Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં આકરા તાપ અને બફારા વચ્ચે પિશાતુ જનજીવનઃ મહત્તમ તાપમાન ૩૭.ર ડીગ્રી

વેગીલા વાયરાઓના પગલે સાંજથી વાતાવરણમાં ઠંડકઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૦: જામનગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં આંશિક વધીને મહત્તમ તાપમાન ૩૭.ર ડીગ્રી નોંધાયું હતું. ભેજનું પ્રમાણ પાંચ ટકા વધીને ૭૮ ટકા રહ્યું હતું. આમ આકરા તાપ અને બફારાના ડબલ એટેકથી જનજીવન પિશાઈ રહ્યું છે, પરંતુ તેજીલા વાયરાઓના પગલે સાંજથી વાતાવરણમાં ઠંડક પ્રસરતા પ્રજાજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

જામનગરમાં બે દિવસ સુધી મહત્તમ તાપમાનનો પારો ૩૭ ડીગ્રીએ સ્થિર રહ્યા પછી તેમાં સળવળાટ થયો છે. આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન આંશિક વધીને મહત્તમ તાપમાન ૩૭.ર ડીગ્રી અને ૧.પ ડીગ્રીના વધારા સાથે લઘુતમ તાપમાન રપ.પ ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ પાંચ ટકા વધીને ૭૮ ટકા રહ્યું હતું. તાપમાન તથા ભેજનું પ્રમાણ વધુ રહેતા પ્રજાજનો આકરા તાપ અને બફારાના બેવડા મારથી પરશેવે રેબઝેબ થઈને ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા હતાં. ગરમીમાં રાહત મળે તે માટે લોકો એસી, એરકુલર તથા ઠંડાપીણાનો સહારો લીધો હતો.

નગરમાં પવનની ગતિ વધીને પ્રતિકલાકની સરેરાશ ૪૦ થી ૪પ કિ.મી.ની રહેવા પામી હતી. ઝપાટાબંધરીતે ફૂંકાતા તેજીલા વાયરાઓના પગલે સાંજે પાંચ વાગ્યા પછી ગરમીનું પ્રમાણ ધીમે-ધીમે ઘટવા લાગ્યું હતું. રાત્રે વાતાવરણમાં ઠંડક પ્રસરતા જનતાએ રાહત અનુભવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh