Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
Feb 18, 2025
જામજોધ૫ુર, ભાણવડ, ધ્રોળ, કાલાવડમાં ભાજપને જંગી બહુમતી, દ્વારકામાં વિપક્ષના સુપડા સાફ, એક અપવાદ સિવાય સર્વત્ર ખિલ્યુ કમળઃ સલાયામાં ભાજપને જબરો ઝટકો
જામનગર તા. ૧૮: આજે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે, તે પૈકી હાલારની ૬ નગરપાલિકાઓમાંથી પાંચ નગરપાલિકાઓમાં ભાજપનો જંગી વિજય થતો જણાય છે, જ્યારે સલાયા નગરપાલિકામાં ભાજપને જબરો ઝટકો લાગ્યો છે, અને કોંગ્રેસ તથા 'આપ' વચ્ચે નેક ટુ નેક ફાઈટ થતા આ નગરપાલિકા વિપક્ષના ફાળે ગઈ છે.
વધુ વાંચો »
Feb 18, 2025
પંજાને પછડાટ, ઝાડુ જળવાયુ, સોળે કલાએ ખીલ્યું કમળઃ
અમદાવાદ તા. ૧૮: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભારતીય જનતા પક્ષનો ઝળહળતો વિજય થયો છે, જુનાગઢ મહાનગર પાલિકા ભાજપે કબ્જે કરી છે, તો પંચાયત- પાલિકાઓની ચૂંટણીઓમાં પણ ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે. કેટલાક સ્થળે આપ, સપા અને બસપાને પણ નોંધપાત્ર બેઠકો મળી છે.
ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો આજે જાહેર થઈ રહૃાા છે. સવારે ૯ વાગ્યાથી મતગણતરી શરૂૂ થઈ ચૂકી છે. ૧૬ ફેબ્રુઆરીએ મતદાન પૂર્ણ થયું હતું. જેમાં જૂનાગઢ મહાનગરપાલિકા, ૬૮ નગરપાલિકા અને ૩ ...
વધુ વાંચો »
Feb 18, 2025
સલાયાની જનતાએ ભાજપના ગાલ પર તમતમતો તમાચો માર્યો
ખંભાળીયા તા. ૧૮: સલાયા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનું ખાતુ જ ખૂલ્યું નથી, તો ઓવૈસીની પાર્ટીના પણ આવા જ હાલ થયા છે. કોંગ્રેસને ૧પ અને આમઆદમી પાર્ટીને ૧૩ બેઠકો મળી છે.
સલાયા નગરપાલિકાની ર૮ બેઠક માટેની ચૂંટણી પછી આજે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ૧પ બેઠક કોંગ્રેસ અને ૧૩ બેઠક આમઆદમી પાર્ટીને મળી છે. સલાયામાં ભાજપે ૧૪ ઉમેદવારો ઊભા રાખ્યા હતાં. પરંતુ એકપણ ...
વધુ વાંચો »
Feb 18, 2025
અગ્નિકાંડ, નકલી પનીર, લેટરકાંડ, ખ્યાતિ હોસ્પિટલ વિગેરે મુદ્દે વિપક્ષ આક્રમક
અમદાવાદ તા. ૧૮: કાલથી વિધાનસભા સત્ર શરૂ થશે અને ગુરૂવારે બજેટ રજૂ થશે. કોંગ્રેસ આક્રમક છે. ખ્યાતિ હોસ્પિટલ, અમરેલીનો લેટર કાંડ, નકલી પનીર ફેકટરી, રાજકોટનો અગ્નિકાંડ, કર્મચારીઓની ફરજિયાત નિવૃત્તિ વગેરે મુદ્દે ગૃહ ગાજવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.
ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આવતીકાલે તા. ૧૯ બુધવારે પ્રારંભ થઇ રહૃાો છે. સત્ર માર્ચ ઉતરાર્ધ સુધી ચાલશે. પ્રથમ દિવસે શોકદર્શક ઠરાવ અને રાજયપાલનું પ્રવચન થશે. બજેટ સત્રની રણનીતિ ઘડવા બન્ને પક્ષો કોંગ્રેસ-ભાજપે પોતાના ધારાસભ્યોની બેઠક ...
વધુ વાંચો »
Feb 18, 2025
૭૬ મુસાફરો અને ૪ ક્રુ મેમ્બર સવાર હતા
ટોરોન્ટો તા. ૧૮: ટોરોન્ટો એરપોર્ટ પર લેન્ડીંગ વખતે વિમાન ક્રેશ થતા ૧૮ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. વિમાનમાં ૮૦ લોકો સવાર હતા, જેમાંથી ૭૬ મુસાફરો અને ૪ ચાલક દળના સભ્યો હતો.
ડેલ્ટા એરલાઇન્સની ફ્લાઇટ નંબર ૪૮૧૯ને લેન્ડીંગ વખતે અકસ્માત નડ્યો છે. આ ફ્લાઇટ મિનિયાપોલિસ-સેન્ટ પોલ એરપોર્ટથી ટોરેન્ટ પિયર્સન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરફ જઇ રહી હતી. ટોરોન્ટો પિયર્સન એરપોર્ટ પર લેન્ડીગ વખતે અકસ્માતનો ભોગ બની ...
વધુ વાંચો »
Feb 18, 2025
વડાપ્રધાનના અધ્યક્ષપદે મળેલી પસંદગી સમિતિમાં મળી મંજૂરી
નવી દિલ્હી તા. ૧૮: દેશના નવા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે જ્ઞાનેશકુમારના નામ પર મહોર લાગી છે. ૧૯૮૮ બેચના કેરળ કેડરના આઈએએસ અધિકારી જ્ઞાનેશ કુમાર ગયા વર્ષે માર્ચથી ચૂંટણી કમિશનર તરીકે સેવા આપી રહ્યા છે. હવે તેઓ મુખ્ય ચૂંટણી કમિશનરની જવાબદારી નિભાવશે.
વડાપ્રધાન મોદીની આગેવાની હેઠળ થયેલી બેઠકમાં નવા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે જ્ઞાનેશ કુમારના નામને મંજૂરી મળી છે. હાલના મુખ્ય ચૂંટણી કમિશનર રિટાયર થયા પછી જ્ઞાનેશ કુમાર આ પદ સંભાળશે. ૧૯૮૮ બેચના કેરળ કેડરના આઈએએસ ...
વધુ વાંચો »
Feb 18, 2025
ચીફ ઈલેકશન કમિશનરની નિમણૂકના મુદ્દે જાગ્યો વિવાદઃ
નવી દિલ્હી તા. ૧૮: ચીફ ઈલેક્શન કમિશનરની નિયુક્તિ સંબંધે કોંગ્રેસે કહ્યું હતું કે, ચૂંટણી પંચ એક બંધારણીય સંસ્થા છે. નિમણૂકમાં મુખ્ય ન્યાયાધીશનો સમાવેશ થવો જ જોઈએ. સુપ્રિમમાં સુનાવણી સુધી બેઠક મુલતવી રાખવી જરૂરી હતી.
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર ૧૮ ફેબ્રુઆરીએ નિવૃત્ત થઈ રહ્યા છે. નવા ચૂંટણી કમિશનરની શોધમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નિવાસસ્થાને એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વિપક્ષી નેતા રાહુલ ગાંધી ...
વધુ વાંચો »
Feb 18, 2025
જામનગર તા. ૧૮: જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન અઢી ડીગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ૩ર.પ ડીગ્રી નોંધાયું હતું, જેના પગલે ગરમીમાં પણ વધારો થયો હતો.
જામનગરમાં છેલ્લા કેટલાક દિવસોથી બેવડી ઋતુ અનુભવાઈ રહી છે. રાતથી લઈને વહેલી સવાર સુધી ઠંડી તો બપોરે ગરમી પડી રહી છે, જેની વિપરીત અસર લોકોના સ્વાસ્થ્ય પર પણ પડી રહી છે. નગરમાં મિશ્ર ઋતુના દોર વચ્ચે આજે સવારે પૂરા થતા ચોવીસ ...
વધુ વાંચો »
Feb 18, 2025
પૂર્વ સંમતિ મેળવી વિશ્વાસ કેળવો
સંશય હટાવીને વીજગ્રાહકોની સહમતી મેળવવાથી ઘર્ષણ ઘટાડી શકાશેઃ
જામનગર તા. ૧૮: જામનગરમાં કેટલાક વિસ્તારોમાં સ્માર્ટ મીટરના મુદ્દે વીજકંપની સામે જનાક્રોશ જાગ્યો છે. હરિયા કોલેજ વિસ્તારમાં ગોકુલનગર પાસે કોઈ સોસાયટીમાં પોસ્ટપેઈડ સ્માર્ટ મીટરો ફીટ કરવા ગયેલી વીજ ટીમો સાથે સ્થાનિકોને તકરાર થઈ અને વીજ ટીમોએ સહમતી વિના ઉખેડેલા બે જુના વીજ મીટરો પાછા ફીટ કરી દેવા પડ્યા. એટલું જ નહીં, વીજ ટીમોએ થાંભલેથી લાઈટ કાપી નાખંવાની ચિમકી (ધમકી) આ૫ી હોવાના અહેવાલો પણ આવ્યા હતાં. તે પછી વીજ ટીમોને ...
વધુ વાંચો »
Feb 18, 2025
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી થતા જ રાજ્ય સરકારની ઘોષણા
દ્વારકા તા. ૧૮: દ્વારકાના રૂક્ષ્મણી મંદિર, શિવરાજપુર બીચ, નાગેશ્વર જયોતિર્લિંગને બેટ દ્વારકાને જોડતો રૂ. ૧૩૧.૭૬ કરોડના ખર્ચે નવો રીંગ રોડ મંજૂર થયો છે. પાલિકાની ચૂંટણી પૂર્ણ થતાં જ રાજય સરકારે આ વિકાસ પ્રોજેકટની જાહેરાત કરી છે. દ્વારકા હોટલ એસોસિએશને મુખ્યમંત્રીને અભિનંદન પાઠવ્યા છે.
દ્વારકા નગરપાલિકાની ચૂંટણી ગઈકાલે પૂર્ણ થયાની સાથે જ રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા દ્વારકા ક્ષેત્રના વિકાસ માટેની અતિ ...
વધુ વાંચો »
Feb 18, 2025
વિરોધપક્ષને એક પણ બેઠક નહીં મળતા કલીન સ્વીપ
દ્વારકા તા. ૧૮: દ્વારકા નગરપાલિકામાં સતત પાંચમી વખત ભાજપનો જયજયકાર થયો છે, અને પરેશભાઈ ઝાખરીયા, દિવ્યપ્રકાશ ઠાકર, હેમાબેન પુરોહિત સહિતના સિનિયર ઉમેદવારોનો જવલંત વિજય થયો છે.
દ્વારકાધીશની કર્મભૂમિ પર આજે સતત પાંચમી વખત નગરપાલિકાની સામાન્ય ચૂંટણીના પરિણામોમાં ભાજપનો ભગવો લહેરાયો છે અને નગરમાં તમામ વોર્ડમાં આનંદની હેલી જોવા મળી છે. નગરપાલિકાના સાત વોર્ડના ર૮ ઉમેદવારો પૈકી ૯ ઉમેદવારો બિનહરીફ થયા બાદ આજે ...
વધુ વાંચો »
Feb 18, 2025
સઈ દેવરીયાના વૃદ્ધ પર ચારનો હુમલોઃ
જામનગર તા.૧૮ : ભાણવડના એક વૃદ્ધ પર જામનગરમાં રહેતા પુત્ર, પુત્રવધૂ, પૌત્ર સહિત ચારે હુમલો કરી ફ્રેકચર કરી નાખ્યું હતું. જયારે કલ્યાણપુરના રાજપરા ગામમાં સગાઈ તૂટી જવાના પ્રશ્ને બે જૂથ બાખડી પડ્યા હતા. બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવી છે. પોલીસે બંને ફરિયાદ પરથી ગુન્હા નોંધ્યા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના સઈ દેવરીયા ગામના ગોરધનભાઈ માંડાભાઈ નકુમ નામના વૃદ્ધ ગુરૂવારની રાત્રે ત્રણેક વાગ્યે પોતાના ...
વધુ વાંચો »
Feb 18, 2025
ત્રણ શખ્સ સામે વિશ્વાસઘાત કરી ધમકીની ફરિયાદઃ
જામનગર તા.૧૮ : કાલાવડના નવાગામમાં એક આશ્રમમાં સેવાપૂજા કરતા મહિલાને રવિવારે સાંંજે જામનગરના એક મહિલાએ આશ્રમ છોડી દેવા માટે ધમકી આપી આશ્રમનો કેમેરો તોડી રૂ.૨૦ હજારનું નુકસાન કર્યાની ફરિયાદ કરવામાં આવી છે. જ્યારે ટ્રકના હપ્તા ભરવા માટે રૂ.૪ લાખ રોકડા અને રૂ.૭૦ હજારનંુ બાઈક પડાવી લઈ ત્રણ શખ્સે વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ થઈ છે.
કાલાવડ તાલુકામાં આવેલા નવાગામ સ્થિત વિશ્વાસધામ આશ્રમમાં રહી ત્યાં સેવાપૂજા કરતા છાયાબેન કરશનદાસ મકવાણા (ઉ.વ.૩૦) નામના મહિલા રવિવારે સાંજે આશ્રમ પર હતા ...
વધુ વાંચો »
Feb 18, 2025
સસરાને ફટકારવામાં આવી આજીવન કેદની સજાઃ
જામનગર તા.૧૮ : જામનગરના સિદ્ધાર્થનગરમાં સસરાના ઘેર આવેલા એક યુવાનની સાડા ત્રણ વર્ષ પહેલાં હત્યા થઈ હતી. તેનો અર્ધ સળગેલો મૃતદેહ અવાવરૂ કૂવામાંથી મળ્યો હતો. પોલીસે તપાસના અંતે આ યુવાનના સસરા, સાસુ, સાળાની ધરપકડ કરી હતી. અદાલતે સસરાને આજીવન કેદની સજા ફટકારી છે.
જામજોધપુર તાલુકાના લલીત રામજીભાઈ સોંદરવા નામના યુવાનના લગ્ન જામનગરના ખેતીવાડી ફાર્મ નજીક સિદ્ધાર્થનગરમાં રહેતા પાલાભાઈ અરજણભાઈ કટારીયાની પુત્રી સાથે વર્ષ ૨૦૨૧ ...
વધુ વાંચો »
Feb 18, 2025
જેલહવાલે કરી દેવાનો અદાલતનો આદેશઃ
જામનગર તા.૧૮ : જામનગરના એક શખ્સને પૂર્વ પત્ની પર જીવલેણ હુમલાના કેસમાં અદાલતે ફરિયાદીની જુબાની ન થાય ત્યાં સુધી જિલ્લામાં ન આવવાની શરતે જામીન આપ્યા હતા. આરોપી દ્વારા જામીનની શરતનો ભંગ કરાતા અદાલતે તેના જામીન રદ્દ કરી જેલમાં ધકેલ્યો છે.
જામનગરના રેશ્માબેન અબાઅહેમદ ગફલા નામના મહિલા તથા તેમના ભાભી અને પુત્ર ગઈ તા.૧-૩-૨૪ના દિને જી.જી. હોસ્પિટલમાં સારવાર મેળવવા આવ્યા હતા. ત્યાંથી પરત ફરતી વખતે જેની ...
વધુ વાંચો »
Feb 18, 2025
સાથે રહેતા યુવાને પોલીસને જાણ કરીઃ
જામનગર તા.૧૮: જામનગર-ખંભાળિયા રોડ પર મેઘપર ગામમાં ભાડાનું મકાન રાખી ત્યાં વસવાટ કરતા મૂળ બિહારના એક શ્રમિક ગયા ગુરૂવારે સવારથી સાંજ સુધીમાં પોતાના રહેણાંકના સ્થળેથી ગુમ થઈ ગયા છે.
જામનગર-ખંભાળિયા માર્ગ પર આવેલા મેઘપર ગામમાં વસવાટ કરતા મૂળ બિહાર રાજ્યના બેસાલી જિલ્લાના વતની પરવેઝ રસુલભાઈ શેખ (ઉ.વ.૩૬) નામના શ્રમિક ગયા ગુરૂવારે સવારે સાડા આઠેક વાગ્યે પોતાના રહેણાંક પરથી ગુમ થયા છે.
વધુ વાંચો »
Feb 18, 2025
ચોરાઉ બાઈક પોલીસે કબ્જે કર્યુ
જામનગર તા. ૧૮: જામનગરના ટાઉનહોલ વિસ્તારમાંથી થોડા દિવસ પહેલા હીરામોટર સાયકલની ઉઠાંતરી કરનાર બે શખ્સને સીટી બી ડિવીઝન પોલીસે પકડી પાડી ચોરાઉ મોટરસાયકલ કબજે કર્યું છે. આ શખ્સોએ તે વાહન ચોરી કર્યાની કબુલાત કરી છે.
જામનગરના ટાઉનહોલ વિસ્તારમાંથી થોડા દિવસ પહેલા એક આસામીનું જીજે-૧૦-એએચ-૮૫૦૭ નંબરનું હીરો મોટરસાયકલ ચોરાઈ ગયું હતું. તેની ફરીયાદ પોલીસમાં કરવામાં આવ્યા પછી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ પી.પી. જાની ...
વધુ વાંચો »
Feb 18, 2025
નવાગામ ઘેડમાં થયેલા અકસ્માતની કરાઈ ફરિયાદઃ
જામનગર તા.૧૮ : જામનગરના નવાગામ ઘેડમાં રવિવારે બપોરે આડી પડી ગયેલી એક મોટરની હડફેટે ચડેલા બે વ્યક્તિને ઈજા થઈ હતી. તેની પોલીસમાં ફરિયાદ કરાઈ છે. જોડિયાના બાલંભા પાસે ગઈકાલે સવારે સર્જાયેલા અકસ્માતની પણ ફરિયાદ થઈ છે. આ અકસ્માતમાં ત્રણ મહિલાના મૃત્યુ થયા હતા અને ત્રણને ગંભીર ઈજા પહોંચી હતી.
જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલા ભંગારના વાડા પાસે રવિવારે બપોરે જીજે-૩-એનપી ૨૬૬૨ નંબર વાળી ઈકો ...
વધુ વાંચો »
Feb 18, 2025
ભીમવાસ પાસે થયેલા હુમલાની કરાઈ ફરિયાદઃ
જામનગર તા.૧૮ : જામનગરના જૂના રેલવે સ્ટેશન નજીક ભીમવાસ પાસે એક યુવાન પર શનિવારે રાત્રે એક મહિલા સહિત ચારે છરી-પાઈપથી હુમલો કર્યાની રાવ કરવામાં આવી છે. જ્યારે અલીયાબાડામાં અમને કેમ સંભળાવે છે તેમ કહી ચાર શખ્સે એક યુવાનને ધોકાવી નાખ્યાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે.
જામનગરના જૂના રેલવે સ્ટેશન પાસે આવેલા ભીમવાસ શેરી નં.૧માં રહેતા માનવ ઉગાભાઈ વઘેરા ઉર્ફે મહાનામ નામના યુવાન પર શનિવારે રાત્રે ...
વધુ વાંચો »
Feb 18, 2025
ત્યાં જનાજો રાખી નમાઝ પઢાતી હતીઃ
જામનગરના સુભાષબ્રિજ નીચે આવેલી એક મસ્જિદ પાસે આજે સવારે કેટલાક વ્યક્તિઓને જનાજા સાથે જોતા કોઈ વ્યક્તિએ તંત્રને જાણ કરી હતી. જેના પગલે સિટી એ ડિવિઝનના પીઆઈ એન.એ. ચાવડા તથા સ્ટાફ અને એસ્ટેટ શાખાની ટીમ દોડી હતી. ત્યાં એક વ્યક્તિનું અવસાન થયા પછી ત્યાં વિસામો આપી નમાઝ પઢવામાં આવતી હોવાનું બહાર આવ્યું હતું.
જો આપને
વધુ વાંચો »
Feb 18, 2025
પોલીસ સાથે એસ્ટેટના બે કર્મચારી પણ ફરજનિયુક્તઃ
જામનગરના બર્ધનચોકમાં ૫ાથરણાવાળા દ્વારા કરાતા દબાણો હટાવવા અવારનવાર જામ્યુકોની એસ્ટેટ શાખા અને પોલીસ દ્વારા પ્રયાસો કરાય છે. તે દરમિયાન કાગદી ચોકમાં કાયમી પોલીસ ચોકી ઉભી કરવા શરૂ કરાયેલી તજવીજ વચ્ચે આજથી પોલીસ ચોકી કાર્યરત કરવામાં આવી છે. ત્યાં પોલીસ કર્મચારી અને એસ્ટેટ વિભાગના કર્મચારી ફરજ પર રહેશે અને ચાંદી બજારથી દરબારગઢ સર્કલ થઈ બર્ધન ચોક સુધી પેટ્રોલીંગ કરાશે.
જો
વધુ વાંચો »
Feb 18, 2025
ટિકિટ બારી પર હાજર મહિલા પણ બચાવવા માટે કૂદ્યાઃ
જામનગરના ભુજીયા કોઠા સામેના તળાવના ભાગમાં આજે સવારે એક મહિલાએ અચાનક ભુસકો માર્યાે હતો. તે દૃશ્ય નિહાળી ટિકિટ બારી પર હાજર કર્મચારી દિવ્યાબેન નંદા દોડ્યા હતા. તેઓએ પણ તળાવમાં ભૂસકો મારી ઉપરોક્ત મહિલાને બચાવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. ત્યારે જ દોડી આવેલી ફાયરબ્રિગેડની ટીમે બંને મહિલાને બહાર કાઢી લીધા હતા. ખોજાનાકા પાસે રહેતા મહિલા અને ટિકિટ બારીના કર્મચારી મહિલા બંનેનો બચાવ થયો છે.
વધુ વાંચો »
Feb 18, 2025
ભારત સુવર્ણકાર સેતુ સંસ્થાનો મળ્યો સહયોગઃ
જામનગરના ટાઉનહોલમાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા ભારત સુવર્ણકાર સેતુ સંસ્થાના સહયોગથી સાયબર ક્રાઈમ અંગે અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં સોની સમાજના ૧૫૦થી વધુ વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા. પીઆઈ આઈ.એ. ધાસુરા તથા સ્ટાફે જહેમત ઉઠાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી
વધુ વાંચો »
Feb 18, 2025
'મેરા યુવા ભારત' દ્વારા સુભાષચંદ્ર બોઝ જયંતી નિમિત્તે
જામનગર તા. ૧૮: ભારત સરકારના યુવા કાર્ય અને ખેલ મંત્રાલય હેઠળ કાર્યરત મેરા યુવા ભારત જામનગર દ્વારા રોડ સેફટી જાગૃતિ કાર્યક્રમ યોજી સુભાષ ચંદ્ર બોઝની જન્મ જયંતી ઉજવાઈ હતી. કાર્યક્રમની શરૂઆતમાં માય ભારતના રાષ્ટ્રીય સ્વયંસેવક વર્ષા પરમાર દ્વારા નેતાજી સુભાષચંદ્ર બોઝના જીવન વૃતાંત પર પોતાનું વક્તવ્ય રજૂ કરાયું હતું. ત્યારબાદ જામનગરના આર.ટી.ઓ. કે.કે. ઉપાધ્યાય દ્વારા રોડ સેફટી અને જાગરૂકતા કાર્યકમ અંતર્ગત યુવાનોને માર્ગદર્શન આપ્યું હતું. આર.ટી.ઓ. ઇન્સ્પેક્ટર પૃથ્વીએ જો કોઈ વ્યક્તિ રોડ સેફટીનું ...
વધુ વાંચો »
Feb 18, 2025
સ્પે. ખેલ મહાકુંભ અંતર્ગત ૩પ ખેલાડીએ ભાગ લીધોઃ
જામનગર તા. ૧૮: ગુજરાત રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળની સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા રમતગમત અધિકારી, જામનગર ગ્રામ્ય દ્વારા સંચાલીત દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પે. ખેલ મહાકુંભ ૩.૦ ર૦ર૪-રપ અંતર્ગત જિલ્લાકક્ષાની તમામ વયજુથ માટેની અંધજન કેટેગરીની ચેસ સ્પર્ધા અંધજન વિવિધલક્ષી તાલીમ કેન્દ્ર જામનગરમાં યોજવામાં આવી હતી. જિલ્લા રમતગમત અધિકારી-જામનગર ગ્રામ્ય અને નેશનલ એસોસિએશન ફોર ધી બ્લાઈન્ડ-જામનગર શાખા દ્વારા ...
વધુ વાંચો »
Feb 18, 2025
કોસ્ટગાર્ડ, સેના, પોલીસ સહિતના જવાનો જોડાયાઃ
જામનગર તા.૧૮ : બેટ દ્વારકાના દરિયામાં જલ થલ રક્ષા-૨૦૨૫ અંતર્ગત યુદ્ધ અંગે અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેમાં મરીન પોલીસ તથા કોસ્ટગાર્ડની સાથે લશ્કરી જવાનો અને અન્ય વિભાગો પણ જોડાયા હતા. ગુજરાતના પશ્ચિમી દરિયા કાંઠાની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂતી બક્ષવા બેટ દ્વારકામાં જલ થલ રક્ષા-૨૦૨૫ નામથી યુદ્ધ અભ્યાસ યોજવામાં આવ્યો હતો. તે કવાયતમાં જામનગર સ્થિત ઈનફન્ટ્રી બ્રિગેડ, અમદાવાદના ઈનફન્ટ્રી ડિવિઝન તથા કોસ્ટગાર્ડ અને મરીન પોલીસના જવાનો તેમાં જોડાયા ...
વધુ વાંચો »
Feb 18, 2025
ખંભાળિયાઃ સમસ્યાઓનું શહેર!
ખંભાળિયા તા. ૧૮: ખંભાળિયા શહેરમાં વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે પૂર્વ પાલિકા કારોબારી ચેરમેન હિનાબેન આચાર્ય દ્વારા પાલિકા ચીફ ઓફિસર તથા પ્રમુખને રજૂઆત કરવામાં આવી છે.
ખંભાળિયા પાલિકાની એમ્બ્યુલન્સોમાં એક પણમાં ઓક્સિજન સિલિન્ડરની વ્યવસ્થા નથી. અગાઉ ત્રણમાં હતી. હાલ એક પણમાં ના હોય, ઈમરજન્સીમાં અન્ય સ્થળે જવા જરૂરત પડતી હોય તાકીદે ઓક્સિજન સિલિન્ડર વ્યવસ્થા કરવી.
પાલિકા વિસ્તારમાં ગામમાં દાખલ થતા રેલવે ફાટક પાસેથી રેલવે સ્ટેશન ...
વધુ વાંચો »
Feb 18, 2025
રાજય સફાઈકર્મી મહામંડળની રજુઆત
ખંભાળિયા તા. ૧૮: ગુજરાત રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ગુજરાત રાજય સફાઈ કામદાર મહામંડળના પ્રમુખશ્રી કસ્તુરભાઈ મકવાણા તથા મહામંત્રી રમેશ વાઘેલા દ્વારા રાજ્યની નગરપાલિકા ઓમાં ફરજ બજાવતા સફાઈ કામદારોને મહેકમ ખર્ચની મર્યાદાના દાયરામાંથી મુકિત આપવા વિસ્તૃત રજૂઆતો કરી છે.
રજૂઆતમાં મહત્ત્વનો મુદ્દો લેવાયો છે કે રાજયની નગર પાલિકાઓમાં મહેસુલી આવક તથા પગાર ભથ્થા વિષયક ગ્રાંટની કુલ આવક સામે કર્મચારીઓનું પગારખર્ચ ૪૮ ટકાથી વધવુ ના જોઈએ તે ...
વધુ વાંચો »
Feb 18, 2025
ગંગા સ્નાન કરીને પરત આવતા યાત્રિકોનો ધસારો
પ્રયાગરાજ તા. ૧૮: પ્રયાગરાજ રેલવે જંકશન પર ભીડ વધી જતાં તંત્ર દ્વારા અડધી કલાક ભારે યાત્રિકોને રેલ્વે સ્ટેશનમાં પ્રવેશતા અટકાવ્યા હતા.
પ્રયાગરાજ જંક્શનના સિટી સાઈડમાં સંગમ સ્નાન કરી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓની ભીડ ગઈકાલે રાત્રે ૧૦ વાગ્યે અચાનક વધી જતાં ૧૦.૩૦ વાગ્યે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. જેના લીધે કોઈ દુર્ઘટના ન ઘટે તેની અગમચેતી સાથે રેલવે તંત્રે જંક્શન પર શ્રદ્ધાળુઓનો પ્રવેશ અટકાવી દીધો હતો. રેલવે તંત્ર દ્વારા જંક્શન પર પ્રવેશ બંધ કરી દેતાં લોકોએ ...
વધુ વાંચો »
Feb 18, 2025
આ છે... આપણી ટ્રાફિક પોલીસ
જામનગર તા. ૧૮: જામનગરમાં ટુ-વ્હીલર વાહન ચાલકો પાસેથી ફરજીયાત હેલ્મેટના નિયમની અમલવારી ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં આ નિયમની ખાસ કરીને સિટી વિસ્તારમાં અમલવારી સામે લોકોમાં સરકારની ગરીબ અને મધ્યમવર્ગની જનતાને દંડ ફટકારવાની નીતિ રીતિ સામે અતિ ઉગ્ર આક્રોશ ફેલાયો છે. સમગ્ર જામનગરમાં ટ્રાફિક નિયમન અને વ્યવસ્થામાં આપણી ટ્રાફિક પોલીસ મહદઅંશે નિષ્ક્રીય અને નિષ્ફળ જ પુરવાર થઈ છે. મનપા સાથે સંકલનના અભાવે રસ્તા પરના દબાણો-લારીઓ હટાવાતા નથી. પાર્કિંગ અને ફુટપાથો ...
વધુ વાંચો »
Feb 18, 2025
નામુમકીન સા એક સફર આસાન રહા, હમ પર જૈસે શિવ કા વરદાન રહા
જામનગર તા. ૧૮: ઉત્તરપ્રદેશનાં પ્રયાગરાજમાં ચાલી રહેલ મહાકુંભમાં અત્યાર સુધી ૫૪ કરોડથી વધુ લોકોએ સ્નાન કર્યુ છે ત્યારે નિયમિત થતી લાખોની આટલી ભીડ અને ટ્રાફિકની સમસ્યાઓ વચ્ચે તમે કોઈપણ અવરોધ વગર સરળતાથી મહાકુંભમાં શુભ મુહૂર્તમાં સ્નાન કરી સરળતાથી પરત તમારા વતન પહોંચી જાવ અને આ યાત્રા અચાનક જ અનાયાસે થઇ જાય તો એ ચમત્કાર અથવા ઇશ્વરે લખેલી સ્ક્રીપ્ટ મુજબ બનેલી ઘટના જ કહી શકાય. 'છોટાકાશી' કહેવાતા જામનગરનાં ૩ ...
વધુ વાંચો »
Feb 18, 2025
લાલપુર તાલુકાના
જામનગર તા. ૧૮: લાલપુર તાલુકાના હરિપર-પીપરટોડા ગામ વચ્ચે કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ થઇ રહેલા માર્ગના કામમાં ભ્રષ્ટાચાર અંગે સંબંધિત સ્થાનિક તંત્ર દ્વારા ગ્રામજનોની રજુઆત પરત્વે દુર્લક્ષ સેવાતાં ભાજપના આગેવાને આ મામલે વિજીલન્સ તપાસ કરાવવા મુખ્યમંત્રી અને માર્ગ-મકાન વિભાગના સચીવ સમક્ષ રજુઆત કરી છે.
લાલપુર તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ કૃષ્ણદેવસિંહ ચુડાસમાએ રાજયના મુખ્યમંત્રી તેમજ માર્ગ-મકાન વિભાગના સચીવને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, જામનગર જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગના ...
વધુ વાંચો »
Feb 18, 2025
કાર્યાલયનો શિલાન્યાસ, સાંસ્કૃતિક કાર્યક્રમો,પ્રાસંગિક પ્રવચનો સાથે
જામનગર તા. ૧૮: તાજેતરમાં જામનગરની સૈનિક સ્કૂલ બાલાચડીમાં ધોરણ ૧૨ નાં કેડેટ્સને વિદાય આપવા માટે વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત કોક હાઉસ - શિવાજી હાઉસ દ્વારા પ્રસ્તુતિથી થઈ હતી. શિવાજી હાઉસના હાઉસ કેપ્ટન કેડેટ રોમિલ ગાડિયાએ તેમના હાઉસની સિદ્ધિઓ પર ગર્વ વ્યક્ત કર્યો હતો.
શિવાજી હાઉસના હાઉસ માસ્ટર આરજે મકવાણાએ આ પ્રસંગે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે વક્તવ્ય આપ્યું હતું. કેડેટ શિવમ ગાવર અને કેડેટ જય માણેકની સંગીતમય જોડી, કેડેટ આર્યરાજ અને કેડેટ કૃષ્ણ ...
વધુ વાંચો »
Feb 18, 2025
એક જ દિવસમાં રૂ.૨૮ લાખ ઉપરાંતના ટેક્સની વસૂલાતઃ
જામનગરની આરટીઓ કચેરી દ્વારા ટેક્સ ડિફોલ્ટર મેગા એન્ફોર્સમેન્ટ ડઈવનું આયોજન કરાયું હતું. આરટીઓ કેતન ઉપાધ્યાયના વડપણ હેઠળની ટીમે જુદા જુદા ધોરીમાર્ગ પર જે વાહનના ટેક્સ ભરવાના બાકી હોય તેવા વાહનોની ચકાસણી કરી ૪૫ હજાર વાહનચાલકો પાસેથી સ્થળ પર જ રૂ.૨૮,૩૩,૧૩૯ની વસૂલાત કરી હતી.
જો આપને આ પોસ્ટ
વધુ વાંચો »
Feb 18, 2025
સ્વામી લીલાશાહ વાડીમાં પરમીટ સાથે આધાર કાર્ડને લિંક કરવા માટે ઈ-કેવાયસી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. લાડી લોહાણા સિંધી પંચાયત-જામનગરના પ્રમુખ પ્રકાશભાઈ હકાણી તેમજ જનરલ સેક્રેટરી ચેતનભાઈ મુલચંદાણીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કેમ્પનો લાભ અનેક લોકોએ લીધો હતો. આ કેમ્પમાં પ્રકાશભાઈ તુલસાણી, કિશનભાઈ ગંગવાણી, પંકજ ગંગવાણીએ ઈ-કેવાયસીની કામગીરી કરી હતી. આ કેમ્પને સફળ બનાવવા પ્રમુખ પ્રકાશભાઈ હકાણી, ચેતનભાઈ મુલચંદાણી, રાજેશભાઈ રામાણી, શંકરલાલ કારીયા, થાવરદાસ તુલસાણી, હરીભાઈ ચંદન, શ્યામલાલ આપલાણી, નરેશભાઈ મેઘવાણી, હરેશભાઈ ગ્યાનચંદાણી, મહિલા મંડળના પ્રમુખ કમલાબેન કારીયા તેમજ કારોબારીના ...
વધુ વાંચો »
Feb 18, 2025
જામનગર તા. ૧૮: તામીલનાડુ પેરા સ્પોર્ટસ એસો. દ્વારા ચેનનાઈમાં તા. ૧૭/ર થી ર૦/ર સુધી યોજાનાર રાષ્ટ્રીય પેરા એથ્લેટિક્સ સ્પર્ધામાં હાલારના છ દિવ્યાંગ ખેલાડીઓ (૧) જુનદેભાઈ ખીરા (૪૦૦ મી. દોડ), (ર) ચંદ્રેશ બગડા (ઊંચી કૂદા, લાંબી કૂદ), (૩) નેહાબેન ગઢવી (ચક્રફેંક, ગોળા ફેંક), (૪) રીયાબેન ચિતારા (ચક્રફેંક), (પ) શિવદાસ ગુજરિયા (ગોળાફેંક) તથા (૬) કુલસુમબેન શેખ (ભાલાફેંક) ભાગ લેનાર છે. આ ખેલાડીઓ આશાદીપ વિક્લાંગ કલ્યાણકારી ટ્રસ્ટ તથા પેરા સ્પોર્ટસ એસો.ના સભ્યો છે.
જો
વધુ વાંચો »
Feb 18, 2025
જામનગર તા.૧૮ : જામનગરના એડવોકેટની કેન્દ્ર દ્વારા નોટરી તરીકે નિમણૂક કરવામાં આવી છે.
કેન્દ્ર સરકારના નવીદિલ્હી સ્થિત મિનિસ્ટ્રી ઓફ લો એન્ડ જસ્ટિસ ડિપાર્ટમેન્ટ ઓફ લીગલ અફેર્સ દ્વારા નગરના ધારાશાસ્ત્રી મયુર એમ. ભટ્ટની નોટરી તરીકે નિયુક્તિ કરાઈ છે.
નગરના ઔદિચ્ય ગઢીયા બ્રહ્મસમાજના સિનિયર ધારાશાસ્ત્રી મયુર ભટ્ટ જામનગર વકીલમંડળમાં તેઓ ત્રણ વર્ષ સુધી સહમંત્રી તથા ઉપપ્રમુખપદે સેવા આપવા ઉપરાંત લેબર બારમાં કમિશનર તરીકે સેવા આપી ચૂક્યા છે.
જો
વધુ વાંચો »
Feb 18, 2025
જામનગર તા. ૧૮: જામનગરના પૂર્વ રાજવી જામસાહેબ શત્રુશલ્યસિંહજી જાડેજાનો જન્મદિવસ દેશી ચંદ્ર કેલેન્ડર મુજબ ફાગણ સુદ બીજ ને તા. ૧ માર્ચે છે. લોકોમાં જામસાહેબનો જન્મદિવસ તા. ર૦ ફેબ્રુઆરી હોવાની સમજ છે. આ જન્મ તારીખ યુરોપિયન સૂર્ય કેલેન્ડર મુજબ છે.
આથી જામસાહેબે એક નિવેદનમાં તેમનો જન્મદિન તા. ૧ માર્ચે હોવાનું જણાવી શુભેચ્છકો/લોકોને તા. ૧ લી માર્ચે મુલાકાત લેવા જણાવ્યું છે.
જો આપને
વધુ વાંચો »
Feb 18, 2025
જામનગર તા. ૧૮ : સેન્ટ્રલ બેંક રોડ પર આવેલા પીપળેશ્વર મહાદેવ મંદિરમાં તા. ર૬-ર-૨૦૨૫ ના દિને મહાશિવરાત્રિ પર્વ ઉજવવામાં આવશે.
સૂર્યનારાયણ મંદિરના પૂજારી દધીજી મહારાજ દ્વારા ધ્વજાજીનું સવારે ૯ વાગ્યે પૂજન કરાશે, જેના યજમાનપદે શેતુલભાઈ વારિયા તથા ફોરમબેન વારિયા અને પરિવાર રહેશે. દાતાઓના સહકારથી બનાવેલ ચાંદીની આરતી તથા હનુમાનજીની ચાંદીની ગદાનું પૂજન કરી પીપળેશ્વર મહાદેવને અર્પણ કરાશે. શિવરાત્રિના દિવસે મહાદેવજીને ચાંદી/ફૂલનો શણગાર કરાશે. મંડપ, લાઈટ ડેકોરેશન કરવામાં આવશે. સાંજે ૬ થી ૧ર વાગ્યા ...
વધુ વાંચો »
Feb 18, 2025
સદ્ગુરુના 'સેવ સોઈલ'ના સંદેશ સાથે ૩૦ હજાર કિ.મી.ના પ્રવાસ અંતર્ગત
ઈશા ફાઉન્ડેશનના પ્રણેતા અને પ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરૂ સદ્ગુરૂ જગ્ગી વાસુદેવ દ્વારા 'સેવ સોઈલ'અર્થાત્ 'માટી બચાવો' નામે વૈશ્વિક જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાનના સમર્થનમાં ઉત્તરપ્રદેશના લલિતપુરથી મોહિત નિરંજન ર૩ વર્ષિય યુવાન સાયકલ પર ભારત યાત્રાએ નીકળ્યો છે. કુલ કુલ ૩૦ હજાર કિ.મી.ની સાયકલ યાત્રા દરમિયાન હજારો કિ.મી.નું અંતર કાપી જામનગર આવી પહોંચેલા મોહિત નિરંજનનું શહેરના રણમલ તળાવ સંકુલમાં ઈશા ફાઉન્ડેશનના સ્થાનિક ...
વધુ વાંચો »
Feb 18, 2025
જામનગર (દક્ષિણ) ના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીના કાર્યાલયમાં વીજતંત્ર દ્વારા સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યું હતું. એ પ્રસંગે વીજ તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. ધારાસભ્ય દિવ્યેશભાઈનું મોઢું મીઠું કરાવ્યું હતું. ધારાસભ્યએ સ્માર્ટ મીટરના ફાયદાઓ જણાવી લોકોને સ્માર્ટ મીટર લગાવવા અનુરોધ કર્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય
વધુ વાંચો »
Feb 18, 2025
શબેબરાત રાત પૂર્વે ડો. જાવેદ રાઠોડ પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ નાના બાળકોને ચોકલેટ, બિસ્કિટ, બોલપેન, પેન્સીલ અને નોટબુક વિગેરે આપી બાળકોને પ્રોત્સાહિત કરેલ હતાં. જેનો લાભ ૭૮૬ બાળકોએ લીધેલ હતો. જેમાં જાહીદાબેન, સમીમબેન, અલવીરા, ફૈઝીલા (બેબો), અરતા, અલ્વીના, જાફીરાએ જહેમત ઉઠાવેલ હતી.
જો આપને આ પોસ્ટ ગમી
વધુ વાંચો »
Feb 18, 2025
આવતીકાલે જામનગરમાંૃ
જામનગર તા. ૧૮: જામનગરના પૂર્વ નગરસેવક તથા બ્રહ્મ સમાજના અગ્રણી સ્વ. ચેતનભાઈ કાંતિલાલ ઉપાધ્યાયના નિધન સંદર્ભમાં તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા આવતીકાલે તા. ૧૯-ર-ર૦રપ ના રાત્રે ૮-૩૦ વાગ્યે ઉપાધ્યાય પરિવાર દ્વારા એફ-૧૪ સીવીક સેન્ટર પાછળ, રણજીતનગર, જામનગરમાં શ્રીનાથજીની ઝાંખી તથા ભજન-કીર્તનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી
વધુ વાંચો »
Feb 18, 2025
ખેડૂતો માટે એજીઆર-૪ યોજના અંતર્ગત
દ્વારકા તા. ૧૮: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતોએ વર્ષ ૨૦૨૪-૨૫માં ખેતીવાડી વિભાગની એજીઆર-૪ યોજના હેઠળ અનુસૂચિત જાતિના ખેડૂતો માટે તાડપત્રી ઘટક અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લા માટે તા.૨૦/૦૨/૨૦૨૫ સુધી આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવેલ છે. જુદા જુદા ઘટકોમાં સહાય મેળવવા ઇચ્છુક ખેડૂતોએ આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની થાય છે તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે.
જો આપને
વધુ વાંચો »
Feb 18, 2025
જામનગરના જુના રેલવે સ્ટેશન નજીકના
જામનગર તા. ૧૮: જામનગરના ઓબીસી, એસપી, એસટી અને માઈનોરીટી સમાજના સંયુક્ત ઉપક્રમે જામનગરમાં જુના રેલવે સ્ટેશન સામેના જ્યોતિરાવ ફૂલે ચોકના પ્રશ્ને તા. ર૧-ર-ર૦રપ ના સવારે ૧૦ થી બપોરે ૧ વાગ્યા સુધી ધરણાંનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.
જામનગરમાં જુના રેલવે સ્ટેશન સામેના ચોકને જામનગર મહાનગરપાલિકાએ જનરલ બોર્ડની બેઠકમાં તા. ર૦-૧૦-૧૯૯૯ ના ઠરાવ નં. થી પ્રખર સમાજ સુધારક જ્યોતિરાવ ફૂલે ચોક નામભિધાન કરેલ છે. ત્યારપછી જુદી-જુદી સંસ્થાઓએ ...
વધુ વાંચો »
Feb 18, 2025
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું:
દ્વારકા તા. ૧૮: દ્વારકા તાલુકાના કુરંગા તથા ઓખા મઢી મુકામે ફેબ્રુઆરી ૨૦૨૫ દરમિયાન ફાયરીંગ પ્રેક્ટીસ યોજાનાર હોવાથી દેવભૂમિ દ્વારકાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામું બહાર પાડી ફાયરીંગ બટ વિસ્તારમાં જાહેર જનતાને પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
જાહેર જનતાની સલામતી માટે દ્વારકા તાલુકાના કુરંગા તથા ઓખામઢી મુકામે આવેલ ફાયરીંગ રેન્જ વિસ્તારમાં તા. ૨૮/૦૨/૨૦૨૫ સુધી જાહેર જનતાના પ્રવેશને પ્રતિબંધિત કરવામાં આવી છે. આ જાહેરનામાના આદેશોનો ભંગ ...
વધુ વાંચો »
Feb 18, 2025
તપોવન, વિજરખીમાં
જામનગર તા. ૧૮: જામનગર નજીક અલિયાબાડા પાટિયા પાસે કંકુનગર-વિજરખીમાં આવેલ તપોવન ફાઉન્ડેશન સંચાલિત હરેશ્વર મહાદેવ મંદિરમાં તા. ર૬-ર-ર૦રપ ના દિને મહાશિવરાત્રિ પર્વની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં તા. ર૬/ર ના સવારે ૬ વાગ્યે આરતી, સવારે ૭-૩૦ વાગ્યે હોમાત્મક લઘુરૂદ્રનો આરંભ, બપોરે ૧ વાગ્યે બીડું હોમાશે. બપોરે ૧-૩૦ વાગ્યે મહાપ્રસાદ (ફળાહાર) થશે.
તા. ર૬/ર ના સાંજે ૪ થી રાત્રૈ ડ વાગ્યા સુધી મહાદેવના વિશિષ્ટ શૃંગાર ...
વધુ વાંચો »
Feb 18, 2025
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો.... અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની મુલાકાત બાદ ટેરિફ મુદ્દે કોઈ રાહતના સંકેતો ના જણાતા તેમજ રશિયાએ યુક્રેનના ન્યૂક્લિયર પ્લાન્ટમાં ડ્રોન વડે હુમલો કરતાં જિઓ-પોલિટિકલ ક્રાઇસિસ વધતા આજે સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારની શરૂઆત ઘટાડા સાથે થઇ હતી.
વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો ગઈકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૦૭%ના વધારા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસ શ્ પી ૫૦૦ ૦.૦૪% અને નેસ્ડેક ૦.૪૬% વધીને સેટલ થયા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૧૦% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૧૨% વધીને ટ્રેડ થઇ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર રિયલ્ટી, ટેલેકોમ્યુનિકેશન, ...
વધુ વાંચો »
Feb 18, 2025
નામુમકીન સા એક સફર આસાન રહા, હમ પર જૈસે શિવ કા વરદાન રહા
જામનગર તા. ૧૮: ઉત્તરપ્રદેશનાં પ્રયાગરાજમાં ચાલી રહેલ મહાકુંભમાં અત્યાર સુધી ૫૪ કરોડથી વધુ લોકોએ સ્નાન કર્યુ છે ત્યારે નિયમિત થતી લાખોની આટલી ભીડ અને ટ્રાફિકની સમસ્યાઓ વચ્ચે તમે કોઈપણ અવરોધ વગર સરળતાથી મહાકુંભમાં શુભ મુહૂર્તમાં સ્નાન કરી સરળતાથી પરત તમારા વતન પહોંચી જાવ અને આ યાત્રા અચાનક જ અનાયાસે થઇ જાય તો એ ચમત્કાર અથવા ઇશ્વરે લખેલી સ્ક્રીપ્ટ મુજબ બનેલી ઘટના જ કહી શકાય. 'છોટાકાશી' કહેવાતા જામનગરનાં ૩ શિવ ભક્ત યુવાનોએ આ ચમત્કાર અનુભવ્યો છે.
જામનગરનાં દિપક જોશી, દિગંત પટેલ તથા સંદિપ આહિર નામનાં ૩ યુવાનોએ કારમાં જામનગરથી પ્રયાગરાજ ...
વધુ વાંચો »
Feb 18, 2025
જામજોધ૫ુર, ભાણવડ, ધ્રોળ, કાલાવડમાં ભાજપને જંગી બહુમતી, દ્વારકામાં વિપક્ષના સુપડા સાફ, એક અપવાદ સિવાય સર્વત્ર ખિલ્યુ કમળઃ સલાયામાં ભાજપને જબરો ઝટકો
જામનગર તા. ૧૮: આજે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે, તે પૈકી હાલારની ૬ નગરપાલિકાઓમાંથી પાંચ નગરપાલિકાઓમાં ભાજપનો જંગી વિજય થતો જણાય છે, જ્યારે સલાયા નગરપાલિકામાં ભાજપને જબરો ઝટકો લાગ્યો છે, અને કોંગ્રેસ તથા 'આપ' વચ્ચે નેક ટુ નેક ફાઈટ થતા આ નગરપાલિકા વિપક્ષના ફાળે ગઈ છે.
આજે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીની મતગણતરી થઈ રહી છે. તેમાં હાલારની ૬ માંથી પાંચ નગરપાલિકાઓમાં ભાજપનો ભગવો લહેરાયો છે, ...
વધુ વાંચો »
Feb 18, 2025
ત્યાં જનાજો રાખી નમાઝ પઢાતી હતીઃ
જામનગરના સુભાષબ્રિજ નીચે આવેલી એક મસ્જિદ પાસે આજે સવારે કેટલાક વ્યક્તિઓને જનાજા સાથે જોતા કોઈ વ્યક્તિએ તંત્રને જાણ કરી હતી. જેના પગલે સિટી એ ડિવિઝનના પીઆઈ એન.એ. ચાવડા તથા સ્ટાફ અને એસ્ટેટ શાખાની ટીમ દોડી હતી. ત્યાં એક વ્યક્તિનું અવસાન થયા પછી ત્યાં વિસામો આપી નમાઝ પઢવામાં આવતી હોવાનું બહાર આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય
વધુ વાંચો »
Feb 18, 2025
ટિકિટ બારી પર હાજર મહિલા પણ બચાવવા માટે કૂદ્યાઃ
જામનગરના ભુજીયા કોઠા સામેના તળાવના ભાગમાં આજે સવારે એક મહિલાએ અચાનક ભુસકો માર્યાે હતો. તે દૃશ્ય નિહાળી ટિકિટ બારી પર હાજર કર્મચારી દિવ્યાબેન નંદા દોડ્યા હતા. તેઓએ પણ તળાવમાં ભૂસકો મારી ઉપરોક્ત મહિલાને બચાવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. ત્યારે જ દોડી આવેલી ફાયરબ્રિગેડની ટીમે બંને મહિલાને બહાર કાઢી લીધા હતા. ખોજાનાકા પાસે રહેતા મહિલા અને ટિકિટ બારીના કર્મચારી મહિલા બંનેનો બચાવ થયો છે.
જો આપને આ પોસ્ટ
વધુ વાંચો »
Feb 18, 2025
પૂર્વ સંમતિ મેળવી વિશ્વાસ કેળવો
સંશય હટાવીને વીજગ્રાહકોની સહમતી મેળવવાથી ઘર્ષણ ઘટાડી શકાશેઃ
જામનગર તા. ૧૮: જામનગરમાં કેટલાક વિસ્તારોમાં સ્માર્ટ મીટરના મુદ્દે વીજકંપની સામે જનાક્રોશ જાગ્યો છે. હરિયા કોલેજ વિસ્તારમાં ગોકુલનગર પાસે કોઈ સોસાયટીમાં પોસ્ટપેઈડ સ્માર્ટ મીટરો ફીટ કરવા ગયેલી વીજ ટીમો સાથે સ્થાનિકોને તકરાર થઈ અને વીજ ટીમોએ સહમતી વિના ઉખેડેલા બે જુના વીજ મીટરો પાછા ફીટ કરી દેવા પડ્યા. એટલું જ નહીં, વીજ ટીમોએ થાંભલેથી લાઈટ કાપી નાખંવાની ચિમકી (ધમકી) આ૫ી હોવાના અહેવાલો પણ આવ્યા હતાં. તે પછી વીજ ટીમોને પરત ફરવું પડ્યું હોવાના અહેવાલો પછી અન્ય વિસ્તારોમાં પણ તેની અસર પડી રહી છે.
જો કે, એ વિસ્તારમાં દોઢસો જેટલા સ્માર્ટમીટરો ...
વધુ વાંચો »
Feb 18, 2025
ગંગા સ્નાન કરીને પરત આવતા યાત્રિકોનો ધસારો
પ્રયાગરાજ તા. ૧૮: પ્રયાગરાજ રેલવે જંકશન પર ભીડ વધી જતાં તંત્ર દ્વારા અડધી કલાક ભારે યાત્રિકોને રેલ્વે સ્ટેશનમાં પ્રવેશતા અટકાવ્યા હતા.
પ્રયાગરાજ જંક્શનના સિટી સાઈડમાં સંગમ સ્નાન કરી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓની ભીડ ગઈકાલે રાત્રે ૧૦ વાગ્યે અચાનક વધી જતાં ૧૦.૩૦ વાગ્યે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. જેના લીધે કોઈ દુર્ઘટના ન ઘટે તેની અગમચેતી સાથે રેલવે તંત્રે જંક્શન પર શ્રદ્ધાળુઓનો પ્રવેશ અટકાવી દીધો હતો. રેલવે તંત્ર દ્વારા જંક્શન પર પ્રવેશ બંધ કરી દેતાં લોકોએ બૂમાબૂમ કરી હતી.
જો કે, આરપીએફ અને રેલવે સ્ટાફે સમય સૂચકતા સાથે કામ કર્યું હતું. ઉલ્લેખનીય છે, જંક્શનના યાત્રાળુઓને આશ્રય સ્થળ ...
વધુ વાંચો »
Feb 18, 2025
અગ્નિકાંડ, નકલી પનીર, લેટરકાંડ, ખ્યાતિ હોસ્પિટલ વિગેરે મુદ્દે વિપક્ષ આક્રમક
અમદાવાદ તા. ૧૮: કાલથી વિધાનસભા સત્ર શરૂ થશે અને ગુરૂવારે બજેટ રજૂ થશે. કોંગ્રેસ આક્રમક છે. ખ્યાતિ હોસ્પિટલ, અમરેલીનો લેટર કાંડ, નકલી પનીર ફેકટરી, રાજકોટનો અગ્નિકાંડ, કર્મચારીઓની ફરજિયાત નિવૃત્તિ વગેરે મુદ્દે ગૃહ ગાજવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.
ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આવતીકાલે તા. ૧૯ બુધવારે પ્રારંભ થઇ રહૃાો છે. સત્ર માર્ચ ઉતરાર્ધ સુધી ચાલશે. પ્રથમ દિવસે શોકદર્શક ઠરાવ અને રાજયપાલનું પ્રવચન થશે. બજેટ સત્રની રણનીતિ ઘડવા બન્ને પક્ષો કોંગ્રેસ-ભાજપે પોતાના ધારાસભ્યોની બેઠક બોલાવી છે.
સત્રના બીજા દિવસે ગુરૂવારે બપોરે રાજયના નાણામંત્રી કનુભાઇ દેસાઇ સતત ચોથી વખત બજેટ રજૂ કરશે. કોંગી ધારાસભ્યોએ અમરેલીના લેટરકાંડ, ...
વધુ વાંચો »
Feb 18, 2025
સઈ દેવરીયાના વૃદ્ધ પર ચારનો હુમલોઃ
જામનગર તા.૧૮ : ભાણવડના એક વૃદ્ધ પર જામનગરમાં રહેતા પુત્ર, પુત્રવધૂ, પૌત્ર સહિત ચારે હુમલો કરી ફ્રેકચર કરી નાખ્યું હતું. જયારે કલ્યાણપુરના રાજપરા ગામમાં સગાઈ તૂટી જવાના પ્રશ્ને બે જૂથ બાખડી પડ્યા હતા. બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવી છે. પોલીસે બંને ફરિયાદ પરથી ગુન્હા નોંધ્યા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના સઈ દેવરીયા ગામના ગોરધનભાઈ માંડાભાઈ નકુમ નામના વૃદ્ધ ગુરૂવારની રાત્રે ત્રણેક વાગ્યે પોતાના ઘરે હતા ત્યારે જામનગરના ગોકુલનગરમાં રહેતા નવનીત ગોરધન નકુમ, મનિષાબેન નવનીત નકુમ, ગૌતમ નવનીત તથા શિવા ગામના દર્શીક લખમણ સોનગરા ...
વધુ વાંચો »
Feb 18, 2025
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી થતા જ રાજ્ય સરકારની ઘોષણા
દ્વારકા તા. ૧૮: દ્વારકાના રૂક્ષ્મણી મંદિર, શિવરાજપુર બીચ, નાગેશ્વર જયોતિર્લિંગને બેટ દ્વારકાને જોડતો રૂ. ૧૩૧.૭૬ કરોડના ખર્ચે નવો રીંગ રોડ મંજૂર થયો છે. પાલિકાની ચૂંટણી પૂર્ણ થતાં જ રાજય સરકારે આ વિકાસ પ્રોજેકટની જાહેરાત કરી છે. દ્વારકા હોટલ એસોસિએશને મુખ્યમંત્રીને અભિનંદન પાઠવ્યા છે.
દ્વારકા નગરપાલિકાની ચૂંટણી ગઈકાલે પૂર્ણ થયાની સાથે જ રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા દ્વારકા ક્ષેત્રના વિકાસ માટેની અતિ મહત્ત્વપૂર્ણ યોજના માટેના નાણાં રૂપિયા ૧૩૧.૭૬ કરોડ મંજૂર કર્યાની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે આ સમાચારથી દ્વારકાના વેપાર વાણિજય અને ...
વધુ વાંચો »
Feb 18, 2025
પંજાને પછડાટ, ઝાડુ જળવાયુ, સોળે કલાએ ખીલ્યું કમળઃ
અમદાવાદ તા. ૧૮: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભારતીય જનતા પક્ષનો ઝળહળતો વિજય થયો છે, જુનાગઢ મહાનગર પાલિકા ભાજપે કબ્જે કરી છે, તો પંચાયત- પાલિકાઓની ચૂંટણીઓમાં પણ ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે. કેટલાક સ્થળે આપ, સપા અને બસપાને પણ નોંધપાત્ર બેઠકો મળી છે.
ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો આજે જાહેર થઈ રહૃાા છે. સવારે ૯ વાગ્યાથી મતગણતરી શરૂૂ થઈ ચૂકી છે. ૧૬ ફેબ્રુઆરીએ મતદાન પૂર્ણ થયું હતું. જેમાં જૂનાગઢ મહાનગરપાલિકા, ૬૮ નગરપાલિકા અને ૩ તાલુકા પંચાયતની ચૂંટણી માટે સરેરાશ ૫૭ ટકા મતદાન થયું હતું. જોકે સૌથી વધુ મતદાન ચોરવાડ પાલિકામાં રેકોર્ડબ્રેક ૭૬% થયું હતું. ...
વધુ વાંચો »
Feb 18, 2025
પોલીસ સાથે એસ્ટેટના બે કર્મચારી પણ ફરજનિયુક્તઃ
જામનગરના બર્ધનચોકમાં ૫ાથરણાવાળા દ્વારા કરાતા દબાણો હટાવવા અવારનવાર જામ્યુકોની એસ્ટેટ શાખા અને પોલીસ દ્વારા પ્રયાસો કરાય છે. તે દરમિયાન કાગદી ચોકમાં કાયમી પોલીસ ચોકી ઉભી કરવા શરૂ કરાયેલી તજવીજ વચ્ચે આજથી પોલીસ ચોકી કાર્યરત કરવામાં આવી છે. ત્યાં પોલીસ કર્મચારી અને એસ્ટેટ વિભાગના કર્મચારી ફરજ પર રહેશે અને ચાંદી બજારથી દરબારગઢ સર્કલ થઈ બર્ધન ચોક સુધી પેટ્રોલીંગ કરાશે.
જો આપને આ પોસ્ટ ગમી
વધુ વાંચો »
Feb 18, 2025
જામનગર તા. ૧૮: જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન અઢી ડીગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ૩ર.પ ડીગ્રી નોંધાયું હતું, જેના પગલે ગરમીમાં પણ વધારો થયો હતો.
જામનગરમાં છેલ્લા કેટલાક દિવસોથી બેવડી ઋતુ અનુભવાઈ રહી છે. રાતથી લઈને વહેલી સવાર સુધી ઠંડી તો બપોરે ગરમી પડી રહી છે, જેની વિપરીત અસર લોકોના સ્વાસ્થ્ય પર પણ પડી રહી છે. નગરમાં મિશ્ર ઋતુના દોર વચ્ચે આજે સવારે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન અઢી ડીગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ૩ર.પ ડીગ્રી અને લઘુતમ તાપમાન ર૧ ડીગ્રી નોંધાયું હતું. તાપમાનમાં થયેલા વધારાના ...
વધુ વાંચો »
Feb 18, 2025
૭૬ મુસાફરો અને ૪ ક્રુ મેમ્બર સવાર હતા
ટોરોન્ટો તા. ૧૮: ટોરોન્ટો એરપોર્ટ પર લેન્ડીંગ વખતે વિમાન ક્રેશ થતા ૧૮ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. વિમાનમાં ૮૦ લોકો સવાર હતા, જેમાંથી ૭૬ મુસાફરો અને ૪ ચાલક દળના સભ્યો હતો.
ડેલ્ટા એરલાઇન્સની ફ્લાઇટ નંબર ૪૮૧૯ને લેન્ડીંગ વખતે અકસ્માત નડ્યો છે. આ ફ્લાઇટ મિનિયાપોલિસ-સેન્ટ પોલ એરપોર્ટથી ટોરેન્ટ પિયર્સન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરફ જઇ રહી હતી. ટોરોન્ટો પિયર્સન એરપોર્ટ પર લેન્ડીગ વખતે અકસ્માતનો ભોગ બની હતી. વિમાનમાં ૮૦ લોકો સવાર હતા, જેમાંથી ૭૬ મુસાફરો અને ૪ ચાલક દળના સભ્યો હતા.
વિમાનમાંથી ...
વધુ વાંચો »
Feb 18, 2025
જેલહવાલે કરી દેવાનો અદાલતનો આદેશઃ
જામનગર તા.૧૮ : જામનગરના એક શખ્સને પૂર્વ પત્ની પર જીવલેણ હુમલાના કેસમાં અદાલતે ફરિયાદીની જુબાની ન થાય ત્યાં સુધી જિલ્લામાં ન આવવાની શરતે જામીન આપ્યા હતા. આરોપી દ્વારા જામીનની શરતનો ભંગ કરાતા અદાલતે તેના જામીન રદ્દ કરી જેલમાં ધકેલ્યો છે.
જામનગરના રેશ્માબેન અબાઅહેમદ ગફલા નામના મહિલા તથા તેમના ભાભી અને પુત્ર ગઈ તા.૧-૩-૨૪ના દિને જી.જી. હોસ્પિટલમાં સારવાર મેળવવા આવ્યા હતા. ત્યાંથી પરત ફરતી વખતે જેની સાથે છૂટાછેડા થયા હતા તે પૂર્વ પતિ ઈમરાન મળી જતા તેણે ડખ્ખો શરૂ કર્યાે હતો.
આ શખ્સે ...
વધુ વાંચો »
Feb 18, 2025
આ છે... આપણી ટ્રાફિક પોલીસ
જામનગર તા. ૧૮: જામનગરમાં ટુ-વ્હીલર વાહન ચાલકો પાસેથી ફરજીયાત હેલ્મેટના નિયમની અમલવારી ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં આ નિયમની ખાસ કરીને સિટી વિસ્તારમાં અમલવારી સામે લોકોમાં સરકારની ગરીબ અને મધ્યમવર્ગની જનતાને દંડ ફટકારવાની નીતિ રીતિ સામે અતિ ઉગ્ર આક્રોશ ફેલાયો છે. સમગ્ર જામનગરમાં ટ્રાફિક નિયમન અને વ્યવસ્થામાં આપણી ટ્રાફિક પોલીસ મહદઅંશે નિષ્ક્રીય અને નિષ્ફળ જ પુરવાર થઈ છે. મનપા સાથે સંકલનના અભાવે રસ્તા પરના દબાણો-લારીઓ હટાવાતા નથી. પાર્કિંગ અને ફુટપાથો ગાયબ જેવી સ્થિતિ છે. ખાડાવાળા માર્ગો, આડેધડ સ્પીડબ્રેકરો, રખડતા ઢોરની સમસ્યાથી કોઈપણ જાતના નિયંત્રણ વગર ટ્રાફિક રામ ભરોસે ચાલે છે. ...
વધુ વાંચો »
Feb 18, 2025
જામનગર તા. ૧૮ : સેન્ટ્રલ બેંક રોડ પર આવેલા પીપળેશ્વર મહાદેવ મંદિરમાં તા. ર૬-ર-૨૦૨૫ ના દિને મહાશિવરાત્રિ પર્વ ઉજવવામાં આવશે.
સૂર્યનારાયણ મંદિરના પૂજારી દધીજી મહારાજ દ્વારા ધ્વજાજીનું સવારે ૯ વાગ્યે પૂજન કરાશે, જેના યજમાનપદે શેતુલભાઈ વારિયા તથા ફોરમબેન વારિયા અને પરિવાર રહેશે. દાતાઓના સહકારથી બનાવેલ ચાંદીની આરતી તથા હનુમાનજીની ચાંદીની ગદાનું પૂજન કરી પીપળેશ્વર મહાદેવને અર્પણ કરાશે. શિવરાત્રિના દિવસે મહાદેવજીને ચાંદી/ફૂલનો શણગાર કરાશે. મંડપ, લાઈટ ડેકોરેશન કરવામાં આવશે. સાંજે ૬ થી ૧ર વાગ્યા સુધી દર્શન ખૂલ્લા રહેશે. પીપળેશ્વર મહાદેવ મિત્ર મંડળ દ્વારા શિવ શોભાયાત્રા નિમિત્તે રૂટ ઉપર ઠંડી છાસનું વિતરણ કરવામાં આવશે. મંડળના ...
વધુ વાંચો »
Feb 18, 2025
નવાગામ ઘેડમાં થયેલા અકસ્માતની કરાઈ ફરિયાદઃ
જામનગર તા.૧૮ : જામનગરના નવાગામ ઘેડમાં રવિવારે બપોરે આડી પડી ગયેલી એક મોટરની હડફેટે ચડેલા બે વ્યક્તિને ઈજા થઈ હતી. તેની પોલીસમાં ફરિયાદ કરાઈ છે. જોડિયાના બાલંભા પાસે ગઈકાલે સવારે સર્જાયેલા અકસ્માતની પણ ફરિયાદ થઈ છે. આ અકસ્માતમાં ત્રણ મહિલાના મૃત્યુ થયા હતા અને ત્રણને ગંભીર ઈજા પહોંચી હતી.
જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલા ભંગારના વાડા પાસે રવિવારે બપોરે જીજે-૩-એનપી ૨૬૬૨ નંબર વાળી ઈકો મોટર પસાર થતી હતી ત્યારે તેના ચાલકે કાબુ ગૂમાવતા સર્પાકારે દોડેલી આ મોટરે ત્યાંથી જીજે-૧૦-બીકે ૮૫૧૧ નંબરના એક્ટિવામાં જતા જાવેદ ...
વધુ વાંચો »
Feb 18, 2025
સાથે રહેતા યુવાને પોલીસને જાણ કરીઃ
જામનગર તા.૧૮: જામનગર-ખંભાળિયા રોડ પર મેઘપર ગામમાં ભાડાનું મકાન રાખી ત્યાં વસવાટ કરતા મૂળ બિહારના એક શ્રમિક ગયા ગુરૂવારે સવારથી સાંજ સુધીમાં પોતાના રહેણાંકના સ્થળેથી ગુમ થઈ ગયા છે.
જામનગર-ખંભાળિયા માર્ગ પર આવેલા મેઘપર ગામમાં વસવાટ કરતા મૂળ બિહાર રાજ્યના બેસાલી જિલ્લાના વતની પરવેઝ રસુલભાઈ શેખ (ઉ.વ.૩૬) નામના શ્રમિક ગયા ગુરૂવારે સવારે સાડા આઠેક વાગ્યે પોતાના રહેણાંક પરથી ગુમ થયા છે.
તેઓની સાથે વસવાટ કરતા મુસ્તફા મહંમદકાસીમ શેખને સાંજે તેની જાણ થઈ હતી. તેણે પરવેઝની શોધખોળ કર્યા પછી ગઈકાલે આ યુવાન ...
વધુ વાંચો »
Feb 18, 2025
સલાયાની જનતાએ ભાજપના ગાલ પર તમતમતો તમાચો માર્યો
ખંભાળીયા તા. ૧૮: સલાયા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનું ખાતુ જ ખૂલ્યું નથી, તો ઓવૈસીની પાર્ટીના પણ આવા જ હાલ થયા છે. કોંગ્રેસને ૧પ અને આમઆદમી પાર્ટીને ૧૩ બેઠકો મળી છે.
સલાયા નગરપાલિકાની ર૮ બેઠક માટેની ચૂંટણી પછી આજે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ૧પ બેઠક કોંગ્રેસ અને ૧૩ બેઠક આમઆદમી પાર્ટીને મળી છે. સલાયામાં ભાજપે ૧૪ ઉમેદવારો ઊભા રાખ્યા હતાં. પરંતુ એકપણ ઉમેદવાર જીત મેળવી શકયા નથી.
વોર્ડ નં. ૧ મા આપ પાર્ટીના સાલેમામદ કરીમભાઈ ભગાડ, રજિયાબેન ભગાડ, ભગવાનજી ...
વધુ વાંચો »
Feb 18, 2025
ભીમવાસ પાસે થયેલા હુમલાની કરાઈ ફરિયાદઃ
જામનગર તા.૧૮ : જામનગરના જૂના રેલવે સ્ટેશન નજીક ભીમવાસ પાસે એક યુવાન પર શનિવારે રાત્રે એક મહિલા સહિત ચારે છરી-પાઈપથી હુમલો કર્યાની રાવ કરવામાં આવી છે. જ્યારે અલીયાબાડામાં અમને કેમ સંભળાવે છે તેમ કહી ચાર શખ્સે એક યુવાનને ધોકાવી નાખ્યાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે.
જામનગરના જૂના રેલવે સ્ટેશન પાસે આવેલા ભીમવાસ શેરી નં.૧માં રહેતા માનવ ઉગાભાઈ વઘેરા ઉર્ફે મહાનામ નામના યુવાન પર શનિવારે રાત્રે છરી, પાઈપ, પથ્થર વડે હુમલો કરાયો હતો. ઘવાયેલા માનવને સારવાર માટે જી.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાંથી તેણે ગઈકાલે ફરિયાદ ...
વધુ વાંચો »
Feb 18, 2025
ખંભાળિયાઃ સમસ્યાઓનું શહેર!
ખંભાળિયા તા. ૧૮: ખંભાળિયા શહેરમાં વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે પૂર્વ પાલિકા કારોબારી ચેરમેન હિનાબેન આચાર્ય દ્વારા પાલિકા ચીફ ઓફિસર તથા પ્રમુખને રજૂઆત કરવામાં આવી છે.
ખંભાળિયા પાલિકાની એમ્બ્યુલન્સોમાં એક પણમાં ઓક્સિજન સિલિન્ડરની વ્યવસ્થા નથી. અગાઉ ત્રણમાં હતી. હાલ એક પણમાં ના હોય, ઈમરજન્સીમાં અન્ય સ્થળે જવા જરૂરત પડતી હોય તાકીદે ઓક્સિજન સિલિન્ડર વ્યવસ્થા કરવી.
પાલિકા વિસ્તારમાં ગામમાં દાખલ થતા રેલવે ફાટક પાસેથી રેલવે સ્ટેશન સુધી જ્યાં રેલવે રસ્તો નથી બનાવતું ત્યાં નવા બનાવવા અથવા રીપેરીંગ કરવા પાલિકાને ફાળવાયેલી રસ્તા રીપેરીંગની ગ્રાન્ટમાંથી તાકીદે કામો કરવા, ...
વધુ વાંચો »
Feb 18, 2025
વિરોધપક્ષને એક પણ બેઠક નહીં મળતા કલીન સ્વીપ
દ્વારકા તા. ૧૮: દ્વારકા નગરપાલિકામાં સતત પાંચમી વખત ભાજપનો જયજયકાર થયો છે, અને પરેશભાઈ ઝાખરીયા, દિવ્યપ્રકાશ ઠાકર, હેમાબેન પુરોહિત સહિતના સિનિયર ઉમેદવારોનો જવલંત વિજય થયો છે.
દ્વારકાધીશની કર્મભૂમિ પર આજે સતત પાંચમી વખત નગરપાલિકાની સામાન્ય ચૂંટણીના પરિણામોમાં ભાજપનો ભગવો લહેરાયો છે અને નગરમાં તમામ વોર્ડમાં આનંદની હેલી જોવા મળી છે. નગરપાલિકાના સાત વોર્ડના ર૮ ઉમેદવારો પૈકી ૯ ઉમેદવારો બિનહરીફ થયા બાદ આજે સવારે દ્વારકાના એનડીએચ હાઈસ્ફૂલમાં દ્વારકાના ચૂંટણી અધિકારી તથા પ્રાંત ઓફિસર અમોલ આવટેના સુપરવીઝનમાં પાંચ વોર્ડની ૧૯ સીટો માટે મતગણતરી યોજાઈ ...
વધુ વાંચો »
Feb 18, 2025
જામનગર તા. ૧૮: જામનગરના પૂર્વ રાજવી જામસાહેબ શત્રુશલ્યસિંહજી જાડેજાનો જન્મદિવસ દેશી ચંદ્ર કેલેન્ડર મુજબ ફાગણ સુદ બીજ ને તા. ૧ માર્ચે છે. લોકોમાં જામસાહેબનો જન્મદિવસ તા. ર૦ ફેબ્રુઆરી હોવાની સમજ છે. આ જન્મ તારીખ યુરોપિયન સૂર્ય કેલેન્ડર મુજબ છે.
આથી જામસાહેબે એક નિવેદનમાં તેમનો જન્મદિન તા. ૧ માર્ચે હોવાનું જણાવી શુભેચ્છકો/લોકોને તા. ૧ લી માર્ચે મુલાકાત લેવા જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય
વધુ વાંચો »
Feb 18, 2025
ચીફ ઈલેકશન કમિશનરની નિમણૂકના મુદ્દે જાગ્યો વિવાદઃ
નવી દિલ્હી તા. ૧૮: ચીફ ઈલેક્શન કમિશનરની નિયુક્તિ સંબંધે કોંગ્રેસે કહ્યું હતું કે, ચૂંટણી પંચ એક બંધારણીય સંસ્થા છે. નિમણૂકમાં મુખ્ય ન્યાયાધીશનો સમાવેશ થવો જ જોઈએ. સુપ્રિમમાં સુનાવણી સુધી બેઠક મુલતવી રાખવી જરૂરી હતી.
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર ૧૮ ફેબ્રુઆરીએ નિવૃત્ત થઈ રહ્યા છે. નવા ચૂંટણી કમિશનરની શોધમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નિવાસસ્થાને એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વિપક્ષી નેતા રાહુલ ગાંધી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહ પણ હાજર રહ્યા હતાં.
જો કે, રાહુલ મિટિંગમાંથી બહાર આવતાની સાથે જ કોંગ્રેસે ...
વધુ વાંચો »
Feb 18, 2025
સસરાને ફટકારવામાં આવી આજીવન કેદની સજાઃ
જામનગર તા.૧૮ : જામનગરના સિદ્ધાર્થનગરમાં સસરાના ઘેર આવેલા એક યુવાનની સાડા ત્રણ વર્ષ પહેલાં હત્યા થઈ હતી. તેનો અર્ધ સળગેલો મૃતદેહ અવાવરૂ કૂવામાંથી મળ્યો હતો. પોલીસે તપાસના અંતે આ યુવાનના સસરા, સાસુ, સાળાની ધરપકડ કરી હતી. અદાલતે સસરાને આજીવન કેદની સજા ફટકારી છે.
જામજોધપુર તાલુકાના લલીત રામજીભાઈ સોંદરવા નામના યુવાનના લગ્ન જામનગરના ખેતીવાડી ફાર્મ નજીક સિદ્ધાર્થનગરમાં રહેતા પાલાભાઈ અરજણભાઈ કટારીયાની પુત્રી સાથે વર્ષ ૨૦૨૧ પહેલાં થયા હતા. તે પછી તેણીને પતિ લલીત પજવતો હતો.
તે પછી જામનગર સસરાને ત્યાં આવતો લલીત ...
વધુ વાંચો »
Feb 18, 2025
જામનગર (દક્ષિણ) ના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીના કાર્યાલયમાં વીજતંત્ર દ્વારા સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યું હતું. એ પ્રસંગે વીજ તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. ધારાસભ્ય દિવ્યેશભાઈનું મોઢું મીઠું કરાવ્યું હતું. ધારાસભ્યએ સ્માર્ટ મીટરના ફાયદાઓ જણાવી લોકોને સ્માર્ટ મીટર લગાવવા અનુરોધ કર્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
વધુ વાંચો »
Feb 18, 2025
એક જ દિવસમાં રૂ.૨૮ લાખ ઉપરાંતના ટેક્સની વસૂલાતઃ
જામનગરની આરટીઓ કચેરી દ્વારા ટેક્સ ડિફોલ્ટર મેગા એન્ફોર્સમેન્ટ ડઈવનું આયોજન કરાયું હતું. આરટીઓ કેતન ઉપાધ્યાયના વડપણ હેઠળની ટીમે જુદા જુદા ધોરીમાર્ગ પર જે વાહનના ટેક્સ ભરવાના બાકી હોય તેવા વાહનોની ચકાસણી કરી ૪૫ હજાર વાહનચાલકો પાસેથી સ્થળ પર જ રૂ.૨૮,૩૩,૧૩૯ની વસૂલાત કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો
વધુ વાંચો »
Feb 18, 2025
વધુ વાંચો »
Feb 18, 2025
સદ્ગુરુના 'સેવ સોઈલ'ના સંદેશ સાથે ૩૦ હજાર કિ.મી.ના પ્રવાસ અંતર્ગત
ઈશા ફાઉન્ડેશનના પ્રણેતા અને પ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરૂ સદ્ગુરૂ જગ્ગી વાસુદેવ દ્વારા 'સેવ સોઈલ'અર્થાત્ 'માટી બચાવો' નામે વૈશ્વિક જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાનના સમર્થનમાં ઉત્તરપ્રદેશના લલિતપુરથી મોહિત નિરંજન ર૩ વર્ષિય યુવાન સાયકલ પર ભારત યાત્રાએ નીકળ્યો છે. કુલ કુલ ૩૦ હજાર કિ.મી.ની સાયકલ યાત્રા દરમિયાન હજારો કિ.મી.નું અંતર કાપી જામનગર આવી પહોંચેલા મોહિત નિરંજનનું શહેરના રણમલ તળાવ સંકુલમાં ઈશા ફાઉન્ડેશનના સ્થાનિક સભ્ય જય શુક્લા તથા અન્ય લોકોએ સ્વાગત અભિવાદન કર્યું હતું અને આગળની યાત્રા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
જો
વધુ વાંચો »
Feb 18, 2025
જામનગર તા.૧૮ : જામનગરના એડવોકેટની કેન્દ્ર દ્વારા નોટરી તરીકે નિમણૂક કરવામાં આવી છે.
કેન્દ્ર સરકારના નવીદિલ્હી સ્થિત મિનિસ્ટ્રી ઓફ લો એન્ડ જસ્ટિસ ડિપાર્ટમેન્ટ ઓફ લીગલ અફેર્સ દ્વારા નગરના ધારાશાસ્ત્રી મયુર એમ. ભટ્ટની નોટરી તરીકે નિયુક્તિ કરાઈ છે.
નગરના ઔદિચ્ય ગઢીયા બ્રહ્મસમાજના સિનિયર ધારાશાસ્ત્રી મયુર ભટ્ટ જામનગર વકીલમંડળમાં તેઓ ત્રણ વર્ષ સુધી સહમંત્રી તથા ઉપપ્રમુખપદે સેવા આપવા ઉપરાંત લેબર બારમાં કમિશનર તરીકે સેવા આપી ચૂક્યા છે.
જો આપને આ પોસ્ટ
વધુ વાંચો »
Feb 18, 2025
ચોરાઉ બાઈક પોલીસે કબ્જે કર્યુ
જામનગર તા. ૧૮: જામનગરના ટાઉનહોલ વિસ્તારમાંથી થોડા દિવસ પહેલા હીરામોટર સાયકલની ઉઠાંતરી કરનાર બે શખ્સને સીટી બી ડિવીઝન પોલીસે પકડી પાડી ચોરાઉ મોટરસાયકલ કબજે કર્યું છે. આ શખ્સોએ તે વાહન ચોરી કર્યાની કબુલાત કરી છે.
જામનગરના ટાઉનહોલ વિસ્તારમાંથી થોડા દિવસ પહેલા એક આસામીનું જીજે-૧૦-એએચ-૮૫૦૭ નંબરનું હીરો મોટરસાયકલ ચોરાઈ ગયું હતું. તેની ફરીયાદ પોલીસમાં કરવામાં આવ્યા પછી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ પી.પી. જાની સુચનાથી તપાસ શરૂ કરવામાં આવી હતી.
તે દરમ્યાન વાલ્કેશ્વરી નગરીના ખૂણા પાસેથી પસાર થતા બે શખ્સ ...
વધુ વાંચો »
Feb 18, 2025
વડાપ્રધાનના અધ્યક્ષપદે મળેલી પસંદગી સમિતિમાં મળી મંજૂરી
નવી દિલ્હી તા. ૧૮: દેશના નવા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે જ્ઞાનેશકુમારના નામ પર મહોર લાગી છે. ૧૯૮૮ બેચના કેરળ કેડરના આઈએએસ અધિકારી જ્ઞાનેશ કુમાર ગયા વર્ષે માર્ચથી ચૂંટણી કમિશનર તરીકે સેવા આપી રહ્યા છે. હવે તેઓ મુખ્ય ચૂંટણી કમિશનરની જવાબદારી નિભાવશે.
વડાપ્રધાન મોદીની આગેવાની હેઠળ થયેલી બેઠકમાં નવા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે જ્ઞાનેશ કુમારના નામને મંજૂરી મળી છે. હાલના મુખ્ય ચૂંટણી કમિશનર રિટાયર થયા પછી જ્ઞાનેશ કુમાર આ પદ સંભાળશે. ૧૯૮૮ બેચના કેરળ કેડરના આઈએએસ અધિકારી જ્ઞાનેશકુમાર ગયા વર્ષે માર્ચથી ચૂંટણી કમિશનર તરીકે સેવા આપી રહયા છે. રાજીવ કુમાર આજે રિટાયર થઈ રહયા છે.
મુખ્ય ચૂંટણી ...
વધુ વાંચો »
Feb 18, 2025
કાર્યાલયનો શિલાન્યાસ, સાંસ્કૃતિક કાર્યક્રમો,પ્રાસંગિક પ્રવચનો સાથે
જામનગર તા. ૧૮: તાજેતરમાં જામનગરની સૈનિક સ્કૂલ બાલાચડીમાં ધોરણ ૧૨ નાં કેડેટ્સને વિદાય આપવા માટે વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત કોક હાઉસ - શિવાજી હાઉસ દ્વારા પ્રસ્તુતિથી થઈ હતી. શિવાજી હાઉસના હાઉસ કેપ્ટન કેડેટ રોમિલ ગાડિયાએ તેમના હાઉસની સિદ્ધિઓ પર ગર્વ વ્યક્ત કર્યો હતો.
શિવાજી હાઉસના હાઉસ માસ્ટર આરજે મકવાણાએ આ પ્રસંગે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે વક્તવ્ય આપ્યું હતું. કેડેટ શિવમ ગાવર અને કેડેટ જય માણેકની સંગીતમય જોડી, કેડેટ આર્યરાજ અને કેડેટ કૃષ્ણ દ્વારા કવિતા અને ધોરણ ૧૧ નાં કેડેટ્સ દ્વારા આઉટગોઇંગ ધોરણ ૧૨ ને સમર્પિત સમૂહ નૃત્ય પ્રદર્શને પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા. ...
વધુ વાંચો »
Feb 18, 2025
ત્રણ શખ્સ સામે વિશ્વાસઘાત કરી ધમકીની ફરિયાદઃ
જામનગર તા.૧૮ : કાલાવડના નવાગામમાં એક આશ્રમમાં સેવાપૂજા કરતા મહિલાને રવિવારે સાંંજે જામનગરના એક મહિલાએ આશ્રમ છોડી દેવા માટે ધમકી આપી આશ્રમનો કેમેરો તોડી રૂ.૨૦ હજારનું નુકસાન કર્યાની ફરિયાદ કરવામાં આવી છે. જ્યારે ટ્રકના હપ્તા ભરવા માટે રૂ.૪ લાખ રોકડા અને રૂ.૭૦ હજારનંુ બાઈક પડાવી લઈ ત્રણ શખ્સે વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ થઈ છે.
કાલાવડ તાલુકામાં આવેલા નવાગામ સ્થિત વિશ્વાસધામ આશ્રમમાં રહી ત્યાં સેવાપૂજા કરતા છાયાબેન કરશનદાસ મકવાણા (ઉ.વ.૩૦) નામના મહિલા રવિવારે સાંજે આશ્રમ પર હતા ત્યારે ધસી આવેલા જામનગરના સુમિતાબેન ગુરૂમુખદાસ દામા નામના મહિલાએ આશ્રમના બંધ દરવાજા પાસે ઉભા રહી બૂમો પાડવાનું શરૂ કર્યું હતું.
આ ...
વધુ વાંચો »
Feb 18, 2025
'મેરા યુવા ભારત' દ્વારા સુભાષચંદ્ર બોઝ જયંતી નિમિત્તે
જામનગર તા. ૧૮: ભારત સરકારના યુવા કાર્ય અને ખેલ મંત્રાલય હેઠળ કાર્યરત મેરા યુવા ભારત જામનગર દ્વારા રોડ સેફટી જાગૃતિ કાર્યક્રમ યોજી સુભાષ ચંદ્ર બોઝની જન્મ જયંતી ઉજવાઈ હતી. કાર્યક્રમની શરૂઆતમાં માય ભારતના રાષ્ટ્રીય સ્વયંસેવક વર્ષા પરમાર દ્વારા નેતાજી સુભાષચંદ્ર બોઝના જીવન વૃતાંત પર પોતાનું વક્તવ્ય રજૂ કરાયું હતું. ત્યારબાદ જામનગરના આર.ટી.ઓ. કે.કે. ઉપાધ્યાય દ્વારા રોડ સેફટી અને જાગરૂકતા કાર્યકમ અંતર્ગત યુવાનોને માર્ગદર્શન આપ્યું હતું. આર.ટી.ઓ. ઇન્સ્પેક્ટર પૃથ્વીએ જો કોઈ વ્યક્તિ રોડ સેફટીનું ઉલ્લંઘન કરે તો કેટલી ભારે નુકશાની ઉઠાવવી પડે છે તે વિશે ઉપસ્થિત યુવાનોને જાણકારી આપેલ ત્યારબાદ ટ્રાફિક પોલીસ સબ ઇન્સ્પેક્ટર ...
વધુ વાંચો »
Feb 18, 2025
સ્પે. ખેલ મહાકુંભ અંતર્ગત ૩પ ખેલાડીએ ભાગ લીધોઃ
જામનગર તા. ૧૮: ગુજરાત રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળની સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા રમતગમત અધિકારી, જામનગર ગ્રામ્ય દ્વારા સંચાલીત દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પે. ખેલ મહાકુંભ ૩.૦ ર૦ર૪-રપ અંતર્ગત જિલ્લાકક્ષાની તમામ વયજુથ માટેની અંધજન કેટેગરીની ચેસ સ્પર્ધા અંધજન વિવિધલક્ષી તાલીમ કેન્દ્ર જામનગરમાં યોજવામાં આવી હતી. જિલ્લા રમતગમત અધિકારી-જામનગર ગ્રામ્ય અને નેશનલ એસોસિએશન ફોર ધી બ્લાઈન્ડ-જામનગર શાખા દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું.
આ સ્પર્ધામાં કુલ ૩પ ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં દરેક વયજુથ અને ...
વધુ વાંચો »
Feb 18, 2025
સ્વામી લીલાશાહ વાડીમાં પરમીટ સાથે આધાર કાર્ડને લિંક કરવા માટે ઈ-કેવાયસી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. લાડી લોહાણા સિંધી પંચાયત-જામનગરના પ્રમુખ પ્રકાશભાઈ હકાણી તેમજ જનરલ સેક્રેટરી ચેતનભાઈ મુલચંદાણીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કેમ્પનો લાભ અનેક લોકોએ લીધો હતો. આ કેમ્પમાં પ્રકાશભાઈ તુલસાણી, કિશનભાઈ ગંગવાણી, પંકજ ગંગવાણીએ ઈ-કેવાયસીની કામગીરી કરી હતી. આ કેમ્પને સફળ બનાવવા પ્રમુખ પ્રકાશભાઈ હકાણી, ચેતનભાઈ મુલચંદાણી, રાજેશભાઈ રામાણી, શંકરલાલ કારીયા, થાવરદાસ તુલસાણી, હરીભાઈ ચંદન, શ્યામલાલ આપલાણી, નરેશભાઈ મેઘવાણી, હરેશભાઈ ગ્યાનચંદાણી, મહિલા મંડળના પ્રમુખ કમલાબેન કારીયા તેમજ કારોબારીના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.
જો આપને આ
વધુ વાંચો »
Feb 18, 2025
લાલપુર તાલુકાના
જામનગર તા. ૧૮: લાલપુર તાલુકાના હરિપર-પીપરટોડા ગામ વચ્ચે કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ થઇ રહેલા માર્ગના કામમાં ભ્રષ્ટાચાર અંગે સંબંધિત સ્થાનિક તંત્ર દ્વારા ગ્રામજનોની રજુઆત પરત્વે દુર્લક્ષ સેવાતાં ભાજપના આગેવાને આ મામલે વિજીલન્સ તપાસ કરાવવા મુખ્યમંત્રી અને માર્ગ-મકાન વિભાગના સચીવ સમક્ષ રજુઆત કરી છે.
લાલપુર તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ કૃષ્ણદેવસિંહ ચુડાસમાએ રાજયના મુખ્યમંત્રી તેમજ માર્ગ-મકાન વિભાગના સચીવને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, જામનગર જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ કોન્ટ્રાકટર સાથે મિલીભગત કરીને હરિપર-પીપરટોડા ગામ વચ્ચે નવા માર્ગના થઇ રહેલા કામમાં ભ્રષ્ટ નીતિ અખત્યાર કરી રહૃાા છે.
વધુ વાંચો »
Feb 18, 2025
ભારત સુવર્ણકાર સેતુ સંસ્થાનો મળ્યો સહયોગઃ
જામનગરના ટાઉનહોલમાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા ભારત સુવર્ણકાર સેતુ સંસ્થાના સહયોગથી સાયબર ક્રાઈમ અંગે અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં સોની સમાજના ૧૫૦થી વધુ વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા. પીઆઈ આઈ.એ. ધાસુરા તથા સ્ટાફે જહેમત ઉઠાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર
વધુ વાંચો »
Feb 18, 2025
શબેબરાત રાત પૂર્વે ડો. જાવેદ રાઠોડ પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ નાના બાળકોને ચોકલેટ, બિસ્કિટ, બોલપેન, પેન્સીલ અને નોટબુક વિગેરે આપી બાળકોને પ્રોત્સાહિત કરેલ હતાં. જેનો લાભ ૭૮૬ બાળકોએ લીધેલ હતો. જેમાં જાહીદાબેન, સમીમબેન, અલવીરા, ફૈઝીલા (બેબો), અરતા, અલ્વીના, જાફીરાએ જહેમત ઉઠાવેલ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર
વધુ વાંચો »
Feb 18, 2025
ખેડૂતો માટે એજીઆર-૪ યોજના અંતર્ગત
દ્વારકા તા. ૧૮: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતોએ વર્ષ ૨૦૨૪-૨૫માં ખેતીવાડી વિભાગની એજીઆર-૪ યોજના હેઠળ અનુસૂચિત જાતિના ખેડૂતો માટે તાડપત્રી ઘટક અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લા માટે તા.૨૦/૦૨/૨૦૨૫ સુધી આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવેલ છે. જુદા જુદા ઘટકોમાં સહાય મેળવવા ઇચ્છુક ખેડૂતોએ આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની થાય છે તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી
વધુ વાંચો »
Feb 18, 2025
આવતીકાલે જામનગરમાંૃ
જામનગર તા. ૧૮: જામનગરના પૂર્વ નગરસેવક તથા બ્રહ્મ સમાજના અગ્રણી સ્વ. ચેતનભાઈ કાંતિલાલ ઉપાધ્યાયના નિધન સંદર્ભમાં તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા આવતીકાલે તા. ૧૯-ર-ર૦રપ ના રાત્રે ૮-૩૦ વાગ્યે ઉપાધ્યાય પરિવાર દ્વારા એફ-૧૪ સીવીક સેન્ટર પાછળ, રણજીતનગર, જામનગરમાં શ્રીનાથજીની ઝાંખી તથા ભજન-કીર્તનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર
વધુ વાંચો »
Feb 18, 2025
તપોવન, વિજરખીમાં
જામનગર તા. ૧૮: જામનગર નજીક અલિયાબાડા પાટિયા પાસે કંકુનગર-વિજરખીમાં આવેલ તપોવન ફાઉન્ડેશન સંચાલિત હરેશ્વર મહાદેવ મંદિરમાં તા. ર૬-ર-ર૦રપ ના દિને મહાશિવરાત્રિ પર્વની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં તા. ર૬/ર ના સવારે ૬ વાગ્યે આરતી, સવારે ૭-૩૦ વાગ્યે હોમાત્મક લઘુરૂદ્રનો આરંભ, બપોરે ૧ વાગ્યે બીડું હોમાશે. બપોરે ૧-૩૦ વાગ્યે મહાપ્રસાદ (ફળાહાર) થશે.
તા. ર૬/ર ના સાંજે ૪ થી રાત્રૈ ડ વાગ્યા સુધી મહાદેવના વિશિષ્ટ શૃંગાર દર્શન થશે. સાંજે ૬-૩૦ વાગ્યે નૂતન ધ્વજારોહણ થશે. ૭ વાગ્યે મહાઆરતી તથા દીપ માળા થશે. રાત્રે ૯ વાગ્યાથી તા. ર૭/ર ...
વધુ વાંચો »
Feb 18, 2025
જામનગરના જુના રેલવે સ્ટેશન નજીકના
જામનગર તા. ૧૮: જામનગરના ઓબીસી, એસપી, એસટી અને માઈનોરીટી સમાજના સંયુક્ત ઉપક્રમે જામનગરમાં જુના રેલવે સ્ટેશન સામેના જ્યોતિરાવ ફૂલે ચોકના પ્રશ્ને તા. ર૧-ર-ર૦રપ ના સવારે ૧૦ થી બપોરે ૧ વાગ્યા સુધી ધરણાંનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.
જામનગરમાં જુના રેલવે સ્ટેશન સામેના ચોકને જામનગર મહાનગરપાલિકાએ જનરલ બોર્ડની બેઠકમાં તા. ર૦-૧૦-૧૯૯૯ ના ઠરાવ નં. થી પ્રખર સમાજ સુધારક જ્યોતિરાવ ફૂલે ચોક નામભિધાન કરેલ છે. ત્યારપછી જુદી-જુદી સંસ્થાઓએ આ ઠરાવની અમલવારી કરવા મહાનગર-પાલિકાને અનેકવાર રજૂઆત કરેલ છે, પણ નિંભરતંત્રએ દાદ દીધી નથી. ર૬ વર્ષ જેટલો લાંબો સમય વીતી ...
વધુ વાંચો »
Feb 18, 2025
જામનગર તા. ૧૮: તામીલનાડુ પેરા સ્પોર્ટસ એસો. દ્વારા ચેનનાઈમાં તા. ૧૭/ર થી ર૦/ર સુધી યોજાનાર રાષ્ટ્રીય પેરા એથ્લેટિક્સ સ્પર્ધામાં હાલારના છ દિવ્યાંગ ખેલાડીઓ (૧) જુનદેભાઈ ખીરા (૪૦૦ મી. દોડ), (ર) ચંદ્રેશ બગડા (ઊંચી કૂદા, લાંબી કૂદ), (૩) નેહાબેન ગઢવી (ચક્રફેંક, ગોળા ફેંક), (૪) રીયાબેન ચિતારા (ચક્રફેંક), (પ) શિવદાસ ગુજરિયા (ગોળાફેંક) તથા (૬) કુલસુમબેન શેખ (ભાલાફેંક) ભાગ લેનાર છે. આ ખેલાડીઓ આશાદીપ વિક્લાંગ કલ્યાણકારી ટ્રસ્ટ તથા પેરા સ્પોર્ટસ એસો.ના સભ્યો છે.
જો આપને આ પોસ્ટ
વધુ વાંચો »
Feb 18, 2025
કોસ્ટગાર્ડ, સેના, પોલીસ સહિતના જવાનો જોડાયાઃ
જામનગર તા.૧૮ : બેટ દ્વારકાના દરિયામાં જલ થલ રક્ષા-૨૦૨૫ અંતર્ગત યુદ્ધ અંગે અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેમાં મરીન પોલીસ તથા કોસ્ટગાર્ડની સાથે લશ્કરી જવાનો અને અન્ય વિભાગો પણ જોડાયા હતા. ગુજરાતના પશ્ચિમી દરિયા કાંઠાની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂતી બક્ષવા બેટ દ્વારકામાં જલ થલ રક્ષા-૨૦૨૫ નામથી યુદ્ધ અભ્યાસ યોજવામાં આવ્યો હતો. તે કવાયતમાં જામનગર સ્થિત ઈનફન્ટ્રી બ્રિગેડ, અમદાવાદના ઈનફન્ટ્રી ડિવિઝન તથા કોસ્ટગાર્ડ અને મરીન પોલીસના જવાનો તેમાં જોડાયા હતા.રૂ દેવભૂમિ દ્વારકા જિલ્લાનું વહીવટીતંત્ર, ગુજરાત મેરી ટાઈમ બોર્ડ, એનએસજી, મત્સ્ય વિભાગ, કસ્ટમ અને વન વિભાગના અધિકારીઓ પણ સાથે રહ્યા ...
વધુ વાંચો »
Feb 18, 2025
વધુ વાંચો »
Feb 18, 2025
રાજય સફાઈકર્મી મહામંડળની રજુઆત
ખંભાળિયા તા. ૧૮: ગુજરાત રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ગુજરાત રાજય સફાઈ કામદાર મહામંડળના પ્રમુખશ્રી કસ્તુરભાઈ મકવાણા તથા મહામંત્રી રમેશ વાઘેલા દ્વારા રાજ્યની નગરપાલિકા ઓમાં ફરજ બજાવતા સફાઈ કામદારોને મહેકમ ખર્ચની મર્યાદાના દાયરામાંથી મુકિત આપવા વિસ્તૃત રજૂઆતો કરી છે.
રજૂઆતમાં મહત્ત્વનો મુદ્દો લેવાયો છે કે રાજયની નગર પાલિકાઓમાં મહેસુલી આવક તથા પગાર ભથ્થા વિષયક ગ્રાંટની કુલ આવક સામે કર્મચારીઓનું પગારખર્ચ ૪૮ ટકાથી વધવુ ના જોઈએ તે નિયમ છે.
પાલિકાઓમાં તમામ કર્મીના પગારો સાથે ફરજીયાત સેવાના સફાઈ કર્મીના પગાર પણ મહેકમ ખર્ચમાં લેવાતા ...
વધુ વાંચો »
Feb 18, 2025
વધુ વાંચો »
Feb 18, 2025
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું:
દ્વારકા તા. ૧૮: દ્વારકા તાલુકાના કુરંગા તથા ઓખા મઢી મુકામે ફેબ્રુઆરી ૨૦૨૫ દરમિયાન ફાયરીંગ પ્રેક્ટીસ યોજાનાર હોવાથી દેવભૂમિ દ્વારકાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામું બહાર પાડી ફાયરીંગ બટ વિસ્તારમાં જાહેર જનતાને પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
જાહેર જનતાની સલામતી માટે દ્વારકા તાલુકાના કુરંગા તથા ઓખામઢી મુકામે આવેલ ફાયરીંગ રેન્જ વિસ્તારમાં તા. ૨૮/૦૨/૨૦૨૫ સુધી જાહેર જનતાના પ્રવેશને પ્રતિબંધિત કરવામાં આવી છે. આ જાહેરનામાના આદેશોનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.
જો આપને
વધુ વાંચો »
Feb 18, 2025
વધુ વાંચો »
Feb 18, 2025
વધુ વાંચો »
Feb 18, 2025
વધુ વાંચો »
Feb 18, 2025
વધુ વાંચો »
Feb 18, 2025
આજે હાલાર સહિત રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે અને ચિત્ર સ્પષ્ટ થવા લાગ્યું છે. સ્વાભાવિક રીતે જ જેનો વિજય થાય, તે ખુશ થાય અને તેના સમર્થકો-કાર્યકરો દ્વારા વિજયના વધામણા થાય અને જેનો પરાજય થયો હોય ત્યાં થોડી નિરાશા વ્યાપે, પરંતુ આપણે ત્યાં લોકશાહી એટલી પૂખ્ત થઈ છે કે પરાજય પછી હારેલા ઉમેદવારો (મોટાભાગે) વિજયી બનેલા ઉમેદવારોને અભિનંદન આપે અને પોતે જનસેવા કરતા રહેશે તેવા પ્રતિભાવો આપે. કેટલીક વખત અપવાદરૂપ આક્ષેપો-પ્રતિઆક્ષેપોનો દોર પણ ચાલતો હોય છે.
મતદાન પૂર્ણ થયા પછી ઘણી બધી અટકળો થઈ હતી, અંદાજો કરાયા હતાં અને ગણિત ...
વધુ વાંચો »
Feb 18, 2025
વધુ વાંચો »
Feb 18, 2025
વધુ વાંચો »
Feb 18, 2025
વધુ વાંચો »
Feb 18, 2025
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો.... અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની મુલાકાત બાદ ટેરિફ મુદ્દે કોઈ રાહતના સંકેતો ના જણાતા તેમજ રશિયાએ યુક્રેનના ન્યૂક્લિયર પ્લાન્ટમાં ડ્રોન વડે હુમલો કરતાં જિઓ-પોલિટિકલ ક્રાઇસિસ વધતા આજે સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારની શરૂઆત ઘટાડા સાથે થઇ હતી.
વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો ગઈકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૦૭%ના વધારા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસ શ્ પી ૫૦૦ ૦.૦૪% અને નેસ્ડેક ૦.૪૬% વધીને સેટલ થયા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ...
વધુ વાંચો »
Feb 18, 2025
વધુ વાંચો »
Feb 18, 2025
વધુ વાંચો »
Feb 18, 2025
વધુ વાંચો »
Feb 18, 2025
વધુ વાંચો »
Feb 18, 2025
વધુ વાંચો »
Feb 18, 2025
વધુ વાંચો »
Feb 18, 2025
વધુ વાંચો »
Feb 18, 2025
વધુ વાંચો »
તા. ૧૯-૦૨-ર૦૨૫, બુધવાર અને મહા વદ-૬ : આપના કાર્યની સાથે આડોશ-પાડોશના કામકાજ અંગે વ્યસ્તતા જણાય. કાર્યની ... વધુ વાંચો »
તા. ૧૯-૦૨-ર૦૨૫, બુધવાર અને મહા વદ-૬ : આપ હરો-ફરો, કામકાજ કરો, પરંતુ આપના હ્ય્દય-મનને શાંતિ જણાય ... વધુ વાંચો »
તા. ૧૯-૦૨-ર૦૨૫, બુધવાર અને મહા વદ-૬ : આપની બુદ્ધિ-અનુભવ-આવડત-મહેનતથી આપના કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી ... વધુ વાંચો »
તા. ૧૯-૦૨-ર૦૨૫, બુધવાર અને મહા વદ-૬ : આપના કાર્યની સાથે જાહેર ક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં આપે ... વધુ વાંચો »
તા. ૧૯-૦૨-ર૦૨૫, બુધવાર અને મહા વદ-૬ : આપના કાર્યની સાથે જાહેરક્ષેત્ર, સંસ્થાકીય કામમાં આપે વ્યસ્ત રહેવાનું ... વધુ વાંચો »
તા. ૧૯-૦૨-ર૦૨૫, બુધવાર અને મહા વદ-૬ : આપે તન-મન-ધન, વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. ... વધુ વાંચો »
તા. ૧૯-૦૨-ર૦૨૫, બુધવાર અને મહા વદ-૬ : નોકરી-ધંધાના કામ અંગે બહાર કે બહારગામ જવાનું બને. સહકાર્યકર, ... વધુ વાંચો »
તા. ૧૯-૦૨-ર૦૨૫, બુધવાર અને મહા વદ-૬ : દિવસના પ્રારંભથી જ કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. ... વધુ વાંચો »
તા. ૧૯-૦૨-ર૦૨૫, બુધવાર અને મહા વદ-૬ : સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી લાભ-ફાયદો જણાય. સંતાનના ... વધુ વાંચો »
તા. ૧૯-૦૨-ર૦૨૫, બુધવાર અને મહા વદ-૬ : આપને કામમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી આવ્યા કરે. હરિફવર્ગ આપની ... વધુ વાંચો »
તા. ૧૯-૦૨-ર૦૨૫, બુધવાર અને મહા વદ-૬ : આપની ગણતરી-ધારણા પ્રમાણેનું કામ થવાથી આનંદ અનુભવો. મહત્ત્વના નિર્ણય ... વધુ વાંચો »
તા. ૧૯-૦૨-ર૦૨૫, બુધવાર અને મહા વદ-૬ : આપના કામમાં સાનુકૂળતા મળી રહે. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી ... વધુ વાંચો »
તમારા માટે આરોગ્ય સુધારતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન જુના રોગો-તકલીફોમાંથી ... વધુ વાંચો »
આપના માટે ભાવનાત્મક સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન ... વધુ વાંચો »
તમારા માટે આત્મમંથન કરાવનારૂ સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા ... વધુ વાંચો »
આપના માટે નાણાભીડ સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન નાણાકીય ... વધુ વાંચો »
તમારા માટે મધ્યમ ફળદાયી સપ્તાહ શરૂ થવા જઈ રહ્યું છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન વ્યાપાર-ધંધામાં ... વધુ વાંચો »
આપના માટે પરિશ્રમદાયક સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન ... વધુ વાંચો »
તમારા માટે કાર્યસફળતા સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપને ... વધુ વાંચો »
આપના માટે આનંદદાયી સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન ... વધુ વાંચો »
તમારા માટે વ્યાપાર-ધંધામાં નિર્ણય લેવામાં તકેદારી રાખવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ ... વધુ વાંચો »
આપના માટે આર્થિક પરિસ્થિતિ સુધારનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના ... વધુ વાંચો »
તમારા માટે ક્રોધ-આવેશ ઉપર નિયંત્રણ રાખવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના ... વધુ વાંચો »
આપના માટે ઘર-પરિવારના મામલે પરિસ્થિતિ સાનુકૂળ બનાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા ... વધુ વાંચો »