Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના સાંઈબાબા મંદિર ગાંધીનગરમાં
જામનગર તા. ર૯: શિરડી સાંઈબાબા મંદિર ગાંધીનગરમાં દરેક તહેવારોને અનુલક્ષી કાર્યક્રમો, જાહેર જનતાના આરોગ્યલક્ષી કાર્યક્રમો, વિદ્યાર્થીઓના સન્માનના કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે. તેવી રીતે આ વર્ષે પણ રક્ષાબંધનના જામનગર શહેરમાં રહેતા સર્વ ભૂદેવો માટે જનોઈ બદલાવવાનો કાર્યક્રમ તા. ૯-૮-ર૦રપ, શનિવાર રક્ષાબંધનના યોજાશે. આ કાર્યક્રમમાં જામનગર શહેરમાં રહેતા કોઈપણ જનોઈધારી લોકો જોડાઈ શકે છે. યજ્ઞોપવિત બદલાવવાનો કાર્યક્રમ સવારે ૯ થી ૧૧ વાગ્યાનો રહેશે. પૂજાપો મંદિર તરફથી આપવામાં આવશે. કાર્યક્રમ પૂર્ણ થયે યજ્ઞોપવિત બદલાવવા આવેલ બ્રાહ્મણો માટે ભોજનનું આયોજન રાખવામાં આવેલ છે. શિરડી સાંઈબાબા મંદિર તરફથી કલ્પેશ રાવલએ જણાવેલ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial