Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૨૦: દ્વારકાના દરિયામાં ગઈકાલે માછીમારી કરી રહેલા એક મહારાષ્ટ્રીયન પ્રૌઢને હૃદયરોગનો તિવ્ર હુમલો ભરખી ગયો છે. મહારાષ્ટ્ર રાજ્યના રત્નાગીરી જિલ્લાના વતની કૃષ્યા માંકીયા વરવટકર નામના પંચાવન વર્ષના પ્રૌઢ તથા અન્ય વ્યક્તિઓ ગઈકાલે માછીમારી માટે દ્વારકાના દરિયામાં પહોંચ્યા હતા. તેઓ જ્યારે દ્વારકાના દરિયાથી પચ્ચાસ નોટીકલ માઈલ દૂર હતા ત્યારે અચાનક કૃષ્યા વરવટકરને છાતીમાં દુખાવો ઉપડતા તેઓ ઢળી પડ્યા હતા. આ પ્રૌઢને તાત્કાલિક સારવાર આપવાની તજવીજ કરાઈ હતી પરંતુ તેઓનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ નિપજ્યું હતું. સાથે માછીમારી કરતા હરીશચંદ્ર અડુશકરે પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial