Advertisement
Author: નોબત સમાચાર

દરેડ પાસે લાખોટાની કેનાલમાં કેમીકલયુકત દુષિત પાણી વહે છે...!

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૦: જામનગર શહેરના હાર્દ સમા રાજાશાહીની અદ્વિતીય અને અદ્ભુત પ્રજાલક્ષી જયાં જામરાવલસિંહજી અને જામ દિગ્વિજયજી પણ બિરાજે છે તેમજ અખંડ રામધુન પણ ત્યાજ ચાલી રહી છે તેવા લાખોટા તળાવ કે જેની પાછળ કરોડો રૂપિયાના ખર્ચ કરી બ્યુટીફીકેશન કરવામાં આવેલ છે તેવા કુદરતી વરસાદી પાણી જે કેનાલ મારફતે આ તળાવ દર વર્ષે ભરાઈ છે તે લાખોટા કેનાલમાં દરેડ નજીક કેમિકલયુકત ભયંકર દુષિત પાણી આવે છે.

લાલપુર બાયપાસ ચોકડીથી દરેડની ગોળાઈ સુધી લાખોટા તળાવની કેનાલમાં ભયંકર દુષિત કેમિકલયુકત કદડો ભરી દેવામાં આવેલ છે, આ કદડો લાખોટા તળાવમાં આવે તેની રાહ જોવાય રહી હોવાનું જણાય આવે છે. જવાબદાર વહીવટી પ્રશાસન દ્વારા લોકોની જાહેર આરોગ્ય અને સુખાકારી સાથે ચેડા જેવી ગંભીર બાબતે પણ ઘોરનિંદ્રા માણી રહ્યું છે. જો તાત્કાલિક પગલા લેવામાં નહિ આવે તો આ દુષિત કેમિકલયુકત કદડો લાખોટા તળાવમાં પ્રવેશી તળાવમાં રહેલી જીવશ્રૃષ્ટિની સાથે સમગ્ર શહેરના ભૂગર્ભ જળમાં હેન્ડપંપ મારફતે પહોંચી જશે અને લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરશે ત્યારે હાલે કોલેરા જેવી મહામારી શહેરમાં ફેલાયેલ જોવા મળશે.

ભવિષ્યમાં આવી કોઈ મહામારી ન ફેલાઈ તેને ધ્યાને લેતા તકેદારીના ભાગરૂપે શું તંત્ર જાગશે કે લોકોના આરોગ્ય સાથે થઈ રહેલા ગંભીર ચેડા જોતું રહેશે તે મોટો સવાલ છે.

આ પ્રશ્ને તાકિદે યોગ્ય પગલા લેવા રાજેન્દ્રસિંહ જાડેજાએ મ્યુનિ. કમિશનરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh