Advertisement
Author: નોબત સમાચાર

શિવજીની ઉપાસનાથી રાજર્ષિ વિશ્વામિત્ર બ્રહ્મર્ષિ બન્યા

                                                                                                                                                                                                      

મહર્ષિ વિશ્વામિત્રનો જન્મ ક્ષત્રિય કુળમાં થયો હતો તે ગાધિરાજના પુત્ર હતા. કુશ વંશમાં તેઓ જન્મેલા હોઈ કૌશિક તરીકે પણ ઓળખાય છે.

એક વખત વિશ્વામિત્ર મોટી સેના સાથે મહર્ષિ વશિષ્ઠના આશ્રમમાં ગયા. વશિષ્ઠજીએ પોતાની ગાય નંદિનીની સહાયતાથી રાજા વિશ્વા મિત્ર અને તેમના સાથિયોનો આદરપૂર્વક વિશેષ આતિથ્ય સત્કાર કર્યો. ગાય નંદિની ઈચ્છીત વસ્તુઓ તત્કાળ આપે તેવી હતી. નંદીની ગાયનો આ પ્રભાવ જાણી વિશ્વામિત્રએ વશિષ્ઠજીને તે ગાય આપવા વિનંતી કરી. પરંતુ મહર્ષિ વશિષ્ઠએ તે નંદિની ગાય આપવા માટે પોતે અસમર્થ હોવાનું જણાવ્યું. પરંતુ નંદિની ગાયને બળપૂર્વક લઈ જવાની કોશિશ કરી.

મહર્ષિ વશિષ્ઠજીની આજ્ઞાથી કામધેનુ એવી નંદિનીએ અસંખ્ય સેના ઉત્પન્ન કરી. આ સેનાને જીતવા માટે વિશ્વામિત્ર અસમર્થ થઈ ગયા. ત્યારે વિશ્વામિત્રએ બ્રહ્મબળને શ્રેષ્ઠ માન્યું. બ્રહ્મત્વની પ્રાપ્તિ માટે તેમણે ઘોર તપસ્યા કરી. તેમની તપસ્યા થી પ્રસન્ન થઈ અને બ્રહ્માજીએ તેમને રાજર્ષિનું પદ આપ્યું. તેનાથી વિશ્વામિત્રને સંતોષ ન થયો. તેમની તપસ્યા તેમણે ચાલુ રાખી. તેમનું તપોબળ વધવા લાગ્યું.

તેમના તપોબળનો ભંગ કરવા દેવોએ અપ્સરા મેનકા દ્વારા પ્રયત્ન કર્યો. આ વિઘ્નથી કંટાળી વિશ્વામિત્ર ત્યાંથી હિમાલય પર્વત પર કૌશિકી નદીના કિનારે તપ કરવા ચાલ્યા ગયા. તેમણે ભગવાન સદાશિવજી ઉપાસના કરી. તેમની ઉપાસનાથી પ્રસન્ન થઈ અને શિવજીએ તેમને બ્રહ્મપદ આપ્યું. આમ, રાજર્ષિ વિશ્વામિત્ર શિવજીની કૃપાથી બ્રહ્મર્ષિ બન્યા.

- દેવેન કનકચંદ્ર વ્યાસ (અંજાર, કચ્છ)

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh