Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ અધ્યક્ષના પત્નીનું નિધનઃ ઉઠમણું
જામનગર નિવાસી (મૂળ કરાચી વાળા) કચ્છી લોહાણા સ્વ. કાકુભાઈ ખીમજી કેસરીયાના પુત્ર જવાહરભાઈ કેસરીયા (પૂર્વ ચેરમેન, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ)ના પત્ની શિલાબહેન (ઉ.વ.૭૫) તા. ૧૭-૫-૨૬ના શ્રીજીચરણ પામેલ છે. તેઓ પ્રશાંતભાઈ (ટીનુભાઈ) (નવાનગર બેંક)ના માતા, સંદિપભાઈ કિશોરભાઈ કેસરીયા (આર.કે.કોર્પોરેશન), હિરેનભાઈ રાજુભાઈ કેસરીયા (નવાનગર બેંક), ના કાકી, સ્વ. નિર્મળાબેન ડી. સોમૈયા, સ્વ. હરીશભાઈ, સ્વ. કિશોરભાઈ, ગં.સ્વ. કુસુમબેન એમ. દત્તાણી, સ્વ. રાજુભાઈ કેસરીયાના ભાભી, સ્વ. કશળચંંદ ડુંગરશી મહેતાના પુત્રી થાય. સદ્ગતનું ઉઠમણું તા. ૧૮-૫-૨૬ના સોમવારે સાંજે ૬ થી ૬:૩૦ દરમ્યાન ભાઈઓ તથા બહેનો માટે પાબારી હોલ, તળાવની પાળ પાસે, જામનગરમાં રાખવામાં આવ્યું છે.
જામનગરઃ શ્રી મચ્છુ કઠિયા સઈ સુથાર દરજી જ્ઞાતિના વર્ષાબેન પીઠડીયા (ઉ.વ.૬૪) તે જગદીશચંદ્ર બાબુલાલ પીઠડીયા (દરજી પ્રેમજી ખીમજી બાંધણીવાળા)ના પત્ની, પ્રવિણભાઈ, અતુલભાઈ, હર્ષિદાબેન ખેરડીયા (ઉજ્જૈન)ના ભાભી, ઉષાબેનના દેરાણી, નયનાબેનના જેઠાણી, મોહિત, માનસીના માતા, મિતેશકુમાર (મુંબઈ), ધ્વનીના સાસુ, વિહાનના દાદી, જવાહરભાઈ પરમાર (મુંબઈ)ના પુત્રી, સ્વ. દીપકભાઈ, ચેતનભાઈ, સ્વ. ભરતભાઈ પરમારના બહેનનું તા. ૧૫-૫ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. ૧૬-૫ને શનિવારના સાંજે ૫ થી ૫:૩૦ દરમ્યાન પાબારી હોલ, તળાવની પાળ પાસે, જામનગરમાં રાખવામાં આવ્યું છે.