Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સારવારમાં નિપજ્યંુ મૃત્યુઃ
જામનગર તા. ૭: કલ્યાણપુરના રાવલ ગામમાં વસવાટ કરતા એક વૃદ્ધે અકળ કારણથી ઝેરી ટીકડા ગળી લીધા પછી તેઓનું સારવારમાં મૃત્યુ નિપજ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રાવલ ગામમાં હનુમાનધાર પાસે રહેતા મારખીભાઈ કાનાભાઈ ગામી (ઉ.વ.૬૬) નામના ખેડૂતે સોમવારે બપોરે કોઈ અકળ કારણથી ઝેરી ટીકડા ગળી લીધા હતા. આ વૃદ્ધને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા પછી ગઈકાલે તેઓનું મૃત્યુ નિપજ્યું છે. મૂળ રાવલ ગામના અને હાલમાં લાલપુર તાલુકાના ગાગવાધારમાં રહેતા તેમના પુત્ર પરબતભાઈ ગામીએ પોલીસને જાણ કરી છે. કલ્યાણપુર પોલીસે અપ મૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial