રૃંઢમાળાની કથા

                                                                                                                                                                                                      

એક વાર પ્રસન્નચિત્ત બેઠેલા શિવજીને માતા પાર્વતીજીએ પ્રશ્ન પુછ્યો, હે નાથ તમે રૃંઢમાળા એટલે કે ખોપરીઓની માળા ધારણ કરો છો જ્યારે અન્ય દેવો હીરા-મોતી જેવા કિંમતી ઝવેરાતો અને સુવર્ણના ઘરેણા ધારણ કરે છે. તમને આ ખોપરીઓની માળા કેમ આટલી બધી પ્રિય છે ? તેનું રહસ્ય મને જણાવો.

દેવાધિદેવ શિવજી માતા પાર્વતીજીના મુખેથી આ અચાનક પુછાયેલા પ્રશ્નને સાંભળીને ખડખડાટ હસી પડાયું. શિવજી બોલ્યા, દેવી એ જાણવાની તમારે શી જરૂર છે?

મને તે અત્યંત પ્રિય છે તેથી તેને હું ધારણ કરૂ છું. તમે તો મારા અર્ધાંગિની છો. તમારે મને આવા પ્રશ્નો ન પુછવા જોઈએ.

ત્યારે પાર્વતી માતા એક ના બે ન થયા.  તેમણે રીતસરની હઠ પકડી આજે તો તમે મને એ જણાવો જ કે તમે હાડકાંના હારડા શા માટે ધારણ કરો છો?

શિવજી સમજી ગયા કે નક્કી આ આગ નારદજી જ લગાડી ગયા લાગે છે. તેમણે પાર્વતી માતાને પ્રશ્ન પુછ્યો, આજે હું વન વિહાર કરવા ગયો ત્યારે અહીં કોઈ આવ્યું હતુ ?

માતા પાર્વતીએ જવાબ આપ્યો,' હા, મહર્ષિ નારદજી આવ્યા હતા. તેમણે જ આ પ્રશ્ન મને પુછ્યો. તેઓ એ બધા દેવોને આ રહસ્ય પુછ્યુ. પરંતુ કોઈનેય તેનો ઉત્તર ન મળ્યો. તેથી પોતાની જીજ્ઞાસા સંતોષવા માટે આ પ્રશ્ન નારદજીએ મને પુછ્યો. ત્યારે મેં પણ અન્ય દેવોની જેમ જણાવ્યું કે, ' આ રહસ્ય વિશે તો મને પણ કંઈ જાણ નથી.'

ત્યારે મને નારદજીએ કહ્યું, ' તમે તેમના અર્ધાંગિની છો ને તમેય તે રહસ્ય ને નથી જાણતા?'  આમ કહી માતા પાર્વતી એ ઝડપથી આ રહસ્યને પ્રગટ કરવા શિવજીને વિનંતી કરી.

આખરે સ્ત્રી હઠ પાસે ઝુકી ગયેલા દેવાધિદેવ મહાદેવે તેનું રહસ્ય જણાવતા કહ્યું, 'દેવી' આ જેટલી ખોપરીઓ છે તેટલા તમારા અવતાર થયા છે. તમારા દરેક અવતારની ખોપરી ને મેં મારા આ રૃંઢમાળામાં પોરવી દીધી છે. તમારા થી વધારે આ જગતમાં મને બીજુ કંઈ નથી. તમે મારા હૃદયેશ્વરી છો. તમારા દરેક અવતારના દેહવિલય બાદ તેની ખોપરી હું લઈ મારા આ હારમાં પોરવતો આવ્યો છું. તેના વડે જ મને હૃદયની સાચી શાંતિ પ્રાપ્ત થાય છે.'

શિવજીના મુખેથી આ રહસ્ય સાંભળી અને સતી પાર્વતી તો વ્યથિત થઈ ગયા. તેમણે મહાદેવજીને કહ્યું, ' તમે અજરઅમર છો અને મારે અવતાર ધારણ કરવા પડે છે ? હું પણ તમારી જેમ જ અમર કેમ ન બનું ? હું તમારી અર્ધાંગિની છું. મારે પણ આ જન્મજન્માંતરના ફેરામાંથી છુટવું છે.'

ત્યારે ભગવાન શિવજી બોલ્યા, ' તમે તો માયાનું જ સ્વરૂપ છો. માયા ક્યારેય પણ અમર રહેતી નથી. જો તમારે અમર બનવું હોય તો અમર કથા સાંભળવી પડે. તે અમર કથા કોઈ એકાંત સ્થાનમાં જ સંભળાવી શકાય. અને પાર્વતી અમર કથા સાંભળવા તત્પર થયા.

આમ, શિવજીએ રૃંઢમાળા ધારણ કરવા પાછળનું રહસ્ય માતા પાર્વતીજીની સામે પ્રગટ કર્યું.

- દેવેન કનકચંદ્ર વ્યાસ (અંજાર, કચ્છ)

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

close
Ank Bandh