Advertisement
Author: નોબત સમાચાર

પહેલગામના આતંકી હુમલાખોરો હજુ પણ કાશ્મીરની પહાડીઓમાં જ છુપાયા હોઈ શકે

ખાવા-પીવાની અને લાંબો સમય ટકી રહેવાની વ્યવસ્થા સાથે

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૨: પહેલગામ પર હુમલો કરનારા આતંકીઓ કાશ્મીરમાં છુપાયેલા હોઈ શકે છે. ઇન્ટેલિજન્સ એજન્સીએ જણાવ્યું છે કે તેમની પાસે ખાવા-પીવાનો પૂરતો સામાન હોવાથી પહાડી વિસ્તારમાં લાંબો સમય વિતાવી શકે છે, બીજી તરફ ટ્રમ્પે આ મુદ્દે પુરતુ સમર્થન જાહેર કર્યું છે. તો બપોરે અટારી બોર્ડર ખુલી રહી હોવાનું પણ જાણવા મળેલ છે.

પહેલગામ હુમલો કરનારા આતંકવાદીઓ હજુ પર કાશ્મીરમાં છુપાયેલા હોવાની શક્યતા છે. ગુપ્તચર સૂત્રોએ જણાવ્યું હતું કે આતંકવાદીઓ હજુ પણ દક્ષિણ કાશ્મીરના જંગલોમાં છુપાયેલા છે. તેમની પાસે ખાવા પીવાનો પૂરતો સામાન છે, તેથી તેઓ આ પહાડી વિસ્તારોમાં લાંબા સમય સુધી રહી શકે છે.

આ દરમિયાન યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા ટેમી બ્રુસે કહૃાું કે અમેરિકા આતંકવાદ સામે ભારતની સાથે ઊભું છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે એમ પણ કહૃાું છે કે તેઓ વડા પ્રધાન મોદીને સંપૂર્ણ સમર્થન આપશે.

બીજી તરફ, ૧૪ પ્રકારના વિઝા ધરાવતા પાકિસ્તાની નાગરિકો માટે ભારત છોડવાની છેલ્લી તારીખ ૨૯ એપ્રિલ હતી. અટારી બોર્ડર પર લગભગ ૭૦ પાકિસ્તાની નાગરિકો ફસાયેલા હતા. ભારત અને પાકિસ્તાન બંને તરફથી સરહદ બંધ છે. પરંતુ આજે બપોરે અટારી બોર્ડર ખુલી રહ્યા હોવાના અહેવાલો છે.

ઉલ્લેખનીય છે કે, ૨૨ એપ્રિલના રોજ પહેલગામની બૈસરન ખાડીમાં આતંકવાદીઓના ગોળીબારમાં ૨૬ પ્રવાસીઓ માર્યા ગયા હતા. ૧૭ લોકો ઘાયલ થયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh