Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૫: મોઢ બ્રાહ્મણ જ્ઞાતિના આંતર રાષ્ટ્રીય ટ્રસ્ટી, પત્રકાર, સામાજિક કાર્યકર હિરેન ગુણવંતરાય ત્રિવેદીને તાજેતરમાં સમસ્ત બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા તેમની સેવાકીય પ્રવૃત્તિ માટે ગૌરવવંતો પરશુરામ એવોર્ડ આપવામાં આવ્યો હતો. હિરેન ત્રિવેદીએ અગાઉ ૫૫ વખત રક્તદાન કર્યું છે. ખાસ કરીને થેલેસેમિયાના બાળકો માટે અનેક વખત રક્તદાન કેમ્પો કર્યા છે. ઉપરાંત આંખના ઓપરેશનનો કેમ્પ, સર્વ રોગ નિદાન કેમ્પ, ગરીબ વિદ્યાર્થીઓને પુસ્તક સહાય, શાળાઓની ફી ભરી આપવી, સહિતના અનેક સેવાકીય અને સામાજિક કામો કરવામાં તેઓ સદાય અગ્રેસર રહૃાા છે.
વર્ષોથી પત્રકારત્વ ક્ષેત્રે તેઓ કામ કરી રહૃાા છે તેમની ૩૮ વર્ષની પત્રકાર તરીકેની કારકિર્દીમાં અનેક વીવીઆઈપી મહાનુભાવોના તેઓ ઇન્ટરવ્યૂ પણ લઈ ચૂક્યા છે. છેલ્લા કેટલાક સમયથી તેઓ ગુજરાતી હાલારી સમવાય ચાતુર્વેદી મોઢ બ્રાહ્મણ જ્ઞાતિના ટ્રસ્ટી તરીકે સેવા આપી રહૃાા છે. અગાઉ તેઓ યુવા સોશિયલ ગ્રુપ જામનગર તાલુકા અભ્યુદય મંડળ જામનગર, સહિતની અનેક સંસ્થાઓમાં સેવા આપી ચૂક્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial