Advertisement
Author: નોબત સમાચાર

ચેક પરતના કેસમાં નગરના મહિલાને એક વર્ષની કેદઃ વળતર ચૂકવવા આદેશ

અગાઉ લોકઅદાલતમાં થયું હતું સમાધાનઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૦: જામનગરના એક મહિલા સામે રૂ।.સાડા નવ લાખના ચેક પરતની કરાયેલી ફરિયાદમાં લોકઅદાલતમાં સમાધાન થયા પછી રૂ।.ર લાખનો ચેક આપવામાં આવ્યો હતો. તે ચેક પરત ફર્યાની કરાયેલી ફરિયાદમાં અદાલતે મહિલા આરોપીને એક વર્ષની કેદ તથા ચેકની રકમ મુજબનું વળતર ચૂકવી આપવાનો હુકમ કર્યાે છે.

જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં વસવાટ કરતા ભરતસિંહ હેમુભા ચુડાસમા નામના આસામી પાસેથી રૂ।.૧૦ લાખ ચાર્મીબેન ગજાનનભાઈ વ્યાસે સંબંધદાવે હાથઉછીના મેળવ્યા હતા. તે રકમ અંગે સમજૂતી કરાર નોટરાઈઝડ કરાવાયો હતો અને રૂ।.રપ-રપ હજારના બે કટકા યુપીઆઈથી ભરતસિંહને ચૂકવી આપવામાં આવ્યા હતા.

બાકી રહેતી રૂ।.સાડા નવ લાખની રકમ પરત આપવા માટે ચાર્મીબેને ચેક આપ્યો હતો. તે ચેક બેંકમાંથી પરત ફરતા ભરતસિંહે અદાલતમાં ફરિયાદ નોંધાવી હતી. તે દરમિયાન વર્ષ ૨૦૨૪ના ડિસેમ્બર મહિનામાં યોજાયેલી લોકઅદાલતમાં બંને વ્યક્તિ વચ્ચે સમાધાન થતાં રૂ।.ર લાખનો ચાર્મીબેને ફરીથી ચેક આપ્યો હતો.

તે ચેક પણ બેંકમાંથી પરત ફરતા અદાલતમાં ફરિયાદ કરવામાં આવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી ચાર્મીબેન ગજાનનભાઈ વ્યાસને તક્સીરવાન ઠરાવી એક વર્ષની કેદ તથા ચેકની રકમ વળતર પેટે બે મહિનામાં ચૂકવી આપવાનો હુકમ કર્યાે છે. વળતર ચૂકવવામાં ન આવે તો વધુ ચાર મહિનાની સજા ફટકારવામાં આવી છે. ફરિયાદી તરફથી વકીલ અશ્વિન બારડ, જયદીપસિંહ જાડેજા રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh