Advertisement
Author: નોબત સમાચાર

મગફળીનો ભૂક્કો ઢાંકતી વખતે દીવાલ પરથી પટકાયેલા પ્રૌઢનું સારવારમાં મૃત્યુ

કલ્યાણપુરના મેઘપર ટીટોડીમાં સર્જાયો અકસ્માતઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૬: કલ્યાણપુર તાલુકાના મેઘપર ટીટોડી ગામમાં રવિવારે એક પ્રૌઢ માવઠાની આશંકાથી ખુલ્લામાં પડેલા મગફળીના ભુક્કાને પ્લાસ્ટિકથી ઢાંકવાનો પ્રયત્ન કરવામાં એક પ્રૌઢ દીવાલ પરથી લપસી પડ્યા હતા. તેઓનું સારવારમાં મૃત્યુ નિપજ્યું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના મેઘપર ટીટોડી ગામમાં રહેતા મૂળ ખંભાળિયાના લાલુકા ગામના આલાભાઈ વીરાભાઈ વસરા (ઉ.વ.પપ) નામના પ્રૌઢ રવિવારે સવારે પોતાના ઘર પાસે રાખેલા મગફળીના ભુક્કા પર પ્લાસ્ટિક ઢાંકી રહ્યા હતા. માવઠાની આગાહીના પગલે તેઓએ ભુક્કો પલળી ન જાય તે માટે પ્લાસ્ટિક ઢાંકવા પ્રયત્ન કર્યાે હતો.

આ વેળાએ ત્યાં આવેલી કાચી દીવાલ પર ચઢી આલા ભાઈ પ્લાસ્ટિક ઢાંકી રહ્યા હતા ત્યારે દીવાલ પરથી પગ લપસી જતાં તેઓ પટકાઈ પડ્યા હતા. ઈજા પામેલા આલાભાઈને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. તેમના પુત્ર સામતભાઈએ પોલીસને જાણ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh