Advertisement
Author: નોબત સમાચાર

ભીમરાણાનું રેલવે ફાટક મનસ્વી રીતે ખોલી નાખનાર ફાટકમેન સામે ફોજદારી

એમ્બ્યુલન્સને જવા દેવા ફાટક ખોલી નાખ્યું હતું:

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૦: ઓખામંડળના ભીમરાણામાં આવેલા ફાટક પરથી ગઈકાલે બપોરે ઓખા-મુંબઈ સૌરાષ્ટ્ર મેઈલ પસાર થાય તે પહેલાં ફાટક બંધ કરવામાં આવ્યું હતું. આ વેળાએ એમ્બ્યુલન્સ આવતા ફાટકમેને મનસ્વી રીતે ફાટક ખોલી નાખતા સ્ટેશન માસ્તરે તેની સામે ફોજદારી ફરિયાદ નોંધાવી છે.

દેવભુમિ દ્વારકા જિલ્લાના ભીમરાણા ગામ પાસે રેલવે ફાટક નં.૩૦૦ પરથી કાલે બપોરે સવા અગિયારેક વાગ્યે ઓખાથી મુંબઈ જતી સૌરાષ્ટ્ર મેઈલ પસાર થતી હતી ત્યારે ભીમરાણા રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્તરે ફાટક નં.૩૦૦ બંધ કરવા થોડી મિનિટો પહેલા ફાટકમેન ભીમરાણા ગામના શ્રવણભા હઠીયાભા માણેકને સૂચના આપી હતી.

સૂચનાના પગલે તે ફાટક બંધ કરી દેવામાં આવ્યા પછી ત્યાં એક એમ્બ્યુલન્સ આવી લાગતા ફાટકમેન શ્રવણભાએ સ્ટેશન માસ્તરને પૂછ્યા વગર જ ફાટક ખોલી આપ્યું હતું અને તેના પરથી એમ્બ્યુલન્સ રવાના થઈ ગઈ હતી.

આ બાબતની સ્ટેશન માસ્તરને જાણ થતાં તેઓએ મીઠાપુર પોલીસ સ્ટેશનમાં ફાટકમેન શ્રવણભા હઠીયાભા માણેક સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ ફાટકમેન જાણતા હતા કે તેઓ પોતાની મરજી મુજબ ફાટક ખોલશે અને ત્યારે જ જો ટ્રેન પસાર થશે તો મોટી દુર્ઘટના સર્જાય શકે તેમ છે તેમ છતાં બેદરકારી દાખવી ફાટક ખોલી નાખ્યું હતું.

સ્ટેશન માસ્તર રાજારામ સુરેશભાઈ પ્રસાદની ફરિયાદ પરથી મીઠાપુર પોલીસે બીએનએસની કલમ ૧૨૫ તેમજ રેલવે એક્ટની કલમ ૧૭૪ (સી) હેઠળ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh