Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર નિવાસી વિસા શ્રીમાળી સોની પ્રભુલાલ લક્ષ્મીદાસ ગુસાણી (એડવોકેટ), તે રંજનબેનના પતિ, કૌશિકભાઈ પી. ગુસાણી તથા મયુરભાઈ પી. ગુસાણી (શ્યામ સુંદર જ્વેલર્સ) ના પિતા, જુઈ કૌશિક ગુસાણી તથા શ્યામ મયુર ગુસાણીના દાદા તા. ૧૮-૦૨-૨૦૨૫, (મંગળવાર) ના શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ઉઠમણું આવતીકાલ તા. ૧૯-ર-ર૦રપ (બુધવાર) ના સાંજે ૪:૦૦ થી ૪.૩૦ વાગ્યા દરમિયાન ભાઈઓ તથા બહેનો માટે પાબારી હોલ, તળાવની પાળ, જામનગરમાં રાખેલ છે.
જામનગરઃ હરેશ રમાનાથ ધોળકિયા (રિટાયર્ડ રેલવે સી.ટી.આઈ., જામનગર) તે પારૂલ ધોળકીયા (વૈદ્ય-ભૂજ) ના પતિ, તપન (યુકો બેંક) તથા કાજલ હાર્દિક બુચ (જુનાગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટ) ના પિતા, હાર્દિક સુધીરભાઈ બુચ (એક્સિસ બેંક) તથા ડો. યેશા તપન ધોળકીયાના સસરાનું અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા - બેસણું તા. ૧૯-ર-ર૦રપ, બુધવારના સાંજે પ થી ૬ વાગ્યા દરમિયાન શ્રી નર્મદેશ્વર મહાદેવ મંદિર, પંચવટી, જામનગરમાં રાખવામાં આવ્યું છે.
જામનગર નિવાસી (મૂળ જોધપર-ઝાલા ગામના વતની) ચા.મ. મોઢ બ્રાહ્મણ રમણીકલાલ કાનજીભાઈ પંડ્યા (ઉ.વ. ૮૪), તે જીજ્ઞેશ રમણીકલાલ પંડ્યા (તમન્ના આર્ટ સ્ટુડિયો), હંસાબેન (જેતપુર), ભાવનાબેન (રાજકોટ), અંજનાબેન (જામનગર) ના પિતા તથા સ્વ. ખેલશંકર, સ્વ. જેઠાલાલ, સ્વ. ચીમનભાઈ, સ્વ. જયશંકર, પ્રવિણભાઈ પી. પંડ્યા, મનહરભાઈ પી. પંડ્યાના ભાઈ તથા મહેશભાઈ દવે (જેતપુર), રશ્મિકાન્ત જોષી (આર.એન.એસ.બી - રાજકોટ), જગદીશભાઈ જાની (એર ફોર્સ, જામનગર) ના સસરાનું તા. ૧૭-ર-ર૦રપ ના અવસાન થયેલ છે. સદ્ગતનું ઉઠમણું તા. ર૦-ર-ર૦રપ, ગુરૂવારના સાંજે ૪.૩૦ થી પ.૩૦ વાગ્યા દરમિયાન કંચનવાડી, (ચા.મ. મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ) પટેલ કોલોની, શેરી નં. ૯ ના છેડે શાંતિનગર, જામનગરમાં રાખવામાં આવ્યું છે.
રાજકોટઃ ચંપકલાલ નેમચંદભાઈ મહેતા, તે વિમળાબેનના પતિ તથા ભાવીન અને વર્ષાબેનના પિતા તેમજ સ્વ. ચંદુલાલ નેમચંદ મહેતા, ભાનુબેન, કનુબેન, મેનાબેનના ભાઈ તથા રિનાબેન મયુરકુમારના સસરા તેમજ પલક, ધન્વીના દાદા અને ભવ્યના નાનાનું તા. ૧૭ ના અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. ર૦-ર-ર૦રપ ના સવારે ૧૦ વાગ્યે પેસિફિક સ્ટાર (કોમ્યુનિટી હોલ), ફાયરબ્રિગેડ રોડ, બીપીસીએલ પેટ્રોલપંપ સામે, રેલનગર, રાજકોટમાં રાખવામાં આવ્યું છે.