Advertisement
Author: નોબત સમાચાર

નાસ્તાની લારીએ પાર્સલમાં વાર લાગતા પૂછનાર ગ્રાહક પર રેંકડીવાળાનો હુમલો

ગ્રાહકનું નાક ભાંગી ગયું: પિતા-પુત્ર સામે ફરિયાદઃ

                                                                                                                                                                                                      

 જામનગર તા. ૩૧: જામનગરના રણજીતસાગર રોડ પર નાનકપુરી પાસે નોનવેજની રેંકડીએ પાર્સલ કરાવવા ગયેલા એક યુવાને વાર કેમ લાગી તેમ પૂછતા રેંકડીવાળા તથા તેના પિતાએ ઢીકાપાટુ તથા પાઈપથી હુમલો કરી માર મારતા આ યુવાનનું નાક ભાંગી ગયું છે. તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જામનગરના રણજીત સાગર રોડ પર આવેલી નવી હર્ષદમીલની ચાલીમાં વસવાટ કરતા રાજેશભાઈ હમીરભાઈ સાદીયા નામના યુવાન બુધવારે સાંજે નાનકપુરી નજીક આવેલી નોનવેજની એક રેંકડીએ પાર્સલ કરાવવા માટે ગયા હતા.

આ વેળાએ તેઓના ઓર્ડર મુજબના પાર્સલમાં વાર લાગતા રાજેશભાઈએ રેંકડીવાળા બોદુ સતારભાઈને પૂછયું હતું આથી ઉશ્કેરાયેલા બોદુ તથા તેના પિતા સતારભાઈએ ગાળો ભાંડી ઢીકાપાટુથી માર મારવા ઉપરાંત પગમાં પાઈપ ફટકાર્યાે હતો અને સતારભાઈએ ગાળો ભાંડી રાજેશભાઈને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરવા ઉપરાંત પતાવી દેવા ધમકી પણ આપી હતી. ઢીકાપાટુના કારણે રાજેશભાઈનું નાક ભાંગી ગયું હતું. સિટી એ ડિવિઝનમાં તેઓએ ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh