Advertisement
Author: નોબત સમાચાર

હાલાર જિલ્લા માજી સૈનિક મંડળ દ્વારા કારગીલ વિજય દિવસ ઉજવાશે

તા. ૨૬મી જુલાઈએ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૩: જામનગરના હાલાર જિલ્લા માજી સૈનિક મંડળ દ્વારા તા. ૨૬-૭-૨૫ના દિને કારગીલ વિજય દિવસની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

તા. ૨૬-૭-૨૫ના સવારે ૧૦ વાગ્યે તળાવની પાળે ગેઈટ નં.૧ પાસે શહીદ સ્મારકના સ્થળે શહીદોને પુષ્પાંજલિ આપવામાં આવશે. સાંજે ૫:૩૦ વાગ્યે ગાંધીનગર રોડ પર વિશ્વકર્મા બાગમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાશે, જેમાં વેદ ઈવેન્ટના પ્રશાંતભાઈ મકવાણા તથા તેમની ટીમના કલાકારો દેશભક્તિના ગીતો રજૂ કરશે. આ કાર્યક્રમમાં શહીદવીરોના પરિવારજનનું સન્માન કરવામાં આવશે. આયોજન મંડળના પ્રમુખ ભરતસિંહ જાડેજા તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh