Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખાનગી કંપનીને ફાયદો થાય અને ખેડૂતોને નુક્સાન થાય, તેવી રીતે વળતરની ગણતરી થતી હોવાની રજૂઆત
જામનગર શહેરમાં ગઈકાલે મંગળવારે તા. ર૭ મીએ ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ જિલ્લાના તાલુકાઓના ખેડૂતોએ પદયાત્રા યોજીને જિલ્લા કલેક્ટરને આવેદન આપીને ખેતરોમાંથી પસાર થયેલી, થતી કે થનારી ખાનગી કંપનીઓની વીજ લાઈનોના વળતર મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી. ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના ડાયાભાઈ ગજેરા, વાલભાઈ આંબલિયા, નવસારીના જયેશભાઈ પટેલના નેજા હેઠળ પેલેસ રોડથી કલેક્ટર કચેરી સુધીની ખેડૂત પદયાત્રા યોજાઈ હતી, જે વેળાએ પોલીસ બંદોબસ્ત રહ્યો હતો. ખેડૂત અગ્રણીઓ અને ખેડૂતોએ કલેક્ટર કેતન ઠક્કરને રૂબરૂ મળીને રજૂઆત કરીને આવેદન આપ્યું હતું, જેમાં જણાવ્યું હતું કે, જામનગર જિલ્લામાં અત્યારે જે જે વીજ લાઈનો નીકળી ગઈ છે, નીકળે છે, કે નીકળવાની છે. તે તમામ વીજલાઈનો કાઢવા માટે કલેક્ટરએ ખેડૂતોને ઈ.સ. ૧૮૮પ ના ધ ટેલીગ્રાફ એક્ટ મુજબ ર૦૦૩ ના વિદ્યુત કાયદા મુજબ નોટીસો આપી છે, જ્યારે આ જ કાયદા હેઠળ ખેડૂતોને વળતર કેમ અપાતું નથી, ઈ.સ. ૧૮૮પ અને ર૦૦૩ ના કાયદા હુજબ ઓછામાં ઓછું નુકસાન અને વધારેમાં વધારે વળતર વ્યાખ્યા મુજબ વળતર આપવાને બદલે ખાનગી કંપનીઓ માટે કરેલા તા. ૧-૧-ર૦૧૭ થી તા. ૩૧-૧-ર૦રપ સુધીના તમામ પરિપત્રો મુજબ જંત્રીના ભાવે વળતરની ગણતરી શા માટે કરવામાં આવે છે? તેવા સવાલો ઊઠાવીને ૧પ જેટલા મુદ્દાની માહિતી માગી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial