Advertisement
Author: નોબત સમાચાર

ગેરકાયદે ખનીજ ખનનના નોંધાયેલા ગુન્હામાં બે આરોપીનો થયો છૂટકારો

ગયા વર્ષે ઝડપાઈ હતી બોક્સાઈટની ટ્રકઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૨: ખંભાળિયા પાસેથી ગયા વર્ષે બોક્સાઈટનો જથ્થો ભરેલી ટ્રક પકડી પાડવામાં આવ્યા પછી ચાર શખ્સ સામે બે જુદા જુદા ગુન્હા નોંધાયા હતા. તે કેસ ચાલી જતાં બે આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે.

ખંભાળિયામાં રોયલ્ટી ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા અધિકારી અંકુર ભદ્રકાએ ગયા વર્ષે બોક્સાઈટનો જથ્થો ભરીને જતી એક ટ્રક પકડી પાડ્યા પછી અજય પરબત ભાદરકા, અશોક ભીમશી ચાવડા, દેવાણંદ વેજાણંદ ચાવડા, મહાવીરસિંહ બટુકસિંહ વાઢેર સામે ફરિયાદ કરી હતી. આ શખ્સો સામે માઈન્સ એન્ડ મીનરલ એક્ટ તથા ઈલીગલ માઈનીંગનો ગુન્હો નોંધાયો હતો. તે કેસ ચાલી જતા આરોપી અજય ભાદરકા તથા અશોક ચાવડાના વકીલની દલીલ ગ્રાહ્ય રાખી અદાલતે બંનેનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ રૂચીર રાવલ એસો.ના જયેશ કરમુર, દેવાણંદ ભારવડીયા વગેરે રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh