Advertisement
Author: નોબત સમાચાર

યુદ્ધની સંભવિત સ્થિતિને પહોંચી વળવા જામનગરની જી.જી. હોસ્પિટલનું તંત્ર સજ્જ

ભારત-પાક. વચ્ચે તંગદિલી વધતા સરકારની સૂચનાથી તમામ તંત્રો એલર્ટ પર... બેડ વધારાઈ... પૂરતો સ્ટાફ તૈનાત

                                                                                                                                                                                                      

ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ વચચે જામનગરમાં પણ તમામ તંત્ર સજ્જ બન્યા છે. ખાસ કરીને જી.જી. હોસ્પિટલમાં આગમચેતીના ભાગરૃપે તમામ તૈયારીઓ કરવામાં આવી છે, આથી જરૃર પડ્યે હોસ્પિટલનું તંત્ર સંભવિત સારવાર માટે સજ્જ બન્યું છે. ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. બન્ને તરફ હુમલા થઈ રહ્યા છે, જ્યારે સંભવિત સ્થિતિને પહોંચી વળવા માટે સરકારની સુચના મુજબ જામનગરના તમામ સરકારી તંત્ર સજ્જ બન્યા છે. જો દુશ્મન દેશના હુમલામાં કોઈ ઘાયલ બને અને સારવારની જરૃર પડે તો જામનગરની જી.જી. હોસ્પિટલમાં તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. જામનગરની જી.જી. હોસ્પિટલમાં વધારાના બેડ પાથરી દેવામાં આવી છે. ઉપરાંત તબીબોની ટીમ દ્વારા જરૃરી સાધનો, નર્સીંગ સ્ટાફ વગેરે તૈનાત રખાયા છે. જવાબદાર અધિકારીના જણાવ્યા મુજબ હોસ્પિટલનું તંત્ર કોઈપણ સ્થિતિને પહોંચી વળવા માટે સંપૂર્ણ સજ્જ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh