close

Mar 21, 2025
ઘરમાં આગ લાગતા રહસ્ય ખૂલ્યુ નવીદિલ્હી તા. ૨૧: દિલ્હી હાઈકોર્ટના જ્જના ઘરમાં લાગેલી આગથી એક મોટું રહસ્ય ખુલ્યું છે. હાઈકોર્ટના એક જજના ઘરેથી નોટોનો ઢગલો મળી આવ્યો છે. આ ઘટનાએ ન્યાયિક ગલિયારામાં ખળભળાટ મચાવી દીધો છે. આ મામલો એટલો ગંભીર હતો કે સુપ્રિમ કોર્ટના કોલેજિયમને હસ્તક્ષેપ કરવો પડ્યો અને પછી તે જજને બીજી હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવા પડ્યા છે. જે સમયે આગ લાગી તે સમયે હાઈકોર્ટના ન્યાયાધીશ યશવંત વર્મા શહેરની બહાર ... વધુ વાંચો »

Mar 21, 2025
આવતીકાલથી ક્રિકેટ કાર્નિવલઃ મુંબઈ તા. ર૧: આવતીકાલે આઈપીએલ શરૂ થઈ રહી છે. પ્રથમ મેચમાં, ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર એકબીજા સામે ટકરાશે. બન્ને ટીમો વચ્ચેની મેચ કોલકાતાના ઈડનગાર્ડન્સમાં રમાશે. આ પહેલા એક રંગારંગ ઉદ્ઘાટન સમારોહ થશે. આ ઉદ્ઘાટન સમારોહમાં ઘણા પ્રખ્યાત ચહેરાઓ જોવા મળશે. આઈપીએલ ઓપનિગ સેરેમનીમાં બોલિવૂડ અભિનેત્રી દિશા પટણી ઉપરાંત ગાયિકા શ્રેયા ઘોષાલ અને અરિજિતસિંહ જેવા જાણીતા ચહેરાઓ જોવા મળશે. આઈપીએલ ચેરમેન જય શાહ ... વધુ વાંચો »

Mar 21, 2025
આરોગ્ય મંત્રીની આંદોલન સમેટી લેવા ચીમકી ગાંધીનગર તા. ૨૧: ગુજરાતના આરોગ્યકર્મીઓનું આંદોલન આજે ત્રીજા દિવસે યથાવત છે. બુલડોઝર સરકાર દ્વારા ગુરુવારે ગાંધીનગરની કિલ્લાબંધી કરી આરોગ્યકર્મીઓને અટકાવવાનો પ્રયાસ કરાયો હતો અને ૧૦૦૦થી વધુ આંદોલનકારીઓની અટકાયત કરવામાં આવી છે. ગુરુવારે સાંજે ૭:૩૦ વાગે આંદોલનકારીઓએ મીણબત્તી વડે પ્રકાશ ફેલાવી ભૂપેન્દ્ર પટેલની ભાજપ સરકાર સામે કર્મચારીઓએ બળવો પોકાર્યો હતો.આરોગ્યકર્મીઓ પોતાની માગ પર અડગ છે. સરકારને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે 'જ્યાં સુધી ઠરાવ નહીં થાય, ત્યાં ... વધુ વાંચો »

Mar 21, 2025
કાળઝાળ ગરમીનો કહેર નવી દિલ્હી તા.૨૧: પહેલી ગરમ રાત ૧૫ માર્ચ, ૨૦૨૫ના રોજ ઓડિશા અને ઝારખંડમાં નોંધાઈ હતી, જ્યારે ગયા વર્ષે ૨૦૨૪માં ગુજરાત અને મહારાષ્ટ્રમાં ૨૭ માર્ચે આ સ્થિતિ જોવા મળી હતી. દેશમાં તાપમાન ઝડપથી વધી રહૃાું છે, જેના કારણે આ વખતે ફેબ્રુઆરીમાં જ ગરમીની અસર દેખાવા લાગી હતી. ભારતીય હવામાન વિભાગ દ્વારા વ્યાખ્યાયિત કરાયેલ શિયાળાના ફેબ્રુઆરી મહિનામાં પહેલી વાર ગરમીનું મોજું આવ્યું. ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૫ના , ગોવા અને મહારાષ્ટ્રમાં આ વર્ષની પહેલી ... વધુ વાંચો »

Mar 21, 2025
આગામી તા. ૯ થી ૧૭ એપ્રિલ દરમિયાન રાજકોટ તા. ર૧: દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેના બિલાસપુર ડિવિઝનના રાયગઢ-ઝારસુગુડા સેક્શનમાં ચોથી લાઈનને કનેક્ટિવિટી આપવા માટે બ્લોક લેવામાં આવશે. આ બ્લોકના કારણે એપ્રિલ મહિનામાં રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી પોરબંદર-શાલીમાર દ્વિ-સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેનની ૪ ટ્રીપ રદ્ કરવામાં આવી છે. રદ્ કરાયેલી ટ્રેનોમાં ટ્રેન નંબર ૧ર૯૦પ પોરબંદર-શાલીમાર દ્વિ-સાપ્તાહિક સુપરફાસ્ટ ૯-૪-ર૦રપ, ૧૦-૪-ર૦રપ, ૧૬-૪-ર૦રપ અને ૧૭-૪-ર૦રપ ના રદ્ રહેશે તેમજ ટ્રેન નંબર ૧ર૯૦૬ શાલીમાર-પોરબંદર દ્વિ-સાપ્તાહિક સુપરફાસ્ટ ૧૧-૪-ર૦રપ, ૧ર-૪-ર૦રપ, ૧૮-૪-ર૦રપ અને ... વધુ વાંચો »

Mar 21, 2025
સરકારે રાજ્યસભામાં જાહેર કર્યા આંકડા નવી દિલ્હી તા. ર૧: કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ ગુરુવારે સરકાર પાસેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા છેલ્લા ૩ વર્ષમાં કરવામાં આવેલી વિદેશ મુલાકાતો પર થયેલા ખર્ચની વિગતો માંગી હતી. આ મુદ્દે વિદેશ રાજ્યમંત્રી પાબિત્રા માર્ગરિટાએ રાજ્યસભામાં લેખિતમાં જણાવ્યું હતું કે, વર્ષ મે ર૦રર થી ડિસેમ્બર ર૦ર૪ દરમિયાન વડાપ્રધાન મોદીના વિદેશ પ્રવાસો પર કેટલો ખર્ચ થયો હતો. રાજ્યસભામાં આપેલા જવાબ મુજબ ૩ર મહિનામાં ... વધુ વાંચો »

Mar 21, 2025
કમોસમી વરસાદના લીધે ખેડૂતોમાં ચિંતાની લાગણીઃ ભુજ તા. ૨૧: કચ્છના ભુજ અને નખત્રાણાના અમુક વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને વરસાદી માહોલ જામ્યો હતો. ગુરુવારે બપોર બાદ ભુજ અને નખત્રાણાના કેટલાક વિસ્તારોમાં અચાનક વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. ભુજના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ સાથે અમી છાંટણા પડતાં રસ્તા ભીના થઈ ગયા હતા. નખત્રાણાના પાવરપટ્ટી અને ઉલટ વિસ્તાર તેમજ ભુજના કોડકી, મખણા વચ્ચેના વાડી વિસ્તાર ઉપરાંત શહેરના અમુક વિસ્તારોમાં ઝાપટા પડ્યા હતા. જોકે તેની સાથે જ જગતના તાતની ચિંતા ... વધુ વાંચો »

Mar 21, 2025
આગામી સમયમાં રણમલ તળાવમાં શું કેમિકલવાળું પાણી ઠલવાશે?: જામનગરની ઓળખ અને ભૂગર્ભ જળ વડે તરસ બુઝાવનારા મુખ્ય જળસ્ત્રોત એવા રણમલ તળાવમાં આગામી ૩૦ તારીખે રણજીતસાગર રોડ પર આવેલ તળાવ સંલગ્ન કેનાલ વડે પાણી ઠલવવામાં આવશે એવી ઘોષણા તંત્ર દ્વારા કરવામાં આવી છે, પરંતુ તળાવ સંલગ્ન આ કેનાલમાં ઘણાં સમયથી ઔદ્યોગિક એકમોનું કેમિકલવાળું પાણી ઠલવાતું હોવાની રાવ ઊઠી છે. મીડિયામાં પણ આ અંગે ઘણી વખત અહેવાલો પ્રગટ થઈ ચૂક્યા છે, છતાં તંત્ર દ્વારા કોઈ ... વધુ વાંચો »

Mar 21, 2025
આરોપી પાસેનું બાઈક પણ ચોરાઉ હોવાનું ખૂલ્યું: જામનગર તા.ર૧ : દેવભૂમિ દ્વારકા જિલ્લાની પોલીસે વાડીનાર-ભરાણા માર્ગે એક બાઈકચાલકને ઝડપી પાડ્યો હતો અને પૂછપરછ કરતા તેની પાસેનું બાઈક ચોરાઉ હોવાનું જાણવા મળ્યું હતું. આ ઉપરાંત નવરાત્રિ દરમિયાન આરોપીએ ચોરી કરેલા રૂ.૪પ હજારનું મંગળસૂત્ર પણ પોલીસે કબજે કર્યું છે અને એક સાથે બે ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે એએસઆઈ મશરીભાઈ ભારવાડીયા, જેસલસિંહ જાડેજા અને ... વધુ વાંચો »

Mar 21, 2025
વાહનમાં મુસાફરો બેસાડવા મુદ્દે ડખ્ખોઃ જામનગર તા.૨૧ : જામનગરમાં સાતરસ્તા પાસે વાહનમાં મુસાફરો ભરવાના પ્રશ્ને બોલાચાલી થયા પછી એક વાહનચાલક ઉપર પાઈપ વડે હુમલો કરવા અંગે ત્રણ શખ્સ સામે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નં.પ૮માં રહેતા અને વાહન ચલાવતા નિલેશ જેઠાભાઈ માવ (ઉ.વ.૩૦) ગત સાંજે સાતરસ્તા પાસે પોતાની ઈકો કાર લઈને ઉભા હતા ત્યારે મુસાફરો બેસાડવાના પ્રશ્ને અન્ય વાહન ચાલક સાથે બોલાચાલી થતાં મામલો ગરમાયો હતો. આ ... વધુ વાંચો »

Mar 21, 2025
પારિવારિક ડખ્ખો કારણભૂત? જામનગર તા.ર૧ : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના મેવાસા ગામમાં રહેતા એક યુવાને પોતાને લાકડાના ધોકાથી માર મારવા અંગે પતિ-પત્ની અને તેના પુત્ર સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ભાણવડ તાલુકાના મેવાસા ગામમાં રહેતા દિલીપભાઈ પૂંજા ભાઈ કાંબરીયાએ પોતાના પર લાકડાના ધોકા વડે હુમલો કરવા અંગે ભાણવડના સામતભાઈ અરશીભાઈ કાંબરીયા, મોતીબેન કાંબરીયા અને નિકુંજ કાંબરીયા સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. દિલીપભાઈના પત્નીને તેણીનો ભાઈ પોતાના ઘરે મુકવા આવતો ... વધુ વાંચો »

Mar 21, 2025
એક હજાર રોકડ સહિત પ૧,૦૦૦ નો મુદ્દામાલ કબજેઃ જામનગર તા. ર૧: જામનગરમાં વાહનચાલકો સાથે પોતાનું વાહન અથડાવ્યા પછી વાહનની નુક્સાનીના પૈસાની માંગણી કરવામાં આવે છે અથવા તો ધાક ધમકી આપીને લૂંટ ચલાવવાના બનાવો બનતા રહે છે. આવો જ એક કિસ્સો તાજેતરમાં જામનગરમાં બનવા પામ્યો હતો. જેની ફરિયાદના આધારે પોલીસે એક ગીરોહના ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે. જામનગરના સિટી 'બી' ડિવિઝન પોલીસ સ્ટેશન અને એલસીબી પોલીસ સ્ટાફ સંયુક્ત રીતે પેટ્રોલીંગમાં હતો. ... વધુ વાંચો »

Mar 21, 2025
હાલારમાં અવિરત જુગારની મોસમઃ જામનગર તા.ર૧ : હાલારમાં ગઈકાલે પોલીસે જુગારની બાતમીના આધારે અલગ અલગ બે સ્થળોએ દરોડા પાડ્યા હતા. જેમાં જામનગરમાં જુગાર રમી રહેલા પાંચ શખ્સ, જ્યારે ભાણવડમાં જુગાર રમતા સાત શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા હતા અને જુગારના સ્થળેથી રોકડ રકમ વગેરે કબજે કર્યા હતા. જામનગરમાં આઠ માળીયા આવાસ પાસે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે ગઈકાલે બપોરે દરોડો પાડ્યો હતો અને ગંજીપાનાથી તીનપત્તીનો જુગાર રમતા નાગશીભાઈ નાગડાભાઈ ... વધુ વાંચો »

Mar 21, 2025
દારૂ મોકલનાર અને મંગાવનારની શોધખોળઃ જામનગર તા.ર૧ : જામનગરના રામેશ્વરનગર વિસ્તારમાંથી એક વાહનચાલક ને પોલીસે રોક્યો હતો અને તલાશી લેતા તેના કબજામાંથી રૂ.૧૮૧૦૦ની કિંમતના અંગ્રેજી દારૂના ૧૮૧ નંગ પાઉચ મળી આવ્યા હતા. આથી પોલીસે દારૂ સાથે આરોપીની ધરપકડ કરી હતી. જ્યારે આ ગુન્હામાં અન્ય બેના નામ ખૂલવા પામ્યા છે. પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. એલસીબી પોલીસનો સ્ટાફ ગઈકાલે પેટ્રોલિંગમાં હતો ત્યારે શહેરના રામેશ્વરનગરના મધુરમ સોસાયટીમાંથી એક્સેસ સ્કૂટર લઈ પસાર ... વધુ વાંચો »

Mar 21, 2025
તસ્કરને શોધવા પોલીસ તપાસનો ધમધમાટઃ જામનગર તા.૨૧ : જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ખારવા ગામના નિવૃત્ત શિક્ષક ગઈકાલે સવારે ધ્રોલમાં આવ્યા હતા અને રૂ.૧ લાખ ૫૦ હજારની રોકડ રકમ ભરેલી થેલી પોતાના બાઈકમાં લટકાવી હતી. ત્યાંથી કોઈ ગઠીયો આ રોકડ રકમ ભરેલી થેલી ઉપાડી ગયો હતો. આ બનાવ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવાતા ધ્રોલ પોલીસ સ્ટેશનના સ્ટાફે ફરિયાદનો ધમધમાટ શરૂ કર્યાે છે. ધ્રોલ તાલુકાના ખારવા ગામમાં રહેતા નિવૃત્ત શિક્ષક હંસરાજભાઈ થોભણભાઈ ઘેટીયા ... વધુ વાંચો »

Mar 21, 2025
ખેડૂતને હૃદયરોગનો હુમલો આવી ગયોઃ આધેડે દવા પીધીઃ જામનગર તા.ર૧ : હાલાર પંથકમાં અપમૃત્યુ અને આત્મહત્યાના બે બનાવમાં એક વૃદ્ધ તથા એક આધેડના મૃત્યુ નિપજ્યા છે. ધ્રોલ પંથકના ખેડૂત વૃદ્ધને હૃદયરોગનો હુમલો આવી જતાં તેમનું મૃત્યુ થયું હતું. જ્યારે કલ્યાણપુર તાલુકાના ગોલણશેરડી ગામના એક આધેડે જંતુનાશક દવા પી લેતાં તેનું સારવારમાં મૃત્યુ નિપજ્યું છે. ધ્રોલ તાલુકાના દેડકદળ ગામમાં રહેતા પરસોત્તમભાઈ ચકુભાઈ પાદરીયા નામના બાંસઠ વર્ષના વૃદ્ધ ગઈકાલે બપોરે પોતાની વાડીમાં ... વધુ વાંચો »

Mar 21, 2025
મશીનમાં થયેલા શોર્ટ-સર્કીટના કારણે આગ લાગીઃ જામનગર તા.૨૧ : જોડિયા તાલુકાના ભાદરા ગામ નજીક એક ખેતરમાં આગ લાગી હતી. પરિણામ ૩૦ વીઘામાં વાવેતર કરેલા ઘઉંના જથ્થાનો નાશ થયો હતો. જોડિયા તાલુકાના ભાદરા ચોકી પાસે આવેલા વાડી ખેતરોમાંથી મશીન વડે ઘઉં કાઢવાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન સાંજના સમયે મશીનમાં શોર્ટ સર્કીટ થવાના કારણે આગ લાગી હતી અને આગની જ્વાળાઓ સમગ્ર ખેતરના વાવેતરમાં ફેરવાઈ ગઈ હતી. જેથી આશરે ૩૦ વીઘા જમીનમાં પથરાયેલા ઘઉંનો ... વધુ વાંચો »

Mar 21, 2025
ટેન્કર ચાલક સામે પોલીસ મથકમાં ફરીયાદઃ જામનગર તા. ૨૧: જામનગર નજીક મોટી ખાવડી સ્થિત રિલાયન્સ ઓઇલ કંપનીમાંથી રૂપિયા ૨૬.૧૨ લાખની કિંમતનો ૩૪,૦૦૦ લીટર ડીઝલનો જથ્થો ભરીને નીકળેલો ટેન્કર ડ્રાઇવર મહારાષ્ટ્ર પહોંચવાને બદલે રફુ ચક્કર થયો હતો, અને ટેન્કર પણ બિન વારસુ અવસ્થામાં અને ખાલી મળી આવ્યું હતું, જેથી ટ્રાન્સપોર્ટ કંપનીના માલિક દ્વારા ટેન્કર ચાલક સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર મૂળ ગાંધીધામ કચ્છના વતની અને ટ્રાન્સપોર્ટ નો વ્યવસાય કરતા સચિનભાઈ ધનજીભાઈ લાવડીયાએ પોતાના ટેન્કરમાં મોટી ખાવડીની ... વધુ વાંચો »

Mar 21, 2025
મીઠાપુરમાં પોલીસની 'ઠંડી' કામગીરીનો નમૂનોઃ ઓખા તા. ર૧: એક તરફ રાજ્યભરમાં પોલીસ ઓપરેશાન ૧૦૦ કલાક ચલાવી રહી છે, અને ગુન્હેગારને ઝેર કરવાની છબિ ઉપસાવી રહી છે, અને બીજી બાજુ મીઠાપુરમાં પોલીસ નિષ્ક્રિય હોય એવું ચિત્ર ઉપસી રહ્યું છે, કારણ કે અહીં આવેલ શ્રી દ્વારકાધીશ આરોગ્યધામ આંખની હોસ્પિટલમાં એસીના આઉટડોર યુનિટની ચોરીના પ્રકરણમાં પોલીસ કોઈ કાર્યવાહી કરી રહી નથી. એવું જણાય રહ્યું છે. સંસ્થાના ફિઝિયોથેરાપી વિભાગના એક એસીનું આઉટડોર ગત્ તા. ... વધુ વાંચો »

Mar 21, 2025
જામનગર તા.ર૧ : દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાડીનારમાંથી એલસીબી પોલીસે ચોરાઉ બાઈક સાથે એક શખ્સની અટકાયત કરી છે અને તેના કબજામાંથી ચોરાઉ બાઈક કબજે કરાયું છે. દેવભુમિ દ્વારકા જિલ્લાની એલસીબી શાખાનો સ્ટાફ ગઈકાલે પેટ્રોલિંગમાં હતો ત્યારે પૂર્વ બાતમીના આધારે જિલ્લાના વાડીનારમાંથી મહેબુબ ઉર્ફે ડાડલો જુનુસભાઈ સુંભણીયાને ચોરાઉ બાઈક સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીના કબજામાંથી રૂ.૧પ હજારની કિંમતનું ચોરાઉ બાઈક કબજે કરી આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.   જો વધુ વાંચો »

Mar 21, 2025
જામનગર તા.૨૧ : જામનગર શહેર-જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી વાહન ચોરોનો ઉપાડો વધવા પામ્યો છે ત્યારે ગઈકાલે જિલ્લામાં અલગ અલગ બે સ્થળોએથી બે વાહનોની ઉઠાંતરી અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. જામનગરના ગોકુલનગર રડાર ગેઈટ પાસે રહેતા રમેશભાઈ દેવાભાઈ રાઠોડે ગત તા.૨૦ જાન્યુઆરીના સવારે છ વાગ્યે પોતાનું રૂ.૧૦ હજારની કિંમતનું જીજે-૧૦-એએચ ૫૩૩૯ નંબરનું મોટરસાયકલ ગોકુલનગર જકાતનાકાથી સમર્પણવાળા માર્ગે આવેલી એક હોટલ પાસે પાર્ક કર્યું હતું. ત્યાંથી કોઈ શખ્સો બીજા દિવસે બપોર સુધીમાં તેમનું આ મોટરસાયકલ ... વધુ વાંચો »

Mar 21, 2025
ગુજરાત હાઈકોર્ટમાં ન્યાયધીશની સંખ્યા થશે ૪૦નીઃ જામનગર તા.ર૧ : રાજ્યની લોયર જ્યુડીશીયરીમાં ફરજ બજાવતા આઠ ન્યાયધીશને બઢતી આપવા સુપ્રિમ કોર્ટ દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયંુ છે. જેમાં અગાઉ જામનગરમાં ફરજ બજાવી ચૂકેલા બે ન્યાયધીશનો સમાવેશ થાય છે. હવે આગામી દિવસોમાં કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા સત્તાવાર મંજૂરી આપવામાં આવશે. સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ સંજીવ ખન્ના, જસ્ટીસ બી.આર. ગવઈ અને જસ્ટીસ સૂર્યકાંતની બનેલી કોલેજીયમ ની મહત્ત્વની બેઠકમાં ગુજરાત હાઈકોર્ટમાં વધુ આઠ ... વધુ વાંચો »

Mar 21, 2025
માહિતી આપનાર વ્યક્તિની ઓળખ સુરક્ષિત રખાશેઃ જામનગર તા. ર૧: જામનગર શહેર અને જિલ્લામાં કોઈપણ ગુંડા તત્ત્વો નાગરિકોને પરેશાન કરતા હોય તો જામનગર શહેર-જિલ્લાના કોઈપણ નાગરિકે વિના સંકોચે જામનગરના પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ દ્વારા પ્રજાજનોને અનુરોધ કરાયો છે. જામનગર જિલ્લા પોલીસ તંત્ર દ્વારા નાગરિકોને સુરક્ષા આપવાની સાથે અનુરોધ કરાયો છે કે નાગરિકોએ પોતાના રહેણાંક વિસ્તાર, આપના વ્યવસાય/નોકરીના સ્થળની આજુબાજું કે અન્ય કોઈપણ જાહેર સ્થળોએ લુખ્ખાગીરી ... વધુ વાંચો »

Mar 21, 2025
વારસાઈ નોંધ સામે લેવાયો હતો વાંધોઃ જામનગર તા.૨૧ : ખંભાળિયાના મોટા માંઢા ગામમાં આવેલી ખેતીની કેટલીક જમીનોના માલિકનું અવસાન થતાં તેમના પત્નીનું નામ હક્કપત્રકે વારસાઈ નોંધમાં દાખલ કરવા તજવીજ કરાતા ત્રણ વારસાઈ નોંધ સામે વાંધો લેવાયો હતો. તેના કેસમાં ત્રણેય નોંધ પ્રમાણિત કરી આપવા આદેશ થયો છે. ખંભાળિયા તાલુકાના મોટા માંઢા ગામમાં આવેલી ખેતીની કેટલીક જમીન પબુભાઈ ભાચકન વગેરેના નામે રેવન્યુ રેકર્ડમાં નોંધાયેલી છે. તે દરમિયાન વર્ષ ૨૦૧૯માં પબુભાઈનું અવસાન ... વધુ વાંચો »

Mar 21, 2025
રૂ.૧૪ લાખનો મુદ્દામાલ કરાયો હતો કબજેઃ  જામનગર તા.ર૧ : જામનગરના કાલાવડ નાકા વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં ધોળે દિવસે ઘૂસી જઈ લૂંટ આચરનાર બે આરોપીને પોલીસે પકડી લીધા હતા. જેલ હવાલે થયેલા આરોપીમાંથી એક શખ્સે જામીનમુક્ત થવા કરેલી અરજી મંજૂર થઈ છે. જામનગરના કાલાવડ નાકા બહાર આવેલી તારમામદ સોસાયટીમાં વસવાટ કરતા એક વ્હોરા પરિવારના મકાનમાં આયુર્વેદિક દવા વેચવાના બહાને ઘૂસી ગયેલા બે અજાણ્યા શખ્સે એક વૃદ્ધા તથા તેમના પુત્રવધૂને બંધક બનાવી તિજોરીની ચાવી પાકીટમાંથી મેળવી તિજોરીમાંથી રૂ.૧ લાખ રોકડા અને રૂ.૧૩ લાખ ઉપરાંતના ... વધુ વાંચો »

Mar 21, 2025
જામનગર તા. ૨૧: જામનગરના જૈન કન્યા વિદ્યાલય શાળા પરિવાર દ્વારા ગુરૂમંદિરના ૧૫માં ધ્વજારોહણ પ્રસંગ યોજાયો હતો. આ પ્રસંગે પ.પૂ. સાધ્વીજી ભગવંતોએ નિશ્રા પ્રદાન કરી હતી. જેમાં જૈન કન્યા વિદ્યાલયની સમગ્ર બાળાઓ, શાળાના કર્મચારીઓ મહાજન સમાજના અગ્રણીઓએ હાજર રહીને પ્રસંગને દિપાવ્યો હતો. ટ્રસ્ટના તરફથી હિમંતલાલ કાનજીભાઈ શાહ, પાનાચંદ પદમશી ગુઢકા, રાજુભાઈ ગુઢકા, શાળા પરિવારના કમિટિ મેમ્બર્સ શાંતાબેન, કલાબેન શાહ, નિલમબેન શાહ, સૂર્યાબેન શાહ ઉપસ્થિતિમાં વિમલનાથ સ્નાત્ર મહિલામંડળ દ્વારા સ્નાત્રપૂજા તથા વિધિકાર કલ્પેશભાઈ દ્વારા પાંચ અભિષેક કરી વિધિવત ... વધુ વાંચો »

Mar 21, 2025
શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ જામનગર સંચાલિત જામનગર તા. ૨૧: શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહમાં તાજેતરમાં ટ્રસ્ટી મંડળના અધ્યક્ષ દીનાબેન મેહતા, કા. વા. સમિતિના પ્રમુખ અને મેને. ટ્રસ્ટી કરશનભાઈ ડાંગર ના સાન્નિધ્ય માં આયોજિત કરવામાં આવ્યો. આ પ્રસંગે ભવન નવીનીકરણના દાતા જયદેવભાઈ સંઘવી અને અમીબેન સંઘવી (આરવી એનકોન લિ. મુંબઈ) ની વિશેષ ઉપસ્થિતિમાં અને સૌ મહેમાનોના વરદ્ હસ્તે દીપ પ્રાગટ્ય કરી, આધુનિક સુવિધાઓથી સજ્જભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત અને પ્રાસંગિક ઉદ્બોધન પ્રમુખ કરશનભાઈ ડાંગરએ કર્યું હતું. આ પ્રસંગે ... વધુ વાંચો »

Mar 21, 2025
ગ્રામ પંચાયત દ્વારા સફાઈ કરવામાં નહીં આવે તો આંદોલનઃ કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામના કેશરિયા તળાવમાંથી કચરો-ગંદીકીની સફાઈ કરાવવા ગ્રામજનો દ્વારા માંગણી સાથે રજૂઆત કરવામાં આવી છે. જિલ્લા વિકાસ અધિકારીને પાઠવાયેલ પત્રમાં જણાવાયું છે કે તળાવ હાલ ગંદકીથી ખદબદી રહ્યું છે. પરિણામે આજુબાજુના રહેવાસીઓ, ધંધાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ તળાવમાં પીવા માટેના પાણીનો સંગ્રહ થાય છે, પરંતુ ભાટિયા ગ્રામ પંચાયત દ્વારા કેશરિયા તળાવની સફાઈ કરાવવામાં આવતી નથી. જરૂર પડ્યે આ માટે ... વધુ વાંચો »

Mar 21, 2025
કલેકટરે નિયમાનુસાર પ્રક્રિયા કરીને બાળકની કરી સોંપણી જામનગર તા. ૨૧: જામનગર જિલ્લામાં રહેતા શિવાંશને માં-બાપની હૂંફ મળી છે. જિલ્લા કલેકટર કેતન ઠકકર દ્વારા દત્તક વિધાન દ્વારા જામજોધપુરના બાળકને યુએસએના દંપતીને સોંપાયું હતું. બાળકના વાલીઓએ દત્તક અંગેની સરળ પ્રક્રિયા તેમજ સહયોગ બદલ સરકાર અને સ્થાનિક તંત્રનો આભાર વ્યકત કર્યો હતો. જામનગર કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેકટર કેતન ઠક્કર દ્વારા જામનગર જિલ્લાના જામજોધપુરમાં રહેતા બાળકને યુએસએના ન્યૂજર્સીમાં વસવાટ કરતાં દંપતીને દત્તક ... વધુ વાંચો »

Mar 21, 2025
ગુજરાતી નાટક 'માટીની મહેક'માં પાત્ર ભજવ્યું: ભાણવડ તાલુકાના જશાપર ગામની દીકરી કુ. મીરલ પ્રકાશભાઈ કરમુરે તાજેતરમાં ડો. આંબેડકર ભવન-ગાંધીનગરમાં સળંગ ૨૪ કલાક સુધી ગુજરાતી નાટક 'માટીની મહેક'માં માણેક મહેતી અને કુંવરબાઈનું પાત્ર ભજવી રેકોર્ડ બનાવ્યો છે. આ સાથે મીરલને વર્લ્ડ બુક ઓફ લંડનમાં સ્થાન આપવામાં આવ્યું છે. પૂ.શ્રી ધીરગુરૂદેવના જશાપર ચાતુર્માસમાં ખુબ જ સેવા કરનાર મિરલે આ સફળતા પ્રાપ્ત કરીને ગામનું ગૌરવ વધાર્યું છે.   જો આપને વધુ વાંચો »

Mar 21, 2025
નવાગામ ઘેડમાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં આયોજનઃ જામનગર તા. ૨૧: જામનગરના સૂર્યવંશી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયુષ્માનકાર્ડ, આધારકાર્ડ મોબાઈલ અપડેટ, અને બી.પી.-ડાયાબિટીસ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. સૂર્યવંશી એજ્યુ. એન્ડ ચેરી. ટ્રસ્ટના સ્થાપક સુભાષભાઈ બચુભાઈ ગુજરાતીના પિતા બચુભાઈ રામજીભાઈ ગુજરાતીને શ્રદ્ધાંજલિ અર્પવા આ ત્રણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. નવાગામ ઘેડમાં આવેલ ઈન્દિરા સોસાયટી વિસ્તારમાં રહેતા જરૂરિયાતમંદ લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો. જે.એમ.સી.ની આરોગ્ય, યુ.સી.ડી.ની આધારકાર્ડની ટીમ, ડી.પી.ઓ. નીયાતીબેન તેમજ ... વધુ વાંચો »

Mar 21, 2025
ઓખા-એર્નાકુલમ્ એક્સપ્રેસ રેગ્યુલેટર થશેઃ રાજકોટ તા. ર૧: રાજકોટ ડિવિઝનના વિરગામ-સુરેન્દ્રનગર સેક્શનમાં લીલાપુર રોડ-કેસરિયા રોડ સ્ટેશનો વચ્ચે સ્થિત બ્રીજ નંબર ર૩ માટે હાલના સ્ટીલ ગર્ડરની એ પીએસસી સ્લેબની જોગવાઈનું કામ એન્જિનિયરીંગ વિભાગ દ્વારા કરવામાં આવશે. આ બ્લોકને કારણે કેટલીક ટ્રેનો અસરગ્રસ્ત થશે. જેમાં રર-૩-ર૦રપ ના ટ્રેન નંબર ૧૯૧૯ ગાંધીનગર કેપિટલ-વેરાવળ એક્સપ્રેસ ગાંધીનગર કેપિટલથી ઉપડશે અને વિરમગામ સુધી જશે અને વીરમગામથી તેને ૧૯૧ર૦ વેરાવળ-ગાંધીનગર કેપિટલ તરીકે ચલાવવામાં આવશે. રર-૩-ર૦રપ ના ટ્રેન નંબર ... વધુ વાંચો »

Mar 21, 2025
દરેડ, જામનગરમાં નિર્માણાધીન જામનગર તા. ૨૧: જામનગરનજીક દરેડમાં આવેલ તક્ષશિલા સંકૂલમાં દ્વારકા શારદા પીઠાધિશ્વર જગતગુરૂ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજના કરકમલોથી ચિરંજીવી પરશુરામ ભગવાનનું ભવ્ય મંદિર નિર્માણનું ભૂમિ પૂજન આગામી તા. ૫-૫-૨૦૨૫ સોમવારના થનાર હોય, તેમાં પધારવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરા, કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, ધારાસભ્યો મેઘજીભાઈ ચાવડા, જામનગર (દક્ષિણ)ના દિવ્યેશભાઈ અકબરી, જામનગર (ઉત્તર) ના રીવાબા જાડેજા, બ્રહ્મસમાજના ધારાસભ્ય અમિતભાઈ ઠાકર, અનિરૂદ્ધભાઈ દવે, સેજલબેન પંડયાને સાથે રાખી નિમંત્રણ પાઠવવા ... વધુ વાંચો »

Mar 21, 2025
જિ.કલેક્ટર, જિ.વિકાસ અધિકારીને આવેદનપત્ર ખંભાળીયા તા. ૨૧: ગુજરાત રાજય આરોગ્યકર્મી મહામંડળ દ્વારા તા. ૧૭-૩-ર૦રપ ના અપાયલ વિવિધ પ્રશ્નો અંગે અચોક્કસ મુદ્દતની હડતાળમાં દ્વારકા જિલ્લાના તમામ તાલુકાઓ ખંભાળીયા, દ્વારકા, ભાણવડ તથા કલ્યાણપુરના સફાઈકર્મીઓ પણ જોડાયા હતાં તથા જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી તથા જિલ્લા આરોગ્ય અધિકારીને આવેદનપત્ર આપી પ્રશ્નોના નિકાલની માંગ કરી હતી. જેમાં મોટી સંખ્યામાં આરોગ્યકર્મીઓ સાથે જિલ્લા અગ્રણી રાજુભાઈ વ્યાસ પણ જોડાયા હતાં. વિવિધ આરોગ્ય કર્મીઓનો ટેકનિકલ કેડરમાં સમાવેશ કરવા તથા ગ્રેડ-પે ... વધુ વાંચો »

Mar 21, 2025
જામનગરના વોર્ડ નંબર-૯માં સંતોષી માતાજીના મંદિર પાસે અવાર-નવાર ગટર છલકાઈ રહી છે. સ્થાનિક રહીશો દ્વારા અનેક વખત રજુઆત છતાં કોઈ પગલા લેવામાં આવતા નથી પરિણામે રાહદારીઓ, વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ વિસ્તારમાં મંદિર, દેરાસર વગેરે ધાર્મિક સ્થળો આવેલ હોવાથી દર્શનાર્થીઓને વધુ મુશ્કેલી નડે છે.   જો આપને આ પોસ્ટ ગમી વધુ વાંચો »

Mar 21, 2025
પ્રદુષણ નિયંત્રણ બોર્ડના નીયમોની જાણકારી મળી રહે તે હેતુથી જામનગર તા. ૨૧: જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ, જામનગરના સંયુક્ત ઉપક્રમે એક ઓપન હાઉસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકની શરૂઆતમાં ચેમ્બર પ્રમુખ બિપેન્દ્રસિંહ સી. જાડેજાએ ઉપસ્થિતોનું સ્વાગત કરી આ ઓપન હાઉસ બેઠકમાં જીઆઈડીસીમાં નવા ઉદ્યોગકારોને કઈ રીતે અરજી કરવી તથા પ્રદુષણ નિયંત્રણ બોર્ડના નિયમોની જાણકારી મળી રહે તે હેતુથી આ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં ગુજરાત ... વધુ વાંચો »

Mar 21, 2025
અમદાવાદ તા. ૨૧: કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી રામ મોહન નાયડુએ આજે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર બહુપ્રતીક્ષિત ઉડાન યાત્રી કાફેનું ઉદ્ઘાટન કર્યું હતું. દેશભરના એરપોર્ટ પર મુસાફરોની સુવિધાઓ વધારવાની સરકારની પહેલમાં તે મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. ટર્મિનલ ૧ ના ચેક-ઇન હોલમાં સ્થિત નવું ઉડાન યાત્રી કાફે મુસાફરોને ૧૦ રૂપિયાથી શરૂ થતા નાસ્તાની સુવિધા પ્રદાન કરશે. ઉડાન યાત્રી કાફેનો ઉદ્દેશ્ય મુસાફરોને એરપોર્ટ પર ભોજન વધુ સસ્તું બનાવવા વ્યાજબી ભાવે ગુણવત્તાયુક્ત ખોરાક પૂરો ... વધુ વાંચો »

Mar 21, 2025
જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના આંખના રોગોના વિભાગ દ્વારા વિશ્વ ઝામર સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી, જે અંતર્ગત ઝામર અંગે જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. તેમજ ઝામરના દર્દીઓને પ્રાથમિકતા આપી સારવાર કરવામાં આવી હતી. બહોળી સંખ્યામાં દર્દીઓએ તપાસ તથા સારવારનો લાભ મેળવ્યો હતો.   જો આપને આ પોસ્ટ ગમી હોય વધુ વાંચો »

Mar 21, 2025
ભાણવડમાં એનિમલ લવર્સ ગ્રુપ દ્વારા દાતાઓના સહયોગથી વિનામૂલ્યે ચકલીઘર તથા પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં ત્રણ હજાર ચકલીઘર તથા ૧પ૦૦ પાણીના કુંડાનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે ભાણવડના પી.આઈ. કે.કે. મારૂ, જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ સંદીપભાઈ ખેતિયા, ડો. રમેશભાઈ ભટ્ટ, પ્રકાશભાઈ પંડ્યા વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.   જો આપને આ પોસ્ટ ગમી વધુ વાંચો »

Mar 21, 2025
પાણીની પાઈપલાઈન આવી પણ પાણી આવ્યું નહીં: ખંભાળિયા તા. ર૧: રામનાથ સોસાયટી નારાયણનગરમાં શક્તિનગર ગ્રામ પંચાયત મારફત ત્રણેક વર્ષ પહેલા 'નલ સે જલ' કાર્યક્રમ હેઠળ પિવાના પાણી માટે પાઈપલાઈન નાખવામાં આવી હતી. ત્યારપછી અનેક રજૂઆત કરવા છતાં હાલ સુધી પાણી શરૂ કરવામાં આવ્યું નથી. જેથી ખંભાળિયા ન.પા. જે લગત ગ્રામપંચાયતને પાણી આપે છે તે નારાયણનગરથી માત્ર ૧૦૦ મીટરના અંતરે જ આવેલ છે. આથી નારાયણનગરમાં પણ પાણી આપવા અંગે નિવૃત્ત તલાટી-કમ-મંત્રી પરિમલ લાખાણીએ તંત્ર ... વધુ વાંચો »

Mar 21, 2025
'મહિલા રોકડ પુરસ્કાર યોજના' માટે અરજીની તાકીદઃ જામનગર તા. ર૦: સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા વર્ષ ર૦ર૪-રા વર્ષમાં વિવિધ રમતોની રાજ્ય કક્ષાની શાળાકીય સ્પર્ધાઓ અં. ૧૪, ૧૭, ૧૯ અને સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા આયોજિત રાષ્ટ્ર કક્ષાની સ્પર્ધાઓમાં એસ.એ.જી. દ્વારા રાજ્યનું પ્રતિનિધિત્વ કરેલ મહિલા ખેલાડીઓને કોઈપણ એક જ રમતમાં તેમજ એક જ સિદ્ધિ માટે 'મહિલા રોકડ પુરસ્કાર યોજના' માટેનું ફોર્મ ઓનલાઈન માધ્યમથી જરૂરી પ્રમાણપત્રો જેવા કે મેરીટ સર્ટીફિકેટ, આધાર કાર્ડ, બેંક ... વધુ વાંચો »

Mar 21, 2025
એ.કે. દોશી વિદ્યાલયના વિદ્યાર્થીઓને જામનગર તા. ર૧: ગુજરાત સરકારશ્રી દ્વારા દર વર્ષે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. જેમાં શ્રી એ.કે. દોશી વિદ્યાલયના વિદ્યાર્થીઓએ વોલીબોલમાં (અન્ડર-૧૭) માં જિલ્લા કક્ષાએ પ્રથમ રેન્ક હાંસલ કરેલ છે. જે બદલ ટીમને રૂ. ૪૮,૦૦૦ રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓની આ સિદ્ધિ બદલ સંસ્થાના સેક્રેટરી જ્યોતિન્દ્રભાઈ વછરાજાની, ટ્રેઝરર રજીનીકાંતભાઈ પાગડા, શાળાના પ્રિન્સિપાલ ડાયરેક્ટર ભારતીબેન વાઢેર તેમજ પ્રિન્સિપાલ ધર્મેશભાઈ વિછીએ વ્યાયામ શિક્ષકો જયદીપભાઈ અગ્રાવત, ... વધુ વાંચો »

Mar 21, 2025
તેજીલા વાયરાઓના પગલે જામનગર તા. ર૧: જામનગરમાં તેજીલા વાયરાઓના પગલે છેલ્લા ચોવીસ કલાકમાં મહત્તમ તાપમાન વધુ ૧.૩ ડીગ્રી ઘટીને ૩૩.પ ડીગ્રીએ પહોંચી જતા બપોરે આકરા તાપમાં આંશિક ઘટાડો થયો હતો. જામનગરમાં ગઈકાલે પણ ઠંડી અને ગરમીભરી મિશ્ર ઋતુનો દોર યથાવત્ રહ્યો હતો. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન પવનની ગતિ વધીને પ્રતિકલાકની સરેરાશ ૩૦ થી ૩પ કિ.મી.ની રહેવા પામી હતી. તેજીલા વાયરાઓના પગલે સાંજે ઠંડક અનુભવાઈ હતી. ગતિમાન પવનના ... વધુ વાંચો »

Mar 21, 2025
મીઠાપુર તા. ર૧: મીઠાપુર નજીક આવેલ આરંભડાની દ્વારકાધીશ આરોગ્ય ધામ આંખની હોસ્પિટલમાં ર૩ મી માર્ચ અને રવિવારના હોસ્પિટલ તેમજ ડો. અમિત મેહતા (જામનગર) ના સૌજન્યથી વિનામૂલ્યે આંખના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો સમય સવારે ૯ થી ૧ર વાગ્યાનો રહેશે. આ કેમ્પમાં ચશ્માના નંબર કાઢી આપવામાં નહીં આવે. આંખના વિવિધ રોગોનું નિદાન કરી જરૂરી દવાઓ વિનામૂલ્યે આપવામાં આવશે. જરૂરિયાતવાળા દર્દીઓને આ કેમ્પનો લાભ લેવા જણાવાયું છે. આ કેમ્પમાં ડો. અમિત મહેતા (આંખ/ઝામરના નિષ્ણાત) તેમજ ડો. સમીપ ... વધુ વાંચો »

Mar 21, 2025
દ્વારકા તા. ર૧: દ્વારકાની જાણીતી દિવ્યાંગ બાળકો માટેની સામાજિક સંસ્થા રાધે ડીફરન્ટલી એબલ્ઠડ ફાઉન્ડેશનમાં આગામી રવિવારે વાર્ષિકોત્સવ નિમિત્તે વાત્સલ્ય પર્વ ર૦રપ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સંસ્થાના રસિકભાઈ છાયાના જણાવ્યાનુસાર તા. ર૩-૩-ર૦રપ ને રવિવારે સાંજે ૬ થી ૮ વાગ્યા સુધી સંસ્થાના દિવ્યાંગ બાળકો દ્વારા મહેમાનગણની ઉપસ્થિતિમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવનાર છે. સંસ્થા તરફથી શહેર શ્રેષ્ઠીઓ, વાલીગણ તેમજ અગ્રણીઓને ઉપસ્થિત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.   જો આપને વધુ વાંચો »

Mar 21, 2025
સંસ્કૃત ગૌરવ પરીક્ષામાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણઃ ખંભાળિયા તા. ર૧: ખંભાળિયાની એસએનડીટી હાઈસ્કૂલની ધો. ૯ ની વિદ્યાર્થિની સુગરા આમીનભાઈ જીંદાણીએ સંસ્કૃત ભારતી ગુજરાત આયોજિત સંસ્કૃત ગૌરવ પરીક્ષામાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ પ્રાપ્ત કરી સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવી સંસ્થા, ખંભાળિયા તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. શાળાના આચાર્ય સોનગરા તથા સંયોજક પ્રણવ શુક્લએ પ્રમાણપત્ર તથા રોકડ પુરસ્કાર આપી તેનું સન્માન કર્યું હતું.   જો આપને વધુ વાંચો »

Mar 21, 2025
ખંભાળિયા તા. ૨૧: સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ના વર્ષમાં વિવિધ રમતોની રાજ્યકક્ષાની શાળાકીય સ્પર્ધાઓ અંડર ૧૪, ૧૭, ૧૯ અને સ્કુલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત રાષ્ટ્રકક્ષાની સ્પર્ધામાં સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા રાજ્યનું પ્રતિનિધિત્વ કરેલ (ભાગ લીધેલ) મહિલા ખેલાડીઓ *મહિલા રોકડ પુરસ્કાર યોજના માટેનું ફોર્મ ભરી શકશે. કોઈ પણ એક જ રમતમાં તેમજ એક જ સિદ્ધિ માટે અરજી કરી શકાશે. ખેલાડીએ ઓનલાઈન માધ્યમથી મેરીટ સર્ટીફીકેટ, આધાર કાર્ડ, કેન્સલ ચેક વગેરે જરૂરી પ્રમાણપત્રો સાથે એસએજીની સાઈટ રંંૅજઃ// ... વધુ વાંચો »

Mar 21, 2025
'એક શામ શહીદો કે નામ' ખંભાળિયા તા. ૨૧: ખંભાળિયામાં રાજ્યમંત્રી મૂળુભાઈ બેરાની સ્મૃતિમાં રચાયેલા સ્વ. હરદાસભાઈ બેરા ચેરી. ટ્રસ્ટ દ્વારા શહીદ દિન તા. ર૩-૩-ર૦રપ ના 'એક શામ શહીદો કે નામ' શીર્ષક હેઠળ શહીદોને વિરાંજલિ અર્પણ કરવાના હેતુસર લોકડાયરાનો કાર્યક્રમ જામનગર રોડ પર વાછરાવાવની જગ્યાના મેદાનમાં યોજાશે. જેમાં જાણીતા કલાકારો રાજભા ગઢવી, ભાવેશ આહિર, મયુર દવે, પૂનમ ગોંડલિયા વગેરે કાર્યક્રમ રજૂ કરશે.   જો આપને  વધુ વાંચો »

Mar 21, 2025
સ્થાનિક /    વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો.... શુક્રવારે શેરબજારમાં તેજી જોવા મળી હતી.સેન્સેક્સ ૨૨૨ પોઈન્ટના ઉછાળા સાથે ૭૬૫૮૦ના સ્તરે હતો જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૭૭ પોઈન્ટની  ઉછાળા સાથે ૨૩૨૮૨ ના સ્તરે કામકાજ કરી રહ્યો હતો,જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૧૦૧ પોઈન્ટની ઉછાળા સાથે ૫૦૧૯૨ના સ્તરે કામકાજ કરી રહ્યો હતા.વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર હેલ્થકેર, ઓટો,ફાર્મા, ટેકનોલોજી, ઓઈલ એન્ડ ગેસ અને એફએમસીજી શેરોમાં ખરીદી જોવા મળી હતી. યુક્રેન-રશીયા વચ્ચેના યુદ્વનો અંત લાવવા અમેરિકી રાષ્ટ્રપતિ સાથે વાટાઘાટમાં રશીયાના પ્રમુખ પુતિને કેટલીક આકરી શરતો સાથે તૈયારી બતાવતાં અને ફેડ રિઝર્વ દ્વારા વ્યાજના દરો જાળવી રાખતા અને આગામી સમયમાં બે વખત રેટ ... વધુ વાંચો »

Mar 21, 2025
ઘરમાં આગ લાગતા રહસ્ય ખૂલ્યુ નવીદિલ્હી તા. ૨૧: દિલ્હી હાઈકોર્ટના જ્જના ઘરમાં લાગેલી આગથી એક મોટું રહસ્ય ખુલ્યું છે. હાઈકોર્ટના એક જજના ઘરેથી નોટોનો ઢગલો મળી આવ્યો છે. આ ઘટનાએ ન્યાયિક ગલિયારામાં ખળભળાટ મચાવી દીધો છે. આ મામલો એટલો ગંભીર હતો કે સુપ્રિમ કોર્ટના કોલેજિયમને હસ્તક્ષેપ કરવો પડ્યો અને પછી તે જજને બીજી હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવા પડ્યા છે. જે સમયે આગ લાગી તે સમયે હાઈકોર્ટના ન્યાયાધીશ યશવંત વર્મા શહેરની બહાર હતા. જ્યારે આગ લાગી ત્યારે તેના પરિવારના સભ્યોએ ફાયર બ્રિગેડ અને પોલીસને ફોન કર્યો. આગ ઓલવ્યા પછી, જ્યારે બચાવ ટીમ ... વધુ વાંચો »

Mar 21, 2025
માનવી, પશુ, પક્ષીઓને લૂ થી કેવી રીતે બચાવી શકાય ? : હિટ વેવ દરમિયાન નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુપક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક ઉપાયો અપનાવે તે જરૂરી છે, તે અંગે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ દ્વારા ગાઈડલાઈન્સ જાહેર કરી છે. ગુજરાતમાં આગામી દિવસો દરમ્યાન તાપમાન વધુ રહેવાની શકયતા છે. જેને અનુલક્ષીને નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુપક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક ઉપાયો અપનાવે તે જરૂરી છે.જિલ્લામાં હિટવેવ અંગેની અસરને ધ્યાને લેતા જાહેર જનતા માટે સાવધાની માટે કેટલાક સૂચનો અનુસરવા ડિસ્ટ્રીકટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ દ્વારા અનુરોધ કરાયો છે. લૂ ની માહિતી માટે, લૂ થી બચવા આટલું કરો રેડિયો સાંભળો, ટી.વી જુઓ, હવામાન અંગેના સ્થાનિક સમાચાર માટે વર્તમાન પત્ર ... વધુ વાંચો »

Mar 21, 2025
ગુજરાત વિધાનસભામાં એજ્યુકેશનના વિષય પર ચર્ચા થાય કે રાજ્ય અથવા રાષ્ટ્રીય કક્ષાના પ્લેટફોર્મ્સ પર ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ, સિસ્ટમ અને ભરતીપ્રક્રિયાની ચર્ચા થાય, ત્યારે સરકાર તરફથી વિવિધ પ્રકારના મોટા મોટા દાવાઓ થતા હોય છે, તો વિપક્ષો રાજ્યમાં પેપરલીક, કાર્યપદ્ધતિ તથા મોંઘા ખાનગી શિક્ષણ જેવા મુદ્દાઓ જોરશોરથી ઊઠાવતા હોય છે. આ બધા દાવા-પ્રતિદાવાઓ વચ્ચે ભરતી કેલેન્ડર તથા રાજ્યમાં ઉચ્ચ શિક્ષણની ચિંતાજનક સ્થિતિ અંગે વિવિધ ચર્ચાઓ પણ શરૂ થઈ ગઈ છે. એવા અહેવાલો પણ આવ્યા હતાં કે રાજ્ય સરકારે દસ વર્ષ આયોજનમાં કેટલીક ભૂલો કરી છે, અને ભરતી કેલેન્ડરમાં ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષકો અને આચાર્યો જ ભૂલાઈ ... વધુ વાંચો »

Mar 21, 2025
એક હજાર રોકડ સહિત પ૧,૦૦૦ નો મુદ્દામાલ કબજેઃ જામનગર તા. ર૧: જામનગરમાં વાહનચાલકો સાથે પોતાનું વાહન અથડાવ્યા પછી વાહનની નુક્સાનીના પૈસાની માંગણી કરવામાં આવે છે અથવા તો ધાક ધમકી આપીને લૂંટ ચલાવવાના બનાવો બનતા રહે છે. આવો જ એક કિસ્સો તાજેતરમાં જામનગરમાં બનવા પામ્યો હતો. જેની ફરિયાદના આધારે પોલીસે એક ગીરોહના ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે. જામનગરના સિટી 'બી' ડિવિઝન પોલીસ સ્ટેશન અને એલસીબી પોલીસ સ્ટાફ સંયુક્ત રીતે પેટ્રોલીંગમાં હતો. ત્યારે બાતમી મળી હતી કે ગત્ તા. ૯-૩-ર૦રપ ના દિવસે કિરણભાઈ સુરેશભાઈ ઝાલા પોતાનું એક્ટીવા લઈને નવાનાગના તરફ જતા હતાં ... વધુ વાંચો »

Mar 21, 2025
કલેકટરે નિયમાનુસાર પ્રક્રિયા કરીને બાળકની કરી સોંપણી જામનગર તા. ૨૧: જામનગર જિલ્લામાં રહેતા શિવાંશને માં-બાપની હૂંફ મળી છે. જિલ્લા કલેકટર કેતન ઠકકર દ્વારા દત્તક વિધાન દ્વારા જામજોધપુરના બાળકને યુએસએના દંપતીને સોંપાયું હતું. બાળકના વાલીઓએ દત્તક અંગેની સરળ પ્રક્રિયા તેમજ સહયોગ બદલ સરકાર અને સ્થાનિક તંત્રનો આભાર વ્યકત કર્યો હતો. જામનગર કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેકટર કેતન ઠક્કર દ્વારા જામનગર જિલ્લાના જામજોધપુરમાં રહેતા બાળકને યુએસએના ન્યૂજર્સીમાં વસવાટ કરતાં દંપતીને દત્તક વિધાન હેઠળ સોંપવામાં આવ્યું હતું. જુવેનાઈલ જસ્ટીસ એક્ટ ૨૦૧૫ની કલમ-૫૬ મુજબ દત્તક વિધાનની જોગવાઈ કરવામાં આવેલ છે. જેમાં અનાથ,ત્યજી દેવાયેલા ... વધુ વાંચો »

Mar 21, 2025
ટેન્કર ચાલક સામે પોલીસ મથકમાં ફરીયાદઃ જામનગર તા. ૨૧: જામનગર નજીક મોટી ખાવડી સ્થિત રિલાયન્સ ઓઇલ કંપનીમાંથી રૂપિયા ૨૬.૧૨ લાખની કિંમતનો ૩૪,૦૦૦ લીટર ડીઝલનો જથ્થો ભરીને નીકળેલો ટેન્કર ડ્રાઇવર મહારાષ્ટ્ર પહોંચવાને બદલે રફુ ચક્કર થયો હતો, અને ટેન્કર પણ બિન વારસુ અવસ્થામાં અને ખાલી મળી આવ્યું હતું, જેથી ટ્રાન્સપોર્ટ કંપનીના માલિક દ્વારા ટેન્કર ચાલક સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર મૂળ ગાંધીધામ કચ્છના વતની અને ટ્રાન્સપોર્ટ નો વ્યવસાય કરતા સચિનભાઈ ધનજીભાઈ લાવડીયાએ પોતાના ટેન્કરમાં મોટી ખાવડીની રિલાયન્સ કંપની માંથી રૂપિયા ૨૬.૧૨ લાખની કિંમતના ૩૪,૦૦૦ ડીઝલનો જથ્થો ભરીને રવાના કર્યું હતું. જે ટ્રક ટેન્કરને મહારાષ્ટ્રના ચંદ્રપુર વિસ્તારમાં હર્ષા ... વધુ વાંચો »

Mar 21, 2025
વાહનમાં મુસાફરો બેસાડવા મુદ્દે ડખ્ખોઃ જામનગર તા.૨૧ : જામનગરમાં સાતરસ્તા પાસે વાહનમાં મુસાફરો ભરવાના પ્રશ્ને બોલાચાલી થયા પછી એક વાહનચાલક ઉપર પાઈપ વડે હુમલો કરવા અંગે ત્રણ શખ્સ સામે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નં.પ૮માં રહેતા અને વાહન ચલાવતા નિલેશ જેઠાભાઈ માવ (ઉ.વ.૩૦) ગત સાંજે સાતરસ્તા પાસે પોતાની ઈકો કાર લઈને ઉભા હતા ત્યારે મુસાફરો બેસાડવાના પ્રશ્ને અન્ય વાહન ચાલક સાથે બોલાચાલી થતાં મામલો ગરમાયો હતો. આ પછી અલ્તાફ અને અન્ય બે શખ્સો મળી ત્રણેય શખ્સોએ લોખંડના પાઈપ વડે નિલેશ માવ ઉપર હુમલો કર્યાે હતો. જેમાં તેને ... વધુ વાંચો »

Mar 21, 2025
ઓખા-એર્નાકુલમ્ એક્સપ્રેસ રેગ્યુલેટર થશેઃ રાજકોટ તા. ર૧: રાજકોટ ડિવિઝનના વિરગામ-સુરેન્દ્રનગર સેક્શનમાં લીલાપુર રોડ-કેસરિયા રોડ સ્ટેશનો વચ્ચે સ્થિત બ્રીજ નંબર ર૩ માટે હાલના સ્ટીલ ગર્ડરની એ પીએસસી સ્લેબની જોગવાઈનું કામ એન્જિનિયરીંગ વિભાગ દ્વારા કરવામાં આવશે. આ બ્લોકને કારણે કેટલીક ટ્રેનો અસરગ્રસ્ત થશે. જેમાં રર-૩-ર૦રપ ના ટ્રેન નંબર ૧૯૧૯ ગાંધીનગર કેપિટલ-વેરાવળ એક્સપ્રેસ ગાંધીનગર કેપિટલથી ઉપડશે અને વિરમગામ સુધી જશે અને વીરમગામથી તેને ૧૯૧ર૦ વેરાવળ-ગાંધીનગર કેપિટલ તરીકે ચલાવવામાં આવશે. રર-૩-ર૦રપ ના ટ્રેન નંબર ૧૯૧ર૦ વેરાવળ-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ વેરાવળથી ઉપડશે અને સુરેન્દ્રનગર સુધી જશે અને સુરેન્દ્રનગરથી તેને ૧૯૧૧૯ ગાંધીનગર કેપિટલ-વેરાવળ તરીકે ચલાવવામાં આવશે. તેમજ ... વધુ વાંચો »

Mar 21, 2025
હાલારમાં અવિરત જુગારની મોસમઃ જામનગર તા.ર૧ : હાલારમાં ગઈકાલે પોલીસે જુગારની બાતમીના આધારે અલગ અલગ બે સ્થળોએ દરોડા પાડ્યા હતા. જેમાં જામનગરમાં જુગાર રમી રહેલા પાંચ શખ્સ, જ્યારે ભાણવડમાં જુગાર રમતા સાત શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા હતા અને જુગારના સ્થળેથી રોકડ રકમ વગેરે કબજે કર્યા હતા. જામનગરમાં આઠ માળીયા આવાસ પાસે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે ગઈકાલે બપોરે દરોડો પાડ્યો હતો અને ગંજીપાનાથી તીનપત્તીનો જુગાર રમતા નાગશીભાઈ નાગડાભાઈ કારીયા, દેવશીભાઈ ભીમશીભાઈ વાઢીયા, કમલેશભાઈ કાયાભાઈ કારીયા, ગોવાભાઈ રામભાઈ કાંબરીયા અને રામદેભાઈ પીઠાભાઈ કોટાને પોલીસે ઝડપી પાડ્યા હતા અને જુગારના ... વધુ વાંચો »

Mar 21, 2025
અમદાવાદ તા. ૨૧: કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી રામ મોહન નાયડુએ આજે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર બહુપ્રતીક્ષિત ઉડાન યાત્રી કાફેનું ઉદ્ઘાટન કર્યું હતું. દેશભરના એરપોર્ટ પર મુસાફરોની સુવિધાઓ વધારવાની સરકારની પહેલમાં તે મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. ટર્મિનલ ૧ ના ચેક-ઇન હોલમાં સ્થિત નવું ઉડાન યાત્રી કાફે મુસાફરોને ૧૦ રૂપિયાથી શરૂ થતા નાસ્તાની સુવિધા પ્રદાન કરશે. ઉડાન યાત્રી કાફેનો ઉદ્દેશ્ય મુસાફરોને એરપોર્ટ પર ભોજન વધુ સસ્તું બનાવવા વ્યાજબી ભાવે ગુણવત્તાયુક્ત ખોરાક પૂરો પાડવાનો છે. કાફેનો પ્રારંભ એરપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આધુનિક બનાવવાની વ્યાપક વ્યૂહરચનાનો એક ભાગ છે. તે હવાઈ મુસાફરીમાં વધુ લોકો માટે એક ... વધુ વાંચો »

Mar 21, 2025
ગુજરાતી નાટક 'માટીની મહેક'માં પાત્ર ભજવ્યું: ભાણવડ તાલુકાના જશાપર ગામની દીકરી કુ. મીરલ પ્રકાશભાઈ કરમુરે તાજેતરમાં ડો. આંબેડકર ભવન-ગાંધીનગરમાં સળંગ ૨૪ કલાક સુધી ગુજરાતી નાટક 'માટીની મહેક'માં માણેક મહેતી અને કુંવરબાઈનું પાત્ર ભજવી રેકોર્ડ બનાવ્યો છે. આ સાથે મીરલને વર્લ્ડ બુક ઓફ લંડનમાં સ્થાન આપવામાં આવ્યું છે. પૂ.શ્રી ધીરગુરૂદેવના જશાપર ચાતુર્માસમાં ખુબ જ સેવા કરનાર મિરલે આ સફળતા પ્રાપ્ત કરીને ગામનું ગૌરવ વધાર્યું છે.   જો આપને આ પોસ્ટ ગમી વધુ વાંચો »

Mar 21, 2025
માહિતી આપનાર વ્યક્તિની ઓળખ સુરક્ષિત રખાશેઃ જામનગર તા. ર૧: જામનગર શહેર અને જિલ્લામાં કોઈપણ ગુંડા તત્ત્વો નાગરિકોને પરેશાન કરતા હોય તો જામનગર શહેર-જિલ્લાના કોઈપણ નાગરિકે વિના સંકોચે જામનગરના પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ દ્વારા પ્રજાજનોને અનુરોધ કરાયો છે. જામનગર જિલ્લા પોલીસ તંત્ર દ્વારા નાગરિકોને સુરક્ષા આપવાની સાથે અનુરોધ કરાયો છે કે નાગરિકોએ પોતાના રહેણાંક વિસ્તાર, આપના વ્યવસાય/નોકરીના સ્થળની આજુબાજું કે અન્ય કોઈપણ જાહેર સ્થળોએ લુખ્ખાગીરી કરનારા, ભય ફેલાવનારા કે અન્ય કોઈપણ પ્રકારના ગેરકાયદેસર કૃત્ય કરનારા અસામાજિક તત્ત્વોની રંજાડ હોય તો આવા તત્ત્વો વિરૂદ્ધ પોલીસે ખાસ ... વધુ વાંચો »

Mar 21, 2025
દરેડ, જામનગરમાં નિર્માણાધીન જામનગર તા. ૨૧: જામનગરનજીક દરેડમાં આવેલ તક્ષશિલા સંકૂલમાં દ્વારકા શારદા પીઠાધિશ્વર જગતગુરૂ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજના કરકમલોથી ચિરંજીવી પરશુરામ ભગવાનનું ભવ્ય મંદિર નિર્માણનું ભૂમિ પૂજન આગામી તા. ૫-૫-૨૦૨૫ સોમવારના થનાર હોય, તેમાં પધારવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરા, કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, ધારાસભ્યો મેઘજીભાઈ ચાવડા, જામનગર (દક્ષિણ)ના દિવ્યેશભાઈ અકબરી, જામનગર (ઉત્તર) ના રીવાબા જાડેજા, બ્રહ્મસમાજના ધારાસભ્ય અમિતભાઈ ઠાકર, અનિરૂદ્ધભાઈ દવે, સેજલબેન પંડયાને સાથે રાખી નિમંત્રણ પાઠવવા શુભેચ્છા મુલાકાત લઈ ભૂમિપૂજનમાં પધારવા નિમંત્રણ આપવામાં આવ્યું હતું. તક્ષશિલા પરિવારના સભ્યો અર્ચનાબેન ઠાકર (ભાજપ પ્રદેશ મહિલા ... વધુ વાંચો »

Mar 21, 2025
પ્રદુષણ નિયંત્રણ બોર્ડના નીયમોની જાણકારી મળી રહે તે હેતુથી જામનગર તા. ૨૧: જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ, જામનગરના સંયુક્ત ઉપક્રમે એક ઓપન હાઉસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકની શરૂઆતમાં ચેમ્બર પ્રમુખ બિપેન્દ્રસિંહ સી. જાડેજાએ ઉપસ્થિતોનું સ્વાગત કરી આ ઓપન હાઉસ બેઠકમાં જીઆઈડીસીમાં નવા ઉદ્યોગકારોને કઈ રીતે અરજી કરવી તથા પ્રદુષણ નિયંત્રણ બોર્ડના નિયમોની જાણકારી મળી રહે તે હેતુથી આ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં ગુજરાત પ્રદુષણ નિયુત્રણ બોર્ડ, જામનગરના પ્રાદેશિક અધિકારી જી.બી. ભટ્ટ તથા અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ તકે ચેમ્બર પ્રમુખ જી.બી. ભટ્ટનું ... વધુ વાંચો »

Mar 21, 2025
સંસ્કૃત ગૌરવ પરીક્ષામાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણઃ ખંભાળિયા તા. ર૧: ખંભાળિયાની એસએનડીટી હાઈસ્કૂલની ધો. ૯ ની વિદ્યાર્થિની સુગરા આમીનભાઈ જીંદાણીએ સંસ્કૃત ભારતી ગુજરાત આયોજિત સંસ્કૃત ગૌરવ પરીક્ષામાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ પ્રાપ્ત કરી સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવી સંસ્થા, ખંભાળિયા તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. શાળાના આચાર્ય સોનગરા તથા સંયોજક પ્રણવ શુક્લએ પ્રમાણપત્ર તથા રોકડ પુરસ્કાર આપી તેનું સન્માન કર્યું હતું.   જો આપને આ પોસ્ટ ગમી  વધુ વાંચો »

Mar 21, 2025
શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ જામનગર સંચાલિત જામનગર તા. ૨૧: શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહમાં તાજેતરમાં ટ્રસ્ટી મંડળના અધ્યક્ષ દીનાબેન મેહતા, કા. વા. સમિતિના પ્રમુખ અને મેને. ટ્રસ્ટી કરશનભાઈ ડાંગર ના સાન્નિધ્ય માં આયોજિત કરવામાં આવ્યો. આ પ્રસંગે ભવન નવીનીકરણના દાતા જયદેવભાઈ સંઘવી અને અમીબેન સંઘવી (આરવી એનકોન લિ. મુંબઈ) ની વિશેષ ઉપસ્થિતિમાં અને સૌ મહેમાનોના વરદ્ હસ્તે દીપ પ્રાગટ્ય કરી, આધુનિક સુવિધાઓથી સજ્જભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત અને પ્રાસંગિક ઉદ્બોધન પ્રમુખ કરશનભાઈ ડાંગરએ કર્યું હતું. આ પ્રસંગે વિભાગ ના અન્ય દાતા રામાણી (એસબીઆઈના રિજિયોનલ મેનેજર), ઠાકુર (આઈઓસી જામનગર), સાબુ, કીર્તિભાઈ ફોફરિયાનું સન્માન કરવામાં આવ્યું, સાથે સાથે, જામનગર ... વધુ વાંચો »

Mar 21, 2025
જામનગરના વોર્ડ નંબર-૯માં સંતોષી માતાજીના મંદિર પાસે અવાર-નવાર ગટર છલકાઈ રહી છે. સ્થાનિક રહીશો દ્વારા અનેક વખત રજુઆત છતાં કોઈ પગલા લેવામાં આવતા નથી પરિણામે રાહદારીઓ, વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ વિસ્તારમાં મંદિર, દેરાસર વગેરે ધાર્મિક સ્થળો આવેલ હોવાથી દર્શનાર્થીઓને વધુ મુશ્કેલી નડે છે.   જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર વધુ વાંચો »

Mar 21, 2025
તેજીલા વાયરાઓના પગલે જામનગર તા. ર૧: જામનગરમાં તેજીલા વાયરાઓના પગલે છેલ્લા ચોવીસ કલાકમાં મહત્તમ તાપમાન વધુ ૧.૩ ડીગ્રી ઘટીને ૩૩.પ ડીગ્રીએ પહોંચી જતા બપોરે આકરા તાપમાં આંશિક ઘટાડો થયો હતો. જામનગરમાં ગઈકાલે પણ ઠંડી અને ગરમીભરી મિશ્ર ઋતુનો દોર યથાવત્ રહ્યો હતો. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન પવનની ગતિ વધીને પ્રતિકલાકની સરેરાશ ૩૦ થી ૩પ કિ.મી.ની રહેવા પામી હતી. તેજીલા વાયરાઓના પગલે સાંજે ઠંડક અનુભવાઈ હતી. ગતિમાન પવનના પગલે છેલ્લા ચોવીસ કલાકમાં જામનગરમાં મહત્તમ તાપમાન વધુ ૧.૩ ડીગ્રી ઘટીને ૩૩.પ ડીગ્રી નોંધાયું હતું. તાપમાનમાં થયેલા ઘટાડાના પગલે બપોરે ... વધુ વાંચો »

Mar 21, 2025
કાળઝાળ ગરમીનો કહેર નવી દિલ્હી તા.૨૧: પહેલી ગરમ રાત ૧૫ માર્ચ, ૨૦૨૫ના રોજ ઓડિશા અને ઝારખંડમાં નોંધાઈ હતી, જ્યારે ગયા વર્ષે ૨૦૨૪માં ગુજરાત અને મહારાષ્ટ્રમાં ૨૭ માર્ચે આ સ્થિતિ જોવા મળી હતી. દેશમાં તાપમાન ઝડપથી વધી રહૃાું છે, જેના કારણે આ વખતે ફેબ્રુઆરીમાં જ ગરમીની અસર દેખાવા લાગી હતી. ભારતીય હવામાન વિભાગ દ્વારા વ્યાખ્યાયિત કરાયેલ શિયાળાના ફેબ્રુઆરી મહિનામાં પહેલી વાર ગરમીનું મોજું આવ્યું. ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૫ના , ગોવા અને મહારાષ્ટ્રમાં આ વર્ષની પહેલી ગરમીનો અનુભવ થયો હતો. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા ૧૨૫ વર્ષમાં ફેબ્રુઆરીમાં આટલી ભારે ગરમી કયારેય ... વધુ વાંચો »

Mar 21, 2025
દારૂ મોકલનાર અને મંગાવનારની શોધખોળઃ જામનગર તા.ર૧ : જામનગરના રામેશ્વરનગર વિસ્તારમાંથી એક વાહનચાલક ને પોલીસે રોક્યો હતો અને તલાશી લેતા તેના કબજામાંથી રૂ.૧૮૧૦૦ની કિંમતના અંગ્રેજી દારૂના ૧૮૧ નંગ પાઉચ મળી આવ્યા હતા. આથી પોલીસે દારૂ સાથે આરોપીની ધરપકડ કરી હતી. જ્યારે આ ગુન્હામાં અન્ય બેના નામ ખૂલવા પામ્યા છે. પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. એલસીબી પોલીસનો સ્ટાફ ગઈકાલે પેટ્રોલિંગમાં હતો ત્યારે શહેરના રામેશ્વરનગરના મધુરમ સોસાયટીમાંથી એક્સેસ સ્કૂટર લઈ પસાર થતાં વિશાલ નીતિનભાઈ સીસોદીયા (રહે. માતૃઆશિષ સોસાયટી શેરી નં.પ, જામનગર, મૂળ પીપર તા. લાલપુર)ને આંતર્યાે હતો અને તલાશી લેતા તેના ... વધુ વાંચો »

Mar 21, 2025
આવતીકાલથી ક્રિકેટ કાર્નિવલઃ મુંબઈ તા. ર૧: આવતીકાલે આઈપીએલ શરૂ થઈ રહી છે. પ્રથમ મેચમાં, ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર એકબીજા સામે ટકરાશે. બન્ને ટીમો વચ્ચેની મેચ કોલકાતાના ઈડનગાર્ડન્સમાં રમાશે. આ પહેલા એક રંગારંગ ઉદ્ઘાટન સમારોહ થશે. આ ઉદ્ઘાટન સમારોહમાં ઘણા પ્રખ્યાત ચહેરાઓ જોવા મળશે. આઈપીએલ ઓપનિગ સેરેમનીમાં બોલિવૂડ અભિનેત્રી દિશા પટણી ઉપરાંત ગાયિકા શ્રેયા ઘોષાલ અને અરિજિતસિંહ જેવા જાણીતા ચહેરાઓ જોવા મળશે. આઈપીએલ ચેરમેન જય શાહ સાથે, ઘણા વરિષ્ઠ અધિકારીઓ આઈપીએલ ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત રહેશે. દરમિયાન ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળના પ્રમુખ તોહાશિષ ગાંગુલીએ કહ્યું, આ એક ... વધુ વાંચો »

Mar 21, 2025
વારસાઈ નોંધ સામે લેવાયો હતો વાંધોઃ જામનગર તા.૨૧ : ખંભાળિયાના મોટા માંઢા ગામમાં આવેલી ખેતીની કેટલીક જમીનોના માલિકનું અવસાન થતાં તેમના પત્નીનું નામ હક્કપત્રકે વારસાઈ નોંધમાં દાખલ કરવા તજવીજ કરાતા ત્રણ વારસાઈ નોંધ સામે વાંધો લેવાયો હતો. તેના કેસમાં ત્રણેય નોંધ પ્રમાણિત કરી આપવા આદેશ થયો છે. ખંભાળિયા તાલુકાના મોટા માંઢા ગામમાં આવેલી ખેતીની કેટલીક જમીન પબુભાઈ ભાચકન વગેરેના નામે રેવન્યુ રેકર્ડમાં નોંધાયેલી છે. તે દરમિયાન વર્ષ ૨૦૧૯માં પબુભાઈનું અવસાન થતાં તેમના પત્ની બુધીબેનના નામની હક્કપત્રકમાં વારસાઈ નોંધ કરાઈ હતી. આ જમીનના અન્ય માલિકો દ્વારા ત્રણ વારસાઈ ... વધુ વાંચો »

Mar 21, 2025
ગુજરાત હાઈકોર્ટમાં ન્યાયધીશની સંખ્યા થશે ૪૦નીઃ જામનગર તા.ર૧ : રાજ્યની લોયર જ્યુડીશીયરીમાં ફરજ બજાવતા આઠ ન્યાયધીશને બઢતી આપવા સુપ્રિમ કોર્ટ દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયંુ છે. જેમાં અગાઉ જામનગરમાં ફરજ બજાવી ચૂકેલા બે ન્યાયધીશનો સમાવેશ થાય છે. હવે આગામી દિવસોમાં કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા સત્તાવાર મંજૂરી આપવામાં આવશે. સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ સંજીવ ખન્ના, જસ્ટીસ બી.આર. ગવઈ અને જસ્ટીસ સૂર્યકાંતની બનેલી કોલેજીયમ ની મહત્ત્વની બેઠકમાં ગુજરાત હાઈકોર્ટમાં વધુ આઠ ન્યાયમૂર્તિ ઓના નામની દરખાસ્તને વિધિવત મંજૂરી આપવામાં આવી હતી. આમ હાઈકોર્ટમાં ન્યાયમૂર્તિની સંખ્યા ૩ર છે જે વધીને હવે ૪૦ થશે. ... વધુ વાંચો »

Mar 21, 2025
જિ.કલેક્ટર, જિ.વિકાસ અધિકારીને આવેદનપત્ર ખંભાળીયા તા. ૨૧: ગુજરાત રાજય આરોગ્યકર્મી મહામંડળ દ્વારા તા. ૧૭-૩-ર૦રપ ના અપાયલ વિવિધ પ્રશ્નો અંગે અચોક્કસ મુદ્દતની હડતાળમાં દ્વારકા જિલ્લાના તમામ તાલુકાઓ ખંભાળીયા, દ્વારકા, ભાણવડ તથા કલ્યાણપુરના સફાઈકર્મીઓ પણ જોડાયા હતાં તથા જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી તથા જિલ્લા આરોગ્ય અધિકારીને આવેદનપત્ર આપી પ્રશ્નોના નિકાલની માંગ કરી હતી. જેમાં મોટી સંખ્યામાં આરોગ્યકર્મીઓ સાથે જિલ્લા અગ્રણી રાજુભાઈ વ્યાસ પણ જોડાયા હતાં. વિવિધ આરોગ્ય કર્મીઓનો ટેકનિકલ કેડરમાં સમાવેશ કરવા તથા ગ્રેડ-પે ની ખાતાકીય પરીક્ષા રદ્દ કરવાની માંગ સાથે પ્રમોશનો અને ઉ.પ.ધો.નો લાભ તાકીદે આપવાની માંગ પણ કરવામાં આવી હતી.   વધુ વાંચો »

Mar 21, 2025
જામનગર તા. ૨૧: જામનગરના જૈન કન્યા વિદ્યાલય શાળા પરિવાર દ્વારા ગુરૂમંદિરના ૧૫માં ધ્વજારોહણ પ્રસંગ યોજાયો હતો. આ પ્રસંગે પ.પૂ. સાધ્વીજી ભગવંતોએ નિશ્રા પ્રદાન કરી હતી. જેમાં જૈન કન્યા વિદ્યાલયની સમગ્ર બાળાઓ, શાળાના કર્મચારીઓ મહાજન સમાજના અગ્રણીઓએ હાજર રહીને પ્રસંગને દિપાવ્યો હતો. ટ્રસ્ટના તરફથી હિમંતલાલ કાનજીભાઈ શાહ, પાનાચંદ પદમશી ગુઢકા, રાજુભાઈ ગુઢકા, શાળા પરિવારના કમિટિ મેમ્બર્સ શાંતાબેન, કલાબેન શાહ, નિલમબેન શાહ, સૂર્યાબેન શાહ ઉપસ્થિતિમાં વિમલનાથ સ્નાત્ર મહિલામંડળ દ્વારા સ્નાત્રપૂજા તથા વિધિકાર કલ્પેશભાઈ દ્વારા પાંચ અભિષેક કરી વિધિવત શાળા પરિવાર દ્વારા ૧૫મી ધ્વજા હર્ષોલ્લાસ સાથે ચઢાવવામાં આવી હતી. ગુરૂદેવને ફૂલોની આંગી, ઘઉલી અને રંગોળી દ્વારા શણગારવામાં આવ્યા હતાં. ... વધુ વાંચો »

Mar 21, 2025
જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના આંખના રોગોના વિભાગ દ્વારા વિશ્વ ઝામર સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી, જે અંતર્ગત ઝામર અંગે જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. તેમજ ઝામરના દર્દીઓને પ્રાથમિકતા આપી સારવાર કરવામાં આવી હતી. બહોળી સંખ્યામાં દર્દીઓએ તપાસ તથા સારવારનો લાભ મેળવ્યો હતો.   જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો... વધુ વાંચો »

Mar 21, 2025
આરોપી પાસેનું બાઈક પણ ચોરાઉ હોવાનું ખૂલ્યું: જામનગર તા.ર૧ : દેવભૂમિ દ્વારકા જિલ્લાની પોલીસે વાડીનાર-ભરાણા માર્ગે એક બાઈકચાલકને ઝડપી પાડ્યો હતો અને પૂછપરછ કરતા તેની પાસેનું બાઈક ચોરાઉ હોવાનું જાણવા મળ્યું હતું. આ ઉપરાંત નવરાત્રિ દરમિયાન આરોપીએ ચોરી કરેલા રૂ.૪પ હજારનું મંગળસૂત્ર પણ પોલીસે કબજે કર્યું છે અને એક સાથે બે ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે એએસઆઈ મશરીભાઈ ભારવાડીયા, જેસલસિંહ જાડેજા અને હે.કો. લાખાભાઈ પીંડારીયાને મળેલી બાતમીના આધારે ખંભાળિયા તાલુકાના વાડીનાર નજીક રહેતા હુસેન તાલબભાઈ ભાયાને ચોરાઉ બાઈક સાથે ઝડપી પાડ્યો હતો. ... વધુ વાંચો »

Mar 21, 2025
સરકારે રાજ્યસભામાં જાહેર કર્યા આંકડા નવી દિલ્હી તા. ર૧: કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ ગુરુવારે સરકાર પાસેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા છેલ્લા ૩ વર્ષમાં કરવામાં આવેલી વિદેશ મુલાકાતો પર થયેલા ખર્ચની વિગતો માંગી હતી. આ મુદ્દે વિદેશ રાજ્યમંત્રી પાબિત્રા માર્ગરિટાએ રાજ્યસભામાં લેખિતમાં જણાવ્યું હતું કે, વર્ષ મે ર૦રર થી ડિસેમ્બર ર૦ર૪ દરમિયાન વડાપ્રધાન મોદીના વિદેશ પ્રવાસો પર કેટલો ખર્ચ થયો હતો. રાજ્યસભામાં આપેલા જવાબ મુજબ ૩ર મહિનામાં તેમણે ૩૮ વિદેશયાત્રાઓ કરી હતી, જેમાં કુલ રપ૮ કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. ને૫ાળ મુલાકાત દરમિયાન સૌથી ઓછો ૮૦,૦૧,૪૮૩ રૂપિયા ... વધુ વાંચો »

Mar 21, 2025
જામનગર તા.૨૧ : જામનગર શહેર-જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી વાહન ચોરોનો ઉપાડો વધવા પામ્યો છે ત્યારે ગઈકાલે જિલ્લામાં અલગ અલગ બે સ્થળોએથી બે વાહનોની ઉઠાંતરી અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. જામનગરના ગોકુલનગર રડાર ગેઈટ પાસે રહેતા રમેશભાઈ દેવાભાઈ રાઠોડે ગત તા.૨૦ જાન્યુઆરીના સવારે છ વાગ્યે પોતાનું રૂ.૧૦ હજારની કિંમતનું જીજે-૧૦-એએચ ૫૩૩૯ નંબરનું મોટરસાયકલ ગોકુલનગર જકાતનાકાથી સમર્પણવાળા માર્ગે આવેલી એક હોટલ પાસે પાર્ક કર્યું હતું. ત્યાંથી કોઈ શખ્સો બીજા દિવસે બપોર સુધીમાં તેમનું આ મોટરસાયકલ ચોરી કરી લઈ ગયા હતા. આ બનાવ અંગે રમેશભાઈ રાઠોડની ફરિયાદના આધારે પોલીસે ગઈકાલે ગુન્હો નોંધ્યો હતો. ... વધુ વાંચો »

Mar 21, 2025
'મહિલા રોકડ પુરસ્કાર યોજના' માટે અરજીની તાકીદઃ જામનગર તા. ર૦: સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા વર્ષ ર૦ર૪-રા વર્ષમાં વિવિધ રમતોની રાજ્ય કક્ષાની શાળાકીય સ્પર્ધાઓ અં. ૧૪, ૧૭, ૧૯ અને સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા આયોજિત રાષ્ટ્ર કક્ષાની સ્પર્ધાઓમાં એસ.એ.જી. દ્વારા રાજ્યનું પ્રતિનિધિત્વ કરેલ મહિલા ખેલાડીઓને કોઈપણ એક જ રમતમાં તેમજ એક જ સિદ્ધિ માટે 'મહિલા રોકડ પુરસ્કાર યોજના' માટેનું ફોર્મ ઓનલાઈન માધ્યમથી જરૂરી પ્રમાણપત્રો જેવા કે મેરીટ સર્ટીફિકેટ, આધાર કાર્ડ, બેંક ખાતાની વિગતો/કેન્સલ ચેક વગેરે સાથે સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતની વેબસાઈટ રંંૅજઃ//ર્જૅિંજટ્ઠેંર્રિૈંઅ.ખ્તેદ્ઘટ્ઠટ્ઠિં.ર્ખ્તદૃ.ૈહ પર તા. ૧૭-૪-ર૦રપ સુધીમાં અરજી કરવાની રહેશે. આગળના વર્ષના ... વધુ વાંચો »

Mar 21, 2025
ભાણવડમાં એનિમલ લવર્સ ગ્રુપ દ્વારા દાતાઓના સહયોગથી વિનામૂલ્યે ચકલીઘર તથા પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં ત્રણ હજાર ચકલીઘર તથા ૧પ૦૦ પાણીના કુંડાનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે ભાણવડના પી.આઈ. કે.કે. મારૂ, જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ સંદીપભાઈ ખેતિયા, ડો. રમેશભાઈ ભટ્ટ, પ્રકાશભાઈ પંડ્યા વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.   જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર  વધુ વાંચો »

Mar 21, 2025
ખેડૂતને હૃદયરોગનો હુમલો આવી ગયોઃ આધેડે દવા પીધીઃ જામનગર તા.ર૧ : હાલાર પંથકમાં અપમૃત્યુ અને આત્મહત્યાના બે બનાવમાં એક વૃદ્ધ તથા એક આધેડના મૃત્યુ નિપજ્યા છે. ધ્રોલ પંથકના ખેડૂત વૃદ્ધને હૃદયરોગનો હુમલો આવી જતાં તેમનું મૃત્યુ થયું હતું. જ્યારે કલ્યાણપુર તાલુકાના ગોલણશેરડી ગામના એક આધેડે જંતુનાશક દવા પી લેતાં તેનું સારવારમાં મૃત્યુ નિપજ્યું છે. ધ્રોલ તાલુકાના દેડકદળ ગામમાં રહેતા પરસોત્તમભાઈ ચકુભાઈ પાદરીયા નામના બાંસઠ વર્ષના વૃદ્ધ ગઈકાલે બપોરે પોતાની વાડીમાં ખેતી કામ કરતા હતા ત્યારે અચાનક હૃદયરોગનો હુમલો આવી ગયો હતો. આથી તુરંત તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા ... વધુ વાંચો »

Mar 21, 2025
આરોગ્ય મંત્રીની આંદોલન સમેટી લેવા ચીમકી ગાંધીનગર તા. ૨૧: ગુજરાતના આરોગ્યકર્મીઓનું આંદોલન આજે ત્રીજા દિવસે યથાવત છે. બુલડોઝર સરકાર દ્વારા ગુરુવારે ગાંધીનગરની કિલ્લાબંધી કરી આરોગ્યકર્મીઓને અટકાવવાનો પ્રયાસ કરાયો હતો અને ૧૦૦૦થી વધુ આંદોલનકારીઓની અટકાયત કરવામાં આવી છે. ગુરુવારે સાંજે ૭:૩૦ વાગે આંદોલનકારીઓએ મીણબત્તી વડે પ્રકાશ ફેલાવી ભૂપેન્દ્ર પટેલની ભાજપ સરકાર સામે કર્મચારીઓએ બળવો પોકાર્યો હતો.આરોગ્યકર્મીઓ પોતાની માગ પર અડગ છે. સરકારને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે 'જ્યાં સુધી ઠરાવ નહીં થાય, ત્યાં સુધી આંદોલન યથાવત રહેશે. પડતર માંગો ન સંતોષાતા આરોગ્યકર્મીઓમાં રોષ જોવા મળી રહૃાો છે. આરોગ્ય કર્મીઓની ... વધુ વાંચો »

Mar 21, 2025
નવાગામ ઘેડમાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં આયોજનઃ જામનગર તા. ૨૧: જામનગરના સૂર્યવંશી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયુષ્માનકાર્ડ, આધારકાર્ડ મોબાઈલ અપડેટ, અને બી.પી.-ડાયાબિટીસ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. સૂર્યવંશી એજ્યુ. એન્ડ ચેરી. ટ્રસ્ટના સ્થાપક સુભાષભાઈ બચુભાઈ ગુજરાતીના પિતા બચુભાઈ રામજીભાઈ ગુજરાતીને શ્રદ્ધાંજલિ અર્પવા આ ત્રણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. નવાગામ ઘેડમાં આવેલ ઈન્દિરા સોસાયટી વિસ્તારમાં રહેતા જરૂરિયાતમંદ લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો. જે.એમ.સી.ની આરોગ્ય, યુ.સી.ડી.ની આધારકાર્ડની ટીમ, ડી.પી.ઓ. નીયાતીબેન તેમજ જામનગર મહાનગર પાલિકા શહેરી આરોગ્ય કેન્દ્રના ડો. કિંજલબેન ઘેડીયા અને તેમની ટીમનો સહયોગ આ કેમ્પમાં પ્રાપ્ત થયો હતો. વધુ વાંચો »

Mar 21, 2025
ગ્રામ પંચાયત દ્વારા સફાઈ કરવામાં નહીં આવે તો આંદોલનઃ કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામના કેશરિયા તળાવમાંથી કચરો-ગંદીકીની સફાઈ કરાવવા ગ્રામજનો દ્વારા માંગણી સાથે રજૂઆત કરવામાં આવી છે. જિલ્લા વિકાસ અધિકારીને પાઠવાયેલ પત્રમાં જણાવાયું છે કે તળાવ હાલ ગંદકીથી ખદબદી રહ્યું છે. પરિણામે આજુબાજુના રહેવાસીઓ, ધંધાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ તળાવમાં પીવા માટેના પાણીનો સંગ્રહ થાય છે, પરંતુ ભાટિયા ગ્રામ પંચાયત દ્વારા કેશરિયા તળાવની સફાઈ કરાવવામાં આવતી નથી. જરૂર પડ્યે આ માટે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી પણ ચિમકી આપવામાં આવી છે.   જો  વધુ વાંચો »

Mar 21, 2025
આગામી તા. ૯ થી ૧૭ એપ્રિલ દરમિયાન રાજકોટ તા. ર૧: દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેના બિલાસપુર ડિવિઝનના રાયગઢ-ઝારસુગુડા સેક્શનમાં ચોથી લાઈનને કનેક્ટિવિટી આપવા માટે બ્લોક લેવામાં આવશે. આ બ્લોકના કારણે એપ્રિલ મહિનામાં રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી પોરબંદર-શાલીમાર દ્વિ-સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેનની ૪ ટ્રીપ રદ્ કરવામાં આવી છે. રદ્ કરાયેલી ટ્રેનોમાં ટ્રેન નંબર ૧ર૯૦પ પોરબંદર-શાલીમાર દ્વિ-સાપ્તાહિક સુપરફાસ્ટ ૯-૪-ર૦રપ, ૧૦-૪-ર૦રપ, ૧૬-૪-ર૦રપ અને ૧૭-૪-ર૦રપ ના રદ્ રહેશે તેમજ ટ્રેન નંબર ૧ર૯૦૬ શાલીમાર-પોરબંદર દ્વિ-સાપ્તાહિક સુપરફાસ્ટ ૧૧-૪-ર૦રપ, ૧ર-૪-ર૦રપ, ૧૮-૪-ર૦રપ અને ૧૯-૪-ર૦રપ ના રદ્ રહેશે.   જો આપને આ વધુ વાંચો »

Mar 21, 2025
મીઠાપુર તા. ર૧: મીઠાપુર નજીક આવેલ આરંભડાની દ્વારકાધીશ આરોગ્ય ધામ આંખની હોસ્પિટલમાં ર૩ મી માર્ચ અને રવિવારના હોસ્પિટલ તેમજ ડો. અમિત મેહતા (જામનગર) ના સૌજન્યથી વિનામૂલ્યે આંખના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો સમય સવારે ૯ થી ૧ર વાગ્યાનો રહેશે. આ કેમ્પમાં ચશ્માના નંબર કાઢી આપવામાં નહીં આવે. આંખના વિવિધ રોગોનું નિદાન કરી જરૂરી દવાઓ વિનામૂલ્યે આપવામાં આવશે. જરૂરિયાતવાળા દર્દીઓને આ કેમ્પનો લાભ લેવા જણાવાયું છે. આ કેમ્પમાં ડો. અમિત મહેતા (આંખ/ઝામરના નિષ્ણાત) તેમજ ડો. સમીપ એ. મેહતા (કીકીના નિષ્ણાત) જામનગર વિનામૂલ્યે સેવાઓ આપશે.   જો આપને  વધુ વાંચો »

Mar 21, 2025
'એક શામ શહીદો કે નામ' ખંભાળિયા તા. ૨૧: ખંભાળિયામાં રાજ્યમંત્રી મૂળુભાઈ બેરાની સ્મૃતિમાં રચાયેલા સ્વ. હરદાસભાઈ બેરા ચેરી. ટ્રસ્ટ દ્વારા શહીદ દિન તા. ર૩-૩-ર૦રપ ના 'એક શામ શહીદો કે નામ' શીર્ષક હેઠળ શહીદોને વિરાંજલિ અર્પણ કરવાના હેતુસર લોકડાયરાનો કાર્યક્રમ જામનગર રોડ પર વાછરાવાવની જગ્યાના મેદાનમાં યોજાશે. જેમાં જાણીતા કલાકારો રાજભા ગઢવી, ભાવેશ આહિર, મયુર દવે, પૂનમ ગોંડલિયા વગેરે કાર્યક્રમ રજૂ કરશે.   જો આપને આ પોસ્ટ ગમી  વધુ વાંચો »

Mar 21, 2025
પાણીની પાઈપલાઈન આવી પણ પાણી આવ્યું નહીં: ખંભાળિયા તા. ર૧: રામનાથ સોસાયટી નારાયણનગરમાં શક્તિનગર ગ્રામ પંચાયત મારફત ત્રણેક વર્ષ પહેલા 'નલ સે જલ' કાર્યક્રમ હેઠળ પિવાના પાણી માટે પાઈપલાઈન નાખવામાં આવી હતી. ત્યારપછી અનેક રજૂઆત કરવા છતાં હાલ સુધી પાણી શરૂ કરવામાં આવ્યું નથી. જેથી ખંભાળિયા ન.પા. જે લગત ગ્રામપંચાયતને પાણી આપે છે તે નારાયણનગરથી માત્ર ૧૦૦ મીટરના અંતરે જ આવેલ છે. આથી નારાયણનગરમાં પણ પાણી આપવા અંગે નિવૃત્ત તલાટી-કમ-મંત્રી પરિમલ લાખાણીએ તંત્ર સમક્ષ માંગણી કરી છે.   જો આપને આ વધુ વાંચો »

Mar 21, 2025
આગામી સમયમાં રણમલ તળાવમાં શું કેમિકલવાળું પાણી ઠલવાશે?: જામનગરની ઓળખ અને ભૂગર્ભ જળ વડે તરસ બુઝાવનારા મુખ્ય જળસ્ત્રોત એવા રણમલ તળાવમાં આગામી ૩૦ તારીખે રણજીતસાગર રોડ પર આવેલ તળાવ સંલગ્ન કેનાલ વડે પાણી ઠલવવામાં આવશે એવી ઘોષણા તંત્ર દ્વારા કરવામાં આવી છે, પરંતુ તળાવ સંલગ્ન આ કેનાલમાં ઘણાં સમયથી ઔદ્યોગિક એકમોનું કેમિકલવાળું પાણી ઠલવાતું હોવાની રાવ ઊઠી છે. મીડિયામાં પણ આ અંગે ઘણી વખત અહેવાલો પ્રગટ થઈ ચૂક્યા છે, છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી. પ્રસ્તુત તસ્વીર કેનાલની હાલની સ્થિતિ દર્શાવે છે. જેમાં કેમિકલવાળું દૂષિત પાણી જોઈ શકાય છે. તંત્ર ... વધુ વાંચો »

Mar 21, 2025
દ્વારકા તા. ર૧: દ્વારકાની જાણીતી દિવ્યાંગ બાળકો માટેની સામાજિક સંસ્થા રાધે ડીફરન્ટલી એબલ્ઠડ ફાઉન્ડેશનમાં આગામી રવિવારે વાર્ષિકોત્સવ નિમિત્તે વાત્સલ્ય પર્વ ર૦રપ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સંસ્થાના રસિકભાઈ છાયાના જણાવ્યાનુસાર તા. ર૩-૩-ર૦રપ ને રવિવારે સાંજે ૬ થી ૮ વાગ્યા સુધી સંસ્થાના દિવ્યાંગ બાળકો દ્વારા મહેમાનગણની ઉપસ્થિતિમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવનાર છે. સંસ્થા તરફથી શહેર શ્રેષ્ઠીઓ, વાલીગણ તેમજ અગ્રણીઓને ઉપસ્થિત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.   જો આપને આ પોસ્ટ ગમી  વધુ વાંચો »

Mar 21, 2025
જામનગર તા.ર૧ : દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાડીનારમાંથી એલસીબી પોલીસે ચોરાઉ બાઈક સાથે એક શખ્સની અટકાયત કરી છે અને તેના કબજામાંથી ચોરાઉ બાઈક કબજે કરાયું છે. દેવભુમિ દ્વારકા જિલ્લાની એલસીબી શાખાનો સ્ટાફ ગઈકાલે પેટ્રોલિંગમાં હતો ત્યારે પૂર્વ બાતમીના આધારે જિલ્લાના વાડીનારમાંથી મહેબુબ ઉર્ફે ડાડલો જુનુસભાઈ સુંભણીયાને ચોરાઉ બાઈક સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીના કબજામાંથી રૂ.૧પ હજારની કિંમતનું ચોરાઉ બાઈક કબજે કરી આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.   જો આપને આ પોસ્ટ  વધુ વાંચો »

Mar 21, 2025
તસ્કરને શોધવા પોલીસ તપાસનો ધમધમાટઃ જામનગર તા.૨૧ : જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ખારવા ગામના નિવૃત્ત શિક્ષક ગઈકાલે સવારે ધ્રોલમાં આવ્યા હતા અને રૂ.૧ લાખ ૫૦ હજારની રોકડ રકમ ભરેલી થેલી પોતાના બાઈકમાં લટકાવી હતી. ત્યાંથી કોઈ ગઠીયો આ રોકડ રકમ ભરેલી થેલી ઉપાડી ગયો હતો. આ બનાવ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવાતા ધ્રોલ પોલીસ સ્ટેશનના સ્ટાફે ફરિયાદનો ધમધમાટ શરૂ કર્યાે છે. ધ્રોલ તાલુકાના ખારવા ગામમાં રહેતા નિવૃત્ત શિક્ષક હંસરાજભાઈ થોભણભાઈ ઘેટીયા (ઉ.વ.૭૧) ગઈકાલે સવારે બાઈક લઈને ધ્રોલ આવ્યા હતા અને ધ્રોલની બેંક ઓફ બરોડામાંથી રૂ.૧ લાખ પ૦ હજારની રકમ પોતાના બેંક ... વધુ વાંચો »

Mar 21, 2025
કમોસમી વરસાદના લીધે ખેડૂતોમાં ચિંતાની લાગણીઃ ભુજ તા. ૨૧: કચ્છના ભુજ અને નખત્રાણાના અમુક વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને વરસાદી માહોલ જામ્યો હતો. ગુરુવારે બપોર બાદ ભુજ અને નખત્રાણાના કેટલાક વિસ્તારોમાં અચાનક વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. ભુજના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ સાથે અમી છાંટણા પડતાં રસ્તા ભીના થઈ ગયા હતા. નખત્રાણાના પાવરપટ્ટી અને ઉલટ વિસ્તાર તેમજ ભુજના કોડકી, મખણા વચ્ચેના વાડી વિસ્તાર ઉપરાંત શહેરના અમુક વિસ્તારોમાં ઝાપટા પડ્યા હતા. જોકે તેની સાથે જ જગતના તાતની ચિંતા વધી ગઈ હતી.  કમોસમી વરસાદના લીધે ખેડૂતોમાં ચિંતાની લાગણી પ્રસરી જવા પામી છે. ભુજ શહેરમાં સાંજના સમયે પવનની ગતિમાં વધારો થતાં ... વધુ વાંચો »

Mar 21, 2025
પારિવારિક ડખ્ખો કારણભૂત? જામનગર તા.ર૧ : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના મેવાસા ગામમાં રહેતા એક યુવાને પોતાને લાકડાના ધોકાથી માર મારવા અંગે પતિ-પત્ની અને તેના પુત્ર સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ભાણવડ તાલુકાના મેવાસા ગામમાં રહેતા દિલીપભાઈ પૂંજા ભાઈ કાંબરીયાએ પોતાના પર લાકડાના ધોકા વડે હુમલો કરવા અંગે ભાણવડના સામતભાઈ અરશીભાઈ કાંબરીયા, મોતીબેન કાંબરીયા અને નિકુંજ કાંબરીયા સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. દિલીપભાઈના પત્નીને તેણીનો ભાઈ પોતાના ઘરે મુકવા આવતો હતો ત્યારે રસ્તામાં આરોપીઓનો ભેટો થયો હતો અને બોલાચાલી અને ઝઘડો કર્યા પછી આ હુમલો કરવામાં આવ્યો હતો. આ બનાવની ... વધુ વાંચો »

Mar 21, 2025
ખંભાળિયા તા. ૨૧: સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ના વર્ષમાં વિવિધ રમતોની રાજ્યકક્ષાની શાળાકીય સ્પર્ધાઓ અંડર ૧૪, ૧૭, ૧૯ અને સ્કુલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત રાષ્ટ્રકક્ષાની સ્પર્ધામાં સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા રાજ્યનું પ્રતિનિધિત્વ કરેલ (ભાગ લીધેલ) મહિલા ખેલાડીઓ *મહિલા રોકડ પુરસ્કાર યોજના માટેનું ફોર્મ ભરી શકશે. કોઈ પણ એક જ રમતમાં તેમજ એક જ સિદ્ધિ માટે અરજી કરી શકાશે. ખેલાડીએ ઓનલાઈન માધ્યમથી મેરીટ સર્ટીફીકેટ, આધાર કાર્ડ, કેન્સલ ચેક વગેરે જરૂરી પ્રમાણપત્રો સાથે એસએજીની સાઈટ રંંૅજઃ// ર્જૅિંજ ટ્ઠેંર્રિૈંઅ.ખ્તેદ્ઘટ્ઠટ્ઠિં.ર્ખ્તદૃ.ૈહ/  માં તા. ૧૭-૦૪-૨૦૨૫ સુધીમાં અરજી કરવાની રહેશે તેમ  દેવભૂમિ દ્વારકા જિલ્લા રમત વિકાસ અધિકારીની યાદીમાં જણાવ્યું છે. વધુ વાંચો »

Mar 21, 2025
રૂ.૧૪ લાખનો મુદ્દામાલ કરાયો હતો કબજેઃ  જામનગર તા.ર૧ : જામનગરના કાલાવડ નાકા વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં ધોળે દિવસે ઘૂસી જઈ લૂંટ આચરનાર બે આરોપીને પોલીસે પકડી લીધા હતા. જેલ હવાલે થયેલા આરોપીમાંથી એક શખ્સે જામીનમુક્ત થવા કરેલી અરજી મંજૂર થઈ છે. જામનગરના કાલાવડ નાકા બહાર આવેલી તારમામદ સોસાયટીમાં વસવાટ કરતા એક વ્હોરા પરિવારના મકાનમાં આયુર્વેદિક દવા વેચવાના બહાને ઘૂસી ગયેલા બે અજાણ્યા શખ્સે એક વૃદ્ધા તથા તેમના પુત્રવધૂને બંધક બનાવી તિજોરીની ચાવી પાકીટમાંથી મેળવી તિજોરીમાંથી રૂ.૧ લાખ રોકડા અને રૂ.૧૩ લાખ ઉપરાંતના સોના-ચાંદીના દાગીના લૂંટી લીધાની પોલીસમાં ફરિયાદ કરાઈ હતી. પોલીસે શરૂ કરેલી તપાસ દરમિયાન ધાર્મિક હરીશભાઈ વરવાડીયા સહિતના બે આરોપીને પકડી પાડયા ... વધુ વાંચો »

Mar 21, 2025
એ.કે. દોશી વિદ્યાલયના વિદ્યાર્થીઓને જામનગર તા. ર૧: ગુજરાત સરકારશ્રી દ્વારા દર વર્ષે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. જેમાં શ્રી એ.કે. દોશી વિદ્યાલયના વિદ્યાર્થીઓએ વોલીબોલમાં (અન્ડર-૧૭) માં જિલ્લા કક્ષાએ પ્રથમ રેન્ક હાંસલ કરેલ છે. જે બદલ ટીમને રૂ. ૪૮,૦૦૦ રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓની આ સિદ્ધિ બદલ સંસ્થાના સેક્રેટરી જ્યોતિન્દ્રભાઈ વછરાજાની, ટ્રેઝરર રજીનીકાંતભાઈ પાગડા, શાળાના પ્રિન્સિપાલ ડાયરેક્ટર ભારતીબેન વાઢેર તેમજ પ્રિન્સિપાલ ધર્મેશભાઈ વિછીએ વ્યાયામ શિક્ષકો જયદીપભાઈ અગ્રાવત, કુલદીપસિંહ ઝાલા, ઉમંગભાઈ અગ્રાવત તથા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.   જો આપને વધુ વાંચો »

Mar 21, 2025
મીઠાપુરમાં પોલીસની 'ઠંડી' કામગીરીનો નમૂનોઃ ઓખા તા. ર૧: એક તરફ રાજ્યભરમાં પોલીસ ઓપરેશાન ૧૦૦ કલાક ચલાવી રહી છે, અને ગુન્હેગારને ઝેર કરવાની છબિ ઉપસાવી રહી છે, અને બીજી બાજુ મીઠાપુરમાં પોલીસ નિષ્ક્રિય હોય એવું ચિત્ર ઉપસી રહ્યું છે, કારણ કે અહીં આવેલ શ્રી દ્વારકાધીશ આરોગ્યધામ આંખની હોસ્પિટલમાં એસીના આઉટડોર યુનિટની ચોરીના પ્રકરણમાં પોલીસ કોઈ કાર્યવાહી કરી રહી નથી. એવું જણાય રહ્યું છે. સંસ્થાના ફિઝિયોથેરાપી વિભાગના એક એસીનું આઉટડોર ગત્ તા. ૬ ના ચોરાઈ ગયું હતું. તે પછી તાત્કાલિક પોલીસને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. જેના અનુસંધાનમાં ૯ તારીખે સ્થળ તપાસ ... વધુ વાંચો »

Mar 21, 2025
મશીનમાં થયેલા શોર્ટ-સર્કીટના કારણે આગ લાગીઃ જામનગર તા.૨૧ : જોડિયા તાલુકાના ભાદરા ગામ નજીક એક ખેતરમાં આગ લાગી હતી. પરિણામ ૩૦ વીઘામાં વાવેતર કરેલા ઘઉંના જથ્થાનો નાશ થયો હતો. જોડિયા તાલુકાના ભાદરા ચોકી પાસે આવેલા વાડી ખેતરોમાંથી મશીન વડે ઘઉં કાઢવાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન સાંજના સમયે મશીનમાં શોર્ટ સર્કીટ થવાના કારણે આગ લાગી હતી અને આગની જ્વાળાઓ સમગ્ર ખેતરના વાવેતરમાં ફેરવાઈ ગઈ હતી. જેથી આશરે ૩૦ વીઘા જમીનમાં પથરાયેલા ઘઉંનો જથ્થો સળગી ગયો હતો. જેમાં રામજીભાઈ ધરમશીભાઈની ૧૧ વીઘા, બાબુભાઈ રામજીભાઈ ૬ વીઘા અને કાનજીભાઈ વસરામ ભાઈની ૮ વીઘા સહિત ... વધુ વાંચો »

Mar 21, 2025
મેલેરિયાને નાથવા ઘર આંગણે તુલસીના છોડ રોપોઃ માનવજાતને પીડનાર અને માનવીની જીવનીય શકિત (વાઈટાલીટી)ને કોરી ખાનાર મેલેરિયાને ઓછો કે નાબુદ કરવાની વિચારણામાં પ્રથમ મચ્છર વિશે વિચારવાનું છે. મચ્છરોનો નાશ એટલે મેલેરીયાનું નિવારણ ? મચ્છરોનું જીવન પાણીમાં શરૂ થાય છે *જયા પાણી ત્યાં જ મચ્છર'' એ સુત્ર પ્રમાણે આપણા મકાનોની ખાળ, ખાળકુંડી, અને પાણી ભરાઈ રહેવાનાં ખાડા તદ્ સાફ અને પાણી વગરના રાખવા જોઈએ, ખાળના પાણી રસ્તા પર ફેલાઈ ગંદકી ન થાય એની ચોકસાઈ રાખવી જોઈએ. શહેર કે ગામની અંદર કે બહાર નાના મોટા ખાડા હોય છે, તેમાં ચોમાસનું પાણી ભરાઈ ... વધુ વાંચો »

Mar 21, 2025
શક્તિશાળી લોકોની લગામથી રૃંધાઈ રહેલું પત્રકારત્વ!: પત્રકારત્વના ક્ષેત્રમાં કામના કાયદાનો બહુ જૂજ અમલ થાય છે બ્રિટનના રાજઘરાનાના પુત્રવધૂ લેડી ડાયનાના અકસ્માતે મૃત્યુ પછી દુનિયામાં પાપારાઝી પત્રકારો પ્રકાશમાં આવ્યા. ત્યાં સુધી તેમની કોઈ ઓળખ હતી નહીં. તેઓ હંમેશાં પડદા પાછળ રહી પત્રકારત્વ કરતા હતા. જોખમો ઉઠાવીને અનેક સમાચારો દુનિયાના વાચકો સમક્ષ મુકતા હતા. આ પાપારાઝી પત્રકારોને આપણે ફ્રીલાન્સ પત્રકારો તરીકે ઓળખીએ  છીએ. તેમની એક અલગ દુનિયા છે. અમારા એક મિત્ર તેને છૂટકીયા તરીકે પણ ઓળખાવે છે. સંબોધન ગમે તે હોય, તે  લોકો કામ સારૃં કરે છે. લેડી ડાયનાના લગ્નેતર સંબંધો તેમના કારણે જ પ્રકાશમાં આવ્યા અને બ્રિટનના રાજ ઘરાનાને શરમમાં મૂકવું પડ્યું. ... વધુ વાંચો »

Mar 21, 2025
આ દુનિયામાં કેટલાક પ્રોબ્લેમ શાશ્વત હોય છે અને સર્વવ્યાપી પણ, જે મને, તમને, એટલે કે આપણને બધાને હંમેશાં પરેશાન કરતા રહે છે. અને આવો જ, બધાને પરેશાન કરતો એક પ્રોબ્લેમ છે -- હેલ્મેટ પહેરવાનો પ્રોબ્લેમ. સરકારે હેલ્મેટનો કાયદો બનાવ્યો છે સામાન્ય માણસોના ભલા માટે, એટલે કે સામાન્ય માણસોની સુરક્ષા માટે. હું તો માનું છું કે સરકાર બધા જ કાયદા સામાન્ય માણસોના ભલા માટે જ બનાવે છે. અને એટલા માટે જ આવા બધા કાયદાઓનું પાલન પણ સામાન્ય માણસોએ જ કરવાનું હોય, કોઈ ખાસ માણસોએ નહીં. હવે હેલ્મેટનો કાયદો બની જ ગયો ... વધુ વાંચો »

Mar 21, 2025
સ્થાનિક /    વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો.... શુક્રવારે શેરબજારમાં તેજી જોવા મળી હતી.સેન્સેક્સ ૨૨૨ પોઈન્ટના ઉછાળા સાથે ૭૬૫૮૦ના સ્તરે હતો જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૭૭ પોઈન્ટની  ઉછાળા સાથે ૨૩૨૮૨ ના સ્તરે કામકાજ કરી રહ્યો હતો,જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૧૦૧ પોઈન્ટની ઉછાળા સાથે ૫૦૧૯૨ના સ્તરે કામકાજ કરી રહ્યો હતા.વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર હેલ્થકેર, ઓટો,ફાર્મા, ટેકનોલોજી, ઓઈલ એન્ડ ગેસ અને એફએમસીજી શેરોમાં ખરીદી જોવા મળી હતી. યુક્રેન-રશીયા વચ્ચેના યુદ્વનો અંત લાવવા અમેરિકી રાષ્ટ્રપતિ સાથે વાટાઘાટમાં રશીયાના પ્રમુખ પુતિને ... વધુ વાંચો »

અર્ક

  • જે વ્ય્કતિ સારૃં કામ કરે છે તે ક્યારેય આદરનો ભૂખ્યો નથી હોતો, તેનું કામકાજ તેને સન્માનને પાત્ર બનાવે છે.

વિક્લી ફિચર્સ

ફોટો સમાચાર

રાશિ પરથી ફળ

Aquarius (કુંભ: ગ-શ-સ)

તા. ૨૨-૦૩-ર૦૨૫, શનિવાર અને ફાગણ વદ-૮ : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. મુલાકાત ... વધુ વાંચો »

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

તા. ૨૨-૦૩-ર૦૨૫, શનિવાર અને ફાગણ વદ-૮ : દિવસ દરમિયાન આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું ... વધુ વાંચો »

Aries (મેષ: અ-લ-ઈ)

તા. ૨૨-૦૩-ર૦૨૫, શનિવાર અને ફાગણ વદ-૮ : આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા કામ કરવાનો ઉત્સાહ ... વધુ વાંચો »

Taurus (વૃષભ: બ-વ-ઉ)

તા. ૨૨-૦૩-ર૦૨૫, શનિવાર અને ફાગણ વદ-૮ : આપના કામમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી અનુભવાય. હરિફ-ઈર્ષાળું આપના કામમાં ... વધુ વાંચો »

Gemini (મિથુન: ક-છ-ધ)

તા. ૨૨-૦૩-ર૦૨૫, શનિવાર અને ફાગણ વદ-૮ : આપના મહત્ત્વના કામનો ઉકેલ આવે. રાજકીય-સરકારી કાજ અંગેની મુલાકાતમાં ... વધુ વાંચો »

Cancer (કર્ક: ડ-હ)

તા. ૨૨-૦૩-ર૦૨૫, શનિવાર અને ફાગણ વદ-૮ : આપના કાર્યની સાથે સામાજિક-વ્યવહારીક કામકાજમાં વ્યસ્ત રહેવાનું બને. ધંધામાં ... વધુ વાંચો »

Leo (સિંહ: મ-ટ)

તા. ૨૨-૦૩-ર૦૨૫, શનિવાર અને ફાગણ વદ-૮ : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવું કામકાજ થવાથી આપને આનંદ ... વધુ વાંચો »

Virgo (કન્યા: પ-ઠ-ણ)

તા. ૨૨-૦૩-ર૦૨૫, શનિવાર અને ફાગણ વદ-૮ : આપની ગણતરી-ધારણા પ્રમાણેનું કામ ન થવાથી આપને ઉચાટ-ઉદ્વેગ રહ્યાં ... વધુ વાંચો »

Libra (તુલા: ર-ત)

તા. ૨૨-૦૩-ર૦૨૫, શનિવાર અને ફાગણ વદ-૮ : આપની બુદ્ધિ-મહેનત-અનુભવ-આવડતથી આપના કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી ... વધુ વાંચો »

Scorpio (વૃશ્ચિક: ન-ય)

તા. ૨૨-૦૩-ર૦૨૫, શનિવાર અને ફાગણ વદ-૮ : આપના કાર્યની સાથે બીજું કોઈ કામ આવી જતા અન્ય ... વધુ વાંચો »

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

તા. ૨૨-૦૩-ર૦૨૫, શનિવાર અને ફાગણ વદ-૮ : આપના કાર્યની સાથે જાહેરક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં આપે વ્યસ્ત ... વધુ વાંચો »

Capricorn (મકર: ખ-જ)

તા. ૨૨-૦૩-ર૦૨૫, શનિવાર અને ફાગણ વદ-૮ : આપે તન-મન-ધન, વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. ... વધુ વાંચો »

Aries (મેષ: અ-લ-ઈ)

તમારા માટે યાત્રા-પ્રવાસના યોગ સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન ... વધુ વાંચો »

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આપના માટે ખર્ચ-ખરીદીના સંજોગો સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન ... વધુ વાંચો »

Gemini (મિથુન: ક-છ-ધ)

તમારા માટે સ્નેહીજનો સાથે સમય પસાર કરવાનું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા ... વધુ વાંચો »

Cancer (કર્ક: ડ-હ)

આપના માટે સુખ-દુઃખ જેવી મિશ્ર પરિસ્થિતિ સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના ... વધુ વાંચો »

Leo (સિંહ: મ-ટ)

તમારા માટે વાદ-વિવાદ ટાળવાની સલાહ આપતં સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન ... વધુ વાંચો »

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપના માટે મિલન-મુલાકાત કરાવતું સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો ... વધુ વાંચો »

Libra (તુલા: ર-ત)

તમારા માટે કૌટુંબિક કાર્યો કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના ... વધુ વાંચો »

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપના માટે આનંદદાયી સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન ... વધુ વાંચો »

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

તમારા માટે નવી કાર્યરચના સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન ... વધુ વાંચો »

Capricorn (મકર: ખ-જ)

તમારા માટે નફા-નુક્સાનના યોગ સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન ... વધુ વાંચો »

Aquarius (કુંભ: ગ-શ-સ)

આપના માટે પરિવર્તનશીલ સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન ... વધુ વાંચો »

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

તમારા માટે આરોગ્યની તકેદારી રાખવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા ... વધુ વાંચો »

રાષ્ટ્રીય / આંતરરાષ્ટ્રીય

રાષ્ટ્રીય / આંતરરાષ્ટ્રીય

MARKET

શબ્દવ્યુહ

crossword

હવામાન

Jamnagar, Gujarat, India

વિક્લી ફિચર્સ

Advertisement
close
Ank Bandh