Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરઃ મૂળ હડમતીયા (મતવા) હાલ જામનગર નિવાસી નરેન્દ્રસિંહ અજીતસિંહ જાડેજા, તે નિવૃત્ત એએસઆઈ અજીતસિંહ રણુભા જાડેજાના પુત્ર તથા મહિપતસિંહના નાનાભાઈ, પરાક્રમસિંહના કાકા અને સત્યલાસિંહના પિતાનું તા. ૧૩-૪-ર૦રપ ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું ભાઈઓ માટે તા. ૧૭-૪-ર૦રપ, ગુરૂવારના સાંજે પ થી ૬ વાગ્યા દરમિયાન શ્રી ગંગેશ્વર મહાદેવ મંદિર, મચ્છરનગર, જામનગરમાં રાખવામાં આવ્યું છે. સદ્ગતની ઉત્તરક્રિયા તા. ર૩-૪-ર૦રપ અને બુધવારના તેમના નિવાસસ્થાન, મોમામઈનગર, ગાંધીનગરમાં રાખવામાં આવી છે.
જામનગર નિવાસી સ્વ. વ્રજલાલ સવજીભાઈ મકવાણાના ધર્મપત્ની ગં.સ્વ. વિજયાબેન વ્રજલાલ મકવાણા, તે મીનાબેન, અનીલભાઈ, માધવીબેન, પંકજભાઈના માતુશ્રી તથા નિધિ, અનુપ, દેવાશુંના દાદીનું તા. ૧ર-૪-ર૦રપ ના અવસાન થયેલ છે. સદ્ગતનું ઉઠમણું તા. ૧૪-૪-ર૦રપ, સોમવારના સાંજે પ થી ૬ વાગ્યા દરમિયાન આહીર સમાજની વાડી, સત્યમ કોલોની રોડ, જામનગરમાં રાખેલ છે.
ખંભાળીયાના ઔદિચ્ય સહસ્ત્ર ઝાલાવાડી બ્રાહ્મણ સ્વ. શાંતિલાલ લવજી જોષીના પુત્ર કૌશિકભાઈ (ઉ.વ. ૮ર), (પૂર્વ શિક્ષક) તે સ્વ. ચિતરંજનભાઈ, સ્વ. કિરણભાઈના ભાઈ, કલ્પેશભાઈ તથા જયશેભાઈના પિતા, જયદીપભાઈ જોષી (પીએ ક્લેકટર ઓફિસ), સુનિલભાઈ જોષી, હાર્દિકભાઈ જોષીના કાકાનું તા. ૧૩-૪-ર૦રપ ના અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા આજે તા. ૧૪-૪-ર૦રપ ના સાંજે ૪.૩૦ થી પ વાગ્યા દરમિયાન ખંભાળીયામાં ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિની વાડીમાં રાખેલ છે.
ખંભાળીયાઃ સ્વ. મથુરાદાસ લવજી સવજીયાણીના પુત્ર પ્રવિણભાઈ મથુરાદાસ સવજીયાણી (માસ્તર) (ઉ.વ. ૭ર), તે રમેશભાઈ, જયેશભાઈ, હસુભાઈ, સાધનાબેન ગિરીશકુમાર કક્કડ (જામનગર), શિતલબેન દિલીપકુમાર સામાણી (ભાટિયા) ના મોટાભાઈ, તથા કૌશલભાઈ (પત્રકાર-અકિલા) અને અભિષેકભાઈના પિતા તથા સ્વ. મથુરાદાસ નરસિંહદાસ મોટાણીના જમાઈનું અવસાન થયેલ છે. સદ્ગતની પ્રાર્થનાસભા તા. ૧૬-૪-ર૦રપ ના સાંજે ૪ થી ૪.૩૦ વાગ્યા દરમિયાન ખંભાળીયાના જલારામ મંદિરમાં રાખવામાં આવી છે. (પિયરપક્ષની સાદડી પણ સાથે રાખવામાં આવી છે.)