Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરઃ લીરીબેન માલદેભાઈ સિસોદીયા (ઉ.વ.૯૬)નું તા. ૨૫-૭ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. ૨૭-૭ના સોમવારે સાંજે ૫ થી ૬ મહેર સમાજ ભુવન, ખોડીયાર કોલોની રોડ, દિગ્જામ સર્કલ પાસે, જામનગરમાં રાખવામાં આવ્યું છે. સદ્ગતની ઉત્તરક્રિયા તા. ૩૧-૭ના શુક્રવારે રાખવામાં આવી છે.
જામનગરઃ કુમુદબેન જોશી (ઉ.વ.૭૮) તે સ્વ. ભાલચંદ્રભાઈ જોશીના પત્ની, મનીષભાઈ, પુનીતભાઈ, નીલમબેનના માતા, શિવમ્, શુભમ્ના દાદીનું તા. ૨૬-૭ના અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. ૨૭-૭ના સોમવારે સાંજે ૫ થી ૬ દરમ્યાન રામેશ્વર મહાદેવ મંદિર, રામેશ્વરનગર, જામનગરમાં રાખવામાં આવ્યું છે.
જામનગરઃ શ્રીમાળી સામવેદી બ્રાહ્મણ કલાબેન ઓઝા, તે બાલકૃષ્ણ ગુલાબરાય ઓઝાના પત્ની, ઉર્વશીબેન, નેહલબેન, સોનલબેનના માતા, દેવેનકુમાર ઈન્દુલાલ ત્રિવેદીના સાસુ, આસ્થા, હેતના નાનીનું તા. ૨૫-૭ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. ૨૭-૭ના સોમવારે સાંજે ૫:૩૦ થી ૬ દરમ્યાન શ્રી મહાલક્ષ્મીની વાડી, વંડાફળી શેરી નં.૨, જામનગરમાં રાખવામાં આવ્યું છે.
જામનગરઃ શ્રીગૌડ મેડતવાડ બ્રાહ્મણ લુહાર ગોર મહેશભાઈ મનુભાઈ ત્રિવેદી (ઉ.વ.૭૫) તે બીનાબેનના પતિ, સિતાંશુભાઈ (જર્મની), સ્વ. પારસભાઈના પિતા, સવિતાબેન, ચાંદનીબેન, વર્ષાબેન, હર્ષિદાબેનના ભાઈ, અમીષાબેન, નિરાલીબેનના સસરા, હર્ષભાઈ ત્રિવેદી, સતિષભાઈ ત્રિવેદીના બનેવી, ધૈર્ય, હર્ષ, નચીકેતના દાદાનું તા. ૨૫-૭ના અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા તા. ૨૭-૭ના સોમવારે સાંજે ૫ થી ૫:૩૦ દરમ્યાન પાબારી હોલ, તળાવની પાળ પાસે, જામનગરમાં રાખવામાં આવી છે.
મોરબીઃ રમેશચંદ્ર મણિલાલ બુદ્ધદેવના પુત્ર હિતેશ બુદ્ધદેવ (ઉ.વ. ૪૮) તે સ્વ. જયભાઈ, સોનલબેન રોહિતકુમાર સેજપાલ (મોરબી), ઉર્વશીબેન સંજયકુમાર સાતા (રાજકોટ)ના ભાઈનું તા. ૨૪-૭ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. ૨૭-૭ના સોમવારે સાંજે ૫ થી ૬ દરમ્યાન લોહાણા વિદ્યાર્થી ભુવન, વસંત પ્લોટ, મોરબીમાં રાખવામાં આવ્યું છે.
જામનગરઃ શીલાબેન કાનાણી (ઉ.વ.૬૩) તે કાંતિલાલ કાનાણીના પત્ની, વિકીભાઈ, પૂજાબેન ધવનભાઈ ગોકાણી (રાજકોટ)ના માતા, મયુરીબેનના સાસુ, સ્વ. દામોદરભાઈ (ખંભાળીયા) વ્રજલાલભાઈ (જામનગર), સ્વ. બીપીનભાઈ (મુંબઈ), ગોપાલભાઈ (બેટ દ્વારકા), ચંદ્રકાન્તભાઈ (જામનગર), કિરીટભાઈ જમનાદાસ કાનાણીના ભાભી, મથુરદાસ પરસોત્તમભાઈ પાબારીના પુત્રીનું તા. ૨૪-૭ના અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા તા. ૨૫-૭ના સાંજે ૫ થી ૫:૩૦ દરમ્યાન પાબારી હોલ, તળાવની પાળ પાસે, જામનગરમાં રાખવામાં આવી છે.