Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પાંચ વિદ્યાર્થિનીને એવન ગ્રેડ
જામનગરનાં જૈન કન્યા વિદ્યાલયે બોર્ડની પરીક્ષાઓમાં ઝળહળતું પરિણામ મેળવવાની પરંપરા જાળવી રાખી છે. આ વર્ષે ગુજરાત બોર્ડની ધો. ૧૦ ની પરીક્ષામાં વિદ્યાલયની ૫ વિદ્યાર્થિનીએ એ વન ગ્રેડ મેળવ્યો છે. તેજસ્વી વિદ્યાર્થિનીઓએ વાલીઓ તથા શિક્ષક ગણ સાથે 'નોબત' ની મુલાકાત લઇ પોતાનાં પરીશ્રમ અને સપનાઓ વિશે વાત કરી હતી.
જીનલ ગોહિલને ડોકટર બનવાની ઇચ્છા
જીનલ ગોહિલ એ ધો. ૧૦ માં ૯૬% ગુણ અને ૯૯.૬૪ પી.આર. સાથે એવન ગ્રેડ મેળવી વિદ્યાલયમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. તેણીનાં પિતા કમલેશભાઈ શ્રમિક છે જ્યારે માતા રશ્મિનાબેન ગૃહિણી છે. સ્કેચ અને ડ્રોઇંગનો શોખ ધરાવતી જીનલ વિદ્યાલય દ્વારા આપવામાં આવેલ મટીરીયલને પ્રાધાન્ય આપી સફળ થયાનું જણાવે છે. જીનલ વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરી ડોક્ટર બનવાનું લક્ષ્ય ધરાવે છે.
વંશિકા ડોબરીયાને સી.એ. બનવું છે
વંશિકા ડોબરીયાએ ધો. ૧૦ ની પરીક્ષામાં ૯૬% ગુણ સાથે ૯૯.૧૪ પી.આર.સાથે એવન ગ્રેડ મેળવી પરિવારનું ગૌરવ વધાર્યું છે. તેણીનાં પિતા સંજયભાઇ બિઝનેસમેન છે તથા માતા ઇલાબેન ગૃહિણી છે. ડ્રોઇંગનો શોખ ધરાવતી વંશિકાને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવાની મહેચ્છા છે.
અંજલી ચૌહાણને બનવું છે આઈપીએસ ઓફિસર
અંજલી ચૌહાણે ધો. ૧૦ માં ૯૪.૩૩% ગુણ સાથે ૯૮.૯૮ પી.આર. સાથે એવન ગ્રેડ મેળવી આઇ.પી.એસ. ઓફિસર બનવાનાં પોતાનાં સપનાને સાકાર કરવાની દિશામાં મક્કમ આગેકૂચ કરી છે. તેણીનાં પિતા અશોકભાઇ કોન્ટ્રાક્ટર છે તથા માતા નયનાબેન ગૃહિણી છે. સ્પોર્ટસ અને કૂકીંગનો શોખ ધરાવતી અંજલી નિયમિત મહેનત કરવાથી સફળતા મળી હોવાનું જણાવે છે.
દૃષ્ટી જોગેલને ડોક્ટર બનવાની તમન્ના
દૃષ્ટી જોગલે ધો. ૧૦ માં ૯૨.૮૪% ગુણ સાથે ૯૮.૧૦ પી. આર. અને એવન ગ્રેડ મેળવી પરિવારનું ગૌરવ વધાર્યું છે. તેણીનાં પિતા મનિષભાઇ શ્રમિક છે જ્યારે માતા હેતલબેન આંગણવાડી હેલ્પર છે. દૃષ્ટીએ પોતાની સફળતાથી માતા પિતાનાં સંઘર્ષને સાર્થક કર્યો છે એમ કહી શકાય. ડ્રોઇંગ શોખ ધરાવતી દૃષ્ટી ડોક્ટર બનવાની મહેચ્છા ધરાવે છે.
નિરાલી વાળાનો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનાવનો નિર્ધાર
વિદ્યાલયની વિદ્યાર્થિની નિરાલી વાળાએ ધો. ૧૦ માં ૯૨% ગુણ સાથે ૯૭.૫૨ પી.આર. મેળવી એવન ગ્રેડ પ્રાપ્ત કરી વિદ્યાલયનું ગૌરવ વધાર્યું છે. તેણીનાં પિતા વિજયભાઇ શ્રમિક છે તથા માતા રેખાબેન ગૃહિણી છે. પાઠ્યપુસ્તકને પ્રાધાન્ય આપી સફળ થયાનું જણાવી નિરાલી વાણિજ્ય પ્રવાહમાં ઉચ્ચ અભ્યાસ કરી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવાની ઇચ્છા અભિવ્યક્ત કરે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ઉત્કૃષ્ટ પરિણામો મેળવનાર તેજસ્વી તારલાઓના ઉચ્ચ કારકિર્દીના સપના
જામનગર તા. ૧૪: જામનગરની એસ.બી.શર્મા પબ્લિક સ્કૂલ વર્ષોથી બોર્ડની પરીક્ષાઓમાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવી આગવી પ્રતિષ્ઠા ધરાવે છે. પ્રિન્સીપાલ પૂજા શર્માની આગેવાનીમાં શૈક્ષણિક સ્ટાફની મહેનત રંગ લાવી છે. આ વર્ષે પણ સ્કૂલનું ૯૯% રિઝલ્ટ આવ્યું છે તથા ૨ વિદ્યાર્થીએ એવન ગ્રેડ તથા ૧૪ વિદ્યાર્થીએ એટુ ગ્રેડ અને ૮ વિદ્યાર્થીએ બીવન ગ્રેડ મેળવ્યા છે.વિદ્યાર્થીઓએ વાલીઓ તથા શિક્ષકો સાથે નોબતની મુલાકાત લઇ પોતાની સફળતા વિશે વાત કરી હતી.
મહેક ટાંકનું સી.એ. બનવાનું સપનું
સ્કૂલની વિદ્યાર્થિની મહેક ટાંકે અંગ્રેજી માધ્યમમાં ધો. ૧૦ માં ૯૩% ગુણ તથા ૯૮.૨૦ પી.આર. અને એવન ગ્રેડ મેળવી પરિવારનું ગૌરવ વધાર્યું છે. તેણીનાં પિતા આરીફભાઇ એન્જીનિયર છે જ્યારે માતા મીનાઝબેન ગૃહિણી છે. સ્પોર્ટસ અને ડાન્સનો શોખ ધરાવતી મહેક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા પ્રતિબદ્ધ છે.
ધારા ભાટુનું ડોક્ટર બનવાનું લક્ષ્ય
સ્કૂલની વિદ્યાર્થિની ધારા ભાટુએ અંગ્રેજી માધ્યમમાં ધો. ૧૦ની પરીક્ષામાં ૯૧% ગુણ તથા ૯૬.૮૭ પી.આર. અને એવન ગ્રેડ મેળવી પરિવાર તથા સ્કૂલનું ગૌરવ વધાર્યું છે.તેણીનાં પિતા ખેડૂત છે જ્યારે માતા હેતલબેન ગૃહિણી છે. વાચન અને ડ્રોઇંગનો શોખ ધરાવતી ધારા વિજ્ઞાન પ્રવાહમાં ઉચ્ચ અભ્યાસ કરી ડોક્ટર બનાવ ઇચ્છે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આ વર્ષે પણ બોર્ડની પરીક્ષામાં શ્રેષ્ઠ પ્રદર્શનઃ ૧૦ વિદ્યાર્થીઓને એ-ગ્રેડઃ
જામનગર તા. ૧૩: ગુજરાતના શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી- માર્ચ, ૨૦૨૫ માં ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષા યોજવામાં આવી હતી. જેમાં પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ નવકાર સ્ટડી સેન્ટરે જવલંત સફળતા પ્રાપ્ત કરી છે. ધોરણ ૧૦ માં ૯૫% પરિણામ અને ૮ વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ તેમજ ધોરણ ૧૨માં ૧૦૦ ટકા પરિણામ અને બે વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે.
નવકાર સ્ટડી સેન્ટરના સંચાલક હિરેન વોરા અને બીજલબેન વોરાએ તેમના વિદ્યાર્થીઓ સાથે 'નોબત'ની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે પત્રકાર દિપક લાંબાને જણાવ્યું હતું કે, અમારું નવકાર સ્ટડી સેન્ટર દેવબાગ પાસે, કલ્યાણજીના ચોકમાં કાર્યરત છે. ધોરણ ૧ થી ૧૨ ઇંગ્લીશ મીડીયમ માં તમામ વિષયોનો અભ્યાસ કરાવવામાં આવે છે. હિરેન વોરાએ વધુમાં જણાવ્યું હતું કે વર્ષ દરમિયાન અમે ૬૦ થી વધુ ટેસ્ટ નું આયોજન કરીએ છીએ સમયસર કોર્સ પૂર્ણ કરીને રિવિઝન પણ કરાવીએ છીએ તેમજ મટીરીયલ પણ ક્લાસીસ તરફથી આપવામાં આવે છે.
આ ઉપરાંત વિદ્યાર્થીઓ અને શિક્ષકોની મહેનતનો સુખદ સમન્વય થાય છે જેના કારણે અમારું નવકાર સ્ટડી સેન્ટર દર વર્ષે આટલું સારું પરિણામ મેળવવામાં સફળ રહે છે. સ્ટડી સેન્ટરમાં પ્રારંભથી જ વિદ્યાર્થીઓને અલગ અલગ ગ્રુપમાં વહેંચણી કરીને તેમને યોગ્ય મહેનત કરાવવામાં આવે છે. આ વર્ષે ચાર વિદ્યાર્થીઓએ ગણિત વિજ્ઞાન જેવા વિષયોમાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ પ્રાપ્ત કરવામાં સફળતા મેળવી છે. મારો પુત્ર કુશ વોરા પણ અમારા જ સ્ટડી સેન્ટરમાં અભ્યાસ કરતો હતો.
રિયા સોલાણીનું સીએ બનવાનું સ્વપ્ન
ધોરણ ૧૨ કોમર્સમાં ૯૩.૪૨ ટકા અને ૯૯.૭૯ પી.આર. સાથે એવન ગ્રેટ પ્રાપ્ત કરીને રિયાએ પરિવારનું ગૌરવ વધાર્યું છે. પરીક્ષામાં સારા ગુણ સાથે સફળતા મળે તે માટે રિયા દરરોજ નિયમિત રીતે પાંચથી આઠ કલાક વાચન કરતી હતી. ચિત્રકામમાં રુચિ ધરાવનાર રિયા આગળ વધુ અભ્યાસ કરીને સીએ બનવા માંગે છે.
મારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવું છેઃ આગમ શાહ
આગમ શાહ ધોરણ ૧૨ કોમર્સમાં ૯૧.૪૨% અને ૯૯.૧૦ પી.આર. સાથે એવન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. અભ્યાસ ઉપરાંત રમવા તથા વાચનમાં રુચિ ધરાવનાર આગમ આગળ અભ્યાસ કરીને સીએ બનવા માંગે છે. આગમ દરરોજ સાત થી આઠ કલાક વાંચન કરતો હતો.
ફાતેમા કાસેની શિક્ષક બનવાની અભિલાષા
ધોરણ ૧૦ ની બોર્ડની પરીક્ષામાં ફાતેમા કાસે ૯૬.૩૬% સાથે એ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. પરીક્ષામાં માત્ર સફળતા જ નહીં પરંતુ ઉચ્ચ ગુણાંક સાથેની સફળતા મળે તે માટે ફાતેમા દરરોજ નિયમિત રીતે પાંચથી આઠ કલાક વાચન કરતી હતી. ફાતેમા આગળ અભ્યાસ કરીને શિક્ષક બનવા માંગે છે.
મારે ડોક્ટર બનવું છેઃ પૂર્વી ચૌહાણ
ધોરણ ૧૦ ની બોર્ડની પરીક્ષામાં પૂર્વી ચૌહાણએ દરરોજ પાંચ થી આઠ કલાક અભ્યાસ કરીને ૯૫.૬૭ ટકા અને ૯૯.૫૫ પી. આર. સાથે એવન ગ્રેડ પ્રાપ્ત કરીને ચૌહાણ પરિવારનું ગૌરવ વધાર્યું છે. અભ્યાસ ઉપરાંત પુસ્તકો વાંચવામાં રુચિ ધરાવનાર પૂર્વી ડોક્ટર બનવા માંગે છે
કુશનું ડોક્ટર બનવાનું લક્ષ્ય
કુશ વોરાએ ધોરણ ૧૦ ની બોર્ડની પરીક્ષામાં ૯૫.૩૩ ટકા અને ૯૯.૪૨ પી.આર. સાથે એવન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. પરીક્ષામાં ધારી સફળતા મેળવવા માટે કુશ દરરોજ નિયમિત રીતે આઠ થી દસ કલાક વાંચન કરતો હતો. વાચવા અને રમવામાં રુચિ ધરાવનાર કુશનું લક્ષ્ય ડોક્ટર બનવાનું છે. અત્રે ઉલ્લેખનીય છે કે તે નવકાર સ્ટડી સેન્ટરના સંચાલક હિરેનભાઈ વોરા અને બીજલબેન વોરાનો પુત્ર છે.
મારે સોફ્ટવેર એન્જિનિયર બનવું છેઃ ટવેશા પારેખ
બોર્ડની પરીક્ષામાં ૯૪.૫૦ ટકા અને ૯૯.૦૬ પીઆર સાથે એ વન ગ્રેડ મેળવનાર ટવેશા પારેખ દરરોજ પાંચ થી સાત કલાક વાચન કરતી હતી. અભ્યાસ ઉપરાંત આર્ટ એન્ડ ક્રાફ્ટ તથા બેડમિન્ટનમાં રુચિ ધરાવનાર ટવેશા આગળ અભ્યાસ કરીને સોફ્ટવેર એન્જિનિયર બનવા માંગે છે.
ધ્રુવને સી.એસ. બનવું છે.
ધોરણ ૧૦ ની બોર્ડની પરીક્ષામાં ધ્રુવએ ૯૩.૩૩ ટકા અને ૯૮.૪૨ પીઆર સાથે એવન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. પરીક્ષામાં સફળતા મળે તે માટે ધ્રુવ દરરોજ ૫ થી ૬ કલાક અભ્યાસ કરતો હતો. ફૂટબોલ તેમજ સંગીતમાં રુચિ ધરાવનાર ધ્રુવ આગળ અભ્યાસ કરીને કંપની સેક્રેટરી બનવા માંગે છે.
મારે ડોક્ટર બનવું છેઃ મંથન જોશી
એસએસસી બોર્ડની પરીક્ષામાં મંથન જોશી એ ૯૨% અને ૯૭.૫૨ પી.આર. સાથે એ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. અભ્યાસ ઉપરાંત વાચનનો શોખ ધરાવનાર મંથન જોશી આગળ અભ્યાસ કરીને ડોક્ટર બનવા માંગે છે.
કૈવન પારેખનું એન્જિનિયર બનવાનું સ્વપ્ન
ધોરણ ૧૦ ની બોર્ડની પરીક્ષામાં કૈવન પારેખે ૯૧% અને ૯૬.૬૩ પીઆર સાથે એવન ગ્રેડ પ્રાપ્ત કરીને પારેખ પરિવાર તથા નવકાર સ્ટડી સેન્ટરનું ગૌરવ વધાર્યું છે. પરીક્ષામાં ધારી સફળતા મળે તે માટે કૈવન દરરોજ ચાર થી પાંચ કલાક વાચન કરતો હતો. રમતમાં રુચિ ધરાવનાર કૈવન આગળ અભ્યાસ કરીને એન્જિનિયર બનવા માંગે છે.
મારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવું છેઃ ઝૈનબ કોન્ટ્રાક્ટર
એસએસસી બોર્ડની પરીક્ષામાં ઝૈનબ કોન્ટ્રાક્ટરે ૯૧ ટકા અને ૯૬.૭૬ પીઆર સાથે એ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. ઝૈનબ નિયમિત રીતે સાતથી આઠ કલાક સ્ટડી કરતી હતી. અભ્યાસ ઉપરાંત ગાયનમાં રુચિ ધરાવનાર ઝૈનબ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા માંગે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
બોર્ડની પરીક્ષામાં જામનગરની શૈક્ષણિક સંસ્થા
જામનગરનું જૈનમ્ ક્લાસીસ શૈક્ષણિક સંસ્થા તરીકે વર્ષોથી પ્રતિષ્ઠા ધરાવે છે. દર વર્ષે બોર્ડની પરીક્ષામાં ક્લાસીસનાં વિદ્યાર્થીઓ ઝળહળતું પ્રદર્શન કરે છે. જે પરંપરા આ વર્ષે પણ આગળ વધી છે. ગુજરાત બોર્ડની ધો.૧૦ અને ધોે. ૧ર ની પરીક્ષામાં ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમમાં ક્લાસીસનાં કુલ ૧૬ વિદ્યાર્થીએ એવન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. તેજસ્વી વિદ્યાર્થીઓએ વાલીઓ તથા ગુરૂજનો સાથે નોબતની મુલાકાત લઇ પોતાની સફળતા તથા ભવિષ્યનાં લક્ષ્યાંકો વિશે વાત કરી હતી.
ચિત્રા ઉનાગરને સી.એ.બનવુ છે
ચિત્રા જગદિશભાઇ ઉનાગરએ ગુજરાતી માધ્યમમાં ધો. ૧૦ માં ૯૨% ગુણ સાથે ૯૭.૫૨ પી.આર.અને એવન ગ્રેડ મેળવી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવાનાં પોતાનાં સપનાને સાકાર કરવા તરફ નિર્યાણક આગેકૂચ કરી છે.તેનાં પિતા જગદિશભાઇ ટેઇલર છે તથા માતા જલ્પાબેન હાઉસવાઇફ છે.ચિત્રા નિયમિત ૨-૩ કલાકનું વાચન સફળતા તરફ દોરી ગયુ હોવાનું જણાવે છે.
ઇશા ઘેડીયાનું લક્ષ્ય બેંક મેનેજર બનવાનું છે
ઇશા ઘેડીયાએ ગુજરાતી માધ્યમમાં ધો. ૧૦ માં ૯૦.૫% ગુણ સાથે ૯૬.૩૬ પી.આર. અને એવન ગ્રેડ મેળવી ક્લાસીસનું ગૌરવ વધાર્યું છે. ઇશાનાં પિતા કિશોરભાઇ સુથારી કામ કરે છે તથા માતા કિરણબેન ગૃહિણી છે.મોટા બહેન દિયા એમ.કોમ નો અભ્યાસ કરે છે. ઈશા પણ મોટા બહેનની જેમ વાણિજ્ય પ્રવાહમાં આગળ અભ્યાસ કરી બેંક મેનેજર બનવા માટે પ્રતિબદ્ધ છે.
પ્રજાપતિ તન્વીનું લક્ષ્ય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવાનું છે
ક્લાસીસની વિદ્યાર્થિની તન્વી પ્રજાપતિએ ગુજરાતી માધ્યમમાં ધો. ૧૦ માં ૯૩.૮૩% ગુણ સાથે ૯૮.૭૧ પી. આર. અને એવન ગ્રેડ પ્રાપ્ત કર્યા છે.તેણીનાં પિતા વિપુલભાઇ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનમાં કાર્યરત છે. જ્યારે માતા ભાવનાબેન હાઉસ વાઇફ છે.તન્વી વાણિજ્ય પ્રવાહમાં ઉચ્ચ અભ્યાસ કરવાનુ તથા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનાવનું લક્ષ્ય ધરાવે છે.
ગોહિલ ખુશી ને પણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવાની તમન્ના
ગોહિલ ખુશીએ ગુજરાતી માધ્યમમાં ધો. ૧૦ માં ૯૦.૩૩% ગુણ તથા ૯૭.૦૨ પી.આર. સાથે એવન ગ્રેડ મેળવવામાં સફળતા પ્રાપ્ત કરી છે. ખુશીનાં પિતા દિપકભાઇ દરજી કામ કરે છે જ્યારે માતા દિપાબેન ગૃહિણી છે. તેનો મોટો ભાઇ મિલન ડિપ્લોમા કોમ્યુટર એન્જિનિયરીંગનાં છેલ્લા વર્ષમાં છે. ડાન્સનો શોખ ધરાવતી ખુશી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા ઇચ્છે છે.
માતંગ માનસીને સી.એ. બની
કારકિર્દી ઘડવાની મહેચ્છા
માતંગ માનસીએ ગુજરાતી માધ્યમમાં ધો. ૧૦ માં ૯૨% ગુણ તથા ૯૭.૪૦ પી.આર. સાથે એવન ગ્રેડ મેળવ્યો છે. તેણીનાં પિતા અશોકભાઇ સેલ્સમેન છે જ્યારે માતા ભાવિષાબેન કૂકીંગ નાં વ્યવસાય સાથે સંકળાયેલા છે. સવારે ૪ કલાકે ધ્યાન કરીને અભ્યાસ આરંભ કરનારી માનસીને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવુ છે.
શિફા શેખ શિક્ષક બની નવી પેઢીનું ઘડતર કરવા પ્રતિબદ્ધ
શિફા શેખએ ગુજરાતી માધ્યમમાં ધો. ૧૦ ની પરીક્ષામાં ૯૫% ગુણ સાથે ૯૯.૪૮ પી.આર. તથા એવન ગ્રેડ મેળવી ઉજ્જવળ ભવિષ્ય તરફ મજબૂત કદમ વધાર્યા છે. તેણીનાં પિતા તાજુદ્દીનભાઇ ઇલેક્ટ્રીશ્યન છે તથા માતા કરીમાબેન હાઉસ વાઇફ છે. શિફા શિક્ષક બની નવી પેઢીનાં ઘડતરમાં મહત્ત્વની ભૂમિકા નિભાવવા માંગે છે.
વિશ્વરાજસિંહ જાડેજાનું આઇ.એ.એસ અથવા આઇ.પી.એસ. બનવાનું લક્ષ્ય
વિશ્વરાજસિંહ અરવિંદસિંહ જાડેજાએ ગુજરાતી માધ્યમમાં ધો. ૧૦ માં ૯૩.૧૬% ગુણ તથા ૯૮.૩૧ પી.આર. સાથે એવન ગ્રેડ મેળવી આઇ.એ.એસ. અથવા આઇ.પી.એસ. ઓફિસર બનવાનાં પોતાનાં લક્ષ્ય તરફ આગેકૂચ કરી છે. ચેસ રમવાનો શોખ ધરાવતાં વિશ્વરાજે રિવિઝનમાં વધુ ધ્યાન આપી ધારી સફળતા મેળવી છે.
માનવ પાઠકનો મંત્ર ' સખત પરિશ્રમ'
માનવ જસ્મીનભાઇ પાઠકે ગુજરાતી માધ્યમમાં ધો. ૧૦ માં ૯૧.૧૬% ગુણ સાથે ૯૭.૨૭ પી. આર. અને એવન ગ્રેડ મેળવી પરિવારનું ગૌરવ વધાર્યું છે. તેણીનાં માતા પ્રિતીબેન ગૃહિણી છે તથા બહેન પ્રિયા ડિપ્લોમા કોમ્પ્યુટર એન્જિનિયરીંગો અભ્યાસ કરે છે. ચિત્રકલાનો શોખ ધરાવતા માનવે સખત પરીશ્રમ વડે સફળતા મેળવી છે.
ધાર્મી રાવલ ડોક્ટર બનવા પ્રતિબદ્ધ
ધાર્મી રાવલએ અંગ્રેજી માધ્યમમાં ધો. ૧૦ માં ૯૨.૫% ગુણ તથા ૯૭.૮૮ પી.આર. સાથે એવન ગ્રેડ મેળવ્યો છે. તેણીનાં પિતા કૌશિક ભાઇ બેંકમાં સેવારત છે જ્યારે માતા વંદનાબેન હાઉસવાઇફ છે. ધાર્મી વિજ્ઞાન પ્રવાહમાં ઉચ્ચ અભ્યાસ કરી ડોક્ટર બનવા પ્રતિબદ્ધ છે.
ધૈર્યા મોદીનું પણ ડોક્ટર થવાનું લક્ષ્ય
ધૈર્યા મોદીએ અંગ્રેજી માધ્યમમાં ધો. ૧૦ માં ૯૪.૧૬ % ગુણ તથા ૯૮.૯૦ પી.આર. સાથે એવન ગ્રેડ મેળવી પરિવારનું નામ ઉજ્જવળ કર્યુ છે.તેણીનાં પિતા નિખિલભાઇ બિઝનેસમેન છે તથા માતા નિશાબેન હાઉસવાઇફ છે. ધૈર્યા ડોક્ટર તરીકે કારકિર્દી બનાવવા ઈચ્છે છે.
સ્નેહ મોદીએ નિયમિત ૫ કલાકની મહેનતથી મેળવી સફળતા
સ્નેહા મોદીએ અંગ્રેજીમાં ધો. ૧૦ ની પરીક્ષામાં ૯૨.૧૬% ગુણ તથા ૯૭.૬૪ પી.આર. સાથે એવન ગ્રેડ મેળવ્યો છે.તેણીનાં પિતા રાજેશભાઈ બિઝનેસમેન છે તથા માતા પ્રિતીબેન હાઉસવાઇફ છે. નિયમિત ૫ કલાકનાં વાચનથી ધારી સફળતા મેળવનાર સ્નેહાને ડોક્ટર બનવુ છે.
કાવ્યા જેઠવાને એરફોર્સમાં જોડાવાની મહેચ્છા
કાવ્યા જેઠવાએ અંગ્રેજી માધ્યમમાં ધો. ૧૦ માં ૯૧.૮૪% ગુણ તથા ૯૭.૪૦ પી.આર. સાથે એવન ગ્રેડ મેળવી પરિવારનું ગૌરવ વધાર્યું છે.
તેણીનાં પિતા પ્રશાંતભાઇ ખાનગી નોકરી કરે છે તથા માતા આશાબેન ગૃહિણી છે. કાવ્યા ઉચ્ચ અભ્યાસ પછી ઇન્ડિયન એરફોર્સમાં અધિકારી બનવાનું લક્ષ્ય ધરાવે છે.
સાક્ષીબા જાડેજાને સી.એ. બનવાની મહેચ્છા
સાક્ષીબા જાડેજાએ અંગ્રેજી માધ્યમમાં ધો. ૧૦ ની પરીક્ષામાં ૯૫% ગુણ સાથે ૯૯.૨૮ પી.આર. તથા એવન ગ્રેડ મેળવી પરિવાર તથા ક્લાસીસનું ગૌરવ વધાર્યુ છે.તેણીનાં પિતા હિતેન્દ્રસિંહ પોલીસમાં ફરજ બજાવે છે જ્યારે માતા હિનાબા ગૃહિણી છે. નિયમિત અભ્યાસથી ઉચુ પરિણામ મેળવનાર સાક્ષીબા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા માટે પ્રતિબદ્ધ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
નિયમિત ટેસ્ટ-કાઉન્સેલીંગથી શ્રેષ્ઠ પરિણામઃ જાનવી માંકડ
જામનગર તા. ૧૩: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ-ગાંધીનગર દ્વારા ફેબ્રુઆરી-માર્ચ, ૨૦૨૫માં યોજાયેલી બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ જામનગરના સાંઈ ટ્યુટોરિયલે ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે. સાંઈ ટ્યુટોરિયલના સંચાલક જાનવી માંકડે 'નોબત' સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ વર્ષે અમારા કલાસીસનું ધો. ૧૨ કોમર્સનું ૧૦૦% પરિણામ આવ્યું છે. પાઠ્યપુસ્તક પર વધુ ધ્યાન, નિયમિત ટેસ્ટ, વન-ટુ-વન કાઉન્સેલીંગ વિગેરેના કારણે સાંઈ ટ્યુટોરિયલ પ્રતિ વર્ષ સારું પરિણામ મેળવવામાં સફળ રહે છે.
સ્તુતિનું એ.સી.સી.એ. મેમ્બર બનવાનંુ સ્વપ્ન
સ્તુતિ સુનિલભાઈ મોદીએ નિયમિત વાચન કરીને ધો. ૧૨ કોમર્સમાં ૯૨.૧૪% અને ૯૯.૩૯ પી.આર. સાથે એ-વન ગ્રેડ પ્રાપ્ત કરીને સાંઈ ટ્યુટોરિયલ અને મોદી પરિવારનું ગૌરવ વધાર્યું છે. સ્તુતિના પિતા સુનિલભાઈ બિઝનેસમેન છે. સ્તુતિ એ.સી.સી.એ. મેમ્બર બનવા માંગે છે.
મારે સી.એ. બનવું છેઃ વૃષ્ટિ ભાયાણી
વૃષ્ટિ ભાયાણીએ ધો. ૧૨ કોમર્સની પરીક્ષામાં ૯૦.૭૧% અને ૯૮.૮૫ પી.આર. સાથે એ-વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. તેણીના પિતા હરેશભાઈ નોકરી કરે છે તો માતા હેતલબેન શિક્ષિકા છે. વૃષ્ટિ સખત પરિશ્રમના માર્ગે ચાલીને સી.એ. બનવા માંગે છે.
લક્ષિતાનું ક્લાસ-૧ ઓફિસર બનવાનું લક્ષ્ય
ધોરણ-૧૨ કોમર્સની બોર્ડની પરીક્ષામાં લક્ષિતા ભટ્ટે ૯૦.૧૪% અને ૯૮.૫૯ પી.આર. સાથે એ-વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. લક્ષિતાને અભ્યાસ ઉપરાંત સ્પોર્ટસમાં રૂચિ છે. લક્ષિતાને આગળ અભ્યાસ કરી કલાસ-૧ ઓફિસર બનવાનું લક્ષ્ય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
સાત વિદ્યાર્થીએ મેળવ્યો એ-વન ગ્રેડ
જામનગરના ગુરુદ્વારા વિસ્તારમાં આવેલ સોમૈયા ક્લાસીસ ૧૯૯૭ થી કાર્યરત છે. ક્લાસીસનું પ્રતિવર્ષ બોર્ડનું ઝહળતું પરિણામ આવે છે. આ વર્ષે પણ ધો. ૧૦ ની બોર્ડની પરીક્ષામાં ક્લાસીસના વિદ્યાર્થિઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. ક્લાસીસનું ૯૯ ટકા રીઝલ્ટ આવ્યું છે. ક્લાસીસના સંચાલક નિકુંજ સોમૈયા તથા હિતેષ સોમૈયા અને તેજસ્વી વિદ્યાર્થિઓ સાથે 'નોબત'ની મુલાકાત લઈ સફળતાની યાત્રા વિશે વાત કરી હતી.
રાજવીરને બનવું છે આર્કીટેક
ક્લાસીસના રાજવીર સોલંકીએ ગુજરાતી માધ્યમની ધો. ૧૦ ની પરીક્ષામાં ૯પ.૮૩ ટકા ગુણ સાથે ૯૯.૬૦ પીઆર એ-વન મેળવી પરિવારનું ગૌરવ વધાર્યું છે. રાજવીરના પિતા આનંદભાઈ રિલાયન્સમાં કાર્યરત છે, જ્યારે માતા અવનીબેન ગૃહિણી છે. નિયમિત અભ્યાસથી સફળતા પ્રાપ્ત કરનાર અને ફૂટબોલ રમવાનો તથા જનરલ નોલેજ મેળવવાનો શોખ ધરાવતા રાજવીરનું સપનું અર્કીટેક બનવાનું છે.
સુહાસીને સીએ બનવું છે
ક્લાસીસના સુહાસી ચંદારાણાએ ગુજરાતી માધ્યમમાં ધો. ૧૦ ની પરીક્ષામાં ૯૪.૬૭ ટકા ગુણ તથા ૯૯.૧૪ પીઆર સાથે એ-વન મેળવી ક્લાસીસનું ગૌરવ વધાર્યું છે. સુહાસીના પિતા પરાગભાઈ ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે સંકળાયેલા છે તથા માતા વર્ષાબેન ગૃહિણી છે. એ-વન પ્રાપ્ત કરવાના ધ્યેય સાથે મહેનત કરનાર સને સંગીત તથા નૃત્યનો સોખ છે અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવાનું લક્ષ્ય ધરાવે છે.
શિયા ચતવાણી સીએ બનવા માટે પ્રતિબદ્ધ
ક્લાસીસની વિદ્યાર્થિની શિયા ચતવાણીએ ગુજરાતી માધ્યમમાં ધો. ૧૦ ની પરીક્ષામાં ૯૪.૪૧ ટકા ગુણ સાથે ૯૮.૯૦ પીઆર મેળવી અને એ-વન પ્રાપ્ત કરી ઝળહળતું પરિણામ મેળવ્યું છે. શિયાના માતા મેઘનાબેન મહાનગરપાલિકામાં એવારત છે. ડ્રોઈંગ અને એન્કરીંગનો શોખ ધરાવતી શિયા શિક્ષકોના માર્ગદર્શનથી સફળ થયાનું જણાવે છે. તેણી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે ઝળહળતી કારકિર્દી બનાવવા પ્રતિબદ્ધ છે.
યશ્વી આંબલીયાનું પણ સીએ બનવાનું છે લક્ષ્ય
ક્લાસીસની વિદ્યાર્થિની યશ્વી આંબલિયા અને ગુજરાતી માધ્યમમાં ધો. ૧૦ ની પરીક્ષામાં ૯૩.૬૬ ટકા ગુણ સાથે ૯૮.૬ર પીઆર સાથે એ-વન ગ્રેડ મેળવી ઉત્કૃષ્ટ પરિણામ મેળવ્યુ તેણીના પિતા જીક્ષેશભાઈ ઈલેક્ટ્રીશ્યન છે, જ્યારે માતા મનિષાબેન હાઉસવાઈફ છે. ડાન્સનો શોખ ધરાવતી યશ્વી વાણિજ્ય પ્રવાહમાં આગળ અભ્યાસ કર્યા પછી સી.એ. અભ્યાસક્રમમાં ઉત્તીર્ણ ચાર્ટર્ડ થઈ એકાઉન્ટન્ટ થવાનું પ્રતિબદ્ધ છે.
સૌમ્ય કણજારિયાને એરોસ્પેસ એન્જિનિયર બનવું છે
ક્લાસીસના વિદ્યાર્થિ સૌમ્ય કણજારિયો અંગ્રેજી માધ્યમમાં ધો. ૧૦ ની પરીક્ષામાં ૯૩ ટકા ગુણ સાથે ૯૮.ર૦ પીઆર અને એ-વન ગ્રેડ મેળવી પ્રશંસસાપાત્ર પરિણામ મેળવ્યું છે. તેના પિતા ભરતભાઈ જોબ કરે છે તથા માતા જીજ્ઞાબેન ગૃહિણી છે. તેનો મોટો ભાઈ સિદ્ધાર્થ કેમિકલ એન્જિનિયર છે, જ્યારે સૌમ્ય એરોસ્પેસ એન્જિનિયર કે સ્પેસ સાયન્ટીસ્ટ બનવાનું લક્ષ્ય ધરાવે છે.
યશ્વી સી.એ. બનવા ઈચ્છે છે
ક્લાસીસના યશ્વી વારાએ ગુજરાતી માધ્યમમાં ધો. ૧૦ મા ૯૦.૦પ ટકા ગુણ સાથે ૯૬.૩૬ પીઆર સાથે એ-વન ગ્રેડ મેળવી ઊંચુ પરિણામ મેળવ્યું છે. યશ્વીના પિતા રાકેશભાઈ ખોકરી કરે છે, જ્યારે માતા શ્વેતાબેન ગૃહિણી છે. કૂકીંગ-ડાન્સીંગનો શોખ સાથે નિયમિત ૮ કલાક વાચન કરી ધાર્યું પરિણામ મેળવ્યું છે. યશ્વીનું લક્ષ્ય સી.એ. બનવાનું છે.
ધાર્મી સોનગરાનું ડોક્ટર બનવાનું લક્ષ્ય
ક્લાસીસની વિદ્યાર્થિની ધાર્મી સોનગરાએ ગુજરાતી માધ્યમમાં ધો. ૧૦ મા ૯૦.૧૬ ટકા ગુણ સાથે ૯૬.૦૭ પીઆર અને એ-વન ગ્રેડ મેળવી તેણીના પિતા જયંતિભાઈ સરકારી નોકરી કરે છે. જ્યારે માતા ગૃહિણી છે. ડ્રોઈંગનો શોખ ધરાવતી ધાર્મીએ નિયમિત ર કલાકના વાચનથી ધારી સફળતા મેળવી છે. તેણી વિજ્ઞાન પ્રવાહમાં ઉચ્ચ અભ્યાસ કરી ડોક્ટર બનવા માટે પ્રતિબદ્ધ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
એસ.એસ.સી. બોર્ડની પરીક્ષામાં
જામનગર તા. ૧૦ઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ-ગાંધીનગર દ્વારા ફેબ્રુઆરી-માર્ચ-૨૦૨૫માં એસ.એસ.સી. બોર્ડની પરીક્ષા યોજવામાં આવી હતી જેમાં જામનગરની સેન્ટ આન્સ સ્કૂલમાં અભ્યાસ કરતી વૃષાંગી ભાવિનભાઈ કલ્યાણીએ જવલંત સફળતા પ્રાપ્ત કરી છે. તેણીએ ધો. ૧૦માં ૯૪% અને ૯૮.૯૮ પી.આર. પ્રાપ્ત કરીને કલ્યાણી પરિવારનું ગૌરવ વધાર્યુ છે. બોર્ડની પરીક્ષામાં માત્ર સફળતા જ નહીં પણ ઉચ્ચ ગુણાંક સાથે સફળતા મળે તે માટે વૃષાંગી દરરોજ નિયમિત રીતે ૧૦ થી ૧૨ કલાક વાચન કરતી હતી. વૃષાંગીના પિતા ભાવિનભાઈ એન્જિનિયર છે, અને માતા એકતાબેન બ્યુટીશિયન છે, તથા દાદા અશોકભાઈ પોલીસ વિભાગમાં એ.એસ.આઈ તરીકે ફરજ બજાવી હતી. તેઓ વર્ષ ૨૦૧૬માં નિવૃત્ત થયા હતા. વૃષાંગી અભ્યાસ સિવાય ફિલ્મ જોવામાં અભિરૃચિ ધરાવે છે તેમજ તેણી આગળ અભ્યાસ કરીને કોમર્શિયલ પાયલોટ બનવાની મહેચ્છા ધરાવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
દસ વિદ્યાર્થીઓએ મેળવ્યો એ-૧ ગ્રેડ
જામનગર તા. ૯ઃ જામનગરના રણજીતસાગર રોડ પર સ્થિત જોશી ક્લાસીસ એ ધોરણ ૧૨ પછી ધોરણ ૧૦ની બોર્ડની પરીક્ષામાં પણ જવલંત સફળતા પ્રાપ્ત કરી છે જોશી ક્લાસીસના સંચાલક દિનેશભાઈ જોશીએ 'નોબત'ના પત્રકાર દિપકભાઈ લાંબા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમારું ક્લાસીસ છેલ્લા ૨૮ વર્ષથી જામનગરના શૈક્ષણિક જગતમાં કાર્યરત છે. ધોરણ ૧૦ માં અમારા ક્લાસીસે જળહળતું ૯૮ ટકા પરિણામ મેળવ્યું છે. જેમાં ધોરણ ૧૦ માં અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમના ફુલ ૧૦ વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ મેળવવામાં સફળતા પ્રાપ્ત કરી છે. ક્લાસીસના શિક્ષકો અને વિદ્યાર્થીઓના સંયુક્ત મહેનતના પરિણામે જોષી ક્લાસીસ દર વર્ષે આટલું સારું પરિણામ મેળવવામાં સફળ રહે છે. ક્લાસીસમાં સ્માર્ટ ક્લાસની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત પાઠ્યપુસ્તકો પર વધુ ભાર મૂકવામાં આવે છે.
તાળા પુષ્ટિનું કોમ્પ્યુટર એન્જિનિયર બનવાનું સ્વપ્ન
પુષ્ટિ એ ધોરણ ૧૦ ની બોર્ડની પરીક્ષામાં ૯૫.૧૪% સાથે ૯૯.૩૫ પીઆર મેળવી ને ક્લાસીસ નું ગૌરવ વધાર્યું છે. પુષ્ટિના પિતા દિલજીતભાઈ બ્રાસપાર્ટમાં કામ કરે છે તથા માતા જીજ્ઞાબેન ગૃહિણી છે અભ્યાસ સિવાય સ્પોર્ટ્સમાં રુચિ ધરાવનાર પુષ્ટિ આગળ અભ્યાસ કરીને કોમ્પ્યુટર એન્જિનિયર બનવા માંગે છે.
ધ્રુવીની એન્જિનિયર બનવાની અભિલાષા
ભીમાણી ધ્રુવીએ એસએસસી બોર્ડની પરીક્ષામાં ૯૫% અને ૯૯.૨૮ પીઆર સાથે એવન ગ્રેડ પ્રાપ્ત કરીને ભીમાણી પરિવારનું ગૌરવ વધાર્યું છે. અભ્યાસ ઉપરાંત સોશિયલ મીડિયામાં રુચિ ધરાવનાર ધ્રુવી એન્જિનિયર બનવા માંગે છે.
અંજલીનું આઇપીએસ ઓફિસર બનવાનું સ્વપ્ન
ચૌહાણ અંજલીએ ધોરણ ૧૦ માં ૯૪.૩૩% અને ૯૮.૯૮ પીઆર સાથે એવન ગ્રેટ પ્રાપ્ત કરીને ક્લાસીસ તથા ચૌહાણ પરિવારનું ગૌરવ વધાર્યું છે. પિતા અશોકભાઈ કોન્ટ્રાક્ટર અને માતા નયનાબેન ગૃહિણી છે. અભ્યાસ ઉપરાંત રમતગમત અને કુકિંગમાં રુચિ ધરાવનાર અંજલી આગળ અભ્યાસ કરીને આઈપીએસ ઓફિસર બનવા માંગે છે.
યામીનીને કોમ્પ્યુટર એન્જિનિયર બનવાની મહેચ્છા
કોઠડીયા યામીએ ધોરણ ૧૦ માં ૯૪% અને ૯૮.૯૮ પીઆર મેળવ્યા છે. અભ્યાસ ઉપરાંત સોશિયલ મીડિયામાં રુચિ ધરાવનાર યામી આગળ કોમ્પ્યુટર એન્જિનિયર બનવા માંગે છે.
વિશ્વાની એન્જિનિયર બનવાની અભિલાષા
ખાખરીયા વિશ્વાએ ધોરણ ૧૦ની બોર્ડની પરીક્ષામાં ૯૩% અને ૯૮.૨૦ પીઆર સાથે એ-વન ગ્રેડ પ્રાપ્ત કરીને ખાખરીયા પરિવાર તથા જોષી ક્લાસીસનું ગૌરવ વધાર્યું છે. પિતા ચંદ્રકાંતભાઈ ખાખરીયા આચાર્ય છે તથા માતા ભારતીબેન શિક્ષિકા છે.પરીક્ષામાં સફળતા મળે તે માટે વિશ્વા દરરોજ નિયમિત રીતે ત્રણ કલાક વાચન કરતી હતી. વિશ્વા આગળ અભ્યાસ કરીને એન્જિનિયર બનવા માંગે છે.
યશ્વીનું ચિત્રકાર બનવાનું સ્વપ્ન
ધોરણ ૧૦ની પરીક્ષામાં ચાંદ્રા યશ્વીએ ૯૨.૬૬ ટકા અને ૯૭.૯૯ પીઆર પ્રાપ્ત કર્યા છે બોર્ડની પરીક્ષામાં સફળતા મળે તે માટે યશ્વી દરરોજ પાંચ કલાક વાચન કરતી હતી યશ્વી ચિત્રકાર બનવા માંગે છે.
મારે વકીલ બનવું છેઃ બારૈયા સૃષ્ટિ
બારૈયા સૃષ્ટિએ ધોરણ ૧૦ માં ૯૧% અને ૯૭.૫૯ પી.આર મેળવ્યા છે. અભ્યાસ ઉપરાંત ડાન્સમાં રુચિ ધરાવનાર બારૈયા સૃષ્ટિ આગળ અભ્યાસ કરીને વકીલ બનવા માંગે છે.
મારે એન્જિનિયર બનવું છેઃ ભાલારા શ્રી
ભાલારા શ્રી એ એસ.એસ.સી. બોર્ડની પરીક્ષામાં ૯૭.૪૦ પીઆર પ્રાપ્ત કર્યા છે. પિતા શૈલેષભાઈ બિઝનેસમેન છે અને માતા અંજનાબેન હાઉસવાઈફ છે. અભ્યાસ ઉપરાંત ભાલારાશ્રી ને સોશિયલ મીડિયામાં રુચિ છે અને તેણી એન્જિનિયર બનવા માંગે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલની ઝળહળતા પરિણામની સિદ્ધિનો સીલસીલો યથાવત
જામનગર તા. ૯ઃ કારકિર્દીના દ્વાર સમાન ધોરણ ૧૦ની બોર્ડની પરીક્ષામાં બ્રિલિયન્ટ ગૃપ ઓફ સ્કૂલ્સના સ્ટુડન્ટસના આ શ્રેષ્ઠ પરિણામ થી ઝળહળતી કારકિર્દી ઘડતરના મક્કમ ડગથી ધ્યેય સુનિશ્ચિત કરાવવામાં સંસ્થાના ચેરમેન શ્રી અશોકભાઇ ભટ્ટ અને એજ્યુકેશન ડાયરેક્ટર ઉસ્મીતાબેન ભટ્ટ સહિત *ટીમ બ્રિલિયન્ટ* ગ્રાન્ડ સક્સેસ એ-૧ ગ્રેડમાં - ૧૩ અને એ-૨ - ૨૯ બાળકો ઝળક્યા હોઇ ગુજરાત કક્ષાની સફળતા ખરેખર અભિનંદનીય છે તો વળી વિજ્ઞાન વિષયમાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ બે સ્ટુડન્ટને અને મેથ્સમાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ એક સ્ટુડન્ટને આવ્યા છે તે પણ વિશેષ સરાહનીય
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમીક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ ૨૦૨૫માં લેવાયેલી ધોરણ ૧૦ની પરીક્ષાનું પરિણામ જાહેર થયુ છે તેમાં જામનગરની સુપ્રસિદ્ધ શૈક્ષણિક સંસ્થા, બ્રિલિયન્ટ ગૃપ ઓફ સ્કૂલ્સના વિદ્યાર્થીઓએ અપેક્ષા મુજબ ઝળહળતી સિદ્ધિ મેળવતા સૌ ખુશખુશાલ થયા છે અને સંસ્થામાં ઉત્સવ જેવો માહોલ બન્યો છે.
હાલનો સમય કારકિર્દી ઘડતરનો છે વિકસતા જતા યુગમાં વિદ્યાર્થીઓ માટે કારકિર્દી ઘડતર માટે ધોરણ ૧૦ એ પ્રવેશદ્વાર છે ત્યાંથી ભાવિનો પાયો નખાય છે માટે વાલિઓને પોતાના સંતાનો માટે ખૂબજ કાળજી લેવી પડે છે ત્યારે જે વિદ્યાર્થીઓ બ્રિલિયન્ટ ગૃપ ઓફ સ્કૂલ્સમાં ભણે છે તેઓના વાલિઓ સંસ્થાની ઉતરોતર પ્રગતિ જાણતા હોઇ ધોરણ ૧૦ના પરિણામ અંગે નિશ્ચિંત હતા કેમકે પ્રથમ વખત બોર્ડની પરીક્ષા દેવાની હોય માટે વિદ્યાર્થીઓને ભણતર-ગણતર-કેળવણી સાથે માનસીક રીતે એટલા સ્વસ્થ કરવા પડે કે તેઓ હળવાફુલ રહી પરીક્ષા આપી શકે, હવે બ્રિલિયન્ટ ગૃપ ઓફ સ્કૂલ્સના ધોરણ ૧૦ના બોર્ડ પરીક્ષાના પરિણામો જોતા સ્પષ્ટ થાય છે કે આ સંસ્થામાં સંચાલકો ચેરમેન અશોકભાઇ ભટ્ટ અને એજ્યુકેશન ડાયરેક્ટર ઉસ્મીતાબેન ભટ્ટએ જાતે કેટલી જહેમત ઉઠાવી હશે તેની કલ્પના થઇ શકે અને સંચાલકોએ તે માટે પોતાની સંસ્થાના શૈક્ષણિક સ્ટાફને વારંવાર મિટિંગ યોજી, મોટીવેટ કરીને કેવા કેળવ્યા હશે કે આ ભવ્ય સંસ્થામાં વિદ્યાર્થીઓ, વાલીઓ સૌને પોતીકા પણુ લાગે છે સાથે જ શિસ્ત સાથે શિક્ષણના સમન્વયનો બેજોડ આગ્રહ સહિતની બાબતો આ શ્રેષ્ઠ પરિણામ પાછળના ફેક્ટસ છે તેમાં કોઇ મીનમેખ નથી તેમ અભિપ્રાયો આજના રીઝલ્ટ બાદ જાણવા મળ્યા છે.
બ્રિલિયન્ટ ગૃપ્સ ઓફ સ્કૂલ્સનું ધોરણ ૧૦નું ૮૪.૪૩ ટકા ઓવરઓલ ખૂબજ ઝળહળતુ પરિણામ આવ્યુ છે જેમાં એ-૧ ગ્રેડમા- ૧૩ અને એ-૨ ગ્રેડમાં ૨૯ બાળકો ઝળક્યા હોઇ ગુજરાત કક્ષાની સફળતા ખરેખર અભિનંદનીય છે તો વળી વિજ્ઞાન વિષયમાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ બે સ્ટુડન્ટને અને મેથ્સમાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ એક સ્ટુડન્ટને આવ્યા છે તે પણ વિશેષ સરાહનીય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
અંગ્રેજી માધ્યમનું ૧૦૦ ટકા અને ગુજરાતી માધ્યમનું ૯૯ ટકા પરિણામઃ
જામનગર તા. ૯: ગુજરાતના શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી-માર્ચ ર૦રપ માં ધો. ૧૦ અને ૧ર ની પરીક્ષા યોજવામાં આવી હતી. જેમાં જૈનમ ક્લાસીસે જવલંત સફળતા પ્રાપ્ત કરી છે.
જૈનમ ક્લાસીસના સંચાલક વિમલકુમાર કોફરિયાએ 'નોબત' સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે, છેલ્લા ૩૧ વર્ષથી રામેશ્વરનગરમાં અમારૃં ક્લાસીસ કાર્યરત છે. આ વર્ષે અંગ્રેજી માધ્યમમાં ૧૦૦ ટકા અને ગુજરાતી માધ્યમમાં ૯૯ ટકા પરિણામ પ્રાપ્ત કર્યું છે. વિવિધ વિષયમાં કુલ ૮ વિદ્યાર્થીઓએ ૧૦૦ માંથી ૧૦૦ ગુણ મેળવવામાં સફળતા પ્રાપ્ત કરી છે. આ ઉપરાંત ત્રણ વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે.
વિમલકુમારે વધુમાં જણાવ્યું હતું કે, કોર્સ વહેલો પૂર્ણ કરતા વિદ્યાર્થીઓ પાસે રિવિઝનનો વધારે સમય મળે છે. આ ઉપરાંત ૧૦૦ ગુણની 'આત્મ વિશ્વાસ કસોટી' પણ લેવામાં આવે છે. આ તમામ પરિબળોના કારણે અમારૂ ક્લાસીસ દર વર્ષે આટલું સારું પરિણામ મેળવવામાં સફળ રહે છે.
ધો. ૧ર માં ૯૯.૯૯ પીઆર મેળવનાર જીમ્મી પરમારનું સીએ બનવાનું સ્વપ્ન
ધો. ૧ર કોમર્સની બોર્ડની પરીક્ષામાં જીમ્મી પરમારે ૯૬.પ૭ ટકા અને ૯૯.૯૯ પીઆર સાથે એ-વન ગ્રેડ પ્રાપ્ત કરીને જૈનમ ક્લાસીસ તથા પરમાર પરિવારનું ગૌરવ વધાર્યું છે. જીમ્મીના પિતા કેતનભાઈ પરમાર મજૂરી કામ તથા માતા લતાબેન ઘરકામ કરે છે. ભણવા ઉપરાંત જીમ્મીને ટ્રાવેલીંગ, સંગીત સાંભળવું તથા વાચનમાં રૂચિ ધરાવે છે. જીમ્મી આગળ અભ્યાસ કરીને સીએ બનવા માગે છે.
યશરાજસિંહે પરમારે
૯૯.૦૪ પીઆર મેળવ્યા
યશરાજસિંહ કે. પરમારે ધો. ૧ર કોમર્સની બોર્ડની પરીક્ષામાં ૯૯.૦૪ પીઆર સાથે ૯૧.૧૪ ટકા મેળવ્યા છે. પિતા કિશોરસિંહ ખેતીવાડી સાથે સંકળાયેલા છે તથા દુકાન પણ છે. અભ્યાસ ઉપરાંત ક્રિકેટમાં રૂચિ ધરાવનાર યશરાજસિંહ જીપીએસસીની પરીક્ષા પાસ કરીને સરકારી નોકરી કરવા માગે છે.
મીતની ગવર્મેન્ટ ઓફિસર બનવાની મહેચ્છા
મીત પંડ્યાએ ધો. ૧ર કોમર્સમાં ૯૧ ટકા અને ૯૮.૯૭ પીઆર સાથે એ-વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. પિતા વિજેન્દ્રકુમાર પંડ્યા રેલવે કર્મચારી અને નીલાબેન પંડ્યા ગૃહિણી છે. ક્રિકેટમાં રૂચિ ધરાવનાર મીત ગવર્મેન્ટ ઓફિસર બનવા માગે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
જામનગર તા. ૬: ગુજરાતના શિક્ષણ બોર્ડ દ્વારા વર્ષ ર૦રપ માં બોર્ડની પરીક્ષા યોજવામાં આવી હતી, જેમાં જામનગરના સોમૈયા ક્લાસીસે ધો. ૧ર કોમર્સમાં ૯૯ ટકા પરિણામ પ્રાપ્ત કર્યું છે. ક્લાસીસનું સંચાલન જતિનભાઈ સોમૈયા, નિકુંજભાઈ સોમૈયા તથા હિતેષભાઈ સોમૈયા દ્વારા કરવામાં આવે છે. જતિનભાઈ સોમૈયાએ જણાવ્યું હતું કે, અમારૂ ક્લાસીસ છેલ્લા ર૮ વર્ષથી કાર્યરત છે. ધો. ૧ર કોમર્સમાં એક વિદ્યાર્થીએ એ-વન ગ્રેડ તથા ૪ર વિદ્યાર્થીએ ૮૦ થી વધુ પીઆર પ્રાપ્ત કર્યા છે. ક્લાસીસ તરફથી વિદ્યાર્થીઓને મટીરયલ આપવામાં આવે છે. સ્ટાર વિદ્યાર્થીઓ માટે અલગ બેચની વ્યવસ્થા કરવામાં આવે છે, તેમજ પ્રોજેક્ટ દ્વારા પણ શિક્ષણ આપવામાં આવે છે.
રોહિતનું સીએ બનવાનું સ્વપ્ન
રોહિત નરેશભાઈ ખોખરએ ધો. ૧ર કોમર્સની પરીક્ષામાં ૯૦.૧૩ ટકા અને ૯૮.પ૯ પીઆર સાથે એ-વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. રોહિત આગળ અભ્યાસ કરીને સીએ બનવા માંગે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
જામનગરની શ્રી જ્ઞાનગંગા સ્કૂલના વિદ્યાર્થી જય વિનોદભાઈ કટારિયાએ ધો. ૧ર સામાન્ય પ્રવાહમાં ૯૧.૪૩ ટકા ગુણ સાથે ૯૯.૧પ પી.આર. સાથે એ-વન ગ્રેડ મેળવ્યો છે. જયના પિતા વિનોદભાઈ બિઝનેસમેન છે જ્યારે માતા દક્ષાબેન ગૃહિણી છે. તેણીના બહેન અવની બી.કોમ કરી ચૂક્યા છે. ક્રિકેટનો શોખ ધરાવતા જયે નિયમિત અભ્યાસ કરીને ઉચ્ચ પરિણામ મેળવ્યું હોવાનું જણાવી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવાની મહેચ્છા દર્શાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
બે વિદ્યાર્થિનીઓએ એ-વન ગ્રેડ પ્રાપ્ત કર્યા
સપનાનું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવાનું સપનું
જામનગરના શ્રી જૈન કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિની સપના વેજાભાઈ વસરાએ ધો. ૧૨ની સામાન્ય પ્રવાહમાં ૯૦.૮૬% ગુણ તથા ૯૮.૯૧ ૫ી.આર. સાથે એ-વન ગ્રેડ મેળવી પરિવાર તથા શાળાનું ગૌરવ વધાર્યુ છે. સપનાના પિતા વેજાભાઈ દુકાનદાર છે તથા માતા વીજુબેન ગૃહિણી છે. સ્પોર્ટસમા રૂચિ ધરાવતી સપનાએ ટ્યુશન વગર ઉચ્ચ પરિણામ મેળવ્યું છે જે નોંધપાત્ર છે. સપના ચાટર્ડ એકાઉન્ટન્ટ તરીકે ઝળહળતી કારકિર્દી બનાવવાનો સંકલ્પ ધરાવે છે.
સનોવર ચાટર્ડ એકાઉન્ટન્ટ બનવા માટે પ્રતિબદ્ધ
શ્રી જૈન કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિની મચ્છર સનોવર મકસૂદ અહમદએ ધો. ૧૨ સામાન્ય પ્રવાહમાં ૯૦.૪૩% ગુણ તથા ૯૮.૭૩ ૫ી.આર. સાથે એ-વન ગ્રેડ મેળવી પરિવારનું ગૌરવ વધાર્યુ છે. તેણીએ ટયુશન કલાસ વગર જ ઝળહળતું પરિણામ મેળવી શ્રેષ્ઠ ઉદાહરણ પ્રસ્તુત કર્યુ છે. સનોવરના પિતા મચ્છર મકસૂદ અહમદ સ્ક્ર્ેપના વ્યવસાયી છે જ્યારે માતા ગૃહિણી છે. દરરોજ બે કલાક વાચન દ્વારા ઉચ્ચ સફળતા મેળવી હોવાનું જણાવી ચાટર્ડ એકાઉન્ટન્ટ બનવાની મહેચ્છા અભિવ્યકત કરી છે.
પુષ્ટી ગુસાણીને પણ બનવું છે સી.એ.
જામનગરની શ્રી જૈન કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિની ગુસાણી પુષ્ટીએ ધો. ૧૨ સામાન્ય પ્રવાહમાં ૮૮.૮૫% ગુણ તથા ૯૭.૮૫ ૫ી.આર. સાથે એ-ટુ ગ્ર્ેડ મેળવી પરિવારનું ગૌરવ વધાર્યુ છે. પુષ્ટીના પિતા અતુલભાઈ પી.જી.વી.સી.એલ. માં કાર્યરત છે, જયારે માતા ગીતાબેન દુકાનનું સંચાલન કરે છે. એમ.પી.ટી.સી. ટયુશન કલાસની વિદ્યાર્થિની રહેલ પુષ્ટીએ સતત વાચન વડે ધારી સફળતા મેળવી હોવાનો અનુભવ જણાવ્યો હતો.
પુષ્ટીને ચાટર્ડ એકાઉન્ટન્ટ બનીને ઝળહળતી કારકિર્દી ઘડવાની મહેચ્છા
મુસ્કાનની મહેચ્છા સી.એ. બનવાની
શ્રી જૈન કન્યા વિદ્યાલયની સીંધાણી મુસ્કાને ધો. ૧૨ સામાન્ય પ્રવાહમાં ૮૮.૫૭% ગુણ તથા ૯૭.૬૬ ૫ી.આર. સાથે એ-ટુ ગ્ર્ેડ મેળવી પરિવાર તથા વિદ્યાલયનું ગૌરવ વધાર્યુ છે. મુસ્કાનના પિતા પ્રકાશભાઈ વેપારી છે તથા માતા જયોતિબેન ગૃહિણી છે સોમૈયા કલાસીસની વિદ્યાર્થિની મુસ્કાને પાઠ્યપુસ્તકોને પ્રાધાન્ય આપી નિયમિત ૭-૮ કલાક વાચન વડે બોર્ડમાં સફળતા મેળવી હોવાનું જણાવ્યુ હતું. પેઈન્ટીંગનો શોખ ધરાવતી મુસ્કાન ચાટર્ડ એકાઉન્ટન્ટ બનવાની નેમ ધરાવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ધો. ૧ર સામાન્ય પ્રવાહમાં ૯પ.૧૮ પી.આર. મેળવનાર
જામનગરની શ્રીમતી જે.કે. ઝાલા માધ્યમિક-ઉચ્ચ માધ્યમિક શાળાની વિદ્યાર્થિની દેવાંશી હેમેન્દ્રકુમાર ચૌહાણએ ધો. ૧ર સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ૮પ.પ૭ ટકા ગુણ સાથે ૯પ.૧૮ પી.આર. મેળવી ઉજ્જળ ભવિષ્ય તરફ મક્કમ આગેકૂચ કરી છે. દેવાંશીના પિતા હેમેન્દ્રકુમાર શ્રમિક છે, જ્યારે માતા જયશ્રીબેન ગૃહિણી છે. વાચન-સંગીત અને કૂકીંગનો શોખ ધરાવતી દેવાંશીએ સ્કૂલ તથા ટ્યુશન ક્લાસમાં અભ્યાસ ઉપરાંત પ કલાક ઘરે અભ્યાસથી ધાર્યું પરિણામ મેળવ્યું હોવાનું જણાવ્યું હતું. દેવાંશી હાઈસ્કૂલના આચાર્ય નિલમબા કે. ઝાલા, માર્ગદર્શકો ઈલાબેન, દિપકસર તથા સંચાલક દિવ્યરાજસિંહ ઝાલાનો ઋણ સ્વીકાર કરી ભવિષ્યમાં ન્યાયધીશ બનવા પ્રતિબદ્ધતા દર્શાવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
સામાન્ય પ્રવાહમાં ક્લાસીસના ૮ વિદ્યાર્થીને એવન ગ્રેડ
જામનગરમાં દિનેશ જોષી સર સંચાલિત જોષી ક્લાસીસ બોર્ડમાં ઊંચુ પરિણામ લાવવાની ઝળહળતી પરંપરા ધરાવે છે જે આ વર્ષે પણ ગૌરવપૂર્વક આગળ વધી છે. ધો. ૧૨ સામાન્ય પ્રવાહનું ક્લાસીસનું ૧૦૦% પરિણામ આવ્યુ છે તેમજ ૮ વિદ્યાર્થી એવન ગ્રેડ મેળવવામાં સફળ થયા છે. દિનેશસર આ સિદ્ધિને જામનગરનાં કોચીંગ ક્લાસ જગતમાં આ વર્ષે અદ્વિતીય ગણાવે છે. તેમણે ઝળહળતુ પરિણામ મેળવનાર ક્લાસીસનાં વિદ્યાર્થીઓ સાથે 'નોબત' ની મુલાકાત લીધી હતી ત્યારે વિદ્યાર્થીઓએ પોતાની મહેનત અને ભવિષ્ય તથા સપનાઓ વિશે વાત કરી હતી.
બાબીયા મોનિલનું સપનું છે સી.એ. બનવાનું
ક્લાસીસનાં વિદ્યાર્થી બાબીયા મોનિલે ૯૩.૭૧% ગુણ તથા ૯૯.૭૮ પી.આર. સાથે એવન ગ્રેડ મેળવી પરીવાર તથા ક્લાસીસનું ગૌરવ વધાર્યુ છે. તેનાં પિતા કિશોરભાઇ બિઝનેસમેન છે જ્યારે માતા સંગીતાબેન હાઉસવાઇફ છે.
સ્પોર્ટ્સનો શોખ ધરાવતો મોનિલ નિયમિત મહેનતનું સૂત્ર આપે છે. તેનું સપનું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવાનુ છે.
રાઠોડ ધાર્મીને સી.એ.તરીકે કારકિર્દી ઘડવાની ઇચ્છા
ક્લાસીસની વિદ્યાર્થીની રાઠોડ ધાર્મીએ ૯૩.૨૯% ગુણ તથા ૯૯.૬૯ પી.આર. મેળવી ઉજ્જવળ ભવિષ્ય તરફ આગેકૂચ કરી છે. તેણીનાં પિતા મનિષભાઇ દરજી છે તથા માતા હેતલબેન ગૃહિણી છે. ડાન્સ અને સિંગીંગનો શોખ ધરાવતી ધાર્મી સી.એ. તરીકે કારકિર્દી ઘડવાનું લક્ષ્ય ધરાવે છે.
જયદિપ મંગેને બનવું છે આઇ.પી.એસ.
ક્લાસીસનાં વિદ્યાર્થી જયદિપ મંગેએ ૯૩.૨૯% ગુણ તથા ૯૯.૬૯ પી.આર. સાથે એવન ગ્રેડ મેળવી આઇ.પી.એસ. ઓફિસર બનવાનાં પોતાનાં સપનાને સાકાર કરવાની દિશામાં મજબૂત આગેકૂચ કરી છે એમ કહી શકાય. જયદિપનાં પિતા જેઠાનંદભાઇ ફ્રૂટના વેપારી છે જ્યારે માતા શારદાબેન ગૃહિણી છે. ક્રિકેટનો શોખ ધરાવતો જયદિપ મહતમ વાચન વડે સફળતા પ્રાપ્ત કરી હોવાનું જણાવે છે.
ચૌહાણ પલકને સી.એ. બની ફલક આંબવાની ઇચ્છા
ક્લાસીસની વિદ્યાર્થીની પલક ચૌહાણએ ૯૨.૨૯% ગુણ સાથે ૯૯.૪૩ પી.આર. મેળવી ઉજ્જ્વળ કારકિર્દી તરફ ડગલા ભર્યા છે. તેણીનાં પિતા વિજયભાઇ પૂર્વ સૈનિક છે તથા માતા રિમ્પલબેન ગૃહિણી છે. ડાન્સનો શોખ ધરાવતી પલક સી.એ.બનવા માટે પ્રતિબદ્ધ છે.
ચાંગાણી ક્રિશને
સી.એ. મહેચ્છા
ક્લાસીસનાં વિદ્યાર્થી ચાંગાણી ક્રિશે ૯૧.૫૭% ગુણ સાથે ૯૯.૨૦ પી.આર. મેળવી ઝળહળતુ પરીણામ મેળવ્યું છે. તેનાં પિતા અશ્વિનભાઇ વેપારી છે જ્યારે માતા ક્રિષ્નાબેન ગૃહિણી છે. નિયમિત અભ્યાસથી સફળતા મેળવનાર ક્રિશ ક્રિકેટનો પણ શોખ ધરાવે છે તથા સી.એ. તરીકે કારકિર્દી બનાવવા માટે સંકલ્પબદ્ધ છે.
મકવાણા અજયને સી.એ. બની જિંદગીમાં વિજય મેળવવાની તમન્ના
ક્લાસીસનાં વિદ્યાર્થી મકવાણા અજયએ ૯૧.૪૩% ગુણ સાથે ૯૯.૧૫ પી.આર. મેળવી સી.એ. બનવા માટેની પોતાની પ્રતિભાની ઝલક આપી છે એવુ કહી શકાય.તેનાં પિતા મુકેશભાઇ નોકરી કરે છે તથા માતા નીતાબેન ગૃહિણી છે. ક્રિકેટનાં શોખ ધરાવતા અજયએ નિયમિત ૫ કલાક વાચનથી આ સફળતા પ્રાપ્ત કરી છે.
પણસારા ક્રિશાને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થવાની ધગશ
ક્લાસીસની વિદ્યાર્થીની ક્રિશા પણસારાએ ૯૧.૪૩% ગુણ તથા ૯૯.૧૫ પી.આર. સાથે એવન ગ્રેડ મેળવી ક્લાસીસનું ગૌરવ વધાર્યુ છે. તેણીનાં પિતા ભગવાનજીભાઇ ફોટોગ્રાફર છે તથા માતા શોભનાબેન ગૃહિણી છે. ટ્રાવેલિંગનો શોખ ધરાવતી ક્રિશાએ નિયમિત અભ્યાસથી ઊંચુ પરિણામ મેળવ્યુ છે. તેણીનો ભાઇ બ્રિજેશ પણ કેમિકલ એન્જીનિયરીંગમાં છે. ક્રિશા પણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા માટે પ્રતિબદ્ધ છે.
સોલંકી ચંદ્રદીપને સી.એ. બની ઝળહળવાની ઈચ્છા
ક્લાસીસનાં વિદ્યાર્થી ચંદ્રદિપ સોલંકીએ ૯૧.૨૮% ગુણ સાથે ૯૯.૧૦ પી.આર. મેળવી ઉજ્જવળ ભવિષ્ય તરફ કદમ વધાર્યા છે. તેનાં પિતા મુકેશભાઇ તથા માતા સરલાબેન બંને સફાઇકર્મી છે. ચંદ્રદિપે બોર્ડમાં ઝળહળતુ પરિણામ મેળવી માતા-પિતાનાં સંઘર્ષને સાર્થક કર્યો છે એમ કહી શકાય. ક્રિકેટનો શોખ ધરાવતા ચંદ્રદિપે નિયમિત ૪-૫ કલાકના વાચનથી ધાર્યું પરિણામ મેળવ્યુ છે.ચંદ્રદિપ પણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બની ઝળહળતી કારકિર્દી બનાવવા ઇચ્છે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
જામનગરના જાણીતા ઓર્થોપેડિક સર્જન
જામનગરના જાણીતા ઓર્થોપેડીક સર્જન ડો.કે.એસ.મહેશ્વરીએ મેડિકલ ક્ષેત્રે મિરેકલ કહી શકાય એવુ જટીલ, જોખમી અને દુર્લભ ઓરપેશન કરીને એક એન.આર.આઇ. યુવતીને નવજીવન આપ્યું છે. 'નોબત' ના પત્રકાર આદિત્યએ ડો. કે. એસ. મહેશ્વરી તથા નવજીવન પામેલ દર્દીની મુલાકાત લઇ સમગ્ર સારવાર અંગે માહિતી મેળવી હતી.
જ્યોતિકા નાગજીરાજા વાઝા નામની ૨૪ વર્ષીય યુવતીને જન્મથી જ હિપના સાંધા ન હતા. જેને કારણે ચાલવામાં, બેસવામાં અને સૂવામાં પણ તકલીફ થતી હતી.જ્યોતિકા અને તેનો પરિવાર દિવના ઝોલાવાડી ગામનો વતની છે પરંતુ છેલ્લા એક દાયકાથી તેનો પરીવાર લંડનમાં લેસ્ટરમાં સ્થાયી થયો છે. તેનાં પિતા નાગજીરાજા ત્યાં એક કંપનીમાં કાર્યરત છે અને માતા સોમાયબાઇ શંકર આદર્શ ગૃહિણીની જેમ પરિવાર સંભાળે છે.
જન્મથી જ હિપનાં સાંધા ન હોવાને કારણે તકલીફો સાથે જ્યોતિકા ૧૬ - ૧૭ વર્ષની થઇ ત્યાં સુધી ચાલ્યુ પરંતુ ધીમે ધીમે દુઃખાવો વધતા ઊંઘવુ પણ મુશ્કેલ થઇ ગયું. જે પછી તેઓએ લંડનમાં અનેક તબીબોનો અભિપ્રાય મેળવ્યો પરંતુ કોઇએ સચોટ સારવાર સૂચવી નહી. એક તબીબે ઓપરેશન પછી ૧૫ વર્ષ પથારીવશ રહેવુ પડશે એવો અભિપ્રાય આપતા પરિવાર ભાંગી પડ્યો હતો. આખરે તેઓ સ્નેહીજનો પાસેથી જામનગરનાં ડો.કે.એસ.મહેશ્વરીની ખ્યાતિ સાંભળી જામનગર આવ્યા હતાં.
જામનગરમાં ડો. કે.એસ.મહેશ્વરીને પણ પ્રથમ દૃષ્ટીએ તો એમ જ લાગ્યુ કે આ કેસમાં કોઇ ઓપરેશન થઇ શકે એમ નથી કારણકે સારવાર કરવામાં ફાયદા કરતા નુકસાન થવાની સંભાવનાઓ વધુ હતી. પરંતુ સાત સમંદર પારથી આશા લઇ આવેલ પરિવાર અને યુવતીને નિરાશ કરવા અને ઈમાનદાર પ્રયાસ ન કરવો એ ડો.મહેશ્વરીને તેમનાં તબીબી ધર્મની વિરૂદ્ધ લાગતા તેમણે ઇશ્વર પર શ્રદ્ધા રાખી અને તમામ જોખમનું આંકલન કરી દર્દી તથા તેના પરિવારને તમામ સંભાવનાઓથી માહિતગાર કરી આખરે તેણીનું હિપ રિપ્લેસમેન્ટનું ઓપરેશન કર્યુ જે સફળ થયું.
ડો. મહેશ્વરીએ આ માટે અલગ અલગ કંપનીઓ સાથે વાટાઘાટો કરી કૃત્રિમ સાંધો તૈયાર કરાવી તેનો ઓપરેશનમાં ઉપયોગ કર્યો હતો. એ પણ એક અલગ પડકાર સમાન કાર્ય હતું.
જાન્યુઆરીનાં અંતિમ અઠવાડિયામાં આ ઓપરેશન થયું હતું.ઓપરેશનનાં બીજા જ દિવસથી યુવતી બેસવા લાગી અને ૫-૬ દિવસમાં વોકરની મદદથી ચાલતી પણ થઇ ગઇ હતી. ૧૫ દિવસ હોસ્પિટલમાં દાખલ રહૃાા પછી યુવતી ડિસ્ચાર્જ થઇ ગઇ હતી. અને આખરે ૨ મહિના જેવા સમય પછી જાતે લાકડી વગર પણ ચાલતી થઇ ગઇ છે અને હવે તે પરિવાર સાથે લંડન પરત જવાની તૈયારી કરી રહી છે. જન્મજાત ખોટ અને તકલીફો સાથે પણ કોલેજ સુધીનો અભ્યાસ અને હેર ડ્રેસીંગનો કોર્સ કરેલ જ્યોતિકા હવે કારકિર્દી બનાવવા તરફ પણ ધ્યાન કેન્દ્રીત કરવા સમર્થ બની છે.
ઓપરેશનથી કૃત્રિમ અંગ બેસાડવાને કારણે જ્યોતિકાના બન્ને પગનું કદ એકસરખું ન રહેતા તેણી હાલ અલગ અલગ માપના બૂટ પહેરે છે.સમય જતા ધીમે ધીમે કસરત વડે હાડકાની ગોઠવણ થતી જશે અને બંને પગ સમાન કદના થઇ જશે.
જ્યોતિકાને નવજીવન મળ્યું છે એમ કહી તેનાં પરિવારજનો ભીની આંખે ડો. મહેશ્વરીનો ઋણ સ્વીકાર કરે છે અને ડોક્ટર ભગવાનનું રૂપ છે એ સૂત્રને તેમનાં અનુભવથી સાર્થક ગણાવે છે
આમ જીવનના અમૂલ્ય અઢી દાયકા સુધી તકલીફો અને નિરાશામાં વીતાવનાર જ્યોતિકાને આત્મનિર્ભર બનાવી ડો. મહેશ્વરીએ વધુ એક પ્રેરક ઉદાહરણ પ્રસ્તુત કર્યુ છે જેને પગલે તબીબી જગત તેમનાં પર અભિનંદન વર્ષા કરી રહૃાું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગિર પડો યા નભ છૂલો, અપના મકસદ મત ભૂલો
સપના તો બધા જોતા હોય છે પરંતુ સપના સાકાર એજ કરી શકે છે જે સપનાને સતત નજર સમક્ષ રાખી જીવે. કોઇ કાર્ય ક્યાં હેતુથી આરંભ કર્યું હતું એટલે કે લક્ષ્ય શું હતુ એ યાદ રાખીએ તો ભટકવાની અને નિષ્ફળતાની સંભાવના નહિવત થઇ જાય છે. જામનગરનાં ડો. ઝોહેર ગાંધીએ આ જ સિદ્ધાંતને આત્મસાત કરી એમ.બી.બી.એસ. ના તબીબી અભ્યાસક્રમમાં કુલ ૯ ગોલ્ડ મેડલ મેળવી ગોલ્ડન બોયનું બિરૂદ મેળવ્યુ છે. ડો. ઝોહેર ગાંધીએ પિતા જેનુદીન ગાંધી તથા માતા શકીનાબેન ગાંધી સાથે 'નોબત'ની શુભેચ્છા મુલાકાત લીધી હતી ત્યારે 'નોબત' પરિવારના દર્શકભાઇ માધવાણી તથા પત્રકાર આદિત્યએ તેમની સાથે સંવાદ કર્યો હતો.
ડો. ઝોહેરના પિતા જેનુદિનભાઇ બિઝનેસમેન છે તથા માતા શકીનાબેન પણ બિઝનેસ વુમન છે. અભ્યાસમાં આરંભથી જ પ્રવીણ રહેલ ઝોહેરે ધો. ૧૦ સુધી સત્યસાઇ વિદ્યાલયમાં અભ્યાસ કર્યા પછી વિજ્ઞાન પ્રવાહમાં ધો. ૧૧ અને ૧૨ માં પી.વી. મોદી સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. વિજ્ઞાન પ્રવાહમાં પણ ઉચ્ચ ગુણો મેળવી નગરની સરકારી એમ.પી. શાહ મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવવામાં પણ ઝોહેરને સફળતા મળી હતી.
ડો. ઝોહેર હાલ એમ.પી. શાહ મેડિકલ કોલેજમાં ઇન્ટર્નશીપના અંતિમ તબક્કામાં છે. ડો. ઝોહેરને પેથોલોજી તથા મેડિસીન વિષયમાં સૌથી વધુ ગુણ માટે તથા ઓવર ઓલ માર્કસમાં પ્રથમ ક્રમ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં ૪ ગોલ્ડ મેડલ એનાયત થયા છે. ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંતર્ગત જામનગર ઉપરાંત રાજકોટ, સુરેન્દ્રનગર અને અમરેલીની કુલ ૪ મુખ્ય સરકારી મેડિકલ કોલેજ આવે છે. જે પૈકી ૪ ગોલ્ડ મેડલ મેળવવા એ વિક્રમી સિદ્ધિ કહેવાય તથા એમ.પી. શાહ મેડિકલ કોલેજના ગૌરવમાં પણ વધારો કરનારી ઘટના કહી શકાય. આ ઉપરાંત ડો. ઝોહેરને એમ.પી. શાહ મેડિકલ કોલેજમાં પણ પેથોલોજી, માઇક્રોબાયોલોજી, ઓપ્થલમોલોજી તથા મેડિસીન વિષય અને કુલ સર્વશ્રેષ્ઠ ગુણ બદલ પણ ૫ ગોલ્ડ મેડલ કોલેજ દ્વારા એનાયત થયા છે. એટલે કે એમબીબીએસના સંપૂર્ણ અભ્યાસ દરમ્યાન ડો. ઝોહેરે કુલ ૯ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા છે.
ડો. ઝોહેર ગાંધી પોતાની સફળતા માટે સૌપ્રથમ માતા-પિતાની હૂંફને જવાબદાર ગણાવી એમ.પી. શાહ મેડિકલ કોલેજની તમામ ફેકલ્ટીનો પણ ઋણ સ્વીકાર કરે છે. ડો. ઝોહેર નિયમિત અભ્યાસને મહત્ત્વ આપી સાતત્યપૂર્ણ મહેનતને સફળતાની ગેરેંટી ગણાવે છે. તેઓ જામનગરનાં જ હોય એમ.પી. શાહ મેડિકલ કોલેજમાં જ પ્રવેશ મળ્યો એટલે હોસ્ટેલને બદલે ઘરે જ રહી અભ્યાસ કરવાની તક સાંપડી એ વાતને સૌભાગ્ય ગણાવી ફેમિલી સપોર્ટને અગત્યનો ગણાવી હોસ્ટેલ લાઇફની પણ આગવી લાક્ષણિકતાઓને બિરદાવે છે. ડો. ઝોહેરના પિતાનાં મામા-માસી સહિતનાં કુટુંબીજનો પણ વિદેશમાં ડોક્ટર છે. પરંતુ માતા પિતાનું કોમર્સ બેકગ્રાઉન્ડ હોવા છતાં ઝોહેરે તબીબી ક્ષેત્રે કારકિર્દી બનાવી પ્રેરક ઉદાહરણ પૂરૂ પાડ્યું છે એમ કહી શકાય.
ડો. ઝોહેર આગળ ઉચ્ચ તબીબી અભ્યાસમાં મેડિસીન વિષયમાં આગળ વધવાની ઇચ્છા ધરાવે છે અને એ માટેની નીટ પરીક્ષાની તૈયારીઓ પણ કરી રહૃાા છે.
ડો. ઝોહેર સારા સિંગર પણ છે. કોલેજમાં તેઓ સિંગર તરીકે સારી એવી ખ્યાતિ પામ્યા છે. ત્યારે વાર્તાલાપ દરમ્યાન તેઓ સંગીતને એક પ્રેરણા સમાન ગણાવી તણાવમુક્ત થવા માટે કલાને એક ઉત્તમ માધ્યમ ગણાવે છે.
તબીબી ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ કે જુનિયર ડોક્ટર્સને ડો. ઝોહેર સંદેશ આપે છે કે ' આપણે શું કામ આ રસ્તે આવ્યા એ હંમેશાં યાદ રાખી મહેનત કરવી જોઇએ' અર્થાત ધ્યેયને સતત ધ્યાનમાં રાખી કરેલો પરીશ્રમ ક્યારેય નિષ્ફળ જતો નથી. પરિસ્થિતિઓ અનુકૂળ કે વિપરીત હોય શકે પરંતુ સપનું હંમેશાં પ્રેરણારૂપે માર્ગદર્શન આપતુ હોય છે એ પ્રેરણાને અનુસરો તો મંઝીલ સુધી પહોંચવાનું નિશ્ચિત છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ડાયાલીસીસ વિભાગ તજજ્ઞ તબીબો, શ્રેષ્ઠ સાધનો અને નિષ્ઠાવાન સ્ટાફને કારણે છે 'આદર્શ'
જામનગરની જી.જી. હોસ્પિટલને સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી હોસ્પિટલ માનવામાં આવે છે અહી અગણિત દર્દીઓ નવજીવન પામ્યા છે. અહીનો ડાયાલીસીસ વિભાગ પણ છેલ્લા ૩ દાયકાથી પણ વધુ સમયથી કિડનીનાં દર્દીઓને શ્રેષ્ઠ સારવાર આપી રહૃાો છે. હાલ હોસ્પિટલની નવી બહુમાળી ઇમારતમાં નવમા માળે કાર્યરત હિમોડાયાલીસીસ વિભાગમાં ૨૭ મશીન કાર્યરત છે ઉપરાંત ઇન્સ્ટીટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર (આઇ.કે.ડી.આર.સી) અમદાવાદ દ્વારા વધુ ૫ મશીન ફાળવવામાં આવ્યા છે. આ તકે 'નોબત' નાં પત્રકાર આદિત્ય દ્વારા ડાયાલીસીસ વિભાગની મુલાકાત લઇ મેડીસીન વિભાગનાં વડા ડો. મનિષ મહેતા, ડાયાલીસીસ વિભાગનાં ઇન્ચાર્જ ડો. અજય તન્ના તથા નર્સિંગ ઇન્ચાર્જ ધર્મેન્દ્ર ભટ્ટ સાથે સંવાદ કરી સમગ્ર વિભાગની કામગીરી અંગે જાણકારી મેળવવામાં આવી હતી.
ડો. મનિષ મહેતાએ વર્ષ ૧૯૯૦ માં ૧ મશીનથી આરંભ થયેલ અહીંનાં ડાયાલીસીસ વિભાગને આઇ.કે.ડી.આર.સી દ્વારા વર્ષ ૨૦૧૪ તથા ૨૦૧૯ માં ફાળવાયેલા મશીનો સહિત હાલ કુલ ૨૭ મશીન કાર્યરત હોવાની માહિતી આપી હતી.
ઇન્ચાર્જ ડો. અજર તન્નાએ નવા પાંચ મશીન મંજૂર થઇ ગયા હોવાની માહિતી સાથે ટૂંક સમયમાં જ ૩૨ મશીન કાર્યરત થતા વધુ દર્દીઓ સારવારનો લાભ લઇ શકશે એમ જણાવ્યું હતું.
નર્સિંગ ઇન્ચાર્જ ધર્મેન્દ્રભાઇ ભટ્ટ વર્ષ ૧૯૯૦ થી એટલેકે વિભાગનાં કાર્યરત થયાનાં સમયથી જ અહીં સેવારત હોવાથી બહોળા અનુભવ અને નિષ્ઠાપૂર્વકની ફરજ બજાવી સમગ્ર વિભાગનાં સંચાલનમાં મહત્વની કડી છે.
અહીં ૨૪ કલાક કાર્યરત ડાયાલીસીસ યુનિટમાં મહિને સરેરાશ ૧૮૦૦ ડાયાલીસીસ થાય છે. કમળા અને એઇડ્સ સહિતનાં રોગનાં દર્દીઓના તેમજ વેન્ટિલેટર અને બાયપેપ સહિતનાં સાધનો પર નિર્ભર જોખમી સ્થિતિમાં રહેલા દર્દીઓનાં પણ અહી ડાયાલીસીસ થાય છે.
કિડની ફેઇલ થયાનું પ્રથમ વખત નિદાન થનારા દર્દીઓ માટે સેન્ટ્રલ લાઇન (ડાયાલીસીસ પોર્ટ) છે. જેમાં દર મહિને જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા ઉપરાંત પોરબંદર, જૂનાગઢ અને કચ્છ જિલ્લાનાં સરેરાશ ૪૦-૫૦ દર્દીઓ નવા નોંધાય છે. દર વર્ષે દર્દીઓની સંખ્યામાં સરેરાશ ૧૦% વધારો જોવા મળે છે.
ડો. અજય તન્ના જણાવે છે કે કોવિડ પીરીયડમાં એટલેકે મહામારીનાં સમયમાં પણ અહીં ૯૮ દર્દીનાં ૨૫૮ ડાયાલીસીસ કરવામાં આવ્યા હતાં.
વિભાગમાં ટુ સ્ટેજ આર.ઓ. સિસ્ટમ અંતર્ગત ૦ થી ૫ ટી.ડી.એસ. લેવલનું પાણી ઉપલબ્ધ છે. જે ડાયાલીસીસ સારવારમાં મુખ્ય કહી શકાય. આર.ઓ. નાં વેસ્ટ વોટરનો પણ રિયુઝ કરવામાં આવે છે અને ૩૦ હજાર લીટર પાણી પુનઃઉપયોગમાં લેવામાં આવે છે.
હિમોગ્લોબીન વધારવા માટેનાં મોંઘા ઇન્જેકશનોથી લઇ સારવાર સંલગ્ન જરૂૂરી તમામ દવાઓ પણ અહીંથી જ નિઃશુલ્ક આપવામાં આવે છે.
દરેક દર્દીને જરૂરિયાત મુજબ અઠવાડીયામાં બે કે ત્રણ દિવસ ડાયાલીસીસ કરવા માટે શક્ય હોય ત્યાં સુધી દર્દી અને તેનાં પરીવારની સગવડતા અનુસાર શિડ્યુલ (સારવારનો સમય) નિશ્ચિત કરી આપવામાં આવે છે. ઉપરાંત આયુષમાન કાર્ડ ધરાવતા દર્દીઓને દરેક ડાયાલીસીસ પર ૩૦૦ રૂૂ. ટ્રાન્સપોર્ટેશન ફી પણ ચૂકવવામાં આવે છે.ગાઇડલાઇન અનુસાર દરેક દર્દીનાં નિયત સમયાંતરે નિશ્ચિત પરીક્ષણો પણ કરાવવામાં આવે છે.
દર્દીઓને સ્વજનો જેવી હૂંફ અને ઘર જેવુ વાતાવરણ મળી રહે એ માટે અહીંનાં સ્ટાફનાં નિષ્ઠાપૂર્વકનાં પ્રયાસોને બિરદાવી ડાયાલીસીસ નર્સિંગ ઇન્ચાર્જ ધર્મેન્દ્રભાઇ ભટ્ટ ટેક્નિશીયન રાજેન્દ્ર જોશી તથા અમૃત ઠાકર સહિતનાં સ્ટાફનો નામોલ્લેખ કરી ૬ વ્યક્તિનાં નર્સિંગ સ્ટાફ, ૧૬ ટેક્નિશીયન, ૪ અટેન્ડેન્ટ તથા ૩ આયાબેન સહિતની ટીમ દર્દીઓ માટે ખડેપગે હોવાનું જણાવે છે. વિભાગીય વડા તથા ઇન્ચાર્જ ડોક્ટરનું સતત અને સચોટ માર્ગદર્શન સમગ્ર સારવારને સફળ બનાવે છે.
ડો. મનિષ મહેતા ડાયાલીસીસ વિભાગમાં ૭ વર્ષથી સારવાર લઇ રહેલ તેમનાં એક સ્નેહીજનનો પરિચય કરાવી તેમનાં જેવા અન્ય દર્દીઓનાં અનુભવ વર્ણવી અહીં ૧ વર્ષથી માંડી ૧૫ વર્ષથી પણ વધુ સમયથી નિયમિત સારવાર લેતા દર્દીઓ પણ હોવાની માહિતી આપી હતી.
દરેક દર્દીને અહીં એવા હૂંફભર્યા વાતાવરણમાં સારવાર મળે છે કે તેઓને ઘર જેવું અનુભવાય છે. મોટાભાગનાં દર્દીઓ અહી નિયમિત ડાયાલીસીસ કરાવવાની સાથે જ પોતાનાં વ્યવસાયની પ્રવૃત્તિઓ કરવા સહિતની સામાન્ય જિંદગી જીવે છે.
અહીં લાંબા સમયથી સારવાર લઇ રહેલ એક દર્દીનાં સ્નેહીજન સુનિલભાઇ કોઠારીએ પણ પોતાનાં અનુભવો વર્ણવી વિભાગની કામગીરીને ઉત્તમ ગણાવી હતી.
આઇ.કે.ડી.આર.સી. અમદાવાદનાં એવન ડાયાલીસીસ પ્રોગ્રામ (એડીપી) અંતર્ગત જામનગર જી.જી.હોસ્પિટલનાં ડાયાલીસીસ વિભાગને મશીનથી લઇ ટેક્નિસીયન અને અટેન્ડેન્ટ સહિતનો મેનપાવર પણ સપ્લાય થાય છે.
ડાયાલીસીસ નર્સિંગ ઇન્ચાર્જ ધર્મેન્દ્રભાઇ ભટ્ટ આઇ.કે.ડી.આર.સી, જી.જી.હોસ્પિટલનાં હોદ્દેદારો, વિભાગીય વડાઓ તથા આયુષમાન કાર્ય ઓફિસર સહિતનાં લોકો સાથે સંકલન સાધીને દર્દીને સરળતાથી સારવાર સહિતની તમામ સુવિધા મળી રહે એ માટે કાર્યરત છે.
ડો.મનિષ મહેતા ડાયાલીસીસ યુનિટમાં ૫૦ મશીન કાર્યરત થાય અને વર્તમાન કરતા લગભગ બમણા દર્દીઓ સારવારનો લાભ લઇ શકે એવો ધ્યેય હોવાની તથા બંને આઈસીયુમાં પણ ડાયાલીસીસની સુવિધા ઉભી કરવા સહિતનાં લક્ષ્ય માટે પ્રતિબદ્ધ હોવાની વાત કરી હતી.
સંપૂર્ણ વિડિયો જોવા માટે લિંક પર ક્લિક કરો:
આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
જિંદગીના સંઘર્ષને સફળતાની સોનેરી સિદ્ધિઓમાં પલટાવ્યોઃ રાષ્ટ્રીય ક્ષેત્રે ખિતાબો મેળવી ગુજરાતનું ગૌરવ વધાર્યું
જામનગર તા. ૧૭: જામનગરની એક વિજેતા મહિલાએ જિંદગીના સંઘર્ષ ને સફળતાની સોનેરી ઉપલબ્ધિમાં પલટાવી દીધો છે અને સ્વિમિંગની વિશેષ કળામાં રાષ્ટ્રીય સ્તરે ખિતાબો મેળવી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.
સમુદ્રને નાથી સ્વિમિંગ સ્પર્ધામાં રાષ્ટ્રીય સ્તરે ગોલ્ડ મેડલ્સ મેળવવાની રોમાંચક સફરની શ્રીમતી ઉષા ગૌરાંગભાઈ સારડાની 'નોબત' દૈનિક સાથેની વાતચીત આજની યુવા પેઢી માટે સાચા અર્થમાં પ્રેરણાદાયક બની રહે તેમ છે.
સવારે ચાર વાગે ઉઠી રાત્રે દસ વાગે સૂવાનું, આ અતિ વ્યસ્ત દૈનિક દિનચર્યામાં સ્વિમિંગના પેશનને ઉષા બેને જીવનમાં વણી લીધું છે.હાલમાં, ઘરકામમાં ગૃહિણીની જવાબદારી સહિત તેઓ ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપનીમાં નોકરી કરે છે અને જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્વીમીંગ કોચ તરીકે સેવા આપે છે.
ડાયાબિટીસ અને હ્ય્દયની તકલીફોને કારણે ઉષાબેનના પતિને ડોક્ટર દ્વારા સંપૂર્ણ વ્યાયામના પર્યાય તરીકે સ્વિમિંગ કરવાની સલાહ આપવામાં આવી હતી. પરંતુ, તેમને પાણીનો ડર લાગતો હોવાથી તેમને મદદરૂપ થવા માટે ઉષાબહેને ૨૦૧૩ ના વર્ષમાં ૩૭ વર્ષની ઉંમરે સ્વિમિંગ શીખવાની શરૂઆત કરી હતી. બાદમાં ૨૦૧૯ ના વર્ષમાં તેમના પતિનું અવસાન થતાં આજે પણ તેઓએ તેમના પતિના સ્વપ્નને જીવંત રાખી અને સ્વિમિંગમાં પોતાની કારકિર્દી ચાલુ રાખી છે.
જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્વિમિંગ પૂલમાં જ તેઓએ વર્ષ ૨૦૧૩માં ત્રણ મહિનાનો બેઝિક કોર્સ કરી સ્વિમિંગની સફરની શરૂઆત કરી જે વર્તમાન સમયમાં પોરબંદરના આક્રમક દરિયાના મોજાની લહેરોમાં પાંચ કિલોમીટરની સ્વિમિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ્સ જીતવા સુધી પહોંચી છે.
તેઓ જણાવે છે કે, બેઝિક કોર્સ કરતી હતી ત્યારે જ મેં યુ ટ્યૂબમાં ઓલમ્પિક પ્લેયર્સના વિવિધ વીડિયો જોઈ સ્વિમિંગની જુદી જુદી ટેકનીક શીખવાનું શરૂ કર્યું હતું. સ્વિમિંગની ચાર મુખ્ય ટેકનીક ફ્રી સ્ટાઈલ, બેક સ્ટ્રોક,બ્રેસ્ટ સ્ટ્રોક અને બટરફ્લાય સ્ટાઈલ છે. આ તમામનું કોમ્બો એટલે ઇન્ડીવિઝ્યુઅલ મિડલે.
ઇન્ડીવિઝ્યુઅલ મીડલે અને બટરફ્લાય આ બંને કપરી પદ્ધતિને પોતાની પસંદગી જણાવતા ઉષાબેન ઉમેરે છે કે, મેં ૨૦૧૩ના વર્ષથી આજ સુધી આઠ ખેલ મહાકુંભમાં ભાગ લીધેલો છે જેમાં જિલ્લા સ્તરે અને રાજ્યસ્તરે વિજેતા રહી ચૂકી છું. ૨૦૧૫ ના વર્ષથી મેં રાષ્ટ્રીય સ્તરની સ્વિમિંગ સ્પર્ધામાં ભોપાલ, મૈસુર, મેંગલોર, બેંગ્લોર, અંબાલા જઈને સિલ્વર મેડલ્સ મેળવ્યા છે; જેના કારણે આંતરરાષ્ટ્રીય કક્ષાએ સ્વિમિંગ પ્રતિયોગીતામાં ભાગ લેવા માટે પણ મેં માન્યતા મેળવી લીધી છે. મારા ઘણાં શિષ્યો પણ ૨૦૨૦ના વર્ષથી જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રકક્ષાએ સ્વિમિંગ સ્પર્ધા જીતી ચૂક્યા છે.
૨૦૨૦ના વર્ષથી મેં જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્વિમિંગ પૂલમાં કોચિંગ આપવાનું શરૂ કર્યું છે. ખેલ મહાકુંભમાં ગયા વર્ષે જુદી જુદી વય મર્યાદાના જૂથમાં મારા ૫૦થી વધુ શિષ્યો વિજેતા બન્યા છે. હાલમાં જ મૂળ ભારતીય એવી અમેરિકાના વતની બે દસ વર્ષીય બાળકીઓ મારી પાસે સ્વિમિંગ શીખીને ગઈ છે અને હવે અમેરિકા જઈ સ્વિમિંગ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા મહેનત કરી રહી છે.
સમુદ્રમાં સ્વિમિંગ અને સ્વિમિંગ પૂલ માં સ્વિમિંગના ફર્ક ને જણાવતા ઉષાબેન ઉમેરે છે કે, સ્વિમિંગ પૂલનું પાણી સ્થિર હોય છે જ્યારે દરિયાના મોજામાં ભરતી અથવા ઓટ બંનેમાં એક વખત તો વિરુદ્ધ લહેરોનો સામનો કરવાનો આવે જ છે. વધુમાં, ફૂંકાતા પવનની અસરોને લીધે ખારા પાણીનો પ્રવાહ તમને વધુ પડકાર આપે છે અને પગ ટેકવવા સ્વિમિંગ પૂલની જેમ જમીન પણ મળતી નથી અને પાણીમાં આગળ જોવું મુશ્કેલ બને છે.
યાદગાર અનુભવને વાગોળતા તેઓ કહે છે કે, ૨૦૧૮ના વર્ષમાં જ્યારે મેં પહેલી વાર એક કિલોમીટરની સ્પર્ધા માટે પોરબંદરના દરિયામાં ઝંપલાવ્યું ત્યારે પરિસ્થિતિ શરીરને અનુકૂળ ન જણાતા મારે સ્પર્ધા અડધેથી છોડવી પડી હતી. પરંતુ, મેં જ્યારે આ જ સ્પર્ધામાં પેરાસ્વિમર્સને ભાગ લેતા જોયા કે,જેમને હાથ અથવા પગ ન હોય, દિવ્યાંગ હોય તેમને જોઈને મારી આંખોમાં આંસુ આવી ગયા અને એ જ ક્ષણે મેં નિર્ધાર કર્યો કે હવે હું દરિયો તરીને જીતીને જ જંપીશ .બાદમાં, મેં શિવરાજપુરના દરિયામાં કલાકો સુધી પ્રેક્ટિસ કરી અને સમય જતા પોરબંદરના દરિયાની સ્વિમિંગ સ્પર્ધામાં ૨૦૨૦ નાં વર્ષમાં ફરીથી ભાગ લીધો. ત્યારબાદ એક, બે અને પાંચ કિલોમીટરના તરણમાં સતત પાંચ વખત મેં ગોલ્ડ મેડલ મેળવ્યા છે. હવે ૨૦૨૦ ના વર્ષથી મારી સાથે જુદી જુદી વયના છ વર્ષથી શરૂ કરી સાઈઠ વર્ષની ઉપરના અન્ય શિષ્ય સ્પર્ધકો પણ જોડાય છે. અમે દરિયામાં સ્વિમિંગની પ્રેક્ટિસ પણ કરીએ છીએ.સ્પર્ધા સમયે નેવી અને કોસ્ટ ગાર્ડની સર્ચ અને રેસ્ક્યુ ટીમ વિવિધ બોટ્સ અને કાયાકીંગ દ્વારા સતત મોનિટરિંગ કરી સ્પર્ધકોનું ધ્યાન રાખે છે.
જામનગરમાં સ્વિમિંગ ક્ષેત્રમાં ઉજ્જવળ ભવિષ્યની આશા કરતા તેઓ જણાવે છે કે, એનઆઇએસ (નેતાજી સુભાષચંદ્ર નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ સ્પોર્ટ્સ) ના કોચ જામનગરમાં સ્વિમિંગ શીખવવા ત્યારે જ આવે જ્યારે તેમની પાસે તાલીમ લઈ શકે તેવા રાષ્ટ્રીય સ્તરના બાહોશ સ્પર્ધકો જામનગરમાં હોય; જેને સેન્ટર ઓફ એક્સિલન્સ પ્લેયર તરીકે ઓળખવામાં આવે છે. આવા સીઓઈ પ્લેયર જે રાષ્ટ્રીય સ્તરે રમવાની માન્યતા મેળવી ચૂક્યા હોય તેવા વધુમાં વધુ સ્વિમર્સ જામનગરમાં તૈયાર કરવા હું પ્રયત્નો કરી રહી છું અને એ જ મારું લક્ષ્ય છે.
સ્પોર્ટ્સ ક્વોટા, સ્વિમિંગ, એથલેટીક્સ જેવી રમતોમાં સરકારી નોકરી સહિત અન્ય ક્ષેત્રોમાં કારકિર્દીની જે તકો છે તેનાથી હજુ સ્થાનિક યુવાન યુવતીઓ સંપૂર્ણપણે પરિચિત નથી.સ્પોર્ટ્સમાં ઉત્કૃષ્ટ દેખાવના આધારે શિષ્યવૃત્તિ માટે પણ સરકારની વિશેષ યોજનાઓ છે. ઓલમ્પિકના સુવર્ણ ભવિષ્યને જોઈએ તો સ્વિમિંગ કોચની ભરતી આવનારા સમયમાં કારકિર્દી પસંદગી માટે ખૂબ આકર્ષક વિકલ્પ બની રહેશે.
સ્વિમિંગ એટલે પ્રાણાયામ અને તંદુરસ્તીનો પર્યાય
ઉષાબેન જણાવે છે કે, સ્વિમિંગ એ પ્રાણાયામનો પર્યાય છે. જીમમાં શરીરના વિવિધ અંગોની અલગ અલગ કસરતો કરવામાં જેટલો વધુ સમય લાગે છે મોટાભાગે તે તમામ કસરતોનો કોમ્બો અને એ પણ પ્રાણાયામ સહિત સ્વિમિંગમાં ત્રીસેક મિનિટમાં જ થઈ જાય છે. સ્વિમિંગ એક જ એવી કળા છે, જે પૃથ્વીના ગુરુત્વાકર્ષણના નિયમોથી પર છે. ઘુંટણની તકલીફ વાળાને પણ કસરત માટે સ્વિમિંગ પ્રિસ્ક્રાઈબ કરવામાં આવે છે સ્કીનનું ટેનીંગ એટલે કે સ્વિમિંગ કરવાથી ત્વચા કાળા પડવાની જે પ્રક્રિયા બહુચર્ચિત છે તેના વિશે તેઓ જણાવે છે કે, તડકામાં સ્વિમિંગ કરવામાં આવે ત્યારે સ્કીન ટેનીંગની શક્યતા વધે છે ઉપાય તરીકે પાણી વધારે પીવું, સ્વિમિંગ પહેલા ત્વચા પર એલોવેરા અને કાકડીનો ઉપયોગ કરવો તે બાબતો સરાહનીય છે. ત્રણ-ચાર મહિનાની પ્રેક્ટિસ બાદ શરીર પોતે જ ક્લોરીનને લીધે થતી ત્વચાના ટેનિંગની સેલ્ફ રિકવરી શરૂ કરી દે છે અને બાદમાં ત્વચા કાળી થવાની અસર ઓછી થવા લાગે છે.
સ્વિમિંગ માત્ર શારીરિક જ નહીં પણ માનસિક તંદુરસ્તી માટે પણ એટલું જ અસરકારક છે એકાગ્રતા અને શારીરિક માનસિક સ્ટેમિના વધારવામાં અતિ ઉપયોગી છે. જેના માટે ગાયનું ઘી, સ્પ્રાઉટસ, લીલા શાકભાજી સહિતના પૌષ્ટિક આહાર નું નિયમિત સેવન દૈનિક જીવનમાં આવશ્યક બને છે. અન્ય કોઈ એનર્જી ડ્રિંક લેવા કરતાં લીંબુપાણી, નારિયેળ પાણી જેવા કુદરતી આહારો જ સહાયરૂપ બને છે.
જામનગર મનપા પાસેથી અપેક્ષા
જામનગરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્વિમિંગ પૂલમાં વહેલી સવારે પાંચ થી છ કલાક દરમિયાન સ્વિમિંગ નિષ્ણાત સ્પર્ધકો માટે વિશેષ બેચને પ્રેક્ટિસની મંજૂરી મળે તો, રાજ્ય અને રાષ્ટ્ર સ્તરની વિવિધ સ્પર્ધામાં તેમની મહેનતના હજી વધુ સારા પરિણામો મળી શકે તેમ છે.
:: મુલાકાત-આલેખન :: તોરલ ઝવેરી
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
'મોટાભાઈ'નું કદમ ચૂસ્ત સમયપાલનની અમલવારીઃ ફટાકડા ફોડવા, રૂપિયા ઊડાડવા, પ્રિવેડીંગની પ્રથા બંધઃ અનુકરણીય-પ્રશંસનિય
ભાટિયા તા. ૯ (નિલેશ કાનાણી દ્વારા): હાલાર પંથકના દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના લાંબા બંદર ગામે રહેતા અને સમગ્ર હાલાર-સૌરાષ્ટ્ર પંથકમાં 'મોટાભાઈ'ના નામે જાણીતા થયેલા લોહાણા સમાજના શિરમોર અને વર્ષોથી બારાડી લોહાણા મહાજનના પ્રમુખ તરીકે સેવા આપતા શ્રી દ્વારકાદાસભાઈ કેશુભાઈ રાયચુરાએ તાજેતરમાં પોતાના પૌત્ર મંથન અને પૌત્રી જીસાના લગ્ન પ્રસંગમાં લોહાણા સમાજને નવો રાહ ચિંધ્યો હતો. આઠ જેટલા સુધારાનો પોતાના પરિવારના લગ્ન પ્રસંગમાં ફેરફાર કરી દાખલ બેસાડેલ છે.
તેઓએ દીકરા-દીકરીઓને લગ્ન પ્રસંગમાં પ્રિવેઈડીંગ ફોટા માટે બહાર મોકલવાનું બંધ કરેલ, સગાઈ વખતે તથા જાન આગમન વખતે એકદમ જાન સમયસર આવેલ અને સમયસર ગયેલ. સામૈય સમયે છોકરાઓએ અને બહેનોએ ડાન્સ મર્યાદામાં અને પ્રસંગ માટેના ઉતારાની હદમાં જ કરેલ. સામૈયા વખતે રૂપિયા ઊડાડવાની પ્રથા બંધ કરેલ. ફટાકડા ફોડવાની પ્રથા બંધ કરેલ. જાન આગમન પછી દીકરી-દીકરા બ્યુટી પાર્લર માટે જઈ અમય બાગડતા તે પ્રથા બંધ કરેલ હતી.
સામૈયા પછી વરરાજા માંડવે આવે ત્યારે કન્યા તથા વરરાજાને ઊંચકવાની પ્રથા હતી તે બંધ કરી. અરસ-પરસ ફૂલ-માળા આરોપણ કરેલ. આમ અલગ-અલગ આઠ જેટલા ફેરફારો કરી અને પ્રથમ શરૂઆત લાંબા બંદર લહાણા સમાજમાં અમલ કરાવી અને અન્ય ગામોના લોહાણા સમાજ પણ આ ફેરફારો-સુધારાઓ કરે તેવી શીખ પણ પોતે આપી અને આ ઉમદા અને અનુકરણીય પગલું ભરતા બારાડી પંથકના ભાટિયા, રાવલ, કલ્યાણપુર, લાંબા બંદર, નંદાણા, બાંકોડી, રાણ, દેવળિયા, ભોગાત સહિત તાલુકાના લોહાણા મહાજનોએ આ નવું પગલુ ભરવાની પહેલ કરવા બદલ અને સમાજમાં આનો અમલ કરાવવા પર ભાર મૂકતા જ્ઞાતિના ભીષ્મપિતા સમાન મોટાભાઈની પહેલને વધાવી લઈ અને આગામી દિવસોમાં સમાજને આ આઠેય સુધારાઓનો અનુકૂળતા પ્રમાણે અમલ કરાવવા ભાર મૂકવા ખાતરી આપી છે.
આ રીતે લાંબા બંદરના મહિલા મંડળે મહાજન વાડીમાં એક મિટિંગ યોજી. આ આઠે આઠ સુધારાઓનો અમલ કરવા ખાતરી આપી હતી અને આગામી દિવસોમાં મહિલા મંડળ દ્વારા ભાટિયા, રાવલ, કલ્યાણપુર, નંદાણા સહિત તાલુકાના ગામોના મહિલા મંડળોના પ્રમુખો-મહિલા આગવાનો સાથે મિટિંગો યોજી આ સુધારાઓ કરાવવા પર ભાર મૂકવામાં આવશે.
આ આઠેય સુધારાઓનો લગ્ન પ્રસંગ-સગાઈમાં દીકરા-દીકરીઓના માતા-પિતા અમલ કરવાનું નક્કી કરી લે તો સમય અને ખર્ચ બન્નેનો બચાવ થાશે અને આવનાર સગા-સંબંધીઓ-સ્નેહીઓને પણ આનાથી ઘણી રાહત મળશે અને પ્રસંગનો આનંદ માણી શકશે.
આવા સમાજ ઉપયોગી અનુકરણીય પગલા ભરવાની પહેલ સમાજના મોભીથી શરૂઆત થાય એટલે સમાજના અન્ય લોકો આ માર્ગ સરળતાથી આગળ વધી સમાજ-સુધારકમાં સહભાગી થવામાં કોઈ જાતનો સંકોચ નહીં રહે.
મોટાભાઈ સાથેની વાતમાં તેઓએ એમ પણ જણાવ્યું છે કે આ સુધારાઓ માત્ર બારાડી પંથકના લોહાણા સમાજ પૂરતા જ સીમિત ન રહે અને ગામે-ગામના લોહાણા મહાજનો-સમાજે અમલ કરવા માટે આગળ આવવા અને સમાજને નવો રાહ ચિંધી આ યજ્ઞમાં સહયોગ આપવા અપીલ કરાઈ છે.
પ્રથમ અમલ લાંબા બંદર લોહાણા મહાજન અને લાંબા બંદર મહિલા મંડળ ગ્રુપ દ્વારા શરૂ કરાતા તે ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
દેશ હો ક્ષયમુકત યહ સંકલ્પ હૈ, અબ લડાઈ રહ ગઇ બસ અલ્પ હૈ
'ટીબી' તરીકે ઓળખાતો ક્ષય રોગ વર્ષો પહેલા સૌથી ગંભીર રોગ ગણાતો હતો એ પછી સરકારનાં પ્રયાસોને કારણે ક્ષયરોગને કાબૂમાં લેવામાં નોંધપાત્ર સફળતા મળી છે પરંતુ એ પણ હકીકત છે કે વિશ્વભરમાં ક્ષય રોગનાં સૌથી વધુ દર્દી ભારતમાં છે અને દેશમાં દર દોઢ મિનિટે ક્ષય રોગનાં એક દર્દીનું મૃત્યુ થાય છે! આ આંકડા ક્ષય રોગને કોરોના કરતા પણ વધુ ઘાતક સાબિત કરનારા છે. સ્લો પોઇઝન અર્થાત ધીમા ઝેર જેવા ક્ષય રોગનું ઘણી વખત નિદાન જ મોડું થાય છે જેને પગલે સારવાર મોડી શરૂ થતા દર્દીની રોગમુક્ત અને સ્વસ્થ થવાની સંભાવનાઓ ઘટી જાય છે.ભારત સરકાર દ્વારા ક્ષયમુકત ભારતનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જામનગર સિટી ટીબી ઓફિસર ડો. પલક ગણાત્રા સાથે આ અંગે 'નોબત'ના પત્રકાર આદિત્યએ સંવાદ કરી શહેરમાં ટીબીનાં નિદાન તથા સારવારની સવલતો, દર્દીઓની સંખ્યા, સરકારી સહાય વગેરે અંગે માહિતી મેળવી હતી.
ટીબી નાબૂદ કરવા કેન્દ્ર સરકાર કાર્યરત છે માટે કોઇપણ દર્દીને ટીબીનું નિદાન થાય એટલે સ્થાનિક આરોગ્ય વિભાગને સૂચના આપવી ફરજીયાત છે. ખાનગી પ્રેક્ટીસ કરતા ડોક્ટરો પણ ટીબીનાં દર્દીની વિગત તંત્ર ને આપે છે. એટલે સરકાર પાસે દર્દીઓની સંખ્યાનો સચોટ આંકડો રહે છે.
ટીબી બે પ્રકારનાં છે એક છે પલ્મનરી કે જે ફેફસાનો રોગ છે. જેમાં સતત કફ રહેવો વગેરે જેવા લક્ષણો જોવા મળે છે જ્યારે અન્ય ટીબી પણ થાય છે. ડો. પલક જણાવે છે કે નખ અને વાળ સિવાય શરીરનાં કોઇપણ અંગમાં ટીબી થઇ શકે છે. ફેફ્સાનું ટીબી સૌથી કોમન છે. આ ઉપરાંત સ્પાઈનનાં પણ ટીબી જોવા મળે છે.
ટીબીનું જેટલું વહેલુ નિદાન થાય એટલું હિતાવહ છે. રોગનાં આરંભિક સમયમાં જ સારવાર ચાલુ કરી દેવાથી રોગમુક્ત થવાની સંભાવનાઓ ઉજળી બને છે.
ધૂમ્રપાન કરનારા શરાબનું સેવન કરનારા તથા લોટની ચક્કીમાં કામ કરતા તેમજ કારખાનાઓમાં ધુમાડાઓમાં કામ કરતા લોકોને ટીબી થવાનુ જોખમ વધુ રહે છે. ૨ અઠવાડીયા એટલે કે ૧૫ દિવસથી વધુ ઉધરસ રહે કફ સતત રહ્યા કરે અને ઝીણો ઝીણો તાવ આવે, રાતનાં પરસેવો વળે વગેરે લક્ષણો જણાય તો તરત ટીબીનાં રોગનું નિદાન કરાવવું જોઈએ.
જામનગરમાં સરકારી જી. જી. હોસ્પિટલમાં તથા રામેશ્વરનગર પાસે આવેલ ટીબી સેન્ટરમાં તો ટીબીનું નિદાન થાય જ છે પરંતુ શહેરનાં વિવિધ વિસ્તારોમાં આવેલ ૧૨ આરોગ્ય કેન્દ્રમાં પણ હવે ટીબીનાં નિદાન માટેનાં પરીક્ષણ કરવાની સુવિધા ઉપલબ્ધ છે.
વાર્તાલાપ દરમ્યાન ડો. પલક જણાવે છે કે ૨૦૨૫ માં ટીબી મુક્ત ભારતનું સરકારનું લક્ષ્ય છે. જોકે કોરોનાકાળમાં કોરોના પણ શ્વાસને લગતી બીમારી હોય ટીબી જેવા જ લક્ષણોને કારણે ટીબીનાં દર્દીઓનાં નિદાનમાં ઘટાડો જોવા મળ્યો હતો જેને પગલે આ અભિયાન થોડુ પ્રભાવિત થયું છે પરંતુ સરકાર લક્ષ્ય પ્રાપ્તિનાં તમામ પ્રયાસો કરવા તત્પર છે.
જામનગરની વાત કરીએ તો શહેરમાં દર વર્ષે ટીબીનાં સરેરાશ ૧ હજાર નવા દર્દીઓ જોવા મળે છે. હાલ શહેરમાં ૫૦૦ થી વધુ દર્દીઓની સારવાર ચાલુ છે.
બેડી આરોગ્ય કેન્દ્રમાં કાર્યરત ટીબી કેન્દ્રમાં સેવારત સિનિયર ટ્રીટમેન્ટ સુપરવાઇઝર હાર્દિક પુરોહિત ટીબીનાં નિદાન માટે ઉપયોગમાં લેવાતા મશીન અંગે માહિતી આપી તેનું નિદર્શન કરે છે.
ટીબીનાં દર્દીને
સરકારી માસિક સહાય
ટીબીનાં દર્દીને સરકાર તરફથી માસિક ૫૦૦ રૂ. સહાય પણ આપવામાં આવે છે જે તેનાં બેંક ખાતામાં જમા થાય છે. ઉલ્લેખનીય છે કે નવેમ્બર ૨૦૨૪ થી જ આ સહાયની રકમ બમણી કરવામાં આવી છે. હવેથી દર્દીઓને રૂ. ૧૦૦૦ માસિક સહાય ચૂકવાશે.
દર્દીનાં સ્વજનો તથા પરિચિતોએ સાવધાની રાખવી
ડો. પલક જણાવે છે કે ટીબી એ ચેપી રોગ છે કોઇ ટીબીગ્રસ્ત વ્યક્તિનાં સંપર્કમાં આવ્યા પછી વ્યક્તિને ચેપ લાગી શકે છે પરંતુ જો તેની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તો તેનો રોગ લાગુ થઇ શકે છે. ટીબીનાં બેક્ટેરિયા વર્ષો સુધી શરીરમાં સુષુપ્ત અવસ્થામાં રહે છે એટલે જ્યારે કોઇ ચેપ લાગેલ લાગેલ વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ નબળી પડે ત્યારે એ રોગ પ્રભાવી થાય છે એવુ પણ બને છે માટે ટીબીનાં દર્દીનાં નજીકનાં વ્યક્તિઓએ ખાસ સાવધાની રાખવાની જરૂર છે.તંત્ર દ્વારા પણ આ માટે દર્દીનાં સ્વજનોને ટીબી પ્રતિરોધક દવાઓનાં વિતરણ સહિતની કામગીરી હાથ ધરવામાં આવે છે.
સારવાર અધૂરી ન છોડવી
ડો. પલક જણાવે છે કે ટીબીની સારવાર એ લાંબી સારવાર છે. દર્દીએ નિદાન થયા પછી સરેરાશ ૬-૭ મહિના દવાઓ લેવી પડે છે. ઘણી વખત એવુ થાય છે કે દવા લેવાનું આરંભ કર્યા પછી ૨-૩ મહિનામાં દર્દીને સારૂ થવા લાગતા દર્દી જાતે દવા બંધ કરી દે છે પરીણામે થોડા મહિનાઓ પછી રોગ ફરીથી ઉથલો મારે છે. અને ઉથલો માર્યા પછી તેની સારવાર સરેરાશ બે વર્ષ જેટલી લાંબી ચાલી શકે છે. માટે ડો. પલક ટીબીનાં દર્દીઓને ડોક્ટરનાં જણાવ્યાનુસાર દવાનો કોર્સ પૂર્ણ કરવા ખાસ તાકીદ કરે છે.
નિક્ષય મિત્ર અભિયાન
સરકારનાં ક્ષયમુકત ભારત અભિયાનને સફળ બનાવવા જનભાગીદારી પણ જરૂરી છે એ માટે સરકારે 'નિક્ષય મિત્ર' અભિયાન પણ આરંબ કર્યુ છે. જેમાં ડોનેશનથી લઇ કાઉન્સેલીંગ સહિતની બાબતોમાં આરોગ્ય વિભાગની મદદ કરી શકાય છે.
ઉદાહરણ તરીકે વાત કરીએ તો જામનગરમાં નયારા એનર્જી તરફથી ટીબીનાં દર્દીઓને જરૂરી પોષણયુક્ત ખાદ્યસામગ્રીની કિટ આપવામાં આવી રહી છે. શહેરમાં લગભગ ૬૦૦ દર્દીઓને આ કિટ ફાળવાઇ રહી છે.
આ ઉપરાંત મલ્ટીનેશનલ કંપનીઓ તેમનાં સી.એસ.આર. ફંડનો ઉપયોગ કરીને ટીબીનાં નિદાન સંબંધિત કિંમતી મશીનો પણ ડોનેટ કરી શકે છે.
વિવિધ એનજીઓ કે સમાજસેવી સંસ્થાનાં સ્વયંસેવકો ટીબીનાં દર્દીઓનાં કાઉન્સેલીંગ કરવામાં ઉપયોગી થઇ કોઇ દર્દી અધવચ્ચેથી દવા બંધ ન કરી દે એ માટેની તકેદારી રાખવામાં મદદરૂપ થઇ શકે છે.
આદિત્ય
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ઉર્જામય લગાતાર હૂં મૈં, ગુરુઓ કા સરદાર હૂં મૈં
ચાણક્યનું પ્રસિદ્ધ વિધાન છે કે 'શિક્ષક કભી સામાન્ય નહી હોતા, પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે હૈ'
શિક્ષક દિને આપણે આ વિધાનનો અચૂક ઉપયોગ કરીએ છીએ પરંતુ અસાધારણ લોકો એટલે કે શિક્ષકોને પણ જ્યારે કોઇ પ્રશ્ન ઉદ્ભવે ત્યારે તેને ઉકેલવાની જવાબદારી જે વ્યક્તિ પર હોય એ પણ અસાધારણ જ હોવો જોઇએ. જામનગરનાં બેડનાં વતની દિગ્વિજયસિંહ જાડેજાએ સતત ચોથી વખત ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘનાં પ્રમુખ પદે ચૂંટાઇને વિક્રમ રચી અસાધારણ લોકોનાં સરદાર હોવાનું બિરૂદ મેળવ્યું છે. દિગ્વિજય સિંહે 'નોબત' ની શુભેચ્છા મુલાકાત લઇ 'નોબત' પરિવારનાં દર્શકભાઇ માધવાણી તથા પત્રકાર આદિત્ય સાથે સંવાદ કર્યો હતો. આ તકે તેમનાં મિત્ર નવીનભાઇ હિંડોચા પણ ઉપસ્થિત રહ્યા હતાં.
દિગ્વિજયસિંહ ૨૦૧૫ માં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘનાં પ્રમુખ થયા પછી ૨૦૧૮,૨૦૨૦ અને ૨૦૨૪ માં ફરી પ્રમુખ પદે ચૂંટાઇ સતત ચોથી વખત પ્રમુખપદે ચૂંટવાનો વિક્રમ સર્જી ચૂક્યા છે જે આ સંગઠનનાં લગભગ પોણા બે લાખ શિક્ષકોનાં તેમનાં પરનાં વિશ્વાસને અભિવ્યક્ત કરે છે.
દિગ્વિજયસિંહ ૧૭૭ દેશ સંલગ્ન અને ૩૫ લાખ શિક્ષકોની સંસ્થા અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષણ સંઘનાં કાર્યકારી અધ્યક્ષ પણ છે.આ ઉપરાંત જામનગર જિલ્લા કર્મચારી મંડળનાં પ્રમુખ, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ પણ છે. એટલે કે તેઓ શિક્ષણ જગતમાં અને જાહેર જીવનમાં અનેક મોરચે અગ્રણી બની તેમનાં નામ 'દિગ્વિજય' ને સાર્થક કરે છે એમ કહી શકાય.
શિક્ષકોનાં પ્રશ્નોનાં નિરાકરણ માટે તેઓ સતત પ્રયત્નશીલ રહેવાનું જણાવી તેમનાં કાર્યકાળ દરમ્યાન થયેલ ૧૫ મુદ્દાનાં આંદોલન પૈકી ૧૪ મુદ્દા સરકારે સ્વીકારી લીધા હોવાનું જણાવી આગામી દિવસોમાં બાકી રહેતા ઓલ્ડ પેન્શન સ્કીમ અંગે પણ લડત અવિરત ચાલુ રાખવાનો નિર્ધાર વ્યક્ત કરે છે.
શિક્ષકોની સળંગ સર્વિસ, કચ્છ કાટમાળ એસીબીમાં ફરિયાદ મુક્તિ, એચ.ટાટ શિક્ષકોની બદલીનાં નિયમો બહાર પાડવામાં આવ્યા વગેરે સુધારાઓ દિગ્વિજયસિંહની આગેવાનીમાં સંગઠનનો સંઘર્ષ સફળ થયાનાં પુરાવારૂપ છે.
પ્રવાસી શિક્ષકો, કરાર આધારીત જ્ઞાન સહાયક શિક્ષકોનાં મોડેલને કારણે છેવાડાનાં ગામડાઓમાં સ્કૂલો શિક્ષકો વગરની હોવાનું જણાવી તેઓ શિક્ષકોની કાયમી ભરતીની હિમાયત કરવાની વાત કરી વર્ષ ૨૦૦૫ પહેલા - પછીનાં ભરતી થયેલ શિક્ષકોને જૂની પેન્શન યોજના (ઓ.પી.એસ.)નો લાભ અપાવવા સંગઠન સતત ક્રિયાશીલ હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત સમયાંતરે બદલીનાં કેમ્પ વડે પણ શિક્ષકોને સહાયક થવા સંગઠન કાર્યરત હોવાનું તેઓ જણાવે છે.
વાતચીત દરમ્યાન તેઓ ગાંધીનગરમાં ૫૦૦ વિદ્યાર્થી અને ૨૦૦ શિક્ષકનાં ઉતારાની વ્યવસ્થા ધરાવતા પ્રાથમિક શિક્ષક સંઘનાં ભવ્ય ભવનને એશિયાનું અગ્રણી અને આદર્શ ભવન પૈકીનું એક ગણાવી એ માટે શિક્ષકોએ ફાળવેલા ફંડ અને સંગઠનનાં નિર્માણલક્ષી પરીશ્રમને પ્રશંસાપાત્ર ગણાવે છે. ઉપરાંત ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા કારગીલ યુદ્ધ વખતે ૩૬ કરોડ, બનાસકાંઠા અતિવૃષ્ટિ આફત વખતે ૩૫ કરોડ તથા કોરોનાકાળ વખતે ૪૩ કરોડનાં ફંડનાં એકત્રીકરણ અને સહાયને સીમાચિહ્નરૂપ અને પ્રેરક ગણાવી સમાજમાં શિક્ષકોનાં યોગદાનને અદ્રિતીય ગણાવે છે.
દિગ્વિજયસિંહ સંગઠન શિક્ષકોનાં હક માટે લડે છે તો શિક્ષકોની ફરજપાલન માટે પણ પ્રતિબદ્ધ હોવાનું જણાવી શિક્ષકોને તમામ વિષમતાઓ વચ્ચે પણ સંપૂર્ણ નિષ્ઠાપૂર્વક શૈક્ષણિક કાર્ય કરવા અનુરોધ કરી તેમનાં પ્રશ્નો માટે સતત લડતા રહેવાનો વાયદો કરી વાર્તાલાપને વિરામ આપે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
રીવા રાચ્છ લીડ રોલમાં ચમકતા નગર માટે નવા સિને અધ્યાયનો આરંભ
'રણઝણ રણઝણ વાગે તારી ઝાંઝરીયું રણઝણ વાગે' આ ગીત તો તમે સાંભળી જ લીધું હશે. નવરાત્રિ પહેલા જ આ વર્ષનાં ગરબા એન્થમનો તાજ મેળવી ચૂકેલ આ લોકપ્રિય ગીત આ શુક્રવારે ૧૯ જુલાઇએ રિલીઝ થઇ રહેલ ગુજરાતી ફિલ્મ 'રામ ભરોસે' નું છે. ફિલ્મને લઇને યુવા વર્ગમાં થનગનાટ છે ત્યારે ફિલ્મમાં મુખ્ય ભૂમિકાઓ ભજવનાર ધૈર્ય ઠક્કર, રીવા રાચ્છ અને નિલેશ પરમારે 'નોબત' ની મુલાકાત લઇ 'નોબત' પરિવારનાં દર્પણભાઇ માધવાણી તથા પત્રકાર આદિત્ય સાથે ફિલ્મ મેકીંગથી લઇ રિલીઝ પૂર્વેની ઉત્કંઠા સુધીનો વાર્તાલાપ કર્યો હતો. આ તકે નગરનાં જાણીતા કલાકાર અને વરિષ્ઠ રંગકર્મી લલિતભાઇ જોશી તથા ફિલ્મનાં પ્રોડક્શન ટીમનાં હિતેશ ચાવડા પણ ઉપસ્થિત રહ્યા હતાં.
'રામ ભરોસે' ફિલ્મ મુંબાદેવી વિઝનનાં બેનર અંતર્ગત બનેલ ફિલ્મ છે. જેનું દિગ્દર્શન વિશાલ વડાવાલાએ કર્યુ છે. વિશાલ વડાવાલા આ પૂર્વે ફિલ્મ, રઘુ સી.એન.જી.,સૈયર મોરી રે તથા સમંદર જેવી ફિલ્મો આપી ચૂક્યા છે. સૈયર મોરી રે અને સમંદર ને કારણે તેમણે અર્બન ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અગ્રણી દિગ્દર્શક તરીકે પ્રતિષ્ઠા મેળવી છે. સમંદર નાં જ ત્રણ કલાકાર 'રામ ભરોસે' માં મુખ્ય ભૂમિકાઓમાં છે.
આ અંગે જણાવતા ધૈર્ય ઠક્કર જણાવે છે કે વિશાલ વડાવાલા સાથે સૌપ્રથમ 'રામ ભરોસે' ફિલ્મ જ આરંભ કરી હતી. જેનું શૂટીંગ સમંદર પહેલા થયું પરંતુ સમંદર પહેલા રિલીઝ થઇ ગઇ.
સમંદરની સફળતાને કારણે તેનાં યુવા કલાકારોની તાજી લોકપ્રિયતાનો લાભ પણ 'રામ ભરોસે' માટે પ્લસ પોઇન્ટ સાબિત થશે.
ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી તરીકે લીડ રોલ કરનાર જામનગરની રીવા રાચ્છે સમગ્ર ફિલ્મનાં શૂટીંગ વિશે રસપ્રદ વાતો કહી હતી.ફિલ્મ ગીરનાં લુંશાળા, ડાંડેરી વગેરે ગામડાઓમાં શૂટ થઇ છે. ત્યાંની જીવનશૈલી ફિલ્મમાં સચોટ રીતે દર્શાવાઇ છે. જે માટે કલાકારોએ ત્યાં વર્કશોપથી લઇ સ્થાનિક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. લગભગ એક મહિનાનાં શૂટીંગ પછી ફિલ્મ તૈયાર થઇ છે.
નવયુવાન હૈયાઓની પ્રેમકહાનીનો વિષય બોલ્ડ હોવા છતાં ફિલ્મ પારિવારીક મનોરંજન છે એવી પ્રસ્તુતિ કરવામાં દિગ્દર્શક સફળ થયા છે.
ફિલ્મમાં મુખ્ય અભિનેતાનાં જીગરજાન મિત્રનું પાત્ર ભજવનાર નિલેશ પરમાર રીયલ લોકેશન પર શૂટીંગ ફિલ્મને જીવંત બનાવે છે એવું જણાવી દિગ્દર્શક વિશાલ વડાવાલા સાથેનાં કામ કરવાનાં અનુભવને પણ પ્રેરક ગણાવે છે.
'રામ ભરોસે' ફિલ્મમાં ગાંડી ગીરનાં ગામડામાં પાંગરેલાં પ્રેમની વાર્તા છે અને આપણું જીવન પણ એક વાર્તા છે જે ખરેખર જોઈએ તો 'રામ ભરોસે' જ ચાલે છે એમ કહી શકાય. ત્યારે વાર્તાલાપ દરમ્યાન આ ફિલ્મનાં કલાકારોનાં કલા જીવનનાં આરંભની વાત પણ રસપ્રદ રહી.
ધૈર્ય ઠકકર અમદાવાદનાં વતની છે. અભિનયનાં શોખને કારણે કોરોનાકાળમાં તેઓ અભિનવ બેન્કરની વર્કશોપમાં અભિનયનાં ગુણ શીખ્યા. એ પછી અનુપમ ખેરની સંસ્થામાંથી પણ તાલીમ મેળવી અને ઓડીશન આપતા આપતા આગળ વધ્યા. સૌપ્રથમ ગુજરાતી વેબસિરીઝ 'ટ્યૂશન' માં તેઓ ચમક્યા હતાં. જે ઓટીટી પ્લેટફોર્મ ઓહો ગુજરાતી પર ખૂબ જ લોકપ્રિય થઇ હતી. ત્યાર પછી ક્રમશઃ આગળ વધતા વધતા 'સમંદર' પાર કરી 'રામ ભરોસે' ગીરનાં જંગલ સુધી પહોંચ્યા છે.
રીવા રાચ્છ નગરનાં ગૌરવરૂપ રંગકર્મી તથા થિએટર પીપલનાં સ્થાપક ગૌરવ પુરસ્કાર વિજેતા વિરલભાઇ રાચ્છની પુત્રી હોય અભિનયકલા વારસામાં મળી છે એમ કહી શકાય. પરંતુ રંગભૂમિથી સિલ્વર સ્ક્રીન સુધીની સફર ઘણી ચેલેન્જીંગ હોવાનું રીવાએ જણાવ્યું હતું. કચ્છ એક્સપ્રેસ, સમંદર વગેરે ફિલ્મોમાં સાઈડ રોલ કર્યા પછી રીવા પહેલી વખત 'રામ ભરોસે' ફિલ્મમાં લીડ રોલ ભજવવાનો આનંદ વ્યક્ત કરવાની સાથે જ રિલિઝને લઇ ઉત્કંઠા અભિવ્યક્ત કરી જામનગર પાસે હકથી ફિલ્મને હિટ કરાવવાનો વાયદો પણ માંગે છે.
અમદાવાદનાં જ નિલેશ પરમારની અભિનય વાર્તા પણ એચ. કે. આર્ટસ કોલેજમાં તેમનાં અભ્યાસકાળથી આરંભ થાય છે.વિવિધ પ્રોજેક્ટ્સમાં ઓડીશન આપીને સિલેક્શન પામીને તેઓ તબક્કાવાર આગળ વધ્યા છે. અત્યાર સુધીમાં તેઓ નાના મોટા કુલ ૨૨ પ્રોજેક્ટ કરી ચૂક્યા છે. સમંદર પછી આ તેમની બીજી ફિલ્મ છે.તેમની આગામી ફિલ્મ પણ સાસણ ગીરની પૃષ્ઠભૂમિમાં જ રચાયેલ છે.
રીવા પોતાનાં આગામી પ્રોજેક્ટ વિશે જણાવતા હિતેનકુમાર અને કાજલ ઓઝા વૈદ્ય સાથેની 'સ્વીટ સિક્સ્ટી' નો નામોલ્લેખ કરે છે.
ધૈર્ય ઠક્કર તેમનાં ભવિષ્યનાં આયોજનોને દર્શકો માટે સરપ્રાઇઝ રૂપે પ્રસ્તુત કરવાનું જણાવી 'રામ ભરોસે' આગળ વધવાની નીતિ દર્શાવી દર્શકોને આ ફિલ્મને અચૂક આશીર્વાદ આપવા અનુરોધ કર્યો હતો.
'રામ ભરોસે' ની ટીમ એટલે મહારથીઓનો મેળો
'રામ ભરોસે' ફિલ્મનાં દિગ્દર્શક વિશાલ વડાવાલા હવે ખુદ એક બ્રાન્ડ બની ચૂક્યા છે ત્યારે ફિલ્મનાં અન્ય પાસાઓ ઉપર પણ નજર કરીએ તો એ ફિલ્મને વધુ સશક્ત બનાવે છે. નિર્માતા તરીકે કેતન રાવલ, મનિષ જૈન, અજીત જોશી,માલતીબેન દવે,મનિષ પટેલ (સતાણી), તેજલ રાવલ છે. કલાકારોમાં ધૈર્ય ઠક્કર, રીવા રાચ્છ, નિલેશ પરમાર ઉપરાંત જગજીતસિંહ વાઢેર, મોરલી પટેલ, એકતા ડાંગર, મૌલિક નાયક, ગૌરાંગ આનંદ, અભિજ્ઞા મહેતા, મયુર ચૌહાણ, અકા માઇકલ વગેરે છે.
સ્ક્રીન પ્લે રાઇટર કશ્યપ વ્યાસ છે. જ્યારે વાર્તા અને સંવાદ ખુદ વિશાલ વડાવાલાનાં છે. ગીતકાર તરીકે ભાર્ગવ પુરોહિતે ફરી સુંદર કામ કર્યુ છે અને સંગીતમાં કેદાર-ભાર્ગવની જોડી એ ફરી કમાલ કરી છે.
ક્રિએટિવ પ્રોડ્યુસર તરીકે પ્રવિણકુમાર ખીંચી તથા એસોસિએટ ડાયરેક્ટર તરીકે અનુજ ટાંકે સારૂ કામ કર્યું છે. મિહીર ફિચડીયાની બારીક સિનેમેટોગ્રાફીએ ગીરને ગરિમાપૂર્વક પ્રસ્તુત કર્યુ છે એમ કહી શકાય.
ઝાંઝરીયું રીલ કોન્ટેસ્ટને લઈ યુવાઓમાં થનગનાટ
ફિલ્મના લોકપ્રિય ગરબા સોંગ 'ઝાંઝરીયું' પર રીલ કોન્ટેસ્ટ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં ગીતનાં હૂકસ્ટેપ પર વિડીયો રિલ બનાવી મુંબાદેવી વિઝનને ટેગ કરવાનું રહેશે. બેસ્ટ ૨૦ રીલનાં વિજેતાઓને ફિલ્મનાં કલાકારો સાથે ફિલ્મ નિહાળવાનો મોકો મળશે. અમદાવાદ બહાર અન્ય શહેરોમાં વસવાટ કરતા વિજેતાઓ માટે અમદાવાદ આવવા-જવાનો ખર્ચ તથા રોકાણ વગેરેનો ખર્ચ ફિલ્મની ટીમ દ્વારા જ ભોગવવામાં આવશે. તો રાહ શેની જુઓ છો? બનાવો રીલ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
સહી દિશા મેં દૌડના સિખાતે હૈ, ઝમીં સે આંસમા છૂના સીખાતે હૈ...:
જામનગરની ક્રિષ્ના સ્કૂલનું ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહનું તથા સામાન્ય પ્રવાહનું ઉત્કૃષ્ટ પરિણામ આવ્યું છે. ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૩ વિદ્યાર્થીએ એવન ગ્રેડ તથા ૪ વિદ્યાર્થીએ ૯૯ પ્લસ પી.આર.મેળવ્યા છે. તેમજ ૧૬ વિદ્યાર્થીઓએ ૯૦ થી વધુ પી.આર. સાથે ઉચા ગુણ મેળવ્યા છે. જ્યારે ધો. ૧૨ કોમર્સમાં ૧૦ વિદ્યાર્થીએ એવન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે.
નોબત સાથેની વાતચીતમાં સ્કૂલ સંચાલકોએ તેમની બોર્ડમાં ઝળહળતા પરિણામની પરંપરા પાછળ સ્કૂલનું સવારે ૮:૩૦ થી સાંજે ૭ સુધીનું ફુલ-ડે શિક્ષણ તથા ધો. ૧૧ અને ૧૨ બે વર્ષ દરમ્યાન કુલ ૫૦૦ થી વધુ ટેસ્ટ વડે વિદ્યાર્થીને પરીક્ષા માટે પરફેક્ટ બનાવી દેવાની સચોટ પદ્ધતિ જવાબદાર હોવાનું જણાવી સ્કૂલમાં જ રીડીંગ ની વ્યવસ્થા તથા નીટ, જેઇઇ અને ગુજકેટની તૈયારીઓ પણ કરાવવામાં આવતી હોવાનું જણાવ્યું હતું.
સોનેરા ચાકીનો ડોક્ટર બનવાનો સંકલ્પ
ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૯૯.૭૮ પી.આર. સાથે એવન ગ્રેડ મેળવી સ્કૂલમાં પ્રથમ ક્રમ મેળવનાર સોનેરા ચાકીએ પોતાની સફળતા માટે સ્કૂલમાં જ નિયમિત સવાર થી સાંજ સુધીનાં અભ્યાસને જવાબદાર ગણાવી સ્કૂલની સમગ્ર ટીમનો આભાર માન્યો હતો.તેણીનાં પિતા યાકુબભાઇ શ્રમિક છે જ્યારે માતા રૂબીનાબેન ગૃહિણી છે. વાચનનો શોખ ધરાવતી સોનેરાએ ઉજ્જવળ ભવિષ્ય તરફ આગેકૂચ કરી માતા-પિતાનાં સંઘર્ષને સાર્થક કર્યો છે.
શિક્ષક દંપતીની પુત્રી કૃપા કાચાએ મેળવ્યો એવન ગ્રેડ
સ્કૂલની વિદ્યાર્થીની કૃપા કાચાએ ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૯૯.૬૪ પી.આર. સાથે એવન ગ્રેડ મેળવી પરિવારનું ગૌરવ વધાર્યુ છે. કૃપાનાં પિતા મનિષભાઇ તથા માતા દિપ્તીબેન બંને શિક્ષક છે. એટલે ગંભીરતાપૂર્વક અભ્યાસનું ઘરનું વાતાવરણ તેમજ સ્કૂલમાં સચોટ અને નિયમિત ભણતરનાં પ્રતાપે કૃપાએ ઝળહળતું પરિણામ મેળવી વિદ્યા દેવી સરસ્વતીનાં આશીર્વાદ મેળવ્યા છે એમ કહી શકાય. કૃપા ડોક્ટર બનવા માટે પ્રતિબદ્ધ છે.
દિપક વાલાણીની એન્જિનિયર બનવાની મહેચ્છા
ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં દિપક વાલાણીએ ૯૯.૨૮ પી.આર. સાથે એવન ગ્રેડ મેળવી ઉત્કૃષ્ટ પરિણામ મેળવ્યું છે. દિપકનાં પિતા કુંભાભાઇ બિઝનેસમેન છે જ્યારે માતા હિરલબેન હાઉસવાઇફ છે. દિપક આખો દિવસ સ્કૂલમાં જ કરાવવામાં આવતી પરીક્ષાલક્ષી તૈયારીઓને પોતાની સફળતાનો શ્રેય આપે છે. દિપકને એન્જિનિયર તરીકે ઝળહળતી કારકીર્દી ઘડવાની ઇચ્છા છે.
માહિ વિઠ્ઠલાણીનું ડોક્ટર બનવાનું લક્ષ્ય
માહિ વિઠ્ઠલાણીએ ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૯૯.૨૩ પી.આર. સાથે એટુ ગ્રેડ મેળવી વિઠ્ઠલાણી પરીવારનું ગૌરવ વધાર્યુ છે. માહિનાં પિતા રોહિતભાઇ બિઝનેસમેન જ્યારે માતા જાગૃતિબેન હાઉસવાઇફ છે. માહિ સખત રીડીંગ અને પાઠ્યપુસ્તક આધારીત અભ્યાસને પ્રાધાન્ય આપી ધાર્યુ પરીણામ મેળવ્યું હોવાનું જણાવી ડોક્ટર બનવાની ઇચ્છા અભિવ્યક્ત કરે છે.
કાનાણી જાનવીને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવાની મહેચ્છા
ધો. ૧૨ કોમર્સમાં જાનવી કાનાણીએ ૯૯.૯૧ પી.આર. સાથે એવન ગ્રેડ મેળવી પરિવારનું નામ ઉજ્જવળ કર્યું છે. તેણીનાં પિતા બિપીનભાઇ બિઝનેસમેન છે તથા માતા પ્રજ્ઞાબેન હાઉસવાઇફ છે.નિયમિત મહેનતનાં પ્રતાપે ઉંચુ પરિણામ મેળવ્યું હોવાનું જણાવી જાનવી આ માટે વિરલ મણિયાર સરનો આભાર માને છે. તેણીનું લક્ષ્ય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે ઉજ્જવળ કારકિર્દી બનાવવાનું છે.
આકાશ મથ્થર ને એમ.બી.એ. કરી આભ આંબવાની ઇચ્છા
આકાશ મથ્થરે ધો. ૧૨ કોમર્સમાં ૯૯.૭૭ પી.આર. મેળવી એવન ગ્રેડ સાથે ઉજ્જવળ ભવિષ્ય તરફ કદમ વધાર્યા છે. આકાશનાં પિતા અરવિંદભાઇ બિઝનેસમેન છે તથા માતા ધાર્મીબેન ગૃહિણી છે. નિયમિત ટેસ્ટ અને રિવિઝનનાં બળે ધારી સફળતા મેળવી હોવાનું જણાવી આકાશે અમિત નાકર સરનો ઋણ સ્વીકાર કરે છે. આકાશ બી.બી.એ. તથા એમ.બી.એ. કરી સફળ કારકિર્દી બનાવવા ચાહે છે.
હેત્વી ભંડેરીને બિઝનેસ એડમિનીસ્ટ્રેશનમાં ઉચ્ચ અભ્યાસ કરવો છે
ધો. ૧૨ કોમર્સમાં ૯૯.૫૧ પી.આર. સાથે એવન ગ્રેડ મેળવનાર હેત્વી ભંડેરીનાં પિતા હરેશભાઇ બિઝનેસમેન છે જ્યારે માતા મિતાબેન ગૃહિણી છે. દરરોજ ૫-૬ કલાકના વાચનથી સચોટ પરિણામ મેળવ્યું હોવાનું જણાવી હેત્વીએ નિતેશ રામાણી સરના માર્ગદર્શનનો ઋણ સ્વીકાર કરે છે. હેત્વી બી.બી.એ. તથા એમ.બી.એ. કરવા ઇચ્છે છે.
રુચિર ડોબરીયાને બિઝનેસલક્ષી ઉચ્ચ અભ્યાસ કરવો છે
ક્રિષ્ના સ્કૂલનાં વિદ્યાર્થી રુચિર ડોબરીયાએ ધો. ૧૨ કોમર્સમાં ૯૯.૩૪ પી.આર. સાથે એવન ગ્રેડ મેળવ્યો છે. રુચિરનાં પિતા અલ્પેશભાઇ બિઝનેસ કરે છે જ્યારે માતા અસ્મિતાબેન હાઉસવાઇફ છે. રુચિર રેગ્યુલર રિવિઝનને ઉપકારક ગણાવી સતિષ પાંભર સર, જાવેદ સર, રાજેશ સર, નિખિલ સર વગેરે ગુરૂજનોનો ઋણ સ્વીકાર કરે છે. રુચિર પણ એમ.બી.એ.નો અભ્યાસ કરવા પ્રતિબદ્ધ છે.
ભંડેરી 'પાર્થ' નું નિશાન છે સી.એ. બનવાનું
ધો. ૧૨ કોમર્સમાં ૯૯.૧૪ પી. આર. સાથે એવન ગ્રેડ મેળવી ભંડેરી પરિવારને ગૌરવ અપાવનાર પાર્થ વહેલી સવારનાં વાંચનને આશીર્વાદરૂપ ગણાવે છે. પાર્થના પિતા કિશોરભાઇ બિઝનેસમેન છે જ્યારે માતા દક્ષાબેન હાઉસવાઇફ છે. પાર્થ પોતાની સફળતા માટે પરેશ સરના માર્ગદર્શનનો ઋણ સ્વીકાર કરે છે. પાર્થ કોમર્સમાં ઉચ્ચ અભ્યાસ સાથે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવાનું લક્ષ્ય ધરાવે છે.
રાજ સભાયાને સરકારી અધિકારી બનવું છે
ધો. ૧૨ કોમર્સમાં ૯૯.૧૪ પી.આર. સાથે એવન ગ્રેડ મેળવનાર રાજ સભાયાએ દરરોજ ૫-૬ કલાકનાં અભ્યાસને પ્રતાપે બોર્ડમાં બાજી મારી છે. પાર્થનાં પિતા ધર્મેન્દ્ર ભાઇ બિઝનેસ મેન તથા માતા નર્મદાબેન હાઉસવાઇફ છે. દિલીપસિંહ જાડેજા સરનો આભાર માની પાર્થ બી. કોમ. કરી સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી સરકારી અધિકારી બનવાનો નિર્ધાર અભિવ્યક્ત કરે છે.
નિશીતા ભંડેરીને બિઝનેસ એડ્મિનિસ્ટ્રેશનમાં અભ્યાસની તમન્ના
નિશીતા ભંડેરીએ ધો. ૧૨ કોમર્સમાં ૯૮.૯૬ પી.આર. સાથે એવન ગ્રેડ મેળવી ઉજ્જવળ ભવિષ્ય તરફ આગેકૂચ કરી છે. તેણીનાં પિતા ભરતભાઇ બિઝનેસમેન છે તથા માતા રંજનબેન ગૃહિણી છે.પેપર આપવાની પ્રેક્ટીસનાં આધારે બોર્ડમાં સારી સફળતા મેળવી હોવાનું જણાવી નિશીતાએ સતિષ પાંભર સરનો આભાર માને છે. નિશીતા બી.બી.એ. અને ત્યાર પછી એમ.બી.એ. કરી ઉજ્જવળ કારકિર્દી બનાવવા ચાહે છે.
દર્શનાનું લક્ષ્ય જીપીએસસી ક્રેક કરવાનું છે
દર્શના ધારવીયાએ ધો. ૧૨ કોમર્સમાં ૯૮.૯૧ પી.આર. સાથે એવન ગ્રેડ મેળવી ધારવીયા પરિવારનું ગૌરવ વધાર્યુ છે. દર્શનાના પિતા રમેશભાઇ બિઝનેસમેન જ્યારે માતા વનિતાબેન ગૃહિણી છે. દરરોજ ૬ કલાક મહેનતથી ઊંચું પરિણામ મેળવનાર દર્શના પોતે સતિષ પાંભર સરનો ઋણ સ્વીકાર કરે છે. દર્શના જી.પી.એસ.સી. ક્રેક કરી અધિકારી બનવાનું લક્ષ્ય ધરાવે છે.
મહેક નસીતને એમ.બી.એ. કરવાની અભિલાષા
ધો. ૧૨ કોમર્સમાં ૯૮.૭૭ પી.આર. એવન ગ્રેડ મેળવનાર મહેક નસીત વહેલી સવારે વાંચનને આશીર્વાદ રૂપ ગણાવે છે. તેણીનાં પિતા ભરતભાઇ બિઝનેસમેન છે તથા માતા દક્ષાબેન ગૃહિણી છે.મહેક પોતાની સફળતા માટે અજય માણેક સરનો આભાર માની બી.બી.એ. તથા એમ.બી.એ. કરવાની અભિલાષા અભિવ્યક્ત કરે છે.
પાર્થ આણદાણીને સી.એ. બનવાની મહેચ્છા
પાર્થ આણદાણીએ ધો. ૧૨ કોમર્સમાં ૯૮.૭૧ પી.આર. સાથે એવન ગ્રેડ મેળવી પરિવારનું નામ ઉજાળ્યું છે. નિયમિત અભ્યાસને સફળતાનું સૂત્ર લ્લજણાવી પાર્થ નિલેશ નારીયા સરના માર્ગદર્શનને ઉપકારક ગણાવે છે. પાર્થનાં પિતા હસમુખભાઇ બિઝનેસમેન છે જ્યારે માતા ક્રિષ્નાબેન હાઉસવાઇફ છે. પાર્થ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા સંકલ્પબદ્ધ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
શાળા સંચાલક, આચાર્યના અથાગ પ્રયત્નથી
જામનગર તા. ૨૪: શૈક્ષણિક તેમજ આર્થિક ક્ષેત્રમાં પછાત વિસ્તારમાં ૧૯૯૦થી કાર્યરત રોઝી સ્કૂલનું ધો. ૧૦ નું ૮૬% અને ધો. ૧ર નું ૮૦% જેટલું ઉજ્જવળ પરિણામ આવ્યું છે.
ધો. ૧૦ માં મીસ્બાદ મોલીન રાવકડાએ ૯૭.૯પ પીઆર મેળવી એ-૧ ગ્રેડમાં સ્થાન મેળવ્યું છે. ખાનગી પેઢીમાં નોકરી કરતા પિતાની હોનહાર પત્ની મીસ્બાદ રાવકડાને સીએ બનવાની મહેચ્છા છે. તેણીની આ સફળતા માટે શાળા સંચાલક જુબેદાબેન ખીરા પાસેથી પ્રેરણા મળી હતી.
શાળાના અન્ય એક વિદ્યાર્થી નાલબંધ મોઈનુદિન મહેબુબભાઈએ ૯પ.૩૯ પીઆર સાથે એ-ર માં સ્થાન મેળવી છે. તેના પિતા શાક-બકાલુ મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. શિક્ષકો અને માતા-પિતા પાસેથી મળેલી પ્રેરણાથી ઉજ્જવળ પરિણામ મળતા હવે તેને ડોક્ટર બનવાની ઈચ્છા છે.
આ ઉપરાંત મજૂરી કામ કરતા પિતાના પુત્ર કણઝાર શુભમ હસમુખભાઈએ પણ ૯૩.૧૧ પીઆર સાથે એ-ર ગ્રેડ મેળવ્યો છે. તેની ઈચ્છા બેંકમાં નોકરી કરવાની છે. માતા-પિતાની પ્રેરણાથી સારૃં પરિણામ હાંસલ થયું છે. તેમજ બેલીમ મહંમદ રજાકભાઈએ ૮૯.૯૩ પીઆર સાથે એ-ર ગ્રેડ મેળવ્યો છે. તેના પિતા પણ મજૂરી કામ કરે છે અને ભવિષ્યમાં વકીલ બનવાની ઈચ્છા ધરાવે છે. શાળાના શિક્ષકો તથા માતા-પિતાની પ્રેરણા મળી હોવાનું જણાવે છે.
કછટીયા ઉદય મણીલાલએ ૮૯.પપ પીઆર સાથે એ-ર ગ્રેડ મેળવ્યો છે. માતા-પિતા, શિક્ષકોની પ્રેરણાથી સારૂ પરિણામ મળતા હવે તેને યુપીએસસીની પરીક્ષા આપવી છે.
જ્યારે ધો. ૧ર માં પ્રિયંકા પ્રવિણભાઈ કણઝારએ ૯ર.૦૮ પીઆર સાથે ઉચ્ચત્તમ પરિણામ મેળવ્યું હુતં. હવે તેને સીએ બનવું છે. આ સફળતા માટે શિક્ષકો તથા શાળા સંચાલક જુબેદાબેન ખીરા (કુરેશી) નું માર્ગદર્શન મળ્યું હતું તેમ તેણીએ જણાવેલ છે.
આમ જામનગરની રોઝી હાઈસ્કૂલના સંચાલક જુબેદાબેન ખીરા (કુરેશી), આચાર્ય રિયાઝભાઈ શેખની જહેમતથી સ્કૂલનું ઉચ્ચ પરિણામ મળતા વિદ્યાર્થીઓ ખુશખુશાલ જોવા મળ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ધો. ૧૦ માં ૧૦૦% અને ધો. ૧ર માં ૯૦% પરિણામ સાથે
જામનગર તા. ૨૨: જામનગરના રાજપાર્ક સ્થિત ઓનેસ્ટ ક્લાસીસે ફરી એક વખત બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યુ છે, ગુજરાતના શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-ર૦ર૪ માં લેવાયેલી બોર્ડની પરીક્ષામાં ઓનેસ્ટ ક્લાસીસે જવલંત સફળતા પ્રાપ્ત કરી છે. ધો. ૧૦ મા ૧૦૦% અને ધો. ૧ર મા ૯૦% પરિણામ મેળવ્યું છે.
ક્લાસીસના સંચાલક અને શિક્ષક સંજીવભાઈ ધોકીયા અને ચિરાગભાઈ ગોહિલે 'નોબત' ના પત્રકાર દિપક લાંબા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમારૂં ક્લાસીસ છેલ્લા ૮ વર્ષથી કાર્યરત છે. અમારા ક્લાસીસમાં વિદ્યાર્થીઓને દરેક વિષયનું તલસ્પર્શી જ્ઞાન આપવામાં આવે છે. નિયમિત ટેસ્ટ લેવામાં આવે છે. વાલીઓ સાથે સતત સંપર્ક રાખવામાં આવે છે.
રીડીંગ માટે વિદ્યાર્થીઓને બોલાવવામાં આવે છે. આ ઉપરાંત જે વિદ્યાર્થીઓને ડાઉટ હોય તો એકસ્ટ્રા ટાઈમ રાખવામાં આવે છે. આમ શિક્ષકો અને વિદ્યાર્થીઓની સંયુક્ત મહેનતના કારણે અમારૂં ક્લાસીસ દર વર્ષે બોર્ડની પરીક્ષામાં સારા ગુણ મેળવવામાં સફળ રહે છે.
પ્રિયાની આઈપીએસ ઓફિસર બનવાની તમન્ના
પ્રિયા અગ્રાવતે ધો. ૧૦ ની બોર્ડની પરીક્ષામાં ૯૧.પ૦% અને ૯૭.પ૧ પી.આર. સાથે એવન ગ્રેડ પ્રાપ્ત કર્યા છે. પરીક્ષામાં ધારી સફળતા મળે તે માટે તેણી દરરોજ ૪ થી ૬ કલાક અભ્યાસ કરતી હતી. પિતા મનીષભાઈ સિવિલ એન્જિનિયર છે અને માતા પારષબેન ગૃહિણી છે. અભ્યાસ ઉપરાંત ડાન્સીંગ અને ડ્રોઈંગમાં રૂચી ધરાવનાર પ્રિયા આઈપીએસ ઓફિસર બનીને દેશ સેવા કરવા માંગે છે.
કડિયા કામ કરનાર પિતાની પુત્રી ભક્તિની ડોક્ટર બનવાની તમન્ના
દરરોજ નિયમિત રીતે ૪ થી પ કલાક અભ્યાસ કરીને ભક્તિ જાદવે ધો. ૧૦ ની બોર્ડની પરીક્ષામાં ૮૯.૧૭% સાથે ૯પ.૬૭ પી.આર. મેળવ્યા છે. પિતા રૂપેશભાઈ કડિયા કામ કરે છે. ભક્તિ આગળ અભ્યાસ કરીને ડોક્ટર બનવા માંગે છે.
મારે કોમર્સમાં પ્રવેશ મેળવવો છેઃ રિશિ
રિશિ ધોળકીયાએ ધો. ૧૦ ની બોર્ડની પરીક્ષામાં ૮ર.૮૩% પ્રાપ્ત કર્યા છે. પિતા પંકજભાઈને ફરસાણની દુકાન છે. રિશિ આગળ કોમર્સમાં પ્રવેશ મેળવવા માંગે છે.
નિશાનું ટીચર બનવાનું લક્ષ્ય
ડાભી નિશાએ દરરોજ નિયમિત રીતે અભ્યાસ કરીને ધો. ૧ર કોમર્સમાં ૮૧.૧૪% પ્રાપ્ત કર્યા છે. પિતા હરીશભાઈ મજૂરી કામ કરે છે અને માતા પુષ્પાબેન ગૃહિણી છે. નિશાને અભ્યાસ ઉપરાંત નૃત્ય અને ગાયનમાં રૂચી છે. નિશા શિક્ષક બનવાની તમન્ના ધરાવે છેે.
તન્વી વસાણીને સરકારી નોકરી કરવી છે
શાળા અને ક્લાસીસમાં પૂરતું ધ્યાન રાખવાની સાથે દરરોજ ૩ થી ૪ કલાક અભ્યાસ કરીને તન્વી વસાણીએ ધો. ૧ર માં ૭૬.૭૧% પ્રાપ્ત કર્યા છે. પિતા ભાવેશભાઈ હોટલમાં મેનેજર છે. વાંચનમાં રૂચી ધરાવનાર તન્વી સરકારી નોંકરી કરવા માંગે છે.
મારે સરકારી નોકરી કરવી છેઃ જીયા
જીયા ચૌહાણે એસ.એસ.સી. ની બોર્ડની પરીક્ષામાં ૭પ% ગુણ પ્રાપ્ત કર્યા છે. પિતા જયદીપભાઈ ટ્રાન્સપોર્ટમાં મેતાજી છે. ડાન્સમાં રૂચી ધરાવનાર જીયાને આગળ બીબીએ કરીને સરકારી નોકરી કરવી છે.
રાઈનાબાનુનું સરકારી નોકરી કરવાનું સ્વપ્ન
રાઈનાબાનુ રીંગણીયાએ ધો. ૧ર કોમર્સની બોર્ડની પરીક્ષામાં ૭૪.૭૧% મેળવ્યા છે. પિતા જાહીદભાઈ રીક્ષા ચલાવે છે. વાંચનમાં રૂચી ધરાવનાર રાઈનાબાનુ બીબીએ કરવા માંગે છે તથા સરકારી જોબ કરવા માંગે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
જામનગર-દ્વારકા ધોરીમાર્ગ પર ઝાખરના પાટિયા પાસે આવેલી
જામનગર તા. ૧૮: જામનગર-દ્વારકા હાઈ-વે પર ઝાખરના પાટિયા પાસે આવેલ ઓશિએનિક સ્કૂલે બોર્ડની પરીક્ષામાં ઝળહળતું પરિણામ પ્રાપ્ત કર્યું છે. જેમાં ધો. ૧૦ નું ગુજરાતી માધ્યમમાં ૯૩.૮૩ ટકા અને અંગ્રેજી માધ્યમમાં ૧૦૦ ટકા તથા ધો. ૧ર કોમર્સ (ગુજરાતી માધ્યમ) માં ૯ર.૮૩ ટકા જેટલું ઉત્કૃષ્ટ પરિણામ મેળવ્યું છે.
શાળાના સંચાલક રાજદીપભાઈ ચુડાસમાએ 'નોબત'ના પત્રકાર દિપક લાંબાને જણાવ્યું હતું કે, શાળાના ટ્રસ્ટી રણજીતસિંહ ચુડાસમા છે. અમારી શાળા છેલ્લા ૮ વર્ષથી કાર્યરત છે. શાળામાં શિક્ષકો દ્વારા અભ્યાસમાં નબળા વિદ્યાર્થીઓ પર પણ પૂરતું ધ્યાન આપવામાં આવે છે. સ્કૂલમાં વિકલી તથા મંથલી ટેસ્ટ યોજવામાં આવે છે. શૈક્ષણિક કાર્યમાં પ્રોજેક્ટરનો પણ ઉપયોગ કરવામાં આવે છે. સીસી ટીવી દ્વારા વિદ્યાર્થીઓ પર સતત દેખરેખ રાખવામાં આવે છે. સ્કૂલમાં લાઈબ્રેરીની પણ સુવિધા છે.
જ્યોતિબા જાડેજાનું સી.એ. બનવાનું સ્વપ્ન
જ્યોતિબા જાડેજાએ ધો. ૧ર ની પરીક્ષામાં ૮૬.ર૬ ટકા સાથે ૯પ.ર૯ પી.આર. પ્રાપ્ત કરીને જાડેજા પરિવાર તથા શાળાનું ગૌરવ વધાર્યું છે. પિતા કમલેશસિંહ જાડેજા ખેતી કામ કરે છે અને માતા ગૃહિણી છે. બોર્ડની પરીક્ષામાં સારા ગુણ મેળવવા માટે જ્યોતિબા દરરોજ નિયમિત અભ્યાસ કરતી હતી. જ્યોતિબા આગળ અભ્યાસ કરીને સી.એ. બનવા માગે છે.
મારે બીબીએ કરવું છેઃ દિગ્વિજયસિંહ
દિગ્વિજયસિંહ જાડેજાએ દરરોજ ૬ કલાક અભ્યાસ કરીને ધો. ૧ર ની પરીક્ષામાં ૭૬.૧૩ ટકા પ્રાપ્ત કર્યા છે. પિતા નિર્મળસિંહ જાડેજા ખેતી સાથે સંકળાયેલા છે અને માતા નૈનાબા ગૃહિણી છે. દિગ્વિજયસિંહ બીબીએમાં પ્રવેશ મેળવવા માગે છે.
મારે સાયન્સ રાખવું છેઃ અક્ષરાજસિંહ
જાડેજા અક્ષરાજસિંહએ ધો. ૧૦ ની પરીક્ષામાં ૮પ ટકા સાથે ૯૧.પ૦ પી.આર. મેળવ્યા છે. પરીક્ષામાં વધુ ગુણ મેળવવા માટે અક્ષરાજસિંહ દરરોજ ૩ થી ૪ કલાક અભ્યાસ કરતો હતો. પિતા દિલીપસિંહ ખેતીકામ કરે છે. ક્રિકેટમાં રૂચિ ધરાવનાર અક્ષરાજસિંહ સાયન્સ (ગ્રુપ-બી) રાખવા માગે છે.
જાનવીબા જાડેજાની પોલીસ બનવાની તમન્ના
જાનવીબા જાડેજાએ દરરોજ નિયમિત રીતે ૩ થી ૪ કલાક અભ્યાસ કરીને ધો. ૧૦ ની પરીક્ષામાં ૮૧.૩૩ ટકા સાથે ૮૬.૯૪ પી.આર. મેળવ્યા છે. પિતા ધર્મેન્દ્રસિંહ ડ્રાઈવર છે. જાનવીબા પોલીસ બનીને દેશ સેવા કરવા માગે છે
ક્રિપાલસિંહને વિજ્ઞાન પ્રવાહમાં જોડાવું છે
ક્રિપાલસિંહ જાડેજાએ ધો. ૧૦ ની પરીક્ષામાં ૮૦ ટકા પ્રાપ્ત કર્યા છે. પરીક્ષામાં વધુ ગુણ મેળવવા માટે ક્રિપાલસિંહ દરરોજ ૩ થી ૪ કલાક વાચન કરતો હતો. પિતા ધર્મેન્દ્રસિંહ ખેતીકામ કરે છે. ક્રિકેટમાં રૂચિ ધરાવનાર ક્રિપાલસિંહ વિજ્ઞાન પ્રવાહમાં જોડાવા માગે છે.
નિખીલની બેન્કીંગ અને ફાઈનાન્સ ક્ષેત્રમાં રૂચી
નિખીલ મહેતાએ ધો. ૧ર ની પરીક્ષામાં ૭પ ટકા પ્રાપ્ત કર્યા છે. પરીક્ષામાં વધુ ગુણ મેળવવા માટે નિખીલ દરરોજ ૪ થી પ કલાક અભ્યાસ કરતો હતો. લેખનમાં રૂચિ ધરાવનાર નિખીલ બેન્કીંગ અને ફાઈનાન્સ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માગે છે.
જાડેજા તારાબાની સી.એ. બનવાની મહેચ્છા
જાડેજા તારાબાએ ધો. ૧૦ ની પરીક્ષામાં ૬૯.૬૬ ટકા પ્રાપ્ત કર્યા છે. તારાબા આગળ અભ્યાસ કરીને સી.એ. બનવા માગે છે.
ભાવિકાબાનું સેનામાં જોડાઈને દેશ સેવા કરવાનું સ્વપ્ન
વાઘેલા ભાવિકાબાએ દરરોજ નિયમિતરીતે ૩ થી ૪ કલાક વાચન કરીને ધો. ૧૦ ની પરીક્ષામાં ૬૪.૮૩ ટકા પ્રાપ્ત કર્યા છે. ભાવિકા સેનામાં જોડાઈને દેશ સેવા કરવા માગે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
જામનગર સોરઠિયા પ્રજાપતિ જ્ઞાતિના વિદ્યાર્થીઓએ ધો. ૧૦-૧ર ની પરીક્ષામાં ઝળહળતી સફળતા પ્રાપ્ત કરીને જ્ઞાતિનું ગૌરવ વધાર્યું છે.
નીલ વેગડે ધો. ૧૦ મા ૯૬.૮૩ ટકા મેળવ્યા
નીલ વેગડએ ધો. ૧૦ ની પરીક્ષામાં સખત મહેનત કરીને ૯૬.૮૩ ટકા અને ૯૯.૬૮ પી.આર. સાથે એ-વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. પરીક્ષામાં વધુ ગુણ મેળવવા માટે નીલ દરરોજ નિયમિત રીતે ૪ થી પ કલાક અભ્યાસ કરતો હતો. અભ્યાસ ઉપરાંત ક્રિકેટમાં રસ ધરાવનાર નીલ આગળ સાયન્સ-એ ગ્રુપનો અભ્યાસ કરવા માગે છે.
રૃતવાનું વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસનું સ્વપ્ન
રૃતવા સંજય શીંગડિયાએ એસ.એસ.સી. પરીક્ષામાં ૯૧ ટકા અને ૯૦.ર૦ પી.આર. સાથે એ-વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. પિતા બિઝનેસમેન છે. રૃતવાને અભ્યાસ ઉપરાંત ચિત્રમાં રૃચિ છે. રૃતવા આગળ વિજ્ઞાન પ્રવાહમાં એ ગ્રુપમાં અભ્યાસ કરવા માગે છે.
ડ્રાઈવીંગ કરનાર પિતાની પુત્રી નેન્સીનું સીએ બનવાનું લક્ષ્ય
નેન્સી ધોકિયાએ ધો. ૧૦ ની પરીક્ષામાં ૮૪ ટકા સાથે ૯૦.૧પ પી.આર. પ્રાપ્ત કર્યા છે. પરીક્ષામાં સારા ગુણ મેળવવા તેણી દરરોજ ૬ કલાક અભ્યાસ કરતી હતી. પિતા અશોકભાઈ ડ્રાઈવીંગનું કામ કરે છે. માતા રીનાબેન ગૃહિણી છે. ડ્રોઈંગમાં રૃચિ ધરાવનાર નેન્સી ધો. ૧૧ અને ૧ર મા કોમર્સ કરી સી.એ. બનવા માગે છે.
મૈત્રીની બેન્કીંગ ક્ષેત્રમાં રૃચિ
મૈત્રી ફટાણિયાએ ધો. ૧૦ ની પરીક્ષામાં ૯૦ ટકા સાથે ૯૬.૩૦ પી.આર. મેળવ્યા છે. પરીક્ષામાં ઊંચ ગુણાંક સાથે સફળતા મળે તે માટે મૈત્રી દરરોજ ૪ થી પ કલાક અભ્યાસ કરતી હતી. સંગીતમાં રૃચિ ધરાવનાર મૈત્રી બેન્કીંગ ક્ષેત્રમાં જવા માગે છે.
બંસીની ડોક્ટર બનવાની તમન્ના
બંસી મંડોરાએ એસ.એસ.સી.ની પરીક્ષામાં ૮૯.૧૭ ટકા સાથે ૯પ.૬૭ પી.આર. મેળવ્યા છે. પિતા દિનેશભાઈ સુથાર કામ કરે છે. વાચનમાં રૃચિ ધરાવનાર બંસી આગળ અભ્યાસ કરીને ડોક્ટર બનીને માનવ સેવા કરવા માગે છે.
તુલસીને ડોકટર બનવું છે
તુલસી જગતિયાએ એચ.એસ.સી. પરીક્ષામાં ૮૭.૪ ટકા પ્રાપ્ત કર્યા છે. તુલસીએ જવાહર નવોદય વિદ્યાલય-જામનગરમાં અભ્યાસ કર્યો છે. તુલસીને અભ્યાસ ઉપરાંત ટ્રાવેલીંગ કરવું ગમે છે. તુલસી આગળ એમબીબીએસ અને એમડીનો અભ્યાસ કરવા માગે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ઊંચા ગુણો સાથે ગણિત-વિજ્ઞાન વિષયમાં વિદ્યાર્થીઓ ઝળક્યા
જામનગરની એસ.બી. શર્મા વર્લ્ડ સ્કૂલ છેલ્લા એક દાયકાથી શિક્ષણ ક્ષેત્રે આગવી પ્રતિષ્ઠા સંપાદિત કરવામાં સફળ રહી છે. દર વર્ષે સ્કૂલનું બોર્ડનું ઝળહળતું પરિણામ આવે છે. જે પરંપરા આ વર્ષે પણ ગુજરાત બોર્ડનાં ધો. ૧૦ નાં પરિણામમાં યથાવત રહી છે. સ્કૂલનાં પ્રિન્સીપાલ ડો. પૂજા શર્મા, એકેડેમી કો-ઓર્ડીનેટર બીજોલી રોય તથા ટીચર સુનિલ જોશીએ તેજસ્વી વિદ્યાર્થીઓ સાથે 'નોબત' ની મુલાકાત લઇ શૈક્ષણિક સિદ્ધિઓ અંગે વાર્તાલાપ કર્યો હતો.
સપના પંજવાણીનું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવાનું લક્ષ્ય
સપના પંજવાણીએ ધો. ૧૦ ની પરીક્ષામાં ૯૫% ગુણ અને ૯૯.૪૧ પી.આર. સાથે એવન ગ્રેડ મેળવી સ્કૂલનું ગૌરવ વધાર્યુ છે. તેણીનાં પિતા હરીશભાઇ બિઝનેસમેન છે તથા માતા જયવંતીબેન ગૃહિણી છે. કોરીયન ડ્રામા અને કોરીયન મ્યુઝીકનો શોખ ધરાવતી સપનાએ નિયમિત અભ્યાસ અને પરીક્ષા વખતે રોજીંદા ૭ કલાકનાં અધ્યયનને પ્રતાપે ઊંચુ પરિણામ મેળવ્યું હોવાનું જણાવી તેણી પ્રિન્સીપાલ ડો. પૂજા શર્મા, સુરેન્દ્ર સર, હેતલ મેમ, સુમન મેમ વગેરે ગુરૂજનોનાં માર્ગદર્શનનો ઋણ સ્વીકાર કરે છે. સપનાનું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવાનું સપનું છે.
અમરીતકુમાર સિંગને ડોક્ટર બનવાની મહેચ્છા
ધો. ૧૦ માં ૯૦.૬૭% ગુણ તથા ૯૬.૯૯ પી.આર. સાથે એવન ગ્રેડ મેળવનાર અમરીતકુમાર સિંગનાં પિતા અનીલકુમાર જોબ કરે છે જ્યારે માતા અર્ચના સિંગ ગૃહિણી છે. કોડીંગ શીખવાનો શોખ ધરાવતા અમરીતે સતત રિવિઝનનાં બળે ધાર્યું પરિણામ મેળવ્યું છે. તે પ્રિન્સીપાલ ડો. પૂજા શર્મા સહિતનાં ગુરૂજનોનો ખાસ આભાર માને છે. અમરીતનું લક્ષ્ય વિજ્ઞાન પ્રવાહમાં ઉચ્ચ અભ્યાસ કરી ડોક્ટર બનવાનું છે.
ભાગ્યશ્રી મકવાણાને તબીબ તરીકે કારકિર્દી ઘડવાની ઇચ્છા
સ્કૂલની વિદ્યાર્થિની ભાગ્યશ્રી મકવાણાએ ધો. ૧૦ માં ૮૮.૮૩% ગુણ સાથે ૯૫.૩૯ પી.આર. તથા એટુ ગ્રેડ મેળવ્યો છે. તેણીનાં પિતા નરેશભાઇ ફેક્ટરીમાં સેવારત છે જ્યારે માતા મુક્તાબેન હાઉસવાઇફ છે. ભાગ્યશ્રી વિજ્ઞાન પ્રવાહમાં આગળ અભ્યાસ કરી ડોક્ટર બનાવનું ધ્યેય ધરાવે છે.
સાનિયા મોલિકને પણ ડોક્ટર બનવાની મહેચ્છા
ધો. ૧૦ માં ૯૪% ગુણ સાથે ૯૮.૯૯ પી.આર. અને એવન ગ્રેડ મેળવનાર સાનિયા મોલિક પાઠ્યપુસ્તક આધારીત અભ્યાસને મહત્ત્વ આપી સફળ થયાનું જણાવી હેતલ મેમનો આભાર માને છે. તેણીનાં પિતા મોજુમલ મેકેનિક છે અને માતા સેરીના ગૃહિણી છે. સાનિયાએ ઝળહળતું પરિણામ મેળવી માતા-પિતાનાં સંઘર્ષને સાર્થક કર્યો છે એમ કહી શકાય છે. સાનિયાને ડોક્ટર બનાવની મહેચ્છા છે.
ચિરાગ ગોજીયાનું સી.એ. બનવાનું લક્ષ્ય
ધો.૧૦ માં ૮૫.૬૭% ગુણ સાથે ૯૨.૨૨ પી.આર. તથા એટુ ગ્રેડ મેળવી ગોજીયા પરિવારનું ગૌરવ વધારનાર ચિરાગ પોતાની સફળતા માટે નિયમિત ૪ કલાકનાં વાચન અને ગુરૂજનોનાં સચોટ માર્ગદર્શનને જવાબદાર ગણાવે છે. ચિરાગના પિતા વિરાભાઇ ટ્રાન્સપોર્ટનાં વ્યવસાય સાથે સંકળાયેલા છે જ્યારે માતા વૈશાલીબેન ગૃહિણી છે. ક્રિકેટનો શોખ ધરાવતો ચિરાગ કોમર્સમાં ઉચ્ચ અભ્યાસ કરી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવાનું લક્ષ્ય ધરાવે છે.
સાનિયા ભોન્ડેકરની ડોક્ટર બનવાની અભિલાષા
સાનિયા ભોન્ડેકરે ધો.૧૦ માં ૮૭.૧૭% ગુણ સાથે ૯૩.૭૯ પી.આર. અને એટુ ગ્રેડ મેળવ્યો છે. તેણીનાં પિતા દિનેશભાઇ જોબ કરે છે જ્યારે માતા દિપ્તીબેન હાઉસવાઇફ છે. નૃત્ય અને ગાયનનો શોખ ધરાવતી સાનિયા મોડેલ પેપર લખવાનાં મહાવરાને સફળતામાં ઉપયોગી ગણાવે છે. સાનિયા સાયન્સમાં હાયર એજ્યુકેશન લઇ ડોક્ટર બનવાનો નિર્ધાર ધરાવે છે.
ખુશી રાઠોડને પણ તબીબ બનાવાની ઇચ્છા
ખુશી રાઠોડે ધો. ૧૦ માં ૮૨.૩૩% ગુણ સાથે ૮૮.૨૬ પી.આર. તથા એટુ ગ્રેડ મેળવી સફળ કારકિર્દી તરફ આગેકૂચ કરી છે. તેણીનાં પિતા કરનીસિંગ જોબ કરે છે જ્યારે માતા અનીતાબેન હાઉસવાઇફ છે. નૃત્યનો શોખ ધરાવતી ખુશી નિયમિત અભ્યાસ અને વાચનથી ઇચ્છીત સફળતા મેળવી હોવાનું જણાવી ડોક્ટર બનવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
પ્રશાંત ચૌહાણનું એન્જિનિયર બનવાનું લક્ષ્ય
ધો. ૧૦ માં ૮૭% ગુણ સાથે ૯૩.૬૩ પી.આર. મેળવનાર પ્રશાંત ચોહાણે એટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. પ્રશાંતનાં પિતા રામુભાઇ જોબ કરે છે જ્યારે માતા રાનોબેન હાઉસવાઇફ છે. વાચનનો શોખ ધરાવતા પ્રશાંતે સ્કૂલનાં અભ્યાસ ઉપરાંત પાઠ્યપુસ્તક આધારીત સ્વઅધ્યયનને આધારે સચોટ પરિણામ મેળવ્યું હોવાનું જણાવી એન્જિનિયર બનવાની પ્રતિબદ્ધતા અભિવ્યક્ત કરી હતી.
રિતીક ચૌહાણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા સંકલ્પબદ્ધ
ધો. ૧૦ માં ૮૪.૬૭% ગુણ સાથે ૯૧.૧૩ પી.આર. તથા એટુ ગ્રેડ મેળવનાર રિતીક ચૌહાણ વહેલી સવારનાં વાચનને ઉપકારક ગણાવે છે. રિતીકનાં પિતા દેવેન્દ્રસિંગ જોબ કરે છે જ્યારે માતા અલ્પનાદેવી હાઉસવાઇફ છે. ક્રિકેટનો શોખ ધરાવતો રિતીક કોમર્સમાં ઉચ્ચ અભ્યાસ કરી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા સંકલ્પબદ્ધ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
વિદ્યાર્થીઓએ સ્કૂલનું નામ ઉજ્જવળ કર્યું
જામનગરની શ્રી જ્ઞાનગંગા સ્કૂલનું ધો. ૧૦ નું ૯૪% પરિણામ આવ્યું છે. શહેરમાં ૪ શાખા ધરાવતી અને ૩ દાયકાથી શિક્ષણ ક્ષેત્રે પ્રતિષ્ઠા મેળવનાર સ્કૂલનાં ૮ વિદ્યાર્થી એવન ગ્રેડ મેળવવામાં સફળ થયા છે જ્યારે ૪૨ વિદ્યાર્થીએ એટુ ગ્રેડ મેળવ્યો છે અને ૩૨ વિદ્યાર્થીએ બીટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. સ્કૂલનાં ગુરૂજનોએ તેજસ્વી વિદ્યાર્થીઓ સાથે 'નોબત' ની મુલાકાત લઇ વાર્તાલાપ કર્યો હતો.
તુષાર મઘોડીયાએ ધો. ૧૦ માં ૯૨% ગુણ અને ૯૮ પી.આર. સાથે એવન ગ્રેડ મેળવી વિજ્ઞાન પ્રવાહમાં ઉચ્ચ અભ્યાસની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.
યશ સોલંકીએ ધો. ૧૦ માં ૯૧.૧૭% ગુણ સાથે ૯૭.૨૭ પી.આર. મેળવી સોલંકી પરિવારનું ગૌરવ વધાર્યુ છે.
રાધિકા સિતાપરાએ ધો. ૧૦ માં ૯૦.૮૩% ગુણ સાથે ૯૭.૦૨ પી.આર. તથા એવન ગ્રેડ મેળવ્યો છે. તેણીને આઇ.એ.એસ.ઓફિસર બનવું છે.
મિત ધરાવીએ ૯૩% ગુણ સાથે ૯૮.૪૬ પી.આર. અને એવન ગ્રેડ મેળવી ડોક્ટર બનવાનાં સફરમાં મકકમ આગેકૂચ કરી છે.
આશિષ ચાંદ્રા એ ધો. ૧૦ માં ૯૫.૩૩% ગુણ તથા ૯૯.૫૩ પી.આર. સાથે એવન ગ્રેડ મેળવી પરિવારનું ગૌરવ વધાર્યુ છે.
પલક સમીતભાઇએ ધો. ૧૦ માં ૯૫.૩૩% ગુણ સાથે ૯૯.૫૩ પી.આર. સાથે એવન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે.
હેત પટોડીયાએ ૮૬% ગુણ સાથે ૯૨.૫૮ પી.આર. અને એટુ ગ્રેડ મેળવ્યો છે.
વિશ્વદિપસિંહ ગોહિલે ૮૧.૩૩% ગુણ તથા ૮૬.૯૧ પી.આર. મેળવ્યા છે.
દર્શીલ ચોવટીયાએ ધો. ૧૦ માં ૮૭.૧૬% ગુણ તથા ૯૩.૭૯ પી.આર. સાથે એટુ ગ્રેડ મેળવ્યો છે.
પ્રિયાંશુ અઘેડાએ ૮૬.૬૬% ગુણ સાથે ૯૩.૨૮ પી.આર. મેળવી સ્કૂલનું ગૌરવ વધાર્યુ છે.
દેવ નંદાએ ધો. ૧૦ માં ૮૯% ગુણ તથા ૯૫.૯૬ પી.આર. સાથે ધાર્યું પરિણામ મેળવ્યું છે.
અંકિત મિશ્રાએ ધો. ૧૦ માં ૮૯.૩૩% ગુણ સાથે એટુ ગ્રેડ મેળવી મિશ્રા પરિવારનું ગૌરવ વધાર્યુ છે.
નેવિલ કેતનભાઇએ ધો. ૧૦ માં ૮૯.૧૬% ગુણ સાથે ૯૫.૧૬ પી.આર. મેળવી સફળતા પ્રાપ્ત કરી છે.
અનિલ ભરતભાઇએ ધો. ૧૦ માં ૮૩% ગુણ સાથે ૮૯.૫૫ પી.આર. મેળવ્યા છે.
ગૂંજન દિપેશભાઇએ ધો.૧૦ ની પરીક્ષામાં ૮૨.૧૬% ગુણ તથા ૮૮.૦૫ પી.આર. મેળવ્યા છે.
હર્ષ વિશરોલીયાએ ધો. ૧૦ માં ૮૮.૮૩% ગુણ તથા ૯૫.૩૯ પી.આર. સાથે એટુ ગ્રેડ મેળવ્યો છે.
અમીષા ગર્ગ એ ૯૦.૬૧% ગુણ તથા ૯૬.૫૧ પી.આર. સાથે બોર્ડમાં ધાર્યું પરિણામ મેળવ્યું છે.
ધ્રુવ હરેશભાઇએ ધો. ૧૦ માં ૮૩.૮૩% ગુણ અને ૯૦.૧૫ પી.આર. સાથે એટુ ગ્રેડ મેળવ્યો છે.
નિખિલ ભારદ્વાજે ધો. ૧૦ માં ૭૨.૬૧ % ગુણ સાથે ઉચ્ચ અભ્યાસમાં વધુ પરીશ્રમ કરવાનો સંકલ્પ જણાવ્યો હતો.
વસોયા ફેન્સીએ ધો. ૧૦ માં ૮૮% ગુણ તથા ૯૫.૩૯ પી.આર. સાથે એટુ ગ્રેડ મેળવ્યો છે.
જાનવી નસીત એ ધો. ૧૦ માં ૮૫% ગુણ તથા ૯૧.૮૬ પી.આર. મેળવી એટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે.
યશ્વી રમેશભાઇએ ધો. ૧૦ માં ૮૧.૧૭% ગુણ તથા ૮૬.૭૨ પી.આર. મેળવી ઝળહળતું પ્રદર્શન કર્યુ છે.
આર્યા ભાડજાએ ધો. ૧૦ માં ૮૭% ગુણ તથા ૯૪.૨૯ પી.આર. સાથે એટુ ગ્રેડ મેળવ્યો છે.
હિમાક્ષી જાટીયાએ ધો. ૧૦ માં ૮૪.૮૩% ગુણ સાથે ૯૧.૩૩ પી.આર. મેળવી એટુ ગ્રેડ મેળવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
શાળાએ ઉત્કૃષ્ટ પરિણામોની દાયકાઓની પરંપરા જાળવી
જામનગરની પાર્વતીદેવી વિદ્યા મંદિર અને શાસ્ત્રી ત્ર્યમ્બકરામ હાઈસ્કૂલનું ગુજરાત બોર્ડનું ઝળહળતું પરિણામ આવ્યું છે. હાઈસ્કૂલના ૬ વિદ્યાર્થીઓએ એવન-ગ્રેડ મેળવ્યો છે. શાળાનું ૮ર% પરિણામ આવ્યું છે.
ભાવિન નકુમનું સપનું છે ડોક્ટર બનવાનું
શાસ્ત્રી ત્ર્યંબકરામ હાઈસ્કૂલના વિદ્યાર્થી ભાવિન નકુમે ધો. ૧૦ ની પરીક્ષામાં ૯૩% ગુણ સાથે ૯૮.પપ પી.આર. તથા એવન ગ્રેડ મેળવી ઉજ્જવળ કારકીર્દિ તરફ આગેકૂચ કરી છે. ભાવિનના પિતા લક્ષ્મણભાઈ શ્રમિક છે, જ્યારે માતા ધર્મિષ્ઠાબેન ગૃહિણી છે. ક્રિકેટનો શોખ ધરાવતો ભાવિન પાઠ્યપુસ્તક આધારિત અધ્યયનને પ્રાધાન્ય આપી સફળતા મેળવી હોવાનું જણાવી આચાર્ય ઓમભાઈ શાસ્ત્રી તથા પ્રિતીબેન શાસ્ત્રી તથા શિક્ષક ધવલ ડાંગર સહિતના ગુરૂજનોનો ઋણ સ્વીકાર કરે છે. ભાવિન વિજ્ઞાન પ્રવાહમાં ઉચ્ચ અભ્યાસ કરી ડોક્ટર બનવાનું સપનું ધરાવે છે.
જાનવી મોનાણીનું એન્જિનિયર બનવાનું લક્ષ્ય
જાનવી મોનાણીએ ધો. ૧૦ માં ૯ર.૮૩% ગુણ સાથે ૯૮.૩૬ પી.આર. અને એવન ગ્રેડ મેળવી પરિવાર તથા સ્કૂલનું ગૌરવ વધાર્યુ છે. જાનવીના પિતા ભાવીનભાઈ બિઝનેસમેન છે તથા માતા દિનાબેન ગૃહિણી છે. સંગીતનો શોખ ધરાવતી જાનવી ગુરૂજનોના સચોટ માર્ગદર્શન અને નિયમિત ત્રણ કલાક વાચનથી સફળતા મેળવી હોવાનું જણાવી એન્જિનિયર બનવાની અભિલાષા વ્યક્ત કરેલ છે.
મીરાબા જાડેજા ડોક્ટર બનવા પ્રતિબદ્ધ
મીરાબા જાડેજાએ ધો. ૧૦ માં ૯ર% ગુણ સાથે ૯૮.૦પ પી.આર. અને એવન-ગ્રેડ મેળવ્યો છે. તેણીના પિતા ભગીરથસિંહ દુકાન ચલાવે છે. જ્યારે માતા નીતાબા ગૃહિણી છે. પોતાની સફળતા માટે મીરાબા શિક્ષક ચંદ્રેશભાઈ સોનછાત્રાના માર્ગદર્શનનો ઋણ સ્વીકાર કરે છે. બેડમિન્ટન રમવાનો શોખ ધરાવતા મીરાબા ડોક્ટર બનવા સંકલ્પબદ્ધ છે.
એન્જલ પીઠડીયા તબીબી ક્ષેત્રે કારકીર્દિ બનાવવા ઉત્સુક
ધો. ૧૦ માં ૯૧% ગુણ તથા ૯૭.૧પ પી.આર. સાથે એવન ગ્રેડ મેળવનાર એન્જલ પીઠડીયાને વાંચન અને સતત અભ્યાસનો જ શોખ હોવાથી સહજતાથી સફળતા મળી છે. એન્જલના પિતા વિશાલભાઈ વેપારી છે તથા માતા પુનિતાબેન ગૃહઉદ્યોગ ચલાવે છે. સર્વે ગુરૂજનોનો ઋણ સ્વીકાર કરી એન્જલ ડોક્ટર બનવાનો સંકલ્પ અભિવ્યક્ત કરે છે.
નજીબા તૈલીને પણ તબીબ બનવાની તમન્ના
નજીબા સલીમભાઈ તૈલીએ ધો. ૧૦ માં ૯૦.૮૩% ગુણ તથા ૯૭.ર પી.આર. સાથે એવન ગ્રેડ મેળવી ઉજ્જવળ કારકીર્દિ નિશ્ચિત કરી છે. નજીબાના માતા સબાનાબેન ગૃહ ઉદ્યોગ ચલાવે છે. નજીબાને પ્રાકૃતિક વાતાવરણમાં ફરવાનો શોખ છે. નિયમિત વાચનથી સફળતા મેળવવાનું જણાવી નજીબા ડોક્ટર બનવાની મહેચ્છા અભિવ્યક્ત કરે છે.
ગોપાલ રામનાણીને બનવું છે એન્જિનિયર
ગોપાલ પ્રેમભાઈ રામનાણીએ ધો. ૧૦ માં ૯ર% ગુણ તથા ૯૮.ર૭ પી.આર. મેળવેલ છે. સાથે એવન ગ્રેડ મેળવી પરિવારનું ગૌરવ વધાર્યુ છે. ચંદ્રેશના માતા જશોદાબેન ગૃહ ઉદ્યોગ ચલાવે છે.
ગોપાલ ચંદ્રેશ સોનછાત્રા, કિશોર સરવૈયા, પ્રિતીબેન શાસ્ત્રી સહિતના ગુરૂજનોના ઋણ સ્વીકાર કરે છે. ક્રિકેટનો શોખ ધરાવતા ચંદ્રેશનું લક્ષ્ય એન્જિનિયર બનવાનું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
એસ.એસ.સી. બોર્ડની પરીક્ષામાં
જામનગરના ગુરુદ્વારા ચોક પાસે સૃષ્ટિ કોમ્પલેક્ષમાં આવેલ સોમૈયા ક્લાસીસે માર્ચ-ર૦ર૪ માં લેવાયેલી ધો. ૧૦ ની બોર્ડની પરીક્ષામાં જવલંત સફળતા પ્રાપ્ત કરી છે. સોમૈયા ક્લાસીસનું પરિણામ ૯૯.૧પ ટકા આવ્યું છે અને ૮ વિદ્યાર્થીઓને એ-વન ગ્રેડ મેળવ્યો છે.
સોમૈયા ક્લાસીસના સંચાલક જતિનભાઈ સોમૈયાએ 'નોબત'ના પત્રકાર દિપક લાંબા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ક્લાસીસનું સંચાલન મારા ઉપરાંત હિતેષભાઈ સોમૈયા અને નિકુંજભાઈ સોમૈયા દ્વારા કરવામાં આવે છે. છેલ્લા રર વર્ષથી અમે નગરના શૈક્ષણિક જગતમાં છીએ.
જતિનભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, અભ્યાસમાં નબળા વિદ્યાર્થીઓ પર પૂરતું ધ્યાન આપવામાં આવે છે. અભ્યાસ માટે ક્લાસીસ તરફથી મટિરિયલ આપવામાં આવે છે. નિયમિત ટેસ્ટ લેવામાં આવે છે. આ ઉપરાંત મોડલ ટેસ્ટ વિદ્યાર્થીઓને સારા ગુણ લાવવામાં ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે. ગુજરાતના નંબર-૧ સોફ્ટવેર દ્વારા શિક્ષણ આપવામાં આવે છે.
મારે કોમ્પ્યુટર એન્જિનિયર બનવું છેઃ હર્ષિત ચાવડા
ધો. ૧૦ મા દરરોજ નિયમિત રીતે પ થી ૬ કલાક અભ્યાસ કરીને હર્ષિત ચાવડાએ ૯૪ ટકા સાથે ૯૮.૯૯ પી.આર. અને એ-વન ગ્રેડ મેળવ્યો છે. સંગીતમાં રૂચિ ધરાવનાર હર્ષિત કોમ્પ્યુટરમાં એન્જિનિયર બનવા માંગે છે.
નિહારિકાની ડોક્ટર બનવાની મહેચ્છા
નિહારિકા પરમારે એસ.એસ.સી. બોર્ડની પરીક્ષામાં ૯૩.૬૭ ટકા અને ૯૮.૮ર પી.આર. સાથે એ-વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. પિતા હેમંતભાઈ બિઝનેસમેન છે અને માતા જ્યોતિબેન ગૃહિણી છે. પરીક્ષામાં સારા ગુણ મેળવવા નિહારિકા ૩ થી ૪ કલાક અભ્યાસ કરતી હતી. ડ્રોઈંગમાં રૂચિ ધરાવનાર નિહારિકા ડોક્ટર બનવા માંગે છે.
નીલનું ઊંચુ લક્ષ્યઃ સી.એ. બનવું છે
નીલ નકુમે ધો. ૧૦ મા ૯૩ ટકા સાથે ૯૮.પપ પી.આર. મેળવ્યા છે. પરીક્ષામાં સારા ગુણ મેળવવા માટે નીલ દરરોજ પ થી ૬ કલાક મહેનત કરતો હતો. ફૂટબોલમાં રૂચિ ધરાવનાર નીલનું સી.એ. બનવાનું સ્વપ્ન છે.
ખેતીકામ કરનાર પિતાના પુત્ર હેતનું કોમ્પ્યુટર એન્જિનિયર બનવાનું સ્વપ્ન
હેત વસોયાએ ધો. ૧૦ ની બોર્ડની પરીક્ષામાં ૯ર ટકા અને ૯૭.૮પ પી.આર. સાથે એ-વન ગ્રેડ મેળવ્યો છે. ખેતીકામ કરનાર પિતા જયેશભાઈ તથા ઘરકામ કરનાર માતા ક્રિષ્નાબેનનો પુત્ર હેતને કોમ્પ્યુટર એન્જિનિયર બનવું છે. હેતને અભ્યાસ ઉપરાંત ક્રિકેટ રમવું તથા વાચનમાં રસ છે.
સાકરિયા દેવે ૯ર ટકા મેળવ્યા
સાકરિયા દેવે દરરોજ પ થી ૬ કલાક અભ્યાસ કરીને ધો. ૧૦ ની પરીક્ષામાં ૯ર ટકા સાથે ૯૮.ર૭ પી.આર. મેળવ્યા છે. પિતા પ્રકાશભાઈને ઈલેક્ટ્રીકની દુકાન છે. દેવને ક્રિકેટ રમવું ગમે છે.
મીરાબાને ડોક્ટર બનવું છે
મીરાબા જાડેજાએ એસ.એસ.સી. પરીક્ષામાં ૯ર ટકા અને ૯૮.૮પ ટકા સાથે એ-વન ગ્રેડ મેળવ્યો છે. પરીક્ષામાં સારા ગુણ મેળવવા તેણી નિયમિત રીતે દરરોજ બે થી ત્રણ કલાક અભ્યાસ કરતી હતી. અભ્યાસ ઉપરાંત બેડમિન્ટનમાં રૂચિ ધરાવનાર મીરાબાને ડોક્ટર બનીને માનવ સેવા કરવી છે.
નેત્રાનું સી.એ. બનવાનું સ્વપ્ન
નેત્રા પિઠડિયાએ એસ.એસ.સી. પરીક્ષામાં ૯૧ ટકા અને ૯૭.૧પ પી.આર. સાથે એ-વન ગ્રેડ મેળવ્યો છે. પરીક્ષમાં સારા ગુણ મેળવવા માટે નેત્રા દરરોજ ૩ થી ૪ કલાક અભ્યાસ કરતી હતી. પિતા હિરેનભાઈ શેરમાર્કેટ સાથે સંકળાયેલા છે અને માતા પૂનમબેન હાઉસવાઈફ છે. ચિત્રમાં રૂચિ ધરાવનાર નેત્રા ડોક્ટર બનીને માનવ સેવા કરવા માંગે છે.
દેવાંશીને ડોક્ટર બનવાની અભિલાષા
દેવાંશી મજીઠિયાએ ધો. ૧૦ ની પરીક્ષામાં ૯૧ ટકા સાથે ૯૧.૧પ પી.આર. અને એ-વન ગ્રેડ મેળવ્યો છે. પિતા મનિષભાઈ દુકાન ધરાવે છે અને માતા મિનાક્ષીબેન ગૃહિણી છે. ડ્રોઈંગમાં રૂચિ ધરાવનાર દેવાંશી આગળ ડોક્ટર બનવા માંગે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
જામનગર તા.૧૧: જામનગરના રણજિતસાગર રોડ પર આવેલા જોષી ક્લાસીસે ફરી એક વખત બોર્ડની પરીક્ષામાં જ્વલંત સફળતા મેળવી છે. ધો. ૧૦ ની બોર્ડની પરીક્ષામાં જોષી ક્લાસીસે ૧૦૦ ટકા પરિણામ પ્રાપ્ત કરીને જામનગરના શૈક્ષણિક જગતમાં એક અલગ સ્થાન પ્રાપ્ત કર્યું છે.
જોષી ક્લાસીસના સંચાલક દિનેશ જોષીએ પત્રકાર દીપક લાંબા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ધો. ૧૦માં કુલ ૭ વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. ક્લાસીસમાં સમયસર અભ્યાસક્રમ પૂર્ણ કરી દેવામાં આવે છે. આ ઉપરાંત નબળા વિદ્યાર્થીઓ પર પૂરતું ધ્યાન આપવામા આવે છે. શિક્ષકો તથા વિદ્યાર્થીઓની સંયુક્ત મહેનત, નિયમિત ટેસ્ટ સિરીઝ, સહિતની બાબતના કારણે જોષી ક્લાસીસ દર વર્ષે બોર્ડની પરીક્ષામાં ઉચ્ચ પરિણામ મેળવવામાં સફળ રહે છે.
રિયાનું ડોક્ટર બનવાનું સ્વપ્ન
સરવૈયા રિયાએ ધો. ૧૦ ની બોર્ડની પરીક્ષામાં ૯૮ ટાક અને ૯૯.૯૮ પી.આર. સાથે એ-વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. પિતા પંકજભાઈ (લાખાબાવળ) પીએચસીમાં હેલ્થ સુપરવાઈઝર છે. જ્યારે માતા રેખાબેન શિક્ષિકા છે. રિયાએ ગણિત અને સામાજિક વિજ્ઞાનમાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ પ્રાપ્ત કરીને સરવૈયા પરિવાર તથા જોષી ક્લાસીસનું ગૌરવ વધાર્યું છે. અભ્યાસ ઉપરાંત ચિત્રકલામાં રૂચિ ધરાવનાર રિયા આગળ અભ્યાસ કરીને ડોક્ટર બનવા ઈચ્છે છે.
ખુશએ ધો.૧૦માં ૯૫.૧૬ ટકા મેળવ્યાઃ
ખુશ અમૃતિયાએ બોર્ડની પરીક્ષામાં ૯૫.૧૬ ટકા અને ૯૯.૪૭ પી.આર. સાથે એ-વન ગ્રેડ પ્રાપ્ત કરીને ક્લાસીસનું ગૌરવ વધાર્યું છે. પરીક્ષામાં સારા ગુણ પ્રાપ્ત કરવા માટે ખુશ દરરોજ ૫ થી ૭ કલાક અભ્યાસ કરતો હતો. ખુશના પિતા વસંતભાઈ અને માતા પ્રવીણાબેન શિક્ષક છે. અભ્યાસ ઉપરાંત ક્રિકેટમાં રૂચિ ધરાવનાર ખુશ સાયન્સમાં એ-ગ્રુપ રાખી આઈઆઈટીમાં અભ્યાસ કરવા ઈચ્છે છે.
નીલની એન્જિનિયર બનવાની તમન્ના
નીલ રંગાણીએ ધો. ૧૦ની બોર્ડની પરીક્ષામાં ૯૪.૫૦ ટકા અને ૯૯.૨૧ પીઆર સાથે એવન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. પિતા મહેશભાઈ બ્રાસપાર્ટમાં કામ કરે છે. અને માતા ભાવનાબેન હાઉસવાઈફ છે. નીલ આગળ અભ્યાસ કરીને એન્જિનિયર બનવા માગે છે.
સોહમની સોફ્ટવેર એન્જિનિયર બનવાની તમન્ના
સોહમ ભગતાણીએ બોર્ડની પરીક્ષામાં ૯૨.૬૬ ટકા અને ૯૮.૨૭ પી.આર. સાથે એવન ગ્રેડ મેળવવામાં સફળતા પ્રાપ્ત કરી છે. પરીક્ષામાં જ્વલંત સફળતા મળે તે માટે સોહમ દરરોજ ૧૨ કલાક અભ્યાસ કરતો હતો. અભ્યાસ ઉપરાંત ક્રિકેટમાં રૂચિ ધરાવનાર સોહમ સોફ્ટવેર એન્જિનિયર બનવા માગે છે.
અદિતીને સી.એ. બનવાની મહેચ્છા
અદિતી ગોસ્વામીએ સખત પરિશ્રમ કરીને ધો. ૧૦ની બોર્ડની પરીક્ષામાં ૯૨.૧૦ ટકા અને ૯૮.૧૭ પી.આર. પ્રાપ્ત કર્યા છે. અદિતીને અભ્યાસ ઉપરાંત પેઈન્ટિંગમાં રૂચિ છે. અદિતી આગળ અભ્યાસ કરીને સી.એ. બનવા માગે છે.
રાજવીરને શિક્ષક બનવું છે.
રાજવીર કણઝારીયાએ દરરોજ ૧૧ થી ૧૨ કલાક અભ્યાસ કરીને ધો. ૧૦ ની બોર્ડની પરીક્ષામાં ૯૧.૫૦ ટકા અને ૯૭.૫૧ પી.આર. સાથે એવન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. પિતા ભવાનભાઈ બિલ્ડર છે. અને માતા જયશ્રીબેન ગૃહિણી છે. ક્રિકેટમાં રસ ધરાવનાર રાજવીર શિક્ષક બનવા માગે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ધો. ૧૨ કોમર્સની બોર્ડની પરીક્ષામાં
જામનગર તા. ૧૪: જામનગરના કલ્યાણજીચોક, દેવબાગમાં આવેલ ૯ નવકાર સ્ટડી સેન્ટરે ગુજરતના શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-ર૦ર૪ માં લેવાયેલી ધો. ૧ર કોમર્સની પરીક્ષામાં ૯૮ ટકા જેટલું ઉત્કૃષ્ટ પરિણામ મેળવવામાં સફળતા મેળવી છે.
૯ નવકાર સ્ટડી સેન્ટરના સંચાલક અને શિક્ષક હિરેન નરેન્દ્રભાઈ વોરાએ 'નોબત'ના પત્રકાર દિપક લાંબા સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે અમારૂ સ્ટડી સેન્ટર ૧૦ વર્ષથી કાર્યરત છે, જ્યારે હું છેલ્લા ર૪ વર્ષથી ટિચિંગ લાઈનમાં છું. અમારા સેન્ટરમાં તમામ ધો. ૧ થી ૧ર ના તમામ વિષય ભણાવવામાં આવે છે.
હિરેનભાઈ વોરાએ વધુમાં જણાવ્યું હતું કે, સેન્ટરના ચાર વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. બે વિદ્યાર્થીઓએ આંકડાશાસ્ત્રમાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ મેળવ્યા છે. અમારૂ સેન્ટર 'વિદ્યા સર્વસ્વ ભૂષણમ્'માં માને છે,અને બિલિવ ઈન યોરસેલ્ફ (સ્વયં પર વિશ્વાસ રાખો) એ અમારો મંત્ર છે. સેન્ટરમાં એક ક્લાસમાં ૧પ થી ર૦ વિદ્યાર્થીઓનો જ સમાવેશ કરવામાં આવે છે. સમયસર એટલે કે ડિસેમ્બર માસમાં જ અભ્યાસક્રમ પૂર્ણ કરી દેવામાં આવે છે. પેપર સેટના રિવિઝન સાથે નબળા વિદ્યાર્થીઓ પર વધુ ધ્યાન આપવામાં આવે છે. ડિસેમ્બર પછી ૧૦૦ ગુણની ૩૦ પરીક્ષાઓ લેવામાં આવે છે. આ ઉપરાંત શિક્ષકો તથા વિદ્યાર્થીઓના સંયુક્ત પરિશ્રમના કારણે અમારા સ્ટડી સેન્ટરનું પરિણામ દર વર્ષે આટલું સારૂ આવે છે. સેન્ટરમાં વ્યાજબી ફી લેવામાં આવે છે.
નેન્સીને સી.એ. બનવું છે
નેન્સી એન. ઝવેરીએ ધો. ૧ર કોમર્સની બોર્ડની પરીક્ષામાં ૯૯.૯૦ પી.આર. સાથે એ-વન ગ્રેડ સાથે સેન્ટ આન્સ હાઈસ્કૂલમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરીને ઝવેરી પરિવાર તથા ૯ નવકાર સ્ટડી સેન્ટરનું ગૌરવ વધાર્યું છે. પરીક્ષામાં સારા ગુણ મેળવવા માટે નેન્સી દરરોજ ૭ થી ૮ કલાક અભ્યાસ કરતી હતી. પેન્ટીંગમાં રૂચિ કરાવનાર નેન્સી સી.એ. બનવા માંગે છે.
જિયાની બેન્કર બનવાની તમન્ના
ધો. ૧ર કોમર્સમાં દરરોજ પ થી ૭ કલાક અભ્યાસ કરીને જિયા મહેતાએ બોર્ડની પરીક્ષામાં ૯૯.૮૦ પી.આર. સાથે એ-વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. અભ્યાસ સિવાય સ્ટેનોગ્રાફીમાં રૂચિ ધરાવનાર જિયા બેન્કર બનવા માંગે છે.
વંશએ ધો. ૧ર કોમર્સમાં ૯૯.પ૭ પી.આર. મેળવ્યા
વંશ એન. ઝવેરીએ ધો. ૧ર કોમર્સની બોર્ડની પરીક્ષામાં ૯૯.પ૭ પી.આર. સાથે એલ.જી. હરિયા સ્કૂલમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. વંશ આગળ સીએફએનો અભ્યાસ કરવા માંગે છે. બોર્ડની પરીક્ષામાં ઉચ્ચ ગુણાંક મેળવવા માટે વંશ દરરોજ ૧૦ થી ૧ર કલાક અભ્યાસ કરતો હતો. વંશને અભ્યાસ ઉપરાંત ક્રિકેટ રમવામાં રૂચિ છે.
કાવ્યા પારેખનું સી.એ. બનવાનું સ્વપ્ન
કાવ્યા પારેખે ધો. ૧ર કોમર્સની બોર્ડની પરીક્ષામાં ૯૯.૪૭ પી.આર. પ્રાપ્ત કર્યા છે. કાવ્યા દરરોજ પ થી ૬ કલાક અભ્યાસ કરતી હતી. પિતા નીરવભાઈને બાંધણીનો ધંધો છે અને માતા બિજલબેન શિક્ષિકા છે. અભ્યાસ ઉપરાંત સ્ટેનોગ્રાફીમાં રૂચિ ધરાવનાર કાવ્યાનું સી.એ. બનવાનું સ્વપ્ન છે.
મીતની જી.પી.એસ.સી.ની પરીક્ષા પાસ કરવાની તમન્ના
કનખરા મીતએ દરરોજ નિયમિત રીતે ૩ થી ૪ કલાક અભ્યાસ કરીને ધો. ૧ર કોમર્સની બોર્ડની પરીક્ષામાં ૯પ.ર૯ પી.આર. પ્રાપ્ત કર્યા છે. મુસાફરીમાં રસ ધરાવનાર મીત આગળ જી.પી. એસ.સી.ની પરીક્ષા પાસ કરવા માંગે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
પચ્ચીસ વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ મેળવ્યોઃ
જામનગરની કાલિંદી સ્કૂલે ફરી એક વખત બોર્ડની પરીક્ષામાં મેદાન માર્યું છે. ૯પ ટકા જેટલું સારૂ પરિણામ પ્રાપ્ત કરીને કાલિંદી સ્કૂલે જામનગરના શિક્ષણ જગતમાં પોતાનું અલગ સ્થાન બનાવી લીધું છે. શાળાનું સંચાલન મયુરભાઈ મુંગરા કરે છે અને આચાર્ય અતુલભાઈ ડોબરિયા છે.
શાળાના વાઈસ પ્રિન્સિપાલ વિજયભાઈ ભંડેરીએ પત્રકાર દિપક લાંબા સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે, જામનગરના રણજીતસાગર રોડ, પટેલ પાર્ક પાછળ, વૃંદાવન સોસાયટી-૩ મા કાલિંદી સ્કૂલ આવેલી છે. માર્ચ-ર૦ર૪ માં લેવાયેલી ધો. ૧૦ ની બોર્ડની પરીક્ષામાં અમારી શાળાના પચ્ચીસ વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ અને ૩૮ વિદ્યાર્થીઓએ એ-ટુ ગ્રેડ પ્રાપ્ત કરવામાં સફળતા મેળવી છે. જામનગરના શૈક્ષણિક જગતમાં ૧૪ વર્ષથી અમો કાર્યરત છીએ.
વિજયભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, શાળાનું મેનેજમેન્ટ અને શિક્ષકો તથા વિદ્યાર્થીઓની મહેનતના ત્રિવેણી સંગમના કારણે અમારી શાળા પ્રતિવર્ષ આટલું સારૂ પરિણામ મેળવવામાં સફળ રહે છે. શાળામાં વિશાળ પ્લે ગ્રાઉન્ડ છે. કોમ્પ્યુટર લેબ, લાયબ્રેરી, રીડીંગ રૂમ અને સ્માર્ટ ક્લાસની સુવિધા છે. આ ઉપરાંત 'વીઆર લેબ' ધરાવતી જામનગરની પ્રથમ સ્કૂલ કાલિંદી સ્કૂલ છે. શાળામાં નિયમિત ટેસ્ટ લેવામાં આવે છે.
યશ્વીનું કોમ્પ્યુટર એન્જિનિયર બનવાનું સ્વપ્ન
યશ્વી અમીપરાએ ધો. ૧૦ ની બોર્ડની પરીક્ષામાં ૯૭ ટકા અને ૯૯.૯૧ પી.આર. સાથે એ-વન ગ્રેડ પ્રાપ્ત કરીને શાળાનું ગૌરવ વધાર્યું છે. પરીક્ષામાં સફળતા મેળવવા માટે યશ્વી ડે-ટુ-ડે વર્ક અને રિવિઝન કરતી હતી. યશ્વીના પિતા મહેશભાઈ બ્રાસપાર્ટમાં છે અને માતા મિતાબેન હાઉસવાઈફ છે. અભ્યાસ ઉપરાંત ડ્રોઈંગ અને ટ્રાવેલિંગમાં રૂચિ ધરાવનાર યશ્વી કોમ્પ્યુટર એન્જિનિયર બનવા માંગે છે.
ક્રિષાની કોમ્પ્યુટર એન્જિ. બનવાની તમન્ના
ક્રિષા દિનેશભાઈ પીપરિયાએ એસ.એસ.સી. બોર્ડની પરીક્ષામાં સખત મહેનત કરીને ૯૬.૮૩ ટકા અને ૯૯.૮૯ પી.આર. સાથે એ-વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. ક્રિષાના પિતા દિનેશભાઈ બ્રાસપાર્ટ-ફોરઝંગ સાથે સંકળાયેલા છે અને માતા અસ્મિતાબેન ગૃહિણી છે. ડ્રોઈંગ-ક્રાફ્ટ અને ટ્રાવેલીંગમાં રૂચિ ધરાવનાર ક્રિષા કોમ્પ્યુટર એન્જિનિયર બનવા માંગે છે.
જાનવીને બિઝનેસ વુમન બનવું છે
જાનવી સંઘાણીએ ધો. ૧૦ મા ૯ર.૩૩ ટકા અને ૯૮.૦પ પી.આર. સાથે એ-વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. જાનવી આગળ એમબીએનો અભ્યાસ કરીને બિઝનેસ વુમન બનવા માંગે છે. જાનવીને ટ્રાવેલીંગ કરવું ગમે છે.
આયુષની સોફ્ટવેર એન્જિ. બનવાની અભિલાષા
આયુષ અજુડિયાએ બોર્ડની પરીક્ષામાં સખત મહેનત કરીને ૯૪.૮૬ ટકા અને ૯૯.૩પ પી.આર. મેળવ્યા છે. પિતા મનિષભાઈ અજુડિયા ઈલેક્ટ્રીશ્યન છે અને માતા અલ્પાબેન ગૃહિણી છે. ક્રિકેટમાં રૂચિ ધરાવનાર આયુષને સોફ્ટવેર એન્જિનિયર બનવું છે.
મારે સી.એ. બનવું છેઃ કુંજન
કુંજન ગુસાઈએ એસ.એસ.સી. બોર્ડની પરીક્ષામાં ૯ર.પ૦ ટકા અને ૯૮.૧૦ પી.આર. સાથે એ-વન ગ્રેડ પ્રાપ્ત કરીને ગુસાઈ પરિવારનું ગૌરવ વધાર્યું છે. પિતા વિમલભાઈ ફોટોગ્રાફર અને માતા ભારતીબેન શિક્ષિકા છે. ક્રિકેટ રમવાનું પસંદ કરનાર કુંજન સી.એ. બનવા માંગે છે.
હું સોફ્ટવેર એન્જિનિયર બનવા માંગુ છું: આદિત્ય
ઢચા આદિત્યએ દરરોજ ૩ થી ૪ કલાક નિયમિત અભ્યાસ કરીને ધો. ૧૦ મા ૯૪.૮૬ ટકા સાથે ૮૯.૩પ પી.આર. મેળવ્યો છે. પિતા નરેશભાઈ ગુજરાત ગેસમાં મટિરિયલ ઓફિસર છે અને માતા સોનલબેન ગૃહિણી છે આદિત્ય સોફ્ટવેર એન્જિનિયર બનવા માંગે છે.
તીર્થની સોફ્ટવેર એન્જિનિયર બનવાની મહેચ્છા
તીર્થ પાગડારએ નિયમિત રીતે ર થી ૩ કલાક અભ્યાસ કરીને બોર્ડની પરીક્ષામાં ૯૬.૩૩ ટકા સાથે ૯૯.૮૦ પી.આર. મેળવ્યા છે. પિતા ભાવેશભાઈ અનાજ-કરિયાણાના વેપારી છે અને માતા અંજનાબેન ગૃહિણી છે. રમતગમત અને સંગીતમાં રૂચિ ધરાવનાર તીર્થ સોફ્ટવેર એન્જિનિયર બનવા માંગે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ચમકના સિખાતે હૈ હમ, સિતારે બનાતે હૈ હમ
જામનગરની બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સનું બોર્ડનું ધો. ૧૦ નું ઉત્કૃષ્ટ પરિણામ આવ્યું છે. આ વર્ષે પણ સ્કૂલનાં વિદ્યાર્થીઓએ ઊંચી ટકાવારી અને ટોપ ગ્રેડ મેળવતા સ્કૂલની વર્ષોની પરંપરા શાન સાથે આગળ વધારી છે.સ્કૂલનાં ૧૧ સ્ટુડન્ટે એવન ગ્રેડ મેળવી તથા ૩૧ સ્ટુડન્ટે ૯૮ પ્લસ પી.આર. મેળવી સ્કૂલનું ગૌરવ વધાર્યુ છે.
શિક્ષક દંપતીની પુત્રી સ્વાતિ આંબલીયાએ સ્કૂલમાં મેળવ્યો પ્રથમ ક્રમ
સ્વાતિ આંબલિયાએ ધો. ૧૦ માં ૯૬.૫% ગુણ સાથે ૯૯.૮૩ પી.આર. અને એવન ગ્રેડ મેળવી સ્કૂલમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. તેણીનાં પિતા હેમતભાઇ તથા માતા પુરીબેન બંને સરકારી સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. વોલીબોલ રમવાનો શોખ ધરાવતી સ્વાતિએ નિયમિત કલાકોનાં વાચનથી ધાર્યું પરિણામ મેળવ્યુ છે. તેણી તમામ શિક્ષકગણનો આભાર માની વિજ્ઞાન પ્રવાહમાં ઉચ્ચ અભ્યાસ કરી ડોક્ટર બનવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
ધરતીપુત્ર વસોયા હેતનું એન્જિનિયર બનવાનું લક્ષ્ય
વસોયા હેતએ ધો. ૧૦ ની પરીક્ષામાં ૯૨% ગુણ સાથે ૯૭.૮૫ પી.આર. તથા એવન ગ્રેડ મેળવ્યો છે.હેતનાં પિતા જયેશભાઇ ખેડૂત છે તથા માતા ક્રિષ્નાબેન ગૃહિણી છે. ક્રિકેટ અને વાચનનો શોખ ધરાવતો હેત નિયમિત ૧૦ કલાક અભ્યાસ કરતો હતો. હેતનું લક્ષ્ય એન્જિનિયર બનવાનું છે.
હર્ષિત ચાવડાનું કોમ્પ્યુટર એન્જિનિયર બનાવનું ધ્યેય
ધો. ૧૦ ની પરીક્ષામાં હર્ષિત ચાવડાએ ૯૪% ગુણ તથા ૯૮.૯૯ પી.આર. સાથે એવન ગ્રેડ મેળવવામાં સફળતા મેળવી છે. તેનાં પિતા જીગ્નેશભાઇ નોકરી કરે છે જ્યારે માતા ભાવનાબેન ગૃહિણી છે. હર્ષિતનાં સહોદર બી.કોમ.માં અભ્યાસ કરે છે. સંગીતનો શોખ ધરાવતો હર્ષિત પોતાની સફળતા માટે ચેતના મેડમ સહિતનાં ગુરૂજનોનો ઋણ સ્વીકાર કરે છે. હર્ષિત કોમ્પ્યૂટર એન્જિનિયર તરીકે કારકિર્દી બનાવવા પ્રતિબદ્ધ છે.
દેવ સાકરીયાનું પણ કોમ્પ્યૂટર એન્જિનિયર બનવાનું લક્ષ્ય
દેવ સાકરીયાએ ધો. ૧૦ માં ૯૨% ગુણ સાથે ૯૮.૨૭ પી.આર. તથા એવન ગ્રેડ મેળવી સાકરીયા પરિવારનું ગૌરવ વધાર્યુ છે. ક્રિકેટનો શોખ ધરાવતા દેવનાં પિતા પ્રકાશભાઇ ઇલેકટ્રીશ્યન છે તથા માતા નીતાબેન ગૃહિણી છે. દેવને કોમ્પ્યુટર એન્જિનિયર બનવાની તમન્ના છે.
મયંક દોમડીયાને કોમ્પ્યુટર ક્ષેત્રે કારકિર્દી બનાવાની ધૂન
ધો. ૧૦ પરીક્ષામાં મયંક દોમડીયાએ ૯૨% ગુણ તથા ૯૭.૮૫ પી.આર. સાથે એવન ગ્રેડ મેળવ્યો છે. મયંકનાં પિતા દિનેશભાઇ ખેતીકામ કરે છે જ્યારે માતા રંજનબેન હાઉસવાઇફ છે. મયંકનાં સહોદર પણ ઉચ્ચ અભ્યાસ કરે છે. ક્રિકેટ અને વાચનનો શોખ ધરાવતા મયંકનું વિજ્ઞાન પ્રવાહમાં ઉચ્ચ અભ્યાસ કરી કોમ્પ્યુટર એન્જિનિયર બનવાનું લક્ષ્ય છે.
સોહમ પરમારે એવન ગ્રેડ મેળવી માતા-પિતાનાં સંઘર્ષને સાર્થક કર્યો
સોહમ પરમારે ધો. ૧૦ માં ૯૨.૫૦% ગુણ સાથે ૯૮.૧૭ પી. આર. તથા એવન ગ્રેડ મેળવી પરમાર પરિવારનું નામ ઉજાળ્યું છે. ક્રિકેટ અને વાચનનો શોખ ધરાવતા સોહમનાં પિતા મનિષભાઇ કડીયાકામ કરે છે જ્યારે માતા ગીતાબેન ગૃહિણી છે. અતુલ સર સહિતનાં ગુરૂજનોનો ઋણ સ્વીકાર કરી સોહમ સોફ્ટવેર એન્જિનિયર તરીકે કારકિર્દી બનાવવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે..
પ્રિયા અગ્રાવતનું આઇપીએસ ઓફિસર બનવાનું સપનું
ધો. ૧૦ માં પ્રિયા અગ્રાવતે ૯૧.૫૦% ગુણ સાથે ૯૭.૫૧ પી.આર. અને એવન ગ્રેડ મેળવ્યો છે. તેણીનાં પિતા મનિષભાઇ સિવિલ એન્જિનિયર છે જ્યારે માતા પારસબેન હાઉસવાઇફ છે. ડાન્સ અને ડ્રોઇંગનો શોખ ધરાવતી પ્રિયા અતુલ કારોલીયા સર સહિતનાં ગુરૂજનોનો ઋણ સ્વીકાર કરે છે. પ્રિયાનું સપનું છે. આઇ.પી.એસ. ઓફિસર બનવાનું અને તેણી એક રક્ષક તરીકે દેશ અને સમાજને સમર્પિત જીવન જીવવાની પ્રતિબદ્ધતા અભિવ્યક્ત કરે છે.
અદિતી ગોસાઇનું લક્ષ્ય છે સીએ બની ઉજ્જવળ કારકિર્દી ઘડવાનું
અદિતી ગોસાઇએ ધો. ૧૦ માં ૯૨.૫૦% ગુણ તથા ૯૮.૧૭ પી.આર. સાથે એવન ગ્રેડ મેળવ્યો છે. તેણીનાં પિતા સતિષગીરી એસ્સાર કંપનીમાં કાર્યરત છે જ્યારે માતા આશાબેન ગૃહિણી છે. પેઇન્ટીંગ નો શોખ ધરાવતી અદિતી કોમર્સમાં ઉચ્ચ અભ્યાસ પછી સી.એ. બનવાનું લક્ષ્યાંક ધરાવે છે.
માનવ દલાવડીનો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનાવનો નિર્ધાર
ધો. ૧૦ માં માનવ દલવાડીએ ૯૦.૬૭% ગુણ સાથે ૯૬ પી.આર. અને એવન ગ્રેડ મેળવ્યા છે.ક્રિકેટ અને ધર્માભ્યાસનો શોખ ધરાવતા માનવનાં પિતા અલ્પેશભાઇ કડીયાકામ કરે છે જ્યારે માતા સીમાબેન હાઉસવાઇફ છે. માનવ અતુલ સર સહિતનાં ગુરૂજનોનો આભાર માની કોમર્સમાં ઉચ્ચ અભ્યાસ કરી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવાની અભિલાષા અભિવ્યક્ત કરે છે.
એકતા ખીમસૂરીયાનું કોમ્પ્યૂટર એન્જિનિયર બનવાનું સપનું
ધો. ૧૦ માં એકતા ખીમસૂરીયાએ ૯૩.૬૬% ગુણ સાથે ૯૮.૮૨ પી.આર. મેળવી એવન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. તેણીનાં પિતા વસંતભાઇ આર્ટીસ્ટ છે જ્યારે માતા નિર્મળાબેન ગૃહિણી છે. વાચન અને વ્યાયામનો શોખ ધરાવતી એકતાએ નિયમિત ૫ કલાક વાંચનથી બોર્ડમાં ઊંચું પરિણામ મેળવ્યું છે. તેણી રવિરાજસિંહ સોઢા તથા કારોલીયા અતુલ સરનો આભાર માને છે તેમજ કોમ્પ્યૂટર એન્જિનિયર બનવાનો સંકલ્પ અભિવ્યક્ત કરે છે.
રાધિકા નકુમને
આઇએએસ થવાની મહેચ્છા
રાધિકા નકુમે ધો. ૧૦ ની પરીક્ષામાં ૮૯% ગુણ તથા ૯૫.૫૪ પી.આર. સાથે એટુ ગ્રેડ મેળવ્યો છે. તેણીનાં પિતા અશ્વિનભાઇ સેલ્સમેન છે જ્યારે માતા શાંતિબેન ગૃહિણી છે. વાંચનનો શોખ ધરાવતી રાધિકા કોમર્સમાં ઉચ્ચ અભ્યાસ પછી યુ.પી.એસ.સી. ક્રેક કરી આઇ.એ.એસ. ઓફિસર બનવાનું સપનું ધરાવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ફલીયા ૫રિવારનું ગૌરવઃ
જામનગર તા. ૧૩: જામનગની તપોવન વિદ્યાલય અને વિશ્વાસ ક્લાસીસની વિદ્યાર્થીની જીલ પરેશભાઈ ફલીયાએ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધો. ૧૦ ની બોર્ડની પરીક્ષામાં ૭૬% ગુણ પ્રાપ્ત કરીને ફલીયા પરિવારનું ગૌરવ વધાર્યુ છે. પરીક્ષામાં સારા ગુણ મેળવવા માટે જીલ દરરોજ ૩ થી ૪ કલાક અભ્યાસ કરતી હતી. જીલના પિતા પરેશભાઈ ફલીયા 'નોબત' ના ફોટો જર્નાલીસ્ટ છે, અને માતા શિતલબેન ગૃહિણી છે. તેને મળેલી આ સફળતાનો શ્રેય માતા-પિતા, શિક્ષકો તેમજ સતત સાથ-સહકાર આપનાર મોટા બહેન દિવ્યાબહેનને આપ્યો છે. પિતા પરેશભાઈને આદર્શ માનનાર અને બેડમિન્ટન રમવામાં રૂચી ધરાવનાર જીલ પોલીસ બનીને દેશ સેવા કરવા માંગે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
તબીબ માતા-પિતાની પુત્રી જામનગરની
જામનગર તા. ૧૩: જામનગર સ્થિત સત્યસાઈ સ્કૂલ અને ગ્રેવીટી ક્લાસીસની વિદ્યાર્થિની વ્યોમીની ભાવેશ મહેતાએ બોર્ડની પરીક્ષામાં જવલંત સફળતા પ્રાપ્ત કરી છે. વ્યોમીનીએ એચ.એસ.સી. વિજ્ઞાન પ્રવાહમાં ૯ર.૪૬ ટકા અને ૯૯.૮૧ પી.આર. સાથે એવન ગ્રેડ પ્રાપ્ત કરીને મહેતા પરિવાર, શાળા તથા ક્લાસીસનું ગૌરવ વધાર્યુ છે.
વ્યોમીની જામનગરના જાણીતા સ્કીન સ્પેશ્યાલીસ્ટ ડો. ભાવેશ મહેતા તથા ડો. ઝરણાબેન મહેતાની પુત્રી છે તથા નગરના અગ્રણી કાર્યકર્તા એ.કે. મહેતાની પૌત્રી છે. વ્યોમીનીએ સાયન્સના વિષયોની સાથે ભાષાના વિષયો તથા પ્રેક્ટીકલમાં પણ સારા ગુણ મેળવ્યા છે.
વ્યોમીની માતા-પિતાના પગલે ચાલીને ડોક્ટર બનીને માનવ સેવા કરવા માંગે છે. વ્યોમીનીએ તેની સફળતાનો શ્રેય ઈશ્વર, માતા-પિતા, પરિવારજનો અને શાળા તથા ક્લાસીસના શિક્ષકોના યોગ્ય માર્ગદર્શન અને સહકારને આપ્યો હતો.
બોર્ડની પરીક્ષામાં જવલંત સફળતા મળે તે માટે વ્યોમીની દરરોજ ૮ થી ૧૦ કલાક અભ્યાસ કરતી હતી. નિયમિત વાંચન, પદ્ધતિસરનું આયોજન અને તણાવથી દૂર રહીને તેણીએ આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. મહેનતની સાથે-સાથે ક્વોલિટી રીડીંગ અને કન્સેપ્ટ ક્લીયારીટી પર વ્યોમીની ભાર મૂકે છે. વ્યોમીનીએ અન્ય વિદ્યાર્થીઓને ખોટા ઉજાગરા તથા સ્ટ્રેસથી દૂર રહેવાની સલાહ આપી છે. તેણીને અભ્યાસ ઉપરાંત રીડીંગ તથા કૂકીંગમાં રૂચી છે. ખેલ મહાકુંભમાં ર૦૦ મી. દોડમાં શહેર કક્ષાએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું. આ ઉપરાંત ઓલીપીયાર્ડની પરીક્ષાઓમાં ઘણાં મેડલ મેળવ્યાં છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
જામનગરની કેડમસ સોઢા સ્કૂલે આ વર્ષે પણ ધો. ૧૦ બોર્ડમાં ઉત્કૃષ્ટ પરિણામોની પરંપરા જાળવી રાખી છે. સી.ઈ.ઓ. એક્તાબા સોઢાની લીડરશીપમાં સંદિપસિંહ જાડેજા, ભૂપેન્દ્રસિંહ વાળા, બીનાબા વાળા, જે.કે. ગઢવી, અમિતસર, કલ્પેશસર, મિન્ટુ મેમ, ગિરીરાજ સર, જીગ્નેશ સર, હેમાક્ષી મેમ પ્રવિણા મેમ, જયદિપસર, કૃપા મેમ, પરેશસર, જસ્મિન મેમ, કોમલ મેમ સહિતના ગુરુજનોના પ્રયાસોનું પ્રતિબિંબ વિદ્યાર્થીઓના ઝળહળતા પરિણામોમાં ઝીલાયું છે એમ કહી શકાય.
હરસિદ્ધિ મોરીને ડોક્ટર બનવાની ઈચ્છા
હરસિદ્ધિ મોરીએ ધો. ૧૦ મા ૯૩ ટકા ગુણ, ૯૮.૪૬ પી.આર. તથા એ-વન ગ્રેડ મેળવી ડોક્ટર બનવાના પોતાના સપનાને સાકાર કરવા તરફ મક્મ આગેકૂચ કરી છે. તેણીના પિતા સવજીભાઈ શ્રમિક છે જ્યારે માતા નીતાબેન ગૃહિણી છે. નિયમિત વાચનનો શોખ ધરાવતી હરસિદ્ધિ જશુ મેડમનો ઋણસ્વીકાર કરી ઉજ્જવળ કારકિર્દી બનાવવા પ્રતિબદ્ધતા દર્શાવે છે.
શિવાની સોનગ્રા તબીબ થવા માટે પ્રતિબદ્ધ
શિવાની સોનગ્રાએ ધો. ૧૦ મા ૯૧.૩૩ ટકા ગુણ સાથે ૯૭.૪૦ પી.આર. તથા એ-વન ગ્રેડ મેળવ્યો છે. તેણીના પિતા ગોકરભાઈ જોબ કરે છે, જ્યારે માતા નમ્રતાબેન ગૃહિણી છે. શિવાની વાચનનો શોખ ધરાવે છે અને ભવિષ્યમાં પણ સાતાત્યપૂર્ણ પરિશ્રમ કરી ડોક્ટર બનવાની પ્રતિબદ્ધતા અભિવ્યક્ત કરે છે.
ધુવી પરમારને કોમ્પ્યુટર સાયન્સ ક્ષેત્રે ઘડવી છે કારકિર્દી
ધ્રુવી પરમારે ધો. ૧૦ મા ૯૭ ટકા ગુણ તથા ૯૯.૯૧ પી.આર. સાથે એ-વને ગ્રેડ મેળવી પરમાર પરિવારનું ગૌરવ વધાર્યું છે. ધ્રુવીના પિતા ભરતભાઈ એન્જિનિયર છે તથા માતા ઉર્મીલાબેન ગૃહિણી છે. ધ્રુવી વિજ્ઞાન પ્રવાહમાં ઉચ્ચ અભ્યાસ કરી કોમ્પ્યુટર સાયન્સ ક્ષેત્રે કારકિર્દી બનાવવા પ્રતિબદ્ધ છે.
હિનાબા ઝાલાનું લક્ષ્ય કોમ્પ્યુટર એન્જિનિયર બનવાનું
હિનાબા ઝાલાએ ધો. ક્ષ૦ મા ૯૭.૩૩ ટકા ગુણ સાથે ૯૯.૯૪ પી.આર. સાથે એ ગ્રેડ મેળવી ઉત્કૃષ્ટ પરિણામ પ્રાપ્ત કર્યું છે. તેણીના પિતા મહિપાલસિંહ ડ્રાયવર છે તથા મોટાબહેન ક્રિશીકાબા ધો. ૧ર વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરે છે. પોતાની સફળતા માટે બધા ગુરુજનોનો આભાર માની હિનાબા વિજ્ઞાન પ્રવાહમાં ઉચ્ચ અભ્યાસ કરી કોમ્પ્યુટર એન્જિનિયર બનવાનો નિર્ધાર અભિવ્યક્ત કરે છે.
દૃષ્ટિ બારોટને સોફ્ટવેર એન્જિનિયર બનવાની ઈચ્છા
ધો. ૧૦ મા દૃષ્ટિ બારોટે ૯પ.૬૭ ટકા ગુણ સાથે ૯૯.૬૪ પી.આર. તથા એ-વન ગ્રેડ મેળવ્યો છે. તેણીના પિતા જીતેન્દ્રભાઈ પેઈન્ટર છે તથા માતા જયશ્રીબેન ગૃહિણી છે. વાચન અને મ્યુઝિકનો શોખ ધરાવતી દૃષ્ટિ નિયમિત અભ્યાસથી સફળતા મેળવી હોવાનું જણાવી વિજ્ઞાન પ્રવાહમાં ઉચ્ચ અભ્યાસ કરવાનું જણાવી સોફ્ટવેર એન્જિનિયર બનવાની ઈચ્છા અભિવ્યક્ત કરે છે.
જયરાજસિંહ જાડેજાને સી.એ. બનવાની ઈચ્છા
જયરાજસિંહ જાડેજાએ ધો. ૧૦ મા ૯ર.પ૦ ટકા ગુણ સાથે ૯૮.૧૭ પી.આર. તથા એ-વન ગ્રેડ મેળવ્યો છે. તેના પિતા ગુમાનસિંહ ખેડૂત છે તથા માતા ધરમબા ગૃહિણી છે. ક્રિકેટ, સંગીત તથા દોડવાનો શોખ ધરાવતા જયરાજસિંહે શિક્ષકોના માર્ગદર્શન મુજબ તૈયારી કરી સચોટ સફળતા મેળવી છે. તે કોમર્સમાં ઉચ્ચ અભ્યાસ કરી એમ.બી.એ. કરવાની તથા સી.એ. બનવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
અલ્કા સોલંકીને યુપીએસસી ક્રેક કરવાની ઈચ્છા
અલ્કા સોલંકીએ ધો. ૧૦ મા ૯પ.પ૦ ટકા ગુણ સાથે ૯.પ૯ પી.આર. સાથે એ-વન ગ્રેડ મેળવી ધાર્યું પરિણામ મેળવ્યું છે. તેણીના પિતા નિલેશભાઈ ફરસાણના વિક્રેતા છે, જ્યારે માતા ઉષાબેન ગૃહિણી છે. ડાન્સ અને કૂકીંગનો શોખ ધરાવતી અલ્કા નિયમિત વાચન અને લેખનના મહાવરાથી સફળતા મેળવી હોવાનું જણાવી બી.કોમ કરી યુ.પી.એસ.સી. ક્રેક કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
રિદ્ધિ સોલંકીનું આઈ.પી.એસ. ઓફિસર બનવાનું ધ્યેય
રિદ્ધિ સોલંકીએ ધો. ૧૦ મા ૯૪ ટકા ગુણ સાથે ૯૮.૭૭ પી.આર. તથા એ-વન ગ્રેડ મેળવી સોલંકી પરિવારનું ગૌરવ વધાર્યું છે. તેણીના પિતા નિલેશભાઈ ફરસાણના વિક્રેતા છે જ્યારે માતા ઉક્ષાબેન ગૃહિણી છે. રીડીંગ તથા કૂકીંગનો શોખ ધરાવતી રિદ્ધિ બધા ગુરુજનોનો ઋણસ્વીકાર કરી ઉચ્ચ અભ્યાસ પછી આઈ.પી.એસ. ઓફિસર બનવાનું લક્ષ્ય હોવાનું જણાવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
અંગ્રેજી માધ્યમમાં બોર્ડમાં સાતત્યપૂર્ણ પરિણામની પરંપરા જાળવી
જામનગરની પ્રતિષ્ઠિત એલ.જી.હરીયા સ્કૂલનું અંગ્રેજી માધ્યમનું ધો. ૧૦ નું ૯૭% પરીણામ આવ્યું છે. સ્કૂલનાં ૩ વિદ્યાર્થી એવન ગ્રેડ મેળવવામાં સફળ થયા છે જ્યારે ૪૧ વિદ્યાર્થીએ એટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. સ્કૂલનાં ગુરૂજનોએ તેજસ્વી વિદ્યાર્થીઓ તથા તેમનાં વાલીઓ સાથે 'નોબત' ની મુલાકાત લઇ શૈક્ષણિક સફળતા અંગે સંવાદ કર્યો હતો.
કાવ્યા ધોળકીયાનું ડોક્ટર બનવાનું લક્ષ્ય
ધો. ૧૦ માં કાવ્યા ધોળકીયાએ ૯૪.૫% ગુણ તથા ૯૯.૨૧ પી.આર. સાથે એવન ગ્રેડ મેળવી ધોળકીયા પરીવારનું ગોરવ વધાર્યું છે. કાવ્યાનાં પિતા જીજ્ઞેશભાઇ રિલાયન્સમાં મેનેજર તરીકે સેવારત છે જ્યારે માતા બ્રિન્દાબેન હાઉસવાઇફ છે. કાવ્યાનાં મોટા બહેન હાર્દવી બી.ડી.એસ. નો અભ્યાસ કરે છે અને ડેન્ટીસ્ટ તરીકે કારકીર્દી ઘડવા પ્રતિબદ્ધ છે. કાવ્યા પણ મોટા બહેનનાં પદચિન્હો પર ચાલીને વિજ્ઞાન પ્રવાહમાં ઉચ્ચ અભ્યાસ કરી ડોક્ટર બનવા સંકલ્પબદ્ધ છે. વાંચનનો શોખ ધરાવતી કાવ્યાએ નિયમિત ૩ કલાક સ્વઅધ્યયન કરી ઇચ્છતત સફળતા મેળવી હોવાનું જણાવી સ્કૂલનાં શ્રેષ્ઠ શિક્ષણનો ઋણ સ્વીકાર કર્યો હતો.
નિત્યા દોમડીયાને એન્જિનિયર બનવાની ઇચ્છા
ધો. ૧૦ માં ૯૩% ગુણ સાથે ૯૮.૪૬ પી.આર. મેળવી એવન ગ્રેડ પ્રાપ્ત કરનાર નિત્યા દોમડીયા સ્કૂલ અને ટ્યૂશન ઉપરાંત નિયમિત ૩ કલાકનાં અભ્યાસથી સચોટ સફળતા મેળવી હોવાનું જણાવે છે. નિત્યાનાં પિતા મહેશભાઈ એકાઉન્ટન્ટ છે જ્યારે માતા ભાવનાબેન ગૃહિણી છે. તેણીની મોટી બહેન નુપૂર ડોક્ટર બનવાનાં નિર્ધાર સાથે વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસરત છે. ડાન્સ અને કૂકીંગનો શોખ ધરાવતી નિત્યા વિજ્ઞાન પ્રવાહમાં ઉચ્ચ અભ્યાસ કરી એન્જિનિયર બનવાનું લક્ષ્ય ધરાવે છે.
નેહા શેખાવત ઉજ્જવળ કારકીર્દી ઘડવા માટે પ્રતિબદ્ધ
ધો. ૧૦ માં ૯૧% ગુણ સાથે ૯૭.૧૫ પી.આર. તથા એવન ગ્રેડ મેળવનાર નેહા શેખાવતનાં પિતા રણવીરસિંહ બિઝનેસમેન છે તથા માતા નિશાકંવર હાઉસવાઇફ છે. વાંચન, લેખન અને સંગીતનો શોખ ધરાવતી નેહાએ નિયમિત ૫ કલાકનાં અભ્યાસથી સચોટ પરીણામ મેળવ્યું છે. તેણીનો નાનો ભાઈ માનવ ધો. ૧૦ માં અભ્યાસ કરે છે. નેહા વિજ્ઞાન પ્રવાહમાં ઉચ્ચ અભ્યાસ કરી ઉજ્જવળ કારકીર્દી બનાવવા ઉત્સુક છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ધો. ૧ર કોમર્સની બોર્ડની પરીક્ષામાં
જામનગર તા. ૧૧: જામનગરના રામેશ્વરનગરમાં આવેલ જૈનમ્ ક્લાસીસે બોર્ડની પરીક્ષામાં સારૂ પરિણામ મેળવવાની પરંપરા આ વર્ષે પણ જાળવી રાખી છે. જૈનમ્ ક્લાસીસના સંચાલક વિમલકુમાર ફોફરિયાએ પત્રકાર દિપક લાંબા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, માર્ચ ર૦ર૪ માં ગુજરાતના શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધો. ૧ર કોમર્સની પરીક્ષામાં અમારા ક્લાસીસનું પરિણામ ૯૮ ટકા આવ્યું છે. ત્રણ વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે.
વિમલભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા ૩૦ વર્ષથી અમારૂ ક્લાસીસ કાર્યરત છે જેમાં ગુજરાતી અને ઈંગ્લીશ એમ બન્ને માધ્યમમાં અભ્યાસની વ્યવસ્થા છે. ક્લાસીસ તરફથી મટિરિયલ આપવામાં આવે છે. આ ઉપરાંત નિયમિત ટેસ્ટ લેવામાં આવે છે. ક્લાસીસમાં વાચન માટે અલગ રૂમની વ્યવસ્થા છે. આ ઉપરાંત વર્ષાન્તે લેવામાં આવતી ૧૦૦ ગુણની 'આત્મ વિશ્વાસ કસોટી' વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં સારૂ પ્રદર્શન કરાવવામાં ખૂબ ઉપયોગી થાય છે.
રોનકનું સીએ બનવાનું સ્વપ્ન
રોનક ગ્યાનચંદાણીએ બોર્ડની પરીક્ષામાં ૯ર.૭૧ ટકા અને ૯૯.૬૦ પી.આર. સાથે એ-વન ગ્રેડ પ્રાપ્ત કરીને જૈનમ્ ક્લાસીસ તથા ગ્યાનચંદાણી પરિવારનું ગૌરવ વધાર્યું છે. પરીક્ષામાં સફળતા મળે તે માટે રોનક નિયમિતરીતે રિવિઝન કરતો હતો. સંગીત અને વાચનમાં રૂચિ ધરાવનાર રોનક સી.એ. બનવા માંગે છે. પિતા પ્રદીપભાઈ વેપારી છે અને માતા હંસાબેન ગૃહિણી છે.
પલકની ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવાની ઈચ્છા
પલક દવેએ ધો. ૧ર કોમર્સમાં ૯૧.૧૪ ટકા અને ૯૯.૧૪ પી.આર. સાથે એ-વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. પરીક્ષામાં વધુ ગુણ મેળવવા માટે પલક દરરોજ ૬ થી ૧૦ કલાક અભ્યાસ કરતી હતી. પિતા મયંકભાઈ બેંકમાં કામ કરે છે અને માતા આરતીબેન ગૃહિણી છે. સંગીત અને બેડમિન્ટનમાં રૂચિ ધરાવનાર પલક સી.એ. બનવા માંગે છે.
મારે સી.એ. બનવું છેઃ કીર્તિરાજસિંહ
કીર્તિરાજસિંહ એમ. જાડેજાએ ધો. ૧ર કોમર્સની પરીક્ષામાં ૯૦.૧૪ ટકા સાથે ૯૮.૭૧ પી.આર. પ્રાપ્ત કર્યા છે. પિતા મહાવીરસિંહ જાડેજા પોલીસ (એસ.આર.પી.) માં છે અને માતા રેખાબા જાડેજા ગૃહિણી છે. ક્રિકેટ અને ફૂટબોલમાં રૂચિ ધરાવનાર કીર્તિરાજસિંહ આગળ અભ્યાસ કરીને સી.એ. બનવા માંગે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
જામનગરમાં છેલ્લા ૩ દાયકાથી શૈક્ષણિક સંસ્થા તરીકે પ્રતિષ્ઠા સંપાદિત કરનાર જૈનમ્ ક્લાસીસનું ધો. ૧૦ નું ઉજ્જવળ પરિણામ આવ્યું છે. ક્લાસીસનું ગુજરાત માધ્યમનું ૯૭ % તથા અંગ્રેજી માધ્યમનું ૧૦૦% પરિણામ આવ્યું છે અને ૯ વિદ્યાર્થીએ એવન ગ્રેડ મેળવવામાં સફળતા મેળવી છે. ક્લાસીસનાં વિમલભાઇ ફોફરીયા સરે તેજસ્વી વિદ્યાર્થીઓ સાથે 'નોબત' ની મુલાકાત લઇ એજ્યુકેશનલ અચિવમેન્ટ અંગે વાર્તાલાપ કર્યો હતો.
વિધિ પિત્રોડાને પીએચ.ડી. થવાની ઇચ્છા
ધો. ૧૦ ની પરીક્ષામાં વિધિ પિત્રોડાએ ૯૪.૩૩% ગુણ સાથે ૯૯.૧૪ પી.આર. તથા એવન ગ્રેડ મેળવી ઝળહળતી કારકિર્દી તરફ મક્કમ આગેકૂચ કરી છે. તેણીનાં પિતા પિયૂષભાઇ નેશનલ કોમ્પ્યૂટર કોલેજમાં પ્રોફેસર છે. તથા માતા પારૂલબેન ગૃહિણી છે. સંગીતનો શોખ ધરાવતી વિધિએ નિયમિત અભ્યાસ વડે ઇચ્છીત પરિણામ મેળવ્યું છે. વિધી સાયન્સમાં ઉચ્ચ અભ્યાસ પછી કોઇ વિષય સાથે પીએચ.ડી. થઇ પિતાની જેમ પ્રોફેસર બનવાનું લક્ષ્ય ધરાવે છે.
ક્રિશા રાઠોડનો એન્જિનિયર બનવાનો નિર્ધાર
ક્રિશા રાઠોડે ધો. ૧૦ માં ૯૪% ગુણ સાથે ૯૮.૯૯ પી.આર. તથા એવન ગ્રેડ મેળવી રાઠોડ પરિવારનું ગૌરવ વધાર્યુ છે. ક્રિશાનાં પિતા દિનેશભાઇ કેબલ નેટવર્કનાં વ્યવસાય સાથે સંકળાયેલા છે જ્યારે માતા મનિષાબેન ગૃહિણી છે. ડ્રોઇંગનો શોખ ધરાવતી ક્રિશા વિમલ સરનાં સચોટ માર્ગદર્શન ઋણસ્વીકાર કરી વિજ્ઞાન પ્રવાહમાં ઉચ્ચ અભ્યાસ કરી એન્જિનિયર બનવાની મહેચ્છા દર્શાવે છે.
અર્પિતાબા ચુડાસમાને બનવું છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ
અર્પિતાબા ચુડાસમાએ ધો. ૧૦ માં ૯૫.૫૦% ગુણ સાથે ૯૯.૬૦ પી.આર. તથા એવન ગ્રેડ મેળવી જૈનમ્ ક્લાસીસનું ગૌરવ વધાર્યુ છે. તેણીનાં પિતા અજીતસિંહ કોન્ટ્રાક્ટર છે જ્યારે માતા નીતાબા હાઉસવાઇફ છે. અર્પિતાબાનાં મોટી બહેન દિવ્યાબા સ્નાતક થઇ ચૂક્યા છે. ડ્રોઇંગનો શોખ ધરાવતા અર્પિતાબા નિયમિત વાચન અને રિવિઝનથી સફળતા મેળવી હોવાનું જણાવી કોમર્સમાં ઉચ્ચ અભ્યાસ કરી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવાનો નિર્ધાર અભિવ્યક્ત કરે છે.
નંદની ગોસાઇને પણ સી.એ. બનવાની અભિલાષા
ધો. ૧૦ માં ૯૧.૧૬% ગુણ તથા ૯૭.૨૭ પી.આર. સાથે એવન ગ્રેડ મેળવનાર નંદની ગોસાઇનાં પિતા અશ્વિનભાઇ પેટ્રોલપંપ પર જોબ કરે છે જ્યારે માતા ભાવનાબેન હાઉસવાઇફ છે. ગાયનનો શોખ ધરાવતી નંદની ફુલ ફોકસ અને હાર્ડ વર્કથી ધારી સફળતા મેળવી હોવાનું જણાવી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે ઉજ્જવળ કારકિર્દી ઘડવા ઉત્સુકતા દર્શાવે છે.
અર્પિતા સોનૈયાને સી.એ. અથવા બેન્કર બનવાની અભિલાષા
ધો. ૧૦ માં અર્પિતા સોનૈયાએ ૯૧.૫૦% ગુણ તથા ૯૭.૫૧ પી.આર. સાથે એવન ગ્રેડ પ્રાપ્ત કરી ઝળહળતું પરિણામ મેળવ્યું છે. તેણીનાં પિતા કપિલભાઇ વેપારી છે જ્યારે માતા ગીતાબેન ગૃહિણી છે. ટેકનોલોજી અને કોમ્પ્યૂટરમાં મહારથ મેળવવાનો શોખ ધરાવતી અર્પિતા કોમર્સમાં ઉચ્ચ અભ્યાસ કરી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અથવા બેન્કર બનવાનું લક્ષ્ય ધરાવે છે.
અંગ્રેજી માધ્યમમાં એવન ગ્રેડ મેળવનાર કૈંસ ધાડાને બનવું છે એન્જિનિયર
કૈંસ શકીલભાઇ ધાડાએ અંગ્રેજી માધ્યમમાં ધો. ૧૦ માં ૯૨.૧૬% ગુણ તથા ૯૭.૯૫ પી.આર. અને એવન ગ્રેડ મેળવી ધાડા પરિવારનું ગૌરવ વધાર્યુ છે. કૈંસનાં માતા કહેકશાંબેન ટ્યૂશન ક્લાસ ચલાવે છે. ક્રિકેટનો શોખ ધરાવતો કૈંસ તમામ ગુરૂજનોનો ઋણ સ્વીકાર કરે છે તથા સાયન્સ સાથે બી.સી.એ. કરી એન્જિનિયર બનવાની મહેચ્છા અભિવ્યક્ત કરે છે.
જૈનમ્નાં અન્ય તેજસ્વી વિદ્યાર્થીઓ
ક્લાસીસનાં હેત એમ. અગ્રાવતે પણ ધો. ૧૦ માં ૯૮.૬૫ પી.આર. સાથે એવન ગ્રેડ મેળવ્યો છે
ભૂમિબા પી. જાડેજાએ પણ ધો. ૧૦ માં ૯૭.૯૫ પી.આર. સાથે એવન ગ્રેડ પ્રાપ્ત કરવામાં સફળતા મેળવી છે.
શ્રદ્ધા ડી. ત્રિવેદીએ ધો. ૧૦ માં ૯૮.૨૭ પી.આર. સાથે એવન ગ્રેડ મેળવી ત્રિવેદી પરિવાર તથા જૈનમ્ ક્લાસીસનું ગૌરવ વધાર્યું છે
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
એક વિદ્યાર્થીને ગણિતમાં ૧૦૦માંથી ૧૦૦ ગુણ
જામનગર તા. ૧૩: જામનગરનાં સાંઇ ટ્યૂટોરીયલ્સનું ધો. ૧૦ નું ૧૦૦% પરિણામ આવ્યું છે તેમજ ૩ વિદ્યાર્થીએ એવન ગ્રેડ અને ૨૬ વિદ્યાર્થીએ એટુ ગ્રેડ મેળવ્યો છે. ક્લાસીસનાં સ્ટુડન્ટ જીત ભાયાણીએ ગણિત વિષયમાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ મેળવ્યા છે. ક્લાસીસનાં સંચાલક જ્હાન્વી માંકડે તેમની તેજસ્વી વિદ્યાર્થિનીઓ સાથે 'નોબત' ની મુલાકાત લઇ શૈક્ષણિક સિદ્ધિઓ અંગે વાર્તાલાપ કર્યો હતો.
અપેક્ષાબા જાડેજાનું
પ્રોફેસર બનવાનું ધ્યેય
અપેક્ષાબા જાડેજાએ ધો. ૧૦ ની પરીક્ષામાં ૯૪.૮૩% ગુણ તથા ૯૯.૩૫ પી.આર.સાથે એવન ગ્રેડ મેળવી પરિવારનું ગૌરવ વધાર્યુ છે. તેણીનાં પિતા જયદેવસિંહ જાડેજા પોલીસકર્મી છે જ્યારે માતા હેતલબા ગૃહિણી છે. વાચનનો શોખ ધરાવતા અપેક્ષાબાએ નિયમિત ૫ કલાક વાચન અને સતત રિવિઝનથી ધાર્યું પરિણામ મળ્યું હોવાનું જણાવી ગુરૂ જ્હાન્વી માંકડનાં માર્ગદર્શનનો ઋણ સ્વીકાર કર્યો હતો.અપેક્ષાબા ઉચ્ચ અભ્યાસ પછી પ્રોફેસર તરીકે કારકિર્દી બનાવવા ઇચ્છુક છે.
૯૮.૫૫ પી.આર. મેળવનાર કૃતિકાબા પરમારને
સી.એ. બનવું છે
ગુજરાત બોર્ડની ધો. ૧૦ ની પરીક્ષામાં કૃતિકાબા પરમારે ૯૩.૧૧% ગુણ તથા ૯૮.૫૫ પી. આર. સાથે એવન ગ્રેડ મેળવ્યો છે. તેણીનાં પિતા જયપાલસિંહ પોલીસકર્મી છે તથા માતા પ્રજ્ઞાબા હાઉસ વાઇફ છે. વાચનનો શોખ ધરાવતા કૃતિકાબાને કોમર્સમાં ઉચ્ચ અભ્યાસ પછી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવાની મહેચ્છા છે.
એ-વન ગ્રેડ મેળવનાર અનુષ્કાનું એન્જિનિયર બનવાનું લક્ષ્ય
ધો. ૧૦ ની પરીક્ષામાં અનુષ્કા પિલ્લઇએ ૯૧.૬૭% ગુણ તથા ૯૭.૬૩ પી.આર. અને એવન ગ્રેડ મેળવી ક્લાસીસનું નામ રોશન કર્યુ છે. તેણીનાં પિતા સુરેશકુમાર ખાનગી કંપનીમાં સેવારત છે જ્યારે માતા સજનીબેન ગૃહિણી છે. ડ્રોઇંગનો શોખ ધરાવતી અનુષ્કાએ નિયમિત વાચનનાં પ્રતાપે સફળતા મેળવી છે. તેણી એન્જિનિયર તરીકે કારકીર્દી બનાવવા ઉત્સુક છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
જામનગર તા ૧૩: જામનગરના રણજીતસાગર રોડ પર સેટેલાઈટ પાર્કમાં આવેલી કે.કે. ઈન્ટરનેશનલ સ્કૂલે નગરના શિક્ષણ જગતમાં ખૂબ ટૂંકાગાળામાં પોતાનું એક અલગ સ્થાન પ્રાપ્ત કર્યું છે. ધો. ૧૦ની બોર્ડની પરીક્ષામાં શાળાએ ૧૦૦ ટકા પરિણામ પ્રાપ્ત કર્યું છે.
શાળાના શિક્ષક સાગરભાઈ સાવલીયાએ 'નોબત'ના પત્રકાર દિપક લાંબા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે શાળાના આચાર્ય જેનીશભાઈ લીંબાસીયા છે. શાળાની સ્થાપનાને ત્રણ વર્ષ થયા છે. ધો. ૧૦માં ૭ વિદ્યાર્થીએ એ-ટુ ગ્રેડ અને ધો. ૧૨માં ૮ વિદ્યાર્થીએ એ-ટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે.
સાગરભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, કોરોનામાં વિદ્યાર્થીઓની ફી માફ કરનાર સૌરાષ્ટ્રની એકમાત્ર અમારી સ્કૂલ છે. હાલ શાળામાં ૧૪૦૦ થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શાળામાં ૬૦ હજાર સ્કે. ફૂટનું વિશાળ મેદાન છે. શાળામાં વિદ્યાર્થીઓને પ્રોજેક્ટ મારફત શિક્ષણ આપવામાં આવે છે. શાળામાં અંગ્રેજી અને ગુજરાતી બંને માધ્યમમાં પ્રવેશ આપવામાં આવે છે. નબળા વિદ્યાર્થીઓને કોઈપણ વધુ ફી લીધા વગર સ્ટે બેકની સુવિધા આપવામાં આવે છે. આ ઉપરાંત શાળામાં સ્કોલરશીપ પણ આપવામાં આવે છે. જેમાં ધો. ૧૦માં ૮૦ ટકા કે તેથી વધુ ગુણ મેળવનારને ૧૦૦ ટકા અને ૭૫ ટકા કે તેથી વધુ ગુણ મેળવનારને ૫૦ ટકા સ્કોલરશીપ આપવામાં આવે છે.
આર્યાને સોક્ટવેર એન્જિનિયર બનવું છે
કે.કે. ઈન્ટરનેશનલ સ્કૂલની વિદ્યાર્થિની તાળા આર્યાએ નિયમિત રીતે ૪ થી ૫ કલાક અભ્યાસ કરીને ધો. ૧૦ની પરીક્ષામાં ૯૭.૧૬ ટકા અને ૯૯.૯૩ પીઆર સાથે એ-વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. પિતા કિરણભાઈ ખેતીકામ કરે છે અને માતા જ્યોતિબેન હાઉસવાઈફ છે. વાચનમાં રૂચી ધરાવનાર આર્યા સોફ્ટવેર એન્જિનિયર બનવા માંગે છે.
ખુશનું આઈઆઈટીમાં પ્રવેશ કરવાનું સ્વપ્ન
ખુશ અમૃતિયાએ ધો. ૧૦ની પરીક્ષામાં૯૫.૧૬ ટકા અને ૯૯.૪૦ પીઆર સાથે એ-વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. ખુશના માતા અને પિતા બન્ને શિક્ષક છે. ક્રિકેટમાં રૂચી ધરાવનાર ખુશ આગળ આઈઆઈટીમાં અભ્યાસ કરવા માંગે છે.
ઝરણાની ડોકટર બનવાની અભિલાષા
ઝરણા ચોવટીયાએ એસએસસી બોર્ડની પરીક્ષામાં ૯૨.૭૭ ટકા અને ૯૮.૨૭ પીઆર સાથે એ-વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. પરીક્ષામાં ઉચ્ચ ગુણાંક સાથે સફળતા મળે તે માટે ઝરણા દરરોજ ૫ થી ૭ કલાક અભ્યાસ કરતી હતી. વાચનમાં રૂચી ધરાવનાર ઝરણા ડોકટર બનવા માંગે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
મહેતા પરિવારનું ગૌરવઃ મોદી સ્કૂલની વિદ્યાર્થિની
જામનગર તા ૧૩: જામનગરની અને મોદી સ્કૂલની વિદ્યાર્થિની તન્વી અભયભાઈ મહેતાએ પરિશ્રમની પરાકાષ્ટા કરીને બોર્ડની પરીક્ષામાં જ્વલંત સફળ પ્રાપ્ત કરી છે.
તન્વીએ ગુજરાતના શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ ૨૦૨૪માં લેવાયેલી ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં ૯૧.૨૮ ટકા સાથે ૯૯.૯૧ પીઆર પ્રાપ્ત કરીને મહેતા પરિવાર તથા શાળાનું ગૌરવ વધાર્યું છે.
તન્વીએ 'નોબત'ના પત્રકાર દિપક લાંબા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે બોર્ડની પરીક્ષામાં માત્ર સફળતા જ નહીં પરંતુ ઉચ્ચ ગુણાંક સાથે સફળતા મળે તે માટે તેણી સોશિયલ મીડિયાથી દૂર રહેતી અને દરરોજ નિયમિત ૧૨ થી ૧૩ કલાક અભ્યાસ કરતી હતી. મહેનત કરી ભણતરમાં આગળ વધવામાં માનતી તન્વી આગળ એમબીબીએસનો અભ્યાસ કરી ડોકટર બનીને માનવ સેવા કરવા માંગે છે. તન્વીના પિતા અભયભાઈ બિઝનેસમેન છે અને માતા કામીનીબેન ગૃહિણી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ધો. ૧ર કોમર્સની બોર્ડની પરીક્ષામાં
જામનગર તા. ૧૧ઃ જામનગરની પટેલ કોલોનીમાં આવેલ શ્રીમતી જે.કે. ઝાલા મા. અને ઉ.મા. શાળાએ બોર્ડની પરીક્ષામાં ફરીવાર જવલંત સફળતા પ્રાપ્ત કરી છે. ધો. ૧ર કોમર્સમાં ૮૩.૩૩ ટકા પરિણામ પ્રાપ્ત કર્યું છે. શાળાના શિક્ષક દિપકભાઈ ત્રિવેદીએ 'નોબત'ના પત્રકાર દિપક લાંબાને જણાવ્યું હતું કે, વર્ષ ર૦૧ર થી કાર્યરત અમારી શાળાના સંચાલન ડી.કે. ઝાલા અને આચાર્ય નિલમબા કે. ઝાલા કરે છે. અમારી શાળાના એક વિદ્યાર્થીએ એ-વન અને બે વિદ્યાર્થીઓએ એ-ટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. શાળામાં અનુભવી શિક્ષકો છે તેમજ ડે-ટુ-ડે ટેસ્ટ લેવામાં આવે છે. શાળામાં લાઈબ્રેરી તથા સ્માર્ટ ક્લાસરૃમની સુવિધા છે.
યશને બીસીએ કરવું છે
યશ મોરઝરિયાએ ધો. ૧ર કોમર્સમાં ૯૧ ટકા અને ૯૯.૦૬ પી.આર. સાથે એ-વન ગ્રેડ પ્રાપ્ત કરીને શાળા તથા મોરઝરિયા પરિવારનું ગૌરવ વધાર્યું છે. પરીક્ષામાં સફળતા મળે તે માટે યશ દરરોજ ૪ થી પ કલાક વાચન કરતો હતો. પિતા અરવિંદભાઈ ગ્રેઈન માર્કેટમાં બ્રોકર છે. વાચન અને નવું-નવું જાણવામાં રૃચિ ધરાવનાર યશએ બીસીએનો અભ્યાસ કરીને 'એઆઈ'માં આગળ વધવા માંગે છે. યશે તેની સફળતાનો શ્રેય ઈલાબેન રાણા, દિપકસર સહિતના શિક્ષકો અને માતા-પિતાને આપ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
જામનગર તા. ૧૧ઃ જામનગરના જાણીતા સોમૈયા ક્લાસીસનું ધો. ૧ર સામાન્ય પ્રવાહનું ૯૯ ટકા પરિણામ આવ્યું છે. નિયમિત ટેસ્ટ અને પાઠ્યપુસ્તક આધારીત શિક્ષણ પર ભાર મૂકી વિદ્યાર્થીઓને વ્યક્તિગત માર્ગદર્શન આપવામાં આવે છે. જતિન સોમૈયાસરના માર્ગદર્શનમાં વિદ્યાર્થીઓ બોર્ડમાં ધાર્યું પરિણામ મેળવે છે.
હાર્દિકસિંહ ચુડાસમા કરે છે જી.પી.એસ.સી.ની તૈયારી
ક્લાસીસના વિદ્યાર્થી હાર્દિકસિંહ ચુડાસમાએ ધો. ૧ર સામાન્ય પ્રવાહમાં ૯૧.૧૪ ટકા ગુણ તથા ૯૯.૧૪ પી.આર. મેળવી ચુડાસમા પરિવારનું ગૌરવ વધાર્યું છે. હાર્દિકસિંહના પિતા અજયસિંહ પોલીસકર્મી છે તથા માતા રંજનબા ગૃહિણી છે. હાર્દિકના ભાઈ પોસ્ટ ઓફિસમાં સેવારત છે. ક્રિકેટનો શોખ ધરાવતા હાર્દિકસિંહ નિયમિત ૪-પ કલાકના અભ્યાસ અને રેગ્યુલર ટેસ્ટના પ્રતાપે ધારી સફળતા મેળવી હોવાનું જણાવે છે. જતિનસરના માર્ગદર્શનનો ઋણ સ્વીકાર કરી હાર્દિકસિંહ બી.બી.એ. અભ્યાસ કરવાની સાથે જી.પી.એસ.સી.ની તૈયારી કરવાનો નિર્ધાર વ્યક્ત કરે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
સામાન્ય તથા વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓ ઝળક્યા
જામનગર તા. ૧૦: જામનગરની પ્રતિષ્ઠિત જ્ઞાનગંગા સ્કૂલે આ વર્ષે પણ બોર્ડની ધો. ૧ર સામાન્ય પ્રવાહ તથા વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં ઉચ્ચ પરિણામની પરંપરા જાળવી રાખી છે. સ્કૂલનું ધો. ૧ર વિજ્ઞાન પ્રવાહનું ૧૦૦% પરિણામ તથા ધો. ૧ર સામાન્ય પ્રવાહ (કોમર્સ) નું ૯૩% પરિણામ આવ્યું છે. ધો. ૧ર સામાન્ય પ્રવાહમાં બે સ્ટુડન્ટે એ-વન ગ્રેડ મેળવ્યો છે. ૧૧ સ્ટુડન્ટે એ-ટુ ગ્રેડ તથા ૧૯ સ્ટુડન્ટે બી-વન ગ્રેડ મેળવેલ છે.
વિજય ટોપરાણીને સી.એ. બનવાનું સપનું
સ્કૂલના વિદ્યાર્થી વિજય ટોપરાણીએ ધો. ૧ર સામાન્ય પ્રવાહમાં ૯પ.ર૯% ગુણ તથા ૯૯.૯પ પી.આર. મેળવ્યા છે. વિજયના પિતા પ્રહલાદભાઈ કપડાની દુકાન ધરાવે છે. જ્યારે માતા મીનાબેન ગૃહિણી છે. રેગ્યુલર રિવિઝનથી સફળતા મેળવી હોવાનું જણાવી વિજય નિલેષ સર તથા મેહુલ સરના સચોટ માર્ગદર્શનનો ઋણ સ્વીકાર કરે છે. વિજય સી.એ. બનવાનું લક્ષ્ય ધરાવે છે.
ધ્રુવિક નારીયાને બનવું છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ
સ્કૂલના વિદ્યાર્થી ધ્રુવિક નારીયાએ ધો. ૧ર સામાન્ય પ્રવાહમાં ૯ર.૪ર% ગુણ સાથે ૯૯.પ૪ પી.આર. મેળવી નારીયા પરિવારનું નામ રોશન કર્યુ છે. ધ્રુવીડના પિતા મહેશભાઈ વેપારી છે તથા માતા સંગીતાબેન હાઉસવાઈફ છે. ધ્રુવિકનુું લક્ષ્ય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બની અર્થતંત્ર સંલગ્ન ઉજ્જવળ કારકીર્દિ બનાવવાનું છે.
સોઢા પરમાર વિમલને બનવું છે ડોક્ટર
સ્કૂલના વિદ્યાર્થી સોઢા પરમાર વિમલએ ધો. ૧ર વિજ્ઞાન પ્રવાહમાં ૯૩% ગુણ તથા ૯૯.૦૩ પી.આર. મેળવી પરિવાર તથા સ્કૂલનું ગૌરવ વધાર્યુ છે. વિમલના પિતા પ્રવિણભાઈ ખેડૂત છે. જ્યારે માતા ભાવનાબેન ગૃહિણી છે. વિમલનું લક્ષ્ય એમ.બી.બી.એસ. કરી ડોક્ટર બનવાનું છે અને તે પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરવા પૂરતી મહેનત કરવા પ્રતિબદ્ધ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
તેજસ્વી સ્ટુડન્ટ્સનું ઉચ્ચ કારકિર્દીનું સપનું થશે સાકાર
જામનગરની કેડમસ સોઢા સ્કૂલે સી.ઈ.ઓ. એક્તાબા સોઢાના નેતૃત્વમાં બોર્ડમાં ઝહળતા પરિણામની પરંપરા માનભેર આગળ વધારી છે. આચાર્ય સંદિપસિંહ જાડેજા તથા ભૂપેન્દ્રસિંહ વાળા, બિનાબા વાળા, ડો. અજયસિંહ માણેક, કાટબામણા હિતેષસર, દિપકસર, પ્રજાપતિ દિવ્યેશસર, સાદરિયા મીન્ટુમેમ, નિમ્બાર્ક પરેશસર, ચોવટિયા હિમાંક્ષી, ભાગભરા જસ્મિન સહિતના શિક્ષકગણની મહેનતનું પ્રતિબિંબ બાળકોના ઝહળતા પરિણામમાં ઝીલાયું છે. સ્કૂલનું ધો. ૧ર કોમર્સનું ૯પ ટકા પરિણામ આવ્યું છે.
હર્ષદ વસરાને સી.એ. બનવાની તમન્ના
સ્કૂલના ધો. ૧ર કોમર્સના વિદ્યાર્થી રહેલા હર્ષદ વસરાએ ૯૧.૭૧ ટકા ગુણ તથા ૯૯.૩પ પી.આર. મેળવી વસરા પરિવાર તથા સ્કૂલનું ગૌરવ અપાવ્યું છે. હર્ષદના પિતા મહેશભાઈ શ્રમિક છે તથા માતા શાંતિબેન ગૃહિણી છે. હર્ષદના મોટા બહેન બી.એચ.એમ.એસ.નો અભ્યાસ કરી ડોક્ટર બનવા તરફ આગેકૂચ કરી રહ્યા છે, ત્યારે હર્ષદે પણ ઊંચુ પરિણામ મેળવી સી.એ. બનવાનો નિર્ધાર કરી માતા-પિતાના સંઘર્ષને સાર્થક કરવાનું બીડું ઝડપ્યું છે. ફૂટબોલ રમવાનો શોખ ધરાવતા હર્ષદે થીયરીમાં પેપર વારંવાર લખીને મહારથ હાંસલ કરી સફળતા મેળવી હોવાનું અનુભવ સિદ્ધ સૂત્ર આપ્યું હતું.
સાહિલને વ્યવસાયલક્ષી શિક્ષણ મેળવી કારકિર્દી ઘડવાની ઈચ્છા
સ્કૂલના ધો. ૧ર કોમર્સના વિદ્યાર્થી રહી ચૂકેલ સાહિલ આમરણિયાએ ૯૩.૧૪ ટકા ગુણ સાથે ૯૯.૬૯ પી.આર. મેળવ્યા છે. સાહિલના પિતા મેહુલભાઈ શ્રમિક છે, જ્યારે માતા નીશિતાબેન ગૃહિણી છે. સાહિલના મોટાભાઈ સી.એ. છે, જ્યારે નાનાબહેન ધો. ૮ મા અભ્યાસરત છે. વાચન અને ફૂટબોલનો શોધ ધરાવતો સાહિલ પોતાની સફળતા માટે દિવ્યેશસર, અજયસર, પ્રતાપ સોઢાસર તથા મગનસરનો ઋણ સ્વીકાર કરે છે. સાહિલ વ્યવસાયિક શિક્ષણ ક્ષેત્રે ઉચ્ચ અભ્યાસ કરી ઉજ્જવળ કારકિર્દી બનાવાનું લક્ષ્ય ધરાવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ચાર વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ પ્રાપ્ત કર્યોઃ
જામનગર તા. ૯: ગુજરાત બોર્ડ દ્વારા ધો. ૧ર કોમર્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં જામનગરના રણજીતસાગર રોડ પર આવેલા જોષી ક્લાસીસે ૯૬ ટકા પરિણામ પ્રાપ્ત કરવામાં સફળતા પ્રાપ્ત કરી છે. દર વર્ષે બોર્ડની પરીક્ષામાં આટલું સારૂ પરિણામ પ્રાપ્ત કરીને જોષી ક્લાસીસે જામનગરના શિક્ષણ જગતમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ચાર વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે.
જોષી ક્લાસીસના સંચાલક દિનેશભાઈ જોષીએ 'નોબત'ના પત્રકાર દિપક લાંબાને જણાવ્યું હતું કે, છેલ્લા પચ્ચીસ વર્ષથી જોષી ક્લાસીસ દ્વારા ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરૃં પાડવામાં આવી રહ્યું છે. ટાઈમટેબલ મુજબ અભ્યાસ, દરેક વિષયનું તલસ્પર્શી જ્ઞાન, નિયમિત ટેસ્ટ, શિક્ષકો અને વિદ્યાર્થીઓના સંયુક્ત પરિશ્રમના કારણે પ્રતિવર્ષ અમારૂ ક્લાસીસ બોર્ડની પરીક્ષામાં ઉચ્ચ પરિણામ પ્રાપ્ત કરવામાં સફળ રહે છે.
વિજયનું ઊંચુ લક્ષ્યઃ
સી.એ. થવું છે
ધો. ૧ર કોમર્સની પરીક્ષામાં વિજય ટોપરાણીએ ૯પ.ર૯ ટકા સાથે ૯૯.૯પ પીઆર પ્રાપ્ત કર્યા છે. જેમાં એકાઉન્ટ અને આંકડાશાસ્ત્ર વિષયમાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ મેળવ્યા છે. બોર્ડની પરીક્ષામાં ઉચ્ચ ગુણાંક સાથે સફળતા મળે તે માટે વિજય દરરોજ ૩ થી ૪ કલાક અભ્યાસ કરતો હતો. વિજયના પિતા પ્રહ્લાદભાઈ ટોપરાણી કાપડના વેપારી છે અને માતા મીનાબેન ગૃહીણી છે. વાચનમાં રૂચિ ધરાવનાર વિજય આગળ અભ્યાસ કરીને સી.એ. બનવા માંગે છે.
મારે સીએ બનવું છેઃ મનાલી
આર્ય સમાજ સ્કૂલની વિદ્યાર્થીની મનાલી ટોપરાણીએ ધો. ૧ર કોમર્સની બોર્ડની પરીક્ષામાં ૯૪ ટકા સાથે ૯૯.૮૪ પી.આર. પ્રાપ્ત કરીને શાળા તથા જોષી ક્લાસીસનુું ગૌરવ વધાર્યું છે. પરીક્ષામાં જવલંત સફળતા મળે તે માટે મનાલી દરરોજ ૩ થી ૪ કલાક અભ્યાસ કરતી હતી. ચિત્રમાં રૂચિ ધરાવનાર મનાલીને સી.એ. બનવું છે.
સાનિયા ખુરેશીએ ધોરણ
૧ર મા ૯૯.૭૧ ટકા મેળવ્યા
આર્ય સમાજની વિદ્યાર્થીની સાનિયા કાદરભાઈ ખુરેશીએ ધો. ૧ર કોમર્સમાં ૯૩.૭૧ ટકા સાથે ૯૯.૮૦ પી.આર. પ્રાપ્ત કર્યા છે. બી.ઓ.માં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ મેળવનાર સાનિયાનું સી.એ. બનવાનું સ્વપ્ન છે.
રાજનનું સીએ બનવાનું સ્વપ્ન
રાજન કણઝારિયાએ ધો. ૧ર કોમર્સમાં દરરોજ ૩ થી ૪ કલાક અભ્યાસ કરીને ૯૩.ર૯ ટકા અને ૯૯.ર૯ પી.આર. પ્રાપ્ત કર્યા છે. પિતા દામજીભાઈ ખેતી સાથે સંકળાયેલા છે. રાજન આગળ અભ્યાસ કરીને સી.એ. બનવા માંગે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો