Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાના રાંદલ ધામમાં ૧ર૦૦ થી વધુ કુમારિકા રાંદલ સ્વરૂપ ધારણ કરશે

વૈશ્વિક માઁ રાંદલ મહોત્સવનું આયોજનઃ

                                                                                                                                                                                                      

દ્વારકા તા. ર૩: દ્વારકાના કકલાસ કુંડ પાસે આવેલા શ્રી રાંદલ ધામમાં રાંદલ માતાજીના સમૂહ લોટા તેડવાનું આયોજન આગામી તા. ૮-૩-ર૦ર૬ ના કરવમાં આવ્યું છે. આ પ્રસંગે ઈતિહાસમાં સૌપ્રથમ વખત ૧ર૦૦ થી વધુ કુમારિકાઓ રાંદલ સ્વરૂપ ધારણ કરશે. રાંદલ માતાજીના ર (બે) લોટા તેડવાનો ખર્ચ રૂ।. ર૧૦૦ છે. માતાજીના લોટા તેડવા માટે કોઈપણ ગામ શહેરના માઈભક્તો નામ નોંધાવી શકે છે. નામ નોંધવાની છેલ્લી તા. ૬-૩-ર૦ર૬ છે. રાંદલ માતાજીના લોટા ઉત્સવ અંતર્ગત આગામી તા. ૮મી માર્ચને રવિવારના સવારે ૮ કલાકે માતાજીનું પૂજન, બપોરે ૧૧.૦૦ કલાકે કુમારિકા ભોજન, સાંજે ૬ કલાકે ઘોડો ધૂમાશે, રાત્રે ૮.૩૦ કલાકે નિજમંદિરમાં મહાઆરતી થશે. તા. ૯મી માર્ચના સવારે ૮ કલાકે ઉત્થાપન થશે. સમગ્ર ધર્મોત્સવના યજમાન સૂર્યનારાયણ દેવ તથા સત્યનારાણય દેવ રહેશે. વધુ માહિતી માટે મો. ૯૯૭૪ર પપર૬ર પર સંપર્ક કરવો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh