Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકામાં યોજાયો મેગા રકતદાન કેમ્પ

ખેડૂત નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાની છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે

                                                                                                                                                                                                      

દ્વારકા તા. ૧: શહેરમાં ખેડૂત નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાની છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ-દ્વારકા દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

સમાજ સેવા અને માનવતાની ભાવનાથી ભરેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાઓ અને સ્થાનિક નાગરિકોએ ભાગ લીધો અને રક્તદાન કરી વિઠલભાઈ પ્રત્યે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

આ પ્રસંગે સમાજના અગ્રણીઓ તેમજ પોલીસ-પ્રશાસનના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહૃાાં હતાં. જેમાં પીઆઈ આકાશ બારસીયા, પી.એન. પટેલ, પીએસઆઈ પિયુષ પટેલ, સમાજ અગ્રણી હરેશભાઈ પટેલ, રાજુભાઈ પટેલ તેમજ વિઠ્ઠલભાઈ રાદડિયાના નિકટમ મિત્ર કિશોરભાઈ વિઠલાણીનો સમાવેશ થાય છે.

આ તમામ મહાનુભાવો દ્વારા વિઠલભાઈના સમાજકાર્ય અને ખેડૂત હિત માટેના યોગદાનને યાદ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ દ્વારા આવનારા સમયમાં પણ સમાજસેવાના કાર્યક્રમો ચાલુ રાખવામાં આવશે તેવી જાણકારી આપવામાં આવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh