Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના બર્ધનચોક વિસ્તારમાં 'પાથરણા' વાળાના દબાણોની સમસ્યા વધુને વધુ ગંભીર

મનપાના કર્મચારીઓ હપ્તો ઉઘરાવતા હોવાનો આક્ષેપઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૨: જામનગરમાં બર્ધનચોક વિસ્તારમાં પાથરણાવાળાના દબાણોની સમસ્યા વધુને વધુ ગંભીર અને પ્રજાને ત્રાસરૂપ બની રહી છે.

આ વિસ્તારમાં રેંકડી અને પાથરણાવાળા સવારે ગોઠવાઈ જાય છે. સવારે ૧૧ વાગ્યે મનપાના એસ્ટેટ વિભાગના કર્મચારીઓ ફોટા પાડવા આવે તેટલો સમય પથરા-રેંકડી ઉપાડી લેવામાં આવે છે, અને સાંજે પણ ૫:૩૦ વાગ્યે ફોટા પાડવા આવે ત્યારે દબાણો હટાવી લેવામાં આવે છે. ફોટા પાડીને કર્મચારીઓ જાય કે તરત જ બંને ટાઈમે રેંકડી-પાથરણાવાળા ફરીથી ખડકાય જાય છે. દુકાનદારોનો પણ ત્રાસ વધી રહ્યો છે. ફૂટપાથ ઉપર ચારે તરફ પૂતળા, લટકણીયા, માલ સામાનના ખડકલા કરી દે છે. જેથી ક્યાંય ચાલવાની જગ્યા રહેતી નથી. આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા મયંક શાહ નામના જાગૃત નાગરિકે મનાપાના એસ્ટેટ વિભાગના અહીં ફરજ પર મૂકાયેલા કર્મચારીઓ મોટા પાયે હપ્તા ઉઘરાવતા હોવાનો ગંભીર આક્ષેપ પણ કર્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh