Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સગીરાને કમ્પેઈન્સેશનમાંથી રૂ.ર લાખનું વળતરઃ
જામનગર તા. રઃ કાલાવડના એક શખ્સે સાડા ચાર વર્ષ પહેલાં એક સગીરાને લગ્નની લાલચ આપી નસાડ્યા પછી જુદા જુદા શહેરોમાં લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યું હતું. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીને દસ વર્ષની સખત કેદની સજાનો હુકમ કર્યાે છે. સગીરાને રૂ.૨ લાખનું વળતર ચૂકવવામાં આવશે.
કાલાવડ શહેરમાં મ્યુનિ. હાઈસ્કૂલ પાછળ વસવાટ કરતા રવિ ભલાભાઈ સોલંકી નામના શખ્સે ગઈ તા.૨૬-૧૨-૨૦૨૦ના દિને એક સગીરાને લગ્નની લાલચ આપી ભાગી જવાનું કહેતા આ સગીરા લલચાઈ ગઈ હતી તેણીને મોટરમાં બેસાડી રવિ સોલંકી રાજકોટ અને ત્યાંથી મોરબી, સુરત અને માંડવી લઈ ગયો હતો.
આ સગીરા પર રવિ સોલંકીએ દુષ્કર્મ ગુજાર્યું હતું. અલગ અલગ શહેરમાં લઈ જઈ સગીરાને દુષ્કર્મનો ભોગ બનાવવામાં આવી હતી. તે પછી સુરતમાંથી પોલીસે આ શખ્સને પકડી પાડ્યો હતો. કાલાવડ શહેર પોલીસે આઈપીસી ૩૬૩, ૩૬૬, ૩૭૬ તેમજ પોક્સો એક્ટની કલમ હેઠળ નોંધાયેલા ગુન્હામાં આરોપીની ધરપકડ કરી હતી.
ઉપરોક્ત કેસ જામનગર ની ખાસ અદાલતમાં ચાલવા પર આવતા સરકાર પક્ષે ૧૩ સાહેદની જુબાની તથા દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. તે દલીલોને ગ્રાહ્ય રાખી અદાલતે આરોપી રવિ ભલાભાઈ સોલંકીને તક્સીરવાન ઠરાવ્યા પછી આઈપીસી ૩૭૬ (ર) (એન) તથા પોક્સો એક્ટની કલમ ૪, ૬ના ગુન્હા બદલ ૧૦ વર્ષની સખત કેદની સજા તથા રૂ.૧૦ હજારનો દંડ ફટકાર્યાે છે. દંડ ભરવામાં ન આવે તો વધુ એક વર્ષની કેદ આપવામાં આવી છે. આઈપીસી ૩૬૩ના ગુન્હામાં ત્રણ વર્ષની કેદ, આઈપીસી ૩૬૫ના ગુન્હામાં પાંચ વર્ષની કેદ અને રોકડનો દંડ ફટકારાયો છે. ભોગ બનનાર સગીરાને વળતર પેટે કમ્પેઈન્સેશનમાંથી રૂ.ર લાખ ચૂકવવામાં આવશે. સરકાર તરફથી પી.પી. ભારતીબેન વાદી રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial