Advertisement
Author: નોબત સમાચાર

કેન્દ્રિય અંદાજપત્રમાં ટૂંકાગાળાના નહીં, પરંતુ લાંબાગાળાના આર્થિક વિકાસ સાથે વિકસિત ભારત માટેનું આયોજન

જામનગરના જાણીતા એડવોકેટ નિરવભાઈ વડોદરિયાનો પ્રતિભાવઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩: કેન્દ્ર સરકારના વર્ષ ર૦ર૬-ર૭ ના અંદાજપત્ર અંગે જામનગરના જાણીતા કરવેરા સલાહકાર એડવોકેટ નિરવભાઈ વડોદરિયાએ પ્રતિભાવમાં જણાવ્યું છે કે, લાંબા ગાળાના આર્થિક વિકાસ સાથે વિકસિત ભારત માટેનું અંદાજપત્ર છે.

એનઆરઆઈ ભારતની ઈક્વિટિમાં સીધું એ ૧૦૪ ની લીમીટમાં રોકાણ કરી શકશે જેને કારણે વિદેશનો નાણાનો ફ્લો આવવાનો કારણે ભારતના અર્થતંત્રને લાભ થશે તથા વિદેશી હુંડિયામણની આવકમાં પણ વધારો થશે. વિદેશી આવક કે વિદેશી સંપત્તિ જાહેર નહિં કરેલ હોય અને સંપત્તિની તથા આવક ૧ કરોડની લિમિટમાં હશે તો સંપત્તિની મારકેટ કિંમતના ૩૦ ટકા ટેક્ષ અને ૩૦ ટકા દંડ ભરી શકાશે. બીજું આ વખતના બજેટમાં એક પ્રોફશ્નલ વ્યુ અપનાવેલ છે જે કોઈ કરચોર પકડાશે તો એને જેલને બદલે ટેક્ષ અને દંડની રકમ વસૂલવામાં આવશે જેનાથી સરકારની આવકમાં ત્વરીત વધારો થશે તથા કરચોરી કરવાવાળાનું માનસ પણ બદલાશે. ૩ વર્ષ પહેલા ઈન્કમટેક્ષ માટે જે રોડમેપ તૈયાર કરેલ હતો જે જ રોડમેપ ઉપર આગળ ચાલવા માટે ટેક્ષમાં કોઈ ફેરફાર કરેલ નથી એટલે વેપારીને દર વર્ષે ટેક્ષ માળખાને લઈને જે ફેરફાર કરવાની મહેનત થતી હતી અને કોઈપણ ટેક્ષ પ્લાનિંગ લાંબા ગાળા માટે થઈ શકતું ન હોતું તે માથાકૂટ હવે મરી પૂરી થઈ ગઈ છે, પરંતુ ઈન્કમ ટેક્ષની નવી સ્કીમ જે પગારદાર તથા ઓછી આવકવાળી વ્યક્તિ માટે ૩ વર્ષ પહેલા જે અમલમાં આવી હતી એમાં વધારે લાભ આપવામાં આવેલ છે. હવે નવી સ્કીમ મુજબ ૪ લાખ સુધી કોઈ ટેક્ષ ભરવો નહીં પડે. ૪ થી ૮ લાખ પાંચ ટકા, ૮ થી ૧ર લાખ ૧૦ ટકા, ૧ર થી ૧૬ લાખ ૧પ ટકા, ૧૬ થી ર૦ લાખ ર૦ ટકા, ર૦ થી ર૪ લાખ રપ ટકા અને ર૪ લાખ કરતા વધુ આવક હોય તો ૩૦ ટકા ટેક્ષ લાગશે. આમ ૮૭ એ રીબેટ ૬૦,૦૦૦ સુધી ગણતરી કરવામાં આવે તો ૧ર લાખ સુધી નાના ટેક્ષપેપરને અને પગારદારને સ્ટાન્ડર્ડ ડીઈફ્શન પ૦,૦૦૦ સુધી લાભ મળતો હતો તે ૭પ,૦૦૦ કરતા ૧ર,૭પ,૦૦૦ સુધી પગારદારને કોઈ ટેક્ષ નહિં આવે.

ઈન્કમટેક્ષ એક્ટ ર૦રપ જે ઈન્કમટેક્ષના ૧૯૬૧ ના કાયદાની જગ્યાએ સરળ ભાષામાં અને લગભગ મોટાભાગની શબ્દોની આંટીઘૂંટી દૂર કરવામાં આવેલ છે. ત. ૧-૪-ર૦ર૬ થી લાગુ થશે. એમએટી (મીનીમમ અલ્ટરનેટ ટેક્ષ) ૧પ ટકાથી ઘટાડી ૧૪ ટકા કરવામાં આવેાલ છે. એમએટી એ કંપની માટે ફાઈનલ ટેક્ષ લાયબેલિટિ છે. એમએટીમાં કેરી ફોરર્વડ કે સેટઓફ ભવિષ્યની લાયબેલિટિ સામે એડજેસ્ટ નહિં થાય આને કારણે ઘણાં બધ લિટિગેશન ઓછા થઈ થશે. એનઆરઆઈને એમએટીમાંથી બાકાત રાખેલ છે. એટલે વિદેશી રોકાણ ભારતમાં વધવાની શક્યતા છે. એમએસએમઈ એટલે ે નાના ઉદ્યોગકારો માટે ૧૦,૦૦૦ કરોડનું બજેટ ફાળવવામાં આવેલ છે જે નાના ઉદ્યોગકારો માટે બહુ ફાયદાકારક રહેશે.

જામનગરમાં આયુર્વેદિક મેડિકલ સેન્ટરની સ્થાપના થશે તથા દેશમાં ૩ નવા ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યુટ ઓફ આયુર્વેદની સ્થાપના થશે.

ઈન્કમટેક્ષ રિવાઈઝ્ડ રીટર્ન તથા પેનલ્ટી સાથે મોડા રીટર્ન ભરવાની તારીખ ૩૧, રીર્ટન ભરવાની તારીખ ૩૧, ઓગસ્ટ કરવામાં આવી છે જેને કારણે ટ્રસ્ટ તથા વેપારીને પોતાના રીટર્ન ભરવામાટે વધુ સમય મળશે.

ફોરને ટુર પેકેજ ભણતર માટે તથા મેડિકલ માટે ટીસીએસ ઘટાડીને ફક્ત ર૪ કલાકમાં આવેલ છે. ટીડીએસ માટે પણ સારા ફેરફાર કરવામાં આવેલ છે. મેનપાવર સપ્લાયને કોન્ટ્રાક્ટરના ટીડીએસ પ્રોવીઝનમાંથી બાકાત કરવામાં આવેલ છે. શેરબજારમાંથી સટ્ટો દૂર કરવા માટે અને નાના રોકાણકારોને નુક્સાન ન જાય તેના માટે બહુ મહત્ત્વનું પગલું ભરવામાં આવેલ છે.

એસટીટી (સિક્યુરીટી ટ્રાન્જેક્શન ટેક્ષ) ફ્યુચર સોદા માટે ૦.૦ર ટકાથી વધારીને ૦.૦પ ટકા કરવામાં આવેલ છે તથા ઓપ્ટસન માટે ૦.૦૧ થી વધારીને ૦.૧પ ટકા કરવામાં આવેલ છે. ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વારવા માટે ફોરેન ક્લાઉડ પ્રોવાઈડરને જો ભારતમાં રોકાણ કરશે તો ર૦ વર્ષનું ટેક્ષ હોલી ડે આપવામાં આવેલ છે.

જીએસટીમાં મુખ્યત્રવે ફેરફાર કરવામાં આવેલ છે. ઈન્ટરમીડિયેરી સપ્લાયર માટે પ્લેશ ઓફ સપ્લાય રીસીપીયન્ટના પ્લેશને ગણવામાં આવશે જેથી ફોરેના બાયરને ઈન્ટરમીડિયેરી દ્વારા સપ્લાય કરેલ સર્વિસ કે ગુડ્ઝ કે બન્ને વસ્તુ હવે નિકાસ ગણાશે જેથી ઘણાં બધા લીટીશેન પૂર્ણ થશે. બીજો ફેરફાર સપ્લાય પછી ડીસ્કાઉન્ટ કે ઈનસેન્ટિવ આપેલ હોય તો ઓરીજીનલ બીલ સાથે લીન્ક કરવું પડતું હતું તે દૂર કરેલ છે. તેને બદલે ફક્ત ક્રેડીટ નોટ ઈશ્યુ કરનારે પોતાના રીટર્નમાંથી આઈટીસી ઘટાડેલ હોય, તો સપ્લાયરને ટેક્ષ બાદ મળશે. તદ્ઉપરાત જો પ લાખ કરતા વધુ ડિસ્કાઉન્ટ હોય તો સીએ પાસેથી સર્ટીફિકેટ મેળવવુુ પડતું હતું અને પ લાખ કરતા ઓછું ડિસ્કાઉન્ટ હોય તો રીસીપીયન્ટ પાસેથી સર્ટિફિકેટ મેળવવું પડતું હતું કે તેણે આઈટીઓ રીવર્સ કરેલ છે તો જ સપ્લાયરને ટેક્ષ બાદ મળતો હતો તે નોટીફિકેશન પરત લેવામાં આવેલ છે. ત્રીજો ફેરફાર ઈન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચર રીફંડની અરજીમાં ૭ દિવસમાં ૯૦ ટકા રીફંડ ચૂકવવું પડશે. આમાં કોઈ ખોટું રીફંડ હોય તો ઓફિસરને વીટો પાવર આપેલ છે જે વ્યવસ્થિત ચોપડા તપાસીને રીફંડ ચૂકવી શકશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh