Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં બ્રહ્મસમાજ દ્વારા પરશુરામ જયંતીની સાદગીપૂર્વક ઉજવણી

ષોડશોપચાર વિધિ સાથે મહાઆરતી-આતંકી હુમલાના મૃતકો માટે મહામૃત્યુંજય જાપ

                                                                                                                                                                                                      

જામનગર શહેરમાં બ્રાહ્મણ  સમાજના આરાધ્ય દેવ ભગવાન શ્રી પરશુરામજીના જન્મોત્સવ ની જામનગર જિલ્લા-શહેર સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા સાદગી પૂર્ણ ધાર્મિક વિધિ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. અને કાશી વિશ્વનાથ મંદિર રોડ પર આવેલી દયાશંકર બ્રહ્મપુરીમાં આજે સાંજે ૫ વાગ્યાથી ૭ વાગ્યા સુધી વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજન-અર્ચનનો કાર્યક્રમ રખાયો છે, જ્યારે સાંજે ૭ વાગ્યે મહા આરતી કરવામાં આવશે, ઉપરાંત જમ્મુ કાશ્મીરના પહેલ ગામમાં થયેલા આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા નિર્દોષ નાગરિકોને શ્રદ્ધાંજલિ પાઠવવાના ભાગે મહામૃત્યુંજયના જાપ રાખવામાં આવ્યા છે.

સમસ્ત સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજના ટ્રસ્ટી નરેન્દ્રભાઈ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ સમસ્ત બ્રહ્મ સમાજના જિલ્લા પ્રમુખ પ્રફુલભાઈ વાસુ, જિલ્લા મહામંત્રી ભાસ્કરભાઈ જોશી, અને કારોબારી સભ્ય નયનભાઈ વ્યાસ, ઉપરાંત શહેર પ્રમુખ આશિષ જોષી, મહામંત્રી હિરેન કનૈયા, સમાજના મહિલા પાંખના જિલ્લા પ્રમુખ, અને શોભાયાત્રાના કન્વીનર મનિષાબેન સુંબડ, શહેર પ્રમુખ જાગૃતિબેન ત્રિવેદી, શહેરના મહામંત્રી વૈશાલીબેન જોષી, જિલ્લાના મહામંત્રી મીનાબેન જ્યોતિષિ, ઉપરાંત જિલ્લા યુવા પ્રમુખ જનકભાઈ ખેતિયા, અને જિલ્લા યુવા મહામંત્રી ચિરાગભાઈ અસવાર, શહેર યુવા પાંખના પ્રમુખ જસ્મિન ધોળકિયા,  શહેર યુવા મહામંત્રી વિમલ જોષી વગેરેની આગેવાનીમાં ભગવાન પરશુરામના પૂજન અર્ચન તેમજ મહામૃત્યુંજયના જાપ સહિતના કાર્યક્રમોનું આયોજન થઈ રહૃાું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh