Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના ઉમેશભાઈ થાનકીનું 'પર્યાવરણ મિત્ર' એવોર્ડથી સન્માન

પર્યાવરણ પ્રત્યેની અનન્ય સેવાઓ બદલ

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૩: ગુજરાત રાજ્ય પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ અને સદ્ભાવના વૃદ્ધાશ્રમના સંયુક્ત ઉપક્રમે ગાંધીનગરમાં પર્યાવરણ જાગૃતિ અને વૃક્ષારોપણની શ્રેષ્ઠ કામગીરી કરનારા પ્રકૃતિપ્રેમીઓનું 'પર્યાવરણ મિત્ર' એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું.

જેમાં જામનગર નેચર ક્લબના સેક્રેટરી ઉમેશભાઈ થાનકીને તેમની પર્યાવરણ જાળવણી પ્રત્યેની વિશિષ્ટ સેવાઓ બદલ 'પર્યાવરણ મિત્ર'નો એવોર્ડ એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું.

સમગ્ર ગુજરાતમાંથી પ૧ વ્યક્તિઓની આ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી હતી, જેમાં બેંકના નિવૃત્ત કર્મચારી ઉમેશભાઈ થાનકીનો સમાવેશ થયો હતો. તેઓ એમએસસી (એગ્રી) ની ડીગ્રી ધરાવે છે, અને સૌરાષ્ટ્રમાં નામાંકિત વનસ્પતિશાસ્ત્રીઓમાં સ્થાન ધરાવે છે.

રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, ગુજરાત રાજ્ય પ્રદૂષણ કંટ્રોલ બોર્ડના ચેરમેન આર.ડી. બારડ, વન વિભાગના ચીફ કન્ઝર્વેટર ડો. એ.પી. સીંગ તથા સદ્ભાવના વૃદ્ધા આશ્રમના વિજયભાઈ ડોબરિયાના હસ્તે એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh