Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના સ્વામિનારાયણ મંદિરમાં નેત્ર- દંત તથા સર્વરોગ નિદાન-સારવાર કેમ્પ

                                                                                                                                                                                                      

જામનગર તા. રઃ વી.વી. ત્રિવેદી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નટુભાઈ ત્રિવેદી દ્વારા નેત્ર-દંત તથા સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ નિઃશુલ્ક કેમ્પ તા. ૮/પ ને ગુરુવારે સવારે ૯ થી ૧ર મુજબ સ્વામિનારાયણ મંદિર, ખાદીભંડાર સામે, બેડીગેઈટ, જામનગરમાં કરવામાં આવ્યું છે. આ કેમ્પના આયોજનમાં સ્વ. મનહરલાલ નૌતમદાસ ગાંધી (હઃ અલ્પેશ ગાંધી પરિવાર) નો સહયોગ પ્રાપ્ત થયો છે. મોતિયાના ઓપરેશન માટે દર્દીઓને રણછોડદાસ બાપુ ચેરીટેબલ હોસ્પિટલ-રાજકોટ મોકલવામાં આવશે. ડો. હિરાબેન જોષી તથા દાંતના નિષ્ણાત ડોક્ટર રશેશ ઓઝા અને ડો. નિરાલી દવે ઓઝા કેમ્પમાં સેવા આપશે. જનતાને આ કેમ્પનો લાભ લેવા પ્રમુખ નટુભાઈ ત્રિવેદીએ અનુરોધ કર્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh