Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આધુનિક યુગને 'શિક્ષણયુગ' નામ આપી શકાય એવી રીતે ગુજરાતમાં શિક્ષણની ચર્ચાઓ, પરિસંવાદો, સરકારની છાશવારે બદલાતી નીતિઓ, એડમિશન-ડોનેશનની મથામણો, સરકારી શાળામાં ગુણોત્સવો વગેરે અત્યારે અખબારોની હેડલાઈન બની વારે-વારે નજર સામે આવે છે.
આ બધી સમસ્યાઓનું મૂળ છે, આજની શિક્ષણ પ્રણાલી. કે.જી.થી લઈને દરેક વિદ્યાર્થીઓને આપણે જોઈએ એટલે કોઈ બાળક નહીં, મજૂર જતો હોય એમ દફ્તરરૂપી કોથળો ખભે ટાંગીને જતો હોય જાણે ખીંટીએ ગુણી ટીંગાડી હોય અને ખીંટી તૂટું-તૂટું થતી હોય એવું દૃશ્ય લાગે મને તો! અને જેમ જેમ આગળ શિક્ષણ વધે અને વિદ્યાર્થીઓ ધોરણ ૧૦/૧ર બોર્ડના વર્ષ સુધી પહોંચે ત્યાં તો તેઓ 'રેસના ઘોડા'! વાલીઓ, શિક્ષકો, સગા-વહાલાઓ બધા જાણે એની લગામ જુદી જુદી દિશામાં ખેંચતા હોય તેમ વિદ્યાર્થીને મોઢે ફીણ આવી જાય, કમર બેવડી વળી જાય એટલી અપેક્ષાઓના પોટલા!
બોર્ડનું વર્ષ ચાલુ થતા અમુક ઘરમાં તો 'બોર્ડ'મય કાળું ધાકોર જાણે! એમાં પણ પરીક્ષા આવતા સુધી તો એલાન-એ-જંગ... ટી.વી. બંધ, રમતગમત બંધ, મનોરંજન બંધ, મોબાઈલ-કોમ્પ્યુટર બંધ, પાર્ટી-ફંક્શન બંધ, ઘર આખું સજ્જડ બમ.
અમુક વિદ્યાર્થીઓ કોઈપણ પ્રકારનું ટેન્શન લીધા વિના કે કોઈની સલાહ ગણકાર્યા વિના 'જે થાય તે થવા દેવું' એમ માની બિન્દાસ ગમે તે પરિણામ સ્વીકારી લે છે. અમુક વિદ્યાર્થીઓ અતિ હોંશિયાર હોય, મહેનતુ હોય એમને પણ સરવાળે ઓછું ટેન્શન રહે છે, પણ બોર્ડની પરીક્ષાઓમાં જેમનો બુદ્ધિઆંક મધ્યમ હોય તેવા વિદ્યાર્થીઓનો મોટો સમૂહ હોય છે. તેમની મનોવ્યથા સમજવા પ્રયાસ કરવો એ આજના કથળેલા-કલુષિત થયેલા શિક્ષણની દિશા બદલવા સમજવું ખૂબ જરૂરી બન્યું છે.
બોર્ડનું આખું વર્ષ તો ખેંચાયા કરે, પણ વડીલોનું પ્રેશર ક્યારેક એટલું વધી જાય કે બોર્ડની પરીક્ષા વખતે અમુક વિદ્યાર્થીઓ માનસિક રીતે સાવ ભાંગી પડે છે. સાથે સાથે હળવા થવા માટેના આ સમ દરમિયાન ઘણાં આકર્ષણો તરફ તેમનું ધ્યાન ફંટાવા લાગે છે. આ સમયમાં ચાલતા મેરેજ-ફંક્શન્સ, મેચ, હોળી-ધૂળેટીના તહેવારો, શિયાળામાં વધુ થા પ્રવાસ-પિકનિક વગેરે લલચાવનારા આકર્ષણો સામે પુસ્તકોમાં જ માથું રાખવું એ અઘરૂ લાગે છે.
આ બધી વાતો વિદ્યાર્થીઓના આંતરમનમાં ચાલતી રહે છે, ત્યારે ક્યારેક એના હૃદય પાસે કાન માંડીએ તો સંભળાશે કે એનું અંતર પણ બોલે છે.
અમે દિલથી મહેનત કરીએ છીએ, તમે એ જુઓ.
સતત ખીજાવાને બદલે ક્યારેક અમારી હાલત સમજવા પ્રયત્ન કરો તો અમે હળવા રહીશું.
ઘરના વૃક્ષોની જેમ જ અમને પણ તમારા પ્રેમ, અમારા પ્રતિ સમજણ અને આ થોથામાંથી બહાર શ્વાસ લેવા દેવાની માનવતારૂપી ખાતર-પાણીનું સિંચન આપી તમારા બાગના આ ફૂલ-છોડને બોર્ડ નામની બીકથી કરમાવા ન દ્યો.
તમારી અપેક્ષાઓમાં ખરા નહીં ઉતરીએ તો? એ શરમ અને સતત વિચારોથી ગભરામણ અને સંઘર્ષમાં અટવાઈ જઈએ છીએ.
અડધી-અડધી કલાકે અમારા રૂમમાં કોઈને કોઈ બહાના હેઠળ આંટો મારી અમારી પ્રવૃત્તિ પર નજર રાખવાના કિમિયા જોઈ ધ્યાનભંગ થવાની સાથે સાથે ક્યારેક અમારૃં દિલ દુભાય છે કે શું અમે એટલા ભરોસાને લાયક સંતાન નથી?
અમારી પરીક્ષા વખતે તમને ચિંતામાં જોઈ અમે નર્વસ થઈ જઈએ છીએ કે પપ્પાની મહેનતના પૈસા અને મમ્મીના રાતોના ઉજાગરા તેમજ અમારા માટે તમે પણ ટી.વી. બંધ, મનોરંજન બંધ રાખેલ એ બધું વેડફાય નહીં, ત્યારે અમને મન થાય કે આ ફાસ્ટલાઈફમાંથી થોડો સમય કાઢી આપણે બધા સાથે ટી.વી. જોઈએ, ક્યારેક દોસ્તો સાથે રમીએ.
અમારા જમાનાના આ ગ્રંથો જેવડા થોથામાં પુસ્તકિયા કીડા બનાવી એના જ આધારે અમારૂ મૂલ્યાંકન કરી અમને વામન ન બનાવો.
એક વિનંતી મનમાં વારે-વારે બોલાઈ જાય છે કે બીજા કોઈપણ વિદ્યાર્થી સાથે સરખામણી કરી જાહેરમાં અમને ઉતારી ના પાડો પ્લીઝ! અમારા સાથીદારોમાં અમુકને તો માતૃભાષાની સારી ફાવટ હોવા છતાં વાલીની મહત્ત્વાકાંક્ષા અને આગ્રહથી અંગ્રેજી મીડિયમમાં નાખવાને લીધે સારા ગુણ આવી શકતા નથી. એ અમારો વાંક કહેવાય? કહોને પ્લીઝ!
અમો સંજોગોવશાત કદાચ નાપાસ થઈએ કે ઓછા ટકા આવે તો પણ બીજુ ગમે તે જીવનોપયોગી કાર્ય કરી શકીએ એટલી આવડત તો તમે અમારામાં મૂકી જ હશે ને? તો શા માટે તમારો જ ભરોસો તમે ડગાવો છો?
અમો જાણીએ છીએ કે તમારી આ કડકાઈની પાછળ પ્રેમ છૂપાયો છે, પણ તમારી અપેક્ષા સામે ક્યારેક ઘૂંટાઈને મનમાં હજારોવાર મરીએ છીએ. અમુક સાથી વિદ્યાર્થીઓના બોર્ડની પરીક્ષા-પરિણામની બીકથી આપઘાત કરતા જોઈ-સાંભળી અમે પણ હલી જઈએ છીએ.
અમારા અંતરનાદ્ને સાંભળો, સમજો, અમારા મૌન આક્રંદને નબળાઈ ના માનો, તમારા પ્રેમ, વિશ્વાસ અને સમજણથી અમારી તાકાત બનો તો બોર્ડની પરીક્ષા કે જીવનના કોઈપણ ક્ષેત્રમાં અમે તમને નિરાશ નહીં કરીએ કે કોઈપણ અવરોધો ઓળંગવામાં અમને કોઈ ડર રોકી નહીં શકે.
આ અવાજ કઈ એકલ-દોકલ નહીં, મોટાભાગના એવરેજ વિદ્યાર્થીઓનો છે. આજના ગૂંચવાડા ભરેલ શિક્ષણ, અંગ્રેજી શિક્ષણનીતિ અને 'રટ્ટા માર...' પદ્ધતિમાં એટલા ખૂંપી ગયા છીએ કે એ કાદવથી આપણા બાળકો ખરડાઈ છે એવી સરકારી નીતિઓ સામે વિચારશીલ થઈ અવાજ ઊઠાવવાને બદલે એક બિસ્તરાની જેમ આપણા બાળકોને વેનમાં સામાનની જેમ ભરીને, 'તેજસ્વી તારલા બનાવવાના કારખાનાઓમાં (ટ્યૂશન ક્લાસીસ) ધકેલીએ છીએ.'
આ તે કેવી કસોટી, લાગે છે ખાટલે ખોડ મોટી,
વીંઝો છો સિતમની સોટી, આમાં ન આવે જ્ઞાનની હથોટી.
બોર્ડની પરીક્ષાઓ એટલે જાણે સપ્તપદીના સાત વચનો ડગલે અને પગલે જે વિદ્યાર્થીઓનું હીર ચૂસે અને અંતે વિદ્યાર્થી એક ડગલું પણ આગળ ન વધી શકે પણ માનસિક સ્વસ્થતાના સાત સ્તર ખરી પડે!
આપણે શું કરી શકીએ? એવા બળાપાને બદલે આપણે શું ન કરી શકીએ? એમ વિચારી વિદ્યાર્થીઓની તાકાત બનીએ તો માર્ચની બોર્ડની પરીક્ષાઓ પછી મે-જૂનમાં રિઝલ્ટ પછી 'સુસાઈડ-મન્થ' કે 'ડિપ્રેશન-મન્થ' ન બનતા આનંદથી ભીંજવતી શ્રાવણનો 'સરવણિયો-મન્થ' બને!
સપોર્ટીંવ ચોટઃ
બોર્ડ-બોર્ડની બીકથી ના કરો ક્લીન-બોલ્ડ પ્લીઝ
સપોર્ટ બની અમારો અમને બનાવો બોલ્ડ પ્લીઝ
વૈશાલી રાડિયા, જામનગર
પોલીસ દ્વારા પર્યાવરણ પ્રોટેક્શનઃ આવકારદાયક કોન્સેપ્ટ
પોલીસ તંત્રની ભૂમિકા આંતરિક સુરક્ષા વ્યવસ્થા માટે તો મહત્ત્વપૂર્ણ છે જ, પરંતુ કાયદો-વ્યવસ્થા જાળવવાની સાથે સાથે પોલીસતંત્ર દ્વારા અપનાવાઈ રહેલા માનવીય અભિગમો, 'તેરા તુ જ ને અર્પણ' જેવા આયામો, મહિલાઓ-બાળકોની સુરક્ષા-સલામતી પ્રત્યે વધુ જાગૃતિ અને કેટલીક સામાજિક સેવાઓ પછી પર્યાવરણ સુરક્ષાને લઈને પણ પોલીસતંત્ર કેટલાક નવા નવા પ્રોજેક્ટો આદરી રહ્યું છે, તેને લોકોમાંથી પણ સકારાત્મક પ્રતિભાવો સાંપડી રહ્યા છે. પોલીસ દ્વારા પર્યાવરણ પ્રોટેક્શનનો કોન્સેપ્ટ આવકારદાયક છે, અને તેના ભાગરૂપે સામૂહિક વૃક્ષારોપણ અને તેની સાથે સાથે તેના ઉછેરનો સંકલ્પ પણ સરાહનિય છે.
તાજેતરમાં જામનગરમાં પોલીસ હેડક્વાર્ટરમાં રાજકોટના રેન્જ આઈજી અશોક કુમાર યાદવના નેતૃત્વ અને એસ.પી. પ્રેમસુખ ડેલુ તથા વનવિભાગના અધિકારીની ઉપસ્થિતિમાં રપ હજાર વૃક્ષોનું વાવેતર કરાયું હતું. આ સામૂહિક વૃક્ષારોપણની વિશેષતા એ હતી કે વન વિભાગ અને એચડીએફસી બેંકના સહયોગથી પોલીસતંત્રે જામનગરમાં ઓક્સિજન પાર્ક ઊભો કરવાનો ઉદ્દેશ્ય જાહેર કરાયો હતો.
આ કાર્યક્રમ દરમિયાન જણાવાયું કે પોલીસતંત્ર દ્વારા સમગ્ર રેન્જમાં વૃક્ષો ઉછેરવામાં આવી રહ્યા છે. આ અભિગમ હેઠળ માત્ર વૃક્ષારોપણ કરીને કામ પૂરૃં થતું નથી, પરંતુ તેનો ઉછેર પણ થાય છે, તથા ત્રણેક લાખ વૃક્ષોનો ઉછેર થઈ રહ્યો હોવાનું આઈજીએ જણાવ્યું હોવાના અહેવાલો જોતા એમ જણાય છે કે પોલીસતંત્રના આ અભિગમને વ્યાપક જનસહયોગ પણ મળી રહ્યો છે. સામૂહિક રીતે વૃક્ષો ઉછેરવાનું બીડુ ઝડપીને પોલીસતંત્રે એક અતિઉપયોગી અને જનહિતનું અભિયાન આદર્યું છે. સામૂહિક રીતે વૃક્ષો વવાય અને ઉછેરાય, તેનાથી રૂડુ શું?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગાયત્રી શાંતિવન દ્વારકા દ્વારા જનજાગૃતિ પત્રિકાનું વિતરણઃ
આજના યુગમાં હૃદયરોગ, બ્લડપ્રેસર, કેન્સર વગેરેની જેમ ડાયાબિટીસનાં રોગનું પ્રમાણ પણ વધારે જોવા મળે છે. ઘણાં જુનાં કાળથી માનવીને પીડતા અને આખા શરીરનું આરોગ્ય કથળાવતો આ રાજરોગ મધુપ્રમેહ (ડાયાબિટીસ) વિશે આયુર્વેદનાં મહર્ષિ ચરક, સુશ્રુતે રસપ્રદ વર્ણન આયુર્વેદના ગ્રંથોમાં કરેલ છે. જીવનભર પરેશાન કરનારા આવા મહારોગથી બચવા પ્રત્યન કરવો, તે સૌ કોઈની ફરજ છે.
શરીરનું વધારે પડતું વજન વધવા ન દેવું. ચાલી વર્ષની ઉંમર બાદ તો આ બાબતે દરેક વ્યકિતએ સજાગ રહેવું હિતાવહ છે.
આચાર્ય ચરકે મધુપ્રમેહ (ડાયાબિટીસ) થવાનાં મુખ્ય કારણોમાં જણાવ્યું છે કે, ખોરાકમાં પોતાની જીભને વશમાં ન રાખી શકનાર અર્થાત વધારે પડતું ખાનારને અને પગલે ચાલવાનો કંટાળો કરનાર અર્થાત બેઠાડું જીવન જીવવાવાળાને આ રોગ ભરડો લે છે, આ બાબત ધ્યાનમાં રાખવી.
કુટુંબમાં કોઈને આ રોગ છે કે કેમ ? તે જાણી લેવું, જો તે હોય તો પોતે એના ભોગ બનવાની શકયતા ધ્યાનમાં રાખવી. સાવચેતીનાં પગલાં તરીકે વધારે પડતી મીઠાઈ અને વધારે પડતું ન ખાવું, વજનનો વધારો થતો રોકવો, સમયાંતરે લોહી અને પેશાબની તપાસ કરાવવી.
મોડા ઉઠવાની આદત, બપોરે જમ્યા પછીની દિવસની વધુ ઊંઘ, બેઠાડું-આળસું જીવન છોડવું જ રહ્યું.
દરરોજ નિયમિત કસરત કરવી, યોગાસનો કરવા, તેમજ ઝડપથી ચાલવું જરૂરી છે.
વારંવાર મીઠી ચા કે કોફી પીવાનું વ્યસન પણ છોડવું હિતકારક છે.
પચવામાં ભારે, દહીં વગેરે જેવા ચીકણાં પદાર્થો, ગળ્યાં દ્રવ્યો, ઠંડા પદાર્થો, કોલ્ડ્રીંકસ, આઈસ્ક્રીમ વગેરે બહુ વધારે પ્રમાણમાં લેવા નહીં.
કફ પ્રકૃતિવાળી વ્યકિત કફ કરનાર પદાર્થો (જેમ કે વધુ પ્રમાણમાં દૂધ પીવું, વધુ પ્રમાણમાં દહીં ખાવું, ગોળ નાખેલા પદાર્થોનું વધારે સેવન કરવું)નું વધુ પ્રમાણમાં સેવન કરે તો, સુખી-એશ-આરામી વ્યકિત અને સ્વાદપ્રિય તથા ઊંઘણશી વ્યકિત ડાયાબિટીસના સકંજામાં ઝડપથી આવી જાય છે.
પૌષ્ટિક ખોરાક ખાઈ શરીર શ્રમ વિના વેપાર- રોજગાર કરતા સુખી વેપારીઓ, વેપાર ધંધામાં વારંવાર ચિંતા કરી, વ્યાયામ અને હરવું-ફરવું-ચાલવાની કસરત પણ ઓછી કરનાર, તેમજ જુદી-જુદી મહત્વાકાંક્ષાથી ભરેલા અન્ય માણસો કે જે માનસિક રીતે પૂરતો આરામ કરતા નથી, તેઓ સજાગ રહે.!
દૈનિક ખોરાકમાં શકય એટલા વધુ પ્રમાણમાં ખોરાક સાથે સૂકી-લીલી હળદર, મેથી, કારેલા, સૂકા-લીલાં આમળાં, આદુ, હરડે, મામેજવો, રસાયણ ચૂર્ણ, સુદર્શન ચૂર્ણ, સાચું મધ વગેરે લેવાથી ડાયાબિટીસથી બચી શકાય છે. નાના બાળકોને કડવાણી આપવી હિતકારક છે.
ડાયાબિટીસને આગળ વધતો અટકાવવા માટે ખાન-પાન બાબતમાં લોક જાગૃતિ આવશ્કય છે.
બાળકોને થતું ડાયાબિટીસઃ જુવેનાઈલ ડાયાબિટીસ બાળકોની અયોગ્ય રહેણીકરણીને કારણે થાય છે. જંક ફૂડનું જે પશ્ચિમી કલ્ચર બાળકોમાં અપનાવાઈ રહ્યું છે, તેને કારણે તેમના સ્વાસ્થ્યમાં ઘણાં ફેરફાર થાય છે. આ પ્રકારનું ડાયાબિટીસ ઘણીવાર વારસાગત હોય છે, અને કયારેક સ્થૂળતાને કારણે પણ થાય છે.
ડાયાબિટીસના દર્દી માટે અગત્યની ટીપ્સ
આ રોગનાં દર્દી જો ખાવાની બાબતમાં પોતાની જાતને કાબૂમાં રાખી શકે તો ડાયાબિટીસ અંકુશમાં રહે છે.
ડાયાબિટીસથી પીડાતી વ્યકિતએ નિયમિત તેમનું બ્લડ સુગર ચેક કરાવવું અત્યંત આવશ્યક છે.
પોતાના પગની ખાસ સંભાળ રાખવી જરૂરી છે.
નિયમિત યોગાસનો અને કસરત કરવાથી પણ ડાયાબિટીસને અંકુશમાં રાખી શકાય છે.
જો આ રોગની યોગ્ય સારવાર ન લેવામાં આવે તો અંધાપો, હૃદયરોગ, કિડનીની બીમારી જેવા મહારોગને નોતરે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
રાષ્ટ્રીય ક્ષય નિર્મુલન કાર્યક્રમ હેઠળ ૧૦૦ દિવસની ખાસ ઝુંબેશ
જામનગરઃ વરવાળા ટી.બી. સેનેટોરિયમ સંચાલિત શ્રી શંકરાચાર્ય જનરલ હોસ્પિટલના આયુર્વેદાચાર્ય વૈદ્ય ડી.પી. મહેતાએ ક્ષયરોગ અંગે જાણકારી સાથે તેને મટાડવાના ઉપાયો અંગે કેટલીક ગાઈડલાઈન આપી છે.
ક્ષય (ટી.બી.)ના રોગને આયુર્વેદમાં 'રાજયક્ષ્મા' કહે છે. આયુર્વેદના ચરકસંહિતા, સુશ્રુત સંહિતા, અષ્ટાંગ હૃદય વગેરે ગ્રંથોમાં આ રોગ અંગે રસપ્રદ વર્ણન જોવા મળે છે. આ રોગનું આક્રમણ માનવ શરીરના કોઈપણ અંગ પર થઈ શકે છે. પરંતુ ભારતમાં મુખ્યત્વે ફેફસાનો ટી.બી.નો રોગ જ થાય છે. વડાપ્રધાને પણ ટી.બી. નાબુદીનું આહ્વાન કર્યું છે.
નશો, ધુમ્રપાન કે તમાકુના વ્યાપક સેવન જેવા જુદા જુદા વ્યસનો, માદક દ્રવ્યોનું વધુ પડતું કે નિયમિત સેવન, હવા-ઉજાસ વિનાનું બંધિયાર અને ગંદકીભર્યું રહેઠાણ, ગીચ વસવાટ, વધારે પડતું કામ, અપૂરતો ખોરાક, નબળું પોષણ, શ્વાસમાં જતાં ધૂળ, ધુમાડો, માનસિક ચિંતા જેવા વિવિધ કારણોથી આરોગ્ય કથળતા રોગ પ્રતિકારક શકિત ઘટવાના કારણે આ રોગ સહેલાઈથી શરીરમાં પ્રવેશી જાય છે. ક્ષય (ટી.બી.)નો રોગ ચેપી છે તેથી સાવચેતી રાખવી જરૂરી છે. ક્ષય રોગમાં શંકાસ્પદ દર્દીઓના ગળાની તપાસ, એકસ-રે, લોહીનું, ગળફાનું પરીક્ષણ વગેરે પદ્ધતિથી ક્ષય રોગનું નિદાન થાય છે. ક્ષયના દર્દીને ક્ષય રોગ વિશે સંપૂર્ણ જાણકારી આપવી જરૂરી છે. તેમને દરરોજ નિયમિત દવાઓ ખાસ કાળજી રાખીને આપવી ખૂબ જ જરૂરી છે. દવાનો કોર્ષ પૂરેપૂરો અને સતત લેવો અનિવાર્ય હોય છે. ક્ષયના દર્દીના પરિવારે પણ ક્ષય અંગેનું પરીક્ષણ સાવચેતી ખાતર કરાવી લેવું જોઈએ.
લાંબા સમયથી આવતો તાવ, ઉધરસ, ગળફા, કયારેક ગળફા સાથે લોહી નીકળવું કે લોહીની ઉલ્ટી થવી, શરીરનું સુકાવું, શરીરનો ઘસારો, વજનનો ઘટાડો, ખૂબ જ અશકિત, હાંફ ચડવી વગેરે પ્રાથમિક લક્ષણો ટી.બી. હોવાની શકયતા દર્શાવે છે. નિયમિત તબીબી તપાસ, વહેલી સવારનો સૂર્યપ્રકાશ, સ્વચ્છ હવાનું વિધિપૂર્વક સેવન, સંયમી જીવન, પૌષ્ટિક ખોરાકનું સેવન તથા નિયમિત દવાનો કોર્ષ પૂરેપૂરો કરવાથી ક્ષય સદંતર મટી શકે છે. ટી.બી.ના નિદાનમાં વિલંબ ન થવો જોઈએ. વહેલું નિદાન અને નિયમિત ઉપચાર ટી.બી.ના દર્દીને ટી.બી.માંથી રોગમુકત કરી શકે છે. કેન્દ્ર સરકાર-રાજય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તરફથી આ રોગ અંગેના અપાતા સૂચનો કે માર્ગદર્શનનું પાલન કરવું હિતાવહ છે. આ અભિયાનમાં જન ભાગીદારી આવશ્કય છે.
વર્ષ ૨૦૨૫ સુધીમાં ભારતને ટી.બી. મુકત બનાવવના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરેલ નિર્ધારને સાકાર કરવા આપણે સૌ સાથે મળીને આપણો દેશ, શહેર, જિલ્લાને ક્ષય (ટી.બી.) મુકત કરવાના સહિયારા પ્રયાસોમાં સક્રિય યોગદાન આપીને ૧૦૦ દિવસની ટી.બી. નિર્મૂલન ઝુંબેશને વેગવાન બનાવીએ, તે અત્યંત જરૂરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ઓટો ઈમ્યુનિટી એટલે શું? નિદાન કેવી રીતે થાય? લક્ષણો શું છે?...જાણો...
એક અહેવાલમાં જણાવ્યું છે કે પૂનામાં જીયે બુરે સિન્ડ્રોમ આઉટબ્રેક જોવા મળ્યો છે અને તેના પરિણામે એક મૃત્યુ પણ નોંધવામાં આવ્યું છે. ય્ેૈઙ્મઙ્મટ્ઠૈહ-મ્ટ્ઠિિી જીઅહઙ્ઘર્દ્બિી (જીયે બુરે સિન્ડ્રોમ)માં શરીરના જ્ઞાન તંતુ (નર્વ)ને અસર કરતો રોગ છે જેનું કારણ ઓટોઇમ્યુનિટી માનવામાં આવે છે. ઓટો ઇમ્યુનનો અર્થ થાય કે શરીરનું રોગ પ્રતિરક્ષણ તંત્ર જેને ઇમ્યુનિટી કહે છે તે પોતે જ શરીરના પોતાના કોષોને બાહ્ય આક્રમણ માંની તેને નુકસાન કરે. આ રોગમાં ઇન્ફ્લેમેશન (સોજો) જ્ઞાનતંતુમાં કોઈપણ પ્રકારના બાહ્ય સંક્રમણના કારણે નહીં પણ ઓટો ઇમ્યુનિટીના પરિણામે થાય છે.
ઓટો ઈમ્યુનિટી શું છે?
ઓટો ઇમ્યુનિટી એક પ્રકારનો ઇમ્યુન સિસ્ટમનો રોગ છે જેમાં શરીરની ઇમ્યુન સિસ્ટમ શરીરના પોતાના કોષોને નુકસાન કરે છે અને તેના પરિણામે રોગ થાય છે. આયુર્વેદ ના મતે ઇમ્યુનિટી એટલે કે ઓજના વિસંસની સ્થિતિ છે અને તેના પરિણામે શરીરમાં સોજો (ઓટો ઇમ્યુન ઇન્ફ્લેમેશન આવે છે). અહી ઇમ્યુનિટીને વધારવી સામાન્ય રીતે ખરાબ પરિણામ લાવી શકે છે તેથી ઓટો ઇમ્યુન રોગોમાં આધુનિક ચિકિત્સામાં ઇમ્યુનો સપ્રેસર ઇમ્યુનિટીને ઓછી કરાતી દવાઓનો ઉપયોગ કરવામાં આવતો હોય છે.
ઇમ્યુનિટીના કારણે થનાર રોગોમાં લો-ઇમ્યુનિટી જન્ય રોગો, ઇમ્યુન ડેફિસયન્સીના કારણે થનાર રોગો, હાઇટનડ ઇમ્યુન રિસ્પોન્સ (જે કોવિડમાં જોવા મળતો હતો જેને ઓછું કરવા સ્ટીરોઇડ વાપરવામાં આવતી), ઓટો-ઇમ્યુન રોગો મુખ્ય છે. ઓટો ઇમ્યુનિટીના કારણે શરીરના દરેક અવયવના રોગો થઈ શકે છે. ઓટો ઇમ્યુન એક રોગ નથી પણ રોગ થવાની એક વિશેષ પ્રક્રિયા હોય છે. જેની ચિકિત્સા પણ વિશેષ રીતે કરવાની થતી હોય છે.
જીયે બુરે સિન્ડ્રોમને
કેવી રીતે ઓળખાવો
જીયે બુરે સિન્ડ્રોમમાં શરીરની જ્ઞાનતંતુના પડ (માયલીન શિથને નુકસાન થતું હોય છે) જેમાં શરૂઆતમાં હાથ અને પગમાં ખાલી ચડવી, કમજોરી લાગવી જેવો લક્ષણો જોવા મળે છે જે સમયાંતરે પેરાલીસીસ જેવી પરિસ્થિતિ જેમાં હાથ અને પગના કામ કરવાની શક્તિ રહેતી નથી પક્ષાઘાત થતો જોવા મળે. શરૂઆતના ઓછા લક્ષણો જોવા મળે છે જે ક્રમશઃ દરેક અવયવ ઉપર અસર જોવા મળે છે જે નીચે મુજબ હોય શકે.
૧) હાથ-પગમાં સુન્ન પડે છે. જો કોઈ ટાંકણી જેવી વસ્તુ વાગે તો તેની જાણ થતી નથી, ૨) ચાલવામાં અને દાદર ચડવામાં તકલીફ પડે પગ લડખડતા હોય તેવું લાગે, (૩) બોલવામાં, ચાવવામાં, ખોરાક-પાણી ઉતારવામાં તકલીફ થાય, (૪) જોવામાં તકલીફ પડે (બે બે વસ્તુઓ દેખાય), (૫) સ્નાયુમાં દુખાવો થવો તોડતું મરડતું હોય વિશેષ કરીને રાત્રિના સમયે વધુ જોવા મળે, (૬) પેશાબ-મળ માર્ગની તકલીફ, (૭) શ્વાસ લેવામાં તકલીફ થવી, બ્લડપ્રેશરમાં ફેરફાર થવા વિગેરે.
જીયે બુરે સિન્ડ્રોમનું નિદાન
જીયે બુરે સિન્ડ્રોમનું નિદાન રોગીને તપાસી અને હિસ્ટ્રી લીધા પછી જરૂરી રિપોર્ટ કરવાથી થઈ શકે છે. ઉપરના લક્ષણો જણાતા આયુર્વેદ ચિકિત્સકનો સંપર્ક કર્યા પછી તપાસ પછી જરૂરી રિપોર્ટ જેવા કે નર્વ કન્ડક્શન ટેસ્ટ, સ્પાઇનલ ટેપ, એલેક્ટ્રોમીઓગ્રાફી, એએનએ વિગેરેની તપાસ કર્યા પછી કરી શકાય છે.
જીયે બુરે સિન્ડ્રોમની આયુર્વેદ સારવાર
જીયે બુરે સિન્ડ્રોમની ચોક્કસ સારવાર નથી તેમ આધુનિક વિજ્ઞાન માને છે અને ચિકિત્સા માટે નયુરાઇન ટોનિક, ઇમ્યુનો-સપ્રેશન્ટ અને સપોર્ટીવ મેડિસિન આપવામાં આવે છે. સામાન્ય રીતે રોગ આગળ ના વધે તે માટે ચિકિત્સા સતત ચાલુ રાખવાની સલાહ આપવામાં આવતી હોય છે. આયુર્વેદના મતે પણ રોગમાં સારવાર અને કાળજી સતત લેવી પડે.
રોગીની પરીક્ષા કર્યા પછી અને રોગ અને રોગીની અવસ્થા જાણ્યા પછી આયુર્વેદ ચિકિત્સક તેને મેડિસિન ટ્રીટમેન્ટ દવાથી ચિકિત્સા કરે છે જેમાં અશ્વગંધા, ચોપચીની, પીપરમૂળ, દશમૂલ, પંચમૂલ, વાતવિધવાંશ, તિંદૂક, વિગેરે ઔષધિ આપી શકે છે.
આહારમાં રોગીને અનુકૂળ હોય તેવા આહાર જે શરીર માં આમ ઉત્પન્ન ન કરે તેવા એટલે કે મેંદાની બાનવટ, તેલિબિયા નટ્સ, રિફાઈન્ડ ફ્લોર, રેડી ટુ કૂક અને રેડી ટુ સર્વ ફૂડ પરિસર્વેટિવ નાખેલ ખોરાકોનો ઉપયોગ ન જ કરવો. તલનું તેલ, જવ, મગ, વરસાદનું પાણી, સીંધાલૂણ, મધ, ગાયનું ઘી જેવી વસ્તુથી બનેલા ખોરાક જ લેવા હિતાવહ છે.
રાત ઉજાગરા કરવા, અતિ શ્રમ કરવો, તડકો, પવન લાગે તેવા કામ કરવા, ચિંતા કરવી, સતત માનસિક વિચારોમાં રહેવું રોગની તકલીફમાં વધારો કરે છે. નિશ્ચિંત રહેવું, સબળા વિચારો કરવા, હળવા કામ કરવા અને પ્રવૃત્તિશીલ રહેવાથી રોગ વધવાની ઝડપને ઓછી કરી શકાય. ઉંમર વધવાની સાથે જે ન્યુરૉન્સ (જ્ઞાન તંતુ) નાશ પામે છે તે ફરી બને શક્યતા નથી તેથી રોગની ચિકિત્સામાં બેકાળજી થવું યોગ્ય નથી. સતત નિયમિત ચિકિત્સાથી રોગથી થનારા ઉપદ્રવની ઝડપ ઓછી કરી શકાય.
સલાહ
ઉપરોક્ત રોગ અને રોગ-અવસ્થા વિશે વધુ જાણવા અને ચિકિત્સકિય અભિપ્રાય માટે આયુર્વેદ ચિકિત્સકનો સંપર્ક કરવો.
ડૉ. નિશાંત શુક્લ, જામનગર
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
રાજગીરી-બિહાર એટલે એ પુનીત અને પવિત્ર ભૂમિ છે કે જયાં પ્રભુ મહાવીર સ્વામીના પાવન પગલા પડયાં છે. અને ખરા અર્થમાં આશીર્વાદ પામી છે. આવી મહાન અને પાવન ભૂમિ ૫૨ પ્રભુ મહાવીરના ઉપદેશો, સિધ્ધાંતો અને દેષ્ણાઓને ખરા અર્થમાં ચરીતાર્થ કરતાં પ્રચાર અને પ્રસારનું ઉત્તમ માધ્યમ બનીને ઉભરી આવ્યા છે એક જૈન સાધ્વીજી, કે જેઓ આચાર્ય ચંદનાજીના નામથી ખ્યાતી પામ્યા છે. અને તાંઈ મહારાજ ના વિશીષ્ટ ઉપનામ સાથે પણ શ્રાવકોમાં ઓળખાય છે.
પૂ.આચાર્ય ચંદનાજી આગામી તા. ૨૬ મી જાન્યુઆરીના રોજ પોતાના જીવનકાળના ૮૮ વર્ષ પૂર્ણ કરીને ૮૯ માં વર્ષમાં સંપૂર્ણ સ્વસ્થતા અને ઉત્તમ સ્વાસ્થય સાથે મંગલ પ્રવેશ કરી રહૃાા છે. ત્યારે તેમનો પરિચય તાજો કરવો અસ્થાને નહીં ગણાય.
૨૬ મી જાન્યુઆરી ૧૯૩૭ ના રોજ મહારાષ્ટ્રના ચાસ્કામન મુકામે કટારીયા પરિવારના સુશ્રાવક પિતા માણેકચંદજી અને સુશ્રાવીકા માતા પ્રેમકુંવરબાના ખોરડે પુત્રી રતન તરીકે જન્મયાં શકુંતલા સાંસારીક નામ સાથે તેમનો ઉછેર થયો ફકત ૩ ધોરણ સુધી પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કર્યુ સમય જતાં તેમના નાનાજીની સલાહને અનુસરીને જૈન પૂ. સાધ્વી સુમતીકુંવર સાથે જોડાયા કે જેથી જૈનત્વ અને જનસેવા વિષયક વધુ અભ્યાસ કરી શકે. માત્ર ચૌદ વર્ષની વયે જૈન દિક્ષા અંગીકાર કરી અમરમુની સંપ્રદાયના પૂજય ગુરૂૂદેવ ઉપાધ્યાય અમરમુનજી મહારાજે દિક્ષા આપી અને સાઘ્વી ચંદનાજી નામ આપ્યું. દિક્ષા પર્યાય દરમ્યાન જૈન સ્ક્રીત્યના અભ્યાસ અર્થે ૧૨ વર્ષ સુધી મૌન રહેવાની આકરી પ્રતિજ્ઞા લીધી. ઉપરાંત ભારતીય વિદ્યા ભવન, મુંબઈમાંથી દર્શનાચાર્યની ડીગ્રી મેળવી, પ્રયાગ ખાતેથી સાહિત્ય રત્નની ઉપાધી મેળવી બનારસ હિન્દુ યુનિવર્સિટી ખાતેથી નાવ્યન્યાય અને વ્યાકરણ વિષયોમાં શાસ્ત્રીની વિશેષ ઉપાધી મેળવી.
તેઓએ વર્ષ ૧૯૭૨ થી બિહારના ગરીબીથી પ્રભાવિત વિસ્તારોમાં માનવતાવાદી સેવાકીય કાર્યોનો શુભારંભ કર્યો ૧૯૭૪ માં વિરાયતનની સ્થાપના કરી જે હાલ વિશ્વના ૧૦ રાષ્ટ્રોમાં ફેલાયેલી છે. વિરાયતનની સંસ્થા ઃ રાજગીર (ઝારખંડ) પાવાપુરી (કચ્છ) - રૂૂદ્રાણી (કચ્છ) - પાલીતાણા - વ્યોમ આગરા - ઓસિયાજી (રાજસ્થાન) - સંચોર - ખંડોબા (પૂના) તથા ઈન્ટરનેશનલ સંસ્થા અમેરીકા - બ્રિટન - કેન્યા - નેપાલ - દુબઈ દેશ-વિદેશ દરેક જગ્યા સંસ્થા કાર્યરત છે. વિરાયતન દ્વારા શાળાઓ, કોલેજીસ ઉપરાંત હોસ્પિટલ્સનું અધતન સંચાલન ક૨વામાં આવ્યું છે. ઉપરાંત જરૂૂરતમંદો માટે વ્યવસાયીક તાલીમી કાર્યક્રમોનું પણ સંચાલન કરવામાં આવી રહૃાું છે. કુદરતી આપતીઓ બાદ પ્રભાવીત પરિસ્થિતિઓના પુનઃવસવાટ માટે પણ વ્યાપક રીતે સેવાઓ કરવામાં આવેલ છે. જૈનોની પવિત્ર તિર્થભૂમિ અને શ્રેષ્ઠ યાત્રાધામ રાજગીરી મુકામે જૈન તીર્થંકરોની દેક્ષણાઓના વ્યાપક પ્રસાર હેતુ ડીવાઈન વર્લ્ડ નામના અંતગર્ત એક યોજનાનું કામ હાથ ધર્યુ હતું, અને પુરૂૂ કરેલ છે.
તીર્થંકર મહાવીર પ્રભુનો અહિંસા, પ્રેમ અને કરૂૂણાનો સંદેશ જેમનો જીવનમંત્ર હોય, ચોવીસ કલાક, ત્રણસો પાંસઠે દિવસ જેઓ માનવ કલ્યાણની પ્રવૃતિઓમાં જ નિસ્વાર્થ ભાવે સંલગ્ન હોય, સબળ, સક્ષમ અને ગતિશીલ નેતૃત્વ જેમના ડગલે પગલે ભારોભાર અભિવ્યકત થતું અનુભવી શકાય તેમની વિદવતાપૂર્ણ, અસ્ખલિત રણકતી મધુરવાણી સાંભળતા અભિભૂત થઈ જવાય એવી કોઈ સૌમ્યતા અને શાલીનતા સભર, મમતાની મૂર્તિજોવા મળે તો તેઓ નિશ્ચિતપણે પૂ. ચંદનાજી મહારાજ તથા પૂ. સાધ્વીજી શિલાપીજી મહારાજ હશે. તેમ કહેવામાં કોઈ અતિશ્યોકિત નહી ગણાય. તેઓની સાથો સાથ સૌરાષ્ટ્રમાં કચ્છ સ્થિત વિરાયતન વિદ્યાપીઠના સાધ્વીશ્રી શિલાપીજી મહારાજ આવા બહુમુખી પ્રતિભાવંત અને અનોખા વ્યક્તિત્વનો જાતે જ અનુભવ કર્યા વિના રહી શકશે નહીં.
વિરાયતન રાજગીરીનો એક પરિચય
૫૨મ પૂજય ગુરુદેવ ઉપાધ્યાય અમરમુનિજીની પ્રેરણા અને આશીર્વાદ ૫૨મ શ્રદ્ધેય આચાર્ય ચંદનાજી દ્વારા વિરાયતનનો પ્રારંભ સન ૧૯૭૩ માં રાજગીરી - બિહારમાં થયો. સેવા, શિક્ષા અને સાધનાના હેતુઓની સાથે માનવ કલ્યાણ અને સામાજીક વિકાસના કાર્યોમાં સમર્પિત વિરાયતન, એક સોશ્યોરીલિજીયસ આંતરરાષ્ટ્રીય સંસ્થાન છે. જે સેવાના માધ્યમથી ભગવાન મહાવીરની કરૂૂણા અને અહિંસાની તેજસ્વિતાને અનેક લોકો સુધી પહોંચાડવાનો સફળ પ્રયાસ કરી રહી છે.
૫૨મ શ્રદ્ધેય આચાર્ય ચંદનાજીના નેતૃત્વમાં વિરાયતન-સમર્પિત અને કુશળ સાધ્વી સંઘ, કાર્યકારિણી સમિતિના સદસ્યને ઉત્સાહિત સ્વયંસેવકોના સંયુકત પ્રયત્નોથી ચાલતી સંસ્થા છે. સમગ્ર માનવજાતિના ઉત્કર્ષ માટે વિરાયતનનું કાર્ય કોઈ જાતિ કે પંથ, ધર્મ કે સમુદાયના ભેદભાવ વગર સંપન્ન કરવામાં આવી રહૃાું છે. વિરાયતનનો પ્રયાસ છે કે એવું વાતાવરણ બનાવવામાં આવે જેમાં બધા લોકો, લાભાર્થી, સ્વયંસેવકો અને કાર્યકતાઓનો સહયોગ અને સર્વ હિતની વાત વિચારી શકે અને બીજાના કલ્યાણની સુંદર યાત્રામાં સહભાગી બની શકે. છેલ્લા ૪૫ વર્ષોમાં વિરાયતને લાખો લોકોના જીવનને સ્પર્શ કર્યો છે અને પ્રોત્સાહન, સહયોગ અને નિસ્વાર્થ પ્રેમ દ્વારા તેમનામાં નવી આશાઓનો સંચાર કર્યો છે.
આચાર્ય ચંદનાજી જૈન ધર્મને તો વરેલા રહૃાા છે, સાથોસાથ જૈન સમાજને સંપૂર્ણ રીતે સમર્પિત રહૃાા છે. સમાજના ઉત્થાન અર્થે શિક્ષણને પ્રાધાન્ય આપ્યું. તેઓ દ્રઢતાપૂર્વક માને છે કે, જે સમાજ શિક્ષિત હોય તે સમાજ સદૈવ સુરક્ષીત હોય અને રહેશે જ. સમાજની દરેક પ્રકારની સેવાઓ પછી તે શિક્ષણ હોય કે આરોગ્ય, ધર્મ ઉપદેશની વાત હોય કે પછી ગરીબોના ઉત્થાનની બાબત હોય. પૂ. તાઈ મૉં સદાય તત્પર, અગ્રેસર અને સમર્પિત રહૃાા છે. પાંચ દાયકા ઉપરાંતની તેમની આ સેવાઓની ભારત સરકારે રાષ્ટ્રીય કક્ષાએ નોંધ લીધી અને તેને આપેલા આ ઉત્તમ યોગદાન બદલ તેમને વર્ષ ૨૦૨૨ માં *પદ્મશ્રી એવોર્ડથી વિભુષીત કરાયા અને ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.
પદ્મશ્રી આચાર્ય ચંદનાજી જે જે ભૂમી પર પગરણ માંડે છે તે દરેક ભૂમીની તાસીર અને કિસ્મત બદલાઈ જાય છે.
વિરાયતન કચ્છમાં આગમન
૨૬ જાન્યુ-૨૦૦૧ માં કચ્છમાં વિનાશક ભૂકંપ ત્રાટકયો એ સમયે સાધ્વીજી પૂ. શિલાપીજી મહારાજ લંડન ખાતે જૈન ધર્મ વિશે પી.એચ.ડી. નું અધ્યયન કરી રહૃાા હતા. વિકરાળ ભૂકંપે તબાહી મચાવ્યાની જાણ થતાં જ પી.એચ.ડી. નો અભ્યાસ અધુરો છોડી પૂ. શિલાપીજી મહારાજ કચ્છ દોડી આવ્યા અને આચાર્ય ચંદનાજી મહારાજના આશીર્વાદ સાથે ભૂકંપપીડીતોના અશ્રુ લુછવાના ભગીરથ કાર્યનો પ્રારંભ કર્યો ત્યારથી આજ સુધી તેઓ કચ્છવાસીઓના કલ્યાણ માટે અવિરત સંલગ્ન છે.
૨૪ વર્ષ પૂર્વ કચ્છમાં આવેલા ભૂકંપ બાદ આપત્તિગ્રસ્ત લોકો માટે રાહત અને પુનવર્સનની બેનમુન કામગીરી કરનાર વિરાયતન સંસ્થાએ કચ્છમાં ઉચ્ચ વ્યવસાયિક શિક્ષણની વિશ્વકક્ષાની સુવિધાઓ ઉપલબ્ધ બનાવી જે આજે કચ્છની વિકાસક્રાંતિના એક સુવર્ણપુષ્ઠ બની ચૂકી છે. પરમ શ્રદ્ધેય આચાર્ય ચંદનાજી મહારાજના આશીર્વાદથી એનો પ્રારંભ કરનારા સાઘ્વી શિલાપીજી મહારાજ છે. એમની દ્રષ્ટિ, સૂઝબૂઝ, અથાક મહેનત, સબળ નેતૃત્વ અને અસરકારક દોરવણીના કા૨ણે આજે કચ્છમાં વિરાયતન શિક્ષણના મહામથક તરીકે ઉભરી આવ્યું છે. અહી આજે જિલ્લાની સર્વપ્રથમ ફાર્મસી ડિગ્રી કોલેજ, મેનેજમેન્ટ કોલેજ, વિશ્વસ્તરની ઈજનેરી કોલેજ, પ્રાથમીક અને માધ્યમિક કક્ષાની ચાર શાળાઓ તેમજ બે તબીબી કેન્દ્રો કાર્યરત છે. જેમાં હજારો વિદ્યાર્થીઓ કોઈ જાતિ, ધર્મ, સંપ્રદાયના ભેદ વગર નિશુલ્ક શિક્ષણ પણ પ્રાપ્ત કરી રહૃાા છે.
પૂ. ચંદનાજી મહારાજના આશીર્વાદથી પૂ. સાધ્વી શિલાપીજી મહારાજ દિલ્હી યુનિવર્સિટીમાંથી એમ.કોમ. અને લંડનની કિંગ્સ કોલેજમાંથી એમ.ફિલની ઉપાધિ મેળવનાર સાધ્વી શિલાપીજી સંસ્કૃત, પ્રાકૃત, મારવાડી (રાજસ્થાની), મરાઠી, ગુજરાતી, હિન્દી તેમજ અંગ્રેજી તેમ સાત ભાષાઓમાં પારંગત છે અને જૈન તત્વજ્ઞાન તેમજ માનવજીવનની સમસ્યાઓ વિશે અગાધ જ્ઞાન તથા ઉડી સમજ ધરાવે છે. ઓકસફર્ડ, હાવર્ડ તેમજ અન્ય ટોચની વિદેશી યુનિવર્સિટીઓમાં સાધ્વીજીના વ્યાખ્યાનો અવારનવાર યોજાતા રહે છે. ભારત દર્શન વિશે પશ્ચિમની યુનિવર્સિટીમાં અભ્યાર કરનાર તેઓ પહેલા જૈન સાધ્વી છે.
કચ્છ વિરાયતન ઈન્સ્ટીટયુટ ઓફ એન્જીનીયરીંગ હરિપર ગામમાં સ્થાપના કરવામાં આવેલ છે. જેમાં ઉચ્ચ શિક્ષણ સંકુલ બનાવવામાં આવેલ છે. જેમાં અનુભવી સ્ટાફ તથા પ્રધ્યાપકો શિક્ષણ આપે છે. આ ઈન્સ્ટીટયુટમાં વિદ્યાર્થીઓને શિક્ષણની સાથો સાથ ટેકનીકલી, ખેલકૂદ તેમજ સાંસ્કૃતીક કાર્યક્રમો કરવામાં આવે છે.
આ શિક્ષણ સંસ્થા ૫ લાખ ફૂટની જગ્યામાં બનાવવામાં આવેલ છે, જેમાં કેમ્પસની અંદર હોસ્ટેલ તથા કોમ્પલેક્ષ આધુનિક સુવિધાથી સજજ છે. જેમાં આઈ.ટી., ઈલેકટ્રોનીક અને કોમ્પ્યુટર, સીવીલ મીકેનીકલ, કેમીકલ, કોમ્યુપટર અને ઈલેકટ્રોનીક એન્જીનીયર ડિગ્રીના વર્ગો તથા ડીપ્લોમા પ્રોગ્રામ કરાવવામાં આવે છે તેમજ જરૂૂરીયાત મંદ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવે છે. ખાસ નોંધનીય છે કે આ ઈન્સ્ટીટયુટમાંથી ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી સારી કંપનીના કેમ્પ ઈન્ટરવ્યુમાં જોબ મળી જાય છે.
૫.પૂ.તાઈમાં મહારાજના માર્ગદર્શન મુજબ પ.પૂ. શિલાપીજી મહારાજની દેખરેખ હેઠળ વર્ષ ૨૦૨૨ માં અદ્યતન આધુનીક ૭૮૦ શીટનો ઓડીટોરીયમ હોલ બનાવી અને ખુલ્લો મૂકવામાં આવ્યો. જેનું નામાધિકરણ 'અદાણી ઓડીટોરીયમ હોલ' રાખવામાં આવેલ.
વર્ષ-૨૦૨૨માં પ્રરીણી મહારાજ સાહેબએ દિક્ષા અંગીકાર કરેલ. તેમની નાની બહેન માનવી બહેન જૈન તા. ૨૫-૧-૨૦૨૫ના રોજ દિક્ષા અંગીકાર કરશે તેમનો વરઘોડો શોભાયાત્રા ૭૨ જિનાલયથી સવારે ઃ ૮ વાગ્યે નીકળશે અને ૧૦વાગ્યે દિક્ષાનો પાઠ ભણાવવામાં આવશે.
સંકલનઃ- શશીકાંત ઉદાણી,
મો. ૯૪૨૭૨ ૪૦૬૭૮
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
શોષણકારી લોગિંગ ઈન્ડસ્ટ્રીઝમાંથી બચાવાયા પછી
જામનગર તા. ૨૨: વનતારા શોષણકારી લોગિંગ ઇન્ડસ્ટ્રીમાંથી બચાવેલા ૨૦ હાથીઓને બંધન મુક્ત વાતાવરણ પૂરું પાડશે. હાથીના ભૂતપૂર્વ માલિકો અને મહાવતો વનતારામાં રોજગારની તકો દ્વારા નવી આજીવિકા અપનાવશે.
દીર્ઘદૃષ્ટા પરોપકારી અનંત અંબાણીએ સ્થાપેલી અત્યાધુનિક એનિમલ રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સંસ્થા, વનતારા અરુણાચલ પ્રદેશની શોષણકારી લોગિંગ ઇન્ડસ્ટ્રીમાંથી મુક્ત કરાયેલા ૨૦ હાથીઓ - ૧૦ નર, ૮ માદા, ૧ અલ્પ-પુખ્ત અને એક બાળ હાથીને આવકારવાની તૈયારી કરી રહૃાું છે. આ બચાવ કામગીરી ત્રિપુરા હાઈકોર્ટ દ્વારા રચવામાં આવેલી અને ભારતની સર્વોચ્ચ અદાલત દ્વારા અનુમોદિત હાઇ-પાવર્ડ કમિટીની મંજૂરી સાથે પ્રાણીઓના વર્તમાન માલિકોની સંપૂર્ણ સંમતિ સાથે હાથ ધરવામાં આવી છે.
આ હાથીઓને ટૂંક સમયમાં વનતારામાં તેમનું કાયમી ઘર મળશે, જે કુદરતી રીતે તેમના મૂળ નિવાસસ્થાનને પ્રતિબિંબિત કરે છે, જ્યાં તેઓ સાંકળના બંધન વિના જીવશે અને તેમને ક્યારેય મજૂરી માટે ફરજ પાડવામાં આવશે નહીં.
પીડિત હાથણીઓની
કરૂણ કહાનીઓ
બચાવી લેવાયેલા હાથીઓમાં એક લક્ષ્મીનો સમાવેશ થાય છે, જે ૧૦ વર્ષની કેદમાં જન્મેલી અલ્પ-પુખ્ત વયની છે અને તે ઊંડા, સારવાર નહીં કરાયેલા ઘાને કારણે તેના પાછળના પગ પર વજન સહન કરવા માટે સંઘર્ષ કરી રહી છે, ઉપરાંત તેના અત્યંત સંવેદનશીલ જમણા કાન પિન્નામાં એક ઇંચના વ્યાસના તાજા ઘાથી પણ પીડાઈ રહી છે. આ બંને ઘા તેના પર માનવ વર્ચસ્વ સ્થાપિત કરવા માટેની ક્રૂર ટેમિંગ પ્રોસેસ દરમિયાન કરવામાં આવ્યા હતા. બે વર્ષની અને કેદમાં જન્મેલી બાળ હાથણી માયાને તેની માતા રોંગમોતી સાથે બચાવી લેવામાં આવી હતી, જેણે લાંબા સમય સુધી લોગિંગનું કામ કરવાથી છાતી અને નિતંબ પર સતત ભારેખમ વજન ઉંચકવાથી થતાં જખમ સહન કર્યા હતા. એક સંપૂર્ણ પુખ્ત હાથી રામુ તેના ૪-૬ મહિનાના આક્રમક થવાના સમયગાળા મુસ્ટ પીરિયડ દરમિયાન તેને નિયંત્રિત કરવા માટે તેના આગળના અને પાછળના પગને સાથે સખત રીતે બાંધી રાખવામાં આવ્યા હતા અને તેના પરિણામે તે સખત શારીરિક અને માનસિક તકલીફમાં રહૃાો હતો. વધુ એક પુખ્ત હાથી બાબુલાલ ભોજન સામગ્રી શોધવા દરમિયાન જંગલી પુખ્ત હાથી સાથેના સંઘર્ષને કારણે ગંભીર રીતે તૂટેલી અને લોહી નીકળતી પૂંછડીની વેદનાથી પીડાય છે. લાંબો સમય કેદમાં રહેવાના કારણે પોતાનો બચાવ કરવા માટેની જરૂરી કુદરતી આવડતો તે ભૂલી ગયો હતો.
મહાવતો-માલિકોને રોજગારીની તક
હાથીઓ માટે આજીવન સંભાળ પૂરી પાડવા ઉપરાંત, આ પ્રોજેક્ટ વનતારામાં હાથીના માલિકો, મહાવતો અને તેમના પરિવારો માટે આજીવિકાની નવી તકો પૂરી પાડે છે. મહાવતો અને સામેલ અન્ય લોકો હાથીઓના સંચાલન માટેની માનવીય અને વૈજ્ઞાનિક રીતે સમર્થિત પદ્ધતિઓમાં સઘન તાલીમ મેળવશે, હાથીઓ માટે દયાળુ સંભાળનું ભવિષ્ય સુનિશ્ચિત કરશે અને આ અભિગમને સમર્થન આપવા માટે જ્ઞાન અને કૌશલ્યો સાથે તેમની સંભાળ રાખનારાઓને સશક્ત બનાવશે.
૨૦૦થી વધુ નિષ્ણાતોની સમર્પિત ટીમ
આ સંસ્થાએ વાઇલ્ડલાઇફ (પ્રોટેક્શન) એક્ટ, ૧૯૭૨ હેઠળ તમામ જરૂૂરી દસ્તાવેજો મેળવ્યા છે, જેમાં ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પાસેથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ અને અરુણાચલ પ્રદેશ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પાસેથી ટ્રાન્સપોર્ટ પરમિટ મેળવવાનો સમાવેશ થાય છે. હાથીઓને ખાસ ડિઝાઇન કરાયેલી એલિફન્ટ એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવશે, જેમાં બચ્ચું માયા તેની માતા સાથે મુસાફરી કરશે.
હાથીના પશુ ચિકિત્સકો, પેરાવેટ્સ, સિનિયર કેરટેકર્સ અને વનતારાના એમ્બ્યુલન્સ ડ્રાઇવરોનો સમાવેશ કરતી ૨૦૦થી વધુ નિષ્ણાતોની સમર્પિત ટીમ સખત પરિવહન માર્ગદર્શિકાઓ અને પ્રાણી કલ્યાણ ધોરણોનું પાલન કરવાની સાથે પ્રાણીઓના સલામત અને અનુપાલન પરિવહનની ખાતરી કરશે.
એશિયન સંસ્થાનું સંશોધનપત્ર
આઇયુસીએન/એસએસસી એશિયન એલિફન્ટ સ્પેશિયાલિસ્ટ ગ્રૂપની દ્વિવાર્ષિક જરનલ ગજહમાં ૨૦૨૦માં પ્રકાશિત થયેલું એક સંશોધન પત્ર દર્શાવે છે કે અરુણાચલ પ્રદેશમાં નોંધપાત્ર સંખ્યામાં ખાનગી માલિકીના હાથીઓ કેદમાં ઉછેરવામાં આવે છે. આ હાથીઓને ઘણીવાર જંગલી વિસ્તારોની નજીકમાં રાખવામાં આવે છે, જ્યાં બંધક હાથીઓ જંગલી પુખ્ત હાથીઓના સંપર્કમાં આવે છે. જોકે, હાથીઓની ખાનગી માલિકી ઘટી રહી છે, કારણ કે લોગિંગ પર પ્રતિબંધને પગલે વનસંવર્ધન કામગીરીમાં તેમના ઉપયોગની માંગ પણ ઘટી છે.
વન વિભાગના
અધિકારીનું મંતવ્ય
નમસાઈના ડિવિઝનલ ફોરેસ્ટ ઓફિસર તબાંગ જામોહે પુષ્ટિ કરી હતી કે, ''અરૂણાચલ પ્રદેશમાં લગભગ ૨૦૦ બંધક હાથીઓની સક્રિય સંવર્ધન વસ્તી સાથે, તેમના આરોગ્ય અને કલ્યાણની નજીકથી દેખરેખ રાખવા માટે ડીએનએ પ્રોફાઇલિંગ હાથ ધરવામાં આવી રહૃાું છે. સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત કમિટીના નિર્દેશ મુજબ વનતારા ખાતેના રાધે કૃષ્ણ ટેમ્પલ એલિફન્ટ વેલફેર ટ્રસ્ટમાં ૨૦ હાથીઓની ટ્રાન્સફર આ પ્રાણીઓના ઉજ્જવળ ભવિષ્યની ખાતરી આપે છે. આ પહેલ સ્થાનિક સમુદાયોને વૈકલ્પિક આજીવિકા પૂરી પાડવાની સાથે પ્રાણી કલ્યાણમાં વધારો કરે છે, એ સાથે સંરક્ષણ, સામુદાયિક સુખાકારી અને વન સંરક્ષણ વચ્ચે સંતુલન જાળવી રાખે છે.''
વેટરનરી ઓફિસરનો અભિપ્રાય
ઇટાનગર બાયોલોજિકલ પાર્કના વેટરનરી ઓફિસર ડો. સોરાંગ તડપે જણાવ્યું હતું કે, *બંદીવાન હાથીઓ ઘણીવાર ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાય છે, જેમાં કઠોર શ્રમ, તાલીમ અને લાંબી સાંકળોને કારણે ઇજાઓ, સંધિવા અને માનસિક આઘાતનો સમાવેશ થાય છે. ઘણાં બાળ હાથી તાલીમ દરમિયાન પગની ઊંડી ઇજાઓ સહન કરે છે, જ્યારે પુખ્ત વયના હાથી જંગલી હાથીઓ સાથેના સંઘર્ષથી સતત જોખમોનો સામનો કરે છે. ચોવીસ કલાક સંભાળ અને ફિઝિયોથેરાપી પૂરી પાડતી સમર્પિત હોસ્પિટલ સુવિધાઓની તાત્કાલિક જરૂૂરિયાત છે, જેનો આપણા રાજ્યમાં હાલમાં અભાવ છે. બચાવેલા હાથીઓ માટે અદ્યતન તબીબી સારવાર અને આજીવન સંભાળ પૂરી પાડતી વનતારા જેવી સુવિધાઓ જોવી પ્રોત્સાહક છે, જે તેમના કલ્યાણ માટે એક મહત્ત્વપૂર્ણ માપદંડ સ્થાપિત કરે છે.''
હાથી માલિકની પ્રતિક્રિયા
હાથીના માલિકોમાંના એક ચૌ થામસાલા મેઇને આ પહેલની વિશિષ્ટતા પર પ્રકાશ પાડતાં જણાવ્યું કેઃ લોગિંગ પર પ્રતિબંધ હોવાથી અમે હવે અમારા હાથીઓનો ઉપયોગ આવી મજૂરી માટે કરવા ઈચ્છતા નથી. અમે ખુશ છીએ કે તેઓ હવે વનતારામાં કાળજીપૂર્વકનું જીવન વિતાવશે. આ પહેલ અમારા બાળકો માટે ઉજ્જવળ ભવિષ્યને સુરક્ષિત કરીને અમારા પરિવારો માટે સ્થિર નોકરીઓ અને સ્થિર આવક પણ પૂરી પાડે છે.''
શોષણકારી લોગિંગથી છુટકારોઃ નવજીવન
શોષણકારી લોગિંગ ઉદ્યોગમાં હાથીઓને અનેક નુકસાન થાય છે કારણ કે તેઓને ભારે લાકડાં ઉપાડવાની અને કલાકો સુધી અથાક કામ કરવાની ફરજ પાડવામાં આવે છે. તેઓ શારીરિક શોષણ, કુપોષણ, સંધિવા અને તબીબી સંભાળનો અભાવ સહન કરે છે. સતત સાંકળોથી બંધાઈ રહેવાને કારણે તેઓ મુક્ત રીતે ફરવાની અને સ્વાભાવિક કુદરતી વર્તણૂકોથી વંચિત રહે છે. આ કઠોર પરિસ્થિતિઓ ગંભીર મનોવૈજ્ઞાનિક આઘાત પણ આપે છે, જે ઘણી વખત માથુ ધુણાવવાના, હલાવવાના અને ઝુલાવવાની તેમની વર્તણૂકોમાં દેખાઈ આવે છે. તેમનામાં બુદ્ધિ અને સામાજિક પ્રકૃતિ હોવા છતાં આ હાથીઓને મશીન તરીકે ગણવામાં આવે છે, તેમની પ્રતિષ્ઠા અને સુખાકારી છીનવાઈ જાય છે. વનતારામાં તેમને નવજીવન અને હાથીઓની જેમ જીવવાની તક મળશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગુમાવેલી શકિત પાછી મેળવવા અને હુષ્ટ-પૃષ્ટ રહેવા શું કરવું ?
શિયાળાની ઋતુમાં કેટલીક સતર્કતા રાખીને શરીરને હુષ્ટ-પૃષ્ટ કેવી રીતે રાખી શકાય અને ગુમાવેલી શકિત કેવી રીતે પાછી મેળવવા વરવાળા આર્યુવેદ ઔષધાલય વૈદ્ય ડી.પી. મહેતાએ કેટલીક માર્ગદર્ક ટીપ્સ રજૂ કરી છેઃ-
માલિશ કરવું: ઠંડી ઋતુમાં સરસિયું કે તલનું તેલ માલિશ રવા માટે ઉપયોગમાં લેવું જોઈએ.
કસરત-વ્યાયામનું મહત્ત્વઃ માલિશ કરી લીધા પછી જ શરીરની શકિત અને સ્થિતિ પ્રમાણે કસરત કરવી, વ્યાયામ કરવો જરૂરી છે. યોગાસન, દંડ બેઠકનો વ્યાયામ કરી શકાય કે સવાર-સાંજ ફરવા જવું કે દોડવું પણ સારી એવી કસરત છે. શિયાળામાં ચાલવું હિતાવહ છે.
સ્નાનનું મહત્ત્વઃ માલિશ કરી, કરારત કરીને તાજા પાણીથી સ્નાન કરવું વધુ ફાયદાકારક છે, જેમને વધારે ઠંડી લાગતી હોય તેઓ ગરમ પાણીથી સ્નાન કરી શકે છે. માથા પર ગરમ પાણી ન નાખવું.
આદું-સુંઠનું સેવનઃ શિયાળામાં આદું, સંુઠ, પીપરી મૂળ, ગંઠોડા વગેરેનું સેવન હિતકારક છે.
શિયાળામાં ખાવા જેવા શાકભાજીઃ ગાજર, મેથી, રીંગણા, મૂળા વગેરે.
પૌષ્ટિક ફળઃ સફરજન, સંતરા, દ્રાક્ષ, મોસંબી, જામફળ, બોર, કેળાં, ખજૂર, આમળા જેવા પૌષ્ટિક ફળનું સેવન કરી શકાય.
શિયાળામાં આરોગ્ય ન બગડે તે માટે શું કરવું જોઈએઃ ગરમ, વિશ્વાસવાળા, પચવામાં ભારે, મીઠા, ખાટા, સહેજ ખારા રસવાળા આહાર દ્રવ્યો ખાવા જોઈએ, તેમજ વધુ જાડા તથા ગરમ કપડાં પહેરવા જોઈએ અને હુંફમાં રહેવું જોઈએ.
પોષ્ટિક ખોરાકઃ શિયાળાની ઋતુમાં પુરતા પ્રમાણમાં ચોખ્ખા દૂધ, ઘી જેવા પૌષ્ટિક પદાર્થો ખાવાનો રિવાજ આજે પણ છે. સૌએ પોતાની શકિત અનુસાર પૌષ્ટિક પદાર્થોનું સેવન કરવું જોઈએ. બદામ, કાજુ, અખરોટ, કિસમિસ, ખજૂર, કોપરૃં, અડદની દાળ, ગુંદર, ચારોળી, તલ, અડદ, શેરડી, ગોળ, કાળા તલનું કચરિયું, લસણ વગેરે પણ યથાશકિત ખાવાજોઈએ.
શકિત આપનારા ઔષધોનું સેવન પણ કરી શકાયઃ આમળાનું અશ્વગંધા, શતાવરી, રસાયણ ચૂર્ણ, સારી ફાર્મસીનો ચ્યવનપ્રાશ, જેઠીમધ વગેરે દ્રવ્યોનું સેવન શિયાળામાં બળ, આરોગ્ય, રસાયણ ગુણ આપનારા છે, ફાયદાકારક છે.
ઘરે પાક બનાવોઃ પ્રત્યેક શિયાળામાં પાક બનાવીને ખાવાની પ્રણાલી યુગોથી ચાલી આવે છે. જુદાં જુદાં વસાણાં નાખીને સુખડી બનાવવી, અડદિયા પાક, પેથીપાક, ગુંદર પાક જેવા ઘરગથ્થું પાક ઘેર ઘેર બનાવી કેટલાય કુટુંબો આખો શિયાળો ખાતા હોય છે. પાચન શકિતનો ખ્યાલ રાખી સવારે સાંજે આ પાક ખાતા રહેવાથી તેમજ આયુર્વેદના દ્રવ્યો આમળા, મૂસળી, કૌચા વગેરેથી પાક વિધિથી તૈયાર થયેલ પાક ખાવાથી સ્ત્રી-પુરૂષ-બાળકોને પણ શકિત, બળ, સ્ફૂર્તિ અને આરોગ્ય મળે છે.
શિયાળામાં હાથ-પગના વાઢિયાથી બચવા માટેઃ શિયાળામાં હાથ-પગના તળિયામાં વાઢિયા થાય છે. ચિરા પડે છે, આનાથી બચવા માટે તેમજ આગળ વધતા અટકાવવા માટે ઠંડીમાં સુતરાઉ-કોટનના ગરમ પગ મોજા પહેરવા, સાધારણ ગરમ પાણીથી સ્નાન કરવું, આખા શરીરે અને પગના તળિયે હંમેશા ખૂબ માલિશ કરવી. વાઢિયા થયા હોય તેમણે પગને ગરમ પાણીથી ધોઈ વાઢિયા-ચિરામાં દિવેલ, કોકમનું ઘી કે તૈયાર મળતા જાત્યાદિ તેલ, જાત્યાદિ મલમ નિયમિત લગાડતા રહેવું.
શિયાળામાં થતા ચામડીના રોગોઃ શિયાળામાં થતા ચામડીના રોગોમાં સંયમ ખૂબ જ હિતાવહ છે. મધુર, ખાટાં, ભારે, ચિકણા અને પૌષ્ટિક આહાર વધારે પ્રમાણમાં ખવાય તો કફજન્ય કેટલાક ચામડીના રોગો થવાની શકયતા રહે છે. શ્યિાળામાં થતા ચામડીના રોગો માટે ધમાસો અથવા લીમડાના પાનનો ઉકાળો કરી ગરમ પાણીથી સ્નાન કરવું અને રોગવાળા ભાગને સાફ કરવું. શરીરે ખંજવાળ આવે તો સરસિયું તેલ લગાડવું.
શિયાળામાં ઠંડા પીણા ન પીશોઃ ઠંડા પીણા કે બરફવાળા પીણા કારણ વિના કે સમજ વિના શિયાળામાં પીવા હિતાવહ નથી.
શિયાળામાં થતા શરદી-ઉધરસ, કફમાં ઉપયોગી ઔષધોઃ શુંઠ, મરી, પીપર, અજમો, અરડૂસી, તુલસી, હળદર અને મધ, જેઠી મધ વગેરેનું સેવન કરવું જોઈએ. સર્વે સન્તુ નિરામયાઃ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
મહાવત પર એક હાથીએ હૂમલો કર્યા પછી બન્ને સંસ્થાઓ વચ્ચે નવી સમજૂતિ
જામનગર તા. ૨૧: ઈસ્કોન માયાપુરની બે બીમાર હાથણીઓને વનતારામાં આજીવન કાળજી સાથે નિભાવાશે. એક હાથીએ તેના મહાવત પર જીવલેણ હુમલો કરવાની કરૂણાંતિકાને પગલે બંને સંસ્થાઓ વચ્ચે નવી ભાગીદારી સધાઈ હતી. જેને અદાલતી અનુમોદન પણ મળી ચૂકયું છે.
દીર્ઘદૃષ્ટા પરોપકારી અનંત અંબાણીએ સ્થાપેલી અત્યાધુનિક એનિમલ રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સંસ્થા, વનતારા બે માદા હાથી, ૧૮ વર્ષની વિષ્ણુપ્રિયા અને ૨૬ વર્ષની લક્ષ્મીપ્રિયાનું સ્વાગત કરવા સજ્જ થઈ રહી છે. આ બંને હાથણીને કોલકાતા પાસેના માયાપુર સ્થિત ઈન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિશ્ના કોન્શિયસનેસ (ઈસ્કોન)માંથી લાવવામાં આવી રહી છે. ગત એપ્રિલમાં વિષ્ણુપ્રિયાએ અત્યંત આક્રમક સ્વરૂપ ધારણ કરીને તેના મહાવત પર જીવલેણ હુમલો કરવાની કરૂણ ઘટનાને પગલે આ બંને હાથણીને વનતારામાં ખસેડવામાં આવી રહી છે.
આ કરૂણાંતિકા બાદ બંને હાથણીને વિશેષજ્ઞની કાળજી તેમજ તેમની સુખાકારી માટે વધુ અનુકૂળ વાતાવરણમાં ખસેડવાની જરૂરિયાત પર ભાર મૂકાયો હતો. ઈસ્કોન સાથેની ભાગીદારીમાં વનતારા દ્વારા હાથ ધરાયેલી આ ટ્રાન્સફર પ્રોજેક્ટની પહેલને ત્રિપુરા હાઈકોર્ટ દ્વારા રચાયેલી હાઈ-પાવર્ડ કમિટી તરફથી સંપૂર્ણ અનુમતિ અપાઈ હતી, જેનું ભારતની સર્વોચ્ચ અદાલતે પણ અનુમોદન કર્યું હતું, જેને તણાવગ્રસ્ત વન્ય પ્રાણીઓને રેસ્ક્યુ કરવા તથા તેમના માટે સુરક્ષિત, તણાવ-મુક્ત વાતાવરણ સુનિશ્ચિત કરવાની જવાબદારી સોંપાઈ છે. વનતારામાં, વિષ્ણુપ્રિયા તથા લક્ષ્મીપ્રિયાને હાથીઓ માટેના આબેહૂબ કુદરતી આવાસ જેવી ખાસ કાળજીપૂર્વકની ડિઝાઈન ધરાવતા કાયમી રહેઠાણમાં રાખવામાં આવશે. અહીં તેમને સાંકળોથી મુક્ત વાતાવરણમાં મનોવૈજ્ઞાનિક મૂલ્યાંકનો અને પશુચિકિત્સકો દ્વારા કાળજી ઉપરાંત હકારાત્મક સશક્તિકરણ માટેની તાલીમ અપાશે અને આ રીતે તેમની સાથે બળજબરીથી મુક્ત તેમજ ઈનામ સ્વરૂપી તાલીમ દ્વારા વિશ્વાસ સંપાદિત કરાશે. તેઓને વિવિધ પ્રફુલ્લિત કરતી પ્રવૃત્તિઓમાં જોડાવાની સાથે-સાથે, અન્ય હાથીઓ સાથે સંપર્કમાં આવી ઘેરો નાતો બનાવવાની તકો પૂરી પડાશે અને આ રીતે તેમના પરિચારકો તરફથી તેમનું કરુણાસભર ધ્યાન પણ રખાશે, જે બધું તેમને એક નવજીવનની પ્રાપ્તિ માટે અતિ આવશ્યક છે.
ઈસ્કોન માયાપુરમાં ૨૦૦૭ની સાલથી લક્ષ્મીપ્રિયા અને ૨૦૧૦ની સાલથી વિષ્ણુપ્રિયાને રાખવામાં આવી હતી અને તેમનો મંદિરની વિવિધ પરંપરાઓ તેમજ ઉત્સવોની ઉજવણીમાં ઉપયોગ કરાતો હતો. પીપલ ફોર એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ (પીટા) ઈન્ડિયા અને વર્લ્ડ એનિમલ પ્રોટેક્શન સહિતની વિવિધ પ્રાણી સુરક્ષા સંસ્થાઓ ઘણા સમયથી ઈસ્કોનના હાથીઓની મુક્તિ તેમજ તેમને એક વિશ્વસનીય અને જાણીતી હાથી જાળવણી સુવિધામાં ખસેડવાની હિમાયત કરી રહૃાા હતા. પીટા ઈન્ડિયાએ તો આ હાથીઓને રેસ્ક્યુ સેન્ટરમાં ખસેડવાના બદલામાં મંદિરને તેની પરંપરાઓ નિભાવવા એક મિકેનાઈઝ હાથીની પણ ઓફર કરી હતી.
ઈસ્કોન મંદિરના વરિષ્ઠ સભ્ય તેમજ માયાપુરમાં મહાવત અને હાથીઓની બાબતોના મેનેજર હિમતીદેવી દાસીએ જણાવ્યું હતું કે, ઈસ્કોનમાં અમારી માન્યતાઓ અનુસાર, દરેકના બાહૃા શરીરની અંદરનો સૂક્ષ્મ જીવ તો સમાન આધ્યાત્મિકતા ધરાવે છે. અમે તો કોઈ પણ પ્રાણી અથવા નાત-જાતનો ભેદભાવ રાખતા જ નથી. અલગ-અલગ શરીરના ભિન્ન સ્વભાવ અને પ્રકૃતિ હોઈ શકે છે, પરંતુ, દરેક શરીરની અંદરનો આત્મા તો એકસમાન જ આધ્યાત્મિકતા ધરાવે છે જે કરુણા અને આદરને પાત્ર છે. પ્રાણીઓ સાથે કરુણા અને આદરપૂર્વક વર્તીને અમે ભગવાન શ્રીકૃષ્ણ પ્રત્યે અમારી ભક્તિની અભિવ્યક્તિ કરીએ છીએ, જેમણે આપણને સહુને શીખવ્યું છે કે તમામ જીવમાત્રની રક્ષા અને પાલનપોષણ કરીને જ ઈશ્વરની સાચી સેવા કરી શકાય છે. મેં જાતે જ આ માટે વનતારાની મુલાકાત લીધી હતી અને મેં ત્યાં જોયું હતું કે અમે જે સિદ્ધાંતોમાં માનીએ છીએ તેનું જ તો ત્યાં અનુસરણ થઈ રહૃાું છે. મને પૂર્ણ વિશ્વાસ છે કે વનતારામાં વિષ્ણુપ્રિયા અને લક્ષ્મીપ્રિયા ખૂબ સુખેથી રહેશે, બહુ ઝડપથી નવા મિત્રો બનાવશે, અને આનંદથી ભરપૂર એવું જીવન વ્યતિત કરશે, તેમજ સાથે-સાથે વનમાં હાથીઓને જે આઝાદી અને આનંદ મળે છે તેવો જ અહેસાસ માણશે.
હાથીઓને કેદ કરી રખાય તો તેનાથી તેમની માનસિક અવસ્થા પર અત્યંત વિપરીત અસર પડે છે કારણ કે જંગલમાં તેઓ આઝાદીપૂર્ણ તેમજ સામાજિક નાતો કેળવીને જીવે છે. આનાથી તેમની એકંદર સુખાકારી જળવાઈ રહે છે. પરંતુ હાથીઓને કેદ કરી રખાય તો આ બંને પાયાગત જરૂરિયાતો જળવાતી નથી, જેના કારણે તેમની મનોદશા પર અત્યંત વિપરીત અસર પડે છે અને તેમની વર્તણૂક બદલાઈ જાય છે, ડિપ્રેશનમાં આવી જાય છે અને પરિણામે આક્રમકતામાં તેઓ હુમલો કરી બેસે છે. પરંતુ વનતારામાં, રિસ્ક્યુ કરાયેલા હાથીઓને તેમની શારીરિક તંદુરસ્તીથી પણ બે ડગલાં આગળ વધીને કાળજી રખાય છે. તેમની માનસિક તથા સંવેદનાત્મક મનોદશાને સુધારવા ઉપર પણ તેટલું જ ધ્યાન અપાય છે. અહીં નિષ્ણાત પશુચિકિત્સકો તથા પશુ મનોવૈજ્ઞાનિકો હાથીઓના માનસિક આઘાતના મૂળ કારણને જાણીને તેનો ઈલાજ કરવા તેમનું મનોવૈજ્ઞાનિક મૂલ્યાંકન કરે છે.
વનતારાની અત્યાધુનિક સુવિધામાં વિશ્વની સૌથી મોટી હાથીની હોસ્પિટલનો પણ સમાવેશ થાય છે અને તેની ડિઝાઈન એ રીતે બનાવાઈ છે કે જેથી અહીં હાથીઓના હકારાત્મક પુનઃશક્તિકરણ માટે તેઓને તાલીમ આપવાની સાથે, તેમની જીવનશૈલીને સમૃદ્ધ બનાવવા તેમજ કુદરતી જેવા જ આવાસી વાતાવરણની રચના માટે તેમના સામાજિક જોડાણ પર ભાર મૂકવા જેવી બાબતોને સામેલ કરી શકાય, જેથી તેમને વ્યક્તિગત માનસિક આરોગ્ય સહાયતા મળી રહે. આ સાર્વત્રિક અભિગમ સુનિશ્ચિત કરે છે કે રેસ્ક્યુ કરાયેલા હાથીઓ માત્ર તેમની શારીરિક શક્તિ જ નહીં, પરંતુ સંવેદનાત્મક સ્થિરતા અને માનસિક સુખાકારી પણ પુનઃપ્રાપ્ત કરે. આખરે હાથીઓને સંપૂર્ણ નવપલ્લિત કરીને તેમના જીવનની ગુણવત્તાને સુધારવી એજ તો વનતારાની વચનબદ્ધતા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
મેરૂ તો ડગે પણ જેના મનડાં ડગે નહિ...
કહેવાય છે કે તમે જો મન મકકમ કરો તો સફળતા ગમે તેવી મુશ્કેલ હોય મળે જ છે!! તેમ કહેવાય છે ને કે અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી કંઈક તેવી જ અનોખી કહાણી દ્વારકા આસીસ્ટંટ કલેકટર અમોલ આવરેની છે!!
મહારાષ્ટ્રમાં જન્મેલા અમોલ આવરેના પિતા મહારાષ્ટ્ર રાજ્યમાં સ્ટેટ ટ્રાન્સપોર્ટ વિભાગમાં હતા. તેમની બે-ત્રણ વર્ષ અલગ શહેરમાં બદલી થતી છતાં પણ અમોલ આવરેએ મીલીટરની અઘરી પરીક્ષા એન.ડી.એ. પાસ કરી, એલ.એલ.બી. પાસ કરી અને છેવટે કમ્બાઈન્ડ ડિફેન્સ સર્વિસ સી.ડી.એસ. પાસ કરીને ઈન્ડીયન મીલીટરી એકેડેમી દહેરાદુનમાં ટ્રેનીંગ લેવા ગયેલા.
એન.સી.સી.માં બેસ્ટ કેડેટ ઓલ ઈન્ડિયા બનનાર અમોલ આવરે એન.સી.સી.માં વિદેશ પણ ગયા હતા તે પછી લશ્કરમાં નોકરી કરી અને વીસ વર્ષ પછી ચેન્નઈમાં નોકરીમાંથી નિવૃત્ત થયા સિવિલ સર્વિસની પરીક્ષા આપવા ત્યારે તેમની ઉંમર ૪૧ હતી!!
૨૦૨૦થી જ કોવીડના સમયથી તેમણે તૈયારીઓ શરૂ કરી દીધેલ અને સવારે ૩ાા વાગ્યાથી તૈયારી શરૂ કરતા અમોલ આવરે અર્થશાસ્ત્રના સ્નાતક તથા આઈએએસમાં ભૂગોળ વૈકલ્પિક વિષય ધરાવનારા ફાયનલ ઈન્ટરવ્યૂમાં ૨૦૧ ગુણ મેળવનાર ભાગ્યશાળી ઉમેદવાર હતા !!
આઈ.એ.એલ. જનરલ કેટેગરીમાં ઉંમર મર્યાદા ૩૨ વર્ષની છે. પણ એકસ સર્વિસ મેનને પાંચ વર્ષ તથા મિલીટરી સર્વિસમાં ગંભીર ઈજા બદલ બીજા પાંચ વર્ષ મળે તેથી અમોલ આવરે ૪૧ વર્ષે પરીક્ષા આપી પણ એક જ પ્રયત્ન પરીક્ષા આઈ.એ.એસ. માટે હતો અને તેમાં સફળ થઈ ગયા !!
એક ઈન્ટરવ્યૂમાં તેમણે જણાવેલ કે ૨૦-૨૦ વર્ષ મીલીટરીમાં કાઢયા પછી સિવિલ સર્વિસમાં જવા માંગતા તેમના વ્યવસાયના લોકો દાંત કાઢતા હતા પણ આ અડગ મનના અધિકારીએ ૨૦ વર્ષ મીલીટરી જીવન માણ્યું હવે સિવિલ સર્વિસીઝમાં લોકોની સેવા કરવી છે. ધ્યેય સાથે ઝંપલાવ્યું અને સફળ થયા ૨૦૨૧માં આઈ.એ.એસ. પાસ ૨૦૨૨માં ટ્રેનીંગ અને ૨૦૨૪માં દ્વારકા પોસ્ટીંગ થયું!!
પોલોના ખેલાડી અમોલ શાંતારામ આવરેના પત્ની પણ મીલીટરીમાં ડોકટર હતા તથા તાજેતરમાં દ્વારકા તથા બેટ દ્વારકામાં ડિમોલેશનમાં ચાવીરૂપ ભૂમિકા સાથે લશ્કરી અધિકારી સનદી અધિકારી બને તો કેવું કામ કરી શકે તેનો દાખલો તથા દ્વારકા જિલ્લામાં બેસાડનાર અમોલ આવરેની કામગીરી પ્રશંસા સાથે ૨૦ વર્ષ મીલીટરી નોકરી પછી આઈ.એ.એસ. થવાનું અનેક યુવાનો માટે ખૂબ જ પ્રેરણાત્મક રહ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ધીસ ડે ડુ નોટ એનીથીંગ!
તમે જાણો છો કે દર વર્ષે ૧૬ જાન્યુઆરીના દિવસે 'નેશનલ નથીંગ ડે' ક્યા દેશમાં મનાવાય છે?
'નેશનલ નથીંગ ડે'ને હિન્દી ભાષામાં 'રાષ્ટ્રીય શૂન્ય દિવસ' ગણાવાયો છે. યુએસમાં વર્ષ ૧૯૭ર માં એક કોલમિસ્ટ હેરોલ્ડ પુલ્મૈના કોફિને આ પ્રસ્તાવ મૂક્યો હતો, અને વર્ષ ૧૯૭૩ થી આ દિવસ નિયમિત રીતે મનાવાય છે, અને તેનું આયોજન હેરોલ્ડઠ પુલ્મૈન કોફિન દ્વારા કેલિફોર્નિયામાં ચાલતા નેશનલ નથીંગ ફાઉન્ડેશન દ્વારા થાય છે. આ દિવસે કોઈપણ પ્રકારના ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું નથી, તેથી તેને 'અન-ઈવેન્ટ ડે' પણ કહેવામાં આવે છે, જો કે આ ચર્ચાસ્પદ પ્રકારની દરખાસ્ત એ પહેલા છેક વર્ષ ૧૯પ૬ માં અલબામાના મેયર જેમ્સ ડબલ્યુ મોર્ગને કરી હતી અને 'નેશનલ નથીંગ વીક'નો કોન્સેપ્ટ મૂક્યો હતો, તેવો ઉલ્લેખ પણ જોવા મળે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આપણા દેશમાં દર વર્ષે ૧પ લાખ દર્દી બને છે ભોગઃ
હમણાંથી એક ગ્લોબલ ચેલેન્જની ચર્ચા હેલ્થ સેક્ટરમાં થઈ રહી છે, અને તેમાં પણ ભારતમાં સમસ્યાનો ભોગ દર વર્ષે ૧પ લાખ દર્દીઓ બનતા હોવાનું બહાર આવ્યા પછી તેના સંદર્ભે વિવિધ પ્રત્યાઘાતો પણ સામે આવી રહ્યા છે.
મેડિકલની ભાષામાં આ સમસ્યાને એસ.એસ.આઈ. એટલે કે સર્જિકલ સાઈડ ઈફેક્ટ કહેવાય છે.
કોઈપણ પ્રકારની શસ્ત્રક્રિયા (ઓપરેશન) પછી સ્ટીચ લેવાય અને ચામડી પૂર્વવત થાય, તે દરમિયાન ચીરાઓમાં કેટલાક બેકટેરિયા ઘૂસી જતા હોય છે, અને તેનાથી દર્દીને સંક્રમણ થઈ જાય છે, જેનો પોસ્ટ ઓપરેશન એટલે કે શસ્ત્રક્રિયા પછી અલગથી ઉપચાર કરવો પડતો હોય છે. જો આ ઉપચાર સમયોચિત કે ચોક્કસ રીતે ન થાય તો તેના કારણે નવી બીમારીઓ કે ગંભીર અસરોનો ભોગ પણ દર્દીને બનવું પડતું હોય છે.
તાજેતરના આઈસીએમઆરના એક રિપોર્ટને ટાંકીને ચાલી રહેલી ગંભીર પ્રકારની ચર્ચાઓ મુજબ ભારતમાં એસએસઆઈનો દર પ.ર ટકા છે એટલે કે દર ૧૦૦ ઓપરેશન થયા પછી પાંચેક દર્દીઓને સંક્રમણ થઈ જાય છે, તેમાં પણ ઓર્થોપેડિક ઓપરેશન, સ્નાયુઓ અને હાડકાને લગતી શસ્ત્રક્રિયાઓ પછી એસએસઆઈનો દર પ૪.ર ટકા છે, જેને ચિંતાજનક ગણાવીને ઈન્ડિયન મેડિકલ કાઉન્સિલે એક સર્વેલન્સ નેટવક શરૂ કર્યું હોવાનું કહેવાય છે.
આ માટે આઈસીએસઆર દ્વારા દિલ્હીની એઈમ્સ, કસ્તુરબા હોસ્પિટલ અને મુંબઈની ટાટા મેમોરિયલ હોસ્પિટલનો અભ્યાસ કરીને ૩ હજારથી વધુ દર્દીઓને શસ્ત્રક્રિયા પછી સંક્રમણ થયું હતું કે, કેમ, તેનો અભ્યાસ કરીને જે તારણો કાઢ્યા, જણાયું કે દોઢસોથી વધુ દર્દીઓને ઓપરેશન છપી સંક્રમણનો ભોગ બનવું પડ્યું હતું. આ અભ્યાસ દરમિયાન એવું તારણ પણ નીકળ્યું ઓપરેશનો થયા પછી દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવે, એટલે કે રજા આપવામાં આવે, તે પછી ૬૬ ટકા દર્દીઓમાં સંક્રમણ જોવા મળ્યું હતું. આ કારણે હોસ્પિટલમાંથી રજા આપતી વખતે જ દર્દીઓ તથા તેના પરિવાર કે સગાઓને આ જોખમ ટાળવા માત્ર માર્ગદર્શન જ નહીં, પરંતુ પૂરી તાલીમ સાથે જરૂરી દવાઓ આપવા ઉપરાંત થોડા દિવસો સુધી ફોલો-અપ કરવું જોઈએ, તેવા અભિપ્રાયો પણ સામે આવ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ઈન્ડિયા ગઠબંધન લોકસભાની ચૂંટણી પૂરતું જ હતું?
નવી દિલ્હી તા ૧૦: ઈન્ડિયા ગઠબંધનમાં હવે ફાટફૂટ સ્પષ્ટપણે દેખાઈ રહી છે જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા પણ હવે એનડએની ભાષા બોલવા લાગ્યા છે, અને કહી રહ્યા છે કે, જો લોકસભા પૂરતું જ ઈન્ડિયા ગઠબંધન રહ્યું હોય, તો તેને હવે વિખેરી નાંખો અને રાજ્યોમાં પણ આ ગઠબંધન જાળવી રાખવું હોય તો પરસ્પર લડવાનું બંધ કરો તેમણે લોકસભાની ચુંટણી પછી ઈન્ડિયા ગઠબંધનની એક પણ સર્વગ્રાહી બેઠક નહીં બોલાવાઈ તેનો ઉલ્લેખ કરીને આ ગઠબંધનનો નેતા કોણ? તેવો સણસણતો સવાલ પણ ઊઠાવ્યો છે.
દિલ્હીની ચૂંટણી
દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે આમ આદમી પાર્ટી સામે ચૂંટણી જંગમાં ઝંપલાવ્યા પછી કોંગ્રેસના નેતાઓએ ઈન્ડિયા ગઠબંધન મોદીને હરાવવાના ઉદ્દેશ્યથી લોકસભાની ચૂંટણી પૂરતું જ રચાયું હતું, તે પ્રકારના નિવેદનો કર્યા પછી હવે ઈન્ડિયા ગઠબંધનના અસ્તિત્વ પણ જ સવાલ ઊઠી રહ્યા છે. એક તરફ આમ આદમી પાર્ટી કોંગ્રેસ પર દિલ્હીમાં ભાજપને લાભ કરાવવાનો આક્ષેપ લગાવી રહી છે, તો કોંગ્રેસ પણ કેજરીવાલને ભ્રષ્ટ, તકવાદી અને ડ્રામેબાજ ગણાવી રહી છે કોંગ્રેસના આ વલણ પછી અખિલેશ યાદવ અને મમતા બેનર્જીએ તો 'આપ'ને ટેકો આપીને કોંગ્રેસનો સાથ છોડી જ દીધો, પરંતુ જમ્મુ-કાશ્મીરમાં ગઠબંધન ધરાવતી નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાના નિવેદનોએ પણ ઈન્ડિયા ગઠબંધનના અસ્તિત્વ સામે જ સવાલો ઊભા કરી દીધા છે ટૂંકમાં દિલ્હીની ચૂંટણી પછી ઈન્ડિયા ગઠબંધન હવે ધીમે ધીમે વિખેરાઈ રહ્યું છે, તેથી તેનો ફાયદો પ્રાદેશિક પક્ષોને થશે કે કોંગ્રેસને થશે, તે અંગે ચર્ચા શરૂ થઈ ગઈ છે.
કોંગ્રેસને સીધો ફાયદો
વિવિધ વિશ્લેષકો ભિન્ન ભિન્ન અભિપ્રાયો વ્યક્ત કરી રહ્યા છે, પરંતુ મોટાભાગના તારણો એવા નીકળે છે કે ઈન્ડિયા ગઠબંધનનો થોડો-ઘણો ફાયદો લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને થયો, પરંતુ વધુ ફાયદો પ્રાદેશિક પક્ષોને થયો છે, કારણ કે પ્રાદેશિક પક્ષો સાથે સીટશેરીંગ દરમિયાન કોંગ્રેસે મોટું મન રાખ્યું હતું, અને ઓછી બેઠકો પર ચૂંટણી લડી હતી. આ કારણે જ કોંગ્રેસ લોકસભાની ચૂંટણીમાં ૯૯ પર અટકી ગઈ હતી જો કોંગ્રેસ એકલા હાથે ચૂંટણી લડે તો રાજ્યોમાં કોંગ્રેસને જ સીધો ફાયદો થાય, તેવા તારણો વિશ્લેષકો કાઢી રહ્યા છે.
બદલતા સમિકરણો
લોકસભાની ચૂંટણીઓ પછી મહારાષ્ટ્ર, હરિયાણા, ઝારખંડની વિધાનસભાની ચૂંટણીઓ થઈ, તેમાં હેમંત સોરેન તો સ્વબળે ટકી ગયા અને કોંગ્રેસ સમર્થિત સરકાર ત્યાં રચાઈ ગઈ, પરંતુ મહારાષ્ટ્ર અને હરિયાણામાં એનડીએનું પલડું ભારે રહ્યું, તેની પાછળ કોંગ્રેસે પ્રાદેશિક પક્ષો સાથે સીટશેરીંગમાં આપેલું બલિદાન જ કારણભૂત હતું અને કોંગ્રેસ એકલા હાથે લડી હોત તો કદાચ ચિત્ર જુદું જ હોત, તેમ ઘણાં રાજકીય પંડિમાને છે. હવે જાગ્યા ત્યાંથી સવારની જેમ કોંગ્રેસે એકલા ચાલવાનું નક્કી કર્યું હોય તો તે યોગ્ય છે, તેવા મંતવ્યો પણ વ્યક્ત થઈ રહ્યા છે.
બદલતા સમીકરણોના કારણે હવે ઈન્ડિયા ગઠબંધનનું કોઈ ઔચિત્ય રહી ગયું નથી. એટલું જ નહીં, આરજેડી જેવા વફાદાર સાથીદારો પણ જો ગોળ-ગોળ વાતો કરી રહ્યા હોય તો કોંગ્રેસે એક સૌથી જુના રાષ્ટ્રીય મજબૂત પક્ષની શાખ જાળવી રાખવા વધુ મજબૂત બનવું જ પડશે, અને તે માટે દિલ્હીની જેમ અન્ય રાજ્યોમાં પણ એકલા હાથે જ ચૂંટણી લડવી જોઈએ. એટલું જ નહીં, પક્ષની અંદર પણ લોકતાંત્રિક પ્રક્રિયા દ્વારા ટોપ-ટુ-બોટમ નેતાગીરી નવેસરથી નિશ્ચિત કરવી જોઈએ, તેવા અભિપ્રાયો પણ વ્યક્ત થઈ રહ્યા છે
કાંખઘોડી વધારવાની રણનીતિ?
તાજેતરમાં શરદ પવાર અને સંજય રાઉતે આરએસએસના વખાણ કર્યા પછી એવી અટકળો તેજ થઈ ગઈ છે કે આ શિવસેના અને શરદ પવારની એનસીપી હવે એનડીએમાં સામેલ થશે. જો એવું થાય તો પણ ઈન્ડિયા ગઠબંધન તો વિખેરાઈ જ જાય, અને કોંગ્રેસ એકલી પડી જાય, એવું મનાય છે કે માત્ર નીતિશકુમાર કે ચંદ્રબાબુ નાયડુના ભરોસે ન રહેવું પડે તે માટે મહારાષ્ટ્રની તર્જ પર એનડીએમાં અન્ય પ્રાદેશિક પક્ષોને (ઈન્ડિયા ગઠબંધન તૂટે તે પછી) એનડીએમાં સમાવીને મોદી સરકારને વધુ મજબૂત બનાવવાની રણનીતિ અપનાવાઈ રહી છે, જેને ટીકાકારો 'કાંખઘોડી વધારવાની રણનીતિ'ગણાવી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ઉડે જો આભમાં પતંગ તમારી, સંભાળજો એ આભમાં છે સવારી અમારી...
આપણે સૌ ઉત્તરાયણનો તહેવાર સમગ્ર ગુજરાતમા હર્ષોલ્લાસથી દર વર્ષે ઉજવીએ છીએ. પતંગ ઉડાડવાની મજા માણતા ઘણી વખત પતંગની દોરીથી પક્ષીઓ ઇજાગ્રસ્ત થાય છે કે મૃત્યુ પામે છે. આ અબોલ અને નિર્દોષ પક્ષીઓના જીવ અમૂલ્ય છે. તેથી તેમને બચાવવા એ આપણી સૌની નૈતિક ફરજ છે.વન વિભાગ દ્વારા સ્વૈચ્છિક સંસ્થાઓ અને સ્વંયસેવકોના સાથ સહકારથી 'કરુણા અભિયાન-૨૦૨૫' અંતર્ગત ઇજાગ્રસ્ત પક્ષીની સારવાર અને બચાવની કામગીરીનું આયોજન કરવામાં આવેલ છે. આ માટે નીચે મુજબના કેન્દ્રો અને સંપર્કો નક્કી થયેલ છે. ઇજાગ્રસ્ત પક્ષીઓના જીવ બચાવવા, આ કરુણા અભિયાનમાં સહભાગી થવા વિનંતી છે. આપ સૌને આપના વિસ્તારમાં કોઇપણ ઇજાગ્રસ્ત પક્ષી ધ્યાને આવે તો તેને નીચે દર્શાવેલા તમારા નજીકના કોઇપણ એક કેન્દ્ર ઉપર પહોચાડવા વિનંતી છે, અથવા નીચે દર્શાવેલ વિસ્તાર મુજબની મદદ માટેના સંપર્ક કેન્દ્રોને જાણ કરવા વન વિભાગ દ્વારા અનુરોધ કરાયો છે.
ઉત્તરાયણ દરમિયાન આટલું કરીએ
ફક્ત ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવીએ, વૃક્ષો, ઇલેક્ટ્રીક લાઇન અને ટેલિફોન લાઇનથી દૂર પતંગ ચગાવીએ, ઘાયલ પક્ષીને જોતા તરત જ નિકટના સારવાર કેન્દ્રનો સંપર્ક કરીએ, ઘાયલ પક્ષીની આંખને કપડાથી ઢાંકી હવાની અવર-જવર થઇ શકે તેવા પાત્રમાં બનતી ત્વરાએ સારવાર કેન્દ્રમાં પહોચાડીયે, ઘરના ધાબા પર કે આજુબાજુના વૃક્ષોમા ફસાયેલી દોરીનો નિકાલ કરીએ.
સવારે ૯.૦૦ વાગ્યા પહેલા કે સાંજના ૫.૦૦ વાગ્યા પછી પતંગ ન ચગાવીએ
પક્ષીઓ સુરક્ષિત રહે તે માટે સવારે ૯.૦૦ વાગ્યા પહેલા કે સાંજના ૫.૦૦ વાગ્યા પછી પતંગ ન ચગાવીએ, ક્યારેય પણ તુક્કલ ન ચગાવીએ. ચાઇનીઝ, સીંથેટીક કે કાચ પાયેલી દોરીનો પતંગ ચગાવવામા ઉપયોગ ન કરીએ, ઘાયલ પક્ષીના મોઢામાં પાણી કે ભોજન ન મુકીએ, રાત્રિના સમયે ગુબ્બારા કે ફુગ્ગા ન ચગાવીએ, ઘાયલ પક્ષીની સારવાર જાતે ન કરતા, યોગ્ય સારવાર સ્થળ સુધી પહોચાડવાની વ્યવસ્થા કરીએ.
વન વિભાગનો હેલ્પ લાઇન નંબરઃ-૧૯૨૬ અને ૮૩૨૦૦૦૨૦૦૦ અથવા વોટસઅપમા 'દ્ભટ્ઠિેહટ્ઠ' ટાઇપ કરીને મોકલવાથી ગુજરાત રાજ્યના બધા જ જિલ્લાની કરુણા અભિયાનની વિગતવાર માહિતી મળી શકશે. તેમજ એનિમલ એમ્બ્યુલન્સ હેલ્પલાઇન નંબર ::૧૯૬૨, વીજ ફરીયાદ માટે ટોલ ફ્રી નંબર : ૧૯૧૨૨ અથવા ૧૮૦૦૨૩૩૧૫૫૩૩૩ ઉપર પણ સંપર્ક કરી શકાશે.
તાલુકા વાઇઝ સંપર્ક નંબરની યાદી
જામનગર તાલુકા માટે રેન્જ ફોરેસ્ટ ઓફિસરની કચેરી, ગંજીવાડા, નાગનાથ ગેટ પાસે, જામનગર સંપર્ક નંબર ૭૯૮૪૩ ૬૦૩૦૦, ૯૦૯૯૩ ૨૪૭૪૨, ૮૨૦૦૭ ૫૬૧૧૮, ૮૭૮૦૨ ૧૬૯૨૪, અર્બન વાઇલ્ડલાઇફ ઇન્ફર્મરી પ્રાથમિક સારવાર કેન્દ્ર, ઠેબા ૯૯૭૫૮ ૫૩૭૦૨, ૯૪૦૮૧ ૬૨૧૪૩, પક્ષી અભયારણ્ય ખીજડીયા માટે ૮૮૪૯૩ ૨૧૮૯૪, ૯૬૬૨૮ ૩૦૦૧૮, સાંઇધામ બર્ડ હાઉસ, નવાગામ ઘેડ ૭૯૮૪૪ ૦૨૫૦૦, ૭૮૭૮૫ ૫૫૫૪૮, લાખોટા નેચર કલબ ૭૫૭૪૮ ૪૦૧૯૯, ૯૬૦૧૧ ૧૧૧૬૭, કુદરત ગૃપ, પટેલ કોલોની, જામનગર ૯૨૨૮૮ ૭૭૯૧૧, શિવદયા ટ્રુસ્ટ, લાલપુર ચોકડી પાસે ૯૮૭૯૯ ૯૯૫૬૭, નિસર્ગ નેચર એડવેન્ચર કલબ, રણજીતનગર ૮૩૨૦૮૫૦૩૭૧, ૮૨૦૦૭ ૯૭૬૫૬, ૯૦૩૩૫ ૫૦૩૪૧, ૯૮૯૮૭ ૦૦૬૫૭, જીવ સેવા ફાઉન્ડેશન, પ્રદર્શન ગ્રાઉન્ડ, ૭૨૦૩૦ ૩૦૨૦૮, ૯૬૩૮૭ ૬૮૪૯૮, ૯૯૦૪૯ ૪૯૩૨૮, પ્રકૃતિ મિત્ર, પવનચકી પાસે ૯૮૨૪૨ ૨૪૬૦૧, ૮૪૦૧૨ ૮૮૨૮૮, ૯૭૨૫૩ ૨૧૭૨૦, જોડીયા વિસ્તાર માટે રેન્જ ફોરેસ્ટ ઓફિસરની કચેરી ૯૦૧૬૦૨ ૧૦૦૫, ૭૩૮૩૮ ૫૯૪૪૪, ધ્રોલ માટે રેન્જ ફોરેસ્ટ ઓફિસરની કચેરી ૯૨૬૫૫ ૫૭૮૨૯, ૯૭૨૭૯ ૩૨૩૦૫, રેન્જ ફોરેસ્ટ ઓફિસરની કચેરી ૯૬૦૧૯૦૧૩૪૨, ૯૮૯૮૩૨૭૩૦૬, જામજોધપુર માટે રેન્જ ફોરેસ્ટ ઓફિસરની કચેરી ૯૭૭૩૨ ૩૪૫૮૬, ૯૫૫૮૦ ૨૪૩૭૩, ૭૬૯૮૧ ૮૧૫૧૧, લાલપુર માટે રેન્જ ફોરેસ્ટ ઓફિસરની કચેરી ૬૩૫૪૬ ૮૩૨૦૬, ૮૩૪૭૭ ૦૧૪૭૭, ૯૭૬૯૩૫૧૧૧૧, ૭૯૮૪૪૦૬૬૧૬, કાલાવડ માટે રેન્જ ફોરેસ્ટ ઓફિસરની કચેરી ૯૪૨૯૫૧૯૪૯૨, ૯૦૩૩૦૭૭૯૫૨, સિક્કા માટે રેન્જ ફોરેસ્ટ ઓફિસરની કચેરી ૯૭૧૪૧ ૭૭૯૭૨, ૯૭૭૩૨૨૬૮૨૩, અલીયાબાડા માટે ૯૫૫૮૮૮૮૬૬૦, ૯૯૨૪૧૨૫૫૭૫ પર ઘાયલ પક્ષીઓની મદદ કરવા સંપર્ક કરી શકાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
તીવ્ર અને ઝેરી જંતુનાશક દવાઓ તથા રાસાયણિક ખાતરો એટલે સ્વાસ્થ્ય પર ખતરોઃ
સામાન્ય રીતે ખેતીમાં વધુ ઉત્પાદન માટે રાસાયણિક ખાતરો વપરાય છે અને પાકને જંતુઓ કે રોગથી રક્ષણ માટે અત્યંત તીવ્ર અને ઝેરી જંતુનાશક દવાઓનો વપરાશ કરવામાં આવે છે. તેનો ગેરફાયદો એ છે કે ઉપજમાં ઝેરી જંતુનાશકો રહી જાય છે, જે સ્વાસ્થ્ય જોખમાવી શકે છે. વધુમાં જમીનની કુદરતી ઉત્પાદન ક્ષમતા લાંબા સમયે ઘટી જાય છે. આ પરિસ્થિતિમાં પ્રાકૃતિક ખેતી એ જમીન અને આરોગ્યની જાળવણી માટે એક વૈકલ્પિક કૃષિપદ્ધતિ તરીકે પ્રસ્થાપિત થઈ રહી છે. ગુજરાત રાજ્યના કૃષિ કલ્યાણ અને સહકાર વિભાગ અંતર્ગત આત્મા પ્રોજેક્ટ દ્વારા ખેડુતોને પ્રાકૃતિક ખેતી અંગેનું તાલીમ, સહાય અને માર્ગદર્શન ૫ૂરૃં પાડીને પ્રાકૃતિક ખેતી અપનાવે તે માટે પ્રોત્સાહન આપવામાં આવી રહૃાું છે. દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ મોડેલ પાંચ સ્તંભનું છે. આ સ્તંભો બીજામૃત, જીવામૃત, વાપ્સા, આચ્છાદન અને મિશ્ર ખેતી છે. પ્રાકૃતિક ખેતીમાં વાવેતર પહેલાથી જ બીજ પર જીવામૃતનો પ્રયોગ કરવામાં આવે છે, જે પાકના શરૂઆતના વિકાસ માટે એક પાયા સમાન બની રહે છે. પદ્મશ્રી સુભાષ પાલેકરજીના સંશોધન અને તાંત્રિક સહયોગથી ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત દ્વારા વર્ણવાયેલ પ્રાકૃતિક કૃષિપદ્ધતિ અનુસાર પ્રાકૃતિક ખેતીમાં 'બીજ માવજત' વિષે આ લેખમાં જાણીએ.
'બીજ માવજત' એટલે બીજના વાવેતર પહેલા બિયારણને પટ આપવાની પ્રક્રિયા. પ્રાકૃતિક ખેતીમાં બીજામૃત વડે બીજને વાવણી માટે તૈયાર કરવામાં આવે છે. શાકભાજીના સારાં ઉત્પાદન માટે બીજામૃતથી તેની માવજત કરવી વધુ અગત્યની છે. બીજ માવજતથી બીજનું અંકુરણ સારી રીતે થાય છે, જેના પરીણામે સારું ઉત્પાદન મેળવવામાં મદદ મળે છે. બીજ માવજત કરેલ બિયારણો ઝડપથી અને વધુ પ્રમાણમાં ઉગે છે અને તેને જમીનજન્ય રોગોથી રક્ષણ પ્રાપ્ત થાય છે.
બીજ માવજત માટે બિયારણને બીજામૃતમાં નિયત સમય સુધી ડુબાડીને રાખવામાં આવે છે. સામન્ય બિયારણને ૬ થી ૭ કલાક માટે અને અમુક જાડી ચામડીવાળાં બિયારણ જેમ કે કારેલા, ટીંડોળાના બીજ વગેરેને ૧૨ થી ૧૪ કલાક સુધી ડુબાડીને રાખવાનાં હોય છે. આ બીજને ડુબાડીને બાહર કાઢ્યાં બાદ તેને છાયામાં સુકવીને પછી તેનું વાવેતર કરી શકાય છે.
બીજામૃત બનાવવા માટે દેશી ગાયનું છાણ, ગૌમૂત્ર, પલાળેલો ચુનો, પાણી અને માટીનો ઉપયોગ કરવામાં આવે છે. ૫ કિલો દેશી ગાયનું છાણ, ૫ લીટર ગૌમૂત્ર, ૫૦ ગ્રામ પલાળેલો ચુનો, ૨૦ લીટર પાણી અને સજીવ માટી ૧ મુઠ્ઠીને મિશ્ર કરવામાં આવે છે. મિશ્રણને લાકડી વડે દિવસમાં બે વાર સારી રીતે હલાવવામાં આવે છે, આ રીતે મિશ્રણ ૨૪ કલાકમાં બીજ માવજત માટે તૈયાર બીજામૃત બની જાય છે.
આલેખનઃ ભાર્ગવ કે. ભંડેરી
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ભારતમાં પહેલી વખત આ પ્રકારની કોમ્પિટિશન યોજાઈ હતીઃ ૧૫ દેશોના ૯૩ સ્પર્ધક હતા
પંખીની જેમ ઉડવાની ચાહ માનવીના મનમાં હંમેશાં રહી છે અને યૌવન એટલે અણદીઠેલી ભોમ પર આંખ માંડીને પાંખ વીંઝવાની તાકાત. આવી જ એક ઉડાન લઇ ચુકેલા જામનગર સિંચાઈ વિભાગમાં મદદનીશ ઈજનેર તરીકે ફરજ બજાવતા મૂળ જામનગરના જ નચિકેતા ગુપ્તાએ ઉત્તરાખંડના ટેહરીમાં ૧૯ ડિસેમ્બરથી ૨૨ ડિસેમ્બર સુધી યોજાયેલ ટેહરી ઇન્ટરનેશનલ પેરાગ્લાઈડીંગ એક્રો એન્ડ એસઆઈવી કોમ્પિટિશનમાં ભાગ લઇ જામનગરનું નામ રોશન કર્યુ છે.
ભારતમાં પહેલી વખત આ પ્રકારની ઇન્ટરનેશનલ પેરાગ્લાઈડીંગ કોમ્પિટિશન યોજવામાં આવી હતી. જેમાં ભારતના અલગ અલગ રાજ્યોથી તથા ૧૫થી વધારે દેશોના પેરાગ્લાઈડીંગ પાઈલોટ કુલ ૯૩એ ભાગ લીધો હતો .
આ કોમ્પિટિશનમાં પેરાગ્લાઈડીંગના અલગ અલગ એક્રોબેટ્સ જેવા કે સેટ રોટેશન, સ્પાઈરલ, સ્ટોલ ટુ બેક્ફ્લાઈ પોઝીસન વગેરે હવામાં કરી બતાવી પ્રતિભાગીઓએ સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. બોડી બેલેન્સ, પેરાગ્લાઈડરની દિશા, સ્પીડ અને પાઈલોટની કુશળતા જેવા ઘટકોને ધ્યાને લઇ અલગ અલગ એક્રોબેટ્સનું બારીક અવાલોકન નિર્ણાયકો દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પ્રકારની પ્રતિયોગીતા ખૂબજ જોખમી હોવાથી તેનું આયોજન ટેહરી ડેમ પર કરવામાં આવ્યું હતું જેથી જો કોઈ પ્રતિભાગી પડે તો પાણી માંથી તેને બચાવી શકાય. ભારતમાં ઘણા ઓછા પેરાગ્લાઈડીંગ પાઈલોટ એક્રોબેટ્સ કરે છે. આથી આ પ્રતિયોગીતા પેરા ગ્લાઈડીંગના એક્રોબેટીક્સને વેગવાન કરવાની દિશામાં મહત્વનો ફાળો આપે છે . ઉલ્લેખનીય છે કે તેઓએ પેરાગ્લાઈડીંગની ટ્રેનીંગ અરુણાચલ પ્રદેશના નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મોનીટરીંગ એન્ડ એડવેન્ચર સ્પોર્ટસ તથા બીર હિમાચલ પ્રદેશની એન્ટીગ્રેવિટી સંસ્થાથી મેળવેલ છે.
નચિકેતા ગુપ્તા આ પ્રતિયોગીતામાં ભાગ લેનાર ગુજરાતના એક માત્ર પેરાગ્લાઈડીંગ પાઈલોટ હતા. જેમણે ત્યાં પોતાની પેરાગ્લાઈડીંગની કુશળતા દર્શાવી સફળતાપૂર્વક બધા એક્રોબેટીક્સના ટાસ્ક પૂર્ણ કર્યા અને ઇવેન્ટમાં કવોલીફાઈ થયા હતા. જે રાજ્યોમાં બહુ ઊંચા પહાડો નથી તેવા રાજ્યોમાંથી ખૂબ જ ઓછા પ્રતિસ્પર્ધી આ કોમ્પિટિશનમાં ક્વોલીફાઈ થઇ શક્યા છે, પણ નચિકેતા ગુપ્તાએ આ સ્પર્ધામાં ખૂબજ સારૂ પ્રદર્શન કર્યું છે જે જામનગર માટે ગૌરવની વાત છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
જાન્યુઆરીના પ્રારંભે જ મન-શરીર, પરિવાર કલ્યાણના દિવસોની ઉજવણી
ઈસ્વીસનનું નવું વર્ષ શરૂ થયું અને પહેલી જાન્યુઆરીના દિવસે નવા વર્ષના વધામણાં થયા, પરંતુ ઘણાં ઓછા લોકોને ખબર હશે કે જાન્યુઆરીના પ્રારંભે જ માનવીના મન, શરીર, પરિચયને સાંકળતા દિવસો વિશ્વકક્ષાએ ઉજવાય છે, અંતર્મુખી દિવસે લોકોને સમજવાનો પ્રયાસ થાય છે, જે મેં મારા માહિતી ખાતાના કાર્યકાળ દરમિયાન અનુભવ્યો છે. તે ઉપરાંત બ્રેઈલ લિપિના આવિષ્કાર અને ઉપયોગિતાનું મહિમાગાન પણ ગવાય છે.
પહેલી જાન્યુઆરીના દિવસે વિશ્વ પરિવાર દિવસ ઉજવાય છે, અને વિશ્વભરમાં શાંતિ અને સદ્ભાવનો પ્રચાર-પ્રસાર થાય છે. ભારતની તો સંસ્કૃતિ જ વસુધૈવ કુટુમ્બકમ્ની ભાવના પર આધારિત છે, જેને અનુરૂપ ઉજવણી નવા વર્ષના પ્રથમ દિવસે જ થાય છે, જે ગજબનો યોગાનુયોગ છે કે ભારતીય સંસ્કૃતિની વૈશ્વિક અસરોનું પરિણામ છે, તે વિદ્વાનો ભલે નક્કી કરે, આપણે તો પહેલેથી જ આખા વિશ્વને આપણો પરિવાર માનીએ છીએ, તે હકીકત જ છે ને?
બીજી જાન્યુઆરીના દિવસે અંતર્મુખી એટલે કે ઓછું બોલતા કે પોતાનામાં વ્યસ્ત રહેતા લોકોને યોગ્ય રીતે સમજીને તેને હૂંફ આપવાના વૈશ્વિક પ્રયાસો કરવામાં આવે છે, જ્યારે ત્રીજી જાન્યુઆરીના દિવસે આંતરરાષ્ટ્રીય કક્ષાએ 'મન અને શરીર કલ્યાણ' દિવસ મનાવાય છે.
આ દિવસે વૈશ્વિક કક્ષાએ માનવ કલ્યાણ અને વિકાસ માટે આપણા મન અને શરીરને બન્નેને પ્રેમ કરવાનો સંદેશ વહેતો કરવામાં આવે છે. આ માટે માનવમનને સમજવાની જરૂર હોય છે, જેની વાત આપણે 'મન હોય તો માળવે જવાય'ના આ લેખમાં પણ વિસ્તૃત રીતે કરી છે. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે લોકોના મન અને શરીરના કલ્યાણ માટે ત્રીજી જાન્યુઆરીના દિવસે થતી ઉજવણી વૈશ્વિક ક્ષેત્રે લોકોની તંદુરસ્તી અને મન-દુરસ્તીનો સંદેશ પણ આપે છે. વિશ્વમાં શાંતિ, સદ્ભાવ અને પરસ્પરને સમજવાની વૃત્તિ જેટલી ફેલાશે, તેટલી જ શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ વધતી જશે, ખરૃં ને?
દર વર્ષે ચોથી જાન્યુઆરીના દિવસે ઉજવાતો વિશ્વ બ્રેઈલ દિવસ આ લિપિનો આવિષ્કાર કરનાર લૂઈ બ્રેઈલની સ્મૃતિઓ તાજી કરે છે. દૃષ્ટિહીન લોકોને પણ શિક્ષણ મળે, સમાન ધોરણે તમામ પ્રકારની તાલીમ મળે, અને સમાન ધોરણે તમામ પ્રકારના અધિકારો તેઓને મળે, તે માટે આ દિવસે વૈશ્વિક કક્ષાએ તથા દરેક દેશોમાં છેક ગ્રામ્ય કક્ષા સુધી વિવિધ જનજાગૃતિના કાર્યક્રમો યોજાય છે અને તદ્વિષયક સેમિનારો, સમારોહો, વ્યાખ્યાનો, વર્કશોપ અને સ્પર્ધાત્મક કાર્યક્રમો પણ યોજાતા હોય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આ પહેલા પણ પાંચ શિખર સર કર્યા છે માત્ર ર૪ કલાકમાં એવરેસ્ટ સહિત બે શિખર સર કરવાનો રેકોર્ડ
ખંભાળિયા તા. ૩૧: ખંભાળિયાની સાકેત હોસ્પિટલના જાણીતા સર્જન ડો. સોમાત ચેતરિયા કે જે દ્વારકા જિલ્લાના ખંભાળિયાના આહિર સમાજ તથા રાજ્યના ડોકટર વર્ગના ગૌરવ સમાન છે. જેમણે તાજેતરમાં દુનિયાના સૌથી ઠંડા ગણાતા ખંડના સૌથી ઊંચા શિખર માઉન્ટ વિન્સનને સર કરીને વિશેષ સિદ્ધિ સાથે દુનિયાનું ૬ઠ્ઠું શિખર સર કર્યું છે.
ર૪ કલાકમાં એવરેસ્ટ
લહોત્સે સરનો રેકોર્ડ
ર૦ર૦થી પર્વતારોહણ શરૂ કરનાર ડો. સોમાત ચેતરિયાએ ર૦રર માં માત્ર ર૪ કલાકમાં મહત્ત્વના બે શિખરો એવરેસ્ટ તથા લાહોત્સે સર કરવાનો રેકોર્ડ કર્યો હતો તથા પર્વતો પર ચઢીને ટ્રેનીંગ લઈને શરીરને ઓછા ઓક્સિજનને અનુરૂપ બનાવવાને બદલે માત્ર ર૩ દિવસમાં ઘેર રહી સંપૂર્ણ એક્સપેટીશન પૂર્ણનો પણ રેકોર્ડ બનાવ્યો હતો.
ડોક્ટરની પ્રેક્ટીશ સાથે
જ ટ્રેકીંગની પ્રેક્ટીસ
ખંભાળિયામાં સાકેત હોસ્પિટલ ચલાવતા સર્જન તબીબ સોમાત ચેતરિયા સવારે ૮-૩૦ થી રાત્રિના ૧૧ વાગ્યા સુધી હોસ્પિટલમાં સતત કામ કરતા રાત્રિના તેમના પત્ની કાજલ તથા પુત્રી હિરવા સાથે થોડો સમય વિતાવીને સવારે ૩-૪પ વાગ્યે ઊઠીને સવારના ૮ વાગ્યા સુધી રોજ ર૦ કિલો વજન સાથે ૧૦ કિલો મીટર ચાલવાનું, ૧૦ કિલોમીટર દોડવાનું તથા તે પછી કોટ એક્સરસાઈઝ કરીને ૮-૩૦ વાગ્યે હોસ્પિટલમાં જોડાઈ જતા.
એવરેસ્ટ ચડવાના અભિયાનમાં તેમણે એક વર્ષ ચાર કલાકથી ઓછી ઊંઘ કરી હતી અને નક્કી કર્યું કે એવરેસ્ટ તથા તેની નજીકના દુનિયાના પાંચમા નંબરનો લાહોત્સે એક સાથે સર કરશે જે ખૂબ જોખમી હતું, પણ ર૦ર૧ ના ૧૩ મે થી ૧૪ મે ર૪ કલાકમાં બન્ને પર્વતો સર કરી રેકોર્ડ સર્જયો.
રાજ્ય નહીં દેશ વિશ્વના આ એવા પર્વતારોહી છે કે જેમણે પર્વતોના બેઇજ કેમ્પમાં ક્યાંય ટ્રેકીંગ કે ટ્રેનીંગ પણ લીધી નથી.
ડુંગરો સર કરવાની અવિરત પ્રવૃત્તિ
ર૦૧૯ માં પર્વતારોહણની પ્રેક્ટીસ ચાલુ કરનાર ડો. સોમાત ચેતરિયાએ ર૦રર માં માઉન્ટ એવરેસ્ટ અને માઉન્ટ લાહોત્સે સર કર્યા પછી પાછું જોયા વગર જ દુનિયાના સાતેય ખંડના ઊંચા પર્વતો સર કરવાનો 'પ્રોજેક્ટ' બનાવીને તે પછી આફ્રિકા ખંડના સૌથી ઊંચા પર્વત માઉન્ટ કિલીમાંજારો ૬ર કલાકમાં સર કરવાનો રેકોર્ડ કર્યો. તે પછી યુરોપ ખંડનો સૌથી ઊંચો પર્વત માઉન્ટ એલબ્રુસ સર કર્યો અને તે પછી દક્ષિણ અમેરિકાનો દુનિયાની સૌથી ઊંચી ગીરીમાળા એન્ડીઝમાં આવેલો એકોરન્કાગુવા સર કર્યો અને તે પછી ઉત્તર અમેરિકનો માઉન્ટ ડેનાલી સર કર્યો અને તાજેતરમાં એન્ટાર્કટીકા ખંડનો માઉન્ટ વિન્સન સર કરી ત્યાં ભારતનો તિરંગો લહેરાવ્યો અને હાલ પણ તેઓ એન્ન્ટાર્કટીકા ખંડમાં જ છે.
હવે પછી તેઓ ઓસ્ટ્રેલિયાના સૌથી ઊંચા માઉન્ટ કોઝીત્સકો સર કરવાના છે. જે પછી તેઓ ભારતના એવા વિશિષ્ટ પર્વતારોહી થશે જે સાતેય ખંડના ઊંચા પર્વનો તથા દક્ષિણ ધ્રુવ તથા ઉત્તર ધ્રુવના શિખરો સર કરનાર પ્રથમ વ્યક્તિ બની જશે.
હાઈપોકિસક સિસ્ટમનો ઉપયોગ
સૌરાષ્ટ્રના અને ભારતના છેવાડાના જિલ્લા દ્વારકાના ખંભાળિયાના અને પર્વતારોહણમાં માત્ર ર૦૧૯ માં પ્રવેશ કરનાર અને ડોક્ટરી વ્યવસાય આજીવિકાને બદલે પર્વતારોહણના શોખને મુખ્ય માનીને લોઢાના ચણા ચાવવા જેવું કામ કરીને રેકોર્ડ સર્જનાર ખંભાળિયાના તથા આહિર સમાજના આંતરરાષ્ટ્રીય ગૌરવ સમાન ડો. સોમાત ચેતરિયા હાઈપોક્સિક સિસ્ટમથી પર્વતારોહણ કરે છે. જેમાં તેઓ નક્કી કરેલ પર્વતના બેઈઝ કેમ્પ જ્યાંથી ચઢાણ શરૂ થતું હોય ત્યાં ચાર્ટડ પ્લેન કે હેલિકોપ્ટરથી પહોંચીને સીધું ચઢાણ શરૂ કરી દે છે જે તેમની હિંમત બહાદુરી તથા પર્વતારોહણના શોખનું સૂચક છે.
ડો. સોમાત ચેતરિયાએ ૬ઠ્ઠા ખંડના એન્ટાર્કટીકાના માઉન્ટ વિન્સન સર કરતા સમગ્ર ખંભાળિયામાંથી તથા ગુજરાતમાંથી ડોક્ટરો, અગ્રણીઓ દ્વારા તેમના પર અભિનંદનવર્ષા થઈ રહી છે. રાજ્યના વન અને પ્રવાસન રાજ્ય મંત્રી મૂળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ, ખંભાળિયાના પાલિકા પ્રમુખ રચનાબેન મોટાણી દ્વારા અભિનંદન પાઠવાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
સૂરજકરાડી લોહાણા સમાજનું ગૌરવ
સૂરજકરાડી લોહાણા સમાજનું ગૌરવ વધાર્યું છે અને નિરમા યુનિ.ના ચાર વિદ્યાર્થીઓ બ્રિલિયન્ટ પ્રોજેક્ટ કર્યો છે, જે અંતર્ગત પ્રજ્ઞાચક્ષુ બાળકોના અભ્યાસ માટે સિમ્પલ મિકેનિકલ ડિવાઈસ બનાવી બેંગ્લોરમાં સીઆઈઆઈ યંગ ડિઝાઈનર એવોર્ડની સ્પર્ધામાં ડિઝાઈન ફોર સોશિયલ ઈમ્પેક્ટની કેટેગરીમાં ભાગ લેતા પ્રથમ સ્થાન મળ્યું છે.
નિરમા યુનિવર્સિટીની ડિઝાઈન ડિપાર્ટમેન્ટના બ્રિલિયન્ટ ટીમના ચાર વિદ્યાર્થીઓ રોનક સુતારિયા, આયુષ્માનસિંહ જોધા, પ્રરક માંડવિયા અને સુમુખ કુલકર્ણીએ પ્રોફેસર્સ અર્જુન સેંગર અને પ્રદીપ સાહુના માર્ગદર્શન હેઠળ પ્રજ્ઞાચક્ષુ બાળકોને શિક્ષણમાં સરળતા રહે તે માટે 'સિમ્પલ મિકેનિકલ ડિવાઈસની ડિઝાઈન બનાવી છે.' આ વિશે રોનકે કહ્યું કે, 'પ્રજ્ઞાચક્ષુ બાળકોની અભ્યાસની પદ્ધતિ એકદમ અલગ હોય છે. પ્રજ્ઞાચક્ષુ બાળકો બ્રેઈલ લિપિનો ઉપયોગ કરતા હોય છે. તેમાં પણ તેમને મૂળાક્ષરોને ઊંધા લખી, કોઈ ડિવાઈસ વિના યાદ રાખવા જેવી ઘણી સમસ્યાઓ હોય છે તેથી અમે નક્કી કર્યું કે, એક એવું ડિવાઈસ બનાવીએ જે રમકડા જેવું હોય, જેને બાળકો સરળતાથી આંકડા, અને આલ્ફાબેટનો અભ્યાસ કરીને શીખી શકે છે. આ પ્રોજેક્ટ માટે અમે ગાંધીનગરમાં આવેલી બ્લાઈન્ડ સ્કૂલમાં જઈ તેમની સાથે વાત કરી અને પડતી સમસ્યાઓ વિશે જાણીને આ ડિવાઈસ પર કામ કરવાનું શરૂ કર્યું. આ રમકડામાં કોઈ આલ્ફાબેટ સાચું આવે તો તેના માટે સાયરન સિસ્ટમ પણ સેટ કરી છે, જેનાથી બાળક એકલા પણ ડિવાઈસનો ઉપયોગ કરીને આ માધ્યમથી અભ્યાસ કરી શકે છે.'
આ ડિવાઈસ સરળતાથી ખરીદી અને ઊંચકી શકાય છે. આ ડિવાઈસનો પ્રયોગ કરવા માટે અમે આ સ્કૂલના બાળકોને અભ્યાસ માટે આપ્યું હતું. આ ઉપરાંત બેંગ્લોરમાં યોજાયેલી સીઆઈઆઈ યંગ ડિઝાઈનર એવોર્ડની સ્પર્ધામાં અમારી ટીમ બ્રિલિયન્ટ 'ડિઝાઈન ફોર સોશિયલ ઈમ્પેક્ટ'ની કેટેગરીમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
"ગીત નયા ગાતા હૂં, ગીત નયા ગાતા હૂં" થી શરૂ થતી પ્રખ્યાત હિન્દી કથાના આપણા લોક લાડીલા અને ભારત રત્નથી સન્માનીત એવા સ્વ.અટલ બિહારી વાજપઈજીની છે, તેઓ કવિ હ્ય્દયના એક વિલક્ષણ પ્રતિભાશાળી અને મૃદુ સ્વભાવના રાજકીય નેતા હતાં એમ કહીએ તો સહેજ પણ અતિશ્યોકિત નથી. કોઈ રાજકીય નેતા અને ભારતના વડાપ્રધાન પદે ત્રણ-ત્રણ વખત બિરાજમાન રહ્યા હોય તેવી કોઈ વયક્તિ સરળ ભાવે કવિતાઓ પણ લખી શકતી હોય તે કદાચ પ્રથમ નજરે નવું નવું લાગે પણ આપણાં મહાન ભારત દેશમાં આવું શકય છે એની પ્રતિતિ ખુદ સ્વ.વાજપઈજી દ્વારા આપવામાં આવી છે.
તા.૨૫ મી ડીસેમ્બરના રોજ સમગ્ર દેશ અને દુનિયા જ્યારે તેઓની ૧૦૦મી જન્મ જયંતિની ભાવ વિભોર રીતે ઉજવણી કરી રહ્યું છે ત્યારે આવો આપણે સૌ તેઓને નમ આંખોએ શ્રધ્ધાંજલી અર્પણ કરી એક ભારતીય તરીકે તેઓ પ્રત્યેનું એક ઋણ અદા કરીએ...
પંડીત કૃષ્ણબિહારી વાજપઈ ઉતર પ્રદેશના આગ્રા જિલ્લાના એક પ્રાચીન સ્થળ બટેશવરના રહેવાસી હતા અને મધ્યપ્રદેશના ગ્વાલિયર રજવાડામાં શિક્ષક હતા. અટલજીનો જન્મ તા.૨૫ ડીસેમ્બર ૧૯૨૪ ના રોજ ગ્વાલિયર ખાતે થયો હતો.પિતા કૃષ્ણબિહારી વાજપેયી માત્ર ગ્વાલિયરમાં ભણાવતા ન હતા, આ ઉપરાંત તેઓ હિન્દી અને બ્રજ ભાષાના કુશળ કવિ પણ હતા. પુત્રએ વારસાગત પરંપરા દ્વારા કાવ્યાત્મક ગુણો પ્રાપ્ત કર્યા.અટલજીનું બી.એ.નું શિક્ષણ ગ્વાલિયરની વિક્ટોરિયા કોલેજમાં થયું હતું. વિદ્યાર્થીકાળથી જ તેઓ રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘના સ્વયંસેવક બન્યા અને ત્યારથી તેઓ રાષ્ટ્રીય સ્તરની ચર્ચા સ્પર્ધાઓમાં ભાગ લેતા રહ્યા. કાનપુરની ડીએવી કોલેજમાંથી પોલિટ કિલ સાયન્સમાં એમ.એ.ની પરીક્ષા પ્રથમ વિભાગમાં પાસ કરી પછી તેમના પિતા સાથે, તેમણે પણ કાનપુરમાં એલએલબીનો અભ્યાસ શરૂ કર્યો પરંતુ તેમણે તે અધવચ્ચે જ છોડી દીધું અને સંપૂર્ણ સમર્પણ સાથે સંઘના કાર્યમાં લાગી ગયા.તેમણે ડૉ. શ્યામપ્રસાદ મુખર્જી અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય ના માર્ગદર્શન હેઠળ રાજકારણનો અભ્યાસ કર્યો એટલું જ નહીં પંચજન્ય, રાષ્ટ્રધર્મ, દૈનિક સ્વદેશ અને વીરઅર્જુન જેવા અખબારો અને સામયિકોનું સંપાદન કાર્ય પણ કુશળતાપૂર્વક કર્યું હતું.
સ્વ.અટલજી રાજનેતા જ નહીં પરંતુ કવિ પણ હતા.મારી એકાવન કવિતાઓ અટલજીનો પ્રખ્યાત કાવ્યસંગ્રહ છે. કાવ્યાત્મક સર્જનાત્મકતા અને સ્વાદના ગુણો વાજપેયીજીને વારસામાં મળ્યા છે. સાહિત્યિક અને કાવ્યાત્મક પારિવારિક વાતાવરણને કારણે તેમની નસોમાં કાવ્યાત્મક રક્ત અવિરત વહેતું હતું. તેમની પ્રથમ કવિતા તાજમહેલ હતી. વાસ્તવમાં કોઈ કાવ્યમય હૃદય કવિતાથી ક્યારેય વંચિત રહી શકતું નથી.અટલજીએ તેમની કિશોરાવસ્થામાં એક અદ્ભુત કવિતા લખી હતી. "હિન્દુ તન-મન, હિન્દુ જીવન, રાગ-રાગ હિન્દુ મેરા પરિચય" જે તેઓના બાળપણથી જ દેશ પ્રત્યેના પ્રેમ અને ઝુકાવ દર્શાવે છે. રાજનીતિની સાથે-સાથે સમુદાય અને રાષ્ટ્ર પ્રત્યેની તેમની અંગત સંવેદના સમગ્રપણે દેખાઈ રહી છે. તેમના જીવનના અનેક પાસાઓ જેમ કે સંઘર્ષ, બદલાતા સંજોગો, દેશવ્યાપી આંદોલન જેલ જીવન વગેરેની અસર અને અનુભવો તેમની કવિતામાં હંમેશા અભિવ્યક્તિ જોવા મળે છે. પ્રખ્યાત ગઝલ ગાયક જગજીતસિંહે પણ અટલજીની પસંદગીની કવિતાઓ કમ્પોઝ કરીને એક આલ્બમ બહાર પાડ્યું હતું.
તેઓ ભારતીય જનસંઘના સંસ્થાપકો પૈકીના એક નેતા હતા અને ૧૯૬૮થી ૧૯૭૩ સુધી પ્રમુખપદે રહ્યાં હતાં, તેઓ વર્ષ-૧૯૭૭ થી ૧૯૭૯ સુધી મોરારજી દેસાઈના મંત્રીમંડળમાં વિદેશમંત્રી હતા, તેઓએ વર્ષ-૧૯૯૬, ૧૯૯૮ અને ૧૯૯૯ માં વડાપ્રધાન પદના શપથ લીધા હતાં.
તેઓએ વર્ષ-૧૯૯૮ માં પોખરણમાં કરેલા પાંચ ભૂગર્ભ પરમાણું પરીક્ષણો, ૧૩ પક્ષોની ગઠબંધી સરકારનું સફળ સંચાલન, પાકિસ્તાન સાથે સંબંધો સુધારવાની પહેલ પછી કારગીલ યુદ્ધમાં વિજય મેળવવા સાથે એમ પણ કહ્યું હતું કે, આપણે મિત્રો બદલી શકીએ, પડોશીઓ નહીં...
આજે ૧૦૦ મા જન્મદિને અટલજીને કોટિ-કોટિ વંદન...
સંકલન અને લેખનઃ કિરીટ બી. ત્રિવેદી
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ડોલે ધરા નભ, ઉઠા તૂફાન વિસ્ફોટ સે પ્રગટે હનુમાનઃ
ભગવાન શ્રી રામના પરમ ભક્ત અને રૂદ્રાવતાર તથા ચિરંજીવીઓમાં સ્થાન ધરાવતા હનુમાનજી તત્કાલ સહાય કરવાવાળા દેવતા છે. સ્મરણ કરવાથી તેઓ સહાય કરે છે. દેશમાં હનુમાનજીના વિવિધ સ્થળોએ વિવિધ સ્થાનિકો-મંદિરો આવેલા છે અને દરેકના પરચાઓ તે સ્થાનકો-મંદિરોને લાખો ભક્તોની આસ્થાના કેન્દ્ર બનાવે છે. અમરેલી જિલ્લાના લાઠી પંથકનું સુપ્રસિદ્ધ શ્રી ભૂરખિયા હનુમાન મંદિર સાડા ત્રણસોવર્ષથી પણ વધુ પ્રાચીન છે અને આ મંદિરનો ઈતિહાસ ખૂબ જ રસપ્રદ છે.
ઇ. સ. ૧૬૪૨ માં દામોદરદાસ નામના અયોધ્યાના સંતને સ્વપ્નમાં હનુમાનજીએ આવી ચૈત્રી પૂર્ણિમાની રાત્રે પોતાનું પ્રગટ થવાના સ્થાનનો સંકેત આપ્યો હતો. તે સમયે તે વિસ્તાર સભાળ પ્રદેશ તરીકે ઓળખાતો હતો. સંત દામોદરદાસજી તથા અન્ય સંતો અને આસપાસના ગામ લોકો સંતને મળેલા સંકેત અનુસાર ચૈત્રી પૂનમ હનુમાન જયંતીના દિને એક ટેકરી પર એકત્ર થયા. ત્યાં એક બાવળનું ઝાડ હતું. સંતો અને ભક્તોએ ત્યાં ધૂન-ભજન આરંભ કર્યા. મધ્યરાત્રિ સુધી આ ક્રમ ચાલ્યો. મધરાત્રે અચાનક ધરતી ધ્રુજી અને વિસ્ફોટ થયો.
આ ઘટનાથી એકત્ર થયેલા લોકોમાં નાસભાગ મચી ગઇ. થોડીવાર પછી બધું શાંત થતા સંતોએ જોયુ તો બાવળનું ઝાડ ધ્વસ્ત થઈ ગયું હતું અને તેના સ્થાને હનુમાનજીની સિંદૂરયુક્ત દિવ્ય મૂર્તિ હતી.
આ ઘટનાને કારણે અહીં હનુમાનજીની મૂર્તિ સ્વયંભૂ મૂર્તિ કહેવાય છે. ભૂરખીયા હનુમાન નામ પાછળનું કારણ વિચારીએ તો ભૂ એટલે ભૂમિ અને રખિયા એટલે રક્ષક અર્થાત ભૂમિના રક્ષક હનુમાન એટલે શ્રી ભૂરખિયા હનુમાન.
અહીં ભક્તોને હનુમાનજી સાક્ષાત હોવાની અનુભૂતિ થાય છે અને તેમની પ્રાર્થનાઓ ફળે છે. જેને કારણે આ મંદિર ખૂબ જ પ્રસિદ્ધ છે. હાલ અહીં પિયૂષભાઇ નિમાવત પૂજારી તરીકે સેવારત છે. નિમાવત પરિવારના અહીં ૩૫ ખોરડાં છે. ભક્તોના ઉતારા માટે થોડા રૂમની પણ વ્યવસ્થા છે તથા છેલ્લા ૧૫ વર્ષથી નિઃશૂલ્ક ભોજન-મહાપ્રસાદનું સદાવ્રત ચાલે છે.
કળયુગમાં ભગવાન ગુરૂ દત્તાત્રેય, ભૈરવ દાદા તથા હનુમાનજી આ ત્રણેયને તત્કાલ સહાય કરવાવાળા કહેવાય છે ત્યારે અહીં તો હનુમાનજી વિસ્ફોટ સાથે સ્વયંભૂ મૂર્તિ સાથે પ્રગટ થયા છે જે ભક્તોના સંકટ દૂર કરે છે માટે જ અહીં બારે માસ ભક્તોનો પ્રવાહ અવિરત રહે છે. માગશર મહિનાના શનિવાર અને મંગળવારે ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે. હનુમાન ભક્તોએ આ મંદિરની એક વખત અચૂક મુલાકાત લેવી જોઇએ. જો તમે અહીં ચરણથી ન પહોંચી શકો તો સ્મરણથી પહોંચી જજો કારણકે હનુમાનજી યાદ કરતાની સાથે જ સહાય કરે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
યુનેસ્કો દ્વારા વિશ્વ હેરીટેજ સાઈટની યાદીમાં શોર્ટલીસ્ટ કરાયેલું ગ્લોબલ ડેસ્ટિનેશન લાખો ટુરિસ્ટોની પહેલી પસંદ બન્યું છે
નાના કચ્છનું રણ અને ઈઝરાયેલના રણ વચ્ચે ઘણી સામ્યતા જોવા મળે છે. અહિ વર્ષો પહેલા દરિયો હતો તેવું ભુસ્તર શાસ્ત્રીઓનું માનવું છે. સપાટ વિશાળ મેદાન ૪૯૫૩ ચોરસ કિલોમીટરના વિસ્તાર સુધી ફેલાયેલું છે. આવા વિશાળ રણ મેદાનમાં અમુક જગ્યાએ વનસ્પતિઓ, બાવળ વિપુલ માત્રામાં જોવા મળે છે.
વન્ય પ્રણીઓના અભ્યારણ તરીકે નાના કચ્છના રણને ૧૯૭૨ માં જાહેર કરવામાં આવ્યું છે. આખા વિશ્વમાં ઘુડખર હવે માત્ર કચ્છના આ નાના રણમાં જ બચ્યા છે. જંગલખાતાની વસ્તી ગણતરીમાં ૩૦૦૦ કરતા વધુ ઘુડખર હોવાનું નોંધાયું છે. ઘુડખર ઘોડા, ગધેડા, અને ઝીબ્રાનું મિશ્રણ હોય તેવું લાગે છે. તે બે-ત્રણ ફાળ ભરતા જ કલાકના ૭૦ થી ૯૦ કિલોમીટરની ગતિ પકડી લે છે અને હાથમાં ન આવે એવું ચબરાક પ્રાણી છે. તે એટલી તાકાતથી દોડે છે કે તેની પાછળ ધસમસતી જીપમાં બેસેલાઓને પણ મેદાનમાંથી માટીના ઢેફા ઉડાવે છે.
૪૫ ડિગ્રી કે તેથી પણ વધુ ગરમીમાં તે છાંયડા વગર રણમાં કલાકો સુધી રહી શકે છે. ૪ ફુટની ઉંચાઈ અને સાત ફૂટની લંબાઈ ધરાવતા ઘુડખરનું વજન ૨૩૦ કિલો જેટલું છે. સુકુ ઘાસ, બાવળની શિંગ તેનો મુખ્ય ખોરાક છે. કુદરતે કેટલાય દુકાળો સહન કરવાની ક્ષમતા આપી હોય, જે પણ વનસ્પતિ કે પાણી મળે તેમાંથી ચલાવી શકે છે. ઓગસ્ટથી ઓકટોબર મહિનામાં માદા ઘુડખર ૧૧ મહિના ગર્ભ ધારણ કરી એક બચ્ચાને જન્મ આપે છે. ગધેડા કરતાં ઘડખરનો ભુંકવાનો અવાજ વધુ મોટો હોય છે. ઘુડખરનું આયુષ્ય ૨૦ થી ૨૫ વર્ષનું માનવામાં આવે છે.
નાના કચ્છના રણમાં માત્ર ઘુડખર જ નથી પણ વરસાદ સુકાયેલા પાણીથી બનેલ તળાવોમાં અહિં ઘણી વખત નળ સરોવરમાં જોવા ન મળે તેવા વિદેશી પક્ષીઓ આવે છે. જેમાં પેલીકન, કેસ્પીયન ટર્ન, ફલેમીંગો હોઉબાર, બસ્ટર્ડ, લેસર ફલોરિકેન જેવા ૨૦૦ જેટલા પંખીઓનો સમાવેશ થાય છે.
ઓકટોબરથી માર્ચ અહી ફરવા આવવાની સિઝન છે. અભ્યારણનો પ્રચાર, પ્રસાર નહીં થતાં અહિ પ્રવાસીઓની માત્રા જોઈએ તેવી નથી. અમદાવાદ, રાજકોટ, વડોદરાથી પણ પ્રવાસીઓ માહિતીના અભાવે અહીં જોઈએ તેટલા પ્રવાસીઓ આવતા નથી. પ્રવાસન વિભાગની ઉદાસીનતા તો એટલી હદે છે કે અભ્યારણના પ્રવેશની આજુબાજુ કોઈ ગેસ્ટ હાઉસ, દુકાનો કે માર્ગદર્શન કેન્દ્ર પણ નથી. નજીકમાં આવેલા દસાડા ગામમાં રણ રાઈડર્સ નામનો ખૂબ જ ઉત્સાહી અને પશુ, પંખી, ઝાડપાન વિશે અસાધારણ જ્ઞાનને જાગૃતિ ધરાવતા યુવાનોની સંસ્થા છે. તેમના જેવી આ વિસ્તારમાં આવે એકાદ બે સંસ્થા બાદ કરતાં પ્રવાસીઓને ફરવા માટે તો શું પણ પાયાનો પરિચય આપવા માટે પણ અહિ પ્રવાસન ખાતાનું ચકલુંય ફરકતું નથી. પરિણામે એક જ દિવસ જ પ્રવાસ માટે ફાળવવો પડે તેવી આ ઈન્ટરનેશનલ જગ્યાને અવગણીને શહેરીજનો એકના એક વોટર પાર્કો કે નદી કિનારાના સ્થળોએ ફર્યે જ રાખે છે.
માત્ર નાના કચ્છના રણમાં નહીં પણ ગીરમાં પણ વિદેશી કે બીન ગુજરાત પ્રવાસીઓની જોડે સાદી અંગ્રેજી ભાષામાં વાતચીત કરે તેવો સ્ટાફ કે કાઉન્ટર ગોત્યું જડતુ નથી.
નાના કચ્છના રણથી માત્ર ૧૪૦ કિલોમીટર દૂર પાકિસ્તાનની સરહદ આવેલ છે. આઝાદી પહેલા અહીં કરાંચી આટલા કિલોમીટર દૂર છે તેવું બોર્ડ પણ મૂકવામાં આવ્યું હતું. અહીં રણ ફરતા જ એક જુનું ખંડીયેર જેવું મકાન છે. આઝાદી પછીથી અમુક વર્ષો સુધી અહીં સરહદની બંને પાર મોકલાતી ટપાલ-પાર્સલની સત્તાવાર આપલે થતી નથી.
એવું કહેવાય છે કે, જહાંગીર બાદશાહ આ રણમાં શિકાર કરવા આવતો હતો. અહીં ખાસ પ્રકારના પક્ષીના શિકાર કરવા સ્વ. ઈન્દિરા ગાંધીના શાસન વખતે પરવાનગી માંગી ધનાઢય શેખ આરબોએ જેઓ આજ પંખીનો રમતના શોખીન હતા તેઓ આવ્યા હતા ત્યારે પર્યાવરણવાદીઓએ ભારે હોબાળો મચાવી મોટો ઈશ્યુ બનાવ્યો હતો તેથી તેઓ અહીં શિકાર કરી શકયા ન હતાં.
હજારો વર્ષ પહેલા આ રણ કચ્છના અખાત સ્વરૂપે હતો. અહીંના હજારો ચોરસ કિલોમીટરની જમીનમાંથી ખારૂ પાણી મળે છે. આ પાણીને બોર વાટે બહાર ખેંચીને ઠેર-ઠેર ઢુવા બનાવી જમીન પર પાથરી દેવામાં આવે છે. અગરીયાઓ વહેલી સવારે ઉઠી પાણીને પગ વડે કલાકો સુધી હલેલા મારતા રહે છે. અને ધીમે ધીમે પાણી મીઠાના ગાંગડા રૂપે જામી જાય છે. હાડકા ગાળી નાખે, ગાત્રો ઢીલા થઈ જાય તે રીતે મીઠું પકવામાં આવે છે આમ અગરીયાનું શોષણ કરી પાણીના ભાવે આ મીઠું ખરીદાય છે અને ૨૦ થી ૩૦ ગણા ભાવે મીઠાને શહેરમાં વેંચવામાં આવે છે.
ખુલ્લી જીપમાં રણમાં ફેરવવા નીકળેલા અને રણની રજેરજની, ઓળખાય નહીં તેવા દુર્લભ બનતા જતા પશુપંખીઓમાંથી માંડી ઝાડપાનનો પરિચય આપી શકે તેવા રણ રાઈડર્સના મુઝાહીદભાઈ મલીકે પત્રકારોને જણાવ્યું કે, આપણે હવે ઘુડખર તરફ જઈ રહ્યા છીએ. જીપનો અવાજ ઘણે દૂરથી પામી જતાં ત્યાંથી ડરથી દોડવાની શરૂઆત કરી દીધી. ઘુડખર કઈ દિશામાં ભાગશે અને કઈ રીતે શકય તેટલું નજીકથી જોઈ શકાય તે રીતે જીપને તે દિશામાં ગતિ સાથે વળાંક આપી દોડાવી વાહન દ્વારા પીછો કરવાનો પશુ પ્રેમીઓ અહીં ઈન્કાર કરે છે. તેથી જીપને ઘુડખર દોડતા ટોળાથી સલામત અંતરે રાખી. ઘુડખરે જીપને નજીક જોવાની સાથે જ જીપને પણ હંફાવે તેટલી ગતિ પકડી બીજી તરફ ફંટાઈને દૂર-દૂર ચાલ્યું ગયું. ઘુડખરોની લયબદ્ધ, તાલબદ્ધ અને જોમભર મદમસ્તી દોટને જોઈને આનંદ અનુભવાય છે. પ્રકૃતિ પ્રેમી અને ઘુડખર જેમને જાનથી પ્યારા છે. તેવા નાના કચ્છ રણના નજીક આવેલા દસાડા ગામના મુઝાહીદ મલિકે જણાવ્યું કે, જેવી રીતે જોધપુર અભ્યારણ નજીક વસ્તી બિશ્નોઈ પ્રજાને ચિંકારા પ્રત્યે અથાગ શહાદત વહોરી લેતો પ્રેમ છે તેવી જ રીતે નાના કચ્છના રણમાં આજુબાજુના જસાડા, ઝીંઝુવાડા, ખારાઘોડા, જેનાબાદ ગામોની પ્રજા ઘુડખરને વાળ પણ વાંકો થાય નહીં તેવો લગાવ ધરાવે છે.
તેમણે જણાવ્યું કે, કમનસીબી તો એ છે કે, વિદેશીઓ કે ગુજરાત બહારના પર્યટકો ઈન્ડિયન ટુરિસ્ટ ગાઈડના આધારે નાના કચ્છના રણને શોધતા અહી આવે છે. ત્યારે ગુજરાત પ્રવાસન વિભાગે નાના કચ્છના રણને રઝળતું મૂકી દીધું છે. પહેલી નજરે રણ શબ્દ અને તેમાંય કચ્છ ઉમેરાતા, આપણને એમ લાગે કે ઘુડખરના અભ્યારણ જોવા માટે આઠ-દસ કલાકનો પ્રવાસ ખેડવો પડે પણ પ્રવાસન
વિભાગની બેજવાબદારી એટલી હદે છે કે ભારતના નાગરિકની વાત છોડો પણ ગુજરાતના નાગરિકને ખબર નથી કે નાના કચ્છનું અભ્યારણ અમદાવાદથી માત્ર ૯૦ કિલોમીટર, રાજકોટથી ૨૦૦ કિલોમીટર અને વિરમગામથી માત્ર ૨૭ કિલોમીટર જ દૂર છે.
રણ એટલે આપણને બીજી કલ્પના તો ન જાય પણ રેતીની ડમરીઓ અને ઊંટોની અવરજવર જોવા મળશે પણ આવું કશું આ રણમાં નથી. કચ્છના આ નાના રણમાં જવા માટે અમદાવાદ, વિરમગામ, સુરેન્દ્રનગર, રાજકોટ, ભુજ, માલવણ, રાધનપુર અને મહેસાણાથી સીધી એસટીની બસ આવે છે. દસાડા કે વિરમગામ ઉતરી જઈ દસેક કિલોમીટર ખાનગી વાહન દ્વારા જઈ શકાય છે.
ઘુડખર પ્રવાસનની જાહેરાતમાં
ખુશ્બુુ ગુજરાત કી જાહેરાત કેમ્પેઈનમાં એક નવી ઓળખ મેળવનારૂ ઘુડખર અભિયાન હવે ટીવીમાં ખુશ્બુુુ ફેલાવશે.
૫૪ લાખ જેટલા પ્રવાસીઓ ગુજરાતની મુલાકાતે છેલ્લા એક વર્ષમાં નોંધાયા છે ત્યારે કચ્છના રણ બાદ હવે અદ્વિતીય સૌંદર્યથી ભરપૂર રણના ખાલીપદને ભરવા આગવી ઓળખ ધરાવતા પવનવેગી જાદુગર દોડવીર તરીકેના બિરૂદ પામેલા ઘોડા જેવા દેખાતા ઘુડખર વિશ્વમાં પ્રચલિત છે. તે માટે હવે નવું અભિયાન બીગ બી શરૂ કરશે. આ વખતના શેડયુલમાં બિગ બી અમિતાભ બચ્ચન રણના ઘોડા ઘુડખરનું શૂટિંગ કરશે.
વિશ્વમાં આ એકમાત્ર ઘુડખર અભ્યારણ છે. જંગલી ગધેડા અભ્યારણને યુનેસ્કો દ્વારા વિશ્વ હેરીટેજ સાઈટની યાદીમાં શોર્ટ લિસ્ટ કરવામાં આવ્યું છે. જે કચ્છના નાના રણનું ઘુડખર અભ્યારણ વિશ્વના નકશામાં શ્રેષ્ઠ સ્થાન ધરાવે છે. તેમ પ્રધાન મૂળુ બેરાએ જણાવ્યું હતું.
કોટેચા ગ્રુપનું નવું નઝરાણું
કોટેચા ગ્રુપના યુવાન રાજકોટના છે. એવા નવયુવાન તરવરીયા કિશન કોટેચાએ 'નોબત' સાથે વાત કરતાં જણાવ્યું કે, લોકોને જે સાચી વસ્તુ સાંસ્કૃતિની ખબર નથી તે મારે ઉજાગર કરવી છે. હવા ખાવા માટે પ્રવાસન માટે લોકો દોડે છે. પણ તમારી પાસે જ અણમોલ વસ્તુ છે જે જોયા પછી 'વાહ' શબ્દ નીકળી જશે જ તેથી જ પોર્ટ હોટલ ગ્રુપ સાથે જોડાઈને પાંચમુ સાહસ 'સત્વા રિસોર્ટ' બનાવ્યો છે.
આલેખનઃ
જીતેન્દ્ર ભટ્ટ, ગાંધીનગર
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
જીત કી દાસતાઁ બનાતે હૈ, ઐસે કિરદાર હમ નિભાતે હૈ
તાજેતરમાં રમત ગમત તેમજ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગુજરાત સરકાર દ્વારા આયોજિત યુવક મહોત્સવ ૨૦૨૪ માં જામનગરની થિયેટર પીપલ સંસ્થાનું નાટક 'વેશ અમારો વ્યથા તમારી' રાજ્યકક્ષાએ પ્રથમ આવ્યું છે. મુંબઇનિવાસી ખ્યાતનામ લેખક દિલીપ રાવલની કસાયેલી કલમે લખાયેલ એકાંકી નાટકનું સૌથી સબળ પાસું એનું દિગ્દર્શન છે. જેમાં ભવાઇનાં અલગ અલગ વેશની સાથે સાથે સંબંધોની આગવી રજૂઆત દિગ્દર્શક રોહિત હરીયાણી દ્વારા કરવામાં આવી છે. ઉમદા અભિનેતા અને દિગ્દર્શક તથા અનેક એવોર્ડ વિજેતા રોહિત હરિયાણીએ સચોટ દિગ્દર્શન દ્વારા પોતાની પ્રતિભા વધુ એક વખત સાબિત કરી છે એમ કહી શકાય.
નાટકમાં દર્શક સુરડીયા, નિયતિ રાજગોર, પરમ વ્યાસ, મીત ઉમરાડીયા, મિષા વોરા, પવિત્રા ખેતીયા, જિગર પાલા, સચિન ધામેચા, જહાનવી પંડ્યા, મિરા અગ્રાવત, નિકુંજ વડોલીયા, દીપેન પરમાર તથા વરૂણ સોલંકીએ અભિનયનાં ઓજસ પાથર્યા હતા. સંગીત બાલકૃષ્ણ જેઠવાએ તૈયાર કર્યુ હતું અને સંગીત સંચાલન ડો.ધૈર્ય ચોટાઈએ સંભાળ્યું હતું. લાઇટ્સ ડિઝાઈન રોહિત હરિયાણી દ્વારા કરવામાં આવી હતી. લાઇટ્સ ઓપરેશન પ્રતિક શુક્લએ કર્યુ હતું. નેપથ્ય વ્યવસ્થા રિદ્ધિ બથીયા શાહ અને સંજય પરમારે સંભાળી હતી.
ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં યુવક મહોત્સવમાં નાટ્ય સ્પર્ધામાં રાજ્યકક્ષાએ થિયેટર પીપલ કુલ ૧૪ વખત વિજેતા થયું છે અને રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ મેડલ મેળવનાર ગુજરાતની એક માત્ર સંસ્થા છે.
સંસ્થાનાં સ્થાપક ગૌરવ પુરસ્કાર વિજેતા રંગકર્મી તથા આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત કલાકાર વિરલભાઇ રાચ્છએ વિજેતા નાટકની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગૌમૂત્ર અને ગોબર એટલે ખેતી પાક માટે જરૂરી તત્ત્વોનો ભંડાર
ભારતીય સંસ્કૃતિમાં ગાય અને ધરતી બન્નેને માતાનો વિશેષ દરજ્જો આપવામા આવ્યો છે. પ્રાકૃતિક ખેતી એ ધરતીના રક્ષણ માટેની વિશેષ પહેલ છે. આ કૃષિ ગાય આધારિત હોવાથી કૃષિ સાથે ગાયનું પણ રક્ષણ અને સંવર્ધન થાય છે. પ્રાકૃતિક ખેતીની ખાસિયત એ છે કે તે નાના ખેડૂતો માટે મર્યાદિત જમીનમાં પણ ખુબ ઓછા ખર્ચે થઈ શકે છે અને ધરતીની પોષણક્ષમતાને પણ જાળવી રાખે છે. રાજ્ય સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકારિતા વિભાગ દ્વારા આત્મા પ્રોજેક્ટ અંતર્ગત ખેડૂતોને પ્રાકૃતિક કૃષિને સતત પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ માટે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટે સહાયક યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે અને ખેડૂતોને માર્ગદર્શન મળી રહે તે માટે ખ ેડુતોની તાલીમ પણ યોજવામાં આવી રહી છે.
પદ્મશ્રી સુભાષ પાલેકરના સંશોધન અને તાંત્રિક સહયોગથી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક કૃષિને વર્ણવી છે, જેને આધારે પ્રાકૃતિક ખેતીમાં ગાયનું મહત્ત્વ કેટલું છે તેનાથી માહિતગાર થઈએ.
ભાર્ગવ કેે. ભંડેરી
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
'દેશ કા પ્રકૃતિ પરીક્ષણ' અંગે રસપ્રદ માહિતી
પ્રસ્તાવના
આયુર્વેદ ચિકિત્સા માટે રોગીની પ્રકૃતિ અથવા તાસીર જાણવી જરૂરી માનવામાં આવે છે કારણ કે આયુર્વેદ પર્સનલાઇઝ્ડ ચિકિત્સા આપે છે અને એકજ રોગ માટેની અલગ અલગ રોગીને અલગ દવાઓથી ચિકિત્સા કરતી હોય છે (તો જ આયુર્વેદ દવાથી લાભ જોવા મળતો હોય છે). આયુર્વેદના પ્રકૃતિ પરીક્ષણની જરૂરિયાત માત્રને માત્ર રોગીની ચિકિત્સા નો નથી પણ આયુર્વેદ નો મૂળ ઉદ્દેશ્ય સ્વસ્થના સ્વાસ્થ્યનું રક્ષણ કરવાનું છે અને પ્રકૃતિ ને જાણવાથી કેવા રોગો જે-તે વ્યક્તિને થઈ શકે છે તેની જાણકારી મળે છે જેનો ઉપયોગ કરી જો યોગ્ય ઉપાય કરવામાં આવે તો રોગ ન થાય અથવા ઓછા લક્ષણ વાળો થાય.
પ્રકૃતિ પરીક્ષણ સ્વસ્થ વ્યક્તિમાં કરવામાં આવતો હોય છે નહીં કે રોગની અવસ્થામાં. મધ્ય વય ૧૬ થી ૬૦ વર્ષની વ્યક્તિની પ્રકૃતિ પરીક્ષણ જ કરવું હિતાવહ છે કારણ કે બાળકો અને વૃદ્ધોમાં પ્રકૃતિ પરીક્ષણ બરાબર રીતે કરવામાં તકલીફ પડી શકે અને સાચી પ્રકૃતિ જાણી શકાય નહીં. વિશ્વ આરોગ્ય સંસ્થાના મતે પણ આ ઉંમરના લોકોને પ્રોડક્ટિવ હ્યુમન કહ્યા છે અને તે દરમ્યાન તેમને જો સ્વાસ્થ્યનું રક્ષણ કરવામાં આવે તો વ્યક્તિગત લાભની સાથે સમાજને પણ લાભ થાય જે સમાજ સ્વસ્થ રહી શકે છે.
પ્રકૃતિ પરીક્ષણ કેવી રીતે થાય છે?
પ્રકૃતિ પરીક્ષણ ચિકિત્સક સ્વસ્થ વ્યક્તિની શારીરિક તપાસ કરી, પ્રશ્નોતરી કરી અને અમૂક પરીક્ષણ કરીને કરતાં હોય છે. આયુર્વેદના ગ્રંથ ચરકસંહિતામાં બતાવેલ લક્ષણો ચિન્હોના આધારે તેની પ્રશ્નોતરી અને તપાસ કર્યા પછી પ્રકૃતિની પરીક્ષણ કરવામાં આવતી હોય છે. ભારત સરકારે પ્રકૃતિ પરીક્ષણ માટે એક વિશેષ એપ બનાવી છે જેમાં સ્વસ્થ વ્યક્તિની પ્રકૃતિનું પરીક્ષણ આયુર્વેદ ચિકિત્સક દ્વારા તે એપથી કરી શકાય છે. જેમાં વ્યક્તિગત ગોપનિયતાની રક્ષા માટે પૂરતું આયોજન કરવામાં આવ્યું છે. આ પરીક્ષણમાં રોગી પોતાની પ્રકૃતિને એપની મદદથી જોઈ શકે છે.
પ્રકૃતિ પરીક્ષણમાં થતી મર્યાદાઓ?
પ્રકૃતિ પરીક્ષણમાં પ્રશ્નોત્તરીના આધારે કરવામાં આવતી હોય સ્વસ્થ વ્યક્તિ દ્વારા આપવામાં આવતા જવાબોના આધાર પર હોય અમૂક સંજોગોમાં જો જવાબો-પ્રતિભાવો પૂર્વગ્રહ અથવા માન્યતાના આધારે હોય તો તેમાં પ્રકૃતિ પરીક્ષણમાં ફેર પડી શકે. તેમાંજ સામાન્ય રીતે જે લક્ષણો જેમ કે ભૂખ લાગવી, ઊંઘ વિગેરે જવાબો દિવસો મહિનાઓ અથવા વર્ષોમાં કેવી રીતે થતાં હોય તેના પર આધારિત હોય તો જ સાચી પ્રકૃતિ જાણી શકાય.
પ્રકૃતિ પરીક્ષણની સગવડતા કયા કયા છે અને કોને કરાવવું જોઈએ
પ્રકૃતિ પરીક્ષણ એપ બેઝડ (એપ આયુષ મંત્રાલય દ્વારા આપવામાં આવેલ છે) જે આયુર્વેદ ચિકિત્સક દ્વારા વ્યક્તિગત પ્રશ્નોત્તરી અને પરીક્ષણ દ્વારા કરવામાં આવે છે. ૧૬ થી ૬૦ વર્ષ ના દરેક નાગરિક કરાવી શકે છે, કરાવવું વધુ હિતાવહ છે. ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા સંવિધાન દિવસ તા. ૨૬/૧૧/૨૪ થી ૨૫/૧૨/૨૪ સુધી ઝુંબેશ ચાલુ રહેવાની છે. આપ નજીકના આયુર્વેદ ચિકિત્સક અથવા આયુર્વેદ હોસ્પિટલનો સંપર્ક કરી શકો છે.
ડો. નિશાંત શુક્લ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
કેટલાંક દેશો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે તો કેટલીક જગ્યાએ તૈયારીઃ
રશિયા-યુક્રેન, ઈઝરાયેલ-હમાસ, ચીન-તાઈવાન, ઉત્તર-દક્ષિણ કોરિયા અને સીરિયા જેવા વિસ્તારોમાં વિવાદ મોટા યુદ્ધમાં ફેરવાઈ શકે છે
શું ૨૦૨૫ માં વિશ્વમાં ત્રીજું વિશ્વ યુદ્ધ થશે? આ પ્રશ્ન મહત્વપૂર્ણ છે કારણ કે વર્ષ ૨૦૨૪ માં, વિશ્વના ઘણા ભાગોમાં સંઘર્ષ જોવા મળી રહ્યો છે. આવો જાણીએ દુનિયાના એવા કયા વિસ્તારો છે જ્યાં વિશ્વ યુદ્ધની સંભાવના છે.
રશિયા-યુક્રેન
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને ત્રણ વર્ષ થઈ ગયા છે. આ યુદ્ધનો પણ અંત આવે તેમ લાગતું નથી. રશિયાએ ફરી એકવાર હુમલા તેજ કર્યા છે. આ સાથે જ જો બાયડેને યુક્રેનને રશિયા પર લાંબા અંતરની મિસાઈલોથી હુમલો કરવાની પરવાનગી આપી દીધી છે. આ સિવાય નાટો પણ યુદ્ધની તૈયારી કરી રહ્યું છે.
ઇઝરાયેલ-હમાસ
૭ ઓક્ટોબર, ૨૦૨૩ ના રોજ, ઇઝરાયેલ પર હમાસ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલા બાદ મધ્ય પૂર્વમાં સંઘર્ષ ચાલી રહ્યો છે. ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલ યુદ્ધ લેબનોનના હિઝબુલ્લાહ સુધી વિસ્તર્યું હતું. આ સિવાય ઈરાન અને ઈઝરાયલે પણ ઘણી વખત એકબીજા પર હુમલો કર્યો. યમનના હુથી બળવાખોરોએ વૈશ્વિક જળમાર્ગમાં વિક્ષેપ પાડતા જહાજોને પણ નિશાન બનાવ્યા હતા. જોકે, હિઝબુલ્લાહ અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધવિરામ થઈ ગયો છે. પરંતુ તે ગમે ત્યારે મોટા સંઘર્ષમાં ફેરવાઈ જવાનો ભય છે.
ચીન-તાઈવાન
તાઈવાન સ્ટેટ પર પણ યુદ્ધનો ખતરો તોળાઈ રહ્યો છે. તાઈવાનને લઈને ચીન અને અમેરિકા આમને-સામને છે. ચીનનું કહેવું છે કે તાઈવાન તેનો હિસ્સો છે, જેના પર તે કબજો કરશે. એટલા માટે ચીન પોતાની નૌકાદળને સતત મજબૂત કરી રહ્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું હતું કે જો ચીન તાઈવાન પર હુમલો કરશે તો અમેરિકા મદદ કરશે. ટ્રમ્પના આગમન બાદ સ્થિતિ બદલાઈ શકે છે. જો કે, ૨૦૨૫માં ચીન તાઈવાન પર હુમલો કરે તેવી શક્યતા ઓછી છે.
ઉત્તર કોરિયા-દક્ષિણ કોરિયા
ઉત્તર કોરિયાએ રશિયાની મદદ માટે પોતાના સૈનિકો મોકલ્યા છે. ઉત્તર કોરિયાના સુપ્રીમ લીડર કિમ જોંગ ઉનના આ નિર્ણયથી કોરિયન દ્વીપકલ્પ હચમચી ગયો છે. રશિયાને મદદ પૂરી પાડવીઃ સ્પષ્ટપણે દર્શાવવામાં આવ્યું છે કે રશિયા યુદ્ધમાં ઉત્તર કોરિયાને સાથ આપશે. ઉત્તર અને દક્ષિણ કોરિયા વચ્ચે તાજેતરમાં તણાવ જોવા મળ્યો છે. ઉત્તર કોરિયાએ તેની બાજુના રસ્તાઓ પર બોમ્બમારો કર્યો.
સીરિયા
સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ-અસદ ઈઝરાયેલ પર ઓક્ટોબર ૭ના હુમલા બાદ યુદ્ધથી દૂર રહ્યા હતા. જ્યારે ઇઝરાયેલના જેટ અને વિમાનોએ સીરિયા પર હુમલો કરવાનું ચાલુ રાખ્યું હતું. તેનો નિર્ણય તેના શાસનની સ્થિરતા પર આધારિત હોઈ શકે છે. ગયા અઠવાડિયે જ્યારે વિદ્રોહીઓએ નાટકીય રીતે અલેપ્પો શહેર પર કબજો કર્યો ત્યારે ચિંતા વધી હતી. આ પછી હવે ઈરાન અને રશિયા સીરિયાની મદદ માટે આવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
અફઘાનિસ્તાનમાં તાલીબાનો, બાંગ્લાદેશમાં અસંતુષ્ટો અને હવે સીરિયા પર આતંકીઓનો કબજો!
વિશ્વમાં અત્યારે યુદ્ધો અને અશાંતિનો માહોલ છે અને કેટલાક દેશોમાં અરાજક્તા, અનિશ્ચિતતા અને અંધાધૂંધી ફેલાયેલ છે. આ સ્થિતિમાં ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા વચ્ચે શાંતિ સ્થાપવાના પ્રયાસો પણ થઈ રાહ્યા છે. બીજી તરફ બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન જેવા લોકતાંત્રિક પદ્ધતિથી ચૂંટાયેલી સરકરો ધરાવતા દેશો પર હવે અનુક્રમે અસંતુષ્ટો તથા આતંકવાદીઓનું પ્રભુત્વ ધરાવતી સરકાર અથવા વચગાળાની સરકાર સ્થપાતા વિશ્વની ચિંતા વધી છે. હવે સીરિયામાં અસદ સરકારનું પતન થયા પછી ત્યાં ઉગ્રવાદી અને આતંકવાદી પરિબળોએ શાસન સંભાળ્યા પછી ભય, અનિશ્ચિતતા અને અરાજક્તાનો માહોલ છવાયો છે અને દમન થઈ રહ્યું છે, તેથી વિશ્વમાં ઉત્પન્ન થયેલ આ સ્થિતિ ચિંતાજનક છે, અને વિશ્વની શક્તિશાળી સત્તાઓ વચ્ચે તનાવ વધ્યા પછી હવે અન્ય દેશોએ પણ ચેતવા જેવું છે. ઈઝરાયેલે સીરિયા પર કરેલા નવા હુમલાઓ પણ ચર્ચામાં છે.
અસદ સરકારને
રૂખસદઃ જવાબદાર કોણ?
સીરિયામાં અસદ સરકારના પતન પછી આઈએસઆઈએસની વિચારધારા ધરાવતા આતંકવાદી સંગઠને સત્તા ઝુંટવી લીધી તેના કારણ સમગ્ર વિશ્વ પર તો ખતરો વધ્યો જ છે, પરંતુ ભારતની આતંકવાદ વિરોધી ઝુંબેશને પણ ફટકો પડ્યો છે, કારણ કે અસદ આઈએસઆઈએસ સહિતના આતંકવાદી સંગઠનોની વિરૂદ્ધમાં તો હતાં, જ પરંતુ ભારત વિરોધી અન્ય આતંકી સંગઠનોને પણ ધિક્કારતા રહ્યા હતાં. ભારતના પીએમ મોદી અને અસદ વચ્ચે મિત્રતા હતી.
હવે સીરિયાના રાષ્ટ્રપતિએ રશિયામાં શરણ લીધા પછી સવાલ એ ઊઠી રહ્યો છે કે સીરિયાના શાસનમાં જ અસદ સરકારને રૂખસદ આપવા પાછળ કોને જવબદાર ગણવા? રશિયા આ સ્થિતિ માટે જવાબદાર છે? આ સ્થિતિ સર્જવા પાછળ ક્યાંક અમેરિકાનો હાથ તો નથી ને? રશિયા અને અમેરિકા બન્નેને સીરિયા પર કોઈપણ આતંકી જુથનો કબજો રહે, તે મંજુર પણ નથી, પરંતુ આ પ્રકારની પ્રવાહી સ્થિતિમાં એકાદ ખોટો નિર્ણય પણ ભારે પડી જાય તેમ હોવાથી સંબંધિત તમામ દેશો ફૂંકી ફૂંકીને કદમ ઊઠાવી રહ્યા છે. હવે સીરિયાની વચગાળાની સરકારના અભિગમ પર સૌની નજર મંડાયેલી છે.
શેરબજારો પર પણ અસર
અસદ સરકારના પતનની સીધી અસરો વૈશ્વિક શેરબજારો પર પણ પડી હતી અને મધ્યપૂર્વમાં અશાંતિના કારણે શેરબજારમાં પણ સતર્કતાનો માહોલ જોવા મળ્યો હતો, અને ઈન્વર્ટરોની અનિશ્ચિતતા વચ્ચે શેરબજારમાં ગત્ અઠવાડિયામાં વેચવાલી પણ વધી ગઈ હતી. સાઉદ્દી અરેબિયાએ ક્રૂડના ભાવ ઘટાડ્યા પછી પણ માર્કેટમાં અનિશ્ચિતતાનો માહોલ જોવા મળ્યો હતો, અને વૈશ્વિક ધોરણે ક્રૂડના ભાવો ઊંચકાય હતાં. આ ઉપરાંત સોનાનો ભાવ પણ ૭૯ હજારની સપાટીને વટાવી ગયો હતો. હવે ક્રૂડના ભાવોમાં આ તેજી જોવા મળી રહી છે. આમ, વૈશ્વિક પ્રવાહોની સીધી અસરો આર્થિક અને નાણાકીય ક્ષમતાઓ પર પણ પડી હતી.
સીરિયાઃ રશિયા અને
અમેરિકા વચ્ચે ફૂટબોલ!
વર્ષોથી સીરિયા રશિયા અને અમેરિકા વચ્ચે ફૂટબોલની સ્થિતિમાં રહ્યું છે. અલ-અસદ પરિવારે સીરિયાના શાસકો તરીકે પ૪ વર્ષ કામ કર્યું છે, અને હવે અસદને રશિયા ભાગી જવું પડ્યું છે. થોડા મહિનાઓ પહેલા બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ પણ દેશ છોડીને ભાગવું પડ્યું હતું. અફઘાનિસ્તાનના તાલીબાનો સામે લડત આપી રહેલા ત્યાંના રાષ્ટ્રપતિ પણ ઓચિંતા વિમાનમાં ધન-સંપત્તિ ભરીને ભાગી છૂટ્યા હતાં. થોડા દાયકાઓ પહેલા સદામ હુશેન પણ સત્તાપલટા પછી છૂપાઈ ગયા હતાં, જેને શોધી કાઢીને વૈશ્વિક મહાસત્તા દ્વારા કાનૂની પ્રક્રિયા આદરી હતી અને સદામ હુસેનને ફાંસીએ ચડાવાયા હતાં.
સીરિયામાં કોની બોલબાલા?
સીરિયામાં અત્યારે હયાત તહરિર અલ શામ એટલે કે એચટીએસ નામના સંગઠનના સર્વોચ્ચ કમાન્ડર અહેમદ અલ શારાની બોલબાલા છે, જેને અબુ મોહમ્મદ અલ-જુલાની તરીકે પણ ઓળખવામાં આવે છે. આ શખ્સે રશિયા અને ઈરાનને પણ ઝટકો લાગે, તેવું પરાક્રમ કર્યું છે, જેથી ઈરાન અને રશિયાના સત્તાધિશો તમતમી ઊઠ્યા છે. એવું કહેવાય છે કે અબુ મોહમ્મદ અલ-જુલાનીને અમેરિકાનું પીઠબળ હતું અને તખ્તાપલટ પાછળ અમેરિકાનો દોરીસંચાર હતો. વૈશ્વિક દૃષ્ટિકોણથી અસદના પતન પછી આતંકી વિચારધારાને બળ મળતા ભારત સહિતના તમામ પડોશી દેશોને પણ વિપરીત અસર થઈ શકે છે, જેમાંથી પાકિસ્તાન પણ બાકાત નથી.
બાંગ્લાદેશ-ભારતના સંબંધો
બીજી તરફ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે જ હાલની ત્યાંની વચગાળાની સરકારના વલણના કારણે વણસેલા સંબંધોને ઠીક કરવાના પ્રયાસો થઈ રહ્યા છે, તે દરમિયાન બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારોનો વિરોધ જમીયત-એ-ઉલ્લમાના અધ્યક્ષ તથા પૂર્વ સાંસદ મૌલાના મહેમુદ અસદ મદનીએ પણ કર્યો છે. એક તરફ દેશમાં ઠેર-ઠેર બાંગ્લાદેશની વચગાળાની સરકાર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે, તો બીજી તરફ દેશના મૌલાનાઓ અને કેટલાક મુસ્લિમ નેતાઓએ પણ બાંગ્લાદેશને 'માપ'માં રહેવાનું ધા પછી બાંગ્લાદેશની રખેવાળ સરકાર ભારત સામેના સંબંધો પૂર્વવત ન કરે, તો પણ કુણુ વલણ દાખવશે અને વ્યવહારૂ અભિગમ દાખવશે, તેવો આશાવાદ સેવાઈ રહ્યો છે. આમ પણ ભારત સાથે સંબંધો બગાડવા એ બાંગ્લાદેશ માટે પગ પર કૂહાડો મારવા જેવા સિદ્ધ થઈ શકે છે. સીરિયામાંથે કેટલાક ભારતીયોને બચાવી લેવાયા હોવાના અહેવાલો છે.
પુતિન-રાજનાથસિંહ વચ્ચે વાટાઘાટો
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ભારતના સંરક્ષણમંત્રી રાજનાથસિંહ વચ્ચે થયેલી મુલાકાત તથા વાટાઘાટોની ભારતીય અને વૈશ્વિક મીડિયામાં વ્યાપક ચર્ચા થઈ રહી છે, અને જુદા જુદા અભિપ્રાયો વ્યક્ત થઈ રહ્યા છે.
પુતિન સાથેની મુલાકાત દરમિયાન રાજનાથસિંહે કહ્યું હતું કે, ભારત અને રશિયાની મિત્રતા આકાશ અને પાતાળ સુધી વ્યાપેલી છે, એટલે કે પર્વતથી પણ ઊંચી અને મહાસાગરથી પણ ઊંડી છે. ભારત હંમેશાં રશિયન મિત્રોની પડખે ઊભું રહેશે વિગેરે...
રશિયામાં ભારતના રક્ષામંત્રીની આ મુલાકાત દરમિયાન કેટલાક કરારો થયા અને શસ્ત્રોની ખરીદી અંગે પણ નિર્ણયો લેવાયા હશે. આ મુલાકાત અને વાટાઘાટો પછી અમેરિકાનો પ્રત્યાઘાત કેવો હશે, તે અંગે પણ અટકળો થઈ રહી છે, અને ટ્રમ્પની નવી નીતિઓ કેવી હશે, તેના અનુમાનો પણ થઈ રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
શ્વાસમાં તકલીફ પડે કે એટેક આવે અને તેમાંથી ઈમરજન્સી પણ ઊભી થાય છે
પ્રસ્તાવના
સીઓપીડી એ એક ગંભીર પ્રકારની શ્વાસ માર્ગની તકલીફ છે. જેમાં રોગીને શ્વાસ માર્ગમાં અવરોધ એરવે ઓબસ્ટ્રેક્શન જેના લક્ષણ શ્વાસ લેવામાં તકલીફ પડવી, શ્વાસનો એટેક આવવો, કફ થવો, કફ નીકળવો થાય છે અને રોગીને અમૂક સંજોગોમાં ઈમરજન્સી પણ ઊભી થતી જોવા મળે છે. ઈમેડિસિન વેબસાઇટની માહિતી અનુસાર મૃત્યુનું ત્રીજું મોટું કારણ બતાવવામાં આવ્યું છે.
સીઓપીડીમાં ફેફસાંની નળીઓમાં અટકાયત એટલે કે બ્રોનકોસ્પાસમ થાય છે અથવા રોગીને દમ જેવી તકલીફ થાય અને ફેફસાંની નળી પહોળી થવાની તકલીફ થતી હોય છે જેને એમફિઝિમા કહે છે.
આ રોગ થવાના કારણોમાં જન્મજાત કારણો છે. જેના કુટુંબમાં દમ અસ્થમા, શરદી હોય તેને સીઓપીડી થવાની શક્યતા ખૂબ વધુ રહે છે. આ રોગનું બીજું કારણ શ્વાસ માર્ગના રોગો જેવા કે ટીબી, ન્યુમોનિયા, ફ્લૂ, કોવિડ (ઇન્ફ્લુએન્ઝા) વગેરે પણ હોય છે. તે ઉપરાંત હવાનું પ્રદૂષણ, સિગારેટ, બીડીના સેવનના પરિણામે, ધુમાડાવાળા વાતાવરણમાં રહેવાથી પણ સીઓપીડી થઈ શકે છે. જે લોકોને એલર્જીની તકલીફ હોય અને વિશેષમાં શરદી, શ્વાસની એલર્જી હોય તેમાં થવાની શક્યતા ખૂબ જ વધી જતી હોય છે. જેને મેડિકલ ભાષામાં એર-વે હાયપરસેન્સીટીવીટી કહે છે.
આ રોગમાં સામાન્ય રીતે કોઈ ચોક્કસ પૂર્વરૂપ જોવા મળતા નથી અને શ્વાસ, શરદીના દરેક એટેક પછી ક્રમશઃ શ્વાસની નળીઓમાં કઠણતા આવે છે. (આયુર્વેદના ગ્રંથ ચરકસંહિતામાં કહેવામાં આવ્યું છે કે જો રોગીષ્ટ કોષને ફરી તેની સ્વાસ્થાવસ્થાની સ્થિતિમાં નથી પહોંચતા તો તેના પરિણામે સામાન્ય સોજો રહે છે જે થોડું જ કારણ મળતા ફરી રોગ કરે છે. સીઓપીડી રોગમાં આ જ પ્રમાણે થતું જોવા મળતું હોય છે. દરેક શ્વાસના એટેક પછી શ્વાસ માર્ગની નળીઓમાં થોડી અસર રહી જાય છે જેના પરિણામે શરૂઆતમાં રોગમાં દવાના ઉપયોગથી રાહત થાય છે તેના પણ ધીરે ધીરે વેગ આવવાના સમયમાં ઘટાડો થાય છે અને વેગનો સમય વધે છે અને જેમાં રાહત આપવા માટે નેબ્યુલાઇઝ કરવા પડે અથવા પંપ લેવો પડે.
આયુર્વેદ મતે સીઓપીડીની સમજણ અને સારવાર
આયુર્વેદ મતે સીઓપીડીને ચોક્કસ નામ આપવું શક્ય નથી પણ ચરકસંહિતામાં વર્ણીત તમક, શ્વાસમાં આવરી શકાય. તમક શ્વાસ રોગને આયુર્વેદના મતે યાપ્ય કહ્યો છે એટલે કે જેમાં રોગીને સતત કાળજી રાખવી પડે છે. જો કાળજી ન રાખવામાં આવે અથવા ઋતુ પ્રભાવના કારણે રોગ થઈ શકે છે.
સીઓપીડી રોગની આયુર્વેદ સારવાર રોગીની તાસીર, રોગની અવસ્થા, રોગ થવાની પ્રક્રિયા પ્રમાણે રોગીની પરીક્ષા કર્યા પછી ખાસ સારવાર આપવામાં આવે છે. સીઓપીડી રોગની બે અવસ્થામાં જોવા મળે છે. આવસ્થિક વેગ અવસ્થા જેમાં રોગનો એટેક આવે છે અને રોગીને તાત્કાલિક દવા આપવાની જરૂરિયાત રહે છે. તેમાં આયુર્વેદ ચિકિત્સક ચિકિત્સાલયમાં છાતી, વાંસામાં સૈંધવાદિ તેલ અથવા તેના જેવા અન્ય કફ શામક વાત શામક તેલનું માલિશ કરી અને ગરમ સેક નાડીથી શેક આપે જેના પરિણામે બ્રોનકો કનઝેશનમાં રાહત થાય. આ અવસ્થામાં ચિકિત્સક કનકસાવ, સોમસાવ, સોમલતા, અભ્રગર્ભ પોટલી, હેમગર્ભ પોટલી, બૃહત વસંત માલતિ, વસાવલેહ, દશમૂળ ક્વાથ, ભારંગયાદી ક્વાથ વિગેરે દવાઓનો ઉપયોગ કરી શકે છે. પોટલી રસાયણ આયુર્વેદની તાત્કાલિક મેડિસિન પૈકીની અગત્યની દવા છે જેનો ઉપયોગ તાકીદની પરિસ્થિતિમાં રોગીને લાભ આપવા માટે વાપરી શકાય છે. આ અવસ્થામાં થોડી થોડી માત્રામાં સતત આપવામાં આવી શકે છે.
જ્યારે કે બીજી અવસ્થામાં રોગીને સામાન્ય રીતે કોઈ પણ પ્રકારના લક્ષણ હોતા નથી પણ શરીર પૂર્ણ પણે સ્વસ્થ નથી હોતું અને ફેફસાંમાં રોગના લક્ષણ મળે છે. (ચિકિત્સક દ્વારા તપાસતા વીઝીંગ જોવા મળે અને લંગ કેપેસીટીમાં ઘટાડો થાતો જોવા મળી શકે છે) આ અવસ્થામાં રોગની ચિકિત્સાની જરૂરિયાત વધુ હોય છે (સામાન્ય રીતે રોગી આ અવસ્થામાં ચિકિત્સા માટે ગંભીર નથી હોતો જે યોગ્ય નથી રોગના લક્ષણ નથી તેનો મતલબ રોગ નથી તેમ માનવું યોગ્ય નથી અને આ અવસ્થામાં જો યોગ્ય ઉપચાર અને કાળજી રાખવામાં આવે તો રોગીને તાત્કાલિક એટેકની સ્થિતિ આવવાની શકયતા અને દાખલ કરવાની શક્યતા ઓછી થાય છે.
આ અવસ્થામાં રોગની ચિકિત્સા માટે આયુર્વેદ ચિકિત્સક રોગની તપાસ કરી પછી વિરેચન અથવા રસાયણ ચિકિત્સા આપી શકે છે. જેમાં આયુર્વેદ ચિકિત્સક ભારંગયાદી ક્વાથ, ગોજિહવાદિ ક્વાથ, દશમૂળ ક્વાથ, વાસા, તુલસી, લક્ષ્મી વિલાસ રસ, વસંત માલતિ રસ, અશ્વગંધા, વગેરે આપવામાં આવી શકે છે. લાંબા વખત સુધી આ અવસ્થામાં રોગીને દવા અને પરેજી રાખવી આવશ્યક માનવામાં આવે છે.
આ અવસ્થામાં રોગીને વિરેચન, બૃહણ ચિકિત્સા રસાયણ ચિકિત્સા કરવી જરૂરી માનવામાં આવે છે. ચરક સંહિતામાં બતવામાં આવ્યું છે કે રોગીનું કર્ષણ ન જ થવું જોઈએ જો કર્ષણ થાય તો રોગ ગંભીર બને છે. તેથી રસાયણ ચિકિત્સા કરવી જોઈએ. રસાયણ ચિકિત્સામાં ઔષધ, દવાઓ લાંબો સમય સુધી ચાલુ રાખવી જોઈએ જેથી ફેફસાંને તેની રોગ પહેલાની મૂળ સ્થિતિમાં લાવી શકાય. (સામાન્ય રીતે આ અવસ્થા પ્રાપ્ત કરવા માટે લઘુતમ એક વર્ષનો સમય લાગી શકે છે. તેના પરિણામે વાઈટલ કેપેસીટીમાં સુધારો જાણી શકાય. એક્સ-રે માં જરૂરી સુધારો નોર્મલ ના પણ આવે) આ અવસ્થા ને કોમ્પેશન કહેવાય પણ ચિકિત્સા વિજ્ઞાનમાં સુધારો મહત્ત્વનો લેખાય કારણ કે તેમ થતાં વારંવાર એટેકની શક્યતા ઘણી ઓછી થતી જોવા મળે છે.
પ્રસ્તુત માહિતી સામાન્ય રોગ અને તેના આયુર્વેદ ઉપચાર માટે પ્રસ્તુત કરવામાં આવી છે. દરેક રોગી અને તેને થનાર રોગ વિશેષ હોય શકે તેથી રોગ, રોગીની તપાસ અને જરૂરી પરીક્ષણ પછી નિષ્ણાત આયુર્વેદ ચિકિત્સકના દિશાનિર્દેશ મુજબ સારવાર લેવી.
વધુ માહિતી અને પરામર્શ માટે આયુર્વેદ ચિકિત્સકનો સંપર્ક કરવો.
ડૉ. નિશાંત શુક્લ, જામનગર
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
૫ાકિસ્તાન, બાંગ્લાદેશ, યુ.એ.ઈ., રશિયા, યુક્રેન, અમેરિકા, ચીન, ઈઝરાયેલના તાજા ઘટનાક્રમો ચર્ચામાં... યુદ્ધો અટકાશે ખરા?
દુનિયામાં અત્યારે અનિશ્ચિતતાઓ, અશાંતિ, અવિશ્વાસ અને યુદ્ધોનો માહોલ છે, તેમાં પણ આતંકીઓનો પોષક દેશોમાં જ આતંકવાદી હુમલાઓ થઈ રહ્યા હોવાથી વિશ્વમાં વિશ્વસનિયતાની કટોકટી સર્જાઈ રહેલી જણાય છે. આ બધા ઘટનાક્રમો વચ્ચે બદલાતી સરકારો, બદલાતી રણનીતિઓ તથા કેટલીક અણધારી ઉથલપાથલોના કારણે વિશ્વમાં અત્યારે દ્વિધા, દુઃખ અને દયનીય ભાવનાઓ પણ ઉભરી રહેલી જણાય છે. ભારતના પડોશી દેશોમાં પણ ઘણી જ ઉથલપાથલો થઈ રહી છે અને આંતરયુદ્ધ જેવી સ્થિતિ છે. આ દરમિયાન ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ, ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસનું વોરન્ટ પણ ચર્ચાના કેન્દ્રમાં છે. ઈઝરાયેલના પીએમ સામેની આ કાર્યવાહી પણ ચર્ચામાં છે જ...
યુએઈના દબાણ હેઠળ પાકિસ્તાન?
પાકિસ્તાને યુએઈના દબાણ હેઠળ ભિખારીઓ સામે ઊઠાવેલા કદમની ચર્ચાએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભાવનાત્મક તથા હાસ્યાસ્પદ સ્વરૂપ ધારણ કરી લીધું છે, અને પાકિસ્તાનમાં પ્રવર્તતા ભૂખમરાનો પણ પર્દાફાશ થયો છે. મીડિયા અહેવાલો મુજબ યુએઈ એ પાકિસ્તાનને એલ્ટિમેટમ આપ્યા પછી ભિક્ષાવૃત્તિ કરતા લોકો સામે પાકિસ્તાનની શાહબાઝ સરકારે કદમ ઊઠાવ્યા પછી તેના મિશ્ર પ્રત્યાઘાતો પડી રહ્યા છે, અને પાકિસ્તાનની સરકારે ભિખારીઓને દંડવાના બદલે કે પછી ભિક્ષાવૃત્તિ બંધ કરાવવા દમનકારી પગલાં લેવાના બદલે અસંખ્ય લોકોને ભિખ માંગવી પડી રહી છે અને ભિખારીઓની સંખ્યા વધવાનું કારણ શું છે, તેની શોધખોળ કરીને તેના સંદર્ભે જરૂરી કદમ ઊઠાવા જોઈએ, તેવા આંતરરાષ્ટ્રીય કક્ષાના અભિપ્રાયો વ્યક્ત થઈ રહ્યા છે.
પાકિસ્તાનમાં આતંકી હુમલો
પાકિસ્તાનમાં જે રીતે શિયાઓ પર આતંકી હુમલાઓ થઈ રહ્યા છે, તે ભયંકર ગૃહયુદ્ધને નોતરશે, કારણ કે બલુચિસ્તાનમાં રહેતા શિયાઓ પાકિસ્તાનથી અલગ થવાની બલુચિસ્તાનની માંગણીને વધુ બળ આપશે, અને શિયા-સુન્ની-મુજાહિદનો કોમી વિખવાદ વધુ વકરશે. પાકિસ્તાનમાં થયેલા તાજા આતંકી હુમલાઓમાં અસંખ્ય નિર્દોષ લોકો માર્યા ગયા પછી શાહબાઝ સરકાર આંતરરાષ્ટ્રીય સવાલો તથા પડકારોનો સામનો કરી રહી છે.
યુક્રેન પર આઈસીબીએમથી હુમલો
રશિયાએ કાસ્પિયન સી અને આસ્તાખાન સેક્ટરમાંથી મિગ-૩૧૦ કે ફાઈટર જેટ દ્વારા યુક્રેન પર આઈસીબીએમથી હુમલો કર્યા પછી છેલ્લ કેટલાક સમયથી ધીમુ પડી ગયેલું રશિયા-યુક્રેન યુદ્ધ વધુ વેગ પકડશે, તેવી આશંકાઓ ફેલાઈ રહી છે. યુક્રેને ગઈકાલે આક્ષેપ કર્યો હતો કે રશિયાએ યુક્રેન પર પહેલી વાર ઈન્ટર કોન્ટીનેન્ટલ મિસાઈલથી હુમલો કર્યો છે, જે હજારો કિલોમીટર દૂર સુધી સચોટ નિશાન લગાવીને પ્રહાર કરી શકે છે. રશિયાનું કહેવું એવું છે કે, યુક્રેને છોડેલા બ્રિટિશ સ્ટોર્મ શેડો મિસાઈલ્સને ખતમ કરી નાંખ્યા છે!
આ ઘટનાક્રમ પછી રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ સ્થાપવાની વાત તો દૂર રહી, પરંતુ યુદ્ધ વધુ વકરશે અને વાતચીતની તમામ સંભાવનાઓ ખતમ થઈ ગઈ હોવાના અભિપ્રાયો પણ આતંરરાષ્ટ્રીય કક્ષાએ વ્યક્ત થઈ રહ્યા છે.
અવામી લીગ પર પ્રતિબંધ મૂકવાની બાંગ્લાદેશમાં માંગણી
બીજી તરફ ભારતના પડોશી દેશ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલાઓના વિવાદ વચ્ચે અમેરિકામાં ટ્રમ્પની સત્તાવાપસી પછી હવે શેખ હસીનાની પુનઃ એન્ટ્રી થશે, તેવા ભયના કારણે શેખહસીનાના વિરોધી પરિબળોએ બાંગ્લાદેશની વચગાળાની સરકાર સમક્ષ શેખ હસીનાની પાર્ટી અવામી લીગ પર પ્રતિબંધ મૂકવાની માંગણી કરી છે, તેથી મહમદ યુનુસની વચગાળાની સરકાર દ્વિધામાં મૂકાઈ ગઈ છે. બાંગ્લાદેશની વિદ્યાર્થીઓની નવી નેતાગીરી અવામ લીગ પર પ્રતિબંધની માંગણી કરી રહી છે, જ્યારે નેશાલિસ્ટ પાર્ટી અવામી લીગ પર પ્રતિબંધના વિરોધમાં છે. ટ્રમ્પના વિજય પછી મોહમ્મદ યુનુસ સરકાર પર ચૂંટણીઓ યોજવાનું દબાણ વધી રહ્યું છે અને હિન્દુઓ પર હુમલાઓના વિષય પર ભારતના મિત્રદેશોના પ્રેસરના કારણે યુનુસ સરકાર માટે હવે શેખહસીનાને દેશની બહાર રાખીને અને અવામી લીગ પર પ્રતિબંધ મૂકીને શાંતિ સ્થાપવી સંભવ જણાતી નથી. જોઈએ હવે શું થાય છે તે.
પાકિસ્તાનમાં પ્રપંચો
પાકિસ્તાનમાં પણ પોલિટિકલ પ્રપંચો અટકી રહ્યા નથી. પાક.ના પૂર્વ પી.એમ. ઈમરાનખાન પર એકસોથી વધારેથી વધુ કેસો ચાલી રહ્યા છે, અને આતંકવાદી અપરાધીઓને મુક્ત રાખનાર શાહબાઝ સરકાર ઈમરાનખાનને એક પછી એક કેસના સંદર્ભે જેલમાં રાખી રહી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ઈસ્લામાબાદ કોર્ટે તોશાખાના કેસમાં જામીન આપ્યા પછી ગણતરીના કલાકોમાં જ અશાંતિ ફેલાવવાના કેસમાં ફરી જેલમાં મોકલ્યા હોવાના અહેવાલોએ પણ આંતરરાષ્ટ્રીય કક્ષાએ સારી એવી ચર્ચા જગાવી છે.
આઈસીસીના વોરન્ટ
અમેરિકાની એક અદાલતે અદાણીની સામે ધરપકડ વોરન્ટ કાઢ્યુ, તેનો સંદર્ભ, વિષિમ અને આક્ષેપો ભ્રષ્ટાચાર, લાંચ અને આર્થિક ક્ષેત્રના હોવાથી તેના વૈશ્વિક પ્રત્યાઘાતો પડ્યા અને અદાણી ગ્રુપે આક્ષેપોનો જવાબ પણ વિવિધ માધ્યમોથી રજૂ કરી દીધો, પરંતુ આઈસીસી એટલે કે ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ દ્વારા ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહૂ સામે વોરંટ કાઢ્યું, તેની ચર્ચા અદાણીની સરખામણીમાં ભારતમાં થોડી ઓછી થઈ હશે, પરંતુ નેતન્યાહૂ સામે ઈન્ટરનેશનલ કોર્ટના વોરન્ટને સાંકળીને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પૂતિન વિરૂદ્ધ નીકળેલા વોરન્ટની ચર્ચા પણ નવેસરથી થઈ રહી છે.
વોરન્ટ હોય કે ધરપકડ હોય, કાનૂની પ્રક્રિયાની પેચીદગીઓ એવી હોય છે કે આંતરરાષ્ટ્રીય અદાલતોના આદેશોનો અમલ સાર્વભૌમત્વ ધરાવતા દેશોની સક્રિયતા અને સહયોગ પર આધારિત રહેતી હોય છે, જ્યારે ભારતમાં જ ઘણાં બધા રાજનેતાઓ વર્ષોના વર્ષો સુધી જામીન પર છૂટીને રાજનીતિ કરી રહ્યા હોય, ત્યારે આંતરરાષ્ટ્રીય વોરન્ટોનો અમલ થવો કેટલો મુશ્કેલ છે, તે સમજી શકાય તેવું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ઘુમલીના મંદિરો એક નહીં, ૬ થી ૭ શૈલીથી બન્યા છે, જે દેશમાં અજોડ છેઃ
ખંભાળીયા તા. ૧૬: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઘુમલી બરડા ડુંગરમાં અણમોલ ઐતિહાસિક ઘરેણા સમા સોન કંસારીના મંદિરોની અવદશાનું જવાબદાર કોણ ? તેવો પ્રશ્ન ઉઠી રહ્યો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાણવડ પાસે બરડા ડુંગરની ગોદમાં આવેલા ઐતિહાસિક સોન કંસારીના મંદિરો જે ઐતિહાસિક ઘરેણા છે તે સાર સંભાળના અભાવે ખંઢેર જેવી સ્થિતિમાં થઈ ગયા છે તથા લુપ્ત થઈ જવાના આરે છે.
પ્રાચીન સમયથી મંદિરોમાં વિવિધ શૈલીઓમાં મંદિરો બનાવાતા હતા પરંતુ ઘુમલી બરડા ડુંગરમાં આવેલા સોન કંસારીના મંદિર એક નથી સમૂહો છે ઢગલાબંધ મંદિરો પર્વત ઉપર આવેલા છે. જેમાં જુદી જુદી છ થી સતા શૈલીઓમાં રચનાઓ થયેલી છે જે ભારતમાં એક માત્ર ઘુમલી સોન કંસારીના મંદિરોમાં જ છે!!
સામાન્ય રીતે મંદિર એક શૈલીમાં બનતા હોય છે જેમકે આધુનિક અયોધ્યાનું રામ મંદિર નગર શૈલીમાં બનેલું છે. નાગર, રોમન, બૌદ્ધ, પેગાડા, પિરામીડ જેવી અનેક વિશેષતાઓ તથા શૈલીના પ્રાચીન મંદિરો પ્રસિદ્ધ છે પરંતુ નિષ્ણાતોના કહેવા મુજબ સોનકંસારીના મંદિરોમાં પ્રાચીન ૬ થી ૭ શૈલીના મંદિર છે જે સમગ્ર ભારતમાં કયાંય એક સ્થળે નથી!! હાલ એકવીસમી સદી ચાલે છે ત્યારે છઠ્ઠી થી ચૌદમી સદીના આ મંદિરો અદ્દભૂત પ્રાચીન ધરોહર સમાન છે પણ ઈતિહાસના પાને 'ગૂમનામ' સ્થિતિમાં છે.
ગુજરાતનું પાડોશી રાજ્ય રાજસ્થાન પાસેથી પર્યટન વિભાગે શીખવા જેવું છે. નાનકડું શિલ્પ સ્થાપત્ય હોય તો પણ તેને હેરીટેજ લૂક આપીને રાજસ્થાનમાં હજારો પ્રવાસીના આકર્ષણનું સ્થળ બની જાય છે ત્યારે ભાણવડના ઘુમલીના સોન કંસારીના મંદિરો છઠ્ઠી સદીથી ઈતિહાસનું મહત્ત્વ ધરાવતા ઐતિહાસિક અને શૈલીઓમાં વિશિષ્ટ હોવા છતાં પણ ભાગ્યે જ લોકો ત્યાં જાય છે કે પહોંચી શકે છે કેમ કે ત્યાં સુધી જવા કોઈ રસ્તો જ નથી અને જંગલની પગદંડી જેવો રસ્તો ત્યાં જાય છે. ભીમનાથ જતાં યાત્રિકો ત્યાં જતાં કયારેક આ મંદિરોમાં જાય છે. પણ અફસોસ દુઃખી થાય છે કેમ કે વર્ષો જુના ઐતિહાસિક ધરોહર સમાન આ મંદિરો હાલ જર્જરીત પડી જવા, તૂટી જવા કાટમાળમાં ફેરવાઈ જવા સતત ટાઢ ગરમી વરસાદની તિરાડો પડવી, વૃક્ષો તેમાં ઉગી જવાની સ્થિતિમાં છે!! એક સમય એવો આવશે કે કાળની થપાટોથી આ જર્જરીત મંદિરો લુપ્ત થઈ જશે જો તેની જાળવણી અને જીણોદ્ધાર નહીં થાય તો!!
તાજેતરમાં બરડા ડુંગરમાં જંગલ સફારીનું નવું આકર્ષણ શરૂ થયું છે જે ખૂબ જ પ્રચલિત થયું છે ત્યારે અહીં સુધી રસ્તા અથવા ઉંટ સવારીથી પહોંચવાની વ્યવસ્થા સાથે મંદિર જીર્ણોદ્ધાર થાય તો પ્રાચીન ધરોહર સચવાઈ અને આવતી પેઢીને તેના ગૌરવની જાણ થાય તથા લોકોને ત્યાં જવાનો મોકો મળે કેમ કે સામાન્ય રીતે કસરત કે ચાલવાનો અનુભવ હોય તે જ આ ટ્રેકીંગ જેવા રસ્તામાં જઈ સોન કંસારી પહોંચી શકે છે ત્યારે વર્ષોથી ઉપોનીત સ્થિતિના આ પ્રાચીન મંદિરોના જીર્ણોદ્ધાર સાથે લોકો ત્યાં પહોંચે તેવી વ્યવસ્થા થાય તેવી પ્રચંડ લોક માંગ ઉઠી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
સારા અશ્વની કિંમત ઓડી કે મર્સિડીઝ કારથી પણ વધુ હોય છે
ઘોડેસવારી એ રાજવી શોખ છે એમ કહેવાય છે પરંતુ પહેલાનાં સમયમાં ઘોડેસવારી પરીવહનનું પણ અગત્યનું માધ્યમ હતું. આધુનિક સમય પહેલાં જંગમાં ઘોડાઓની અગત્યની ભૂમિકાઓ હતી. હાર-જીત કે જીવન-મરણ ઘોડાઓ પર આધારીત હતાં. મહારાણા પ્રતાપનાં ઘોડા ચેતકની વીરતા અને બલિદાન ઇતિહાસમાં અમર છે ત્યારે વર્તમાનમાં ઘોડાઓનો ઉપયોગ મહદ્અંશે ફક્ત ઘોડાગાડી પૂરતો સિમિત રહી ગયો છે એ ખરેખર તો વિધિની વક્રતા જ કહી શકાય.
આવા વિપરીત સંજોગોમાં જામનગરથી ૩૦-૩૫ કિ.મી. દૂર રાજકોટ હાઇ-વે પર સોયલ ટોલનાકા નજીક ખીજડીયા રવાણી ગામે આવેલ 'રાજલ સ્ટડ ફાર્મ' અશ્વ પાલનની પ્રવૃત્તિના પ્રેરક ઉદાહરણરૂપ કહી શકાય એમ છે. મિલનભાઇ કારીયા તથા ભાવનાબેન કારીયા (કારીયા દંપતી) તેમજ છત્રપાલસિંહ જાડેજાના સંયુક્ત સોપાન સમાન રાજલ સ્ટડ ફાર્મની 'નોબત'ની ટીમ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. 'નોબત' પરિવારનાં દર્પણભાઇ માધવાણી તથા પત્રકાર આદિત્ય દ્વારા ફાર્મનાં સંચાલકો સાથે સંવાદ કરવામાં આવ્યો હતો.
મિલનભાઇ કારીયા અગ્રવાલ ગ્રુપ ઓફ કંપનીઝમાં ડાયરેક્ટર છે તથા ભાવનાબેન ડિજીટલ ક્રિએટર છે. ભાવનાબેન બી.કોમ., એલ.એલ.બી., જર્નાલીઝમ તથા બી.એડ. સહિતની ડિગ્રીઓ તથા શૈક્ષણિક ક્ષેત્રનો પણ બહોળો અનુભવ ધરાવે છે. અશ્વ પાલનને તેઓ પોતાનાં પેશન તરીકે ઓળખાવે છે. જ્યારે છત્રપાલસિંહ જાડેજા એક સારા ફોટોગ્રાફર પણ છે. આ અલગ અલગ ખૂબીઓ ધરાવતા લોકોનાં અશ્વ પાલનનાં કોમન પેશને તેમને પાર્ટનર બનાવ્યા અને સાકાર થયું 'રાજલ સ્ટડ ફાર્મ'...
સંવાદ દરમ્યાન ભાવનાબેન જણાવે છે કે આરંભમાં ફાર્મની શરૂઆત ૩ અશ્વથી થઇ હતી. આજે ફાર્મમાં કુલ ૧૧ અશ્વ છે. જેમાં ઘોડા-ઘોડી તથા વછેરાઓનો પણ સમાવેશ થાય છે. મારવાડી પ્રજાતિના વખણાતા અશ્વ પણ અહીં છે.
પરમરાજ નામનો અશ્વ ગત વખતે પુષ્કર મેળામાં દાંત વગરનાં ઘોડાઓની સ્પર્ધામાં ટોપ-૧૦ માં આવ્યો હતો જ્યારે આ વખતે તે ફરી પુષ્કર મેળામાં મેદાન ફતેહ કરવા સજ્જ છે.
પરમરાજની પ્રજાતિ કે કુળ વિશે છત્રપાલસિંહ વિગતે વાત કરે છે તથા સારી પ્રજાતિનાં અને આંબો અર્થાત કોનું સંતાન છે વિગેરે માહિતીવાળા અશ્વની કિંમત ખૂબ ઉંચી હોવાનું જણાવ્યું હતું. વર્તમાનમાં પરમ રાજ જેવા સારી પ્રજાતિનાં અશ્વની કિંમત ઓડી કે મર્સિડીઝ જેવી પ્રિમીયમ કાર કરતા પણ વધુ હોય છે. ઘણાં લોકો કરોડપતિ બનવા માટે જ 'અશ્વ પાલન' કરે છે તો અમૂક લોકો પેશનને કારણે આ પ્રવૃત્તિ કરે છે.
આર્થિક પરીબળોથી આકર્ષાય અશ્વપાલન કરતા કે ઘોડાઓનો કોમર્શીયલ ઉપયોગ કરતા લોકો ઘોડા સાથે ક્રૂરતા કરતા પણ જોવા મળતા હોય છે એ અટકાવવા ભાવનાબેન ખાસ જાગૃતિ કાર્યક્રમ ચલાવે છે. કાંટાવાળી બીટનો ઉપયોગ નહીં કરવાનાં અનુરોધ સાથે ઘણી વખત ફ્રી માં બીટનું વિતરણ પણ કરે છે. ઉપરાંત 'ઇન્ડીજીનસ હોર્સ મિડીયા' નામથી યૂટ્યુબ ચેનલ પણ ચલાવે છે. જેમાં અશ્વ પાલનને લગતી તમામ માહિતી મળી રહે છે.
રાજલ સ્ટડ ફાર્મ દ્વારા બ્રીડીંગની સુવિધા પણ આપવામાં આવે છે. 'નોબત' ની ટીમ દ્વારા ફાર્મ પર વિવિધ પ્રજાતિનાં ઘોડાઓને નિહાળી તેમની વિશેષતાઓ જાણી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
પક્ષીઓ દર વર્ષે હજારો કિલોમીટર અંતર કાપીને દૂર દૂર સુધી પ્રવાસ કરે છે.લાખો પક્ષીઓ આ પ્રવાસ માં જોડાય છે. આપણા દેશ માં પણ ખૂબ પ્રવાસી પક્ષીઓ આવે છે અને પોતાની સીઝન પૂરી થતાં પાછા જતા રહે છે.રશિયા, આફિકા, યુરોપ, મધ્ય એશિયા અને બીજા ઘણા સ્થાનો પરથી દર વર્ષ દરમિયાન આપણાં મહેમાન બને છે. આવી જ રીતે ગુજરાત પણ પક્ષીઓનું હોટસ્પોટ બને છે.
દરેક વર્ષે આવતા પક્ષીઓ જામનગરના આકાશ માં પણ ખૂબ મોટી રંગોળી પુરે છે. કેમ કે ખુબ બધા કલર, આકાર, અને પ્રજાતિઓ નાં પક્ષીઓ જામનગર આવે છે.
મહેમાનો જામનગરના જલપ્લાવિત વિસ્તારો જેવાકે ખીજડીયા પક્ષી અભયારણ્ય , લાખોટા તળાવ, ઢિચડા તળાવ, જામનગર માં આવેલા લાંબા અને સમૃદ્ધ દરિયા કિનારા, દરિયા ની નજીક આવેલા મીઠા નાં અગરિયા તેમજ રણજીતસાગર જેવા અનેક ડેમ વિસ્તારો માં આરામથી વિહરતા જોવા મળી જતા રહે છે. જામનગર માં ખુબ લાંબો દરિયા કિનારો આવેલો હોવાથી પક્ષીઓ સહેલાઈ થી રહે છે. આ ઉપરાંત જામનગર માં આવેલા મરીન નેશનલ પાર્ક અને ખીજડીયા અભયારણ્ય પક્ષીઓ માટે આખા દેશ માં સ્વર્ગ સમાન છે.
૩૫૦ થી વધારે પ્રજાતિઓનાં પક્ષી જામનગર માં નોંધાયેલા છે. ગ્રેટ વ્હાઇટ પેલિકન, ઇન્ડિયન સ્કિમર,ક્રેબ પ્લોવર, ગ્રેટ નોટ, રેડ નોટ, કોમન ક્રેન, આ બધાં પક્ષીઓ ખુબ આકર્ષણ જગાવે છે.
(પક્ષીઓનું માઇગ્રેસન કરવાનું કારણ...)
સામન્ય રીતે પક્ષીઓ માઇગ્રેસન પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે કરતા હોઈ છે. ઉદાહરણ તરીકે કોઈ એક તાપતાંલ એટલે કે બતક ની પ્રજાતી છે કે જે રશિયા દેશ માં રહે છે ત્યાં માળાઓ બનાવે છે હવે બધા જાણતા હશે કે રશિયા માં ઠંડી ની સીઝન એટલી સખત હોઈ છે કે જે બતકો ને ભોજન માટે નદી, તળાવો જેવા વિસ્તારો માં નિર્ભર રેહવું પડે છે તે તળાવો થીજી જતા હોઈ છે. એના કારણે ત્યાં ભોજન મળવું અશક્ય જેવું બની જતું હોઈ છે. આમ ભોજન ની ઉણપ દૂર કરવા તે લાંબા પ્રવાસ કરી ભારત માં આવે છે. કેમ કે ભારત માં હજી વરસાદ ની સીઝન પૂરી થય હોઈ અને જળપ્લાવિત વિસ્તારો ભોજન થી ભરપૂર મળે છે. અને રશિયા ની સરખામણીમાં ભારત માં એટલી ઠંડી નથી પડતી. તો આમ આ પક્ષીઓ ભારત અને જામનગર માં આવે છે. આવી જ રીતે બીજા કારણો જવાબદાર હોઈ છે જેમ કે કોઈ વિસ્તારો માં શિકારી પક્ષીઓ કે શિકારી પ્રાણીઓ થી બચવા પણ ત્યાં થી ઉડી ને દૂર જતા હોઈ છે. એક પક્ષી જે જામનગર આવે છે તેનું નામ છે ૈંહઙ્ઘૈટ્ઠહ જીૌદ્બદ્બીિ કે જેને જળહળ કહેવાય છે. આ પક્ષીઓ આપણા જ દેશ માંથી એટલે કે ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ નાં ચંબલ નદી કિનારાના વિસ્તારોમાં અને નદીઓમાં પાણી જ્યારે ઓછું થાય ત્યારે નાના નાના ટાપુઓ બને છે તેમાં માળાઓ બનાવે છે. હવે માળાઓ બનાવવાની સીઝન પછી ત્યાં નદીઓમાં વરસાદ નાં લીધે પાણી ની પુષ્કળ આવક હોઈ છે તો ટાપુઓ ડૂબી જતાં હોઈ છે હવે આવી પરિસથિતિમાં પક્ષીઓ ને બેસવાનું પ ણ મૂશ્કેલ બને છે તો ત્યાં થી આ પક્ષીઓ માઇગ્રેસન કરી દેશ નાં ઘણા સ્થાનો ઉપર જતાં રહે છે અને એક બહું મોટી સંખ્યા માં જામનગર આવે છે. પાછું ફરતા જ્યારે શિયાળાની સીઝન પૂરી થતાં જ્યારે ત્યાં ચંબલ નદી માં પણ પાણી નું સ્તર નીચું આવે ત્યારે ત્યાં માળાઓ કરવા જતાં રહે છે.
આવી રીતે બધા પક્ષીઓ પાસે પોતપોતાનું કારણ હોઈ છે માઇગ્રેસન કરી પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે.
(માઇગ્રેસન કઈ કઈ રીતે થાય છે?)
પક્ષીઓ માઇગ્રેસન મોટાં ભાગે ઉડીને ને જ કરે છે. પણ માઇગ્રેસન કરતા બીજા પક્ષીઓ પણ છે કે જે ચાલીને અને પાણી માં તરીને પણ કરે છે. જેમ કે સાહમુર્ગ અને ઇમુ જેવા પક્ષીઓ ચાલીને માઇગ્રેસન કરે છે. ઘણી વાર એમના વિસ્તારો માં પાણી ની અછત હોઈ છે તો ઘણા કિલોમીટર સુધીનો પ્રવાસ ચાલીને કરે છે એવી જ રીતે ઠંડા પ્રદેશો નાં પક્ષીઓ જેવા કે પેંગ્વિન કે જે અમુક સમય દરિયા માં માછલીઓ ની અછત સર્જાઈ જતા દૂર દૂર સુધી પાણી માં તરીને માઇગ્રેસન કરે છે. આમ મુખ્યત્વે ૩ પ્રકારે માઇગ્રેસન થાય છે. ઉડીને , તરીને અને ચાલીને.
(માઇગ્રેસન પાછળ નું વિજ્ઞાન)
પક્ષીઓ માઇગ્રેસન કરે તો છે પણ વેજ્ઞાનિકો માટે એના જવાબદાર કારણો હંમેશા રહસ્યમય રહ્યા છે. કેમ કે કોઈ સચોટ સિદ્ધાંત અત્યાર સુધી ઉપલબ્ધ નથી મળ્યા. તેમ છતાં પક્ષીઓ પાછળ ખૂબ સંશોધનો થયા છે તેમાંથી મુખ્યત્વે ૩ સિદ્ધાંત માનવામાં આવે છે.
*જીેહ ર્ષ્ઠદ્બૅટ્ઠજજ* એટલે કે સૂર્ય ની ગતિ, સૂર્ય નું પરિભ્રમણ અને સૂર્ય નાં આધાર અને દિશા માર્ગદર્શન થી પક્ષીઓ ને મદદ મળે છે.
*જીંટ્ઠિ ર્ઝ્રદ્બૅટ્ઠજજ* એટલે કે તારાઓ અને ગ્રહો ને જોઈ અને દિશા અનુમાનીત કરી ને રાત્રી દરમિયાન કરવામાં આવતું માઇગ્રેસન.
*સ્ીખ્તહીંૈષ્ઠ ર્ઝ્રદ્બૅટ્ઠજજ" એટલે કે પૃથ્વીના ચુંબકીય આકર્ષણ ને અનુભવ કરીને કરવામાં આવતું માઇગ્રેસન.
આમ આ ત્રણ સિદ્ધાંત માનવામાં આવે છે પણ હજી સુધી કોઈ સચોટ સિદ્ધાંત પુરવાર નથી બન્યું. વેજ્ઞાનિકો હજી સુધી આટલી ટેકનોલોજી અને સંસાધન હોવા છતાં જાણી નથી શક્યા.
(માઇગ્રેસન કઈ રીતે જાણી શકાય છે?)
પક્ષીઓ બધા જાણે છે પ્રવાસ કરે છે પણ પ્રવાસ કેટલો થાય છે? કેમ થાય છે? આ જાણવા માટે ખૂબ બધા સંશોધન થયા છે. જેમ કે પક્ષીઓ નાં પગમાં રીંગ પેરાવીને, પક્ષીઓ ને શરીર ઉપર જીપીએસ બેસાડીને તેમના પ્રવાસ જાણી શકાય છે.
પક્ષીઓ ઉપર નાના એવા જીપીએસ ટ્રેકિંગ ડીવાઈસ લગાવીને પક્ષીઓ કેટલું અંતર કાપે છે , કેટલું જીવે છે , ક્યાં ક્યાં જાય છે, ક્યા દેશો માંથી કેવા વિસ્તારો માં રોકાય છે કે માળાઓ બનાવે છે. પક્ષીઓ નાં જીવન ની કલાક કલાક નાં મોનીટરીંગ કરી એના રહસ્યો જાણવા પાછળ ખૂબ બધું વિજ્ઞાન કામ કરતું હોઈ છે.
ભારત માં મ્સ્ઁજી એટલે કે મ્ર્દ્બહ્વટ્ઠઅ દ્ગટ્ઠંેટ્ઠિઙ્મ ઁૈજંર્િઅ જીર્ષ્ઠષ્ઠૈીંઅ)/ આ રિગિંગ અને ટેગીગ નું કામ કરે છે અને બીજી સંસ્થાઓ પણ આ મહત્વપૂર્ણ કામો કરે છે.
(માઇગ્રેસન ને જાણવું જરૂરી કેમ છે?)
પક્ષીઓ માઇગ્રેસન કરે છે એને જાણવા પાછળ ખૂબ બધા હેતુ કામ કરે છે.જેમ કે પક્ષીઓ કેટલું જીવે છે, કેવી સીઝન માં કેવા ખોરાકો લે છે, કેટલો લાંબો પ્રવાસ કરે છે, પક્ષીઓ કેટલી સંખ્યા માં પ્રવાસ કરે છે, કેટલા દેશ ક્રોસ કરીને આવે છે.આ બધી અને બીજી પણ જરૂરી માહિતી એકઠી કરીને જંગલ ખાતા તેમજ અન્ય સંસ્થાઓ અને બીજા પક્ષી નિરીક્ષકો તેના સરંક્ષણ પાછળ પગલાં લેવા માટે મહેનત કરતા રહે છે.
જામનગરનું મહત્વ કેટલું છે ?
જામનગર હંમેશા થી પક્ષીઓ માટે સ્વર્ગ સમાન રહ્યું છે. જામનગર માં લોકો ખૂબ જવાબદાર અને જાગૃત છે તેમજ શિકારી પ્રવુતિઓ નથી થતી અને જંગલખાતા તેમજ સંસ્થાઓ દ્વારા લોક જાગૃતિ નાં પ્રયાસો સમયે સમયે ચાલુ રહેતા હોઈ છે. એટલા માટે પક્ષીઓ ને ખૂબ સુરક્ષિત વતાવારણ મળી રહે છે.
જામનગરમાં આવેલા મરીન નેશનલ પાર્ક માં ૪૨ થી વધારે ટાપુઓ આવેલા છે આટલો મોટો દરિયા કિનારો પક્ષીઓ ને ખૂબ અનુકૂળ આવે છે. દરેક કિલોમીટર માં માણસો ની વસ્તી પણ ઓછી છે તો પક્ષીઓ ને ખલેલ પહોંચે એવી કોઈ પ્રવૃત્તિઓ જોવા નથી મળતી.
જામનગર ૩૫૦ થી વધારે પક્ષીઓ માટે ઘર સમાન રહ્યું છે. પ્રવાસી પક્ષીઓ જામનગર સપ્ટેમ્બર મહિના નાં અંત માં આવવાનું ચાલુ કરે છે અને લગભગ માર્ચ મહિના નાં અંત સુધી જામનગર માં રહે છે. લાખોની સંખ્યામાં જામનગર પક્ષીઓ વિહરતા હોઈ છે.
આલેખનઃ જગત રાવલ, આશિષ પાણખાણીયા
તસ્વીરઃ જગત રાવલ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ભવ્ય મંદિરનું નિર્માણ
હાલારની દ્વારકાનગરી એટલે ભગવાન શ્રીકૃષ્ણનું રાજ્યાસન.. અહીં ભગવાન દ્વારકાધીશજીના સ્વરૂપમાં રાજાધિરાજ તરીકે બિરાજમાન થયા હતાં. વરસો પૂર્વે શ્રીકૃષ્ણના પ્રપૌત્ર દ્વારા આ મંદિરનું ભવ્ય નિર્માણ કરવામાં આવ્યું હતું, અને મંદિરના નિર્માણમાં સાત મજલા છે. અને ૭૨ સ્તંભ છે. ચાર મજલાના કારણે ચારધામની યાત્રાનું પુણ્ય મળે અને સાત માળ થકી સપ્ત પૂજાની કામના પૂર્ણ થાય છે. મંદિરનું પરિસર કાચબા આકારનું છે અને ૭૧ પેઢી સુધી ડીએનએ જળવાઈ રહેતા હોવાની વાયકા પ્રમાણે ભગવાનના ૭૧ પેઢીના અને ત્યારપછીની વારસાગત પેઢીઓના વંશજો દ્વારા પૂજા-ભક્તિ થાય તેવા ભાવ સાથે મંદિરમાં ૭૨ સ્તંભો છે. ભવ્ય મંદિરનું શિખર શ્રીયંત્ર સ્વરૂપનું છે.
મંદિરમાં પ્રવેશ માટે છપ્પન સીડી છે જે છપ્પન કોટીની સ્તુતિ છે. શ્રદ્ધાળુ સૌ પ્રથમ ગોમતી નદીમાં સ્નાન કરી શુદ્ધ કરે, દાન-દક્ષિણા આપીને ધન પવિત્ર કરે, પિતૃઓને તર્પણ કરે, ધર્મ દ્વારથી અને ત્યાર પછી મોક્ષ દ્વારમાંથી પ્રવેશ કરે ત્યારે તમામ ભોગનો ત્યાગ કરનારને શ્રીજીના દર્શન થાય છે ભગવાન મોક્ષદ્વાર સામે બિરાજમાન છે.
દ્વારકાધીશના વિવિધ શ્રૃૃંગાર સાથે અલૌકિક સ્વરૂપના દર્શન
દ્વારકાધીશ મંદિરમાં શ્રીકૃષ્ણ ભગવાન રાજાના રૂપમાં બિરાજમાન છે. તેથી દરરોજના નિત્યક્રમમાં એક રાજાધિરાજને શોભે તેવા વસ્ત્રો-અલંકારો સાથેના શ્રૃંગાર તિથિ, ઉત્સવ અને ઋતુચક્ર પ્રમાણે કરવાની પરંપરા પૂજારી પરિવારે જાળવી રાખી છે.
ભગવાને હંમેશાં શંખ, ચક્ર, ગદા અને પદમ્ ધારણ કર્યા છે. સાચા હિરા-મોતી જડીત સુવર્ણ અલંકારો સાથે પિતાંબર સહિતના વસ્ત્રો ધારણ કરાવવામાં આવે છે. માથા ઉપર મલમલની પાધ ઉપર ફૂલે (મુગટ) તેમજ કાનમાં કુંડલ, હાથમાં સુવર્ણ વાંસળી સાથે ભગવાનના મોહિની સ્વરૂપના દર્શનનો લાભ મળે છે. જેમાં સોળેકળાના દર્શનની પ્રતીતિ થાય છે.
ભગવાન શ્રીકૃષ્ણના લલાટ પર શિવજી, બ્રહ્મા અને વિષ્ણુ એમ ત્રણે દેવોને વંદન અર્પણ કરતા હોય તેમ ત્રિપુંડ તિલક, કરવામાં આવે છે. તેમજ લલાટ મધ્યે ચંદનની બીંદી કરી સર્વે દેવોની ઝાંખી કરવાવવામાં આવે છે.
ભગવાન દ્વારકાધીશને ગ્રહો અને વાર પ્રમાણે સેવાભાવથી વાઘા, અંગિકાર કરાવવામાં આવે છે. જેમાં સોમવારે ગુલાબી, મંગળવારે પીળા, બુધવારે લીલા, ગુરૂવારે કેસરી, શુક્રવારે સફેદ, શનિવારે વાદળી અને રવિવારે લાલ રંગના વાઘા ધારણ કરાવવામાં આવે છે.
ભગવાન શ્રીકૃષ્ણએ માનવ અવતાર લીધો હોવાથી પૂજારીઓ દ્વારા શ્રીજીની મુર્તિના સજીવ સ્વરૂપે જ સેવા પૂજા કરવામાં આવે છે. જેમાં દરરોજના નિત્ય ક્રમમાં દ્વાર ખુલ્યા પહેલાં પૂજારી દ્વારા પક્ષાપાલન, દાતણ, નાના સ્વરૂપની અભિષેક સાથે પૂજા થાય છે. આ વિધિના દર્શનનો લાભ આમ જનતાને મળતો નથી. પણ ત્યારપછી ગર્ભગૃહના દ્વાર ખુલે એટલે સવારે મંગળા દર્શન થાય છે.
શરદઋતુમાં ગરમ પાણીથી જારીજળમાં ભગવાનને સ્નાન કરાવવામાં આવે છે. તેમજ ઉનના કપડામાંથી બનાવેલા વસ્ત્રો ઉપર પિતાંબર ધારણ કરાવાય છે. આ ઋતુમાં હિરાના દાગીનાનો મહત્તમ ઉપયોગ શ્રૃંગાર માટે કરવામાં આવે છે. ભગવાનને સવારે ગરમ કેસરયુકત દૂધ અને સુંઠ ધરવામાં આવે છે. થાળમાં ગરમ વાનગીઓના ભોગ પીરસવામાં આવે છે.
ગ્રીષ્મ ઋતુમાં ભગવાનને માત્ર સુતરાઉ કાપડના વસ્ત્રો જ અંગિકાર કરાય છે. હિરાના દાગીના ઓછા ચડાવાય છે. સોનામાં જડેલા મોતીના આભુષણોનો શણગાર કરવામાં આવે છે. સવારે સ્નાન પછી પિતાંબર અને ઓછા વસ્ત્રો સાથેના દર્શન થાય છે. શ્રીજીને ઠંડા ભોગ ધરાય છે. જેમાં દૂધની સામગ્રી અને શ્રીખંડ જેવી વાનગીઓ ધરવામાં આવે છે. ઋતુ પ્રમાણેના ફળનો ભોગ ધરાય છે. રાજભોગમાં પણ ઠંડો આહાર જ પીરસવામાં આવે છે. ચંદનનો લેપ કરી જુહી, ચમેલી, ડોલરની કળીઓ દ્વારા શિતળતા બક્ષે તેવો પુષ્પ શ્રૃંગાર કરાય છે. જેમાં તિથિ મુજબ મુગટ, આયુધો, આભુષણોના શણગાર કરવામાં આવે છે.
જ્યારે વર્ષા ઋતુમાં ભગવાનને ભાજી કે રીંગણાની વાનગી ધરાતી નથી. ઋતુને અનુકુળ મિષ્ઠાન સાથેના ભોગ ધરવામાં આવે છે. આ ઋતુ દરમ્યાન ભગવાનને ઓછા આભુષણો અને બરછટ કે જાડા વસ્ત્રોના બદલે આછા વસ્ત્રો સાથે શ્રૃંગાર કરવામાં આવે છે.
આમ દરેક ઋતુ અને વાતાવરણને ધ્યાને લઈને શ્રીજીને અલંકારો, વસ્ત્રો, ભોગ સાથે વિવિધ શ્રૃંગાર દર્શનનો લાભ મળતો રહે છે.
ધ્વજાજીનું માહાત્મ્ય
નવ ગ્રહ, બાર રાશિ, સત્તાવીસ નક્ષત્રો અને ચારેય દિશાને સંલગ્ન કરી લેવાય તે રીતે ધ્વજાજીનું આરોહણ મંદિરના શિખર પર થાય છે. ધ્વજાજીનું દર્શન માત્રથી તમામ પ્રકારના ગ્રહદોષમાંથી મુકત થાય છે. શ્રદ્ધાળુઓની ધ્વજાજી પ્રત્યેની અસીમ શ્રદ્ધાના કારણે દરરોજ મંદિરના શિખર ઉપર છ વખત નૂતન ધ્વજારોહણ થાય છે.
દ્વારકાધીશ મંદિરમાં ઉજવાતા મહોત્સવો
દ્વારકાધીશ મંદિરમાં વર્ષ દરમ્યાન નાના-મોટા મળી કુલ ૫૪ ઉત્સવો ઉજવવામાં આવે છે. જેમાં સૌથી મોટા ઉત્સવોમા જન્માષ્ટમી (કૃષ્ણ જન્મોત્સવ), હોળી-ફૂલડોલ ઉત્સવ, દીપોત્સવી-નૂતન વર્ષ ઉત્સવનું શ્રદ્ધાળુઓમાં વિશેષ મહત્ત્વ રહ્યું છે. આ ઉપરાંત અષાઢી બીજે રથ યાત્રા યોજાય છે. તેમજ શ્રાવણી પૂનમે શ્રીજીના યજ્ઞોપવિત સંસ્કારનો પ્રસંગ પણ ધામધૂમથી ઉજવવામાં આવે છે.
કૃષ્ણ જન્મોત્સવ જન્માષ્ટમીના દિને ઉજવાય છે. જેમાં મધ્યરાત્રિએ કૃષ્ણ જન્મોત્સવની મહાઆરતી થાય છે અને ત્યારપછી શ્રીજીના અદ્દભુત દર્શનનો લાભ મળે છે. માત્ર કેસરી રંગના પિતાંબર અને વસ્ત્રો ધારણ કરેલા હોય છે. છઠ્ઠીના દિવસે પણ કેસરી વાઘા પહેરાવાય છે. સવારે ખુલ્લા પડદે સ્નાનના દર્શન થાય છે. જયેષ્ઠ માસની પૂનમે જલયાત્રા યોજાય છે.
હોળાષ્ટકમાં શુભકાર્યોનો નિષેધ હોય છે. ત્યારપછી ભગવાનને ભગવા રંગની પોટલી દ્વારા કેસુડાના જળથી છંટકાવ કરવામાં આવે છે. આ રંગની પોટલીના રંગનો છંટકાવ હોળી-ધૂળેટીના દિને સવાર-સાંજની આરતી સમયે પ્રસાદીરૂપે દર્શનાર્થીઓ ઉપર કરવામાં આવે છે. જ્યારે પડવા (ધૂળેટી)ના દિવસે અબીલગુલાલની પ્રસાદીનો છંટકાવ કરવામાં આવે છે. શ્રીજીને ઘેરૈયા બનાવી તેમને પણ રંગવામાં આવે છે.
દ્વારકાધીશ મંદિરમાં દીપોત્સવી પર્વ તથા નૂતનવર્ષ પર્વ નિમિત્તે રાજાધિરાજ ભગવાન શ્રીકૃષ્ણને સોના-ચાંદી-હીરા-મોતીના કિંમતી આભૂષણો સાથેનો વિશિષ્ટ શ્રૃંગાર કરવામાં આવે છે.
નવરાત્રિના દિવસો દરમ્યાન શરદોઉત્સવ મનાવાય છે. વ્રજમાં રાધાકૃષ્ણ અને ગોપીઓ સાથેની રાસલીલાનું જે મહત્ત્વ છે તે પ્રણાલી મુજબ મંદિરમાં શરદોત્સવ ઉજવવામાં આવે છે. સફેદ વસ્ત્રો, સફેદ મોતી જડેલા દાગીના, મુગટથી ભગવાનને શણગાર કરવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણની રાધા સહિત ગોપીઓ સાથેના રાસલીલાને જીવંત રાખવા રાસ-ગરબાની રમઝટ સાથે શરદોત્સવ ઉજવવામાં આવે છે.
રાધાકૃષ્ણને ભંડાર પરિસરમાં લાવવામાં આવે અને ત્યાં પૂજારી પરિવાર રાસ-ગરબાની રમઝટ બોલાવે છે. રક્ષાબંધનના પર્વ નિમિત્તે વિશેષ કાકડા આરતી કરવામાં આવે છે ભગવાનને રાખડી બાંધવામાં આવે છે અને પૂજારી પણ રાખડી ધારણ કરી શ્રદ્ધાળુઓને પણ રક્ષાબંધન કરવામાં આવે છે.
અષાઢી બીજના દિવસે ગોપાલજીના નાના સ્વરૂપ સાથે બે ઘોડાવાળા રથમાં રથયાત્રા નીકળે છે. રથનું પૂજન અને આરતી પછી મંદિરને રથ દ્વારા ચાર પ્રદક્ષિણા કરવામાં આવે છે. ભંડારના ચોકમાં પૂજારી પરિવારની મહિલાઓ જોડાય છે અને અંતિમ રાઉન્ડમાં તો પૂજારીઓ રથ આગળ આળોટતા-આળોટતા તેમાં જોડાય છે અને ત્યારપછી રથયાત્રા વાજતે-ગાજતે પૂર્ણ થાય છે.
શ્રીજી સન્મુખ વિવિધ ભોગના મનોરથ
દ્વારકાધીશ મંદિરમાં શ્રીકૃષ્ણ ભગવાન સન્મુખ દરરોજ થાળ (ભોગ) ધરવામાં આવે છે. તેમં કોઈ યજમાન ધર્મ લાભ લ્યે કે ન લ્યે પૂજારી પરિવાર દ્વારા આ નિત્યક્રમ જાળવી રાખવામાં આવે છે. છેલ્લા ઘણાં સમયથી કૃષ્ણભકતો દ્વારા વર્ષ દરમ્યાન અનેક મનોરથના દર્શન થાય છે. જેમાં સૂકા મેવાનો મનોરથ, કુનવારા મનોરથ, કુંડલા ભોગ મનોરથ, અન્નકુટ મનોરથ, છપ્પનભોગ મનોરથનો લાભ યજમાનો લઈ તેમનમા મનોરથ સમ્પન્ન કરે છે.
અન્નકુટ અને છપ્પન ભોગમાં તો અનેક વાનગીઓનો શ્રીજી સન્મુખ ધરવામાં આવે છે જેમાં વિશાળ અને ભવ્ય દર્શન અલૌકિક બની રહે છે.
આપણાં ધર્મગ્રંથ પ્રમાણે કાનાએ જ્યારે ગોવર્ધન પર્વતને એક આંગળી ઉપર ઉંચકીને તમામ જીવોની રક્ષા કરી અને સાત દિવસ પછી કોપાયમાન ઈન્દ્રદેવ શાંત થયા ત્યારે ગામલોકોએ જોયું કે કાનાએ સાત-સાત દિવસથી અન્ન-જળ લીધા વગર સૌની રક્ષા કરી છે ત્યારે તમામ લોકો પોત-પોતાના ઘરે દોડ્યા.. અને કોઈએ ખીર, કોઈએ અન્ય મિઠાઈ, અન્ય સ્વાદિષ્ટ વાનગીઓ બનાવીને કાનાને ધરાવી, તેને ભોજન કરાવ્યું. ગૌશાળાની સવાસો ગૌશાળાની સવાસો જેટલી ગૌમાતાના દૂધમાંથી જ બનેલા શુદ્ધ ઘી, માખણ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે.
જે યજમાને કોઈપણ ભોગ મનોરથનો ધર્મલાભ લ્યે છે તેને મંદિરમાં શ્રીજી સન્મુખ સહપરિવાર દોઢ-બે કલાક પૂજા-અભિષેક-દર્શનનો વિશેષ લાભ મળે છે. કોઈપણ શ્રદ્ધાળુ મનોરથનો સંકલ્પ પૂર્ણ કરવા માંગતા હોય તેમણે પૂજારી પરિવાર અને દેવસ્થાન સમિતિનો પંદર દિવસ અગાઉ સંપર્ક કરી નોંધણી કરાવે તો નિશ્ચિત તિથિએ મનોરથ દર્શન થઈ શકે છે.
ત્યારથી શ્રીકૃષ્ણ ભગવાનને વિવિધ ભોગ ધરવાની પ્રથા ચાલી આવી છે, જો કે સમયાંતરે હવે યજમાન ઘરેથી વાનગીઓ ન લાવી શકે તેવી સ્થિતિમાં પૂજારી પરિવારના મહિલા વર્ગ દ્વારા જ ભોગ પ્રમાણેની તમામ વાનગીઓ મંદિરના ભોગ-ભંડારામાં જ બનાવવામાં આવે છે, અને તે વાનગીઓનો ભોગ જ શ્રીજી સન્મુખ ધરવામાં આવે છે.
તમામ વિધિ-વિધાન, પૂજા-મનોરથ-દર્શનનું અલગ માહાત્મ્ય
દ્વારકાધીશ મંદિરમાં વર્ષ દરમિયાન તિથિ, વાર અને તહેવારો તેમજ ઋતુચક્ર પ્રમાણે દરેક વિધિવિધાન સાથેના પ્રસંગો, ઉત્સવો, પૂજા, મનોરથ દર્શન યોજાય છે અને દરેકનું એક અલગ માહત્મ્ય છે. પૂજારી પરિવાર દ્વારા દરેક મનોરથી, યજમાન અને તમામ કૃષ્ણભક્તોને આ સેવક-પૂજાના અને દર્શનના સંકલ્પનો લાભ મળે તેવી વ્યવસ્થા નિર્ધારીત કરેલી છે અને તે પ્રમાણે ખૂબ જ ભવ્યતા સાથે ખૂબ જ શ્રદ્ધા સાથે, ખૂબ જ ધામધૂમથી શ્રીજીના ધર્મલાભનો લાભ લઈ દરરોજ અસંખ્ય કૃષ્ણભક્તો ધન્યતા અનુભવી રહ્યાં છે. સમગ્ર વર્ષ દરમિયાન ભક્તો, દર્શનાર્થીઓનો અવિરત પ્રવાહ ચાલુ જ રહે છે. તેમાંય દર મહિનાની પૂનમે તો એક-દોઢ લાખ જેટલો માનવ મહેરામણ ઉમટે છે.
હે દ્વારકાધીશ !!
ના તમારાથી વધુ કાંઈ
તલભાર જોઈએ...
ના તમારાથી ઓછું કાંઈ
લેશમાત્ર જોઈએેેે
હર એક ક્ષણ કૃષ્ણ
માત્ર એક કૃષ્ણ જોઈએ...
આલેખનઃ પી.ડી. ત્રિવેદી,
સંકલનઃ ચંદુભાઈ બારાઈ
તસ્વીરઃ રવિ બારાઈ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
જામનગર જિલ્લાના ખેડૂતોના લાભાર્થે
જામનગર જિલ્લાના તમામ ખેડૂતો માટે ખરીફ કઠોળના ઊભા પાકોમાં સંકલિત રોગ- જીવાત નિયંત્રણ માટેની માર્ગદર્શિકા અને પગલાં જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. જેમાં જણાવ્યા અનુસાર,
- રોગ નિયંત્રણ : ભૂકી છારો : મગ, ચોળા અને ગુવારના પાકમાં રોગની શરૂઆત થયેથી ૩૦ ગ્રામ દ્રાવ્ય ગંધક/ ૧૦ ગ્રામ કાર્બેન્ડાઝીમ/ ૧૫ ગ્રામ થાયોફેનેટ મિથાઇલ ૧૦ લીટર પાણીમાં ભેળવીને તેનો છંટકાવ કરવો. બીજો છંટકાવ ૧૨ દિવસના અંતર બાદ કરવો.
- મગ, અડદ, તુવેર, ગુવારના પાકમાં પાનનાં ટપકાંનો રોગઃ (સરકોસ્પોરા) અથવા કાલવ્રણ રોગની શરૂઆત થયેથી ૧૦ મિ.લિ. હેકસાકોનાઝોલ/ ૧૦ ગ્રામ કાર્બેન્ડાઝીમ/ ૨૫ ગ્રામ મેન્કોઝેબ ૧૦ લીટર પાણીમાં ભેળવીને તેનો છંટકાવ કરવો. બીજો છંટકાવ ૧૨ દિવસના અંતર બાદ કરવો.
- પીળો પચરંગીયો : મગ, ચોળા અને ગુવારના પાકમાં રોગના લક્ષણ જોવા મળે ત્યારે સફેદ માખી કે મોલોમશીના નિયંત્રણ માટે શોષક પ્રકારની જંતુનાશક દવા જેવી કે ડાયમીથોએટ ૧૦ મિ.લિ. અથવા ઇમિડાક્લોપ્રિડ ૪ મિ.લિ. દવાનો ૧૦ લીટર પાણીમાં ભેળવીને તેને છાંટવી.
- જીવાણુંથી થતા રોગના નિયંત્રણ માટે સ્ટ્રેપ્ટોસાયક્લીન દવા ૧ ગ્રામ અને કોપર ઓક્સીક્લોરાઇડ ૪૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ઓગાળીને તેનો છંટકાવ કરવો. જો જરૂર જણાય તો બીજો છંટકાવ ૧૦ થી ૧૨ દિવસ બાદ કરવો.
- સંકલિત જીવાત નિયંત્રણ : ખેતરમાં મોલોના ઉપદ્રવ સાથે જ કુદરતી રીતે તેના પરભક્ષી કીટક લેડીબર્ડ (ડાળીયાં) પણ દેખાય છે. જેનું પુખ્ત ઇયળ મોલોને ખાઇ તેનું નિયંત્રણ કરે છે. આ સમયે રાસાયણિક દવાનો છંટકાવ ટાળવો જોઈએ. અથવા જરૂર જણાય તો વનસ્પતિ આધારિત દવાનો છંટકાવ કરવો. મોલોના જૈવિક નિયંત્રણ માટે પરભક્ષી ક્રાયસોપાનાં ઇંડા અથવા ઇયળો હેક્ટર દીઠ ૫૦,૦૦૦ જેટલા છોડવા.
- સફેદમાખીના પરભક્ષી કીટક જેવા કે એન્કારસીયા નામની ભમરી છોડવી.
- મોલો મશી, થ્રિપ્સ, તડતડિયા, સફેદ માખી, રાતી કથીરી, ચીકટો, શીંગના ચૂસિયા જેવી ચૂસિયા જીવાતોનો શરૂઆતમાં ઉપદ્રવ ઓછો હોય ત્યારે ૫૦૦ ગ્રામ લીંબોળીના મીંજનો અર્ક (૫ % અર્ક) ૧૦ લીટર પાણીમાં અથવા લીંબોળીનું તેલ ૪૦ મીલી/ ૧૦ લીટરમાં ઉમેરીને તેનો છંટકાવ કરવો. જો વધુ ઉપદ્રવ જણાય અને છોડ ઉપર પરભક્ષી કીટકોની ગેરહાજરી હોય તો કોઈપણ એક શોષક દવા જેવી કે ઈમિડાક્લોપ્રિડ ૧૭.૮ એસએલ ૩ મીલી/ થાયોમિથોક્ઝામ ૨૫ ડબલ્યુડીજી ૪ ગ્રામ/ એસિફેટ ૭૫ એસપી ૧૫ ગ્રામ/ એસિટામીપ્રિડ ૨૦ એસપી ૩ ગ્રામ પ્રતિ ૧૦ લીટર પ્રમાણે ભેળવીને તેનો છંટકાવ કરવો.
- લીલી ઇયળની ફૂંદી પીળા રંગ તરફ આકર્ષતી હોઇ તુવેર જેવા પાકોમાં ખેતરો ફરતે તેમજ પાકની વચ્ચે છુટાછવાયા ગલગોટાનું વાવેતર કરવું. તેમજ ખેતરમાં હેકટર દીઠ ૪૦ ફેરોમોન ટ્રેપ ગોઠવવી.
- રાત્રીના સમયે ખેતરમાં પ્રકાશ - પિંજર ગોઠવવા. ખેતરમાં જયાં લાઈટની વ્યવસ્થા થઇ શકે ત્યાં વિદ્યુત ગોળો ગોઠવીને તેની નીચે પાણી ભરેલી ટ્રે ગોઠવીને તેમાં જંતુનાશક દવાના ૧ થી ૨ ટીપા નાખવા. જેથી રાત્રી દરમિયાન પ્રકાશ તરફ આકર્ષાયેલી ફૂંદીઓ પાણીમાં પડતા તેનો નાશ થશે.
- પક્ષીઓને બેસવા ટેકા/ બેલીખડા પ્રતિ હેક્ટરે ૫૦ ની સંખ્યામાં ગોઠવવા. જેથી પક્ષીઓ દ્વારા ઈયળો અને ફૂદીંનો નાશ થાય.
- તુવેરમાં લીલી ઇયળ તેમજ શીંગ માખીના નિયંત્રણ માટે ક્લોરોપાયરીફોસ ૨૦ ઇસી ૨૦ મી.લી/ લીંબડાની લીંબોળીના મીંજનો ભુકો ૫૦૦ ગ્રામ (૫ % અર્ક) ૧૦ લીટર પાણીમાં ભેળવીને તેનો છંટકાવ કરવો. ત્યારબાદ ૧૫ દિવસના અંતરે બીજા ૨ થી ૩ વાર છંટકાવ કરવા.
- જૈવિક નિયંત્રણ માટે બેસીલસ થુરેન્જીન્સીસ નામના જીવાણુંનો પાવડર ૧૫ ગ્રામ/ બીવેરીયા બેસીયાના નામની ફુગનો પાવડર ૪૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ઉમેરીને તેનો છંટકાવ કરવો. અથવા ન્યુકિલયર પોલીહેડ્રોસીસ (એનપીવી) વાયરસ ૨૫૦ ઇયળ એકમ (૨૫૦ એલઇ) જરૂરી પાણીના જથ્થામાં ઉમેરીને હેકટર દીઠ વિસ્તારમાં આ મિશ્રણનો છંટકાવ કરવો જોઈએ.
- તુવેરના પાકમાં શીંગો કોરી ખાનાર ઇયળો સામે રક્ષણ મેળવવા પાકમાં ૫૦ % ફૂલ બેસવાની અવસ્થાએ એમામેકટીન બેન્ઝોએટ ૫ એસજી ૩ ગ્રામ/ ઇન્ડોકઝાકાર્બ ૧૫.૮ ઇસી ૪ મી.લી./ ક્વિનાલફોસ ૨૫ ઇસી ૨૦ મિલી અથવા ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ ૧૮.૫ એસસી ૩ મિલી/ ફ્લુબેન્ડીયામાયીડ ૪૮ એસસી ૨ મિલી ૧૦ લીટર પાણીમાં ભેળવીને તેનો છંટકાવ કરવો.
આ ઉપરાંત દવાના વપરાશ વખતે દવાની બોટલ ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે- તે પાક માટે તે ભલામણમાં જણાવ્યા મુજબની કાળજીઓ રાખવા અને તેને અનુસરવા જણાવવામાં આવે છે. આ તમામ માહિતી માટે સહયોગ સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સીટી અને જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી તરફથી મળેલો છે.
આ અંગે વધુ જાણકારી મેળવવા માટે આપના વિસ્તારના ગ્રામસેવકશ્રી, વિસ્તરણ અધિકારીશ્રી, ખેતી અધિકારીશ્રી, તાલુકા અમલીકરણ અધિકારીશ્રી, મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, નાયબ ખેતી નિયામકશ્રી વિસ્તરણ, નાયબ ખેતી નિયામકશ્રી તાલીમનો સંપર્ક સાધી શકાશે. તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, જિલ્લા પંચાયત, જામનગરની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
જિલ્લામાં પ્રવાસન સુવિધાઓ વધતા યાત્રિકોને થઈ રહી છે સુખદ અનુભૂતિઃ આકર્ષક સ્થળોની હારમાળા
અયોધ્યા મથુરા માયા કાશી કાંચી અવંતિકા...!
પુરી દ્વારાવતી ચૈવ સત્પૈતા મોક્ષદાયિકાઃ...!!
પ્રાચીન કાળમાં દ્વારાવતી તરીકે ઓળખાતું દ્વારકા ભગવાન શ્રી કૃષ્ણની કર્મભૂમિ. આપણા શાસ્ત્રોમાં દ્વારકાને સાત મોક્ષદાયી નગરોમાં સમાવેશ કરાયો છે. બેટ દ્વારકા, ઘુમલી, અને હરસિદ્ધિ મંદિર જેવા પ્રાચીન સ્થળો ધરાવતો દ્વારકા જિલ્લો ધાર્મિક અને રાષ્ટ્રીય સુરક્ષાની દષ્ટિએ અનેરું મહત્વ ધરાવે છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ૨૩ વર્ષ પહેલા તા.૦૭ ઓક્ટોબર, ૨૦૦૧ના દિને ગુજરાત રાજયના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે શાસન ધૂરા સંભાળી હતી. મુખ્યમંત્રીથી વડાપ્રધાન સુધીની સફરમાં ગુજરાત વિકાસનું રોલ મોડલ રહ્યું છે. વર્ષ ૨૦૧૩માં દ્વારકા, ખંભાળિયા, કલ્યાણપુર, ભાણવડ તાલુકાને સમાવીને અલગ દેવભૂમિ દ્વારકા જિલ્લાની રચનાં કરવામાં આવી. છેલ્લા એક દાયકામાં દેવભૂમિ દ્વારકા જિલ્લાએ કરેલો વિકાસ સૌ કોઈનું ધ્યાન ખેંચે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા પ્રવાસન સ્થળો દેશ વિદેશના નાગરિકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. તો ચાલો આપણે જાણીએ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રવાસન સ્થળો વિશે.
હેરીટેજ સિટી દેવભૂમિ દ્વારકા
સાંસ્કૃતિક અને પુરાતત્વીય વારસો ધરાવતી આ ભગવાન શ્રી કૃષ્ણની ભૂમિને કેન્દ્ર સરકાર દ્વારા હેરીટેજ સિટી તરીકે જાહેર કરી વૈશ્વિક ઓળખ પ્રસ્થાપિત કરવામાં આવી છે. જ્યાં ભગવાન શ્રી દ્વારકાધીશના ચરણોમાં લાખો ભાવિકો શીશ ઝુકાવે છે.
બેટ દ્વારકા સુદર્શન સેતુ
ઓખાથી બેટ દ્વારકાને જોડતા આ સુદર્શન સેતુના નિર્માણ થકી દેવભૂમિ દ્વારકા જિલ્લાની યશકલગીમાં એક મોરપીંછ ઉમેરાયું છે. રૂ.૯૭૮.૯૩ કરોડના ખર્ચે આ વિશીષ્ટ કેબલ સ્ટેયડ બ્રીજનું ફેબ્રુઆરી, ૨૦૨૪માં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું છે. પ્રવાસનના વિકાસ થકી બેટ-દ્વારકા તેમજ ઓખામાં નવી રોજગારીનું સર્જન થયું છે. તેમજ બેટ દ્વારકા ખાતે દર્શનાર્થે આવતા ભકતજનો સરળતાથી દર્શન કરી શકશે.
સુદર્શન સેતુની લંબાઇ ૨.૩૨ કિલોમીટર છે, જેમા ૯૦૦ મીટર કેબલ સ્ટેયડ ભાગ છે. બ્રિજના મુખ્ય ગાળામાં બંને પાયલોન પર ૨૦ ટ ૧૨ મીટરના ૪ મોરપંખ આકારવામાં આવ્યાં છે. ઓખા તરફ ૩૭૦ મીટર લંબાઈનો એપ્રોચ બ્રિજ, બેટ તરફ ૬૫૦ મીટર એપ્રોચ બ્રિજ છે. બ્રીજના મુખ્ય ગાળામાં ૧૩૦ મીટર ઊંચાઇ ધરાવતા બે પાયલોન છે. આ ચાર માર્ગીય બ્રીજની પહોળાઈ ૨૭.૨ મીટર છે, જેમાં બન્ને બાજુ ૨.૫૦ મીટરના ફૂટપાથ છે. ફુટપાથની બાજુ પર કોતરણી કામ કરી ભગવદગીતાના શ્લોક તેમજ ભગવાન શ્રીકૃષ્ણની છબિઓ દર્શાવવામાં આવી છે. ફૂટપાથ ઉપર લગાવેલ સોલાર પેનલની ૧ મેગાવોટની વિજળી ઉત્પાદનક્ષમતા છે, જેનો ઉપયોગ બ્રીજના લાઇટીંગમાં થય છે. બ્રીજ પર કુલ ૧૨ લોકેશન પર પ્રવાસીઓ માટે વ્યુઇંગ ગેલેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે.
શિવરાજપુર બીચ
દ્વારકા અને ઓખા વચ્ચે બ્લુ ફ્લેગ ધરાવતો સ્વચ્છ, સુંદર, સલામત અને મનોહર એવો શિવરાજપુર બીચ આવેલો છે. જે દેશ વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આ બીચ ઉપર હાલ પ્રવાસીઓને લગતી સુવિધાઓને વિકસાવવા માટે પ્રવાસન નિગમ દ્વારા ત્રણ ફેઝમાં કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરી પૂર્ણ થતા પ્રવાસીઓ માટે વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ થશે.
નાગેશ્વર જ્યોતિર્લિંગ
દારુકાવનમાં બિરાજતા ભગવાન શિવના જ્યોતિર્લિંગ સમા અને બારે માસ પ્રવાસીઓથી ધમધમતા નાગેશ્વરમાં મહાશિવરાત્રિના દિવસે તો અહીં ભક્તિ મેળાનું દ્રશ્ય ખડું થતું હોય છે.
નાગેશવન
સામાજિક વનીકરણ યોજના હેઠળ સને.૨૦૧૩-૧૪ માં નાગેશ્વર ખાતે રાજ્યકક્ષાના ૬૪માં વન મહોત્સવની ઉજણવી માટે ૧૦માં સાંસ્કૃતિક વન નાગેશવનનું નિમાર્ણ કરવામાં આવ્યુ છે. ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા પૌરાણિક તથા ધાર્મિક મહત્ત્વ ધરાવતાં શ્રી નાગેશ્વર જયોતિર્લિંગ ખાતે નાગેશ વનનું લોકાર્પણ કરેલ હતું.
આ નાગેશ વનમાં જુદા જુદા વનો જેવા કે, રાશિવન, નક્ષત્ર વન, પંચવટી વન, તુલશી વન, સપ્તરૂષિ વાવેતર, તેમજ વિવિઘ જાતના વૃક્ષોનું વનોમાં વાવેતર કરેલ છે. તેમજ આ નાગેશવનમાં કોતરણીવાળો કલાત્મક ગેઇટ, કૈલાશ પર્વતનું મોડેલ અને તેના ઉ૫ર બિરાજમાન ભગવાન શિવની સહ પરિવાર મુર્તિ, ભગવાન શ્રી કૃષ્ણજીની મૂર્તિ, દારૂકાવધ પ્રસંગની મૂર્તિ, વન કુટીર, મરીન ઇન્ટરપ્રીટીશન સેન્ટર, કેકટસ હાઉસ, ઉજાણી ગૃહ તથા બાળકોના મનોરંજન માટે જુદી જુદી રાઇડસ વગેરે આકર્ષણનું કેન્દ્ર છે. અને નાગેશ્વર ખાતે દર્શનાર્થે આવતા પ્રવાસીઓ માટે એક રમણીય સ્થળનું નિર્માણ કરવામા આવેલું છે.
કોયલા ડુંગરમાં બિરાજમાન હરસિદ્ધિ માતા
હરસિદ્ધિ માતાનું મંદિર તીર્થધામ કોયલા ડુંગરમાં આવેલું છે. કલ્યાણપુર તાલુકાના ગાંધવી ગામની હદમાં મેઢા ખાડીના કિનારે આ મંદિર આવેલુ છે. અહીં નવરાત્રી દરમિયાન રાજ્ય સરકાર દ્વારા એક દિવસીય નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે.
હરસિદ્ધિ વન
કલ્યાણપુર તાલુકાના ગાંધવી (હર્ષદ) માં આવેલ પૌરાણિક તથા ઐતિહાસિક મહત્ત્વ ધરાવતાં હરસિદ્ધિ માતાના મંદીર નજીક મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા હરસિદ્ધિ વનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ.
હરસિદ્ધિ વનમાં વિવિધ પ્રજાતિના અંદાજિત ૪૧૬૧૯ રોપાઓનું વાવેતર કરવામાં આવેલ છે. જેમાં સ્થાનિક પ્રજાતિના વૃક્ષો; વડ, પીપળો, પ્રાગ વડ, વગેરેનું વાવેતર કરવામાં આવેલ છે તથા દરિયાકાંઠે ઉછરી શકે તે માટે તેને અનુરૂપ રોપાઓ; પીલુ, નાળિયેર, બદામ, અરણી વગેરે વૃક્ષો પણ ઉછેરવામાં આવેલ છે. ગુગળ વન તથા કેક્ટસ વાટીકા વગેરેમાં તેના નામને અનુરૂપ પ્રજાતિઓ ઉછેરવામાં આવેલ છે.
ઉપરાંત ઉજાણી સ્થળ તરીકે પર્યટકો આકર્ષાય તે સંદર્ભમાં આ સાંસ્કૃતિક વનમાં બાળ વાટીકા, સેલ્ફી પોઇન્ટ ગાર્ડન, બીચ થીમ સીટીંગ એરીયા, મેડીટેશન,ગઝેબો, સનસેટ પોઇન્ટ વગેરે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા અન્ય પ્રવાસન સ્થળો
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રૂક્મણી મંદિર, ગોમતી ઘાટ, ભડકેશ્વર મહાદેવ, ગોપી તળાવ, હનુમાન દાંડી, કિલેશ્વર મહાદેવ, શનિ મંદિર હાથલા, ઘુમલી, સોનકંસારી, આભાપરા હિલ સ્ટેશન, મરીન નેશનલ પાર્ક નરારા ટાપુ સહિત અનેક પ્રવાસન સ્થળો આવેલા છે કે જે દેશ વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે.
સંકલનઃ વૈશાલી રાવલીયા
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
કાનૂન પણ કેટલાક કેસમાં લાગણીઓને લક્ષ્યમાં લ્યે છે...!
કોઈપણ પ્રકારના મેનેજમેન્ટમાં સૌજન્યતા, સંવેદનશીલતા અને શાણપણ જરૂરી હોય છે. ઘણાં લોકો કહેતા હોય છે કે વહીવટ કે સંચાલન (મેનેજમેન્ટ) માં લાગણીઓને સ્થાન હોતું નથી, પરંતુ મારી દૃષ્ટિએ આવો કોન્સેપ્ટ યોગ્ય નથી. કાનૂન અને અદાલતોમાં પણ કેટલાક કેસોમાં લાગણીઓને લક્ષ્યમાં રાખીને નિર્ણયો લેવાતા હોય છે. કોઈ બાળકની કસ્ટડી હોય કે સામૂહિક દુષ્કર્મનો કેસ હોય, વૃદ્ધ માતા-પિતાને તરછોડવાનો કેસ હોય કે મામુલી કારણે છૂટાછેડાનો કેસ હોય, ચાઈલ્ડ ટ્રાફિકીંગનો કેસ હોય કે પછી ખાનગી મિલકતોમાં અતિક્રમણનો કેસ હોય, ભૂલથી સરહદપારથી આવેલા કોઈ નિર્દોષ વ્યક્તિનો કેસ હોય કે વિદેશમાં ફસાયેલા કે ત્યાં ખોટા ખટલાઓમાં અટવાયેલા ભારતીય નાગરિકોનો કેસ હોય, કાનૂન, બંધારણ અને કુદરતી ન્યાયની મર્યાદામાં રહીને લાગણીશીલતા અને સંવેદનશીલતા, માનવતા અને સહિષ્ણુતા તથા દયા અને મદદરૂપ થવાની ભાવનાથી કેટલાક નિર્ણયો 'આઉટ ઓફ બોક્સ' એટલે કે અસાધારણ પ્રકારે પણ લેવાતા જ હોય છે ને?
સંચાલનમાં સંવેદનશીલતા, સૌજન્યતા અને સદ્વ્યવહારથી ઊભી થતી પ્રોફેશનલ પરિવારભાવના અંતે તો સંસ્થા, પેઢી, કંપની, કચેરી, શાસન કે સંગઠનને લાભદાયક જ નિવડતી હોય છે ને?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં પ્રવાસનની હરણફાળઃ
જામનગર તા. ૧૭: સોમનાથથી દ્વારકાવાળા રૂટ પર તીર્થયાત્રાની સમાંતર પ્રવાસનને વેગ આપવા સરકાર પ્રતિબદ્ધ હોય, હવે પોરબંદર નજીક બરડા ડુંગર સંલગ્ન વન વિસ્તારમાં વન્ય જીવ અભ્યારણ્યનો આરંભ થવા જઈ રહ્યો છે. બરડા વન્યજીવ અભ્યારણ્યમાં લોકોને વનમાં જંગલી પશુઓ નિહાળવાનો મોકો મળશે. ઉપરાંત ગીરની જેમ સિંહ દર્શનની પણ ઉત્કંઠા ભાવિ પ્રવાસીઓમાં જોવા મળી રહી છે, જો કે આધુનિક રીતે આ લાયન સફારી નથી, પરંતુ વાઈલ્ડ લાઈફ સફારી છે એટલે સિંહ દર્શન કેન્દ્ર સ્થાને નથી, પરંતુ મર્યાદિત ધોરણે પણ લોકોને સિંહ દર્શનની સંભાવનાઓ રોમાંચિત કરી રહી છે.
હાલ અભ્યારણ્યની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. અભ્યારણ્ય આરંભ થવાની કોઈ નિશ્ચિત તારીખની અધિકૃત ઘોષણા હજુ થઈ નથી, પરંતુ દિવાળી પહેલા અભ્યારણ્ય આરંભ થઈ જવાની પ્રબળ સંભાવના છે. વન અધિકારી દ્વારા પણ આ અંગે સહમતિ દર્શાવવામાં આવી છે.
બરડા વન્ય અભ્યારણ્યનો રૂટ રપ કિ.મી.થી વધુ લાંબો હોવાની માહિતી છે. રૂટનો આરંભ તથા ઓફલાઈન ટિકિટ બુકીંગ કપૂરડી નાકાથી થશે. સફારીમાં ચારણુઆઈ બેરીયરથી અજમાપટથી ભૂખબરા સુધીનો વિસ્તાર સમાવિષ્ટ કરવામાં આવ્યો છે.
ગીર અભ્યારણ્યની જેમ જ અહીં પણ પ્રવાસીઓને જીપ્સી અને ગાઈડ ઉપલબ્ધ કરાવવામાં આવશે. પ્રવાસીઓને ૪૦૦ રૂપિયા પરમીટ ફી, ૪૦૦ રૂપિયા ગાઈડ ફી, તથા ર૦૦૦ રૂપિયા જીપ્સી ફીપેટે કુલ ર૮૦૦ રૂપિયાનો ખર્ચ થશે. તમામ બુકીંગ આરંભમાં ઓફલાઈન રહેશે અને કપૂરડી નાકા પાસેની બુકીંગ ઓફિસથી થઈ શકશે.
અભ્યારણ્યમાં પરિભ્રમણનો સમય ઉનાળામાં સવારે ૬ થી ૯ તથા સાંજે ૩ થી ૬ નો રહેશે તેમજ શિયાળામાં સવારે ૬-૪પ થી ૯-૪પ નો અને બપોરે ૩ થી ૬ નો રહેશે.
દરેક અભ્યારણ્યની માફક બરડા અભ્યારણ્ય પણ દર વર્ષે ચોમાસાની ઋતુમાં ૧૬ જૂનથી ૧પ ઓક્ટોબર દરમિયાન પ્રવાસીઓ માટે બંધ રહેશે.
હાલ અભ્યારણ્યના હોર્ડિંગ્સ લાગી ગયા છે અને પૂરજોર તૈયારીઓ ચાલી રહી છે. તમામ વ્યવસ્થાઓની ગોઠવણ અંતિમ તબક્કામાં હોવાની માહિતી સાથે જ આ અભ્યારણ્ય દિવાળી પહેલાજ આરંભ કરી દેવાના સરકારના ધ્યેયને પગલે તહેવારો અને વેકેશનની રજામાં લોકો પ્રકૃતિની ગોદમાં નવા પ્રવાસન સ્થળનો આનંદ માણી શકશે.
બરડા અભ્યારણ્યનો આરંભ સમગ્ર હાલાર માટે લાભદાયક
બરડા અભ્યારણ્યથી પોરબંદર જિલ્લાને લાભ થશે, પરંતુ તેની જ સમાંતર દેવભૂમિ દ્વારકા જિલ્લાને પણ ફાયદો થશે, કારણ કે અભ્યારણ્યના અગત્યના લોકેશન (પ્રવાસન સ્થળો) દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલ છે. ઘુમલી, આભાપરા શિખર, સોનકંસારીના દેરા વિગેરે ભાણવડ પંથકમાં હોય તેમજ દ્વારકામાં જગતમંદિર આવેલ હોય, તીર્થધામ હોવાથી દ્વારકા તરફ પણ વધુ પ્રવાસીઓ ખેંચાશે જેથી અભ્યારણ્યને પગલે પ્રવાસનને મળનારા વેગનો દેવભૂમિ દ્વારકા જિલ્લાને તથા જામનગર જિલ્લાને પણ લાભ મળવાની ઉજ્જળી સંભાવનાઓને પગલે સમગ્ર હાલાર માટે પણ આ ખુશખબર છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
વ્યુઈંગ ગેલેરી, ભગવદ્ગીતાના શ્લોક, મોરપંખ સહિતના અનેક આકર્ષણો
'ઓખો તો દુનિયાથી નોખો કહેવાય...' આ છેવાડાનું નગર ઓખા કે જે દેશના પશ્ચિમ ખુણે આવેલું છે, ત્યાં પ્રાથમિક સુવિધાઓ પહોંચે તે પણ ભૂતકાળમાં સિદ્ધિ મનાતી તેવા વિસ્તારમાં સમુદ્ર પર કેબલ બ્રિજ બનાવાશે એવી તો કલ્પના પણ કોને હોય? ૧૩-૧૪ વર્ષ જેટલા સમય પહેલાં દેશનું આર્થિક પાટનગર ગણાતાં અને સંસાધનયુક્ત મુંબઈમાં બાન્દ્રા-વર્લી સી લિંક કેબલ બ્રિજ ચાલુ થયો ત્યારે આવો કેબલ બ્રિજ ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બને તેવો કોઈને સપને પણ વિચાર ન હોય. પરંતુ, શ્રીકૃષ્ણના સાંનિધ્યથી પાવન બનેલી આ ભૂમિ સાથે સંકળાયેલી યાત્રાળુઓની શ્રદ્ધાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનુભવી અને સપનું સેવ્યું સુદર્શન બ્રિજનું, એવો બ્રિજ કે જે શ્રદ્ધાના કેન્દ્ર એવા બેટ દ્વારકા ટાપુને ઓખાની અને ગુજરાતની મુખ્ય ભૂમિ સાથે જોડે.
ચારધામમાંનું એક એવું જગત મંદિર દ્વારકામાં આવેલું છે, તેનાં દર્શને આવતાં દેશ વિદેશના શ્રદ્ધાળુઓને બેટ દ્વારકા પર આવેલા કેશવરાયજી મંદિર અને હનુમાન દંડી જેવા ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા મંદિરોના દર્શન કરવા માટે બોટ/ફેરી પર નિર્ભર રહેવું પડતું હતું અને ઘણો સમય પણ લાગતો હતો. આ નિર્ભરતા દૂર થાય અને બેટ દ્વારકા ટાપુને મુખ્ય ભૂમિ સાથે જોડે તેવો બ્રિજ બને તે વડાપ્રધાનનું વિઝન હતું, આ માટે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમ્યાન તેઓએ તત્કાલીન યુ.પી.એ.ની કેન્દ્ર સરકાર પાસે પ્રસ્તાવ પણ મૂક્યો હતો.
વર્ષો પછી સુદર્શન સેતુના આ વિઝનને તેમના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારના સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે ૨૦૧૬માં સૈદ્ધાંતિક મંજૂરી આપી. ૨૦૧૭માં ઓખાથી બેટ દ્વારકા સુધીના આ બ્રિજનું નિર્માણકાર્ય શરૂ થયું અને ૨૦૨૪માં ઓખા અને બેટ દ્વારકાને જોડતા દેશના સૌથી લાંબા કેબલ બ્રિજનું વડાપ્રધાનના હસ્તે ઉદઘાટન થયું. આ પુલ એક સુવિધામાત્ર નહિં, પરંતુ એન્જીનિયરીંગનો એક કમાલ છે, એથી વધુ ગુજરાતની ભગવાન શ્રીકૃષ્ણ પ્રત્યેની શ્રદ્ધાનું પ્રતીક છે. દ્વારકાધીશના દર્શન ને સરળ બનાવતો આ સેતુ દ્વારકા નગરીની દિવ્યતામાં ચારચાંદ લગાવે છે. ઉલ્લેખનીય છે કે બાન્દ્રા-વર્લી સી લિંક કેબલ બ્રિજથી આ બ્રિજ લાંબો છે, વળી આ બ્રિજમાં ફૂટપાથ/સાઈકલ રસ્તો/ ગોલ્ફ કારનો રસ્તો પણ છે.
સુદર્શન સેતુના નિર્માણ થકી દેવભૂમિ દ્વારકા જિલ્લાની યશકલગીમાં એક મોરપીંછ ઉમેરાયું છે. પ્રવાસનના વિકાસ થકી બેટ-દ્વારકા તેમજ ઓખામાં નવી રોજગારીનું સર્જન થતાં ગરીબ તથા મધ્યમ વર્ગ માટે આર્થિક ઉન્નતિનો માર્ગ મોકળો બન્યો છે. સુદર્શન સેતુને કારણે ભાવિકોનો સમય બચવા સાથે સુવિધાઓમાં પણ વધારો થયો છે.
સુદર્શન સેતુની લંબાઇ ૨.૩૨ કિલોમીટર છે, જેમા ૯૦૦ મીટર કેબલ સ્ટેયડ ભાગ છે. બ્રિજના મુખ્ય ગાળામાં બંને પાયલોન પર ૨૦ બાય ૧૨ મીટરના ૪ મોરપંખ આકારવામાં આવ્યાં છે. ઓખા તરફ ૩૭૦ મીટર લંબાઈનો એપ્રોચ બ્રિજ, બેટ તરફ ૬૫૦ મીટર એપ્રોચ બ્રિજ છે. બ્રિજના મુખ્ય ગાળામાં ૧૩૦ મીટર ઊંચાઇ ધરાવતા બે પાયલોન છે. આ ચાર માર્ગીય બ્રિજની પહોળાઈ ૨૭.૨ મીટર છે, જેમાં બન્ને બાજુ ૨.૫૦ મીટરના ફૂટપાથ છે. ફૂટપાથની બાજુ પર કોતરણી કામ કરી ભગવદ્ગીતાના શ્લોક તેમજ ભગવાન શ્રીકૃષ્ણની છબિઓ દર્શાવવામાં આવી છે. ફૂટપાથ ઉપર લગાવેલ સોલાર પેનલની ૧ મેગાવોટની વિજળી ઉત્પાદનક્ષમતા છે, જેનો ઉપયોગ બ્રીજના લાઇટીંગમાં થય છે. બ્રીજ પર કુલ ૧૨ લોકેશન પ ર પ્રવાસીઓ માટે વ્યુઇંગ ગેલેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે.
ભાર્ગવ કે. ભંડેરી,
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ડબલ્યુ.એચ.ઓ. દ્વારા વિશ્વનું સૌપ્રથમ અને એકમાત્ર આઉટ પોસ્ટ સ્ટેશન ગ્લોબલ ટ્રેડીશનલ મેડિસિન સેન્ટર પણ જામનગરમાં
આસો વદ તેરસની ધનતેરસ તરીકે પણ સર્વત્ર ઉજવણી કરવામાં આવે છે સાથે સાથે આ દિવસે આયુર્વેદના આરાધ્ય દેવ શ્રી ભગવાન ધન્વન્તરિ દેવનો પ્રાગટ્ય દિવસ પણ છે અને આ દિવસને કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લાં નવ વર્ષથી આયુર્વેદ દિવસ તરીકે પણ ઉજવવામાં આવી રહ્યો છે. અને આ વર્ષે આયુર્વેદ દિવસની ઉજવણી દેશના સિમાડાઓ વટાવી ૧૦૦ થી વધુ દેશોમાં થઇ રહી છે. ત્યારે આવો જાણીએ આ સંસ્થાનને લોકલ ટુ ગ્લોબલ બનાવવામાં વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણા અને ભૂમિકા કેટલી મહત્ત્વની રહી છે.અને કઈ રીતે આ સંસ્થા વૈશ્વિક સ્તરે મહત્ત્વપૂર્ણ બની છે.
રજવાડાના સમયે શરૂ
થયેલી પદ્ધતિ બની ગ્લોબલ
જામનગર એ આયુર્વેદનું કાશી અને માન્ચેસ્ટર તેમજ ઉદગમ સ્થાન તરીકે વિશ્વ વિખ્યાત બન્યું છે કારણ કે અહીં રજવાડાંના સમયથી થયેલી શરૂઆત આજે વિશ્વભરની પરંપરાગત ચિક્ત્સાનું મહત્ત્વનું કેન્દ્ર બનવા જઇ રહી છે.વર્ષ ૨૦૨૦માં ૧૫ ઓક્ટોબરના રોજ ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના વરદહસ્તે આયુર્વેદ શિક્ષણ અને અનુસંધાન સંસ્થાન (ઈટ્રા) ની સ્થાપના કરવામાં આવી હતી જે સમગ્ર દેશનું સૌપ્રથમ અને એકમાત્ર રાષ્ટ્રીય મહત્વનો દરજ્જો ધરાવતું સંસ્થાન બનવા પામ્યું છે.ચિકિત્સા અને સારવાર માટે અહી ઇટ્રામાં જાણે મહા યજ્ઞ યોજાઇ રહ્યો હોય તેમ ત્રણસો પથારીની સુવિધા સાથેની અદ્યતન એન.એ.બી.એચ.પ્રમાણિત રાજ્યની એક માત્ર અને સૌપ્રથમ આયુર્વેદ ક્ષેત્રની હોસ્પિટલ કાર્યરત છે જેમાં દૈનિક સરેરાસ ૧,૫૦૦ દર્દીની ઓ.પી.ડી. ચાલે છે. વધુમાં જામનગર શહેર અને જિલ્લામાં સુરક્ષાદળો, જેલ, ગ્રામ્ય વિસ્તાર વગેરે જેવા કુલ આઠ સ્થળોએ પણ ઓ.પી.ડી. સુવિધા કાર્યરત કરવામાં આવી છે.
આઈટીઆરએ (ઈટ્રા) ની સિદ્ધિ
આયુર્વેદ અને શસ્ત્રક્રિયા એ સામાન્ય રીતે લોકો માટે થોડો આશ્ચર્ય પમાડે તેવી વાત છે ત્યારે ઇટ્રામાં ૧૦૦ દિવસના ટૂંકાગાળામાં જ શલ્ય વિભાગ દ્વારા કુલ ૫૨૨ થી વધુ શસ્ત્રક્રિયા સફળતાપૂર્વક કરવામાં આવી છે. સામાન્ય સમસ્યાથી લઇ વૈશ્વિક મહામારી અને ગંભીર પ્રકારના રોગોની સારવાર માટે અહીં સક્ષમ પ્રયાસો થકી સારા પરિણામો મેળવાઇ રહ્યાં છે. આધુનિક વિજ્ઞાનની કુલ ૬ પ્રકારની એન.એ.બી.એલ.પ્રમાણિત લેબોરેટરી અને અદ્યતન સાધનો અહીં ઉપલબ્ધ છે. યોગ અને નિસર્ગોપચાર માટે અલાયદું કેન્દ્ર અહીં શરૂ કરી લોકોની સ્વાસ્થ્ય સુખાકારી માટે કાર્યરત કરાયું છે જેનો નાગરિકો ભરપૂર લાભ લઈ રહ્યા છે. તાજેતરમાં જ યોગ નેચરોપેથી માટે ૬ ડિ પ્લોમા-પ્રમાણપત્ર કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યાં છે. ઇટ્રામાં યોજવામાં આવતા આયુર્વેદ સ્વાસ્થ્ય મેળામાં લોકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળતો હોય છે જેમાં વિનામૂલ્યે સ્વાસ્થ્ય પરિક્ષણ અને સારવાર તો આપવામાં આવે જ છે ઉપરાંત નાડિ-શ્રમ પરિક્ષણની સાથે રોજિંદા જીવનમાં આયુર્વેદ શૈલી અપનાવવાથી શું ફાયદો થાય અને સ્વાસ્થ્ય કેમ સમૃદ્ધ બનાવી શકાય તે માટે વિશાળ ડોમમાં પ્રદર્શન યોજવામાં આવે છે.ગત વર્ષે પણ અહી મિલેટ્સને અનુમોદન આપવા માટે 'સ્વાસ્થ્ય અને શ્રીધાન્ય મેળા'નું આયોજન કરવામાં આવ્યું હતું.
આયુર્વેદિક અભ્યાસક્રમો
ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ (આઇ.ટી.આર.એ.) દ્વારા સાત રાષ્ટ્રીય અને આઠ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે એમ.ઓ.યુ. કરી વિશેષ શૈક્ષણિક અને બીન શૈક્ષણિક કાર્યો હાથ ધરાયા છે. આઇ.ટી.આર.એ. ખાતે સમૃદ્ધ અને અતિ અદ્યતન લાયબ્રેરી છે જેમાં ત્રીસ હજારથી વધુ પુસ્તકો અને પાચ હજારથી વધુ હસ્તપ્રતો (મેન્યુસ્ક્રિપ્ટ) ઉપલબ્ધ છે. આ ગ્રંથાલયમાં છેલ્લા છ દાયકામાં થયેલાં તમામ શૈક્ષણિક સંશોધનોને ડિજિટલાઇઝ કરીને વિજાણું સ્વરૂપે ઉપયોગ અર્થે સાચવવામાં આવ્યાં છે.અહીં એનીમલ હાઉસ પણ છે જ્યાં નિયત માપદંડોથી તબીબી અને ઔષધિય સંશોધનો કરવામાં આવે છે.
સંસ્થામાં કુલ ૧૪ શૈક્ષણિક વિભાગોમાં સર્ટિફિકેટથી લઇ પીએચ.ડી. સુધીના કુલ દસ અભ્યાસક્રમો ચાલે છે.અહીં વિવિધ આંતરરાષ્ટ્રીય અભ્યાસક્રમમાં અત્યાર સુધીમાં પચાસથી વધુ દેશોના કુલ ચારસોથી વધુ વિદેશી વિદ્યાર્થીઓએ અભ્યાસ પૂર્ણ કર્યો છે.વિશ્વ કક્ષાએ જેનું મહત્વ છે તેવું પીઅર રીવ્યુડ જર્નલ 'આયુ'અહીંથી પ્રકાશિત થાય છે અને આયુર્વેદ તબીબો-સંશોધકો અત્યાર સુધીમાં સાડા પાચ હજારથી વધુ શોધપત્રો મહત્ત્વના અને પ્રમાણિત જર્નલોમાં પ્રકાશિત કરી ચૂક્યાં છે.
આઇ.ટી.આર.એ.માં વન નેશન-વન હેલ્થના મંત્રને ચરિતાર્થ કરવાં આયુર્વેદને આધુનિક અને અન્ય ચિકિત્સા પદ્ધતિ સાથે જોડી નવા આયામો આકાર આપવાની પ્રક્રિયા કાર્યરત છે.
આગામી ભવિષ્યમાં આયુર્વેદ ક્ષેત્રના સિમાડાંઓ વિસ્તરણ કરવાની નેમ સાથે આયુર્વેદ પદ્ધતિની સુપર સ્પેસ્યાલિટી હોસ્પિટલ, આયુર્વેદ અને આયુર્વેદ ફાર્માસિ અભ્યાસક્રમોમાં અત્યાધુનિક પદ્ધતિ અને આધુનિક વિજ્ઞાન સાથે સમન્વય કરી સંશોધન અને સારવારની પદ્ધતિ વિકસાવવા માટે કમર કસવામાં આવી રહી છે.
આયુર્વેદ ક્ષેત્ર માટે પ્રથમેશઃ જામનગર
વર્ષ ૧૯૪૪ માં રાજવી જામ પરિવાર દ્વારા આયુર્વેદ ચિકિત્સા માટે કેન્દ્ર સ્થપાયું ત્યાર બાદ વર્ષ ૧૯૪૬માં સૌપ્રથમ ગુલાબકુંવરબા આયુર્વેદ સંસ્થાની સ્થાપના થઇ અને/આઝાદી બાદ વર્ષ ૧૯૪૭માં આયુર્વેદ માટે આધુનિક સંશોધન કેન્દ્ર સ્થપાયું, વર્ષ ૧૯૫૪માં સી.આઇ.આર. આઇ.એસ.એમ. સૌપ્રથમ કેન્દ્રિય સંશોધન કેન્દ્ર પણ અહીં સ્થપાયું, વર્ષ ૧૯૫૬માં સૌપ્રથમ પોસ્ટ ગ્રેજ્યુએટ શિક્ષણ સંસ્થાન પણ જામનગરમાં સ્થપાયું, વર્ષ ૧૯૬૭માં અહીં વિશ્વની સૌપ્રથમ આયુર્વેદ વિશ્વવિદ્યાલય શરૂ કરવામાં આવી, આયુર્વેદ ક્ષેત્રનું સૌપ્રથમ ડબલ્યુ.એચ.ઓ.નું કોલોબ્રેટિવ સેન્ટર પણ અહીં જ સ્થપાયું, વર્ષ ૨૦૨૦માં દેશની સૌપ્રથમ અને એક માત્ર રાષ્ટ્રીય મહત્ત્વનો દરજ્જો ધરાવતી સંસ્થા આઇ.ટી.આર.એ. પણ અહીં સ્થપાઇ અને વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ડબલ્યુ.એચ.ઓ. દ્વારા વિશ્વનું સૌપ્રથમ અને એક માત્ર આઉટ પોસ્ટ સ્ટેશન 'ગ્લોબલ ટ્રેડિશલ મેડિસિન સેન્ટર' (જી.ટી.એમ.સી.) પણ જામનગરને ફાળે આવ્યું છે.
ફ્લાઈંગ વૈદ્યને આયુર્વેદના વિકાસનું સોંપાયું સુકાન
છેલ્લાં બે દાયકામાં આયુર્વેદને વિશ્વ કક્ષાએ અભૂતપૂર્વ મહત્ત્વ મળી રહ્યું છે અને કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં તેને મહત્ત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે. ત્યારે તેના વિકાસ માટે સરકાર સખત અને સતત પ્રયત્નો કરી રહી છે તેમાં ભારત સરકારના આયુષ વિભાગના સચિવ તરીકે પદ્મશ્રી વૈદ્ય રાજેશ કોટેચાને સુકાન સોપવામાં આવ્યું છે જેઓને વડાપ્રધાન મોદીજી 'ફ્લાઇંગ વૈદ્ય' તરીકે નવાજે છે. કારણ કે તેઓએ વિશ્વના ત્રણ ડઝનથી વધુ દેશોમાં આયુર્વેદનો પ્રચાર-પ્રસાર કરી તેનું ફલક વિસ્તાર્યું છે. તેઓ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના કુલપતિ તરીકે પણ કાર્ય કરી ચૂક્યાં છે. હાલ આઇ.ટી.આર.એ.ના પ્રભારી નિયામક પ્રૉ. બી.જે. પાટગીરી દ્વારા આયુર્વેદ જામનગરના આયુર્વેદ ક્ષેત્રને શિક્ષણ અને સંશોધનની બાબતમાં ઉત્તમોતમ બનાવવા માટે પ્રયત્નશીલ છે.
વિરેન્દ્રસિંહ પરમાર
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
રોગોને મૂળમાંથી કાઢવાની ચિકિત્સા પદ્ધતિ
જામનગર તા. ૧૦: આયુર્વેદ એ પ્રાચીન ભારતના તબીબી વિજ્ઞાનની દૂરંદેશીતાનું એક ઉત્તમ ઉદાહરણ છે. આયુર્વેદમાં જે પ્રકારની સારવાર તથા નિદાનની વાત કરવામાં આવે છે, તે શરીરના રોગોને મૂળથી દૂર કરવા માટે હોય છે. ઘણાં અસાધ્ય રોગોમાં આયુર્વેદિક સારવાર વધુ કારગત નીવડે છે.
દાંતની જ વાત કરીએ, તો દાંત એ શરીરનું અવિભાજ્ય અંગ છે. તેની સંભાળ રાખવી પણ અત્યંત જરૂરી છે. પરંતુ, જ્યારે આ દાંતમાં કોઈ પ્રકારનો રોગ ઘર કરી જાય, ત્યારે તેને કાઢવો એ મુશ્કેલીભર્યું કામ છે. હાલની ડેન્ટલ ટ્રીટમેન્ટમાં દાંત કાઢવા માટે થોડા પ્રમાણમાં એનેસ્થેસિયા આપીને દર્દીના જડબાનો ભાગ બહેરો કરવામાં આવે છે, અને તે પછી જે તે દાંત અથવા દાઢને કાઢવામાં આવે છે. આ પ્રક્રિયા ઘણી લાંબી અને પીડાદાયક હોય છે. ઉપરાંત, તેમાં એનેસ્થેસિયાનું જોખમ પણ રહેલું છે. હૃદય રોગ, ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર જેવા રોગોના દર્દીઓને, કે જેમને એનેસ્થિસિયા આપવો હિતાવહ નથી હોતો, તેમના માટે ઘણીવાર દાંતના દુખાવાને સહન કરવો જ એકમાત્ર વિકલ્પ રહી જાય છે.
આયુર્વેદમાં આવી પરિસ્થિતિમાં પણ દર્દીને વધુ દુખાવો ના થયા, તે રીતે દાંતને કાઢવાનો ઉપાય છે. જાલંધર બંધ નામની પ્રાચીન આયુર્વેદિક પદ્ધતિથી હલતા તથા સડી ગયેલા દાંતને એનેસ્થેસિયા વગર કાઢવા માટે આ પદ્ધતિનો ઉપયોગ થાય છે. આ પદ્ધતિમાં ગરદનની યોગ્ય મુવમેન્ટ દ્વારા સુષુમણા નાડીના ચેતાતંત્રને બહેરું કરીને સાવ ઓછા સમયમાં, કોઈ પણ જાતના દુખાવા વિના સડી ગયેલાકે હલતાં દાંતને કાઢી શકાય છે.
આ જાલંધર બંધ નામની પદ્ધતિ પ્રમાણમાં ઓછી પ્રચલિત છે. આ પદ્ધતિને વધુ જનભોગ્ય બનાવવાના ઉદ્દેશ્યથી ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના શાલાક્ય વિભાગ દ્વારા સાંદિપની આશ્રમ, પોરબંદરમાં જાલંધર બંધ આધારિત દંતોટપાતન વિધિથી ડેન્ટલ એકસ્ટ્રેકશન કેમ્પ અને હેન્ડ ઓન ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રિના તમામ નવ દિવસ સુધી ચાલનારા આ કેમ્પમાં ૧૭ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. આ ઉપરાંત, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીની ૩ર કોલેજના ફેકલ્ટી મેમ્બર્સે પણ આ ટ્રેનિંગ કેમ્પમાં જોડાઈને જાલંધર બંધની આ પદ્ધતિથી દાંતના રોગોની સારવાર થઈ શકે તે માટે પ્રયત્નો કર્યા છે. આ પદ્ધતિનો લાભ વધુમાં વધુ લોકો લઈ શકે અને આ પદ્ધતિનો પ્રચાર-પ્રસાર થાય તે હેતુ માટે આ ટ્રેનિંગ કેમ્પનું આયોજન ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યું છે.
મૂળ ભારતીય યોગશાસ્ત્રમાં ત્રણ પ્રકારના બંધનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મૂળબંધ, ઉડિયાન બંધ તથા જાલંધર બંધ. યોગશાસ્ત્ર પ્રમાણે રકતાભિષણ અર્થાત બ્લડ સકર્યુલેશન ઉપર કરવાની પ્રક્રિયાને બંધ કહે છે. જાલંધર બંધમાં ગળાની ઉપરના અવયવોમાં લોહીનો પ્રવાહ કન્ટ્રોલ કરવામાં આવે છે. આયુર્વેદ અનુસાર શરીરમાં વાયુનો પ્રભઆવ અટકાવીએ તો પીડાને અટકાવી શકાય છે. આ પદ્ધતિમાં ૪ પ સેકન્ડ માટે ગળાથી ઉપરના ભાગમાં વાયુની ગતિ અટકાવીને તરત જ દાંત પાડી દેવામાં આવે છે. જેનાથી લોહી ખૂબ ઓછું વહે છે, તથા દુખાવામાં પણ રાહત રહે છે.
પોરબંદર સ્થિત સાંદિપની આશ્રમમાં આ પ્રકારનો ડેન્ટલ કેમ્પ વર્ષોથી આયોજિત કરવામાં આવે છે. આ સંસ્થાના સહયોગથી આ અદ્વિતીય પ્રાચીન ટેકિનકને હાલના સમયમાં પ્રેક્ટિસમાં મૂકીને એનેસ્થેસિયા તથા દુખાવા વગર સડેલા અને હલતા દાંતની સારવાર કરવામાં આવે તથા આ પદ્ધતિ પ્રચલિત બને તે માટે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના કુલપતિ ડો. મુકુલ પટેલના માર્ગદર્શનમાં વિદ્યાર્થીઓ તથા પ્રાદ્યાપકો માટે પણ આ ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. દંત વૈદ્ય સરોજબેન જોશી, વૈદ્ય હારિન્દ્ર દવે તથા વૈદ્ય શ્રેણિક નાહતા આ કેમ્પમાં પ્રશિક્ષણ આપે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
અહીં દુર્વાષા ઋષિનો આશ્રમ, ૩૨ પ્રાચીન પૂતળાઓ-ભોયરૂ, મહાપ્રભુજીની બેઠક છે
ખંભાળીયા તા. ૨૧: દેવભૂમિ દ્વારકા જિલ્લો જુદા-જુદા ધાર્મિક સ્થાનો માટે જાણીતું છે ત્યારે કલ્યાણપુર તાલુકાનું પિંડારા ગામ અનોખું છે. જ્યાં ભીમ-પાંડવો દ્વારા તેમના પૂર્વજોના પીંડ લોખંડના તરાવીને પિતૃ મોક્ષ કરાવ્યો હતો.
પીંડતારક કૂંડ
ભાટિયા-નંદાણા કે રાણ તરફથી દ્વારકા ચરકલા જતા રોડ પર પંદરેક કિ.મી. ફૂટ પિંડારા એટલે કે, પીંડ તારક ગામ આવેલું છે. જ્યાં સમુદ્રના કાંઠા પર પીંડતારક કૂંડ આવેલો છે. જ્યાં મહાભારતના યુદ્ધ પછી પાંડવોએ આવીને લોખંડના ૧૦૮ પીંડ ઋષિમુનીઓની સલાહથી તરાવ્યા હતાં તથા પિતૃ મોક્ષ કરાવ્યો હતો.
ત્રણ શિવલીંગવાળું મહાદેવનું મંદિર
હાલ વિશાળ જગ્યામાં આવેલ પીંડતારક જગ્યામાં વિશાળ મેદાન સમુદ્રના કાંઠા પાસે પીંડતારક કૂંડ અતિ પ્રાચીન ત્રણ શિવલીંગવાળું મહાદેવનું મંદિર તથા દુર્વાસા ઋષિનો આશ્રમ આવેલો છે.
પાંચ હજાર પુરાણી જગ્યા
આ અતિ પ્રાચીન પાંડવકાલીન જગ્યા કે જ્યાં પાંડવો આવેલા તે પાંચ હજાર વર્ષ પુરાણી જગ્યા છે, પણ અહીં સગવડતા નથી. પવિત્ર કૂંડ ગંદા પાણીથી ભરેલો છે તથા દુર્વાષા આશ્રમ બાજુમાં છે, જ્યાં દુર્વાષા ઋષિ સ્થાપિત અતિ પ્રાચીન ખૂબ જ ઉંચા શિવલીંગ, દુર્વાષા ઋષિ જ્યાં બેસતા તે જગ્યા પ્રાચીન મૂર્તિઓ, બત્રીસ પ્રાચીન પૂતળીઓ જેને દરેક ગણતા જુદો આંકડો આવે, નજીકના સમુદ્રમાં ઉંડે આવેલો અન્ય કૂંડ જ્યાં શ્રાવણ-અમાસના જાણકારો જઈ શકે છે તથા દુર્વાષા આશ્રમ પાસે પ્રાચીન ભોંયરૃં તથા નજીકમાં મહાપ્રભુજીની બેઠક આવેલા છે.
રાણનું વૃક્ષ જ્યાં દુર્વાષા ઋષિ તપ કરતા
પિંડારા ગામની નજીક જ વિશાળ તળાવ જે બારે માસ પાણીથી ભરેલું હોય છે. ત્યાં તળાવના કાંઠે જમીનમાં ૩૦/૩પ ફૂટ ઉંડો અને વિશાળ થડ અને બખોલોવાળું વૃક્ષ રાણનું છે. જે હજારો વર્ષ જુનું છે. જ્યાં દુર્વાષા ઋષિ તપ કરતા હતાં, તે ભવ્ય જગ્યા પણ જોવા લાયક છે. જેનાથી ઘણાં લોકો અજાણ છે.
મલ્સકુસ્તી મેળાની વિશેષતા
પિંડારામાં દર વર્ષે યોજાતો મલ્લ કુસ્તી મેળો પણ ખૂબ જ જાણીતો છે, ત્યારે હાલ ગુજરાત સરકાર પ્રવાસન ક્ષેત્રને મહત્ત્વ આપીને વિકાસ કરી રહી છે ત્યારે ખાસ દ્વારકા જિલ્લાનો વધુ વિકાસ થાય તો અહીં દ્વારકા આવતા હજારો યાત્રિકો દુર્વાષા આશ્રમ, પીંડતારક કૂંડની મુલાકાત લઈ શકે તથા પ્રાચીન રાણ વૃક્ષ જોઈ શકે.
ચરણગંગાનો ઈતિહાસ
દુર્વાષા આશ્રમથી જ શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણી રથમાં જાતે જોડાઈને ઘોડાની જગ્યાએ રથ લઈને દ્વારકા દુર્વાષા ઋષિને લઈ જતા ટુંપણી ગામ પાસે રૂક્ષ્મણીને પાણીની તરસ લાગતા ચરણગંગા શ્રીકૃષ્ણએ પ્રગટ કરેલી, જે સ્થળ પણ જાણીતું છે, ત્યારે પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરા દ્વારકા જિલ્લાના ધારાસભ્ય છે, ત્યારે લોકો આ સ્થળના વિકાસની રાહ જુએ છે. આ સ્થળે લોકો બહુ દૂરથી આવે છે, પણ તેમને રહેવાની કોઈ વ્યવસ્થા નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) ના લાભાર્થીઓનો પ્રતિભાવ
ખંભાળીયા તા. ૧૮: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા તાલુકામાં આવેલ કાકાભાઈ સિંહણ ગામના લાભાર્થી કમાભાઈ ગાંગાભાઈ ડોરુંનો ૧૦ વ્યક્તિનો પરિવાર. પતિ, પત્ની બે પુત્રો અને તેમના પરિવાર સાથે જુના ફળિયા વિસ્તારમાં નળિયાવાળા કાચા મકાનમાં રહેતાં. કમાભાઈ તેમજ તેમનાં પુત્રો છુટક મજુરી કામ કરે. બન્ને પુત્રોને પત્ની અને બે પુત્રોનો પરિવાર. આ કાચા મકાનનો ઘણો ભાગ વર્ષો પહેલાં વાવાઝોડામાં પડી ગયેલો, રહેવા માટે લાયક ન હોવા છતાં આ તુટેલા મકાનમાં રહેવા સિવાય કોઈ આરો નહોતો. વરસાદમાં, પવનોમાં અને ઠંડી, ગરમીમાં આધાર ન મળે, તો શૌચાલય કે બાથરૂમની તો વાત જ ક્યાંથી હોય? આવી પરિસ્થિતિમાં વર્ષો વિતતાં હતાં.
પરિવારને રહેવા માટે ઘર તો નહોતું પણ પાકું ઘર બનાવવાં માટે જમીન પણ ન હતી. છેવાડાનાં માનવીને યોજનાકીય સહાય દ્વારા પગભર કરીને તેને વિકાસયાત્રામાં જોડવાની સરકારશ્રીની નીતિ અને નિયતને લીધે તેમના પરિવારની વ્હારે સરકાર આવી. તેમને ઘરથાળ યોજના અંતર્ગત ગામનાં ભરવાડવાડા વિસ્તારમાં ૯૦૦ ચોરસ ફુટ જમીન ફાળવવામાં આવી. વધુમાં તેના પર ઘર બાંધવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અને અન્ય યોજનાઓ અંતર્ગત ઘર બાંધવા માટેની ૧.૫ લાખ જેટલી સહાય મંજૂર કરવામાં આવી.
લાભાર્થી કમાભાઈ ડોરું પોતાનો અનુભવ જણાવતાં કહે છે કે, અત્યાર સુધી કોઈ અમારી સંભાળ લેવા આવ્યું નહોતું. અમારી સહાય કરીને પ્લોટ આપવા અને ઘરનો આધાર બનવવા સહાય આપવા માટે સરકારનો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે.
તેમનાં પુત્ર પ્રવિણભાઈ જણાવે છે કે, આ ઘર બનાવવાં માટે પ્રધાનમંત્રી આવાસ યોજના- ગ્રામીણ, મનરેગા, શૌચાલય માટેની સહાય મળીને દોઢ લાખ જેટલી સહાય અલગ અલગ હપ્તાઓમાં મળી છે. આ સહાયથી અમે બે રૂમ, રસોડૂ અને ઓસરીનું મકાન બાંધ્યું છે. બાથરૂમ અને શૌચાલય બનાવ્યાં છે. પહેલાં વરસાદ, ઠંડી-ગરમીની ઋતુમાં તકલીફો પડતી, હવે પાકું મકાન આપીને સરકારે સુખી કરી દિધા છે. વરસાદનો અને પવનોથી ઘર પડવાની ચિંતા મટી છે. ઘરનાં મહિલાઓને વ્યવસ્થિત રસોડું તેમજ શૌચાલયની સુવિધા મળી છે. બાળકોને ભણવા માટે પણ હવે સગવડતા છે. આ ૧૦ વ્યક્તિના પરિવારને રહેવા માટે આધારરૂપ પાકું ઘરનું સ્વપ્ન પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ થકી હકીકત બન્યું. પાકાં મકાનમાં રહેવા મળતાં સમગ્ર પરિવારને જાણે એક આધાર અને આગળ વધવા નવો જુસ્સો મળ્યો.
પ્રધાનમંત્રી આવાસ યોજના- ગ્રામીણ ગ્રામ્ય વિસ્તારમાં રહેતાં પરિવારો કે જે ઘરવિહોણાં છે, અથવા કાચા ઘરમાં રહે છે, તેઓને પાકું મકાન બનાવવા માટે સહાય આપીને વિકસિત ભારત માટે "હાઊસિંગ ફોર ઓલ" ના સ્વપ્નને સાકાર કરવા માટે અમલમાં મુકવામાં આવી છે. આ યોજનાનો લાભ લેવા તેમજ વધુ માહિતી માટે ગ્રામ પંચાયતમાં તલાટી કે વી.સી.ઈ.નો સંપર્ક કરીને અરજી કરી શકાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ભારતીય સંસ્કૃતિમાં ગાય અને ધરતીને માતાનો દરજ્જો અ૫ાયો છે
ભારતીય સંસ્કૃતિમાં ગાય અને ધરતી બન્નેને 'માઁ' નો દરજ્જો આપવામાં આવ્યો છે. આથી, તે બન્નેનું સંરક્ષણ કરવાની જવાબદારી પ્રત્યેક મનુષ્યની છે. પ્રાકૃતિક ખેતી એ જમીનનાં સત્ત્વનું રક્ષણ કરતી વિલક્ષણ ખેતીપદ્ધતિ છે, જેમાં ગાયનો પણ મહત્ત્વપૂર્ણ ફાળો હોય છે. પ્રાકૃતિક ખેતીમાં વિવિધ કુદરતી ચક્રો તેમજ જીવામૃત, વાપ્સા વ્યવસ્થાપન, આચ્છાદન અને સહજીવી પાક પદ્ધતિ વગેરેના સુમેળભર્યા ઉપયોગથી સફળ પાક લેવામાં આવે છે. હાલનાં સમયમાં પ્રાકૃતિક ખેતી એક વ્યવહારીક ખેતી તરીકે પ્રસ્થાપીત થઈ રહી છે. આ ઓછા ખર્ચે થતી પ્રાકૃતિક ખેતી ફક્ત નાના ખેડૂતો જ નહિં પણ, મધ્યમ અને મોટા ખેડૂતોને પણ લાભદાયી સાબિત થઈ છે. પદ્મશ્રી સુભાષ પાલેકરજી ના સંશોધન અને તાંત્રિક સહયોગથી ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત દ્વારા વર્ણવાયેલ પ્રાકૃતિક કૃષિપદ્ધતિ અનુસાર બાગાયતી પાકોની પ્રાકૃતિક ખેતીમાં સપ્તધાન્યાંકુર અર્કની મહત્ત્વની ભૂમિકા વિષે આ લેખમાં જાણીએ.
સપ્તર્ષિ, સપ્ત ચક્ર, સપ્તાહ વગેરે આપણી સંસ્કૃતિમાં વણાયેલું છે, તે જ રીતે બાગાયતી પાકોની પ્રાકૃતિક ખેતીમાં સાત અલગ અલગ દાણાથી બનતા સપ્તધાન્યાંકુર અર્કનું અનેરૃં મહત્વ છે. આ અર્ક બનાવવાની પદ્ધતિમાં એક વાટકીમાં ૧૦૦ ગ્રામ તલ (કાળા અથવા સફેદ) લઈને તેને પાણીમાં પૂરા ડુબે એટલું પાણી લઈને પલાળો અને કપડાંથી ઢાંકીને રાખો. બીજા દિવસે સવારે અન્ય મોટી વાટકીમાં મગ, અડદ, ચોળા, મઠ, ચણા, ઘઉં આમ છ પ્રકારના દાણા દરેક ૧૦૦ ગ્રામની માત્રામાં લઈને તેને ભેગા કરો અને તે પાણીમાં સારી રીતે પલળે તેટલું પાણી ઉમેરી વાટકી સુરક્ષિત જગ્યા ઉપર રાખો. બીજા દિવસે બધા જ પલાળેલા દાણા તલ સહિત એક ભીના કપડામાં બાંધો. તે પોટલી ઘરમાં અંકુરણ થવા માટે લટકાવીને રાખી દો. જે પાણીમાં આ સાતે પ્રકારના દાણા પલાળ્યા હતા તે પાણીને સાચવી રાખો. હવે જે દિવસે પોટલી અંદરના દાણામાં ૧ સેન્ટિમીટર જેટલા લાંબા અંકુર ફૂટે, તે દિવસે પોટલીમાંથી બધા જ દાણા કાઢીને તેની ખાંડણીયામાં ચટણી બનાવો. (મિક્સર ગ્રાઈન્ડરનો ઉપયોગ ન કરવો. તેમાં ગરમી પેદા થવાથી અંતઃસ્ત્રાવો ઊડી જાય છે.) ૨૦૦ લીટર પાણી લઈ તેમાં ૧૦ લીટર દેશી ગાયનું ગૌમૂત્ર ઉમેરો, દાણા પલાળ્યા હતા તે પાણીને પણ આમાં ઉમેરીને મિશ્રણને લાકડીથી હલાવો પછી તેની સાથે જ દાણાની ચટણી ઉમેરો. ચટણીને આ પાણીમાં આંગળીથી ચોળીને સારી રીતે ભેળવી દો. ફરી એક વખત હલાવ્યા બાદ સ્થિર થયા પછી, તેને બે કલાક કોથળાથી ઢાંકીને રાખી મૂકો. પછી દ્રાવણને કપડાથી ગાળી લો અને તરત તેનો છંટકાવ કરી દો. આ દ્રાવણ બન્યા પછી ૨૪ કલાકની અંદર તેનો ઉપયોગ થઈ જવો જરૂરી છે.
આ સ્પ્તધાન્યાંકુરના છંટકાવથી ફળ અને દાણાની સાઈઝ વધે છે, ચમક આવે છે ફળ અંદરથી પૂરી રીતે ભરાઈ જાય છે. ઉપરાંત, ફળોનાં ડિટ મજબૂત બનતાં ફળ ખરતાં અટકે છે. પરિણામે સ્વાદ, સુગંધ વધે છે તેમજ ઉત્પાદન પણ વધે છે. પાકના દાણા દુગ્ધ અવસ્થા (મીલ્કીંગ સ્ટેજ) માં હોય, તે સમયે આ સ્પ્તધાન્યાંકુરનો છંટકાવ પાક ઉપર કરવો. છંટકાવ સમયે તેમાં પાણી ભેળવવું નહિ એટલે કે જેવો છે તેવી જ સ્થિતિમાં છંટકાવ કરવો. ફળઝાડ ઉપર ફળો લાગવાની શરૂઆત થાય ત્યાર પછી ફળ ઉપર અને પાન ઉપર ૨૦૦ લીટર સપ્તધાન્યાંકૂરનો પ્રતિ એકર એક મહિનામાં ઓછામાં ઓછા એક વખત છંટકાવ કરવો. ફૂલની ખેતીમાં જ્યારે ફૂલ કળી અવસ્થામાં હોય ત્યારે પ્રતિ એકર ૨૦૦ લીટર સ્પ્તધાન્યાંકુર અર્કનો છંટકાવ કરવો. લીલાં શાકભાજી, પાલક, મેથી કાપ્યા પછી પાંચ દિવસમાં સપ્તધાન્યાંકુર ૨૦૦ લીટર પ્રતિ એકર છંટકાવ કરવો.
આમ, બાગાયતી પાકોની પ્રાકૃતિક ખેતીમાં ફળ-શાકભાજીની ચમક, વજન અને ગુણવત્તા નૈસર્ગિક રીતે વધારવા માટે તેમજ પોષક તત્વો પૂરાં પાડીને સફળ પાક ઉત્પાદન માટે સપ્તધાન્યાંકુર અર્કની અગત્યની ભૂમિકા રહેલી છે.
આલેખનઃ ભાર્ગવ કેે. ભંડેરી
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
રાજવીકુળના સંસ્મરણોઃ 'એક પેડ માં કે નામ'ના સંકલ્પને અનુમોદન
જામનગર તા. ૧રઃ જામનગરમાં છેલ્લે આવેલા અનરાધાર વરસાદ અને તોફાની પવન જેવી સ્થિતિમાં ઈટ્રાના ધન્વન્તરિ મેદાનમાં એક સદીથી પણ જુનો વડલો ધરાશાયી થયો હતો. આ વડલો આયુર્વેદ સંસ્થાનને જામનગરના નામદાર રાજવી પરિવાર તરફથી સાંપડેલા આયુર્વેદ પરિસરની સાથે જ મળ્યો હતો. તે વાતાવરણની તોફાની સ્થિતિમાં તા. ર૮ ઓગસ્ટના પડી ભાંગતા તેને ફરી જીવતદાન આપવાનો અભિનવ અને અભિન્ન પ્રયોગ થવા જઈ રહ્યો છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, જામનગરના ઈતિહાસમાં આ ઘટના સૌ પ્રથમ વખત થવા જઈ રહી છે. એક વૃક્ષનું મહત્ત્વ જીવનમાં અનેક ગણું છે ત્યારે તેને મૂળથી ઉખડી ગયા પછી પણ ફરી સજીવન કરવાનો આ પ્રયોગ એ અનોખી અને નવી દિશા ખોલનારી ઘટના ગણાય. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા જ્યારે 'એક પડે માં કે નામ' સંકલ્પ કરાયો છે ત્યારે આ ઘટના તેનું અનુમોદન ગણાય.
મૂળથી ઉખડી ગયેલા આ વડલાને ઈટ્રા અને હાર્ટકૂલનેસ સંસ્થા દ્વારા સંયુક્ત રીતે આ કાર્ય કરશે. અઢાર કલાક સુધીની જહેમત અને આધુનિક મહાકાય સાધનોના ઉપયોગ પછી વડલાને તેના મૂળ સ્થાને ફરી રોપવામાં આવશે. સાથોસાથ તેમાં જરૂરી દવાઓ અને ખાતર પણ ઉમેરવામાં આવશે. મોટા થાંભલાઓ વડે તેને ટેકો (થોડા સમય માટે) આપવામાં આવશે અને ત્યારપછી કૂંપળ ફૂટતા તેને સ્વતંત્ર રીતે ફરી વિસ્તારવા દેવાશે.
અત્રે ઉલ્લેખનિય છે કે આ વડલો ધરાશાયી થતાની સાથે જ ઈટ્રાના એસ્ટેટ વિભાગ દ્વારા બે કલાકના ટૂંકા ગાળામાં વિવિધ સંસ્થાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યારે હાર્ટફુલનેસ દ્વારા તુરંત આ પડકારરૂપ કાર્ય કરવા માટે ઉત્સુક્તા બતાવી સંમતી દાખવી હતી.
ઈટ્રાના કાર્યકારી નિયામક પ્રો. બી.જે. પાટગીરી જણાવે છે કે સંસ્થાની જગ્યા જામ રાજવી પરિવાર દ્વારા જ્યારથી અર્પણ કરવામાં આવી હતી ત્યારથી આ વડલાની હયાતી છે. એટલે તેનું મહત્ત્વ અનેકગણું છે. વડલો ફરી સજીવન પામે તે અમારા માટે ગર્વની લાગણી સમાન છે.
હાર્ટફુલનેસ સંસ્થાના સંયોજક સચિનભાઈ વ્યાસ જણાવે છે કે, વર્તમાન અનિયંત્રિત વાતાવરણની સ્થિતિએ અનેક વૃક્ષો ધરાશાયી થતા રહે છે, પણ પીઢ અને ઘેઘુર વૃક્ષોને ફરી રોપણ દ્વારા જીવતદાન એ વર્તમાન સમયની માંગ છે અને આવશ્યક બાબત છે. હાર્ટફુલનેસ સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં ૪૦૦૦ થી વધુ આવા વૃક્ષોને પુનઃ સજીવન કરવામાં આવ્યા છે. એટલું જ નહીં, પરંતુ તેમાં ૦૦ ટકા સફળતા મેળવી છે. આ વડલો તો એક સદીથી પણ વધુ ઉંમર ધરાવે છે એટલે તે મહત્ત્વનો છે.
એક દિવસની સતત અને ત્રણ માસની સઘન સારસંભાળ દ્વારા નવજીવન
બે મહાકાય ક્રેઈન અને જે.સી.બી.ના ઉપયોગથી વડલાને મૂળ સ્થાને ફરી રોપવામાં આવશે. ત્રણથી ચાર મોટા થાંભલા દ્વારા વડલાને તેના મૂળ જમીનમાં ફરી પકડ ન જમાવે ત્યાં સુધી આધાર તરીકે ખોડવામાં આવશે. દસ જેટલા કારીગરો અને તજજ્ઞો દ્વારા આ સમગ્ર નૂતન ઘટનાને આકાર આપવામાં આવશે. ખાસ પ્રકારના બાયોફર્ટિલાઈઝર-સ્ટિમ્યુલન્ટ અને ખાતર દ્વારા તેના મૂળિયા જમીનમાં પુનઃ ઊંડાણપૂર્વક મજબૂતાઈ જમાવે તેવું વાતાવરણ તૈયાર કરાશે. સતત એક માસ સુધી વડલાને પાણી અને જરૂરી વાતાવરણથી નવા પ્રાણ આપવાની અભુતપૂર્વ ઘટના બની છે.
શું હોય છે વડલાની ખાસિયત?
શાસ્ત્રો અને પુરાણોમાં વડલાને પવિત્ર માનવાામં આવે છે અને તેની પૂજા થાય છે. એટલું જ નહીં, પરંતુ તેની હયાતીથી વાતાવરણમાં ઓક્સિજનની માત્રામાં વધારો થાય છે. માત્ર ધાર્મિક જ નહીં, પણ પર્યાવરણની દૃષ્ટિએ પણ તેની વડવાઈઓના આધારે વાતાવરણમાંથી પોતાની જીવનજરૂરી વાયુ અને પાણી મેળવે છે અને એક માસ સુધી તે જીવિત રહી શકે છે. આ વિશ્વમાં વડલાની ઘણી પ્રજાતિઓ છે અને તેનો જુદી જુદી રીતે ઉપયોગ થાય છે. પ્રાણવાયુ આપનાર વિરાટ વૃક્ષથી માંડી ઘરોમાં સુશોભન તરીકે પણ ઉપયોગ થાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
જામનગર જિલ્લાના ખેડૂતો માટે
જામનગર તા.૧૧: જામનગર જિલ્લાના ખેડૂતો માટે કપાસના ઊભા પાકમાં સંકલિત રોગ વ્યવસ્થાપન અંગેની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જે અનુસાર, (૧) કપાસમાં ખૂણિયા ટપકાં (કેમ્પેટ્રીસ) બીજજન્ય રોગ જેમ કે ધરુ મૃત્યુ, પાનના ખૂણિયા ટપકાં, કાળી નસ, જીંડવાનો કોહવારો, કાળિયો વગેરેના નિયંત્રણ માટે પ્રાથમિક આક્રમિત પાનને વીણીને નાશ કરવો. દ્વિતીય આક્રમણ વખતે તાંબાયુકત દવા બ્લ્યુ કોપર, બ્લાઈટોક્ષ પૈકી કોઈ એક દવા ૦.૨ % નું મિશ્રણ કરીને તેનો છંટકાવ કરવો.
રોગની શરૂઆત જણાય ત્યારે ૨૦ દિવસના અંતરે મેન્કોઝેબ ૦.૨ % દવાના ૩ થી ૪ વાર છંટકાવ કરવા. પાક પુર્ણ થયે રોગિષ્ટ પાન, ડાળી, જીંડવા વગેરેનો બાળીને નાશ કરવો. વાવણીના ૩૦ અને ૬૦ દિવસ બાદ સ્યુડોમોનાસ ફ્લુરોસેન્સ ૦.૫ % ડબલ્યુપી ૧૦૮ સીએક્યુ/ ગ્રામ ૨.૫ કિગ્રા/ હેકટર પ્રમાણે ૨૫૦ કિલોગ્રામ વર્મીકમ્પોસ્ટ ખાતરમાં ભેળવીને ચાસમાં આપવું અથવા સ્યુડોમોનાસ ફલુરોસેન્સ સ્ટ્રેઈન-૧ ૨૦ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીમાં મિશ્રણ કરીને ૧૫ દિવસના અંતરે ૩ વખત છાંટવું. મૂળખાઈ કે મૂળનો સડો રોગના નિયંત્રણ માટે ઝાયનેબ અથવા મેન્કોઝેબ દવાનું ૦.૨ % નું દ્રાવણ સુકાતા છોડની ફરતે જમીનમાં આપી ૪ થી ૫ દિવસ પછી યુરીયા કે એમોનિયમ સલ્ફેટ ખાતર આપવાથી રોગનું પ્રમાણ ઘટે છે.
મૂળખાઈ કે મૂળનો સડો તેમજ સુકારોના નિયંત્રણ માટે ખેતરમાં કાર્બન્ડાઝીમ દવાનું મિશ્રણ ૧૦ ગ્રામ પ્રતિ ૧૦ લીટર પ્રમાણે છોડની ફરતે રેડવું. બળીયા ટપકાં રોગના નિયંત્રણ માટે રોગિષ્ટ પાક અવશેષોને દૂર કરવા. રોગના પ્રાથમિક લક્ષણો દેખાય કે તરત જ મેન્કોઝેબ ૭૫ ડબ્લ્યુ પી ૦.૨ % ૧૦ લીટરમાં ૨૭ ગ્રામ અથવા કોપર ઓકઝીકલોરાઈડ ૦.૨ % ૧૦ લીટર પાણીમાં ૪૦ ગ્રામ અથવા કાર્બેન્ડાઝીમ ૧૨ % + મેન્કોઝેબ ૬૩ % ડબ્લ્યુપી ૧૦ લીટરમાં ૨૦ ગ્રામ ઓગાળીને તેનું મિશ્રણ તૈયાર કરીને ૧૫ દિવસના અંતરે ૨ થી ૩ વખત છંટકવ કરવો જોઈએ.
ફુગનાશક મિશ્રણ કેપ્ટાન- ૭૦ % + હેકઝાકોનાઝોલ ૫% ૭૫૦ ગ્રામ પ્રતિ હેકટરે, ૧૫ ગ્રામ દવા ૧૦ લીટર પાણીમાં નાંખીને તેનો ૩ વાર છંટકાવ રોગની શરૂઆત થાય કે તુરંત જ ૧૫ દિવસના અંતરે કરવો જોઈએ અને રોગિષ્ટ અવશેષો દૂર કરવા અથવા પાયરેકલોસ્ટ્રોબીન ૫ ડબ્લ્યુ જી + મેટીરામ ૫૫ ડબ્લ્યુ જી ૨૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ૨ વખત ૧૫ દિવસના અંતરે છંટકાવ કરવો જોઈએ. અથવા ફલુકઝાપાયરેકઝોઈડ ૧૬૭ ગ્રામ.+ પાયરેકલોસ્ટ્રોબીન ૩૩૩ ગ્રામ ૨ વખત ૭.૫ ગ્રામ કે ૧૦ લીટર પાણીમાં છંટકાવ કરવો જોઈએ.
દહિંયો કે છાસિયા રોગની શરૂઆત થતા કાર્બેન્ડાઝીમ ૦.૦૫ % ૧૦ ગ્રામ કે૧૦ લીટર પાણીમાં અથવા વેટેબલ સલ્ફર ૨૦ ગ્રામ કે ૧૦ લીટર પાણીમાં છંટકાવ કરવો જોઈએ. અથવા કેસોક્સિમ મિથાઇલ ૪૪.૩ એસ.સી ૧૦ લીટર પાણીમાં ૧૦ મિ.લિ. મિશ્રણ તૈયાર કરીને તેનો છંટકાવ કરવો જોઈએ. અથવા તો કોપર ઓક્સીક્લોરાઇડ ૦.૨ % ૪૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ઓગાળીને તેનો ૧૫ દિવસના અંતરે ૨ વાર છંટકાવ કરાવવો જોઈએ.
પેરાવિલ્ટ કે નવો સૂકારોના નિયંત્રણ માટે જમીનમાં સેંદ્રીય ખાતરસ પુરતા પ્રમાણમાં આપવા. જમીનમાં નિતાર શક્તિ વધારવી, હલકી જમીનમાં જ્યારે જીંડવાની સંખ્યા વધુ પ્રમાણમાં હોય ત્યારે ટુંકા ગાળે પિયત કરતા રહેવું. અસરગ્રસ્ત છોડને ઉપાડીને નાશ કરવો, પિયત આપ્યા બાદ કે વધુ વરસાદ બાદ ધીમો સુકારો જોવા મળે તો વરાપ પ્રમાણે આંતરખેડ કરવી. જેથી મુળ વિસ્તારમાં હવાની અવર જવર થઈ શકે.
મૂળ વિસ્તારમાં સળિયાથી હવાની અવર- જવર માટે કાણાં પાડવા, અસર પામેલ છોડની ફરતે ૩ % પોટેશિયમ નાઈટ્રેટ અથવા ૧ % યુરીયાના દ્રાવણ રેડવું જોઈએ. તેમજ ૧ ગ્રામ કોબાલ્ટ ક્લોરાઈડ ૧૦૦ લીટરમાં ઓગાળીને તેનું દ્રાવણ બનાવીને તેનો છંટકાવ કરવો જોઈએ. આ માવજત ખેતરમાં સુકારાની શરૂઆતના ૧૨ કલાકમાં જ કરવી.
છોડ ઉપર ફૂલભમરી અને જીડવાઓ બેઠા હોય ત્યારે પાણી અને પોષકતત્વોની અછત જોવા મળે ત્યારે ૧૯- ૧૯- ૧૯ (એન.પી.કે.) પાણીમાં દ્રાવ્ય ખાતર ૧૦૦ ગ્રામ + માઈકોમિક્સ ગ્રેડ- ૪, ૧૫ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ઓગાળીને તેનો પાન ઉપર છંટકાવ કરવો જોઈએ. અસરગ્રસ્ત ખેતરમાં ફુગ જન્ય રોગો અટકાવવા ફુગનાશક કાર્બેન્ડાઝીમ દવાનું ૧૦ ગ્રામ પ્રતિ ૧૦ લીટર પ્રમાણે છોડની ફરતે રેડવું જોઈએ.
કપાસમાં લાલ પાન જોવા મળેથી ડી.એ.પી. ૨ % હુંફાળા પાણીમાં ભેળવીને તેનો છંટકાવ કરવો જોઈએ. મેગ્નેશિયમ સલ્ફેટ ૦.૫ % ના દ્રાવણનો છંટકાવ કરવો જોઈએ. વાવણી બાદ ૨૫ કિગ્રા. હેકટર મેગ્નેશિયમ સલ્ફટ આપવું અને ચૂસિયા પ્રકારની જીવાતોનો નિયંત્રણ કરવું.
ટોચના પાનોની વિકૃતિના નિયંત્રણ માટે ખેતરમાં શેઢા પાળા ઉપર કે પાણીની ફીલ્ડ ચેનલોમાં કે ધાસિયાં ખેતરોમાં ૨- ૪ દિવસ માટે દવાનો છંટકાવ ટાળવો જોઈએ. નિંદામણ નાશક દવાઓના છંટકાવ બાદ પંપ ૨ થી ૩ વખત ધોઈને વ્યવસ્થિત સાફ કરીને જ અન્ય દવાના વપરાશ માટે વાપરવો.
કપાસના ખેતરમાં ૨- ૪ દિવસ દવાનો ઉપયોગ ટાળવો જોઈએ. ગ્રોથ હોર્મોનનો ઉપયોગ ભલામણ મુજબ જ કરવો. ખેતરમાં આવી વિકૃતિ છોડમાં જોવા મળે કે તરત જ ખેતરમાંથી પાણી નીતારી નાંખવું અને ફરી હળવું પિયત આપવું. જમીનમાં વરાપે આંતરખેડ કરવી. ઉપદ્રવિત છોડ ઉપર ૨ % યુરિયાના દ્રાવણનો છંટકાવ કરવો.
જીડવાનો સડો, આંતરીક અને બાહ્ય જીંડવાનો સડો અટકાવવા માટે નાઈટ્રોજનયુકત ખાતરનો વધુ પડતો ઉપયોગ ટાળવો. કળી બેસવાના સમયે ચુસીયા પ્રકારના કિટકોની મોજણી કરતાં રહેવું. સાવચેતીનાં પગલાં તરીકે લીલા જીંડવા અવસ્થાએ વાદળછાયું વાતાવરણ હોય તો જીડવાનાં સડાને અટકાવવા માટે કોપર ઓકસીકલોરાઈડ ૫૦ ગ્રામ અથવા પ્રોપીકોનાઝોલ ૨૫ ઈંસી ૧૦ મીલી અથવા કાર્બન્ડાઝીમ ૫૦ વે.પા. ડબલ્યુપી ૩૦, ૧૦ ગ્રામ ફુગનાશકને ૧૦ લીટર પાણીમાં ભેળવીને તેનો છંટકાવ કરવો. બાહય જીંડવાનાં સડાને રોકવા માટે મેટીરામ ૫૫ % + પાયરાકલોસ્ટ્રોબીન ૫ % ડબલ્યુજી ૨૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ભેળવીને તેનો છંટકાવ કરવો જોઈએ.
ઉપરાંત આ તમામ દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે- તે પાક માટે આપવામાં આવેલ ડોઝ અને જે તે રોગ કે જીવાત માટેની દવા છે. તેનો ભલામણ મુજબ ઉપયોગ કરવા માટે જણાવવામાં આવે છે.
આ અંગે વધુ જાણકારી મેળવવા માટે આપના વિસ્તારના ગ્રામસેવકશ્રી, વિસ્તરણ અધિકારી, ખેતી અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક વિસ્તરણ, નાયબ ખેતી નિયામક તાલીમનો સંપર્ક સાધી શકાશે. આ અંગે સંપૂર્ણ માહિતી મુખ્ય કપાસ સંશોધન કેન્દ્ર, નવસારી કૃષિ યુનિવર્સિટી અને કપાસ સંશોધન કેન્દ્ર, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા તૈયાર કરવામાં આવી છે. તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયત, જામનગર દ્વારા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ધોરણ-૮ ના તબક્કે લેવાતી "સેટ" અને "મેટ" ટેસ્ટની ફળશ્રુતિ
જામનગર તા. ૧૧: રાજ્ય સરકાર વિવિધ યોજનાઓ થકી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિના નાગરિકોનો આર્થિક, સામાજિક તેમજ શૈક્ષણિક વિકાસ થાય તે માટે સતત પ્રતિબદ્ધ છે. અનુસૂચિત જાતિ માટે ખાસ યોજનાઓ ઉપરાંત અન્ય યોજનાઓના પણ તેમની યોગ્ય ભાગીદારી સુનિશ્ચિત થાય તે માટે સરકાર ચિંતિત છે. રાજ્ય સરકાર રાજ્યની તેમજ કેન્દ્રની વિવિધ યોજનાઓના સફળ અને અસરકારક અમલીકરણ વડે અનુસૂચિત જનજાતિના વિકાસ માટે ઉદાહરણરૂપ કાર્ય કરી રહી છે. તેના પુરાવારૂપે દરિયાકાંઠાના છેવાડાના ગણાતા તેવા દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી વિદ્યાર્થિની માજીદુનની વાત જાણીએ.
દેવભૂમિ દ્વારકાનાં કલ્યાણપુર તાલુકાના વતની લાભાર્થી વિદ્યાર્થિની વજીગુડા માજીદુન ઇનુસભાઈ હાલ સરકારી વાણિજ્ય કોલેજમાં પ્રથમ સેમેસ્ટરમાં અભ્યાસ કરે છે. તેઓ પોતાનો સ્વાનુભવ કહેતા જણાવે છે કે, 'અમે માતા પિતા સાથે ૮ ભાઈ બહેનો છીએ, પિતા નોકરી કરતાં જે રીટાયર થયાં છે, અને ભાઈ બહેનોમાં હું સૌથી નાની છું. ધોરણ ૮ દરમ્યાન સરકારી કન્યા શાળા કલ્યાણપુરમાં અભ્યાસ દરમ્યાન આ યોજના વિષે જણકારી મળતા પરીક્ષા આપેલી. પરીક્ષામાં પાસ થયે મને સ્કોલરશીપ મળવાની શરૂ થઈ. આ પરીક્ષામાં સિલેક્ટ થતાં હું મારા આગળના ભણતર માટે નિશ્ચિંત થઈ ગઈ. આર્થિક આધાર મળતાં ભણવામાં પણ વધુ આત્મવિશ્વાસ સાથે જોડાઈ અને હાલ કોલેજમાં ઉત્સાહપૂર્વક અભ્યાસ કરી રહી છું.'
કલ્યાણપુરના ઇન્દિરા આવાસ- પોલીસ લાઈન પાસેના વિસ્તારમાં સહપરિવાર રહેતી વિદ્યાર્થિની માજીદુને સરકારનો આભાર માનતાં કહ્યું હતું કે, આ યોજના અમારા પરિવાર માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. મને ધોરણ ૯ થી ૧૨ના અભ્યાસ દરમ્યાન દર વર્ષે ૧૨ હજાર લેખે કુલ રૂ. ૪૮,૦૦૦ની સહાય મળી છે. આ યોજના મારા અને મારા જેવા આદિજાતિ વિદ્યાર્થીઓ માટે ખૂબ ઉપયોગી યોજના છે, આ યોજના માત્ર આર્થિક સહાય નહિ, આર્થિક સધિયારા રૂપ નીવડે છે. હું અને મારા જેવા આદિજાતિ વિદ્યાર્થીઓને આ શિષ્યવૃત્તિઓનો લાભ આપી આગળ વધારવા માટે અમે સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ.
નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતા તેજસ્વી વિદ્યાર્થીઓનો ડ્રોપ આઉટ રેશિયો ઘટે અને તેઓ ઉચ્ચતર માધ્યમિક અભ્યાસ કરી શકે તે માટે તે માટે આર્થિક સહાય આપવા નેશનલ મેરીટ કમ મીન્સ સ્કોલરશીપ યોજના સરકારશ્રી દ્વારા અમલમાં મુકવામાં આવી છે. આ યોજના હેઠળ દર વર્ષે ૧૨ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. દેશભરમાં દર વર્ષે ૧ લાખ નવા વિદ્યાર્થીઓને આ સહાય આપવામાં આવે છે. ધોરણ ૮ માં ઓછમાં ઓછા ૫૫ ટકા માર્ક મેળવેલ હોય તેવા નવોદય અને કેન્દ્રીય વિદ્યાલયના વિદ્યાર્થીઓ તેમજ નિવાસી શાળાઓના વિદ્યાર્થીઓ સિવાયના સરકારી અને સરકાર અનુદાનિત શાળાઓના વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ લઈ શકે છે. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને ધોરણ-૮ ની ટકાવારીને આધારે પાત્રતામાં ૫% છુટછાટ આપવામાં આવે છે.
પાત્ર તેજસ્વી વિદ્યાર્થીઓનું મેરીટ લિસ્ટ તૈયાર કરવા માટે રાજ્ય સરકાર દ્વારા એન.એમ.એમ.એસ. સ્કોલરશીપ પરિક્ષા લેવામાં આવે છે. વિદ્યાર્થીઓ ધોરણ ૮ના તબક્કે આ પરિક્ષા આપી શકે છે. મેટ (મેન્ટલ એબિલીટી) અને સેટ (સ્કોલાસ્ટીક એપ્ટિટયુડ) માં ઓછામાં ઓછા ૪૦% માર્ક્સ મેળવનાર વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ માટે પાત્ર ઠેરવવામાં આવે છે. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે પાત્રતાની ટકાવારી ૩૨% રાખવામાં આવી છે.
શિષ્યવૃત્તિ મેળવનાર વિદ્યાર્થીઓને આગળની શિષ્યવૃત્તિ મેળવવા માટે દસમાં ધોરણમાંં ૬૦% માર્ક્સ લાવવા ફરજિયાત હોય છે, તેમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને ૫% છુટછાટ આપવામાં આવે છે. વધુમાં આગળનો લાભ મેળવવા માટે પ્રથમ પ્રયાસે ધોરણ ૧૦ અને ૧૨ પાસ કરવા જરૂરી છે. આ યોજનાનો લાભ ડી.બી.ટી. દ્વારા સીધો બેંક ખાતામાં આપવામાં આવે છે.
આમ, માજીદુન જેવાં અનુસૂચિત જનજાતિના અનેક તેજસ્વી છાત્રોને માધ્યમિક શિક્ષણ માટે પ્રેરીને ઉચ્ચ શિક્ષણના દ્વારે પહોંચાડવા માટે સરકારની બહુવિધ શિષ્યવૃત્તિ સહાય અસરકારક માધ્યમ સાબિત થઈ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગણપતિ બાપ્પા મોરિયા... જય ગજાનન... જય ગણેશ
ભગવાન ગણેશ-ગજાનનનું સ્વરૂપ બધા જીવો, મનુષ્ય, દેવતાઓમાં, સંસારની બધી શક્તિઓમાં બિલકુલ જુદુ પડી જાય છે. શ્રી ગણેશજીનું સ્વરૂપ જ વિશેષ અને દર્શનીય છે. આશ્ચર્યજનક, અકલ્પનીય આકૃતિવાળા ગણેશજીને સમજવા બહુ જ મુશ્કેલ છે.
ગણેશજીએ હાથી અને મનુષ્યના શરીરના ભાગને પોતાના રૂપમાં સંયોજન કરીને બન્નેને ગૌરવાન્વિત કરી એમનો મહિમા સ્થાપિત કર્યો છે.
હાથીની ગર્દનનો ઉપરનો ભાગ અત્યંત મહત્ત્વપૂર્ણ રહસ્યોને અભિવ્યક્ત કરે છે. ગણપતિને હાથીનું મૂખ છે એ તો સર્વવિદ્તિ છે. મૂખમાં જીભ, દાંત, નાક, કાન અને આંખના આ અવયવનો સમાવેશ થાય છે.
ગણેશજીના દર્શન કરતાની સાથે જ તેમના મુખ પર આંખ વિશેષ વિશેષ રૂપથી દેખાય આવે છે. શ્રી ગણેશજીના ધડ ઉપરનો ભાગ હાથીના મૂખનો છે એટલા માટે ગણેશજીની આંખો પણ હાથીની આંખો છે અને હાથીની આંખનો લેન્સ સાધારણ વ્યક્તિના લેન્સ જેવો નથી. આ લેન્સ દૂરબીન, ટેલીસ્કોપના લેન્સ જેવો છે. દૂરબીનના લેન્સથી સામેની વસ્તુ તેના કદથી કંઈ ગણી મોટી દેખાય છે. અર્થાત્ હાથીની આંખો પણ તેમની સામે આવેલ જીવોને તેમની વાસ્તવિક્તાથી કંઈ ગણો મોટો જુએ છે.
આમ ગણેશજીની આંખો એ શિક્ષા આપે છે કે ભલે આપણે ગણાધ્યક્ષ કે મહત્ત્વની પદવી પર હોય તો પણ સામે આવેલ વ્યક્તિનું સન્માન કરો અર્થાત્ માન આપો અને તેમની સમસ્યાને આત્મિયતાથી અને સહાનુભૂતિપૂર્વક સાંભળો.
આમ, પ્રત્યેક વ્યક્તિ જો પોતાના જીવનમાં, સંસારમાં મહત્ત્વપૂર્ણ ઉન્નતિ, પ્રગતિ કરવા ઈચ્છે તો તેને સામેની વ્યક્તિને ગણેશજીની આંખોથી જોવાનું રહેશે. આનાથી તેમના કાર્યો સામેની વ્યક્તિ પર તેમની સારી વર્તણૂક, વ્યવહારને લીધે ચોક્કસપૂર્વ સારી રીતે પાર પાડશે. આમ તે વ્યક્તિ ચોક્કસપણે ગજાનન, ગણાધ્યક્ષ, ગણપતિ બની શકશે. રિદ્ધિ-સિદ્ધિ, લાભ-શુભ સફળતા પ્રાપ્ત કરી શકશે.
શ્રી ગણેશજીના દર્શન કરતાની સાથે જ તેમનું વિશાળ મસ્તક જોવા મળે છે. મોટુ કાર્ય કરવા માટે મોટી જવાબદારી નિભાવવા માટે મોટા મસ્તકની જરૂર પડે છે.
જેમનું મસ્તક વિશાલ, વિચારયુક્ત, ગંભીર યોજનાવાળું હશે તે જ સરદાર અથવા ગણાધ્યક્ષ બનશે. એટલે જ સફળતાની પ્રાપ્તિ માટે પોતાના મસ્તકને ગણેશજી જેમ બનાવવું જોઈએ.
ગણેશજીના મસ્તકમાં અને તેની બુદ્ધિમાં અગણિત વિશેષતા છે એટલે જ ગણપતિનું પદ પ્રાપ્ત થયેલ છે. જે વ્યક્તિ જીવનમાં આગળ વધવાની ઈચ્છા રાખે છે, શ્રી ગણેશજીની જેમ જ પ્રથમ પૂજ્ય કે વિશેષ વ્યક્તિ બનવાની ઈચ્છા રાખે છે તેને પોતાની દૃષ્ટિ-રીતિ-નીતિ, હાવ-ભાવ, કર્, ચાલ-ચલગત, પોતાની અંદરની નીતિ કે બહારની નીતિ ગણેશજીની જેમ જ બનાવી લેવી જોઈએ. જે વ્યક્તિ પોતાનામાં શ્રી ગણેશજીના ગુણો વધુમાં વધુ અપનાવી લેશે તેને જ મોટું સન્માનિય પદ મળશે.
હાથી પોતાનું મસ્તક મૃતિકા, ચિકિત્સા અર્થાત્ પ્રાકૃતિક ચિકિત્સા અનુસાર ભીની માટીથી વારંવાર ઠંડુ રાખે છે અને ઠંડા મસ્તકવાળા જ પોતાનું ધાર્યું કામ કરાવી શકે છે. ગણશેજી પણ પ્રાકૃતિક ચિકિત્સા (પાણી-સ્નાન-શાકાહારી ખોરાક) ને મહત્ત્વ આપીને એ સંદેશ આપે છે કે શાકાહારી હોવા છતાં બધી રીતે સ્વસ્થ, તંદુરસ્ત રહી શકીએ છીએ. હાથી પણ પૂર્ણ શાકાહારી છે. તેનું શરીર પણ શાકાહારી હોવા છતાં ખૂબ જ કદાવર છે. ખાસ તો હાથી જો નદી કિનારે કે જ્યાં પાણીની સગવડ હશે ત્યાં તે ભોજન લેતા પહેલા ચોક્કસ સ્નાન કરશે અને ભોજન પહેલા સ્નાન લેવાથી પાચન શક્તિ તીવ્ર બનશે. ભૂખ પણ સારી લાગે છે અને તંદુરસ્તી સારી રહે છે. આમ ગણેશજીના અંગના દરેક સ્વરૂપથી એક નહીં, પરંતુ અનેક સંદેશ મલે છે. શરીર સ્વસ્થ હશે તો પ્રત્યેક વ્યક્તિને જીવનના કાર્યોમાં સરળતા રહેશે.
ગણેશજીના કાન પણ આપણને કંઈક વિશેષ સંદેશ આપે છે કે સંસારમાં આગળ વધવું હોય તો પોતાના કાન પણ હાથીના કાનની જેમ રાખવા જોઈએ.
ગણેશજીનું મસ્તક હાથીનું છે એટલે તેમના કાન પણ અનાજ સાફ કરવાના સુપડા જેવા મોટા છે.
સંસારમાં રિદ્ધિ-સિદ્ધિની તમન્નાવાળી વ્યક્તિ, સત્તાધીશોએ પોતાના કાન ગણેશજીના કાનની જેમ બનાવી લેવા જોઈએ. દરેકની બધી વાતો સાંભળો, સારી સારી વાતો, સૂચનો ધ્યાનમાં રાખી લો, નકામી વાતોને ગણકાર્યા વગર કાઢી નાખો અને પોતાના માર્ગ પર પોતાના જ આયોજન અનુસાર આગળ વધતા રહેવું જોઈએ.
હાથી જ્યારે આવતો હોય છે, ત્યારે કૂતરો ભસતો-ભસતો, હાથીના ભારેખમ શરીરથી ડરતો ડરતો હાથીની ખૂબ જ દૂર રહીને ચાલતો હોય છે.
પરંતુ હાથી પર કે જીવનમાં આગળ વધનાર વ્યક્તિને પોતાની આસપાસ ખોટો શોર મચાવવાવાળા કે આંદોલનકારીઓની વ્યર્થ નારેબાજી કોઈ પ્રભાવ નથી પાડતી. તે તો પોતાની યોજના અનુસાર પોતાના લક્ષ્યની આગળ વધતા જ રહે છે.
ગજકર્ણ-હાથી જેવા મોટા કાનવાળા, મદ-લોભ, કામ, ક્રોધ, ઈર્ષ્યા, દ્વેષ વગેરેથી દૂર રહીને પોતાના વિશાળ મસ્તકમાં, પોતાની યોજના અનુસાર પ્રત્યેક વ્યક્તિનું હિત ધ્યાનમાં રાખીને કામ કરતા વ્યક્તિ જ ગણતંત્રના જનતાના ગણપતિ-ગજકર્ણ કહેવાને યોગ્ય છે.
જો તમે તમારા જીવનમાં સફળતા, સિદ્ધિ, ધન-દૌલત પ્રાપ્ત કરવાનું ઈચ્છતા હો તો તમારી કાર્યશૈલી-યોજનાઓ સંસારમાં પ્રદર્શન કરવા માટે એવી રીતે રજૂ કરવી જોઈએ, જેનાથી સફળતામાં બીજા લોકો તરફથી સહાય મળી શકે અને યોજનાની કે ધંધાની પૂરેપૂરી વાત-માહિતી પણ જાહેર ન થવી જોઈએ. જેટલી નીતિ ગુપ્ત હશે તેટલી સફળતા મળશે.
શાસ્ત્રોમાં પણ સિદ્ધિની, મંત્રની, રાજનીતિની રહસ્યપૂર્ણ વાતોને ગુપ્ત રાખવાનું કહેલ છે. જે કાર્યની માહિતી ખાનગી નહીં રહે તે કાર્યમાં સફળતા મળવી મુશ્કેલ છે અને તેથી જ જે લોકો પોતાના વેપાર-ધંધામાં-રાજકારણમાં પોતાની યોજનાને ગુપ્ત રાખે છે, તેટલી વધારે સફળતા મેળવે છે.
સંસારમાં કોઈપણ જીવની જીભ ગણશેજી જેવી નથી. દરેક જીવની જીભ અંદરથી બહારની તરફ આવે છે, જ્યારે હાથીની જીભ તો દાંતના મૂળથી કંઠ તરફ એટલે કે અન્ય જીવોની જીભથી ઉલટી રીતે વિશેષ પ્રવૃત્ત જણાય છે. બહર્મૂખ જીભ જ સર્વે આપત્તિનું કારણ છે. આપણે આપણી જીભ જ બીજાની તરફ ન કરતા આપણી તરફ કરી લેવી જોઈએ એટલે કે આપણે જે વાત બીજાને કહેવાની છે, તે જ વાત આપણે પોતાને કહી, વિચારીને બોલવું જોઈએ તે વાત આપણને સારી લાગે તો બીજાન કહેવાની...
ગણેશજીની જીભ એથી વિપરિત અર્થાત્ અંતર્મૂખ હોવાથી તે નિર્વિઘ્નતાના વિધાતાછે. આથી જ ગણપતિ વિઘ્ન વિનાયક કે વિઘ્ન વિનાશક કહેવાય છે. જે વ્યક્તિ બોલવામાં ધ્યાન રાખશે તેમના કાર્યોમાં એક પણ વ્યક્તિ વિઘ્ન નહી નાખે. તેમની મીઠી બોલીને કારણે તેમના કાર્યોમાં સહભાગી બની જશે અને ફલ સ્વરૂપે તેમને સિદ્ધિ પ્રાપ્ત થશે જ.
જીવનમાં સફળતા પ્રાપ્ત કરવી હશે તો પ્રિય મધૂર, સંતુલિત, સંયમિત સભ્યવાણી જ બોલવી જોઈએ.
ગણેશજીનું મસ્તક હાથીનું છે અને હાથીની સુંઢની જેમ જ ગણેશજીનું નાક સંસારના બાકીના જીવો કરતા ખૂબ જ મોટું છે. જીવનમાં સફળ થવા માટે હાથીની જેમ શત્રુઓથી સાવધાન રહેવું જોઈએ જેમ કે હાથી સુંઢ દ્વારા ફૂંક મારતો મારતો કીડી-મકોડા જેવા જીવજંતુઓને ઊડાડતો ઊડાડતો ચાલતો જાય છે. આ જ આપણને દર્શાવે છે કે કીડી જેવા નાના નાના જંતુ પણ મોટા શત્રુની જેમ આપણને હાની પહોંચાડી શકે છે એટલે જ સાવધાનીપૂર્વક ચાલવું જોઈએ.
હાથીની સુંઢ અત્યંત દૂરના પદાર્થને ગંધ પરથી તે પારખી શકે છે. તેને માટે હાનિકારક એવા વાઘ, સિંહ, જેવા પશુઓના અસ્તિત્વનું જ્ઞાન તેને દૂરથી જ થાય છે. આ રીતે આત્મરક્ષણ માટે સુંઢ ખૂબ ઉપયોગી અંગ છે.
આમ ગણેશજીની સુંઢ સંવેદન, સંરક્ષણ અને સંવર્ધની ઘોતક છે. સુંઢ એ ગણપતિનું નાક પણ છે. નાક પ્રતિષ્ઠાનું ઘોતક છે. નાક ન હોવું, નાક કપાવું, લાંબુ નાક હોવું, નાક બચાવવું વગેરે વાક્ય પ્રયોગ આ બાબતના પ્રમાણ છે.
નાકની પ્રતિષ્ઠા માટે વ્યક્તિ અનેક ઉપાય કરે છે અને એવા કાર્યોથી બચવાનો પ્રયત્ન કરે છે જેનાથી તેની પ્રતિષ્ઠાને નુક્સાન ન પહોંચે. પોતાના લાંબા નાક દ્વારા ગણપતિ મનુષ્યને પોતાની લાંબા સમયની પ્રતિષ્ઠાનું રક્ષણ કરવાનો સંદેશ આપે છે અને પ્રતિષ્ઠા વધારે એવા કાર્યોમાં પ્રવૃત્ત થવાની પ્રેરણા આપે છે.
દિલીપ ધ્રુવ - જામનગર
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
જન્માષ્ટમીના તહેવારો પછી તે જ પ્રકારની ધામધૂમથી ગણેશોત્સવની ઉજવણી થતી હોય છે. વિઘ્નહર્તા ગણપતિજીની પ્રતિમાઓનું સ્થાપન કરીને ઠેર-ઠેર પંડાલોમાં ગણેશજીના પૂજન-અર્ચન સાથે વિવિધ ધાર્મિક-આધ્યાત્મિક કાર્યક્રમો પણ યોજાતા હોય છે. ગણેશજીના જન્મને સાંકળીને વિવિધ કથાઓ ગણેશચતુર્થીને લઈને પ્રચલિત છે અને ગણેશચતુર્થીથી ગણેશોત્સવની સાર્વત્રિક ધામધૂમથી ઉજવણી થાય છે. આ વર્ષે પણ ખૂબ જ ઉત્સાહ અને ભક્તિમય માહોલમાં ગણેશોત્સવ ઉજવાઈ રહ્યો છે.
કોઈપણ શુભકાર્યની શરૂઆત ગણેશ સ્થાપનાથી જ થાય છે. ગણપતિજી વિઘ્નહર્તા છે. ગણેશજીની પૂજા-ભક્તિથી રિદ્ધિ-સિદ્ધિ પ્રસન્ન રહે છે. ગણેશજીના બુદ્ધિચાતુર્યની પણ ઘણી જ કથાઓ પ્રચલીત છે. શિવપુત્ર ગણેશજી સુંઢાળા કેવી રીતે થયા, તેની પણ પ્રચલિત કથાઓ લોકપ્રિય છે.
પર્યાવરણની સુરક્ષા અને વિસર્જન પછી ગણેશજીની પ્રતિમાઓ અપમાનજનક સ્થિતિમાં ન મૂકાય, તે માટે હવે ઈકો-ફ્રેન્ડલી એટલે કે માટીની પ્રતિમાઓ સ્થાપિત કરવાનું ચલણ વધ્યું છે, અને હવે તો પર્યાવરણને હાનિકર્તા પ્રતિમાઓના નિર્માણ, વેંચાણ અને સ્થાપન પર પણ અંકુશો મૂકાયા છે.
બોલો ગણપતિ બાપા મોર્યા...
ગણપતિ ગજાજનની જય...
ઓમ ગણપતેય નમઃ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આ વર્ષે તા. ૧ થી ૭ સપ્ટેમ્બર સુધી ઉજવાયેલા પોષણ સપ્તાહનું થીમ 'સૌ માટે પોષક આહાર' હતું. આ ઉજવણી દરમિયાન સ્વાસ્થ્ય, પોષક આહાર અને પોષણ અભિયાનના વિષયો પર કાર્યક્રમો, સેમિનારો, એક્ઝિબિશનો, સ્પર્ધાઓ અને વ્યાખ્યાનો યોજાય છે.
પોષણ સપ્તાહને જનઆંદોલનનું સ્વરૂપ અપાયું છે. પ્રસૂતા બહેનો, ગર્ભવતી મહિલાઓ અને નવજાત શિશૂઓ તથા બાળપોષણને કેન્દ્રમાં રાખીને દેશભરમાં વિવિધાસભર કાર્યક્રમો યોજાય છે.
રાષ્ટ્રીય પોષણ સપ્તાહની સૌ પ્રથમ વખત માર્ચ ૧૯૭પ માં અમેરિકન ડાયટેટિક એસોસિએશન દ્વારા ઉજવણી થઈ હતી, જે હવે એકેડમી ઓફ ન્યુટ્રિશન એન્ડ ડાયટેટિક્સના નામથી ઓળખાય છે.
પોષણ અને શિક્ષણનો વ્યાપ વધારીને ભાવિ પેઢીને સશક્ત અને શિક્ષિત બનાવવાના ઉદ્દેશ્યથી ઉજવાતું આ સપ્તાહ કુપોષિત બાળકોની સંખ્યા વિશ્વભરમાંથી ઘટાડવા અને કુપોક્ષણના કારણે મૃત્યુની સંભાવનાઓ ઘટાડવા આ વર્ષે 'સૌ કોઈ માટે પોષણની જરૂરિયાત' જેવા વિષયો પર વિવિધ કાર્યક્રમો યોજાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
માત્ર કચ્છમાં જોવા મળતું પક્ષી દેખાયુ ઘર આંગણે
પક્ષી જગત એક અલગ જ દુનિયા છે, માત્ર ભારતમાં જ ૧ર૦૦ કરતા વધુ પ્રકારના નાના-મોટા અને રંગબેરં પક્ષીઓ જોવા મળે છે, જામનગર પક્ષીઓ માટે સ્વર્ગ કહેવામાં આવે છે. અહીં આ વર્ષે પણ કાળા તેતર અહીં જોવા મળ્યા જે અનોખી ઘટના છે. જામનગરના પક્ષી પ્રેમી અને વાઈલ્ડલાઈન ફોટોગ્રાફર યશોધનભાઈ ભાટીયા, આશિષ પાણખાણીયા અને હિરેન ખંમભાયતા સમાણા વિસ્તારમાં પક્ષી નિરીક્ષણ કરવા ગયા હતા તે દરમિયાન તેઓને બ્લેક ફ્રેંકોલીન એટલે કે કાળો તેતર પક્ષીના અવાજ સાંભળવા મળ્યા સામાન્ય રીતે આ પક્ષી ગુજરાતના કચ્છ સિવાય કોઈ જગ્યાએ નોંધ થયું નથી એટલે આ કાળા તેતરનો અવાજ સાંભળી આ પક્ષીવિદે ચોંકી ઉઠ્યા હતાં.
જામનગરમાં કાળા તેતરનો અવાજ ખટિયાવિડી વિસ્તારમાં સાંભળવા મળતા કલાકો સુધી વિડી વિસ્તારમાં કેમેરા અને બાયનોક્યુલર લઈ ફરી વળ્યાં અને તેવોના આશ્ચર્ય વચ્ચે તેમને ૬ થી વધુ કાળા તેતર જોવા મળ્યા હતાં. વર્ષો પૂર્વે જામસાહેબ રણજીતસિંહજી દ્વારા આ જ વિસ્તારમાં કાળા તેતર પ૦૦ પેર બહારથી લાવી છોડવામાં આવી હતી. પરંતુ કોઈ કારણોસર પાંચ વર્ષમાં અહીં આ પ્રજાતિ ફરી લૂપત થઈ ગઈ હતી પણ..., આજે વર્ષો બાદ જામનગરમાં પ્રથમ વખત કાળો તેતર પક્ષી જોવા મળ્યું તેનો આનંદ તો આ ત્રણ પક્ષી પ્રેમીઓને હતો જ પણ એક બીજી અનોખી ઘટના એ હતી કે પચરંગી તેતર અને કાળો તેતર બંને એક જ જગ્યાએ જોવા મળ્યા જેનો હજું સુધી કોઈ સાયન્ટિફિક રેકર્ડ નથી જે જામનગરમાં બન્યો. જામનગરના ખટિયા વિડીમાં કાળા તેતર જોવા મળતા જામનગર અને સમગ્ર ગુજરાતના પક્ષી પ્રેમીઓમાં એક રોમાંચ જોવા મળી રહ્યો છે અને આ ઘટના અંગે અન્ય પક્ષી સંસ્થાઓ અને વેબસાઈડમાં પણ જાણ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો