Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં
ખંભાળીયા તા. ર૮: દેવભૂમિ દ્વારકા જિલ્લામં આમઆદમી પાર્ટી દ્વારા હાલ જિલ્લામાં ચાલતી એસઆઈઆરની મતદાર સુધારણા કાર્યવાહીમાં ફોર્મ નં. સાત નામો કમી કરવા માટેના જે ફોર્મ ભરયા તેમાં મોટા પ્રમાણમાં ખોટી અરજીઓ હોય, તાકીદે તપાસ કરીને પગલા લેવા વિશાળ સંખ્યામાં આમઆદમી પાર્ટીના આગેવાનો તથા કાર્યકરો દ્વારા ખંભાળીયા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપીને કડક કાર્યવાહી કરવા માંગ કરાઈ હતી.
આવેદનપત્ર આપીને આમઆદમીના અગ્રણીઓ તથા હોદ્દેદારો દ્વારા તમામ બીએલઓને તેમની ફરજોમાં યોગ્ય તકેદારી તથા જવાબદારીપૂર્વક નોટીસો આપવાની પણ માંગ કરવામાં આવી છે.
જે ૧૯ હજાર જેટલી અરજીઓ નામ કમી કરવાની થયેલી છે. તેમાં અનેક સ્થળોએ મોટી ભ્રામક તથા ખોટી ગેરવ્યાજબી વિગતો રજૂ થયાનું અમોને જાણવા મળેલ હોય, વાસ્તવિક હક્કદાર મતદારોના નામો કમી થવાથી ગંભીર અન્યાય થાય તેવું હોય, ખોટી અરજીઓ અંગે તાકીદે તપાસ કરીને યોગ્ય અને પારદર્શક કામગીરી કરવા તથા અરજીઓ ખોટી હોય, તે સંદર્ભે જવાબદારો સામે પગલા લેવાની માંગણી કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial