Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લાકક્ષાના સ્વાગત ફરિયાદ કાર્યક્રમમાં કલેકટરે સત્તર અરજીઓનો સ્થળ પર જ કર્યો નિકાલ

આખા જિલ્લામાંથી માત્ર ૨૨ જ અરજીઓ આવી !

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૦: કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આવેલી માત્ર ૨૨ અરજીઓ પૈકી ૧૭ અરજીઓનો સ્થળ પર જ હકારાત્મક નિકાલ લાવી અરજદારોની સમસ્યાઓનું નિરાકરણ લવાયું હતું. તાલુકાઓમાં વસવાટ કરતા અરજદારોના પ્રશ્નો કલેકટરે વર્ચ્યુઅલ માધ્યમથી સાંભળી લગત અધિકારીઓને તે અંગે જરૂરી કાર્યવાહી હાથ ધરવા સૂચના આપી હતી.

જિલ્લા કલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી જામનગરમાં જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આવેલ ૨૨ પૈકી ૧૭ અરજીઓનો સ્થળ પર જ ત્વરિત નિકાલ કરી અરજદારોની સમસ્યા તથા પ્રશ્નોનું નિરાકરણ લવાયું હતું. જ્યારે એક અરજી નકારાત્મક તેમજ ચાર અરજીઓને વધુ કાર્યવાહી અર્થે પડતર રખાઈ હતી.

તાલુકાઓમાં વસવાટ કરતા અરજદારોના પ્રશ્નો પણ કલેક્ટરે વર્ચ્યુઅલ માધ્યમથી સાંભળ્યા હતા તેમજ લગત પ્રાંત અધિકારી તથા મામલતદારોને તે અંગે જરુરી કાર્યવાહી હાથ ધરવા જણાવ્યુ હતુ.

આ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ અરજદારોની સમસ્યાને જિલ્લા કલેકટરે ધ્યાનપૂર્વક સાંભળી વિવિધ અરજદારોના પ્રશ્નો સંદર્ભે જે-તે વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી ચોક્કસ સમય મર્યાદામાં પ્રશ્નોના નિકાલ લાવવા સૂચના આપી હતી. સાથે જ જ્યાં જરૂર જણાય ત્યાં વિભાગોનું અરસ પરસ સંકલન કરી અરજદારનો પ્રશ્ન ઝડપથી હલ થાય તે માટે પણ જિલ્લા કલેકટરે પ્રયાસો કર્યા હતા.

આ સ્વાગત કાર્યક્રમમાં અરજદારોના વિવિધ પ્રશ્નો જેવા કે ગેરકાયદેસર દબાણ, રિ-સર્વે રેકર્ડ સુધારવો, યોજનાકિય લોન અને ટુલકીટ મેળવવા, ખેતીની જમીનમાં રસ્તો ખુલ્લો કરવો, સ્કોલરશીપ મેળવવા, સરકારી ખરાબાની જમીન પરના ગેરકાયદેસર દબાણો દુર કરવા, હોમ લોનની સબસીડી મેળવવા, ખેતીની જમીનની નોંધ પાડવા, દબાણ થકી બંધ કરાયેલ પાણી નિકાલના પ્રશ્નો, વાણીજય હેતુના પ્લોટ પર થયેલ ગેર કાયદેસર દબાણ તથા બાંધકામ વગેરે જેવા પ્રશ્નોને કલેકટરે સાંભળ્યા હતા તેમજ ઉપસ્થિત અધિકારીઓ સાથે ચર્ચા કરી માનવીય અભિગમ દાખવી ત્વરિત આ પ્રશ્નોનો નિકાલ લાવવા તાકીદ કરી હતી.અરજદારોએ પણ કલેક્ટરશ્રી દ્વારા કરવામાં આવેલ કાર્યવાહી અંગે સંતોષ વ્યક્ત કરી પોતાના પ્રશ્નનું સુખદ સમાધાન થતા હર્ષની લાગણી વ્યક્ત કરી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, અધિક નિવાસી કલેકટર  બી.એન.ખેર, સર્વે પ્રાંત અધિકારી, જિલ્લા શિક્ષણાધિકારી, માર્ગ અને મકાન વિભાગ, તાલુકા વિકાસ અધિકારીઓ, ચીફ ઓફિસરો તથા અરજદારો ઉપસ્થિત રહૃાા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh