Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ ગણાત્રાના માતુશ્રીનું દુઃખદ અવસાન
જામનગરના સ્વ. વસંતરાય ગણાત્રાના પત્ની ગં.સ્વ. મંગળાબેન વસંતરાય ગણાત્રા (ઉ.વ. ૯૦), તે જામનગરના વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ વસંતરાય ગણાત્રા, પરેશભાઈ ગણાત્રા તથા શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર બદીયાણીના માતુશ્રી આજરોજ તા. ૭-૭-ર૦ર૬ ના શ્રીજીચરણ પામ્યા છે.
જામનગર નિવાસી (મૂળ ભલસાણ) ગુર્જર સુથાર જ્ઞાતિના બિપીનભાઈ રતિલાલ વિશરોલીયા (ઉ.વ.૭૦) તે મનુભાઈ, અશ્વિનભાઈ, હંસાબેન કિશોરભાઈ છનિયારા, ધીરજબેન મહેન્દ્રભાઈ વાલંભીયા, અનિલાબેન અરવિંદભાઈ જાદવાણી, દિનાબેન બિપીનભાઈ બકરાણીયાના ભાઈ, જય, એકતા સુમિતભાઈ ભારદીયા (યુ.કે.)ના પિતા, સ્વ. જમનાદાસ પિતામ્બરભાઈ આમરણીયા (રાજકોટ)ના જમાઈનું તા. ૬-૭ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. ૯-૭ના ગુરૂવારે સાંજે ૪ થી ૪:૩૦ દરમ્યાન પાબારી હોલ, તળાવની પાળ પાસે, જામનગરમાં રાખવામાં આવ્યું છે.
જામનગરઃ નયનાબેન મહેશભાઈ ભટ્ટ (ઉ.વ.૭૪) તે હિરેનભાઈ, જયદિપભાઈના માતા, કાર્તિક, રાધાના દાદીનું તા. ૬-૭ના અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. ૯-૭ના સાંજે ૫:૩૦ થી ૬ દરમ્યાન ભાઈઓ તથા બહેનો માટે ઈચ્છેશ્વર મહાદેવ મંદિર, ગાંધીનગર, જામનગરમાં રાખવામાં આવ્યું છે.
જામનગરઃ બીએસએનએલના નિવૃત્ત કર્મચારી કાસમભાઈ અબ્દુલા માંડકીયાના પત્ની હફીઝાબેન (ઉ.વ. ૭૮) નું તા. ૬-૭-ર૦ર૬ ના અવસાન થયું છે.
જામનગર નિવાસી સ્વ. સુંદરલાલ જીવરાજના પુત્ર હિતેન્દ્ર સુંદરલાલ શાહ (હિતુભાઈ), તે સ્વ. નવનીતભાઈ, સ્વ. વસંતભાઈ, સુરેશભાઈ, સ્વ. વિજયભાઈ, સ્વ. કિરણભાઈ, સ્વ. ચંદ્રલેખાબેન, ભાવનાબેનના ભાઈ તથા વૈભવના પિતા તથા ક્રિનાના સસરા તથા સાન્વીના દાદા તા. ૬-૭-ર૦ર૬ ના અરિહંત શરણ પામેલ છે. સદ્ગતનું ઉઠમણું તા. ૮-૭-ર૦ર૬, બુધવારના સવારે ૧૦ વાગ્યે જ્યોતિ વિનોદ ઉપાશ્રય, ચાંદીબજાર, જામનગરમાં રાખવામાં આવ્યું છે.
જામનગર (મૂળ કુતિયાણા) નિવાસી સ્વ. ગોવિંદભાઈ માધવજીભાઈ ધામેચાના પુત્ર વિજયભાઈ ધામેચા, તે મનિષભાઈ, રાજુભાઈ, સ્વ. કીરિટભાઈ, સ્વ. અનિલભાઈના ભાઈ, આકાશ, મિતના પિતાનું તા. ૭-૪ ના અવસાન થયું છે. સદ્ગતની અંતિમયાત્રા તા. ૭-૪ના શનિવારે સાંજે ૫ વાગ્યે તેમના નિવાસસ્થાન મધુરમ્ એપાર્ટમેન્ટ, સત્યમ હોટલ સામેની શેરી, શરૂ સેકશન રોડ, જામનગરથી ગાંધીનગર સ્મશાને જવા માટે નીકળશે.