Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સમગ્ર રાજયમાંથી ૬૧ જેટલા નેત્રહીનોએ ભાગ લીધોઃ
જામનગર તા. ર૯: જામનગરના અંધજન વિવિધલક્ષી તાલીમ કેન્દ્રમાં જયરામભાઈ રામદયાલ મોહનીયા અખિલ ગુજરાત નેત્રહીન ચેસ ટુર્નામેન્ટ યોજવામાં આવી હતી. જેમાં ગુજરાતમાંથી ૬૧ નેત્રહીનોએ ભાગ લીધો હતો. જેમાં જુનિયર ગ્રુપમાં ભુવા ધ્રુવ (અમરેલી) એ પ્રથમ, રાંગી મૌલિક (અમદાવાદ) એ દ્વિતીય અને ચૌહાણ હરદેવસિંહ (અમદાવાદ) એ તૃતીય તેમજ સિનિયર ગ્રુપમાં વાઘેલા રાહુલ (જામનગર) એ પ્રથમ, સહાની રાહુલ (અમદાવાદ) એ દ્વિતીય અને પટની અનિકેત (વડોદરા) એ તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યુ હતું. સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનારને રૂ।. ૩૦૦૦ અને ટ્રોફી તથા દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવનારને અનુક્રમે રૂ।. ર૦૦૦ અને રૂ।. ૧૦૦૦ નો રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
ચીફ આર્બિટર તરીકે પંકજભાઈ ગણાત્રા અને સહયોગી આર્બિટર તરીકે નિશાંતભાઈ સોમૈયાએ સેવા આપી હતી. આ સ્પર્ધાને સફળ બનાવવા માટે સંસ્થાના સર્વે કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.
આ તકે સંગમ ઈન્ડસ્ટ્રીઝના પ્રોપરાઈટર રાજેન્દ્રભાઈ ગડીયા, સંસ્થાના પ્રમુખ ચંદુલાલ આર. શાહ, ઉપપ્રમુખ બિમલ એ. મહેતા, મેનેજિંગ ટ્રસ્ટી ડો. પ્રકાશ જે. મંકોડી, માનદમંત્રી મનીષભાઈ મારૂ, ટ્રસ્ટી પ્રદીપભાઈ દવે, કાંતિલાલ ગજેરા, ટુર્નામેન્ટના પ્રણેતા સ્વ. જયરામભાઈ રામદયાલ મોહનીયાના પુત્રી શ્વેતાબેન વિગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial