Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની સગીરાનું મોરબીના શખ્સ તથા બે સાગરિતે અપહરણ કર્યાની કરાઈ ફરિયાદ

ગયા શુક્રવારે સગીરા ભેદી સંજોગોમાં ગુમ થઈઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૦: જામનગરના ગુલાબનગરમાં રહેતા પરિવારની પોણા સોળ વર્ષ સગીરા ગયા શુક્રવારની વહેલી સવારે પોતાના ઘરેથી ભેદી સંજોગોમાં લાપત્તા બનતા શરૂ થયેલી તપાસમાં આ પરિવારને જાણ થઈ હતી કે તેણીનું મોરબીના એક શખ્સે અપહરણ કર્યું છે. ત્રણ શખ્સ સામે પોલીસમાં ફરિયાદ કરાઈ છે.

જામનગરના ગુલાબનગર વિસ્તારમાં વસવાટ કરતા એક પરિવારની પોણા સોળ વર્ષની સગીરા ગઈ તા.૩ની સવારે ચાર વાગ્યાથી અડધી કલાકના સમયમાં ભેદી સંજોગોમાં લાપત્તા બની જતાં તેણીના પરિવારે શોધખોળ શરૂ કરી હતી.

તે દરમિયાન આ સગીરાને મોરબીનો મોહિતગીરી હરેશગીરી ગોસ્વામી નામનો શખ્સ પોતાના સાગરિત ગુલાબગીરી ગોસ્વામી તથા હરેશગીરી ગોસ્વામીની મદદથી અપહરણ કરીને લઈ ગયો હોવાની જાણકારી મળતા આ સગીરાના માતાએ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુન્હો નોંધી તપાસ આરંભી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh