Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની ઈન્ટરસિટી ટ્રેન અમદાવાદ સુધી જ જશે

વડોદરા સેક્શનમાં બ્લોક લેવાના કારણે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૭: ગેરતપુર-વડોદરા સેક્શનમાં રેલવે દ્વારા લેવામાં આવેલા બ્લોકના કારણે જામનગર-વડોદરા વચ્ચે ચાલતી ઈન્ટરસિટી ટ્રેનને અમદાવાદ સુધી જ દોડાવવામાં આવશે. એટલે કે અમદાવાદ-વડોદરા વચ્ચે આ ટ્રેન રદ્ રહેશે.

ગેરતપુર-વડોદરા સેક્શનમાં વાસદ-રાણોલી સ્ટેશનો વચ્ચે રી-ગાર્ડરીંગનું કામ કરવામાં આવનાર હોવાથી રેલવે દ્વારા મેગા બ્લોક લેવામાં આવ્યો છે. પરિણામે રાજકોટ રેલવે ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોને અસર થનાર છે.

ટ્રેન નંબર રર૯૬૦ જામનગર-વડોદરા ઈન્ટરસિટી ટ્રેન તા. ૭, ૧૧, ૧૪, ૧૮, ર૧ અને ર૮ મે ર૦રપ અને તા. ૪ અને ૮ જૂન ર૦રપ ના દિવસે આ ટ્રેન માત્ર અમદાવાદ સુધી જ જશે. એટલે કે અમદાવાદ-વડોદરા વચ્ચે બંધ રહેશે. જ્યારે ટ્રેન નંબર ૧ર૪૭૭ જામનગર-શ્રી માતા વૈશ્નવદેવી, કટરા એક્સપ્રેસ ટ્રેન તા. ૭, ૧૪, ર૧ અને ર૮ મે તથા ૪ જૂન ર૦રપ ના આ ટ્રેન માર્ગમાં પ૦ મિનિટ મોડી થશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh