Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ત્રણેક મહિના પહેલાં સર્જાયો હતો અકસ્માતઃ
જામનગર તા. ૧: કાલાવડ પાસે ત્રણ મહિના પહેલાં એક હોમગાર્ડઝ જવાનને મોટરની ઠોકર વાગતા તેઓનું મૃત્યુ નિપજ્યું હતું. હિટ એન્ડ રનના આ બનાવમાં પોલીસે મોટરચાલકની ધરપકડ કરી હતી. આ આરોપીએ જામીન મુક્ત થવા કરેલી અરજી હાઈકોર્ટે મંજૂર રાખી છે.
કાલાવડ શહેરમાં આઈટીઆઈ ચોકડી નજીક ગઈ તા.૧૬-૧૨-રપની સાંજે ગિરીશભાઈ ગોરધનભાઈ પરમાર નામના હોમગાર્ડઝ જવાન ઉભા હતા ત્યારે એક મોટરે તેઓને ટક્કર મારી દીધી હતી.
આ અકસ્માતમાં ઘવાયેલા ગિરીશભાઈનું મૃત્યુ નિપજ્યું હતું. ખોડુભાઈ પરમારે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મોટરના ચાલક ધર્મેશ ઉર્ફે ડેની દિનેશભાઈ સોંદરવાની ધરપકડ કરી હતી. આ આરોપીએ જામીનમુક્ત થવા હાઈકોર્ટમાં અરજી કરતા તેને રૂ।.૧૦ હજારના જામીન પર છોડવામાં આવ્યો છે. આરોપી તરફથી વકીલ પ્રકાશ પરમાર, જયદીપ મકવાણા રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial