Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાહદારીઓને અડચણ કરતા હોવાનો ગુન્હોઃ
જામનગર તા. ૨૯: જામનગરના ગુલાબનગર રોડ પર રાજપાર્ક પાસે ટ્રાફિકને અડચણ થાય તે રીતે ફળનો વેપાર કરતા ચાર શખ્સ સામે પોલીસે ગુન્હો નોંધી કાર્યવાહી કરી છે.
જામનગરના ગુલાબનગર રોડ પર આવેલા રાજપાર્ક નજીક ગઈકાલે બપોરે ટ્રાફિકને તેમજ રાહદારીઓને ચાલવામાં અડચણરૂપ થાય તે રીતે રોડ પર ફળનું ટેબલ રાખી ફળનો વેપાર કરી રહેલા ગુલાબનગરવાળા સીકંદરખાન કાદરખાન લોધી સામે પોલીસે બીએનએસની કલમ ૨૮૫ હેઠળ કાર્યવાહી કરી હતી. જ્યારે રોડ પર ફળની રેંકડી, ટેબલ રાખી વેપાર કરતા વિજય હેમતભાઈ ઠાકરડા સામે પણ ગુન્હો નોંધાયો હતો.
ત્યાં નજીકમાં જ કિશોર જયંતિભાઈ રાઠોડ નામના શખ્સે પણ ફ્રુટનો સ્ટોલ રાખી રાહદારીઓને ચાલવામાં અડચણ સર્જતા પોલીસે તેની સામે કાનૂની કાર્યવાહી કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial