Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ફેરફાર રિપોર્ટ રજૂ થયે જાણ કરવા અનુરોધઃ
જામનગર તા. ૬: જામનગરના ઓશવાળ શિક્ષણ અને રાહત સંઘમાં નવા ચૂંટાયેલા કોઈપણ ટ્રસ્ટી અંગે ફેરફાર રિપોર્ટ રજૂ થાય તો તેની સામે પોતાને વાંધો છે તેમ જણાવી ઓશવાળ સમાજના મંુબઈના ભીવંડીમાં રહેતા એક આસામીએ વાંધા અરજી રજૂ કરી છે.
જામનગરના ઓશવાળ શિક્ષણ અને રાહત સંઘ દ્વારા કોઈપણ નવા વ્યક્તિઓના નામ ટ્રસ્ટીની યાદીમાં દાખલ કરવા માટે ફેરફાર રિપોર્ટ રજૂ કરવામાં આવે કે તેવો કોઈ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હોય તો તેને મંજૂર કરતા પહેલાં પોતાને સાંભળવા માટે મુંબઈના ભીવંડીમાં રહેતા કેવીન મોહનલાલ ગાલા નામના આસામીએ ગયા સપ્તાહે જામનગર સ્થિત જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી ને જાણ કરી છે.
આ આસામીએ પાઠવેલી અરજીમાં જણાવાયા મુજબ રજી. નં.ઈ/૨૧૯થી નોંધાયેલા ઓશવાળ શિક્ષણ અને રાહત સંઘના નવા ચૂંટાયેલા ટ્રસ્ટીઓના નામ દાખલ કરવા માટે કોઈ દ્વારા તજવીજ કરવામાં આવે અને તે માટે કચેરીમાં જો રિપોર્ટ રજૂ કરવામાં આવે તો પોતાને જાણ કરવા અને સાંભળવાની તક આપવા માગણી કરતા ચર્ચા જાગી છે.
ઉલ્લેખનીય છે કે, ગયા સપ્તાહે ઓશવાળ સમાજના એજ્યુકેશન ટ્રસ્ટના ફાઉન્ડર ચેરમેનના પરિવાર અને ટ્રસ્ટી વચ્ચે થયેલા ઘર્ષણનો બનાવ હજુ ચર્ચામાં છે ત્યાં આ સમાજની જ બીજી સંસ્થા અંગે વાંધા અરજી રજૂ થતાં ચકચાર જાગી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial