Advertisement
Author: નોબત સમાચાર

સમસ્ત બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટ દ્વારા સમૂહ યજ્ઞોપવિતનું આયોજન

જામનગરમાં આગામી ૨૩ જાન્યુઆરીએ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૯: સમસ્ત બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ-જામનગર દ્વારા આગામી તા. ૨૩-૧-૨૬ના વસંત પંચમીના દિવસે નિઃશુલ્ક યજ્ઞોપવિતનું આયોજન કરવામાં આવ્યું છે. રણજીતનગર પટેલ સમાજ પાસે પ્રણામી મેદાનમાં આયોજિત આ સમૂહ જનોઈ કાર્યક્રમમાં ૪૬ બટુકો જોડાયા છે. આ કાર્યક્રમમાં સંતો-મહંતો તેમજ રાજકીય આગેવાનો, સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. સમગ્ર ભોજનના દાતા ભિખુભાઈ હરિસિંહ વાઢેર (ન્યુ સ્વામિનારાયણ ટ્રાન્સપોર્ટ) સાથે સહયોગી દાતાઓ શર્મા ટ્રસ્ટ, શર્મા ગ્રુપ ઓફ સ્કૂલ અને શર્મા પરિવાર, ધરમ જોશી અને રાજુભાઈ ગાગીયાનો સહયોગ મળ્યો છે. જામનગરના કર્મકાંડી ભૂદેવ સમિતિના ભૂદેવો દ્વારા યજ્ઞોપવિત ધારણ કરાવાશે.

આ સમૂહ યજ્ઞોપવિત કાર્યક્રમની સફળતા માટે આયોજક સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી કેતન ભટ્ટ, ટ્રસ્ટી જયદીપ રાવલ, સુનિલ જોષી, સિમિત રાવલ, મહેશ રાવલ, કિરીટ ઠાકર, વિરલ ત્રિવેદી, જિલ્લા મહિલા પ્રમુખ અર્ચનાબેન જોષી શહેરના પ્રમુખ મનિષાબેન જોષી અને તેની ટીમ જહેમત ઉઠાવી રહ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh