Advertisement
Author: નોબત સમાચાર

ધીરાણ પરત કરવા અપાયેલા ચેક પરતના કેસમાં સાત મહિનાની સજા

ચેકની રકમ મુજબનો દંડ ભરવા આદેશઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૭: જામનગરની એક પેઢી દ્વારા ધીરાણની રકમ પરત ચૂકવવા ચેક આપનાર આસામી સામે ચેક પરતની ફરિયાદ કરાઈ હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીને સાત મહિનાની કેદ અને ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યાે છે.

જામનગરમાં કેદાર એન્ટરપ્રાઈઝ નામની પેઢી ચલાવતા સાવન ભગવાનજી નાખવા પાસેથી ઠેબા નજીક રહેતા અશોક તેજાભાઈ રાઠોડે રૂ.૨ લાખ ૪૦ હજાર નું ધીરાણ મેળવ્યું હતું.

તે ધીરાણ પરત ચૂકવવા અશોકભાઈએ ચેક આપ્યો હતો. તે ચેક પરત ફરતા સાવન નાખવાએ અદાલતમાં ફરિયાદ નોંધાવી હતી. તે  કેસ ચાલી જતાં અદાલતે આરોપી અશોક તેજાભાઈ રાઠોડને તકસીરવાન ઠરાવી સાત મહિનાની કેદ તથા રૂ.૨,૪૦,૦૦૦નો દંડ ફટકાર્યાે છે. દંડની રકમ  વળતર પેટે ચૂકવવા હુકમ કરાયો છે. દંડ ભરવામાં ન આવે તો વધુ એક મહિનાની કેદનો હુકમ થયો છે. ફરિયાદી તરફે વકીલ ભગીરથસિંહ ઝાલા, કલ્પેન રાજાણી રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh