Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
Apr 14, 2025
તવ્વહુર રાણા પછી હવે ચોકસીના પ્રત્યાર્પણના ચક્રો ગતિમાનઃ ભારતીય એજન્સીઓને મોટી સફળતાઃ વર્ષ-૨૦૨૧ થી ફરાર હતો
નવી દિલ્હી તા. ૧૪: આખરે પીએનબી કૌભાંડના ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોકસીની બેલ્જિયમમાં ધરપકડ થઈ છે. ભારતની પ્રત્યાર્પણ વિનંતી પર કાર્યવાહી થતા આ ધરપકડ ભારત માટે એક મોટી સફળતા છે. રૂ. ૧૩૫૦૦ કરોડના બેંક લોન કૌભાંડમાં સંડોવણીના આરોપ હેઠળ ઈન્ટર પોલની રેડ નોટિસ રદ થયા બાદ ઈડી અને સીબીઆઈએ પ્રત્યાર્પણ માટેની ઝડપી કાર્યવાહી આદરી છે.
ભારતના ઇતિહાસમાં સૌથી મોટા બેંક કૌભાંડોમાંના એક, ૧૩,૫૦૦ કરોડ રૂપિયાના પંજાબ ...
વધુ વાંચો »
Apr 14, 2025
બેલ્જિયમમાં પકડાયેલા ભારતના ભાગેડુ આરોપી
નવી દિલ્હી તા. ૧૪: મેહુલ ચોક્સીની રૂ. રપ૦૦ કરોડથી વધુની સંપત્તિ જપ્ત થઈ ગઈ છે. હવે તેનું પ્રત્યાર્પણ થયા પછી તેને વધુ દંડ-સજા થઈ શકે છે.
ફેબ્રુઆરીમાં મુંબઈની એક ખાસ કોર્ટે મેહુલ ચોક્સીની કંપની ગીતાંજલિ જેમ્સ લિમિટેડની ૧૩ મિલકતોની હરાજી કરવાની મંજુરી આપી હતી. ગયા વર્ષે ડિસેમ્બરમાં, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ કહ્યું હતું કે તેણે ૧૩,પ૦૦ કરોડ રૂપિયાના પંજાબ નેશનલ બેંક છેતરપિંડી કેસમાં ફરાર મેહુલ ચોક્સી પાસેથી જપ્ત કરાયેલી ર,પ૦૦ કરોડ રૂપિયાથી વધુની સંપત્તિઓને પુનઃસ્થાપિત કરવાનું શરૂ કરી દીધું ...
વધુ વાંચો »
Apr 14, 2025
૬ વર્ષમાં ૧ર વખત ધમકી મળી છતાં કાંઈ ના થયું:
મુંબઈ તા. ૧૪: સલમાન ખાનને ફરી એકવાર ધમકી મળી છે. સલમાન ખાનને ઘરમાં ઘૂસીને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી છે અને ભાઈજાનની કારને પણ બોમ્બથી ઊડાવવાની ધમકી અપાઈ છે. આ ધમકીભર્યો કોલ મુંબઈના વર્લી ટ્રાફિક વિભાગના નંબર પર આવ્યો હતો. જે પછી પોલીસ સતર્ક થઈ છે અને અજાણ્યા શખ્સા સામે ફરિયાદ દાખલ કરી છે.
બોલિવૂડ અભિનેતા સલમાન ખાનને ફરીથી જાનથી મારી નાંખવાની ધમકી મળી છે. મુંબઈના વરલીમાં સ્થિત પરિવહન વિભાગના વોટ્સએપ ...
વધુ વાંચો »
Apr 14, 2025
શનિવારે મધરાત્રે બોટનો પીછો કરાયોઃ દરિયામાં ડ્રગ્સ ફેંકી બોટ પાકિસ્તાનમાં ઘૂસીઃ
જામનગર તા.૧૪ : ગુજરાત એટીએસને ૩૦૦ કિલો ડ્રગ્સ સાથે પાકિસ્તાનથી એક બોટ આવી રહી છે તેવી બાતમી મળતા શનિવારથી કોસ્ટગાર્ડની ટીમને સાથે રાખી શરૂ કરાયેલા પેટ્રોલિંગમાં દક્ષિણ ગુજરાત અને ઉત્તર મહારાષ્ટ્રના દરિયામાં એક બોટની શંકાસ્પદ હિલચાલ ઝડપાઈ હતી. તે બોટના શરૂ કરાયેલા પીછા પછી તે બોટમાંથી ૩૦૦ કિલો ડ્રગ્સ દરિયામાં ફેકી દેવાયું હતું. આ બોટ પાકિસ્તાનની જળસીમામાં ઘૂસી ત્યાં સુધી કોસ્ટગાર્ડ અને એટીએસે તેનો પીછો કર્યાે હતો.
ગુજરાત રાજ્યમાં ડ્રગ્સની ફેરાફેરી ...
વધુ વાંચો »
Apr 14, 2025
ટ્રમ્પની હત્યા માટે નાણા નહી આપતા
વોશિંગ્ટન તા. ૧૪: ટ્રમ્પની હત્યાનો પ્લાન બનાવી રહેલા ૧૭ વર્ષના નિકિતા એ માતા-પિતાની ક્રુરતાપૂર્વક હત્યા કરી હોવાની ઘટનાએ ચકચાર જગાવી છે.
અમેરિકાથી ચોંકાવનારા સમાચાર આવ્યા છે. ફક્ત ૧૭ વર્ષના એક કિશોર પર અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની હત્યા કરવાનું કાવતરું ઘડવાનો આરોપ મુકાયો છે. નિકિતા કાસાપ નામના યુવકની યોજના ટ્રમ્પની હત્યા કરીને અમેરિકાની સરકારને ઉથલાવી પાડવાની હતી. યોજના માટે જરૂરી નાણાં મેળવવા માટે તેણે તેના માતાપિતાની હત્યા પણ કરી દીધી હતી. નિકિતા કાસાપ સામેની કોર્ટ કાર્યવાહી ...
વધુ વાંચો »
Apr 14, 2025
રેસિપ્રોકલ ટેરિફથી કોઈ બાકાત નહીં રહે
વોશિંગ્ટન તા. ૧૪: કોઈ બાકાત નહીં રહે, તમામ દેશ સામે ટેરિફ લાગશે, તેમ જણાવીને ફરી એકવાર ટ્રમ્પે દુનિયાભરના દેશોની ચિંતા વધારી દીધી છે. તેમણે ચીનના ઉત્પાદનોને તો જરાયે છૂટ નહીં મળે, તેમ સ્પષ્ટ જણાવી દીધું છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોઈપણ દેશને ટેરિફમાંથી મુક્તિ ન મળવાની સ્પષ્ટતા આપી દીધી છે. તેમણે હાલમાં જ ૬૦થી વધુ દેશોને ૯૦ દિવસ સુધી રેસિપ્રોકલ ટેરિફ મામલે રાહત આપી હતી. ગઈકાલે ટ્રમ્પે ફરી જાહેરાત કરી સ્પષ્ટતા આપી હતી કે, અયોગ્ય વેપાર ...
વધુ વાંચો »
Apr 14, 2025
દ્વારકા-ખંભાળિયાના પાલિકા તંત્રો થયા સક્રિયઃ
ખંભાળિયા તા. ૧૪: ગુજરાત રાજ્યની નગરપાલિકાઓને પોતાના ભવન બનાવવા-રીપેરીંગ માટે સહાયની મુખ્યમંત્રીની જાહેરાત કરી છે. સંદર્ભે ખંભાળિયામાં નવું પાલિકા ભવન બનશે.
ગુજરાત રાજ્યની નગરપાલિકાઓને પોતાનું નવું મકાન બનાવવા કે રીપેરીંગ માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની જાહેરાત આવકારદાયક બની છે.
રાજ્યની અ વર્ગની નગરપાલિકાને તથા બ વર્ગની નગરપાલિકાઓને બે કરોડની સહાય રાજ્ય તરફથી આપવામાં આવતી હતી જેમાં મોટ વધારો કરીને અ વર્ગ માટે ૬ કરોડ અને બ વર્ગ માટે પાંચ કરોડ જાહેર થયા છે, તો ક અને ડ વર્ગની ...
વધુ વાંચો »
Apr 14, 2025
ગુજરાતના જામનગર સ્થિત ગ્લોબલ રેસ્કયુ એન્ડ કન્ઝર્વેશન માટેની પહેલ
જામનગર તા. ૧૪: વનતારાની વાઇલ્ડલાઇફ રેસ્ક્યૂ અને રેહાબિલિટેશનમાં ભવિષ્ય માટે તૈયાર, ઇમર્સિવ ડિજિટલ અનુભવ આપતી નવી વેબસાઇટનું અનાવરણ કરાયું છે.
વનતારાના સ્થાપક અને સ્વપ્નદૃષ્ટા પરોપકારી અનંત મુકેશ અંબાણીના જન્મદિવસ નિમિત્તે વાઇલ્ડલાઇફ રેસ્ક્યૂ, રેહાબિલિટેશન અને કન્ઝર્વેશન ક્ષેત્રે વિશ્વની અગ્રણી સંસ્થાઓમાંની એક વનતારાએ તેની નવી વેબસાઇટ વનતારા ડોટ ઈનના લોન્ચની જાહેરાત કરી છે. આ પ્લેટફોર્મ એક શક્તિશાળી ડિજિટલ અનુભવ પૂરો પાડે છે જે આકર્ષક સ્ટોરીટેલિંગ અને ઇન્ટ્યુટીવ ડિઝાઇનનો સુભગ સમન્વય છે, જે સંસ્થાની વાઇલ્ડલાઇફ ...
વધુ વાંચો »
Apr 14, 2025
માનવી અને પશુઓના પાણીમાં પડીને થતા મૃત્યુ અટકાવવા
ખંભાળિયા તા. ૧૪: ભાણવડમાં નકટી નદી પર ૧૩.૯૪ કરોડના ખર્ચે આરસીસી ફલડ કંટ્રોલ વોલ તથા બોક્સ ડ્રેમેજ મંજુર થયું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં રાજ્ય સરકાર દ્વારા નકટી નદી પર પાણીના નિકાલ તથા પૂરમાં પરેશાની હળવી કરવા ૧૩.૯૪ કરોડના ખર્ચે ફલડ કંટ્રોલ વોલ તથા બોક્સ ડ્રેમેજનું કામ મંજુર થતા ભાણવડના લોકોમાં આનંદની લાગણી ફેલાઈ છે.
ભાણવડમાં ભૂતવડ મંદિર પાસેથી નકટી નદી નીકળતી હતી. જેની દીવાલ જ ના હોય રોજ પશુઓ તથા લોકો ત્યાં પડતા હતાં ...
વધુ વાંચો »
Apr 14, 2025
શ્રી બાલા હનુમાન મંદિરે રામધૂન-રાસમાં જોડાયાઃ
'છોટીકાશી' જામનગરમાં શ્રી બાલા હનુમાન મંદિરે હનુમાન જયંતી પર્વ પર સામાન્ય જનથી લઇ મહાનુભાવો હનુમાન ભક્તિમાં લીન થયા હતાં. સાંસદ પૂનમબેન માડમ પણ શ્રી બાલા હનુમાનના આશીર્વાદ પ્રાપ્ત કરવા મંદિર પહોંચ્યા હતાં તેમણે અહીં મહિલા ભક્તો સાથે રામધૂન પર ભક્તિરાસ રમીને પોતાની શ્રદ્ધા અભિવ્યક્ત કરી હતી.આ ઉપરાંત હનુમાન બનેલા બટુક (બાળક) સાથે રામધૂન પણ બોલાવી હતી. આ તકે ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, કોર્પોરેટર મનિષભાઇ કનખરા સહિતના આગેવાનો પણ જોડાયા હતાં.
જો
વધુ વાંચો »
Apr 14, 2025
કેટલાક રાજ્યપાલોએ અટકાવી રાખેલા બિલોની પોલ ખુલી
નવી દિલ્હી તા. ૧૪: યોગાનુયોગ ડો. બાબા સાહેબ આંબેડકર જયંતીના સમયગાળામાં જ સુપ્રિમ કોર્ટ રાજ્યોના ગવર્નરોને બંધારણના પાઠ શિખવી રહી છે. તામિલનાડુના કેસમાં રાજ્યપાલ તથા રાષ્ટ્રપતિ ભવન માટે વિધાનસભાના પસાર કરેલા બિલો અટકાવી અથવા લટકાવી રાખવા પર અંકુશ મૂકતા ત્રણ મહિનાની મુદ્ત નક્કી કર્યા પછી સુપ્રિમ કોર્ટની રાષ્ટ્રપતિને આદેશ આપવાની સત્તા અંગે અલગથી ચર્ચા ભલે શરૂ થઈ ગઈ હોય, પરંતુ સર્વોચ્ચ અદાલતે તામિલનાડુના રાજ્યપાલને લઈને જે કડક શબ્દપ્રયોગો કર્યા છે, અને પરોક્ષ રીતે ...
વધુ વાંચો »
Apr 14, 2025
આજે બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબની ૧૩૪મી જયંતીની ભવ્ય ઉજવણીઃ લાલબંગલા પાસે યોજાયો કાર્યક્રમ
જામનગરના લાલ બંગલા વિસ્તારમાં આવેલી તેમની પ્રતિમાને આજે પુષ્પાંજલી અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જામનગરના શહેર તથા જિલ્લા ભાજપના આગેવાનોમાં મેયર વિનોદ ખીમસૂર્યા, ધારાસભ્ય દિવ્યેશ અકબરી અને રિવાબા જાડેજા, ડે.મેયર કિષ્નાબેન સોઢા, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન નિલેષ કગથરા, શાસક પક્ષના નેતા આશિષ જોષી, દંડક કેતન નાંખવા, શહેર ભાજપના અધ્યક્ષા બીનાબેન કોઠારી, જિલ્લા ભાજપના પ્રમુખ ડો. વિનોદ ભંડેરી, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ મુંગરા, મહામંત્રી પ્રકાશ બાંભણીયા અને ...
વધુ વાંચો »
Apr 14, 2025
ચક્કર આવતા ફસડાઈ પડેલા મહિલા પર કાળનો પંજોઃ બે બાઈક ટકરાતા મહિલાનું મૃત્યુઃ
જામનગર તા.૧૪ : જામનગરના ઠેબા બાયપાસ પાસે પુત્રના સ્કૂટર પરથી લપસી પડેલા પ્રૌઢાનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યું છે. ફલ્લા પાસે એક બાઈક પાછળ બીજું બાઈક ટકરાઈ પડતા પરપ્રાંતીય શ્રમિકના પત્ની મોતને શરણ થયા છે. પતિ સાથે બાઈક પર જતાં મહિલા ચક્કર આવતા ...
વધુ વાંચો »
Apr 14, 2025
અમદાવાદના શખ્સ પાસેથી ગાંજો લીધાની કબૂલાતઃ
જામનગર તા.૧૪ : જામનગરના ગુલાબનગર નજીક આવેલા સાંઢીયા પુલ નીચે સબ સ્ટેશન પાસેથી શનિવારે સાંંજે પોલીસે એક શખ્સને ૧૭૫૦ ગ્રામ ગાંજા સાથે પકડી પાડ્યો છે. તેણે આ જથ્થો અમદાવાદના શખ્સ પાસેથી લીધો હોવાની કબૂલાત આપી છે. બંને સામે નાર્કોટીક્સ એક્ટ હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે.
જામનગરના ગુલાબનગર વિસ્તારમાં આવેલા સાંઢીયા ૫ુલ નીચેથી શનિવારે સાંજે પસાર થતા એક શખ્સ પાસે ગાંજાનો જથ્થો હોવાની બાતમી મળતા સીટી બી ડિવિઝનના પીઆઈ પી.પી. ઝાની સૂચનાથી પીએસઆઈ ડી.જી. રાજ તથા સ્ટાફે ...
વધુ વાંચો »
Apr 14, 2025
જામનગર તા.૧૪ : જામનગરના ગોકુલનગર સ્થિત સરદાર પાર્ક-૧માં વસવાટ કરતા તેજુસ્વામી બજરંગલાલ નામના આસામીને ગયા જુલાઈ મહિનામાં દક્ષિણ દિલ્હીના આંબેડકરનગરમાં રહેતા પવનકુમાર રાકેશપ્રકાશ મથુરીયા નામના શખ્સનો ભેટો થયો હતો.
આ શખ્સે શેરબજારમાં પોતાને સારી એવી જાણકારી હોવાનું કહી તેજુસ્વામીને વાતોમાં લપેટ્યા હતા અને રૂ.૧ લાખનું રોકાણ કરવાથી ડબલથી વધુ નફો થઈ શકે છે તેમ જણાવ્યું હતું.
લાલચમાં આવી ગયેલા તેજુસ્વામીએ પોતાના મામાના દીકરા શોભીતના બેંક એકાઉન્ટમાં રૂ.૧ લાખ નખાવી આપ્યા હતા. આ રકમ ઓક્ટોબર મહિનામાં નફા સાથે પરત લેવાની થતી હતી. તે ...
વધુ વાંચો »
Apr 14, 2025
પોલીસે તપાસ શરૂ કરીઃ
જામનગર તા.૧૪ : જામનગરની ગ્રીન સિટી પાસેથી ગઈકાલે એક અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે.
જામનગરના રણજીત સાગર રોડ પર આવેલી ગ્રીન સિટી પાસેથી ગઈકાલે એક અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે.
તેની પોલીસને જાણ કરવામાં આવતા સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ ધસી ગયો હતો. પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડી મૃતકની ઓળખ મેળવવા અને મૃત્યુનું કારણ જાણવા તપાસ આદરી છે.
વધુ વાંચો »
Apr 14, 2025
ખંભાળીયા તા. ૧૪: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મુખ્ય મથક જામખંભાળીયાના ચારરસ્તા ચોક સ્થિત રેસ્ટોરન્ટમાં ગઈકાલે આગ લાગી હતી. બનાવની જાણ થતા જ ફાયરબ્રીગેડ શાખાનો સ્ટાફ દોડી ગયો હતો અને પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી.
ખંભાળીયાના મિલન રેસ્ટોરન્ટમાં ગઈકાલે રાત્રે અકસ્માતે આગ લાગી હતી. આ સમયે લોકોના ટોળા એકત્ર થયા હતાં. બનાવ અંગેની જાણ થતા જ ફાયરબ્રીગેડનો સ્ટાફ પાણીના ટેન્કર સાથે આવી પહોંચ્યો હતો અને સતત પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. સદ્નસીબે ...
વધુ વાંચો »
Apr 14, 2025
સિક્કા પાટીયે પરપ્રાંતીય યુવાનનો ગળાફાંસોઃ
જામનગર તા.૧૪ : જામનગરના સિક્કા પાટીયા પાસે એક ઓરડીમાં વસવાટ કરતા પશ્ચિમ બંગાળના એક યુવાને ગઈકાલે અકળ કારણથી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. જ્યારે ખંભાળિયાના દાતા ગામના એક પ્રૌઢાએ કોરાના કાળમાં પતિના થયેલા નિધન પછી માનસિક આઘાત લાગી આવતા ગઈકાલે કૂવામાં ઝંપલાવી આપઘાત કર્યાે છે.
વધુ વાંચો »
Apr 14, 2025
જામનગરની ૫ટેલકોલોની શેરી નં.૧૧માં રહેતા મોઉનસ અરૂણભાઈ જોષી નામના આસામી શનિવારે બપોરે પોતાના ઘર પાસે મોટરમાંથી ઉતર્યા ત્યારે તેમનો રૂપિયા દોઢેક લાખનો આઈફોન રસ્તા પર પડી ગયો હતો. તેઓએ પોલીસનો સંપર્ક કરી મદદ માંગતા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના પીએસઆઈ પી.પી. જાડેજાના વડપણ હેઠળની ટીમે સીસીટીવીના ફૂટેજને ચકાસ્યા પછી તેના આધારે મોબાઈલ શોધી આપ્યો છે.
જો આપને આ પોસ્ટ
વધુ વાંચો »
Apr 14, 2025
બે મોબાઈલ, રોકડ ઝબ્બે લેવામાં આવ્યાઃ
...
વધુ વાંચો »
Apr 14, 2025
સાયબર ક્રાઈમ પોલીસે શોધી કાઢ્યાઃ
જામનગર તા.૧૪ : જામનગરના બે શખ્સે તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો બનાવીને મૂક્યો હતો. જેમાં આ શખ્સો હાથમાં તલવાર તથા એરગન સાથે જોવા મળ્યા હતા. બંને સામે શરૂ થયેલી તપાસમાં સાયબર ક્રાઈમ પોલીસે બંનેને શોધી કાઢી ગુન્હો નોંધ્યો છે.
જામનગરના બે શખ્સે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ કર્યો હતો. જેમાં આ શખ્સો હાથમાં તલવાર અને એરગન રાખીને નીકળતા હોય તેવું દ્રશ્ય જોવા મળ્યું હતું.
આ પ્રકારના વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કરી સીન જમાવતા ...
વધુ વાંચો »
Apr 14, 2025
ઝૂંપડાઓમાંથી દેશી દારૂ, આથો કબજે કરાયાઃ
જામનગર તા.૧૪ : જામનગરના ગુરૂદ્વારા સર્કલ પાસે નવા બનતા પુલ નીચેથી એલસીબીએ એક શખ્સને રૂ.૧૮ હજારની ઈંગ્લીશ દારૂની ચાર બોટલ સાથે પકડી પાડ્યો છે. જ્યારે જાગૃતિનગર તથા જોગવડમાં ઝૂંપડાઓમાંથી દેશી દારૂ, આથો વગેરે કબજે કરવામાં આવ્યા છે.
જામનગરના ગુરૂદ્વારા સર્કલ પાસેથી શનિવારે રાત્રે પસાર થતાં એક શખ્સ પાસે ઇંગ્લીશ દારૂની બોટલ હોવાની બાતમી એલસીબીને મળતા એલસીબીના સ્ટાફે વોચ રાખી હતી.
તે દરમિયાન સરૂ સેક્શન રોડ પર રહેતો હર્ષ મનોજભાઈ ખેતવાણી નામનો શખ્સ પસાર થતા તેને રોકાવી એલસીબીએ ...
વધુ વાંચો »
Apr 14, 2025
૧૪૦૦ લીટર આથો, સાધનો મળી આવ્યાઃ
ખંભાળિયા તા.૧૪ : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બરડા ડુંગરના જંગલ વિસ્તાર જવા માટે રસ્તાના હોય તથા જંગલ અને ઝાડીવાળા વિસ્તારમાં કોઈનું ધ્યાન ન પડતું હોય. દેશી દારૂના ધંધાર્થીઓ દ્વારા મોટાપાયે બેરલો ભરીને દેશી દારૂ બનાવી વિતરણ થતું હોય.
દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય તથા ડીવાયએસપી ડો. હાર્દિક પ્રજાપતિ દ્વારા દેશી દારૂના દૂષણને ડામવા કડક પગલાં સાથે ચેકીંગ દરોડા પાડી હજારેક લીટર આથાનો નાશ કરી ભઠ્ઠીના સાધનોનો નાશ કરવામાં આવ્યો હતો.
વર્ષાેથી ત્યાં અડીંગો જમાવી દેશી દારૂનો ધંધો ...
વધુ વાંચો »
Apr 14, 2025
મેળામાં ભાગ લેવા ગયેલા બે યુવાનમાંથી એકનો બચાવઃ
જામનગર નજીકના લોઠીયા ગામમાં ગઈકાલે યોજાયેલા મેળામાં ભાગ લેવા માટે જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં ખડખડનગરમાં રહેતા મહેશભાઈ કરશનભાઈ ડાભી (ઉ.વ.૩૦) તથા તેના મિત્રો ગયા હતા. જ્યાં તેઓ નદીમાં ન્હાવા માટે ઉતર્યા પછી મહેશભાઈ નદીમાં ગરકાવ થયા હતા. તેની સાથે રહેલો એક યુવાન બહાર નીકળવામાં સફળ થયો હતો. ફાયરબ્રિગેડને જાણ કરાતા દોડી આવેલી ટીમે મહેશભાઈને બહાર કાઢયા હતા ત્યારે તેઓ મૃત્યુ પામેલા જણાઈ આવતા પોલીસે રમેશભાઈ કરશનભાઈ ડાભીનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી કરી ...
વધુ વાંચો »
Apr 14, 2025
જામનગર તા.૧૪ : જામનગરના રામપર ગામની સીમમાંથી એક ખેડૂતનું બાઈક ચોરાઈ ગયું છે. જામનગર તાલુકાના રામપર ગામના કાંતિભાઈ કરમશીભાઈ નંદાસણા નામના આસામીએ ગઈ તા.૧૭ની રાત્રે પોતાના ખેતરના શેઢા પાસે જીજે-૩-૫૩૭૯ નંબરનું મોટરસાયકલ રાખ્યું હતું.
ત્યાંથી સવાર સુધીમાં રૂ.૧૫ હજારનું આ વાહન ચોરાઈ ગયું છે. પંચકોશી એ ડિવિઝનમાં તેની ફરિયાદ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ
વધુ વાંચો »
Apr 14, 2025
જામનગર તા.૧૪ : જામનગરના સાતરસ્તા પાસે આવેલા પ્રદર્શન મેદાનમાંથી એક યુવતીનો રૂ.સાડા પંદર હજારની કિંમતનો મોબાઈલ ચોરાઈ ગયો છે. જામનગરના રામેશ્વર નગર વિસ્તાર પાસે આવેલા પાંચ બંગલા નજીક વસવાટ કરતા શિવાનીબેન સતિષભાઈ બરજોડ નામના મૂળ મહીસાગર જિલ્લાના મહિલા શુક્રવારે સવારે અગિયારેક વાગ્યે સાત રસ્તા પાસે આવેલા પ્રદર્શન મેદાન નજીક નવા બનેલા એસટી બસ સ્ટેન્ડ પાસે હતા. ત્યારે આ મહિલાના પર્સમાંથી કોઈ શખ્સે રૂ. ૧૫ હજારથી વધુની કિંમતનો વીવો કંપનીનો વાય-૨૮ મોડલનો ફોન સેરવી ગયો હતો. જેની ...
વધુ વાંચો »
Apr 14, 2025
પ્રતિવાદી પક્ષ દ્વારા કરવામાં આવેલી દલીલો ગ્રાહ્યઃ
જામનગર તા.૧૪ : કાલાવડમાં આવેલા એક કિંમતી પ્લોટ માટે ડેક્લેરેશન તથા કાયમી મનાઈહુકમ મેળવવા માટે અદાલતમાં કરાયેલો દાવો અદાલતે પ્રતિવાદી પક્ષની દલીલો ગ્રાહ્ય રાખી રદ્દ કર્યાે છે.
જામનગર-કાલાવડ શહેર ના જામનગર રોડ પર ...
વધુ વાંચો »
Apr 14, 2025
જામ્યુકોના અંધેર વહીવટનો તાદૃશ્ય નમૂનોઃ
જામનગર તા.૧૪ : જામનગરના એક રસ્તા પર ડામર પાથવર માટે સત્યાવીસ વર્ષ પહેલાં અપાયેલા કોન્ટ્રાક્ટરે જે તે વખતે બનાવટી બેંક ગેરેંટી રજૂ કરી હોવાનો ગુન્હો નોંધાયો હતો. તે કેસમાં અદાલતે આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે. આ કેસે જામનગર મહાનગરપાલિકામાં ચાલતા અંધેર વહીવટ પર પ્રકાશ ફંંેક્યો છે અને પ્રજાના પરસેવાના નાણા કેવી રીતે વેડફાય છે તેનો પુરાવો પૂરો પાડ્યો છે.
જામનગરના ઈન્દિરા માર્ગ, સાતરસ્તા સર્કલથી ખંભાળિયા જકાતનાકા સુધીના રોડ પર ડામર પાથરવા માટે વર્ષ ૧૯૯૭-૯૮માં જામ્યુકો દ્વારા એ.ટી. ઓડેદરા ...
વધુ વાંચો »
Apr 14, 2025
કલ્યાણપુરમાં ભારત રત્ન ડો. આંબેડકર જયંતી નિમિત્તે તેની પૂર્વ સંધ્યાએ ડો. આંબેડકરની પ્રતિમા પાસે દિપોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો. ઉપરાંત સફાઈ અભિયાન કરવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો
વધુ વાંચો »
Apr 14, 2025
વિશ્વ જળ દિવસઃ જળસંગ્રહ-જળાશપથ અંગે ચર્ચાઃ
વિદ્યાસાગર ઈન્ફોટેક કોલેજ, જામનગરમાં તાજેતરમાં નવાનગર નેચર ક્લબ તથા વિદ્યાસાગર કોલેજના સંયુક્ત ઉપક્રમે વિશ્વ જળ દિવસ નિમિત્તે જળ સંચય અને સંગ્રહ અંગેના સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં વિજયસિંહ જાડેજા (પ્રમુખ નવાનગર નેચર ક્લબ), શરદભાઈ શેઠ (જળસંચયના પ્રણેતા), ડો. હેમાંગ પારેખ (મોટીવેશનલ સ્પીકર) તથા કોલેજ પ્રિન્સિપાલ શ્રીરામ કેવલરામાણી દ્વારા જળસંગ્રહ, જળ બચત, જળ શપથ તેમજ ભવિષ્યમાં આવનારી સમસ્યા તથા તે અંગે સમાધાન કઈ રીતે લાવી શકાય તે અંગે ગ્રુપ ચર્ચા દ્વારા ખૂબ જ ...
વધુ વાંચો »
Apr 14, 2025
ભાણવડના શિવ બળદ આશ્રમના બળદોને એનિમલ લવર્સ ગ્રુપના અશોકભાઈ ભટ્ટ, મેરામણભાઈ, વિજયભાઈ ખૂંટી, ધવલભાઈ સોનગરા, વિજય જોડ, અક્ષય સૂચક, દતભાઈ દેસાઈ વિગેરેના હસ્તે ૩૦૦૦ કિલો જેટલા તરબૂચ ખવડાવવામાં આવ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર
વધુ વાંચો »
Apr 14, 2025
જામનગરમાં કેબીનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને
જામનગર તા. ૧૪: કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને સરકારી અધ્યયન મંદિર ધ્રોલ તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જામનગરના પૂર્વ તાલીમાર્થીઓનો સ્નેહ મિલન સમારોહ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જામનગરમાં યોજાયો હતો. આ પ્રસંગે સરકારી અધ્યાપન વિદ્યા મંદિર, ધ્રોલ ૧૯૬૦-૧૯૯૫ અને ...
વધુ વાંચો »
Apr 14, 2025
ચૈત્રી પૂર્ણિમાના પાવન દિને
ચૈત્ર માસ ધાર્મિક કાર્યો માટે ઉપરાંત દાન-પુણ્ય માટે પાવનકારી ગણાય છે. ચૈત્ર માસની શરૂઆતમાં નવરાત્રિ પર્વ ઉપરાંત ભગવાન રામ તથા હનુમાનજીનું પ્રાગટય થયેલું હોય દેવી-દેવતાની આરાધના-ઉપાસના માટે આ માસ મહત્ત્વપૂર્ણ ગણાય છે.
ચૈત્રી પૂનમના દર મહિને પૂનમ ભરવા આવતા દ્વારકાધીશના ભકતોએ પુણ્ય સલીલા ગોમતી નદીમાં સ્નાન કરી કાળિયા ઠાકોરને શિશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી. પૂનમના અવસરે દ્વારકાધીશના જગતમંદિરમાં વહેલી સવારે મંગલા આરતીમાં ભાવિકોની ભારે ભીડ જોવા મળી હતી.
ભાવિકોએ છપ્પન સીડીએ સ્વર્ગ દ્વારેથી જગતમંદિર પ્રવેશી કાળિયા ઠાકોરજીના દર્શન કરી ...
વધુ વાંચો »
Apr 14, 2025
શબ્દ કીર્તન, પાઠ સાહેબ તથા ગુરુ કા લંગર સહિતના કાર્યક્રમો યોજાયાઃ
જામનગરમાં ગુરૂદ્વારામાં ગુરૂ સિંઘ સભા દ્વારા વૈશાખી પર્વની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી. ૧૩ એપ્રિલનાં દિને ખાલસા પંથની સ્થાપના થઇ હતી. તેમજ આ જ દિનથી પંજાબમાં ખેડૂતો ઘઉંનો પાક લણવાનો શુભારંભ કરે છે. ગુરૂદ્વારામાં પંજાબથી પધારેલ ભૂપેન્દ્રસિંઘજી દ્વારા કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરમાં વસતા શિખ સમુદાયના તમામ લોકોએ ગુરૂગ્રંથ સાહેબને શીશ ઝૂકાવીને વિશ્વ કલ્યાણની પ્રાર્થના કરી હતી. શબ્દ કીર્તન,પાઠ સાહેબ તથા ગુરૂ કા લંગર (મહાપ્રસાદ) સહિતના કાર્યક્રમો પણ ...
વધુ વાંચો »
Apr 14, 2025
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં
જામનગર તા. ૧૪: જામનગર મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની શાળામાં હનુમાન જ્યંતીની રજાના દિવસે બાળકોને બોલાવી તેમની પાસે બટુક ભોજનના નામે સફાઈ કામગીરીની મજુરી કરાવાઈ હતી. હવે શાળાના આચાર્યનો ખૂલાસો માંગવામાં આવશે. તેમ શાસનાધિકારી જણાવી રહ્યાં છે. શહરેના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નં. ૬૦ માં ગત્ શનિવારે હનુમાન જ્યંતીની રજા હતી. આમ છતાં શાળાના આચાર્યએ બટુક ભોજન માટે શાળાના બાળકોને બોલાવ્યા હતાં.
આ પછી શાળામાં બાળકો પાસે સાફ-સફાઈ કરાવવામાં આવી હતી. ...
વધુ વાંચો »
Apr 14, 2025
જામનગર તા. ૧૪: જામનગરમાં ગઈકાલની સરખામણીએ આજે તાપમાનનો પારો બે ડીગ્રી નીચે તરફ સરકતા ગરમીમાં રાહત અનુભવાઈ હતી. આજે મહત્તમ તાપમાન ૩૪.૬ ડીગ્રી નોંધાયું છે.
જામનગરમાં તાપમાનનો પારો ઉપર-નીચે તરફ અપડાઉન કરી રહ્યો છે. આજે સવારે નોંધાયેલ છેલ્લા ર૪ કલાકમાં તાપમાનમાં મહત્તમ તાપમાન ૩૪.૬ ડીગ્રી સાથે ન્યુનત્તમ તાપમાન ર૪ ડીગ્રી નોંધાયું હતું, જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ મહત્તમ ૮ર ટકા રહ્યું હતું. તેમજ પવનની ઝડપ પ્રતિકલાકમાં ૧પ કિ.મી.ની નોંધાઈ હતી.
અત્રે ઉલ્લેખનિય છે કે, ગઈકાલે મહત્તમ તાપમાન ૩૬.૮ ડીગ્રી નોંધાયું હતું. એટલે કે ...
વધુ વાંચો »
Apr 14, 2025
નેપાળી હનુમાન મંદિરને બાલા હનુમાન નામ અપાયું:
જામનગર તા. ૧૪: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બેટદ્વારકાના બાલાપર વિસ્તારમાં થોડા સમય પહેલા કરવામાં આવેલ ડિમોલીશન કામગીરી દરમિયાન એક હનુમાન મંદિર ખંઢેર હાલતમાં જોવા મળ્યું હતું.
તાજેતરમાં પોલીસ વિભાગે મંદિરનો જીર્ણોદ્ધાર કરીને હનુમાન જયંતીના પવિત્ર દિવસે ફરી દર્શનાર્થ ખુલ્લુ મૂકાયો હતું.
બેટદ્વારકામાં ડિમોલીશન કામગીરી દરમિયાન નજરે ચઢેલ હનુમાનજીનું મંદિર આશરે ૧રપ વર્ષ પહેલાનું છે, અને નેપાળી જ્ઞાતિનું છે. જે નેપાળી હનુમાનજી ...
વધુ વાંચો »
Apr 14, 2025
મંદિર સાથે શંકરાચાર્ય આશ્રમ તેમજ કોલેજ, રમતગમતના મેદાનનું પણ આયોજન
જામનગર તા. ૧૪: જામનગર-લાલપુર રોડ પર દરેડમાં શારદાપીઠ (દ્વારકા) સંચાલિત બ્રહ્મ એજ્યુકેશન એન્ડ સોશિયલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ તેમજ તક્ષશિલા પરશુરામ ધામ દ્વારા ભગવાન પરશુરામજીના ભવ્ય મંદિરનું નિર્માણ થનાર છે. આ મંદિરના નિર્માણ કાર્ય અંગે જાણકારી આપવા યોજાયેલ પત્રકાર પરિષદમાં સંસ્થા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
સંસ્થાના ગુણવંતભાઈ ભટ્ટના જણાવ્યા પ્રમાણે દરેડના તક્ષશિલા સંકુલમાં છ હજાર ચોરસ ફૂટની વિશાળ જગ્યામાં ૬પ ફૂટ ઊંચુ ભગવાન પરશુરામજીનું મંદિર બનાવવામાં આવશે. જેમાં મંદિરના ગર્ભ ગૃહમાં ભગવાન પરશુરામ પ્રતિમા ...
વધુ વાંચો »
Apr 14, 2025
આંતરિક ચાર માર્ગોને પરસ્પર જોડવા
ખંભાળિયા તા. ૧૪: તાજેતરમાં સરકારની ગ્રાન્ટમાંથી અઢી વર્ષમાં બે તબકકે ખંભાળિયા પાલિકા દ્વારા શહેરના નઝરાણા જેવો તેલી નદી વિજય સિનેમા પાસેથી સુખનાથ મહાદેવ સુધી ૨૮૦ મીટર રોડ તથા ફુટપાથ સાથે વીસેક હજાર ફુટની લાખોની જમીનોના દબાણો હટાવીને બનાવવામાં આવેલો તે પછી પાલિકા દ્વારા પોરબંદર હાઈવે પાસેથી મિલન હોટલ, જી.ઈ.બી. કચેરી, સલાયા ગેઈટ રોડને જોડતા રસ્તા સહિતના ચાર સ્થળેથી રૂ. ૩૦ લાખના ખર્ચે પોરબંદર રોડ પરની ગલીઓમાં થઈને આ નવા બનેલા ૧.૬૭ કરોડના તેલી નદી વિજય સિનેમાથી ...
વધુ વાંચો »
Apr 14, 2025
ગોરીયા આહિર પરિવાર દ્વારા આયોજનઃ
ખંભાળિયા તા. ૧૪: દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રણજીતપુર ગામે આવેલા શ્રી અંકલેશ્વર મહાદેવ મંદિરની જગ્યામાં ગોરીયા આહિર પરિવાર દ્વારા ૧૯-૪-૨૫થી તા. ૨૭-૪-૨૫ સુધી શિવ મહાપુરાણ જ્ઞાન કથાનું આયોજન થયું છે.
સ્વ. રામસીભાઈ મારખીભાઈ ગોરીયા તથા સ્વ. મલુબેન રામસીભાઈ ગોરીયા તથા સમસ્ત પિતૃઓના મોક્ષાર્થે યોજાનાર આ શિવ મહાપુરાણ કથા જ્ઞાનયજ્ઞનો કથાના વ્યાસપીઠ પર લાંબાવાળા ધવલભાઈ જે. અત્રી બિરાજશે. તા. ૧૯-૪ના દેહ શુદ્ધિ પ્રાયશ્ચિત તથા શિવપૂજા અને પોથીયાત્રા યોજાશે તથા શિવ મહાત્મ્ય કથાથી કથાની શરૂઆત થશે. ૨૦-૪ ના ...
વધુ વાંચો »
Apr 14, 2025
ખંભાળિયા તા. ૧૪: ઓખામાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આયોજિત શ્રીમદ્દ ભાગવત સપ્તાહની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. આ સામૂહિક સપ્તાહ દરમ્યાન મોટી સંખ્યામાં ભાવિકોએ કથા શ્રવણનો લાભ લીધો હતો. પૂર્ણાહુતિના દિવસે દશાંશ હવન યોજાયો હતો. કથા દરમ્યાન વિવિધ ધાર્મિક પ્રસંગો ધામધૂમથી યોજાયા હતા. વ્યાસાસને બિરાજમાન કથાકાર ગૌરાંગભાઈ જોશીનું અનેક અગ્રણીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ
વધુ વાંચો »
Apr 14, 2025
સલાયા શહેરના ભાજપ સંગઠનમાં નવનિયુક્ત હોદ્દેદારોની બેઠક યોજાઈ હતી. પ્રભારી પરેશભાઈ કાનાણી, પ્રમુખ લાલજીભાઈ ભૂવાએ આગામી કાર્યક્રમો અંગે માર્ગદર્શન આપ્યું હતું. દરેક નવનિયુક્ત હોદ્દેદારોનું સન્માન કરવામાં આવ્યું હતું. યુવા ભાજપ પ્રમુખ વિશાલ લાલ તથા અગ્રણીઓ હાજર રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય
વધુ વાંચો »
Apr 14, 2025
ડિસ્ટ્રીકટ ચેસ એસો.ના દ્વારા ઓશવાળ ઈંગ્લીશ એકેડેમીના સંયુકત ઉપક્રમે પૃથ્વીરાજ લેઉવાની સ્મૃતિમાં ચેસ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં અંડર ૨૫માં ઉદિન સંઘવી, યાંશ ગુપ્તા, બહેનોમાં દિવ્યા પોરવાલ, એન્જલ લીંબાસીયા, અંડર-૧૯માં કુશ દાવડા, અંડર-૧૧માં કવીસ ખન્ના, અંડર-૯માં હિઆન કપાસી વિજેતા થયા હતાં. એકેડેમીના આચાર્ય મનિષભાઈ ચંદરીયા, ઉપસ્થિત રહ્યા હતાં. દિવ્યેશભાઈ કપુરીયાએ માર્ગદર્શન આપ્યું હતું. આર્બીટર તરીકે પંકજભાઈ ગણાત્રાએ સેવા આપી હતી. એસો.ના પ્રમુખ રવિરાજસિંહ જાડેજાએ આભાર દર્શન કર્યું હતું.
જો આપને
વધુ વાંચો »
Apr 14, 2025
શ્રી આદેશ હનુમાનજી મંદિરના મહંત
શ્રી આદેશ હનુમાનજી મંદિર-ગોકુલનગર-જામનગરના યોગી શ્રી જમનાનાથજી આજે સવારે ૬-૩૦ વાગ્યે કૈલાસલોક પામ્યા છે. બપોર પછી સદ્ગતની પાલખીયાત્રા સંપન્ન થયા પછી સાંજે પાંચ વાગ્યે શ્રી આદેશ હનુમાનજી મંદિરે સમાધિપૂજા રાખવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો
વધુ વાંચો »
Apr 14, 2025
ભાણવડ તાલુકાના મોડપર (ગઢવાળુ) ગામે
જામનગર તા. ૧૪: શ્રી રામદેવજી મહારાજ સવરા મંડપ મહોત્સવ તા. ૧૪/૪ થી ૧૯/૪ સુધી મુ. મોડપર (ગઢવાળુ)માં યોજવામાં આવ્યો છે. જેમાં તા. ૧૪ ને સોમવારે સવારે શુભ ચોઘડિયે ભૂમિપૂજન-કુંભ સ્થાપના, બપોરે ૩ વાગ્યે સંતોના સામૈયા, સાંજે જ્યોત પ્રાગટ્ય, તા. ૧પ ના રાત્રે ૯ વાગ્યે જય અલખધણી જામ-આંબરડીનું પ્રખ્યાત રામમંડળનું આયોજન, તા. ૧૮ ને શુક્રવારે સવારે ૮-૧પ વાગ્યે મંડપ ખડો થશે. તા. ૧૯ ને શનિવારે સવારે મંડપનું વિસર્જન થશે.
તા. ૧૭/૪ ને ગુરુવારે રાત્રે ૯ વાગ્યે આયોજીત સંતવાણીમાં ...
વધુ વાંચો »
Apr 14, 2025
દ્વારકા-સોમનાથ કોસ્ટલ હાઈ-વે પર વૃક્ષારોપણ
ખંભાળિયા તા. ૧૪: ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા વૃક્ષારોપણમાં દ્વારકાથી સોમનાથ કોસ્ટલ હાઈવેનો બન્ને તરફ વૃક્ષારોપણ કરવા આયોજન થયું હતું.
રાજ્ય સરકાર દ્વારા આ વખતે ખાનગી એજન્સીને કામ આપવા નક્કી થયું હતું. જે ૧૦૦ કરોડનું કામ હતું. રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મૂળુભાઈ બેરાના પ્રયાસોથી આ ૧૦૦ કરોડનું કામ સદ્ભાવના ટ્રસ્ટને મળ્યું, પણ આ ટ્રસ્ટ દ્વારા સામેથી દાતાની મદદથી બીજા ૧૦૦ કરોડ સરકારને ભેગા કરી દેવાયા તે પણ એડવાન્સમાં.
હવે સોમનાથ-દ્વારકા હાઈવે પર વૃક્ષારોપણ થયું તથા ત્રણ વર્ષ ...
વધુ વાંચો »
Apr 14, 2025
સ્થાનિક કાર્યકર્તાઓએ નિમણૂકને આવકારીઃ
જામનગર તા. ૧૪: જામનગર જિલ્લા ભાજપના પ્રમુખ વિનોદભાઈ ભંડેરી દ્વારા સિક્કા શહેર ભાજપના પ્રમુખ તરીકે કર્મઠ અને પાર્ટીને સમર્પિત એવા પ્રકાશભાઈ વ્યાસની વરણી કરવામાં આવી છે. તેમની આ વરણીથી સ્થાનિક કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સાથે સાથે સિક્કા શહેર ભાજપના કાર્યકરોએ આ નિર્ણયને આવકારી પ્રકાશભાઈ વ્યાસને શુભકામનાઓ ...
વધુ વાંચો »
Apr 14, 2025
ખંભાળિયામાં સતત ૩૫ વર્ષથી મારૂતિ રામધૂન મંડળ ચલાવતા સેવાભાવી સુરેશભાઈ મહંત તથા તેમના ધૂન મંડળના સેવાભાવીઓનું હનુમાન જયંતીના દિને પાલિકા કારો. ચેરમેન રેખાબેન ખેતીયા, અશોકભાઈ કાનાણી, સલાયા શહેર પ્રમુખ લાલજીભાઈ, રાણાભાઈ ગઢવી વગેરેના હસ્તે અદકેરૃં સન્માન કરવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય
વધુ વાંચો »
Apr 14, 2025
ચૈત્રી નવરાત્રિ એ નવરાત્રિ સાધનાનો ખાસ સમય હોય, માતાજીની ભક્તિ પૂજા સાથે આઠમના દિને અનેક સ્થળે ભાવિકો દ્વારા હવનઅષ્ટમીના હવન કરીને ઉજવણી થઈ હતી. ભાણવડ ઘુમલી પાસેના આશાપુરા માતાજીના મંદિરે તથા દ્વારકા, ખંભાળિયા, ભાણડ, કલ્યાણપુરમાં અનેક માતાજી મંદિરોમાં હવન અષ્ટમી ઉજવાઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય
વધુ વાંચો »
Apr 14, 2025
૧૮૫ વખત રક્તદાન કરનાર
જામનગર તા. ૧૪: જામનગરના બ્રહ્મસમાજના અગ્રણી, સેવાભાવી રક્તદાતા યોગેશભાઈ પરસોત્તમભાઈ ઠાકર (યોગી) (નિવૃત્ત જિલ્લા પંચાયત કર્મચારી), તે અમીતભાઈ ઠાકર (જી.જી. હોસ્પિટલ તથા કૃતિબેનના પિતાનું તા. ૧૩-૪-ર૦રપ અવસાન થયું છે. સદ્ગતની અંતિમયાત્રા તા. ૧પ-૪-ર૦રપ, મંગળવારના સવારે ૮ વાગ્યે તેમના નિવાસસ્થાનેથી નીકળશે.
યોગેશભાઈ ઠાકર (યોગી) બ્રહ્મસાજના અગ્રણી કાર્યકર હતાં તેમજ નાટકો, ફિલ્મમાં તેમણે વિવિધ પાત્રો ભજવ્યા હતાં. ઉપરાંત તેઓ મોટા કદના રક્તદાતા હતાં. તેમણે પોતાના જીવનમાં ૧૮પ વખત રક્તદાન કર્યુ હતું. અનેક લોકોને જીવતદાન મળે તે માટે ઉત્કૃષ્ટ કાર્ય કર્યુ ...
વધુ વાંચો »
Apr 14, 2025
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો....
બીએસઇ સેન્સેક્સ : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૩૮૪૭ સામે ૭૪૮૩૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૪૭૬૨ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો... સરેરાશ ૭૦૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૩૧૦ પોઈન્ટના ઉછાળા સાથે ૭૫૧૫૭ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૨૪૭૯ સામે ૨૨૭૪૬ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૨૭૪૬ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો... સરેરાશ ૨૭૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૪૩૮ પોઈન્ટના ઉછાળા સાથે ૨૨૯૧૭ ...
વધુ વાંચો »
Apr 14, 2025
બે મોબાઈલ, રોકડ ઝબ્બે લેવામાં આવ્યાઃ
...
વધુ વાંચો »
Apr 14, 2025
ખંભાળીયા તા. ૧૪: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મુખ્ય મથક જામખંભાળીયાના ચારરસ્તા ચોક સ્થિત રેસ્ટોરન્ટમાં ગઈકાલે આગ લાગી હતી. બનાવની જાણ થતા જ ફાયરબ્રીગેડ શાખાનો સ્ટાફ દોડી ગયો હતો અને પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી.
ખંભાળીયાના મિલન રેસ્ટોરન્ટમાં ગઈકાલે રાત્રે અકસ્માતે આગ લાગી હતી. આ સમયે લોકોના ટોળા એકત્ર થયા હતાં. બનાવ અંગેની જાણ થતા જ ફાયરબ્રીગેડનો સ્ટાફ પાણીના ટેન્કર સાથે આવી પહોંચ્યો હતો અને સતત પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. સદ્નસીબે કોઈ મોટી દુર્ઘટના બની ન હતી. પરંતુ રેસ્ટોરનટના મુખ્ય દરવાજા પાસેની આગનું કારણ જાહેર થયું નથી.
જો
વધુ વાંચો »
Apr 14, 2025
શનિવારે મધરાત્રે બોટનો પીછો કરાયોઃ દરિયામાં ડ્રગ્સ ફેંકી બોટ પાકિસ્તાનમાં ઘૂસીઃ
જામનગર તા.૧૪ : ગુજરાત એટીએસને ૩૦૦ કિલો ડ્રગ્સ સાથે પાકિસ્તાનથી એક બોટ આવી રહી છે તેવી બાતમી મળતા શનિવારથી કોસ્ટગાર્ડની ટીમને સાથે રાખી શરૂ કરાયેલા પેટ્રોલિંગમાં દક્ષિણ ગુજરાત અને ઉત્તર મહારાષ્ટ્રના દરિયામાં એક બોટની શંકાસ્પદ હિલચાલ ઝડપાઈ હતી. તે બોટના શરૂ કરાયેલા પીછા પછી તે બોટમાંથી ૩૦૦ કિલો ડ્રગ્સ દરિયામાં ફેકી દેવાયું હતું. આ બોટ પાકિસ્તાનની જળસીમામાં ઘૂસી ત્યાં સુધી કોસ્ટગાર્ડ અને એટીએસે તેનો પીછો કર્યાે હતો.
ગુજરાત રાજ્યમાં ડ્રગ્સની ફેરાફેરી ડામવા માટે કાર્યરત એટીએસની ટીમને દરિયામાં ડ્રગ્સ ભરેલી એક બોટ આવી રહી છે તેવી બાતમી મળતા ભારતીય કોસ્ટગાર્ડને તેની વિગતો ...
વધુ વાંચો »
Apr 14, 2025
જામનગર તા.૧૪ : જામનગરના ગોકુલનગર સ્થિત સરદાર પાર્ક-૧માં વસવાટ કરતા તેજુસ્વામી બજરંગલાલ નામના આસામીને ગયા જુલાઈ મહિનામાં દક્ષિણ દિલ્હીના આંબેડકરનગરમાં રહેતા પવનકુમાર રાકેશપ્રકાશ મથુરીયા નામના શખ્સનો ભેટો થયો હતો.
આ શખ્સે શેરબજારમાં પોતાને સારી એવી જાણકારી હોવાનું કહી તેજુસ્વામીને વાતોમાં લપેટ્યા હતા અને રૂ.૧ લાખનું રોકાણ કરવાથી ડબલથી વધુ નફો થઈ શકે છે તેમ જણાવ્યું હતું.
લાલચમાં આવી ગયેલા તેજુસ્વામીએ પોતાના મામાના દીકરા શોભીતના બેંક એકાઉન્ટમાં રૂ.૧ લાખ નખાવી આપ્યા હતા. આ રકમ ઓક્ટોબર મહિનામાં નફા સાથે પરત લેવાની થતી હતી. તે રકમ માટે જામજોધપુર તાલુકાના જામ આંબરડી ગામમાં આવેલી તેજુસ્વામીની ખાણ પર આવેલા પવનકુમારે વાત કરવા માટે તેજુસ્વામીનો કિંમતી મોબાઈલ પણ ...
વધુ વાંચો »
Apr 14, 2025
ઝૂંપડાઓમાંથી દેશી દારૂ, આથો કબજે કરાયાઃ
જામનગર તા.૧૪ : જામનગરના ગુરૂદ્વારા સર્કલ પાસે નવા બનતા પુલ નીચેથી એલસીબીએ એક શખ્સને રૂ.૧૮ હજારની ઈંગ્લીશ દારૂની ચાર બોટલ સાથે પકડી પાડ્યો છે. જ્યારે જાગૃતિનગર તથા જોગવડમાં ઝૂંપડાઓમાંથી દેશી દારૂ, આથો વગેરે કબજે કરવામાં આવ્યા છે.
જામનગરના ગુરૂદ્વારા સર્કલ પાસેથી શનિવારે રાત્રે પસાર થતાં એક શખ્સ પાસે ઇંગ્લીશ દારૂની બોટલ હોવાની બાતમી એલસીબીને મળતા એલસીબીના સ્ટાફે વોચ રાખી હતી.
તે દરમિયાન સરૂ સેક્શન રોડ પર રહેતો હર્ષ મનોજભાઈ ખેતવાણી નામનો શખ્સ પસાર થતા તેને રોકાવી એલસીબીએ તલાસી લીધી હતી. આ શખ્સના કબજા માટે ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની ચાર બોટલ મળી આવી હતી. એલસીબીએ દારૂ તથા મોબાઈલ ...
વધુ વાંચો »
Apr 14, 2025
તવ્વહુર રાણા પછી હવે ચોકસીના પ્રત્યાર્પણના ચક્રો ગતિમાનઃ ભારતીય એજન્સીઓને મોટી સફળતાઃ વર્ષ-૨૦૨૧ થી ફરાર હતો
નવી દિલ્હી તા. ૧૪: આખરે પીએનબી કૌભાંડના ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોકસીની બેલ્જિયમમાં ધરપકડ થઈ છે. ભારતની પ્રત્યાર્પણ વિનંતી પર કાર્યવાહી થતા આ ધરપકડ ભારત માટે એક મોટી સફળતા છે. રૂ. ૧૩૫૦૦ કરોડના બેંક લોન કૌભાંડમાં સંડોવણીના આરોપ હેઠળ ઈન્ટર પોલની રેડ નોટિસ રદ થયા બાદ ઈડી અને સીબીઆઈએ પ્રત્યાર્પણ માટેની ઝડપી કાર્યવાહી આદરી છે.
ભારતના ઇતિહાસમાં સૌથી મોટા બેંક કૌભાંડોમાંના એક, ૧૩,૫૦૦ કરોડ રૂપિયાના પંજાબ નેશનલ બેંક (પીએનબી) લોન કૌભાંડના મુખ્ય આરોપી અને ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સીની બેલ્જિયમમાં ધરપકડ કરવામાં આવી છે. ભારતીય તપાસ ...
વધુ વાંચો »
Apr 14, 2025
સાયબર ક્રાઈમ પોલીસે શોધી કાઢ્યાઃ
જામનગર તા.૧૪ : જામનગરના બે શખ્સે તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો બનાવીને મૂક્યો હતો. જેમાં આ શખ્સો હાથમાં તલવાર તથા એરગન સાથે જોવા મળ્યા હતા. બંને સામે શરૂ થયેલી તપાસમાં સાયબર ક્રાઈમ પોલીસે બંનેને શોધી કાઢી ગુન્હો નોંધ્યો છે.
જામનગરના બે શખ્સે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ કર્યો હતો. જેમાં આ શખ્સો હાથમાં તલવાર અને એરગન રાખીને નીકળતા હોય તેવું દ્રશ્ય જોવા મળ્યું હતું.
આ પ્રકારના વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કરી સીન જમાવતા તત્વો સામે કાર્યવાહી કરવા માટે જામનગરના એસપી પ્રેમસુખ ડેલુએ આપેલી સૂચનાના પગલે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના સ્ટાફે પીઆઈ આઈ.એ. ધાસુરાના ...
વધુ વાંચો »
Apr 14, 2025
અમદાવાદના શખ્સ પાસેથી ગાંજો લીધાની કબૂલાતઃ
જામનગર તા.૧૪ : જામનગરના ગુલાબનગર નજીક આવેલા સાંઢીયા પુલ નીચે સબ સ્ટેશન પાસેથી શનિવારે સાંંજે પોલીસે એક શખ્સને ૧૭૫૦ ગ્રામ ગાંજા સાથે પકડી પાડ્યો છે. તેણે આ જથ્થો અમદાવાદના શખ્સ પાસેથી લીધો હોવાની કબૂલાત આપી છે. બંને સામે નાર્કોટીક્સ એક્ટ હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે.
જામનગરના ગુલાબનગર વિસ્તારમાં આવેલા સાંઢીયા ૫ુલ નીચેથી શનિવારે સાંજે પસાર થતા એક શખ્સ પાસે ગાંજાનો જથ્થો હોવાની બાતમી મળતા સીટી બી ડિવિઝનના પીઆઈ પી.પી. ઝાની સૂચનાથી પીએસઆઈ ડી.જી. રાજ તથા સ્ટાફે વોચ રાખી હતી.
તે દરમિયાન ગુલાબ નગરની રામવાડીની શેરી નંબર ત્રણમાં રહેતો હિરેન ગોપાલભાઈ નકુમ નામનો શખ્સ નીકળતા તેને રોકાવી પોલીસે ...
વધુ વાંચો »
Apr 14, 2025
ટ્રમ્પની હત્યા માટે નાણા નહી આપતા
વોશિંગ્ટન તા. ૧૪: ટ્રમ્પની હત્યાનો પ્લાન બનાવી રહેલા ૧૭ વર્ષના નિકિતા એ માતા-પિતાની ક્રુરતાપૂર્વક હત્યા કરી હોવાની ઘટનાએ ચકચાર જગાવી છે.
અમેરિકાથી ચોંકાવનારા સમાચાર આવ્યા છે. ફક્ત ૧૭ વર્ષના એક કિશોર પર અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની હત્યા કરવાનું કાવતરું ઘડવાનો આરોપ મુકાયો છે. નિકિતા કાસાપ નામના યુવકની યોજના ટ્રમ્પની હત્યા કરીને અમેરિકાની સરકારને ઉથલાવી પાડવાની હતી. યોજના માટે જરૂરી નાણાં મેળવવા માટે તેણે તેના માતાપિતાની હત્યા પણ કરી દીધી હતી. નિકિતા કાસાપ સામેની કોર્ટ કાર્યવાહી ૭ મેના કરવામાં આવશે.
પોલીસના જણાવ્યા મુજબ વિસ્કોન્સિનના વૌકેશા ગામમાં તેણે ૧૧ ફેબ્રુઆરીએ તેની ૫૧ વર્ષીય માતા તાતીઆના કાસાપ અને ૫૧ ...
વધુ વાંચો »
Apr 14, 2025
૧૮૫ વખત રક્તદાન કરનાર
જામનગર તા. ૧૪: જામનગરના બ્રહ્મસમાજના અગ્રણી, સેવાભાવી રક્તદાતા યોગેશભાઈ પરસોત્તમભાઈ ઠાકર (યોગી) (નિવૃત્ત જિલ્લા પંચાયત કર્મચારી), તે અમીતભાઈ ઠાકર (જી.જી. હોસ્પિટલ તથા કૃતિબેનના પિતાનું તા. ૧૩-૪-ર૦રપ અવસાન થયું છે. સદ્ગતની અંતિમયાત્રા તા. ૧પ-૪-ર૦રપ, મંગળવારના સવારે ૮ વાગ્યે તેમના નિવાસસ્થાનેથી નીકળશે.
યોગેશભાઈ ઠાકર (યોગી) બ્રહ્મસાજના અગ્રણી કાર્યકર હતાં તેમજ નાટકો, ફિલ્મમાં તેમણે વિવિધ પાત્રો ભજવ્યા હતાં. ઉપરાંત તેઓ મોટા કદના રક્તદાતા હતાં. તેમણે પોતાના જીવનમાં ૧૮પ વખત રક્તદાન કર્યુ હતું. અનેક લોકોને જીવતદાન મળે તે માટે ઉત્કૃષ્ટ કાર્ય કર્યુ છે.
જો આપને આ
વધુ વાંચો »
Apr 14, 2025
માનવી અને પશુઓના પાણીમાં પડીને થતા મૃત્યુ અટકાવવા
ખંભાળિયા તા. ૧૪: ભાણવડમાં નકટી નદી પર ૧૩.૯૪ કરોડના ખર્ચે આરસીસી ફલડ કંટ્રોલ વોલ તથા બોક્સ ડ્રેમેજ મંજુર થયું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં રાજ્ય સરકાર દ્વારા નકટી નદી પર પાણીના નિકાલ તથા પૂરમાં પરેશાની હળવી કરવા ૧૩.૯૪ કરોડના ખર્ચે ફલડ કંટ્રોલ વોલ તથા બોક્સ ડ્રેમેજનું કામ મંજુર થતા ભાણવડના લોકોમાં આનંદની લાગણી ફેલાઈ છે.
ભાણવડમાં ભૂતવડ મંદિર પાસેથી નકટી નદી નીકળતી હતી. જેની દીવાલ જ ના હોય રોજ પશુઓ તથા લોકો ત્યાં પડતા હતાં તથા ભૂતકાળમાં અનેક પશુઓના તથા ત્રણેક વ્યક્તિના પણ નદીમાં પડતા મૃત્યુ નિપજ્યા હતાં તથા વાહનો પણ અંદર પડતા હતાં. નજીક ...
વધુ વાંચો »
Apr 14, 2025
કેટલાક રાજ્યપાલોએ અટકાવી રાખેલા બિલોની પોલ ખુલી
નવી દિલ્હી તા. ૧૪: યોગાનુયોગ ડો. બાબા સાહેબ આંબેડકર જયંતીના સમયગાળામાં જ સુપ્રિમ કોર્ટ રાજ્યોના ગવર્નરોને બંધારણના પાઠ શિખવી રહી છે. તામિલનાડુના કેસમાં રાજ્યપાલ તથા રાષ્ટ્રપતિ ભવન માટે વિધાનસભાના પસાર કરેલા બિલો અટકાવી અથવા લટકાવી રાખવા પર અંકુશ મૂકતા ત્રણ મહિનાની મુદ્ત નક્કી કર્યા પછી સુપ્રિમ કોર્ટની રાષ્ટ્રપતિને આદેશ આપવાની સત્તા અંગે અલગથી ચર્ચા ભલે શરૂ થઈ ગઈ હોય, પરંતુ સર્વોચ્ચ અદાલતે તામિલનાડુના રાજ્યપાલને લઈને જે કડક શબ્દપ્રયોગો કર્યા છે, અને પરોક્ષ રીતે કેન્દ્રને ફટકાર લગાવી છે, તે જોતા આ મુદ્દે લાંબી કાનૂની લડાઈ ચાલશે, તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે, કારણ કે સુપ્રિમ ...
વધુ વાંચો »
Apr 14, 2025
પ્રતિવાદી પક્ષ દ્વારા કરવામાં આવેલી દલીલો ગ્રાહ્યઃ
જામનગર તા.૧૪ : કાલાવડમાં આવેલા એક કિંમતી પ્લોટ માટે ડેક્લેરેશન તથા કાયમી મનાઈહુકમ મેળવવા માટે અદાલતમાં કરાયેલો દાવો અદાલતે પ્રતિવાદી પક્ષની દલીલો ગ્રાહ્ય રાખી રદ્દ કર્યાે છે.
જામનગર-કાલાવડ શહેર ના જામનગર રોડ પર રે.સ.નં. ૨૮૭વાળી રહેણાંક હેતુ માટે બિનખેતી થયેલી જમીનમાં પ્લોટ નં.૧૧ માટે પ્રકાશ જીલુભાઈ ઉધાસે દાવો કરી જણાવ્યું હતું કે, આ ...
વધુ વાંચો »
Apr 14, 2025
ચક્કર આવતા ફસડાઈ પડેલા મહિલા પર કાળનો પંજોઃ બે બાઈક ટકરાતા મહિલાનું મૃત્યુઃ
જામનગર તા.૧૪ : જામનગરના ઠેબા બાયપાસ પાસે પુત્રના સ્કૂટર પરથી લપસી પડેલા પ્રૌઢાનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યું છે. ફલ્લા પાસે એક બાઈક પાછળ બીજું બાઈક ટકરાઈ પડતા પરપ્રાંતીય શ્રમિકના પત્ની મોતને શરણ થયા છે. પતિ સાથે બાઈક પર જતાં મહિલા ચક્કર આવતા ફસડાઈ પડ્યા પછી માથામાં ઈજા થવાથી મૃત્યુ પામ્યા છે અને ખંભાળિયાના યુવાન હિટ એન્ડ રનનો ભોગ બન્યા છે. જોગવડ ચાલીને ...
વધુ વાંચો »
Apr 14, 2025
ગુજરાતના જામનગર સ્થિત ગ્લોબલ રેસ્કયુ એન્ડ કન્ઝર્વેશન માટેની પહેલ
જામનગર તા. ૧૪: વનતારાની વાઇલ્ડલાઇફ રેસ્ક્યૂ અને રેહાબિલિટેશનમાં ભવિષ્ય માટે તૈયાર, ઇમર્સિવ ડિજિટલ અનુભવ આપતી નવી વેબસાઇટનું અનાવરણ કરાયું છે.
વનતારાના સ્થાપક અને સ્વપ્નદૃષ્ટા પરોપકારી અનંત મુકેશ અંબાણીના જન્મદિવસ નિમિત્તે વાઇલ્ડલાઇફ રેસ્ક્યૂ, રેહાબિલિટેશન અને કન્ઝર્વેશન ક્ષેત્રે વિશ્વની અગ્રણી સંસ્થાઓમાંની એક વનતારાએ તેની નવી વેબસાઇટ વનતારા ડોટ ઈનના લોન્ચની જાહેરાત કરી છે. આ પ્લેટફોર્મ એક શક્તિશાળી ડિજિટલ અનુભવ પૂરો પાડે છે જે આકર્ષક સ્ટોરીટેલિંગ અને ઇન્ટ્યુટીવ ડિઝાઇનનો સુભગ સમન્વય છે, જે સંસ્થાની વાઇલ્ડલાઇફ કન્ઝર્વેશન, એજ્યુકેશન અને રિસર્ચ પ્રત્યેની ઊંડી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.
નવી વેબસાઇટની મુખ્ય વિશેષતા તેની ૩૬૦-ડિગ્રી વિઝ્યુઅલ ટૂર છે, જેમાં મુલાકાતીઓ ...
વધુ વાંચો »
Apr 14, 2025
રેસિપ્રોકલ ટેરિફથી કોઈ બાકાત નહીં રહે
વોશિંગ્ટન તા. ૧૪: કોઈ બાકાત નહીં રહે, તમામ દેશ સામે ટેરિફ લાગશે, તેમ જણાવીને ફરી એકવાર ટ્રમ્પે દુનિયાભરના દેશોની ચિંતા વધારી દીધી છે. તેમણે ચીનના ઉત્પાદનોને તો જરાયે છૂટ નહીં મળે, તેમ સ્પષ્ટ જણાવી દીધું છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોઈપણ દેશને ટેરિફમાંથી મુક્તિ ન મળવાની સ્પષ્ટતા આપી દીધી છે. તેમણે હાલમાં જ ૬૦થી વધુ દેશોને ૯૦ દિવસ સુધી રેસિપ્રોકલ ટેરિફ મામલે રાહત આપી હતી. ગઈકાલે ટ્રમ્પે ફરી જાહેરાત કરી સ્પષ્ટતા આપી હતી કે, અયોગ્ય વેપાર કરતાં દેશોને માફી મળશે નહીં, તેમણે ટેરિફનો સામનો કરવો જ પડશે. હાલમાં જ ડોનાલ્ડ ટ્રમ્પ સમક્ષ ઘણા દેશોએ સ્માર્ટફોન, કોમ્પ્યુટર ...
વધુ વાંચો »
Apr 14, 2025
જામ્યુકોના અંધેર વહીવટનો તાદૃશ્ય નમૂનોઃ
જામનગર તા.૧૪ : જામનગરના એક રસ્તા પર ડામર પાથવર માટે સત્યાવીસ વર્ષ પહેલાં અપાયેલા કોન્ટ્રાક્ટરે જે તે વખતે બનાવટી બેંક ગેરેંટી રજૂ કરી હોવાનો ગુન્હો નોંધાયો હતો. તે કેસમાં અદાલતે આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે. આ કેસે જામનગર મહાનગરપાલિકામાં ચાલતા અંધેર વહીવટ પર પ્રકાશ ફંંેક્યો છે અને પ્રજાના પરસેવાના નાણા કેવી રીતે વેડફાય છે તેનો પુરાવો પૂરો પાડ્યો છે.
જામનગરના ઈન્દિરા માર્ગ, સાતરસ્તા સર્કલથી ખંભાળિયા જકાતનાકા સુધીના રોડ પર ડામર પાથરવા માટે વર્ષ ૧૯૯૭-૯૮માં જામ્યુકો દ્વારા એ.ટી. ઓડેદરા નામની ભાગીદારી પેઢીવાળા પોરબંદર ના કોન્ટ્રાક્ટરને રૂ.સાડા ત્રણેક કરોડનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો.
પેઢી દ્વારા ત્રણ વર્ષની ડીફેક્ટિવિટી લાયેબિલીટી માટે ટેન્ડરની ...
વધુ વાંચો »
Apr 14, 2025
દ્વારકા-સોમનાથ કોસ્ટલ હાઈ-વે પર વૃક્ષારોપણ
ખંભાળિયા તા. ૧૪: ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા વૃક્ષારોપણમાં દ્વારકાથી સોમનાથ કોસ્ટલ હાઈવેનો બન્ને તરફ વૃક્ષારોપણ કરવા આયોજન થયું હતું.
રાજ્ય સરકાર દ્વારા આ વખતે ખાનગી એજન્સીને કામ આપવા નક્કી થયું હતું. જે ૧૦૦ કરોડનું કામ હતું. રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મૂળુભાઈ બેરાના પ્રયાસોથી આ ૧૦૦ કરોડનું કામ સદ્ભાવના ટ્રસ્ટને મળ્યું, પણ આ ટ્રસ્ટ દ્વારા સામેથી દાતાની મદદથી બીજા ૧૦૦ કરોડ સરકારને ભેગા કરી દેવાયા તે પણ એડવાન્સમાં.
હવે સોમનાથ-દ્વારકા હાઈવે પર વૃક્ષારોપણ થયું તથા ત્રણ વર્ષ સુધી રોપાની જાળવણી માટે પણ કરાર નક્કી થયો છે, પણ , ૪૦ હજાર રોપાના લક્ષ્યાંક સામે ર૦ હજારમાં આખો હાઈવે ...
વધુ વાંચો »
Apr 14, 2025
૬ વર્ષમાં ૧ર વખત ધમકી મળી છતાં કાંઈ ના થયું:
મુંબઈ તા. ૧૪: સલમાન ખાનને ફરી એકવાર ધમકી મળી છે. સલમાન ખાનને ઘરમાં ઘૂસીને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી છે અને ભાઈજાનની કારને પણ બોમ્બથી ઊડાવવાની ધમકી અપાઈ છે. આ ધમકીભર્યો કોલ મુંબઈના વર્લી ટ્રાફિક વિભાગના નંબર પર આવ્યો હતો. જે પછી પોલીસ સતર્ક થઈ છે અને અજાણ્યા શખ્સા સામે ફરિયાદ દાખલ કરી છે.
બોલિવૂડ અભિનેતા સલમાન ખાનને ફરીથી જાનથી મારી નાંખવાની ધમકી મળી છે. મુંબઈના વરલીમાં સ્થિત પરિવહન વિભાગના વોટ્સએપ નંબર પર એક્ટર માટે ધમકીભર્યા મેસેજ આવ્યા હતાં. જેમાં સલમાન ખાનના ઘરમાં ઘૂસી તેને જાનથી મારી નાખવા અને તેની કારને ...
વધુ વાંચો »
Apr 14, 2025
પોલીસે તપાસ શરૂ કરીઃ
જામનગર તા.૧૪ : જામનગરની ગ્રીન સિટી પાસેથી ગઈકાલે એક અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે.
જામનગરના રણજીત સાગર રોડ પર આવેલી ગ્રીન સિટી પાસેથી ગઈકાલે એક અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે.
તેની પોલીસને જાણ કરવામાં આવતા સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ ધસી ગયો હતો. પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડી મૃતકની ઓળખ મેળવવા અને મૃત્યુનું કારણ જાણવા તપાસ આદરી છે.
જો આપને આ પોસ્ટ
વધુ વાંચો »
Apr 14, 2025
જામનગરમાં કેબીનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને
જામનગર તા. ૧૪: કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને સરકારી અધ્યયન મંદિર ધ્રોલ તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જામનગરના પૂર્વ તાલીમાર્થીઓનો સ્નેહ મિલન સમારોહ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જામનગરમાં યોજાયો હતો. આ પ્રસંગે સરકારી અધ્યાપન વિદ્યા મંદિર, ધ્રોલ ૧૯૬૦-૧૯૯૫ અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, જામનગર ૧૯૯૫-૨૦૧૫ માં પી.ટી.સી. તાલીમ પ્રાપ્ત કરેલા ૨૫૦ થી વધુ પૂર્વ તાલીમાર્થીઓ મળ્યાં હતા અને ...
વધુ વાંચો »
Apr 14, 2025
બેલ્જિયમમાં પકડાયેલા ભારતના ભાગેડુ આરોપી
નવી દિલ્હી તા. ૧૪: મેહુલ ચોક્સીની રૂ. રપ૦૦ કરોડથી વધુની સંપત્તિ જપ્ત થઈ ગઈ છે. હવે તેનું પ્રત્યાર્પણ થયા પછી તેને વધુ દંડ-સજા થઈ શકે છે.
ફેબ્રુઆરીમાં મુંબઈની એક ખાસ કોર્ટે મેહુલ ચોક્સીની કંપની ગીતાંજલિ જેમ્સ લિમિટેડની ૧૩ મિલકતોની હરાજી કરવાની મંજુરી આપી હતી. ગયા વર્ષે ડિસેમ્બરમાં, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ કહ્યું હતું કે તેણે ૧૩,પ૦૦ કરોડ રૂપિયાના પંજાબ નેશનલ બેંક છેતરપિંડી કેસમાં ફરાર મેહુલ ચોક્સી પાસેથી જપ્ત કરાયેલી ર,પ૦૦ કરોડ રૂપિયાથી વધુની સંપત્તિઓને પુનઃસ્થાપિત કરવાનું શરૂ કરી દીધું છે. સ્પેશિયલ કોર્ટના આદેશ પછી ઈ.ડી.એ મેહુલ ચોક્સીની જપ્ત કરેલી મિલકતો તેમના વાસ્તવિક માલિકોને પરત કરવાની પ્રક્રિયા શરૂ કરી હતી. ...
વધુ વાંચો »
Apr 14, 2025
આંતરિક ચાર માર્ગોને પરસ્પર જોડવા
ખંભાળિયા તા. ૧૪: તાજેતરમાં સરકારની ગ્રાન્ટમાંથી અઢી વર્ષમાં બે તબકકે ખંભાળિયા પાલિકા દ્વારા શહેરના નઝરાણા જેવો તેલી નદી વિજય સિનેમા પાસેથી સુખનાથ મહાદેવ સુધી ૨૮૦ મીટર રોડ તથા ફુટપાથ સાથે વીસેક હજાર ફુટની લાખોની જમીનોના દબાણો હટાવીને બનાવવામાં આવેલો તે પછી પાલિકા દ્વારા પોરબંદર હાઈવે પાસેથી મિલન હોટલ, જી.ઈ.બી. કચેરી, સલાયા ગેઈટ રોડને જોડતા રસ્તા સહિતના ચાર સ્થળેથી રૂ. ૩૦ લાખના ખર્ચે પોરબંદર રોડ પરની ગલીઓમાં થઈને આ નવા બનેલા ૧.૬૭ કરોડના તેલી નદી વિજય સિનેમાથી સુખનાથ મહાદેવને જોડતા રોડને મળે તે માટે જુદા-જુદા ચાર રસ્તાઓ ગલીઓના નવા સી.સી. રોડના બનાવવા માટે આયોજન હાથ ધરવામાં આવ્યું ...
વધુ વાંચો »
Apr 14, 2025
જામનગરની ૫ટેલકોલોની શેરી નં.૧૧માં રહેતા મોઉનસ અરૂણભાઈ જોષી નામના આસામી શનિવારે બપોરે પોતાના ઘર પાસે મોટરમાંથી ઉતર્યા ત્યારે તેમનો રૂપિયા દોઢેક લાખનો આઈફોન રસ્તા પર પડી ગયો હતો. તેઓએ પોલીસનો સંપર્ક કરી મદદ માંગતા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના પીએસઆઈ પી.પી. જાડેજાના વડપણ હેઠળની ટીમે સીસીટીવીના ફૂટેજને ચકાસ્યા પછી તેના આધારે મોબાઈલ શોધી આપ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો
વધુ વાંચો »
Apr 14, 2025
આજે બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબની ૧૩૪મી જયંતીની ભવ્ય ઉજવણીઃ લાલબંગલા પાસે યોજાયો કાર્યક્રમ
જામનગરના લાલ બંગલા વિસ્તારમાં આવેલી તેમની પ્રતિમાને આજે પુષ્પાંજલી અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જામનગરના શહેર તથા જિલ્લા ભાજપના આગેવાનોમાં મેયર વિનોદ ખીમસૂર્યા, ધારાસભ્ય દિવ્યેશ અકબરી અને રિવાબા જાડેજા, ડે.મેયર કિષ્નાબેન સોઢા, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન નિલેષ કગથરા, શાસક પક્ષના નેતા આશિષ જોષી, દંડક કેતન નાંખવા, શહેર ભાજપના અધ્યક્ષા બીનાબેન કોઠારી, જિલ્લા ભાજપના પ્રમુખ ડો. વિનોદ ભંડેરી, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ મુંગરા, મહામંત્રી પ્રકાશ બાંભણીયા અને મેરામણ ભાટુ, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ અશોક નંદા, કોર્પોરેટરો સામત પરમાર વગેરે જોડાયા હતાં. આ ઉપરાંત કોંગ્રેસ દ્વારા પણ ડો. ...
વધુ વાંચો »
Apr 14, 2025
શબ્દ કીર્તન, પાઠ સાહેબ તથા ગુરુ કા લંગર સહિતના કાર્યક્રમો યોજાયાઃ
જામનગરમાં ગુરૂદ્વારામાં ગુરૂ સિંઘ સભા દ્વારા વૈશાખી પર્વની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી. ૧૩ એપ્રિલનાં દિને ખાલસા પંથની સ્થાપના થઇ હતી. તેમજ આ જ દિનથી પંજાબમાં ખેડૂતો ઘઉંનો પાક લણવાનો શુભારંભ કરે છે. ગુરૂદ્વારામાં પંજાબથી પધારેલ ભૂપેન્દ્રસિંઘજી દ્વારા કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરમાં વસતા શિખ સમુદાયના તમામ લોકોએ ગુરૂગ્રંથ સાહેબને શીશ ઝૂકાવીને વિશ્વ કલ્યાણની પ્રાર્થના કરી હતી. શબ્દ કીર્તન,પાઠ સાહેબ તથા ગુરૂ કા લંગર (મહાપ્રસાદ) સહિતના કાર્યક્રમો પણ યોજાયા હતાં.
જો આપને આ
વધુ વાંચો »
Apr 14, 2025
શ્રી બાલા હનુમાન મંદિરે રામધૂન-રાસમાં જોડાયાઃ
'છોટીકાશી' જામનગરમાં શ્રી બાલા હનુમાન મંદિરે હનુમાન જયંતી પર્વ પર સામાન્ય જનથી લઇ મહાનુભાવો હનુમાન ભક્તિમાં લીન થયા હતાં. સાંસદ પૂનમબેન માડમ પણ શ્રી બાલા હનુમાનના આશીર્વાદ પ્રાપ્ત કરવા મંદિર પહોંચ્યા હતાં તેમણે અહીં મહિલા ભક્તો સાથે રામધૂન પર ભક્તિરાસ રમીને પોતાની શ્રદ્ધા અભિવ્યક્ત કરી હતી.આ ઉપરાંત હનુમાન બનેલા બટુક (બાળક) સાથે રામધૂન પણ બોલાવી હતી. આ તકે ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, કોર્પોરેટર મનિષભાઇ કનખરા સહિતના આગેવાનો પણ જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ
વધુ વાંચો »
Apr 14, 2025
૧૪૦૦ લીટર આથો, સાધનો મળી આવ્યાઃ
ખંભાળિયા તા.૧૪ : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બરડા ડુંગરના જંગલ વિસ્તાર જવા માટે રસ્તાના હોય તથા જંગલ અને ઝાડીવાળા વિસ્તારમાં કોઈનું ધ્યાન ન પડતું હોય. દેશી દારૂના ધંધાર્થીઓ દ્વારા મોટાપાયે બેરલો ભરીને દેશી દારૂ બનાવી વિતરણ થતું હોય.
દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય તથા ડીવાયએસપી ડો. હાર્દિક પ્રજાપતિ દ્વારા દેશી દારૂના દૂષણને ડામવા કડક પગલાં સાથે ચેકીંગ દરોડા પાડી હજારેક લીટર આથાનો નાશ કરી ભઠ્ઠીના સાધનોનો નાશ કરવામાં આવ્યો હતો.
વર્ષાેથી ત્યાં અડીંગો જમાવી દેશી દારૂનો ધંધો કરતા તત્ત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. તાજેતરમાં ભાણવડ પીઆઈ કે.બી. રાજવી તથા સ્ટાફ દ્વારા ૧૬૦૦ લીટર દેશી દારૂનો આથો, સાધનો ...
વધુ વાંચો »
Apr 14, 2025
ખંભાળિયા તા. ૧૪: ઓખામાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આયોજિત શ્રીમદ્દ ભાગવત સપ્તાહની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. આ સામૂહિક સપ્તાહ દરમ્યાન મોટી સંખ્યામાં ભાવિકોએ કથા શ્રવણનો લાભ લીધો હતો. પૂર્ણાહુતિના દિવસે દશાંશ હવન યોજાયો હતો. કથા દરમ્યાન વિવિધ ધાર્મિક પ્રસંગો ધામધૂમથી યોજાયા હતા. વ્યાસાસને બિરાજમાન કથાકાર ગૌરાંગભાઈ જોશીનું અનેક અગ્રણીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો
વધુ વાંચો »
Apr 14, 2025
મંદિર સાથે શંકરાચાર્ય આશ્રમ તેમજ કોલેજ, રમતગમતના મેદાનનું પણ આયોજન
જામનગર તા. ૧૪: જામનગર-લાલપુર રોડ પર દરેડમાં શારદાપીઠ (દ્વારકા) સંચાલિત બ્રહ્મ એજ્યુકેશન એન્ડ સોશિયલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ તેમજ તક્ષશિલા પરશુરામ ધામ દ્વારા ભગવાન પરશુરામજીના ભવ્ય મંદિરનું નિર્માણ થનાર છે. આ મંદિરના નિર્માણ કાર્ય અંગે જાણકારી આપવા યોજાયેલ પત્રકાર પરિષદમાં સંસ્થા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
સંસ્થાના ગુણવંતભાઈ ભટ્ટના જણાવ્યા પ્રમાણે દરેડના તક્ષશિલા સંકુલમાં છ હજાર ચોરસ ફૂટની વિશાળ જગ્યામાં ૬પ ફૂટ ઊંચુ ભગવાન પરશુરામજીનું મંદિર બનાવવામાં આવશે. જેમાં મંદિરના ગર્ભ ગૃહમાં ભગવાન પરશુરામ પ્રતિમા ઉપરાંત પરશુરામજીના આદ્યગુરુ ભગવાન ગુરુદત્તાત્રેયજી તથા જગદ્ગુરુ શંકરાચાર્યજીની મૂર્તિનું પણ સ્થાપન કરવામાં આવશે.
આ મંદિરમાં દરરોજના નિત્ય ક્રમ પ્રમાણે પૂજા, શ્રૃંગાર, ...
વધુ વાંચો »
Apr 14, 2025
જામનગર તા. ૧૪: જામનગરમાં ગઈકાલની સરખામણીએ આજે તાપમાનનો પારો બે ડીગ્રી નીચે તરફ સરકતા ગરમીમાં રાહત અનુભવાઈ હતી. આજે મહત્તમ તાપમાન ૩૪.૬ ડીગ્રી નોંધાયું છે.
જામનગરમાં તાપમાનનો પારો ઉપર-નીચે તરફ અપડાઉન કરી રહ્યો છે. આજે સવારે નોંધાયેલ છેલ્લા ર૪ કલાકમાં તાપમાનમાં મહત્તમ તાપમાન ૩૪.૬ ડીગ્રી સાથે ન્યુનત્તમ તાપમાન ર૪ ડીગ્રી નોંધાયું હતું, જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ મહત્તમ ૮ર ટકા રહ્યું હતું. તેમજ પવનની ઝડપ પ્રતિકલાકમાં ૧પ કિ.મી.ની નોંધાઈ હતી.
અત્રે ઉલ્લેખનિય છે કે, ગઈકાલે મહત્તમ તાપમાન ૩૬.૮ ડીગ્રી નોંધાયું હતું. એટલે કે આજે બે ડીગ્રી તાપમાનનો પારો નીચે તરફ સરકતા ગરમીમાં રાહત અનુભવાઈ હતી.
જો
વધુ વાંચો »
Apr 14, 2025
દ્વારકા-ખંભાળિયાના પાલિકા તંત્રો થયા સક્રિયઃ
ખંભાળિયા તા. ૧૪: ગુજરાત રાજ્યની નગરપાલિકાઓને પોતાના ભવન બનાવવા-રીપેરીંગ માટે સહાયની મુખ્યમંત્રીની જાહેરાત કરી છે. સંદર્ભે ખંભાળિયામાં નવું પાલિકા ભવન બનશે.
ગુજરાત રાજ્યની નગરપાલિકાઓને પોતાનું નવું મકાન બનાવવા કે રીપેરીંગ માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની જાહેરાત આવકારદાયક બની છે.
રાજ્યની અ વર્ગની નગરપાલિકાને તથા બ વર્ગની નગરપાલિકાઓને બે કરોડની સહાય રાજ્ય તરફથી આપવામાં આવતી હતી જેમાં મોટ વધારો કરીને અ વર્ગ માટે ૬ કરોડ અને બ વર્ગ માટે પાંચ કરોડ જાહેર થયા છે, તો ક અને ડ વર્ગની નગરપાલિકાઓને એક કરોડ જ અપાતા હતાં તેમાં પણ મોટો વધારો કરીને ક વર્ગને ૪ કરોડ તથા ડ વર્ગને ત્રણ કરોડ ...
વધુ વાંચો »
Apr 14, 2025
સિક્કા પાટીયે પરપ્રાંતીય યુવાનનો ગળાફાંસોઃ
જામનગર તા.૧૪ : જામનગરના સિક્કા પાટીયા પાસે એક ઓરડીમાં વસવાટ કરતા પશ્ચિમ બંગાળના એક યુવાને ગઈકાલે અકળ કારણથી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. જ્યારે ખંભાળિયાના દાતા ગામના એક પ્રૌઢાએ કોરાના કાળમાં પતિના થયેલા નિધન પછી માનસિક આઘાત લાગી આવતા ગઈકાલે કૂવામાં ઝંપલાવી આપઘાત કર્યાે છે.
જામનગર-ખંભાળિયા રોડ પર સિક્કા પાટીયા પાસે આવેલી રાજ એન્ટરપ્રાઈઝ નામની પેઢીની ઓરડીમાં વસવાટ કરતા મૂળ પશ્ચિમ બંગાળના માધબપુર ગામના ...
વધુ વાંચો »
Apr 14, 2025
નેપાળી હનુમાન મંદિરને બાલા હનુમાન નામ અપાયું:
જામનગર તા. ૧૪: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બેટદ્વારકાના બાલાપર વિસ્તારમાં થોડા સમય પહેલા કરવામાં આવેલ ડિમોલીશન કામગીરી દરમિયાન એક હનુમાન મંદિર ખંઢેર હાલતમાં જોવા મળ્યું હતું.
તાજેતરમાં પોલીસ વિભાગે મંદિરનો જીર્ણોદ્ધાર કરીને હનુમાન જયંતીના પવિત્ર દિવસે ફરી દર્શનાર્થ ખુલ્લુ મૂકાયો હતું.
બેટદ્વારકામાં ડિમોલીશન કામગીરી દરમિયાન નજરે ચઢેલ હનુમાનજીનું મંદિર આશરે ૧રપ વર્ષ પહેલાનું છે, અને નેપાળી જ્ઞાતિનું છે. જે નેપાળી હનુમાનજી મંદિર તરીકે ઓળખાતું હતું.
૪૦ થી પ૦ વર્ષ પહેલા સ્થિતિ બદલતા લોકોનું દર્શન માટે આવન જાવન બંધ ...
વધુ વાંચો »
Apr 14, 2025
જામનગર તા.૧૪ : જામનગરના સાતરસ્તા પાસે આવેલા પ્રદર્શન મેદાનમાંથી એક યુવતીનો રૂ.સાડા પંદર હજારની કિંમતનો મોબાઈલ ચોરાઈ ગયો છે. જામનગરના રામેશ્વર નગર વિસ્તાર પાસે આવેલા પાંચ બંગલા નજીક વસવાટ કરતા શિવાનીબેન સતિષભાઈ બરજોડ નામના મૂળ મહીસાગર જિલ્લાના મહિલા શુક્રવારે સવારે અગિયારેક વાગ્યે સાત રસ્તા પાસે આવેલા પ્રદર્શન મેદાન નજીક નવા બનેલા એસટી બસ સ્ટેન્ડ પાસે હતા. ત્યારે આ મહિલાના પર્સમાંથી કોઈ શખ્સે રૂ. ૧૫ હજારથી વધુની કિંમતનો વીવો કંપનીનો વાય-૨૮ મોડલનો ફોન સેરવી ગયો હતો. જેની સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં શિવાનીબેને ફરિયાદ નોંધાવી છે.
જો આપને
વધુ વાંચો »
Apr 14, 2025
ચૈત્રી પૂર્ણિમાના પાવન દિને
ચૈત્ર માસ ધાર્મિક કાર્યો માટે ઉપરાંત દાન-પુણ્ય માટે પાવનકારી ગણાય છે. ચૈત્ર માસની શરૂઆતમાં નવરાત્રિ પર્વ ઉપરાંત ભગવાન રામ તથા હનુમાનજીનું પ્રાગટય થયેલું હોય દેવી-દેવતાની આરાધના-ઉપાસના માટે આ માસ મહત્ત્વપૂર્ણ ગણાય છે.
ચૈત્રી પૂનમના દર મહિને પૂનમ ભરવા આવતા દ્વારકાધીશના ભકતોએ પુણ્ય સલીલા ગોમતી નદીમાં સ્નાન કરી કાળિયા ઠાકોરને શિશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી. પૂનમના અવસરે દ્વારકાધીશના જગતમંદિરમાં વહેલી સવારે મંગલા આરતીમાં ભાવિકોની ભારે ભીડ જોવા મળી હતી.
ભાવિકોએ છપ્પન સીડીએ સ્વર્ગ દ્વારેથી જગતમંદિર પ્રવેશી કાળિયા ઠાકોરજીના દર્શન કરી ભાવવિભોર થયા હતા. મંદિર વહેલી સવારે છ વાગ્યે ખૂલ્યા હોય પવિત્ર ગોમતી સ્નાન સાથે ઠાકોરજીના દિવ્ય દર્શન નિહાળવાની પરંપરા અનુસાર ...
વધુ વાંચો »
Apr 14, 2025
સ્થાનિક કાર્યકર્તાઓએ નિમણૂકને આવકારીઃ
જામનગર તા. ૧૪: જામનગર જિલ્લા ભાજપના પ્રમુખ વિનોદભાઈ ભંડેરી દ્વારા સિક્કા શહેર ભાજપના પ્રમુખ તરીકે કર્મઠ અને પાર્ટીને સમર્પિત એવા પ્રકાશભાઈ વ્યાસની વરણી કરવામાં આવી છે. તેમની આ વરણીથી સ્થાનિક કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સાથે સાથે સિક્કા શહેર ભાજપના કાર્યકરોએ આ નિર્ણયને આવકારી પ્રકાશભાઈ વ્યાસને શુભકામનાઓ પાઠવી હતી. પ્રકાશભાઈ વ્યાસના નેતૃત્વમાં ભાજપ સંગઠન વધુ મજબૂત બનશે અને કાર્યકર્તાઓમાં નવી ઊર્જા અને સંકલ્પનો સંચાર થશે તેવો વિશ્વાસ ...
વધુ વાંચો »
Apr 14, 2025
ભાણવડના શિવ બળદ આશ્રમના બળદોને એનિમલ લવર્સ ગ્રુપના અશોકભાઈ ભટ્ટ, મેરામણભાઈ, વિજયભાઈ ખૂંટી, ધવલભાઈ સોનગરા, વિજય જોડ, અક્ષય સૂચક, દતભાઈ દેસાઈ વિગેરેના હસ્તે ૩૦૦૦ કિલો જેટલા તરબૂચ ખવડાવવામાં આવ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ
વધુ વાંચો »
Apr 14, 2025
ગુજરાતમાં ગરમી વધી રહી છે, અને તાપમાનનો પારો દિન-પ્રતિદિન ઉંચકાઈ રહ્યો છે, ત્યારે સ્વાભાવિક રીતે જ વીજ વપરાશ વધવાનો છે. આ કારણે વીજ વપરાશ નિયમન તથા કરકસરપૂર્વક ઉપયોગ કરવાની ઝુંબેશ આદરવાની જરૂર છે, અને તેની શરૂઆત સરકારી કચેરીઓ, નેતાઓ, પદાધિકારીઓ, ટ્રસ્ટીઓ, જનપ્રતિનિધિઓની ચેમ્બર્સ, બેંકો, શાળા-મહાશાળાઓ અને એવા તમામ જાહેર સ્થળોથી કરવી જોઈએ, જ્યાં રાત-દિવસ સામૂહિક રીતે વીજ ઉપકરણો વપરાતા હોય.
કોઈપણ વ્યક્તિ હાજર નહીં હોવા છતાં એ.સી., લાઈટ ચાલુ રહેવા કે પંખા ફરતા રહેવા, સેનિટેશન સંકૂલો તથા લોબીઓમાં વિનાકારણ લાઈટો ચાલુ રહેવી, કેટલાક સ્થળોએ સવારે મોડે સુધી સ્ટ્રીટલાઈટો બંધ નહીં થવી અને કોઈ જોતું ન હોય તો પણ ચોવીસેય કલાક ટેલિવિઝન ...
વધુ વાંચો »
Apr 14, 2025
ડિસ્ટ્રીકટ ચેસ એસો.ના દ્વારા ઓશવાળ ઈંગ્લીશ એકેડેમીના સંયુકત ઉપક્રમે પૃથ્વીરાજ લેઉવાની સ્મૃતિમાં ચેસ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં અંડર ૨૫માં ઉદિન સંઘવી, યાંશ ગુપ્તા, બહેનોમાં દિવ્યા પોરવાલ, એન્જલ લીંબાસીયા, અંડર-૧૯માં કુશ દાવડા, અંડર-૧૧માં કવીસ ખન્ના, અંડર-૯માં હિઆન કપાસી વિજેતા થયા હતાં. એકેડેમીના આચાર્ય મનિષભાઈ ચંદરીયા, ઉપસ્થિત રહ્યા હતાં. દિવ્યેશભાઈ કપુરીયાએ માર્ગદર્શન આપ્યું હતું. આર્બીટર તરીકે પંકજભાઈ ગણાત્રાએ સેવા આપી હતી. એસો.ના પ્રમુખ રવિરાજસિંહ જાડેજાએ આભાર દર્શન કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી
વધુ વાંચો »
Apr 14, 2025
શ્રી આદેશ હનુમાનજી મંદિરના મહંત
શ્રી આદેશ હનુમાનજી મંદિર-ગોકુલનગર-જામનગરના યોગી શ્રી જમનાનાથજી આજે સવારે ૬-૩૦ વાગ્યે કૈલાસલોક પામ્યા છે. બપોર પછી સદ્ગતની પાલખીયાત્રા સંપન્ન થયા પછી સાંજે પાંચ વાગ્યે શ્રી આદેશ હનુમાનજી મંદિરે સમાધિપૂજા રાખવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ
વધુ વાંચો »
Apr 14, 2025
જામનગર તા.૧૪ : જામનગરના રામપર ગામની સીમમાંથી એક ખેડૂતનું બાઈક ચોરાઈ ગયું છે. જામનગર તાલુકાના રામપર ગામના કાંતિભાઈ કરમશીભાઈ નંદાસણા નામના આસામીએ ગઈ તા.૧૭ની રાત્રે પોતાના ખેતરના શેઢા પાસે જીજે-૩-૫૩૭૯ નંબરનું મોટરસાયકલ રાખ્યું હતું.
ત્યાંથી સવાર સુધીમાં રૂ.૧૫ હજારનું આ વાહન ચોરાઈ ગયું છે. પંચકોશી એ ડિવિઝનમાં તેની ફરિયાદ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો
વધુ વાંચો »
Apr 14, 2025
સલાયા શહેરના ભાજપ સંગઠનમાં નવનિયુક્ત હોદ્દેદારોની બેઠક યોજાઈ હતી. પ્રભારી પરેશભાઈ કાનાણી, પ્રમુખ લાલજીભાઈ ભૂવાએ આગામી કાર્યક્રમો અંગે માર્ગદર્શન આપ્યું હતું. દરેક નવનિયુક્ત હોદ્દેદારોનું સન્માન કરવામાં આવ્યું હતું. યુવા ભાજપ પ્રમુખ વિશાલ લાલ તથા અગ્રણીઓ હાજર રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us:
વધુ વાંચો »
Apr 14, 2025
ચૈત્રી નવરાત્રિ એ નવરાત્રિ સાધનાનો ખાસ સમય હોય, માતાજીની ભક્તિ પૂજા સાથે આઠમના દિને અનેક સ્થળે ભાવિકો દ્વારા હવનઅષ્ટમીના હવન કરીને ઉજવણી થઈ હતી. ભાણવડ ઘુમલી પાસેના આશાપુરા માતાજીના મંદિરે તથા દ્વારકા, ખંભાળિયા, ભાણડ, કલ્યાણપુરમાં અનેક માતાજી મંદિરોમાં હવન અષ્ટમી ઉજવાઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
વધુ વાંચો »
Apr 14, 2025
મેળામાં ભાગ લેવા ગયેલા બે યુવાનમાંથી એકનો બચાવઃ
જામનગર નજીકના લોઠીયા ગામમાં ગઈકાલે યોજાયેલા મેળામાં ભાગ લેવા માટે જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં ખડખડનગરમાં રહેતા મહેશભાઈ કરશનભાઈ ડાભી (ઉ.વ.૩૦) તથા તેના મિત્રો ગયા હતા. જ્યાં તેઓ નદીમાં ન્હાવા માટે ઉતર્યા પછી મહેશભાઈ નદીમાં ગરકાવ થયા હતા. તેની સાથે રહેલો એક યુવાન બહાર નીકળવામાં સફળ થયો હતો. ફાયરબ્રિગેડને જાણ કરાતા દોડી આવેલી ટીમે મહેશભાઈને બહાર કાઢયા હતા ત્યારે તેઓ મૃત્યુ પામેલા જણાઈ આવતા પોલીસે રમેશભાઈ કરશનભાઈ ડાભીનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી કરી છે.
જો આપને આ
વધુ વાંચો »
Apr 14, 2025
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં
જામનગર તા. ૧૪: જામનગર મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની શાળામાં હનુમાન જ્યંતીની રજાના દિવસે બાળકોને બોલાવી તેમની પાસે બટુક ભોજનના નામે સફાઈ કામગીરીની મજુરી કરાવાઈ હતી. હવે શાળાના આચાર્યનો ખૂલાસો માંગવામાં આવશે. તેમ શાસનાધિકારી જણાવી રહ્યાં છે. શહરેના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નં. ૬૦ માં ગત્ શનિવારે હનુમાન જ્યંતીની રજા હતી. આમ છતાં શાળાના આચાર્યએ બટુક ભોજન માટે શાળાના બાળકોને બોલાવ્યા હતાં.
આ પછી શાળામાં બાળકો પાસે સાફ-સફાઈ કરાવવામાં આવી હતી. આ અંગેનો કોઈએ મોબાઈલમાં વીડિયો ઉતારી તેને વાયરલ કરતા ચકચાર જાગી છે.
હવે શાસનાધિકારી જણાવે છે કે, શાળાના આચાર્ય પાસે સીસીટીવી ...
વધુ વાંચો »
Apr 14, 2025
ખંભાળિયામાં સતત ૩૫ વર્ષથી મારૂતિ રામધૂન મંડળ ચલાવતા સેવાભાવી સુરેશભાઈ મહંત તથા તેમના ધૂન મંડળના સેવાભાવીઓનું હનુમાન જયંતીના દિને પાલિકા કારો. ચેરમેન રેખાબેન ખેતીયા, અશોકભાઈ કાનાણી, સલાયા શહેર પ્રમુખ લાલજીભાઈ, રાણાભાઈ ગઢવી વગેરેના હસ્તે અદકેરૃં સન્માન કરવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow ...
વધુ વાંચો »
Apr 14, 2025
વિશ્વ જળ દિવસઃ જળસંગ્રહ-જળાશપથ અંગે ચર્ચાઃ
વિદ્યાસાગર ઈન્ફોટેક કોલેજ, જામનગરમાં તાજેતરમાં નવાનગર નેચર ક્લબ તથા વિદ્યાસાગર કોલેજના સંયુક્ત ઉપક્રમે વિશ્વ જળ દિવસ નિમિત્તે જળ સંચય અને સંગ્રહ અંગેના સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં વિજયસિંહ જાડેજા (પ્રમુખ નવાનગર નેચર ક્લબ), શરદભાઈ શેઠ (જળસંચયના પ્રણેતા), ડો. હેમાંગ પારેખ (મોટીવેશનલ સ્પીકર) તથા કોલેજ પ્રિન્સિપાલ શ્રીરામ કેવલરામાણી દ્વારા જળસંગ્રહ, જળ બચત, જળ શપથ તેમજ ભવિષ્યમાં આવનારી સમસ્યા તથા તે અંગે સમાધાન કઈ રીતે લાવી શકાય તે અંગે ગ્રુપ ચર્ચા દ્વારા ખૂબ જ ઉપયોગી માહિતી આપવામાં આવી હતી. આ સેમીનારમાં કોલેજ મેનેજમેન્ટ, પ્રિન્સિપાલ તેમજ અધ્યાપકોનો સહયોગ રહૃાો હતો.
જો
વધુ વાંચો »
Apr 14, 2025
ભાણવડ તાલુકાના મોડપર (ગઢવાળુ) ગામે
જામનગર તા. ૧૪: શ્રી રામદેવજી મહારાજ સવરા મંડપ મહોત્સવ તા. ૧૪/૪ થી ૧૯/૪ સુધી મુ. મોડપર (ગઢવાળુ)માં યોજવામાં આવ્યો છે. જેમાં તા. ૧૪ ને સોમવારે સવારે શુભ ચોઘડિયે ભૂમિપૂજન-કુંભ સ્થાપના, બપોરે ૩ વાગ્યે સંતોના સામૈયા, સાંજે જ્યોત પ્રાગટ્ય, તા. ૧પ ના રાત્રે ૯ વાગ્યે જય અલખધણી જામ-આંબરડીનું પ્રખ્યાત રામમંડળનું આયોજન, તા. ૧૮ ને શુક્રવારે સવારે ૮-૧પ વાગ્યે મંડપ ખડો થશે. તા. ૧૯ ને શનિવારે સવારે મંડપનું વિસર્જન થશે.
તા. ૧૭/૪ ને ગુરુવારે રાત્રે ૯ વાગ્યે આયોજીત સંતવાણીમાં રામદાસ ગોંડલિયા, દેવરાજભાઈ ગઢવી, અને સચિનભાઈ બારોટ દૂહા-છંદ-ભજનની રમઝટ બોલાવશે.
આ પાવન પ્રસંગે ગુજરાતના કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ, ...
વધુ વાંચો »
Apr 14, 2025
ગોરીયા આહિર પરિવાર દ્વારા આયોજનઃ
ખંભાળિયા તા. ૧૪: દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રણજીતપુર ગામે આવેલા શ્રી અંકલેશ્વર મહાદેવ મંદિરની જગ્યામાં ગોરીયા આહિર પરિવાર દ્વારા ૧૯-૪-૨૫થી તા. ૨૭-૪-૨૫ સુધી શિવ મહાપુરાણ જ્ઞાન કથાનું આયોજન થયું છે.
સ્વ. રામસીભાઈ મારખીભાઈ ગોરીયા તથા સ્વ. મલુબેન રામસીભાઈ ગોરીયા તથા સમસ્ત પિતૃઓના મોક્ષાર્થે યોજાનાર આ શિવ મહાપુરાણ કથા જ્ઞાનયજ્ઞનો કથાના વ્યાસપીઠ પર લાંબાવાળા ધવલભાઈ જે. અત્રી બિરાજશે. તા. ૧૯-૪ના દેહ શુદ્ધિ પ્રાયશ્ચિત તથા શિવપૂજા અને પોથીયાત્રા યોજાશે તથા શિવ મહાત્મ્ય કથાથી કથાની શરૂઆત થશે. ૨૦-૪ ના ભષ્મ અને બિલ્વપત્ર મહાત્મ્ય, ૨૧-૪ના રૂદ્રાક્ષ તથા નૈવેદ્ય મહાત્મ્ય, ૨૨-૪ ના સતી પાર્વતી જન્મ, ૨૩-૪ના શીવ પાર્વતી વિવાહ, ૨૪-૪ના શ્રી ...
વધુ વાંચો »
Apr 14, 2025
વધુ વાંચો »
Apr 14, 2025
કલ્યાણપુરમાં ભારત રત્ન ડો. આંબેડકર જયંતી નિમિત્તે તેની પૂર્વ સંધ્યાએ ડો. આંબેડકરની પ્રતિમા પાસે દિપોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો. ઉપરાંત સફાઈ અભિયાન કરવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ
વધુ વાંચો »
Apr 14, 2025
વધુ વાંચો »
Apr 14, 2025
વધુ વાંચો »
Apr 14, 2025
વધુ વાંચો »
Apr 14, 2025
વધુ વાંચો »
Apr 14, 2025
વધુ વાંચો »
Apr 14, 2025
ખંભાળીયાઃ સ્વ. મથુરાદાસ લવજી સવજીયાણીના પુત્ર પ્રવિણભાઈ મથુરાદાસ સવજીયાણી (માસ્તર) (ઉ.વ. ૭ર), તે રમેશભાઈ, જયેશભાઈ, હસુભાઈ, સાધનાબેન ગિરીશકુમાર કક્કડ (જામનગર), શિતલબેન દિલીપકુમાર સામાણી (ભાટિયા) ના મોટાભાઈ, તથા કૌશલભાઈ (પત્રકાર-અકિલા) અને અભિષેકભાઈના પિતા તથા સ્વ. મથુરાદાસ નરસિંહદાસ મોટાણીના જમાઈનું અવસાન થયેલ છે. સદ્ગતની પ્રાર્થનાસભા તા. ૧૬-૪-ર૦રપ ના સાંજે ૪ થી ૪.૩૦ વાગ્યા દરમિયાન ખંભાળીયાના જલારામ મંદિરમાં રાખવામાં આવી છે. (પિયરપક્ષની સાદડી પણ સાથે રાખવામાં આવી છે.)
વધુ વાંચો »
Apr 14, 2025
વધુ વાંચો »
Apr 14, 2025
વધુ વાંચો »
Apr 14, 2025
વધુ વાંચો »
Apr 14, 2025
વધુ વાંચો »
તા. ૧૫-૦૪-ર૦૨૫, મંગળવાર અને ચૈત્ર વદ-૨ : આપના કામમાં કોઈને કોઈ રૂકાવટનો અનુભવ થાય. જમીન-મકાન-વાહનના કામમાં ... વધુ વાંચો »
તા. ૧૫-૦૪-ર૦૨૫, મંગળવાર અને ચૈત્ર વદ-૨ : આપની બુદ્ધિ-અનુભવ-આવડત-મહેનતના આધારે કામનો ઉકેલ લાવી શકો. સંતાનના પ્રશ્ને ... વધુ વાંચો »
તા. ૧૫-૦૪-ર૦૨૫, મંગળવાર અને ચૈત્ર વદ-૨ : આપના કામમાં હરિફ-ઈર્ષા કરનાર વર્ગથી મુશ્કેલી જણાય. મોસાળ-સાસરીપક્ષના કામમાં ... વધુ વાંચો »
તા. ૧૫-૦૪-ર૦૨૫, મંગળવાર અને ચૈત્ર વદ-૨ : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. આપના કામમાં ... વધુ વાંચો »
તા. ૧૫-૦૪-ર૦૨૫, મંગળવાર અને ચૈત્ર વદ-૨ : આપે તન-મન-ધનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક ... વધુ વાંચો »
તા. ૧૫-૦૪-ર૦૨૫, મંગળવાર અને ચૈત્ર વદ-૨ : નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. અગત્યની ... વધુ વાંચો »
તા. ૧૫-૦૪-ર૦૨૫, મંગળવાર અને ચૈત્ર વદ-૨ : આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી લેવો. જમીન-મકાન-વાહનના ... વધુ વાંચો »
તા. ૧૫-૦૪-ર૦૨૫, મંગળવાર અને ચૈત્ર વદ-૨ : આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા કામનો ઝડપથી ઉકેલ ... વધુ વાંચો »
તા. ૧૫-૦૪-ર૦૨૫, મંગળવાર અને ચૈત્ર વદ-૨ : આપે રાજકીય-સરકારી કામમાં, ખાતાકીય કામકાજમાં સાવધાની રાખવી પડે. આકસ્મિક ... વધુ વાંચો »
તા. ૧૫-૦૪-ર૦૨૫, મંગળવાર અને ચૈત્ર વદ-૨ : માનસિક પરિતાપ-વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. ... વધુ વાંચો »
તા. ૧૫-૦૪-ર૦૨૫, મંગળવાર અને ચૈત્ર વદ-૨ : આપના કામમાં સાનુકૂળતા મળી રહે. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી ... વધુ વાંચો »
તા. ૧૫-૦૪-ર૦૨૫, મંગળવાર અને ચૈત્ર વદ-૨ : આપના કામની કદર-પ્રસંશા થવાથી કામ કરવાનો ઉત્સાહ રહે. સંયુક્ત ... વધુ વાંચો »
આ૫ના માટે સામાજિક-જાહેરજીવન ક્ષેત્રે કાર્યરત રાખતું સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ ... વધુ વાંચો »
તમારા માટે સુખમય પરિસ્થિતિ સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન ... વધુ વાંચો »
આપના માટે માનસિક શાંતિનો અનુભવ કરાવનારૂ સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન ... વધુ વાંચો »
તમારા માટે દોડધામ-વ્યસ્તતા કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા ... વધુ વાંચો »
આપના માટે તડકા-છાયા જેવી પરિસ્થિતિ સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો ... વધુ વાંચો »
તમારા માટે નવીન તક સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન ... વધુ વાંચો »
આપના માટે ભાવનાત્મક સમયસૂચક સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપ સ્નેહીજનો-પરિવારજનો ... વધુ વાંચો »
તમારા માટે મધ્યમ ફળદાયી સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો ... વધુ વાંચો »
આપના માટે ધંધા-વ્યવસાય ક્ષેત્રે લાભ અપાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન ... વધુ વાંચો »
તમારા માટે સંભાળ તથા શાંતિથી કાર્ય કરવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ ... વધુ વાંચો »
આપના માટે માન-સન્માનમાં વૃદ્ધિ અપાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપને ... વધુ વાંચો »
તમારા માટે આર્થિક આયોજનની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન ... વધુ વાંચો »