Advertisement
Author: નોબત સમાચાર

નવી બનતી ઈમારતના પાંચમા માળેથી પડી જતાં શ્રમિકનું મોત

મૃતકના પુત્રનું નિવેદન નોંધાયું:

                                                                                                                                                                                                      

જામનગર તા. ૭: જામનગરના ગોકુલનગર નજીક જકાતનાકા પાસે નવી બનતી ઈમારતમાં પાંચમા માળે કામ કરી રહેલા એક શ્રમિક સોમવારે સાંજે પટકાઈ પડ્યા પછી મોતને શરણ થયા છે. પોલીસે તેમના પુત્રનું નિવેદન નોંધ્યું છે.

જામનગરના ગોકુલનગર જકાતનાકા નજીક વસવાટ કરતા નરવતભાઈ કુબેરભાઈ નાયકા નામના આદિવાસી શ્રમિક જકાતનાકા પાસે નવા બનતા સતધાર એવન્યુ નામના બિલ્ડીંગમાં મજૂરીકામ માટે જતાં હતા.

તે દરમિયાન સોમવારે સાંજે આ શ્રમિક તે ઈમારતના પાંચમા માળે કામ કરતા હતા ત્યારે અકસ્માતે પગ લપસી જતાં પટકાઈ પડ્યા હતા. ગંભીર ઈજા પામેલા આ શ્રમિકનું મૃત્યુ નિપજ્યું છે. અનિલકુમાર નરવતભાઈએ પોલીસને જાણ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh