Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મેઘપરમાં ઉલટી થયા પછી પરપ્રાંતીય યુવકનું મોતઃ
જામનગર તા. ૩: મેઘપર ગામમાં વસવાટ કરતા એક શીખ યુવાન સપ્તાહ પહેલાં ઉલટી થયા પછી સુઈ ગયા હતા. બેભાન બની ગયેલા આ યુવાનને સારવાર માટે જામ નગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓને મૃત્યુ પામેલા જાહેર કરાયા હતા. કલ્યાણપુરના રાણ ગામના યુવાન ઉલટી થયા પછી પેટમાં દુખાવો થતાં સારવાર માટે જામનગર દાખલ કરાયા હતા. તેઓનું પણ મૃત્યુ થયું છે.
જામનગર-ખંભાળિયા રોડ પર મેઘપર ગામમાં રાધે ક્રિષ્ન બિલ્ડીંગમાં વસવાટ કરતા અને રોટોસ્ટેટ પ્રા.લિ. નામની પેઢીમાં નોકરી કરતા મલ્કીતસિંઘ હરજીતસિંઘ નામના ૩૯ વર્ષના શીખ યુવાન ગઈ તા.૨૫ના દિને પોતાના રૂમ પર હતા ત્યારે ગેસ જેવું થવા લાગતા ઉલ્ટી, ઉબકા શરૂ થયા હતા.
ત્યારપછી આ યુવાન સુઈ ગયા હતા. સાંજે પાંચેક વાગ્યે તેમની સાથે રૂમમાં રહેતા વરીન્દરસિંઘ કુલદીપસિંઘે તેઓને ઉઠાડતા આ યુવાન ઉઠ્યા ન હતા તેથી તેઓને એમ્બ્યુલન્સમાં સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે આ યુવાનને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા મેઘપર પોલીસે અપમૃત્યુની નોંધ કરી તપાસ આદરી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રાણ ગામમાં રહેતા મોહનભાઈ દેવશીભાઈ કણઝારીયા નામના ત્રેવીસ વર્ષના યુવાન સોમવારે પોતાના ઘરે હતા ત્યારે ઉલ્ટી થયા પછી તેઓને પેટમાં દુખાવો ઉપડ્યો હતો. સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલમાં લાવવામાં આવેલા આ યુવાનનું ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. તેમના પિતા દેવશીભાઈ મનજીભાઈએ પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial