Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શ્રી વિશ્વકર્મા દાદાના જન્મોત્સવ નિમિત્તે
જામનગર તા. ૩૦: સોરઠિયા લુહાર જ્ઞાતિ ગ્રામ્ય મંડળ-જામનગર દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ શ્રી વિશ્વકર્મા દાદાના જન્મોત્સવની ઉમંગભેર ઉજવણી કરવામાં આવશે. જેમાં તા. ૩૧/૧ ના સવારે ૭ થી ૧૧ વાગ્યા દરમિયાન મંગળા આરતી, શ્રૃંગાર આરતી, રાજભોગ આરતી, શોભાયાત્રા અને નૂતન ધ્વજારોહણ, બપોરે ૧ર વાગ્યે શ્રી વિશ્વકર્મા દાદાના જન્મોત્સવની મહાઆરતીના ચડાવો, બપોરે ૧ર-૩૦ વાગ્યે સોરઠિયા લુહાર જ્ઞાતી ગ્રામ્ય મંડળના સભ્યોનો સહપરિવાર સમૂહ પ્રસાદ, બપોરે ર-૩૦ વાગ્યે વિદ્યાર્થી સન્માન સમારંભ રાખવામાં આવ્યો છે. મંડળના સર્વે સભ્યોએ પરિવાર સાથે ઉપસ્થિત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial