Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરઃ શ્રી ગૌડ મેડતવાડ ગણોદીયા ભટ્ટ મુકેશભાઈ હરીલાલ ભટ્ટ, તે જીજ્ઞેશ તથા ગૌરવ (દુબઈ) ના પિતા, દક્ષાબેન પી. જાની (રાજકોટ), મંદાબહેન એન. દીક્ષિત (જુનાગઢ), ભૂપેન્દ્રભાઈ ભટ્ટ (સેન્ટ્રલ બેંક) અને સ્વ. ડોલરભાઈ ભટ્ટ (રાજકોટ) ના ભાઈ અને ધ્રુમીલ, ક્રિશાગ, રૂદ્રના દાદાનું તા. ૮-ર-ર૦રપ ના અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા. ૧૦-ર-ર૦રપ, સોમવારના સાંજે પ.૦૦ થી પ.૩૦ વાગ્યા દરમિયાન ભાઈઓ તથા બહેનો માટે પાબારી હોલ, તળાવનીપાળ, જામનગરમાં રાખેલ છે.
મીઠાપુર નિવાસી સ્વ. મણિલાલ પોપટલાલ મોદી (ગોરીયાળીવાળા) ના પત્ની મંગળાબેન (અમીબેન) (ઉ.વ. ૯૬), તે સ્વ. નારાયણદાસ ઓધવજીભાઈ થોભાણીના દીકરી, સ્વ. ગિરીશભાઈ, ભરતભાઈ તથા ધનસુખભાઈના માતાનું અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું આજરોજ તા. ૧૦-ર-ર૦રપ ના સાંજે ૪.૩૦ થી પ.૩૦ વાગ્યા દરમિયાન સૂરજકરાડીમાં એસબીઆઈ બેંકની પાછળ, આશાપુરા સોસાયટી ગ્રાઉન્ડમાં રાખેલ છે. પિયરપક્ષની સાદડી પણ સાથે રાખેલ છે.
જામનગરઃ શ્રીમતી સરોજબેન મનુભા જાડેજા, તે અશોકભાઈ, વિપુલભાઈ તથા કલ્પુબેનના માતા તથા સ્વ. મનુભાઈ પંચાણી જાડેજાના પત્ની અને રાખીબેન, જાગૃતિબેન તથા સુરેન્દ્રસિંહના સાસુ તથા પ્રચલ, હાર્દ, શિવાની અને અભિના દાદી તથા પદમજા અને ધ્રુવના નાની તા. ૧૦-ર-ર૦રપ ના શ્રીજીચરણ પામેલ છે.