Advertisement
Author: નોબત સમાચાર

એટીએમમાં રૂ. ૧૦૦ અને ર૦૦ ની મહત્તમ ચલણી નોટો રાખવા આરબીઆઈનો નિર્દેશ

પહેલી મે થી એટીએમ ટ્રાન્ઝેક્શનનો ચાર્જ વધી જશે

                                                                                                                                                                                                      

મુંબઈ તા. ર૯: એટીએમમાંથી ૧૦૦ અને ર૦૦ રૂપિયાની નોટો નીકળશે. બેંકોને રિઝર્વ બેંકે એટીએમમાં ૧૦૦ અને ર૦૦ રૂપિયાની નોટો વધારવાના નિર્દેશ આપ્યા છે. રિઝર્વ બેંક ઈચ્છે છે કે એટીએમમાં મોટાભાગે ૧૦૦ અને ર૦૦ રૂપિયાની નોટો હોય, ર૦રપ સુધીમાં ૭પ ટકા એટીએમ અને ર૦ર૬ સુધીમાં ૯૦ ટકા એટીએમમાં નાની નોટો હોવી જોઈએ તેવા નિર્દેશો અપાયા છે, જો કે ૧ મેથી એટીએમમાંથી પૈસા ઉપાડવા પર નવો ચાર્જ લાગુ થશે. વધારીને ૩૩ રૂપિયા રૂપિયા કરવામાં આવ્યો છે.

રિઝર્વ બેંકે બેંકોને એટીએમમાં શક્ય તેટલી વધુ ૧૦૦ અને ર૦૦ રૂપિયાની નોટો રાખવા કહ્યું છે જેથી ગ્રાહકોને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે. હાલમાં ભોટાભાગે એટીએમમાંથી પ૦૦ રૂપિયાની નોટો નીકળે છે. આવી સ્થિતિમાં જે લોકોને ૧૦૦ કે ર૦૦ રૂપિયાની નોટની જરૂર હોય છે તેમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

રિઝર્વ બેંક ઈચ્છે છે કે એટીએમમાં વધુને વધુ ૧૦૦ અને ર૦૦ રૂપિયાની નોટો ઉપલબ્ધ થાય. આ માટે રિઝર્વ બેંકે તમામ બેંકો અને વ્હાઈટ-લેબલ એટીએમ ઓપરેટરોને જરૂરી સૂચનાઓ આપી છે. રિઝર્વ બેંકે આ માટે એક સમયમર્યાદા પણ નક્કી કરી છે. દરેક બેંકની મફત મર્યાદા નિશ્ચિત હોય છે, જો તમે નિર્ધારિત મર્યાદા કરતા વધુ રકમ એટીએમમાંથી ઉપાડશો તો તમારે વધુ પૈસા ચૂકવવા પડશે. ૧ મે પછી ફી લિમિટ પછીના દરેક એટીએમ ટ્રાન્ઝેક્શન પર પ્રતિ ટ્રાન્ઝેક્શન ર૩ રૂપિયાનો ચાર્જ લાગશે. અત્યાર સુધી આ ફી ર૧ રૂપિયા હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh