Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સોસાયટી દ્વારા કરાઈ હતી ફરિયાદઃ
જામનગર તા. ૩: જામનગરની એક સોસાયટીના સભાસદને ચેક પરતના કેસમાં અદાલતે એક વર્ષની કેદ અને રૂ।.૧૨૦૦૦૨ નો દંડ ફટકાર્યાે છે.
જામનગરની સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો. ઓપ. સોસાયટીના સભાસદ લખન વ્રજલાલ ટીલાવતે સોસાયટીમાંથી લોન મેળવી હતી. તેની ભરપાઈ કરવા ચેક અપાયો હતો. તે ચેક બેંકમાંથી રિટર્ન થતાં લખન ટીલાવતને નોટીસ આપવામાં આવી હોવા છતાં રકમ ન ચૂકવાતા તેની સામે નેગો. ઈન્સ્ટ્રુ. એક્ટ-૧૩૮ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
તે કેસ ચાલવા પર આવતા અદાલતે આરોપીને તકસીરવાન ઠરાવી લખન વ્રજલાલ ટીલાવતને એક વર્ષની સજા તેમજ રૂ।.૧,૨૦,૦૦૨નો દંડ ફટકાર્યાે છે. ફરિયાદી તરફે વકીલ મિતેશ પટેલ, મણીલાલ કાલસરીયા, ગૌરાંગ મંુજપરા, એચ.એમ. ધામેલીયા, જયદીપસિંહ જાડેજા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial