Advertisement
Author: નોબત સમાચાર

ચેક પરતના કેસમાં દંડ તથા સજાના હુકમ સામે કરાયેલી અપીલ થઈ નામંજૂર

નીચેની કોર્ટનો કેદ-દંડનો હુકમ યથાવતઃ

                                                                                                                                                                                                      

 જામનગર તા. ૩૦: જામનગરના એક આસામીને રૂ।.૭ લાખ ઉપરાંતના ચેક પરતની ફરિયાદમાં નીચેની કોર્ટે દંડ તથા કેદનો હુકમ કર્યાે હતો. તે હુકમ સામે સેશન્સ કોર્ટમાં કરવામાં આવેલી અપીલ નામંજૂર રહી છે અને નીચેની કોર્ટનો કેદ-દંડનો હુકમ યથાવત રાખવામાં આવ્યો છે.

જામનગરના મહેશભાઈ એલ. વાડોલીયા નામના આસામીએ જામનગરની અદાલતમાં સાહિલ વિજયભાઈ ભારવડા નામના આસામી સામે રૂ।.૭૦ ૫૦૦૦ની રકમના ચેક પરતની ફરિયાદ નોંધાવી હતી.

તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી સાહિલ વિજયભાઈને તક્સીરવાન ઠરાવી કેદની સજા તથા દંડ ફટકાર્યાે હતો. અદાલતના આ આદેશ સામે આરોપી સાહિલ વિજયભાઈ ભારવડાએ સેશન્સ કોર્ટમાં અપીલ નોંધાવી હતી. તે અપીલ અન્વયે ફરિયાદ પક્ષ તરફથી રજૂ થયેલી દલીલો ગ્રાહ્ય રાખી અદાલતે નીચેની કોર્ટનો હુકમ યથાવત રાખી આરોપીની અપીલ નામંજૂર કરી છે. મૂળ ફરિયાદી તરફથી વકીલ સંજય દાઉદીયા, ભાવિકા જોષી, બ્રિજરાજસિંહ જાડેજા રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh