Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પહેલી મે થી નવા દરો લાગુ
જામનગર તા. ૩: જન્મ-મરણના દાખલાની નકલની ફીમાં વધારો કરવામાં આવ્યો છે. જામનગર મહાનગર પાલિકામાં પણ આ વધારો લાગુ કરવામાં આવ્યો છે. હવે આવા દાખલા માટે નકલના રૂ. પ ના બદલે પ૦ ચૂકવવાના રહેશે.
જામનગરની જી.જી. સહિતની હોસ્પિટલમાં જન્મ લેતા બાળકો અને મૃત્યુ પામનારાઓને દાખલો મેળવવા માટે જામનગર મહાનગરપાલિકામાં જવું પડે છે. અહિં દરરોજ ર૦૦ થી વધુ જન્મ-મરણના દાખલા કાઢવામાં આવે છે.
સરકારે હવે આવા દાખલાની ફી ના ધોરણમાં વધારો કર્યો છે. નોંધ શોધાઈના રૂ. ર૦, જન્મ-મરણ પ્રમાણપત્રની નકલના પ૦ રૂપિયા, ર૧ થી ૩૦ દિવસની લેઈટ નોંધણી માટે ર૦ રૂપિયા, ૩૦ દિવસથી ૧ વર્ષ માટે લેઈટ નોંધણીના પ૦ રૂપિયા, અને એક વર્ષથી વધુના નોંધણીના બનાવોમાં જ્યુડી. મેજિસ્ટ્રેટ અથવા સિટી મેજિસ્ટ્રેટના હુકમથી લેઈટ ફીના ૧૦૦ રૂપિયા વસૂલવાનું તા. ૧-પ-ર૦રપ થી શરૂ કરવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial