા તે વિશ્વના ઘણાં પ્રદેશોમાં રોમાંસ અને પ્રેમનો એક મહત્ત્વપૂર્ણ સાંસ્કૃતિક, ધાર્મિક અને વ્યાપારી ઉજવણી પણ બની ગયો છે.
૧૪ ફેબ્રુઆરી સાથે સંત વેલેન્ટાઇન સાથે અનેક શહાદત કથાઓ સંકળાયેલી છે, જેમાં ત્રીજી સદીમાં રોમન સામ્રાજ્ય હેઠળના ખ્રિસ્તીઓની સેવા કરવા બદલ રોમના સંત વેલેન્ટાઇનને કેદ કરવામાં આવ્યાનો અહેવાલ પણ શામેલ છે. એક પ્રારંભિક પરંપરા અનુસાર, સંત વેલેન્ટાઇનએ તેમના જેલરની અંધ પુત્રીને દૃષ્ટિ પાછી આપી હતી. દંતકથામાં પાછળથી થયેલા અસંખ્ય ઉમેરાઓ તેને પ્રેમની થીમ સાથે વધુ સારી રીતે જોડે છે. સંત વેલેન્ટાઇન ખ્રિસ્તી સૈનિકો માટે લગ્ન કરાવતા હતા જેમને રોમન સમ્રાટ દ્વારા લગ્ન કરવાની મનાઈ હતી; દંતકથાને ૧૮મી સદીમાં માનવામાં આવે છે, જે દાવો કરે છે કે તેમણે ફાંસી પહેલાં જેલરની પુત્રીને વિદાય તરીકે ''તમારા વેલેન્ટાઇન'' કહી હસ્તાક્ષરિત પત્ર લખ્યો હતો.
૮મી સદીના ગેલેશિયન સેક્રામેન્ટરીમાં ૧૪ ફેબ્રુઆરીના સંત વેલેન્ટાઇનના તહેવારની ઉજવણી નોંધવામાં આવી હતી. ૧૪મી સદીમાં આ દિવસ રોમેન્ટિક પ્રેમ સાથે સંકળાયેલો બન્યો, જ્યારે વસંતઋતુના પ્રારંભના ''પ્રેમી પક્ષીઓ'' સાથે અગાધ પ્રેમની કલ્પનાઓ ખીલી. ૧૮મી સદીના ઇંગ્લેન્ડમાં, તે યુગલો માટે ફૂલો આપીને, મીઠાઈઓ અર્પણ કરીને અને શુભેચ્છા કાર્ડ (જેને ''વેલેન્ટાઇન'' તરીકે ઓળખવામાં આવે છે) મોકલીને એકબીજા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરવાનો પ્રસંગ બન્યો. આજે ઉપયોગમાં લેવાતા વેલેન્ટાઇન ડે પ્રતીકોમાં હ્ય્દય આકારની રૂપરેખા, કબૂતર અને પાંખવાળા કામદેવની આકૃતિનો સમાવેશ થાય છે. ૧૯મી સદીમાં, હાથથી બનાવેલા કાર્ડ્સે મોટા પાયે શુભેચ્છાઓનો નવો માર્ગ સ્થાપ્યો. ઇટાલીમાં, સંત વેલેન્ટાઇનની ચાવીઓ પ્રેમીઓને ''રોમેન્ટિક પ્રતીક અને આપનારના હ્ય્દયને ખોલવા માટે આમંત્રણ તરીકે'', તેમજ બાળકોને વાઈ (જેને સેન્ટ વેલેન્ટાઇન રોગ કહેવાય છે)થી બચવા માટે આપવામાં આવે છે.
સંત વેલેન્ટાઇનનો સંદેશ મુખ્યત્ત્વે હિંમત, બલિદાન અને બિનશરતી પ્રેમનો છે. જ્યારે આધુનિક ઉજવણીઓ રોમાંસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, ત્યારે સંત વેલેન્ટાઇનનું ઐતિહાસિક અને સુપ્રસિદ્ધ વ્યક્તિત્વ શ્રદ્ધા અને અન્ય લોકોના કલ્યાણ પ્રત્યે ખૂબ ઊંડી પ્રતિબદ્ધતાનું પ્રતિનિધિત્વ કરે છે.
એંગ્લિકન કોમ્યુનિયન અને લ્યુથરન ચર્ચમાં આ સ્મૃતિ દિવસ છે. પૂર્વીય રૂઢિચુસ્ત ચર્ચના ઘણાં ભાગ ૬ જુલાઈએ રોમન પ્રેસ્બીટર સંત વેલેન્ટાઇનના માનમાં સેન્ટ વેલેન્ટાઇન ડે ઉજવે છે, અને ૩૦ જુલાઈએ ઇન્ટરમ્નાના બિશપ હિરોમાર્ટિર વેલેન્ટાઇનના માનમાં ઉજવે છે.
વેલેન્ટાઇન સપ્તાહના દિવસો કયા છે?
તે છે રોઝ ડે, પ્રપોઝ ડે, ચોકલેટ ડે, ટેડી ડે, પ્રોમિસ ડે, હગ ડે, કિસ ડે અને વેલેન્ટાઇન ડે.
આમાં એક વધુ દિવસ પણ ઉમેરવો જોઈએ.. પીસ ડે (શાંતિ દિવસ)!!! શાંતિ હશે તો જ 'પ્રેમ' થશે.
વર્તમાન
વર્તમાન સમયમાં આ પ્રેમ પ્રતિક દિવસના મૂળ ઉદેશો લુપ્ત થઈ રહૃાા છે. અમારા એક વડીલ મિત્ર ફરિયાદ કરતાં કહે છે કે, આ દિવસ પ્રેમને બદલે છાકટા બનવાનો દિવસ બની ગયો છે. સંત વેલેન્ટાઇન 'શુદ્ધ પ્રેમ'ના હિમાયતી હતા, તેના વિચારમાં વાસના ન હતી. વેલેન્ટાઈ ડે હૃદય સાથે જોડાયેલો પ્રસંગ છે જ્યારે આજે તેને શરીર સાથે જોડી દેવામાં આવ્યો છે.
આપણી આજની ચિંતા સાવ જુદી છે. સંત વેલેન્ટાઇનનો પ્રેમ માત્ર યુવાનો માટે જ છે?
ના.. વડીલોએ પણ પ્રેમની આપલે કરવી જોઈએ. દુનિયાના સંચાલક હોય તેવા નેતાઓ પ્રેમ ભૂલી ગયા છે. દુનિયાના શક્તિશાળી લોકો હવે પોતાની સત્તા અને મહત્તા વધારવામાં વ્યસ્ત થયા છે. અમેરિકા, રશિયા, ચીન અને ભારતના નેતા બેબી બૂમર્સ વયમાં જીવી રહયા છે. ઉધામાં કરતાં નેતાઓને કારણે દુનિયા ઊંધી ચતી થઈ રહી છે. વૃદ્ધ ઓસામા બિન લાદેને આખા અમેરિકાને હચમચાવી નાખ્યું હતું! ૭૫ વર્ષના ડોનાલ્ડ ટ્રમ્પ આખી દુનિયાને પાઠ ભણાવવા નીકળ્યા છે. ૭૫ વર્ષના રશિયન પ્રમુખ પુતીન યુક્રેન જીતવા નીકળ્યા છે. ચીનના પ્રમુખ પણ ૭૫ પ્લસ છે. તેની સેના પણ લડવા માટે જગ્યા શોધી રહી છે. આપણા પીએમ નરેન્દ્ર મોદી પણ ૭૫ વર્ષને આંબી ગયા છે અને અટવાયા કરે છે. વેનેઝુએલાના પ્રમુખ મદુરોને ટ્રમ્પની સેના અપહરણ કરી ગઈ. આ મદુરો પણ દૂધે ધોયેલાં નથી. આખી દુનિયામાં નશીલા પદાર્થોની નિકાસ કરે અને અબજો રૂપિયા ગજવે ઘાલી દેતા હતા. ઇરાનના બેબી બૂમર્સ નેતા અમેરિકા સાથે બાથ ભીડે છે. ડોસા ડોસાઓની લડાઈમાં આખી દુનિયાનો ખો નીકળી રહૃાો છે.
શું આ યુદ્ધખોર નેતાઓને સંત વેલેન્ટાઇનના શાંતિ કે પ્રેમના સંદેશની જરૂર નથી!
વડીલો
માત્ર વૃદ્ધ નેતાઓ જ શા માટે? સામાન્ય વૃદ્ધો પણ જતી જિંદગીએ માનસિક પરિતાપ ભોગવતા જોવા મળે છે. વયોવૃદ્ધ લોકો પણ ઈર્ષા, સંઘર્ષ, દેખાદેખી, સંતાપ શા માટે કરતા હશે? ધીમે ચાલતા વાહનોએ વધુ ગતિશીલ વાહનોને આગળ જવા જગ્યા કરી આપવી જોઈએ. સાસુઓએ વહુ સાથે શાબ્દિક કે શારીરિક ખેંચતાણ શા માટે કરવી જોઈએ. વિશ્વમાં હથિયારોથી લડાતા યુદ્ધો કરતાં જીભથી સર્જાતાં સંઘર્ષો વધુ વ્યાપક અને અશાંતિ સર્જે છે.
સંત વેલેન્ટાઇન જ શા માટે? મહાત્મા ગાંધીજી પણ અહિંસાના પ્રખર હિમાયતી હતા. પ્રેમનો સંદેશ સાંભળવો સહેલો છે, પરંતુ પચાવવો બહુ કપરો છે! કારણ કે, આપણી પાચન શક્તિ મંદ પડી ગઈ છે. ૬૦ પ્લસ વડીલો માટે શરીર સાથ આપતું નથી, ત્યારે સમાજ સાથ ન આપે તો નગુણો કહેવાય. વડીલોએ પણ 'ચાલશે, ફાવશે અને ભાવશે' નું સૂત્ર આત્મસાત કરી લેવું જોઈએ. મદદ ન કરી શકે તો કહી નહીં, નડવાની માનસિકતા છોડી દેવી જોઈએ. બધા ધર્મોથી ઉપર 'છોડી દેવાનો ધર્મ' મહાન ગણવો જોઈએ.
સારાંશ
દુનિયા ક્ષણભંગુર છે. શાંતિની વાતો કરનારા અને યુદ્ધની વાતો કરનારા, બન્ને ચાલ્યા ગયા. માણનાર અને સહન કરનાર બન્ને પણ ઉપર જતા રહૃાા! ફરક એટલો જ છે કે, માણનાર માણી ને ગયા, અને લડનાર પીડાઈને ગયા! શરીરમાં રોગ પ્રવેશે ત્યારે તંદુરસ્તીની કિંમત સમજે. ખિસ્સા ખાલી થાય ત્યારે નાણાની કિંમત સમજાય. ૫૦ની ઉમર થાય ત્યારે યુવાનીની કિંમત સમજાય. 'જગ્યા ત્યારથી સવાર' બહુ મોડું મોડું સમજાય છે. શરીરની ચરબી ઉતરી શકે છે, પરંતુ મગજમાં ઘૂસેલી ચરબી આજીવન ટકે છે.
સંત વેલેન્ટાઇનનો પ્રેમ સંદેશ માત્ર જેન ઝી માટે જ ન સમજવો. બીજો ખાસ ખુલાસો કરવાનો કે, પ્રેમ એટલે માત્ર વાસના જ નહીં. પ્રેમ લાગણી પણ હોવો જોઈએ. પતિ-પત્ની, માં-બાપ, ભાઈ-બહેન, પરિવાર, સમાજ, જ્ઞાતિ, મિત્રો, પરિચિતો, રાજ્યો અને દેશ દેશ વચ્ચે પણ પ્રેમ શક્ય અને જરૂરી છે.
સંતાનોને મોકળાશ આપવી તે વડીલોની ફરજ છે. સમાજમાં સુમેળ રહે, એકતા જળવાય, સમાનતા જળવાય તે માટે વડીલોની ભૂમિકા આધારસ્થંભ સમાન હોય છે. ડોનાલ્ડ ટ્રમ્પ, પુતીન અને શી જિંગ પિંગ.. દુનિયામાં આ ત્રણ વડીલો સંત વેલેન્ટાઇનને ફોલો કરે તો શાંતિ પથરાઈ જાય.
'નોબત'ના સૌ વાચકો અને ચાહકોને અશાંતિ દૂર કરવા, પ્રેમ સંદેશ ફેલાવવા માટે હાર્દિક અનુરોધ છે.
પરેશ છાંયા
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
બાપુના ઉપદેશો સત્ય, પ્રેમ અને કરૂણાના ત્રણ સ્તંભો આધારિત છે
સનાતન ધર્મના મુખ્ય ત્રણ આધાર સ્થંભ છે. (૧) શિવ (૨) કૃષ્ણ અને (૩) રામ.
ભગવાન રામ મર્યાદા પુરૂષોત્તમનું બિરૂદ ધરાવે છે. ભગવાન રામના જીવન આદર્શોને મૂર્તિમંત કરતા ત્રણ સીમાચિન્હ દેશમાં હાલમાં સૌથી વધુ સક્રિય અને માન્ય છે. જેમાં મુખ્ય મશાલચી સમાન (૧) અયોધ્યામાં ભગવાન શ્રી રામનું મંદિર (૨) રામાયણ ગ્રંથ અને (૩) ૯૭૨ રામ કથા કરનાર રામયણી પૂજ્ય મોરારિબાપુનો સમાવેશ થાય છે. મે ત્રણેયનો આસ્વાદ કહો કે પ્રસાદ, માણ્યો છે. ૨૧ મી સદીમાં જો રામ આજે પણ પ્રસ્તુત હોય તો તેના સંદેશવાહક આ બન્ને છે. રામ ભાવ જન જનની નસે નસમાં ભક્તિ સ્વરૂપે વહી રહૃાા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકામાં પૂજ્ય મોરારિબાપુ તેના જીવનની ૯૭૨ મી રામ કથાનું હાલમાં વાંચન કરી રહૃાા છે. આ એક ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ કહી શકાય. એક જ ચરિત્ર ઉપર એક હજાર કથાઓ કરવી તે પણ અદ્ભુત અને મહાન કાર્ય છે. પૂજ્ય બાપુ આને રામના આશીર્વાદ પણ કહે છે. મોરારિબાપુએ એક કથામાં કહૃાું હતું કે, હું જ્યારે શિક્ષક હતો ત્યારે ૨૫-૩૦ વિદ્યાર્થીઓ વર્ગમાં શિસ્તબદ્ધ બેસાડી શકતો ન હતો, આજે હજારો લોકો ૯ દિવસ સુધી મને માનપ ૂર્વક ભક્તિભાવથી સાંભળે તે રામનો ચમત્કાર અને આશીર્વાદ જ કહી શકાય!
મોરારિબાપુનું એક પાસું મને બહુ પસંદ છે. દરેક કથામાં તે વારંવાર અવશ્ય કહે છે કે, 'હું નથી કહેતો કે, તમે માત્ર રામ અને રામયણની જ ભક્તિ કરો, તમારા જે ઇષ્ટદેવ હોય, આરાધ્ય હોય તેની ભક્તિ કરો. ભક્તિમાં અગાધ શક્તિ છે.' તેમણે તેમની કથા દરમિયાન દરેક ધર્મ, પંથ, પ્રથાનો ઉલ્લેખ કરી તેને સન્માન આપ્યું છે. તે ઓશોનો અનેકવાર ઉલ્લેખ કરી ઉદાહરણો આપે છે. તાજેતરમાં મુંબઈ અને દિલ્હીમાં જૈન મનોરથીઓ દ્વારા રામ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું તે મોરારિબાપુની વિશાળતા દર્શાવે છે.
મોરારિબાપુ
ભાવનગર જિલ્લાના તલગાજરડા ગામના મોરારિદાસ પ્રભુદાસ હરિયાણી એક વૈશ્વિક સ્તરે પ્રખ્યાત આધ્યાત્મિક નેતા અને રામચરિત માનસ (રામ કથા) ના કથાકાર છે. ૬૦ વર્ષથી વધુ સમયથી, તેમણે સત્ય, પ્રેમ અને કરૂણાના સાર્વત્રિક સંદેશને ફેલાવવા માટે મહાકાવ્યનો ઉપયોગ કર્યો છે.
તેમનો જન્મ ૨ માર્ચ ૧૯૪૬ (શિવરાત્રિના દિવસે) ગુજરાતના તલગાજરડા ગામમાં થયો હતો. તેમનો ઉછેર તેમના દાદા અને ગુરૂ, ત્રિભોવનદાસ દાદા દ્વારા થયો હતો, જેમણે તેમને રામચરિત માનસ શીખવ્યું હતું. ૧૨ વર્ષની ઉંમર સુધીમાં, તેમણે આખો શાસ્ત્ર કંઠસ્થ કરી લીધો હતો. તેમણે વૈશ્વિક સ્તરે ૯૭૦ થી વધુ કથાઓ કરી છે, જેમાં વેટિકન, એમેઝોન રેઈનફોરેસ્ટ અને ચાલતી ટ્રેનો અને વિમાનોમાં પણ સત્રોનો સમાવેશ થાય છે. હાલમાં દ્વારકામાં કથાનું વિવરણ કરી રહૃાા છે.
ભાવનગર જિલ્લાના તલગાજરડા ગામમાં પ્રભુદાસ હરિયાણી અને સાવિત્રીબેન હરિયાણીને ત્યાં ૬ ભાઈ અને બે બહેનના પરિવારમાં તેમનો જન્મ થયો હતો. તે મનો પરિવાર નિમ્બાર્ક સંપ્રદાય, એક હિન્દુ વૈષ્ણવ પરંપરાનું પાલન કરતો હતો. રામચરિતમાનસ અને ભગવદ ગીતા બંને બાળપણથી જ બાપુના જીવનમાં સમાવિષ્ટ હતા.
બાપુના દાદા અને ગુરૂ ત્રિભુવનદાસે તેમને ગોસ્વામી તુલસીદાસના રામચરિતમાન સના ઊંડા અર્થ શીખવ્યા અને તેમને પવિત્ર ગ્રંથના પાઠ, એટલે કે કથાના વર્ણનના માર્ગ પર દોર્યા. બાપુએ શાળાએ જતી વખતે રામચરિતમાનસ ચોપાઈ (શ્લોકો અથવા દોહા)નું પઠન કર્યું અને આ રીતે તેમની વક્તૃત્વ યાત્રા શરૂ થઈ.
માધ્યમિક શિક્ષણ પૂર્ણ કર્યા પછી, બાપુ જૂનાગઢની શાહપુર શિક્ષક તાલીમ કોલેજ માં જોડાયા. ૧૯૬૬માં, બાપુએ મહુવાની એક પ્રાથમિક શાળામાં શિક્ષણ આપવાનું શરૂ કર્યું.
બાપુની તલગાજરડાની બહાર પહેલી ૯ દિવસની કથા ૧૯૬૬માં ગુજરાતના ગાંથિલા ગામમાં રામફળદાસ મહારાજના આશ્રમમાં હતી. દસ વર્ષ બાદ તેમણે ૧૯૭૬માં કેન્યાના નૈરોબીમાં વિદેશમાં પહેલું પ્રવચન આપ્યું હતું. ગુજરાતમાં કથાઓ ગુજરાતીમાં અને બાકીના ભારતમાં અને વિદેશમાં હિન્દીમાં સંભળાવવામાં આવે છે. રાજસ્થાનના નાથદ્વારામાં નવ દિવસ દરમિયાન બાપુની રામ કથામાં અત્યાર સુધીનો સૌથી મોટો મેળાવડો જામ્યો હતો જેમાં ૧૨ લાખ રામ ભક્તો ઉપસ્થિત રહૃાા.
પ્રવાસ
બાપુએ ભારતમાં અમરનાથ, વૈષ્ણોદેવી, ગંગોત્રી, યમુનોત્રી, કેદારનાથ, બદ્રીનાથ, કુરૂક્ષેત્ર, વ્રજ ચૌરાસી, વારાણસી, પ્રયાગરાજ, હસ્તિનાપુર, નૈમિષારણ્ય, ઉજ્જૈન, ઓમકારેશ્વર, બેટ દ્વારકા, પુષ્પનાથ, પુષ્પનાથ મંદિર સહિત ભારતના મુખ્ય વિસ્તારો અને તીર્થસ્થાનોનો પ્રવાસ કર્યો છે. સોમનાથ, વૈષ્ણોદેવી, અંબાજી અને અયોધ્યાનો પણ સમાવેશ થાય છે. કેટલીક વિદેશી કથાઓમાં ટોરોન્ટો, એટલાન્ટા, પનામા, એમેઝોન રેઈનફોરેસ્ટ, લંડન, પેરિસ, સ્વિટ્ઝર્લેન્ડ, વેટિકન સિટી, એથેન્સ, દક્ષિણ આફ્રિકા, મોરેશિયસ, જોર્ડન, અબુ ધાબી, દુબઈ, રક્ષાસ્તાલ, કૈલાશ, ભૂશુન્ડી સરોવર, મોસ્કો, કંબોડિયા, મલેશિયા, હિમા, મલેશિયા, સાઉથ, બાઈક અને ન્યૂઝીલેન્ડ, સયુંકત રાષ્ટ્ર સંઘનો સમાવેશ થાય છે. ન્યુઝીલેન્ડનો બાપુની અન્ય અનોખી કથાઓમાં સમાવેશ થાય છે. એક કથા ક્રુઝ શિપમાં અને ફ્લાઈટમાં સવાર થઈને કરી હતી. ૭૭મા ભારતીય સ્વતંત્રતા દિવસ પર કેમ્બ્રિજ યુનિવર્સિટી કેમ્પસમાં કથામાં યુકેના વડાપ્રધાન ઋષિ સુનકે હાજરી આપી અને શ્રોતાઓને જય સિયા રામ સાથે શુભેચ્છા પાઠવી. કેદારનાથથી સો મનાથ સુધી ૧૮ દિવસમાં ટ્રેન દ્વારા ૧૨૦૦૦ કિમીની ૧૨ જ્યોતિર્લિંગ કથા યાત્રા પણ કરી છે. રામ મંદિર પ્રતિષ્ઠા સમારોહની ઉજવણી માટે અયોધ્યામાં પણ રામ કથા કરી હતી. તેમણે તાજેતરમાં આયોધ્યાથી લંકા સુધીની ટ્રેન અને પ્લેન દ્વારા યાત્રા કરી રામના પ્રવાસ સ્થળો ઉપર કથા કરી હતી.
બાપુ રામ કથાના પાઠ માટે કોઈ શુલ્ક લેતા નથી. તેમના ઉપદેશો નાણાકીય કે અન્ય પ્રતિબંધો વિના, ઉંમર, લિંગ, જાતિ, સંપ્રદાય અથવા સામાજિક દરજ્જાને ધ્યાનમાં લીધા વિના, દરેક માટે ખુલ્લા છે. મોરારિબાપુની કથામાં ભોજન પણ ખુલ્લા મને પીરસવામાં આવે છે. રોજ હજારો લોકો ભોજન ગ્રહણ કરે છે.
ચર્ચા
મોરારિબાપુ તેની કથા બાબતે અનેકવાર ચર્ચામાં પણ રહે છે. એક બાબત એવી પણ છે કે, મોરારિબાપુ રામ કથા ઓછી કરે છે અને ઈતર વાતો વધુ કરે છે. બાપ ુએ તેનો પણ જવાબ બહુ સરસ રીતે આપ્યો હતો. બાપુએ કહૃાું કે, રામ કથા તો અનંત છે, હવે રામના જીવન અને કાર્યોનો મર્મ સમજવાની જરૂર છે, જે હું વિવિધ ઉદાહરણો દ્વારા રજૂ કરવાનો પ્રયાસ કરૃં છું. 'રામ' એક ફિલિસોફી છે જે સતયુગ અને કળયુગ, બંનેમાં યથાર્થ છે.
બાપુની કથા શૈલી એકદમ જીવંત અને રસાળ હોય છે. પત્રો અને ચિઠ્ઠીઓના પણ અર્થસભર પ્રત્યુત્તર આપે છે. ક્યારેક પત્ર લેખકો આલોચના કરે ત્યારે બાપુ મર્મગ્ન્ જવાબ આપે છે.
મુખ્ય તત્ત્વજ્ઞાનમાં તેમના ઉપદેશો સત્ય (સત્ય), પ્રેમ (પ્રેમ) અને કરૂણા (કરૂણા) ના ત્રણ સ્તંભો પર બનેલા છે. તેઓ રામાયણને ધાર્મિક વિધિઓના સમૂહને બદલે નૈતિક માર્ગદર્શક તરીકે જુએ છે.
સંગીતની દુનિયા
સંગીતની દુનિયાએ મોરારિબાપુ અને તેમના આશ્રમ, ચિત્રકુટધામ તલગાજરડા સાથે સંકળાયેલ સત્તાવાર મીડિયા પાંખ છે, જે ગુજરાતના ભાવનગર જિલ્લાના મહુવામાં સ્થિત છે. કથા દરમિયાન વ્યાસપીઠ ઉપર દેખાતા શાંત, સરળ અને ભક્તિમય શ્રી નિલેશભાઈ વગાડીયા તેના ધરોહર છે. તે બાપુની કથાના પ્રચાર-પ્રસાર માટે આદરપૂર્વક સક્રિય રહે છે. બાપુની કથાના બધા હક્કો સં ગીતની દુનિયા પાસે રહે છે. આ સંસ્થા શ્રી ચિત્રકુટધામ ટ્રસ્ટના માર્ગદર્શિકા હેઠળ કાર્ય કરે છે અને તેનું સંચાલન નીલેશ સંગીત ભવન દ્વારા કરવામાં આવે છે. બાપુ સાથે સંગીતમાં સાથ આપતા કલાકારો પણ દાયકાઓથી બાપુ સાથે સંકળાયેલા છે અને બાપુના ઇશારા માત્રથી દુહા, છંદ, ચોપાઈ, ગીતો ઉપાડી લે છે.
જામનગર
મોરારિબાપુએ જામનગર જિલ્લા સાથે અતૂટ નાતો જોડી રાખ્યો છે. દર વર્ષે ગીતા જયંતીના દિવસે તે અચૂક જોડિયા આવે છે. જોડિયામાં ૩૨ વર્ષથી રામ ક્રિષ્ન સાધના ટ્રસ્ટ દ્વારા રામચરિત માનસના અખંડ પાઠ ચાલી રહૃાા છે. આ ગીતા વિદ્યાલયના વિરાગ મુનીએ વર્ષો પહેલા બાપુને આમત્રંણ આપ્યું હતું અને દર ગીતા જયંતીએ ઉપસ્થિત રહેવા વિનંતી કરી હતી, જે બાપુએ સ્વીકારી હતી, અને વચન પાલન તરીકે વર્ષોથી બાપુ અચૂક અહી હાજરી આપે છે. ગીતા વિદ્યાલયની બીજી પણ વિશેષતા બાપુ સાથે જોડાયેલી છે. બાપુની કથા મંડળીના મોટાભાગના ગાયક અને સંગીતકારો જોડિયાના આ ગીતા વિદ્યાલયમાં શિક્ષણ મેળવી બાપુ સાથે જોડાયેલા છે!
રામચરિતમાનસ
રામચરિત માનસ અનેક લેખકો દ્વારા આકાર પામ્યું છે. તેમાં વાલ્મીકિ લિખિત રામાયણ પ્રચલિત છે. તુલસીદાસે પણ રચના કરી છે. રામચરિત માનસના પ્રારંભમાં જ તુલસીદાસે રામકથાના ઉદગમની વાત કરી છે. એમણે કહૃાું છે કે, મૂળમાં આ કથા શંકર ભગવાને પાર્વતીને કહી છે. પછી યાજ્ઞવલ્કયએ ભારદ્વાજને સંભળાવી છે. તે પછી કાકભુશુંડીએ ગરૂડને એની એ જ કથા કહી સંભળાવી હતી. તુલ સીદાસે લખ્યું છે કે, રામના અનેક પ્રકારના અવતારો થયા છે અને હજી સુધી સહસ્ત્ર પ્રકારની રામાયણો લખાઈ છે. છતાંય તુલસીદાસે રામચરિત માનસના કથાનકને જટિલતાથી મુક્ત રાખ્યું છે. રામની આ વિસ્તૃત કથા ચૌદ વર્ષના વનવાસ દરમિયાન ચાલ્યા કરે છે. તેની સાથે સાથે અનેક કથા-તંતુઓ ગરૂડ અને કાકભુશુંડીનો સંવાદ, 'શિવ-ચરિત્ર', 'શિવ-પાર્વતી સંવાદ' યાજ્ઞવલ્ક્ય-ભારદ્વાજ વગેરે સંવાદ વણી લેવામાં આવ્યા છે.
નામ રૂપ જૂજવા
રામના જીવન બાબતે અનેક કથાઓ વિવિધ સ્વરૂપોએ પ્રચલિત છે. 'નામ રૂપ જૂજવા' ભલે હોય, અંતે તો હેમનું હેમ જ છે. રામને જેટલી વાર વાંચીએ તેટલી વાર અલગ અલગ અનુભવ અને દર્શન થાય છે. રામાનંદ સાગરની રામાયણ આપણાં માનસ પટલ ઉપર છવાયેલી છે. તાજેતરમાં જામનગરમાં વક્તવ્ય આપવા આવેલા અમીબેન ગણાત્રાએ બહુ સરસ કહૃાું હતું કે, રામાયણ શ્રેણીમાં રામાનંદ સાગરે રામને જેટલા 'એક્સપ્રેશન લેસ' બતાવ્યા હતા તેટલા પ્રમાણમાં રામ ભાવ વિહીન હતા નહીં! આપણાં માનસમાં રામ તરીકે અઋણ ગોવિલ જ છપાઈ ગયા છે. રામનું ચરિત્ર કેલિડોસ્કોપ જેવુ છે, જ્યારે જુવો ત્યારે અલગ અલગ નજરે ચડે.
'નોબત'ના વાચકો અને ચાહકોને.. જય શ્રી રામ.
પરેશ છાંયા
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આપણે સ્પીડ બ્રેકરની સાઇઝ, ડિઝાઇન કે આકાર હજુ નક્કી નથી કરી શક્યા!
ભારતમાં સાક્ષરતાનું પ્રમાણ ખૂબ સરસ રીતે વધી રહૃાું છે, સામે પક્ષે ડ્રાઇવિંગ ક્ષેત્રે અણઘડતા પણ માઝા મૂકી રહી છે. બેફામ ડ્રાઇવિંગ હવે સ્ટેટસ સિમ્બોલ હોય તેમ લાગી રહૃાું છે. ધનિકો સાથે માધ્યમ અને નીચલા વર્ગના યુવાનોએ બેદરકારીથી, સીનસપાટા કરી માર્ગોને મોતનું મધ્યમ બનાવી દીધા છે. જેન-ઝી કહેવાતી શિક્ષિત પેઢી છે, પરંતુ વાહન ચલાવવામાં અંગૂઠા છાપ પુરવાર થઈ રહી છે. અહીં યુવા પેઢી વિશે જ્યારે ઉલ્લેખ કરવામાં આવે ત્યારે માત્ર ૫ કે ૧૦ ટકા યુવાનોને છાકટા કે બેફામ માનવા. આ નાની સંખ્યા માર્ગો ઉપર હાહાકાર મચાવી રહી છે. ૧૪૦ કરોડની વસ્તીમાં માત્ર બે કે ચાર કરોડ લોકો જ વાહનો બેફામ ચલાવે છે, પરંતુ જાણે આખા દેશને બાનમાં લીધો હોય તેવું ભયંકર ચિત્ર ઉપસી રહૃાું છે. આપણે વિદેશી ગાડીઓ વસાવી રહૃાા છીએ, પરંતુ દેશી માનસિકતા છોડી નથી શકતા! આજે આપણે અહીં માત્ર શહેરી ટ્રાફિક સમસ્યા બાબતે જ એન્જિયોગ્રાફી કરી છે. હાઇવે અને મોટા વાહનોની સમસ્યા બાબતે ભવિષ્યમાં ચર્ચા કરીશું.
કારણ
આજે અંધાધૂંધ ટ્રાફિક અંગે લખવાનું કારણ એ છે કે, આ લેખકના ટ્વીટને કારણે ગુજરાત સરકાર જાગી અને કાર અને તેથી ઉપરના વાહનોમાં હાઇ બીમ લાઇટો ઉપર પ્રતિબંધ મૂકી દીધો તે છે. ગુજરાતના ધોરીમાર્ગો ઉપર રાત્રિના સમયે એલ.ઇ.ડી. અને હેલોજન લાઇટો વાપરવાને કારણે અસંખ્ય અકસ્માતો થાય છે. જવાબદાર વાહનચાલકોની આંખ પણ અંજાઈ જાય છે અને અકસ્માત સર્જાય છે. ગુજરાતના હજારો કિલોમીટરના માર્ગો ઉપર કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીઓ, ધારાસભ્યો, સચિવો, અધિકારીઓ પ્રવાસ કરતાં હોવા છતાં આ સમસ્યા આટલા વર્ષોમાં કેમ ન દેખાણી તે મોટો સવાલ છે! દેશના આ સંચાલકોએ ૨૪ કલાક અને ૩૬૫ દિવસ જાગતા રહેવું જોઈએ. રાત્રે પ્રવાસ કરતા સમયે પણ આવું માર્કિંગ કરવું જોઈએ. ધોરીમાર્ગો ઉપરની સમસ્યા દિનબદિન ગંભીર બની રહી છે. કેન્દ્રના મંત્રી નીતિન ગડકરીજી ખૂબ સરસ કામ કરી રહૃાા છે, પરંતુ ધોરીમાર્ગોની મૂળભૂત સમસ્યાઓ તેમને દેખાતી નથી. માર્ગો ઉપર આજે પણ પશુઓ ભટકી રહૃાા છે, તેમને કારણે પણ મુસાફરી જોખમી બની છે. રાજ્યના માર્ગ મંત્રી શું કરે છે તે ખબર જ નથી પડતી!
રાજ્યના માર્ગો ઉપર હાઇ બીમ અને હેલોજન જેવી પ્રાણઘાતક લાખો લાઇટો ફરવા લાગી ત્યારે ગુજરાતના હોનહાર મંત્રી હર્ષ સંઘવી જાગ્યા! અત્યાર સુધી શું કરતા હતા! શું તે રાત્રે પ્રવાસ કરતા જ નથી? વાહન વ્યવહાર વિભાગના અધિકારીઓ શું રાત્રે પ્રવાસ કરતા જ નથી? વાહનોમાં માત્ર લાઇટનો જ પ્રોબ્લેમ નથી. બીજા અનેક પ્રશ્નો છે. ટ્રાફિક પોલીસ અને આર.ટી.ઓ. માત્ર ગણ્યા ગાંઠ્યા નિયમોના ભંગ ન થાય તે માટે દોડે રાખે છે. વાહનોની લાઇટો બાબતે જરા પણ મગજ દોડાવતા નથી. હવે સરકારને આવકનું નવું સાધન મળી ગયું. હાઇ બીમ અને હેલોજન લાઇટોવાળા વાહનોને દંડીને જંગી આવક ઊભી કરશે.
વાસ્તવમાં આવી અમાન્ય લાઇટોના ઉત્પાદન ઉપર જ પ્રતિબંધ મૂકી દેવો જોઈએ.
આર.ટી.ઓ.
રોડ ટ્રાન્સપોર્ટ ઓફિસ બિચારી જન્મથી નીતિ, નિયમો અને અરાજકતામાં જીવે છે. આ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ વિચારે તેનાથી દુનિયા અનેક ગણી આગળ વધી ગઈ છે. આ વિભાગ જ્યારે કોઈ નવો નિયમ બનાવે ત્યારે બજારમાં પ્રથા જ ધરમૂળથી બદલાઈ ગઈ હોય છે. પેટ્રોલ-ડિઝલના વાહનોના નિયમો માંડ અસરકારક બન્યા ત્યાં સી.એન.જી. વાહનો આવી ગયા. સી.એન.જી.ના નિયમો માંડ બન્યા ત્યાં ઇલેક્ટ્રિક વાહનો આવ્યા. આ સિસ્ટમ સમજતા હતા ત્યાં હાઇબ્રિડ વાહનો દોડવા લાગ્યા! કોને ક્યાં નિયમો લાગુ પડે તે હજુ ૧૦૦ ટકા નક્કી નથી. મોટા વાહનોમાં યુરિયા નાખવાની સિસ્ટમનું શું કરવું? પ્રદૂષણ મૂક્ત અથવા એફિસિયન્ટ યુરો-સિક્સ એટલે કે ભારત- સિક્સ એન્જિનો આવ્યા તો પણ પી.યુ.સી. શા માટે લેવું પડે તે સામાન્ય વાહન ચાલકોને સમજાતું નથી. ટેસ્લા અને બી.વાય.ડી. જેવી વિદેશી ગાડીઓ માટેના નિયમો હજુ ચાંચૂડી ઘડાવે છે ત્યાં ડ્રાઈવરલેસ કારના આગમનની છડી પોકારાઈ રહી છે. ડ્રાઈવરલેસ કાર અકસ્માત સર્જે તો ગુન્હો કોની ઉપર નોંધવો?
ટ્રાફિક સલાહકાર સમિતિ
રાજ્ય સરકારે ઉત્તમ આદર્શ સાથે દરેક જિલ્લાઓમાં 'ટ્રાફિક સલાહકાર સમિતિ' ની રચના કરી છે. જેમાં શહેરના શ્રેષ્ઠીઓ સમયોચિત સલાહ આપે. જામનગરની સતત વકરતી આ સમસ્યાને અનુભવીને લાગે છે કે, આ સમિતિ શું સલાહ આપતી હશે? ટ્રાફિક સલાહકાર સમિતિને માર્ગો ઉપર દબાણો કેમ દેખાતા નથી. જામનગર માટે માથાના દુખાવા રૂપ બનેલા ખોડિયાર કોલોની રોડ ઉપર ટ્રાફિક હળવો કરવા માટે ટ્રાફિક સલાહકાર સમિતિ તદ્દન નિષ્ક્રિય બની છે. વર્તમાન સમયમાં કરોડોના ખર્ચે કરવામાં આવેલું બ્યુટીફીકેશન રોડ પહોળો કરવા માટે હવે પાડીને પાદર કરી નાખવું પડશે. આ લેખક આગાહી કરે છે કે, ખોડિયાર કોલોની રોડ પહોળો કરવામાં આવશે તો બે કે ત્રણ વર્ષ પછી ટ્રાફિક સમસ્યા ફરી જેમની તેમ બની જશે. રોડ પહોળો કરવાની સાથે ભારે વાહનો ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ. ફક્ત નાની બસો જ અવરજવર કરી શકવી જોઈએ. ટ્રાફિક સલાહકાર સમિતિની બેઠકોની નોંધ મીડિયા દ્વારા સાર્વજનિક કરવી જોઈએ. જિલ્લા પોલીસવડા પણ આ મહત્ત્વની સમિતિને ગંભીરતાથી લેતા હોય તેમ લાગતું નથી. પોલીસ વિભાગની જેમ મહાનગર પાલિકામાં પણ ટ્રાફિક સલાહકાર સમિતિ હોવી જોઈએ!
દંડ
વર્તમાન સરકાર 'દંડ પ્રિય' છે. વાહનચાલકો આજની તારીખે પણ નક્કી નથી કરી શકતા કે હેલમેટ પહેરવી કે ન પહેરવી? પોલીસ દાદાને ઈચ્છા થાય ત્યારે મેમો ફડવા લાગે છે. કર્કશ હોર્ન, અવાજ કરતા સાઇલન્સર અને કાચ ઉપર કાળી ફિલ્મો લગાવવા માટે દંડ કરવામાં આવે છે, પરંતુ તેના વિક્રેતાઓને દંડ કે સજા કરવામાં કેમ નથી આવતી? જામનગરમાં લાલ બંગલાથી લીમડા લાઇન સુધીનો રસ્તો ક્યારે વન-વે હોય છે અને ક્યારે ખુલ્લો હોય છે તે આજે પણ ખબર નથી પડતી. પોલીસ ઈચ્છે ત્યારે કેમેરા દ્વારા ઇ મેમો ફાડવા લાગે છે. જાહેર માર્ગ ઉપર વાહન રાખો તો પોલીસ દંડ કરે અને રેકડી રાખો તો મહાનગરપાલિકા દંડ કરે. આમ એક જ સ્થળે એક જ પ્રકારના પાર્કિંગ માટે બે વિભાગો કાર્યવાહી કરે તે ગજબ કહેવાય. મોટાં શહેરો હવે દબાણોથી ગ્રસ્ત થઈ ગયા છે. જ્યારે મુખ્યમંત્રી કે વડાપ્રધાન આવે ત્યારે જ દબાણો થોડા સમય પૂરતા હટાવવામાં આવે છે.
વાહનોમાં સરકાર માન્ય નંબર પ્લેટ હોવી જોઈએ તેવો નિયમ હોવા છતાં અસંખ્ય વાહનો ફેન્સી નંબર પ્લેટ લગાવી ફરે છે. સરકાર સુવિધાઓ આપવામાં ઊણી ઉતરે છે અને વાહન ચાલકોને દંડીને શૂરવીર બને છે.
સંખ્યા
દેશમાં વાહનોની સંખ્યા કુદકે અને ભૂસકે વધી રહી છે. વર્તમાન અંદાજ અનુસાર દેશમાં ૨૨ થી ૨૫ કરોડ દ્વિ ચક્રી વાહનો, ૭ કરોડ ફોર વ્હીલ સહિત અલગ અલગ પ્રકારના તમામ વાહનો મળી ૩૫ થી ૪૦ કરોડ વાહનો છે. ગુજરાતમાં અંદાજે ૨.૫ કરોડ દ્વિ ચક્રી, ૫૦ લાખ ફોર વ્હીલ છે. ગુજરાતમાં નાના-મોટા મળી કુલ પાંચ કરોડ વાહનો છે.
સરકાર અનેક નવા રસ્તા બનાવે, ફ્લાય ઓવર અને અંડર બ્રિજ બનાવે છે તો પણ ટ્રાફિક સમસ્યા હળવી થતી નથી. કેન્દ્ર અને રાજ્ય સરકાર જો વાહનોની ખરીદી ઉપર અંકુશ નહીં મૂકે તો ભવિષ્યમાં મોટી અંધાધૂંધી થવાની શક્યતા રહેલી છે.
રાજ્યમાં સામૂહિક પરિવહન સિસ્ટમ બહુ કંગાળ છે. અમદાવાદમાં મેટ્રો સારી ચાલે છે. બી.આર.ટી.એસ. સિસ્ટમ નિષ્ફળ ગઈ છે. શહેરના મુખ્ય માર્ગો આ કારણે સાંકડા બની ગયા છે. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ જેવા શહેરોમાં તો ટ્રાફિક સમસ્યા બહુ વકરી છે છતાં વાહનોનું વેચાણ જરા પણ ઘટ્યું નથી.
વિશ્વ
સમગ્ર વિશ્વમાં વાહનો વેંચવાની હોડ લાગી છે. મોટર ઉત્પાદન કંપનીઓ તગડો નફો કમાઈ રહી છે. દક્ષિણ કોરિયાની મોટી કાર કંપની હ્યુન્ડાઈ ભારતમાં અત્યાર સુધીનો સૌથી મોટો પબ્લિક ઇશ્યૂ લાવી અને અબજો રૂપિયા ગજવે ઘાલી દીધા!ભારતનું બજાર, ભારતના નાણા અને નફો કોરિયા તણાઇ ગયો! ૨૦૨૫ ના અહેવાલ અનુસાર દુનિયામાં ૮૭૭ કાર નિર્માતા કંપનીઓ છે. જેમાં ૧૦૦ કંપનીઓ સમગ્ર વિશ્વમાં પથારો ધરાવે છે.
ભારતના સમૃદ્ધ ઓટો મોબાઈલ બજારમાં હાલમાં ૩૫ થી વધુ કાર બ્રાન્ડ્સ છે. આમાં સ્થાનિક દિગ્ગજો અને વૈશ્વિક ઉત્પાદકોનું મિશ્રણ શામેલ છે જે દેશમાં એસેમ્બલી અથવા ઉત્પાદન પ્લાન્ટ ચલાવે છે.
જ્યારે ભારતમાં ડઝનબંધ બ્રાન્ડ્સ વેચાય છે, ત્યારે ઉત્પાદન ક્ષેત્ર મુખ્ય ખેલાડીઓના નાના જૂથ દ્વારા પ્રભુત્ત્વ ધરાવે છે. ટેસ્લા સહિત નવી ચાર કાર કંપનીઓ ભારતમાં પ્રવેશવા માટે થનગની રહી છે.
પ્રશ્ન
ભારતમાં ગરીબી અને મોંઘવારી પછીની કોઈ મોટી સમસ્યા હોય તો તે ટ્રાફિકની છે. હું કોઈ જ્યોતિષી નથી, છતાં આગાહી કરી શકું છું કે, આગામી સમયમાં આ સમસ્યા વધુ વકરશે અને ટ્રાફિક જામ રોજિંદી બાબત બની જશે. ગુજરાતમાં પાન મસાલા કે ભેળ ખાવા માટે પણ લોકો કિમતી ઈંધણ બાળીને ૨૫-૫૦ કિલોમીટર દૂર જાય છે. એક સમયે તુફાન ગાડી મોતનું વાહન ગણાતી હતી તેનું સ્થાન આજે થાર ગાડીએ લીધું છે! દેશી રસ્તાઓ ઉપર વિદેશી ગાડીઓ માતેલા સાંઢની જેમ દોડી રહી છે.
સમસ્યાનો ઉકેલ એક જ છે કે, આગામી દસ વર્ષ માટે કારના વેચાણ ઉપર અંકુશ મૂકી દેવો જોઈએ. જે વિકાસ માઈન્ડસેટવાળી સરકારને ગળે ઉતરે તેવી વાત નથી. આપણે ૨૧ મી સદીમાં પણ રોડ ઉપરના સ્પીડ બ્રેકરની સાઇઝ, ડિઝાઇન, જગ્યા જે આકાર નક્કી નથી કરી શક્યા તે બહુ આશ્ચર્યજનક છે.
'નોબત'ના વાચકો અને ચાહકો જવાબદાર વાહન ચાલક બને અને સલામત અને નિયમ અનુસાર વાહનો ચલાવે તેવી હાર્દિક અપીલ.
૫રેશ છાંયા
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગુજરાતમાં ઠાકરે, શિંદે કે પવાર જેવા શક્તિશાળી નેતાઓનો અભાવ
ભારતીય જનતા પક્ષનો મહારાષ્ટ્રમાં જયજયકાર થઈ ગયો. મરાઠી માનુષ પછી હવે ગરવા ગુજરાતીઓનો વારો છે. નજીકના મહિનાઓમાં આખા રાજ્યને અસર કરતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે. નગારે ઘા થઈ ચૂક્યો છે. મહારાષ્ટ્ર કરતા ગુજરાતનું રાજકારણ, માનસિકતા, સમાજ વ્યવસ્થા અને આર્થિક ગણિત સંપૂર્ણ જુદા છે. ગુજરાતીઓની છાપ 'વેપારી' તરીકેની હોવા છતાં મતદારો હજુ વેપારી જેવી માનસિકતા રાખતા નથી. નફા નુકસાનનો હિસાબ કર્યા વગર ભાજપને ત્રણ દાયકાથી સત્તા આપે છે. ગુજરાતમાં રાજકીય ક્ષેત્રે હવે ભાજપ સિવાય કશું બચ્યું નથી. વિપક્ષ છે, પરંતુ પરપોટા જેવો છે, લાંબુ અને મજબૂત રીતે ટકતો જ નથી. પ્રજા વેપારી હોય કે ન હોય, રાજકારણીઓ પાક્કા વેપારી જ છે. જીસ તડ મેં લડ્ડુ, ઉસ તડ મેં હમ! નરેન્દ્ર મોદી પણ ગુજરાતીઓની નાડ પારખી ગયા છે, નફાની લાલચે આખી કોંગ્રેસ ભાજપ ભેગી થઈ ગઈ છે!
તફાવત
મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકારણમાં શું તફાવત છે? ગુજરાતમાં ભાષા વિવાદ નથી, શિવસેના નથી, શરદ પવાર કે શિંદે પણ નથી! મુંબઇમાં મેયર પદ મેળવવા માટે ભાજપે ૩ દાયકા સુધી રાહ જોવી પડી, હજુ પણ મુંબઇમાં સંપૂર્ણ બહુમતી મેળવી શકી નથી. ગુજરાતમાં ત્રણ દાયકાથી એકહથ્થુ શાસન છે. મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદ પામવા માટે નરેન્દ્ર મોદી અને અમિત શાહે અવનવા ખેલ કરવા પડ્યા, શિવ સેનાના વર્ચસ્વને તોડવા માટે આકાશ-પાતાળ એક કરવા પડ્યા છે. મરાઠીઓને ખુશ કરવા માટે નીતિમત્તા કોરાણે મૂકવી પડી છે. રાજકીય કાવાદાવા ચરમસીમાએ કર્યા પછી જયજયકાર મળ્યો છે.
ગુજરાતમાં મતદારો માત્ર ભાજપ પક્ષ અને નરેન્દ્ર મોદીને જ જુવે છે. બાકી બધું ગૌણ છે. ભાજપના પાયાના પથ્થર અને લોકપ્રિય નેતા કેશુભાઈ પટેલે ભાજપથી અલગ થઈ 'ગુજરાત પરિવર્તન પાર્ટી' નામનો જુદો ચોકો કરી ભાજપ સામે ચૂંટણી લડી તો ખરાબ રીતે પાર્ટી હારી ગઈ હતી. તેના પક્ષને માત્ર બે બેઠક મળી, જેમાં પોતે વિસાવદરથી અને નલિન કોટડીયા અમરેલીથી જીત્યા હતા. ગુજરાતમાં કોંગ્રેસ હવે મૃતપ્રાય બની ગઈ છે, આમ આદમી પાર્ટી નાના બાળક જેવા મુદ્દાઓ લઈ ફરે છે. ગુજરાતમાં ઉદ્ધવ અને રાજ ઠાકરે, અજીત પવાર, એકનાથ શિંદે કે શરદ પવાર નથી! બીજી રીતે કહીએ તો આપણે ત્યાં ટક્કર આપે તેવા કોઈ નેતા મોદી સામે નથી.
આ લેખક આજની તારીખે આગાહી કરે છે કે, ગુજરાતની આગામી સમયમાં યોજાનારી મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીમાં ફરી એકવાર ભાજપનો ભગવો લહેરાશે!
ચૂંટણી
ગુજરાતમાં આગામી ચાર માસમાં ૧૫ મહાનગરપાલિકા, ૮૧ નગરપાલિકા, ૩૦ જિલ્લા પંચાયત અને ૨૫૦ તાલુકા પંચાયતની ચૂંટણી થશે. આ તમામ ચૂંટણી રાજ્યના ૧૮૨ વિધાનસભા બેઠક પૈકી ૧૭૦ બેઠકને સીધી અસર કરશે. ગુજરાતમાં ભાજપને બદલે હવે 'નમોપા' અસ્તિત્વમાં હોય તેવું લાગી રહૃાું છે 'નમોપા' એટલે 'નરેન્દ્ર મોદી પાર્ટી' એવું લોકો કટાક્ષમાં બોલી રહ્યા છે. ગુજરાતમાં મુખ્યમંત્રીની ખુરશી પણ તે ઈચ્છે તેટલો સમય જ રહે છે. ગુજરાતના રાજકારણીઓ અને સામાન્ય લોકો, બધા જાણે છે કે, ગુજરાતમાં ભાજપનું મંત્રીમંડળ મોદી-શાહના ઇશારે જ ચાલે છે. મતદારો પણ જાણે છે કે, ગુજરાતના રાજકારણમાંથી મોદી ફેક્ટર નીકળી જાય તો, હાલમાં જંગી લીડથી જીતેલા નેતાઓને ડિપોઝિટ બચાવવાના ફાંફાં પડી જાય!
આંદોલન
ભારતની રાજનીતિ અને રાજકારણ આંદોલનો આધારિત હતું અને છે. અંગ્રેજો સામે આંદોલન કરનાર કોંગ્રેસે દાયકાઓ સુધી રાજ કર્યું. મોંઘવારી અને રામ જન્મભૂમિ આંદોલન કરનાર ભાજપ અત્યારે દેશમાં સર્વે સર્વા છે. અનામત આંદોલન કરનાર લોકો પણ રાજ કરી ગયા. અરવિંદ કેજરીવાલ પણ અન્ના હજારેના આંદોલનની ઉપજ છે. પાટીદાર અનામત આંદોલનને કારણે મુખ્યમંત્રી આનંદીબેન પટેલની સત્તા જતી રહી અને હાર્દિક પટેલ ધારાસભ્ય બન્યા!
એક સમયે રાંધણ ગેસના ભાવમાં થોડો વધારો થતો તો પણ સ્મૃતિ ઈરાની ધમાલ મચાવી દેતા હતાં. ભારતીય જનતા પક્ષે આંદોલનો દ્વારા જ દિલ્હીની ગાદી સર કરી છે.
આજે અહી આંદોલનો દ્વારા સફળતાનો ઇતિહાસ લખવાનું કારણ આમ આદમી પાર્ટીનો પ્રવેશ છે. ગુજરાતમાં દ્વિપક્ષીય રાજકારણ ચાલતું આવ્યું છે. ત્રીજો પક્ષ જીતી નથી શકતો. જો કે, હવે કોંગ્રેસ નેપથ્યમાં ધકેલાઇ ગઈ છે એટલે ગણિતના આંકડા ફરી લખવા પડે તેમ છે. આમ આદમી પાર્ટી જ્યારે ભાજપના મત તોડી શકશે ત્યારેજ વિજયની વરમાળ ધારણ કરી શકશે.
ગુજરાતમાં આપ હજુ આક્રમક બની નથી. આંદોલનો કરવાને બદલે જાહેર સભ્યોમાં હાકલા પડકારા કરે છે, પરંતુ મોંઘવારી, ભ્રષ્ટાચાર, અવ્યવસ્થા સામે રોડ ગજવતી નથી. આમ આદમી પાર્ટી શાહુકારોની લાજ કાઢવાનું બંધ કરવું પડશે! તેના નેતાઓને હજુ ગ્રામ્ય સમસ્યાઓનો જ ખ્યાલ હોય તેવું, લાગે છે. મહાનગરપાલિકાઓ જીતવા માટે શહેરી પ્રશ્નો પણ ઉઠાવવા જોઈએ.
ગુજરાતમાં વિકાસની જાકમઝોળ જાહેર કરવામાં આવે છે તેટલી સમૃદ્ધિ છે ખરી? બીજીતરફ રાજ્યમાં પાથરણાવાળા અને રેકડીઓના દબાણો બેફામ વધી રહૃાા છે તે ગરીબી વધવાની નિશાની છે. આમ આદમી પાર્ટી વાઇબ્રન્ટ ગુજરાતના આંકડાઓ સામે કેમ ચૂપ છે? માત્ર જાહેર સભાઓ કરવાથી ગુજરાત જીતી નહીં શકાય.
કોંગ્રેસ
ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ બાબતે ચર્ચા કરવા જેવું કશું બચ્યું જ નથી. કેન્દ્રીય નેતાગીરી જ્યાં નબળી પડતી હોય, ચૂંટણીઓ સતત હારતી હોય ત્યાં જામનગર, રાજકોટ કે અમદાવાદમાં શું ઉકાળી શકે? ગુજરાતમાં હવે જ્ઞાતિવાદ પણ ચાલતો નથી. જામનગર તેનું ઉત્તમ ઉદાહરણ છે. આથી કોંગ્રેસ અને આપ પાસે આ કાર્ડ પણ રહૃાું નથી.
જામનગર
એક સમયના પેરિસ અને ધાર્મિક દૃષ્ટિએ છોટીકાશી નામ ધારણ કરતાં જામ સાહેબના જામનગરમાં પણ મહાનગરપાલિકાની ચૂંટણી તોળાઈ રહી છે. અહી કોંગ્રેસ કે આપનું પત્તું નબળું પડે છે. ભાજપ પક્ષે નરેન્દ્ર મોદીના નામની પાક્કી રોન છે, હુકમનો એક્કો છે અને વાઇલ્ડ કાર્ડ પણ છે. જામનગર પાસે કોઈ મોટા, પ્રતિભાશાળી કે રાષ્ટ્રીય નેતા નથી. મોદી સાહેબ પણ બહુ ધ્યાન દેતા હોય તેમ લાગતું નથી! પ્રશ્નોની વણઝાર છે, ગંદકી, દબાણો, સિટી બસ, ઘન કચરાનો વ્યવસ્થિત નિકાલ મનપામાં ઉમેરાયેલા નવા વિસ્તારોમાં પાયાની સુવિધાઓ, દૈનિક પાણી વિતરણ ઝડપી ઉકેલ માંગે છે. લોકસભાની ચૂંટણી સમયે નરેન્દ્ર મોદી દેશના અનેક રેલવે સ્ટેશનો સાથે જામનગરના રેલવે સ્ટેશનને પણ નવું બનાવવા માટે ભૂમિપૂજન કર્યું હતું. આજે હજુ કોઈ પ્રગતિ થઈ નથી! ભૂગર્ભ ગટરો ઠેર ઠેર ઉભરાય છે. જૂની શાક માર્કેટના સ્થાને નવી બનાવવાનું કાર્ય પણ બાકી છે. અમદાવાદ અને રાજકોટમાં મધ્યમ વર્ગો માટે લગ્ન અને શુભ પ્રસંગો માટે મહાનગર પાલિકા બે ડઝન કોમ્યુનિટી હોલ ચલાવે છે. જામનગરમાં આવી કોઈ સુવિધા જ નથી! ખોડિયાર કોલોની રોડ ઉપર ચક્કા જામ ટ્રાફિક થાય છે તે, મીડિયામાં મુદ્દો ચગ્યા પછી સિક્સ લેન કરવાની કામગીરી શરૂ કરી. આ રોડ ઉપરથી અધિકારીઓ કે પદાધિકારીઓ નીકળતા હશે ત્યારે આ પરિસ્થિતિ શું નહીં દેખાતી હોય? સરૂ સેક્સન રોડ ઉપર કરોડોના ખર્ચે ગૌરવ પથ બનાવ્યા પછી પણ દબાણો જેમના તેમ છે!
હા, સૌથી લાંબો ઓવરબ્રિજ બન્યો છે, બાયપાસ ઉપર નવા પુલ બની રહૃાા છે, ઢોર પકડવાની કામગીરી પણ ચાલી રહી છે તે સારી બાબતો છે. પરંતુ મોદી મેજિક વગર કેટલી જીત મળે તે મોટો સવાલ છે!
આમ આદમી પાર્ટી
દિલ્હીની કોઈ સંસ્થાએ જાહેર કર્યું છે કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટી ૨૫ ટકા વોટ શેર સાથે કોંગ્રેસને ત્રીજા નંબરે ધકેલી બીજા નંબરનો પક્ષ બની ગયો છે. આવકાર્ય છે. પરંતુ જમીની વાસ્તવિકતા બહુ અલગ છે. આટલા મતો પછી પણ નક્કર સત્તા મળે તેવા કોઈ સંજોગો નથી. મતદારો કચકચાવીને આમ આદમી પાર્ટી તરફ મતદાન કરે તો જ શક્ય બને, જે શક્ય નથી. ભાજપની વોટબેંક અકબંધ છે. આપના એક નેતા ઈશુદાન ગઢવી આપણા વિસ્તારના છે અને ખંભાળિયામાં વિધાનસભા લડી હારી ચૂક્યા છે. જામનગરમાં જોઈએ તો, જીતવા માટે આ પાર્ટીએ હજુ નેવાના પાણી મોભે ચડાવવા પડશે. તેના અનેક કારણો છે. તેમાં સૌથી મોટું કારણ એ છે કે, પાર્ટી પાસે સક્ષમ અને ટકાઉ ઉમેદવારો જ નથી. ભાજપ જેને ટિકિટ નહીં આપે તે, અહી જશે. જશે ખરા પણ ટકશે નહીં.
બીજું મહત્ત્વનું કારણ એ છે કે, પક્ષ હજુ આક્રમક વલણ અખત્યાર કરી શક્યો નથી. જાહેરસભાઓ અને લોક સંપર્ક કરવાથી ચૂંટણી જીતી શકાતી નથી. પ્રજાના પ્રશ્ને આંદોલન કરી વિશ્વાસ જિતવો પડે. હાલમાં જાહેરસભાઓ કરે છે તેમાં પણ હવામાં ગોળીબાર જેવા મુદ્દાઓ ઉછાળે છે. મહાનગરપાલિકાના સક્ષમ સંચાલન માટે શું કરશે? તેનો જવાબ નથી.
સારાંશ
પાલિકાઓ અને પંચાયતોની ચૂંટણી જીતવું ભાજપ માટે સરળ છે, આપ અને કોંગ્રેસ માટે લોઢાના ચણા ચાવવા જેવું છે. મતદારો જ વિપક્ષને જીવતદાન આપી શકે છે. ગ્રામ્ય મતદારો અને શહેરી મતદારોની ચૂંટણી, ઉમેદવારો અને પક્ષ તરફે દૃષ્ટિ અલગ અલગ હોય તે સ્વાભાવિક છે. બંનેની જરૂરિયાતો અને સમસ્યાઓ પણ ભિન્ન હોય છે. એક સમયે જિલ્લા પંચાયતોમાં ભાજપને નકાર્યો હતો તો તે વિસ્તારમાં વિધાનસભામાં જીત આપવી હતી. શહેરી વિસ્તારો ભાજપનો ગઢ મનાય છે. તંદુરસ્ત લોકશાહીના રક્ષક તરીકે આ લેખક એવું માને છે કે, વિપક્ષ મજબૂત હોવો જોઈએ. મતદારોએ પણ જાગૃતિપૂર્વક મતદાન કરવું જોઈએ. રાજકીય પક્ષે પણ ચૂંટણી જીતવા માટે ઇકડમં તિકડમ ન કરવા જોઈએ. અમદાવાદમાં કેજરીવાલની જાહેરસભા રદ કરાવવી અને તેના પ્રચાર માટેના બેનરો ઉતારી લેવા તે વ્યાજબી નથી. ચૂંટણી જીતવા માટેની બાબતોમાં ભાજપની મથરાવટી મેલી છે.
અંગ્રેજી લેખક જોન લીલીના વાક્યને થોડું આગળ વધારીને લખીએ તો..
એવરીથીંગ ઇસ પોસિબલ ઇન લવ, વોર ઍન્ડ ઇલેક્શન!!!
- પરેશ છાંયા
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ટેકનોલોજી સ્માર્ટ થઈ રહી છે અને સમાજ ખોખલો થઈ રહૃાો છે!
'પ્રદુષણ.. '
૨૧ મી સદીમાં સૌથી વધુ ચર્ચામાં રહેલો અને બદનામ શબ્દ છે. નામ રૂપ જૂજવા, અંતે તો હેમનું હેમ! એ કહેવત પ્રદુષણને પણ બરાબર ફિટ બેસે તેવી છે. ગમે તે કહો.. પ્રદુષણ એ પ્રદુષણ જ છે. માનસિક, શારીરિક, સામાજિક, વૈચારિક, હવા, પાણી, ખોરાક, નૈતિકતા, સંબંધો તમામમાં પ્રદુષણ ઘૂસી ગયું છે. લોભ, લાલચ, સ્વાર્થ, હિત, અજ્ઞાન, ભયને કારણે પ્રદુષણ જન્મે છે. સામાજિક અને વૈચારિક પ્રદુષણને નાથવા માટે ધર્મ છે પરંતુ આપણે તેને કેટલું માન આપીએ છીએ તે યક્ષ પ્રશ્ન છે.
પરિસ્થિતિ કથળી રહી છે. ટેકનોલોજી સ્માર્ટ થઈ રહી છે અને સમાજ ખોખલો થઈ રહૃાો છે. રોબોટ માણસો જેવા દીર્ઘદૃષ્ટા બની રહૃાા છે અને માણસો રોબોટની જેમ મશીન જેવા બની રહૃાા છે! મશીનો ઉપર જેટલા સંશોધનો થઈ રહૃાા છે તેટલા માનવતા ઉપર થતાં નથી. સંશોધનોનો ઉપયોગ માનવના ઉદ્ધાર માટે થવો જોઈએ તેને બદલે છેતરવા માટે વધુ થઈ રહૃાો છે. મને લાગે છે કે, આજનું વિજ્ઞાન કાગળના ફૂલ જેવુ છે, દેખાવમાં આકર્ષક છે, પરંતુ નરો દેખાડો જ છે. કોમળતા અને સુગંધ ગાયબ છે. લોહીમાં રક્તકણોને બદલે કલોરેસ્ટોલ અને સ્યુગર વધુ છે. સુપર કોમ્પ્યુટર જેવા મગજમાં લોભ, લાલચ, સ્વાર્થ, ગુસ્સો, આક્રોશ વધુ ભર્યા છે.
આ બધા પ્રદુષણ જ છે! ભૌતિક અને સામાજિક દુનિયામાં સોફ્ટ અને હાર્ડ કચરાને રિસાયકલ કરવાના મોટા પાયે દેખાડા ચાલી રહૃાા છે. વાસ્તવમાં નબળી જગ્યાએ કચરો ઠાલવી મોટા લોકોના આંગણ સાફ સુથરા રાખવામાં આવે છે, આવી રીતે જ આખી દુનિયામાં સ્વચ્છતા ઝુંબેશ ઉજવવામાં આવે છે. દુનિયામાં પરમાણુ કચરાને સૌથી જોખમી કચરો માનવામાં આવે છે. હવે વિચારો કે, આજકાલ પરમાણુ કચરાનો ક્યાં નિકાલ કરવામાં આવે છે? ચૂપચાપ, ગિફ્ટ પેક કરી વિકાસના નામે ગરીબ દેશોમાં ઠાલવામાં આવે છે!
વૈચારિક પ્રદુષણ
આ સૌથી ગંભીર પ્રકારનું પ્રદુષણ છે. નાના, મધ્યમ અને મોટા પ્રદુષણોનું જન્મદાતા છે. 'મારૂ શું?' અને 'મારે શું?' એ બે બહુ ખતરનાક વિચારો છે. વર્તમાન સામાજિક અને આર્થિક પ્રદુષણ અહીથી જ જન્મે છે. 'મુખમેં રામ, બગલમેં છુરી' અને 'રામ નામ જપના, પરાયા માલ અપના' કહેવતો તેના ઉત્તમ ઉદાહરણો છે. ધનિકો વધુ ધનિક બની રહૃાા છે અને 'માં' કાર્ડ અને અમૃતમ યોજનાનો લાભ લેનાર પણ વધી રહ્યા છે. સમાચાર માધ્યમોમાં દાન, સખાવત, સહાયના સમાચારો વધી રહૃાા છે છતાં ગરીબી હટતી નથી. સરકારના 'ગરીબ કલ્યાણ મેળા'થી કેટલાની ગરીબી દૂર થઈ તેના આંકડા બહાર આવતા નથી. બ્યુટી પાર્લરમાં સર્જાયેલી સુંદરતા લાંબો સમય ટકતી નથી. તકલાદી વિચારો ખખડધજ સમાજ બનાવે છે. ભણવામાં ખર્ચ વધ્યો છે અને નોકરીઓમાં આવક ઘટી છે, તે નરી વાસ્તવિકતા છે. વાસ્તવમાં શિક્ષણમાં ખર્ચ ઘટવો જોઈએ અને નોકરીમાં આવક વધવી જોઈએ! એક તરફ ધર્મની ધજાઓ લઈને ફરીએ છીએ, પરંતુ ભગવાન કૃષ્ણને ભાવતા દૂધ અને માખણ અકુદરતી પ્રદુષણથી મૂક્ત રહૃાા નથી! માતાજીના મંદિરના પ્રસાદોમાં ભેળસેળ કરવા આવે છે. કાળું અને ધોળું નાણું હવે જૂન થઈ ગયા, પીળું અને કલર કલરનું નાણું બજારમાં ફરતું થઈ ગયું છે. આવક સંતડવા માટેના નિષ્ણાતો જંગી ફી લઈ કાળા-ધોળાની સલાહો આપે છે. બધા પાપોનું મૂળ આ વૈચારિક પ્રદુષણ જ છે. કથા, ભજનો પણ તેને ધોઈ શકતા નથી! બીજાને પાડી દેવાના પ્રપંચો કરતા માણસો મંદિરમાં જઈ શું કામના કરે છે, તે ખબર જ પડતી નથી!
ધર્મસ્થાનો અને કોર્ટો, બંનેમાં ભારે ધસારો છે. ભગવાન અને ન્યાયાધીશો બન્ને પાસે અરજીઓના ઢગલાઓ થાય છે. બધાને પોતાની તરફેણમાં ચુકાદો જોઈએ છીએ! કપડાં સ્વચ્છ થઈ રહૃાા છે અને મન મેલા થઈ રહૃાા છે! વસ્ત્રો ડિઝાઇનર થઈ રહયા છે અને સંસ્કાર અસ્તવ્યસ્ત થઈ રહ્યા છે!
આર્થિક પ્રદુષણ
ઊધઈ કરતાં પણ વધુ ગંભીર રીતે સમાજના માળખાને કોતરી રહૃાું હોય તો એ આર્થિક પ્રદુષણ છે. આર્થિક અસમાનતા ચરમસીમા ઉપર જઈ રહી છે. આજે ધનીકો નિર્ધન ઉપર રાજ કરી રહૃાા છે. પગારદાર લોકો જ સાચો આવકવેરો ભરી રહૃાા છે. ૧૪૦ કરોડ લોકો પૈકી ૧૦ કે ૧૨ કરોડ લોકો જ આવકવેરો ભરતા હોય તે બહુ ગંભીર બાબત છે. આર્થિક અસમાનતા ને જો નજરંદાઝ કરવામાં આવે તે વ્યાજબી અને સમાજના હિતમાં નથી. કેન્દ્ર સરકારે નોટબંધી કરી તેના કોઈ પોઝિટિવ પરિણામો દેખાયા નથી. આધાર કાર્ડ અને પાન કાર્ડ લિન્ક કર્યા પછી પણ કાળા નાણાની લિન્ક મળતી નથી!
દેશના સંચાલનમાં ચૂંટણી સમયે કાળા નાણાં ની લેતીદેતી લોકશાહી માટે પણ ગંભીર બાબત છે. ચૂંટણી લડાવી અતિ ખર્ચાળ બાબત બની ગઈ છે. લોકશાહીમાં તમામ લોકોને ચૂંટણી લડવાનો અધિકાર છે, પરંતુ શું સામાન્ય માણસ લોકસભા કે વિધાનસભાની ચૂંટણી લડી શકે ખરો? ચૂંટણી જંગ હવે ધનિકોનો જંગ બની ગયો છે!
લાખો રૂપિયા ખર્ચીને શિક્ષણ મેળવ્યા પછી માંડ હજારો રૂપિયાના પગારની નોકરી મળે છે. એકતરફ શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે મફત સાઇકલ આપવામાં આવે છે અને બીજીતરફ લકઝરી ગાડીઓ બેફામ દોડે છે અને અકસ્માત સર્જે છે. શિક્ષણ અને આરોગ્ય સારવાર મોંઘી બની છે, માં કાર્ડમાં ખોટી સારવાર થતો હોવાનો ભય વધી રહૃાો છે.
સામાજિક પ્રદુષણ
દેશમાં સામાજિક વાડાઓ મજબૂત બની રહૃાા છે. નાતજાતના વાડાઓ તોડી શકે તેવા કોઈ આગેવાન ક્ષિતિજે દેખાતા નથી. તાજેતરમાં કિંજલ દવે નામની ગુજરાતી ગાઈકાને લગ્નના મુદ્દે સામાજિક બહિષ્કાર કરવાનો મુદ્દો ચગ્યો હતો. દેશમાં આઝાદીના ૭૫ વર્ષ પછી પણ જ્ઞાતિઓ અને સમાજોના આધારે ચૂંટણી લડવામાં આવે છે.
સમાજમાં દેખાડો એ સૌથી મોટું પ્રદુષણ છે. કેટલાક સમજોએ લગ્ન પ્રસંગ સાદાઈથી કરવાના ઠરાવ પસાર કર્યા છે. એક ઠરાવ એવો પણ છે કે, લગ્નમાં સનરૂફ વાળી કારનો ઉપયોગ ન કરવો! દેશમાં આર્થિક અસમાનતા ને કારણે સામાજિક અસમાનતા પણ વધી છે. એક તરફ લગ્નમાં કરોડો અને અબજોનો ખર્ચ કરવામાં આવે છે તો બીજી તરફ સમૂહ લગ્નો પણ કરવામાં આવી રહૃાા છે!
પ્રદુષણ
વર્તમાન સમયમાં 'પ્રદુષણ' શબ્દને માત્ર પર્યાવરણ સાથે જ જોડવામાં આવે છે. જે બહુ કુંઠિત જોડાણ કહી શકાય. હવે પ્રદુષણની વ્યાપક વ્યાખ્યા કરવાનો સમય થઈ ગયો છે. સામાન્ય રીતે પ્રદુષણની જે રીતે વ્યાખ્યા કરવામાં આવે છે તે નીચે મુજબ છે.
(૧) વાયુ પ્રદુષણઃ હાનિકારક વાયુઓ (સીઓ૨, એસઓ૨, એનઓએકસ), ધુમાડો અને કણો દ્વારા વાતાવરણનું દૂષણ.
(૨) જળ પ્રદુષણઃ રસાયણો, ગટર અને માઇક્રોપ્લાસ્ટિક જેવા પ્રદૂષકોનું નદીઓ, તળાવો અને મહાસાગરોમાં વિસર્જન.
(૩) માટી પ્રદુષણઃ ઝેરી રસાયણો, જંતુનાશકો અથવા ભારે ધાતુઓને કારણે જમીનનું અધોગતિ જે ફળદ્રુપતા ઘટાડે છે અને ખાદ્ય શ્રૃંખલામાં પ્રવેશ કરે છે.
(૪) ધ્વનિ પ્રદુષણઃ ટ્રાફિક, બાંધકામ અથવા ઉદ્યોગોમાંથી અતિશય અથવા વિક્ષેપકારક અવાજ જે માનવ સ્વાસ્થ્ય અને વન્યજીવનને અસર કરે છે.
(૫) પ્રકાશ પ્રદુષણઃ અતિશય કૃત્રિમ પ્રકાશ જે કુદરતી પ્રકાશ ચક્ર અને ખગોળીય અવલોકનોમાં દખલ કરે છે.
(૬) થર્મલ પ્રદુષણઃ કુદરતી જળસ્ત્રોતના તાપમાનમાં અચાનક ફેરફાર, જે ઘણીવાર ઔદ્યોગિક ઠંડક પ્રક્રિયાઓને કારણે થાય છે.
ઉપરોક્ત દર્શાવેલ ૬ પ્રકારના પ્રદૂષનો મોટાભાગે આરોગ્ય ઉપર અસરો કરે છે. સ્વાસ્થ્ય નબળું પડે છે, સારવાર મોંઘી બને છે, મૃત્યુ દર વધે છે, બાળ મૃત્યુ દર વધે છે. ઉપરોક્ત પ્રદૂષનો નાથવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકારે અનેક નિયમો બનાવ્યા છે.
જેની બહુ જૂજ નોંધ લેવામાં આવે છે તે સામાજિક અસરોની છે. સામાજિક પ્રદુષણ એ હાનિકારક વર્તણૂકો, ખોટી માહિતી, પ્રણાલીગત અન્યાય (જેમ કે ભ્રષ્ટાચાર, ભેદભાવ, અસમાનતા) અને નકારાત્મક વલણો દ્વારા સામાજિક પર્યાવરણ અધોગતિ છે, જે સમુદાયની સુખાકારી, વિશ્વાસ અને એકતાને ખતમ કરે છે, જેમ કે ભૌતિક પ્રદૂષકો પર્યાવરણને નુકસાન પહોંચાડે છે. તે અદૃશ્ય દૂષકોનો ઉલ્લેખ કરે છે-જેમ કે ખોટી માહિતી, પૂર્વગ્રહ, સ્વાર્થ અથવા સામાજિક નિષ્ફળતાઓ-જે સ્વસ્થ સંબંધોને વિક્ષેપિત કરે છે, સામૂહિક પ્રગતિને અવરોધે છે અને સામાજિક તકલીફ ઊભી કરે છે.
ઉકેલ
સામાજિક પ્રદુષણો નાથવા માટે શું કરવું જોઈએ? આ બહુ ગંભીર મુદ્દો છે. અસમાનતા અને દેખાડો દૂર કરવા માટે સઘન પ્રયાસો નહીં કરવામાં આવે તો સમાજ ખોખલો બનશે. સામાજિક પ્રદુષણ નાથવા માટે હાલમાં લોક જાગૃતિ અને શિક્ષણ જ મહત્ત્વનો ભાગ ભજવી શકે તેમ છે. જ્ઞાનનો વ્યાપ વધે તેમ તેમ દૃષ્ટિ સ્પષ્ટ બને, વિચારો શુદ્ધ બને, લાભાલાભની ખબર પડે. દેવું કરીને ઘી ન પીવાય. લોન લઈને લગ્ન ન કરાય. દેખાદેખીમાં હેલિકોપ્ટરમાં જઈ લગ્ન ન કરાય. જેમની પાસે વધુ નાણાં છે તેમણે પણ સંયમ રાખવો જોઈએ.
જો કે, આ તો 'શેઠની શિખામણ ઝાંપા સુધી' જેવુ છે.
સમાજમાં ફેલાયેલા વિવિધ પ્રકારના પ્રદુષણોનો હાલમાં કોઈ રામબાણ ઈલાજ દેખાતો નથી. એક રાવણ હોય તો વધ થાય, પરંતુ અહી તો ઠેર ઠેર રાવણો રખડી રહૃાા છે. મારી સલાહ છે કે, દેખાદેખી, ઈર્ષા, આંધળું અનુકરણ ન કરવું. જો કે બેફામ ધન કમાતા લોકો આવી કોઈ સલાહ સાંભળતા નથી અને માનતા પણ નથી. બોલચાલની ભાષા ઉપર કાબૂ રાખવો, બીજાના વિચારો અને વર્તન ઉપર અતિક્રમણ ન કરવું.
'નોબત'ના વાચકો અને ચાહકો દુન્યવી પ્રદુષણથી મૂક્ત રહે તેવી અભ્યર્થના.
૫રેશ છાંયા
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
રાજા હરિશ્ચંદ્ર અને મણિકર્ણિકા ઘાટને દેવોના આશીર્વાદ પ્રાપ્ત થયા છે
સામાન્ય રીતે સ્મશાન ઉપર લેખ લખવાનો રિવાજ નથી. કોઈ લખતું પણ નથી. સનાતન સંસ્કૃતિ અનુસાર હિન્દુ મૃતદેહને અગ્નિમાં સમર્પિત કરવામાં આવે છે. દુનિયામાં જેવો દેશ અને જેવી પ્રથા તેવી રીતે અંતિમ ક્રિયા કરવામાં આવે છે તે સર્વ વિદિત છે. અગ્નિદાહ અને દફન ક્રિયા સૌથી વધુ સ્વીકાર્ય છે. બીજી કોઈ પ્રથા અમલમાં હશે, પરંતુ બહુ જૂજ હોવાથી ચર્ચામાં નથી. સનાતન ધર્મમાં ઉત્તર પ્રદેશના કાશી સ્થિત બે સ્મશાનને મોક્ષ દ્વાર મનાવવામાં આવે છે. તેની સાથે લોકવાયકા પણ જોડાયેલી છે. હિન્દુ ધર્મમાં કાશીનું મોત ઉત્તમ મોક્ષ માનવામાં આવે છે. અહીં રાજા હરિશચંદ્રેે સ્મશાન અને મણિકર્ણિકા ઘાટ ઉપર પાંચ હજાર વર્ષથી સતત ૨૪ કલાક અને ૩૬૫ દિવસ ચિતાઓ ભડભડ સળગતી રહે છે. મણિકર્ણિકાઘાટને મહા સ્મશાનનો દરજ્જો પ્રાપ્ત છે.
મૃત્યુ માટે કાયમ સિકંદરના દાખલા દેવામાં આવે છે. સિકંદરે તેના અંતિમ સમયમાં ઈચ્છા વ્યકત કરી હતી કે, તેનો જનાજો નીકળે ત્યારે તેના બન્ને હાથ જનાજાની બહાર રાખવામાં આવે, તેથી દુનિયાને ખબર પડે કે અંતિમયાત્રામાં ખાલી હાથે જ જવાનું હોય છે. કશું ભેગું આવતું નથી. આ એક નસીબ આધારિત ફિલોસોફી છે. કોઈ મહાન નથી કે કોઈ ઉપર નથી! નસીબ જ સર્વસ્વ છે. આપણને વારંવાર સિકંદરની કથા સાંભળવા મળે છે, પરંતુ રાજા હરિશ્ચંદ્રને કોઈ યાદ કરતું નથી. રાજાનું ઉદાહરણ પણ જાણવામાં આવે તો તે પણ મોટી શીખ આપે છે. સત્યવાદી રાજા હરિશચંદ્રે એક સમયે પેટિયું રાળવા માટે કાશીના ઘાટ ઉપર મદડાં બાળવાનું ચંડાળ કર્મ કરવું પડ્યું હતું. નસીબ સાથ છોડી દે ત્યારે રાજા પણ રંક બની જાય છે.
કાશી એટલે કે વારાણસીમાં અસ્સી ઘાટ ઉપર બીજું સ્મશાન મણિકર્ણિકા છે. તે રાજા હરિશ્ચંદ્ર સ્મશાનથી પણ પ્રાચીન છે. ભગવાન શિવ અને પાર્વતી અહીં આવ્યા ત્યારે શિવજીનો મણી અને પાર્વતી માતાનું કાનનું ઝૂમખું અહીં પડી ગયું હતું. ત્યાર પછીની ઘટનામાં માતા પાર્વતીએ શ્રાપ આપ્યો કે અહીંની ભૂમિ સતત તપતી રહેશે. ઋષિમુનિઓ ભગવાન શિવને શ્રાપ પાછો ખેચવા આજીજી કરવા લાગ્યા, શિવજીએ કહ્યું કે, શ્રાપ પાછો તો નહીં ખેંચાય, પરંતુ જેમના અહીં અગ્નિ સંસ્કાર થશે તેમને મોક્ષ મળશે. ત્યારથી અહી અંતિમ ક્રિયાનું માહત્મ્ય છે.
રાજા હરિશ્ચંદ્ર
રાજા હરિશ્ચંદ્રએ ઋષિ વિશ્વામિત્રને આપેલા વચનને પૂર્ણ કરવા માટે પોતાનું રાજ્ય આપી દીધું. એક બહુચર્ચિત દંતકથા મુજબ હરિશ્ચંદ્રને સ્વપ્ન આવ્યું કે તેણે પોતાનું આખું રાજ્ય ઋષિ વિશ્વામિત્રને દાન કરી દીધું છે. ઊંઘમાંથી જાગ્યા પછી, તેણે સ્વપ્નને વાસ્તવિકતા તરીકે માન આપ્યું અને તરત જ પોતાનું રાજ્ય ઋષિને દાન કરી દીધું, તેથી કંગાળ થયો.
બીજી દંતકથા અનુસાર શિકાર કરતી વખતે, રાજાએ અજાણતા વિશ્વામિત્રના પવિત્ર યજ્ઞમાં વિક્ષેપ પાડ્યો. ઋષિના ક્રોધને શાંત કરવા અને શ્રાપથી બચવા માટે, હરિશ્ચંદ્રએ તેમને જે કંઈપણ ઇચ્છ્યું તે આપ્યું, જેમાં તેમનું આખું રાજ્ય પણ સામેલ હતું.
પોતાનું રાજ્ય આપ્યા પછી પણ, રાજાને પરંપરાગત ધાર્મિક દક્ષિણા ચૂકવવાની ફરજ પડી હતી. કોઈ સંપત્તિ બાકી ન હોવાથી, તેને પોતાનું વચન સંપૂર્ણ રીતે પાળવા માટે તેની પત્ની, પુત્ર અને આખરે પોતાને ગુલામીમાં વેચવાની ફરજ પડી.
ઋષિ વિશ્વામિત્રને ધાર્મિક દક્ષિણા ચૂકવવા માટે પોતાની પત્ની અને પુત્રને બ્રાહ્મણને ગુલામીમાં વેચી દીધા પછી, હરિશ્ચંદ્રએ પોતે કાશી (વારાણસી)માં ચાંડાલને ત્યાં નોકરી કરી. તેમનું પ્રાથમિક કાર્ય એક સ્મશાન ભૂમિની રક્ષા કરવાનું હતું અને અગ્નિદાહ આપવો અને અંતિમક્રિયા માટે લાવવામાં આવતા દરેક શબ માટે ફી વસૂલવાનું હતું. બાર મહિનાના ભારે કષ્ટના સમયગાળાનો અંત ત્યારે આવ્યો જ્યારે તેમની પત્ની, રાણી તારામતી તેમના પુત્ર, રોહિતાશ્વના શરીર સાથે સ્મશાન ભૂમિમાં પહોંચી, જેનું મૃત્યુ સાપના ડંખથી થયું હતું. પોતાના દુઃખમાં પણ, હરિશ્ચંદ્રએ સત્ય અને ફરજ પ્રત્યેની પોતાની સંપૂર્ણ પ્રતિબદ્ધતા સાબિત કરીને જરૂરી કર વિના તેમના પુત્રનો અગ્નિસંસ્કાર કરવાનો ઇન્કાર કર્યો. વિશ્વામિત્રએ હરિશ્ચંદ્રની નિષ્ઠા અને પ્રામાણિકતાથી ખુશ થઈ રાજપાઠ પરત કર્યા.
આજે પણ રાજા હરિશ્ચંદ્રને સત્યના ઉત્તમ પ્રતિક તરીકે માનવામાં આવે છે. રાજાની પ્રામાણિકતા અને નિષ્ઠાને જોઈને ઋષિ વિશ્વામિત્રએ આશીર્વાદ આપ્યા કે, અહી જેના અંતિમ સંસ્કાર કરવામાં આવશે તેને મોક્ષ મળશે.
મણિકર્ણિકા ઘાટ
મણિકર્ણિકા ઘાટ સૌથી પવિત્ર સ્મશાન ભૂમિ છે. જેને ઘણીવાર ''મહાન સ્મશાન ભૂમિ'' કહેવામાં આવે છે.
''મણિકર્ણિકા'' નામ સંસ્કૃત શબ્દો મણિ (રત્ન) અને કર્ણિકા (કાનની બુટ્ટી) પરથી ઉતરી આવ્યું છે. આ દંતકથાના બે લોકપ્રિય સંસ્કરણો અસ્તિત્વમાં છે.
વિષ્ણુની ભક્તિઃ ભગવાન વિષ્ણુએ ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે હજારો વર્ષો સુધી તીવ્ર તપસ્યા કરી. તેમના સુદર્શન ચક્રનો ઉપયોગ કરીને, તેમણે એક તળાવ (હવે મણિકર્ણિકા કુંડ) ખોદ્યું અને તેને પોતાના પરસેવાથી ભરી દીધું. જ્યારે ભગવાન શિવ વરદાન આપવા પહોંચ્યા, ત્યારે તેઓ ખૂબ ખુશ થયા, આ દરમિયાન તેમની કાનની બુટ્ટી તળાવમાં પડી ગઈ.
શિવ સાથે તળાવમાં સ્નાન કરતી વખતે, દેવી પાર્વતીએ તેમની કાનની બુટ્ટી ગુમાવી દીધી. એક પ્રકારમાં, તેમણે શિવને વારાણસીમાં રાખવા માટે હેતુપૂર્વક તેને છુપાવી દીધી, કારણ કે તેમણે વચન આપ્યું હતું કે જ્યાં સુધી તે ન મળે ત્યાં સુધી તે છોડશે નહીં.
શક્તિપીઠની દંતકથા
પુરાણો અનુસાર, જ્યારે દેવી સતીએ પોતાનું દહન કર્યું, ત્યારે શોકગ્રસ્ત ભગવાન શિવ તેમના શરીરને બ્રહ્માંડમાં લઈ ગયા. તેમના શોકને રોકવા માટે, ભગવાન વિષ્ણુએ તેમના સુદર્શન ચક્રનો ઉપયોગ કરીને શરીરને ટુકડા કરી નાખ્યું. એવું માનવામાં આવે છે કે સતીના કાનનું આભૂષણ (અથવા તેમના શરીરનો એક ભાગ) આ સ્થળે પડ્યું, જેનાથી તે ૫૧ શક્તિપીઠોમાંનું એક બન્યું. જે હાલના પ્રયાગરાજમા અલોપી દેવી ના નામે છે.
મોક્ષ (મુક્તિ)નું વચન
મણિકર્ણિકા ઘાટ એ માન્યતાનું કેન્દ્ર છે કે વારાણસીમાં મૃત્યુ પામવાથી અથવા અગ્નિસંસ્કાર કરવાથી મોક્ષ મળે છે, જન્મ અને મૃત્યુના ચક્રમાંથી મુક્તિ મળે છે. એવું કહેવાય છે કે ભગવાન શિવ પોતે ઘાટ પર ઊભા છે અને પ્રસ્થાન કરનારા આત્માઓના કાનમાં તારક મંત્ર (પાર જવાનો મંત્ર) ફૂંકીને તેમને મૃત્યુ પછીના મોક્ષ તરફ દોરી જાય છે. મણિકર્ણિકામાં અગ્નિદાહ હજારો વર્ષોથી સતત બળી રહ્યો છે, ક્યારેય બુઝાઈ શકતો નથી.
ડોમ રાજા
ઘાટનું સંચાલન ડોમ સમુદાય પાસે છે, જેનું નેતૃત્વ ''ડોમ રાજા'' કરે છે. દંતકથા કહે છે કે સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર એક સમયે દેવું ચૂકવવા માટે આ ઘાટ પર ડોમ રાજાના પૂર્વજ માટે નોકર તરીકે કામ કરતા હતા.
વારાણસીના ડોમ રાજા ડોમ સમુદાયના વારસાગત વડા છે, જે એક દલિત જૂથ છે, જેને ઐતિહાસિક રીતે શહેરના ઘાટો (મણિકર્ણિકા અને હરિશ્ચંદ્ર ઘાટ જેવા) પર પવિત્ર અગ્નિનું સંચાલન કરવાનું કામ સોંપવામાં આવ્યું છે જેથી આત્માઓને મોક્ષ (મુક્તિ) પ્રાપ્ત કરવામાં મદદ મળે. તેઓ સ્મશાનના ''રાજા'' છે, જે અંતિમ સંસ્કાર માટે શાશ્વત જ્યોત પ્રદાન કરે છે, જે શ્રદ્ધાળુ હિન્દુઓ માટે એક મહત્વપૂર્ણ ધાર્મિક વિધિ છે. તાજેતરના અગ્રણી ડોમ રાજા, જગદીશ ચૌધરીનું ૨૦૨૦માં અવસાન થયું, પરંતુ વંશ અને ભૂમિકા ચાલુ રહી છે, વર્તમાન સમયમાં સંજીત ચૌધરી, પરિવારના સભ્ય વર્તમાન વડા તરીકે સેવા આપી રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉમેદવારી પત્ર ભરવા માટે ગયા ત્યારે ડોમ પરિવારના સભ્યને પણ નામાંકન કરવા સાથે લઈ ગયા હતા. અગ્નિદાહ આપવા માટેનો અગ્નિ ડોમ હસ્તકના અગ્નિકુંડમાંથી લેવો ફરજિયાત છે. મણિકર્ણિકા ઘાટ ઉપર આ વહીવટ થોડા સમય પહેલા ઊર્મિલાદેવી નામના મહિલા સાંભળતા હતા. અહી અગ્નિ અર્પણ માટે પણ ડોમ પરિવારના સભ્યોના વારા નક્કી થયા છે, જેનો વારો હોય તે અગ્નિ પ્રદાન કરે અને તેના બદલામાં યથાશક્તિ દક્ષિણા મળે. રોજ અહીં ૬૦ ક્વિન્ટલ લાકડાનો વપરાશ છે.
અસ્સી ઘાટ
અસ્સી ઘાટ એ વારાણસી (બનારસ કે કાશી)માં એક પ્રખ્યાત, ધાર્મિક રીતે મહત્વપૂર્ણ નદી કિનારો (ઘાટ) છે, જે ગંગા અને અસ્સી નદીઓના સંગમ પર સ્થિત છે, જે તેના આધ્યાત્મિક વાતાવરણ, સૂર્યોદય/સૂર્યાસ્ત વિધિઓ, સવારની ગંગા આરતી, યોગ અને બોટ સવારી માટે જાણીતું છે, જે તેની સાંસ્કૃતિક ઊંડાણ અને ગંગાના આકર્ષક દૃશ્યો માટે ભક્તો અને પ્રવાસીઓને આકર્ષે છે. તે કાશીના આધ્યાત્મિક સારનો અનુભવ કરવા માટે એક જીવંત કેન્દ્ર છે, જેમાં ભવ્ય આરતી, વૈદિક મંત્રોચ્ચાર, સંગીત અને પ્રાચીન હિન્દુ પરંપરાઓ જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.
લોકમાન્યતા અનુસાર કોઈ પ્રવાસી અહીંના બન્ને સ્મશાન ભૂમિની સળંગ મુલાકાત લઈ શકતા નથી. અમંગળ થવાની શક્યતા રહેલી છે. આ લેખકે પણ માન્યતા અનુસાર માત્ર રાજા હરિશ્ચંદ્ર ઘાટની જ દૂરથી મુલાકાત લીધી. ત્યારે પણ ત્યાં ચાર ચિતાઓ રાત્રે ૮ વાગ્યે સળગતી હતી. ચોમાસામાં અગ્નિદાહ માટે પતરાંના શેડ બનાવવામાં આવ્યા છે. અગ્નિદાહ માટેના લાકડાં સ્થાનિક વેપારીઓ પાસેથી ખરીદવા પડે છે. શાસ્ત્રોક્ત વિધિ અનુસાર તો મૃતદેહને પ્રથમ ગંગા નદીમાં સ્નાન કરાવવું જોઈએ. પરંતુ હવે ઘાટ ઉપર જ વાછંટ આપી વિધિ પૂરી કરવામાં આવે આવે છે.
બનારસ, કાશી અને વારાણસી એમ એક સાથે ત્રણ નામ ધરાવતા આ શહેરમાં દરરોજ સેંકડો અંતિમ સંસ્કાર (અગ્નિસંસ્કાર) થાય છે, અંદાજ મુજબ શહેરમાં દરરોજ લગભગ ૨૦૦-૩૦૦ મૃતદેહોના અગ્નિસંસ્કાર કરવામાં આવે છે.
રામ બોલો ભાઈ રામ
અંતિમયાત્રામાં ગવાતી આ ધૂન લગભગ ૨૪ કલાક અહી કાને પડે છે. આ બન્ને ઘાટ ઉપર બાળક, સગર્ભા સ્ત્રી, સાધુ, લાવારીશ મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવતા નથી. તેને નદીમાં પધરાવવામાં આવે છે. અનેક ડાઘુઓ મૃતદેહોને અર્ધ સળગેલી હાલતમાં છોડીને જતા રહે છે. સફાઈનો અભાવ જોવા મળે છે. અંતિમ સંસ્કાર માટેના દાન દક્ષિણાના કોઈ નિશ્ચિત ભાવ ન હોવાથી મન પડે તેવા ભાવ વસૂલ કરવામાં આવે છે. માથાભારે લોકોનો પણ ત્રાસ હોવાની ડોમ લોકો ફરિયાદ કરે છે.
શાંતિ....
પરેશ છાંયા
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આગામી વર્ષોમાં મક્કા અને વેટિકનથી પણ વધુ સંખ્યામાં ભક્તો અયોધ્યામાં આવશે!
જય શ્રી રામ
નવા અંગ્રેજી વર્ષના સૌ વાચકો અને ચાહકોને રામ રામ.
નવા વર્ષના પ્રથમ અંકમાં ભગવાન શ્રી રામની જન્મભૂમિ અયોધ્યાનો આંખે દેખ્યો અહેવાલ રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. આઝાદીના સંગ્રામ બાદ સૌથી ગાજેલો ને મોટા પરિવર્તનો લાવતો મુદ્દો.. એટલે ઉત્તર પ્રદેશના બાબરી મસ્જિદ અને રામ મંદિર નિર્માણ કહી શકાય. ભારતમાં કોંગ્રેસ રાજનો અંત અહીથી શરૂ થયો. 'મંદિર વહીં બનાએંગે' ના નારા સાથે લાલકૃષ્ણ અડવાણી અને નરેન્દ્ર મોદીની રાજકીય યાત્રાની સફળ શરૂઆત થઈ હતી તેમ કહી શકાય. લાલજી મહારાજના રાજકીય રથનું પૈડું તો જમીનમાં ખૂંપી ગયું અને નરેન્દ્ર મોદી એ દિલ્હીની ગાદી સર કરી લીધી!
અયોધ્યા
ઉત્તર પ્રદેશના પર્યટન પર રામ મંદિરની બહુ મોટી અસર થઈ છે. બાબરી મસ્જિદ સમયે રડ્યા ખડ્યા હિન્દુઓ અહી ભાગ્યેજ આવતા હતા. રામલલ્લા નાના મંદિરમાં બિરાજતા હતા. ૨૨ જાન્યુઆરી, ૨૦૨૪ ના રામ મંદિરના ઉદ્દઘાટનથી અયોધ્યા ભારતના મુખ્ય ધાર્મિક પર્યટન સ્થળમાં નાટ્યાત્મક રીતે પરિવર્તિત થયું છે, જેના કારણે મુલાકાતીઓ અને આર્થિક પ્રવૃત્તિઓમાં અભૂતપૂર્વ જંગી વધારો થયો છે. ઉદ્દઘાટન બાદ મુલાકાતીઓની સંખ્યામાં જંગી વધારો થયો છે. ૨૦૨૦માં, અયોધ્યા જિલ્લામાં લગભગ ૨ કરોડ મુલાકાતીઓ આવ્યા હતા. ૨૦૨૨-૨૦૨૩ સુધીમાં, ચાલુ બાંધકામ અને અપેક્ષાને કારણે આ સંખ્યા વાર્ષિક આશરે ૪ કરોડ થઈ ગઈ હતી. આજે તે વર્ષિક ૫ થી ૬ કરોડ સુધી પહોંચી ગઈ છે.
ઉદ્દઘાટન પછી ૨૦૨૪માં સમગ્ર દેશમાં અયોધ્યા ધાર્મિક ભક્તોમાં છવાઈ ગયું. લોકોમાં અદમ્ય ઉત્સાહને કારણે અયોધ્યામાં આશરે ૧૩ થી ૧૪ કરોડ મુલાકાતીઓ નોંધાયા, જે તેને ઉત્તર પ્રદેશનું સૌથી વધુ મુલાકાત લેવાયેલું સ્થળ બનાવ્યું. તાજમહેલ (૧૩ કરોડ મુલાકાતીઓ)ને વટાવી ગયું.
અમે ડિસેમ્બરમાં ત્યાં મુલાકાત લીધી ત્યારે મને ઓકટોબર સુધીની વિગતો જાણવા મળી, જેમાં ઓક્ટોબર ૨૦૨૫ના મધ્ય સુધીમાં, મુલાકાતીઓની સંખ્યા ૨૨ કરોડને વટાવી ગઈ હતી. મંદિરના સંચાલકોના જણાવ્યા અનુસાર આખા વર્ષ માટે ૪૦ કરોડ સુધી પહોંચવાનો અંદાજ છે. દૈનિક સરેરાશ હવે એક લાખથી લઈને દોઢ લાખ ભક્તોની વચ્ચે છે.
૨૦૨૪ ના પહેલા ભાગમાં, ૧૧ કરોડથી વધુ લોકોએ મુલાકાત લીધી હતી, જે ઉત્તર પ્રદેશના કુલ પ્રવાસનનો એક તૃતીયાંશ હિસ્સો છે. ભક્તોના ધસારાએ અયોધ્યાને વેટિકન (૯ કરોડ વાર્ષિક) અને મક્કા (૩ કરોડ) જેવા વૈશ્વિક સ્થળો કરતા આગળ રાખ્યું છે, નિષ્ણાતોની આગાહી છે કે તે લાંબાગાળે વાર્ષિક ૫ કરોડથી વધુ આકર્ષિત કરી શકે છે.
કેન્દ્ર અને ઉત્તર પ્રદેશ સરકારને આશા છે કે, આગામી પાંચ વર્ષમાં આયોધ્યાનું રામ મંદિર મુલાકાતીઓની સંખ્યાની બાબતમાં તાજમહાલ અને મક્કાને કાયમ માટે પાછળ રાખી દેશે! વિશ્વનું પ્રથમ શહેર બની જશે.
સરખામણી
ગુજરાતમાં હિન્દુ ધર્મના બે મોટા સ્થળો આવ્યા છે. સોમનાથમાં જ્યોતિર્લિંગ અને ભગવાન શ્રી કૃષ્ણની રાજધાની દ્વારકામાં આવી છે. મુલાકાતીઓની સંખ્યા ધારવા માટે બે માપદંડો જોવા જરૂરી છે. દ્વારકામાં મૂલાકાતીઓના મોબાઈલ અને કિમતી સમાન સાચવવા માટે ચારથી પાંચ કાઉન્ટર છે. સોમનાથમાં ૧૦ થી ૧૫ કાઉન્ટર છે. જ્યારે આયોધ્યાના રામ મંદિરમાં મોબાઈલ અને કિમતી સામાન સાચવવા માટે ૫૦ થી વધુ કાઉન્ટર છે. અમે સોમવાર જેવા આડા દિવસે ત્યાં મુલાકાત લીધી ત્યારે પણ આ કાઉન્ટર ઉપર લાંબી કતારો હતી અને ૧૫ થી ૨૦ મિનિટ પછી વારો આવતો હતો! દેશમાં વેકેશન નથી, જાહેર તહેવાર નથી, રામના જીવનનો કોઈ મહત્ત્વનો દિવસ નથી, છતાં સોમવારે ભારે ધસારો હતો.
મંદિર સંચાલકોના જણાવ્યા અનુસાર મહત્ત્વના દિવસોમાં ભીડને કાબૂ કરવી બહુ મુશ્કેલ હોય છે. પરિસ્થિતિ સામાન્ય બને ત્યારે સફાઇ કરવામાં આવે ત્યારે એક ટ્રેક્ટર ભરાય તેટલા જૂતા-ચપ્પલ લાવારીશ હાલતમાં મળે છે. જે ભક્તો ગીર્દીને કારણે જ્યાં ત્યાં છોડીને જતા રહે છે!
આર્થિક અસર
૨૦૨૮ સુધીમાં અયોધ્યાનું પ્રવાસન અર્થતંત્ર ૧૮,૦૦૦-૨૦,૦૦૦ કરોડ સુધી પહોંચવાનો અંદાજ છે, જે ઉત્તર પ્રદેશના ૧ ટ્રિલિયન ડોલરના અર્થતંત્રના લક્ષ્યમાં નોંધપાત્ર યોગદાન આપશે. રાજ્યવ્યાપી, પ્રવાસન ખર્ચ વાર્ષિક ૪ લાખ કરોડથી વધુ થઈ શકે છે.
વ્યાપક અસરોઃ ધાર્મિક પ્રવાસનથી આતિથ્ય, છૂટક વેચાણ, પરિવહન અને નોકરીઓમાં વધારો થયો છે. નવી માળખાકીય સુવિધાઓમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, નવીનીકરણ કરાયેલ રેલ્વે સ્ટેશન, વિસ્તૃત રસ્તાઓ અને ડઝનબંધ હોટલનો સમાવેશ થાય છે. આનાથી હજારો રોજગારની તકો ઉભી થઈ છે અને હસ્તકલા અને ખાદ્ય સેવાઓ જેવા સંબંધિત ક્ષેત્રોને ઉત્તેજન મળ્યું છે.
રામ મંદિરે માત્ર આધ્યાત્મિક યાત્રાધામને પુનજીર્વિત કર્યું નથી પરંતુ અયોધ્યાને વૈશ્વિક પ્રવાસન કેન્દ્ર તરીકે પણ સ્થાપિત કર્યું છે.
રાજકારણ
લોકશાહીમાં દરેક કાર્યોનો સીધો ઉદ્દેશ ચૂંટણી જીતવાનો હોય તે સ્વાભાવિક હોય. પરંતુ નરેન્દ્ર મોદી માટે અયોધ્યા ખોટનો ધંધો થયો હોય તેવું પહેલી નજરે લાગે છે. અયોધ્યા ક્ષેત્રમાં રામ મંદિર નિર્માણ બાદ ૨૦૨૪માં થયેલી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં આશ્ચર્યજનક રીતે આ બેઠક ભાજપ હારી ગયું.
૨૦૨૪ની ભારતીય સામાન્ય ચૂંટણીમાં, સમાજવાદી પાર્ટીના ઉમેદવાર અવધેશ પ્રસાદે ફૈઝાબાદ લોકસભા બેઠક જીતી હતી, ફૈઝાબાદ બેઠક અયોધ્યાને આવરી લે છે. રામ મંદિરના હાઇ-પ્રોફાઇલ ઉદ્દઘાટનના થોડા મહિના પછી જ આ એક મોટી રાજકીય ઉથલપાથલ માનવામાં આવે છે.
૨૦૨૪ સંસદીય ચૂંટણીમાં અવધેશ પ્રસાદ (સમાજવાદી પાર્ટી) ભાજપના બે વખતના સાંસદ લલ્લુ સિંહ (ભારતીય જનતા પાર્ટી) સામે ૫૪,૫૬૭ મતથી જીતી ગયા. યોગી આદિત્યનાથ અને સ્થાનિક લોકોમાં લલ્લુ સિંહ સામે ભારે રોષ હોવા છતાં અમિત શાહના આગ્રહથી તેને ટિકિટ આપવામાં આવી હતી.
૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં, ઉત્તર પ્રદેશમાં એક મોટું રાજકીય પરિવર્તન જોવા મળ્યું, કારણ કે સમાજવાદી પાર્ટી રાજ્યમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી, તેણે ૮૦ માંથી ૩૭ બેઠક જીતી. સપા અને કોંગ્રેસ ગઠબંધનના નેતૃત્વ હેઠળના ઈન્ડિયા બ્લોકે સામૂહિક રીતે ૪૩ બેઠક જીતી, એનડીએની ૩૬ બેઠકોની સંખ્યાને વટાવી દીધી.
૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં, ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ને ઉત્તર પ્રદેશમાં નોંધપાત્ર પરાજયનો સામનો કરવો પડ્યો, જે રાજ્યમાં તેનું એક દાયકા સુધી પ્રભુત્ત્વ હતું. જ્યારે પાર્ટી એક મુખ્ય શક્તિ રહી. આ ચૂંટણીમાં તેની બેઠકોની સંખ્યા અને મત હિસ્સામાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો.
ભાજપે લડેલી ૭૫ બેઠકોમાંથી ૩૩ બેઠકો જ જીતી શકી હતી. ૨૦૧૯માં ૬૨ બેઠકો પર જીતી હતી.
ઉત્તર પ્રદેશના મારા પ્રવાસ દરમિયાન જાણવા મળ્યું કે, અહી યોગી આદિત્યનાથ અને અમિત શાહ વચ્ચે રાજકીય ખેચતાણ ચાલે છે, તેને કારણે ભાજપને મોટું નુકસાન થઈ રહૃાું છે.
બાકી કામો
રામ મંદિર સંપૂર્ણ થતાં ત્યાં ધ્વજારોહણ કરવામાં આવ્યું. પરંતુ આ સમગ્ર સંકુલમાં હજુ ધમધોકાર નિર્માણ કાર્યો ચાલી રહૃાા છે. સીતા રસોઈથી લઈને પરિસરની બહાર નીકળવાના મોટાભાગના કાર્યો સંપન્ન થતાં ત્રણ વર્ષ લાગે તેમ છે. ઠેર ઠેર નિર્માણ કાર્યો ચાલતા હોવાનું જણાય છે. આ પરિસરમાં કોઈ પણ હિન્દુ મંદિરમાં હોય તેના કરતાં અતિ વિશાળ ભોજનશાળા નિર્માણ પામી રહી છે. હાલમાં, સીતા રસોઈમાં ભક્તો પ્રસાદ હાથમાં રાખી જ્યાં-ત્યાં ખાતા નજરે ચડે છે.
ડિસેમ્બર ૨૦૨૫માં, અયોધ્યામાં રામ મંદિરનું મુખ્ય બાંધકામ સત્તાવાર રીતે પૂર્ણ થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંદિરના શિખર પર ધ્વજ (પવિત્ર ધ્વજ) ફરકાવ્યો ત્યારે એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ ઘટના બની હતી.
પ્રાથમિક ધાર્મિક માળખાં પૂર્ણ થયા પછી, કેટલાક સહાયક પ્રોજેક્ટ્સ હજુ ચાલુ છે.
હાલમાં બાંધકામ સંકુલ અને વહીવટી માળખાને પૂર્ણ કરવા તરફ આગળ વધી રહૃાું છે. સંકુલની આસપાસની ૩.૫ કિલોમીટર લાંબી બોર્ડર વોલ હજુ પણ નિર્માણાધીન છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ કાર્યાલય અને એક સભાગૃહનું બાંધકામ ચાલુ છે અને તેને પૂર્ણ થવામાં ૨૦૨૭ના અંત સુધીનો સમય લાગી શકે છે. શૌચાલય, વધારાના ગેસ્ટ હાઉસ અને કાયમી તબીબી/લોકર સુવિધાઓ જેવા પ્રોજેક્ટ્સને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહૃાું છે.
લેન્ડસ્કેપિંગનું મોટું કામ હજુ પેન્ડિંગ છે. સંકુલમાં સુંદરતા વધારવા માટે વિવિધ બગીચાઓ બની રહૃાા છે. પંચવટી નામાભિધાન સાથે ૧૦ એકરનો લીલો વિસ્તાર વિકાસ તબક્કાવાર પૂર્ણ થઈ રહૃાો છે, જેમાં મોટાભાગના લેન્ડસ્કેપિંગ ૨૦૨૭ ની શરૂઆતમાં તૈયાર થવાની અપેક્ષા છે.
રાજ્ય
ઉત્તર પ્રદેશ દેશમાં ધાર્મિક રાજધાની બની રહૃાું છે. અયોધ્યા, ચિત્રકૂટ, વારાણસી આખી સર્કિટ પ્રવાસીઓથી ધમધમે છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ બહુ સરસ રીતે વિવિધ આયોજનો પાર પાડી રહૃાા છે. પ્રયાગરાજના મહાકુંભ મેળા પછી વર્તમાન સમયમાં માઘ મેળો ધામધૂમથી ઉજવાઈ રહૃાો છે, જે એક માસ ચાલશે. પ્રયાગરાજમાં માઘ મેળો ૩ જાન્યુઆરી, ૨૦૨૬ થી ૧૫ ફેબ્રુઆરી, ૨૦૨૬ સુધી ત્રિવેણી સંગમમાં યોજાવાનો છે. ૪૪ દિવસના આ ઉત્સવમાં ઘણા શુભ સ્નાન (સ્નાન) દિવસોનો સમાવેશ થાય છે. માઘ સ્નાનને કારણે અયોધ્યામાં પણ ભક્તોનો પ્રવાહ મોટી સંખ્યામાં વધશે. રામ મંદિર વાર તહેવારે યાત્રિકોનું મુખ્ય આકર્ષણ રહે તે સ્વાભાવિક છે.
દાન
૨૦૨૫ના અંત સુધીમાં અયોધ્યા રામ મંદિર માટે દાન ૩,૦૦૦ કરોડ (૩૦ અબજ રૂપિયા)ને વટાવી ગયું છે, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે બાંધકામ, માળખાગત સુવિધાઓ અને વિકાસ પર લગભગ ૧,૫૦૦-૧,૮૦૦ કરોડ ખર્ચ્યા છે, જેના કારણે તે ભક્તોના યોગદાન અને વ્યાજમાંથી નોંધપાત્ર આવક સાથે ભારતના સૌથી વધુ કમાણી કરતા મંદિરોમાંનું એક બન્યું છે. ટ્રસ્ટે નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે ૩૨૭ કરોડની આવક નોંધાવી હતી, જેમાં દાનમાંથી ૧૫૩ કરોડ અને વ્યાજમાંથી ૧૭૩ કરોડનો સમાવેશ થાય છે, જેમાં દૈનિક મુલાકાતીઓની સંખ્યા હજારો સુધી પહોંચી રહી છે, જે સતત યોગદાન આપી રહી છે. આ મંદિર માટે પ્રખર રામાયણી કથાકાર મોરારિબાપુ દ્વારા સૌથી વધુ રકમનું દાન કરવામાં આવ્યું છે.
'નોબત'ના તમામ વાચકો અને ચાહકોને જય શ્રી રામ
પરેશ છાંયા
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
વંશવાદથી માત્ર તક મળે છે, સફળતા તો કાર્યક્ષમતા અને બુદ્ધિથી જ મળે છે
વંશવાદ બહુ બદનામ શબ્દ અને પ્રથા છે. લોકોને આ શબ્દ અને પ્રથાથી નફરત છે. અંગ્રેજીમાં નેપોટીઝમ શબ્દ છે, તે એ દર્શાવે છે કે, અંગ્રેજોમાં પણ વંશવાદ હોવો જોઈએ. માત્ર ભારત જ નહીં, આખી દુનિયામાં સંતાનો અથવા સગા સંબંધીઓને આગળ કરવાની પ્રથા ચાલી આવે છે. અંગ્રેજી ડિક્ષનેરી મુજમ નેપોટીઝમનો અર્થ... હોદ્દા કે નોકરી આપવા બાબતે સગા વ્હાલા પ્રત્યે ખાસ પક્ષપાત થાય છે. વર્તમાન સમયમાં આ માટે ગાંધી પરિવારના રાહુલ ગાંધી અને અમિત શાહના પુત્ર જય શાહને ઉત્તમ ઉદાહરણ માનવામાં આવે છે.
વંશવાદથી માત્ર તક મળે છે, સફળતા તો કાર્યક્ષમતા અને બુદ્ધિથી જ મળે છે. ધાર્મિક લોકો મને માફ કરે પણ, જો વંશવાદથી જ વ્યક્તિ મહાન, સફળ, ધનિક કે હીરો બની શકતો હોત તો, રામના પુત્રો, કૃષ્ણના સંતાન, રાવણના વંશજ ઇતિહાસ લખી શકાય તેટલા મહાન બન્યા હોત! હિટલરના વારીસ, ચાર્લી ચેપલીનના સગા સંબંધી, નેપોલિયન બોનપાર્ટના પુત્ર-પુત્રીઓ મહાનતા પ્રાપ્ત કરી શક્યા હોત. લી'ઓનારડોના સંતાનો કલાકાર બન્યા હોત.
ક્ષમતા અંદરની બાબત છે. સચિનદેવ બર્મનના પુત્ર રાહુલ દેવ બર્મન મહાન સંગીતકાર બન્યા, પરંતુ તેમણે તેમની પ્રતિભા દર્શાવી હતી. મહંમદ રફી, મુકેશના સંતાનો તક મળી હોવા છતાં પણ કાઠું કાઢી શક્યા નથી. આર,ડી. બર્મનના સંતાનો ક્યાં છે? કોઈને ખબર નથી! જવાહરલાલ નહેરૂના પુત્રી ઇન્દિરા ગાંધીએ પોતાની ક્ષમતાનો પરિચય આખા વિશ્વને આપ્યો હતો. રાજીવ ગાંધી અને રાહુલ ગાંધી પણ નેપો કિડ્ઝની કેટેગરીમાં આવે. નરેન્દ્ર મોદી વંશવાદના વિરોધી હોવા છતાં પક્ષમાં અનેક નેતાઓના સંતાનો હોદ્દા ભોગવી રહૃાા છે.
વંશવાદ
સગાવાદ એટલે સગાસંબંધીઓ અથવા નજીકના મિત્રોને, ખાસ કરીને તેમને નોકરી, પ્રમોશન અથવા અન્ય લાભો આપીને, તેમની લાયકાત અથવા યોગ્યતાને ધ્યાનમાં લીધા વિના, પક્ષપાત દર્શાવવાની પ્રથા. તેને વ્યાપકપણે ભ્રષ્ટાચારનું એક અનૈતિક સ્વરૂપ માનવામાં આવે છે જે વ્યવસાય, રાજકારણ અને અન્ય ક્ષેત્રોમાં ન્યાયીપણા અને યોગ્યતાને નબળી પાડે છે. લાયકાત કરતા વધારે મળવું તે વંશવાદ છે. વંશવાદથી માત્ર સીડીના એક કે બે પગથિયાં ચડી શકાય છે, ટોચ ઉપર પહોંચવા માટે તો બાહુબળ જ જોઈએ.
દુનિયામાં માત્ર ૧૦ ટકા લોકો જ પરિવરવાદને કારણે આગળ વધે છે અથવા સફળ બને છે. ભારતના બે વર્તમાન નેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ આપબળે આગળ વધેલા લોકો છે. ક્રિકેટર રવિન્દ્ર જાડેજા પણ આપબળે આગળ આવ્યા છે. વંશવાદ બદનામ છે, પરંતુ ૧૦૦ ટકા સફળતાની ગેરંટી નથી.
તાજેતરમાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર જામનગર આવ્યા હતા, તે નેપો કીડ' કહી શકાય. ધંધા અને રાજકારણમાં વંશવાદ શક્ય છે. સચિન તેંડુલકરના પુત્ર અર્જુન ખાસ કંઈ ઉકાળી શક્યો નથી. હા, તેને આંતરરાષ્ટ્રીય કક્ષાના ક્રિકેટમાં બેટ પકડવા મળ્યું તે.. વંશવાદ છે!
ગળથૂથી
ગુજરાતીમાં આ શબ્દ બહુ પ્રચલિત અને પ્રાચીન છે. બાળકના જન્મ બાદ નજીકના સગા કે જે, સફળ, સુઘડ, નસીબદાર અને સર્વ માન્ય હોય તે ગળથૂથી પીવડાવે છે. ગળથૂથીમાં ગોળનું પાણી અથવા મધ આપવામાં આવે છે. માન્યતા છે કે, નવજાત જે પ્રથમ આહાર લે, તેના ગુણ અને સ્વભાવ આવે તેવી માન્યતા છે.
નરેન્દ્ર મોદીને અને રાહુલ ગાંધીને ગળથૂથી કોણે પીવડાવી હશે તે રામ જાણે! પુત્ર, પુત્રીને સંસ્કાર અને અનુભવ પરિવારમાંથી મળે તે સ્વાભાવિક છે. ગળથૂથી પીવડાવે તેવાજ સંસ્કાર અને કાર્યક્ષમતા બાળકમાં આવશે તેવું કોઈ વિજ્ઞાનમાં સાબિત થયું નથી! આમ છતાં આજે પણ આ પ્રથા અમલમાં છે. નરેન્દ્ર મોદી અને ધીરૂભાઈ અંબાણીને કોણે ગળથૂથી પીવડાવી હશે?
નેપો બેબી
વાલીઓનો વારસો બાળકને મળે તેને હું બહુ સ્વાભાવિક માનું છે. ગૌતમ અદાણી શું પાડોશીના છોકરા છોકરીઓને ગાદીએ બેસાડે? ગાદી તો અતિ વિશ્વાસુ કે લોહીના સંબંધો હોય તેને જ મળે. સંતાન કે ભાઈ, ભત્રીજામાં આ બન્ને ગુણ જોવા મળે. લાલુ પ્રસાદ યાદવ અને મુલાયમસિંહ યાદવના સંતાનો રાજકારણમાં વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી લે તે બહુ સ્વાભાવિક છે!
અન્યાય
વંશવાદ સામાન્ય લોકોના પ્રતિભાશાળી બાળકોને બહુ અન્યાય કરે છે. મોટા લોકોના બાળકો સીધાં સીડીના પહેલાં પગથિયે ઊભા રહે છે ત્યાં સામાન્ય લોકોના બાળકોએ પહોંચવા માટે જાત ઘસી નાખવી પડે છે. અમિત શાહના પુત્ર જય શાહ સીધા બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઓફ ઈન્ડિયા (બીસીસીઆઈ)ની ટોચની ખુરશી ઉપર બેસી ગયા, ત્યાં સામાન્ય યુવાન કે સફળ ખેલાડીને પહોંચતા જન્મારો વીતી જાય છે! આવી મોટી જગ્યાઓ ઉપર જેમને બેસવા ન મળે તે મોટો અન્યાય થયો ગણી શકાય.
અનેક યુવક-યુવતીઓ ફિલ્મ જગતમાં સફળ થવા માટે જિંદગી પસાર કરી નાખે ત્યાં સુપર સ્ટારના સંતાનો મોટા બેનરની ફિલ્મો સરળતાથી મેળવે છે. શ્રીદેવી અને બોની કપૂરની પુત્રી જ્હાન્વી કપૂર તેનું ઉત્તમ ઉદાહરણ છે. રાજકારણમાં લાલુપ્રસાદ યાદવ અને મુલાયમસિંહ યાદવના સંતાનો પિતાના નામે કાઠું કાઢી ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ભાઈઓને રાજકારણથી અળગા રાખે છે.
બ્રિટનમાં ધનાઢ્ય પરિવારોમાં જેની ગણના થાય છે તે ભારતીય હિન્દુજા પરિવારમાં ત્રીજી પેઢીના પરિવારના સભ્યો પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકાઓ ધરાવે છે, જેમાં ગોપીચંદના પુત્રો અશોક લેલેન્ડ અને ગલ્ફ ઓઇલ ઇન્ટરનેશનલના અધ્યક્ષ છે, અને શ્રીચંદની પુત્રી હિન્દુજા બેંક (સ્વિટ્ઝર્લેન્ડ)નું નેતૃત્ત્વ કરે છે.
પ્રતિભા
વંશવાદ કે નેપોટીઝમ સફળતા માટે એકમાત્ર મંત્ર નથી. એક જમાનાના જ્યુબિલી સ્ટાર રાજેન્દ્ર કુમારના પુત્ર કુમાર ગૌરવની પ્રથમ ફિલ્મ લવ સ્ટોરી સુપર હિટ રહી. તે બીજી ફિલ્મથી જ સુપર ફ્લોપ રહૃાા. આજે કુમાર ગૌરવ ક્યાં ખોવાઈ ગયા તે ખબર નથી. પૃથ્વીરાજ કપૂરના સંતાનોએ વંશવાદનો ભરપુર લાભ ઉઠાવ્યો. જો કે, અમિતાભ બચ્ચનના પુત્ર અભિષેકની કારકિર્દી જામતી નથી, આમ છતાં બચ્ચન હોવાને કારણે ચાલ્યા જાય છે. વંશવાદથી તક મળે છે, પરંતુ પ્રતિભા હોવી જરૂરી છે. ટેનિસ ખેલાડી પ્રકાશ પાદુકોણેની પુત્રી દિપીકા પાદુકોણે હાલમાં ફિલ્મ જગતમાં ટોચના સ્થાને છે.
હલેસાંના કારણે હોડી તરે, પરંતુ હલેસાં કોઈ દિવસ હોડી નથી બની શકતી!
લીકર કિંગ મનાતા વિજય માલ્યાનો પુત્ર સિદ્ધાર્થ પિતાનો વારસો સાચવી શક્યો નથી. હાલમાં લંડનમાં છે. પ્રસિદ્ધ ઉધોગપતિ ધીરૂભાઈ અંબાણીના પુત્ર અનિલ અંબાણી પણ કાઠું કાઢી શક્યા નથી. એક સમયના મોટા વિડીયોકોન જૂથના વેણુગોપાલ ધૂતના સંતાનો કંપની સંભાળી શક્યા નથી. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સંતાનો ચાર્ટર્ડ વિમાનમાં ઊડે તે સ્વાભાવિક છે. મીડિયા મોગલ રૂપાર્ટ મરડોકના સંતાનો આ ક્ષેત્રમાં જ પ્રવૃત્ત છે.
દુનિયાના અતિ ધનાઢ્ય સોફ્ટવેર જાઈન્ટ બિલ ગેટ્સ વંશવાદમાંથી મુક્ત રહૃાા છે. તેમની ભૂતપૂર્વ પત્ની મેલિન્ડા ફ્રેન્ચ ગેટ્સને ત્રણ બાળકો છેઃ પુત્રીઓ જેનિફર કેથરિન ગેટ્સ (જન્મ ૧૯૯૬) અને ફોબી એડેલે ગેટ્સ (જન્મ ૨૦૦૨), અને પુત્ર રોરી જોન ગેટ્સ (જન્મ ૧૯૯૯). બાળકો પ્રમાણમાં ખાનગી જીવન જીવે છે, દવા, ઘોડેસવારી રમતો, ફેશન અને હિમાયતમાં પોતાની રૂચિઓ ધરાવે છે, જેનિફર ડોક્ટર અને ઘોડેસવાર છે, રોરી અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, અને ફોબી ડિજિટલ ફેશન અને સામાજિક મુદ્દાઓમાં સામેલ છે. જો કે તેમણે પિતાના નામ અને પ્રસિદ્ધિનો લાભ મળી રહૃાો છે તે અલગ બાબત છે. એમેઝોન કંપનીના સ્થાપક જોફ બેસોસ તેના સંતાનો બાબતે ચૂપકીદી સેવે છે. તેને પોતાના વિશાળ સામ્રાજ્યથી દૂર રાખે છે. એલોન મસ્કના બાળકો બહુ નાના છે તેથી તેની ચર્ચા કરવી અસ્થાને છે.
ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિલાસરાવ દેશમુખના પુત્ર રિતેશ દેશમુખે રાજકારણ અપનાવ્યું નથી. તે હિન્દી અને મરાઠી ફિલ્મોમાં એક સફળ અભિનેતા/નિર્માતા છે અને કોમેડી અને ખલનાયકની ભૂમિકાઓ માટે જાણીતા છે. અન્ય નોંધપાત્ર ઉદાહરણોમાં મંત્રી તાનાજી સાવંતના પુત્ર રૂષિરાજ સાવંતનો સમાવેશ થાય છે, જે મરાઠી સિનેમામાં પણ અભિનય કરે છે. જો કે બીજી તરફ એવી પણ દલીલો થઈ રહી છે કે રિતેશને પિતાના હોદ્દાને કારણે ફિલ્મ ઉદ્યોગમાં તકો મળી રહી છે!
ગુજરાતમાં માધવસિંહ સોલંકી અને અમરસિંહ ચૌધરીના પુત્રો રાજકારણમાં છે. નિરમા કંપનીના કરશનભાઇ પટેલના સંતાનો પણ નિરમાનો કારોબાર સંભાળી રહૃાા છે. વિઠ્ઠલ રાદડિયાના પુત્ર જયેશનું રાજકારણમાં મોટું નામ છે.
ટોરેન્ટ ફાર્મા, ટોરેન્ટ ગ્રુપ યુ.એન. મહેતા દ્વારા સ્થાપિત એક જૂથ છે, જે હવે તેમના પુત્રો સમીર મહેતા (ચેરમેન) અને સુધીર મહેતા (ચેરમેન એમેરિટસ) સંભાળે છે, એમડી અમન મહેતા જેવી ત્રીજી પેઢી હવે આ બહુ-અબજ ડોલરના કૌટુંબિક વ્યવસાયમાં મુખ્ય નેતૃત્ત્વ ભૂમિકાઓ સંભાળી રહી છે. ડો. રાજીવ મોદી કેડિલા ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડના વર્તમાન ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર છે. આ કંપનીની સ્થાપના તેમના પિતા, ઇન્દ્રવદન એ. મોદીએ કરી હતી, અને ડો. રાજીવ મોદીએ ૨૦૧૨ માં તેમના પિતાના અવસાન પછી કંપનીમાં નેતૃત્ત્વની ભૂમિકાઓ સંભાળી હતી. ધીરૂભાઈ અંબાણીની કંપની રિલાયન્સ હવે તેના પુત્ર મુકેશભાઇ સંભાળે છે. મુકેશભાઈના સંતાનો પણ હવે દાદા અને પિતાનો વારસો આગળ વધારી રહૃાા છે.
ફરજ
સંતાનને યોગ્ય તક આપવી તે દરેક વાલીની પ્રાથમિક ફરજ છે. દરેક માતાપિતા પોતાનું સંતાન મહાન બને, સફળ બને અને આગળ વધે તે દિલથી ઈચ્છે છે. સંતાન નાનું હોય ત્યારે લાલન પાલન કરે, અને યુવાન બને ત્યારે પણ તેને બાળક સમજીને જ મદદ કરે છે. અંગ્રેજીમાં તેને 'બેબી ફીડિંગ' કહેવાય છે. માતા પિતા જીવે ત્યાં સુધી બેબી ફીડિંગ ચાલુ રહે છે. આ માનસિકતા સમગ્ર વિશ્વમાં છે. સંતાનની કાળજી રાખવી તે માનવ સહજ સ્વભાવ છે. મોટા માણસનું બાળક મોટું બને તે સ્વાભાવિક છે.
સારાંશ
નોપોટીઝમ અથવા વંશવાદ એ સામાન્ય વલણ છે. તેમાં સફળતા અપવાદ છે. પરિવારનો ધંધો કે પ્રથા આગળ વધારવા માટે પરિવારના સભ્યોને જ પસંદ કરવામાં આવે તે બહુ સામાન્ય બાબત બની રહી છે. તેમાં સફળતાની બહુ ગેરંટી હોતી નથી. આગળ જતાં પ્રતિભા જરૂરી બની રહે છે.
પોતાના બળે અને જ્ઞાને આગળ વધતાં તમામ લોકોને શુભકામના.
૫રેશ છાંયા
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગરમ વસ્ત્રોના બજારમાં લુધિયાણાનો ૯૫ ટકા હિસ્સો છે!
ઠંડાગાર શિયાળામાં ગરમ કપડાંંં ઉપર લેખ લખવાથી પણ હૂંફ મળે તેવું એન્જિઑગ્રાફીના લેખકનું માનવું છે! આપણી માનસિકતા પણ પણ અદ્ભુત છે. ઘરના બાથરૂમમાં શાવર નીચે ઊભીને નહાય, ચોમાસામાં છત્રી લઈને ફરે! ઉનાળામાં એરકન્ડિશન વાપરે અને શિયાળામાં હીટર વાપરે! કારેલાનો જ્યુસ પીવે અને પછી લાડુ, શ્રીખંડની જયાફત ઉડાવે! જેમતેમ કરીને જિંદગી પૂરી કરે!
અત્યારે શિયાળો જામ્યો છે, પરંતુ ગરમ કપડાંંની બજાર હજુ જામી નથી. ગરમ કપડાંંના ભાવ પણ ખિસ્સું દઝાડી દે તેવા ગરમ છે. સામાન્ય સ્વેટર ૧૫૦૦ થી ૨૦૦૦ રૂપિયામાં મળે છે. કાનટોપીના ૧૫૦ થી ૨૫૦ સુધીના ભાવ છે. જો કે ધનિકો તો એક લાખથી લઈને ૧૦ લાખની કિમતના ઓવરકોટ, બ્લેઝર, પુલ ઓવર અને જેકેટ પહેરે છે. ગરમ કપડાંંમાં જેવી બજાર તેવા ભાવ હોય છે. ગુજરાતમાં શિયાળામાં તિબેટીયન લોકો ગરમ કપડાંંં માટે પ્રખ્યાત છે. થોડા દાયકા પહેલાં તે લોકો જાતે ગરમ કપડાંંં બનાવતા અને વેચતાં હતા. હવે તો મોટાભાગના ગરમ વસ્ત્રો પંજાબના લુધિયાણાથી જ લાવે છે. ભારતમાં ફટાકડા માટે જેમ શિવકાશી પ્રખ્યાત છે તેમ ગરમ કપડાંંં માટે લુધિયાણા દુનિયામાં પ્રખ્યાત છે!
ગરમ વસ્ત્રો
શિયાળાના વસ્ત્રોમાં ઊન, ફ્લીસ અને ડાઉન જેવા ઇન્સ્યુલેટીંગ કાપડમાંથી બનાવેલા ચોક્કસ કપડાંંંના સ્તરોનો સમાવેશ થાય છે, જેથી ઠંડીમાં પણ તે ગરમ રહે. આવશ્યક વસ્તુઓમાં ઉન, થર્મલ બેઝ લેયર, સ્વેટર અથવા કાર્ડિગન જેવા ઇન્સ્યુલેટીંગ મિડ-લેયર અને જેકેટ અને કોટ્સ જેવા રક્ષણાત્મક બાહૃા સ્તરોનો સમાવેશ થાય છે.
થર્મલ લેયરઃ ઉન અથવા જાડા ફેબ્રિક દ્વારા પ્રથમ સ્તર બનાવવામાં આવે છે, જે ત્વચાની નજીક રહે છે, જેથી ભેજ દૂર થાય અને પ્રારંભિક ઇન્સ્યુલેશન પૂરૃં પાડી શકાય. મેરિનો વૂલ અથવા સિન્થેટિક કાપડ જેવી સામગ્રી તેમની હૂંફ અને શ્વાસ લેવાની ક્ષમતાને કારણે ઉત્તમ પસંદગી છે.
મધ્ય-સ્તરોઃ આ સ્તર શરીરની ગરમીને સાચવીને પ્રાથમિક ઇન્સ્યુલેશન પૂરૃં પાડે છે. સ્વેટર, હૂડી, સ્વેટશર્ટ અને કાર્ડિગન સામાન્ય પસંદગીઓ છે, જે ઘણીવાર ઊન અથવા ફ્લીસમાંથી બનાવવામાં આવે છે.
બાહૃા સ્તરોઃ સૌથી બહારનું સ્તર પવનપ્રૂફ હોવું જોઈએ અને આદર્શ રીતે, બરફ, વરસાદ અને ઠંડા પવનોથી બચાવવા માટે વોટરપ્રૂફ હોવું જોઈએ. અનેક દેશોમાં શિયાળામાં બરફ વર્ષા પણ થાય છે. આથી ગરમ કપડાંંમાં વોટર પ્રૂફ લેયર આપવામાં આવે છે.
એસેસરીઝઃ હવે માત્ર છાતીને જ કવર કરવાની સાથે શરીરના અન્ય અંગોને ઠાંકવા માટે પણ વસ્ત્રોની વિશાળ શ્રેણી ઉપલબ્ધ છે. કારણ કે, માથા, હાથ અને પગમાંથી શરીરની નોંધપાત્ર ગરમી ગુમાવી શકાય છે. જેના માટે ટોપીઓ, બીની, સ્કાર્ફ, મફલર અને ઇન્સ્યુલેટેડ મોજા અથવા મિટન્સ વાપરવામાં આવે છે. હેન્ડકફ્સ, વિન્ટર કેપ વિથ નેક સ્કાર્ફ સેટ, ઉચ્ચ-ગુણવત્તાવાળા સ્ટ્રેચી વૂલન ફેબ્રિક સાથે માથા અને ગરદન બંનેને હૂંફ પ્રદાન કરે છે, અને બોલ્ડફિટ જેવી બ્રાન્ડ્સમાંથી વિવિધ વૂલન ગ્લોવ્સ ઉપલબ્ધ છે.
બજાર
ભારતમાં શિયાળાના વસ્ત્રોનું બજાર દેશના વસ્ત્ર ઉદ્યોગનો એક મહત્વપૂર્ણ અને ઝડપથી વિકસતો ભાગ છે, જેનું મૂલ્ય ગત શિયાળામાં આશરે સાત બિલિયન ડોલરનું હતું. હજુ સતત વૃદ્ધિ પામવાનો અંદાજ છે. વધતી જતી આવક, શહેરીકરણ અને ફેશન વલણોના પ્રભાવને કારણે, બજાર સંપૂર્ણપણે જરૂરિયાત-આધારિતથી આકાંક્ષા-આધારિત ખરીદી તરફ આગળ વધી રહૃાું છે. ગરમ કપડાંંના બજારમાં પણ હવે 'ફેશન ડિઝાઈનીગ' પ્રવેશી ગયું છે. મોટી મોટી ફેશન ડિઝાઇનિંગ કોલેજો હવે લગ્ન પ્રસંગ માટેના વસ્ત્રો સાથે ગરમ વસ્ત્રોના ડિઝાઇનિંગનું શિક્ષણ પણ આપે છે.
બજારનું કદ અને વૃદ્ધિ
ભારતીય આઉટવેર બજાર ગત શિયાળામાં યુએસડી સાત બિલિયન ડોલર સુધી પહોંચ્યું હતું અને ૨૦૩૩ સુધીમાં લગભગ ૪.૧% ના દરથી વધવાની અપેક્ષા છે. પુરુષોના શિયાળાના વસ્ત્રો આવકના હિસ્સાની દૃષ્ટિએ બજારમાં પ્રભુત્વ ધરાવે છે, જ્યારે બાળકોના સેગમેન્ટમાં ઝડપી ગતિએ વૃદ્ધિ થવાની અપેક્ષા છે.
બ્રાન્ડેડ વિરૂદ્ધ અનબ્રાન્ડેડઃ અનબ્રાન્ડેડ સેગમેન્ટ કુલ શિયાળાના વસ્ત્રો બજારમાં મુખ્ય હિસ્સો એટલે કે, લગભગ ૭૦% ભાગ ધરાવે છે. સામે પક્ષે ઉચ્ચ ગુણવત્તા, નવીનતમ અને આકર્ષક ડિઝાઇન અને નવીન કાપડ પર ધ્યાન કેન્દ્રિત કરીને બ્રાન્ડેડ શિયાળાના વસ્ત્રો વધુ આકર્ષણ મેળવી રહૃાા છે.
પ્રાદેશિક માંગ
આબોહવાની પરિસ્થિતિઓ ઉત્પાદનની માંગમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. ઉત્તરીય પ્રદેશોમાં ગરમ, ભારે કાપડની જરૂર પડે છે, જ્યારે દક્ષિણી પ્રદેશોમાં શિયાળો હળવો હોય છે, જેના કારણે ખુલ્લા જેકેટ અને કાર્ડિગન જેવા હળવા વજનના વિકલ્પોની માંગ વધે છે.
નવા સમયમાં ઓનલાઈન રિટેલ એક મુખ્ય વૃદ્ધિ ચાલક છે, જે ફક્ત શહેરી કેન્દ્રો જ નહીં, પરંતુ ટાયર ટુ અને ટાયર થ્રી શહેરોમાં બ્રાન્ડ્સ અને શૈલીઓની વિશાળ શ્રેણીને સુલભ બનાવે છે. સોશિયલ મીડિયા ગ્રાહક પસંદગીઓ અને ફેશન વલણોને નોંધપાત્ર રીતે અસર કરે છે.
ફેશન વલણો
વર્તમાન વલણો કાર્યક્ષમતા અને શૈલીના મિશ્રણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેમાં સ્ટ્રક્ચર્ડ લેયરિંગ, વંશીય અને આધુનિક વસ્ત્રોનું મિશ્રણ (દા.ત., કુર્તા ઉપર વૂલન જેકેટ), અને ટકાઉ અને પર્યાવરણને અનુકૂળ કાપડની વધતી માંગનો સમાવેશ થાય છે. ગરમ વસ્ત્રો હવે વિવિધ રંગોમાં મૈ રહૃાા છે.
સંશોધન
બ્રાન્ડ્સ ઉચ્ચ-પ્રદર્શન છતાં હળવા વજનના વસ્ત્રો પ્રદાન કરવા માટે હીટ-લોક, થર્મલ રેગ્યુલેશન, વોટર-રેઝિસ્ટન્સ અને વિન્ડ-પ્રૂફિંગ જેવી અદ્યતન ફેબ્રિક તકનીકોનો સમાવેશ કરી રહી છે. જૂના સમયમાં ગરમ વસ્ત્રો વજનમાં બહુ ભારે રહેતા હતા. હવે થર્મલના સમયમાં સામાન્ય કપડાંંં કરતા પણ હળવા અનુભવાય છે.
લુધિયાણા
ભારતના શિયાળાના વસ્ત્રોના બજારમાં લુધિયાણાનું ખૂબ મહત્ત્વ છે, જેને ઘણીવાર ''માન્ચેસ્ટર ઓફ ઈન્ડિયા'' અને દેશના ''વૂલન કેપિટલ'' તરીકે ઓળખવામાં આવે છે. તે દેશના ઉત્પાદનમાં લગભગ એકાધિકાર ધરાવે છે, જે ભારતના વૂલન અને એક્રેલિક નીટવેરનો અંદાજે ૯૦% થી ૯૫ % માલ સપ્લાય કરે છે. તેના વર્ચસ્વ માટેના મુખ્ય કારણોમાં લુધિયાણામાં લગભગ ૧૨ થી ૧૩ હજાર ઉત્પાદન એકમોનો કાર્યરત છે, લુધિયાણામાં મોટા નિકાસ ગૃહોથી લઈને સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો (એમએસએમઈ)નો સમાવેશ થાય છે. આ વિશાળ નેટવર્ક સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ બંને માટે જથ્થાબંધ ઉત્પાદન અને ખર્ચ-અસરકારક ઉત્પાદનની સુવિધા આપે છે.
અહીં ફેશન ડિઝાઈનીંગથી લઈને વિશાળ સ્ટોરેજ સુવિધા ઉપલબ્ધ છે. અહીં ગરમ વસ્ત્રોની વિવિધ શ્રેણી ઉપલબ્ધ છે. સ્વેટર, જેકેટ્સ, થર્મલ્સ, કાર્ડિગન્સ, પુલઓવર, મફલર, ગ્લોવ્સ અને શાલ સહિત શિયાળાની આવશ્યક ચીજવસ્તુઓની વિશાળ શ્રેણીનું ઉત્પાદન કરે છે, જે લો-એન્ડ માસ માર્કેટથી લઈને પ્રીમિયમ બ્રાન્ડ્સ સુધીના વિવિધ બજાર વિભાગોને પૂરી પાડે છે.
કુશળ કાર્યબળઃ આ પ્રદેશ ગૂંથણકામ અને હોઝિયરી ઉત્પાદનમાં વિશેષ કુશળતા ધરાવતા કુશળ મજૂરોની પેઢીઓથી લાભ મેળવે છે. આ સ્થાનિક જ્ઞાન ઉદ્યોગની ગુણવત્તા અને કાર્યક્ષમતામાં નોંધપાત્ર ફાળો આપે છે.
સંકલિત પુરવઠા શ્રૃંખલાઃ લુધિયાણા પાસે એક મજબૂત અને સંકલિત સ્થાનિક પુરવઠા શ્રૃંખલા છે, જેમાં સ્પિનિંગ, વણાટ, રંગકામ અને ગાર્મેન્ટિંગ એકમોનો સમાવેશ થાય છે. આ સ્વ-નિર્ભરતા ઉત્પાદકોને સ્થાનિક રીતે કાચો માલ મેળવવા અને બજારની માંગ અને ચુસ્ત ડિલિવરી સમયપત્રકનો ઝડપથી જવાબ આપવા માટે પરવાનગી આપે છે.
સ્થાનિક બજાર પર ધ્યાન કેન્દ્રિતઃ જ્યારે નિકાસ નોંધપાત્ર છે, ત્યારે સ્થાનિક બજાર પ્રાથમિક ચાલક છે, જે શહેરના ઊન ક્ષેત્રના ઉત્પાદનમાં લગભગ ૭૦% હિસ્સો ધરાવે છે. મજબૂત સ્થાનિક સ્પર્ધા અને ટ્રેન્ડી, ગુણવત્તાયુક્ત ઉત્પાદનો માટે મધ્યમ વર્ગની માંગમાં સતત વધારો થયો છે, જેથી ઉત્પાદન એકમોને તેમની ઉત્પાદન પ્રક્રિયાઓને નવીનતા અને અપગ્રેડ કરવા માટે સતત પ્રોત્સાહિત કરે છે.
ઐતિહાસિક વારસો
લુધિયાણાનો કાપડ વારસો ૨૦મી સદીની શરૂઆતમાં છે, જે સરકારી સમર્થન અને મજબૂત વેપાર સંબંધો વિકસાવવા સાથે વિકાસ પામી રહૃાો છે, શરૂઆતમાં સોવિયેત યુનિયન સાથે વિપુલ વેપાર કર્યો હતો. લુધિયાણાનો સંકલિત ઉદ્યોગ, વિશાળ ઉત્પાદન ક્ષમતા અને કુશળ શ્રમબળ તેને ભારતના શિયાળાના વસ્ત્ર બજારનો અનિવાર્ય કરોડરજ્જુ બનાવે છે, જે રાષ્ટ્રીય અને વૈશ્વિક વસ્ત્રો બ્રાન્ડ્સ માટે એક ગો-ટુ સોર્સિંગ ડેસ્ટિનેશન છે.
દુનિયામાં આધુનિક ગરમ વસ્ત્રો પૂરા પાડવામાં પણ લુધિયાણા મોખરાનું સ્થાન ધરાવે છે. દુનિયાની મોટી અને પ્રખ્યાત ગરમ વસ્ત્રોની બ્રાન્ડ લુધિયાણામાં અવરજવર કરતી જોવા મળે છે.
પ્રકાર
ઠંડી અનુસાર ગરમ વસ્ત્રોના પ્રકાર પણ અલગ અલગ હોય છે. ગુજરાતમાં હૂંફ આપતા ગરમ વસ્ત્રો અમેરિકા કે કેનેડામાં કામ લગતા નથી. અમેરિકા અને યુ.કે. ના ગરમ વસ્ત્રો રશિયાના અલાસ્કામાં રક્ષણ આપતા નથી! કેનેડામાં પણ ગરમ વસ્ત્રો સ્થાનિક હવામાન અનુસાર હોય છે. દરેક દેશની ઠંડીનો પ્રકાર અલગ અલગ હોય છે. જેવી ઠંડી તેવા વસ્ત્રો.
જામનગર
જામનગરમાં તિબેટીયન લોકો છેલ્લા ૨૦ વર્ષથી ટાઉન હોલ પાસે ગરમ કપડાંંંનો વેપાર કરે છે. જામ સાહેબ આ પરિવારોને વેપારની અનુકૂળતા કરી સહકાર આપે છે અને પોતાની જગ્યા વિનામૂલ્યે વાપરવા માટે પણ આપે છે. આ વખતે ૨૬ સ્ટોલ લગાવવામાં આવ્યા છે.
આગાહી
વર્તમાન શિયાળામાં ગુજરાત માટે હવામાન આગાહી (ડિસેમ્બર ૨૦૦૨૫-ફેબ્રુઆરી ૨૦૨૬) માટે કોઈ ખાસ આગાહી નથી. દર વર્ષની પેટર્ન મુજબ જ ઠંડી પડશે. ઘણા વિસ્તારોમાં સામાન્ય કરતાં ઓછા લઘુત્તમ તાપમાન સાથે સામાન્ય રીતે હળવો શિયાળો રહેવાનો સંકેત આપે છે, પરંતુ આશરે ૩૦ દિવસનો ''પીક કોલ્ડ'' સમયગાળો ટૂંકો રહેશે. રાજ્યમાં ઠંડી રાત અને ગરમ બપોરનું મિશ્રણ રહેશે. લઘુત્તમ તાપમાન ૧૦ ડિગ્રી સુધી જવાની સંભાવના છે. નલિયા અને ડીસા રાજ્યમાં સૌથી વધુ ઠંડા વિસ્તાર રહેશે. સૌરાષ્ટ્રમાં ગિરનાર પર્વત ઉપર સૌથી વધુ ઠંડી નોંધાશે. આ વખતે સામાન્ય ફેરફારમાં કચ્છના રણમાં તાપમાન વધુ નીચું જવાની સંભાવના રહેલી છે.
'નોબત'ના વાચકો અને ચાહકોને ઠંડી તંદુરસ્તી ભરી રહે તેવી શુભેચ્છા.
પરેશ છાંયા
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
લોકશાહીના પાયા સમાન મતદાર યાદી કંગાળ હાલતમાં કેમ છે?
ઘનિષ્ઠ મતદાર યાદી સુધારણા અભિયાન (એસઆઈઆર) હવે અંતિમ તબક્કામાં છે. લગભગ અઢી દાયકા પછી આપણને આવી મહત્ત્વની કામગીરી માટે વિચાર આવ્યો કે સમય મળ્યો. લોકશાહી માટે મતદારો અને મતદાન પાયાની બાબત છે. તંદુરસ્ત લોકશાહી માટે મતદારો પાયાના પથ્થર છે. મતદારો વગરની લોકશાહી ઠોકશાહી જેવી છે. મતદાર યાદી પણ તેમાં મહત્ત્વનું દસ્તાવેજ છે. મતદાર યાદી માંદી કે અસ્તવ્યસ્ત હશે તો 'વોટ ચોરી' થશે અને સાચી સરકાર ચૂંટી નહીં શકાય. ૨૦૦૨ માં ઘનિષ્ઠ મતદાર સુધારણા કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારે અંદાજે ૧૦૦ કરોડની વસ્તી હતી. આજે ૧૪૦ કરોડે પહોંચી છે. અઢી દાયકા સુધી મતદાર યાદીનું ઘનિષ્ઠ રિવિઝન કર્યું જ નથી!
ભારત એક બહુ વિશાળ જનરાશિ અને વૈવિધ્યભર્યો દેશ છે. આર્થિક અને સામાજિક રીતે અસંખ્ય ફાંટા છે. દર વર્ષે કરોડો નવા યુવાનો ૧૮ વર્ષ પૂર્ણ કરી મતદાનને લાયક બને છે. કરોડો લોકો મૃત્યુ પામે છે. કરોડો લોકો સામાજિક અથવા આર્થિક કારણોસર સ્થળાંતર કરે છે. મારા અનુમાન પ્રમાણે અઢી દાયકામાં લગભગ અડધી વસ્તીમાં આવા કારણોસર મતદાર યાદીને અસર કરે તે રીતની ઘટનાઓ બને છે. આ કોઈ ખાનગી કે નવી બાબત નથી. સરપંચથી લઈ વડાપ્રધાન સુધી અને તલાટીથી લઈને સચિવ સુધીના લોકો આ બાબતે સુમાહિતગાર છે. પરંતુ.. અફસોસ, મતદાર યાદી સુધારણા માટે કોઈ નિયમિત વિચાર કે વ્યવસ્થા તંત્ર જ નથી! ભારતીય લોકો બહુ અસ્તવ્યસ્ત અને લાપરવાહ જીવન જીવે છે. ડિસિપ્લિન જેવી કોઈ બાબત જ નથી.
નાગરિકો
અસ્તવ્યસ્ત મતદાર યાદી માટે મતદારો પોતે પણ જવાબદાર છે. મતદાન પ્રક્રિયાને ગંભીરતાથી લેતા જ નથી. રાજકીય પક્ષો પણ ચૂંટણી આવે ત્યારે મતદારોને યાદ કરે છે. વ્યવસ્થા તંત્ર પણ થોડો ઘણો સમય કાઢીને કાચી પાકી મતદાર યાદી તૈયાર કરે છે. લગભગ દરેક ચૂંટણી સમયે કેન્દ્ર અને રાજ્યનું ચૂંટણી પંચ અને જિલ્લા વહીવટી તંત્ર મતદાર યાદીમાં સુધારા વધારા કરવાની કવાયત કરે છે. દરેક બુથ ઉપર આ માટે કામગીરી કરવામાં આવે છે. નવા નામ ઉમેરવા, મૃત્યુ પામનાર લોકોના નામ રદ કરવા કે સ્થળાંતર થયા હોય તો તે માટે પણ બુથ ઉપર ફોર્મ ભરી શકાય છે. પરંતુ આપણે મતદારો ત્યારે ગંભીર બનતાં જ નથી. ફોર્મ ભરાઈ ગયા પછી, કાચો મુસદ્દો પણ લોકોના વાચન માટે જાહેર કરવામાં આવે છે. જે લોકોએ ફોર્મ ભર્યા હોય તે, ત્યાં જઈ મતદાર યાદી ચકાસી શકે છે અને વહીવટી તંત્ર દ્વારા કોઈ ભૂલ રહી ગઈ હોય તો ત્યારે ધ્યાન દોરી શકે છે. આ કામગીરી બાદ અંતિમ મતદાર યાદી જાહેર કરવામાં આવે છે. અઢી દાયકામાં આ કામગીરીને મતદારોએ ગંભીરતાથી લીધી હોત તો આ વખતે ઘનિષ્ઠ મતદાર યાદીમાં ઘણી સરળતા રહી હોત. પરંતુ જે તે સમયે બન્ને પક્ષો ગંભીર બનતાં નથી તે કડવી વાસ્તવિકતા છે.
મતદાર યાદી સાથે સંકળાયેલા એક ઉચ્ચ અધિકારીએ જવાવ્યું કે, વર્ષ દરમિયાન ત્રણથી ચાર વખત આ કસરત કરવામાં આવે છે. પરંતુ લોકો તરફથી બહુ નબળો પ્રતિસાદ મળે છે. ભારત બહુ મોટો દેશ છે અને મતદાર યાદી માટે અલાયદું કોઈ તંત્ર નથી તેથી ગમે તેટલી ગંભીરતા રાખવામાં આવે તો ૮૦ ટકા જ ચોકસાઇ રહી શકે છે.
આ વખતે પણ અતિ ગંભીરતાથી સુધારણા અભિયાન ચલાવવામાં આવ્યું છે તો પણ એક મહિનામાં લાખો લોકો મૃત્યુ પામ્યા, ૧૮ વર્ષ ઉપરના થયા કે સ્થળાંતરીત થયા હશે તેમનો આમાં સમાવેશ થઈ શક્યો નહીં હોય.
બીજી નોંધનીય બાબત એ છે કે, ચૂંટણી પંચ પદાધિકારીઓના નામ અને વિગતો ચકાસવા માટે ખાસ દિશા નિર્દેશો આપે છે. વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મતદાર યાદીમાં નામ અમદાવાદમાં છે, પરંતુ તેનું રહેઠાણ દિલ્હીમાં છે. સામાન્ય મતદાર હોય તો, તે ક્યાં વસવાટ કરે છે તે ખબર નથી પડતી. નરેન્દ્ર મોદી, સાંસદો, ધારાસભ્યો જેવા મહત્ત્વના પદાધિકારીઓની ખાસ રૂબરૂ ચકાસણી કરી ફોર્મ ભરવામાં આવે છે. સામાન્ય નાગરિક આ તક ચૂકી જાય છે, જેની સંખ્યા પણ કરોડોમાં હોય છે. આ કારણે, મતદાર યાદી સંપૂર્ણ બની શકતી નથી. જ્યારે પણ આ કામગીરી હાથ ધરવામાં આવે ત્યારે નાગરિકે તેની મતદાર તરીકેની સ્થિતિ જાળવી રાખવા માટે જાગૃત રહેવું પડે. નાગરિકો જેટલા જાગૃત અને સક્રિય હશે, તેટલી મતદાર યાદી સ્પષ્ટ બનશે.
વહીવટી તંત્ર
મતદાર યાદી સુધારણા માટે વર્ષમાં ત્રણથી ચાર વાર કામગીરી હાથ ધરવામાં આવે છે. તેની વ્યાપક પ્રસિદ્ધિ પણ કરવામાં આવે છે. ખાટલે મોટી ખોટ એ છે કે, આ માટે કોઈ અલાયદું તંત્ર જ નથી. કાયમી કર્મચારીઓ પણ નથી. જિલ્લા કક્ષાએ સામાન્ય મહેકમ ધરાવતી ચૂંટણી શાખા હોય છે. કોઈ પણ મતદાર તેની સ્થિતિ સુધારવા માટે વર્ષના ૩૬૫ દિવસ ફોર્મ ભરી અરજી કરી શકે તેવી વ્યવસ્થા છે. સામાન્ય દિવસોમાં જે ફોર્મ આવે તેનો ઝુંબેશ દરમિયાન નિકાલ કરવામાં આવે છે. આ વખતે ઘનિષ્ઠ મતદાર સુધારણા ઝુંબેશમાં લગભગ ૧૫ સરકારી વિભાગોના કર્મચારીઓ અને અધિકારીઓને કામગીરીમાં જોડવામાં આવ્યા છે. જેમાં મોટા ભાગના શિક્ષકો છે. જેમની ઉપર કામગીરી માટે બહુ દબાણ કરવામાં આવતું હોવાનું જણાયું. આ બાબત સત્ય પણ છે. કારણ કે, ૩૦ દિવસમાં ૧૨ રાજ્યોના આશરે ૫૧ કરોડ મતદારોની વિગતો મેળવણી કરવાની હતી. નવેસરથી તેની યાદી (ડેટા એન્ટ્રી) તૈયાર કરવાની જવાબદારી પણ આમની જ છે. આ કામગીરી કરતા કર્મચારીઓને તાલીમ પણ આપવામાં આવે છે.
ડિજિટલ
મોટો સવાલ કે આશ્ચર્ય એ છે કે, ડિજિટલ ભારતના નારાઓ વચ્ચે આ મહા અભિયાન કાગળ ઉપર ચલાવવામાં આવી રહૃાું છે! કાગળના ફોર્મ વિતરણ કરવાના, ભરીને પરત લેવાના અને પછી કોમ્પ્યુટરમાં દાખલ કરવાના! ડિજિટલ સાક્ષરતા ક્યાં ગઈ? નાના ગામડાઓમાં કદાચ ડિજિટલ કામ શક્ય ન પણ બને, પરંતુ મોટા મહાનગરોમાં પણ ઘરે ઘરે કાગળોનું વિતરણ કરવું તે બેહૂદું લાગે છે. સરકારે ઓન લાઇન વ્યવસ્થા કરી છે, પરંતુ તે બહુ કારગર નીવડી હોય તેવું લાગતું નથી! ભાષણોમાં ભારત બહુ પ્રગતિ કરી રહૃાું હોય તેવી પ્રતિતી થાય છે, પરંતુ વાસ્તવિકતા કઇંક અલગ છે. રાજકીય પક્ષના સભ્ય થવા માટે 'મિસ કોલ સિસ્ટમ' છે, પરંતુ સીર માટે આવો કોઈ વિચાર આવતો નથી!
માનસિકતા
દેશમાં સરકાર અને નાગરિકો હજુ પાકટ થયા નથી. બન્ને મુખ્ય મુદ્દાઓથી ભટકી ગયા છે. દેશમાં સંશોધન અને વિશ્લેષણ તદ્દન તળિયે છે. આધાર કાર્ડ કેટલું આધારભૂત છે તે હજુ આપણે નક્કી નથી કરી શક્યા. મતદાન માટે આધારકાર્ડ ઓળખ તરીકે માન્ય છે પરંતુ મતદાર યાદીમાં નામાંકન માટે તે માન્ય નથી ગણ્યું! આધાર કાર્ડને જ ચૂંટણી કાર્ડ કેમ નથી ગણવામાં આવતું? આધારકાર્ડના બાર આંકડાને જ ચૂંટણી કાર્ડ નંબર ગણવા જોઈએ. આધારકાર્ડ, પાન કાર્ડ અને ચૂંટણી કાર્ડને મર્જ કરી શકાય છે.
મોબાઈલ ઓપરેટર કંપનીઓ ગ્રાહકો/વપરશકારોની ક્ષણે ક્ષણની માહિતી રાખે છે. દેશના ચાર મોટા મોબાઈલ ઓપરેટર દેશના ૧૧૦ કરોડ ગ્રાહકોનો ડેટા અને ટ્રેકિંગ મેનેજમેન્ટ બહુ આધુનિક અને વ્યવસ્થિત રીતે કરી રહી છે. રિચાર્જ પૂરૃં થાય તે ક્ષણે મોબાઈલ કામ કરતો બંધ થઈ જાય છે. તો આવડી મોટી ભારત સરકાર ૧૪૦ કરોડ લોકોનું ટ્રેકિંગ કેમ નથી કરી શકાતી? દેશની બેન્કો આશરે ૧૨૦ કરોડ લોકોના આર્થિક લેન દેણ પરફેક્ટ રીતે કરી શકે તો ભારત સરકાર કેમ અને ક્યાં ટૂંકી પડે છે?
કારણ સ્પષ્ટ છે. માનસિકતાનો અભાવ છે. દેશના નગરિકોનો કોઈ પ્રકારનો હિસાબ મળતો જ નથી. આપણે રાજકીય રીતે વ્યસ્ત છીએ, પરંતુ દેશપ્રેમી તરીકે ગંભીર નથી. દેશમાં દુનિયાના ધનિકો અતિ આધુનિક ડેટા સેન્ટર ઊભા કરી રહૃાા છે ત્યારે નાગરિકોની માહિતી માટે કેમ કોઈ ડેટા સેન્ટર નથી?
૨૦૦૨
દેશમાં ૨૦૦૨ માં એસઆઈઆર દરમિયાન મતદાર યાદીમાં ૭ કરોડથી વધુ નવા મતદારો ઉમેરવામાં આવ્યા હતા. ભારતના ચૂંટણી ઇતિહાસમાં અત્યાર સુધીના સૌથી મોટા એક વર્ષમાં થયેલા ઉમેરાઓમાંનો આ એક હતો. ૩૫ કરોડ થી વધુ ચૂંટણી કાર્ડ જારી કરવામાં આવ્યા હતા અથવા જારી કરવાની પ્રક્રિયામાં હતા. મોટાભાગના રાજ્યોમાં ફોટોગ્રાફી કવરેજ ૮૫-૯૦% થી વધુ સુધી પહોંચ્યું. મોટી સંખ્યામાં ડુપ્લિકેટ, શિફ્ટ અને મૃત મતદારો દૂર કરવામાં આવ્યા હતા. આશરે બે કરોડ બોગસ/શિફ્ટ કરેલી એન્ટ્રીઓ રદ કરી નાખવામાં આવી હતી. ૨૦૦૨ના સુધારા પછી કુલ મતદારો ૬૭ કરોડને વટાવી ગયા. એસઆઈઆર અભિયાન પહેલાં ૨૦૦૦-૨૦૦૧માં આશરે ૬૧.૯૫ કરોડથી મતદારો હતા.
ગુજરાતમાં ઘનિષ્ઠ મતદાર યાદી સુધારણા યાદીની આ પ્રકારની કામગીરી વર્ષ ૨૦૦૨ મા કરવામાં આવી હતી ત્યારે કુલ મતદારો ૩,૩૨,૪૨,૦૬૨ હતા, જેમાં ૧૭,૦૬૬,૫૭૫ પુરુષ અને ૧,૬૧,૭૫,૪૮૭ સ્ત્રી મતદારો નોંધાયા હતા.
૨૦૨૫ માં અંદાજે પાંચ કરોડ મતદારો હોવાનો અંદાજ છે. ૨૫ વર્ષમાં કેટલા મતદારોના મૃત્યુ થયા? કેટલા નવા આવ્યા? કેટલા મતદારો સ્થળાંતરીત થયા? તે જાણવા માટે આ ઘનિષ્ઠ મતદાર યાદી સુધારણા કાર્યવાહી કરવામાં આવી રહી છે.
અનુરોધ
ગુજરાતના તમામ નાગરિકોને હાર્દિક અપીલ છે કે, કેન્દ્ર અને રાજ્ય સરકારની ઘનિષ્ઠ મતદાર યાદી સુધારણા કાર્યને સંપૂર્ણ સહકાર આપો. ફોર્મમાં સંપૂર્ણ સાચી વિગતો ભરો. આસપાસમાં કોઈ નિર્બળ કે વૃદ્ધ હોય તેમને સહકાર આપો. ફોર્મ પરત સોંપવા માટે અંતિમ મુદતની રાહ ન જુવો.
'નોબત'ના વાચકો અને ચાહકોને આ રાષ્ટ્રીય ઝુંબેશમાં સહયોગ આપવા હાર્દિક અનુરોધ છે.
૫રેશ છાંયા
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
રાજકારણમાં અર્થકારણ વધી રહૃાું છે
રાહુલ ગાંધી વિશ્વની લોકશાહીમાં સિમાચિન્હ કહી શકાય તે રીતે ૯૩ મોટી ચૂંટણી પક્ષના નેતા તરીકે હારી ચૂક્યા છે! કોંગ્રેસ ૧૦૦ ચૂંટણી હારી ચૂકી છે. સામે પક્ષે નરેન્દ્ર મોદી વ્યક્તિ તરીકે એક પણ ચૂંટણી હાર્યા નથી. તેમનો પક્ષ પણ ૯૯ ટકાની સિદ્ધિ ધરાવે છે! બિહારમાં ઈન્ડિયા ગઠબંધનને માત્ર ૩૫ બેઠક મળી. ચૂંટણીના ચાણક્ય ગણાતા પ્રશાંત કિશોરનો પક્ષ ઊંધે માથે પટકાયો. આ બધી વાર્તાઓ હવે જૂની થઈ ગઈ છે. બિહારમાં નીતિશ કુમાર ૨૦ વર્ષથી સત્તામાં છે અને બીજા ૫ વર્ષ બિહારને નેતૃત્વ પૂરૃં પાડશે. નરેન્દ્ર મોદી અને અમિત શાહ તેનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરવા દેશે કે કેમ તે મોટો સવાલ છે. અહી ભાજપ સૌથી મોટો પક્ષ છે ત્યારે સત્તામાં ભાગ પણ મોટો માંગે તે સ્વાભાવિક છે.
સંખ્યા
દેશમાં કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા સતત ઘટી રહી છે. ૧૯૭૪ માં દેશમાં ૨,૨૫૩ ધારાસભ્યો તેમની પાસે હતા. ૨૦૨૪-૨૫ માં માત્ર ૬૪૦ જ રહૃાા છે. ટોચની સંખ્યા હતી ત્યારથી ૧,૬૧૩ ધારાસભ્યો એટલે કે ૭૦ ટકા હારી ગયા છે. કોંગ્રેસ દેશની કુલ સંખ્યાના માત્ર ૧૫ ટકા જ હવે ધરાવે છે!
જ્યારે ભાજપ પાસે ૨૦૧૪માં ૧૦૩૫ ધારાસભ્યો હતા તો વધીને ૨૦૨૫ માં ૧૬૫૪ થયા છે.
નીતિશ કુમાર
બિહારમાં આ વ્યક્તિ સર્વવ્યાપી અને સમય વ્યાપી છે. મોદી અને શાહને પણ આ રાજ્યમાં નીતિશને પૂછીને પાણી પીવું પડે છે. તેનું મુખ્ય કારણ મુસ્લિમ મતદારો છે. મુસ્લિમો ભાજપને મત ન આપે, પરંતુ નીતિશને આપે છે. આથી ૪૦ બેઠકો ઉપર એન.ડી.એ. કાઠું કઢી શકે છે.
નીતિશ કુમારનો જન્મ ૧ માર્ચ, ૧૯૫૧ ના થયો હતો. એક અનુભવી ભારતીય રાજકારણી અને બિહારના વર્તમાન અને સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા મુખ્યમંત્રી છે, જેમણે ૨૦૦૦ થી આ પદ સંભાળ્યું છે. તેઓ જનતા દળ (યુનાઇટેડ) પક્ષના અગ્રણી નેતા છે. ૨૦૨૫ માં તે ૧૦મી વાર મુખ્યમંત્રી પદના સપથ લીધા. તેમણે બિહાર કોલેજ ઓફ એન્જિનિયરિંગ, પટના (હવે એનઆઈટી પટના) માંથી એન્જિનિયરિંગમાં બી.એસસી.ની ડિગ્રી મેળવી છે.
રાજકીય સફર બહુ લાંબી અને સફળ છે. તેમની રાજકીય સ્થિતિ સ્થાપકતા અને જોડાણો (મુખ્યત્ત્વે ભાજપની આગેવાની હેઠળના એનડીએ અને આરજેડીની આગેવાની હેઠળના મહાગઠબંધન અથવા મહાગઠબંધન) વચ્ચે વ્યૂહાત્મક પરિવર્તન માટે જાણીતા છે. નીતિશ કુમાર રાજ્ય અને રાષ્ટ્રીય રાજકારણ બંનેમાં એક મહત્ત્વપૂર્ણ વ્યક્તિ રહૃાા છે. તેમણે અગાઉ કેન્દ્ર સરકારમાં કેન્દ્રીય રેલવે મંત્રી અને કૃષિ મંત્રી તરીકે સેવા આપી છે. રેલવે મંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન, તેમણે ઇન્ટરનેટ ટિકિટ બુકિંગ અને તત્કાલ સિસ્ટમ્સ રજૂ કરી.
નીતિશનું કાયમ શાસન પર ધ્યાન કેન્દ્રિત હોય છે. મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળમાં માળખાગત વિકાસ અને સામાજિક સશક્તિકરણ યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, ખાસ કરીને મહિલાઓ અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોને લક્ષ્ય બનાવતી યોજનાઓ, જેમ કે વિદ્યાર્થીઓ માટે સાયકલ અને ભોજન કાર્યક્રમો અને રાજ્યવ્યાપી દારૂ પ્રતિબંધ મુખ્ય છે.
રાષ્ટ્રીય લોકશાહી જોડાણ (એનડીએ), જેમાં કુમારના જેડી(યુ) અને ભાજપનો સમાવેશ થાય છે, તાજેતરની બિહાર વિધાનસભા ચૂંટણીઓમાં બહુમતી મેળવી.
રેવડી
ભારતીય ચૂંટણીમાં નામ, કામ, ઇજ્જત અને લાક્ષણિકતાઓ ઉપરાંત મતદારોને પ્રલોભનો ચૂંટણી જીતવા માટે મહત્ત્વના ગણવામાં આવે છે. બિહારમાં આ વખતે મહિલાઓના બેંક ખાતામાં ૧૦ હજાર નાખવામાં આવ્યા તે ઘટનાને મોટી ગેમ ચેન્જર ગણવામાં આવે છે. ચૂંટણીમાં જીત્યા પછીના વચનો આપવામાં આવે છે, જે હવે બહુ અસરકારક રહૃાા નથી. આથી એન.ડી.એ. એ બિહારમાં ચૂંટણી પહેલાં જ રેવડીઓ આપી દીધી. બીજી ભાષામાં કહીએ તો રવડી નહીં બિહારીઓના મોઢામાં પતાંસા આપી દીધા. બિહારમાં મોદી, શાહ અને નીતિશ સત્તા ઉપર હતા તેથી બહોળા પ્રમાણમાં હાથ છૂટો રાખી શક્યા. જે લાખ માંગે તેને સવા લાખ આપી દીધા. સામે પક્ષે ઈન્ડિયા ગંઠબંધનમાં બધાના હાથ તાણમાં હતા. તેજસ્વી યાદવ, રાહુલ ગાંધી પાસે દાયકાઓથી સત્તા ન હોવાથી તિજોરી ખાલીખમ છે. પ્રચાર માટે પણ ફંડના ફાંફાં હતાં. તેની પાસે ઠાલા વચનો સિવાય કશું ન હતું.
ભારતમાં બિહાર અને ઉત્તર પ્રદેશનું રાજકારણ બહુ માથાભારે અને આતંકી ગણાય છે. અહી બહુબલીઓ જ ચૂંટણીમાં મુખ્ય હોય છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહ ચૂંટણી ચક્રવ્યૂહ ભેદવા માટે વિપક્ષના આર્થિક ભંડોળ ઉપર ખંભાતી તાળું મારી દે છે. આથી વિપક્ષ નાણાના અભાવે ગૂંગળાઇ મરે છે. બિહારમાં પણ આવું જ થયું. એન.ડી.એ. પાસે છપન્ન ભોગ હતા અને ઈન્ડિયા પાસે ભૂખમરો જ હતો. બન્નેની હાર જીતના આ મુખ્ય કારણ છે.
આર્થિક તંગી હોય એટલે અંદરો અંદરના ઝગડા અને ખેંચતાણ પણ મોટા પાયે હોય તે સ્વાભાવિક છે. નાણા વગરનો નાથીયો અને સત્તા વગરનો રાજકારણી, બન્નેની હાલત સરખી હોય છે. નાણા વગરનો રાજકારણી પણ અર્થહીન છે.
અર્થકારણ
રાજકારણ હવે અર્થ (નાણા)નું કારણ બની ગયું છે. ધારાસભા અને સંસદની ચૂંટણી લડાવી હોય તો કરોડો રૂપિયાની જરૂર પડે છે. નાણા ખર્ચ બાબતેની આચારસંહિતા હવે માત્ર કાગળ ઉપર જ રહી છે. સામાન્ય નાગરિકો માટે ચૂંટણી લડવી અને જીતવી તે અશક્ય બની ગયું છે. રાજકીય પક્ષો માટે પણ આ લાગુ પડે છે. મતદારોને આકર્ષવા અને ભ્રમિત કરવા માટે જંગી ચૂંટણી ભંડોળ જોઈએ. માત્ર લોકપ્રિયતના આધારે ચૂંટણી જીતી શકાતી નથી તે કડવી વાસ્તવિકતા છે.
બિહારમાં પણ રાજકારણ ઉપર અર્થકારણ જ રહૃાું. ત્યાં ચૂંટાયેલા લોકો સંપૂર્ણ દૂધે ધોયેલા હોય તેવું નથી. બિહારમાં હજુ રામરાજ્ય આવ્યું નથી. કોંગ્રેસ આર્થિક રીતે સંપૂર્ણ ઘસાઈ ગઈ છે. સત્તા નથી એટલે મજબૂત લોકો તેને છોડીને ચાલ્યા ગયા છે. ગુજરાતમાં કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જતા રહૃાા તેમાં સિદ્ધાંત ઓછા અને સ્વાર્થ વધુ દેખાય છે. રાજકારણમાં પણ નાણાવાળા નાથાલાલ બની ગયા છે.
મતદારો
લોકશાહીમાં મતદાર એક દિવસનો રાજા માનવામાં આવે છે. જેને પણ આ વાત લખી છે કે બોલી છે તે બહુ દૂરદૃષ્ટા હોવો જોઈએ. મતદાર માત્ર એક દિવસનો જ રજા છે. પછી તેને પૂછવાવાળું કે કાળજી રાખનારા કોઈ નથી. મતદારોએ જાગૃતિ દાખવવી હોય તો રાજસ્થાનની જેમ દરેક પક્ષને વારાફરતી રાજ આપવું જોઈએ. ભવ્યતાથી અંજાઈ ન જવું જોઈએ. મતદારો પોતાનામાં એટલી હદે અટવાઈ ગયા છે કે, નેતાઓ બાબતે વિચારવાનો તેમની પાસે સમય નથી. દેશપ્રેમ બહુ ક્ષણિક હોય છે. રેવડી ખાઈને સંતોષ માને છે તેથી છપન્ન ભોગ મળતા નથી. ગુજરાતમાં આજે પણ અડધી વસ્તી મફત અનાજ ઉપર નિર્ભર છે.
બિહાર
બિહારમાં અત્યાર સુધીની સરકારો કોઈ મોટો ચમત્કાર કરી શકી નથી અને આગામી પાંચ વર્ષમાં ક્રાંતિ થવાની શક્યતા નથી. નીતિશ અને મોદી કટ્ટા રાજ અને ગુંડારાજ નાબૂદ કર્યાની વાતો કરે છે, પરંતુ વાસ્તવિકતા શું છે તે બહાર આવતું નથી. ૨૦ વર્ષના શાસનમાં કોઈ મોટો ચમત્કાર થયો નથી. મતદારો આજે પણ બહારના રાજ્યોમાં રોજગારી માટે ભટકે છે. એક ટીવી મુલાકાતમાં નીતિશકુમારના પ્રવક્તાને એંકરે કહૃાું કે, બિહારમાં હોય તેવા દેશ કક્ષાના પાંચ મોટા ઉદ્યોગના નામ બોલો. તે પ્રવકતા બોલી શક્યા નહોતા! બિહારમાં ખેતી પણ બહુ સમૃદ્ધ હોય તેવી જાણકારી મળતી નથી.
બિહારમાં તાજેતરમાં ચૂંટાયેલા ધારાસભ્યોના ગુનાહિત રેકોર્ડ પર એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર)ના આંકડાઓ અનુસાર, કુલ ધારાસભ્યોમાંથી અડધાથી વધુ એટલે કે ૫૩ ટકા ધારાસભ્યો સામે પેન્ડિંગ ક્રિમિનલ કેસો ચાલી રહૃાા છે. જોકે, વર્ષ ૨૦૨૦ માં આ સંખ્યા ૧૬૫ હતી જે ઘટીને આ વખતે ૧૩૦ થઈ છે, જે ૨૦૧૦ બાદની સૌથી ઓછી સંખ્યા છે. આ આંકડાઓ દર્શાવે છે કે, બિહારની વિધાનસભામાં મોટી સંખ્યામાં એવા પ્રતિનિધિઓ છે જેમનો ભૂતકાળ ગુન્હાહિત રહૃાો છે. સૌથી ગંભીર બાબત એ છે કે કુલ ધારાસભ્યો પૈકી ૧૦૨ ધારાસભ્યો એટલે કે ૪૨ ટકા સામે હત્યા અને મહિલાઓ વિરૂદ્ધ અપરાધ જેવા ગંભીર ગુનાના કેસો ચાલી રહૃાા છે. ગુનાહિત કેસોની યાદીમાં સૌથી વધુ કેસો ધરાવતા ધારાસભ્ય તરીકે જદ(યુ)ના અનંતસિંહનું નામ સામેલ છે, જેમની સામે કુલ ૨૮ ક્રિમિનલ કેસો નોંધાયેલા છે. અનંતસિંહ ચૂંટણી પહેલા હત્યાના કેસમાં ધરપકડ થયા (જેલમાં) હોવા છતાં તેઓ જીત્યા છે. આ ઉપરાંત, મહિલા પ્રતિનિધિઓની વાત કરીએ તો, તેમની સંખ્યા ૨૬ થી વધીને ૨૯ થઈ છે. બિહાર વિધાનસભામાં ગુનાહિત કેસો ધરાવતા ધારાસભ્યોની બહુમતી ચિંતાનો વિષય છે
ખેતી
બિહારમાં, કૃષિ રાજ્યના અર્થતંત્રનો પાયો છે, જે ૭૫% થી વધુ વસ્તીને રોજગારી આપે છે અને તેના કુલ મૂલ્યવર્ધનમાં લગભગ પાંચમાં ભાગનો ફાળો આપે છે. રાજ્ય ચોખા, ઘઉં અને મકાઈ જેવા અનાજનું મુખ્ય ઉત્પાદક છે, તેમજ લીચી, મખાના અને શેરડી જેવા ખાસ રોકડિયા પાકોનું પણ ઉત્પાદન કરે છે. ફળદ્રુપ જમીન અને જળ સંસાધનો હોવા છતાં, કૃષિ ક્ષેત્ર નાની જમીન માલિકી, હવામાન પર નિર્ભરતા અને અપૂરતી માળખાકીય સુવિધાઓ જેવા પડકારોનો સામનો કરે છે.
ભવિષ્ય
દેશમાં બહુ મજબૂત લોકશાહી છે. આપણાં પાડોશી રાજ્યોમાં અસ્થિર શાસન હોવાને કારણે આપણે પણ તે માથાનો દુખાવો બન્યા છે. ઉપરાંત તે બધા મોટા દેવદાર અને અવિકસિત બની રહૃાા છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ અને દુનિયા, બન્નેને સંપૂર્ણ વિશ્વાસ છે. અર્થતંત્ર મજબૂત છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની અનેક આર્થિક ધમકીઓને પાર કરી રહૃાા છીએ.
ભારતમાં આગામી મુખ્ય વિધાનસભા ચૂંટણીઓ એપ્રિલ-મે ૨૦૨૬ માં આસામ, કેરળ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને પુડુચેરીમાં યોજાવાની છે. ૨૦૨૭ માં ગોવા, મણિપુર, પંજાબ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, ગુજરાતની ચૂંટણી યોજાશે.
અનુરોધ
વર્તમાન સમયમાં ગુજરાતમાં નવી મતદાર યાદીનું કાર્ય બહુ અસરકારક રીતે આગળ વધી રહૃાું છે ત્યારે 'નોબત'ના વાચકો અને ચાહકોને તેમાં સંપૂર્ણ યોગદાન, સાથ અને સહકાર આપવા નમ્ર અનુરોધ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
રાંધેલા કે પ્રોસેસ કરેલા ખોરાકમાં સ્વાદ હશે પણ સમૃદ્ધિ નહીં હોય!
શિયાળો આવ્યો. ઠંડીની સાથે સાથે મસ્ત મજાની તંદુરસ્તી લાવ્યો. તંદુરસ્તી મોટાભાગે પેટ સાથે સંકળાયેલી છે. પાચનક્રિયા જો યોગ્ય હશે તો જ સ્વસ્થ રહી શકશે. ચયાપચઇની ક્રિયા જો બરોબર હશે તો જ તંદુરસ્તી જળવાઈ રહેશે. વાસ્તવિકતા એ છે કે, માંદગી અને રોગોનું પ્રમાણ બહુ ઝડપથી વધી રહૃાું છે, તેનું મુખ્ય કારણ ખોરાક છે, બિન આરોગ્યપ્રદ ખોરાક, અનિયમિત ભોજન, સુપાચ્ય ન હોય તેવો આહાર. ગુજરાતીમાં કહેવાય છે કે, રસોડું આપણું આરોગ્યધામ છે. ગુજરાતી ખોરાકમાં બહુ માત્રામાં પોષક તત્ત્વો રહૃાા છે. તો પછી આ ગુજરાતી રસોડું કેમ માંદગીનું ઘર બની ગયું છે? શાક, ભાજી, ફળો, ખાડા મસાલા કેમ પોષણ આપતા નથી? હીંગ ખાવાથી કેમ ગેસ જતો નથી? લીલી ભાજી ખાવા છતાં કેમ દૃષ્ટિ નબળી પડે છે? બાળકોને કેમ નાની ઉમરે ચશ્મા આવે છે? ૩૫ કે ૪૦ ની વયે ડાયાબિટીસ, રક્તચાપના રોગો પ્રવેશી જાય છે? શિયાળાની શક્તિ કેમ બારે માસ ટકતી નથી?
આમ કેમ?
આપણો સમતોલ આહાર આરોગ્યને સમતોલ રાખી શકતો નથી તે કડવી વાસ્તવિકતા છે. હળદર લોહીને શુદ્ધ કરતી હોય તેવું લાગતું નથી. કારણ કે, આપણે ખેતરમાં પાકતા પાકને રસાયણોથી ભ્રષ્ટ કરી નાખ્યો છે. આપણે શાક ભાજી કે ફળો ખાઈ રહૃાા છીએ તે માત્ર ભ્રમ છે. હકીકતમાં આપણે પેટમાં ઝેરી રસાયણો ઠાલવી રહૃાા છીએ. કોઈ પણ ખાધ્ય પદાર્થોને બાફીને, તળીને, શેકીને કે ક્રશ કરીને ખાઈએ છીએ તેથી તેના મોટાભાગના પોષક તત્ત્વો નાશ પામે છે. કાચા ખાવાની આદત નથી. લીંબુને ગરમ ખોરાકમાં નિચોવવાથી તેના વિટામિન નાશ પામે છે અને માત્ર ખાટો સ્વાદ જ વધે છે. કુદરતી હળદર કે આદુના ગાંઠિયાને પીસી નાખવાથી તેના મૂળ ગુણો જતા રહે છે. ઘઉંનો મેંદો બનવાથી અપાચ્ય બને છે. ટામેટાં, પાલક, ગાજર, દૂધી, મકાઇ, કેળાં, સંતરા, નારંગી, સફરજન, કેરી, આમળાં જેવા ફાળોને પીસીને જ્યુસ બનવવાથી તેના બધા ગુણધર્મો નાશ પામે છે.
કુદરત જે સ્વરૂપમાં આપે તે સ્વરૂપમાં જ તેને ખાવા જોઈએ. એનો અર્થ એવો કે તેને કુદરતી રીતે પકવીને, દાંતેથી ચાવીને ખાવાથી જ પોષણ મળે છે. શાકભાજી અને ફળોને થોડા ઘણાં અંશે સમારી શકાય છે. સમારી લીધા પછી તુરત ખાવા જોઈએ. રાંધેલા ખોરાકમાં સ્વાદ હશે પણ સમૃદ્ધિ નહીં હોય! દાયકાઓથી ખોરાક રાંધીને ખાવાની આદતને કારણે આપણે કાચો ખોરાક પચાવી શકતા નથી. હોજરી નબળી પડી ગઈ છે. આ માત્ર ગુજરાત, ભારતની જ હાલત નથી, વૈશ્વિક ઘટના છે. માણસ સિવાય કોઈ પણ જીવ પ્રોસેસ કરેલો ખોરાક ખાતા નથી.
ફળો
ગુજરાતમાં હળવો શિયાળો શરૂ થઈ ગયો છે. ઠંડી વિવિધ મોસમી ફળો માટે આદર્શ છે. ગુજરાતમાં શિયાળાની ઋતુ દરમિયાન લગભગ ૨૫ થી ૩૦ પ્રકારના મુખ્ય ફળો સામાન્ય રીતે ઉપલબ્ધ હોય છે. મુખ્ય અગ્રણી શિયાળુ ફળોથી બજાર ઉભરાઇ જાય છે. સાઇટ્રસ ફળો જેવા કે, નારંગી (સંત્રા), મોસંબી, લીંબુ, દ્રાક્ષ, સ્ટ્રોબેરી મહાબળેશ્વરમાં ઉગાડવામાં આવે છે. ગુજરાતમાં વ્યાપકપણે ઉપલબ્ધ હોય તેવા ફળોમાં આમળા, સીતાફળ, જામફળ અને પૈપૈયા, ચીકુ, દાડમ, અનાનસ, કેળા, સફરજન, કિવી, ડ્રેગન ફળ, એવોકાડો, ખજૂર, ખારેક, અંજીર, જાંબુ, શેરડી, રાસભરી, વિવિધ પ્રકારના બોર, રાયણ, આમલી વગેરેનો સમાવેશ થાય છે. નાળિયેર લગભગ બારેમાસ મળે છે.
પદ્ધતિ
શિયાળામાં મળતા ફળોને તેના મૂળ સ્વરૂપમાં જ આરોગવા જોઈએ. કેળાને પીસીને તેને 'સ્મુધી' નામ આપવામાં આવે છે અને મોંઘા ભાવે વેચવામાં આવે છે. કેળાને તેની છાલ ફોલિને સીધાં જ ખાવા જોઈએ. આપણે કુદરતી ફળોનો તેના મૂળ રૂપમાં ખાતાં નથી તેથી તેના પોષક તત્વો મળતા નથી. અનેક ફાળોને અકુદરતી રીતે પકવવામાં આવે છે. જે ખૂબ હાનિકારક છે. તરબૂચને માત્ર તેની છાલ ઉતારી ખાવું જોઈએ, તેનો જ્યુસ બનવવાથી તે મોટી માત્રામાં પોષક રહેતું નથી. જો આપણે તંદુરસ્ત રહેવું હોય તો રસોડામાંથી મિક્ષર, જ્યૂસર, પ્રોસેસરને વિદાય કરી દેવું જોઈએ. ભગવાને આપણને દાંત રૂપી આ સાધન આપ્યું જ છે. કેટલાંક ફાળો અને ભાજીને ઊંચા તાપમાને ઉકાળી જ્યુસ કે સૂપ બનાવવામાં આવે છે. ઉકળ્યાં પછી પણ તેનો મિક્ષર કે જ્યૂસરમાં કચ્ચરઘાણ કરી નાખવામાં આવે છે! આ ફળો અને ભાજી ઉપરનો અમાનુષી અત્યાચાર જ ગણી શકાય છે!
મારા મતે શિયાળામાં ફળો અને ભાજીને સાફ કરવા યોગ્ય માત્રામાં માત્ર પાણીથી ધોવા જ પૂરતું છે. ફળો અને શાકભાજી ઉપર અકુદરતી અત્યાચાર ન કરવો જોઈએ.
પ્રાકૃતિક ખેતી
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પ્રાકૃતિક ખેતીના બહુ મોટા હિમાયતી છે અને ગુજરાતમાં તેને પ્રોત્સાહન આપવા માટે વારંવાર જાહેર કાર્યક્રમોમાં અનુરોધ પણ કરતા હોય છે. તાજેતરમાં વડોદરાના વાંકાનેરમાં યોજાયેલા પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે, 'ગુજરાતમાં દરરોજ ૭૯૦ નવા કેન્સરના દર્દીઓ સામે આવી રહૃાા છે. વર્ષ ૨૦૨૦માં ગુજરાતમાં ૭૦ હજાર કેન્સરના દર્દીઓ હતા, જે વધીને પ્રતિ વર્ષ દોઢ લાખ નવા કેસ સુધી પહોંચી ગયા છે, એટલે કે કેન્સરના દર્દીઓ બમણા થઈ ગયા છે.
પીએમ જન આયુષ્માન યોજના હેઠળ જ છેલ્લા એક વર્ષમાં ૨.૮૮ લાખ કેન્સરના દર્દીઓની સારવાર કરવામાં આવી હતી. ખેડૂતોને અનુરોધ છે કે, એવી ખેતી ન કરે જે લોકોનું જીવન લે છે. જેમ કે તમાકુની ખેતી, જે કેન્સર જેવા જીવલેણ રોગો પેદા કરે છે. યુએનઓનો આંકડો દર્શાવે છે કે, જો ભારતમાં રાસાયણિક ખેતી અને વર્તમાન જીવનશૈલી ચાલુ રહેશે, તો આગામી ૮ વર્ષમાં કેન્સરનો ભયંકર વિસ્ફોટ થશે.
જ્યારે ખેતરોમાં યુરિયા અને ડીએપીનો છંટકાવ કરવામાં આવે છે, ત્યારે તેમાં રહેલું નાઈટ્રોજન વાતાવરણના ઓક્સિજનના સંપર્કમાં આવતા નાઇટ્રસ ઓક્સાઈડ નામનો વાયુ પેદા થાય છે. આ નાઇટ્રસ ઓક્સાઈડ વાયુ પર્યાવરણ માટે કાર્બન ડાયોક્સાઈડ કરતાં ૩૨૧ ગણો વધારે ખતરનાક છે અને તે વાતાવરણને દૂષિત કરીને બેમોસમી વરસાદ જેવી આફતોમાં મોટો ફાળો આપે છે.'
ખેતી જો પ્રાકૃતિક કરવામાં આવે તો તેની આહાર પદ્ધતિ પણ પ્રકૃતિક જ હોવી જોઈએ.
કાચું એ જ સાચું
કેટલાંક નાના સંગઠનો અને જાગૃત વ્યક્તિઓ દ્વારા પ્રોસેસ ખોરાક બાબતે જાગૃતિ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશને 'કાચું એ જ સાચું' જેવી અસરકારક ટેગ લાઇન આપવામાં આવી છે. ખેતરોમાં પાકતા પાકને ગરમ કરવામાં આવે કે કચરી નાખવામાં આવે તો તેના પોષક તત્વો ઘટી જાય છે અથવા નાશ પામે છે. મોટા ભાગના ફળોને તેને કુદરતી સ્વરૂપમાં જ ખાવા જોઈએ. તો જ તેના મૂળ તત્ત્વો જેમના તેમ રહે છે. ટામેટાંનો સૂપ અત્યારે ટ્રેન્ડિંગમાં છે. કોઈ પણ પ્રકારના સૂપ આરોગ્યને નુકસાન કરતા નથી તેમ ફાયદો પણ કરતા નથી. લેમન કોરિયાનડર સુપમાં લીંબુ કે કોથમીર, બન્નેમાંથી કોઈના ગુણોનો લાભ મળતો નથી! માત્ર સ્વાદિષ્ટ ગરમ પીણું બની રહે છે. ઉનાળામાં કેરી અત્ર તત્ર સર્વર્ત હોય છે. મેંગો જ્યુસ પણ એક મોટું છળ છે. કેરીને મિક્ષર કે જ્યૂસરમાં પ્રોસેસ કરવાથી તે માત્ર સ્વાદ આપે છે. કેરીને તેના ઓરિજનલ રૂપમાં જ ખાવી જોઈએ. કેરીને જો કૃત્રિમ રીતે પકવવામાં આવે તો તે નુકસાન કરે છે. રેસાવાળા ફાળોને પ્રોસેસ કરવાથી તે આયોગ્ય બની જાય છે.
મગફળીનું તેલ કોલેસ્ટ્રોલ વધારે છે તેવું તબીબી વિજ્ઞાન કહે છે. કારણ કે તેને એક, બે કે ત્રણ વાર ફિલ્ટર કરવામાં આવે છે. આથી તેના ગુણધર્મો નાશ પામે છે. ઓઇલ મિલરો કહે છે કે, જો તેને ફિલ્ટર કરવામાં ન આવે તો તે લાંબો સમય ટકતું નથી અને વાસ આવી જાય છે. ઘીમાં પણ આવું જ ચાલે છે.
કુદરતી બનો
રસોડામાં હવે કુદરતી બનવું જરૂરી છે. શક્ય હોય તેટલા શાકભાજી અને ફળો કાચા જ ખાવા જોઈએ. બને ત્યાં સુધી છરી અને ચપ્પુ પણ વાપરવા ન જોઈએ. ટામેટાં, કાકડી, ગાજર, મૂળા, કેરી, ચીકુ, શેરડી, બોર, જામફળને જ્યૂસર, મિક્ષર કે પ્રોસેસરમાં ન નાખવા. કાચા ખોરાકને ફ્રીઝમાં પણ ન રાખવો જોઈએ. ફ્રીઝ માંદગીનું ઘર છે. મોટાભાગના ઘરોમાં સ્ત્રી અને પુરુષ બન્ને નોકરી કે વ્યવસાય કરે છે તેથી રોજિંદું ખરીદી કરવા જવાનો સમય મળતો નથી આથી ફ્રીઝને ઠાંસી ઠાંસીને ભરી દે છે. રોટલી, ભાખરી જેવી કણકો પણ બાંધીને ફ્રીઝમાં રાખવામાં આવે છે, જે બહુ નુકસાન કરે છે. બજારમાં મળતા 'રેડી ટુ ઈટ' પેકેટો પણ હાહાકાર મચાવી રહૃાા છે.
આ શિયાળામાં આપણે શક્ય હોય તેટલા કુદરતી બનવાનો નિર્ણય કરીએ. બને તેટલો દાંતનો વધુ ઉપયોગ કરીએ.
ખાંડ અને મીઠું
જે ખોરાક રાંધવામાં કે કાચો ખાતી વખતે મીઠું કે ખાંડ ઉમેરવામાં આવે તે બહુ નુકસાન કરે છે. બન્ને પદાર્થો મૂળ ચીજના ગુણધર્મોને સમૂળગા નાશ કરે છે. આ બન્ને સફેદ ઝેર છે. જમતી વખતે ઉપરથી ખાંડ કે મીઠું ઉમેરવાથી નુકસાન કરે છે. આપણી જીભ એવી માથાભારે થઈ ગઈ છે કે, ખાંડ કે મીઠું વગરની વાનગીઓ સ્વીકારતી જ નથી. મીઠા ફાળોમાં ખાંડ કે મીઠું બિલકુલ ન વાપરવું જોઈએ. ચાટ મસાલો પણ ફળોને ભ્રષ્ટ કરે છે.
શુદ્ધ બનો
પવિત્રતા જેટલી જરૂરી છે તેટલી શુદ્ધતા પણ મહત્ત્વની છે. પેટ શુદ્ધ હશે તોજ જીવન સ્વસ્થ રહેશે.
આ શિયાળામાં તન શુદ્ધ રહે અને તંદુરસ્તી વધે તે માટે 'કાચું તે જ સાચું'નો મંત્ર આત્મસાત કરીએ.
'નોબત'ના વાચકો અને ચાહકોને મસ્ત મસ્ત ઠંડો ઠંડો શિયાળો મુબારક.
૫રેશ છાંયા
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આગાહીઓની અકળ દુનિયામાં અગોચર જ્ઞાન અને ગણતરીઓનું બહુ મહત્ત્વ છે
કંસને આકાશવાણી સંભળાઈ હતી કે, દેવકીનું નવમું સંતાન તારૃં મોત કરશે!
ધરતી ઉપરની આ પ્રથમ આગાહી કહેવાય! સતયુગમાં આગાહીઓ મોટાભાગે આકાશવાણી દ્વારા થતી હોવાનું જાણવા મળે. સતયુગ પછી આ ૨૭મો કળયુગ ચાલે છે તેવું વિદ્વાનો કહે છે. યુગ બદલાતા રહૃાા તેમ તેમ આગાહી અને વર્તારાના પ્રકારો પણ બદલાતા રહયા. માણસ માત્રને ભવિષ્ય જાણવાની અત્યંત તાલાવેલી હોય છે. નોસ્ટ્રાડેમસથી લઈને અંબાલાલ પટેલ સુધીના લોકો સતત છવાયેલા રહે છે. ૨૦૦૧ માં કચ્છના ભૂકંપની આગાહી કરનાર અમરેલીના જ્યોતિષ જયપ્રકાશ માઢક રાતોરાત પ્રસિદ્ધ થઈ ગયા હતા. આજકાલ તે ક્યાં છે, શું કરે છે તે જાણમાં નથી!
મારૂ માનવું છે કે, આર્ટિફિસિયલ ઇન્ટેલિજન્સ બધું કરી શકશે, પરંતુ સચોટ ભવિષ્યવાણી તો નહીં જ કરી શકે? વિજ્ઞાન માટે પણ આગાહી કરવી અશક્ય છે. જે દિવસે એ.આઈ. મનુષ્યો માટે સચોટ ભવિષ્યવાણી કરશે તે દિવસ દુનિયાના ઇતિહાસમાં અમર થઈ જશે અને તેનો શોધક વિશ્વનો સૌથી ધનિક વ્યક્તિ બની જશે તેવી મારી આગાહી છે!
સેલિબ્રિટી બેજાન દારૂવાલા દેશના પ્રસિદ્ધ જ્યોતિષ હતા અને 'ગણેશા સ્પીક્સ' તેમની બ્રાન્ડ હતી. તેમના ગ્રાહકોમાં ઉચ્ચ ધનીકો, નામી સિને તારકો, રાજકારણીઓ અને વિદેશીઓનો સમાવેશ થતો હતો.
આજની એન્જિઑગ્રાફીમાં આગાહીના અગમન નિગમની વાતો કરવી છે. જેમ ફેમિલી ડૉક્ટર હોય છે તેમ ફેમિલી જ્યોતિષ પણ હોય છે. ગુજરાતીઓ મોટાભાગે પુત્ર-પુત્રીના લગ્નપ્રસંગે ગ્રહ મેળાપ માટે જ્યોતિષીઓનો આસરો લેતા હોય છે.
નોસ્ટ્રાડેમસ
નોસ્ટ્રાડેમસ ૧૬ મી સદીના એક જાણીતા ફ્રેન્ચ જ્યોતિષી હતા. તે ચિકિત્સક અને લેખક હતા. તે સમયે જ્યોતિષવિદ્યાને અભ્યાસનું એક કાયદેસર અને ઉપયોગી ક્ષેત્ર માનવામાં આવતું હતું. તેમણે શ્રીમંત લોકો માટે જ્યોતિષીય સલાહકાર તરીકે કામ કર્યું અને ૧૫૫૦માં આગાહીઓ પ્રકાશિત કરવાનું શરૂ કર્યું હતું. તમને વાર્ષિક પંચાંગ દ્વારા નોંધપાત્ર ખ્યાતિ મેળવી, જેમાં તેમની ગણતરીઓના આધારે આગામી વર્ષ માટે હવામાનની આગાહીઓ અને સામાન્ય જીવન માટેની આગાહીઓનો સમાવેશ થતો હતો.
ફ્રાન્સના રાજા હેનરી ૨ ના મૃત્યુ (૧૫૫૯)ની આગાહીએ નોસ્ટ્રાડેમસને બહુ ખ્યાતિ આપવી. તેમણે રાજાના મૃત્યુની સીધી આગાહી નહોતી કરી, પરંતુ સાંકેતિક ભાષામાં કરી હતી. તે સમયે રાજાના મૃત્યુ બાબતે બોલનારને મૃત્યુદંડ આપવામાં આવતો હતો તેથી તેમને સાંકેતિક ભાષા વાપરી હતી. નોસ્ટ્રાડેમસે તેમની પ્રકાશિત આગાહીઓ ''ન્યાયિક જ્યોતિષ'' પર આધારિત હોવાનો દાવો કર્યો હતો. અવકાશી ગ્રહોની સ્થિતિની ગણતરી કરીને ભવિષ્યની ઘટનાઓની આગાહી કરવાની કળામાં તે માહિર હતા. જોકે, તેમના સમયના વ્યાવસાયિક જ્યોતિષીઓ દ્વારા તેમના અભિગમની ટીકા કરવામાં આવી હતી.
''ધ પ્રોફેસીસ'' તેમની સૌથી પ્રખ્યાત કૃતિ છે. તે રહસ્યમય, ચાર-પંક્તિના કાવ્યાત્મક શ્લોકો (ક્વાટ્રેન)નો સંગ્રહ છે, જે કથિત રીતે ભવિષ્યની ઘટનાઓની આગાહી કરે છે. આ ભવિષ્યવાણીઓ અસ્પષ્ટ, પ્રતીકાત્મક ભાષાનો ઉપયોગ કરીને લખવામાં આવી હતી. જેને ઉકેલવું બહુ કપરૃં રહૃાું. એમને ફ્રાન્સનો બળવો, નેપોલિયન બોનારપાર્ટ અને એડોલ્ફ હિટલરનો ઉદય, હિરોસીમામાં અને નાગાસાકી ઉપર પરમાણુ હુમલો, જોન એફ કેનેડીની હત્યાની આગાહીઓ પણ કરી હતી. એ ૧૫૦૩ થી ૧૫૬૬ એટલે કે ૬૩ વર્ષ જીવ્યા હતા.
બાબા વાંગા
અત્યારે બાબા વાંગા ભવિષ્યવાણીઓ બાબતે ટ્રેન્ડમાં છે. તેમના નામે ચિત્ર વિચિત્ર આગાહીઓ પણ ચલાવવામાં આવી રહી છે.
બાબા વાંગા કોણ છે? બાબા વાંગા (વાંગેલિયા પાંડેવા ગુશ્તેરોવા), અંધ બલ્ગેરિયન રહસ્યવાદી વ્યક્તિ હતા. જેને ઘણીવાર ''બાલ્કન્સના નોસ્ટ્રાડેમસ'' કહેવામાં આવે છે, તેઓ ૧૯૧૧ થી ૧૯૯૬ સુધી જીવ્યા અને ભવિષ્યની ઘટનાઓની આગાહી કરવાનો દાવો કર્યો. તેમની આગાહીઓ, જે મૌખિક રીતે પસાર થઈ અને પછી અનુયાયીઓ દ્વારા અર્થઘટન કરવામાં આવી, તે રહસ્યમય છે અને ચોકસાઈ માટે ચર્ચામાં છે. ઘણી આગાહીઓનો સફળતા દર ૮૫ ટકા હોવાનું કહેવાય છે, જેમાં અમેરિકામાં ૯/૧૧ હુમલા, કુર્સ્ક સબમરીન દુર્ઘટના, પ્રિન્સેસ ડાયનાનું મૃત્યુ અને ચેર્નોબિલ પરમાણુ અકસ્માત જેવી ઐતિહાસિક ઘટનાઓ સાથે સુસંગત છે. આગામી વર્ષો અને તે પછીની તેમની કેટલીક સૌથી નોંધપાત્ર ભવિષ્યવાણીઓ છે, જે મુખ્ય વૈશ્વિક પરિવર્તન પર ધ્યાન કેન્દ્રિત કરે છે. મુખ્ય ભવિષ્ય આગાહીઓમાં શક્ય હોય ત્યાં તેમની સૌથી વધુ ચર્ચિત આગાહીઓને કાલક્રમિક રીતે ગોઠવી છે.
૨૦૨૫ના આગામી સમયમાં યુરોપમાં એક વિનાશક યુદ્ધ અથવા સંઘર્ષ ખંડને તબાહ કરશે, જેના કારણે વસ્તીમાં ભારે ઘટાડો અને ભૂ-રાજકીય ઉથલપાથલ થાય છે. આ ઘટના વર્તમાન સંઘર્ષ, તણાવ સાથે જોડાયેલી છે, જે વર્તમાન પ્રાદેશિક વિવાદોથી ભરપુર છે.
દવા અને ટેલિપેથીમાં સફળતાઓની વિપુલ તકો છે. લેબ-વિકસિત માનવ અંગો વ્યવહારૂ બનશે, ટ્રાન્સપ્લાન્ટમાં ક્રાંતિ આવશે. માનવીઓ ટેકનોલોજી અથવા ઉત્ક્રાંતિ દ્વારા ટેલિપેથિક ક્ષમતાઓ વિકસાવશે અને મન-થી-મન વાતચીતને સક્ષમ બનાવશે. માનવતાને એલિયન જીવનના પુરાવા મળશે, સંભવતઃ એક વિશાળ અવકાશયાન આગમન દ્વારા, વૈશ્વિક આકર્ષણ અને અસ્તિત્વના પ્રશ્નો ઉભા કરશે. દરિયાઈ સ્તરમાં વધારો થશે જેથી પર્યાવરણીય સંકટ વધશે.
૨૦૨૬ના વર્ષ માટે બહુ નિરાશાજનક અગાહીમાં તે કહે છે કે, ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થશે, પૂર્વમાં એક મોટો સંઘર્ષ ફાટી નીકળશે, જેમાં પરમાણુ જોખમો સામેલ છે અને વ્યાપક વિનાશ તરફ દોરી જાય છે. આ વર્ષમાં કૃત્રિમ બુદ્ધિ (એ.આઈ.) અનિયંત્રિત રીતે વધે છે, અસ્તિત્વના જોખમો ઉભા કરે છે કારણ કે, તે માનવતા માટે ખૂબ શક્તિશાળી બની જાય છે. બાબાએ ૪૦-૫૦ વર્ષ પહેલાં એ.આઈ. બાબતે વાત કરી હતી તે પણ બહુ મોટું આશ્ચર્ય છે. આ વર્ષમાં આપત્તિજનક કુદરતી આફતો આવશે. મોટો, ભૂકંપ, જ્વાળામુખી ફાટી નીકળવો અને ભારે હવામાન પૃથ્વીના ભૂમિભાગના ૧૦% સુધીનો નાશ કરી શકે છે, જે આબોહવા પરિવર્તનને કારણે વધુ ખરાબ થશે.
નોસ્ટ્રાડેમસ અને બાબા વાંગા પાસે કોઈ આધુનિક જ્ઞાન કે સાધનો ન હતા, આમ છતાં તેમની આગાહીઓ મોટા આશ્ચર્યો સર્જે છે. તેમની પાસે કોઈ અગોચર જ્ઞાન અને ગણતરીઓ હતી.
સાધનો
ભવિષ્યવાણી કરવા માટે પ્રાચીનથી લઈ અર્વાચીન સુધીના અનેક સાધનો અને પદ્ધતિઓ અમલમાં છે. હવે તો સેટેલાઈટ પણ મૌસમની આગાહીઓ કરવા લાગ્યા છે. જે સંપૂર્ણ વૈજ્ઞાનિક પદ્ધતિ છે. ગ્રહો, નક્ષત્રો, જન્મ સમય, ગામ, જન્મ કુંડળી, પોપટ, ટેરો કાર્ડ, પાસા, અંક ગણિત, હસ્તરેખા જેવા અનેક સાધનો દ્વારા ભવિષ્યવાણીઓ કરવામાં આવે છે. જન્મ કુંડળીઓ હવે કોમ્પ્યુટરમાં બને છે અને કોમ્પ્યુટર જ ફળાદેશ આપે છે. જો કે તેની ચોક્કસતાની ટકાવારી બહુ જૂજ હોય છે. કેટલાંક અગાહીકારો માતાજીનો આશરો પણ લેતા હોય છે. ભવિષ્યવાણીઓ કેટલા પ્રમાણમાં સાચી પડે છે તે બાબતે પણ કોઈ આધારભૂત સર્વે ઉપલબ્ધ નથી.
દેશમાં આ ક્ષેત્રના કેટલાંક નામાંકિત લોકોની નામાવલી અત્રે પ્રસ્તુત છે.
વરાહમિહિરઃ ભારતીય જ્યોતિષશાસ્ત્રના પિતા તરીકે માનવામાં આવે છે. વરાહમિહિર છઠ્ઠી સદીના અગાહીકાર હતા જેમનું સ્મારક કાર્ય, બૃહત સંહિતા, અને બૃહત હોરા શાસ્ત્રમાં આગાહીયુક્ત જ્યોતિષ પરના તેમના કાર્યથી આ ક્ષેત્ર માટે પાયાના સિદ્ધાંતો સ્થાપિત થયા.
કે.એન. રાવ (કોટામરાજુ નારાયણ રાવ): આધુનિક ભારતીય જ્યોતિષશાસ્ત્રમાં એક આદરણીય વ્યક્તિ, તેમના વ્યાપક સંશોધન, અસંખ્ય પુસ્તકો અને દેશમાં જન્માક્ષરોના સૌથી મોટા વ્યક્તિગત સંકલન માટે જાણીતા છે. તેઓ નવી દિલ્હીમાં ભારતીય જ્યોતિષ વિજ્ઞાન પરિષદ (આઈસીએએસ)ના સ્થાપક સભ્ય અને સલાહકાર છે.
બેજન દારૂવાલાઃ એક સ્વર્ગસ્થ, વ્યાપકપણે લોકપ્રિય સેલિબ્રિટી જ્યોતિષી જે વૈદિક, અંકશાસ્ત્ર અને ટેરોટ સહિત વિવિધ જ્યોતિષ પ્રણાલીઓના મિશ્રણ માટે જાણીતા છે. તેઓ તેમની સચોટ સામાન્ય અને સેલિબ્રિટી આગાહીઓ માટે પ્રખ્યાત હતા.
ડો. સોહિની શાસ્ત્રીઃ વૈદિક જ્યોતિષ, અંકશાસ્ત્ર અને વાસ્તુ શાસ્ત્રમાં તેમની કુશળતા માટે જાણીતા એક પુરસ્કાર વિજેતા જ્યોતિષી. તેમને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત થયા છે અને તેઓ ઘણા અગ્રણી વ્યક્તિઓ માટે વિશ્વસનીય સલાહકાર છે.
અજય ભામ્બીઃ ૪૦ વર્ષથી વધુનો અનુભવ ધરાવતું ભારતમાં ઘરગથ્થુ નામ, રાષ્ટ્રીય ઘટનાઓ પર તેમના નિયમિત ટેલિવિઝન દેખાવ અને સચોટ આગાહીઓ માટે જાણીતા છે.
ડો. હેમંત બરૂઆઃ તેમની નવીન ''ત્રિમાયાશા ઉપાય તકનીક'' અને વૈદિક જ્યોતિષ પ્રત્યે વ્યવસ્થિત, વૈજ્ઞાનિક અભિગમ માટે જાણીતા.
પરાશરઃ વૈદિક પરંપરામાં એક આદરણીય ઋષિ, તેમને બૃહત પરાશર હોરા શાસ્ત્રના લેખક માનવામાં આવે છે, જે વૈદિક જ્યોતિષ (જ્યોતિષ) માટે એક પાયાનો અને વ્યાપક ગ્રંથ છે.
જ્યોતિષ માન્યતા અને લાગણીઓનો વિષય છે. નેતાઓ, ફિલ્મ સિતરાઓથી લઈને એન્જિઑગ્રાફીના લેખક સુધીના લોકો વારે તહેવારે જ્યોતિષીઓ અને અગાહીઓનો આશરો લેતા હોય છે. પનોતી કે તકલીફોના નિવારણ માટે નાની મોટી વિધિઓ પણ સૂચવવામાં આવતી હોય છે. લાખો કરોડોના નંગ પહેરવાની સલાહ પણ આપવામાં આવતી હોય છે. કાળ સર્પ દોષ નિવારણ પણ કરી આપવામાં આવે છે. લગ્ન માટે મંગળને ભારે માનવામાં આવે છે. માંગલિક વર હોય તો કન્યા પણ માંગલિક હોવી જરૂરી છે. જો કે, આના નિવારણ પણ કરી આપવામાં આવે છે. હિન્દુ માન્યતા અનુસાર બાળકના જન્મના છઠ્ઠા દિવસે વિધિના લેખ લખવામાં આવતા હોય છે.
લલાટે લખ્યા લેખ મિટાવી કે બદલવી શકાતા નથી એવી માન્યતા હોવા છતાં આપણે તકલીફોના નિવારણ માટે દોડધામ કરતા રહીએ છીએ.
વાસ્તવિકતા એ છે કે મુશ્કેલ સમયમાં માનસિક શાંતિ રાખવી, મૌન પાળવું અને દેવું કરીને ઘી ન પીવું! ભગવાન રામ અને કૃષ્ણને પણ જીવનમાં તકલીફો આવી હતી. આયોધ્યાના રાજકુંવર રામે ૧૪ વર્ષ વનમાં ગાળવા પડ્યા હતા. રાજકુંવરને પરણી હોવા છતાં સીતા માતાએ મહેલ છોડી જંગલમાં ભટકવું પડ્યું હતું, વિષ્ણુ અવતાર રામની પત્ની હોવા છતાં રાક્ષસ રાવણને ત્યાં રહેવું પડ્યું હતું.
વિધિના લેખ અને કર્મના ફળમાંથી કોઈ છૂટી શકતું નથી.
'નોબત'ના વાચકો અને ચાહકોના જીવનમાં સદાકાળ શાંતિ રહે અને અશાંતિના સમયમાં મગજ શાંત રહે તેવી ઈશ્વરને પ્રાર્થના.
૫ેરશ છાંયા
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
૪ કરોડ બિહારીઓ રોજગાર માટે રાજ્ય બહાર ભટકી રહૃાા છે
બિહારમાં છઠ્ઠ પૂજા પર્વનું બહુ મહત્ત્વ છે. વેસ્ટર્ન રેલ્વેના જણાવ્યા અનુસાર આ પ ર્વમાં બિહાર જવા માંગતા લોકો માટે સુરતના ઉધના સ્ટેશનથી ૧.૬૦ લાખ બિહારીઓ માટે ૧૦૪ સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવી છે. ભારતીય રેલ દ્વારા સમગ્ર દેશમાંથી ૩૦ નવેમ્બર સુધી ૫૧૯ ખાસ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. અખબારી અહેવાલો અનુસાર છઠ્ઠ પૂજા માટે મુંબઈથી યુ.પી. અને બિહાર તરફ ૧૦ લાખથી વધુ લોકો જશે અને તેના માટે સેન્ટ્રલ અને વેસ્ટર્ન રેલવે ૧૪૧૪ ખાસ ટ્રેન દોડાવવી પડી છે. માત્ર આ બે તહેવારો માટે જ નહીં, નાના-મોટા પ્રસંગોએ બિહાર જવા અને આવવા માટે ભારે ધસારો રહે છે. ભારત સરકારે છેલ્લા દોઢ દાયકાથી વસ્તી ગણતરી કરી નથી એટલે ચોક્કસ સંખ્યા મળતી નથી કે કેટલા કરોડ બિહારીઓ ધંધા રોજગાર માટે બિહારની બહાર લાચારી અથવા કમને વસી રહૃાા છે. આ પૈકીના ૯૯ ટકા બિહારીઓ ક્ષુલ્લક નોકરી કે મજૂરી કરી ગુજરાન ચલાવે છે. બિહાર બહાર દારૂણ જીવન જીવે છે. આ પરિસ્થિતીનો મતલબ એ થયો કે બિહારમાં તેના માટે મજૂરી જેવું પીડાદાયક કામ પણ ઉપલબ્ધ નથી! બિહારમાં વર્તમાન અંદાજ મુજબ ૧૪ કરોડની વસ્તી છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) ગોર્ક ના જણાવ્યા અનુસાર અંદાજે વસતિના ૩૫ ટકા બિહારીઓ આજે પણ આવકની બાબતે અન્ય રાજ્યો કે વિદેશ ઉપર નિર્ભર છે! લાલુ પ્રસાદ યાદવે સોસિયલ મીડિયા એક્સ ઉપર ૨૫ ઓક્ટોબરે લખીને કહૃાું કે, રોજગારી માટે ૪ કરોડ બિહારીઓ રાજ્ય બહાર ચાલ્યા ગયા છે!
બિહારમાં રાજકીય પક્ષો પોતાની સત્તા લાલસા માટે મોટી મોટી ગુલબંગો પોકારે છે, પરંતુ નક્કર કે સામાન્ય લોકોનું જીવન ધોરણ સુધરે તેવા પગલાં લેતા નથી. રાજકારણીઓનો વિકાસ થયો તેટલો બિહારીઓનો થયો નથી. નીતિશ કુમાર સાથે બેઠેલા રાષ્ટ્રીય પક્ષો હકીકતે નરેન્દ્ર મોદીના નામે વધુ એક વખત સમૃદ્ધ બિહારના નારા સાથે ચૂંટણી લડી રહૃાા છે. બે દાયકામાં બિહારીઓનું પલાયન નોંધનીય રીતે વધ્યું છે. કારણ કે નક્કર અને કાયમી રોજગારી નથી. બિહાર ભ્રષ્ટાચાર માટે બહુ બદનામ છે. અહીની અવ્યવસ્થા માટેના લાલુ પ્રસાદ યાદવ બ્રાન્ડ એમ્બેસેડર છે. ભાજપ અને નીતિશ કુમારે કઈં ખાસ ઉકાળ્યું જ નથી. બિહાર લોભ, લાલચ અને સ્વાર્થના રાજકારણનો ભોગ બન્યું છે!
રાજકીય સત્તા
૧૯૬૭ પછી અહી ગેર-કાંગ્રેસ રાજકારણનો ઉદય થયો જે આજ સુધી ચાલુ છે. બિહાર આજે પણ બીમાર રાજ્ય છે. નક્કર વિકાસ કે રોજગારી નથી. ખેતી આધારિત જીવન નિર્વાહ છે. શિક્ષણ પણ નોંધનીય નથી. એક સમયે અહી નાલંદા જેવી વિદ્યાપીઠ હતી. લાલુ પ્રસાદ યાદવે તો બિહારને નિચોવી નાખ્યું. બિહારના મતદારો પણ ચતુર ન નીકળ્યા. લાલુ પ્રસાદ જેલમાં ગયા તો રાબડી દેવીએ રાજ ચલાવ્યું અને હવે તેના સુપુત્ર તેજસ્વી યાદવ મુખ્યમંત્રી થવાના સ્વપ્ન જોવે છે.
બિહારના ભ્રષ્ટ રાજકારણ માટે ભારતીય જનતા પક્ષ પણ જવાબદાર છે. ત્યાં એન.ડી.એ. પણ દૂધે ધોયેલું નથી. માત્ર સત્તામાં હોવાથી કાયદો તેનાથી દૂર રહે છે. અહી તકલાદી રાજકારણ ચાલે છે. સ્મૃતિભ્રમ જેવા કોઈ રોગથી પીડાતા નીતિશ કુમાર વધુ એકવાર મુખ્યમંત્રી બનવા માટે થનગની રહૃાા છે. ભાજપ એકલે હાથે ચૂંટણી જીતી શકે તેવી કોઈ શક્યતા નથી. અહીના મતદારો માટે શંભુમેળા જેવી કહો કે ખિચડી સરકાર જ નસીબમાં લખયેલી છે.
'જબ તક સમોસે મે આલુ રહેગા, તબ તક બિહાર મે લાલુ રહેગા' જેવા નર્સરી કક્ષાના સૂત્રો ચાલે છે! બિહાર વિકસિત રાજ્ય બની ગયું હોત તો બીજા રાજયો માંથી આટલી બધી ખાસ ટ્રેનો દોડાવવી ન પડત!
બિહારમાં પ્રાદેશિક રાજકીય પક્ષોનું વર્ચસ્વ છે. મુખ્ય રાજકીય જૂથો રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી), ભારતીય જનતા પાર્ટી (બીજેપી), જનતા દળ (યુનાઇટેડ) (જેડી (યુ)), ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (આઈએનસી), ડાબેરી મોરચો, લોક જનશક્તિ પાર્ટી (એલજેપી), હિન્દુસ્તાની અવમ મોરચા (એચએએમ), અને ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમ (એઆઈએમઆઈએમ) છે. સમતા પાર્ટી, રાષ્ટ્રીય જન જન પાર્ટી, રાષ્ટ્રીય લોક જનતા દળ, જન અધિકાર પાર્ટી, વિકાસશીલ ઇન્ સાન પાર્ટી, લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) અને રાષ્ટ્રીય લોક જનશક્તિ પ ાર્ટી સહિત અનેક પ્રાદેશિક પક્ષો પણ છે. બિહાર હાલમાં એનડીએ દ્વારા શાસિત રાજ્ય છે.
વર્તમાન ચૂંટણી
બિહારમાં ૨૦૨૫ વિધાનસભાની ચૂંટણી રાષ્ટ્રીય અને સ્થાનિક મળીને ૨૫ રાજકીય પક્ષ ૨૪૩ બેઠક માટે લડી રહૃાા છે. તાજેતરમાં મહાગઠબંધન મોરચાની પત્રકાર પ રિષદમાં ૧૪ પક્ષોના નેતાઓ હજાર રહૃાા હતા!
બિહારમાં રાષ્ટ્રીય લોકશાહી જોડાણ (એનડીએ)માં ભારતીય જનતા પાર્ટી (બીજેપી), જનતા દળ (યુનાઇટેડ), લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ), હિન્દુસ્તાની અવમ મોરચા અને રાષ્ટ્રીય લોક મોરચાનો સમાવેશ થાય છે. વર્ત માનમાં સત્તામાં છે તે, જાન્યુઆરી ૨૦૨૪ માં ફરીથી ગઠબંધન રચાયું હતું. જેના નેતા નીતિશ કુમાર છે. વર્તમાન અહેવાલો મુજબ મહાગઠબંધન ૧૧ બેઠક ઉપર સમજૂતી નથી કરી શક્યું, એટલે કે તેમના ઉમેદવારો સામસામે લડશે!
મુસ્લિમ
બિહારમાં મુસ્લિમો પણ બાહુબલીની ભૂમિકામાં છે. કુલ વસ્તીના ૧૮ ટકા મુસ્લિમો છે. ૪૦ બેઠકો ઉપર તેમનું પ્રભુત્ત્વ છે અને ૧૫ બેઠકો ઉપર નિર્ણાયક મતો ધરાવે છે.
વર્તમાન ચૂંટણી
૨૦૨૫ની બિહાર વિધાનસભાની ચૂંટણીને એક ખૂબ જ રોમાંચક લડાઈ માનવામાં આવી રહી છે. અહી ચૂંટણીમાં નરેન્દ્ર મોદી, નીતિશ કુમાર, તેજસ્વી યાદવ અને પ્રશાંત કિશોર મુખ્ય પ્રભાવક ચહેરાઓ છે. બિહારમાં તેની વૈવિધ્યસભર જાતિ ગતિશીલતા, યુવા મતદારોમાં વધારો (જનરેશન-ઝેડમાં ચારમાંથી લગભગ એક મતદાર છે), રોજગાર, કાયદો અને વ્યવસ્થા અને વિકાસ જેવા મુખ્ય મુદ્દાઓ સાથે, શાસક રાષ્ટ્રીય લોકશાહી જોડાણ (એનડીએ) અને વિપક્ષી મહાગઠબંધન વચ્ચે ગળાકાપ સ્પર્ધા છે.
આગાહીઓ અને મતદાન પ્રી-પોલ સર્વેક્ષણો કસો કસની લડાઈ સૂચવે છે. એન.ડી.એ. માટે ૧૧૦ થી ૧૩૦ બેઠકોનો અંદાજ મૂકવામાં આવી રહૃાો છે. અહી નીતિશના શાસન અને મોદીના આકર્ષણ પર જીતનો આધાર છે. કોંગ્રેસ અને આર.જે.ડી. ના મહાગઠબંધન માટે ૧૦૦ થી ૧૨૦ બેઠકો ઉપર જીતનો પ્રાથમિક અંદાજ છે. અપક્ષ/અન્યઃ ૧૦ થો ૨૦ બેઠકો જીતી શકે છે.
પ્રશાંત કિશોર
બિહારની ચૂંટણીમાં આ નવું પાસું ઉમેરાયું છે. તેની જન સુરાજ પાર્ટીએ બિહાર ચૂંટણીમાં પ્રથમવાર ઝંપલાવ્યું છે. પાર્ટીએ ૨૪૦ તમામ ઉમેદવારો જાહેર કરી દીધા છે. પ્રશાંત કિશોર પોતે ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહૃાું છે કે જો તેમની પાર્ટી ૧૫૦ થી ઓછી બેઠકો જીતશે તો હાર માની લેશે.
૨૦૨૦
૨૦૨૦ની ગત બિહાર વિધાનસભા ચૂંટણીમાં જનતા દળ (યુનાઇટેડ) (જેડીયુ), ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના બનેલા રાષ્ટ્રીય લોકશાહી જોડાણ (એનડીએ) નો વિજય થયો હતો. રાજદના નીતિશ કુમારે ફરીથી મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. આજે પણ તે હોદ્દા ઉપર બિરાજમાન છે. રાષ્ટ્રીય લોકશાહી જોડાણ (એનડીએ)એ કુલ ૧૨૫ બેઠકો જીતી, જે બહુમતીનો આંકડો (૧૨૨) વટાવી ગયો હતો. રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) એકલા ૭૫ બેઠકો જીતીને સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યું, પરંતુ મહાગઠબંધન કુલ બેઠકોમાં પાછળ રહી ગયું.
૨૦૨૦ની બિહાર વિધાનસભા ચૂંટણીમાં, કોંગ્રેસના નેતૃત્ત્વ હેઠળના મહાગઠબંધને કુલ ૧૧૦ બેઠકો જીતી હતી. કોંગ્રેસે ૭૦ બેઠકો ઉપર ઝુકાવ્યું હતું અને ૧૯ બેઠકો જીતી હતી. રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) ૭૫ બેઠકો જીતી હતી. અન્ય ભા ગીદારોમાં મહાગઠબંધનમાં ડાબેરી પક્ષો પણ શામેલ હતા, જેમ કે ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (સીપીઆઈ), ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી-લેનિનવાદી) લિબરેશન (સીપીઆઈએમએલ), અને ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી) (સીપીઆઈએમ), જેમણે એકંદર જીતમાં ફાળો આપ્યો હતો.
૨૦૨૫
વર્તમાન બિહાર વિધાનસભાનો કાર્યકાળ ૨૨ નવેમ્બર, ૨૦૨૫ ના સમાપ્ત થવાનો છે. છેલ્લી વિધાનસભા ચૂંટણીઓ ઓક્ટોબર-નવેમ્બર ૨૦૨૦માં યોજાઈ હતી. ચૂંટણીઓ પછી, રાષ્ટ્રીય લોકશાહી ગઠબંધન (એનડીએ) એ રાજ્ય સરકાર બનાવી, અને નીતિશ કુમાર મુખ્યમંત્રી બન્યા.
૯ ઓગસ્ટ, ૨૦૨૨ના, જેડી(યુ)એ ભાજપ સાથેનું જોડાણ સમાપ્ત કર્યું, અને નીતિશ કુમારે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું. ૧૦ ઓગસ્ટ, ૨૦૨૨ના જેડી(યુ) આરજેડી અને કોંગ્રેસના મહાગઠબંધનમાં જોડાઈ, અને નીતિશ કુમારે નવી સરકારના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.
જાન્યુઆરી ૨૦૨૪માં, જેડી(યુ)એ મહાગઠબંધન સાથેનું જોડાણ સમાપ્ત કર્યું, અને નીતિશ કુમારે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું. તેમણે ભાજપની આગેવાની હેઠ ળના એનડીએ સાથે નવી સરકાર બનાવી અને ફરીથી મુખ્યમંત્રી તરીકે શપથ લીધા.
બિહાર વિધાનસભાની ૨૪૩ બેઠકો માટે વર્તમાન ચૂંટણી ૬ અને ૧૧ નવેમ્બરના યોજાવાની છે, અને મતગણતરી ૧૪ નવેમ્બરના થશે.
જરૂરિયાત
બિહારમાં કોઈપણ ગઠબંધન ચમત્કારનું વચન આપી શકે તેમ નથી. આગામી બે વર્ષમાં છઠ્ઠ પૂજા નિમિત્તે એક પણ ખાસ ટ્રેન દોડાવવી નહીં પડે તેવું કોઈ કહી શકે તેમ નથી. અહી રોજગારી, બેકારી, ગરીબી, જ્ઞાતિ વાદ, અંધશ્રદ્ધા, ગુંડાગીરી અત્ર તત્ર સર્વત્ર છે. બિહારને હવે યોગી આદિત્યનાથ જેવા નેતાની જરૂર છે. ઉત્તર પ્રદેશ પણ બહુ બદનામ રાજ્ય હતું. અહીના ગુંડાઓ દેશ વિદેશમાં પ્રખ્યાત હતા. આજે પરિસ્થિતિ જુદી છે. નરેન્દ્ર મોદી જો પી.એમ. તરીકે ધારે તો બિહારને અંધકારમાંથી બહાર લાવી શકે તેમ છે. જ્યાં સુધી નીતિશ કુમાર, તેજસ્વી યાદવ જેવા નેતાઓના ભરોસે બિહાર ચાલશે ત્યાં સુધી કોઈ નવી આશા નથી. એક સમયે બિહારના રસ્તાઓ અતિ ખરાબ હાલતમાં હતા ત્યારે લાલુએ ચૂંટણીમાં વચન આપ્યું હતું કે, તે જીતશે તો બિહારના રસ્તાઓ હેમા માલીનીના ગાલ જેવા કરી આપશે! જીત્યા તો ખરા, પરંતુ રસ્તા ખસ્તા હાલ રહૃાા.
મહારાણી
આ વેબ સિરીઝ બિહારના સડકછાપ રાજકારણ ઉપર છે. ત્રણ સિઝન આવી અને હવે ચોથી સિઝન આવશે. નવી પેઢી એટલે કે જેન-ઝીને બિહાર બાબતે બહુ જાણકારી નથી તેમણે મહારાણીના ત્રણેય ભાગ જરૂર જોવા. 'મારે તેની તલવાર' આમ તો ગુજરાતી કહેવત છે, પરંતુ બિહારમાં તે તદ્દન ફીટ બેસે છે. મુખ્ય કલાકાર રાણી ભારતીને રાબડી દેવીની ભૂમિકામાં દર્શાવવામાં આવ્યા છે.
દુનિયા આગળ વધી રહી છે ત્યારે બિહારમાં પરિસ્થિતિ કથળી રહી છે. ચૂંટણી લડતા કોઈ પણ પક્ષ પાસે નક્કર આયોજન કે દૃષ્ટિ નથી. મતદારો પણ લાચાર છે. અવ્યવસ્થા અને બેકારીથી પીડાતા બિહારીઓ માટે હજુ ક્ષિતિજે સુખનો કોઈ સૂર્યોદય દેખાતો નથી.
પરેશ છાંયા
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ઓનલાઇન ઓર્ડર કરતી જેન-ઝી પેઢીએ બેબી બૂમર્સ પાસેથી રાંધણ કળા શીખવી જોઈએ
ઉજવણી આવી, ચટાકેદાર વાનગીઓ લાવી. ગુજરાતીઓ ભોજન પ્રિય છે તે છાપ જૂની થઈ ગઈ છે. સારા નરસા પ્રસંગે ભોજનની યાદીને સૌથી વધુ મહત્ત્વ આપવામાં આવે છે. તાજેતરમાં ગોપ નાથમાં મોરારિબાપુની કથા યોજાઇ હતી. તેમાં નરસિંહ મહેતાના વડીલોના શ્રાદ્ધનો પ્રસંગ આવ્યો. મોરારિબાપુએ કહૃાું કે, શ્રાદ્ધમાં ખીર અને પૂરી ખાવામાં આવે છે, માટે આવતીકાલે આપણે નરસિંહ મહેતાના પૂર્વજોના શ્રાદ્ધની કથા કરીશું અને ત્યારે બપોરના ભોજનમાં ભક્તોને ખીર પૂરી પીરસવામાં આવે.
આવો છે આપણે ઉદર પ્રેમ!
દિવાળી આવી એટલે ખુશી અને સ્વાદ સભર આયોજનો કરવામાં આવે તે પરંપરા છે. આ દિવાળીએ થોડી નવી રેસીપી અત્રે પ્રસ્તુત છે. આરોગ્યને ધ્યાનમાં રાખીને આરોગવી.
ગુજરાતીઓ ભોજનની બાબતમાં બહુ ફ્લેક્સિબલ છે. મારૂ-તારૃં કરતા નથી. મસાલા ઢોંસા (દક્ષિણ), પાંવ ભાજી (મરાઠી) રસગુલ્લા (બંગાળી), પિઝા (ઈટાલી), બર્ગર (અમેરિકન) હવે ગુજરાતી બની ગયા છે. તે વિદેશી ભોજન છે તે આપણે ભૂલી ગયા છીએ. 'ખાઉસવે'ને સામાન્ય રીતે આપણે સુરતી વાનગી તરીકે ઓળખીએ છીએ, પરંતુ વાસ્તવમાં તે બર્મીઝ ખાણું છે. શુદ્ધ દેશી ભોજન હવે લગભગ કોકટેલ બની ગયું છે. રીંગણાના ભડથામાં પંજાબી કરી ઉમેરવામાં આવે છે.
આજે દિવાળી પ્રસંગે ગૃહિણીઓ માટે કેટલીક રાજ્ય બહારની વાનગીઓ રજૂ કરી છે. પરિવારને નવો સ્વાદ અને પ્રેમ મળશે તેવી અપેક્ષા છે.
મીઠું કોળું
હિમાચલ પ્રદેશમાં આનંદના અવસરે મીઠું કોળું રાંધવાનો રિવાજ છે. ગુજરાતીઓ કોળું બહુ ઓછું પસંદ કરે છે માટે તેની વાનગીઓ બહુ પ્રચલિત નથી. જો બજારમાં કોળું મળે તો રાંધજો. આને કોળાની મીઠાઇ પણ કહી શકાય છે. મીઠું કોળું રાંધવા માટે એક કિલો કોળું, ૭૫૦ ગ્રામ ખાંડ, બે મોટી ચમચી ઘી, અડધો કપ ડ્રાઇફ્રૂટ જરૂરી છે.
કોળાના નાના ટુકડા કરો, એક વાસણમાં ઘીને મધ્યમ ગરમ કરો, તેમાં વરિયાળી, ડ્રાઇફ્રૂટ ઉમેરો અને તે યોગ્ય રીતે તળાઈ જાય પછી તેમાં કોળાના કટકા ઉમેરો. પાંચથી સાત મિનિટ પછી તેમાં ખાંડ અને અઢી કપ પાણી ઉમેરો. ધીમી ફલેમ ઉપર પકાવો. ઘટ્ટ થઈ જાય પછી તેને હુંફાળું અથવા રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડુ કરી આસ્વાદ માણો.
કોળાની અનેક વાનગીઓ બને છે. ગુજરાતીઓ પણ હવે ધીરે ધીરે કોળા તરફ વળ્યા છે.
પોંગલ
મૂળભૂત રીતે આ તમિલનાડુના મહત્ત્વના તહેવારનું નામ છે. ખેડૂતો પાકની લલણી સમયે આ તહેવાર ઉજવે છે. જો કે આપણા શહેરી લોકોને ખેતર કે મૌસમ સાથે સંબંધ નથી. પોંગલ એક સ્વાદિષ્ટ વાનગીનું નામ પણ છે. સામાન્ય રીતે પોંગલ માગણી દાળ અને ભાતમાંથી તૈયાર કરવામાં આવે છે. પોંગલમાં મીઠાશ તરીકે શક્કરિયાનો ઉપયોગ પણ કરવામાં આવે છે. પોંગલ શુભ પ્રસંગે રાંધવામાં આવે છે.
પોંગલ રાંધવા માટે અડધો કપ મગની દાળ, એક કપ ચોખા, બે ચમચી ઘી, ડ્રાઇફ્રૂટ, જાયફળ, મરી, વરિયાળીની જરૂર પડે છે. દાળને પલાળીને અડધો કલાક રાખો. ચોખાને ૨૦ મિનિટ સુધી પલાળી રાખો. ત્યારબાદ બન્નેને સૂકવી નાખો. એક વાસણમાં ઘી ગરમ કરી દાળને સાંતળી નાખો. સુગંધ આવવા લાગે ત્યારે તેમાં ચોખા ઉમેરો અને કૂકરમાં અન્ય સામગ્રી સાથે ધીમી આંચે ૬ થી સાત સિટી સુધી રાંધો. કુકર ઠડું થાય એટલે તેમાં ગોળની ચાસણી ઉમેરો. છેલ્લે ડ્રાઇ ફ્રૂટ હળવા તળીને ઉપરથી ઉમેરો. તમારો પોંગલ તૈયાર.
નારિકોલ લાડુ
સેવન સિસ્ટર્સમાં આસામ મહત્ત્વનું રાજ્ય છે. અહી વાનગીઓ ભરપૂર છે. જો કે મોટા ભાગે આ સમીઓ સાદો ખોરાક રાંધે છે. નારિકોલ લાડુ અહીની બહુ લોકપ્રિય વાનગી, મિષ્ટાન છે.
નારિકોલ લાડુ બનાવવા માટે બે નારિયેળ, એક કપ ખાંડ, ઈલાયચીની જરૂર પડે છે. જો તમે તેમાં ડ્રાઇફ્રૂટ ઉમેરવા માંગતા હો તો ઉમેરી શકો છે. પરંપરાગત નારિકોલમાં તે હોતા નથી.
નારિયેળના નાના ટુકડા કરો, મિક્સરમાં રફ પીસી નાખો. બહુ પીસવાથી તેમાંથી તેલ છૂટું પડવા લાગશે તેથી બહુ કાળજી પૂર્વક અને દાણા રહે તેટલું જ પીસો. મિક્સરમાંથી બહાર કાઢી તેમાં ખાંડ અને ઈલાયચી ઉમેરો અને થોડીવાર રાખી મૂકો. ત્યારબાદ ધીમી આંચે પકાવો. સતત હલાવતા રહો. ગેસ ઉપરથી ઉતારી ઠંડુ કરો અને લાડુનો આકાર આપો. જરૂરિયાત મુજબ નાના મોટા લાડુ બનાવી શકાય છે. ગુજરાતીઓ તેને કોપરાના લાડુ પણ કહી શકે છે.
નારિકોલના નવા નામે મહેમાનોને પીરસસો તો આનંદ થશે.
ધૂધૂતિયા
નામ બહુ નાવીન્ય સભર છે. કિટ્ટી પાર્ટીમાં આ નામ બોલો તો તમારો વટ પડી જશે. ધૂધૂતિયા ઉત્તરાખંડનો મોટો તહેવાર છે. અને તહેવારના નામની જ આ વાનગી છે. આ તહેવારમાં બાળકોને ધૂધૂતિયાની માળા પહેરાવવામાં આવે છે. બીજા દિવસે આ માળા કાગડાઓને ખાવા માટે અગાસીમાં છોડી દેવામાં આવે છે. ધૂધૂતિયા એક પક્ષીનું નામ પણ છે. ધૂધૂતિયાને પ્રસાદ તરીકે પણ ખાવામાં આવે છે. આપણાં ફરસાણની જેમ ધૂધૂતિયા ઉત્તરાખંડમાં બહુ ખાવામાં આવે છે.
ધૂધૂતિયા બનાવવા માટે અડધો કપ ઘઉનો લોટ, અડધો કપ સોજી, એક ચમચી તલ, પા કપ ઘી, અડધો કપ ગોળ અથવા ખાંડ અને તળવા માટે તેલ. એક વાસણમાં લોટ અને સોજીને મિક્સ કરો. તેમાં ઘીનું મોણ નાખો. ત્યારબાદ દૂધ અથવા પાણી અને તલ નાખી ગૂંદી લો. ત્યારબાદ એક કલાક રેસ્ટ આપો. ત્યારબાદ થોડો લોટ લઈ બે હાથે દિવાની વાટની જેમ વાણી નાખો. આ વાટને ગુજરાતી ૪ ની જેમ આકાર આપો. ત્યારબાદ ધૂધૂતિયાને તળી નાખો. ક્યાંક ખારા ધૂધૂતિયા પણ રાંધવામાં આવે છે.
ગોળ ભાત
આ પંજાબી વાનગી છે. રાંધવામાં એકદમ સરળ છે. ખેતી કામમાં વ્યસ્ત હોય ત્યારે ગોળ ભાત ઝડપથી બની જાય છે અને પોષણ યુક્ત પણ ખરા.
રાંધવા માટે ૨૫૦ ગ્રામ બાસમતી ચોખા, ૨૫૦ ગ્રામ ગોળ (પાવડર), ૬૫૦ મિલી પાણી, ૬૦ ગ્રામ કિસમિસ, ૬૦ ગ્રામ કાજુ, ૫૦ ગ્રામ બદામ, થોડી વરિયાળી, લવિંગ, તજ, પિસ્તા, થોડો ફૂદીનો, ગુલાબની પાંદડી અને સૂકા નારિયેળ ણો ભુક્કો.
ચોખાને ધોઈને અડધો કલાક પાણીમાં પલાળી રાખો. એક વાસણમાં ઘીને મધ્યમ ગરમ કરી તેમાં ચોખાને ગુલાબ, નારિયેળનો ભુક્કો નાખ્યા સિવાય સાંતળો. બીજા વાસણમાં કાજુ, કિસમિસ, વરિયાળી, લવિંગ, તજને હળવા શેકી લો, બીજા વાસણમાં ગોળની ચાસણી બનાવો. તેને હલાવતા રહો. ચોખાને બાફી નાખો. ચોખા બફાઈ જાય એટલે ગોળની ચાસણી સહિતની બધી ચીજો ઉમેરી દો અને થોડી વાર ગરમ કરો. છેલ્લે ગુલાબની પાંદડી અને ફૂદીનાથી ગાર્નિશ કરી પીરસો.
ગોળભાત બહુ સ્વાદિષ્ટ વાનગી છે, તમે તેમાં તમારા ટેસ્ટ અનુસાર ફેરફાર કરી શકો છે.
શુકતો
શુક્તો એક પરંપરાગત બંગાળી મિશ્ર-શાકભાજી કઢી છે, જે તેના વિવિધ અને સંતુલિત સ્વાદ ચટાકા માટે પ્રખ્યાત છે. તે સામાન્ય રીતે અનેક સ્વાદ મિશ્રિત હોય છે, જે બંગાળી ભોજનના પ્રથમ કોર્સ તરીકે ખાવામાં આવે છે. આ રાંધવા માટે ઘણા બધા શાક ભાજી, મસાલા અને ધીરજની જરૂર પડે છે.
પુડા
આ ઓરિસ્સાની વાનગી છે. ભગવાન જગન્નાથની રથ યાત્રામાં જે ૫૬ ભોગનો મહિમા છે તેમાં પુડાનો સમાવેશ થાય છે. પુડા રાંધવા માટે બે લીટર મલાઈવાળું દૂધ, બે મોટી ચમચી લીંબુનો રસ, બે મોટી ચમચી ખાંડ, અડધો કપ સોજી, થોડી ઇલાઈચી અને બેકિંગ સોડા. રાંધવા માટે જાડા તળિયાવાળા વાસણમાં દૂધને ઉકાળો, તેમાં લીંબુનો રસ નાખો, દૂધ ફાટી જાય એટલે તેને ગાળી લો. નિતારીને મસળી લો. ત્યારબાદ તેમાં સોજી, ઇલાઈચી ઉમેરો, ત્યારબાદ બેકિંગ સોડા અને ખાંડ અને એક કપ પાણી ઉમેરો, બધું સારી રીતે મિક્સ કરો. કેળના પાનમાં તેના પેડા બનાવી કૂકરમાં પાણી વગર (સીધા) વરાળે, ધીમી આંચે એક કલાક સુધી પકાવો. અંતમાં પ્રેમથી આરોગો.
ઉમેરો
દિવાળીના પર્વમાં આનંદ ઉમેરવાની અનેક પદ્ધતિઓ અને પ્રયાસો છે, તેમાં ભોજન મુખ્ય છે. પરંપ રાગત ભોજનને બદલે કઇંક નવું રાંધો. જેન-ઝી પેઢી તો નવી રેસીપી લગભગ યુ ટ્યુબ ઉપર જોઈને જ રાંધે છે. બીજીતરફ તેને અમારા જેવી 'બેબી બૂમર્સ' (૪૬ થી ૬૪ વર્ષની વયના) પેઢીની જેમ હાથ બગાડવા તે સમય બગાડવા જેવું લાગે છે. રસોડામાં ઓછી પ્રયોગશીલ હોય છે. ચા અને કોફી પણ ઓનલાઇન ઓર્ડર કરી વેસ્ટર્ન પ્રભાતિયા લલાકારે છે! જેન-ઝી લોકોએ બેબી બૂમર્સ પાસેથી રાંધણ કળા જરૂર શીખવી જોઈએ. એક હિન્દી ફિલ્મના પ્રચલિત ડાયલોગ મુજબ, હોટેલ વાલે ખાને મેં પ્યાર નહીં ડાલતે!
ગુજરાતી ઘરોમાં પરંપરાગત રીતે મઠિયા, ઘૂઘરા, ચેવડો, પૂરી, પૂરણપોળી, ખીર, લાડુનો રિવાજ છે. મહેમાનો માટે હવે તૈયાર મીઠાઇ જ લાવવામાં આવે છે. જો કે ૯૦ ટકા શુભેચ્છકો તો કશું ખાતા જ નથી અથવા શુકન પૂરતો કટકો લઈ કામ પૂરૃં કરે છે. ઘરના સભ્યો માટે વાનગીઓનો થાળ તૈયાર કરી શકાય છે.
દિવાળીના દિવસોમાં મન અને સંબંધો પ્રફુલ્લિત રહે તેવા આયોજન કરવા જોઈએ. આ વખતે તો રાજ્ય સરકારે આખા અથવાડિયાનું વેકેશન આપી દીધું છે. ખાનગી નોકરીમાં પણ બહુ ટાર્ગેટ લક્ષી કામની અપેક્ષા રાખવામાં આવતી નથી.
'નોબત'ના વાચકો અને ચાહકોને નવા વર્ષની સ્વાદ સભર શુભેચ્છા. આરોગ્યને ધ્યાનમાં રાખીને રાંધવું અને ખાવું.
નવા વર્ષની એડવાન્સમાં શુભેચ્છા.
પરેશ છાંયા
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
અમેરિકા, રશિયા, ઈઝરાયેલ અને ચીનને માથાભારે આત્મનિર્ભર દેશો કહી શકાય!
ભારત ઉપર જ્યારે જ્યારે વૈશ્વિક સંકટ આવે ત્યારે દેશ ભક્તિનો જુવાળ ફાટી નીકળે છે. આ ચોમાસામાં ઉડતા પાંખવાળા જીવડા કે નીંદામણ જેવું છે. ચોમાસું જતું રહે એટલે જીવાતો જતી રહે. આપણી માનસિકતા પણ આબેહૂબ આવી જ તકલાદી અને ક્ષણજીવી છે. પાકિસ્તાન સાથે સંઘર્ષ થાય એટલે આઝાદીના ગીતો ગુંજવા લાગે. રાજકારણીઓ પણ જાણે લસલસતો લાડુ મળ્યો હોય તેમ સંઘર્ષની ગાથાઓ મમળાવવા લાગે. ડોનાલ્ડ ટ્રમ્પએ દંડો પછાડ્યો એટલે ફરી આપણે સ્વદેશી શોધવા માટે નીકળી પડ્યા. આત્મનિર્ભરના નારાઓ ગુંજવા લાગ્યા! ગુજરાત સરકારે પણ એક હજાર સ્વદેશી મેળાઓની જાહેરાત કરી દીધી છે. દુકાનો ઉપર સ્વદેશીના સ્ટીકરો ચોંટાડવા માટે ભાજપના કાર્યકરો કામે લાગી ગયા છે. અચાનક ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્નવને જોહો કોર્પોરેશન નામની ટેકનોલોજી કંપની દેખાણી. મારા સહિત લાખો ભારતીઓ તેને ફંફોસવા લાગ્યા, તેના ઉપર એકાઉન્ટ પણ બનાવી નાખ્યા. હવે, ભૂતકાળ યાદ કરીએ.. ટ્વિટરને ટક્કર આપવા માટે આપણી પાસે 'કૂ' હતું, બંધ થઈ ગયું. વોટ્સએપ ના ઑપ્શનમાં 'હાઇ' હતું, તે પણ ખોવાઈ ગયું. મુકેશ અંબાણીનું 'જીઓ ચેટ' પણ અદૃશ્ય થઈ ગયું. અમેરિકાનું વોટ્સએપ હજુ ધમધમે છે!
મોટો સવાલ એ છે કે, શું આવી રીતે આત્મનિર્ભર કે સ્વદેશી બની શકાશે?
સોચ બદલો
અમેરિકા સાથેની અંટસ બાદ આપણે જગ્યા. ટ્રમ્પ દાદા આડા અવળા ફટકા મારવા લાગ્યા અને આપણને સોળ ઉઠી આવ્યા. માર ખાધા વગર છૂટકો પણ નથી. કારણ કે સોટી તેના હાથમાં છે. આવે સમયે વારંવાર આફતમાં અવસર શોધતા લોકો ફરી ગેલમાં આવી ગયા. ગુજરાત સરકારે આત્મનિર્ભર અને સ્વદેશીના વિષય ઉપર અમદાવાદમાં પત્રકાર પરિષદ પણ કરી નાખી. આવા સંવેદનશીલ મુદ્દાની પત્રકાર પરિષદમાં તીખા સવાલ પૂછવાને બદલે 'મંત્રી મંડળનું વિસ્તરણ ક્યારે થશે?' તેવો વાહિયાત પ્રશ્ન પણ પૂછી નખાયો. આયોજકો એ પણ ગંભીરતા દાખવ્યા વગર ચાલતી પકડી. આ પત્રકાર પરિષદમાં જાહેર કરવામાં આવ્યું કે ગુજરાતમાં ૯૦ દિવસમાં સ્વદેશી મેળા યોજાશે. મારો અનુભવ છે કે આવા સ્વદેશી મેળાઓમાં મોટાભાગે, પાપડ, અથાણાં, હસ્તકલની ચીજો, સૌંદર્ય પ્રસાધનો, માટીના દિવડા, અગરબત્તી, મીણબત્તીઓ, વિવિધ પ્રકારના સરબત, ગૃહ શણગાર માટેની ચીજો જ હોય છે. તમામ હસ્તકળા આધારિત હોય છે.
આત્મનિર્ભર સ્વદેશી બનવું
હશે તે આવા મેળા નહીં ચાલે
અમદાવાદ, મુંબઈ, દિલ્હી, બેંગલોર તેવા મોટા શહેરોમાં ટેકનોલોજી આધારિત પ્રદર્શન પ્રવૃત્તિઓ થાય છે તેમાં ૯૯ ટકા વિદેશી સંશોધનો રજૂ કરવામાં આવે છે. મોબાઇલના પ્રદર્શનમાં મોબાઈલ હેન્ડસેટ ચીન, અમેરિકા કે કોરિયન જ હોય છે. મોબાઈલ કવર સ્વદેશી હોવાનું જણાય છે. આપણે આપણી સોચ, વિચાર બદલવા પડશે. મોબાઈલ હેન્ડસેટ આપણા હોય અને કવર વિદેશી હોવા જોઈએ!
અંગ્રેજોએ આપણને દબાવીને પછાત રાખ્યા હતા તેમ વર્તમાન સમયમાં પણ વિદેશી આખલાઓ આપણી કંપનીઓને પગની એડી હેઠળ દબાવીને રાખે છે. જરાક પણ ઊંચા થઈએ તો કચડી નાખે છે. આપણે હવે પાપડ-અથાણાની માનસિકતામાંથી બહાર આવવું પડશે. ગુજરાત સરકારે એક હજાર મેળા કરવાની જરૂર નથી, હાથીના પગ જેવાડો એક જ સ્વદેશી ટેકનોલોજી મેળો કરવો જોઈએ!
સ્ટાર્ટ અપ
નરેન્દ્ર મોદી સરકારે ખૂબ સરસ નવી સ્ટાર્ટ અપ પોલિસીનો અમલ કર્યો છે. જેમાં નવા નવા યુવાનો પોતાના નવા વિચારો અને શોધ લઈને આગળ આવે.
ભારતનું સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં ૫,૯૦,૦૦૦ થી વધુ માન્ય સ્ટાર્ટઅપ્સ, ૧૨૫ યુનિકોર્ન (એક બિલિયન ડોલરથી વધુ મૂલ્યના સ્ટાર્ટઅપ્સ) માં ૬૦૦ બિલિયનથી વધુ ભંડોળ એકત્ર કરવામાં આવ્યું છે. ચાલુ વર્ષે, સ્ટાર્ટઅપ્સે ૧૫૩૦ ઇક્વિટી ફંડિંગ રાઉન્ડ દ્વારા ૧૩ બિલિયન મેળવ્યા છે, જોકે વૈશ્વિક આર્થિક સાવચેતીને કારણે આ ગત વર્ષ કરતા ૨૮% ઘટાડો દર્શાવે છે. ઇકોસિસ્ટમ ફિનટેક, ઇ-કોમર્સ, એડટેક, હેલ્થટેક, એસએએએસ, લોજિસ્ટિક્સ અને એઆઈ જેવા ક્ષેત્રોને આવરી લે છે, જેમાં સ્ટાર્ટઅપ ઇન્ડિયા જેવી પહેલ દ્વારા મજબૂત સરકારી સમર્થન છે, આ પ્લેટફોર્મ ઉદ્યોગસાહસિકોને રોકાણકારો, ઇન્ક્યુબેટર્સ અને ભંડોળ સાથે જોડે છે, જેમાં વૈકલ્પિક રોકાણ ભંડોળ (એઆઈએફએસ) માટે ભંડોળનો સમાવેશ થાય છે. સ્ટાર્ટઅપ પ્રવૃત્તિઓમાં ભંડોળ, નવીનતા, ઇવેન્ટ્સ, આઈપીઓ, એક્વિઝિશન અને સપોર્ટ પ્રોગ્રામનો સમાવેશ થાય છે.
માનસિકતા
ભારતની માનસિકતા મોટા ભાગે વિદેશ પ્રેમીની રહી છે. વિદ્યાર્થીકાળથી વિદેશ ભણવા જવાના સપના જોવે છે. નોકરી વિદેશમાં કરવી છે. ધનાઢ્ય લોકો તો હવે લગભગ વિદેશી જ થઈ ગયા છે. વિડીયો કોન્ફરન્સથી ધંધા ચલાવે છે. નોકરને ખબર પણ નથી હોતી કે શેઠ કયા દેશમાં બેઠા બેઠા સૂચનાઓ આપે છે. નાના અને મધ્યમ લોકો વારંવાર પૂછે છે કે, શું અમારે જ સ્વદેશી બનવાનું? ધનિકોને પણ દેશપ્રેમ તરફ આકર્ષવા જોઈએ. ધનિકોએ પણ માત્ર મહિન્દ્રા અને ટાટાની ગાડીઓ જ વાપરવી જોઈએ.
આપણી માનસિકતા હવે બદલવાની જરૂર છે. સ્વદેશી જ ઉદ્ધાર છે. ખાખરા, પાપડની માનસિકતા પછાત રાખવા માટે કારણભૂત બની શકે છે. મેક ડોનાલ્ડના પિઝા આખી દુનિયામાં મળે તે આપણા ફાફડા, જલેબી, લાડુ, ખાંડવી, થેપલા આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ કે નથી બનતાં? આપણા જેન ઝી પિઝા બર્ગર, હોટડોગ ખાય તો વિદેશી યુવાનો લાડુ, ખાંડવી, ગાંઠિયા કેમ નથી ખાતા? આપણે કોક અને પેપ્સી ગટગટાવી જઈએ છીએ તો ધોળિયા લોકો છાસ કેમ પીતા નથી? વિદેશીઓ પોતાનું છોડવા માંગતા નથી તો આપણે કેમ વિદેશી ખોરાક ઉપર તૂટી પડીએ છીએ?
સોચ બદલો.. દુનિયા બદલો! આપણે પણ કટ્ટર સ્વદેશી થવું પડશે. ચીન વોટ્સએપ નથી વાપરતું, તે પોતાનું ચાઇનીઝ 'વી ચેટ' જ વાપરે છે. ચીનના અતિ લોકપ્રિય સોશિયલ મીડિયા એપ 'ટીકટોક' અમેરિકાને પણ હંફાવે છે. અમેરિકાના ટેક જાયન્ટ ટેસ્લાને ચીનની કંપની બી.વાય.ડી. ટક્કર આપે છે.
ભારતે પણ હવે માથાભારે સ્વનિર્ભર થવું જોઈએ. ડોનાલ્ડ ટ્રમ્પ ભારત-પાકિસ્તાન યુદ્ધમાં ટાંગ અડાડી શક્યા, ઇઝરાઈલ-હમાસ યુદ્ધમાં તેનું કોઈ સાંભળતું નથી. ઇઝરાઈલ માથાભારે આત્મનિર્ભર છે.
સ્વદેશી
મહાત્મા ગાંધીના સમયથી સ્વદેશીનો ખ્યાલ ભારતના લોકોને આપવામાં આવ્યો છે. સ્વદેશી ચળવળ ભારતના સ્વતંત્રતા સંગ્રામનો પાયાનો પથ્થર હતો, જેમાં આત્મનિર્ભરતા, સ્વદેશી ઉત્પાદન અને બ્રિટિશ સંસ્થાનવાદી શાસન સામે આર્થિક પ્રતિકાર પર ભાર મૂકવામાં આવ્યો હતો. તે વિવિધ ઐતિહાસિક સંદર્ભોમાં અનેક તબક્કાઓમાંથી પસાર થયો, દરેક તબક્કામાં અલગ અલગ વ્યૂહરચનાઓ, નેતાઓ અને રાષ્ટ્રીય ધ્યેયો હતા. દરેક તબક્કા પ્રતિબિંબિત કરે છે કે સ્વદેશીનો વિચાર કેવી રીતે બહિષ્કાર ચળવળમાંથી રાષ્ટ્રીય સ્વ-નિર્ભરતા અને આર્થિક સાર્વભૌમત્વના વ્યાપક દૃષ્ટિકોણમાં પરિવર્તિત થયો છે.
અમેરિકા, ચીન રશિયામાં કોઈ નેતાએ આવો ખ્યાલ કે વિચાર આપ્યો નથી, તો પણ તે લોકો સ્વદેશી બની ગયા. મૂળમાં આપણને સંશોધનોની માનસિકતા નથી. તૈયાર ભાણે જ જમતા રહીશું તો રાંધણ કલા શિખશું ક્યારે? આત્મનિર્ભર બનવા માટે સૌથી પહેલા વિચારોથી આત્મનિર્ભર બનવું પડશે.
રામદેવજી મહારાજ એફ.એમ.સી.જી. સેક્ટરમાં વિદેશી કંપનીઓને ટક્કર આપી રહૃાા છે. બીજી તરફ તેને ઉતારી પાડવા માટે પણ મોટી લોબી કામ કરે છે.
સ્વદેશી ચળવળ વર્તમાન સમયમાં ભારતમાં ''આત્મનિર્ભર ભારત'' અને મેક ઇન ઇન્ડિયા પહેલ દ્વારા ચાલુ છે, જે સ્થાનિક ઉત્પાદન અને આર્થિક સ્વ-નિર્ભરતાને પ્રોત્સાહન આપે છે. અમેરિકા સાથે ટેરિફ સંઘર્ષ અને સપ્લાય ચેઇન અનિશ્ચિતતાઓ જેવા ભૂ-રાજકીય દબાણોનો જવાબ આપતા, સરકાર ઐતિહાસિક ચળવળની ભાવનાને પુનજીર્વિત કરી રહી છે, નાગરિકોને ભારતીય માલ ખરીદવા માટે પ્રોત્સાહિત કરી રહી છે અને ભારતમાંથી વૈશ્વિક ઉત્પાદન કેન્દ્ર તરીકે બજાર તરીકે સ્થળાંતરને પ્રોત્સાહન આપી રહી છે.
દેશપ્રેમ
ભારતને વિકસિત અને આત્મનિર્ભર બનાવવા માટે કાયમી દેશપ્રેમ બહુ જરૂરી છે. રાજકીય ઈચ્છાશકતી પ્રબળ હોવી જોઈએ. સુઝુકીના નવા બેટરી પ્લાન્ટમાં ઊભીને સ્વદેશી ઉપર ભાષણ આપવાથી બાજી બગડે છે. રેલવે એન્જિનોને સ્વદેશીની ટેગ લગાવવામાં આવે છે પરંતુ તેમાં મોટા ભાગના પાર્ટસ વિદેશી હોય છે. વિદેશી સિમેન્સ કંપનીનો તેના નિર્માણમાં મોટો ફાળો રહૃાો છે. સંપૂર્ણ ભારત નિર્મિત ટેકનોલોજી પ્રત્યે આપણે હવે પ્રેમ કેળવવો પડશે. વેજ અને નોનવેજ ખાદ્ય ચીજો ઉપર લાલ-લીલા માર્ક હોય છે તેમ સ્વદેશી અને વિદેશીની ઓળખ પણ સ્પષ્ટ કરવી પડશે. તૈયાર ભાણે જમવાથી ઉત્તમ રસોઈયા બની શકાતું નથી. ઘર બહારની રસોઈ કાયમ પચતી નથી. અપના હાથ જગન્નાથ જ કરવું પડશે. આત્મનિર્ભર બનવા માટે આપણે ચીન પાસે ટ્યુશન રાખવું જોઈએ. વિદેશી ટેકનોલોજી ઉપર સંપૂર્ણ પ્રતિબંધ. મસ્કની ટેસ્લા ચીનમાં બહુ મોટા પાયે બને છે, પરંતુ તેને ચીનની બી.વાય.ડી. આખી દુનિયામાં ટક્કર આપી રહી છે. ટેસ્લા ભારતમાં હજુ ૮-૧૦ ઇલેક્ટ્રિક કાર વેંચી શકી છે ત્યારે બી.વાય.ડી. લાખોની સંખ્યા વટાવી ચૂકી છે. મોદી સરકારે આ બન્ને વિદેશી કારને પ્રવેશ આપવાની જરૂર નહોતી. આ બન્નેથી ટાટા અને મહિન્દ્રાની ઇલેક્ટ્રિક કારને મોટો ફટકો પડશે.
સુઝુકી, હોન્ડા, એલ.જી., એપલ, વિવો, ઓપ્પો, સેમસંગ, સોની જેવી વિદેશી કંપનીઓ ભારતમાં ઉત્પાદન કરે એટલે તેને સ્વદેશી ગણી ગૌરવ ગાન કરવું ન જોઈએ.
ટૂંકમાં ભારત સરકારે કટ્ટર સ્વદેશી બનવું પડશે!
'નોબત'ના વાચકો અને ચાહકો જાગૃત દેશભક્ત બને અને વિદેશી મોહ છોડે તેવી હાર્દિક અપીલ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
દોઢ સદી વટાવી ગયેલા બાપુ ખિન્ન હૃદયે ખખડધજ રેંટિયાને નિહાળી રહૃાા હતા!
હું: હેપ્પી બર્થ ડે .. બાપુ
બાપુઃ ભાઈ, ગુજરાતી બોલને..
હું: અંગ્રેજીની આદત ઘર કરી ગઈ છે..
બાપુઃ મને લાગે છે કે મરી મહેનત એળે ગઈ..
હું: કેમ બાપુ એવું બોલો છો?
બાપુઃ અંગ્રેજો હજુ તમારા મગજમાંથી ગયા નથી!
હું: હા બાપુ, હવે તો નસે નસમાં ફેલાઈ ગયા છે!
બાપુઃ ત્યારે તો એક અંગ્રેજ જ હતા, આજે તો આખી દુનિયા મારા દેશને ચોંટી પડી છે.
થોડી વાર અમારા બન્ને વચ્ચે શૂન્યાવકાશ સર્જાઇ ગયો.
હું એકી ટશે બાપુના નિરાશ ચહેરાને તાકતો રહૃાો.
તેમના ચહેરા ઉપરથી લાગતું હતું કે તે લાંબા સમયથી એકાંત ભોગવતા હતા!
અમારે વ્યક્તિગત કોઈ પરિચય નહીં, પરંતુ મળ્યા એટલે મજા આવી.
તેમની સાથે વર્તમાન ભારત વિશે ઘણી ગુફ્તગુ કરી.
તેઓ ચર્ચા દરમિયાન મોટેભાગે ખિન્ન જણાયા.
તે વારંવાર ખૂણામાં પડેલા ખખડધજ રેંટિયાને નિરાશ વદને તાકીને જોતા હતા.
મારી સામે પણ નજર કરી લેતા હતા.
તેમને ઘણી બધી બાબતો વિશે જાણવાની તાલાવેલી હોય તેમ લાગ્યું.
મેં પણ નિર્દોષતાથી મારા જ્ઞાન મુજબ જવાબો આપ્યા.
અમારા વચ્ચેની ગુફ્તગુના કેટલાક અંશો અહીં રજૂ કર્યા છે.
.....
હું: બાપુ, નમસ્કાર
બાપુઃ આવો...
હું: મારા અચાનક આવવાથી આપનો સમય તો નહીં બગડે ને?
બાપુઃ ના, ભાઈ. હવે મને કોણ મળવા આવે છે?
મારી પાસે સમય સિવાય કંઈ બાકી વધ્યું નથી.
હું: તમારા આદર્શો અને દેશપ્રેમની ચર્ચાઓ અને ઉદાહરણો તો આજે પણ ઠેરઠેર દેવાય છે.
બાપુઃ હા, પણ અમલ કોઈ કરતું નથી.
હું: સાચી વાત છે.
બાપુઃ સમય સમય બલવાન.
હું: બાપુ, તમે વાસ્તવિકતા સ્વીકારો છો તે સારું કહેવાય.
બાપુઃ કેમ?
હું: વર્તમાન નેતાઓ તો અમરપટ્ટો લખવી લાવ્યા હોય તેવું વર્તન કરે છે.
બાપુઃ મતદારો સહન શા માટે કરે છે?
બાપુઃ હં..
હું: એક પ્રશ્ન પૂછું?
બાપુઃ બોલને ભાઈ.
હું: તમે વારંવાર રેંટિયા સામે કેમ તાકી તાકીને જોવો છો?
બાપુઃ તમે હમણાં આત્મનિર્ભર ભારતના નાટક ચાલુ કર્યા છે..
હું: રેંટિયાને અને નાટકને શું સંબંધ?
બાપુઃ હું રેંટિયામાં તકલી લગાવી રૂ ની પૂણી કાંતતો, તેના જ વસ્ત્રો પહેરતો.
હું: હા બાપુ.
બાપુઃ હવે વિદેશી વસ્ત્રો, ઘડિયાળો, ગાડીઓમાં ફરનારા સ્વદેશી બનોના નારા પોકારે છે!
બાપુઃ ભાઈ, તે વસ્ત્રો ઉત્તમ ધારણ કર્યાં છે!!
હું: હા બાપુ, શર્ટ અને પગના મોજા અમેરિકન રીબોકના છે, પેન્ટ પીટર ઈંગ્લેન્ડનું છે, ડીજીટલ કાંડા ઘડિયાળ 'નોઈસ' ચાઈનીઝ છે!
બાપુ ખિન્ન થઈ, મોં ફેરવીને ધીરેથી બોલ્યા....
તમારે ત્યાં તો આજકાલ આત્મનિર્ભરના નારાઓ લાગે છે ને...!!
હું: હા બાપુ, જે કારમાં અહી સુધી આવ્યો તે પણ હોન્ડા, જાપાનની છે!
(બાપુનું મોં પડી ગયું, થોડો સમય સાવ મૌન રહૃાા)
થોડી ક્ષણો મારી સામે જોઈ તાકતા રહૃાા. પછી દબાતા અવાજે, આજુબાજુ જોઈ બોલ્યા..
બાપુઃ દેશમાં કેવું ચાલે છે?
હું: ભગવાન ભરોશે..
બાપુઃ સાવ આવું?
હું: કારણ કે, તેને બીજા કોઈ ઉપર ભરોશો નથી ને.. એટલે
બાપુઃ અમેરિકા હારે શું માથાકૂટ ચાલે છે..
હું: બન્નેને પોતે મહાન અને દેશપ્રેમી હોવાનો વહેમ છે.. એટલે
બાપુઃ સારું..
હું: મોદીજીને તમારા માટે બહુ માન છે.
બાપુઃ ના રે ના..
હું: કેમ?
બાપુઃ નરેન્દ્રને ગાંધી શબ્દથી નફરત છે.
હું: રાહુલ ગાંધીની વાત કરે છે.
બાપુઃ એવું છે..
હું: તમારા સાબરમતી આશ્રમને તો વિકસિત કરવા માટે ૧૨૦૦ કરોડનો ખર્ચ કરે છે.
બાપુઃ મારા વિચારો જીવનમાં ઉતારો તો સાચું કહેવાય.
બાપુઃ સારૃં થયું, અંગ્રેજો વહેલા જતા રહૃાા.
હું: કેમ?
બાપુઃ આ તકવાદીઓ તો તક ભાળી અંગ્રેજોના પક્ષમાં ભળી જાત.
હું: સમજ્યો નહીં?
બાપુઃ મુરખ છો..તને નહીં સમજાય.
હું: મતદારોને તમે મુરખ કહો છો?
બાપુઃ હા, પક્ષપલટો કરનારા નેતાઓને સબક શીખવાડવો જોઈએ.
હું: સાચી વાત છે.
હું: બાપુ, તમારે ગોડસેનો આભાર માનવો જોઈએ.
બાપુએ મરકતા મને પુછ્યું.
કેમ?
હું: જીવતા હોત તો... દુઃખી થાત!
બાપુઃ કેમ?
હું: આજકાલ કોંગ્રેસ અને ગાંધીને ગાળો દેવવાની ફેશન ચાલે છે.
બાપુઃ પકિસ્તાન હારે કેવું ચાલે છે?
હું: સંતા કુકડીની રમત જેવું!
બાપુઃ કેમ?
હું: બન્ને દેશ જીતવાના દાવા કરે છે..
બાપુઃ જીત્યું કોણ?
હું: શસ્ત્રો વેંચવાવાળા..
બાપુઃ ભારત આત્મનિર્ભર ક્યારે બનશે?
હું: વાર લાગશે.
બાપુઃ કેમ?
હું: હજુ તો જનજાગૃતિ માટે સ્ટીકરો છાપવા આપ્યા છે, પછી....
બાપુઃ તમે લોકો એ ૭૫ વર્ષ કર્યું શું?
હું: બાપુ, નહેરુએ કશું ન કર્યું!
બાપુઃ તને પણ નરેન્દ્ર જેવી આદત પડી ગઈ લાગે છે?
હું: મનમાં મરકતો રહૃાો.
બાપુઃ તમે ૧૫ વર્ષ શું કર્યું?
હું: નહેરૂ.. નહેરૂ.
મારા વિચારોથી બાપુ બહુ નારાજ અને નિરાશ થયા હોય તેવું લાગ્યું. ફરી તે રેંટિયાને તાકવા લાગ્યા.
હું: કસ્તુરબા નથી?
બાપુઃ ચા પીવી છે..?
હું નિરુત્તર રહૃાો.
બાપુઃ બકરીને ચરાવવા લઈ ગયા છે.
હું: હા, પણ વાર બહુ લાગી..
બાપુઃ રાજકારણીઓ ચરી જાય પછી ત્યાં ઊગતા વાર લાગે છે. એટલે દૂર જવું પડે.
બાપુ ફરી વિચારમગ્ન થઈ ગયા. આંખો બંધ કરીને રુદ્રાક્ષની માળા ફેરવવા લાગ્યા. માળા પૂરી કરી મને વિસ્ફારિત નયને તાકવા લાગ્યા. ગળે ડૂમો બાજી ગયો હોય તેમ લાગ્યું. હળવો ખોંખારો ખાઈને બોલ્યા..
નોબેલ શાંતિ પુરસ્કાર..
મેં તેનું વાક્ય અડધેથી કાપીને કહૃાું..
હવે મોડું થઈ ગયું, તમને ન મળે..
બાપુઃ કેમ?
હું: પાકિસ્તાન વાળા ડોનાલ્ડ ટ્રમ્પ માટે ભલામણ કરી રહૃાા છે,
બાપુઃ તેનું શું ઉપજે?
હું: વર્તમાન સમયમાં કોનું ક્યાં અને કેટલું ઉપજે તે જ ખબર નથી પડતી!
બાપુઃ મારે ઝીણા સાથે સારા સંબંધો હતા, તેને કહું તો મારા માટે બોલે.
હું: અત્યારે જાડાનો જમાનો છે, ઝીણા ન ચાલે.
બાપુઃ આ જાડા વળી કોણ છે?
હું: જાડી ચામડીની વાત કરું છું.
બાપુ ફરી અટવાઈ ગયા. કઈ ન બોલ્યા.
ઊભા થયા અને એક જર્જરિત પુસ્તક લાવી મને હાથમાં આપ્યું.
બાપુઃ લે આ વાંચજે..
હું: શું છે આ?
બાપુઃ સત્યના પ્રયોગો..
હું: ન ચાલે.
બાપુઃ કેમ?
હું: અત્યારે નાણાના પ્રયોગો જ ચાલે છે.
બાપુઃ અંબાણી અને અદાણીનું કેમનું ચાલે છે?
.. .. હવે હું ખખડધજ રેંટિયાને તાકવા લાગ્યો.
બાપુઃ કેમ શું વિચારમાં પડી ગયો?
હું: ન બોલવામાં નવ ગુણ!
બાપૂ પહેલીવાર મનમાં મલકવા લાગ્યા. મરક મરક હસ્યા.
હું: બાપુ, તમને હજુ પણ દુનિયદારીની બધી ખબર છે..
બાપૂઃ નવરા લોકો બીજું કરે પણ શું?
હું: બાપુ, એક પ્રશ્ન પૂછું..
બાપુઃ બોલ
હું: ભારતમાં ફરી જનમ મળે તો શું કરો?
બાપુઃ ભાજપમાં જોડાઈ જાઉં.
હું: કેમ?
બાપુઃ કોંગ્રેસમાં હવે શું બચ્યું છે?
હું: બધા આમ જ વિચારશે તો તેનો ઉદ્ધાર કેમ થશે?
બાપુઃ ગુજરાતમાં તો વિપક્ષ જેવું કઈં રહૃાું જ નથી.
હું: ગુજરાતીઓની છાપ પહેલેથી જ વેપારીની છે..
બાપુઃ દારૂબંધીનું શું છે?
હું: તમારા જેવી જ હાલત છે.
બાપુઃ કેવી રીતે?
હું: કોઈ ગણકારતું નથી!
બાપુઃ દશેરાના ફાફડા જલેબી ખાધા?
હું: ના બાપુ
બાપૂઃ કેમ?
હું: ઇ અમદાવાદ વાળાનું ચલણ છે.
બાપુ મરકતા મરકતા બોલ્યાઃ અંદરના રાવણને બાળ્યો કે નહીં?
હું ખડખડાટ હસી પડ્યો.
હું: તમને પણ આ ખબર પડી ગઈ છે?
બાપુઃ શું?
હું: આ તો સોસિયલ મીડિયાની ઉપજ છે.
બાપુઃ ભાઈ, જરૂર પણ છે.
હું: શેની?
બાપુઃ અંદરના રાવણને બાળવાની..!!!!!
હું અને બાપુ બન્ને થોડો સમય મૌન થઈ ગયા. લાગ્યું કે વિષયો પૂરા થઈ ગયા. ચર્ચાનો કોઈ નિષ્કર્ષ નીકળ્યો નથી. કસ્તુરબા પણ બકરીને ચરાવીને પાછા આવ્યાં. બકરી બહુ કૃષકાય બની ગઈ હતી.
બા અને બકરી માંડ ચાલી શકતા હતા.
બા મને જોઈને બોલ્યા.
બાઃ કોણ આવ્યું છે?
બાપૂઃ જામનગરથી આવ્યા છે.
બા મારા તરફ વળ્યા અને બોલ્યા..
બાઃ આ બકરીનું કઈક ગોઠવી દે..
મને બહુ મોટું આશ્ચર્ય થયું.. મનમાં વિચારવા લાગ્યો કે, બકરીનું વળી શું ગોઠવવું છે?
હું: બા, બકરીનું વળી ક્યાં ગોઠવવું છે?
બાઃ વનતારામાં..
હું બે હાથ જોડી ઊભો થઈ ગયો. નમસ્કાર કરી ચાલવા લાગ્યો..
બાપુઃ સારૂ ભાઈ, સમય મળે આવતો રહેજે
હું: જરૂર, મારી પાસે પણ હવે સમય સિવાય કંઈ વધ્યું નથી
બાપુઃ સાચવજે.. કામકાજ હોય તો પણ કહેતો નહી...
હું: કેમ?
બાપુઃ મારૃં હવે કંઈ ઉપજતું નથી.
હું: મારૃં પણ એવું જ છે, બાપુ.
મારી સાથે મુલાકાત બાદ બાપુ વધુ નિરાશ જણાયા.
છુટા પડતા સમયે પણ આંખો બંધ કરી મૌન રહૃાા.
કસ્તુરબા નિરાશ વદને મને તાકાત રહૃાા.
બા અને બાપુને પ્રણામ કરી હું નીકળી ગયો.
(આ વાર્તાલાપ કાલ્પનિક-કટાક્ષ છે.)
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ડોનાલ્ડ ટ્રમ્પ હવે મફતમાં કોઈ ખોટો કે ખોટનો ધંધો કરવા માંગતા નથીઃ
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હિન્દુ પૌરાણિક મહા કથા સાગર મંથન બાબતે સાવ અજાણ છે. દેવોએ સાથે મળી મેરુ પર્વતને વલોણું બનાવી સમુદ્ર મંથન કર્યું હતું. દેવોનો પ્રયાસ હોવા છત્તા તેમાંથી હળાહળ નીકળ્યું! દેવોના દૈવી વલોણાથી અમૃતની સાથે કાતિલ વિષ નીકળ્યું, અમૃતપાન માટે દેવો ઝઘડી પડ્યા. વિષ મળતા દેવો હતપ્રભ થયા અને તેના પાન માટે કોઈ તૈયાર ન થયું. આખરે કથા અનુશાર દેવોના દેવ મહાદેવે વિષપાન કરવું પડ્યું.
ડોનાલ્ડ ટ્રમ્પને યાદ કરીને આ સમુદ્ર મંથન કથા યાદ આવી જાય છે. કારણ કે, તે અમેરિકાના હિતો મજબૂત કરવા અને આર્થિક મજબૂતી વધારવા માટે મન ઘડંત ઘમ્મર વલોણા ફેરવી આખી દુનિયાને ટ્રમ્પ ઉજાગરા કરાવે છે તેના માટે ઉત્તમ ઉદાહરણ છે. અંતે શું પ્રાપ્ત થશે તે સમય કહેશે. રોજ નિતનવા ગતકડાં રજૂ કરે છે. પરિણામે દુનિયા જ નહીં આખું અમેરિકા ગોટે ચડ્યું છે. ટ્રમ્પ દાદા માને છે કે, આખી દુનિયા ખાસ કરીને ભારત અમેરિકાને મોટા પાયે લૂંટી રહૃાું છે અને અમેરિકા જેવી મહાસત્તા ધંધાની લાલચે મૂર્ખ બનાવી રહી છે. અમેરિકાની જાહોજલાલી લૂંટવા માટે લાખો વિદેશીઓ અમેરિકામાં ગેરકાયદે ઘૂસ્યા છે. અમેરિકાને દાયકાઓથી રશિયા અને ચીન આંખના કણાની જેમ ખૂંચે છે. હવે તેમાં ભારત ભળ્યું છે.
પ્રશ્ન
ડોનાલ્ડ ટ્રમ્પના વિચારો પણ સાવ નાખી દેવા જેવા નથી. મહદ્અંશે તેની પીડા સાચી છે. વિયેતનામ થી લઈને અફઘાનિસ્તાન સુધી તેની સેના ખાસ કઈ ઉકાળી શકી નથી. જગત જમાદાર થવાની લાહૃામાં અમેરિકાની તિજોરી ખાલી થઈ રહી છે. છેલ્લે રશિયાને ગાળિયો નાખવા માટે યુક્રેન અને નાટોને આગળ કર્યા. પરંતુ પુતિન મચક આપતા નથી. હવે ઝડપથી મેક ઓવર ન કરવામાં આવે તે દેશની તગતગતી જવાની ખખડી જવાની. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાને ફરી ટીન એજ બનાવવા માંગે છે. અમેરિકાની જવાનીના લાભ માત્ર અમરીકને જ મળવા જોઈએ તેવું તે માને છે.
ભારતના સંદર્ભમાં વાત કરીએ તો, આપણે અમેરિકાના માલ ઉપર બહુ મોટા કરવેરા લાદ્યા છે તે હકીકત છે. એપલનો આઈ ફોન ભારતમાં બને છે. દેશમાં રૂપિયા ૧ લાખમાં વેચતા આ ફોનનું અર્થશાસ્ત્ર જોઈએ તો, તેની પડતર કિમત માત્ર ૩૩ હજાર રૂપિયા છે. બાકીના ૩૩ હજાર કંપનીનો નફો છે અને છેલ્લા ૩૩ હજાર ભારતને ટેક્સ રૂપે મળે છે. આમ પડતર કિંમત ઉપર જોઈએ તો ૧૦૦ ટકા ટેક્સ થયો ગણાય. આમ અમેરિકન ટેકનોલોજી ઉપર ભારતને મોટી કમાણી અને વધુ રોજગારી મળે. અમેરિકાની ટેકનોલોજી હોવા છતાં એપલ કંપની ત્યાંની સરકારને માત્ર ૧૦-૧૫ ટકા નફાનો ટેક્સ ચૂકવે. કોઈ પણ હાઇ ટેક ટેકનોલોજી વિકસાવ્યા પછી અમેરિકાએ તમાચો મારીને ગાલને લાલ રાખવો પડે છે. માત્ર આપણે ત્યાં જ નહીં, આખી દુનિયામાં આ હાલત છે. અમેરિકાના ખર્ચાળ સંશોધનો બાદ દુનિયા કાજુ બદામ ખાય છે અને અમેરિકાના ભાગે મગફળીના દાણા જ આવે છે!
શસ્ત્રો
અમેરિકાનો યુદ્ધ શસ્ત્રોનો સૌથી મોટો ધંધો છે. આધુનિક શાસ્ત્રોના સંશોધનો ઉપર અબજો મિલિયન ડોલર ખર્ચ કરે છે. દુનિયામાં ઝગડા કરવી આ ઉદ્યોગને ધમધમતો રાખે છે. પરંતુ મોટી તકલીફ એ છે કે, મોટાભાગના દેશોને તેના શસ્ત્રો લોન ઉપર આપવા પડે છે અને મોટા ભાગના દેશો લોન ચૂકવવામાં અખાડા કરે છે. હવે શસ્ત્રો આધારિત દેવું માથા ઉપર જતું રહૃાું છે. ડોનાલ્ડ ટ્રમ્પે મોટાભાગના યુદ્ધ મેદનોમાંથી પોતાની સેના પાછી ખેંચી લીધી છે.
શસ્ત્રોમાં પણ મોટી દાણચોરી થાય છે. અમેરિકા હવે ચોરીછૂપીથી બળવાખોરોને માલ આપી શકતું નથી.
લોસ ફરાદ
ગેરકાયદે શસ્ત્રોના વેપારને જાણવા માટે અમેઝોન પ્રાઇમ ઉપરની સ્પેનિસ વેબ સીરિઝ 'લોસ ફરાદ' જોવા વિનંતી છે. તેમાં ૧૯૮૦ ના શીત યુદ્ધના સમયની વાર્તા છે. નિકરાગુવા, ઈરાક, ઈરાન આફ્રિકા, કોંગો, નાઈજીરિયા, લિબિયા, એંગોલાને તોડી પાડવા રશિયા અને અમેરિકા ગેરીલા યુદ્ધને ટેકો કરે છે. દાણચોરીથી શસ્ત્રો પૂરા પાડે છે. બળવાખોરોને ગેરકાયદે શસ્ત્રો અને દારૂગોળો પૂરો પાડવા બે દલાલ વચ્ચેના સંઘર્ષની આ કથા છે. અમેરિકાના શસ્ત્ર ધંધાને જાણવો હોય તે આ વેબ જોઈ લેવી. ડોનાલ્ડ ટ્રમ્પ હવે મફતમાં કોઈ ખોટો કે ખોટનો ધંધો કરવા માંગતા નથી.
અનેક નિર્ણયો
ડોનાલ્ડ ટ્રમ્પનો ૨૦ જાન્યુઆરી, ૨૦૨૫ ના શરૂ થયેલો બીજો કાર્યકાળ, અભૂતપૂર્વ માત્રામાં એક્ઝિક્યુટિવ કાર્યવાહીથી વ્યસ્ત રહૃાો છે. અમેરિકાના રાજકારણમાં સૌથી ચર્ચાસ્પદ અને વ્યાપક અસરો વાળો રહૃાો. સપ્ટેમ્બર ૨૦૨૫ ના મધ્ય સુધીમાં ૨૦૦ થી વધુ એક્ઝિક્યુટિવ ઓર્ડર, ૫૦+ મેમોરેન્ડા અને ૮૦+ ઘોષણાઓ કરી ચૂક્યા છે. ટ્રમ્પના નિર્ણયો અને વિચારો ઇમિગ્રેશન અમલીકરણ, નિયમનમુક્તિ, સાંસ્કૃતિક/વૈચારિક સુધારાઓ અને વિદેશ નીતિ નિયંત્રણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જોકે તેઓએ કાનૂની પડકારો અને પક્ષપાતી વિભાજનને વેગ આપ્યો છે. જ્યારે કોઈ એક પણ નિર્ણય એકમાત્ર ''મુખ્ય'' નિર્ણય તરીકે ઊભો થતો નથી, સૌથી પરિવર્તનશીલ અને વ્યાપકપણે ટાંકવામાં આવેલ નિર્ણય ઇમિગ્રેશન નીતિમાં મોટા પાયે ફેરફાર કર્યા, જેમાં દક્ષિણ સરહદ પર રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવી, મેક્સીકન ડ્રગ કાર્ટેલને આતંકવાદી સંગઠનો તરીકે જાહેર કર્યા, અને ગેર કાયદે વસાહતીઓને મોટા પાયે દેશનિકાલ શરૂ કરવાનો સમાવેશ થાય છે. આથી સરહદ અસરકારક રીતે સીલ થઈ ગઈ છે, પહેલા આઠ મહિનામાં ગેરકાયદેસર ક્રોસિંગમાં ૯૦% થી વધુ ઘટાડો થયો છે, અને એક લાખથી વધુ ગુનેગારો અને આતંકવાદીઓને દેશનિકાલ કરવાની પ્રાથમિકતા આપવામાં આવી છે. તેને ટ્રમ્પના મુખ્ય ''અમેરિકા ફર્સ્ટ'' વચનને પૂર્ણ કરવા તરીકે જોવામાં આવે છે અને સમર્થકો દ્વારા તેને શબ્દની સૌથી મોટી જીત તરીકે બિરદાવવામાં આવી છે, જ્યારે ટીકાકારો તેને કઠોર ગણાવે છે.
મોદીને પોતાના મિત્ર ગણાવતા ડોનાલ્ડ દાદા ભારતને સોટીએ સોટીએ ફટકારે છે. અમેરિકામાં ગેરકાયદે વસતા ભારતીઓને હાથ પગમાં બેડીઓ પહેરાવી દેશનિકાલ કર્યા. આવી ઘટના ચીન કે પાકિસ્તાન સામે બની નથી. ભારત નિર્ણાયક જીત મેળવે તે પહેલાં પકિસ્તાન સાથેનું યુદ્ધ રોકાવી દેવાનો ઉચ્ચાર ૩૦ વખત કરી ચૂક્યા છે. આ કારણે દેશમાં મોદી સરકારે વ્યાપક ટીકાઓનો ભોગ બનવું પડ્યું છે. પાકિસ્તાન સાથે અંગત વ્યાપાર માટે પણ તે વારંવાર નિર્ણયો લઈ રહૃાા છે. પાકિસ્તાનના સેના પ્રમુખને વ્હાઇટ હાઉસમાં બોલાવી આગતા સ્વાગત કરી.
આવા અનેક નિર્ણયો અને ઉચ્ચારણો દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પ શું સાબિત કરવા કે સિદ્ધ કરવા માંગે છે તે સ્પષ્ટ નથી.
સમુદ્ર મંથન
દેવોના સમુદ્ર મંથનમાં હળાહળ વિષ પણ નીકળ્યું હતું. તે ભગવાન શિવે ગટગટાવવું પડ્યું હતું. વર્તમાન સમયમાં જો ઝેર નીકળશે તો શું ડોનાલ્ડ ટ્રમ્પ પીશે? વિષપાન માટે ભાગીદાર મળશે? ડોનાલ્ડના વર્તમાન કાર્યકાળને હવે ત્રણ વર્ષ બાકી છે. તે શું ત્રણ વર્ષમાં અમેરિકાને ફરી સદ્ધર કરી શકશે? અમેરિકાને વિશ્વમાં ફરી મહાસત્તા બનાવી શકશે? અમેરિકનોને રોજગાર આપી શકશે? ગેરકાયદે વસાહતીઓને તગેડી શકશે?
બીજી તરફ ડોનાલ્ડને ભારત, ચીન અને રશિયા બહુ ગંભીરતાથી લેતા નથી. રશિયા યુક્રેનમાંથી પાછું હટવા તૈયાર નથી. યુક્રેનના પ્રમુખ પણ અમેરિકી પ્રમુખની ટોપ ટીમને ખરી ખોટી સાંભળવી ચાલ્યા ગયા હતા. ચીન અને પાકિસ્તાન પોતાના ગેરકાયદે વસાહતીઓને સ્વીકારવા માટે ગલ્લાંતલ્લાં કરે છે.
ટ્રમ્પના સમુદ્ર મંથનમાં ભરપૂર વિષ મળી રહૃાું છે. જો કે હજુ પ્રારંભિક તબક્કો હોવાથી નકારાત્મક અસરોની નોંધ લેવાતી નથી, પરંતુ ભવિષ્યમાં અમેરિકાનો ઇતિહાસ લખાશે ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ હીરો હશે કે વિલન હશે તે અત્યારે નક્કી કરવું મુશ્કેલ છે. જે હશે તે, પરંતુ ઇતિહાસકારોએ તેની અવશ્ય નોંધ લેવી પડશે. અને થોડા ઘણા સફળ રહૃાા તો, આગામી અનેક પ્રમુખોએ તેને અનુસરવું પડશે!
વિઝા
અમેરિકાએ તેની વિઝા પ્રક્રિયા બહુ કડક કરી દીધી છે. નોકરિયાતો માટેની વિઝા ફી માં પણ ધરખમ વધારો કર્યો છે. વિઝા ધરાવતા હોય તેમાને પણ કડક પૂછપરછમાંથી પસાર થવું પડે છે. ચીન અને પાકિસ્તાનના લોકોને તો નવા વિઝા આપવાનું લગભગ બંધ કરી દેવામાં આવ્યું છે. ૪૫ દેશોમાં તો અમેરિકન એમ્બેસીની વિઝા અરજી સાઇટ ઠપ્પ છે. અસંખ્ય લોકો હવે દુબઈની એમ્બેસીમાંથી વિઝાની તારીખો મેળવી રહૃાા છે. ભારતમાં વિઝાની કાયદેસરની ફી ઉપરાંત ૨૫૦૦ થઈ ૩ હજાર એજન્ટ ચાર્જ કરે છે, દુબઈમાં આ ભાવ ૩૦ હજાર સુધી પહોંચ્યો છે!
તાજેતરમાં એચ-વન વિઝાની ફી વધારી દેવામાં આવી અને અનેક અમેરિકન કંપનીઓએ તેના વિઝા ધારક કર્મચારીઓને અચાનક અમેરિકા પરત બોલાવ્યા, તેથી હવાઈ ભાડા આસમાને પંહોચી ગયા છે. અમેરિકા જતા ધંધાર્થીઓ અને અભ્યાસુઓની સંખ્યા નોંધનીય રીતે ઘટતા એરલાઇન્સ કંપનીઓ પણ ગૂંગણામન અનુભવી રહી છે.
સારાંશ
અમેરિકાના ધમપછાડા ધરતીકંપના આંચકા જેવા છે. અમેરિકા એક નવી કેડી કંડારવા માંગે છે. તે પોતાના દેશને આર્થિક રીતે સદ્ધર કરી મહાસત્તાની ટેગ વધુ મજબૂત કરવા માંગે છે. અમેરિકાના કડક નિર્ણયોના સારા નરસા પરિણામો થોડા દિવસો કે મહિનાઓમાં દેખાય તેમ નથી. તેની અસરો જાણવા માટે થોડા વર્ષોની રાહ જોવી પડે. નરેન્દ્ર મોદી સ્વદેશી માટે બહોળો પ્રચાર કરી રહૃાા છે, તેની અસરો પણ રાતોરાત દેખાશે નહીં. ભારતીય લોકોને વિદેશી માલની લત લાગી ગઈ છે. સ્વદેશી માલ હજુ બાલ્યાવસ્થામાં છે. વિદેશી માલ અને ટેકનોલોજીનો વરસાદ થાય છે. ભારત ટેકનોલોજીની બાબતમાં હજુ ઘણું પાછળ છે. આપણી માનસિકતા સંશોધનો માટે બહુ નબળી છે. સુંદર પીચાઇ જેવા લોકો પણ વિદેશી નોકરી કરે છે. અમેરિકામાં નોકરી કરવાનો ક્રેઝ છે.
ભારતને ટેકનોલોજી ક્ષેત્રે પગભર થવા માટે હજુ ૨૫ વર્ષ લાગે તેમ છે. આપણી કોઈ ટેકનોલોજી ડેવલપ થાય તો વિદેશી કંપનીઓ તેને ખરીદી લે છે. ઈમેલ ક્ષેત્રે ભારતીય શબ્બીર ભાટિયાનું હોટમેઈલ એક સમયે ટોચ ઉપર હતું. આજે ક્યાં છે તે કોઈને ખબર નથી! થમ્સ અપ જેવું ઠડું પીણું હવે કોકાકોલા હસ્તક છે.
અમેરિકાનું સમુદ્ર મંથન લાંબા ગાળે નવાજૂની કરશે તે નક્કી છે!
'નોબત'ના વાચકો અને ચાહકો સ્વદેશી ચીજ વસ્તુઓ વાપરે તેવો હાર્દિક અનુરોધ.
પરેશ છાંયા
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
નવરાત્રિ દૈવી સ્ત્રી દુર્ગાના સન્માન માટે સમર્પિત છે
નવરાત્રિ હિન્દુ દેવીઓની ભક્તિનું પર્વ છે. માતાજીના અસંખ્ય સ્વરૂપોને ભક્તો ભાવથી પૂજે છે. સામાન્ય રીતે તો સમગ્ર વર્ષ દરમિયાન ૩૩ કરોડ દેવતાઓની વિવિધ વિધિ વિધાનથી ભક્તિ કરવામાં આવે છે. પરંતુ નવરાત્રિ માત્ર આદ્યશક્તિ માતાની આરાધના કરવાનો સમય છે. નવરાત્રિનું મુખ્ય પ્રતિક ગરબો છે અને તેની આસપાસ નૃત્ય દ્વારા ભક્તિ, આરાધના કરવામાં આવે તેને ગરબી કહેવામાં આવે છે.
નવરાત્રિ વાર્ષિક હિન્દુ તહેવાર છે જે નવ રાત સુધી ચાલે છે, જે દૈવી સ્ત્રી દેવી દુર્ગાના સન્માન માટે સમર્પિત છે. ચાર નવરાત પૈકી સૌથી વધુ ઉજવવામાં આવતી શારદા નવરાત્રિ છે, જે સપ્ટેમ્બર અને ઓક્ટોબરના પાનખર મહિનામાં આવે છે. આ તહેવાર વિજયાદશમીમાં સમાપ્ત થાય છે, જેને દશેરા તરીકે પણ ઓળખવામાં આવે છે, જે દુષ્ટતા પર વિજયનું પ્રતીક છે.
નવરાત્રિના પવન પર્વ પ્રસંગે અહીં માતાજીના મુખ્ય સ્થાનકોની અક્ષર યાત્રા કરીએ.
વર્ષમાં ચાર વાર નવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે.
જેના નામ વસંત નવરાત્રિ, અષાઢ નવરાત્રિ, શરદ નવરાત્રિ અને પુષ્ય નવરાત્રિ છે. આમાં આસો મહિનામાં શરદ નવરાત્રિની ઉજવણી થાય છે અને વસંત કાળમાં વસંત નવરાત્રિની ઉજવણી થાય છે જેને ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.
હિન્દુ પૌરાણિક કથાઓ અનુસાર, રાક્ષસ રાજા મહિષાસુર સાથેના નવ દિવસના યુદ્ધ થયું હતું.
જ્યાં દસમા દિવસને વિજયાદશમી (શાબ્દિક રીતે 'વિજય દિવસ') તરીકે ઉજવાય છે.
માં દુર્ગના નવ નમોમાં (૧) શૈલ પુત્રી, (૨) બ્રહ્મચારિણી (૩) ચંદ્રઘંટા (૪) કુશમાંડા (૫) સ્કંદમાતા (૬) કાત્યાયની (૭) કાલરાત્રિ (૮) મહા ગૌરી અને (૯) સિદ્ધિદાત્રી છે.
આઠમ કે નોમને દિવસે કુમારિકા ભોજન પણ કરાવવામાં આવે છે. આ ભોજનમાં બેથી દશ વર્ષની ઉમરની નવ કુમારિકાઓ હોય છે. આ કુમારીઓનાં કલ્પિત નામ પણ છે. જેમકે, કુમારિકા, ત્રિમૂર્તિ, કલ્યાણી, રોહિણી, કાલી, ચંડિકા, શાંભવી, દુર્ગા અને સુભદ્રા. નવરાત્રમાં નવ દુર્ગામાંથી નિત્ય ક્રમવાર એક-એક દુર્ગાનું દર્શન કરવાનું પણ વિધાન છે.
સોમવારથી શરૂ થતા માઁ ના પવિત્ર દિવસો નિમિત્તે આજે ૫૧ શક્તિપીઠનો અક્ષર પ્રવાસ કરીએ.માન્યતા અનુસાર ૫૧ શક્તિપીઠ છે, જે તમામ દેવી માતા પાર્વતી સાથે સંકળાયેલા પવિત્ર સ્થળો માનવામાં આવે છે. આ મંદિરો દેશભરમાં ફેલાયેલા છે, પ્રાદેશિક પરંપરાઓને કારણે યાદીઓમાં થોડો તફાવત છે. મુખ્ય ઉદાહરણોમાં આસામમાં કામાખ્યા, જમ્મુમાં વૈષ્ણો દેવી અને કોલકાતામાં કાલીઘાટનો સમાવેશ થાય છે.
શક્તિપીઠોને શાક્ત પીઠો અથવા સતી પીઠો પણ કહેવાય છે, તે હિન્દુ ધર્મમાં માતા દેવી સંપ્રદાય, શક્તિવાદમાં મહત્ત્વપૂર્ણ મંદિરો અને તીર્થસ્થાનો છે. આ મંદિરો આદિ શક્તિના વિવિધ સ્વરૂપોને સમર્પિત છે. શ્રીમદ્ દેવી ભાગવતમ જેવા વિવિધ પુરાણોમાં ૫૧, ૫૨, ૬૪ અને ૧૦૮ શાક્ત પીઠોની હોવાનો ઉલ્લેખ છે, જેમાંથી ૧૮ને મધ્યયુગીન હિન્દુ ગ્રંથોમાં અષ્ટદશ મહા (મુખ્ય) અને ૪ ને ચતસ્રહ આદિ (પ્રથમ) તરીકે નામ આપવામાં આવ્યું છે.
શ્રી માતા વૈષ્ણોદેવી મંદિર મહા (મુખ્ય) શાક્ત પીઠોમાંનું એક છે અને તે બધામાં સૌથી વધુ ભક્તો અહી આવે છે. અહીં દર વર્ષે ૧૫ મિલિયનથી વધુ લોકો આવે છે.
ઉદગમ
શાક્ત પીઠો કેવી રીતે અસ્તિત્વમાં આવ્યા તે વિશે ઘણી દંતકથાઓ છે. સૌથી વધુ લોકપ્રિય પીઠો હિન્દુ ધર્મ અનુસાર દેવી સતીના મૃત્યુની વાર્તા પર આધારિત છે. શિવ સતીના શરીરને વહન કરતા હતા, તેમના દંપતી તરીકેના ક્ષણોને યાદ કરતા હતા, અને તેને લઈને બ્રહ્માંડમાં ફરતા હતા. વિષ્ણુએ તેમના સુદર્શન ચક્રનો ઉપયોગ કરીને તેમના શરીરને ૫૧ શરીરના ભાગોમાં કાપી નાખ્યા હતા, જે પૃથ્વી પર પડ્યા અને પવિત્ર સ્થળો બન્યા જ્યાં બધા લોકો દેવીને શ્રદ્ધાંજલિ આપી શકે. આ કાર્ય પૂર્ણ કરવા માટે, શિવે ભૈરવનું રૂપ ધારણ કર્યું.
સંખ્યા
દેવી પૂજાના મોટાભાગના ઐતિહાસિક સ્થળો ભારતમાં છે, પરંતુ નેપાળમાં કેટલાક, બાંગલાદેશમાં સાત, પાકિસ્તાનમાં બે અને તિબેટ, શ્રીલંકા અને ભૂટાનમાં એક-એક છે. પ્રાચીન અને આધુનિક સ્ત્રોતોમાં ઘણી દંતકથાઓ છે જે આ પુરાવાને દસ્તાવેજીકૃત કરે છે. દેવી સતીના મૃતદેહના પતનના ચોક્કસ સ્થળોની સંખ્યા અને સ્થાન અંગે સર્વસંમતિનો અભાવ છે, જોકે અમુક સ્થળો અન્ય સ્થળો કરતા વધુ સારી રીતે માનવામાં આવે છે.
શાકંભરી શક્તિ પીઠ, સહારનપુર, ઉત્તર પ્રદેશની બ્રહ્મ પુરાણના ૧૦૮ સિદ્ધ પીઠોમાંથી એક છે અને દેવી શાકંભરીના સૌથી જૂના મંદિરોમાંનું એક છે. દર વર્ષે લગભગ એક કરોડ લોકો મંદિરની મુલાકાત લે છે.
મલ્લિકાર્જુન મંદિર ભારતના એવા ત્રણ મંદિરોમાંનું એક છે જે જ્યોતિર્લિંગ અને શક્તિપીઠ બંનેને સમર્પિત છે. શક્તિપીઠ એ સ્થાનો છે જ્યાં શિવની પ્રથમ પત્ની દેવી સતીના અંગો તેમના બલિદાન પછી ભગવાન શિવ દ્વારા ઉપાડવામાં આવ્યા હતા.
૫૧ શક્તિપીઠની યાદી અત્રે રજૂ કરી છે.
(૧) મહામાયા શક્તિપીઠ, બિલાસપુર, છત્તીસગઢ
(૨) કાત્યાયની શક્તિપીઠ, ખાગરીયા, બિહાર
(૩) વિશાલાક્ષી શક્તિપીઠ, વારાણસી, યુ. પી.
(૪) લલિતા દેવી શક્તિપીઠ, અલ્હાબાદ, યુ. પી.
(૫) રામગીરી શક્તિપીઠ, ચિત્રકૂટ, યુ. પી.
(૬) પંચ સાગર શક્તિપીઠ, વારાણસી, યુ. પી.
(૭) મલ્લિકાર્જુન શક્તિ પીઠ, આંધ્ર પ્રદેશ
(૮) જ્વાલા દેવી શક્તિપીઠ, કાંગડા, હિમાચલ પ્રદેશ
(૯) ત્રિપુરમાલિની શક્તિપીઠ, જલંધર,પંજાબ
(૧૦) સાવિત્રી શક્તિપીઠ, કુરુક્ષેત્ર, હરિયાણા
(૧૧) પાટણ દેવી શક્તિપીઠ, પટના, બિહાર
(૧૨) મિથિલા શક્તિપીઠ, દરભંગા, બિહાર
(૧૩) જનસ્થાન શક્તિપીઠ, નાસિક, મહારાષ્ટ્ર
(૧૪) અંબાજી શક્તિપીઠ, બનાસકાંઠા, ગુજરાત
(૧૫) ગાયત્રી મણિબંધ શક્તિપીઠ, પુષ્કર, રાજસ્થાન
(૧૬) અંબિકા શક્તિપીઠ, ભરતપુર, રાજસ્થાન
(૧૭) સર્વશૈલ/રાકિની શક્તિપીઠ, રાજમુન્દ્રી, રાજસ્થાન
(૧૮) ભ્રમરામ્બા શક્તિ પીઠ, કુર્નૂલ, આંધ્ર પ્રદેશ
(૧૯) ભગવતી અમ્માન મંદિર, કન્યાકુમારી, તમિલનાડુ
(૨૦) સુચિન્દ્રમ શક્તિપીઠ, કન્યાકુમારી, તમિલનાડુ
(૨૧) કામાક્ષી અમ્માન શક્તિપીઠ, કાંચીપુરમ, તમિલનાડુ
(૨૨) માઁ ફુલ્લરા શક્તિપીઠ, બીરભુમ, પશ્ચિમ બંગાળ
(૨૩) બહુલા શક્તિપીઠ, બર્ધમાન, પશ્ચિમ બંગાળ
(૨૪) મહિષાસુરમર્દિની શક્તિપીઠ, બીરભુમ
(૨૫) કાલી ઘાટ શક્તિપીઠ, કોલકાતા
(૨૬) કંકલીતાલા શક્તિપીઠ, બીરભુમ
(૨૭) રત્નાવલી શક્તિપીઠ, હુગલી, પશ્ચિમ બંગાળ
(૨૮) ત્રિસ્ત્રોટા શક્તિપીઠ, હુગલી
(૨૯) નંદીપુર શક્તિપીઠ, બીરભુમ
(૩૦) ઉજાની શક્તિપીઠ, બર્ધમાન
(૩૧) ભાર્ગભીમા શક્તિપીઠ, પૂર્વા મેદિનીપુર, પશ્ચિમ બંગાળ
(૩૨) કામાખ્યા દેવી શક્તિપીઠ, ગુવાહાટી, આસામ
(૩૩) નર્તિયાંગ દુર્ગા શક્તિપીઠ, જયંતિયા હિલ્સ, મેઘાલય
(૩૪) ત્રિપુરા સુંદરી શક્તિપીઠ, ઉત્તર ચંદ્રપુર, મહારાષ્ટ્ર
(૩૫) બિરાજા શક્તિપીઠ, જાજપુર, ઓરિસ્સા
(૩૬) વિમલા મંદિર, પુરી, ઓરિસ્સા
(૩૭) જય દુર્ગા શક્તિપીઠ, દેવઘર, ઝારખંડ
(૩૮) ભૈરવ પર્વત શક્તિપીઠ, ઉજ્જૈન, મધ્યપ્રદેશ
(૩૯) કલમાધવ શક્તિપીઠ, શાહડોલ, મધ્યપ્રદેશ
(૪૦) નર્મદા શક્તિપીઠ, અનુપપુર, મધ્યપ્રદેશ
(૪૧) નાગપૂષની અમ્માન શક્તિપીઠ, નૈનાતીવુ, શ્રીલંકા
(૪૨) ગંડકી ચંડી શક્તિપીઠ, મુક્તિનાથ, નેપાળ
(૪૩) ગુહૃોશ્વરી શક્તિપીઠ, કાઠમંડુ, નેપાળ
(૪૪) સુગંધા શક્તિપીઠ, બારિસલ,બાંગ્લાદેશ
(૪૫) ભવાનીપુર શક્તિપીઠ, બોગરા, તેલંગાણા
(૪૬) જેશોરેશ્વરી શક્તિપીઠ,ઈશ્વરીપુર, બાંગલાદેશ
(૪૭) સપ્તશ્રૃંગી મંદિર, નાસિક
(૪૮) માં લક્ષ્મી શક્તિપીઠ
(૪૯) મનસા શક્તિપીઠ, કૈલાશ માનસરોવર
(૫૦) શિવહરકારાય શક્તિપીઠ, કરાચી, પાકિસ્તાન
(૫૧) હિંગળાજ શક્તિપીઠ, લસબેલા, પાકિસ્તાન
હિન્દુઓમાં માન્યતા અને શક્તિ અનુસાર ભાવ ભક્તિ કરવામાં આવે છે. જૂનાગઢના લોકો ગિરનાર રોડ ઉપરના વાઘેશ્વરી માતાની પૂજા અર્ચન કરી ધન્યતા અનુભવે છે. હાલારના લોકો જોગવડના આશાપુરા માતાજીને પણ ભજે છે.
અંબાજી માતા મંદિર
બનાસકાંઠાના દાંત ગામ નજીક આવેલું અંબાજી મંદિર એક મહત્ત્વપૂર્ણ શક્તિપીઠ છે, જે ૫૧ પવિત્ર સ્થળોમાંનું એક છે, જ્યાં સતીના મૃત્યુ અને ભગવાન શિવના વિનાશક નૃત્ય પછી તેમનો જમણો હાથ અથવા હ્ય્દય પડી ગયું હતું. ગુજરાતના ગબ્બર ટેકરી પર સ્થિત આ પ્રાચીન મંદિર દેવી અંબાને સમર્પિત છે. મંદિરનું મૂળ પ્રાચીનકાળમાં ખોવાઈ ગયું છે, પરંતુ તેનું અનેક નવીનીકરણ અને પુનઃસ્થાપન કરવામાં આવ્યું છે, જેમાં મુઘલ કાળ દરમિયાન સમારકામ અને ૧૮મી સદીમાં મરાઠા શાસકો દ્વારા વ્યાપક પુનઃસ્થાપનનો સમાવેશ થાય છે. મંદિર અનન્ય છે કારણ કે તેમાં ભૌતિક મૂર્તિનો અભાવ છે, મધ્ય ગોખ (મંદિર) દેવીના જેવું શણગારેલું છે. વર્તમાન મંદિર મૂળ નાગર બ્રાહ્મણો દ્વારા બનાવવામાં આવ્યું હતું.
અંબાજીનું મંદિર ખાસ પુરાતત્ત્વીય કથા ધરાવતું નથી. ગર્ભગ્રહમાં માતા દેવીની દિવાલમાં એક તિરાડ છે. ત્યાં કોઈ મૂર્તિ નથી, પરંતુ કપડાં, એસેસરીઝ અને ચહેરાના માસ્ક સમયાંતરે ગોઠવાયેલા હોય છે જેથી વિવિધ દર્શનો જોઈ શકાય, જેમ કે માતા દેવી વાઘ પર સવારી કરતી હોય. નજીકમાં બે શાશ્વત દીવાઓ ઘીથી સળગતા હોય છે. દિવસમાં બે વાર આરતી કરવામાં આવે છે, અને મંદિરના પૂજારી બ્રાહ્મણો હોય છે. શહેરમાં, ફક્ત ઘીનો ઉપયોગ થાય છે (ક્યારેય તેલ નહીં) અને સ્ત્રીઓની પવિત્રતાનું કડક પાલન કરવામાં આવે છે. દુર્ગાશંકર કેવલરામ શાસ્ત્રી અનુસાર આ સ્થાન પર અંબાજીની પૂજા ઓછામાં ઓછી ૧૪મી સદીની છે.
નોંધનીય છે કે, સૌથી છેલ્લું નવીનીકરણ ૨૦૧૬ માં પૂર્ણ થયું હતું. વધુમાં, રાજ્ય સરકારે તાજેતરમાં જુલાઈ ૨૦૨૫માં મંદિર સંકુલ માટે ૫૦ વર્ષનો નવો માસ્ટર પ્લાન બનાવ્યો છે. ગબ્બર ટેકરી સાથે જોડતો એક નવો કોરિડોર શરૂ કર્યો, જેનો હેતુ યાત્રાળુઓ માટે સુવિધાઓ વધારવાનો છે.
માતા દુર્ગા મંદિર
ભારતભરમાં માઁ દુર્ગા મંદિરો ભક્તોને આકર્ષે છે. જેમાં જમ્મુમાં વૈષ્ણોદેવી મંદિર અને આંધ્રપ્રદેશના વિજયવાડામાં કનક દુર્ગા મંદિર જેવા મુખ્ય સ્થળોનો સમાવેશ થાય છે. અન્ય મહત્ત્વપૂર્ણ મંદિરોમાં પશ્ચિમ બંગાળમાં દક્ષિણેશ્વર કાલી મંદિર, ગુજરાતમાં અંબાજી મંદિર અને કર્ણાટકના આઈહોલમાં દુર્ગા મંદિરનો સમાવેશ થાય છે, જે સમૃદ્ધ શિલ્પ કલા સાથેનું એક પ્રાચીન સ્થળ છે.
ભક્તિ
ભક્તિ માનસ અને આસ્થાનો વિષય છે. નવરાત્રિ દરમિયાન માતાજીની ભક્તિ જ સર્વસ્વ હોય હોય એ સ્વાભાવિક છે. માતાજીની ભક્તિની પ્રથમ શરત 'આચારસહિંતા' છે. જે બહુ સ્પષ્ટ અને કડક છે. માતાજીની ભક્તિ મનોરંજન નથી. આર્થિક ઉપાર્જનની પ્રવૃત્તિ નથી. લાખો રૂપિયાના વસ્ત્ર પરિધાન કે ભવ્યતા પણ જરૂરી નથી. માત્ર એક દીપક અને અગરબત્તી દ્વારા પણ માતાજીની ભક્તિ થઈ શકે છે. ભક્તિ મટે નૃત્ય કરી શકાય, પરંતુ તેના માટે ડાન્સ ક્લાસમાં જવું જરૂરી નથી. માત્ર બે હાથ જોડી, આંખો બંધ કરીને પણ માતાજીની ભક્તિ કરી શકાય છે.
'નોબત'ના તમામ વાચકો અને ચાહકોને નવરાત્રિ પ્રસંગે હાર્દિક શુભેચ્છા અને આગામી સમયે સુખ, શાંતિ અને પ્રગતિમય નિવડે તેવી માતાજીને પ્રાર્થના.
જય માતાજી....
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
નવરાત્રિ નિશ્ચિત શાસ્ત્રોક્ત વિધિવિધાન અનુસાર ઉજવાય તે જરૂ.રી
ધર્મ સંસ્કાર, શાંતિ અને આત્મા સાથે સંકળાયેલો વિષય છે. ફિલ્મી ગીતકાર રવીન્દ્ર જૈને રાજકપૂરની ફિલ્મ રામ તેરી ગંગા મૈલી ફિલ્મ માટે બહુ સરસ પંક્તિઓ લખી હતી....માનો તો મેં ગંગા માં હું, ના માનો તો બહેતા પાની!
ધાર્મિક માન્યતાઓ માટે આનાથી વધુ ચોટદાર શું લખી શકાય? ધર્મ અને અંધશ્રદ્ધા બાબતે બૌદ્ધિકો સમયે-સમયે, પ્રસંગે પ્રસંગે લખતા રહૃાા છે. બૌદ્ધિકોના મંતવ્યો સ્વીકારવા કે ન સ્વીકારવા તે ધર્મ પાળતી વ્યક્તિ ઉપર આધાર રાખે છે. ધર્મ મૂળભૂત રીતે નિષ્ઠા, પ્રામાણિકતા, કરૂ.ણા, લાગણી, તટસ્થતા ઉપર આધારિત છે. ધર્મ લોભ, લાલચ, લૂંટ, ભ્રષ્ટતા, સ્વાર્થનો સદંતર વિરોધી છે. આપણે ધર્મ પાળીએ છીએ પરંતુ તેના ઉપદેશોથી દૂર રહીએ છીએ. 'જીસને પાપ ના કીયા હો, વો પહેલા પથ્થર મારે.. લૈલા મજનૂ ફિલ્મનું આ ગીત પણ અહીં બરોબર ફીટ બેસે છે. જેના મનમાં સ્વાર્થ, લોભ, લાલચ, મોહ ન હોય તે વ્યક્તિ જ ધાર્મિક હોવાનો દાવો કરી શકે. જે કળિયુગમય હોય તેને ધર્મધુરંધર હોવાનો દેખાવ કે દાવો કરવાનો અધિકાર નથી!
વાચકોને સવાલ થશે કે, એન્જિઑગ્રાફીની ગાડી કેમ અચાનક ધર્મ ઉપદેશ ઉપર ચડી ગઈ? કારણ કે, અંગ્રેજી કેલેન્ડરના છેલ્લા ૬ માસ ધાર્મિક દિવસો અને પ્રસંગોથી ભરપૂર હોય છે. તમામ ધર્મોના મોટાભાગના મહત્વના દિવસો જુલાઈથી ડિસેમ્બર સુધીમાં આવે છે. હિન્દુ લોકોના શ્રાવણ, નવરાત્રિ, દિવાળી પણ આ ગાળામાં આવે. ૨૨ તારીખથી ગુજરાતીઓનો ગમતો તહેવાર, ઉત્સવ નવરાત્રિ ઉજવાશે. માતાજીની આરાધના માટે આ સપ્તાહ બહુ મહત્ત્વનું છે. વિદેશોમાં તો નવરાત્રિના કાર્યક્રમો શરૂ. પણ થઈ ગયા છે. ગાયક કલાકારો પોતાના સાજિંદાઓ સાથે સાત સમુંદર પાર ગરબાઓની રમઝટ બોલાવી રહૃાા છે. આદિત્ય ગઢવીને ત્યાંના ગરબા આયોજકોએ ટેસ્લાની ડ્રાઈવર વગરની સઈબર ટ્રક મોડેલની કારમાં મુસાફરી કરાવી. આદિત્યએ પોતે આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર શેર કર્યો. જે કલાકારને નવરાત્રિ પ્રસંગે વિદેશમાં કામ ન મળે તે મોટો કલાકાર કહેવતો નથી! નાના અને નવા કલાકારો મફતના ભાવમાં પણ વિદેશ જાય, સોશિયલ મીડિયા ઉપર ફોટા મૂકી પોતાના ભાવ વધારે. મોટા કલાકારો બહુ નખરાં કરે છે તેવી ફરિયાદ ત્યાંના સ્થાનિક આયોજકો કરતા હોય છે. મોટા કલાકારો પૂરા ત્રણ કલાક પરફોર્મ કરતા નથી તેનો વસવસો અનેક આયોજકો કરે.
વડોદરાના એક નામી કલાકારે અમેરિકામાં ફક્ત એક કલાક જ ગરબાની રમઝટ બોલાવી શો પૂરો કર્યો ત્યારે આયોજકો સાથે મોટો ઝઘડો થયો. નામી કલાકારે કોન્ટ્રેક્ટ પેપર બતાવ્યું, તેમાં એક કલાક જ લખ્યું હતું, આયોજકે ઉત્સાહમાં કે ઉતાવળમાં તે શરત વાંચી નહીં. આમ હવે આપણા ગુજરાતી કલાકારોના કોન્ટ્રેક્ટ પેપર ત્યાં વકીલોની સલાહ બાદ જ આગળ વધે છે. કારણ કે, મોટા કલાકારો જે માંગે તે આપવામાં આવે તો, સોના કરતા ઘડામણ મોંઘું પડે છે.
આપણા ગુજરાતમાં તો હાલ દાંડિયા રાસ અને ગરબાની પ્રેક્ટિસ ચાલી રહી છે ત્યારે વિદેશમાં તો રાસ ગરબાની રમઝટ જામી છે. ગુજરાતી કલાકારો નામ રોશન કરવા માટે ત્યાં સ્ટેજ ગજવી રહૃાા છે. સ્ટેજ ઉપર જોવા મળતા ગુજરાતી ગાઈકા કિંજલ દવે ઓફ સ્ટેજ જુદા પહેરવેશમાં વિદેશી નઝારો માણતા સોશિયલ મીડિયા ઉપર જોવા મળે. તેમની વેસ્ટર્ન ડ્રેસિંગ સેન્સ બહુવિધ અને ઊંચી હોય છે. લાખો ગુજરાતી નારીઓ અને કન્યાઓ તેમના ડ્રેસને ફોલો કરે છે.
ચાલો.. આજે વિદેશની થોડી શબ્દ સફર કરીએ. ત્યાં શું ચાલી રહૃાું છે.
અમેરિકા
ન્યુ જર્સી, કેલિફોર્નિયા અને ટેક્સાસ, ન્યુયોર્ક જેવા ભારતીય વસ્તી ધરાવતા વિસ્તારોમાં નવરાત્રિ વ્યાપકપણે ઉજવવામાં આવી રહી છે. વિવિધ સમુદાયો મોટા પાયે ગરબા અને દાંડિયા કાર્યક્રમોનું આયોજન કર્યું છે, કોમ્યુનિટી હોલ, મંદિરો અથવા ખુલ્લા મેદાનમાં નવરાત્રિ યોજાયા છે. ચાલુ વર્ષ માટે, પરંપરાગત સંગીત સાથે વાઇબ્રન્ટ ડાન્સ નાઇટ્સની પણ વ્યવસ્થા છે, જ્યાં ખેલૈયાઓ ચણિયા ચોલી અને કુર્તા-પાયજામા જેવા રંગબેરંગી પોશાક પહેરે છે. ટેક્સાસ, કેરી, ઉત્તર કેરોલિના અથવા હૃાુસ્ટનના મંદિરોમાં પૂજા, આરતી અને પ્રસાદ વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે. સિલિકોન વેલી વિસ્તારમાં ઉપવાસ પરંપરાઓ સાથે સુસંગત, સાત્વિક (શુદ્ધ) શાકાહારી વાનગીઓ પીરસતા ફૂડ સ્ટોલ સાથે બહુ-દિવસીય ઉત્સવોનું આયોજન છે. સોશિઅલ મીડિયા પ્લેટફોર્મ પર નવરાત્રિના કાર્યક્રમોનું જીવંત પ્રસારણ પણ કરવામાં આવે છે.
બ્રિટન
લંડન, લેસ્ટર અને બર્મિંગહામ જેવા શહેરોમાં, નવરાત્રિ એક મુખ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ છે. કોમ્યુનિટી હોલ, રમતગમતના મેદાનો ગરબા અને દાંડિયા સ્થળોમાં પરિવર્તિત થયા છે, જેમાં લાઇવ બેન્ડ અથવા ડીજે પરંપરાગત અને આધુનિક ગુજરાતી સંગીત ધબકી રહૃાું છે. બ્રિટિશ હિન્દુ સમુદાય જેવા જૂથો અથવા નીસડેનમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર જેવા સ્થાનિક મંદિરો દ્વારા આયોજિત સમાન મોટા મેળાવડા જમ્યા છે. ભક્તો ઘટસ્થાપન (કળશમાં દેવીને બોલાવીને) અને દૈનિક પૂજા કરી શકે છે, જેમાં કેટલાક ઉપવાસ અને ફળો અને ખીર જેવા પ્રસાદનો સમાવેશ થાય છે. ખોરાક અને કપડાંના દાન સહિતની સેવા પણ કરવામાં આવે છે.
કેનેડા
ટોરોન્ટો, વાનકુવર અને બ્રેમ્પટનમાં, નવરાત્રિ ઉજવણીઓ મુખ્ય છે, ખાસ કરીને ગુજરાતી અને ઉત્તર ભારતીય સમુદાયોમાં આ સમય મુખ્ય આકર્ષણ બને છે. સ્થાનિક સમુદાય આયોજિત ગરબા રાત્રિઓની માંગ ઘણી ઊંચી છે, બેન્ક્વેટ હોલ અથવા સાંસ્કૃતિક કેન્દ્રોમાં ટિકિટવાળા કાર્યક્રમો યોજાય છે, જેમાં પરંપરાગત રાસ ગરબા અને માતાજીના ભક્તિ ગીતોનો સમાવેશ થાય છે. મંદિરોમાં દુર્ગાના નવ સ્વરૂ.પો માટે ખાસ પૂજાઓ કરવામાં આવે છે, ભક્તો ઉપવાસ રાખે છે. આ કાર્યક્રમોમાં સાંસ્કૃતિક પ્રદર્શન અને સાબુદાણા ખીચડી જેવી નવરાત્રિ-વિશિષ્ટ વાનગીઓ પીરસતા ફૂડ સ્ટોલનો સમાવેશ કરવામાં આવે છે.
ઓસ્ટ્રેલિયા
સિડની અને મેલબોર્નમાં, નવરાત્રિ ભારતીય સાંસ્કૃતિક સંગઠનો દ્વારા ગરબા અને દાંડિયા કાર્યક્રમો સાથે ઉજવવામાં આવે છે. શ્રી વેંકટેશ્વર મંદિર જેવા સમુદાય કેન્દ્રો અને મંદિરો પૂજા અને સાંસ્કૃતિક રાત્રિઓનું આયોજન કરે છે. દરેક દિવસ માટે ડ્રેસ કોડ નક્કી કરવામાં આવ્યા હોય છે. નવરાત્રિના પરંપરાગત પોશાક પહેરીને સાથીદારો કે પરિવાર સાથે આઉટડોર અથવા ઇન્ડોર રાસ ગરબા યોજાય છે. નવરાત્રિના દિવસોમાં ઉપવાસ અને આધ્યાત્મિક પ્રવચનો પણ યોજાય છે.
અન્ય પ્રદેશો
સિંગાપોર, મલેશિયા અને યુએઈ જેવા દેશોમાં, જ્યાં ભારતીય ડાયસ્પોરા સમુદાયો ખીલે છે, નવરાત્રિમાં મંદિર પૂજા, સાંસ્કૃતિક શો અને નૃત્ય કાર્યક્રમોનો સમાવેશ થાય છે. સિંગાપોરમાં, લિટલ ઇન્ડિયાના મંદિરો આરતી અને ભજનનું આયોજન હોય છે, જ્યારે દુબઈમાં, મોટા પાયે ગરબા કાર્યક્રમો સામાન્ય છે, જે ઘણીવાર ખુલ્લા સ્થળો અથવા ઓડિટોરિયમમાં આયોજિત થાય છે. આ ઉજવણીઓ ઘણીવાર સ્થાનિક લોકો આપણ સામેલ થાય છે, જેમાં ડાયસ્પોરાના સ્વાદને અનુરૂ.પ ફૂડ સ્ટોલ અને સાંસ્કૃતિક પ્રદર્શનનો સમાવેશ થાય છે.
વિદેશોમાં ગુજરાતી ગરબાને ગુગલમાં શોધવા પણ બહુ કપરૃં છે, કારણ કે જ્યાં જ્યાં વશે ગુજરાતી, ત્યાં ત્યાં ઉજવાય નવરાત્રિ! ગુજરાતમાં નવરાત્રિ દરમ્યાન 'મફત પાસ'નું બહુ મોટું દૂષણ છે. આયોજકો નવરાત્રિથી નથી થાકતા તેટલા, મફત પાસ માંગણીથી કંટાળી જાય છે. નવરાત્રિ દરમિયાન પાંચ હજારની જાહેરાત આપનાર વ્યક્તિ ૧૦ હજાર રૂ.પિયાના મફત પાસ માંગે!
વિદેશોમાં મફત પાસ જેવું કઈં નથી. એડવાન્સમાં પૈસા ચૂકવી ટિકિટ ખરીદવાની! ત્યાં મોટા ભાગના ધાર્મિક મેળવડાઓ ફી સાથે કરવામાં આવે છે. એક અંદાજ અનુસાર વર્તમાન નવરાત્રિ દરમિયાન ૧૦૦થી વધુ નામાંકિત ગાયક, સંગીત અને નૃત્ય કલાકારો અમેરિકામાં હાલ છે.
શાસ્ત્રોક્ત ભક્તિ
ધાર્મિક તહેવારો પંચાંગ, દિવસ અને સમય અનુસાર શાસ્ત્રોક્ત પદ્ધતિએ ઉજવવા ફરજિયાત છે. કૃષ્ણ જન્મ જન્માષ્ટમીના દિવસે રાત્રે ૧૨ વાગ્યે જ ઉજવવો જોઈએ. રામ જન્મ દિવસ, હોલિકા દહન, દશેરા, નવું વર્ષ જેવા તમામ ગુજરાતી, હિન્દુ તહેવારોનો દિવસ, સમય શાસ્ત્રોએ નક્કી કરેલો છે. નવરાત્રિનું પણ તેવું જ છે. માતાજીના આ દિવસો ચોક્કસ પંચાંગ અનુસાર જ ઉજવવા જોઈએ.
હવે નવરાત્રિના નામે આખો મહિનો વિવિધ નામો સાથે રાસ ગરબા ચલે છે. જે શાસ્ત્રોક્ત નથી. વિદેશોમાં પણ વિક એન્ડમાં અનુકૂળ હોય ત્યારે નવરાત્રિ ઉજવવામાં આવે છે. એક બાબત પણ સત્ય છે કે, ભક્તિભાવને કોઈ સમય બંધન નથી. પરંતુ નવરાત્રિ જ્યારે ઉજવાતા હોઈએ ત્યારે પંચાંગમાં દર્શાવેલ સમય પત્રકને અનુસરવું ફરજિયાત છે.
હિન્દુ પરંપરા નવ દિવસ સિવાય નવરાત્રિ પૂજાને માન્યતા આપતી નથી. માતાજીના ગરબા ગાવા માટે કે ગરબે રમવા માટે પણ સ્પષ્ટ નિયમો છે. મહિલાઓ માટે પણ કડક નિયંત્રણો અને નિયમો શાસ્ત્રોમાં દર્શાવ્યા છે. તેનું પાલન ફરજિયાત છે. માતાજીના નવરાત્રિના દિવસો દરમિયાન હવે ભક્તિના નામે ભેળસેળ પીરસવામાં આવી રહી છે. માતાજીની આરતી ક્યારે કરવી તે પણ નિશ્ચિત છે. દરેક આયોજકોએ માતાજીની ભક્તિ માટેની આચારસહિંતા પાળવી જોઈએ. માતાજીના સ્થાપન સમયે મૂર્તિનું મુખ કઈ દિશામાં હોવું જોઈએ તે પણ નિશ્ચિત છે. માતાજીના સ્થાપન અને ઉત્થાપન માટે ચોઘડિયું જોવું અને યોગ્ય મૂહરતમાં તે વિધિ કરવી જોઈએ.
મને લાગે છે કે નવરાત્રિના બહાને મોટાભાગના વિધિવિધાન કોરાણે મૂકવામાં આવે છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીવી શ્રેણીમાં પાત્રો દરેક ખુશીના પ્રસંગે ગરબા ગાય છે. આ યોગ્ય ગણી શકાય. પરંતુ નવરાત્રિના સ્થાપન સાથે તો માતાજીના પ્રોટોકોલ સાથે જ ભક્તિ થઈ શકે.
પરંપરા
વિદેશોમાં પણ સાદગી પૂર્ણ રીતે નવરાત્રિમાં માતાજીની ભક્તિ કરવામાં આવતી હોય છે. કેટલાક પરિવારો ઘરમાં એકત્ર થઈ બેઠા ગરબા ગાય છે. નાગર જ્ઞાતિના બેઠા ગરબા પ્રસિદ્ધ છે. અમેરિકાના ટેક્સાસમાં પણ અનેક ગુજરાતી ઘરોમાં બેઠા ગરબા ગુંજે છે. જામનગરમાં જલાની જારની પુરૂ.ષોની ભક્તિ પણ નોંધનીય છે. આજે પણ નવરાત્રિની ભક્તિ પરંપરાગત રીતે કરવામાં આવતી હોવાના અસંખ્ય દાખલાઓ છે. પુરૂ.ષો ધોતિયું કે અબોટિયું પહેરી ગરબે રમે તે પરંપરા છે.
માતાજીને શૃંગાર બહુ પસંદ છે તેથી કુમારીકાઓ, કન્યાઓ અને મહિલાઓ શણગાર સાથે રમે તે ઉચિત ગણાય. નવરાત્રિના ડ્રેસ હવે ભાડે પણ મળે છે. વિદેશમાં વસતા અનેક નૃત્ય પ્રેમીઓ ગુજરાતમાંથી ચણિયા ચોળી અને હાર, બુટ્ટી સહિતના શણગાર મંગાવે છે. કેટલાક તો ખરીદી કરવા માટે ખાસ આવે છે. ગુજરાત સરકાર પણ વાઇબ્રન્ટ નવરાત્રિ ઉજવવા વિદેશીઓને ખાસ આમંત્રણ આપે છે.
'નોબત'ના વાચકો અને ચાહકોને નવરાત્રિ પ્રસંગે હાર્દિક શુભકામના અને જય માતાજી.
- ૫રેશ છાંયા
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
માસ્ટર શેફ ઇન્ડિયાના સ્પર્ધક દીપા ચૌહાણ સિંધી પાક કલાના માહિર છે
સિંધી સમાજ વિષે બહુ લખાતું નથી. ગુજરાતમાં અને રાજ્ય બહાર આ સમાજ સુસંસ્કૃત રીતે જીવન નિર્વાહ કરી રહૃાો છે. 'જય ઝૂલેલાલ' નો નાદ સંભળાય એટલે સમજવું કે સિંધી પરિવાર ભક્તિભાવ કરી રહૃાો છે. આજે અહી તેમની સામાજીક એન્જિઑગ્રાફી કરવી નથી. આ સમાજનો એક પ્રગટ ન થયેલો એંગલ લખવાનો વિચાર આવ્યો છે. ગુજરાતીઓની વેપારની ખાસિયત જગ પ્રસિદ્ધ છે. સિંધી લોકો પણ વેપાર વણીજ્યને પચાવીને બેઠા છે. કચ્છીઓની જેમ તેમની બોલી અલગ. કોઈ ખાસ ઉન્માદ વગર આગળ વધે. શાંતિ પ્રિય. તેમની અટકમાં છેલ્લે 'ણ' જરૂર આવે. નાનો સમાજ હોવાથી નાગરોની જેમ રાજકીય વર્ચસ્વ નામ માત્રનું છે. સિંધ પ્રાંતમાંથી આવ્યા હોવાનું ઇતિહાસ કહે છે. લાલકૃષ્ણ અડવાણી અને રામ જેઠમલાણી બહુ મોટા અને સન્માનીય નામો છે. એક જમાનામાં મુંબઈ નજીકનું ઉલ્લાસ નગર બહુ પ્રખ્યાત હતું. અહી સિંધીઓની વસ્તી મોટી. એવું પણ કહેવાતું હતું કે, ઉલ્લાસ નગરના કારીગરો દુનિયાની મોટાભાગની ચીજોની ડુપ્લિકેટ બનાવી આપે, પાછા તેના ઉપર લખે.. મેડ ઇન યુ.એસ.એ!
આજે વાત માંડવી છે સિંધીઓની ચટાકેદાર રસોઈની અને દીપા ચૌહાણ નામની સેલિબ્રિટી શેફ મહિલાની.
રાજકારણ પછી રસોઈ મારો પ્રિય વિષય છે. એન્જિઑગ્રાફીના અનેક વાચકો ફૂડ ઉપર લખવા માટે આગ્રહ કરતા હોય છે. રાંધણ કળા ઉપર પણ તક મળે ત્યારે કલમ 'વઘારી' નાખું છું.
તારીખ ૪ અને ૫ સપ્ટેમ્બરના હરિદ્વારમાં સિંધી સમાજનું રાષ્ટ્રીય કક્ષાનું અધિવેશન યોજાયું છે. આ અધિવેશનમાં આગામી મુદ્દત માટેના નવા રાષ્ટ્રીય પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના સભ્યોની વરણી કરવામાં આવશે.
દીપા ચૌહાણ
શેફ દીપા ચૌહાણ ફૂડએક્સપી ચેનલ પર 'સિંધ જી રસોઈ' નામનો પોતાનો ટીવી શો હોસ્ટ કરે છે. તે માસ્ટરશેફ ઇન્ડિયાના સ્પર્ધક રહી ચૂક્યા છે અને સિંધી ભોજનના પ્રચારક તરીકે પણ જાણીતા છે, આ પરંપરાને તે તેના પોપ-અપ્સ, ફૂડ ફેસ્ટિવલ્સ અને શો દ્વારા વૈશ્વિક પ્રેક્ષકો સાથે શેર કરવાનો પ્રયાસ કરે છે.
વિશ્વ કક્ષાએ નામના ધરાવતા કૂકરી શો 'માસ્ટરશેફ ઇન્ડિયા'ની વર્ષ ૨૦૨૩ની સાતમી સીઝનમાં શેફ દીપા ચૌહાણ દેખાયાં હતા. અંતિમ ૧૬ સ્પર્ધકમાં તે નવમાં સ્થાને રહૃાા હતા. ત્યારબાદ તેણે બહુ ખ્યાતિ મળી. સિંધી ભોજનના પ્રચારક બનવાની તેમની સફર તેના ઘણાં સમય પહેલા શરૂ થઈ ગઈ હતી. આજે, તે પોતાના સિંધી મૂળની વાનગીઓને પ્રોત્સાહન આપવા અને દેશ અને દુનિયામાં લુપ્ત થતી વાનગીઓનું પ્રદર્શન કરવા માટે જાણીતા છે.
ઘરનું ભોજન દરેક ભારતીય માટે મુખ્ય આકર્ષણ હોય છે પરંતુ દરેક માટે તે સંપૂર્ણપણે અલગ હોય છે. પરંપરાગત ભોજન ઇતિહાસ અને સંસ્કૃતિની ઓળખ આપે છે. શેફ દીપા ચૌહાણ માટે, પરંપરાગત ભોજનનો અર્થ તેના સિંધી મૂળને જાળવી રાખવાનો છે.
શેફ દીપા હંમેશાં ખોરાક પ્રત્યે ઉત્સાહી રહી છે અને ખાસ કરીને તેના સિંધી વારસાને રજૂ કરતી વાનગીઓ તેમના શોખનું હાર્દ છે. નિયમિત પોપ-અપ્સનું આયોજન કરીને અને તેના રસાયણ-મુક્ત, તૈયાર-કુક પેસ્ટ અને મસાલા બ્રાન્ડ મોર્ટાર્સ અને પેસ્ટલ્સ દ્વારા તેની રાંધણ પ્રતિભાનું પ્રદર્શન કરીને, તેણીએ તેની પ્રતિભાને વિશાળ પ્રેક્ષકો સુધી પહોંચાડી. તાજ લેન્ડ્સ એન્ડ, મુંબઈ સાથેના સહયોગમાં મુંબઈમાં તેમનું નવીનતમ સાહસ 'સિંધી સ્વાદ' દ્વારા ખાસ ભોજનને પ્રોત્સાહન આપે છે. કોકી બાઇટ્સ જેવા નાના નાસ્તા ઉપરાંત સ્વાદવાળી લબનેહ, ખીમા ટિક્કી અથવા ક્લાસિક દાલ પકવાન જેવા નાસ્તાને પરંપરા સાથે જોડવામાં આવે છે. તેણી સિંધી કઢી, દાલ ટિક્કી, લગ્ન માટે ખાસ શાદી કી ભાજ, પાપડ ચૂરી, બિરિસ્તા સાથે સિંધી પાપડના ભૂકો અને મસાલાવાળું મિશ્રણ અને સુગંધિત સિયાલ મટન અને ઘણી બધી ક્લાસિક વાનગીઓ પણ એકસાથે લાવી રહી છે, જે બધા કોન્સેપ્ટ મેનુ રજૂ કરે છે.
દીપા ચૌહાણ આજે પણ 'ફૂડ- એક્સપી' નામની લોકપ્રિય ભોજન ચેનલ ઉપર 'સિંધ જી રસોઈ' નિયમિત હોસ્ટ કરે છે તેમાં અવનવી સિંધી વાનગીઓ રસપ્રદ રીતે રજૂ કરે છે.
ભોજન
સિંધી ભોજન, એ સિંધી લોકોનું પરંપરાગત ભોજન છે, જે તેના અનોખા સ્વાદ માટે જાણીતું છે, જે મસાલેદાર, મીઠા અને તીખા સ્વાદનું મિશ્રણ કરે છે. મુખ્ય વાનગીઓમાં સાંઈ ભાજી (પાલક અને મસૂરની કઢી), દાળ પકવાન (મસૂરની કઢી સાથે તળેલી ફ્લેટબ્રેડ), સિંધી કઢી (એક ગાઢ, તીખી કરી), અને કોકી (મસાલેદાર ફ્લેટબ્રેડ) શામેલ છે. સામાન્ય ઘટકોમાં ડુંગળી, કમળના દાંડી જેવા વિવિધ શાકભાજી અને ચણાનો લોટનો સમાવેશ થાય છે, જેમાં ભૂગા ચાવલ (કારામેલાઇઝ્ડ ડુંગળી ચોખા) અને સેયુન (મીઠી વર્મીસેલી) જેવી વાનગીઓ પણ લોકપ્રિય છે. સિંધી ભોજનમાં પાપડ અને ખાસ કરીને ચોખાના પાપડ લોકપ્રિય છે.
ગુજરાતમાં સિંધી ભોજન સિંધી પરંપરાગત વારસા અને સ્થાનિક અનુકૂલનનું મિશ્રણ છે, જેમાં ગુજરાતની મોટાભાગની શાકાહારી વસ્તીને અનુરૂપ ઘણી વાનગીઓ શાકાહારી બની છે. ગુજરાતી રાંધણ પરંપરાઓનો પ્રભાવ જોવા મળે છે, જેમ કે સિંધી વાનગીઓને ગુજરાતી અથાણાં અથવા દહીં સાથે આરોગવામાં આવે છે. ગુજરાતમાં પંજાબી સિંધી રસોઈનું વધુ ચલણ છે. સ્વાદિષ્ટ સિંધી રસોઈ હજુ રેસ્ટોરાંના મેનુમા જોવા નથી મળતી.
દાલ પકવાન
એન્જિઑગ્રાફીના લેખકનું આ પ્રિય ખાણું છે. જામનગરમાં અનેક સ્થળો ઉપર દાલ પકવાન મળે છે. તેમાં સેન્ટ્રલ બેન્ક પાસેના દાલ પકવાન લોકપ્રિય છે. આ એક સિગ્નેચર સિંધી નાસ્તાની વાનગી છે. તેમાં મસાલેદાર ચણાની દાળ (બંગાળી ચણા) હોય છે જે પકવાન નામના ક્રિસ્પી, ડીપ-ફ્રાઇડ ફ્લેટબ્રેડ અથવા ગુજરાતી ભાષામાં કહીએ તો કડક પૂરી સાથે પીરસવામાં આવે છે, જે મેંદા અથવા બેસનમાંથી બને છે. તેને ઘણીવાર ફુદીના-ધાણાની ચટણી, ડુંગળી અને લીંબુથી સજાવવામાં આવે છે. આ વાનગી અમદાવાદના સિંધી રેસ્ટોરાંમાં મુખ્ય વાનગી છે અને તેના ક્રન્ચી ટેક્સચર અને તીખા સ્વાદ માટે તેને પસંદ કરવામાં આવે છે.
સિંધી કઢીઃ ચણાના લોટ (બેસન), ભીંડા અને બટાકા જેવા શાકભાજી અને મસાલાથી બનેલી એક અનોખી, તીખી કઢી ખૂબ સ્વાદિષ્ટ હોય છે. ગુજરાતી કઢીથી વિપરીત સ્વાદ મળે છે, જેમાં છાશનો ઉપયોગ થાય છે, સિંધી કઢી વધુ જાડી અને મસાલેદાર હોય છે, જે ઘણીવાર બાફેલા ભાત સાથે પીરસવામાં આવે છે. તે ગુજરાતના સિંધી ખાણીપીણીમાં લોકપ્રિય ઉત્સવની વાનગી છે.
સાંઈ ભાજીઃ ચણાની દાળ, ટામેટાં, ડુંગળી અને જીરૂ અને લસણ જેવા મસાલાઓથી બનેલી પૌષ્ટિક પાલક આધારિત કઢી છે. તે ઘણીવાર ભાત અથવા ભૂગા ચાવલ (સિંધી-શૈલીનો પુલાવ) સાથે બનાવવામાં આવતી એક પૌષ્ટિક વાનગી છે. સાંઈ ભાજી તેના સ્વસ્થ છતાં સ્વાદિષ્ટ દેખાવ માટે ગુજરાતમાં પ્રિય છે.
કોકીઃ ઘઉંના લોટ, ડુંગળી, ધાણા, દાડમના બીજ અને ઘીથી બનેલી જાડી, મસાલેદાર ફ્લેટબ્રેડ. તે પરાઠા કરતાં થોડી વધુ કડક હોય છે અને ઘણીવાર દહીં, અથાણું અથવા દાળ સાથે પીરસવામાં આવે છે. કોકી એ ગુજરાતના સિંધી ઘરો અને રેસ્ટોરાંમાં એક લોકપ્રિય નાસ્તો છે. સામાન્ય રીતે કોકી સાતમના દિવસે ટાઢું ખાવાનું હોય ત્યારે બનવવાવમાં આવે. મહેમાનોને પણ 'ચા કોકી' નો નાસ્તો આપવામાં આવે.
તરયલ પટાટા (આલુ): બારીક કાપેલા, તળેલા અથવા ઊંડા તળેલા બટાકા, સ્થાનિક મસાલાઓ સાથે પકવવામાં આવે છે. આ બહુમુખી વાનગી સિંધી ઘરોમાં મુખ્ય છે અને સામાન્ય રીતે ભાત, દાળ અથવા રોટલી સાથે બનાવવામાં આવે છે. તે એક સરળ છતાં સ્વાદિષ્ટ સાઇડ ડિશ છે જે ગુજરાતના સિંધી ભોજન સ્થળોમાં જોવા મળે છે.
તૈરીઃ ખાંડની ચાસણીથી બનેલી મીઠી ભાતની વાનગી, જે ઘણીવાર ચેટી ચાંદ જેવા તહેવારો દરમિયાન અથવા શુભ પ્રસંગો માટે પ્રસાદ તરીકે પીરસવામાં આવે છે. તે રચનામાં બિરયાની જેવું લાગે છે પરંતુ તે મીઠી હોય છે અને સામાન્ય રીતે તળેલા આલુ અને પાપડ સાથે જોડવામાં આવે છે. તૈરી ગુજરાતમાં સિંધીઓમાં સાંસ્કૃતિક રીતે પ્રિય છે.
મીઠો લોલોઃ ઘઉંના લોટ, ઘી અને ખાંડની ચાસણી, એલચીથી બનેલી મીઠી, તળેલી ફ્લેટબ્રેડ છે. તે ખાસ પ્રસંગોએ પીરસવામાં આવે છે, જેમ કે દિવાળી અથવા માંદગીમાંથી સ્વસ્થ થવું, અને ઘણીવાર દૂધ અથવા છાશ સાથે ભેળવવામાં આવે છે. આ મીઠાઈ જેવી બ્રેડ ગુજરાતના સિંધી સમુદાયોમાં લોકપ્રિય છે. આ કોકીનું સ્વરૂપ છે, જે દીકરીને સાસરીમાં પ્રસંગ હોય ત્યારે મોકલવામાં આવે છે.
માજૂનઃ નારિયેળના ભૂકા, સૂકા ફળો અને ઘીથી બનેલી એક શિયાળુ મીઠાઈ, જેને ઘણીવાર ચાંદીના વરખથી સજાવવામાં આવે છે. તે પરંપરાગત રીતે લગ્ન દરમિયાન દુલ્હનોને આપવામાં આવે છે અને તેના ગરમ ગુણધર્મો માટે મૂલ્યવાન છે. અમદાવાદમાં સિંધી મીઠાઈની દુકાનોમાં તમને માજૂન મળશે.
સેવિયાં (સેવૈયા): એક મીઠી મીઠાઈ, ક્યારેક દૂધ આધારિત, ચેટી ચાંદ (હિન્દુ સિંધીઓ દ્વારા) અથવા ઈદ (મુસ્લિમ સિંધીઓ દ્વારા) જેવા તહેવારો દરમિયાન પીરસવામાં આવે છે. તે ગુજરાતના સિંધી રેસ્ટોરાં અને ઘરોમાં જોવા મળતી હળવી, સુગંધિત મીઠી વાનગી છે.
સિંધી પાપડઃ સિંધી ભોજનમાં એક અનિવાર્ય વાનગી છે. આ શેકેલા અથવા તળેલા પાપડ છે, ક્યારેક મસાલા સાથે મસાલેદાર. તે તૈરી, દાલ પકવાન અથવા સાંઈ ભાજી જેવી વાનગીઓમાં ક્રન્ચી તત્ત્વ ઉમેરે છે અને ગુજરાતમાં તેનો વ્યાપકપણે આનંદ માણવામાં આવે છે.
ધાલ છોલાઃ ગુજરાતીઓના રગડા પેટીસનું આ એક સિંધી વર્ઝન છે.
ધારણ જી કઢીઃ પંજાબીઓની ગટ્ટા કઢીનું આ સ્વરૂપ છે. સામાન્ય રીતે રોટલી કે ભાખરી સાથે ખાવામાં આવે છે.
બીજા કેટલાક વ્યંજનોમાં સિંધી આલુ ટૂક, ભીંડી ભસાર, ભી આલુ, ડોડો, બોરી, સત્તા પણ છે.
જામનગરમાં સિંધી પરિવારો મોટાભાગે ધંધા વ્યવસાયમાં વ્યસ્ત છે. પાકિસ્તાનના સિંધ પ્રાંતમાંથી ભાગલા સમયે આવ્યા હતા. આ પૈકીનાં કેટલાક પરિવારો ભારતમાં પ્રથમ જુનાગઢ નજીકના બાંટવા ગામે આવ્યા અને ત્યાંથી જામનગર આવ્યા અને વસ્યા. જામનગરમાં સિંધી લાડી લોહાણા અને સિંધી ભાનુશાલી સમાજની વસ્તી સૌથી વધુ છે.
તમામ સિંધી ભાઈ-બહેનોને 'નોબત'ના ચાહકો અને વાચકો તરફથી હાર્દિક શુભકામના.
પરેશ છાંયા
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
શાંતિ સન્માન માટે વધુ કડક અને વાસ્તવિક માપદંડો નક્કી કરવાની જરૂર
વર્તમાન સમયમાં ચાલતા ગાઝા અને યુક્રેન યુદ્ધમાં ૬૪ હજાર કરતા વધુ લોકો માર્યા ગયા છે. લાખો અપંગ થયા છે. આ ખુવારીમાં મોટાભાગના મહિલા અને બાળકો છે. ગાઝામાં ભૂખમરો ચરમસીમા ઉપર છે તેવું યુનાઈટેડ નેશન્સ કહે છે. કાશ્મીર અને કોંગો જેવા પ્રદેશોમાં શાંતિની કેવી હાલત છે તે કટકે કટકે બહાર આવે છે. આપણાં કાશ્મીરના પહેલગામની બેસરણ વેલીમાં ૨૮ નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતરી દેવામાં આવ્યા! માનવતા વિરૂદ્ધની આવી ક્રૂર ઘટનાઓનો હિસાબ નથી. ભવિષમાં પણ ઘાતકી લોકોના દિલમાં રામ વશે તેવું લાગતું નથી. અમેરિકાના વર્તમાન તરંગી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર જાહેરમાં કહે છે કે, મે દુનિયામાં ભારત-પાકિસ્તાન સહિત સાત યુદ્ધો અટકાવ્યા છે. પાકિસ્તાનના લશ્કરી વડાએ તો ટ્રમ્પ માટે નોબેલ પીસ પ્રાઇઝની ભલામણ પણ કરી દીધી. આપણા વધપ્રધાન નરેન્દ્ર મોદી પણ થોડાં વર્ષો પહેલાં શાંતિ માટેના આ સહુથી પ્રભાવશાળી પુરસ્કાર માટેની દોડમાં સામેલ હતા.
સવાલ
સૌથી મોટો સવાલ એ છે કે, ત્રણ વર્ષના સમયગાળામાં જો ૧૬ હજારથી વધુ લોકો આંતરરાષ્ટ્રીય સંઘર્ષમાં મૃત્યુ પામે, લાખો અપંગ બને, લાખો બેઘર બને તો 'શાંતિ પ્રયાસોનું શું?' મારા મતે ૨૦૨૫નો નોબેલ શાંતિ પુરસ્કાર કોઈને પણ આપવો ન જોઈએ. દુનિયામાં જેટલા પણ યુદ્ધો ચાલે છે, તેમાં સીધો કે અડકતરો અમેરિકાનો જ હાથ છે. ઈરાક, ઈરાન, અફઘનિસ્તાન, જેવા અનેક દેશોમાં માનવતાના નામે અમેરિકાએ નરસંહાર કર્યો છે. બળવાખોરો કરતાં નિર્દોષ લોકો વધુ મર્યા છે, અથવા પીડિત બન્યા છે.
ગાઝાના યુદ્ધમાં અનેક પત્રકારો પણ ભોગ બન્યા. તાજેતરમાં અલ જઝીરા સમાચાર ચેનલના પત્રકારને ઈઝરાઈલી સેનાએ ઠાર કર્યા. ત્યાર બાદ સેનાએ ખુલાસો કર્યો તેમાં પત્રકારને 'ડેલીબરેટલી' શબ્દ વાપર્યો. તેનો અર્થ એવો કે પત્રકારને જાણી જોઈને, હેતુ પૂર્વક મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે! દુનિયામાં અમેરિકા અને રશિયા બન્ને દેશ જો સાચા દિલથી ઈચ્છે તો સ્વર્ગ જેવી શાંતિ બની જાય. જો કે, દુનિયાના યુદ્ધો માટે નાટો નામનું આંતરરાષ્ટ્રીય સંગઠન પણ જવાબદાર છે. આમ તો તે પોતાની જાતને શાંતિ દૂત માને છે અને તેની સેનાનું નામ પણ 'પીસ કીપીંગ ફોર્સ' છે. જે મોટા ભાગે અશાંતિ સર્જે છે. નાટો સંગઠન દ્વારા અમેરિકા અને બ્રિટન સહિતના ૧૭ દેશો દુનિયામાં પોતાનું પ્રભુત્વ સ્થાપવા માંગે છે. અને તેનું મુખ્ય ધ્યેય રશિયા અને ચીનના પ્રભુત્વને ખતમ કરવાનું છે. અમેરિકાએ વિએટનામ સાથે ૩૬ વર્ષ યુદ્ધ કર્યું. હાથમાં વિનાશ અને તારાજી જ આવ્યા. હાલમાં વિએટનામ અમેરિકાએ યુદ્ધ બાદ ત્યજી દીધેલાં શસ્ત્રો પ્રવાસીઓને બતાવી કમાણી કરે છે.
દુનિયામાં એક પણ સંઘર્ષ માનવતાના ઉત્કર્ષ માટે નથી. બધી લડાઇઓ માથાભારે લોકો પોતાના સ્વાર્થ અને ધંધા માટે લડી રહૃાા છે. આવા સમયે નોબેલ શાંતિ પુરસ્કારની યથાર્થતા કેટલી?
નોબેલ શાંતિ પુરસ્કાર
૧૯૦૧ થી ૨૦૨૪ના વર્ષ સુધીમાં આ સન્માન ૧૧૧ વ્યક્તિગત અને ૩૧ સંગઠનોને આપવામાં આવ્યું છે. આ પુરસ્કાર વિજેતાઓ શું દુનિયામાં કાયમી કે કામચલાઉ શાંતિ સ્થાપી શક્યા છે ખરા? તેમના પ્રયાસો અને વિચારો શાંતિ માટે ઉત્તમ હશે, પરંતુ તે ટકાઉ રહૃાા નથી તે પણ વાસ્તવિકતા છે. આ સન્માન સ્થાપવાનો ઉદેશ ઉત્તમ હતો. પરંતુ હવે લાગી રહૃાું છે કે, શાંતિ પુરસ્કારોના ધારાધોરણો બદલવાની કે કડક કરવાની બહુ જરૂર છે. શાંતિ દુત તરીકે પ્રખ્યાત કબૂતર હવે લુચ્ચા, સ્વાર્થી, લેભાગુ અને ગુંડાઓના હાથમાં તરફડી રહૃાું છે.
શાંતિની વાતો માત્ર નબળા લોકો કરે છે, બહુબલી લોકો કાંઠલો પકડી પડાવી લે છે.
૨૦૨૪માં આ શાંતિ પુરસ્કાર જાપાનના નિહઓન હિદેનકોને આપવામાં આવ્યો હતો. તેમણે ન્યુક્લિયર શસ્ત્રો મુક્ત દુનિયા માટે કામ કર્યું હતું. શું તેના કાર્યથી સોઈ જેટલું પણ અણુ કે પરમાણુ શસ્ત્ર નાબૂદ થયું છે ખરૃં? પાકિસ્તાને ભારતને ન્યુક્લિયર હુમલાની ધમકી આપી હોવાનું ટ્રમ્પ કહે છે. તો નિહઓનના પ્રયાસોનું શું થયું?
કલયુગ એટલો પ્રભાવી છે કે, વર્તમાન સમયમાં દુનિયામાં રાવણ રાજ છે. મારે તેની તલવાર છે. હાલમાં શાસ્ત્રોના કહેવા અનુસાર ૨૮ મો કળયુગ ચાલી રહૃાો છે. ૫૬ મો કળયુગ પૂરો થશે ત્યાર બાદના સતયુગ પછી ધરતી ઉપર સ્વર્ગ ઉતરશે. હિન્દુ શસ્ત્રો મુજબ હાલમાં શાંતિ અશક્ય છે. ઠેર ઠેર રાવણ અને દુર્યોધનો કાળો કેર વર્તાવી રહૃાા છે.
નોબેલ શાંતિ પુરસ્કારને હવે થોડો સમય વિરામ આપવાની જરૂર છે.
કારણ કે, યુદ્ધખોર નેતાઓ કોઈ કોઈના કહૃાામાં નથી! હવેની લડાઇઓ માનવતા માટે નથી પરંતુ વ્યક્તિગત સ્વાર્થ માટે છે. શાંતિના પરેવાં ફફડી રહૃાાં છે.
અધમતા
દુનિયામાં માનવતા નેવે મૂકીને અધમતા આચરવામાં આવી રહી છે. ગાઝામાં ભૂખમરાથી બચવા માટે ખોરાક અને પાણીની લુંટ ચલાવતા લોકોમાં અંધાધૂંધી ફેલાતાં ૨૬૦૦ લોકો કચડાઈ મર્યા. બાંગ્લાદેશના કોક્સ બજાર વિસ્તારની કહાની પણ રૂવાંડા ઊભા કરી દે તેવા છે. અહી એશિયાની સૌથી મોટી નિરાશ્રિત છાવણી છે. અહી બાંગ્લાદેશની સૌથી મોટી ગટરના પાણીની નદી વહે છે. અનેક પરિવારો પેટ ભરવા આ ગટર નદી ઉપર નિર્ભર છે. પેલેસ્ટાઇન પણ નર્ક સમાન છે. અહી ભૂખમરો ચરમસીમા ઉપર છે. આ ત્રણેય દાખલા માટે મહાસત્તાઓનો આંતરવિગ્રહ જવાબદાર છે. એક પણ નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા અહી શાંતિ સર્જી શકે તેમ નથી.
મલાલા
અફઘનિસ્તાનની મલાલા યુસુફ જાઈ સૌથી નાની ઉમરે આ પુરસ્કાર મેળવનાર હતી. પાકિસ્તાનમાં જન્મેલી મલાલા સમગ્ર વિશ્વ માટે રોલ મોડેલ છે. કન્યા શિક્ષણના વિરોધી તાલિબાનોએ તેણીને ટાર્ગેટ કરી હતી. સંઘર્ષમય જીવન જીવ્યા બાદ તે બીજા અફઘાન કન્યાઓના શિક્ષણ માટે બહુ કઈ મોટું પરિવર્તન કરી શકી નથી. કારણ કે, તેની લડાઈ ખૂંખાર, સ્વાર્થી, લાલચી અને નરાધમ ત્રાસવાદીઓ સામે છે. જ્યાં રશિયા અને અમેરિકા પણ થાકી જતા હોય ત્યાં આ બાળકીનું શું ગજું છે!
ભારત
નોબેલ શાંતિ પુરસ્કારમાં ત્રણ ભારતીયોનો સમાવેશ થાય છે. જેમાં વિજેતાઓમાં મધર ટેરેસા (૧૯૭૯), દલાઈ લામા (૧૯૮૯) અને કૈલાશ સત્યાર્થી (૨૦૧૪)નો સમાવેશ થાય છે. મધર ટેરેસાને તેમના માનવતાવાદી કાર્ય માટે માન્યતા આપવામાં આવી હતી, અને કૈલાશ સત્યાર્થીને બાળ મજૂરી અને તસ્કરીને સમાપ્ત કરવાના તેમના પ્રયાસો માટે સન્માનિત કરવામાં આવ્યા હતા, નોબેલ ફાઉન્ડેશને મહાત્મા ગાંધીની અહિંસક પરંપરાને અનુસરવા બદલ નોંધ લીધી હતી.
નોબેલ પુરસ્કાર
નોબેલ શાંતિ પુરસ્કાર મેળવવા માટે, વ્યક્તિઓ અને સંગઠનોએ રાષ્ટ્રો વચ્ચે ભાઈચારો, સ્થાયી સૈન્ય નાબૂદ કરવા અથવા ઘટાડવા, અને શાંતિ પ્રયાસોને પ્રોત્સાહન આપવા, અથવા શસ્ત્ર નિયંત્રણ, શાંતિ વાટાઘાટો, માનવ અધિકારો અથવા વધુ શાંતિપૂર્ણ વિશ્વમાં નોંધપાત્ર યોગદાન માટે સૌથી વધુ કાર્ય કર્યું હોવું જોઈએ. ઉમેદવારોને લાયક વ્યક્તિઓ દ્વારા નામાંકિત કરવા જોઈએ, જીવંત વ્યક્તિઓ હોવા જોઈએ, અથવા સક્રિય સંસ્થાઓ હોવા જોઈએ, અને વિજેતા માટેનો નિર્ણય નોર્વેજીયન નોબેલ સમિતિ દ્વારા લેવામાં આવે છે. વિજેતાના ભૂતકાળ અને વર્તમાનકાળને ધ્યાનમાં લઈને નિર્ણય કરવામાં આવે છે. પુરસ્કાર વિજેતા ભવિષ્યમાં કેટલા અસરકારક કે સક્રિય રહેશે તે બાબત અધ્યાહાર રહે છે.
નોબેલ પુરસ્કાર એ વાર્ષિક આંતરરાષ્ટ્રીય પુરસ્કાર છે જે આલ્ફ્રેડ નોબેલની ઇચ્છા દ્વારા ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, દવા, સાહિત્ય, અર્થશાસ્ત્ર અને શાંતિમાં માનવજાત માટે નોંધપાત્ર યોગદાનને માન્યતા આપવા માટે પુરસ્કૃત કરવામાં આવે છે. ૧૯૦૧ થી એનાયત કરાયેલ, દરેક વિજેતાને મેડલ, ડિપ્લોમા અને રોકડ પુરસ્કાર મળે છે. આ પુરસ્કારોનું સંચાલન સ્વીડનના સ્ટોકહોમમાં નોબેલ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવે છે અને સખત પસંદગી પ્રક્રિયા પછી સ્વતંત્ર પુરસ્કાર-પ્રદાન કરતી સંસ્થાઓ દ્વારા તેમની પસંદગી કરવામાં આવે છે. ૧૯૦૧ થી ૨૦૨૪ ની વચ્ચે ૧,૦૧૨ લોકો અને સંસ્થાઓને આ પુરસ્કારો આપવામાં આવ્યા છે.
૨૦૨૫ માટે નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત ૧૦ ઓક્ટોબર, ૨૦૨૫ ના શુક્રવારના સવારે ૧૧ વાગ્યે ઓસ્લોમાં નોર્વેજીયન નોબેલ સંસ્થામાં કરવામાં આવશે. આ નોબેલ પુરસ્કારની જાહેરાતના અઠવાડિયાના સમયપત્રકનો એક ભાગ છે.
સારાંશ
નોબેલ શાંતિ પુરસ્કાર એ વૈશ્વિક સન્માન છે. તે કોઈ દેશ, ખંડ કે રાજ્ય પૂરતું સીમિત નથી. આ સન્માન પ્રાપ્ત કરનાર વ્યક્તિ, સંસ્થા કે સંગઠને બહુ મોટી કે વ્યૂહાત્મક સિદ્ધિ હાંસલ કરી હોવી જોઈએ. ગત વર્ષે ન્યુક્લિયર શસ્ત્રો વિરૂદ્ધ કાર્ય કરનાર જાપાનના વ્યક્તિને સન્માન આપવામાં આવ્યું. મારો અહી સીધો સવાલ છે કે, આ વ્યક્તિના પ્રયાસોનું પરિણામ શું આવ્યું? ન્યુક્લિયર નામની કે કામની એક નાની સોઈનો પણ કોઈ દેશે નાશ કર્યો નથી. શિક્ષણ ક્ષેત્ર બહુ અટપટું અને ખર્ચાળ બની રહૃાું છે ત્યારે નોબેલ સમિતિ શા માટે તેની ગણતરી કરતું નથી.
નોબેલ સમિતિ ઉપર એવા પણ આક્ષેપો થઈ રહૃાા છે કે, તે વાતાનુકૂલિત ખંડમાં બેસી માત્ર બાયો ડેટા વાંચી કમ પૂરૃં કરે છે. વાસ્તવમાં ફિલ્ડમાં શું પરિસ્થિતિ છે તેનું જમીની આકલન કરતી નથી.
નોબેલ શાંતિ સમિતિએ જીવિત હોય તેટલા આ સન્માન પ્રાપ્ત મહાનુભવોને ગાઝા, પેલેસ્ટાઇન, યુક્રેન, કોક્ષ બઝાર, આફ્રિકા, પાકિસ્તાન મોકલવા જોઈએ. અમેરિકા અને રશિયામાં યુદ્ધ વિરોધી ચર્ચા સભાઓ આયોજિત કરવી જોઈએ. યુદ્ધખોર નેતાઓ સામે દેખાવો કરવા કરવા જોઈએ.
આજની એન્જિઑગ્રાફી લખવાનો હેતુ એક જ છે કે જ્યારે અતિ હિંસક યુદ્ધમાં હજારો નિર્દોષ લોકો પીડાતા હોય ત્યારે 'નોબેલ શાંતિ પુરસ્કાર' જાહેર કરવાનો અર્થ રહેતો નથી.
પરેશ છાંયા
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આઝાદીની લડાઈમાં 'સ્વદેશી ચળવળ' પણ વ્યૂહાત્મક હથિયાર હતું
આંબાના ઝાડને કુંડામાં પાંગરવાની આઝાદી મળતી નથી. પરંતુ જ્યારે જમીન મળે ત્યારે તો પાંગરવું જ જોઈએ. આ કુદરતનો નિયમ અને શરત બન્ને છે. આંબાના ઝાડ ઉપર હવામાન, કિટકો, ખાતરો જેવી અનેક અસરો આવે છે, જે ઝાડ તેને પચાવી જાય તે પાંગરે છે, માલિક તેની માવજત પણ કરે છે. જે ઝાડ ફળ નથી આપતું તે વેરહાઉસમાં વેતરાઈ જાય છે. કલમી આંબાએ પણ પોતાનું મૂળભૂત પોત અને જમીન છોડવા ન જોઈએ.
એન્જિઑગ્રાફીના વાચકોને લાગશે કે, આ વખતે લેખક ખેતીના રવાડે ચડી ગયા છે. ના.. એવું નથી. આજના સ્વતંત્રતા પર્વ પ્રસંગે આપણા દેશ માટે ફીટ બેસે તેવો દાખલો આંબાના માધ્યમથી આપવાનો પ્રયાસ કર્યો છે. આપણે ૧૯૪૭ માં બ્રિટીશરોના કુંડામાંથી મુક્ત થયા. વિસ્તારવા માટે આઝાદી મળી. હવે આપણી જમીન, આપણું હવામાન, આપણું પોષણ છે અને આપણે જ માળી છીએ! સ્વતંત્રતા સ્વછંદતા ન બની જાય તેની ખાસ કાળજી લેવાની છે. ૧૯૪૭ પહેલાં દુશ્મનો હતા અને આજે પણ છે. માત્ર ચહેરા અને મહોરાં બદલાયા છે. ૧૯૪૭ પહેલાં આપણા ઉપર ગુલામી થોપી દેવામાં આવી હતી, આજે આપણે જાતે સ્વીકારી લીધી છે.
સ્વદેશી
આઝાદીના જંગમાં અનેક વ્યૂહાત્મક કાર્યો કરવામાં આવ્યા હતા. માત્ર હથિયારો કે સંઘર્ષ જ લડાઈ માટે જરૂરી નથી. ભારતની આઝાદીની લડાઈમાં 'સ્વદેશી ચળવળ' પણ વ્યૂહાત્મક હથિયાર હતું. મહાત્મા ગાંધી, સરદાર પટેલ, જવાહરલાલ નહેરૂ સહિતના નિતિકારોએ અંગ્રેજો સામે લડવા માટે સ્વદેશીનું હથિયાર નક્કી કર્યું હતું. તે સફળ પણ રહૃાું. કારણ કે, લોકોનો અદ્ભુત પ્રતિશાદ મળ્યો હતો. દેશના લોકોએ વિદેશી માલની જાહેરમાં હોળીઓ કરી હતી. ઠેર ઠેર વિદેશી માલનો વિરોધ થયો. વિદેશી ચીજવસ્તુઓનો વિરોધ થતાં તેના પડઘા આખી દુનિયામાં પડ્યા. વિશ્વને ખબર પડી કે ભારતમાં અંગ્રેજો વિરૂદ્ધ મોટી ચળવળ ચાલી રહી છે.
૧૯૦૫ની આસપાસ બંગાળના વિભાજનના પ્રતિભાવમાં શરૂ થયેલી સ્વદેશી ચળવળ ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં એક મહત્ત્વપૂર્ણ તબક્કો હતો. તેણે બ્રિટિશ ઉત્પાદનો અને સંસ્થાઓનો બહિષ્કાર કરતી વખતે ભારતીય માલ અને ઉદ્યોગોના ઉપયોગને પ્રોત્સાહન આપ્યું. આ ચળવળે ભારતીયોમાં આત્મનિર્ભરતા અને રાષ્ટ્રવાદની ભાવનાને પ્રોત્સાહન આપ્યું, જે વ્યાપક સ્વતંત્રતા ચળવળને આકાર આપવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી.
સ્વદેશી ચળવળનું મુખ્ય ધ્યાન બ્રિટિશ નિર્મિત ઉત્પાદનો, જેમાં કાપડ, ઉત્પાદિત ચીજવસ્તુઓ અને અન્ય વસ્તુઓનો બહિષ્કાર કરવા પર હતું. વધુમાં ભારતીય ઉદ્યોગોનો પ્રોત્સાહન આપી આત્ મનિર્ભર બનવાનું પણ લક્ષ્ય હતું. આ ચળવળે કાપડ, હસ્તકલા અને અન્ય વ્યવસાયો સહિત ભારતીય ઉદ્યોગોના વિકાસ અને સમર્થનને પ્રોત્સાહન આપ્યું હતું.
સ્વદેશી આંદોલન દરમિયાન વિદેશી શિક્ષણનો પણ બહિષ્કાર કરવામાં આવ્યો હતો. અને તેના કારણે બંગાળ નેશનલ કોલેજ અને બંગાળ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ જેવી રાષ્ટ્રીય શાળાઓ અને કોલેજોની સ્થાપના થઈ, જે સ્થાનિક ભાષાઓમાં શિક્ષણ આપતી હતી, જે બ્રિટિશ પ્રભુત્વ ધરાવતી શૈક્ષણિક પ્રણાલીને પડકારતી હતી. ભારતીયો હવે સ્વદેશી વિચારવા લાગ્યા. તેને અનુભવ થયો કે વિદેશી શિક્ષણથી વ્યક્તિમાં વિદેશી ભાવનાનો જન્મ અને વિકાસ થાય છે. ગુજરાતીમાં કહેવત છે કે, અન્ન એવો ઓડકાર. જેવું શિક્ષણ મેળવીએ તેવી વિચારસરણી જન્મે. વિદેશી વિચારોને મૂળમાંથી ખતમ કરવા માટે સ્વદેશી શિક્ષણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
બ્રિટિશરોના માળખામાં રહી ભારતીયો પણ તેની સંસ્કૃતિમાં ઢળવા લાગ્યા હતા. આથી તેના ભારતીય આત્માને જાગૃત કરવો પણ જરૂરી હતો. તેથી સાંસ્કૃતિક ઓળખના પુનરૂત્થાન માટે ભારતીય પરંપરાઓ અને વારસાને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું, આ ચળવળમાં ભારતીય સંસ્કૃતિ, કલા અને સાહિત્યનું પુનરૂત્થાન પણ જોવા મળ્યું.
સ્વદેશી ચળવળની અસરો વ્યાપક અને ઊંડી દેખાવા લાગી હતી. તેનાથી ભારતીય ઉદ્યોગોને પ્રોત્સાહન મળ્યું અને આપણે પગભર થવા લાગ્યા. સ્વદેશી ચળવળે ભારતીય ઉદ્યોગોને, ખાસ કરીને કાપડ અને હાથશાળમાં, નોંધપાત્ર રીતે પ્રોત્સાહન આપ્યું, કારણ કે ભારતીય ચીજવસ્તુઓની માંગ વધી.
સ્વદેશી ચળવળનો જે મુખ્ય ઉદેશ હતે તે રાષ્ટ્રવાદનો ઉદય થયો. તેણે ભારતીયોમાં રાષ્ટ્રવાદી ભાવના અને રાજકીય ચેતનામાં ઉછાળો આપ્યો, જેનાથી વ્યાપક સ્વતંત્રતા ચળવળ માટે મજબૂત પાયો બન્યો. આ આંદોલનની આર્થિક અસર બહુ વ્યાપક થઈ. બ્રિટિશ માલના બહિષ્કારને કારણે આયાતમાં ઘટાડો થયો અને વસાહતી અર્થતંત્ર પર અસર પડી, જેના કારણે મજૂર હડતાળ અને અશાંતિ થઈ.
સ્વદેશી ચળવળના મુખ્ય પ્રણેતાઓમાં બાલ ગંગાધર તિલક, લાલા લજપત રાય, બિપિનચંદ્ર પાલ અને અરવિંદ ઘોષનો સમાવેશ થાય છે. સ્વદેશી ચળવળમાં ગાંધીજીની ભૂમિકા પણ હદયસ્થ રહી. આપણે આજે પણ બાપુને તેના ચરખા સાથે જ ઓળખીએ છીએ. ગાંધીજીએ એક એવા સમાજની કલ્પના કરી હતી જે આર્થિક સ્વનિર્ભરતા અને સામાજિક સુમેળ દ્વારા વર્ગીકૃત થયેલ હોય. સ્વદેશી કાર્યકર માત્ર ચરખા અને ખાદીનું પ્રતીક જ નથી, પરંતુ સાદગી અને આધ્યાત્મિકતામાં પણ જીવે છે. ગાંધીજીના સ્વદેશી વિચારો અને આચરણમાં, અર્થશાસ્ત્રનું સ્થાન હતું. વિદેશી વસ્ત્રોનો ત્યાગ કરો અને ખાદી અપનાવો. તેનાથી હાથશાળ કારીગરો પ્રત્યે તેમની સહાનુભૂતિ દેખાઈ હતી.
૨૦૨૫
૧૨૦ વર્ષ પછી આજે પણ સ્વદેશી અભિયાનની જરૂર પડી છે, તેનો અર્થ એવો પણ કાઢી શકાય કે સવા સદી પછી પણ આપણે પગભર કે આત્મનિર્ભર થયા નથી! મોંઘી મોંઘી આયાતો કરી, દેવું કરી, તમાચો મારીને ગાલ લાલ રાખી રહૃાા છીએ. દેશના ૭૯ મા સ્વતંત્રતા પર્વ પ્રસંગે 'સ્વદેશી અભિયાન' શા માટે પ્રસ્તુત છે? આજે કેમ જરૂર પડી? આપણે કેમ સ્વદેશી ભૂલી ગયા? વિદેશના મોહમાં કેમ ફરી અંજાઈ ગયા છીએ? આઝાદીના લાંબા સમય પછી કેમ જૂનો વિચાર યાદ આવે છે? શું ૧૯૦૫ એ ૨૦૨૫ છે? ત્યારે થયું તે અત્યારે થઈ શકે ખરૃં? સ્વદેશી આંદોલનના પ્રણેતા એવા બાલ ગંગાધર તિલક, લાલા લજપત રાય, બિપિનચંદ્ર પાલ અને અરવિંદ ઘોષ અને ગાંધીજી આજે ક્યાં છે? પૂજાનું પાત્ર પવિત્ર હોવું જોઈએ, તેમ પ્રજાને દિશા નિર્દેશ આપનાર નેતાઓ પણ પૂજાના પાત્ર જેવા પવિત્ર હોવા જોઈએ.
આજે અમેરિકાના પ્રમુખ રોજબરોજ નિતનવી ધમકીઓ આપ્યા કરે છે. ટેરિફ નામના હથિયારથી હુમલાઓ કરે છે. બીજી તરફ ભારતના પરંપરાગત દુશ્મન પાકિસ્તાન સાથે ઈલુ ઈલુ કરે છે. પહલગામ આતંકી હુમલા પછી ભારતે શરૂ કરેલું ઓપરેશન સિંદુર માત્ર ત્રણ દિવસમાં આટોપી લેવું પડ્યું. ડોનાલ્ડ ટ્રમ્પ તેનો જશ ખાટવા માટે ઉધામા કરે છે. તે કહે છે આ યુદ્ધ વિરામમાં તેમણે વેપ ાર સહાનુભૂતિનું વચન આપ્યું છે.
ડોનાલ્ડ ટ્રમ્પના ભારત વિરોધી વલણ છતાં આપણું લોહી હજુ ગરમ કેમ થયું નથી? તે મોટો સવાલ છે. ભારતની ૧૪૦ કરોડની પ્રજા જો સ્વદેશી ચળવળ શરૂ કરે તો આખા વિશ્વની અર્થવ્યવસ્થા હ ચમચી જાય! આપણી દેશભક્તિ ક્યાં ખોવાઈ ગઈ છે? શું આપણે વિદેશી માલ વગર જીવી શકીએ તેમ નથી? શું આપણી પાસે જીવવા માટે સ્વદેશી નિર્માણ નથી? સવારે કોલગેટ થઈ શરૂ કરવી પડે છે. કેલોગ્સનો નાસ્તો કરીએ છીએ. એન્ડ્રોઇડ અને માઈક્રોસોફ્ટ વડે ઓફિસ ચલાવીએ છીએ. વિદેશી ટેલિવિઝન ઉપર મનોરંજન માણીએ છીએ. એડીદાસ કે નાઇકના જોડા પહેરીને કસરત કરીએ છીએ.
તાજેતરમાં હું મુંબઈ ગયો ત્યારે તેના એક વૈભવી મોલમાં વિદેશી ચીજોના ગંજ ખડકાયેલા જોવા મળ્યા! ત્યાં પાણીથી માંડીને ગાડી સુધી બધું આયાતી જ હતું. તેના ભાવ તો આસમાનથી પણ ઉપર હતા. ડોનાલ્ડ ટ્રમ્પના મિત્ર એલોન મસ્કના નવા નવા ખુલેલા ટેસ્લા ગાડીના શોરૂમ ઉપર ગીર્દી હતી! કોકાકોલા, પેપ્સી, મેક ડોનાલ્ડ, સ્ટારબકસ, હોન્ડા, સુઝુકી, હૃાુંડાઈ, બર્ગર કિંગ, વિવો, ઓપો, એપલ જેવા હજારો નામે આપણને ફરી ગુલામ બનાવી દીધા છે. બટેટાની તળેલી કતરીને યુવાનો હવે 'ફ્રેંચ ફ્રાય' કહે છે. દુબઈના ડયુટી ફ્રી શોપમાંથી બિન્દાસ દારૂની વિદેશી બોટલો લાવે છે. ત્યાં પણ એક સાથે એક ફ્રીની સ્કીમ ચાલે છે! ગુજરાતમાં તે કહેવાય છે કે, રાજસ્થાન કે મહારાષ્ટ્રનો દારૂ તો પછાત લોકો પીવે. ગુજરાતમાં ઓરિજિનલ વિદેશી બ્રાન્ડ દારૂની ખપત વધતી જાય છે.
ક્રોકસ
આપણે બહુ મોટી કે આધુનિક ટેકનોલોજી કે અટપટી એ.આઈ. કરામતનો ઉલ્લેખ નથી કરવો. સાદા ચપ્પલ બાબતે પણ ભારતીયો અમેરિકાના નવા ચપ્પલ પાછળ ઘેલા બન્યા છે. તે છે 'ક્રોકસ'. કરોડો લોકો આજે આ નવી સ્ટાઈલના જૂતાં પહેરી રહૃાા છે. તે મૂળમાં અમેરિકન બનાવટ અને સંશોધન છે. ક્રોક્સની મૂળ રચના અને સ્થાપના બ્રૂમફિલ્ડ, કોલોરાડો, યુએસએમાં કરવામાં આવી હતી. કંપનીનું મુખ્ય મથક હજુ પણ કોલોરાડોમાં છે, આ જૂતાંનો બહુ મોટો સ્ટોર મુંબઇમાં એપલ અને ટેસ્લા જેવી હાઇફાઈ કંપનીઓના સ્ટોર છે ત્યાં બીકેસીમાં છે. આ જૂતાં ૭ હજારથી લઈ ૧૧ હજાર સુધીના છે! હવે ભારતમાં તેની નકલો પણ બહુ બનવા લાગી છે અને સસ્તી પણ છે. ૨૦૨૫ માં પણ આપણે અમેરિકન જૂતાં પહેરીએ અને તેની નકલ કરીએ તે બહુ શરમજનક વિકાસ કહેવાય!
સારાંશ
સ્વદેશી બનો. બાબા રામદેવ કે તેના જેવા સ્વદેશી સાહસિકોને પ્રોત્સાહન આપો. વિદેશી મોહ છોડો. જો કે આપણી માનસિકતા અનુસાર આ બહુ અઘરૃં છે. બહુ દુઃખ સાથે કહેવું પડે કે, ભારતમાં મોટાભાગની પ્રવૃત્તિમાં રાજકારણ છે. નવા સંશોધનો બાબતે બહુ મોટો શૂન્યાવકાશ છે. ક્રોકસ જેવા જૂતાં, ચપ્પલ પણ જો આખી દુનિયામાં ફરી વળતાં હોય તો અમેરિકા મહાસત્તા હોય તે સ્વાભાવિક છે. ભારતમાં ટાટા નેનો ન ચાલી, ક્રાઉન ટીવી, સેલોરા ટીવી, નિરમા વોશિંગ પાઉડર, વિડીયોકોન, માઇક્રોમેક્સ મોબાઈલ જેવી હજારો સ્વદેશી કંપનીઓને વિદેશીઓ ગળી ગયા છે.
સ્વતંત્રતા પર્વ પ્રસંગે તમામ દેશવાસીઓ સંપૂર્ણ સ્વદેશી બને અને મહાસત્તાઓની ચુંગાલ માંથી છૂટી ટટ્ટાર ઊભા રહે તેવી શુભકામના.
પરેશ છાંયા
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
છેલ્લા ૫ વર્ષમાં અમેરિકાથી આયાતમાં ૮૦%નો જંગી વધારો!
બે બળિયા બાથે વળગ્યા.
આ કહેવત બહુ જૂની છે, પરંતુ મને તેનો પૂરો અને સાચો અર્થ ૨૦૨૫ માં સમજાયો! અમેરિકામાં અતિ ધનિક ઉદ્યોગપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બીજીવાર પ્રમુખ બન્યા પછી તેના તેવર જુદા છે. જાણે કે અમોલ પાલેકરમાં અલ્લુ અર્જુનનો આત્મા પ્રવેશી ગયો હોય તેવું લાગી રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર ટેરિફનો દંડો પછાડી રહ્યા છે. જો કે દાદાના ડંગોરાએ હજુ કોઈ મોટી ક્રાંતિ કરી નથી. નજીકના ભવિષ્યમાં પણ કોઈ નવી અર્થ વ્યવસ્થા ઊભી થાય તેવા સંકેત નથી. આર્થિક લેણદેણના તાણાંવાણા એટલી અટપટી રીતે ગૂંથયેલા છે કે તેમાં કોઈ ભાત પડી ન હોવા છતાં ઉકેલવા કે નવેસરથી ગોઠવવા બહુ કપરૃં છે. ડોનાલ્ડ ટ્રમ્પને મહાન બનવાના અને નોબેલ શાંતિ પારિતોષિક જીતવાના અભરખા જાગ્યા છે. બીજી તરફ તે રશિયા અને ઇરાનના નામે બધાને ધમકાવે છે. ઈરાન ઉપર અમેરિકાએ લગભગ બે દાયકાથી વેપાર પ્રતિબંધ મૂક્યો હોવા છતાં ઈરાન કંગાળ બન્યું નથી. ઈરાનની જાહોજલાલી હજુ બરકરાર છે. પાકિસ્તાન જેવા દેશને ગધેડામાંથી ડરબી રેસનો ઘોડો બનાવી દેવાના શેખચલ્લી જેવા નિવેદનો કરી પોતાનું સ્તર ઘટાડી રહ્યા છે! અમેરિકા ફર્સ્ટનો તેમનો વિચાર ખોટો પણ નથી. અમેરિકામાં લાખો લોકો ગેરકાયદે ઘૂસી ગયા છે. ત્યાં તોફાનો, દાદાગીરી કરે છે. અમેરિકાની અર્થવ્યવસ્થા અને છાપ ધનિકની હોવાને કારણે ભારત સહિત અનેક દેશો તેના ઉત્પાદનો ઉપર મોટો કર લાદીને તગડી કમાણી કરે છે. ડોનાલ્ડ ટ્રમ્પ હવે આ ચલાવી લેવા માંગતા નથી.
ભારત
ટ્રમ્પના તઘલખી વર્તનને કારણે દુનિયાનું શું થશે તે વિચારવાને બદલે આપણું શું થશે? તે વિચારવું પડે. ડોનાલ્ડ ટ્રમ્પનો બીજા કાર્યકાળ ભારત માટે બહુ ખુશનુમા રહ્યો નથી. જો કે, આપણું અર્થતંત્ર હાથી જેવડું મોટું અને સિંહ જેવું શક્તિશાળી છે. ભારતની ૧૪૦ કરોડની વસ્તી અને અને તેમની ખરીદશક્તિ જ ચાલક બળ છે. નબળું પાસું એ છે કે, ભારત બહુ મોટી રીતે અમેરિકાની ટેકનોલોજી ઉપર નિર્ભર છે. ભારતમાંથી અમેરિકા અને ચીનની ટેકનોલોજી બાદ કરી નાખવામાં આવે તો આપણે પંગુ બની જઈએ. આઝાદીના ૭૫ વર્ષ પછી પણ ટેકનોલોજીની બાબતમાં આત્મનિર્ભર નથી. ભારતમાં મફતમાં વાપરવા મળતી વોટ્સએપ જેવી એક એપને કારણે દેશનું ટપાલ ખાતું ખખડી ગયું! અહી ડિ જિટલ ગુણવત્તાના આંતરરાષ્ટ્રીય ફોન કોલ અને વિડીયો કોલ મફત અથવા નગણ્ય ભાવમાં કરવા મળે છે. ભારતમાં મેટા અને આલ્ફા (ગૂગલ) વગરનું જીવન હવે શક્ય નથી. તે ઉચ્ચ ગુણવત્તા પણ ધરાવે છે.
ભારત પાસે પોતાની કોઈ નવીનતમ શોધ નથી કે જેના ઉપર દુનિયા આધારિત હોય.
અમેરિકા તેના સંશોધનો અને ટેકનોલોજીને કારણે દાદાગીરી કરે છે.
સ્વદેશી
વર્તમાનમાં આપણી હાલત બ્રિટિશ રાજ કરતા પણ ખરાબ છે. દેશમાં વિદેશી વેપારીઓ અને આપણી વિદેશી માનસિકતા ચરમસીમા ઉપર છે. નરેન્દ્ર મોદી સ્વદેશી માટે વારંવાર હાકલ કરે છે પણ તેની કોઈ અસર નથી. એક સમયે અમેરિકાના પી.એલ. ૪૮૦ ઘઉં ઉપરની નિર્ભરતા ઘટાડવા માટે વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીએ એક દિવસ ઉપવાસની હાકલ કરી હતી. આખો દેશ તેમાં ઉત્સાહથી જોડાયો હતો અને ત્યારથી દેશમાં સ્વદેશી ઘઉં ઉત્પાદન માટે મોટી જાગૃતિ આવી હતી!
આજે શું કરવું જોઈએ? દેશના નાગરિકોએ સપ્તાહમાં એક દિવસ વ્હોટ્સએપ, ફેસબુક, જીમેલ સહિતના તમામ વિદેશી ઉત્પાદનો ન વાપરવા જોઈએ. જેવાં હોય તેવાં, સ્વદેશી ઉત્પાદનો જ વાપરવાનો આગ્રહ રાખવો.
મારા મતે.. હવે સ્વદેશી બનવું બહુ કપરૃં છે. આપણી માનસિકતા જ સોફ્ટ લાઇફ ની બની ગઈ છે. વિદેશી ઉત્પાદનો વગર જીવન શક્ય નથી. દેશમાં નવી જાગૃતિ લાવવા માટેની બાબત મરી પરવારી છે. કોરોના કાળમાં થાળી વગાડી હતી તેવી જાગૃતિ સ્વદેશી માટે પણ હવે જરૂરી છે.
નરેન્દ્ર મોદી
ડોનાલ્ડ ટ્રમ્પના તઘલખી સ્વભાવ અને નિર્ણયોને કારણે ભારતના શકિશાળી અને દૂરંદેશી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આભા ઝાંખી પડી છે. ભારતની વિદેશનીતિ ઉપર સવાલો કરવામાં આવી રહ્યા છે. પહલગામ હુમલા પછી ત્રણ દિવસમાં યુદ્ધ આટોપી લેવાનો નિર્ણય ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત ડોનાલ્ડ ટ્રમ્પ શા માટે કરે? ભારતે આવી ગુસ્તાખી શા માટે ચલાવી લેવી જોઈએ? ભારતના જૂના અને હઠીલા દુશ્મન પાકિસ્તાનને ટ્રમ્પ શા માટે પંપાળી રહ્યા છે? તેવા સવાલોની ચર્ચા બહુ થઈ. હવે ટ્રમ્પ ટેરિફનો મુદ્દો ચર્ચામાં છે.
ટ્રમ્પને કારણે ભારતની અર્થનીતિ અને વિદેશનીતિ સામે ઉઠેલા સવાલોનો ભારતે એકવાર પણ ખોંખારો ખાઈને વળતો જવાબ આપ્યો નથી! નરેન્દ્ર મોદીએ એકવાર પણ ડોનાલ્ડ ટ્રમ્પનું નામ લઈ તેના નિવેદનોનો જવાબ આપ્યો નથી! નરેન્દ્ર મોદી અને અમિત શાહે જવાહરલાલ નહેરૂનું નામ લીધું તેને બદલે એકવાર પણ ટ્રમ્પનું નામ લઈ સંસદમાં જવાબ આપ્યો હોત તો વધુ ઉચિત ગણાત.
નરેન્દ્ર મોદીના ૧૧ વર્ષના કાર્યકાળમાં ૨૦૨૫ બહુ ભારે લાગે છે. વિદેશનીતિ બાબતમાં એસ. જયશંકર ઉપર આપણને બહુ મદાર હતો, પરંતુ ૨૦૨૫માં તે પોકળ પુરવાર થયો. ભારતના ગેરકાયદે વસાહતીઓને હાથ પગમાં સાંકળ બાંધી અમેરિકાએ દેશનિકાલ કર્યા તે બહુ ગંભીર ઘટના બની હતી.
અમેરિકાએ ચીનના લોકોને હાથ પગ બાંધી કેમ ડિપોર્ટ ન કર્યા?
ડોનાલ્ડ ઇરાનના નામે આપણને ધમકાવે છે, તેની સાથે વેપાર ન કરવા માટે ઉગ્ર ભાષામાં સલાહ આપે છે. બીજી તરફ તાજેતરમાં ઇરાનના વડાપ્રધાન પાકિસ્તાનનો પ્રવાસ કરી આવ્યા. અનેક વેપાર સમજૂતીઓ કરી. ડોનાલ્ડ ટ્રમ્પ કેમ આ ઘટના ઉપર મૌન છે? ભારતે પણ અમેરિકા સામે આ ઘટના નારાજગી સાથે દુનિયા સમક્ષ મૂકવી જોઈએ.
બીજી બાજુ
ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનો અને નિર્ણયોના અર્થ પણ સમજવા જોઈએ. ચૂંટાયા પછી ટ્રમ્પે પ્રથમ નિવેદન કર્યું હતું કે ભારત તો બહુ ધનિક દેશ છે, તેના લોકો દુનિયામાં સૌથી ઊંચા કરવેરા ભરે છે! ભારત અમેરિકાના ઉત્પાદનો ઉપર બહુ ઊંચો કર વસૂલ કરે છે. આ બાબતની પણ નોંધ લેવી જોઈએ. ડોનાલ્ડ બહુ સફળ ધંધાદારી છે, તેને કરવેરાની ઊંચી જાણકારી હોય તે સ્વાભાવિક છે. ભારત માત્ર અમેરિકા જ નહીં, તમામ આયાતો ઉપર ઊંચો કર વસૂલ કરે છે. ઊંડું વિચારીએ દેશમાં મોંઘવારી બહુ ઓછી છે, પરંતુ કરવેરાને કારણે બજારભાવ ઊંચા રહે છે. પેટ્રોલ ૯૫ રૂપિયે લીટર હોવાનું કારણ ઊંચા કરવેરા જ છે.
ભારત અને અમેરિકા વચ્ચેનો વેપાર સંબંધ વૈશ્વિક વાણિજ્યનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે, જેમાં બંને દેશો માલ અને સેવાઓમાં નોંધપાત્ર દ્વિપક્ષીય વેપારમાં રોકાયેલા છે.
કુલ દ્વિપક્ષીય વેપાર (૨૦૨૪): નાણાકીય વર્ષ ૨૨-૨૩ માં ભારત અને યુએસ વચ્ચે માલ અને સેવાઓનો કુલ વેપાર આશરે ડોલર ૧૩૦ બિલિયન હતો, જે અંદાજ મુજબ ૨૬-૨૭ સુધીમાં તે ડોલર ૩૦૦ બિલિયન સુધી પહોંચી શકે છે. વેપાર સંતુલનઃ ૨૦૨૩માં, ભારતનો વેપાર સરપ્લસ આશરે ડોલર ૩૬ બિલિયન હતો, જેમાં નિકાસ ડોલર ૮૮ બિલિયન અને યુએસથી આયાત ડોલર ૪૩ બિલિયન હતી.
ભાગીદારીઃ અમેરિકા ભારતનું સૌથી મોટું નિકાસ સ્થળ અને એકંદરે ત્રીજું સૌથી મોટું વેપાર ભાગીદાર છે, જે ભારતીય માલ અને સેવાઓ માટે મુખ્ય બજાર છે. યુનાઈટેડ નેશન્સના ડેટાબેઝ મુજબ, ભારતે ૨૦૨૪માં અમેરિકામાં ૭૯.૪૪ બિલિયન ડોલરના માલની નિકાસ કરી હતી. ભારતે અમેરિકામાં ૭,૩૪૬ કોમોડિટીઝની નિકાસ કરી હતી, જેમાં મુખ્યત્વે એન્જિનિયરિંગ ગુડ્સ ડોલર ૧૭.૬ બિલિયન ઇલેક્ટ્રોનિક ગુડ્સઃ ડોલર ૧૦.૦ બિલિયન, રત્નો અને ઝવેરાત ડોલર ૯.૯૦ બિલિયન, ફાર્માસ્યુટિકલ્સ (ડ્રગ ફોર્મ્યુલેશન્સ અને બાયોલોજિકલ) ડોલર ૮.૭૨ બિલિયન, પેટ્રોલિયમ ઉત્પાદનો ડોલર ૫.૮૩ બિલિયન, રેડીમેડ ગાર્મેન્ટ્સ, કપાસ, કાપડ સહિત ડોલર ૪.૭૧ બિલિયન છે.
કુલ નિકાસ ડોલર ૫૨.૯૫ બિલિયનમાં મુખ્ય વસ્તુઓ એન્જિનિયરિંગ ગુડ્સ ડોલર ૧૨.૩૩ બિલિયન, ઇલેક્ટ્રોનિક ગુડ્સ ડોલર ૬.૭૯ બિલિયન, ડ્રગ્સ અને ફાર્માસ્યુટિકલ્સ ડોલર ૬.૩૪ બિલિયન, રત્નો અને ઝવેરાત ડોલર ૬.૨૮ બિલિયન, કપાસઃ ડોલર ૩.૩૨ બિલિયનની છે.
વેપાર વૃદ્ધિઃ માર્ચ ૨૦૨૫ માં અમેરિકામાં ભારતીય નિકાસ ૩૫% વધીને ડોલર ૧૧ બિલિયન થઈ, જે નાણાકીય વર્ષ ૨૪-૨૫ માટે ડોલર ૮૭ બિલિયનની રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચી. ઇલેક્ટ્રોનિક નિકાસ, ખાસ કરીને આઈફોન્સ ૩૨% વધીને ડોલર ૩૮ બિલિયન થઈ હતી. કોફીના વૈશ્વિક ભાવ વધારાને કારણે ભારતની અમેરિકામાં કોફી નિકાસ ૪૦% વધીને ડોલર ૨ બિલિયન થઈ.
મોટી આયાતોમાં ખનિજ ઇંધણ અને તેલઃ ડોલર ૯.૯૮ બિલિયન, મોતી અને અર્ધ-કિંમતી પથ્થરો, ડોલર ૩.૨૧ બિલિયન, પરમાણુ રિએક્ટર, બોઇલર, મશીનરી અને યાંત્રિક ઉપકરણો ડોલર ૨.૮૧ બિલિયન, ઇલેક્ટ્રિકલ મશીનરી અને સાધનો ડોલર ૨.૦૨ બિલિયન.
આયાત વલણોઃ અમેરિકાથી આયાતમાં સતત વધારો થયો છે, પાંચ વર્ષમાં એટલે કે, ૨૦૨૦ માં ડોલર ૨૭ બિલિયનથી વધીને ૨૦૨૪ માં ડોલર ૪૩ બિલિયન થઈ છે. આયાતોમાં ખનિજ ઇંધણની આયાત, ખાસ કરીને ક્રૂડ તેલ, એક મોટો હિસ્સો ધરાવે છે, ૨૦૨૩માં ભારતમાં અમેરિકામાંથી આયાતનો નિકાસનો ૨૭% હિસ્સો આ સેગમેન્ટમાંથી થાય છે.
વેપાર અસમાનતાઃ ભારત અમેરિકાથી તેની ટોચની પાંચ આયાતો પર તેની ટોચની પાંચ નિકાસ પર મેળવેલ નિકાસ ફરજોની તુલનામાં નોંધપાત્ર રીતે વધુ આયાત છે. આ અસમાનતા વેપાર વાટાઘાટોમાં ચર્ચાનો મુદ્દો રહ્યો છે.
ટેરિફ ચિંતાઓઃ અમેરિકાએ ભારતીય લોખંડ, સ્ટીલ અને ઓટો સમાન પર વધારાનો કર લાદયો છે, આ કારણે અમેરિકામાં ભારતીય એન્જિનિયરિંગ નિકાસમાં વાર્ષિક ડોલર ૪ બિલિયનનો ઘટાડો થવાની સંભાવના છે.
રોકાણઃ એપ્રિલ ૨૦૦૦થી સપ્ટેમ્બર ૨૦૨૪ સુધીમાં ૬૮ બિલિયન ડોલરના ફ્લો સાથે અમેરિકા ભારતનો વિદેશી સીધા રોકાણ (એફડીઆઈ)નો ત્રીજો સૌથી મોટો સ્ત્રોત છે.
વેપાર વૃદ્ધિઃ દ્વિપક્ષીય વેપાર ૨૦૦૦ માં ૨૦ બિલિયન ડોલરથી વધીને ૨૦૨૪ માં ૧૧૮ બિલિયન ડોલર થયો છે, જેમાં યુએસ ૨૦૨૩ માં ભારતનો સૌથી મોટો વેપારી ભાગીદાર બન્યો.
પડકારોઃ ભારત અન્ય બજારોમાં ચીન તરફથી સ્પર્ધાનો સામનો કરી રહ્યું છે, જે યુએસમાં તેની નિકાસને અસર કરી શકે છે, ખાસ કરીને એન્જિનિયરિંગ માલમાં દેશ બહુ પાછળ છે.
સારાંશ
વિદેશી નિર્ભરતા ઘટાડો. જેવો છે, તેવો સ્વદેશી માલ વાપરો. મોદી સરકારે સ્વદેશી ઉત્પાદનો ઉપર જંગી રાહતો આપવી જોઈએ. ટેકનોલોજી પણ સ્વદેશી હોય તે જરૂરી છે. વ્હોટ્સએપ અને જીમેલ આપણા ટપાલ તંત્રને ગળી ગયા છે. શું આપણી પાસે આવા બે નાના સ્વદેશી એપ ન હોઈ શકે?
'નોબત'ના વાચકો અને ચાહકો સપ્તાહમાં એક દિવસ વિદેશી ઉપવાસ કરે તેવી વિનંતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
પાછલી જિંદગીમાં સુખી થવા..૬૦ વર્ષ સુધી જે કર્યું હોય તે ૬૦ વર્ષ પછી ન કરવું!
૧૨ વર્ષ પહેલાં ગુજરાતી ગાયક દેવાગ પટેલનું ગીત આવ્યું હતું..
'દુનિયા જાય તેલ લેવા, તું જલસા કર બાપુ જલસા કર' તે સમયે બહુ ચાલ્યું. પછી ભુલાઈ ગયું! તંદુરસ્ત રહેવાની આ જડીબુટ્ટી હતી.
જલસા ક્ષણીક બન્યા અને મગજ મારી કાયમી ઘર કરી ગઈ.
જીવનનો મધ્યમ તબક્કો બહુ કપરો હોય છે. ભણતર પૂરૃં થયા પછી નોકરી અને રૂપિયા શાંતિ ખાઈ જાય છે. લગભગ ૩૦ થી ૫૫ વર્ષ વચ્ચેના સમયમાં રૂપિયાના પ્રમાણમાં ચિંતા અને રોગ વધુ પ્રમાણમાં આવે છે. ક્રિકેટ મેચમાં ચોગા છગ્ગા ઉપર કિકિયારી કરતા દર્શકોની હાલત ઘરમાં બહુ કફોડી હોય શકે છે!
આપણે આજે આવો નિર્ણય કરી શકીએ ખરા?.. કે
જીવનનો અંતિમ તબક્કો હું મારી મરજીથી જીવીશ.
જીવનનો અંતિમ તબક્કો હું મારી મરજી અનુસાર જીવવા માગું છું.
જીવનનો અંતિમ તબક્કો કોને ગણવો તે 'તુંડે તુંડે મતિ ભિન્ના' હોય શકે છે. અગ્રેજોની વિચારધારાને માનીયે તો ૫૮ વર્ષ નિવૃત્તિની વય છે. કેન્દ્ર સરકાર ૬૦ ને અને શિક્ષણ વિભાગ ૬૨ને નિવૃત્તિની વય માને છે. અંબાણી, અદાણી, ટાટા કે ધંધાદારી લોકો માટે નિવૃત્તિની વય નક્કી નથી. આર્થિક લાચાર લોકોએ પણ જીવનના છેલ્લા દિવસો સુધી ભાર વેંઢારવો પડે છે.
ધનિકો અને ગરીબો... બન્ને માટે નિવૃત્તિ નથી.
કરોડો લોકો નિવૃત્તિ માણવા માટે માનસિકતા કેળવી શકતા નથી. પારકાનો ભાર વેંઢારવાનું તેના લમણે લખાયું હોય છે. કુદરતના નિયમ અનુસાર વૃક્ષ પણ પાનખરમાં બધું ખંખેરી નાખે છે. સાપ કાંચળી ઉતારી નાખે છે. વૃક્ષ ઉપરથી પાકેલા ફળ આપમેળે ખરી પડે છે. આપણા વિચારો, માન્યતા કે આવશ્યકતા કેમ આપોઆપ શૂન્ય થતા નથી? શ્વાસ બંધ થાય ત્યારે જ વિચારો કે ઈચ્છા બંધ થાય છે! જીવ શૂન્ય થાય ત્યારે જ જરૂરિયાતો શૂન્ય થાય છે!
જીવનના અંતિમ તબક્કામાં મનપસંદ પ્રવૃત્તિ વધુ પ્રમાણમાં કરવી જોઈએ, રમત ગમત હોય કે ધર્મ ધ્યાન હોય, ગમે તે જ કરવાનું.
ભાર
જીવનના ભારની વ્યાખ્યા નક્કી કરવી મુશ્કેલ છે. 'ભાર વગરનું ભણતર' છે, તેમ 'ભાર વગરનું વૃદ્ધત્વ' કેમ ન હોઈ શકે? અમેરિકા અને બ્રિટન માટે એમ કહેવાય છે કે, ત્યાં સંતાન પુખ્ત એટલે કે ૧૮ વર્ષનું થાય એટલે માં બાપને છોડી પોતાના રસ્તે ચાલ્યું જાય છે. પશુપક્ષીમાં પણ પાંખ આવે એટલે ઊડી જાય છે. અર્થ એ કે, સમય અનુસાર ભાર હળવો કરી નાખવો જોઈએ. ભારનું બીજું નામ જવાબદારી પણ છે. પશુ પંખીની જેમ આપણે સંતાનોને પડતાં મૂકી શકતા નથી. પૌત્ર, પૌત્રીની જવાબદારી પણ છોડી શાકતા નથી.
વૃદ્ધાવસ્થાની સામાજિક સમસ્યાઓ વૃદ્ધની સુખાકારી અને જીવનની ગુણવત્તાને અસર કરે છે. જે મુખ્ય નીચે મુજબ છે.
એકલતાઃ ઘણાં વૃદ્ધ વયસ્કો નિવૃત્તિ, મિત્રો અથવા પરિવાર ગુમાવવાને કારણે સામાજિક એકલતા અનુભવે છે. એકલતા ડિપ્રેશન જેવા ઊંચા જોખમો સાથે જોડાયેલી છે. અભ્યાસો સૂચવે છે કે વિકસિત દેશોમાં ૨૦-૩૦% વૃદ્ધ વયસ્કો એકલતા અનુભવે છે, નબળા સમુદાયમાં આ દર વધુ છે.
વય ભેદભાવઃ આને આપણે જનરેશન ગેપ પણ કહીએ છીએ. વયવાદ આત્મસન્માન ઘટાડી શકે છે અને તકોને મર્યાદિત કરી શકે છે, સર્વેક્ષણો દર્શાવે છે કે પશ્ચિમી દેશોમાં ૫૦% જેટલા વૃદ્ધ વય-આધારિત પૂર્વગ્રહનો અનુભવ કરે છે.
મર્યાદિત હલચલઃ નાણાકીય અસલામતી ઘણા વૃદ્ધ વ્યક્તિઓને ગંભીર અસર કરે છે, ખાસ કરીને જેઓ નિશ્ચિત પેન્શન પર આધાર રાખે છે અથવા બચત વિના છે. અમેરિકામાં ૬૫ વર્ષથી વધુ ઉંમરના લગભગ ૧૦% લોકો ગરીબી રેખા નીચે જીવે છે. પરિવહન, ટેકનોલોજી અથવા સમુદાય સેવાઓનો તે લાભ લઈ શકતા નથી. તે તેમને સમાજથી વધુ અલગ કરે છે.
સંભાળ અને નિર્ભરતાઃ વૃદ્ધ વયના લોકો ઘણીવાર પરતંત્રતા જેવા પડકારોનો સામનો કરે છે. કૌટુંબિક સંભાળ રાખનારાઓ કામમાં વ્યસ્ત હોય અથવા વધુ પડતા બોજ હેઠળ દબાયેલા હોઈ શકે છે. વૈશ્વિક સ્તરે, લગભગ ૧૫% વૃદ્ધ વયના લોકોને દૈનિક પ્રવૃત્તિઓમાં સહાયની જરૂર પડે છે, જેના કારણે સામાજિક અને પારિવારિક જીવન ઉપર તાણ આવે છે.
આરોગ્ય સમસ્યાઃ વૃદ્ધ વયના લોકો આરોગ્યની સમસ્યાઓ અથવા અપૂરતી વૃદ્ધાવસ્થા સંભાળને કારણે સુખી અને સંતોષજનક જીવન જીવવા માટે સંઘર્ષ કરી શકે છે. સંધિવા, ઉન્માદ, પેરાલીસીસ જેવી બીમારી આ લોકોને અસર કરે છે,
ડિજિટલ અજ્ઞાનઃ સંદેશાવ્યવહાર, બેંકિંગ અને સેવાઓ માટે ડિજિટલ પ્લેટફોર્મ પર ઝડપી પરિવર્તન આવી રહૃાા છે. ટેકનોલોજીથી અજાણ ઘણાં વૃદ્ધ વયના લોકો લઘુતાગ્રંથિ અનુભવે છે. યુવા વર્ગથી અલગ થઈ ગયાનો અહેસાસ કરે છે. તેની જાણ બહાર કૌટુંબિક પ્રવૃત્તિ ચાલતી હોવાનું દુઃખ અનુભવે છે. આર્થિક વ્યવહારો પણ મુશ્કેલ બને છે. વય આધારિત નબળાઈ કારણે બેન્ક જઈ શકતા નથી. આંખ નબળી હોવાથી મોબાઈલ ઑપરેટ કરવામાં તકલીફ પડે છે. શ્રવણ શક્તિ નબળી પડવાથી પણ મુશ્કેલી રહે છે.
સામાજિક નુકસાનઃ નિવૃત્તિ અથવા જીવનસાથીનું મૃત્યુ સામાજિક સક્રિયતા છીનવી શકે છે, આ સમસ્યાઓને ઉકેલવા માટે સમુદાય જોડાણ, સમજ સુધારા જેવા નીતિગત હસ્તક્ષેપો અને વયવાદ સામે લડવા અને ડિજિટલ સાક્ષરતાને પ્રોત્સાહન આપવા માટે પહેલની જરૂર છે.
વૃદ્ધોએ જાત ચાલે ત્યાં સુધી સક્રિય રહેવું જોઈએ.
અપેક્ષા
ઉમર વધવાની સાથે વ્યક્તિગત અપેક્ષા ઓછી કરવી જોઈએ. ચાલશે, ફાવશે અને ભાવશેનું સૂત્ર અપનાવી લેવું જોઈએ. નાની વયમાં જે કરતાં તે હવે ન કરવું જોઈએ. એક વ્યક્તિએ પૂછ્યું.. ૬૦ વર્ષ પછી સુખે થી જીવવું હોય તો શું કરવું?
જવાબ મળ્યો.. ૬૦ વર્ષ સુધી જે કર્યું હોય તે ૬૦ વર્ષ પછી ન કરવું!
ઈચ્છા
ઈચ્છાઓને મારવી અશક્ય છે. અમીબાની જેમ જેટલી કાપો તેમાંથી નવી નવી જન્મતી જ રહે. ઈચ્છા કદિ મરતી નથી... તે છે ઈચ્છા અનુસાર જીવવું. જવાબદારીઓના પોટલાં વધતાં જ જાય છે. મનને ખંખેરી શકાતું નથી. આમ કરવાની આપણી દાનત પણ નથી. વૃદ્ધત્વ જીવનનો અંતિમ પડાવ છે. આ સમજવા છતાં આપણે નવા નવા ભાર વેંઢારીને હિમાલય ગમન માટે કુચે મરીએ છીએ.
સમાજ પણ ઘણો જ ક્રુર છે! ૬૫ વર્ષના વૃદ્ધને બધા પુછે રાખે છે કે, શું કરો છો આજકાલ?
મારો જ દાખલો લો. અનેક લોકો મળે ત્યારે પૂછે કે, સમય કેમ પસાર કરો છો? મારી પાસે જવાબ સ્પષ્ટ હોતો નથી. એટલે કહું કે, ઘડિયાળ રાખતો નથી એટલે ખબર નથી!
નિવૃત્તિ
નિવૃત્તિની પ્રવૃત્તિઓ બાબતે ફિલોસોફી ઝાડતા તજજ્ઞો હજાર રસ્તાઓ બતાવશે. સલાહના પોટલાં ખોલશે. તે બીજા દિવસે ફરી નવા વિષય ઉપર લેક્ચર ફાડી નાખશે.
જીવનના અંતિમ તબકકામાં શાંતિ બહુ જ મહત્ત્વની છે. ઘણી વખત શાંતિ મેળવવા માટેના પ્રયાસોમાં જ અશાંતિ સર્જાય છે. સંબંધોમાં પણ આંટીઘૂંટી અસ્થિરતા સર્જે છે.
હવે તો નવો ટ્રેન્ડ ચાલ્યો છે. સંતાનો ભણીગણીને મોટા શહેરોમાં કે વિદેશ ઉડી જાય છે. એક મિત્ર તો સંતાનો સાથે સુખ માણવા વિદેશ ગયા. થોડા સમયમાં લીલા તોરણે પાછા ફર્યા. મને કહે કે, ત્યાં મોટેથી હસવાનું નહીં, ફોન ઉપર જોર જોરથી વાતો કરવાની નહીં, રોટલી ઉપર ઘી ચોપડવાનું નહીં, સંતાનોના મિત્રો આવે ત્યારે આપણે બેડરૂમમાં પુરાઈ જવાનું!! જાણે કે, સાદી કેદની સજા!
કેટલાક કિસ્સાઓમાં તો વહુ આવે એટલે વૃદ્ધો 'આઉટ ઓફ ડેટ' થઈ જાય. પુજા કરતા સમયે ઘંટડી જોરથી નહીં વગાડવાની... મેડમની ઊંઘમાં ખલેલ પડે! ટીવી જોરથી નહીં રાખવું, બાળકોને ભણવામાં નડે છે.
શરીર
જીવનભર જેણે સાથ આપ્યો તે.. આપણું શરીર જ સહકાર નથી આપતું! ડાયાબિટીસ, બ્લડપ્રેસર, લકવો, હદય રોગ જેવા રોગો ઘેરી વળે છે. પ્રવાસનો શોખીન જીવ પથારી પણ છોડી શકતો નથી. ૫૬ ભોગ જમતો માણસ ખાખરા ખાઈ જીવે. જીવનના અંતિમ તબક્કામાં અશક્તિ જ મારી નાખે છે. લાચારી ચરમસીમાએ હોય છે. ૭૦ વર્ષની વય સુધી જો શરીર સારૃં ચાલે તો ભગવાનનો આભાર માનવો. ૭૦ પછી પણ ચાલતા રહો તો નશીબદાર માનવું.
એક તબીબને બીમાર વૃદ્ધએ પૂછ્યું કે, પથારીવસ થઈ જાય તો શું કરવું? તબીબે કહૃાું કે, પંખો જોવાનો!
શરીર મજબૂત હોય ત્યાં સુધી જ દુનિયા માણવા લાયક છે. યુવાન વયે અભિમાન ન કરવું. શરીર અને શક્તિ તકલાદી છે. છેલ્લા શ્વાસ સુધી ટેકો આપે તો નસીબ.
સારાંશ
વૃદ્ધાવસ્થા બહુ કપરી છે. ૬૦ કે ૬૫ વર્ષ પછી નોકરી કે વ્યવસાય હો તો તેનાથી અલિપ્ત થવું. પરિવારને સમય આપવો. શેઠ પૈસા આપસે.. પરિવાર હુંફ દેશે. આર્થિક લાચારી ન હોય તો નોકરી કે ધંધો ન કરવો. હકારાત્મક વિચારો રાખવા. નરેન્દ્ર મોદી, ડોનાલ્ડ ટ્રમ્પ કે મોરારિબાપુ જેવા બહુ ઓછા નસીબદાર હોય છે. જે જતી જિંદગીએ પણ ઊડાઊડ કરતા હોય!
'નોબત'ના તમામ વાચકો અને ચાહકોને જીવનનો અંતિમ તબક્કો સુખમય નિવડે તેવી શુભકામના.
૫રેશ છાંયા
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
સૂર્ય ઉર્જા ઉત્પાદન ક્ષેત્રે રાજસ્થાન પછી ગુજરાત બીજા ક્રમે
ગુજરાતીઓના પ્રિય અને ધર્મ શિરોમણી માસ શ્રાવણનો આજથી પ્રારંભ થયો. ભક્તો શિવમય બન્યા છે. ગુજરાતીઓના દિલમાં ધર્મ અને ધંધો કાયમ માટે ટોપ ટ્રેન્ડ કરતો હોય છે. જો કે હમણાં હમણાં તે ક્રમમાં નાનકડો ફેરફાર જણાયો છે. આ શ્રાવણ માસમાં ધર્મ પછી બીજા ક્રમે 'સોલાર' ટ્રેન્ડ કરે છે. લગભગ ગુજરાતની ૫૦ ટકા વસ્તી સોલાર શક્તિમાંથી કમાણી કરવાના અવનવા રસ્તા શોધે છે! જ્યાં તક મળે ત્યાં સોલાર પેનલ ફીટ કરવા માટે જગ્યા શોધે છે. હજારો ખેડૂતો ખેતી કામ છોડી ચૂક્યા છે. સોલાર પાવર કંપનીઓ જમીન ૩૦ વર્ષના ભાડા પટ્ટે રાખે છે. બે વર્ષનું ભાડું કરાર સમયે જ આપી દે છે! ખેતીમાં હવે રસકસ રહૃાો નથી. ભાગીયા ભાગે આવવા દેતા નથી. દલાલો કમાવા દેતા નથી. જીવાતો પાક બગાડી નાખે છે, ખાતર સમયસર મળતું નથી. મોંઘવારી બેફામ વધી રહી છે. આવા સંજોગોમાં લાંબાગાળાની કાયમી મોટી આવકની લાલચ જાગે તે સ્વાભાવિક છે.
અંબાણી, અદાણી, ટાટા જેવા અબજોપતિ લોકો પણ જો સૂર્યશક્તિમાંથી શક્તિમાન થવાના પ્રયાસો કરતા હોય ત્યારે માધ્યમ વર્ગ તો કેમ બાકાત રહી શકે? કચ્છથી બનાસકાંઠા સુધીની જમીનો ઉપર કોર્પોરેટ કંપનીઓના સોલાર ફાર્મ ચાલુ થઈ ગયા છે. જામનગરથી જામજોધપુર અને જામનગરથી ઓખા સુધીના પટ્ટ ઉપર સોલાર પેનલો પથરાઇ રહી છે.
હવે સોલાર ફાર્મ અને પવન ચકીની સાથે 'હાઇબ્રીડ ફાર્મ'નો કોન્સેપ્ટ આવ્યો છે. સોલાર પેનલોની વચ્ચે પવન ચકી નાખવાની! આમ સૂર્ય અને હવા એમ બન્નેમાંથી વીજળી મેળવવાની!
જામનગર
જામનગર જિલ્લામાં સોલાર ફાર્મનો ક્રેઝ ટોચ ઉપર છે. કેટલાક ગામોમાં જમીનોના ભાવ આસમાને પહોેંચ્યા છે. એક વિઘા જમીનના ભાવ ૬૫ લાખથી એક કરોડ સુધી પહોેંચ્યા છે. જમીન ૩૦ વર્ષના ભાડે દેવી હોય તો એક વિઘા જમીનનું તગડું ભાડું આપવામાં આવે છે. જમીનો લેવા માટે ઠેર ઠેર દલાલો ફરી રહૃાા છે. કરાર કર્યા પછી જ્યાં સુધી સોલારની કામગીરી શરૂ ન થાય ત્યાં સુધી ખેડૂતને ખેતી કરવાની છૂટ પણ આપવામાં આવે છે. દર ત્રણ વર્ષે પાંચ ટકાનો ભાડા વધારો પણ આપવાની શરત છે. જામનગર જેવી હાલત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છે. ત્યાં પણ ખેડૂતો હવે ખેતીમાંથી છૂટવા માંગે છે. ૩૦ વર્ષની લાંબા ગાળાના બેઠી આવકના સુંદર સ્વપ્ન આવે છે.
ફોસીલ એનર્જી
વર્તમાન સમયમાં આપણે ઉર્જા મેળવવા જે પેટ્રોલ, ડિઝલનો ઉપયોગ કરીએ છીએ તેને ફોસીલ એનર્જી અથવા અશ્મિભૂત એનર્જી કહેવામાં આવે છે. તેના પુરવઠાનો અંત હવે નજીક છે. આથી, વૈક્લપિક ઉર્જા ઝડપથી વિકસાવવી જરૂરી છે. જરૂરિયાત સંશોધનની માતા છે. અશ્મિભૂત એનજીનું સ્થાન ઝડપથી પવન ઉર્જા અને સૂર્ય ઉર્જા લઈ રહી છે. ભારત સરકારે જાહેર કર્યું છે કે, દેશમાં કુલ વપરાશના ૫૦ ટકા બિન અશ્મિભૂત એનર્જીએ સ્થાન લઈ લીધું છે. આ લક્ષ્ય ૨૦૩૦ સુધીનું નક્કી કરવામાં આવ્યું હતું પરંતુ તે લક્ષ્ય ૨૦૨૫ માં જ એટલે કે, પાંચ વર્ષ પહેલાં સિદ્ધ કરી લેવામાં આવ્યું છે! ભારતની કુલ વીજ ઉત્પાદન ક્ષમતા ૪૮૪.૮ ગીગા વોટની છે, તેની સામે બિન પરંપરાગત ઉર્જાનું ઉત્પાદન ૨૪૨.૮ ગીગા વોટ થયું છે! આમ ભારત હવે ફોસીલ એનર્જી ઉપરની પોતાની નિર્ભરતા બહુ ઝડપથી ઘટાડી રહૃાું છે.
પવન ઉર્જા
ભારતમાં બિન પરંપરાગત ઉર્જા ક્ષેત્રનો હવા, પવનથી પ્રારંભ થયો. ગુજરાતીઓ સૌ પ્રથમ સુઝલોન કંપનીથી આ ક્ષેત્રને ઓળખતા થયા. પવન ઉર્જા નવીનીકરણીય ઊર્જાનું એક સ્વરૂપ છે જે પવન ટર્બાઇનનો ઉપયોગ કરીને પવનની ગતિ ઊર્જાને વીજળીમાં રૂપાંતરિત કરે છે. આ ટર્બાઇન્સમાં બ્લેડ હોય છે, જે પવન ફૂંકાય ત્યારે ફરે છે, અને આ પરિભ્રમણ એક જનરેટર ચલાવે છે જે વીજળી ઉત્પન્ન કરે છે. પવન ઊર્જા એક સ્વચ્છ અને ટકાઉ ઊર્જા સ્ત્રોત છે, જે વધુ ટકાઉ ઊર્જા પ્રણાલીમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
આ ઉર્જા નિર્માણ કાર્યમાં હવાની ગતિ બહુ મહત્ત્વની છે. જેની ઝડપ/ગતિ કાયમ એક સમાન રહેતી નથી, મોટી વધઘટ થાય છે. આથી ઉત્પાદન પણ અનિશ્ચિત રહે છે. તે માત્ર મેદાનોમાં જ સ્થાપિત કરી શકાય છે. સ્થાપન પણ બહુ ખર્ચાળ છે. નિર્માણ અને મરામત બન્ને સમય અને શક્તિ માંગે છે. સામાન્ય લોકોને માટે તે કપરૃં કામ છે.
પવન ઉર્જા ઉત્પાદનમાં રહેલી ક્ષતિઓને કારણે તેનો વિકાસ બહુ થયો નથી. તેની સામે સુર્ય શક્તિ આધારિત ઉર્જા સુલભ, સરળ અને નિયમિત હોવાથી તે ઝડપથી ફેલાઈ રહી છે. નાની અગાસીમાં પણ સોલાર પેનલ લગાવી શકાય છે. સામાન્ય જ્ઞાન ધરાવતા કારીગરો ફીટ કરી શકે છે અને જાળવણી પણ કરી શકે છે. ઉર્જાનો આ કાયમી અને નિશ્ચિત સોર્સ છે. પવન કરતાં તેની ગુણવત્તા પણ ઊંચી છે.
અમલ
ડિસેમ્બર ૨૦૨૪ સુધીમાં, ગુજરાત ભારતના સૌર ઉર્જા ક્ષેત્રમાં અગ્રણી રાજ્ય છે, જેની કુલ સ્થાપિત સૌર ઉર્જા ક્ષમતા ૧૬.૭ ગીગા વોલ્ટ (૧૬૭૯૫ મેગા વોલ્ટ) છે. ગુજરાત રાજસ્થાન પછી ભારતમાં બીજા ક્રમનું સૌથી મોટું સૌર ઉર્જાથી ચાલતું રાજ્ય છે. દેશની વસ્તીના માત્ર ૫% વસ્તી હોવા છતાં, ગુજરાત ભારતના રહેણાંક છત સોલાર સિસ્ટમના લગભગ બે તૃતીયાંશ હિસ્સો ધરાવે છે. મે ૨૦૨૫ સુધીમાં, પીએમ સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજના હેઠળ ૩.૩૬ લાખથી વધુ છત સોલાર સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે, જેનાથી ૧૨૩૨ મેગાવોટ ઉર્જા ઉત્પન્ન થાય છે. આના પરિણામે ૧૨૪૮ મેટ્રિક ટન કોલસાની બચત થઈ છે અને ૧૫૦૪ મેટ્રિક ટન કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થયો છે. ૨૦૨૪ ના પ્રથમ નવ મહિનામાં, ગુજરાતે ભારતના છત સૌર સ્થાપનોમાં ૩૮% ફાળો આપ્યો હતો.
મુખ્ય સૌર પ્રોજેક્ટ્સ
ચારણકા સોલાર પાર્કઃ પાટણ જિલ્લામાં આવેલું, આ એશિયાના સૌથી મોટા સૌર પાર્કમાંનું એક છે, જેની ક્ષમતા ૭૦૦ મેગાવોટથી વધુ છે. તે જાહેર-ખાનગી ભાગીદારી માટે એક મોડેલ રહૃાું છે અને તેણે રોજગારની તકો ઊભી કરી છે.
ધોલેરા સોલાર પાર્કઃ ધોલેરા સ્માર્ટ સિટી પ્રોજેક્ટનો એક ભાગ, તે ૫ ય્ઉ ક્ષમતાનું લક્ષ્ય રાખે છે, જે મોટા પાયે સૌર વિકાસ માટે એક નવો માપદંડ સ્થાપિત કરશે.
ખાવડા રિન્યુએબલ એનર્જી પાર્કઃ કચ્છના રણમાં વિકાસ હેઠળ, આ હાઇબ્રિડ પાર્ક (સૌર અને પવન) ૩૦ ય્ઉ રિન્યુએબલ ઉર્જાનું લક્ષ્ય રાખે છે, જેમાં ૨૦૨૫ સુધીમાં ૩ ય્ઉ પહેલાથી જ કાર્યરત છે, જે ડિસેમ્બર ૨૦૨૬ સુધીમાં સંપૂર્ણપણે પૂર્ણ થવાની અપેક્ષા છે. તે ૧૫,૨૦૦ થી વધુ ગ્રીન જોબ્સનું સર્જન કરશે અને વાર્ષિક ૫ મિલિયન ટન કાર્બન ઉત્સર્જન ઘટાડશે.
કેનાલ સોલાર પાવર પ્રોજેક્ટઃ વડોદરામાં નર્મદા કેનાલ પર ૧૦ મેગાવોટનો કેનાલ-ટોપ સોલાર પ્લાન્ટ સ્વચ્છ ઉર્જા ઉત્પન્ન કરતી વખતે પાણીનું બાષ્પીભવન ઘટાડે છે.
નીતિ અને પ્રોત્સાહનો
ગુજરાત સોલાર પોલિસીઃ આ નીતિએ સૌર પ્રોજેક્ટ્સ માટે ક્ષમતા મર્યાદા દૂર કરી, સૌર ઉત્પાદન માટે છત ભાડે લેવાની મંજૂરી આપી અને નેટ-મીટરિંગ સુવિધાઓ પૂરી પાડી. સરપ્લસ વીજળી પ્રથમ પાંચ વર્ષ માટે ૨.૨૫ /યુનિટના દરે ખરીદવામાં આવે છે, પછી સ્પર્ધાત્મક બોલી દ્વારા નક્કી કરાયેલા નવીનતમ ટેરિફના ૭૫% છે.
સૂર્યશક્તિ કિસાન યોજનાઃ ખેડૂતોને સૌર પેનલ ઇન્સ્ટોલેશન ખર્ચ પર ૬૦% સબસિડી મળે છે, જેમાં ૩૦% ઓછા વ્યાજની લોન તરીકે હોય છે, અને તેઓ પ્રથમ સાત વર્ષ માટે ૭/યુનિટ અને ત્યારબાદ ૩.૫/યુનિટના દરે ગ્રીડમાં વધારાની ઊર્જા નિકાસ કરી શકે છે.
પીએમ સૂર્ય ઘર યોજનાઃ ૩ કિલો વોલ્ટ સુધીની છતવાળી સોલાર સિસ્ટમ માટે ૪૦% સુધી અને ૩-૧૦ કિલો વોલ્ટ વચ્ચેની સિસ્ટમ માટે ૨૦% સુધીની સબસિડી આપે છે. રાજ્ય સરકારે ૧૭૭ કરોડ સરકારી ઇમારતો પર રૂફટોપ સોલાર લગાવવા માટે આપ્યા છે.
ગુજરાત રિન્યુએબલ એનર્જી પોલિસીઃ ગુજરાત ૨૦૩૦ સુધીમાં ૧૦૦ ગીગાવોટ રિન્યુએબલ એનજીર્નો લક્ષ્યાંક રાખે છે, જેમાં સૌર, પવન અને હાઇબ્રિડ પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે, જેમાં ૫ લાખ કરોડના રોકાણ લક્ષ્યાંકનો સમાવેશ થાય છે.
ઉત્પાદન અને માળખાગત સુવિધા
ગુજરાત સૌર ઉત્પાદન માટેનું કેન્દ્ર છે, જેમાં અદાણી સોલાર (૩.૫ ગીગાવોટ ક્ષમતા), વારી એનર્જી (ચીખલીમાં ૫.૪ ગીગાવોટ સોલાર સેલ ગીગાફેક્ટરી), અને સોલેક્સ એનર્જી (સુરતમાં ૧૫ ગીગાવોટ મોડ્યુલ અને ૫ ગીગાવોટ સેલ ક્ષમતાનું આયોજન) જેવી કંપનીઓ છે. આ સુવિધાઓ હજારો નોકરીઓનું સર્જન કરે છે, જેમાં વારી એકલા ૯,૫૦૦ પ્રત્યક્ષ અને ૩૦,૦૦૦ પરોક્ષ નોકરીઓનું સર્જન કરે છે.
નવીન પહેલ
મોઢેરાઃ ભારતનું પહેલું ૨૪ટ૭ સૌર ઉર્જાથી ચાલતું ગામ બન્યું છે, જેમાં ૧,૩૦૦ થી વધુ છત પર સોલાર સિસ્ટમ અને જમીન પર માઉન્ટેડ પ્લાન્ટ છે.
સુરતનો સૌર ઉર્જાથી ચાલતો બસ ડેપોઃ ભારતમાં આ પ્રકારનો પ્રથમ પ્રોજેક્ટ છે, જેમાં ૧.૬ કરોડનો ખર્ચ છે અને વાર્ષિક ૭ લાખ ઊર્જા ખર્ચ બચાવે છે.
ગ્રીન હાઇડ્રોજનઃ ગુજરાત સૌર ઉર્જાનો ઉપયોગ કરીને ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદનની શોધ કરી રહૃાું છે, ડિસેલિનેશન અને નિકાસ ક્ષમતા માટે તેના દરિયાકાંઠાનો ઉપયોગ કરી રહૃાું છે.
પડકારો
પવન અને સૂર્ય ઉર્જા પ્રોજેક્ટમાં રોજગારી બહુ ઓછું સર્જન થાય છે. ચારણકા સોલાર પાર્ક પ્રોજેક્ટ્સને સ્થાનિક ઇકોસિસ્ટમને અસર કરવા અને નોકરીઓ (૩૦ હજારના વચન સામે માત્ર ૬૦ સ્થાનિક નોકરીઓ) અને સ્વચ્છ પાણી જેવા વચન આપેલા લાભો પહોંચાડવામાં નિષ્ફળ રહેવા બદલ ટીકાનો સામનો કરવો પડ્યો છે. પ્રદૂષણ ઓછું કરવા માટે રામબાણ ઈલાજ ગણાતાં પવન અને સુર્ય ઉર્જા રોજગારી આપવામાં નબળા પડે છે.
પોતાના ઘરની છત ઉપર સોલાર ફીટ કરનારને વીજ બિલમાં મોટી રાહત મળે છે, આથી આ પરિવારો વીજળીનો બેફામ ઉપયોગ કરે છે. કામ વગર પણ ઉપકરણો ચાલુ રાખે છે. વીજળી વેડફે છે. ઉર્જા વપરાશ ક્ષેત્રે આપણે બહુ બેજવાબદાર છીએ.
'નોબત'ના વાચકો અને ચાહકો વીજળી, પેટ્રોલ, ડીઝલ ઈંધણનો કરકસરયુક્ત વપરાશ કરે તેવી હાર્દિક વિનંતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ઈઝરાઈલી વેબ 'ઓફ રોડ' સાહસ પ્રવાસનનો નવો અનુભવ કરાવે છે
નાના પડદાનું મનોરંજન રંગ જમાવે છે. અહી દેશી વિદેશી કલા કસબીઓની રચનાઓ માણવા માટે મોટો ખજાનો છે. અનેક નાના અને પડદા પાછળ ધકેલાઇ ગયેલા કલાકારો દર્શકોને જકડી રાખવામાં સફળ થયા છે. એક સમયની લોકપ્રિય અભિનેત્રી નીના ગુપ્તા પંચાયતની ચાર સિઝન કરી ચૂકી છે. પદ્યમીની કોલ્હાપુરે પૃથ્વીરાજ ચૌહાણમાં જોવા મળે છે. મારા જેવા અનેક લોકો છે, જે મોટા સિનેમાઘરમાં બહુ ઓછા જાય છે. તેમના માટે તો આ ઘેર બેઠા ગંગા છે. તાજી ગુજરાતી ફિલ્મ 'ઓલ ધ બેસ્ટ પંડયા'થી લઈ ઈઝરાઈલી વેબ સીરિઝ 'ઓફરોડ' જોઈ નાખી. ચાલો, આજે 'નોબત'ના વાચકોને પણ મનોરંજનનો આસ્વાદ કરાવીએ. આજે અહીં મારધાડ કે દક્ષિણની ફિલ્મોની અતિરેક ધરાવતી મારધાડથી ભરપુર ફિલ્મોની એન્જિઑગ્રાફી કરવી નથી, પરંતુ શાંત દિમાગે માણી શકાય તેવી કેટલીક ઓટીટી રિલીઝ ઉપર વિહંગાવલોકન કરવું છે.
ઓફ રોડ
દુનિયામાં યહૂદી દેશ ઇઝરાઈલને આપણે માત્ર લડાયક અને જાસૂસી કરતા દેશ તરીકે જ ઓળખીએ છીએ. ઇઝરાઈલ તેના આધુનિક શસ્ત્ર માટે વિશ્વમાં નામના ધરાવે છે. આપણને એ ખબર નથી કે હાલમાં દુનિયામાં ઈઝરાઈલી ફિલ્મ 'ફૌદા' ધૂમ મચાવે છે. આ એક વેબ ફિલ્મ, ઓટીટી રીલીઝ છે. ફૌદા એક્શન વેબ છે. તેના અભિનેતા લીઓર રાઝની ટ્રાવેલ, એડવેન્ચર સિરીઝ 'ઓફ રોડ' જોઈ. મજા આવી. આ પણ એક ઇઝરાઇલનું નિર્માણ છે. પ્રવાસન અને એડવેન્ચર ભરપુર અનેક સિરિયલ્સ આવી તેમાં આ નોખી ભાત પડે છે. ઓફ રોડમાં પ્રથમવાર તેલઅવિવથી મધ્ય એશિયાના કઝાકિસ્તાન અને કિર્ગિસ્તાનનો જોખમી પ્રવાસ દર્શાવામાં આવ્યો છે. ૨૫ દિવસ અને ૨૫૦૦ કિલોમીટરની દુર્ગમ રસ્તાની કાર ડ્રાઈવ દર્શકો માટે રોમાંચક બને છે. લીઓરની સાથે ઇઝરાઈલની સેલિબ્રિટી ટીવી અભિનેત્રી રોટેમ સેલા છે જે 'અમેરિકન આઈડોલ'થી પ્રસિદ્ધિ પામી. બન્ને પોતપોતાનાં રૂટિન કામથી બ્રેક લેવા માટે આ જોખમી પ્રવાસ શરૂ કરે છે.
ઓફ રોડના નૈસર્ગિક રૂશ્યો અદભૂત છે. જેનું શબ્દ વર્ણન શક્ય નથી. ફિલ્મના નિર્માતાએ પણ કુદરતની લીલા કચકડે કંડારવા માટે અનેકવાર ડ્રોન અને હેલિકોપ્ટરનો સહારો લીધો છે. અફાટ રણ, લીલાચ્છમ મેદાનો. કિર્ગિસ્તાનમાં દુનિયાનું બીજા ક્રમનું સૌથી મોટું તળાવ છે. પાણી ખારૃં હોવાથી શિયાળામાં પણ જામતું નથી. અહીની નાની હોટલો પણ જોવા જેવી છે.
આ ૬ ભાગની નેટફ્લિક્સ શ્રેણી છે જેમાં ઇઝરાયેલી કલાકારો લિયોર રાઝ અને રોટેમ સેલા કિર્ગિસ્તાન અને કઝાકિસ્તાનની રોડ ટ્રીપ પર છે. આ શો મધ્ય એશિયાની સંસ્કૃતિ અને સુંદરતાની શોધ કરે છે. શ્રેણીમાં પરંપરાગત કોક બોરૂ રમત, ઇસિક-કુલ તળાવ અને એક દૂરના ગામની મુલાકાતનો સમાવેશ થાય છે. આ શ્રેણીમાં બિશ્કેક, ઇસિક-કુલ તળાવ, ગરમ પાણીનો ઝરણું, પશુધન ફાર્મ, કારાકોલ શહેર અને જિરગાલાંગ ગામની મુલાકાતોનો સમાવેશ થાય છે. અહીની સંસ્કૃતિ પણ દર્શાવવામાં આવી છે. અહીંયા કેટલાંક વિસ્તારો એવા પણ છે જ્યાંના બાળકો, યુવાનો પોતાના પિતાને જાણતા જ નથી હોતા! તેમને પિતાની ઓળખ કરવાની તમન્ના પણ નથી. આ વિસ્તારમાં સેક્સ બહુ સામાન્ય પ્રવૃત્તિ છે. ભારતીય સંકૃતિમાં જીવતા આપણાં લોકો માટે આવી વાતો બહુ આશ્ચર્યજનક લાગે છે. સાહસ અને પ્રવાસનના શોખીન દર્શકોને ઓફરોડ જોવા માટે ખાસ ભલામણ છે.
હેડ્સ ઓફ સ્ટેટ
હોલીવુડ સ્ટફ ધરાવતી બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા સીટાડેલ પછી તરત 'હેડ્સ ઓફ સ્ટેટ્સ' ફિલ્માં ચમકી છે. પ્રિયંકાનો સ્વેગ જોઈ લાગે કે તે બોલીવુડ કરતાં હોલીવુડ માટે જ જન્મી છે. આ એક રૂટિન અંગ્રેજી ફિલ્મ છે. આપણી દેશી કુડી હોવાથી ફિલ્મ જોવાનું મન થાય તે સ્વાભાવિક છે. મગજ સિનેમા હોલની બહાર મૂકીને જવું. મુંબઈ અને હોલિવૂડનો સંબંધ બહુ જૂનો છે. એક સમયે ટેનિસ ખેલાડી વિજય અમૃતરાજ જેમ્સ બોન્ડની ફિલ્મોના ભારતના વિતરક હતા. તેમણે જયપુરમાં ૧૯૮૩ માં રજૂ થયેલી 'ઓકટોપસી'માં અભિનય પણ કર્યો હતો. કબીર બેદી પણ અંગ્રેજી ફિલ્મોમાં અનેકવર ચમક્યા. ઐશ્વર્યા રાય, અમિતાભ, ઓમ પૂરી, ડીમ્પલ કાપડિયા સહિત અનેક કલાકારો અમેરિકન ફિલ્મોમાં ભાગ્ય અજમાવી ચૂક્યા છે. આ બધા કલાકારોમાં પ્રિયંકા સૌથી સફળ રહી છે.
હેડ્સ ઓફ સ્ટેટ્સમાં અમેરિકા અને બ્રિટનના પ્રધાનમંત્રી એક સાથે અમેરિકાના એરફોર્સ વન જેવા હાઈટેક વિમાનમાં પ્રથમવાર સાથે મુસાફરી કરે છે. વિમાન ઉપર હુમલો થાય છે અને આ બન્ને સિવાય બધા પ્રવાસીઓ મૃત્યુ પામે છે. બન્ને પેરેસ્યૂટ વડે જંગલમાં ઉતરે છે. અમેરિકા અને બ્રિટન જેવી મહાસત્તાના વડા એકલપંડે ભટકે છે, દુશ્મનો તેમનો પીછો કરે છે. આવા કપરા સમયે આપણી અભિનેત્રી પ્રિયંકા ચોપરા કમાન્ડો બની બન્નેનો અદ્ભુત બચાવ કરે છે. પ્રિયંકા બ્રિટનના વડાપ્રધાનની પ્રેમિકા પણ હોય છે તેથી અહી લાગણીઓનું યુદ્ધ પણ ખેલાય છે. અહી અમેરિકાના પ્રમુખની ભૂમિકા લોકપ્રિય અભિનેતા માચો મેન જોન સીનાએ ભજવી છે. બ્રિટિશ વડાપ્રધાનની ભૂમિકામાં ઇદ્રીશ એલબા છે.
ઉપ્પુ કાપ્પુરામ્બુ
દક્ષિણની આ એક સોશિયલ કોમેડી ફિલ્મ છે. મારધાડ ઉપરાંત દક્ષિણના મનોરંજન નિર્માતાઓ પણ અજબ ગજબના નવતર વિષયો લાવે છે. વિચિત્ર નામધારી ફિલ્મ અત્યારે ટ્રેન્ડિંગમાં છે. હિન્દી ડબ વર્ઝન હોવાથી આપણને મજા પડે.
આ ફિલ્મમાં ચીટ્ટી જયપુરામ નામના એક નબળા ગરીબ ગામની વાર્તા છે.
હિન્દુ સંસ્કાર અનુસાર મૃતદેહને અગ્નિદાહ દેવાનો હોય છે, પરંતુ આ ગામમાં અગ્નિદાહ આપવામાં આવે તો ભયંકર આપત્તિ આવે અને જીવલેણ દુકાળ પડે તેવી માન્યતા છે. આથી જેમનું મૃત્યુ થાય તેને દફન કરવામાં આવે છે, એટલે કે સમાધી આપવામાં આવે છે.
દાયકાઓ બાદ ગામના કબ્રસ્તાનમાં હવે સિમિત જગ્યા છે તેથી કજીયા કંકાસ થવા લાગે છે. ધનિક, માથાભારે, લાગણીશીલ લોકો પોતાના માટે અથવા સ્વજન માટે સમાધી સ્થળ મેળવવા દાવપેચ શરૂ કરે છે... આ દાવ પેચ તે જ ફિલ્મની વાર્તા...! મુળ તેલુગુ ફિલ્મ હિન્દી સહિત પાંચ ભાષામાં ડબ કરવામાં આવી છે.
ફિલ્મના પ્રારંભમાં જ ગામના સરપંચનું અવસાન થાય છે. પરંપરા અનુસાર તેનો પુત્ર સરપંચ બને, પરંતુ તેને પુત્ર ન હોવાથી પુત્રી એટલે કે ફિલ્મની નાયિકા સરપંચ બને છે. તેને ગામના રાજકારણમાં જરા પણ રસ નહતો અને અનુભવ પણ ન હતો. નવા સરપંચને પરેશાન કરવા માથાભારે લોકો કાવાદાવા કરે છે. સૌથી ગંભીર સમસ્યા ત્યારે આવે છે જ્યારે ખબર પડે છે કે, ગામના સમાધી વિસ્તારમાં હવે જૂજ લોકોને જ દફનાવી શકાય તેમ છે. આસપાસના ગામોમાં સમાધીની પ્રથા ન હોવાથી કોઈ આ કામ માટે જમીન આપતા નથી. લાગણીશીલ સરપંચ આ સમસ્યા કેવી રીતે ઉકેલે છે તે જોવું રોચક બને છે. કથા લેખકે મહેનત કરી છે. અભિનેત્રીની ભૂમિકામાં કીર્તિ સુરેશ ભૂમિકાને ન્યાય આપવામાં સફળ રહી છે. કઇંક નવું જોવા માંગતા દર્શકોએ સાઉથની ફિલ્મો જોવી જોઈએ.
આપ જૈસા કોઈ
આ પરંપરગત હિન્દી ફિલ્મ છે. આ વાર્તા જમશેદપુરના એક મધ્યમ વયના સંસ્કૃત પ્રોફેસર શ્રી રેણુ ત્રિપાઠી વિશે છે જે ફ્રેન્ચ શિક્ષક મધુ બોઝના પ્રેમમાં પડે છે. તેમના સંબંધો પર કૌટુંબિક દબાણ અને સામાજિક રિવાજોનું બંધન છે. ફિલ્મ આપ જૈસા કોઈનું શૂટિંગ મુખ્યત્વે કોલકાતા અને ઝારખંડમાં કરવામાં આવ્યું હતું, જ્યારે કેટલાક ભાગનું શૂટિંગ મુંબઈમાં થયું હતું. કોલકાતાના મુખ્ય સ્થળોમાં કુમારતુલી, છોટાલાલ ઘાટ અને બોબજારનો સમાવેશ થાય છે. મુખ્ય ભૂમિકામાં આર. માધવન, ફાતિમા શેખ અને આયશા રઝા છે. આધુનિક પ્રેમકથા તરીકે રજૂ કરાયેલી આ ફિલ્મ ભાવનાત્મક સંબંધો, સ્ત્રી પુરૂષોના સંબંધોમાં બીજી તકની શોધ કરે છે. ધર્મા પ્રોડક્શન્સ અને ધર્માટિક એન્ટરટેઈનમેન્ટ દ્વારા નિર્મિત, આપ જૈસા કોઈ એક આધેડ લગણીઓની વાર્તા છે.
કાલીધર લાપતા
માનસિક રોગીઓથી છૂટકારો પામવા માટે પરિવાર દ્વારા તેને કુંભ મેળામાં રખડતા મૂકી દેવાની વાર્તા અનેક ફિલ્મોમાં આવી ગઈ છે. અહી કાલીધરની ભૂમિકામાં અભિષેક બચ્ચન છે. ઘણાં લાંબા સમય પછી અભિષેકનો અભિનય સંવેદનશીલ રહૃાો. મંદબુદ્ધિનો કાલીધર ભટકતો રહે છે. નાનો અનાથ બાળક તેનો આધાર બને છે. બન્ને અહીં તહીં ભટકે છે. ફિલ્મ કોઈ મોટા ટ્વિસ્ટ અને ટર્ન વગર ચાલે છે. સમય પસાર કરવા માટે કાલીધર જોઈ લેવું.
પંચાયત
ઓટીટી ઉપર ચર્ચા કરતાં હોઈએ અને પંચાયતનો ઉલ્લેખ ન કરીએ તો અધૂરૃં લાગે. ત્રીજી સિઝનમાં વર્તમાન સરપંચ નિના ગુપ્તા ચુંટણી હારી જાય છે. સચિવ અને સરપંચ પુત્રી પિંકીની લવસ્ટોરી ચુંબન સુધી પંહોચી ગઈ છે. જોકે નિના ગુપ્તા અને રઘુવીર યાદવનું શાસન પૂરૃં થાય છે, સચિવજી સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ થઈ ગયા છે અને ફુલેરા ગામ છોડવાના છે તે નક્કી થઈ ગયું છે.માથાભારે વિધાયકને પક્ષે હકાલપટ્ટી કરી નાખી છે.
આટલા બધા વળાંકો પછી પંચાયતની ચોથી સિઝન આવી રહી છે. દર્શકોને જકડી રાખવામાં ફુલેરા ગામના પાત્રો સફળ રહૃાા છે. નિર્માતાઓના દાવ અનુશાર તે આ શ્રેણીની ૧૦ સિઝન કરવા માંગે છે!
મિસ્ટ્રી
આ એક ભારતીય કોમેડી-થ્રિલર છે. તે યુએસ શ્રેણી 'મોન્ક'નું સ્થાનિક રૂપાંતર છે, જેમાં રામ કપૂર ડિટેક્ટીવ અરમાન મિસ્ત્રી તરીકે અભિનય કરે છે, જે જટિલ કેસોને ઉકેલવા માટે પોતાના તેજસ્વી મન અને ઝીણવટભરી આદતોનો ઉપયોગ કરે છે. મોના સિંહ પોલીસ અધિકારી સેહમત સિદ્દીકીની ભૂમિકા ભજવે છે, જે તેમના સહ કર્મચારી છે, જ્યારે શિખા તલસાનિયા અને ક્ષિતિશ દાતે તપાસ ટીમની ભૂમિકા ભજવે છે.
બેસ્ટ ઓફ લક પંડયા
મોટા પડદાની ગુજરાતી ફિલ્મ 'ઓલ ધ બેસ્ટ પંડયા' શેમારૃં ઓટીટી ઉપર આવી ગઈ છે. સ્વચ્છ, સુંદર, પારિવારિક ફિલ્મ પિતા ( દર્શન જરીવાલા) પુત્રના સંઘર્ષ ઉપર આધારિત છે. પ્રમાણિક પિતા અકસ્માતે લાંચના છટકામાં પકડાઈ જાય છે. દિશાહીન પુત્ર એટલે કે ફિલ્મનો અભિનેતા મલ્હાર ઠાકર પિતાને જેલમાંથી નિર્દોષ છોડાવે છે. અહી કોર્ટની કાર્યવાહી જ ફિલ્મનું કથાનક છે.
આ ફિલ્મનું દિગ્દર્શન અને સંપાદન રાહુલ ભોલે અને વિનિત કનોજિયા દ્વારા કરવામાં આવ્યું છે. તેમાં મલ્હાર ઠાકર, દર્શન જરીવાલા, વંદના પાઠક, યુક્તિ રાંદેરિયા અને અન્ય કલાકારો છે. આ ફિલ્મનું નિર્માણ જીગર ચૌહાણ, મલ્હાર ઠાકર, જીગર પરમાર અને જીમી સતીશ અસીજા દ્વારા કરવામાં આવ્યું છે.
'નોબત'ના વાચકો અને ચાહકોને મનોરંજન મુબારક.
પરેશ છાંયા
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ખેડૂતો અને ગ્રાહકો બન્નેને ખુલ્લેઆમ ખંખેરવામાં આવી રહ્યા છે!
ગુજરાતમાં છેલ્લા બે દાયકાથી સચરાચર વરસાદ વરસી રહ્યો છે. માગ્યા મેહ વરસી રહ્યા છે. ખેડ, ખાતર અને પાણી, સમૃદ્ધિ લાવે તાણી એવી એક પ્રાચીન કહેવત બહુ પ્રચલિત છે. સારો વરસાદ ખેડૂત માટે તો સમૃદ્ધિ લાવે જ છે, સાથે સાથે તમામ સામાન્ય લોકો માટે પણ મોટી રાહત સાબિત થાય છે. સમાજની મોંઘવારી મોટે ભાગે ખાધ્ય પદાર્થો આધારિત હોય છે. અંગ્રેજોના સમયમાં દેશનો મોંઘવારી આંક સિમલા આધારિત હતો. આઝાદી પછી પણ સિમલા આધારિત આંક ચાલુ રહ્યો. આજે કયા આધારે મોંઘવારી આંક નક્કી કરવાના પેરામીટર્સ છે તે લગભગ કોઈને ખબર નથી. પરંતુ, એક વાત તો ચોક્કસ છે કે, મોંઘવારીનું પ્રમાણ નક્કી કરતો આંક ચોમાસા ઉપર તો તે નિર્ભર નથી જ!
આ ચોમાસામાં સૌરાષ્ટ્રમાં ૫૫ ટકા વરસાદ થયો છે, ૬૦ ટકા જળ સંગ્રહ થયો છે અને ૮૦ ટકા ખેતી લાયક જમીનમાં ખરીફ પાકોનું વાવેતર પૂર્ણ થયું છે. એક સમયે કોરો ધાકોડ રણ વિસ્તાર ગણાતાં કચ્છમાં પણ અનરાધાર વરસે છે.
મૂળ વાત
દેશ અને ગુજરાતમાં બે દાયકાથી ચોમાસું સતત સારું રહ્યું હોવા છતાં ખેત આધારિત ઉત્પાદનો સતત મોંઘા બની રહ્યા છે. રસોડામાં કુકરની સિટી કરતાં ગૃહિણીઓના નિસાસા વધુ મોટા અવાજે સંભળાઈ રહ્યા છે. બીજી ગંભીર બાબત એ છે કે, સતત વરસાદ છતાં ખેડૂતો પણ ઓછા ભાવ મળતા હોવાની કાગારોળ કરી રહ્યા છે! ભારત સરકાર ઉપર ખેત સબસીડીઓનું મોટું ભારણ છે. ક્રૂડ, શસ્ત્રો અને ત્રીજા ક્રમે ખાતરની આયાતનું બિલ હોય છે. સારો વરસાદ થાય એટલે ખાતરની માંગ વધે તે સ્વાભાવિક છે. પરંતુ અહી ઊલટું છે, ભારત સરકાર ઉપર ખાતર ઉપર આપવામાં આવતી સબસીડીઓનું ભારણ મોટું થાય છે. એક સમયે ઈફકોના ચેરમેને કહ્યું હતું કે, આયાતી ખાતર ઉપર સરકારે દેશમાં ૭૦ ટકા જેટલી જંગી સબસિડી આપવી પડે છે.
મારો જાત અનુભવ છે કે, ટામેટાં ઉગાડતા ખેડૂતને કિલોએ માત્ર પાંચ રૂપિયા જ મળે છે, જ્યારે ગૃહિણીને તે ૫૦ રૂપિયાની આસપાસ મળે છે. આમ, ખેડૂત અને ગ્રાહક બન્ને માથે ઓઢીને રોવે છે. આમ કેમ? આજના દિવસે જામનગરમાં ટામેટાંનો ભાવ ૮૦/ રૂપિયે કિલો છે.
ખેડૂતોને કેમ પોષણક્ષમ ભાવો મળતા નથી? ગ્રાહકોને ખેત ઉત્પાદનો કેમ વ્યાજબી ભાવે મળતા નથી? બન્નેને કોણ લૂંટે છે? સરકારનો કૃષિ વિભાગ કેમ ધૂતરાષ્ટ્રની ભૂમિકામાં છે. ગુજરાતના કૃષિ મંત્રી ખુદ એક અનુભવી ખેડૂત છે. તો ગરબડ ક્યાં છે?
જામનગરમાં શાકભાજીના છૂટક ભાવ ૬૦ થી ૮૦ રૂપિયા વચ્ચે છે. સારા ચોમાસા છતાં સિંગતેલનો ૧૫ કિલોનો નવો ડબ્બો ૩૦૦૦/ સુધી પહોંચે છે. લાગે છે કે, વરસાદ અને ખેતીને કોઈ સંબંધ રહ્યો જ નથી!
સંગઠન
અપૂરતા બજારભાવને કારણે ટેકાના વધુ ભાવો લેવા માટે ખેડૂતો લગભગ દર વર્ષે બૂમ બરાડા પાડે છે. માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે માલ વેંચવા માટે લાંબી કતારો લાગે છે. ખેડૂતોનું બહુ મજબૂત અને વિશાળ સંગઠન છે. પંજાબ અને હરિયાણાના ખેડૂતો રાજ્ય અને કેન્દ્રની સરકારોને હચમચાવી શકે છે. મહેન્દ્રસિંહ ટીકેટ તો લગભગ અડધું વર્ષ આંદોલનોમાં જ વ્યસ્ત રહે છે. દિલ્હીની બોર્ડર ઉપર પણ ખેડૂતો સતત આક્રોશપૂર્ણ આંદોલનો કરતા હોય છે. ગુજરાતના મોટાભાગના ખેડૂતો હવે રાજકીય બની ગયા છે. અહી ખેડૂત આંદોલન ભૂતકાળ બની ગયા છે. જો કે અપૂરતા ભાવોની લાગણી ભૂતકાળ બની નથી. ખેતી ક્ષેત્રના લોકો રાજકીય ક્ષેત્રે મોટો ભાગ પડાવે છે. તે ખેત પેદાશ ોના તંદુરસ્ત ભાવો મળે તે માટે પૂરતા જાગૃત નથી. ગુજરાત પાસે ખેડૂતો માટે લડી શકે તેવો કાયમી અને મજબૂત નેતા નથી.
દેશના ખેડૂતોએ એક આંદોલન વચેટિયાઓ દ્વારા કરવામાં આવતા શોષણ વિરુદ્ધ પણ કરવાની જરૂર છે.
મૂળ સમસ્યા
ખેડૂત અને ગ્રાહકો વચ્ચેની આ કડી જ સમસ્યાઓનું મૂળ છે. તેને સામાન્ય ભાષામાં દલાલ પણ કહેવામાં આવે છે, દલાલો ઉપરાંત છૂટક વેપારીઓ પણ પાપના ભાગીદાર છે. મારા એક ખેડૂત મિત્રને તેને મળતા અપૂરતા ભાવો બાબતે પૂછ્યું, તો સાવ દેશી ભાષામાં એક વાક્યમાં જવાબ આપ્યો કે, શેઢે બેસીને ખેતી કરવી હોય પછી શું થાય. આનો અર્થ એવો થાય કે ખેતી કરવી હોય તો ચાસમાં ઊતરવું પડે. સૌરાષ્ટ્રમાં હવે મોટાભાગની ખેતી ભાગીયા જ કરે છે. જે દક્ષિણ ગુજરાતના આદિવાસીઓ છે. તેને ખેતીની ઊપજનો અમુક હિસ્સો આપી દેવાનો, તે મહેનત કરે, રખોપું કરે. ખેત માલિક સમયાંતરે પોતાના ખેતરના શેઢે ચક્કર મારી આવતા રહે. ફાલ તૈયાર થાય એટલે ગામમાં ખરીદી કરવા મા ટે દલાલો ફરવા લાગે, આ દલાલોને પાક વેંચી નાખે. ભાગીયા પણ પોતાનો ભાગ લઈ લઇલે.
ખેડૂતો હવે વિવિધ ધંધા કરવા માટે શહેરોમાં વસવાટ કરવા લાગ્યા છે. નવી યુવા પેઢીને ખેતીમાં બહુ રસ નથી. મોટી જમીનના ભાગ પડતાં નાના નાના ટુકડા થવા લાગ્યા છે તેથી ઉતારો પણ ઓછો અને નબળો આવે છે.
ખેડૂતો સરળ બેઠી આવક માટે જમીન પવનચક્કી અને સોલાર કંપનીઓને લાંબા ભાડા પટ્ટે આપવા લાગ્યા છે.
આપણાં ખેડૂતો પ્રયોગશીલ પણ નથી. પાકોની વિવિધતા અને આધુનિક ખેતી માટે બહુ ઓછા જાગૃત છે. સરકારે નવું સંશોધિત નેનો યુરિયા બજારમાં મૂક્યું તો તે મફત આપવું પડે છે. ખરીદદાર મળતા નથી. એક ગુણી યુરિયા જેટલી શક્તિ આ નાની બોટલમાં હોય છે. સમય અને શક્તિનો મોટો બચાવ થાય છે. દાયકાઓની ખેતીને કારણે જમીનના રસકસ ચૂસાઈ ગયા છે. રાસાયણિક ખતરોના બેફામ વપરાસની અસરો દેખાઈ રહી છે. બાજરા અને ઓળાના રીગણમાંથી ખુશ્બુ જતી રહી છે. સલાડ હવે તંદુરસ્તીનું પ્રતીક કે માધ્યમ રહ્યું નથી.
દલાલ
ખેતીમાં સૌથી વધુ કમાણી વચેટિયા લોકો કરે છે. પાંચ રૂપિયાના કિલો ટામેટાં ગ્રાહકને ૫૦ રૂપિયે મળે છે. ૪૫/ રૂપિયા વચ્ચેના લોકો બિન્દાસ્ત કમાય છે! સરકારે ખેડૂતોને પોષણક્ષમ અને પૂરતા ભાવ મળે તે માટે ઠેર ઠેર માર્કેટ યાર્ડ બનાવ્યા છે. મને લાગે છે કે, આ પદ્ધતિ લભાગ નિષ્ફળ સાબિત થઈ છે. આજે પણ વરસાદની આગોતરી આગાહીઓ છતાં માર્કેટ યાર્ડમાં ખેત જણસો પલળી જાય છે, બગડી જાય છે. પૂરતી અને આધુનિક સંગ્રહ વ્યવસ્થા હોય તેમ લાગતું નથી.
ખેડૂતો પોતે સંગ્રહ કરતા નથી, આથી જે ભાવ મળે તે ભાવે માલ વેંચી નાખવો પડે છે. દલાલો તેનો ભરપુર ગેરલાભ ઉઠાવે છે. ડીસામાં બટેટાં ૧૦/ રૂપિયે કિલોના ભાવે વેંચાય છે, મોટી કંપનીઓ તેની વેફર બનાવી વેલ્યૂ એડિશન કરી ૧૦૦/ રૂપિયે કિલો લેખે ભૂખ્યા લોકોને વહેંચે છે! ટોમેટો સોસ અને કેચઅપમાં પણ મોટી નફાખોરી છે.
રાજકીય વર્ચસ્વ માટે વારંવાર મેદાનમાં ઉતરતા ખેડૂતો પોતાના આર્થિક ઉત્કર્ષ માટે કેમ જાગૃત થતા નથી તે મોટો સવાલ છે. ખેતીના વ્યવહારોમાં બાંધકામ ઉધ્યોગ પછી બીજા ક્રમે કાળુ નાણું ઉત્પન્ન થાય છે.
ખેતી ક્ષેત્ર ઉપર સરકારની મોટી રહેમ નજર હોવા છતાં આ ક્ષેત્ર કાયમ કાગારોળ કરે છે. નજીકના ભવિષ્યમાં કોઈ ક્રાંતિકરી પરિવર્તનો આવે તેવી શક્યતા નથી, કારણકે ખેડૂતો અને સરકાર બન્ને ખોટા રસ્તે છે!
હવે તો જાગો
આદર્શ અર્થશાસ્ત્ર અનુસાર માંગ અને પુરવઠાના આધારે ભાવો નક્કી થતા હોય તે ઉત્તમ વ્યવસ્થા ગણાય. વર્તમાન સમયમાં આવા આદર્શ નિયમો અને નૈતિકતાનો સરેઆમ ઉલાળિયો થઈ ગયો છે. માંગ, પુરવઠા અને ભાવોને કોઈ સ્નાન સુતકનો સંબંધ રહ્યો નથી.
રાસાયણિક ખાતરો, મજૂરી, ટ્રાન્સપોર્ટેશન સહિતના અનેક પરિબળોને કારણે ખેડૂતોને ઉત્પાદન મોંઘું પડી રહ્યું છે. ખેત પેદાશોમાં બજાર સુધી પહોંચતા સુધીમાં માલમાં નુકશાની પણ વધુ આવે છે. પડતર દિવસેને દિવસે વધી રહી છે. બીજી તરફ દલીલ એવી પણ થઈ રહી છે કે, ટામેટાંની પડતર કિમત ૧૫/ રૂપિયા કિલોની હોય તો, ગ્રાહકો તો તેના ૪૦ થી ૫૦ રૂપિયા ચૂકવે જ છે. તો આ સરેરાશ ૩૦ થી ૩૫ રૂપિયા નફો કોના ગજવામાં ઘૂસી જાય છે? સુરેન્દ્રનગર વિસ્તારના મારા એક ખેડૂત મિત્રએ કહ્યું કે, તે ચણાનું વાવેતર કરે છે, પાક તૈયાર થાય એટલે અમદાવાદ બાજુના વાઘરી લોકો આવે અને આખો પાક ખરીદી લે છે. કરુણતા એ છે કે, આ ખેડૂત કરતાં વાઘરી લોકો વધુ કમાણી કરે છે! તરબૂચ વેચાણ ક્ષેત્રે પણ આ લોકોની મોનોપોલી છે.
સરકાર તેની ચોકીદાર તરીકેની ભૂમિકા ભજવવામાં સદંતર નિષ્ફળ અને નિષ્ક્રિય સાબિત થઈ છે. ખેડૂતોને કાયમ રાહત કે સબસીડીઓ આપવાથી પ્રશ્ન ઉકેલવાની પદ્ધતિ ખોટી છે. વિદેશોમાં આવી કોઈ હાલત નથી. સરકાર અને સંસ્થાઓના અનેક પ્રતિનિધિ મંડળો આધુનિક ખેતીના અભ્યાસ માટે વારંવાર વિદેશ જાય છે, શું તેઓ વેચાણ વ્યવસ્થાનો અભ્યાસ નહીં કરતાં હોય? ત્યાં ખેતરથી વપરાશકાર સુધી માલ કેમ પહોંચે છે તે નહીં જોતા હોય?
નર્મદા યોજના
ખેતી ક્ષેત્રે સચરાચર વરસાદ ઉપરાંત નર્મદા યોજનાની કેનલો થવાથી પાક ઉત્પાદનમાં સોનામાં સુગંધ ભળી છે. જ્યારે જ્યાં વરસાદ ખેંચાય કે નબળો પડે ત્યાં માં નર્મદા પહોંચી જાય છે. ગુજરાતના ખેડૂતો ત્રણ પાક લઈ શકે છે. ગુજરાતના અનેક ડેમો ઉનાળામાં તળિયા ઝાટક થાય ત્યારે સૌની યોજના દ્વારા તેમાં પાણી ઠાલવવામાં આવે છે. સરકારની પાણી લક્ષી યોજનાઓ અને અસરકારક વિતરણ એક મોટા ભગીરથ કાર્ય સમાન છે.
સારાંશ
સરકારે અને ખેડૂત સંગઠનોએ હવે સક્રિય થવાની અને નવું વિચારવાની જરૂર છે. વચેટિયા અથવા દલાલો શોષણ ન કરે તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ. ખેતરથી ગ્રાહક સુધી માલ પંહોચે તે દરમિયાન કાળાબજારી ન થાય તેની કાળજી રાખવી પડશે. મારે તેની તલવાર જેવી બજારનીતિ સરકાર શા માટે ચલાવી રહી છે તે પ્રજાને અને ખેડૂતોને સમજાતું જ નથી!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
એન્ટી એજિંગની દવાઓનો અભરખો ભારે પડી શકે છે...
હિન્દી મનોરંજન જગતમાં કાંટા લગા ફેમ સિંગર અને અભિનેત્રી શેફાલી ઝરીવાલાના ૪૨ વર્ષની યુવા વયે અચાનક નિધનથી મને બહુ નવાઈ નથી લાગી. મૃત્યુનું કારણ હૃદયરોગનો હુમલો જાહેર કરવામાં આવ્યું છે. મહિલાઓને બહુ જૂજ પ્રમાણમાં હૃદયની બીમારી થાય છે, આવા કારણોસર અચાનક ટપકી જવું તે નવાઈની બાબત છે. થોડા ઘણાં મીડિયા અહેવાલો અનુસાર તે એન્ટી એજિંગ દવાઓ લેતી હતી. મનોરંજન જગતમાં યુવતીઓ અને મહિલાઓ માટે સ્લિમ અને ફીટ રહેવું બહુ મહત્ત્વનું છે. એવું પણ કહેવાય છે કે, અહીં ચરબી વધતી જાય તેમ તેમ આવક ઘટતી જાય છે. રેખા અને હેમા માલિની જેવી પ્રૌઢ વયની અભિનેત્રીઓ પણ હીટ દેખાવા માટે ફીટ રહેવા અવનવા પેંતરા કરતી હોવાનું વારંવાર બહાર આવે છે. માત્ર મહિલાઓ જ નહીં પુરૂષો પણ આ વિષચક્રમાં ફસાયા છે. અમિતાભ બચ્ચન અને અનિલ કપૂર તેના ઉત્તમ દાખલા છે. શરીર શ્રોષ્ઠવ હેમખેમ જાળવવા માટે લાખો કરોડોનો ખર્ચ પણ કરવો પડે છે. યોવન જાળવા માટેના પ્રયોગોના પરિણામો સારાં જ આવશે તે નિશ્ચિત હોતું નથી, શેફાલી ઝરીવાલાની જેમ અચાનક એક્સિટ પણ થઈ જાય છે.
પ્રભુ દ્વારા પ્રસાદ રૂપે મળેલા માનવ શરીરને આપણે રસાયણોની પ્રયોગશાળા બનાવી દીધુ છે! દરેક વ્યક્તિ પોતાની જાતને શ્રેષ્ઠ માને છે અને શ્રેષ્ઠ બનાવવા માટે ઇકડમં ત્રિકડમં કરે છે. આરોગ્યની ડિક્ષનેરીમાં આડઅસર નામનો બહુ ભયંકર શબ્દ છે. આખી માનવજાત તેનાથી ફફડે છે. આમ છતાં યુવાન અને નિરોગી દેખાવા માટે આડઅસરને પણ ઘોળીને પી જાય છે.
દાખલા
રાસાયણિક દવાઓ દ્વારા અમરત્વ તો મળતું નથી, પરંતુ તંદુરસ્તી કેટલા પ્રમાણમાં મળે છે તે રામ જાણે. જામનગરમાં મારા નજીકના મિત્ર છે, તેમનું વજન આસરે ૯૫ કિલોગ્રામ આસપાસ રહે. તબીબે તેને કહ્યું કે, તમે ડાયાબિટીસની બોર્ડર લાઇન ઉપર છો. આ રોગથી બચવું હોય તો વજન ઘટાડો. અનેક ઉપચારો અને ઉપવાસ-એકટાણા પછી પણ વજન ઉતર્યું નહીં. ત્યારબાદ મહિનામાં ચોક્કસ દિવસે રાજકોટથી આવતા નિષ્ણાત તબીબના સંપર્કમાં આવ્યા. તબીબે રોજની એક ગોળી તરીકે કોર્ષ લખી આપ્યો. અમેરિકામાં સફળ ગણાતી આ ટીકડી રોજ સવારે લેવાની. ૨૪ કલાક સુધી ભૂખ તરસ લાગે જ નહિ! બે મહિના સુધી આ ગોળી લેવાથી તેમનું વજન ૭ કિલો ઘટ્યું છે. હજુ દવા ચાલુ છે. એક ગોળીની કિમત ૩૫૦ રૂપિયા છે અને દવા નિર્માતા કંપની ડેનિશની આ દવાનું નામ છે વેગોવી. એક મહિનાનો કોર્સ ૧૦ હજારથી લઈ ૨૬ હજાર સુધી હોય શકે છે! ૨૪ કલાક સુધી ભૂખ જ ન લાગે તે નફામાં! હવે આ દવા ઇન્જેકશન સ્વરૂપે પણ મળે છે અને તે સપ્તાહમાં એકવાર લેવાનું!
જામનગરના એક નામાંકિત અને દેખાવડા તબીબ સોનાના બિસ્કિટ ખાઈ શકે તેટલી આર્થિક ક્ષમતા ધરાવે છે, આમ છતાં ખાખરા ખાઈને દિવસો પસાર કરે છે. તેમને સ્લિમ એન્ડ ટ્રીમ બોડીનો શોખ છે!
નાના, મોટા, ધનિક, નિર્ધન, મહિલા, પુરૂષ તમામ વર્ગના લોકોએ તંદુરસ્ત અને ફીટ દેખાવા માટે શરીરને જાણે કે પ્રયોગશાળા બનાવી દીધું છે. પેટને પીડા આપી સુખી થવાના ચક્કરમાં લોકો ડિપ્રેશનમાં સરી પડે છે! પછી એન્ટી ડિપ્રેશનની દવાઓ ગળવા લાગે છે. ટૂંકમાં આખી જિંદગી દવાઓના ભરોસે ચાલે.
બીમાર લોકો દવા ઉપર નિર્ભર રહે તે સમજી શકાય તેવી બાબત છે, પરંતુ તંદુરસ્ત લોકો પણ દવા લેવા લાગે તે મોટું આશ્ચર્ય છે. દવાના નામે અનેક રસાયણો પેટમાં પધરાવે છે. યુવા પેઢીમાં એનર્જી ડ્રિન્કની નવી ઘેલછા લાગી છે. જાતજાતના શક્તિવર્ધક પીણાંના નામે મળતાં ડબલાં અને શીશીઓ ગટગટાવે છે.
ભવિષ્ય
વર્તમાન સમયમાં કોઈ રોગ હોય અને કેમિકલવાળી દવાઓ લઈએ તે માનવ સહજ સ્વભાવ છે, પ રંતુ હવે તો ભવિષ્યમાં થનારા રોગો શોધી તેનો ઉપચાર કરવાની નવી ફેશન નીકળી છે. આપણે સૌથી વધુ ડરતાં હોઈએ તો તે હૃદય રોગ અને કેન્સર છે. મેડિકલ સાયન્સ હવે ભવિષ્યમાં થનારા રોગો શોધી આપે છે અને અત્યારથી ઉપચારના ગતકડાં બટકાવી દે છે. જામનગના એક મોટા કારખાનામાં તેના કર્મચારીઓને આગામી પાંચ વર્ષમાં ચાર પ્રકારના કેન્સર થવાની શક્યતા છે કે નહીં? તેનું લેબોરેટરી પરીક્ષણ વ્યાજબી ભાવે કરી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે! શહેરોમાં અ સંખ્ય લોકો આવા ભાવિ રોગો ખિસ્સાના ખર્ચે શોધી રહ્યા છે. લોકોને કોલેસ્ટ્રોલ અને બોર્ડર લાઇન સ્યુગરનો ભય તો લાંબા સમયથી બતાવવામાં આવી રહ્યો છે, હવે તેમાં કેન્સરનો ઉમેરો કરવામાં આવ્યો છે. પ્રોસ્ટેટ, લીવર, ઇન્ટેસ્ટાઇન, પ્રેનક્રિયાસના કેન્સરની આગાહી કરવામાં આવે છે.
બીજી રીતે વિચારીએ તે આ આગાહી આશીર્વાદ સમાન પણ છે. શરીરમાં ૧૧૦ પ્રકારના નાના મોટા કેન્સર થઈ શકે છે. દર્દીઓ લાખો, કરોડોના ખર્ચમાં દટાઈ જાય છે. જો આ જીવલેણ રોગની અ ગમચેતી મળે અને થોડા ખર્ચમાં ગંભીર પીડા અને મોટા ખર્ચમાંથી બચી શકાય તે આવકાર્ય છે.
આમ કેમ
દાયકાઓ પહેલા દવાઓ ઓછી હતી તો રોગ પણ ઓછા અને સામાન્ય હતા. હવે દવાઓ આધુનિક બની તો રોગો પણ વકરવા લાગ્યા છે. એક સમયે જૂનાગઢમાં એક પણ મલ્ટી સ્પેિ સયાલિટી હોસ્પિટલ કે આઈ.સી.યુ. ન હતા તે સમયે પણ લોકો આરામથી નિરોગી જીવન જીવતા હતા. આજે હોસ્પિટલો અને દર્દીઓ બન્ને ઉભરાઇ રહ્યા છે!
કારણ સ્પષ્ટ છે.. આપણે પ્રભુ પ્રસાદમાં મળેલા શરીરને કેમિકલની પ્રયોગશાળા બનાવી દીધુ છે. ગંભીર બાબત તો એ છે કે, હવે લોકો નિષ્ણાત તબીબની સલાહ વગર પણ દવાઓ ગળચી રહ્યા છે. અનેક લોકો ડોલો નામની કોરોના સમયથી પ્રચલિત થયેલી દવા જાતે ખરીદી નાના રોગોના ઈલાજ કરી રહ્યા છે. આ બહુ ભયંકર બાબત છે. આપણે આયુર્વેદના નામે પણ ઊંટવૈદું કરી રહ્યા છીએ. અમારા એક મિત્રએ જાહેરાત વાંચી આયુર્વેદનો ઉપચાર શરૂ કર્યો, પછી ખૂબ પીડાયા! સા માન્ય માણસો તો ઉપચારના નામે અખતરા કરે તે સમજી શકાય તેવી બાબત છે, પરંતુ અનેક તબીબો પણ અખતરા કરતાં હોય છે. રોગ ન મટે તો બીજીવાર વધુ પાવારની દવા આપે! એક તબીબ ખૂબ સફળ છે કારણ કે તે, પ્રથમ મુલાકાતમાં હાઇ પાવરની દવા લખી નાખે છે! દર્દી ઘોડાની જેમ દોડવા લાગે!
અમારા એક મિત્રને ગોઠણનો દુખાવો હતો, તબીબે ની રિપ્લેસમૅન્ટની સલાહ આપી, તેમણે સલાહ ન માની અને ઓપરેશન ન કરાવ્યું, આજે સાત વર્ષ પછી લાંબુ ચાલે છે અને ઘૂટણનો દુખાવો પણ ગાયબ થઈ ગયો છે.
આશ્ચર્યની બાબત એ છે કે, તબીબી જગતમાં બે વત્તા બે એટલે ચાર થાય તેવો નિયમ જ નથી! ગમે તેટલા થાય!
તો શું કરવું?
મારી સલાહ છે કે, કારણ વગર, રોગ વગર કે નિષ્ણાતની સલાહ વગર કોઈ દવા લેવી નહીં. મેડિકલ જગતમાં સેકન્ડ ઓપીનીયન બહુ પ્રચલિત છે, આમાં પણ ભેરવાઈ જવાની પૂરતી શક્યતા છે. એક જ રોગ માટે બે તબીબો ભાગ્યે જ સમાન ઉપચાર, સારવાર કે દવા આપે. જ્યારે સારવારની જરૂર પડે ત્યારે ભરોસો હોય તે તબીબ પાસે જવું અને ભગવાન ભરોસે તેને તાબે થઈ જવું!
સરકાર
કેન્દ્ર કે રાજ્ય સરકાર પાસે આજે પણ હોસ્પિટલ સંચાલન માટે કોઈ એસઓપી (માર્ગદર્શિકા) નથી. આરોગ્ય વિભાગ પણ બીમાર હાલતમાં છે. તેના મંત્રી અને સચિવ તબીબ જ હોવા જોઈએ, પરંતુ તેમ નથી. જે લોકો તબીબી જ્ઞાન ધરાવતા નથી તે લોકો કેવી રીતે નિર્ણયો લઈ શકે! તબીબી શાખામાં સારવાર વિજ્ઞાનનો અભ્યાસ કરાવવામાં આવે છે તેમ તબીબી મેનેજમેન્ટ શાખા પણ હોવી જોઈએ. કદાચ છે પણ ખરી, પરંતુ તેમાં ભાગ્યેજ કોઈ જતું હશે. મેનેજમેન્ટ અને સારવાર બન્ને અલગ બાબતો છે ત્યારે હોસ્પિટલના અધિક્ષક નિપુર્ણ ડૉક્ટર જ હોય તે કેમ ચાલે? દવાઓની ગુણવત્તા અને ભાવ પણ ભગવાન ભરોસે છે. નકલી તબીબો અને નકલી દવાઓ હજારો લોકોના જીવ લઈ રહી છે. પ્રભુ પ્રસાદ રૂપે મળેલા શરીરને સાચવવા માટે સરકાર પણ ગંભીર નથી. રાજ્યની હજારો ખાનગી હોસ્પિટલોની સરકાર દ્વારા આકસ્મિક તપાસણી (ઓડિટ) થતું હશે કે કેમ તે મોટો સવાલ છે. તબીબી જગત નિરંકુશ હોય તે ચાલી શકે નહીં. આયુષ્માન અને માં અમૃતમ કાર્ડ આવ્યા પછી તે દર્દીઓની હાલત બગડી હોય તેમ લાગી રહ્યું છે. બિનજરૂરી સારવાર થઈ રહી હોવાની ફરિયાદો વધી રહી છે.
નૈતિકતા
તબીબી જગતમાં નૈતિકતા ટોચ ઉપર હોવી જોઈએ. લાગે છે કે તળિયે જઈ બેઠી છે. દર્દી દેવો ભાવઃ ભુલાઈ રહ્યું છે. આ ધંધો નથી, પરંતુ સેવા છે. હોસ્પિટલો કોર્પોરેટ બની છે અને ટાર્ગેટ ના મનું દૂષણ વધ્યું છે. હોસ્પિટલના તબીબોને પણ ટાર્ગેટ આપવામાં આવે છે. એ.સી. અને ફ્રીઝના વેચાણના ટાર્ગેટ હોઈ શકે, પરંતુ ઓપરેશનના ટાર્ગેટ કેવી રીતે હોય?
તબીબી જગતમાં ડ્રગ ટ્રાયલ શબ્દ પણ બહુ ચર્ચિત છે. દર્દીની જાણ બહાર તેના ઉપર દવાના પ્રયોગો કરવામાં આવતા હોય છે અને તબીબોને તે માટે તગડી રકમ પણ ચૂકવામાં આવે છે. અમદાવાદમાં આવી ગંભીર ઘટના બહાર આવી છે.
તબીબી જગતમાં તો તબીબના જન્મ સમયથી પૈસો મારો પરમેશ્વરના પાઠ ભણાવવામાં આવે છે, એમ કહો કે ગળથૂથીમાં જ ધંધો મળે છે. તબીબી શિક્ષણ અતિ ખર્ચાળ થઈ ગયું છે. કરોડો રૂપિયા ખર્ચી શિક્ષણ મેળવે તે બિચારા શું કરે? તબીબી અભ્યાસ ક્ષેત્રે હવે મફત જેવું કશું રહ્યું જ નથી. લોકો ચીન અને આફ્રિકા સુધી ડૉક્ટર બનવા માટે જાય છે.
પ્રારંભમાં લખ્યું તેમ, માનવ શરીર પ્રભુની સૌથી મોટી પ્રસાદી છે, ઓટો રીપેર અને સુપર કોમ્પ્યુટરની સુવિધા પણ ધરાવે છે. માણસના કોઈ અંગ કારખાના કે પ્રયોગશાળામાં બની શકયા નથી. એક સમયે ટેસ્ટ ટ્યુબ બેબી પ્રયોગ બહુ ચાલ્યો હતો, તેનું શું થયું તે ખબર નથી.
'નોબત'ના વાચકો અને ચાહકોને ઈશ્વર તંદુરસ્તી બક્ષે અને નિરોગી જીવન જીવે તેવી અભ્યર્થના.
- ૫રેશ છાયા
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
અપ્રમાણસર મિલકતોના સ્ત્રોત કેમ જાહેર થતા નથી?
ભારત આર્થિક રીતે મહાસત્તા તો નજીકના ભવિષ્યમાં જ બની જશે, પરંતુ નીતિમત્તાની દ્દષ્ટિએ ક્યારે વિશ્વગુરૂ બનીશું તે નિશ્ચિત નથી! ભ્રષ્ટાચારનો ભોરિંગ ઊધઈની જેમ વળગ્યો છે, નીતિમત્તાનું અવમૂલ્યન બહુ પીડદાયક બાબત છે. પ્રામાણિક આચરણની અધોગતિ કેન્સરની જેમ રગે રગમાં ફેલાઈ ગઈ છે. આઝાદીના ૬ દશકા પછી પણ વડાપ્રધાન કક્ષાની વ્યક્તિએ ખાતો નથી અને ખાવા દેતો નથી તેવું સૂત્ર આપવું પડે તે ૧૪૦ કરોડની જનતા માટે શરમજનક બાબત છે. રામ, કૃષ્ણ, ગાંધી અને સરદારના આ દેશમાં દરેકના વિચાર અને વ્યવહારમાં ક્યાંક અને ક્યારેક રાવણ, શકુની, મંથરા અને ગોડસે ઝબકી જાય છે તે બહુ દુઃખદ છે! આ દેશમાં બે ચીજો જ અત્ર તત્ર સર્વત્ર વ્યાપક છે. ઑક્સિજન અને ભ્રષ્ટાચાર! જીવન જીવવાના બે જ માર્ગ છે.. ભ્રષ્ટાચાર કરો અથવા ભ્રષ્ટાચારના ભોગ બનો!
જે જન્મે છે, તે ભ્રષ્ટાચાર કરે છે તેવું કડક વિધાન તો ન કરી શકાય, પરંતુ આઘું પાછું કર્યા વગર જીવવું શક્ય નથી! હવે તો ગોલમાલ એટલી વ્યાપક અને આધુનિક થઈ ગઈ છે કે, પકડવી કે પુરવાર કરવી તે પણ ચાંદ તારા તોડવા જેવી બાબત બની ગઈ છે!
ઘટનાઓ
માર્ચ મહિનામાં દિલ્હીના ન્યાયાધીશ યશવંત શર્માના ઘરમાં વિકરાળ આગ ફાટી નીકળી હતી, આગ ઠારવાની કામગીરી દરમિયાન જંગી માત્રામાં રોકડ રકમ મળી. આશ્ચર્યની બાબત એ છે કે આ ઘટનામાં ત્રણ મહિના પછી પણ વાસ્તવિકતા બહાર આવી નથી! એક સમયે મહા કૌભાંડી શેરદલાલ હર્ષદ મહેતાએ પત્રકાર પરિષદ યોજી અને વડાપ્રધાન કક્ષાની વ્યક્તિને કેવી રીતે શૂટકેસ ભરી રૂપિયા આપ્યાં હતા તે ઘટના રજૂ કરી હતી. આ પ્રકરણ પણ હવા..હવા થઈ ગયું! દેશમાં મોબાઇલના આગમન સમયે ટુ જી સ્પેક્ટ્રમ ગોટાળો બહુ ચગ્યો હતો, કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો કરવામાં આવ્યા, આ પ્રકરણ પણ ઇતિહાસમાં દટાઈ ગયું. મોટા નેતા સુબ્રમણ્યમ સ્વામી સરકારી ગેરરીતિઓ ઉજાગર કરવા માટે સતત પ્રયત્નશીલ રહે છે અને તે માટે મહેનત પણ ઘણી કરે છે. રાફેલ લશ્કરી વિમાનો ખરીદીમાં પણ ગોટાળા કરવામાં આવ્યાના આક્ષેપો છે. બોફોર્સ તોપ પણ ભ્રષ્ટાચારનો ભોગ બની ચૂકી છે. ભાજપ, કોંગ્રસ, આમ આદમી પાર્ટીના અનેક નેતાઓ, બિહારમાં લાલુ પ્રસાદ યાદવ સહિતના અનેક મોટા નેતાઓ ભ્રષ્ટાચારના આરોપોમાં જેલગમન કરી ચૂક્યા છે.
આપણાં વિસ્તારની જ વાત કરીએ તો રાજકોટમાં ટાઉન પ્લાનીંગ અધિકારી મનસુખ સાગઠિયા પાસેથી ૧૮ કરોડ જેવી જંગી બેનામી સંપત્તિ મળી! આ ૧૮ કરોડ રૂપિયા કોણે કોણે, કયા કયા કામ માટે આપ્યાં તે એક વર્ષથી હજુ અદ્ધરતાલ છે. થોડા દિવસો પહેલાં અમદાવાદ મહાનગરપાલિકાના પૂર્વ ઝોનના વર્ગ બે ના અધિકારી જીગ્નેશ શાહ પાસેથી રૂપિયા ત્રણ કરોડથી વધુની અપ્રમાણસર મિલકતો ઝડપાઇ છે!
લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરો
આજની આ એન્જિઑગ્રાફી લખવાનો વિચાર લાંચ રૂશ્વત વિભાગની કામગીરી ઉપરથી આવ્યો છે. ગુજરાત સરકારનો આ વિભાગ સરકારી કર્મચારીઓની આર્થિક ગેરવર્તણૂક ઉપર નજર રાખે છે અને જવાબદાર સામે કાર્યવાહી કરે છે.
રાજ્ય સરકારના કર્મચારીઓમાં ફરજનિષ્ઠા વધારવા તથા વહીવટી કામકાજને ભ્રષ્ટાચારમુક્ત બનાવવાના હેતુથી આ વિભાગ કાર્યરત છે. બૃહદ્ મુંબઈ રાજ્યમાંથી ગુજરાત રાજ્ય અલગ થયા પછી, ૩૦ સપ્ટેમ્બર, ૧૯૬૩ના રોજ આ બ્યુરોની રચના કરવામાં આવી.
લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોમાં નિયામક તરીકે મુખ્ય પોલીસ અધિકારી કક્ષાના અધિકારીની નિમણૂક કરવામાં આવી છે. તેમને ગૃહ વિભાગના વહીવટી અંકુશ અને સીધા જ માર્ગદર્શન નીચે ખાતાના વડાનો દરજ્જો આપવામાં આવ્યો છે. હાલમાં ગૃહ વિભાગના મંત્રી તરીકે હર્ષ સંઘવી અને નિયામક તરીકે પિયુષ પટેલ (આઈ.પી.એસ.) વડા છે.
આ વિભાગની વેબ સાઇટ ઉપર તેમની કામગીરી અને સિદ્ધિઓ બાબતે કોઈ ખાસ જાણકારી મળતી નથી. પરંતુ મારી લાઇબ્રેરીમાં ઉપલબ્ધ એક વિગત અનુશાર છેલ્લે જાન્યુઆરી ૨૦૨૨ મા આ વિભાગે કામગીરીની જાણકારી આપી હતી, ત્યારબાદ તે મૌન છે! ત્યારે આપેલી વિગતો અનુસાર ૨૦૨૧ માં ૧૮૪ અધિકારીઓ અને કર્મચારીઓની લાંચ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. અપ્રમાણસર મિલકતોના ૧૧ કેસોમાં ૫૬.૬૧ કરોડની બેનામી સંપત્તિ મળી હતી. આ આંકડો નાનો ન કહેવાય. ત્યારે ગૃહ વિભાગમાં સૌથી વધુ ૪૯ કેસમાં ૭૪ આરોપી હતા. પંચાયત વિભાગમાં ૨૯ કેસ અને ૪૮ આરોપી, મહેસૂલ વિભાગમાં ૨૯ કેસ અને ૪૫ આરોપી, શહેરી વિભાગમાં ૧૨ કેસ અને ૧૯ આરોપી, શિક્ષણ વિભાગમાં ૭ કેસ અને ૮ આરોપી અને કેન્દ્ર સરકારમાં ૭ કેસ અને ૧૧ આરોપીઓ હતા. ૫૬.૬૧ કરોડની જંગી લાંચ કોણે કોણે આપી હતી તે જાહેર કરવામાં આવ્યું નથી.
નરેન્દ્ર મોદી કક્ષાના નેતા ખાતો નથી અને ખાવા દેતો નથી જેવું સૂત્ર આપે ત્યારે લાંચ રૂશ્વત બ્યુરોનું મહત્ત્વ કેટલું વધી જાય છે તે સમજી શકાય છે. દેશ અને રાજ્યમાં અસંખ્ય ચૂંટણી ભ્રષ્ટાચાર નિર્મૂલનના મુદ્દા ઉપર લડવામાં આવે છે. ચૂંટણી પછી આ નારાઓ અંતર્ધ્યાન થઈ જાય છે.
મુખ્ય મુદ્દો
કાનૂન અનુસાર લાંચ લેવી ગુનો છે અને લાંચ આપવી પણ ગુનો છે. લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરો ફરિયાદ મળ્યા બાદ સક્રિય થાય છે. છટકું ગોઠવે છે અને લાંચ લેનારને ઝડપે છે. લાંચ લેનાર વ્યક્તિ કે વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. તેના કાર્ય સ્થળ અને રહેણાંક સ્થળે સર્ચ કરવામાં આવે છે. વારંવાર સમાચારોમાં વાંચવા મળે છે કે, ભ્રષ્ટાચારી કર્મચારી કે અધિકારી પાસેથી કરોડો રૂપિયાની અપ્રમાસર મિલકતો કે રોકડ રકમ મળી. આ કાળી કમાણીનો સ્ત્રોત શું? સરકાર તેમાં કેમ ઊંડી ઊતરતી નથી તે બહુ મોટો સવાલ છે. કરોડો રૂપિયા કોણે આપ્યાં? કયા ગેરકાયદે કામ માટે આપ્યા? તે કાયમ અધ્યાહાર જ રહે છે, તેથી લાંચ આપનાર ધંધાદારી લોકો તેની ભ્રષ્ટ કળા ચાલુ જ રાખે છે. લાંચ આપનાર લોકોને પણ પકડવા જોઈએ. એક ભ્રષ્ટ અધિકારી સરેરાશ લાંચ આપનાર ૧૦ લોકોને ખુલ્લા પાડે તો પણ, લોકો લાંચ આપતાં ડરે!
પારદર્શિતા
ગુજરાતમાં ભ્રષ્ટાચાર પણ આધુનિક બન્યો છે. ડિજિટલ બન્યો છે. વધુ વ્યાપક બન્યો છે. દાહોદમાં મનરેગા યોજનામાં થયેલા જંગી ભ્રષ્ટાચાર હજુ તાજો જ છે. એક નાના જિલ્લામાં લાંબા સમય સુધી જાહેરમાં કરોડોની ગોલમાલ થાય અને રાજકારણીઓ અને અધિકારીઓને ખબર પણ ન પડે તે બહુ કહેવાય! લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરો સોશિયલ મીડિયા ઉપર તેની રોજબરોજની ટ્રેપનો બહુ પ્રચાર કરે છે, પરંતુ વાર્ષિક કામગીરી જાહેર કરતાં નથી તે બહુ મોટું આશ્ચર્ય છે. કદાચ વાર્ષિક આંકડાઓ વધતા હોય તો સરકારની છબી ખરડાય તેવું બની શકે છે.
લોક જાગૃતિ
દરેક નાગરિકની પ્રથમ ફરજ છે કે, લાંચ ન આપવી જોઈએ. પ્રામાણિકતા બન્ને પક્ષે હોવી જોઈએ. કળયુગમાં ૧૦૧ ટકા પ્રામાણિકતા શક્ય નથી. વસ્તી વધવાની સાથે કામનું ભારણ પણ વધી રહ્યું છે. ધનની લાલસા બેફામ બની છે. મારા માટે સૌથી વધુ ભ્રષ્ટાચાર પોલીસ અને મહેસૂલ વિભાગમાં થાય છે. માર્ગ અને મકાન વિભાગ પણ મોખરે છે. એક સરકારી હોસ્પિટલનો વર્ગ ત્રણનો કર્મચારી આધુનિક એસ.યુ.વી. ગાડી લઈને નોકરી કરવા આવે અને તંત્રની નજરે ન ચડે તે ગજબ કહેવાય! ખેતીની જમીનનો હેતુ ફેર કરવાનું ટેબલ પણ મલાઇદાર હોવાનું કહેવાય છે. ધનીકો દારૂની મહેફિલ માણતા પકડાય છે, પરંતુ ભિખારી લોકો પીધેલા પકડતા નથી, કેમ? ઠેર ઠેર માઉસ ટ્રેપ ગોઠવાયેલી હોય છે, ફસાયા એટલે મર્યા! લેશન કરીશ તોં ચોકલેટ આપીશ.. એ પણ વાલી દ્વારા બાળકને અપાયેલી લાંચ જ છે.
અમદાવાદમાં લંડન જતા વિમાનને ભિષણ અકસ્માત નડ્યા પછી સુરત વહીવટી તંત્ર અને એરપોર્ટ ઓથોરિટીને ખબર પડી કે સુરત વિમાની મથક આસપાસ પણ હવાઈ વ્યવહાર માટે જોખમી કહી શકાય તેટલી ઊંચાઈના બહુમાળી મકાનો બની ગયા છે. જો અમદાવાદનો અકસ્માત ન થયો હોત તો આ ઇમારતો સામે વાંધો ન હતો. અહી રન-વે આસપાસના બાંધકામોની માર્ગદર્શિકાનો અમલ નથી થયો તે દીવા જેવું સ્પષ્ટ છે. અહી ભ્રષ્ટાચાર ઉડીને આંખે વળગે તેવો છે. સુરત તો ગૃહ મંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખનો વિસ્તાર છે, તો પણ દીવા નીચે કેમ અંધારૃં રહ્યું તે મોટો સવાલ છે.
મોટો સવાલ
નૈતિક અધઃપતન સંપૂર્ણ નાબૂદ કરવું શક્ય છે? જવાબ ના છે! નૈતિક્તાનું અવમૂલ્યન તો સદીઓ જૂની પરંપરા છે. નૈતિક અધપતનમાં નબળી વ્યક્તિને છેતરવામાં આવે છે અને બળિયાના બે ભાગ પડે છે. દેશમાં આવકવેરા રિટર્ન કેટલા લોકો સાચા ભરે છે? ૧૪૦ કરોડ લોકોમાંથી કેટલા લોકો કાયમ સાચું જ બોલે છે? લાંબી કતારોમાં શોર્ટકટ કેટલા લોકો શોધે છે? અતિ ધનિક લોકો કેમ કોઈ દિવસ આધાર કાર્ડ, પાન કાર્ડ, પાસપોર્ટ, વિઝા, કે મંદિરોની લાઇનમાં ઉભેલા દેખાતા નથી?
દેશમાં એક વી.આઇ.પી. કલ્ચર ફેલાઈ ગયું છે. જેને સામાન્ય લોકોને પરેશાન કરતા કોઈ પ્રશ્નો કે સમસ્યા નડતી નથી.
મારો નાનો અને સામાન્ય પ્રશ્ન ફરી ફરી દોહરાવું છું. ગુજરાત સરકાર અપ્રમાણસર મિલકતોનો સ્ત્રોત કેમ શોધતી નથી? વિદેશોમાં પડેલું કાળું નાણું કેમ વધતું જ જાય છે? નબળી કંપનીઓના શેર કેમ વારંવાર ઉછાળા મારે છે?
ત્રાસવાદની જેમ ભ્રષ્ટાચાર સામે પણ ઝીરો ટોલરન્સ નીતિ હોવી જોઈએ. જોકે, નાગરિકોની જવાબદારી પણ ઓછી નથી. દરેક નાગરિકને કાયદાનો ભય હોવો જોઈએ. કાયદાનું અમલીકરણ પણ સમાન થવું જોઈએ. નેતાઓ પીયુસી વગરના વાહનો લઈ રેલી કાઢે તો તેને પણ દંડ થવો જોઈએ. રાજકોટમાં તાજેતરમાં આર.ટી.ઑ. નિયમ ભંગ કરતી ભાજપની વહન રેલી નીકળી હતી, પત્રકારોએ પોલીસને સવાલ કર્યો કે, આ નિયમોના ભંગ સામે શું પગલાં લેશો? પોલીસ અધિકારીએ જવાબ આપ્યો કે ઉપરી અધિકારીનું માર્ગદર્શન મેળવીશ! પછી શું થયું, રામ જાણે.
'નોબત'ના વાચકો અને ચાહકો શક્ય હોય તેટલું મહત્તમ પ્રામાણિક જીવન જીવે તેવી અભ્યર્થના.
પરેશ છાંયા
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
વિવિધ પરીક્ષાઓ માટેનું સમય પત્રક આપણે હજુ નિશ્ચિત નથી કરી શક્ય!:
આઝાદીને ૭૫ વર્ષ થયાં. આ કોઈ નાનો કે ટૂંકો સમયગાળો નથી. દેશના ભવિષ્યને કંડારવા માટેના નીતિ નિયમો નિશ્ચિત કરવા માટે વધુ પડતો છે. હા, ટેકનોલોજીમાં જે કઈં પરિવર્તનો આવે તે પ્રમાણે નવા નવા રસ્તાઓ પસંદ કરવા પડે તે સ્વાભાવિક છે. પરંતુ શિક્ષણ કે નોકરી જેવી પ્રાથમિક બાબતોમાં પણ આપણે ઠેબા ખાતા હોઈએ તે બહુ નિરાશાજનક છે. હું છેલ્લા એક દાયકાથી જોઈ રહૃાો છું કે, તબીબી જેવી મહત્ત્વની શિક્ષણ શાખામાં દર વર્ષે પ્રવેશ પ્રક્રિયા ન્યાયતંત્ર સુધી પંહોચે છે. વિદ્યાર્થીઓ અટવાયા કરે છે. આ વર્ષે પણ નીટ-પીજી માટે નવી ગાઈડલાઇન આપવામાં આવી અને બે ને બદલે એક જ પાળીમાં પરીક્ષા લેવી તેવું જણાવવામાં આવ્યું. ૧૫ જૂનની પરીક્ષા હવે નવા ફોર્મેટ મુજબ ૩ ઓગસ્ટના દિવસે લેવામાં આવશે. મેડિકલ જેવા ઉચ્ચ અભ્યાસક્રમના તેજસ્વી વિદ્યાર્થીઓ જીવનના મહત્ત્વના ત્રણ મહિના ગુમાવશે!
માત્ર શિક્ષણ ક્ષેત્રે જ આવું છે તેવું નથી, નોકરી અને ભરતીના લાંબાગાળાના સમય પત્રકો પણ આપણી પાસે નથી! યુવાનો માટે શિક્ષણ અને નોકરી બે મહત્ત્વના પડાવ હોય છે. બંનેમાં કોઈ નિશ્ચિત ટાઈમટેબલ જ નથી! જી.પી.એસ.સી.ના ચેરમેન હસમુખ પટેલે ૧૦ મે ના દિવસે એક્સ. સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરી લખ્યું હતું કે 'ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવામાં આવનાર આવતીકાલની પરીક્ષા યથાવત છે'! આનો અર્થ એવો કાઢી શકાય કે, પરીક્ષાર્થીઓ છેલ્લે સુધી અસમંજસમાં રહે છે કે, પરીક્ષા લેવાશે કે નહીં? ૧૭ મે ના લેવાનાર ડ્રગ્સ ઇન્સ્પેક્ટરના ઈન્ટરવ્યૂ અચાનક મોકૂફ રાખવામાં આવ્યા, કારણ કે જી.પી.એસ.સી. ઈન્ટરવ્યૂ પેનલના એક સભ્ય સરદારધામમાં આ પરીક્ષાની જ મોક ટેસ્ટ લેવાની કમિટીના સભ્ય હતા! બધા પરીક્ષાર્થીઓ વિલા મોઢે બેસી ગયા!
યુ.પી.એસ.સી.માં પાંચ લાખ લોકોએ પ્રિલિમ પરીક્ષા આપી હતી જેનું પરિણામ માત્ર ૧૭ દિવસમાં આપી દીધું જ્યારે જી.પી.સી.માં માત્ર ૯૭૦૦૦ લોકો જ હતા છતાં દોઢ મહિના ઉપરાંત સમય થયો છતાં પરિણામના કોઈ વાવડ નથી!
નિશ્ચિતતા
અમેરિકા મહાસત્તા હોવાના અનેક કારણો છે. અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી દર ચાર વર્ષે નિશ્ચિત દિવસે જ થાય છે, જે ૧૮૪૫ થી નવેમ્બરમાં પ્રથમ સોમવાર પછી પ્રથમ મંગળવાર યોજાય છે. જે ત્યાંની સમયબદ્ધતા દર્શાવે છે. અમેરિકામાં બીજી કેટલી નિશ્ચિતતા હશે તેનો અભ્યાસ કર્યો નથી, પરંતુ દેશના વડાની ચૂંટણીની તારીખ પણ નક્કી હોય છે. ભારતમાં કોઈ સમય પત્રક જેવી પદ્ધતિ નથી, તેનું દુઃખ છે!
આપણે ત્યાં ધાર્મિક કેલેન્ડરને બહુ મહત્ત્વ આપવામાં આવે છે. મારા મતે જિંદગીમાં શિક્ષણ અને નોકરી ધર્મ કરતાં વધુ મહત્ત્વના છે. કુંભ મેળાની તારીખ નક્કી હોય શકે છે, પરંતુ તબીબી અભ્યાસક્રમોની પરીક્ષા તારીખ નક્કી નથી કરી શક્યા!
જીવનમાં નિશ્ચિતતા હોય તો વિકાસ કે પ્રગતિ ઝડપી અને ચોક્કસ બને છે. ભવિષ્યનું આયોજન જ વર્તમાનને સુખી બનાવે છે. દેશમાં પ્રથમ ધોરણથી લઈને પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીની પરીક્ષાની તારીખો દર વર્ષે બદલતી રહે છે. બીજું, રાજ્યવાર પણ અલગ અલગ સમયપત્રક હોય છે. પરિણામે કોઈ એક સમય પત્રક બની શકતું નથી. કેટલીક પરક્ષાઓ 'લગ્નગાળો હોવાથી' મુલતવી રહે છે અથવા પાછી ઠેલવામાં આવે છે! હસમુખ પટેલે જ એક પોસ્ટમાં લખ્યું હતું કે, પરીક્ષા કેન્દ્રની બાજુમાં જ સમૂહલગ્નનું સ્થળ હોવાથી બહુ ઘોંઘાટ થવાની શક્યતા હતી, આયોજકો સાથે ચર્ચા કરી સમૂહ લગ્નનો સમય બદલાવવામાં આવ્યો છે!
પરીક્ષા
ભારતીય યુવાન તેના જીવનમાં બે પ્રકારની પરીક્ષાઓમાંથી પસાર થવું પડે છે. (૧) અભ્યાસ દરમિયાન (૨) નોકરી માટે. અભ્યાસ દરમિયાન દર વર્ષે નાની મોટી અનેક કસોટીઓ લેવામાં આવે છે. ગુજરાતમાં ધોરણ ૮ સુધી કોઈને નાપાસ ન કરવા તેવી નીતિ એક સમયે હતી. કૌન બનેગા કરોડપતિ શ્રેણીની જેમ પહેલો પડાવ ધોરણ ૧૦ નો આવે. નબળા વિદ્યાર્થીઓ અહી સુધી ભણી અભ્યાસ છોડી દે છે. આ ડિગ્રી મેળવનારની સમાજમાં કોઈ વેલ્યૂ હોતી નથી. ત્યાર બાદ ધોરણ ૧૨ માં પ્રથમ વખત વિદ્યાર્થી સાચી અને કડક કસોટી આપે છે. જન્મના ૧૭ વર્ષ સુધી તો ગાડું ગબડે જાય છે. ધોરણ ૧૨ પછી જો જીતા વહી સિકંદર!
શિક્ષણ પછી નોકરીના ઈન્ટરવ્યૂ રૂપી પરીક્ષાઓ આપવી પડે છે. દેશમાં (૧) યુ.પી.એસ.સી. (૨) જી.પી.એસ.સી. (૩) ગૌણ સેવા પસંદગી મંડળ (૩) રેલવે ભરતી બોર્ડ (૪) બેન્કિંગ ભરતી બોર્ડ જેવા અસંખ્ય ભરતી બોર્ડ છે. આકાશના તારા ગણી શકો, પણ નોકરી દાતા બોર્ડ કે સંસ્થાઓ ગણી ન શકો તેવી હાલત છે. દરેકના નિયમો તો અભિમન્યુના સાત કોઠા કરતા પણ અટપટા હોય છે! દેશમાં ખાનગી નોકરી દાતાઓ પણ વિપુલ પ્રમાણમાં છે. તેમના સંકલનની તો કોઈ સિસ્ટમ જ નથી. ગુજરાતમાં મોટા ઉદ્યોગ ગૃહોમાં નોકરી માટે રાજ્ય સરકાર દર વર્ષે 'ભરતી મેળા' યોજે છે, તેની શું સ્થિતિ છે તે ખબર નથી. હવે નવો કોન્સેપ્ટ આવ્યો છે.. કેમ્પસ પ્લસમેન્ટ!
દેશની કડવી વાસ્તવિકતા તો એ છે કે, આખી જિંદગી પરીક્ષાઓ આપવાની, પરંતુ ફળ રૂપે તો નસીબ જ!
કેન્દ્રીય જાહેર સેવા આયોગ
આ કેન્દ્ર સરકારનો વિભાગ છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એક બંધારણીય સંસ્થા છે જેને વિવિધ પ્રમાણિત પરીક્ષાઓ દ્વારા અખિલ ભારતીય સેવાઓ અને કેન્દ્રીય સિવિલ સર્વિસીસ માટે અધિકારીઓની ભરતી કરવાનું કામ સોંપવામાં આવ્યું છે. ૨૦૨૩ માં, ૧.૩ મિલિયન અરજદારોએ ફક્ત ૧૨૫૫ જગ્યાઓ માટે ઉમેદવારી કરી હતી. યુપીએસસી વાર્ષિક ૧૪ થી ૧૫ મુખ્ય પરીક્ષાઓનું આયોજન કરે છે. આ પરીક્ષાઓમાં સિવિલ સર્વિસીસ, એન્જિનિયરિંગ સેવાઓ અને સશસ્ત્ર દળો સહિત વિવિધ ભૂમિકાઓ આવરી લેવામાં આવે છે. ઉદાહરણોમાં સિવિલ સર્વિસીસ પરીક્ષા (સીએસઈ), એન્જિનિયરિંગ સર્વિસીસ પરીક્ષા (ઈએસઈ), અને નેશનલ ડિફેન્સ એકેડેમી (એનડીએ)/નેવલ એકેડેમી (એનએ) પરીક્ષાનો સમાવેશ થાય છે.
૨૦૨૪ માં યુપીએસસી સિવિલ સર્વિસીસ (પ્રારંભિક) પરીક્ષા માટે આશરે ૯,૯૨,૫૯૯ ઉમેદવારોએ અરજી કરી હતી. તેમાંથી ફક્ત ૫,૮૩,૨૧૩ ઉમેદવારોએ જ ખરેખર પરીક્ષા આપી હતી. એટલે એમ કહી શકાય કે અરજી કરનાર ઉમેદવારોમાંથી ૫૦ ટકા તો પરીક્ષા આપવા આવ્યા જ નહીં!
નાના અને મધ્યમ પદો માટે ૧૬ જૂન, ૨૦૨૪ ના, ભારતમાં ૭૯ કેન્દ્રો પર આશરે ૧૩.૪ લાખ વિદ્યાર્થીઓએ માત્ર ૧૧૦૫ જગ્યાઓ માટે યુપીએસસી પ્રિલિમ્સ પરીક્ષા આપી હતી. ફક્ત ૧૪,૬૨૭ ઉમેદવારો કટ-ઓફથી ઉપર સ્કોર કરવામાં સફળ રહૃાા અને મુખ્ય તબક્કા માટે લાયક બન્યા. આ ઉપરથી સમજી શકાય છે કે નોકરી માટે કેટલી તિવ્ર હરીફાઈ છે.
જી.પી.એસ.સી.
ગુજરાત જાહેર સેવા આયોગ ગુજરાતમાં વિવિધ પદો ઉપર નોકરી માટે પરીક્ષા લે છે. તેની વેબ સાઇટ છે, ભરતીનું કેલેન્ડર પણ છે, વર્ષ ૨૦૨૫ માં ૧૭૫૧ પદો માટે ૭૯ જાહેરાતો પ્રસિદ્ધ કરવામાં આવશે. આ વેબસાઇટ ઉપર પુષ્કળ જાણકારી મૂકવામાં આવે છે. સરકારી નોકરી ઇચ્છુક ઉમેદવારોએ તે નિયમિત જોવી જોઈએ. આ આયોગના ચેરમેન તરીકે નિવૃત્ત આઈ.પી.એસ. શ્રી હસમુખ પટેલ છે, જેમની આ કાર્ય માટે નિષ્ઠા જાણીતી છે.
ગૌણ સેવા પસંદગી મંડળ
આ મંડળ સરકારી વિભાગોમાં નાના પદો ઉપર ભરતી કરે છે. જો કે હવે હાઇબ્રીડ જેવી કોન્ટ્રેક્ટ ભરતી આવ્યા પછી આ મંડળ ત્રિશંકુ હાલતમાં છે. રાજય સરકાર હેઠળના વિભાગો/ખાતાના વડાઓની કચેરીઓની વર્ગ-૩ ની બિનતાંત્રિક તથા તાંત્રિક સંવર્ગોની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ દ્વારા ઉમેદવારોની પસંદગી કરી નિમણૂક આપવા માટે ભલામણ કરે છે. રાજ્ય સરકાર હેઠળના/ખાતાના વડાઓની કચેરીઓમાં વર્ગ-૩ ની બિનતાંત્રિક અને તાંત્રિક સંવર્ગના કર્મચારીઓને બઢતી માટેની ખાસ સ્પર્ધાત્મક પરીક્ષાઓનું આયોજન કરી, યોગ્ય ઉમેદવારોની બઢતી માટેની ભલામણ કરે છે અને રાજય સરકાર હેઠળના વિવિધ વિભાગો/ખાતાના વડાઓની કચેરીઓના વર્ગ-૩ ના વિવિધ સંવર્ગોની ખાતાકીય ૫રીક્ષાઓનું આયોજન કરે છે. મંડળ દ્વારા ૨૦૨૫-૨૬ ના વર્ષ માટેનું ભરતી કેલેન્ડર જાહેર કરવામાં આવેલ છે.
રોજગાર કચેરી
ગુજરાતમાં રોજગાર ઇચ્છુક માટે 'રોજગાર કચેરી' પણ છે. તેની હાલમાં શું ભૂમિકા છે તેની જાણ નથી. લગભગ અપ્રસ્તુત હોવાનું જણાઈ રહૃાું છે. આટલા મહત્ત્વના વિભાગ માટે સરકાર પણ ગંભીર હોય તેમ લાગતું નથી. આ કચેરીની વિકાસ ગાથા અલગથી પ્રકાશિત કરવી જોઈએ. કેન્દ્ર સરકારમાં 'એમ્પ્લોયમેન્ટ એક્સ્ચેન્જ' છે, તેની કામગીરી પણ જાણ બહાર છે. રાજ્ય સરકાર 'રોજગાર સમાચાર' પ્રકાશિત કરે છે, બહુ ઉપયોગી થતું હોય તેવા અહેવાલ નથી.
ધસારો
સરકારી નોકરી માટે ધસારો વધી રહૃાો છે. રેવન્યુ તલાટીની ભરતીની જાહેરાત બહાર પડી છે. તેમાં ૨૩૮૯ જગ્યાઓ માટે પાંચ લાખથી વધુ ઉમેદવારો અરજી કરી ચૂક્યા છે. અંતિમ તારીખ સુધીમાં હજુ વધુ નોંધાશે. રાજ્યમાં નાની નોકરીઓ માટે પણ મોટો ધસારો જોવા મળે છે. વર્તમાન સરકારે માળખાકીય સુવિધાઓની સાથે 'નિશ્ચિત અને નક્કર રોજગાર' અભિયાન શરૂ કરવાની જરૂર છે. સરકારી નોકરીઓ બાબતે તો હજુ પણ કઈક પારદર્શિતા છે, પરંતુ ખાનગી ક્ષેત્રે રોજગારીને પણ વધુ પારદર્શક બનાવવી જોઈએ. તેના ભરતીના નિયમો હોવા જોઈએ. અખબારોમાં જાહેરાત આપીને કે રોજગાર કચેરી દ્વારા ભરતી કરવી જોઈએ.
સારાંશ
ભારતમાં શૈક્ષણિક પરીક્ષાઓની પદ્ધતિ અટપટી છે. દેશમાં રાજ્ય અને કેન્દ્રના અલગ અલગ અભ્યાસક્રમો અમલમાં છે. સરકારી અને ખાનગી શૈક્ષણિક સંસ્થાઓમાં પણ ઉત્તર દક્ષિણ જેવું છે. સ્નાતક કક્ષાએ હવે ખાનગી યુનિવર્સિટીનો કોન્સેપ્ટ આવ્યો એટલે 'રીંગણાં લઉં બે ચાર, લે ને દસ બાર' જેવું ચાલે છે. મોસાળે વિવાહ અને માં પીરસણે હોય પછી શું કહવાનું હોય! પરંતુ આ બધામાં ગુણવતા માર ખાઈ રહી છે તેની કોઈને ચિંતા નથી. નબળી શિક્ષણ અને પરીક્ષા નીતિને કારણે આપણું ભવિષ્ય ધૂંધળું બની રહૃાું છે. ભારત પાસે ગૂગલ, એન્ડ્રોઇડ, એપલ, માઈક્રોસોફ્ટ, ટેસ્લા, કોકાકોલા, નેસ્લે, ઇન્ટેલ, એન વિડિયા, એ.એમ.ડી. કેમ નથી? કારણ કે આપણે ત્યાં રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ નામની કોઈ માનસિકતા જ નથી. ભારત પાસે પોતાનું કહી શકાય તેવું ઈમેલ આઈ.ડી. (જી મેઇલ) નથી.
માં સરસ્વતીને હૃદયથી પ્રાર્થના કે, આઝાદીના સુવર્ણ વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને પરીક્ષાઓ ક્ષેત્રે સંપૂર્ણ સક્ષમ બનાવી દે.
પરેશ છાંયા
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
નીતિ નિયમો વગરની નાના પાયાની રમતોનો વધતો જતો ક્રેઝ!
માનવનો મૂળભૂત સ્વભાવ મનોરંજન અને યુદ્ધનો છે. આ બે પ્રવૃત્તિ માટે અવનવા તિકડમ કરે છે. સંઘર્ષ કરવો તે મારા જેવા કરોડો લોકોના ગજા બહારની પ્રવૃત્તિ છે. સાદી ભાષામાં કહેવું હોય તો, જે જન્મે છે, તે મનોરંજન ઈચ્છે છે! કહેવાય છે કે આદિ માનવો જળચરોના શિકાર કરી મનોરંજન મેળવતા હતા, અહી એક કાંકરે બે પક્ષી મારતા હતા, સમય પસાર કરવા સાથે ખોરાક પણ મળી રહેતો હતો. જળચરોના શિકારથી મન ભરાઈ ગયું એટલે જંગલી જીવોનો શિકાર કરવા લાગ્યા. બીજા અર્થમાં કહીએ તો કોઈ પ્રવૃત્તિ કાયમી મનોરંજન બની શકતી નથી. દર વખતે કઇંક નવું જોઈએ!
આજે ચર્ચા કરવી છે, ગામે ગામ ફૂટી નીકળેલા બોક્સ ક્રિકેટ, પીકલ બોલ, ગોલ્ફ વગેરે રમતોની. નાના પાયે થોડા લોકો ભેગા મળી મનફાવે તેમ રમતો રમી મનોરંજન મેળવે. જામનગરમાં પણ આ વાયરો વાયો છે. ઠેર ઠેર અબાલ વૃદ્ધો મેદાનમાં સારો એવો સમય પસાર કરે છે. પીકલ બોલ નામની રમત ચાર લોકો સાથે મળીને રમે છે. જામનગરમાં પીકલ બોલ રમવાના એક કલાકના ૫૦૦ થી ૬૫૦ સુધીનો ભાવ ચાલે છે. બોક્સ ક્રિકેટ માટે એક હજારથી બે હજાર સુધીનું ભાડું ચૂકવવું પડે છે. ભાવ પ્રમાણે સુવિધાઓ આપવામાં આવે છે.
આ રમતો હજારો લોકોને નવી રોજગારી પણ પૂરી પાડી રહૃાું છે. લોકો પાસે પોતાની માલિકીનું મેદાન નથી તે ભાડે રાખે છે, એટલે બીજાનું બોક્સ ભાડે રાખી આવક રળે છે. ઉનાળામાં આવા મેદાનો આખી રાત ધમધમે છે. જામનગરમાં ખંભાળિયા રોડ, લાલપુર અને કાલાવડ રોડ ઉપર આવી રમતો માટે પુષ્કળ સુવિધાઓ ઊભી થઈ છે. યુવતીઓ અને મહિલાઓ પણ કિટ્ટી પાર્ટી રૃપે આવી રમતો રમે છે અને મજા માણે છે!
સુરત અને અમદાવાદમાં તો હવે વિશાળ મેદાનો ગોલ્ફ માટે તૈયાર કરવામાં આવ્યા છે. જેમની પાસે મોટી જમીનો છે તેનું લેન્ડ સ્કેપિંગ કરી ગોલ્ફના મેદાનમાં તબદીલ કરવામાં આવે છે. આ વિસ્તારના જાણકારોના જણાવ્યા અનુસાર ગોલ્ફ માટેના તૈયાર મેદાનનું વાર્ષિક ભાડું એક કરોડ રૃપિયા સુધીનું હોય છે. ભાડે રાખનાર વ્યક્તિ છૂટક રમવા માટે વ્યક્તિઓ પાસેથી ભાડું ઉઘરાવે છે. અહી કલાકના ૫ થી ૧૦ હજાર સુધીનું ભાડું ગોલ્ફ રમનારે ચૂકવવું પડે છે. અહી ગોલ્ફ સ્ટિક, બોલ, સહાયક, ઇ કાર્ટની સુવિધા પણ ફી અનુસાર આપવામાં આવે છે. ભાડું ગોલ્ફ હોલ અનુસાર લેવામાં આવે છે. ગોલ્ફ શીખવા માટે ટ્રેનર પણ રાખવામાં આવે છે. અમદાવાદમાં બાવળા, બગોદરા રોડ ઉપર આવા અનેક ગોલ્ફ કોર્સ ધમધમી રહૃાા છે.
બોક્સ ક્રિકેટ
ગુજરાતમાં વેકેશન પૂર્ણ થયું તો પણ રમતોની પ્રવૃત્તિ ધમધમતી રહેશે. કેટલાક મનોરંજન પ્રેમી લોકો ચોમાસામાં પણ 'રેન ગેમ' રમત હોય છે. ગુજરાતી ભાષામાં એક કહેવત છે કે, 'સગવડિયો ધર્મ'! બોક્સ ક્રિકેટ એ રમતોમાં સગવડિયો ધર્મ છે. જેમની પાસે મેદાન નથી, મેદાન જાળવવા માટે સમય, નાણાં અને શકતી નથી તે લોકો અહીં તેમનો શોખ પૂરો કરે છે બોક્સ ક્રિકેટ એ મૂળભૂત રમત નથી પરંતુ નેટ પ્રેક્ટિસનું 'પુઅર વર્ઝન' છે. વાસ્તવમાં મોટા ખેલાડીઓ પ્રેક્ટિસ માટે જાળી બાંધી રમે છે જે પરંપરાગત રીતે નેટ પ્રેક્ટિસ તરીકે ઓળખવામાં આવે છે. બ્રિટનમાં કાઉન્ટી ક્રિકેટમાં આ પ્રકારની સુવિધા ઊભી કરવામાં આવી હતી. અહી વિદેશના ખેલાડીઓ આવે અને કાઉન્ટી પહેલાં પ્રેક્ટિસ કરે. મૂળ તો બ્રિટનના હવામાન સાથે ખેલાડીઓનું અનુકૂલન સાધવાનો હેતુ હતો. આ પ્રવૃત્તિને 'વોર્મ અપ એક્સરસાઈઝ' પણ કહેવામાં આવતી હોય છે. ધીરે ધીરે આ પ્રથા ક્રિકેટ રમત અન્ય દેશોમાં પણ પ્રચલિત થઈ. હવે તો તે જામનગર અને ઓખા સુધી પહોંચી ગઈ છે.
જામનગરમાં પ્રદર્શન મેદાન, નવા રેલવે સ્ટેશન પાસે ગાંધીનગર અને સમર્પણ હોસ્પિટલ આસપાસના મેદનોમાં રવિવારે મોટાપાયે ક્રિકેટ રમાતુ હતું, પરંતુ હવે બન્ને સ્થળો ભૂતકાળ બની ગયા છે. યુવાનો અને વડીલો બન્ને વર્ગ બોક્સ ક્રિકેટ તરફ વળ્યા છે. એક અંદાજ અનુસાર એકલા સુરતમાં જ પાંચ હજાર જેટલા બોક્સ ક્રિકેટ છે. જામનગર જિલ્લામાં પણ ૧૫૦ જેટલા બોક્સ ક્રિકેટ છે.
અહી સંચાલકો દ્વારા ખેલાડીઓને ફી અનુસાર સુવિધાઓ આપવામાં આવે છે. બેટ, સ્ટંપ, પેડ, બોલ, ગ્લોવ્ઝ, પાણી, ઠંડા પીણાં પણ આપવામાં આવે છે. અહી બોક્સની કોઈ નિશ્ચિત સાઇઝ કે માર્ગદર્શિકા હોતી નથી. મનફાવે તેમ રમવાનું! ભાડું કલાક અનુસાર હોય અને અગાઉથી બુકિંગ કરાવવું પડે છે.
અનેક ગ્રુપ અને સંસ્થાઓ પૂર્ણ કક્ષાની ક્રિકેટ સ્પર્ધાઓ પણ યોજે છે. જે મેદાનમાં રમવામાં આવે છે, યુ ટ્યુબ ઉપર લાઈવ પણ કરવામાં આવે છે. યુ ટ્યુબ લાઈવ કરવાનો ભાવ ૮ કલાકના ૧૦ હજારથી ૨૫ હજાર સુધીનો હોય છે. રાજકોટમાં તો નાની નાની ટુર્નામેંટનું પણ જીવંત પ્રસારણ કરવાનો ક્રેઝ છે!
પિકલ બોલ
આ રમત ટેનિસ અને ટેબલ ટેનિસનું વર્ણ શંકર વર્ઝન છે. બન્ને રમતોનો સારાંશ અહી લેવામાં આવ્યો છે. તાજેતરમાં સુપર સ્ટાર રણવીરસિંહ દુબઈમાં પિકલ બોલ રમતો જોવા મળ્યો હતો. તેમણે પોતાની આ તસવીર ઇન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ કરી હતી. આ ઉપરથી નક્કી કરી શકાય છે કે પિકલ બોલ રમત ક્યાં સુધી પંહોચી છે! જામનગરમાં આ રમત રમાડતાં ત્રણથી ચાર જ બોક્સ છે.
ગુજરાતીઓ માત્ર મનોરંજન માટે રમી રહૃાા છે તેથી તેના કોઈ ચોક્કસ નીતિનિયમો હોય તેમ લાગતું નથી. એક સમયે 'ગલી ક્રિકેટ' શબ્દ બહુ પ્રચલિત થયો હતો, બાળકો મનફાવે તેમ રમે. હવે આ ગલી ક્રિકેટ નવા સ્વરૃપે રમાઈ રહૃાું હોય તેમ લાગે છે!
૧૯૬૫માં પિકલબોલ પેસિફિક નોર્થવેસ્ટમાં એક લોકપ્રિય રમત બની અને ધીમે ધીમે અન્યત્ર લોકપ્રિયતામાં વધારો થયો. ૨૦૨૧ થી ૨૦૨૪ સુધી, સતત ચાર વર્ષ સુધી, સ્પોર્ટ્સ એન્ડ ફિટનેસ ઇન્ડસ્ટ્રી એસોસિએશન દ્વારા આ રમતને યુનાઇટેડ સ્ટેટસમાં સૌથી ઝડપથી વિકસતી રમત તરીકે નામ આપવામાં આવ્યું. ૨૦૨૪ સુધીમાં, એવો અંદાજ હતો કે યુનાઇટેડ સ્ટેટસમાં ૧૯.૮ મિલિયન ખેલાડીઓ હતા, જે ૨૦૨૧ થી ૩૧૧% વૃદ્ધિ દર્શાવે છે.
અમેરિકામાં પિકલબોલે નવેમ્બર ૨૦૦૯માં એરિઝોનામાં તેની પ્રથમ પિકલબોલ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપનું આયોજન કર્યું હતું. હવે દર વર્ષે વિવિધ સ્થળોએ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપનું આયોજન કરવાની પરંપરા છે. યુ.એસ. ઓપન પિકલબોલ ચેમ્પિયનશિપ પ્રથમ વખત ૨૦૧૬માં યોજાઈ હતી, અને ત્યારથી દર વર્ષે ફ્લોરિડાના નેપલ્સમાં ઇસ્ટ નેપલ્સ કોમ્યુનિટી પાર્કમાં રમાય છે. આ ટુર્નામેન્ટ કલાપ્રેમી, વ્યાવસાયિક અને આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ માટે ખુલ્લી છે. ૨૦૨૪ ની ઇવેન્ટમાં ૩૩૦૦ થી વધુ સ્પર્ધકો અને ૫૦ હજાર થી વધુ દર્શકો હતા.
ભારતમાં પિકલબોલની લોકપ્રિયતા ઝડપથી વધી રહી છે, સક્રિય ખેલાડીઓમાં નોંધપાત્ર વધારો થઈ રહૃાો છે અને કોર્ટ બાંધકામમાં પણ તેજી આવી રહી છે. આ રમત વિવિધ રાજ્યોમાં ફેલાઈ ગઈ છે અને ભારતીય સેલિબ્રિટીઓનું ધ્યાન પણ આકર્ષિત કરી રહી છે.
સુવિધા
ગુજરાતમાં બોક્સ ક્રિકેટ અને પિકલ બોલ રમતો વ્યાપક લોકપ્રિયતા હાંસલ કરી રહી છે. હાલમાં તે રમતને બદલે મનોરંજન બની છે. એક સમયે ક્રિકેટ, ટેનિસ, બાસ્કેટબોલ માત્ર રાજકોટ અને જુનાગઢ જીમખાનમાં જ રમાતા હતા. રાજકોટના રાજવી મનોહરસિંહ જાડેજા ટેનિસના અચ્છા ખેલાડી હતા. ગુજરાતીઓમાં ક્રિકેટ રમત નસે નસમાં વહેતી હોવાથી બીજી રમતો આગળ વધી શકતી નથી. દેશમાં વિવિધ રમતોના સંકલન અને આયોજન માટે કેન્દ્રમાં 'સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ઈન્ડિયા' કાર્યરત છે. ગુજરાતમાં પણ રમત ગમત વિભાગ છે. જો કે રમત ગમત મંત્રી હર્ષ સંઘવીની નજર હજુ સુધી આ બોક્સ ક્રિકેટ અને પિકલ બોલ ઉપર પડી હોય તેમ લાગતું નથી. હાલમાં તો તેઓ ૨૦૩૬ ની ઓલમ્પિક ગેમ્સ ગુજરાતમાં યોજવા માટે તત્પર છે. તેઓ આ માટે ડેલિગેશન લઈ વિદેશ જઈ રહૃાા છે.
સરકાર
ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ સ્વતંત્ર વિભાગ તરીકે અસ્તિત્વમાં નહોતો, પરંતુ રાજ્યમાં યુવા પ્રવૃત્તિઓને વેગ આપવા માટે, તા. ૧૭-૧૨-૧૯૯૦ ના એક અલગ વિભાગ તરીકે તેની રચના કરવામાં આવી હતી. વિભાગને ફરીથી ફાળવવામાં આવેલા નવા વિષયો અનુસાર, સામાન્ય વહીવટ વિભાગ (જીએડી)ના સૂચના મુજબ મૂળ યુવા સેવાઓ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગથી, વિભાગનું નામ બદલીને રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ રાખવામાં આવ્યું છે. તે મુજબ, વિભાગ હવે આ નામ હેઠળ કાર્યરત છે. આ વિભાગ રમતગમત, યુવા, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સંગ્રહાલયો, પુરાતત્વ, પુસ્તકાલયો, રેકોર્ડ અને હસ્તપ્રતો, શતાબ્દી ઉજવણી, સ્મારકો અને એકેડેમી સંબંધિત પ્રવૃત્તિઓ કરે છે.
ખેલો ઈન્ડિયા
રમતો માણસને પ્રફુલ્લિત કરે છે, શારિરીક શ્રમ પણ થાય છે અને આરોગ્ય માટે અતિ મહત્ત્વની છે. ફિટનેસ જાળવવા માટે દરેક વ્યક્તિએ નાની મોટી કોઈ પણ રમતનો શોખ કેળવવો જોઈએ. કઈં ન કરી શકો તો, સાઈકલિંગ, જોગિંગ અને વોકિંગ પણ કરી શકાય છે. જામનગર મહાનગરપાલિકા સરૃ સેકશન રોડ ઉપર બેડી ઓવરબ્રિજ પાસે જૂના બ્રુકબોન્ડ મેદાનમાં વિશાળ સ્પોર્ટ કોમ્પ્લેક્સ બનાવી રહી છે ત્યારે અહીં, સાઈકલિંગ, જોગિંગ અને વોકિંગ માટે પણ સુવિધા ઊભી કરવી જોઈએ કારણ કે, હજારો લોકો રમતો ઉપરાંત આ પ્રવૃત્તિને મહત્ત્વ આપતા હોય છે. જામનગર શહેરમાં ૬ લાખની વસ્તી વચ્ચે માત્ર રણમલ તળાવ જ છે, ત્યારે આ સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં વોકિંગ જોગિંગ ટ્રેક બને તે જરૃરી છે.
'નોબત'ના વાચકો અને ચાહકો શરીર અને સ્વભાવને માફક આવે તેવી એક રમત ચોક્કસ રમે. એન્જિઑગ્રાફીના લેખક નિયમિત વોકિંગ કરી ફિટનેસ જાળવી રાખે છે. તમે પણ કોઈ રમત ન રમી શકો તો સાઈકલિંગ, જોગિંગ કે વોકિંગ અવશ્ય કરવું જોઈએ.
પરેશ છાંયા
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
જાપાની મિયાઝાકી જાત લગભગ કોઈપણ જમીનમાં ઉગાડી શકાય છે
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ મે મહિનામાં માવઠાની આગાહી કરે ત્યારે તે કારેલા જેવી કડવી ઝેર લાગે! કારણ કે, મે-જૂનમાં સ્વાદ લાલસામાં તરબતર મન સપનામાં પણ કેરીના રસના સ્વિમિંગ પુલમાં ધુબાકા મારતું હોય છે! આવે સમયે અંબાલાલનું માવઠું સાતે કોઠે અંધારા લાવી દે છે. ગુજરાતીઓ પાછા સમાધાનકારી વલણ પણ અપનાવી લે, જેવી ઉપર વાળાની ઈચ્છા કહી, ગુજરાતણો માવઠામાં પણ કેરી ઘોળવાનું પડતું મૂકીને મેથીના ગોટાનો તાવડો ગેસ ઉપર ચડાવી દે! મારા મતે ગુજરાતી પતિ પત્ની વચ્ચે સૌથી વધુ ઝઘડા રસોઈ બાબતે થતા હશે અને સૌથી વધુ પ્રેમ કથાઓ પણ કદાચ રસોડામાં જ લખાતી હશે! કેસર ઘોળતી પત્ની કડવી કેવી રીતે લાગે?
મે જૂન મહિનાની કાળઝાળ ગરમીમાં કેરી વિશે ન લખીએ તો આ સ્વાદ સુગંધ કા રાજા ને દુઃખ લાગે! દ્વારકાથી ડલ્લાસ સુધી અને રાજાથી રંક સુધી ખવાતી, ચુસાતી કેરીની આજે અહી શાબ્દિક મજા માણીએ!
ફળોનો રાજા કેરી અને પ્રાણીઓનો રાજા સિંહ, બન્ને સૌરાષ્ટ્રમાં જોવા મળે છે અને વિશ્વ પ્રસિદ્ધ છે. ગિરની કેરી અને સિંહનો જેમણે પણ અનુભવ કરી લીધો તેમનું મન આહ્લાદક થઈ જાય છે. સૌરાષ્ટ્રની કેસર કેરીની સોડમ અને સ્વાદ દુનિયાભરમાં મશહૂર છે. કેરીના ગુણ પણ અનેક છે. ઉનાળામાં ઠંડક આપે છે, પોષણ આપે છે. ભર ઉનાળે કેરી ઉપર લેખ લખતાં લખતાં મોઢામાં પાણી છૂટે છે. આ બહુ કપરૂ કામ છે. લેખક બિચારો ઢીલો પડી જાય છે. કેરી સ્વાદ પ્રિય લોકોની મોટી કમજોરી છે. વિશ્વમાં ઊગતી કેરીઓમાંથી ૫૦ ટકા તો એકલા ભારતીય લોકોજ આરોગી જાય છે.
'તાઈયો નૌ તામાગો'
આ વખતે વાત કરવી છે, કર્ણાટકની. કર્ણાટકમાં ચાલી રહેલ કેરીનો ઉત્સવ ફળ પ્રેમીઓ માટે સ્વર્ગ બની ગયો છે, જેમાં રાજ્યભરના સ્થાનિક ખેડૂતો દ્વારા ઉગાડવામાં આવતી ૫૦ થી વધુ અનોખી કેરીઓની જાતો પ્રદર્શિત કરવામાં આવી છે. પ્રદર્શિત કરવામાં આવેલી ઘણી સ્વદેશી અને હાઇબ્રિડ જાતોમાંથી, એક વિદેશી ફળે બધાનું ધ્યાન ખેંચ્યું છેઃ મિયાઝાકી કેરી, જેને *વિશ્વની સૌથી મોંઘી કેરી* તરીકે પ્રખ્યાત રીતે પણ ઓળખવામાં આવે છે. લાલબાગના આ ૩-દિવસીય કેરી અને જંકફ્રૂટ મેળામાં વિશ્વની સૌથી મોંઘી કેરી રૂપિયા બે લાખ પ્રતિ કિલોગ્રામના ભાવે પ્રદર્શિત કરવામાં આવી છે.
મૂળ જાપાનની, મિયાઝાકી કેરી ફક્ત તેના આકર્ષક લાલ-જાંબલી રંગ અને વૈભવી પોત માટે જ નહીં, પરંતુ તેની આકર્ષક કિંમત માટે પણ જાણીતી છે. જાપાનમાં, એક કિલોગ્રામ મિયાઝાકી કેરી ?૨ લાખ સુધી મળી શકે છે. આ વર્ષે, ઉત્સવમાં કર્ણાટકમાં ઉગાડવામાં આવેલા આ દુર્લભ ફળોનો સમાવેશ થાય છે. ખાસ કરીને ચિક્કમગલુરુ જિલ્લાના કદુર તાલુકાના એક ખેડૂત જાપાનથી તેના બીજ લાવ્યા અને પ્રયોગ કર્યો. આ કિંમતી કેરીઓ લગભગ રૂપિયા બે હજારના પ્રતિ ટુકડાના ભાવે વેચાઈ રહી છે, જે કેરીના ઉત્સાહીઓ અને જિજ્ઞાસુ ખરીદદારો બંનેમાં નોંધપાત્ર રસ ધરાવે છે. ખેડૂતો કહે છે કે મિયાઝાકી જાત લગભગ કોઈપણ જમીનમાં ઉગાડી શકાય છે, જે સ્થાનિક ખેડૂતો માટે વૈવિધ્ય કરણ અને નફો વધારવા માટે એક સક્ષમ વિકલ્પ બનાવે છે. કર્ણાટકના ખેડૂતો દ્વારા આ આંતરરાષ્ટ્રીય જાતનું સફળ અનુકૂલન રાજ્યના કૃષિ ક્ષેત્ર માટે ગર્વની ક્ષણ છે. તે ફક્ત સ્થાનિક ખેડૂતોમાં નવીનતા અને પ્રયોગોને પ્રકાશિત કરતું નથી પરંતુ પરંપરાગત પાકોથી આગળ વધવા ઇચ્છુક લોકો માટે ઉચ્ચ નિકાસ સંભાવના અને નફાકારક વળતરનો સંકેત પણ આપે છે.
ભારતમાં ઉગાડવામાં આવતી કેરીઓનો ક્રેઝ એટલો બધો છે કે તે અમેરિકાથી યુરોપ અને જાપાનમાં મોટા પાયે આયાત કરવામાં આવે છે. દર વર્ષે ભારત સમગ્ર વિશ્વને ૫૦ હજાર ટનથી વધુ કેરીનો સપ્લાય કરે છે. સફેદ, માલદા, દશેરી, સિંદૂરી, કેસરી, અલ્ફોન્સો, રાતૌલ-ભારતમાં કેરીની એટલી બધી જાતો છે કે તમે તેમના નામ ગણતા ગણતા થાકી જશો. આવી જ એક કેરી ભારતમાં ઉગાડવામાં આવે છે, જે લગભગ સંપૂર્ણપણે જાપાનમાં નિકાસ કરવામાં આવે છે. તેની કિંમત પ્રતિ કિલો લાખ રૂપિયામાં છે.
આ કેરી 'મિયાઝાકી કેરી' છે, જે મૂળ જાપાનની છે. પરંતુ હવે તે ભારતમાં વ્યાપારી રીતે ઉગાડવામાં આવે છે અને જાપાનમાં નિકાસ કરવામાં આવે છે. જાપાનમાં મિયાઝાકી કેરીને સ્ટેટસ સિમ્બોલ તરીકે જોવામાં આવે છે.
મિયાઝાકી કેરીને ખાસ બનાવે છે તેનો રંગ અને પોત. તેનું બાહ્ય આવરણ થોડું જાંબલી રંગનું છે. તે જ સમયે, ખોરાકમાં તેનો સ્વાદ એકદમ અનોખો હોય છે. ભારતના દક્ષિણ રાજ્યો, ખાસ કરીને પશ્ચિમ અને પૂર્વી ઘાટના વિસ્તારોનું વાતાવરણ તેને ઉગાડવા માટે વધુ સારૂ છે. એટલા માટે પુણેથી ઓડિશા સુધી તેનું ઉત્પાદન સારૂ થાય છે.
જાપાનમાં, આ કેરીને 'તાઈયો નૌ તામાગો' પણ કહેવામાં આવે છે, જેનો હિન્દીમાં અનુવાદ 'સૂર્યનું ઈંડું' તરીકે થાય છે. આ કેરીનો સ્વાદ સૂર્ય સુધી પહોંચવા જેટલો દુર્લભ છે. તેને ખૂબ કાળજીથી ઉગાડવી પડે છે. દરેક કેરી પર જાળી મૂકીને માવજત કરવામાં આવે છે. આ કેરી ચોક્કસ હવામાન, સૂર્યપ્રકાશ અને કડક ધોરણો હેઠળ ઉગાડવામાં આવે છે. તો જ તેની જાપાનમાં નિકાસ શક્ય બને છે.
મિયાઝાકી કેરી આજે ભારતના ઘણાં ખેડૂતો માટે વરદાન બની ગઈ છે. તેની ખેતી કરીને ખેડૂતો લાખો રૂપિયા કમાઈ શકે છે. આ કેરીનું એક ઝાડ પણ તેમને સારી આવક આપે છે. તેનું કારણ એ છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત પ્રતિ કિલો બે લાખ રૂપિયાથી સાડા ત્રણ લાખ રૂપિયા સુધીની છે. ૨૦૨૩ના સરકારી ડેટા અનુસાર, ભારતે જાપાનમાં ૪૦ ટનથી વધુ કેરીની નિકાસ કરી હતી, જેમાંથી મોટો જથ્થો મિયાઝાકી કેરીનો હતો.
રસોઈ
રાંધણકળામાં પણ કેરીનો દબદબો છે. ગૃહિણીઓ મનફાવે તેમ કેરીને પતિના જઠરમાં પધરાવવા પ્રયત્નશીલ હોય છે. કેરીના બાળપણ એટલે કે ખાખટી કે ખાખડી જેવી નાની કે કાચી કેરીના અથાણાં, સલાડ બને છે, મોટા ફળના ત્યારબાદ અથાણાં બને છે. કેરીનો ઉપયોગ ઘણી વાનગીઓમાં થાય છે. ખાટી, ન પાકેલી કેરીનો ઉપયોગ બંગાળી ભોજનમાં ચટણી, અથાણાં, દાળ અને અન્ય સાઇડ ડીશમાં થાય છે. આમ પન્ના નામનું ઉનાળુ પીણું કેરી વડે બનાવવામાં આવે છે. કેરીના પલ્પને જેલી બનાવીને અથવા લાલ ચણાની દાળ અને લીલા મરચાં સાથે રાંધેલા ભાત સાથે પીરસી શકાય છે. કેરીની લસ્સી સમગ્ર દક્ષિણ એશિયામાં લોકપ્રિય છે. પાકેલી કેરી અથવા કેરીના પલ્પને છાશ અને ખાંડ સાથે ભે ળવીને તૈયાર કરવામાં આવે છે. પાકી કેરીનો ઉપયોગ કઢી બનાવવા માટે પણ થાય છે. આમરસ એક લોકપ્રિય જાડો રસ છે, જે ખાંડ અથવા દૂધ સાથે બનાવી શકાય છે અને તેને રોટલી અથવા પુરીઓ સાથે ખાવામાં આવે છે. પાકેલી કેરીના પલ્પનો ઉપયોગ જામ બનાવવા માટે પણ થાય છે જેને મંગડા કહેવાય છે. આંધ્ર અવકાયા એ કાચી, કાચી, પલ્પી અને ખાટી કેરીમાંથી મરચું પાવડર, મેથીના દાણા, સરસવનો પાવડર, મીઠું અને સીંગદાણાના તેલ સાથે મિશ્રિત અથાણું છે. દાળ બનાવવા માટે આંધ્રપ્રદેશમાં પણ કેરીનો ઉપયોગ કરવામાં આવે છે. ગુજરાતીઓ મીઠી અને મસાલેદાર, છીણેલી કેરીની સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવા માટે કેરીનો ઉપયોગ કરે છે. કેરીનાં ગોટાળા ધોઈને તેના પાણીથી ફજેતો નામની કાઢી જેવી વાનગી બનાવવામાં આવે છે. જુના જમાનામાં કંજૂસ લોકો ફજેતો બનાવતા હતા, પરંતુ હવે આ ફજેતા એ ફાઇવ સ્ટાર કિચન અને વાનગીઓની યાદીમાં સ્થાન મેળવી લીધું છે.
કેરીનો ઉપયોગ મુરબ્બા (ફળની જાળવણી), મુરામ્બા (એક મીઠી, છીણેલી કેરીની સ્વાદિષ્ટ), આમચુર (સૂકી અને પાઉડર ન પાકેલી કેરી), અને મસાલેદાર સરસવ-તેલનું અથાણું અને આલ્કોહોલ સહિત અથાણાં બનાવવા માટે થાય છે. પાકેલી કેરીને ઘણીવાર પાતળા સ્તરોમાં કાપવામાં આવે છે, તેને સુકાઈ જાય છે, ફોલ્ડ કરવામાં આવે છે અને પછી કાપવામાં આવે છે.
કેરીનો ઉપયોગ જ્યુસ, સ્મૂધી, આઈસ્ક્રીમ, ફ્રુટ બાર, પાઈ અને મીઠી મરચાંની ચટણી બનાવવા માટે અથવા મીઠી અને મસાલેદાર મરચાંની પેસ્ટ સાથે મિશ્રિત કરવા માટે થાય છે. તે ગરમ મરચાંના પાવડર અને મીઠામાં બોળેલી લાકડી પર અથવા તાજા ફળોના મિશ્રણમાં મુખ્ય ઘટક તરીકે લોકપ્રિય છે. મધ્ય અમેરિકામાં, કેરીને કાં તો લીલી, મીઠું, સરકો, કાળા મરી અને ગરમ ચટણી સાથે ભેળવીને ખાવામાં આવે છે અથવા વિવિધ સ્વરૂપોમાં પાકીને ખાવામાં આવે છે.
કેરીના ટુકડાને છૂંદીને આઈસ્ક્રીમ પર ટોપિંગ તરીકે ઉપયોગ કરી શકાય છે અથવા દૂધ અને બરફ સાથે મિલ્કશેક તરીકે ભેળવી શકાય છે. મીઠા ગ્લુટિનસ ચોખાને નાળિયેર સાથે સ્વાદ આપવામાં આવે છે, પછી મીઠાઈ તરીકે કાપેલી કેરી સાથે પીરસવામાં આવે છે. દક્ષિણપૂર્વ એશિયાના અન્ય ભાગોમાં, માછલીની ચટણી અને ચોખાના સરકો સાથે કેરીનું અથાણું બનાવવામાં આવે છે. માછલીની ચટણી અને સૂકા ઝીંગા સાથે કેરીના સલાડમાં લીલી કેરીનો ઉપયોગ કરી શકાય છે.
કાચી લીલી કેરીને કાપીને સલાડની જેમ ખાઈ શકાય છે. દક્ષિણપૂર્વ એશિયાના મોટા ભાગના ભાગોમાં, તેઓ સામાન્ય રીતે સરકો, સોયા સોસ અથવા મીઠું સાથે ખાવામાં આવે છે-જે સામાન્ય રીતે અંગ્રેજીમાં *મેન્ગો સલાડ* તરીકે ઓળખાય છે.
કેરી વિશે લખવા બેસીએ તો નોબતના ૮ પાના પણ ઓછા પડે. કેરી એ એક સંપૂર્ણ ફળ છે.ગુજરાતમાં તો મહિલાઓના કેસરબેન નામ પણ રાખવામાં આવે છે. ગુજરાતીમાં કેરી ઓન કેસર ફિલ્મ પણ બની હતી, જો કે તે, આપણી ખવાતી કેરી ઉપર ન હતી. પુરૂષોમાં આંબાભાઈ નામ જોવા મળે છે. કુળની લખાતી નામાવળીને આંબો કહેવામાં આવે છે. આંબો જલદી ન પાકે તેવી કહેવત પણ છે.
નોબતના વાચકો અને ચાહકોને મિયાઝાકી કેરી મુબારક!
પરેશ છાંયા
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટ નામનું દૈનિક આ ઘર્ષણને શસ્ત્રોની કસોટી તરીકે જુવે છે!
ભારતના જન્મ સાથે જ પાકિસ્તાન નામનો જુડવા ભાઈ મળ્યો છે. સલીમ જાવેદની કથા જેટલા ટ્વિસ્ટ એન્ડ ટર્ન બન્નેના સંબંધોમાં આવ્યા કરે છે. દિવાર ફિલ્મમાં એક ભાઈ ચોર અને બીજો ભાઈ પ્રામાણિક પોલીસ અધિકારી હોય છે. બન્ને માતા માટે કશ્મકશ કરે છે. દિવારનો મેરે પાસ માં હૈ ડાયલોગ બહુ લોકપ્રિય બન્યો. ફિલ્મ હતી એટલે વાર્તાનો અંત આવ્યો, પરંતુ ભારત-પાકિસ્તાનના સંઘર્ષમાં આવો અંત શક્ય છે? બન્ને દેશો વચ્ચેના સંઘર્ષમાં બે ક્ષેત્રો બહુ કમાણી કરે છે. એક શસ્ત્ર ઉત્પાદકો અને બીજું મનોરંજન જગત! બન્નેને મોટા ધંધા દેખાય છે. ઓપરેશન સિંદૂર નામ રજિસ્ટર્ડ કરાવવા માટે દેશના અગ્રણી ઉદ્યોગપતિ સહિતના મનોરંજન નિર્માતાઓ દોડ્યા હતા. ભારત અને પાકિસ્તાન વચ્ચે વપરાયેલા આયુધોના પરિણામો ચકાસવા માટે આખી દુનિયાના શસ્ત્ર નિર્માતાઓ અને સંશોધકો ઊંધે માથે પડ્યાં છે. એન્જિઑગ્રાફીથી લઈને સ્કૂલ ઓફ લંડન સુધી ઓપરેશન સિંદૂરના આઉટપુટ બાબતે પિસ્ટપીંજણ થઈ રહી છે.
સવાલ-૧
ભારત પાકિસ્તાન વચ્ચે સંપૂર્ણ સૌહાદપૂર્ણ સંબંધો શક્ય છે ખરા?
યુરોપના ૧૧ દેશ વચ્ચે નામની જ સરહદ છે, કોઈ સલામતી તંત્ર નથી. માત્ર વિઝા બાબતે જ પુરાવા માંગવામાં આવે છે, નથી કોઈ દરવાજા, નથી કોઈ લશ્કરી પહેરો, લોખંડી તારની વાડ કે મેટલ ડિકટેટર. આવી પરિસ્થિતિ આપણા માટે સપનામાં પણ કલ્પી શકાય તેમ નથી.
બન્ને દેશોની માનસિકતા સંપૂર્ણ અલગ અલગ છે, જે બદલવી શક્ય નથી. આઝાદીના ૭૫ વર્ષમાં ન થયું તે આગામી ૭૫ વર્ષમાં થવાની કોઈ શક્યતા નથી. અમેરિકા અને રશિયા જેવા શક્તિશાળી દેશો પણ યુદ્ધ જીતી શક્યા નથી. અફઘાનિસ્તાનમાંથી ઉચાળા ભરવા પડ્યાં, અમેરિકાના મોટા દુશ્મન ઓસામા બિન લાદેનને પાકિસ્તાને વર્ષો સુધી સંતાડી રાખ્યો. આ બન્ને ભૌગોલિક રીતે વારસામાં મળ્યા છે.
પ્રથમ સવાલના જવાબમાં સ્પષ્ટ કહેવાનું કે, ભારત પાકિસ્તાન વચ્ચે કોઈ દિવસ મનમેળ શક્ય નથી. અહી ભગવાન કૃષ્ણે કહ્યું છે તેમ યુદ્ધ એજ કલ્યાણ છે! ભગવાન શ્રી કૃષ્ણના કથનમાં થોડું મોડીફિકેશન કરીએ તો.. યુદ્ધ નહીં પરંતુ આત્મરક્ષા જ કલ્યાણ છે. આપણા સંબંધોમાં પાકિસ્તાન સેનાના અક્કડ વલણને કારણે કાયમી શાંતિ શક્ય નથી. ભારત સાથે ઘર્ષણના બહાને પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા માંગે છે. કહેવાય છે કે, પાકિસ્તાનમાં અલ્લાહ અને આર્મી જ સર્વસ્વ છે.
સવાલ-૨
શું ભારત અને પાકિસ્તાન એમ બન્ને દેશોમાં શાંતિની રાજકીય ઈચ્છા શકતી છે ખરી? બન્ને દેશોના નેતાઓ સાથે મળીને ઇસ્લામાબાદમાં દિવાળી અને દિલ્હીમાં ઈદ સાથે ઉજવી શકે ખરા? મારા મત મુજબ જવાબ ના છે.
ભારત-પકિસ્તાનના રાજકારણ જ એક બીજા ઉપર નિર્ભર છે. બન્ને માટે લાગણી અને સંવેદનાનો મુદ્દો છે. મતોની ખેતી પણ મબલક પાકે છે. પાકિસ્તાન તો ભારતનો ભય બતાવીને દુનિયામાંથી મદદ ઉઘરાવે છે. નરેન્દ્ર મોદી પણ ભૂતકાળમાં મિયાં મુશરફ નામની ત્રાડો પાડી સભાઓ ગજવતા હતા! આજે પણ તેમના માટે આ મુદ્દો લીલોચ્છમ છે.
તજજ્ઞ અભિપ્રાય
કિંગ્સ કોલેજ લંડનમાં આંતરરાષ્ટ્રીય સંબંધો અને યુદ્ધ તજજ્ઞ સિનિયર લેક્ચરર ડૉ. વોલ્ટર લાડવિગે દક્ષિણ એશિયામાં અમેરિકાની વ્યૂહાત્મક પ્રાથમિકતાઓ અંગે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે ભારતે પોતાનું ધ્યાન પાકિસ્તાનથી હટાવીને ચીન જેવા મોટા વ્યૂહાત્મક પડકાર તરફ વાળવું જોઈએ. તેમણે ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતની ચોકસાઈ ક્ષમતાઓની પ્રશંસા કરી.
લાડવિગે જણાવ્યું હતું કે, જો ભારત પાકિસ્તાન સાથે સંઘર્ષમાં ફસાયેલું રહે છે, તો તે એશિયાના મોટા ચિત્ર પરથી ધ્યાન ગુમાવી શકે છે અને આ તેના હિતમાં નથી.*
તેમણે કહ્યું કે, પુલવામા હુમલા પછી ભારત દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલા દર્શાવે છે કે ભારત હવે રક્ષણાત્મક વ્યૂહરચનાને બદલે આક્રમક આતંકવાદ વિરોધી નીતિ અપનાવી છે. તેમણે કહ્યું, *પહેલાં ભારતીય સરકારો આતંકવાદ સંબંધિત ઘટનાઓ માટે પુરાવા એકત્રિત કરતી હતી, પરંતુ હવે એવી નીતિ બની ગઈ છે કે, ભારત સીધો લશ્કરી જવાબ આપી શકે છે.*
લાડવિગે એમ પણ કહ્યું કે, ભારતનો આર્થિક વિકાસ દર ખૂબ જ પ્રભાવશાળી છે, પરંતુ તેના તમામ વિકાસ લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે તેને વધુ ઝડપથી વિકાસ કરવાની જરૂર છે. *પાકિસ્તાન સાથે લાંબા સમય સુધી સંઘર્ષ આ વિકાસને જોખમમાં મૂકી શકે છે.
તાજેતરના યુદ્ધવિરામ અંગે, લાડવિગે કહ્યું કે તણાવ ઓછો થવાનું કારણ વિદેશી મધ્યસ્થી કરતા બંને દેશોની ઇચ્છાશક્તિ વધુ હતી. તેમણે સ્પષ્ટતા કરી, *ભારત અને પાકિસ્તાને લશ્કરી કાર્યવાહી અને ગોળીબાર બંધ કરવા માટે કરાર કર્યો હતો. આ બંને પક્ષોની સંમતિથી થયું હતું.
ધ ન્યૂયૉર્કર દૈનિકના ડેક્સટર ફલિનકીસ લખે છે કે, મારા મતે, અંતિમ શાંતિમાં મુખ્ય અવરોધ હંમેશાં પાકિસ્તાની લશ્કર રહ્યું છે. પાકિસ્તાનના સેનાપતિઓએ માત્ર બળવાખોરીને વેગ આપ્યો નથી, પરંતુ જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબા જેવા આતંકવાદી જૂથોને આશ્રય આપ્યો છે અને પ્રોત્સાહન આપ્યું છે. પાકિસ્તાની લોકશાહીનું ગળું દબાવીને, તેમણે બંને દેશ વચ્ચે સમાધાન પણ લગભગ અશક્ય બનાવ્યું છે. પાકિસ્તાની સૈન્યને તેના વિશાળ બજેટ અને સ્થાનિક રાજકારણમાં નિયમિત હસ્તક્ષેપને વાજબી ઠેરવવા માટે એક દુશ્મનની જરૂર છે.
વિદેશ નીતિ
તાજેતરના ઓપરેશન સિંદુર દરમિયાન આપણને વિદેશી પ્રતિક્રિયાનો અભ્યાસ કરવાની પણ તક મળી. ગુજરાતીમાં કહેવાય છે કે, લગ્ન પ્રસંગે જેટલા લોકો આવે તેટલા લોકો પોલીસ સ્ટેશન પ્રસંગે સાથે આવતા નથી!
આ વખતે સ્પષ્ટ કહેવું પડે કે બે કે ત્રણ દેશોને બાદ કરતાં કોઈ દેશ માત્ર ભારત પડખે ઊભા રહ્યા નથી. અમેરિકા સહિત ઘણાં દેશોએ દહીં અને દૂધ એમ બંનેમાં પગ રાખ્યો? અમેરિકા, યુએઇ, ચીન સહિતના દેશોએ પાકિસ્તાનની પ્રવૃત્તિ વખોડી નથી. ચીન અને અમેરિકાના પ્રભાવ હેઠળ રહેલા આઈ. એમ. એફ. તો યુદ્ધ દરમિયાન જ પાકિસ્તાનને જંગી નાણાકીય સહાય મંજૂર કરી દીધી! હવે બહાર આવ્યું છે કે નાણાં સહાયના બદલામાં ૧૧ કડક શરતો પણ રાખી છે. પરંતુ નાદાર દેશ આવી કોઈ શરતો પાળે ખરો? આઈ.એમ.એફ. દ્વારા આપવામાં આવેલી છેલ્લી ત્રણ જંગી નાણા સહાયનું ઓડિટ કરવામાં પણ તે સહકાર નથી આપતું. વાસ્તવમાં આઈ.એમ.એફ.એ આવા સમયે કોઈ લોન આપવી ન જૉઇએ અને ભારતને સહકાર આપવો જોઈએ.
હવે, પાકિસ્તાનના ત્રાસવાદી વર્તનનો વિરોધ કરવા અને ખુલ્લું પાડવા ઓલ પાર્ટી ડેલિગેશન વિશ્વના વિવિધ દેશોનો પ્રવાસ કરશે. આ આઝાદીના સમયથી ચાલ્યો આવતો પ્રોટોકોલ છે. નરેન્દ્ર મોદીએ આ પ્રતિનિધિ જૂથમાં કોંગ્રેસના શશી થરૂરને મહત્ત્વનું સ્થાન આપતાં અનેક અજ્ઞાનીઓના ભવાં તણાયા અને કેટલાકે તેને માસ્ટર સ્ટ્રોક કહ્યો. પરંતુ ૧૯૯૪ માં કોંગ્રેસ સરકારે આવા જ પ્રતનિધિ મંડળમાં અટલબિહારી વાજપેયીને મહત્ત્વનું સ્થાન આપ્યું હતું તે યાદ રાખવા જેવું છે.
તાજેતરમાં નાટો સંગઠનના ૬ દેશના વડા સામે ચાલીને યુક્રેન ગયા. આપણી એટલી તાકાત હોવી જોઈએ કે વિદેશી પ્રતિનિધિઓ ભારત આવે અને ટેકો જાહેર કરે. અમેરિકા, બ્રિટન સહિતના અનેક દેશોએ તો બન્ને દેશોનો આંતરિક મામલો છે તેમ કહીને હાથ ખંખેરી નાખ્યા!
શસ્ત્ર પરીક્ષણ
આપણે ઓપરેશન સિંદૂરને ભાવાત્મક રીતે લીધું, પરંતુ અમેરિકા, રશિયા, ચીન, ઇઝરાઈલ અને તુર્કી જેવા દેશોએ તેને તેના શસ્ત્રોના પરીક્ષણ તરીકે લીધું!
સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટ નામનું દૈનિક આ ઘર્ષણને પ્રાદેશિક સંપ્રભુતા તરીકે જોવાને બદલે શસ્ત્રોના પ્રદર્શન તરીકે જુવે છે. તેની લેખિકા સોફિયા વુંગ દુ લખે છે કે, ચીની અને પશ્ચિમી લશ્કરી સિસ્ટમો વચ્ચે કિંમતનો તફાવત નોંધપાત્ર છે. પાકિસ્તાનના ચીની બનાવટના વિંગ લૂંગ ૨ ડ્રોનની કિંમત પ્રતિ યુનિટ આશરે બે યુ.એસ. મિલિયન ડોલર છે, જ્યારે અમેરિકન એમ. કયુ. ૯ રીપર જેવી તુલનાત્મક પશ્ચિમી સિસ્ટમોની કિંમત આશરે ૩૦ થઈ ૪૦ યુ.એસ. મિલિયન ડોલર છે.
ફાઇટર એરક્રાફ્ટના ભાવમાં પણ મોટો તફાવત છે. જેમાં જેએફ-૧૭ થંડરની કિંમત પ્રતિ યુનિટ અંદાજિત ૨૫ થી ૩૨ યુ.એસ. મિલિયન ડોલર છે, જ્યારે ભારતના ફ્રેન્ચ બનાવટના રાફેલ ફાઇટર્સની કિંમત ૨૮૮ યુ. એસ. મિલિયન ડોલર જેટલી ઊંચી છે!
ચીની શસ્ત્ર પ્રણાલીઓનું યુદ્ધક્ષેત્ર પરીક્ષણ વૈશ્વિક લશ્કરી ગતિશીલતામાં વ્યૂહાત્મક પરિવર્તનનો સંકેત આપી શકે છે. દાયકાઓથી, પશ્ચિમી લશ્કરી ટેકનોલોજી-ખાસ કરીને અમેરિકન શસ્ત્ર પ્રણાલીઓ-એ નિર્વિવાદ શ્રેષ્ઠતા જાળવી રાખી છે, પ્રીમિયમ કિંમતોને વાજબી ઠેરવી છે. ચીની ટેકનોલોજી પશ્ચિમી આયુધોની સરખામણીએ સસ્તી છે, જે ગરીબ દેશો માટે મહત્ત્વનું છે.
અમેરિકાના વોશિંગ્ટન પોસ્ટને આ સંઘર્ષમાં બહુ મજા ન આવી. કારણ કે તેમાં અમેરિકાના શસ્ત્રોનો લઘુતમ ઉપયોગ થયો. તેના બન્ને વિરોધી દેશ રશિયા અને ચીનના શસ્ત્રો વપરાયા. ભારતે રશિયન શસ્ત્રો વાપર્યા, તે સફળ થયા. જર્મનીના યુદ્ધ વિમાનો પણ ચાલ્યા! સામે પક્ષે પાકિસ્તાને ઉપયોગમાં લીધેલા ચીન અને ટર્કીના શસ્ત્રો નિષ્ફળ રહ્યા.
નિષ્કર્ષ
ભારત-પાકિસ્તાન સંઘર્ષ જન્મ સમયથી ચાલ્યો આવે છે. તે કાયમી રીતે વિન વિન રીતે ઉકેલાય તેમ પણ નથી. કારણ કે, મોટા નેતાઓ અને દેશોને આ શાંતિ સુલેહ પચે તેમ નથી. પાકિસ્તાન તેની હાલત અને માનસિક્તામાંથી બહાર આવી શકે તેમ નથી. ભારત પાકિસ્તાનના ટુકડા કરવા માટે બલુચિસ્તાનના બળવાખોરોને મદદ કરે તેવા વિચાર છે, પરંતુ તેમાં પણ સારાવાટ નથી. અફઘનિસ્તાનમાં રશિયા સામે લડવા માટે અમેરિકાએ તાલિબાનોને મદદ કરી, ત્યારબાદ તાલિબાનો જ અમેરિકા સામે થઈ ગયા! તાલિબાનો અને બલુચિયો એક જ ડીએનએ ધરાવે છે, તે આપણે યાદ રાખવું પડશે! ભારતે આરપારની લડાઈ તરીકે જાહેર કરેલા વર્તમાન યુદ્ધને પણ ચાર દિવસમાં સમેટી લેવું પડ્યું છે. કારણ કે, પાકિસ્તાન સાથેનો કોઈ સંઘર્ષ અંતિમ કે નિર્ણાયક હોઈ શકે નહીં. અથિક રીતે આપણે હરણફાળ ભરી રહ્યા છીએ ત્યારે ખર્ચાળ અને લોહિયાળ યુદ્ધ પોસાય તેમ નથી. યુદ્ધનો ઉન્માદ વિનાશકારી હોય છે. ઈરાક, સિરીયા, અફઘનિસ્તાન, પાકિસ્તાન જેવા વૈચારિક રીતે નાદાર દેશો જ લડી શકે!
'નોબત'ના વાચકો અને ચાહકો તરફથી પ્રભુને પ્રાર્થના કે બન્ને દેશો વચ્ચે સંપૂર્ણ શાંતિ અને ભાઈચારો બની રહે.
૫રેશ છાંયા
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આંતરિક સમસ્યાઓ વચ્ચે પણ પાકિસ્તાન યુદ્ધખોર માનસિકતા છોડતું નથી!
ભારત પાકિસ્તાન વચ્ચે વધુ એક વખત સંઘર્ષ થયો અને અમેરિકન દાદા ડોનાલ્ડ ટ્રમ્પની વાઇલ્ડ કાર્ડ એન્ટ્રીથી આખું દૃશ્ય બદલાઈ ગયું. સમાધાન પણ થઈ ગયું. આ વખતના યુદ્ધવિરામ પછી ફરી એક વિચાર મનમાં ઘૂમરાયા કરે છે કે, દરેક વખતે આપણો ફટકો નબળો પડે છે કે, દુશ્મન જ અવળચંડો છે? લોકોને લાગે છે કે, પાકિસ્તાન આપણી ભલમનશાહીનો લાભ ઉઠાવે છે. ગુજરાતીમાં કહેવત છે કે, પ્રાણ અને પ્રકૃતિ બન્ને સાથે જાય. પરંતુ અહી તો દેશનો પ્રશ્ન છે એટલે પ્રાણ જવાનો સવાલ જ નથી ઊઠતો. પ્રકૃતિ બદલે તેવા કોઈ સંજોગો નથી!
ભારતના નેતાઓ યુદ્ધ બાબતે બહુ જોરથી ખાંડાં ખખડાવે છે એટલે દેશવાસીઓને બહુ મોટી આશા જાગે છે. 'આ વખતે તો કઇંક મોટું થશે જ' તેવી આશામાં બેઠા હોય ત્યાં છેક અમેરિકાથી ટ્રમ્પ દાદા 'યુદ્ધ વિરામ'ની જાહેરાત કરી દે છે!
ભૂતકાળ
ભારત સદીઓથી આક્રમણખોરોનો ભોગ બનતું આવ્યું છે! હૂણથી લઈને પાકિસ્તાન સુધીના યુદ્ધ લડવા પડ્યાં છે. બીજી તરફ દૃષ્ટિ કરીએ તો દુનિયામાં અમેરિકા અને ચીન બે એવા દેશ છે કે જે કદી સરહદી યુદ્ધ લડ્યા જ નથી! ભારતના નસીબમાં યુદ્ધ જ મોટી કથા હોય છે. સરકાર બિચારી વિકાસની વાતો કરે અને ફિલ્મો હંમેશાં યુદ્ધ ઉપર જ બને! શાંતિ કે વિકાસને કેટલો કચકડે કંડારાયો છે તે રામ જાણે. વર્તમાન સમયમાં પણ ભારત તેના કાયમી દુશ્મન પાકિસ્તાન સામે જંગે ચડ્યું છે. 'ઓપરેશન સિંદૂર' કાશ્મીરના પહેલગામ સ્થિત બાઈસરન વેલી હત્યાકાંડના પ્રત્યાઘાત રૂપે શરૂ થયું. દેશના મારા સહિતના હજારો લેખકો તેનું વિશ્લેષણ કરી રહૃાા છે. હજારો સેના નિષ્ણાત, યુદ્ધ અભ્યાસુ ઓપરેશન સિંદૂર ઉપર પોત પોતાનો મત વ્યક્ત કરી રહૃાા છે. દેશની અડધી વસ્તી જે ૫૦ વર્ષ આસપાસની છે તેને યુદ્ધનો અનુભવ કર્યો જ નથી, કારણ કે, ભારત પાકિસ્તાન વચ્ચે છેલ્લે ૧૯૭૧ માં પૂર્ણ કક્ષાનું યુદ્ધ થયું હતું!
મેં ૧૦ વર્ષની બાળ વયે અંધારપટ અનુભવ્યો હતો. જૂનાગઢમાં એ સમયે જૂજ સુવિધાઓ અને જરૂરિયાતો હોવાથી લોકો યુદ્ધને ગંભીરતાથી લેતા. અંધારપટ જાહેર થાય ત્યારે અચૂક લાઇટો બંધ રાખતા હતા. બારી ઉપર પડદા કે છાપાં લગાવી દેતા હતાં. ૧૯૭૧ ના આ સમયે અમારા ઘરમાં કઠોળ આધારિત રસોઈ વધી ગઈ હતી. શેરીમાં કે જવાહર રોડ ઉપર કોન્સ્ટેબલ પણ જો હાથમાં દંડો લઈને નીકળે તો લોકો ભયના માર્યા ઘરમાં ઘૂસી જતા હતા. એકવાર સેના એ માર્ચપાસ્ટ કરી ત્યારે સ્વયંભૂ કફર્યૂ લાગી ગયો હતો! ત્યારે ભય અને અજ્ઞાન બન્ને હતાં!
વર્તમાન
ઓપરેશન સિંદૂરના પ્રારંભ પહેલાં મોકડ્રીલ રૂપે જામનગરમાં અંધારપટનું રિહર્સલ કરવામાં આવ્યું ત્યારે મને ૧૯૭૧ ના દિવસો યાદ આવી ગયા. લાગ્યું કે નાગરિકો હવે બહુ બેજવાબદાર બની ગયા છે. મારા જેવા શિસ્તબદ્ધ લોકોએ અંધારપટના નિયમોને પાળ્યા! બાકી મોટાભાગના લોકોએ તેની નોંધ પણ ન લીધી અને નિયમોનું પાલન પણ ન કર્યું! ૧૯૭૧ માં, જ્યારે ભારત-પાકિસ્તાન યુદ્ધ ચાલી રહૃાું હતું, ત્યારે ભારતની વસ્તી આશરે ૫૪ કરોડની હતી. આજે તેનાથી ત્રણ ગણી એટલે કે આશરે ૧૫૦ કરોડ સુધી પંહોચી ગઈ છે. મારી ધારણા છે કે, આજની તારીખે એક અબજ નાગરિકોને યુદ્ધની પરિસ્થિતિનો અનુભવ કે અંદાજ નથી.
ટેલિવિઝન ઉપર યુદ્ધની ઉગ્ર ચર્ચાનું સંચાલન કરતા યુવાન ટીવી એન્કરોએ યુદ્ધ માત્ર પડદા ઉપર નિહાળ્યું છે. યુદ્ધ બાબતે અજ્ઞાની આ યુવા પેઢીએ ઓપરેશન સિંદૂરના પ્રથમ દિવસે એવો દાટ વાળ્યો કે, દર્શકોને થયું કે આ સંઘર્ષ ૨૪ કલાકમાં પતી જશે અને ભારતનો ભવ્ય વિજય થશે. એક ગુજરાતી સમાચાર પત્રના યુવા તંત્રીએ તો પ્રથમ દિવસે જ બ્રેકિંગ ન્યૂઝ કર્યા કે, પાકિસ્તાનના સેના પ્રમુખને પદભ્રષ્ટ કરી ધરપકડ કરી લેવામાં આવી છે! ગજબનું ચાલ્યું! બીજા દિવસથી કેટલાક સમાચાર માધ્યમોએ માફી પણ માંગવાનું શરૂ કરી દીધું! વાંક તેમનો નથી, તેમની બિનઅનુભવી ઉમરનો છે!
શસ્ત્રો
ભારતની વર્તમાન પેઢીના સૈનિકો પ્રથમવાર કેટલાંક આયુધો વાપરી રહૃાાં છે. એક હિન્દી સમાચાર ચેનલ ઉપર એક નિવૃત્ત સેના અધિકારીએ નિખાલસ કબૂલાત કરી કે, અમારા સમયમાં આ ટેકનોલોજી હતી નહીં, માટે વર્તમાન સંઘર્ષમાં તેની શું ભૂમિકા અને અસર છે તેની મને જાણ નથી. વાહ! સરસ અને નિખાલસ કબૂલાત કરી. તેમના સમયમાં ડ્રોન કે એસ-૪૦૦ પ્રકારના શસ્ત્રો ન હતાં.
૨૦૨૫
આ વખતે પહેલગામ નરસંહાર પછી ભારતે 'હવે બહુ થયું'ની માનસિકતા સાથે પકિસ્તાનને ધૂળ ચાટતું કરવા માટે 'મિશન સિંદૂર' શરૂ કર્યું. બહુ ચર્ચિત બાબતો ફરી રિપીટ કરવી નથી. આ વખતે હજુ યુદ્ધ શરૂ થયું નહોતું, કાયદેસર ભાષામાં 'સંઘર્ષ' હતો. કારણ કે, રાષ્ટ્રપતિ 'યુદ્ધ ઘોષણા' કરે પછી જ યુદ્ધ કહી શકાય. ભારતીય લોકોમાં હજુ યુદ્ધનો જવર ફેલાવાની શરૂઆત થઈ હતી ત્યાંજ અમેરિકાના માથા ફરેલ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ પોતાની માલિકીના સોશિયલ મીડિયા 'ટ્રુથ' ઉપર યુદ્ધ વિરામની ખુશખબર આપી દીધી! આઝાદી સમયથી આપણે કહેતા આવ્યા છીએ કે, એક સર્વભૌમત્વ રાષ્ટ્ર તરીકે કાશ્મીર મુદ્દે ત્રીજા દેશની દરમિયાનગીરી સ્વીકારતા નથી.
આમ છતાં ભારતે અમેરિકાને શા માટે માથું મારવા દીધું? વધુ એક સવાલ એ છે કે, અમેરિકાએ મધ્યસ્થીની ભૂમિકા ભલે બજાવી, પરંતુ તેમને પહેલાં જાહેરાત કરવાની 'ફુઆની ભૂમિકા' કેમ ભજવવા દીધી? ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાતના બે કલાક બાદ આપણાં અધિકારીઓએ આ જાહેરાત કરી. બીજો સવાલ એ છે કે, વધુ નબળું કોણ પડ્યું? કોને યુદ્ધવિરામની જરૂર પડી? સ્વાભાવિક છે કે, પાકિસ્તાન ભારતના પ્રમાણમાં આર્થિક રીતે નબળો અને સંરક્ષણની દૃષ્ટિએ અશક્ત દેશ છે. જો આમ છે તો, આપણે તેને ખોખરો કરવાનો મોકો કેમ હાથથી જવા દીધો?
તાજા અહેવાલો મુજબ હવે ટ્રમ્પદાદા કહે છે કે તેમણે મધ્યસ્થી નહ પણ માત્ર મદદ કરી છે!
ભારતીય સેનાએ તેની પત્રકાર પરિષદમાં 'આપણો ઉદેશ પૂરો થયો' તેવી જાહેરાત કરી. પરંતુ લોકોના મનમાં હજુ અનેક સવાલો સળવાળી રહૃાા છે!
રાજકીય
ભારત પાકિસ્તાન વચ્ચેનો સંઘર્ષ માત્ર લશ્કરી જ નથી હોતો. રાજકીય દાવપેચ પણ મોટો ભાગ ભજવે છે. પાકિસ્તાન કંગાળ રાષ્ટ્ર છે, અંધાધૂંધી ચારેકોર છે. સેના અને રાજકીય નેતાઓ વચ્ચે આંતરિક ઘર્ષણ છે. રાજકીય પક્ષો વચ્ચે મનમેળ નથી. મજબૂત લોકશાહી નથી. દેશના સમગ્ર તંત્રમાં મોટા પાયે ભ્રષ્ટાચાર છે. દુનિયાનું અબજો ડોલરનું દેવું ચૂકવવાની ક્ષમતા કે મનોવૃત્તિ નથી. દેશમાં અનેક ત્રાસવાદી જૂથો સક્રિય છે, પંજાબ અને બલૂચિસ્તાન આઝાદી માંગે છે. તેના બીજા પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં તો આના કરતાં પણ ખરાબ હાલત છે. બન્ને દેશો વચ્ચે સરહદ જેવું કઈ નથી. ત્રાસવાદીઓ મુક્ત રીતે અવજવાર કરે છે. પકિસ્તાનના ગ્વાદર વિસ્તારમાં તો પરિસ્થિતિ એટલી હદે કથળેલી છે કે, ચીન જેવા શક્તિશાળી દેશને પણ ગ્વાદર બંદર બાંધકામમાં તકલીફ પડે છે. સ્થાનિક કબીલાઓને કારણે ચીની અધિકારીઓ વારંવાર ભાગી છૂટે છે!
આવા કંગાળ દેશ પ્રત્યે અમેરિકા, ચીન, તુર્કી, સાઉદી અરેબિયા, આઈએમએફને કેમ આટલું બધું મમત છે? ઓપરેશન સિંદૂર સમયે પણ આ દેશો પાકિસ્તાનની મદદે દોડી આવ્યા અને વધુ નાલેશી થતી અટકાવી. ભારતે સંઘર્ષ અધૂરો છોડવો પડ્યો!
પ્રથમ તો ચીનને એશિયામાં પગ રાખવો હોય તો પાકિસ્તાન એક માત્ર દેશ છે. તેને અબજો ડોલરની ખેરાત કરે છે. એશિયામાં ચીન ન ઘૂસે તે માટે અમેરિકાને ઊંડો રસ છે, આથી તે પાકિસ્તાનને ખુશ કરવા માટે શક્ય તમામ પ્રયાસો કરે છે. તુર્કી અને સાઉદી અરેબિયા મુસ્લિમના નાતે મદદ કરે છે. રશિયા ભારતને મદદ કરતું હોવાથી અમેરિકાને તે પસંદ નથી. આથી ભારતની સરહદો સળગતી રહે તે માટે કાયમ બળતામાં ઘી હોમે છે.
અમેરિકાને તેના ધંધામાં જ રસ છે. ભારત તેની આ ભૂખનો લાભ લેવામાં ઊણું ઉતરતું હોય તેમ લાગે છે. અમેરિકા માટે ભારત ચીન પછીનું સૌથી મોટું બજાર છે. આપણી ખરીદ શક્તિ પણ બહુ મોટી છે. આમ છતાં સમય આવ્યે તે આપણને દબાવે છે. ડોનાલ્ડ ટ્રમ્પ એ આખી દુનિયા સાથે આપણને પણ 'ટેરિફ વોર'માં છોડ્યા નથી. ટ્રમ્પ દાદાએ સમાધાન ઉલ્લેખમાં કોઈવાર 'ત્રાસવાદ' શબ્દ કેમ વાપર્યો નથી?
આ વખતે પણ યુદ્ધ વિરામમાં પહેલી જાહેરાત કરી આપણને ક્ષોભમાં મૂકી દીધા. ભારતે આ બાબતે સામાન્ય વિરોધ પણ કેમ નથી નોંધાવ્યો? તે આશ્ચર્યજનક છે.
હવે શું?
પાકિસ્તાન શું ઓપરેશન સિંદૂર પછી સુધરી જશે? ભુરાયા આખલાને બદલે ગરીબ ગાય જેવું થઈ જશે? પીઓકે સોંપી દેશે? ત્રાસવાદીઓને છાવરવાનું બંધ કરી દેશે? આપણે માંગણી કરેલા ત્રાસવાદીઓને સોંપી દેશે?
આ બધા સવાલોનો જવાબ એક જ છે.. ના!
પાકિસ્તાન સુધરશે નહીં. ચીન અને અમેરિકા પોતાના સ્વાર્થ માટે તેને પંપાળવાની પ્રવૃત્તિ ચાલુ રાખશે.
તો આપણે શું કરવાનું? આપણે આપણાં દરવાજાને ચુસ્ત બંધ રાખવાના. સલામતી બંદોબસ્ત ખૂબ કડક રાખવાનો. પહલગામની બાઈસરન વેલીમાં કોઈપણ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા ન હોવાથી ત્રાસવાદીઓએ નિરાંતે નરસંહાર કર્યો. દુર્ઘટના બાદ આરામથી સરકી ગયા, હજુ સુધી આપણને તેની ઓળખ મળી નથી!
નવો ટર્ન
આ યુદ્ધ પછી સોશિયલ મીડિયા અને જાગૃત લોકો વચ્ચે નવી વાત આવી છે. ખાવા માટે ફાંફાં મારતો દેશ અતિશય ઊંચી, મોંઘી અને જોખમી અણુ શક્તિ દેશ કેવી ધારણ કરી શકે? અણુ શસ્ત્રો બનાવવા ખાવાના ખેલ નથી. તે બનાવવાની સાથે સાચવવા માટે પણ તિજોરી ખાલી કરવી પડે છે. પાકિસ્તાન તેની પાસે ૧૦૦ થી વધુ અણુ શસ્ત્રો હોવાનો દાવો કરે છે. ચર્ચા એવી ચાલી છે કે, આમૂલ્ય શસ્ત્રો પાકિસ્તાનના નથી, પરંતુ અમેરિકાએ એશિયામાં પોતાના સ્વાર્થ માટે સંતાડેલા આયુધો છે. તે અમેરિકન બનાવટના અને માલિકીના છે. જો હવે ભારત તેના ઉપર હુમલો કરે તો જગત જમાદારની જમાદારી એશિયા ખંડમાં નબળી પડી જાય. જો, ચીન સાથે સંઘર્ષ થાય તો પાકિસ્તાનમાંથી જ તેને ફાયર કરી શકાય. આથી ટ્રમ્પ દાદાએ પોતાના શસ્ત્રો બચાવવા મોદીનું શરણ લેવું પડ્યું.
જે હોય તે, પ્રભુ સૌને સદબુદ્ધિ આપે અને ઉપખંડમાં શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે તેવી પ્રભુ, પયગંબર અને ઈશુને પ્રાર્થના.
પરેશ છાંયા
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો